Showing posts with label Anil Shekhaliya. Show all posts
Showing posts with label Anil Shekhaliya. Show all posts

March 06, 2018

વિચરતી વિમુક્ત ૪૦ જ્ઞાતિઓનો વિકાસ મંત્ર

By Anil Shekhaliya || 3 March 2018 at 19:29


"૧૧% અનામત સાથે ST માં સમાવેશ"

હક્ક મંગવો એ દરેક નાગરિકનો સમાન અધિકાર છે આપણે બીજી બધી જ્ઞાતિઓ કરતા આર્થિક શૈક્ષણિક અને સામાજિક રીતે સૌથી ગરીબ વંચિત શોષિત અને પીડિત પ્રજા છીએ વિચરતી વિમુક્ત જ્ઞાતિઓનો વિકાસ ફક્તને ફક્ત અલગ અનામત મળે તો જ ઉદ્ધાર છે.
આજના ભ્રષ્ટ મુડીવાદિ અને હરિફાઈના યુગમાં આવી નબળી જાતિઓ અને આપણો વિકાસ આપણે કોઈપણ હરીફાઈમાં ટકીને કરી શકીએ તેમ નથી. પાયામાં શિક્ષણ તો જરૂરી છે જ પરંતુ આ બીજા વિકસિત સમાજ સાથે વિકાસની ભાગીદારી મેળવવા અને મુખ્ય ધારા માં આવવા માટે માત્રને માત્ર આપણે ૧૧% સાથે ST માં સમાવેશ કરે તો જ આપનો વિકાસ શક્ય છે એમ લાગે છે.
માટે જાગો ભાઈઓ આપણી એકતા કરી હક્ક અધિકાર માટે આ અભિયાનમાં જોડાઓ.  NT/DNT સમાજ ની ગરીબી નાબૂદી માટે લડાઈ ઉપાડીયે અને આપણને પણ સમાન અધિકાર મળે એ માટે  સૌ સાથે મળી ને સંધર્ષ કરીએ. એક વેર-વિખેર કડીઓને જોડીને એક સાંકળ બનીએ અને આપણો અધિકાર મેળવીને જ જંપીએ

આપણે અનામત શા  માટે માંગીએ  છીએ ઃ-

  1. NT/DNT સમાજ શોષિત પીડિત અને વંચિત જંગલી જીવન જીવે છે
  2. એક જગ્યાએ વસવાટ નથી નિરંતર ભટકતી જ્ઞાતિઓ છે 
  3. આસ્થા શ્રદ્ધાથી મહેનત કરે છે વિકાસ અને રોજગાર માટે ભટકે છે
  4. આર્થિક પરીસ્થીતી જ નબળી હોય તો શિક્ષણના ખર્ચા ક્યાંથી કરશે?
  5. બિન સંગઠિત કોમ છે
  6. જન્મ મરણ રેશનકાર્ડ કે બીપીએલ વગેરેના પુરાવા ધરવતા નથી જેથી કોઈ યોજનાઓના લાભ મેળવી શકતા નથી
  7. તીરસ્કાર અને અપમાન નો ભોગ બનેલી પ્રજા છે
  8. ઓબીસી માં સમાવેશ કરવાથી NT/DNT સમાજ ફક્ત શોભાના ગાંઠિયા સમાન છે
  9. મજબૂત સમાજ જ obc ના ૨૭% અનામત ના લાભ મેળવે છે અને ગરીબના લાભ ઝુંટવાઈ જાય છે


૧૧% અનામત સાથે ST માં સમાંવવાથી શુ ફાયદો મળશે ??


  1. કોઈપણ શિક્ષણમાં ઉચ્ચ અભ્યાસમાં NT/DNT બાળકોને અનામતથી અભ્યાસમાં સ્થાન મળશે
  2. નોકરીમાં પણ ૧૦૦૦ ક્લાર્કઓની ભરતી હશે તો ૧૧% થી ૧૧૦ NT/DNT બાળકો કલાર્કની નોકરી મેળવશે
  3. ૧૦૦૦ પોલીસની ભરતીમાં પણ ૧૧૦ NT/DNT બાળકો પોલીસ બની શકશે
  4. ૧૦૦૦ મામલતદારો,કલેકટરો,કે પી.આઈ, વગેરેની ભરતીમાં પણ દરેકમાં NT/DNT ૧૧૦ બાળકો પદ મેળવશે
  5. કોઈ પણ ચૂંટણી હોય સરપંચ,ડેલીગેટ,કોર્પોરેટર,ધારાસભ્ય,સંસદસભ્ય વગેરેમાં પણ NT/DNT સમાજ ના લોકો ને ૧૧% લેખે અનામતનો લાભ મળશે.
    જેમ કે, ૧૦૦૦ સરપંચની ગામોમાં ચૂંટણીમાં ૧૧૦ NT/DNT સમાજ માથી સરપંચ બની શકશે, ૨૦૦ ધારાસભ્યોમાં ૨૨ NT/DNT ધારાસભ્યો બની શકશે. આમ દરેક ક્ષેત્રે NT/DNTને ૧૧% મળશે તો તેનો લાભ મળશે અને દેશ ના વિકાસમાં સહભાગી બની શકાશે. 
  6. ST માં સમાવેશ કરશે તો અનુસૂચિત જનજાતિને જે લાભ કે સુવિધા મળે છે તે બધી જ સુવિધાઓ આપણને ૧૧% અનામત પ્રમાણે મળશે.
એસ સી કે એસ ટી અનામત મા કોઇ ફેરફાર કર્યા વિના આ ડીમાંડ કરવામા આવે છે.

માટે જાગો ભાઈઓ-બહેનો,વડીલો-યુવાનો આપણા સમગ્ર સમાજોના ઉદ્ધાર માટે વિચરતી વિમુક્ત જ્ઞાતિના નેતૃત્વમાં સૌએ એક સંપ થઈને આપણો અધિકાર મેળવીયે.
વિચરતી વિમુક્તની એક કરોડ પંદર લાખની જનતામાં આપના દરેક પરિવારમાંથી દરેક ઘરમાંથી એક સભ્ય આ અભિયાન માં જોડાઈશું તો એક મજબૂત અવાજ બનશે. "આપણે આપણો અધિકાર મેળવીને જ જંપીશું આવી શપથ લઈએ."

આ અભિયાનમાં જોડાઓ.

