May 06, 2017

રીઝર્વેશન પોલિસી ના ફાઉન્ડર અને સામાજિક ક્રાંતિ ના અગ્રદૂત : છત્રપતિ શાહુજી મહારાજ

છત્રપતિ શાહુજી મહારાજ ભારત ના એક સાચા જનનાયક અને સમાજ સુધારાવાદી ના રૂપ મા ઓળખવા માં આવે છે. તેઓ રાજા હોવા છતાં દલિત,પછાત,શોષિત વર્ગ ના કષ્ટ ને પોતાનું સમજ્યા અને હંમેશા તેને દૂર કરવા પ્રયત્નશીલ રહ્યા.તેમણે દલિત વર્ગ ના વિધાર્થીઓ ને મફત માં શિક્ષણ આપવા ની પ્રક્રિયા શરૂ કરી .તેમના શાશન દરમિયાન બાળલગ્નો પર કાયદેસરનો નો પ્રતિબંધ મુકવા માં આવ્યો.તે સમય ના રૂઢિવાદી વાતાવરણ વચ્ચે આંતરજ્ઞાતિય લગ્નો તથા વિધવા પુનઃલગ્ન ના સમર્થન માં પોતાનો અવાજ ઉઠાવ્યો. આ વાત ને લઇ ને તેમની બહુ કડક ટીકાઓ નો પણ સામનો કરવો પડ્યો.શાહુજી મહારાજ મહાત્મા જ્યોતિબા ફૂલે ના વિચારો થી ખૂબ જ પ્રભાવિત હતા.

૨૬, મી જુલાઈ ૧૯૦૨ ના દિવસે ભારત ના ઇતિહાસ માં સૌ પ્રથમ વાર છત્રપતિ શાહુજી મહારાજે તેમના રાજ્ય માં દલિતો અને પછાતો માટે ૫૦% અનામત આપવાનો ઓર્ડર કરી ને દેશ ના પછાતો,વંચિતોઅને દલિતો ની ભાગીદારી સુનિશ્ચિત કરી.

છત્રપતિ શાહુજી મહારાજે 15 જાન્યુઆરી,1919 ના પોતાના આદેશ માં કહ્યું હતું કે, "તેમના રાજ્ય માં કોઈ પણ કચેરી કે ગ્રામ પંચાયત તમામ જગ્યા એ દલિતો - આદિવાસીઓ અને પછાતો (ઓબીસી) જાતિઓ સાથે સમાનતાનો વ્યવહાર કરવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં આવે.

તેમનું સ્પષ્ટ કહેવું હતું કે "આભડછેટ ને ક્યારેય પણ ચલાવી લેવામાં નહી આવે.ઉચ્ચજાતિઓ એ દલિતો ની સાથે માનવીય વ્યવહાર કરવો જ પડશે.જ્યાં સુધી મનુષ્ય ને મનુષ્ય નહી સમજવા માં આવે ત્યાં સુધી માનવ સમાજ નો સર્વે દિશાઓ માંથી વિકાસ થવો શક્ય જ નથી.

૧૫ એપ્રિલ,૧૯૨૦ ના દિવસે નાસિક માં 'ઉદોજી વિધાર્થી છાત્રાલય' ના પાયા નું શિલાન્યાસ કરતા સમયે શાહુજી મહારાજે કહ્યું હતું કે "જાતિવાદ નો અંત ખૂબ જ જરૂરી છે,જાતિવાદ ને સમર્થન આપવું એક અપરાધ છે.આપણા સમાજ ની પ્રગતિ માં સૌથી મોટી અડચણ હોય તો તે જાતિવાદ છે.જાતિ મુજબ ના સંગઠનો ના અંગત સ્વાર્થ હોય છે.નિશ્ચિત રૂપ થી આવા સંગઠનો એ પોતાની શક્તિ નો ઉપયોગ જાતિવાદ ને ખત્મ કરવા માટે કરવો જોઈએ."

છત્રપતિ શાહુ મહારાજે કોલ્હાપુર સ્ટેટ ની નગરપાલિકા ની ચૂંટણી માં અછૂતો માટે પણ સીટો રિઝર્વેશન રાખેલી હતી.આ ભારત ના ઇતિહાસ માં પ્રથમવાર બન્યું હતું કે,નગરપાલિકા ના અધ્યક્ષ અશ્પૃશ્ય જાતિ નો ચૂંટાઈ ને આવ્યો હતો.તેમણે હંમેશા બધા લોકો ને સમાનતા ની નજરે થી જ જોયા હતા. શાહુજી મહારાજે એ.સી./એસટી.ઓબીસી ના વિધાર્થીઓ માટે અલગ થી ખોલાયેલા છાત્રવાસો ને બંધ કરાવી , તેઓ ને સવર્ણ વિધાર્થીઓ ની સાથે બધા માટે એક સાથે અભ્યાસ કરવાની વ્યવસ્થા અમલ માં લાવ્યા હતા.

ડો.બાબાસાહેબ આંબેડકર ને વિદેશ માં મોકલવા માટે પણ તેમણે જ તમામ પ્રકાર ની મહત્વ ની ભૂમિકા ભજવેલી હતી.પોતે કોલ્હાપુર સ્ટેટ હોવા છતાં ડો.બાબાસાહેબ ની તીક્ષ્ણ બુદ્ધિ પ્રતિભા ની તેમને જાણ થઈ તો તેઓ સામે થી ચાલી ને ડો.આંબેડકર સાહેબ ના ઘરનું સરનામું શોધી ને તેમને મળવા પરેલ ની ચાલી માં ગયેલા. અને કોઈ પણ પ્રકાર ની સહાયતા ની જરૂર હોય તો આપવા તત્પરતા દાખવેલી હતી.શાહુજી મહારાજે ડો.બાબાસાહેબ આંબેડકર ને મુકનાયક વર્તમાનપત્ર પ્રકાશિત કરવા માં પણ સહાયતા કરેલી.સદીઓ થી જેઓ ને બોલવા ચાલવા નો હક ન હતો તેમને છત્રપતિ શાહુજી મહારાજ ના શાશન માં બોલવા ની અને વિચારો ને અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવા માં આવેલી. તેમના શાશન માં જ તેમને વિધવા પુનઃવિવાહ ને કાયદેસર ની માન્યતા બક્ષી હતી.

આજ ના દિવસે છત્રપતિ શાહુજી મહારાજ નું નિધન ૬ ઠ્ઠી, મેં ૧૯૨૨ માં મુંબઈ માં થયું,ભારત ના ઇતિહાસ માં સામાજિક ક્રાંતિ ના અગ્રદૂત તરીકે હંમેશા તેમને યાદ રાખવા માં આવશે.

-- સંજય સુમેસરા 



सुर को पकड के रखो, भटको मत : अरुण पटेल

सरकारी स्कुलो के गिरते स्तर और करोडो दलित स्टुडन्ट्स को सही तालीम न दे पाने की नाकामी को एक दो बच्चो को टोप कराकर छुपाया जा रहा है।
हमे एक दो को टोप नही कराना है, सारे दलितो को, पिछडो को, आदिवासी व मुसलमानो को शिक्षा के समान अवसर मिले उस पर ध्यान देना है।
याद रहे, ऐश्वर्या और सुस्मिता को विश्व सुंदरी का खिताब दे कर विदेशीओ ने भारत से कोस्मेटिक्स और ब्युटि प्रोडक्ट्स का अरबो का धंधा कर लिया। अब धंधा जम गया तो दुसरे देशो से विश्व सुंदरिया बनायेंगे! उसी टेकनीक को युज किया जा रहा है।
बडे ही शातिर और कमीने लोग है ये। मतलब के बगैर कुछ भी नही करते है ये लोग। अनुसुचित जाति के लोगो मे भ्रम फैलाया जा रहा है कि वे पढाई मे सब से बेस्ट है, जब कि वास्तविकता यह है कि सही तालीम के अभाव मे करोडो बच्चे अच्छी शिक्षा से वंचित है।
वर्ना वो दिन कंहा कि मियां के पांव में जुती??