આ મેસેજ વધુમાં વધુ શેર કરો તમામ સમાજ સુધી પહોચવો જોઈએ

લી. અનિલ શેખલીયા
મો. 9714017874

સપોર્ટર ઃ-
અજિતભાઈ મીઠાપરા
9924511851
મહેશભાઈ સાથળિયા
8000419315
(Edited By Vishal Sonara)

November 07, 2017

De-notified and Nomadic Tribes (DNT) ની હકિકત

By Anil Shekhaliya || 06 Nov 2017



De-notified and Nomadic Tribes (DNT) ભારતની સૌથી વધુ સંવેદનશીલ અને સીમા ધરાવતા સમુદાયોમાંના એક છે. તેઓ સામાન્ય રીતે ભટકતા સમુદાયો તરીકે ઓળખાય છે કારણ કે તેઓ આજીવિકાની શોધમાં એક જગ્યાએથી બીજા સ્થળે જાય છે. તેમની ભટકતા પરંપરાને કારણે, ડીએનટી (DNT) પાસે કાયમી નિવાસસ્થાન નથી અને ખાલી જગ્યાઓ પર તેમનું જીવન જીવે છે. સતત ભટકતાને લીધે, તેઓ વિકાસના લાભો મેળવવા માટે આગળ વધતા નથી કારણ કે તેઓ સમાજના અન્ય લોકોથી આદર ન મેળવે છે જેનાથી અવિવેકી જીવનમાં પરિણમે છે. "ડિ-સૂચિત" હોવા છતાં, આ જૂથોએ ગંભીર ભેદભાવ અને બહિષ્કારનો સામનો કરવો પડ્યો છે. તેઓ હજુ પણ ઉચ્ચ જાતિના ગ્રામવાસીઓ દ્વારા સામાજિક બહારના લોકો તરીકે જોવામાં આવે છે, અનુચિત સતામણી અને પોલીસ અને અમલ અધિકારીઓ દ્વારા કલંકિત અને ભારતીય રાજ્ય દ્વારા અવગણવામાં આવે છે. લેખકો વ્યાપક જાતિ પ્રણાલીના લેન્સ દ્વારા ગુનાખોરીને જુએ છે અને તેથી ગુનાને એક વારસાગત વ્યવસાય તરીકે અર્થઘટન કરે છે. બ્રિટીશ ભારતીય સત્તાવાળાઓનો વિરોધ કરતા વિચરતી જૂથો પર નિયંત્રણ સ્થાપવાના ઉદ્દેશ સાથે, સીટીએ (CATA) 1871 ને દેખીતી રીતે "જન્મ ગુનેગારો" તરીકે લગભગ 200 આદિજાતિ જૂથોનું લેબલ કર્યું હતું. ભારતની આઝાદી પછી, આ પાશવી કાયદો 1952 માં રદ કરવામાં આવ્યો હતો, પરંતુ હ્યુબટીય્યુઅલ ઓફેન્ડર્સ ઍક્ટ, 1952, સાથે બદલી કરવામાં આવ્યો હતો, જે સીટીએ, 1871 ના ડે-ફેક્ટો ચાલુ રહી હતી. વસાહતી શાસન દરમિયાન વિચરતી, મોબાઈલ જૂથો, સ્થાયી થયેલી જીવન માટે અને વસાહતી વહીવટ માટે "ધમકી" તરીકે જોવામાં આવતો હતો. બ્રિટીશ શાસનએ માત્ર ગુનાખોરીનો ટેકો નહીં પરંતુ વસાહતી નવી બજાર અર્થતંત્રની રજૂઆત અને જંગલના વ્યવસાયિક શોષણ સાથેના તેમના પરંપરાગત વ્યવસાયને પણ નાશ કર્યો હતો. 70 વર્ષનાં સ્વતંત્રતા પછી પણ, સમાજ અને પોલીસ આ DNT ને ફોજદારી જાતિ તરીકે ગણતા હતા. નોમૅડિક અને ડી-નોટિફાઈડ આદિવાસીઓને બાકીના સમાજ અને પોલીસ મશીનરી દ્વારા સતત સતાવ્યા કરવામાં આવે છે. આશ્ચર્યજનક રીતે, આજે પણ, ડીએનટીના આવા અન્યાય અને શોષણને રોકવા કોઈ પણ કાયદાને જોતા નથી. ડીએનટીની બાબતોમાં; કાયદાનો અમલ એજન્સીઓ હંમેશા શાંત છે અને ક્રૂરતા સાથે તેમનો વ્યવહાર કરે છે. કાયદાના અમલીકરણમાં વધુ સંવેદનશીલતા અને જાગૃતિની જરૂર છે. જેથી તેઓ કોઇપણ પૂર્વગ્રહ અને ભેદભાવ વગર કાયદાનું પાલન કરે. તે ભારતની સિત્તેર વર્ષથી સ્વતંત્રતા છે પરંતુ હજુ પણ આ સમુદાયોને સરકાર દ્વારા ખૂબ ઉપેક્ષા કરવામાં આવી છે. બંધારણીય રક્ષકોનો અભાવ, સામાજિક કલંકકરણ અને તેમની ઓળખ સાથે જોડાયેલી ગુનાહિતતા તેમને જીવનના દરેક ચાલમાં સંવેદનશીલ રહેવાની સંભાવના કરે છે. હજુ પણ આ જૂથો વાજબી ન્યાય અને સમાન સારવાર માટે શોધે છે. વિવિધ સરકારોએ ડીએનટીના વિકાસ માટે ઘણી કમિશન અને સમિતિઓની નિમણૂક કરી છે પરંતુ તેમની હાલત એક સમાન રહી છે. ડીએનટી (DNT) ના મુદ્દાઓ હજુ પણ સંભળાતા નથી, તેથી તેમના મુદ્દાઓને ઉકેલવા માટે જાગૃતિ અને યોજના વ્યૂહરચનાઓ તૈયાર કરવા માટે વ્યાપક સમજણની જરૂર છે.

- અનિલ શેખલિયા

September 11, 2017

દેશમાં વિચરતી-વિમુક્ત જાતિઓ ને ન્યાય કોણ આપશે ?

By Anil Shekhaliya || 09 Sept 2017

દેશમાં વિચરતી-વિમુક્ત જાતિઓનો એક બહુ મોટો વર્ગ છે જે હજુ આજે પણ બહુ જ યાતનાપૂર્ણ જિંદગી પસારકરી રહ્યા છે. ગુજરાત પણ આમાંથી બાકાત નથી. એ પછી મદારી સમાજ હોય કે પછી કચ્છના નાના રણમાં વસતોઅગરિયા સમાજ હોય.એકલા ગુજરાતમાં ૪૦ લાખથી પણ વધુ લોકોની વસ્તી ધરાવતા આ વિચરતા-વિમુક્ત સમુદાયોને ૨૧મી સદીમાં સ્વતંત્ર ભારતમાં શું નાગરિક સવલતો મળે છે તે જાણો છો ?...તેમને રહેવા પાકું ઘર નથી. પાણીનો નળકે જાજરૂ નથી, વીજળી નથી, તેમના છોકરાઓને ભણવા માટે કોઈ ખાસ શાળા કે રહેવા માટે છાત્રાલય નથી. બહુમતી ધરાવતા વિસ્તારોમાં આરોગ્યકેન્દ્ર નથી...અરે ..એમ જ કહી શકાય કે તેઓને આઝાદ ભારત દેશના એક સામાન્ય નાગરિક તરીકે મળવાપાત્ર કોઈ જ સુવિધાઓ નથી.આ સમુદાયોનું જીવન કેટલું બદતર છે તે વહીવટકર્તાઓ બહુ સારી રીતે જાણે છે . વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરાયેલ અભ્યાસ પ્રમાણે આ વિચરતા-વિમુક્ત સમુદાયોના ૯O ટકા થી પણ વધુ લોકો અભણ કે માંડ માંડ પ્રાથમિક ધોરણ સુધી ભણેલા છે. ૮૫ ટકા લોકો જમીન-વિહોણા છે. ૭૫ ટકાથી પણ વધુ લોકો ગરીબરેખા હેઠળ જીવે છે. ૮૦ ટકા લોકો તેમના ગામમાં કે વન-વગડામાં કાચા ઝુંપડામાં રહે છે.અનેક વિચરતા-વિમુક્ત સમુદાયો દેશમાં-અનેક એટલે લાખો-એવી જિંદગી પસાર કરી રહ્યા છે જે જાણે કે અભિશાપ હોય.! સામાજિક વ્યવસ્થાનો જ એ અત્યાચાર કે દુર્વ્યવહાર છે કે એમના ચહેરા પર મનુષ્ય હોવાનું ગુલાબી સ્મિત એકાદવાર પણ પ્રગટે એ પહેલાં જ એમનું જીવન પૂરું થઇ જાય છે. સરકારની વિવિધ કહેવા પુરતી યોજનાઓ, નીતિ,નિયમો અને કાનૂન હોવા છતાં પણ તેઓ પોતાની વ્યક્તિગત જિંદગીમાં ઉંચા આવ્યા નથી એ નક્કર હકીકત છે. આ બધા જ લાભોથી વંચિત રહી ગયેલ આ વંચિતોનો વર્ગ બહુ મોટો છે. તેમનેહજુ દેશની સર્વ સભ્યતા અને સંસ્કૃતિની વિશેષ કરુણાની જરૂર છે. આઝાદીના સાત દાયકા પછીય તેમના આંગણે આનંદનો ઉજાસ પહોંચ્યો નથી.આજે એકવીસમી સદીનો હાઇટેક યુગ ચાલી રહ્યો છે.કાળા માથાનો માનવી આજે વિજ્ઞાનના સહારે ચંદ્ર પર પહોંચ્યો છે અને મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર-ટેકનોલોજીના માધ્યમથી આજે દેશ-વિદેશની ખબરો પળવારમાં જાણી-જોઈ શકાય છે. વિજ્ઞાનના આટલા હરણફાળ યુગમાં પણ આજે આ સમુદાય હજુ ઠેર ની ઠેર અને પહેલા કરતાં પણ બદતર સ્થિતિમાં કથળેલી જિંદગી ગુજારી રહ્યો છે. ત્યારે આના પરથી સુજ્ઞજનો અને સમાજના કહેવાતા આગેવાનો એ અંદાજ લગાવવાનો છે કે જયારે સામાન્ય નાગરિકોના હાથમાં ઘટનાઓને ત્વરિત દસ્તાવેજીકરણની અને ત્વરિત પ્રસારિત કરવાની ક્ષમતા નહોતી ત્યારેતો કાળની ગહન ગર્તામાં ઢબુરાઈ ગયેલા આવા કઈ કેટલાય નિ:સહાય અને લાચાર વિચરતા-વિમુક્ત સમુદાયના લોકોએ જુગજુગની યાતનાઓ સહી હશે.વહીવટકર્તા અને દરેક સુખી-સંપન્ન સમાજના લોકોએ આ સમુદાયોની પીડા સમજવા તેમની પાસે જઈને થોડોક સમય વિતાવવો જોઈએ....ગતિશીલ ગુજરાતે પણ હવે સંવેદનશીલ ગુજરાત બની સ્વતંત્ર ભારતના આ ખુબ ગરીબ સમુદાયોને સમાજની મુખ્યધારામાં ભેળવીને એક સામાન્ય નાગરિકને મળવાપાત્ર બધા જ હક્કો સાચા અર્થમાંઆ સમુદાયોને મળી રહે તેવી તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવી જોઈએ
વિચરતી વિમુક્ત જાતી પર થય રહેલા અત્યાચારો ની એક જલક , બ્રિટિશ એક સમય મા કાળો કાનૂન લાવ્યા જયા આ વિચરતી વિમુક્ત જાતી ૧૪૦થી આજ સુધી આ કાનૂન મા જીવન જીવી રહ્યા છે બ્રિટિશ શાસને એક બિલ લાગુ કર્યું અને સાંસદ મિનિસ્ટર સ્ટીફન્ડ ને કહ્યુ કે ડૉક્ટર નો દિકરો ડૉક્ટર બને વકીલનો દીકરો વકીલ બને અને ચોરનો દીકરો ચોર છે અને જન્મથી તેમને ચોર ગુનેગાર બનાવી દેવામા આવતા આ કાળા કાનૂના લીધે કોઈ જગ્યાએ હરિફરી શકતા ન હતા પોલીસ અધિકારીઓ એકવાર સજા આપે એટલે તે કોર્ટમાં ન્યાય મેળવવા ન જય શકે એક ગામમાથી બિજા ગામ જાય ત્યારે પોલીસ સ્ટેશનમા પોતાનું નામ લખાવવાનો કાનૂન હતો અને તેમના માથાપર એક કાળાટીકા લગાડવામા આવતો જે સિક્કાને ગરમ કરીને કપાળના ભાગમા લગાડવામા આવતો એટલે તેમની પહેચાન બની જતી કે આ criminal caste ના લોકો છે આ ઘોર અન્યાય બ્રિટીશો ને કર્યો. આજ પણ આ કાનૂન છે જે ભાજપ કરી રહી છે denotified કહેવામા આવે છે. આ લોકો સ્વતંત્ર સેનાની હતા જેમને આઝાદી માટે કુરબાની આપેલી છે વિરચામૂડાજી રામોજીસમાજ ભેડસમાજ વાધરીસમાજ ઉમાજીનાયક કાત્યાભીલ સંતસેવામહારાજ વગેરે જેમને અંગ્રેજોની સામે લડાઇ લડી છે અને આ લોકો જ્યાં જાય ત્યા અંગ્રેજોની સેનાની સામે લડીને ભગાવી દેવામા આવતા તેમના કુશળ તીરથી અંગ્રેજોની સેનાના ગળા ઉડાડી દેવામાં આવતા અને તેનુ પરિણામે ઉમાજીનાયકને ફાસી આપવામાં આવી અને લડાઇ મા લડનારા જે ૩૦૦૦ લોકોને ફાસી આપવામાં આવી જેમાં ૧૭% લોકો Notified જાતીના હતાભારત સ્વતંત્રતા થયા પછી criminal tribes and ઇન્કવારી કમિતિ અહગાજીના અધ્યક્ષમા કરવામા આવી એમના રીપોર્ટના આધારે પંડિત જવાહરલાલ નેહરુએ આ જાતિને Denotified કરવામા આવ્યા અને કહ્યું કે હુ આ જાતિને આઝાદ કરીશ અને આઝાદપંચ ની જેમ આ લોકો ગમ્મે તે જગ્યાએ આવી જય શકે છે કારણ કે આ લોકો પર પાબંધી લાગી હતી અને setlment પર રખાયા હતા આ સમાજને ૧૪ફૂટ વાયરનુ ફેન્સીંગ લગાવ્યુ હતુ આજ પણ દીલ્લીમા આવા અનેક setlment જોવા મળે છે દેશના હર રાજ્યોમા જીલ્લા તાલુકા અને ગામડામા setlment જોવા મળે છે આનો મતલબ Notified caste by british government Denotified કર્યાહવે જે લોકો પોતાના પેટનુ ગુજરાન ચલાવવા માટે વ્યવસ્થા માટે ફરતા અને કલાનુ પ્રદર્શન કરતા તેમનેવિમુક્ત કહેવામા આવ્યા વિમુક્ત જાતિને ભટકતી જાતિ પણ કહેવાય છે કાકા કાલેલકર ની પહેલી કમિશનર તેના અધ્યક્ષતા કરવામા આવી જેમને Denotified nomederb જાતિને ચર્ચા કરી હતી તેમને શિફારીશ પણ કરી હતી આ જાતિના લોકોને અનુચૂચિત જાતિમા સમાવેશ કરવામાં આવે જેથી તેમનુ જીવન ઉચ્ચ થાય પણ દુખની વાત કાકા કાલેલકરની રીપોર્ટ સરકારે સ્વિકારી નહી સરકારના આ એક પરિણામે આજે કરોડો લોકોને ભોગવવુ પડ્યું આજ સુધી અને વિકાસથી આ લોકો દૂર રાખ્યા. પંડિત જવાહરલાલ નેહરુ ના આદેશ પર જ્યારે પંચવર્ષિય યોજના બને તે યોજનાની planing કરવાની તૈયારીઓ ચાલુ કરી ડોક્યુમેન્ટ બન્યા ત્યારે આ યોજનામા ફરમાન આવ્યુ બધાજ રાજ્યોને કહ્યું Denotified Notified માટે આપ કોઈ યોજના બનાવો આ લોકોના જીવન ઉચ્ચ લાવવા માટે આપ પ્રયત્ન કરો પરંતુ ધણા રાજ્યોની લિસ્ટ બનાવી પરંતુ કોઈ યોજના બની નહીં કોઈ ધ્યાન આપવામા આવ્યુ નહીલાલબહાદુર શાસ્ત્રીને વિચાર્યું કે આ લોકો ખુબ ગરીબ છે ત્યારે આ જાતિ માટે Education benefit આપવામા આવે જે ફી માફ metric પછી કોલરશીપ દેવામા આવી પરંતુ દેશના ઘણા સ્ટેટ છે જે જાણતા પણ નથી કે Government કોલરશીપ આ સમાજો માટે હતી Denotified nominated લોકો હતા તેમને પણ ખબર ન હતી તે Denotified આજે પણ ૪૦૦જાતિ છે તેમને ખબર પણ નહતી કે રેન્કે આયોગ આપણા માટે બનાવવામા આવ્યું પરંતુ આ સમાજોને જાણ પણ ન હતી પરંતુ સરકારે કોઈ માર્ગદર્શન આપ્યું નહીજ્યાં છત્રપતિ શિવાજી મહારાજ મહાત્મા મોતીબાફૂલે ભારત બંધારણીય ઘડવૈયા બાબાસાહેબ તેમના વિચારો પર કામ કરનારા મહારાષ્ટ્ર મુખ્યમંત્રી વસંતરાવ નાયક હતા તેમને આ સમાજો સામે યોજના આયોગને ધ્યાનમા રાખીને વિચરતી વિમુક્ત જાતિને ૪% અનામત આપ્યું જે શિક્ષણ મેડિકલ મા ઇજેનરીંગ અને તકનીકીશિક્ષા નોકરીમા તથા પદોવૃતીમા પણ અનામત આપ્યું તેના કારણે મહારાષ્ટ્રમા લાખો વિચરતી વિમુક્ત જાતિના લોકો નોકરી પર લાગ્યા હજારો ડૉક્ટર ઇજેનરીંગ બન્યા અને વિકાસ ની મુખ્ય ધારામા જોડાયાપરંતુ કેન્દ્રીય સરકારથી આ સમાજોને કોઈ લાભ અત્યાર સુધી મળ્યો નથી કેન્દ્ર સરકાર હજારો નોકરીઓ મહારાષ્ટ્ર સરકારે લીધી State Government લીધી રેલ્વે પોસ્ટઓફીસ શિક્ષણ વગેરે નોકરીઓ આપી પરંતુ વિચરતી વિમુક્ત જાતિનો એક પણને ઓફીસર ની વાત દૂર રહી એક પિયૂન પણ નથી બનાવ્યાતો તમામ રાજ્યોમા મહારાષ્ટ્રમા લાભ મળે તે પુરા દેશમા આપવામાં આવે મહારાષ્ટ્રમા અપનાવી નીતિ રીઝવેશન policy તમામ રાજ્યોમા આપવામાં આવવું જોઈએ તો વિકાસના મુખ્યધારા પર આ સમાજો આગળ વધી શકે........
દેવિપુજક સમાજના લોકોનો આજ દિન સુધી ખાલી ઉપયોગ જ કરવામાં આવ્યો  છે ક્યાંક વોટ માટે ક્યાંક બીજા દ્વારા થયેલ અપરાધોનો ગુન્હાનો ટોપલો દેવીપુજક સમાજના કોઈક વ્યક્તિ પર ઢોળવા માટે......
           ચૂંટણી આવે ત્યારે જ આ લોકોને ગરીબ સમાજ યાદ આવે છે ભારતના બંધારણ પ્રમાણે બઘા સમાજો અને વ્યક્તિઓને સમાન હક્ક આપવામાં આવે છે અને જો સમાન હક્ક ન મળે તો તેને સમાન હક્ક અને અધિકાર માગવાનો પણ ભારત ના બંધારણ ઉલ્લેખ છે તો શા માટે ભારત દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી દેવિપુજકોને અધિકાર થી વચિત રાખવામાં આવ્યા ??.