सुर को पकड के रखो। भटको मत।
~ अरुण पटेल











Facebook Post :-

શોષણની વ્યવસ્થા અમરતા પ્રાપ્ત કરતી જાય છે : વિજય મકવાણા

ગામડાંમાં રહેલી જાતિગત વિષમતાઓ, અપૂરતાં રોજગાર ને કારણે દ્વેષમય વાતાવરણ તજી ઉજ્જવળ ભવિષ્યની કામના લઇને એક અભણ પરિવાર બહાર નિકળે છે. શહેરમાં આવે છે. શહેર તો એનાથીય મોટી શોષણની વ્યવસ્થા છે. શહેરના એક અવાવરું ખૂણે તે ઝૂંપડું બાંધી નિવાસ કરે છે. એક પછી એક ઝૂંપડાંઓ બનતા રહે છે. ઝૂંપડપટ્ટી બનતી જાય છે. જેમ જેમ મોટી થતી જાય છે. નરક બનતી જાય છે. ન સડક છે, ન પાણીના નિકાલની વ્યવસ્થા વરસાદમાં તો ભયંકર હાલત બની જાય છે. ચડિયાતું નરક! આવામાં શહેરના પ્રતિભાશાળી, વગદાર નેતા ત્યાં પહોંચી જાય છે. તેઓ સમજાવે છે કે, તમે લોકોએ સરકારી જમીન પર ગેરકાયદે કબજો કર્યો છે. મોટી મોટી માંગણીઓ કરશો, દેકારો કરશો તો સરકાર ઝૂંપડપટ્ટી તોડી નાખશે. હાલ ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ અહીંનું કરાવી લો! એજન્ટો ની લાઇન લાગશે. હજાર થી પાંચહજાર પડાવી રેશનકાર્ડ ચૂંટણીકાર્ડનો ધંધો ચલાવાશે! ફરી કોઇ આવશે વીજળીના થાંભલાના માટે બસ્સો-બસ્સો ઉઘરાવી જશે! તો કોઇ મહાપુરુષ આવી સરકારી જાજરું ના પૈસા તડફડાવી જશે. ક્યારેક ચૂંટણીના પડઘમ વાગે તો પેલાં વગદાર નેતાં 'ઘરના ઘર'' ની રુપાળી સ્કીમ-યોજના બતાવી..ટોળેટોળાં છકડાં-ટ્રેક્ટર ભરી તેમને જુદી જુદી સભાઓમાં લઇ જશે. તેઓ ના નથી પાડી શકતાં કેમ કે, એ લોકો વિવશ છે. એક દસ*દસ ની ઝૂંપડી બચાવવા ગરીબ કેટલીય સભાઓ ભરી દે છે. અને એક દિવસ ગંદી ઝૂંપડીમાં ગરીબી ખાંસતી ખાંસતી દમ તોડે છે અને પેલી બાજું શોષણની વ્યવસ્થા અમરતા પ્રાપ્ત કરતી જાય છે.

-વિજય મકવાણા


















Facebook Post :-

तर्क ही ज्ञान की चाबी है : संजय पटेल


जो लोग ये कहते हैं ईश्वर तर्क के परे हैं वो लोग बड़े ही धूर्त है | विश्व में कोई भी चीज तर्क के परे नहीं हो सकती | ऐसा कहकर वो लोग अपनी सड़ी गली दकियानूसी और मूर्खतापूर्ण बातों को सही ठहराना चाहते हैं और उन पर पर्दा डालना चाहते हैं |
ऐसे लोगो को भय होता है अगर लोग सोचने लगे तो हमारी दुकानदारी कैसे चलेगी |
ऐसे लोगो को भय होता है अगर लोग तर्क करने लगें तो हमारी बकवासो को कौन सुनेगा |
ऐसे लोगो को भय होता है अगर लोग तर्क करने लगे तो हमारा पेट कैसे पलेगा |
ऐसे लोगो को भय होता है कि अगर लोग तर्क करने लगे तो हमारा सदियों से चला आ रहा शासन कैसे बचेगा |
ऐसे लोगो का हरसंभव प्रयास होता है कि लोग मूर्ख ही बने रहें ताकि उनका और उनकी पीढियों का भविष्य सुरक्षित रह सके |
ऐसे लोग इस तरह की बात करके अपने लिए सामाजिक सुरक्षा चाहते हैं ताकि कभी उन पर कोई सामूहिक संकट आये तो ऐसे मूर्ख लोगो का समूह ईश्वर के नाम पर उनके लिए ढाल का काम कर सके और अगर जन धन की हानि हो तो उसको ये मूर्ख लोग झेले और वो सुरक्षित रहकर अपना व्यापार चलाते रहें | इसलिए ऐसे धोखेबाज लोगो से बचे और हर चीज पर तर्क करना सीखें |
तर्क ही वो चाबी हैं जो सत्य और असत्य का ताला खोलती है |
तर्क से ही अज्ञानता का अँधेरा ख़त्म होता है और ज्ञान का सवेरा होता है |

- संजय पटेल
















Facebook Post : -

રિવાજોનું પાલન કરીયે પણ કુરિવાજો ના બનવા દઇએ : દિનેશ મકવાણા

By Dinesh Makwana  
અમિતાભ બચ્ચન ની જાહેરાત
દીકરા દીકરી સરખે ભાગે મિલકતમાં ભાગીદાર..

અેશ્વર્યા રાય જ્યારે પ્રેગનન્ટ હતી ત્યારે આ બચ્ચન સાહેબે એવી ઇચ્છા પ્રગટ કરેલી કે પુત્ર પેદા થાય. નારી સંગઠનોએ જ્યારે વિરોધ નોધાવ્યો ત્યારે બચ્ચન સાહેબે કહેવું પડ્યું કે હુ દીકરા કે દીકરી મા કોઇ તફાવત સમજતો નથી. તે સમયે પેપરમાં બચ્ચન ને ઉતર પ્રદેશની માનસિકતા ધરાવતી વ્યકિત તરીકે ચિતરવામાં આવી હતી.

મુળ આ સમાચાર મા એક વાત જરુર સમજવાની છે. હિન્દી ભાષી રાજ્યોમાં આજે પણ દહેજનું દુષણ બહુ મોટે પાયે વકરેલુ છે. બિહારમાં અેક ક્લાર્ક માટે દસ લાખ રુપિયાથી માંડીને IAS માટે સિત્તેર લાખ સુધીનુ દહેજ બોલાય છે. તેથી તે પ્રદેશોમાં લગ્ન પછી બીજી મિલકત આપવાનો રિવાજ જ નથી. કારણ કે લગ્ન સમયે જે દહેજ આપવામાં આવે છે તે દીકરીને જ આપવામાં આવે છે.

દરેક રાજ્યની સ્થિતિ અને સંજોગો જુદા જુદા છે. બાકીના રાજ્યોમાં ખાસ કરીને ગુજરાત કે મહારાષ્ટ્ર ની દલિત જાતિઓમાં દહેજ પ્રથા નથી. આપણા વડીલોએ જે નિયમ બનાવ્યા તેની પાછળ બહુ વ્યવહારિકતા જોવા મળે છે. કારણ કે દીકરી પ્રેગનન્ટ થાય ત્યાં સુધી તે તેના ઘરમાં એડજસ્ટ થઇ ગઇ હોય, તેનું ઘર મજબૂત થઇ ગયું હોય ત્યારે સિમંત વિધિ મા આપણે કરિયાવર આપીયે છે તેમાં કોઇ માગણી નથી હોતી.આની પાછળની મુળ ભાવના એ હતી કે દીકરીને બાળકના જન્મ પછી જુદું રહેવું હોય તો તે આપણા આપેલા કરિયાવરમાંથી રહી શકે છે. મુળ દીકરીને મદદ કરવાની ભાવના હતી.
સિમંત પ્રસંગ સિવાય આપણે દરેક તહેવારે દીકરીને કઇંક આપીને મદદ કરતા હોય છે. પરંતુ આ મદદ હોય ત્યાં સુધી વાંધો નથી પરંતુ જ્યારે તે જીદ મા ફેરવાય છે ત્યારે મુશ્કેલી ઉભી થાય છે.
જો સાસરી પક્ષ મજબૂત હોય અને જરુર કરતા વધારે પોતાની દીકરી કે જમાઇને આપે તેમાં કોઇને વાંધો ના હોય પરંતુ આપણા સમાજમાં પરિસ્થિતિ કરતા દેખાદેખી વધારે છે. સિમંતમાં જો ઓછું મળે તો જમાઇની કિંમત ઓછી અંકાય છે. સાસરી પણ ની સ્થિતિ કરતા જમાઇનો પ્રભાવ આમાં વધુ કામ કરતો હોય છે.
રિવાજો ને વ્યવહારિકતા થી જોવાની જરુર છે. ખોટી જિદ અને નબળી આર્થિક સ્થિતિ રિવાજોને કુરિવાજો બનાવી દે છે. બીજું જે આર્થિક રીતે નબળા છે તે નિયમમાં ફેરફાર ના કરી શકે તેથી આવા રિવાજોમાં જો સક્ષમ વ્યકિત ફેરફાર કરે તો સરવાળે સમાજને ફાયદો છે. કોઇ પણ રિવાજ કોઇ એકાદ કે બે વ્યકિત માટે નથી બન્યો હોતો. કેટલાય કહે છે દીકરીને આપવાંથી ઓછું નથી થઇ જતુ, તે વાત સાચી, પણ દેવું કરીને જો આપીયે તો દીકરાને અન્યાય કરીયે છે. રિવાજોમાં બેલેન્સ હોવું જરુરી છે. વિરોધ રિવાજો કરતા તેમાં પોતાની રીતે કરવામાં આવતા સુધારા તરફે છે.

પણ જ્યારે સાસરી પક્ષની સ્થિતિ સારી ના હોય ત્યારે રિવાજ કુરિવાજ બને છે. જમાઇને સાસરી પક્ષની સ્થિતિની ખબર હોય છે તેથી તે કેટલી અપેક્ષા રાખવી તેમને ખબર હોવી જોઇએ.

અમિતાભની આ જાહેરાત મા ઘણું બધુ કહી જાય છે. આપણે રિવાજોનું પાલન કરીયે પણ કુરિવાજો ના બનવા દઇએ.

--- દિનેશ મકવાણા (આસિસ્ટન્ટ લેબર કમિશ્નર, ભારત સરકાર.)










अमिताभ बच्चन ने अपनी पूरी प्रॉपर्टी अपने बेटे और बेटी को बराबर हिस्से में दे दी, ट्विटर उन्होंने फ़ोटो डाल कर ये सुचना दी

શ્રધ્ધા, અશ્રધ્ધા અને અંધશ્રદ્ધા.. -- દિનેશ મકવાણા

શ્રદ્ધા એટલે વિશ્વાસ...

તમને તમારા પતિમાં વિશ્વાસ હોય તે એક પ્રકારની શ્રદ્ધા છે. શ્રદ્ધા તમને બળ આપે છે, હિંમત આપે છે, આગળ વધવાની પ્રેરણા આપે છે. શ્રદ્ધા પવિત્ર છે તેમાં કોઇ સ્વાર્થભાવ નથી હોતો. 

યુદ્ધ દરમિયાન પોતાના મિત્રની ચીસ સાંભળીને સૈનિક તેને મળવા જાય છે ત્યારે રસ્તામાં તેને કેપ્ટન રોકે છે અને કહે છે હવે તેને મળવાની જરુર નથી, તે માત્ર સેકંડોનો મહેમાન છે. છતાં સૈનિક પોતાના મિત્રને મળવા જાય છે. પોતાના મિત્રને દુરથી જોઇને મૃત્યુ પામી રહેલા મિત્રના ચહેરા પર હાસ્ય આવી જાય છે અને છેલ્લા શબ્દો કહે છે સાલા મને ખબર હતી જ તું ગમે ત્યાંથી આવીશ. આ શ્રદ્ધા છે.

કેટલાય મિત્રોને કહેવાતા ઇશ્વર પ્રત્યે શ્રદ્ધા છે. જયા સુધી તેમાં કોઇ સ્વાર્થની બાબત નથી ત્યાં સુધી આ શ્રદ્ધા નુકસાન કારક નથી. તેથી જે લોકો કોઇ ઇષ્ટદેવને માનતા હોય ત્યાં સુધી કોઇ સમસ્યા નથી પણ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી દિવાલ છે. તમારી શ્રદ્ધા ક્યારે અંધશ્રદ્ધા મા ફેરવાઇ જાય છે તેની તમને ખબર નથી પડતી. 

હમણાં જ પોતાના પિતા ગુમાવેલા મિત્રએ ચાણોદ જઇને અસ્થિ વિસર્જન કર્યા. મારુ કહેવું છે પિતાની યાદમાં તેમના અસ્થિ વિસર્જન માટે વાંધો નથી પણ તમે ઓછામા ઓછા પચાસ વ્યકિત ને લઇને ઓછામા ઓછો ૨૦૦૦૦ વીસ હજાર ખર્ચ કરો છો અને ત્યાં કોઇ બ્રાહ્મણને વિધિ કરવા ૨૦૦૦ થી ૩૦૦૦ સુધી રૂપિયાનો ખર્ચ કરો છો તેનો વાંધો છે. આ આખો ખર્ચ  નકામો છે અને તમે બચાવી શકો અને તમને ગમે તેવા સામાજિક કાર્યમાં વાપરીને પણ પિતાને યાદ કરી શકો છો. જેમ દાન કુપાત્રને ના હોય તેમ શ્રદ્ધાની પાછળ થયેલ ખર્ચ ખોટી જગ્યાએ કે ખોટી દિશામાં ના થવો જોઇએ. શિક્ષણ તમને આ તફાવત સમજાવી શકે.

અશ્રદ્ધા ધરાવતા એટલે જેને કોઈનામાં વિશ્વાસ જ ના હોય તે. કેટલાક તેમને નાસ્તિક પણ કહે છે. નાસ્તિકોને લોકો ભલે બદનામ કરતા પણ નાસ્તિક તરીકે રહેવું હિંમતવાન નું કામ છે. 

મુશ્કેલીમાં ભગવાનને યાદ કરતા શ્રદ્ધાળુને ખબર છે કે ભગવાન જાતે તો નહી આવે પણ પરિસ્થિતિ માત્ર ભગવાન સુધારી શકે તેવો વિશ્વાસ તેને બળ આપે છે, આશ્વાસન આપે છે.

નાસ્તિક ભગવાનને માનતો નથી તેથી તેને યાદ કરતો નથી તેથી મુશ્કેલ સ્થિતિમાં હકારાત્મક બનવા માટે તમારે માત્ર તમારી પર વિશ્વાસ રાખવો પડે છે અથવા એવી તૈયારી રાખવી પડે છે પડશે તેવા દેવાશે. તેને વધુ હિંમતવાન બનવું પડે છે. 