  1. કેમ કોઇ ધારાસભ્ય કે સરકારી વહિવટમાં ભાગીદાર ન બનવામા આવ્યા?.
  2. સરકાર દ્વારા શિક્ષણને તો પ્રોત્સાહન આપવામાં આવે છે પણ નોકરી કે રોજગારની અેક પણ તક નથી અપાતી કેમ ?..
  3. જે મા-બાપ પોતાના દિકરા-દિકરીને લાખો ખર્ચ કરી ભણાવે છતાં તેના બાળકને શાકભાજી કે પાથરણા નાખીને બેસવુ પડે છે તો ભણવા માટે લાખો ખર્ચ કરે અને છેલ્લે નોકરી ન મળે તો શા માટે ભણાવે?..
  4. દેવિપુજક સમાજ ની જાતીને આજ લોકો """વાઘરી" કહી અેક ગાળ તરીકે ઉપયોગ કરે છે.. શા માટે ?. લોકશાહીના સ્વતંત્ર દેશમા વહીવટમા ભાગીદાર નથી અેટલે???
  5. બીજા બઘા સમાજોના ઉત્કર્ષ માટે સરકાર દ્વારા સહાયો,ગ્રાન્ટો,હોસ્ટેલો,સરકારી લાભો વગેરે આપવામાં આવે છે તો શુ સરકારની ફરજ નથી  કે આ નાના સમાજો ને પણ સાથે રાખે?. ખાલી વોટ માટે જ ઉપયોગ કરવાનો????
  6. દેવિપુજક સમાજમા અત્યાર ધર્મ પુજવાનો પણ અધિકાર છીનવવામા આવ્યો તો આ લોકશાહીમાં અમને કયો અધિકાર આપ્યો???
  7. ગરીબ હોવાથી સમાજ મા કોઈ ની પાસે માર્કટ તો નથી પણ ફૂટપાથ પર પાથરણા નાખી ને પોતાના પરીવારનો પેટ ભરવા ધંધો કરે તો ક્યારેક ટ્રાફિક પોલીસ દ્વારા તો ક્યારેક કોર્પોરેશન દ્વારા હપ્તા વચૂલી અથવા તો ડંડાવાળી કરી ત્યાંથી ભગાડી દેવામા આવે છે ક્યારેક વિચાર્યું કે તેમના ધરે બેઠેલા ભૂલકાઓનુ શુ થશે?!!!
  8. બળાત્કાર,ચોરીના ખોટા ગુના,ખૂન,મિલ્કત લૂટ વગેરે મા ન્યાય કોણ આપાવશે આ સમાજને???.....

      
           સમ।જની તકલીફો તો ઘણી છે પણ તેને સાભળીને ન્યાય કોણ આપશે ?. આ સમાજ ન્યાયની અપેક્ષા તો ખાલી સરકાર પાસે જ રાખશે તો શું સરકાર સમાજને ન્યાય અને અધિકારોમા સહભાગી બનાવશે??
        દેવીપુજક સમાજની વસ્તી ગુજરાતમાં જોઈએ તો અંદાજે ૬0 થી ૭૦ લાખની છે તો આજ દિન સુધી સમાજ ના એક પણ વ્યક્તિ ને કેમ ધારાસભ્ય,મંત્રી,મીનિસ્ટર તરીકે સરકાર મા ન લીધા??. ખાલી દેવિપુજક ના લોકોને વોટ માટે જ ઉપયોગ કરવાનો???

દેવિપુજક સહિત વિચરતી વિમુક્ત જાતી વષૉથી અેક જગલી જીવન જીવેછે અેટલા પછાત છે કે એક જગ્યાએ કાયમીવસવાટ નથી કરી શકતાસૌથી પછાત બિનસંગઠીત કોમ છેઆથિૅક રીતે ખુબજ નિબૅળ છે તેથી શિક્ષણ કેમ મેળવી શકેવેર વિખેર સ્થિતિ મા ભટકતી જાતી છે તેઓ પોતાનું અસ્તિત્વ ટકાવવા રોજગાર મેળવવા અેક જગ્યાએ થી બીજી જગ્યાએ નીરતર ભટક્યા કરે છે તેથી વારંવાર સ્થળાતર કરવાથી સરકારી યોજના માટે લાભ લેવાના કોઇ પુરાવા બની શકતા નથી તેમજ ગામડઓમા કે શહેરમાં થોડી ધણી ઉભી થયેલી મિલકતોનુ પણ સઘ્ધર વગૅ શોષણ કરીપડાવી રહ્યા છેજન્મ મરણ રેશનકાડૅ ઓળખકાડૅ કોઈ પુરાવા નથીજેથી સરકારી યોજનાઓના લાભોથી બીલકુલ વચિત છેઆજના યુગમા બીજા વિકસીત સમાજો અમારા સમાજને સ્વિકાર કરશે જ નહી પછાતપણાનો તિરસ્કાર ભોગ બની રહ્યોછે કારણ આ સ્થિતિ થી કોમન સિવિલ કોડ જેવી વિચારધારાનો સ્વિકાર થયો જ નથીઆજના વહીવટી વ્યવસ્થા પ્રમાણે દેવિપુજક સહિત વિચરતી વિમુક્ત જાતિ નો માણસ વિધાનસભા સંસદસભા અને મંત્રી કે સરકાર મા હોયતો જ સમાજ ના લોકો ને સહકાર મળી શકે તેમ છે કારણ જેટલા ધારાસભ્યો કે મંત્રીઓ તેઓ પોતપોતાના સમાજને જ મહત્વ આપી રહ્યા છેરાજકીય પક્ષો સંગઠનો પણ પોતપોતાના સમાજને જ પ્રતિનિધિત્વ આપતા હોય છેઆવી પરીસ્થિતમા લોકશાહીની દરેક ચૂંટણીઓમા આ અલ્પવિકસીત પ્રજાને અનામત દ્રારા ૧૧% પ્રતિનિધિત્વ મળે તોજ વિકાસમા ભાગીદારી બની શકે તેમ છેઆજના હરીફાઈવાળા યુગમા મુડીવાદી યુગમા જુથવાદી યુગમા દેવિપુજક સહિત વિચરતી વિમુક્ત જાતિ સમાજ અનતકાળ સુધી આ સક્રિય સમાજો સાથે હરીફાઈ કરીને પ્રતિનિધિત્વ મેળવી શકશે જ નહી કારણ ગરીબાઇ છે પણ અનામત જરૂરી છેઅમોને obc ના ૨૭% અનામત મા ફકત શોભાના ગાઠીયા તરીકે જ રાખવામાં આવ્યા છેobc મા બીજા સધ્ધર સમાજનો સમાવેશ કરતા અમોને ક્યારેય ૨૭% નો લાભ નથી મળવાનો જેમ કે ત્રણ પ્રાણીઓ ને સહિયારો રોટલો આપવામાં આવે તો નિબળ પ્રાણી તેનો ભાગ મળવાનો જ નથીમાટે અમોને ૨૭% માથી દેવિપુજક સમાજને અલગ પાડીને જે અેસ.સી અેસ.ટી ને સવલતો અપાય છે તેવી સવલતોઅમને ૧૧% મા પ્રતિનિધિત્વ આપોભારત બંધારણીય પ્રમાણે જે લોકશાહી ઢબે ચૂંટણીઓ યોજાય છે તે સમગ્ર ચૂંટણીમાં અમને ૧૧% પ્રતિનિધિત્વ મળે શિક્ષણ અને નોકરી મા પણ અનામત ના લાભો મળે તેવુ અનામત આપોપ્રતિનિધિત્વ વિના અમારુ ખુબ શોષણ થઈ રહ્યું છે અમારી ઇજ્જત મિલકત અને જીવન ખુબજ અસલામત છે અમારુશોષણ પણ થઈ રહ્યું છેકચ્છ માથી જે અમારા સમાજના લોકોને અનુસુચિતના લાભો મળતા હતા તે લાભ બંધ કરવાથી સબધિત સમાજને ધણા વષૉથી અન્યાય થતો આવ્યો છેઆ સરકારની કુટનીતિ હવે સહન નહી કરીયે તમે અમારા મતો થી રાજ કર્યો સે પણ હવે તમે અમારા વિચરતી વિમુકત ના મતો ભૂલી જાવ પાટીઓહક નહી તો વોટ નહીન્યાય આપો નહીંતર પરિણામ ભોગવવા તૈયારી કરો.
EBC અનામત માટેના વટહુકમનો આશય જાહેરહિત નો છે: સરકારસરકારના એડવોકેટ જનરલે એવી રજૂઆત કરીહતી કે " સરકારે 10% EBC અનામત આપીને બંધારણે બાંધેલ ૪૯ ટકા મર્યાદાને ઓળંગી નથી..નાગરિકોના હિત માટે સરકારે 10 ટકા અનામતની અલાયદી જોગવાઈ કરી છે.."---ગુજરાતની વિચરતી વિમુક્તજાતિઓ અતિ-પછાત અને ખુબ ગરીબ પરિસ્થિતિમાં રઝળપાટ ભર્યું જીવન જીવે છે તે સત્ય હકીકત અને આ જાતિઓની પ્રતિકૂળ પરિસ્થિતિથી આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, હાલની ગુજરાત સરકાર અને દરેક સમાજના લોકો બહુ સારી રીતે વાકેફ છે...ગુજરાતનીઆ વિચરતી-વિમુક્ત જાતિઓ એ આજ-દિન સુધી કેન્દ્રસરકાર કે ગુજરાત-સરકાર પાસે ભૂતકાળ માં કેહાલમાં કોઈ ખાસ માંગણી કરી નથી કે કઇક મેળવવા માટે સરકાર સામે રજૂઆત કે માંગણી કરી નથી...સમાજ જીવનનો એક ભાગ હોવા છતાં પણ મહદઅંશે અભણ,લાચાર અને નિ:સહાય એવી ગુજરાતની આ વિચરતી-વિમુક્ત જાતિઓઘણું બધું મૂંગામોઢે સહન કરતી હતી અનેસહન કરી રહી છે.હાલની પરિસ્થિતિને જોતાએવું લાગી રહ્યું છે કે " બળિયા ના બે ભાગ " જેવો ઘાટ સર્જાયો છે. સરકાર દ્વારા આ વિચરતી-વિમુક્ત જાતિઓ પ્રત્યે ઓરમાયું વર્તન કરાઈ રહ્યું હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આજે દરેક સમાજના સુખી સંપન્ન લોકો અને સરકાર આ જાતિઓ પ્રત્યે ઉપેક્ષા સેવતી હોય એવુંઅનુભવાય છે ત્યારે એક વાત ચોક્કસ કહેવાનું મન થાય કે દરેક સમાજના સુખી લોકો ને અને સરકારને જો આવિચરતી-વિમુક્ત જાતિઓ પ્રત્યે નૈતિકતાના ધોરણે જરા પણ માનવતાની લાગણી હોય તો આ જાતિઓ માટે કઈક કરે અને એમને મળતા લાભો અને કેન્દ્ર સરકારના રેણકે કમિશને માંગણી કરેલ હક્કો ઉપલબ્ધ કરાવે.રેણકે કમિશને સરકારને કરેલી રજૂઆત અહીં આપેલ વેબલીંક પર જઈ ને જોઈ શકો છો Gist of Recommendations of the Renke Commission 