આના માટે જ અમે અંધશ્રદ્ધા નો વિરોધ કરીયે છે. કોઇ મેસેજ ને ચાર વાર કે દસ વાર કોઇ ગ્રુપ પર મોકલવાથી તમને આ મળશે કે કોઇ શુભ સમાચાર આવશે. આનાથી બીજી મુર્ખતા કઇ હોય. જેને પોતાની પર વિશ્વાસ નથી તે આવા ગતકડાં શોધતા રહે છે, કરતા રહે છે અને બીજાના કરવા આહ્વાન કરતા રહે છે. અંધશ્રદ્ધા ધરાવતી વ્યક્તિ ભોળી હોઇ શકે પણ કમજોર જરુર રહેવાની. 

કોઇ એક હોમ કે હવન કરાવાથી તમારા ઘરમાં કોઇ માનસિક શાંતિ થઇ કે નહી તે તમારે સતત ચેક કરતા રહેવું પડે છે. વિજ્ઞાનમાં સાબિતિ હોય પરંતુ ધાર્મિક બાબતમાં સાબિતિ ના હોય તેવી માન્યતાને કારણે આપણે તેમાથી બહાર નીકળી શકતા નથી. દરેક બાબતમાં તર્ક ઊભો કરો, પ્રશ્નો ઉભા કરો અને જવાબ શોધો તો તમે આમાથી બહાર નીકળી શકો. હોમ હવન વર્ષો પહેલા કરાવવામાં આવતા તેની પાછળ જે વૈજ્ઞાનિક અભિગમ હતો તે અત્યારે નથી. 

મારે એટલું જ કહેવું તમારી અંધશ્રદ્ધા ને શ્રદ્ધા તરફ વાળી ને સમાજને મદદરુપ થઇ શકો તે વિનંતી

--- દિનેશ મકવાણા (આસિસ્ટન્ટ લેબર કમિશ્નર, ભારત સરકાર.)






મધ્યમ વર્ગ એટલે સરકાર ની ગાય : પ્રગ્નેશ લેઉવા

દેશના અર્થતંત્ર પર જેનો મદાર છે તે મધ્યમ વર્ગ જ પીસાઈ રહ્યો છે દેશમાં.
ભારત જેવા ગરીબ કહેવાતા ખેતી પ્રધાન દેશમાં મોટાભાગના મધ્યમ વર્ગના લોકો હાલ આર્થિક સકડામણ નો ભોગ બનતા હોય છે . ભૌતિક જીવન શૈલીમાં.પોતાનો ક્રમાંક જાળવી રાખવા સતત સંઘર્ષ કરતો આ વર્ગ પાછો સરકાર ની નજરમાં હમેશ આગળ હોય છે . આગળ એટલે કે એમના ટેક્સ જ ઇઝી ટેક્સ મની હોય છે .નોકરિયાત વર્ગ નો પગાર આસાની થી ટેક્સના દાયરા માં આવી જતા સરકાર ને બખા બખઃખા હોય છેં . વળી આ જ વર્ગ સૌથી મોટો કન્ઝ્યુમર પણ છે.  એમની ખરીદ શક્તિ અને વ્યવહાર થી પરોક્ષ કર પણ મબલખ મળે છે. જેમ કે રેસ્ટરોન્ટ માં જમવા જતા બિલ આવે તેમાં ટેક્સ , પેટ્રોલ પુરાવે , મોબાઈલ , ટીવી , ફ્રીઝ , એસિ, ગાડી , એક્ટિવા, કાંઈ પણ ખરીદે ટેક્સ ચૂકવે જ છે . સરકાર આ આવકના દમ પર જ સબળ છે અને આપણો દેશ મજબૂત કે સક્ષમ ..
મધ્યમ વર્ગને ટકી રહેવા અથાગ પ્રયત્નો કરવા પડતા હોય છે . શિક્ષણ આરોગ્ય પાછળ પણ ઘણા ખર્ચ થતા હોય છે .જ્યાં જાવ ત્યાં મધ્યમ વર્ગ જ ખરીદશક્તિ ને આધારે સરકાર ને આવક પુરી પાડે છે .
આ મધ્યમ વર્ગ એટલે સરકાર ની ગાય ..જેને સરકાર ફાવે તેમ યુઝ કરી શકે .કોઈ જ ખટપટ નહિ કરનાર વર્ગ આસાની થી સરકાર સમક્ષ નત મસ્તક બની જઇ રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજ સમજી ચુપચાપ બેસી રહે છે .મધ્યમ વર્ગ આખી જિંદગી ટકી રહે છે મધ્યમ ક્રમમા જ .. આ વર્ગ નું છેલ્લું ધ્યેય ગાડી ફોર વહીલ હોય છે જે પૂરું થતા પોતાને એક સ્ટેપ ઉપર આવી ગયા એમ સમજી ખુશી નો માર્યો ઉચ્ચ મધ્યમ વર્ગનો સભ્ય બની ગયો એ વાત થી મનમાં મુશકુરાય છે ..
મધ્યમ વર્ગ ને ઉચ્ચ મધ્યમ વર્ગ બનતાં એક જિંદગી વીતી જાય છે .
ઉચ્ચ મધ્યમ વર્ગ ને શ્રીમંત વર્ગ બનતા એક ઝીંદગી .
શ્રીમંત ને તો શ્રીમંત બનવું એ વારસા માં મળેલ ભેટ છે.
ગરીબ ને તો ગણે જ છે કોણ આ દેશમાં ???
પ્રગ્નેશ લેઉવા અમદાવાદ :::



વ્યવસ્થા બદલો, નહિ તો જનતા તમને પણ રોડે રોડ કરી દેશે. : પ્રગ્નેશ લેઉવા

રીબીન કાપવાની પંદરેક મિનિટ નુ કામ
એના માટે ,
એક ચોકીદાર ની ચોકી પાછળ
પ્રજા ના પૈસા નો આવો ધૂમાડો ??

કમાન્ડો સાથે, વિમાન અને હેલિકોપ્ટર નો ખર્ચ
અને
1 ADG , 3 IG, 14 SP, 37 DySP, 97 PI, 260 PSI, 3040 Police constable, 425 Lady Constable, 3. SRP Team, 30 Videographer નો માત્ર પગાર ખર્ચ ગણો.

કામ :  જે પુલ ઉપર જનતા પાસેથી ટોલ લેવાનો છે એવા ખાનગી કંપની નિર્મિત પુલ નુ ઉદ્ધધાટન...
રીબીન કાપવાની પંદરેક મિનિટ ના કામ માટે પ્રજા ના પૈસા નો આવો ધૂમાડો ??

કોઈ કંપની સાથે સંબંધ હોઈ શકે, તો આ પર્સનલ કામ કહેવાય. તેમા પોતાનો ખર્ચ હોવો જોઇએ.
Rs.30 નું પેટ્રોલ Rs.73 માં આપી જે તિજોરી ભરી, તે તિજોરી ના ચોકીદારે પ્રજાના પૈસા આવી રીતે ઉડાડવાના..?

પણ અહી તો દાનત, દલા તરવાડી જેવી..
લઉ રીંગણા.. લઉ રીંગણા..

આ જોઈને ,
ભારતીયો ટેક્ષ શા માટે નથી ભરતા ?
એવો 
આદરણીય કોંગ્રેસ + ભાજપ તથા અન્ય તમામ રાજકારણીઓ
ના સવાલ નો જનતા તરફથી જવાબ.. 

ભારતીયો ટેક્ષ ચોરી નથી કરતા....!! ભારતીયો ટેક્ષ બચત કરે છે, જેથી કરીને

પોતાના બાળકો ને સારું શિક્ષણ આપી શકે, સારી રોજગારી આપી શકે, સારું સ્વાસ્થ્ય આપી શકે અને સારું ભવિષ્ય આપી શકે.