ગુજરાતની આ વિચરતી-વિમુક્ત જાતિઓના શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષમાટે કેન્દ્ર સરકારના રેણકે કમીશન "રાષ્ટ્રીય વિમુક્ત,વિચરતી અને અર્ધ-વિચરતી જનજાતિ આયોગ" દ્વારા ઘણા સમયથી આ વિચરતી અને વિમુક્ત જાતિઓને 10% અનામતઆપવાની ભલામણો કેન્દ્રસરકાર અને રાજ્યસરકારને (છેકદોઢવર્ષ પહેલા ફેબ્રુઆરી ૨૦૧૫માં ) કરવામાંઆવીછે.ત્યારે ગુજરાતસરકારે જેવીરીતે બંધારણે બાંધેલ ૪૯ ટકા મર્યાદાને ઓળંગ્યા વગર ૫૧% બિનઅનામત માંથી જે રીતે 10% EBC અનામતની જે અલાયદી જોગવાઈ કરી છે તેવીજ રીતે ગુજરાતની વિચરતી વિમુક્ત જાતિઓ માટે પણ 10% અનામતની અલાયદી જોગવાઈ કરવી જોઈએ.સરકાર વિચરતી-વિમુક્ત જાતિઓને જો અલગથી 10% અનામત ના આપી શકતી હોય તો સરકારે EBC અનામતની જેમ કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા કરીને પણ " રેણકે કમીશન " ની વર્ષોથી કરેલી રજુઆતોના આધારેગુજરાતની વિચરતી વિમુક્ત જાતિઓ માટે 10% અલાયદી અનામતની જોગવાઈ કરવી જોઈએ.જેથી ગુજરાતની આ વિચરતી અને વિમુક્ત જાતિઓ ખરા અર્થ માં સર્વાંગી વિકાસને પામે...!-
: ☞તાજેતરમાં જ ગુજરાત સરકારે (વટહુકમથી ૧૦ % અનામત નો EBC કવોટા બનાવી અને આ ક્વોટાનું અમલીકરણ તાત્કાલીક ધોરણે કરી EBC સર્ટિફિકેટ ના આધારે ,૬ લાખની આવક મર્યાદામાં) જનરલ કેટેગરી માટે એડમીશન અને સરકારી નોકરીઓમાં ૧૦ % અનામત નો લાભ તાત્કાલીક ધોરણે આપવાનું ચાલુ કરેલ છે જે સવર્ણ-સમાજના ગરીબ મધ્યમવર્ગના લોકો માટે ખુબ સારી વાત છે... સવર્ણ-સમાજમાં જે ગરીબ-મધ્યમવર્ગના લોકો છે તેમનું આર્થિક/શૈક્ષણિક ઉત્થાન થાય તેવા શુભ આશયથીને સવર્ણ-સમાજને અનામત આપવાના ગુજરાત સરકારના આ અડગ નિર્ણયને સવર્ણ-સમાજ અને સવર્ણ-સમાજ સિવાયના દરેક સમાજના લોકો એ પણ ખુબ આવકાર્યો છે. આવનારા ભવિષ્યમાં ગતિશીલ ગુજરાત સરકારનું અનામત આપવાનું આ ખુબ હકારાત્મક પગલું ગતિશીલ ગુજરાતની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરશે.ગુજરાતમાં આજે સવર્ણ વર્ગ તથા સામાજિક-શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ ના લોકો ભાઈચારા અને સામાજિક સમરસતાથી હળીમળીને રહે છે . ગતિશીલ ગુજરાતની આ સફળ સરકારે ઉપરોક્ત જણાવેલ સવર્ણ વર્ગ સામાજિક-શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ વર્ગોના લોકો માટે સામાજિક, શૈક્ષણિક,આર્થિકઅને સાંસ્કૃતિક ઉત્કર્ષ માટે માટે ભારતના બંધારણમાં અનામત આપવા માટે કરેલ જોગવાઈઓ તથાકેન્દ્ર સરકાર દ્વારા અનામત માટે કરાયેલ જોગવાઈ/સુધારાઓ અને રાજ્ય સરકાર દ્વારા પણ અનામત આપવા અંગેની પોતે કરેલી જોગવાઈ લાગુ કરેલ છે જેઉપરોક્ત દરેક સમાજો/વર્ગોના લોકો માટે ખુબ સારી વાત છે..આપણા ગતિશીલ ગુજરાતમાં અમુક એવા લોકો પણ છે જે આર્થિક , સામાજિક અને શૈક્ષણિક રીતે ખુબ પછાત હોવા છતાં પણ મૂંગા-અબોલ ગરીબ પશુની જેમ પોતાનું જીવન/ગુજરાન ચલાવવા માટે વિચરતું-ભટકતું યાતનાભર્યું નર્કાગાર જેવું જીવન જીવી રહ્યા છે. આપણા મહાન ભારત દેશની આઝાદી પહેલા બ્રિટીશરોએ અને આઝાદી મળ્યા બાદ ભૂતકાળ અને વર્તમાનની કેન્દ્ર સરકારો તથા ભૂતકાળ-વર્તમાનની રાજ્ય સરકારોએ આવું ભટકતું –વિચરતું જીવન જીવતા લોકોના સમુદાયોને “ વિચરતી-વિમુક્ત જાતિ “ તરીકે જાહેર કરેલ.ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા “ વિચરતી –વિમુક્ત જાતિઓ “ નો આર્થિક , શૈક્ષણિક ,સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન અને સર્વાંગી વિકાસ થાય એવા શુભ આશયથી “ રાષ્ટ્રીય વિમુક્ત, વિચરતી અને અર્ધ-વિચરતી જનજાતિ આયોગ “ ની રચના માનનીય શ્રી બાલકૃષ્ણ રેણકે સાહેબના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી. આ આયોગ દ્વારા અમુક સમયાંતરે દેશના દરેક રાજ્યોમાં રહેલી વિચરતી-વિમુક્ત જાતિઓના સર્વાંગી વિકાસ/વર્તમાન પરિસ્થિતિ અંગેનો સર્વે કરવામાં આવે છે. આવો જ એક સર્વે ૨૦૦૮ માં કેન્દ્ર સરકારમાં સત્તામાં રહેલી UPA સરકારના શાસનકાળ દરમિયાન આ આયોગ દ્વારા શ્રી બાલકૃષ્ણ રેણકેજી ના અધ્યક્ષપદે કરવામાં આવ્યો અને આ સર્વે માં માલુમ પડ્યું કે ગુજરાત અને દેશની વિચરતી –વિમુક્ત જાતિઓની આર્થિક, શૈક્ષણિક અને સામાજિક પરિસ્થિતિ પહેલાની પરિસ્થિતિ કરતા પણ ખુબ વિકટ અને કથળતી જાય છે. સર્વે બાદ આ “ રેણકે કમીશન “ દ્વારા જે-તે સમયનીકેન્દ્ર સરકારને વિચરતી-વિમુક્ત જાતિઓના સર્વાંગી વિકાસ માટે કેટલી પાયાની જરૂરીયાતોની ભલામણ/માંગણી કરવામાં આવી જેમાં આ “ રેણકે કમીશન “ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બહારપાડવામાં/જાહેર કરવામાં આવતી સરકારી નોકરીઓમાં આ વિચરતી –વિમુક્ત જાતિઓના વિદ્યાર્થીઓ/ઉમેદવારો માટે ૧૦ % અલગથી અનામત આપવા માટે સરકારશ્રીને ભલામણો /માંગણીઓ કરવામાં આવી. (As per Gist of recommendation of renke comission)“ રેણકે કમીશન “ દ્વારા કેન્દ્ર સરકારને કરાયેલી ભલામણોમાં દર્શાવાયું છે કે આ વિચરતી –વિમુક્ત જાતિઓના વિદ્યાર્થીઓ/ઉમેદવારો ને ૧૦ % અનામત આપવાથી બંધારણની જોગવાઈ મુજબ ૫૦ % કરતા અનામત વધી જતી હોય તો પણ કોઈ પણ રીતે આ વિચરતી –વિમુક્ત જાતિઓના વિદ્યાર્થીઓ/ઉમેદવારોનેસરકારી નોકરીઓમાં ૧૦ % અનામત આપવી.વિચરતી-વિમુક્ત જાતિઓના સર્વાંગી ઉત્થાન માટેનું કેન્દ્ર સરકાર લેવલે અલગ કમીશન હોવા છતાં અને આવિચરતી –વિમુક્ત જાતિઓની પરિસ્થિતિ અંગેનો સર્વે/રીપોર્ટ કેન્દ્ર સરકારના આ કમીશન દ્વારા જ કેન્દ્ર સરકારને રજુ કરાયેલ અને આ વિચરતી –વિમુક્ત જાતિઓને સરકારી નોકરીઓમાં ૧૦ % અનામત આપવાની ભલામણો/માંગણીઓ પણ કેન્દ્ર સરકાર ના આ કમીશન દ્વારા જ કરવામાં આવેલ પણ સમયાંતરે આ માંગણીઓ માટે જે-તે સમય ની સરકારો એ નહીવત/શૂન્ય પગલા લીધેલ.તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા સવર્ણ સમાજ ને ૧૦ % અનામત આપવામાં આવી છે જે ખુબ સારી વાત છેત્યારે આપણે આશા રાખીએ કે ગતિશીલ ગુજરાત ની આ સફળ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની આ વિચરતી અને વિમુક્ત જાતિઓને પણ રેણકે કમીશન ના પાકા સર્વે અને રેણકે કમીશન ની ભલામણો/માંગણીઓ/રજુઆતો ને આધારે ૧૦% અનામત આપવામાં આવે તથા વિચરતી –વિમુક્ત જાતિઓ માટે રેણકે કમિશને કરેલી બધી જ ભલામણો/ રજુઆતોને સરકારશ્રી દ્વારા ધ્યાનમાં લઇ ને તેને ઝડપથી લાગુ કરવમાં આવે.....બસ એ જ આશા એ......!નોંધ: વિચરતી –વિમુક્ત જાતિઓ ના કેન્દ્ર સરકારના જ કમીશન ના સર્વે તથા આ જાતિઓની પ્રતિકૂળ પરિસ્થિતિ ને ધ્યાને લઇ ને કેન્દ્ર સરકારના જ કમીશને ૧૦ % અનામત આપવાની ભલામણ કરેલ છે.-
#Anil_Shekhaliya
9714017874