જે તમારા જેવા નેતાઓ  આવી વ્યવસ્થા આપવામાં નિષ્ફળ ગયા છે.

અમે ઇંવેટરો અને જનરેટરો વસાવ્યા, કેમ કે તમે અવિરત વિજળી આપવામાં નિષ્ફળ ગયા. અમે સબમર્સીબલ પંપ વસાવ્યા, કેમ કે તમે પાણી ન આપી શક્યા. અમે સિક્યુરીટી ગાર્ડ રાખ્યા, કેમ કે તમે સુરક્ષા ન કરી શક્યા. અમે અમારા છોકરાઓ ને પ્રાઈવેટ શાળામા મોકલ્યા, કેમ કે તમે સારી શાળા ન આપી શક્યા. અમે અમારા છોકરાઓ ને પ્રાઈવેટ કોલેજ મા મોકલ્યા, કમરતોડ ફી આપી ને ભણાવ્યા, કેમ કે તમે મફત શિક્ષણ , સરકારી કોલેજ  ન આપી શક્યા. અમે પ્રાઈવેટ હોસ્પીટલોના કમરતોડ બિલ ભર્યા, કેમ કે તમે સરકારી સારવાર ન આપી શક્યા. અમે કાર કે બાઈક વસાવી, કેમ કે તમે સારી પબ્લીક ટ્રાન્સપોર્ટ સુવિધા ન આપી શક્યા.

જો તમે તમારી ફરજો બરાબર નિભાવી હોત, અને આ બધી સુવિધાઓ આપી હોત તો, અમને ટેક્ષ ભરવામાં કયા વાંઘો હતો ???

તમે અને તમારા જેવા નેતાઓએ જનતા ના પૈસાનો ખુબ જ દુરઉપયોગ કર્યો છે.

તમે કોર્ટ બનાવી, જયા ન્યાય નથી મળતો. તમે શાળા બનાવી, જયા સારી શિક્ષા નથી મળતી. તમે હોસ્પીટલો બનાવી, જયા દવા નથી મળતી. તમે પોલીસસ્ટેશન બનાવ્યા, જે સુરક્ષા કરવાને બદલે ગુંડાગર્દી કરી રહ્યા છે. તમે જનતાના વોટ લઈ ચુંટાયા અને માલેતુજારો માટે કામે લાગી ગયા.

જો તમે આમાંનુ કઇ પણ સુધારવા માંગતા ન હોવ, તો પછી, જનતા ટેક્ષ શા માટે ભરે ??

જનતાને દોષ દેવાને બદલે, જનતાને સજા દેવાને બદલે, આ વ્યવસ્થા બદલો,

નહીં તો આ જ જનતા તમને પણ રોડે ચડાવશે અને ઈતિહાસનુ કલંકિત પ્રકરણ લખાશે...!!

જય ભારત..

-- પ્રગ્નેશ લેઉવા



श्रेष्ठ होते है वो शासन करते है, इसलिए श्रेष्ठ बनो : विजय मकवाणा

वो रामायण की चोपाईया, हनुमान चालीसा, गायत्री मंत्र, गीतापाठ, शिवस्त्रोतम, हजारो व्रत कथाये, सोलह संस्कार विधिया, भगवद कथाये, पुराण कथाये.. आदि आदि साहित्य कंठस्थ करके बैठे है.. आप किसी भी मुर्ख दीखते पंडित को किसी भी वक्त अचानक इस सिलेबस में से कोई सवाल पूछकर देखे, जवाब परफेक्ट ही देगा.. वो जवाब दे शकता है क्योंकि वो सब उनके पूर्वजो ने उनके हित के लिए लिखा हुआ है.. और वो लोग अपने पूर्वजो को बेपनाह चाहते है.. उनके लिए गर्व लेते है.. 

आप में से कितनो को धम्मपद, त्रिपिटक, जातक कथाये, बुद्ध और उनका धम्म, कबीर साहित्य, रैदास साहित्य, तुकाराम के अभंगो, पेरियार की सच्ची रामायण, बाबासाहेब की २२ प्रतिज्ञाए, उनके २२ वोल्यूम, भाषण, आदि साहित्य का सिलेबस याद है?? अगर आपको इसमें से कुछ भी याद रखने की इच्छा ही नही है तो फिर वो आपसे श्रेष्ठ है.. और जो श्रेष्ठ होता है वही शासन करता है.. आप उन्हें उनकी जात को श्रेष्ठ कहने से रोक नहीं शकते!!

--विजय मकवाणा 
(अनुवादक : कुंदन कुमार)







WHO COULD BE MY/OUR GOOD FRIEND ??

HAPPY FRIENDSHIP DAY..!!!


પોસ્ટનું ટાઇટલ વાંચીને એમ ના સમજવું કે આ પોસ્ટ ગયા વર્ષની છે અથવા તો એડવાન્સમાં આ પોસ્ટનો લેખકડો (કાચો-પાકો) હરખઘેલછા માં આવી ગયો છે.

ના એવું જરા પણ નથી, મને ખબર જ છે કે નવી રીત-રસમ મુજબ એક દિવસીય ફ્રેન્ડશીપ ડેની શુભકામના ક્યારે આપવાની હોય. સોશ્યલ મીડીયાનો પ્રસાર થતા કોઇની પણ સાથે મૈત્રી કરવી કે મૈત્રી બાબતે પુછવાનું સાહસ પણ સરળ  થઇ ગયું છે.  સાથો સાથ સોશ્યલ મીડીયામાં પર મીત્રતા કરવાના માનાંકો પણ બદલાય ગયા છે. આમ તો મીત્રતાના કોઇ માનાંકો ના હોય,બસ મન મળી જાય એટલે મીત્રતા થઇ જાય.

વર્ષ 2011 સુધી મારે પણ મીત્રતા માટેના કોઇ માનાંકો ન હતા, પણ વર્ષ 2011થી સામાજીક જીવનમાં પરીવર્તન (transformation) આવ્યું છે, માટે જ આ પરીવર્તનને અનુરૂપ નવી કોઇ પણ મીત્રતા માટે મેં  પણ પ્રાથમિક માપદંડો બદલી નાખ્યા છે. જો કે જે ઓલરેડી દિલના જગ્યામાં પ્લોટ બુક કરી આશીયા બનાવી લીધા છે તેવા ગીરનારી મીત્રોને મારા નવા માનાંકો લાગું નથી પડતા કે પાડી નથી શકતો(કારણ, ખબર નથી). પણ અપેક્ષા રહેશે કે જુના,નવા અને ભવિષ્યના તમામ મીત્રો, મારા સામાજિક પરીવર્તન બાદના માનાંકો પર ખરા ઉતરવા પ્રયત્નશીલ બની રહેશે.

કોણ મારા સાચા અને સારા મીત્ર થઈ  શકે  ???

1) શુ તમે દરેક ધર્મ અને જ્ઞાતિના માણસને સમાન રીતે વર્તો છો અને ફક્ત માનવી ગણો છો? 
2) શું તમને કાયદા અન્વયે ચાલતુ શાસન પસંદ  છે?
3) શું તમને લોકશાહી પસંદ છે? 
4) શું તમને અંધશ્રધ્ધાથી નફરત છે અને વિજ્ઞાનના ચાહક છો ??
5) શું તમને વ્યક્તિ સ્વાતંત્ર પસંદ છે? 
6) શું તમે બિનસાંપ્રદાયીક છો ?
7) શું તમે સર્વને સાથે સમાન ન્યાય થાય તે પસંદ છે ?
8) શું તમને, સ્ત્રીઓને તમામ  ક્ષેત્રમાં સમાનતા મળે એ વાત પસંદ છે ?
9) શું તમને બધાના સમાન વિકાસમાં રસ છે ?
10) શું તમે સગાવાદ ના પસંદ છે ?
11) શું તમને નૈતિકતા અને નીતીમત્તા પસંદ છે ? 
12) શું તમે પ્રેમ લગ્ન અને આંતર જ્ઞાતિ/ધર્મ લગ્નના સર્મથક છો ? 
13) શું તમેને કોઈ પણ પૂર્વગ્રહ વગર થતી મૂક્ત ચર્ચા/વાર્તાલાપ પસંદ છે ?
14) શું તમને નાયકોની પૂજા/ભક્તિ ના પસંદ છે ?
15) શું તમે બંધારણને સંન્માન આપો છો ? 
16) શું તમને કોઇ પોતાની જ્ઞાતિ કે પેટા-જ્ઞાતીનું અકારણ/સકારણ ગૌરવ લેય તે વાત ના પસંદ છે ?

જો, ઉપરોક્ત સવાલોના જવાબ "હા" હોય તો આપણે બંને ખુબ સારા અને સાચા મીત્ર બનીશું અને ટકી પણ રહેશુ.....

-- રાહુલ વાઘેલા (સુરેન્દ્રનગર).











બાબાસાહેબ ખરા અર્થમાં 'રોડરોલર' હતાં : વિજય મકવાણા

ઘરની પાછળ 3500 ચો.વાર નો કોમન પ્લોટ સાફ કરાવવાનો છે. જોયું કે, ઘણાં ખાડા છે. ઘણાં ટેકરા છે. જરાય સમતળ નથી. અમે એક કોન્ટ્રાક્ટરને બોલાવ્યો. પ્લોટ સમતળ કરવા કહ્યું. તમે યોગ્ય રીત બતાવો. તેણે કહ્યું બે રીત છે.
1) જેસીબી મંગાવો જેટલાં ટેકરા છે. તેને સુપડીથી તોડી નાખો. ટેકરાની માટી ખાડામાં જશે પ્લોટ સમતળ થઇ જશે. મેં કહ્યું તેમાં ફાયદો કે ગેરફાયદો? તો કહે ગેરફાયદો સોસાયટીની જમીનથી પ્લોટનું તળ નીચું જશે. વરસાદમાં પાણી ભરાશે. ગંદકી થશે. મેં કહ્યું બીજી રીત?
2) બીજી રીત થોડી ખર્ચાળ છે. 50-60 ટ્રેક્ટર માટી નખાવી દો. જેટલાં ખાડા છે તેટલાં ભરી દો અને ઉપર રોડરોલર ફેરવી દ્યો.

બીજી રીત એક્ઝેટલી સંવિધાન મુજબની છે! ટેકરાના અસ્તિત્વને વાંધો ન આવે તેમ ખાડાને ટેકરાની બરાબરીમાં લાવી દેવાનો!

બાબાસાહેબ ખરા અર્થમાં 'રોડરોલર' હતાં! જમીન સમતળ થઇ રહી છે.

નાલાયક મનુ જેસીબી-સુપડી વાપરતો હતો! બધું ગંદકી ગંદકી કરી નાખ્યું'તુ!!

-વિજય મકવાણા

















Facebook Post :-

બસ સાત જ વરસ માં કૃષ્ણએ નાગોના ઉપકારનો બદલો વાળી દીધો : વિજય મકવાણા



યમુના નદીમાં વસતા નાગ માનવતાવાદી-બાળકપ્રેમી હતાં. વાસુદેવ જ્યારે નવજાત કૃષ્ણને લઇ વરસતા વરસાદમાં નદી પાર કરી રહ્યાં હતાં ત્યારે સાત ફેણવાળા નાગે છત્રીનું કામ કરેલું.. પછી શી ખબર એજ નદી ક્યારે ઝેરયુક્ત બની ગઇ. ત્યાં ક્યારે કાલિયનાગ આવી ગયો. કથામાં તો સદીઓથી રહેતો દેખાડ્યો છે. બસ કૃષ્ણ સાત વરસના થયાં. નાગોના ઉપકારનો બદલો વાળી દીધો..સામ્રાજ્ય જ ખતમ કરી નાખ્યું..નાગથી દ્વીજ લોકો નફરત કરવા લાગ્યાં. નાગ લોકદેવતા બની રહ્યાં. બ્રાહ્મણ પૂજારી ન મળતાં. લોકોએ જાતે પૂજારી બની નાગદેવતાનું અસ્તિત્વ ટકાવ્યું..
-વિજય મકવાણા













Facebook Post:-

આ દેશ કટ્ટરવાદીઓ અને ફાંસીવાદી વિચારસરણીનો ગુલામ થતો જાય છે : વિજય મકવાણા

એક સમય હતો..યુરોપમાં IVF (ઇન વીટ્રો ફર્ટીલાઇઝેશન) પધ્ધતિથી પ્રથમ બાળક 1978માં જન્મતાં જ દાક્તરી વિજ્ઞાનથી ચર્ચ નારાજ થઇ ગયું હતું. ચર્ચનું કહેવું હતું કે, આ કુદરતનાં સિધ્ધાંતોનો ભંગ છે. કેટલાય વિરોધ બાદ યુરોપમાં તે પધ્ધતિ ચાલું રહી. 1986માં IVF ટેકનોલોજી ભારતમાં પણ આવી તે જ વર્ષે ભારતની પ્રથમ ટેસ્ટટ્યુબ બેબી હર્ષા ચાવડાનો જન્મ થયો. સમગ્ર ભારતે હર્ષોલ્લાસ સાથે આ પુત્રીનું સ્વાગત કર્યું. તે વખતની સરકાર કોઇપણ હો એનાથી કશો ફરક નથી પડતો પણ ત્યારે આ સમાજ માનવઅધિકાર વિશે, વિજ્ઞાન એક આવકાર્ય બાબત છે તે વિશે જાગૃત હતો. નવા વિચારો, સિધ્ધાંતો, વિજ્ઞાનીક તથ્યવાળી, બાબતોનો સ્વાકાર કરવો. તેવું ભારતે મન બનાવી લીધું હતું..1980 થી 2000 નો ગાળો ભારતના દિમાગી વિકાસનો સુવર્ણકાળ હતો...
ખબર નહી કેમ પણ હવે એવું અનુભવી રહ્યો છું..કે, આ દેશ કટ્ટરવાદીઓ અને ફાંસીવાદી વિચારસરણીનો ગુલામ થતો જાય છે.
ભારત સરકાર 'સિંગલ પેરન્ટ' 'સરોગસી' 'લીવ ઇન રીલેશનશીપ' 'સમલૈંગીક લગ્નો' પર પ્રતિબંધ કે નિયમનની વ્યવસ્થા લાવી રહી છે. કેટલીક વિવાદાસ્પદ જોગવાઇઓ સાથે કેબીનેટની મંજૂરી મળી ગઇ છે. રાજ્યસભા-લોકસભામાં ચર્ચા થશે. જોઇએ ભારત કઇ તરફ નમે છે.
-વિજય મકવાણા


















Facebook Post :-

જ્યાં સુધી લખશો ત્યાં સુધી આઝાદી છે!! : વિજય મકવાણા

આશરે અઢી હજાર વર્ષ પછી લખવાનો,સ્વતંત્ર વિચારવાનો મોકો મળ્યો છે. સદીઓ બાદ અક્ષરો સાથે નાતો બંધાયો છે. આ સંબંધને મજબૂત કરો!! કાગળ લ્યો, પેન લ્યો ડાયરીમાં લખો, કોલસો લ્યો દિવાલ પર લખો.ભીંતો ભરી મુકો!! ફેસબુક પર, વોટ્સએપ,અન્ય સોશ્યલ મિડીયા પર અંદાજે 19 કરોડ ભારતીયો લખી રહ્યાં છે. તમે પણ એમાં સામેલ છો. બેધડક લખો. ખુદના વિચારો રજુ કરો. આંબેડકર,પેરીયાર,ફુલે,લલ્લઈસિંહ યાદવની સમાનતાની વિચારધારાને લખો. સમાજ જરૂર બદલાશે. એ લોકો મુરખ ન હતાં જેમણે તમારા લખવા,વાંચવા,બોલવા પર પ્રતિબંધ મુક્યો હતો. જીભ કાપી લેવી,કાનમાં ધગધગતું સીસું રેડી દેવું, આંગળીઓ કાપી લેવી..આ બધી સજાઓ ખાલી તમારા શરીરને અંકુશમાં રાખવા જ નહોતી કરવામાં આવતી. તમારા દિમાગ પર પકડ બનાવવા અમલમાં હતી. હવે તમે સ્વતંત્ર છો. લખો તમારા માટે નહીં તમારા બાળકો માટે લખો. પોતાની ઓળખ માટે લખો.સમાનતા માટે લખો. એક મહાન સંસ્કૃતિને જીવંત કરવા માટે લખો. આંગળીઓ દુ:ખે તોય લખો..જ્યાં સુધી લખશો ત્યાં સુધી આઝાદી છે!!
-વિજય મકવાણા
વિચારબીજ:ડીસીમંડલ















Facebook Post :-

હિન્દુહિતની દુકાન : વિજય મકવાણા

ગુરુજી: વત્સ બધાં હિન્દુઓએ 10-12 બાળકો પેદા કરવા જોઇએ.
ચેલો: ગુરુદેવ એનાથી વસ્તી વિસ્ફોટ થશે. ભૂખમરો ફાટી નિકળશે.
ગુરુજી: તૂ ભૂખ્યો નહી રહે.
ચેલો: કેવી રીતે ગુરુદેવ?
ગુરુજી: આપણે હિન્દુહિતની દુકાન ચલાવીશું, કસ્ટમર વધશે.
ચેલો: પણ લોકો નહી પેદા કરે તો?
ગુરુજી: તો મુસલમાનો વધતા રહેશે. એક સમય મુસલમાનો આપણા કરતાં વધી જશે.
ચેલો: તો તો આપણી દુકાન બંધ થઇ જશે. બરાબરને ગુરુદેવ?
ગુરુજી: ના, વત્સ આપણે મુસલમાનો પાસેથી ડીલરશીપ લઇ લેશું.
ચેલો: કેવી રીતે ગુરુજી?
ગુરુજી: આપણે પૂર્વે બીરબલ, માનસિંહ, ટોડરમલ, કૃષ્ણરાવ, જયચંદ બની ગયાં હતાં. અને માલદાર બન્યાં હતાં. આપણે પ્રશસ્તિઓ ગાઇને આપણું સ્થાન અકબંધ રાખીશું. વજીર, મંત્રી, સચિવ, કાજી બનીશું..
ચેલો: તો આપણા બીજા હિન્દુ ભાઇઓનું શું?
ગુરુજી: વત્સ, પુરાણોમાં નજર કર જે આદરને પાત્ર છે તે આપણે જ છીએ. આપણા ગૌરવપૂર્ણ વારસાનું ગૌરવ લે..
ચેલો: મતલબ આ બધી ફિકર આપણી છે?
ગુરુજી: જી, વત્સ અન્યો માટે કોઇ યોજના નથી 'ન ભૂતો ન ભવિષ્યતિ'
ચેલો: ગુરુજી, હું કમંડલમાં ગાયનું શુદ્ધ ઘી ભરી લાવું..આજે ભોજનમાં લાડું છે.
ગુરુજી: વત્સ, કોઇ ભક્તને મોકલી બે તમાકુંની પડી મંગાવી લેજે..લાડું ભોજન કર્યાં બાદ પાચનક્રિયા મંદ પડી જાય છે.
ચેલો: જી, ગુરુદેવ!
-વિજય મકવાણા




કન્યાના ભ્રુણ હત્યામાં મુસલમાનોનો ફાળો નહિવત છે : વિજય મકવાણા

જો તમારે સત્ય સમજવું હોય તો આ રીતે તર્ક કરો!
તાજી વસ્તી ગણતરીનાં આંકડા જુઓ. મુસલમાનોનો જેન્ડર રેશિયો 1000 પુરુષ સામે 951 સ્ત્રીનો છે. જે 2001માં 936 નો હતો. જો પ્રત્યેક મુસલમાન 4 સ્ત્રી સાથે નિકાહ કરે તો અંદાજે 75% મુસલમાન યુવક કુંવારા રહી જાય. જો પ્રત્યેક મુસલમાન 2 સ્ત્રી સાથે નિકાહ કરે તો 52% મુસલમાન યુવક કુંવારા રહી જાય..
મુસલમાનોની વસ્તી 1.1 % વધી છે તેનું એક ખૂબસૂરત કારણ છે. મુસલમાનો 'કન્યાભ્રુણ હત્યા' નથી કરાવી રહ્યાં. કેટલાંક મુર્ખાઓ હિન્દુજનની વધાર્યા વિના હિન્દુ વસ્તીવિસ્તાર વધારવા માંગે છે.
યુનિસેફ કહે છે: ભારતમાં ગેરકાનુની રીતે દરરોજ 2000 કન્યાના ભ્રુણની હત્યા થાય છે. જેમાં મુસલમાનોનો ફાળો નહિવત છે.
-વિજય મકવાણા














Facebook Post :-

ભારતની સૌથી પ્રાચિન જાતિ નાગનો સમગ્ર દુનિયા પર કબજો હતો : રાજેન્દ્ર પ્રસાદ સિંહ



એક કહેણી હતી 'બ્રિટનનો સૂરજ કદી આથમતો નથી' એનો મતલબ એ હતો કે, દુનિયામાં જુદાજુદા ટાઇમઝોનમાં આવતા દેશો પર, સંસ્થાનો પર બ્રિટનનો કબજો હતો. એટલે સૂરજ કોઇપણ એક દેશમાં ઉગી રહ્યો હોય તે નક્કી જ હોય. એટલે પોઝીટીવલી દુનિયા પર તેમનો સૂરજ તપે છે તે દેખાડવા બ્રિટન આ કહેણીથી ગૌરવ લેતું..
ભારત પણ એક કહેણી હજારો વર્ષોથી કહે છે. 'પૃથ્વી શેષનાગની ફેણ પર ટકેલી છે' તેનો સકારાત્મક અર્થ એ થાય કે ભારતની સૌથી પ્રાચિન જાતિ નાગનો સમગ્ર દુનિયા પર કબજો હતો..
-મિત્ર રાજેન્દ્ર પ્રસાદ સિંહ (ભાષા વિજ્ઞાની)













Facebook Post :-

આ માનસિક રોગીઓનો દેશ છે : દિલીપ મંડલ

મા: ઘરથી બહાર જાય છે. પહેલાં ટોઇલેટ જઇ લે.
પુત્રી: હજી હમણાં તો ગઇ છું.
મા: એકવાર ફરીથી જઇ આવ.
પુત્રી: સારું, મમ્મી જાઉં છું.
મા: પાણી કેમ પીએ છે?
પુત્રી: તરસ લાગી છે.
મા: બસ કર હવે, વધુ ન પી.
પુત્રી: કેમ?
મા: લાંબી સફર છે, વધુ પાણી પીશે તો જઇશ ક્યાં?
પુત્રી: પણ મમ્મી ગઇ વખતે ઓછું પાણી પીવાથી લૂ લાગી ગઇ હતી. ડીહાઇડ્રેશન..મરી ગઇ હોત તો?
મા: કોઇ વાંધો નહી, એમ કંઇ મરી નહી જા.
પુત્રી: ડોક્ટર માસીએ કહ્યું હતું ઓછું પાણી પીવાથી મને ઘણી ગંભીર બિમારીઓના લક્ષણ છે.
મા: તો શું થયું? રસ્તામાં પછી ક્યાં કરીશ?
પુત્રી: મમ્મી, મોન્ટુને તો પાણી પીવાથી તું રોકતી નથી. મને કેમ રોકે છે?
મા: મોન્ટુ બસની પાછળની બારીએ જઇ શકે છે.
પુત્રી: મોન્ટુ જઇ શકે તો હું કેમ નહી?
મા: માર ખાઇશ હવે! બહું ચાંપલી ન થા! આ આપણી સંસ્કૃતિ છે, સંસ્કાર છે. મોન્ટુ જઇ શકે તું નહી.
પુત્રી: તું ઠેકઠેકાણે ટોઇલેટ કેમ નથી બનાવી દેતી?
મા: એ શક્ય નથી, નહી બને.
પુત્રી: કેમ?
મા: કેમ કે, દેશને લાગે છે કે,ઔરતો રોકી શકે છે.
પુત્રી: તું રોકી શકે છે મમ્મી??
મા: ના. નથી રોકી શકતી.
પુત્રી: તો?
મા: તો શું? માર ખાવો છે તારે? બંદ કર તારો બકવાસ. ભાગ અહીંથી.
અને તમે કહો છો ભારતને બિમાર દેશ કહી મેં મોટો અપરાધ કરી નાખ્યો છે. હવે આ દેશને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતીમાં કાયમી સીટ જોઇએ છે. જે મહિલાઓને ટોઇલેટ સીટ નથી આપી શકતો. અને મહિલાઓની આ પરેશાની બાબતે વિચારી પણ નથી રહ્યો. આ માનસિક રોગીઓનો દેશ છે. અને જે મનોરોગી નથી તે પાગલખાનામાં જાય..પાકિસ્તાન જાય..!!
-દિલીપ મંડલની વોલ પરથી સાભાર...
અનુ: વિજય મકવાણા













Facebook Post :-



સુધરવું જ હોય તો પૂરેપૂરા સુધરો યાર : -વિજય મકવાણા

મોહનલાલ હમણાં બહુ સમાનતાવાદી થઇ ગયા છે. જાતિવાદને બાય બાય કહી દિધું છે. દિકરાના મેરેજ કરવા અમેરિકાથી આવ્યા છે. લોકલ ન્યુઝપેપરમાં એડ આપી છે!
સુકન્યા જોઇએ છે!

જન્મે ઔદિચ્ચ બ્રાહ્મણ, કશ્યપ ગૌત્ર, રંગ ગોરો, 5.7" ઉંચાઇ, ગ્રીનકાર્ડ, છ આંકડામાં પગાર, વિગેરે વિગેરે..છેલ્લે (જ્ઞાતિ બાધ નથી)

મોહનલાલ આમ હોય? સુધરવું જ હોય તો પૂરેપૂરા સુધરો યાર! જાતિવાદી નથી તો ઔદિચ્ચ બ્રાહ્મણ પણ નથી. કોઇ ગૌત્ર પણ નથી.
-વિજય મકવાણા
















Facebook Post :-

અરુણોદય થવાને ઘણીવાર છે : વિજય મકવાણા

સામાજીક ન્યાયના પાયા પર જ રાષ્ટ્રના વિકાસની ઇમારત ચણાય છે. વંચિતોને અવસરની સમાન તકો, સમાનતા, બંધુત્વ, સૌહાર્દની બંધારણીય સંકલ્પનાઓ જ બે વ્યક્તિઓ વચ્ચે આદર અને સ્નેહ પેદા કરે છે.
પશ્ચિમમાં એક સમય એવો હતો, બહું વર્ષો પહેલાં નહી બસ પચાસના દાયકાની જ વાત છે. ગોરા લોકો કાળા લોકોનો સ્પર્શ નહોતા કરતાં. આભડછેટ રાખતા. ગોરાઓએ નક્કી કર્યું કે હવે સુધરવું છે. વિકસીત રાષ્ટ્રનું નિર્માણ કરવું હશે તો સુધરવું પડશે. અને સુધરી ગયાં..!
વિશ્વના સૌથી ખ્યાતનામ તેજ રફતારવાળા દોડવીર યુસેન બોલ્ટએ પોતાની ફેસબુકવોલ પર 24 ફેબ્રુઆરીના રોજ રંગભેદીઓ, જાતિવાદીઓના ગાલ પર આ રીતે તમાચો માર્યો! તસવીરમાંની રુપાળી ગોરી ગોરી હથેળીઓ જુઓ! ધોળીયાઓની આ ઉદારતાને કારણે તેમના રાષ્ટ્રો વિકસીત છે.
ભારતમાં અપરકાસ્ટના લોકો હજી ઉંઘમાં છે. ભારતમાં હજી મધ્યરાત્રી છે. અરુણોદય થવાને ઘણીવાર છે.
-વિજય મકવાણા


Facebook Post :-

ક્રાંતિ અમર છે દોસ્તો, તમારી રગોમાં વહેતી રહેવાની : વિજય મકવાણા



ઘણાં દોસ્તો ચિંતા વ્યક્ત કરે છે. શોષિતો-પિડીતોનું આંદોલન તૂટી જશે તો?? નાની નાની ઘટનાઓ-અફવાઓ તેમને વિચલીત કરી મુકે છે. આંદોલન નિષ્ફળ જશે તો??

હું તેમને કહું છું..તૂટી જશે તો ફરી ઉભું થઇ જશે..મને સ્હેજ પણ ચિંતા નથી. જે લોકો જાગી ગયાં છે તે ફરી ક્યારેય સુવાના નથી. તમે તૂટી ન જશો દોસ્તો! એક આંદોલન નિષ્ફળ જવાથી, એક બળવાને દબાવી દેવાથી ક્રાંતિ ક્યારેય મરતી નથી. ક્રાંતિ ચિરયૌવના છે. ક્રાંતિ એક સતત ચાલતી પ્રક્રિયા છે. તે ફરીથી તેનો મનમીત ખોળી લેશે. પોતાને અજવાળતો નવો સિતારો શોધી લેશે. ઝળહળતાં રહેવું ક્રાંતિની સદીઓ પૂરાણી આદત છે..શોષિતોની, વંચિતોની ક્રાંતિ એક સમયે તેનો રૈદાસ, તેનો જ્યોતિબા, તેનો આંબેડકર, તેનો પેરિયાર, તેનો કાંશીરામ, શોધી જ લેશે..
તમે જગતની તમામ ક્રાંતિનો અભ્યાસ કરી લો! ક્રાંતિ જ્યારે વરમાળા લઇ નિકળે છે તો તેને બ્રુનો, ગેલિલિયો, જ્યોર્જ ડાટન, નેપોલિયન, લેનીન, કાર્લ માર્કસ, માઓ, જિચિરો, લિંકન, પોલ રીવીરે, સેમ્યુઅલ એડમ્સ, એન્ટોનીઓ ગ્રામ્શી, માર્ટીન લ્યુથર, ચે ગુવેરા, તિલકા માંઝી, બિરસા મુંડા, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ..જેવા કેટલાંય નવલોહિયા મળી આવે છે. જે તેના માટે મરી ફિટશે!
ક્રાંતિ અમર છે દોસ્તો! તમારી રગોમાં વહેતી રહેવાની!
-વિજય મકવાણા


Image may contain: outdoor












Facebook Post :-