September 04, 2017

દેવીપુજક સમાજના સ્નેહીજનો અને યૂવાનોને સંગઠનને મજબૂત બનાવવા માટે નુ આહ્વાન

By Anil Shekhaliya || 04 Sept 2017



સંગઠન, સેવા, શિક્ષણ, રોજગાર, અને સમાજના આગેવાનો વિશે મારો અભિપ્રાય...
આપણે આપણા દેવીપુજક સમાજને સંગઠિત રાખવા માટે આપણે તન, મન, ધનથી પ્રયત્ન કરવો જોઈએ.. કોઈ તન એટલે શરીરથી સમય આપી મહેનત કરવી સૌથી અઘરૂં અને કિંમતી કાર્ય છે. આ જગતમાં સૌથી શ્રેષ્ઠ કાર્ય સમય ફાળવવાનું કાર્ય છે. આ ચિંતા અને હરિફાઈના ટેકનોલોજીના યુગમાં સમય મહામૂલ્યવાન છે. જેમની પાસે સમય છે એ સાથે સાથે તન, શરીરથી સેવા કરે છે એ વ્યકિતને અવગણવા જોઈએ નહી કારણ કે કોઈપણ સંસ્થા, પરિવાર કે સંગઠન શરીર સાથે સમય આપનારથી જ સંગઠન, સંસ્થા ચાલતી હોય છે. સમય... તન સાથે મન પણ હોવું જરૂરી છે એટલે કે ‘‘મન હોય તો માળવે જવાય’’ ઈચ્છા, દાનત, કાર્ય કરવાની તમન્ના, સહકાર ભાવ અને સેવા, પરમાર્થ ભાવ્ હોય અને કાર્યકુશળતા, આવડત હોય અને કાર્ય કરવાની ઈચ્છા જ ન હોય તો કોઈ કામનું નહી…!
એવું જ છે ધનનું જો માણસ તન, મન અને સમય બધુ અર્પણ કરે પરંતુ એમની પાસે જો ધન, સંપત્તિ કે રૂપિયા ના હોય તો પણ કોઈ પ્રકારની સેવા, સંસ્થા કે સંગઠન ચાલી શકત પાસે સમય, તન, મન અને ધન જેવી જેની ક્ષમતા જેવી જેમની ઈચ્છા આપણા સંગઠનને ચલાવવા માટે પોતાની ઈચ્છા અને યથાશકિત સંગઠન, સમાજને ચલાવવા તન, મન અને ધન, સમય વગેરે આપી સંગઠન ચલાવવા એમાં નવા પ્રાણ પુરવા કાર્યકર્તાઓ અને સંગઠનના કારોબારી કાર્યકર્તાઓને હૂંફ સહકાર આપવા તત્પર રહેવું એ આપણા દરેક દેવીપુજક યુવાનો ની જવાબદારી બની રહે છે અને આગળ આવવું જોઈએ.
આજના આ માહોલમાં આપણે ગુજરાતના અનેક ગામો, શહેરમાં આપણા દેવીપુજક પરિવાર મોટી સંખ્યામાં સ્થાયી થઈ વસવાટ કરે છે અને એમાં કોઈપણ પરિવાર કે ગામના લોકોને ઘણાં પ્રકારની સમસ્યાઓમાંથી પસાર થવું પડતું હોય છે. એ સમસ્યાઓ સંગઠન ચલાવનારા આપણા આગેવાનો, પ્રમુખ વગેરે પાસે આવી વેદનાની રજુઆત કરતા હોય છે. ત્યારે એ વેદના સાંભળી હૃદયદ્રવી ઊઠે છે. આ કારણથી જ આપણે આપણા દેવીપૂજક પરિવારને મજબૂત બનાવી, સંગઠનની એકતા અને કોઈના દુઃખમાં સહભાગી થવા માટે જ આપણું સંગઠન ચાલું રહ્યું છે. આ સંગઠનમાં ઘણી સમસ્યાઓ આવતી હોય છે. એમાની...
૧) સમય પ્રમાણે આર્થિક કટોકટી, પારિવારિક, સામાજિક ઝઘડાઓ, કર્જ અને દેવાદાર બન્યા પછી દેણાદારનો ત્રાંસ ધંધા, વ્યવસાય, બીમારી, બીમારીઓનો ખર્ચ, વિધવા બહેનો અને એના બાળકોના ભરણપોષણ અને આર્થિક નાણા ભીડથી પરેશાન થતાં અને શિક્ષણથી વંચિત રહેતા બાળકો અને એના માતા-પિતાની વેદના અને દિકરા-દિકરી પરણાવ્યા પછી પરિવારના ઝઘડાઓ અને છૂટાછેડામાં થતી તકલીફો વગેરે સમસ્યાઓ આવતી હોય છે. તો આ પ્રકારની સમસ્યા કોઈએક વ્યકિત કે કોરોબારી કમીટીથી જ ઉકેલી શકાય એ અશકય છે. તેમ છતાં આપણા આગેવાનો... પ્રમુખશ્રીઓ વગેરે આવી સમસ્યાઓ માટે અડીખમ સહકાર આપી યોગ્ય સહાય અને માર્ગદર્શન પુરૂ પાડી જ રહ્યા છે
એ સંગઠનની જરૂરીયાત છે. આપણે એકતા અને સહકાર આપવા માટે આપણે યથાયોગ્ય તન, મન, ધન અને સમયથી સહકાર આપીએ .આપણે રોજ ઘરમાંથી અને ફળીયામાંથી કે આંગણામાંથી કચરો દુર કર વાસાવરણી કે સાવરણાનો ઉપયોગ કરીએ છીએ એ આપણને બહુ મોટો ઉપદેશ અન જ્ઞાન આપી સંદેશ આપે છે.
જેમ અનેક ઘાંસની સળીઓને જોડવાથી સાવરણી કે સાવરણો બનાવવામાં આવે છે અને કેટલાયે કચરાને દૂર કરનાર સાવરણાથી એક એક ઘાંસની સળી છૂટી પડી દૂર થાય તો એ જ સળી ખુદ કચરો બની જાય છે. આછે સંગઠનની તાકાત.
જેમ સૂતરનો એક ધાગો તોડવો આસાન છે. પણ એક-એક ધાગાને જોડી અનેક ધાગાઓને એકઠાં કરી દોરડું બનાવવામાં આવે તો એ દોરડું તોડવું કઠીન છે અને એ દોરડાથી ઘણા કાર્યો આસાન-સરળ બની જાય છે.
મારી આપણા સમાજ અને દેવીપુજક પરિવારના નાના-મોટા ભાઈઓ-બહેનો અને , યુવાનોને નમ્ર અપીલ છે. સંગઠનને મજબૂત બનાવીએ. આ કળિકાળમાં સંઘ શકિત-સંગઠનથી જ કોઈપણ મુસીબતનો સામનો કરી શકીશું માટે
આપણાદેવીપુજક સમાજના બુદ્ધિજીવીઓ, શિક્ષિતો, સફળ કાર્યક્ર્તાઓ, વડીલો, શિક્ષકો, સરકારી નોકરી કરનારા કે કોઈપણ પ્રકારના ક્ષેત્રોમાં સફળતા મેળવનાર અન દેવીપુજક સમાજને વધારે મજબૂત બનાવવા માટે આગળ આવો અને તમારો સમય, આવડત તમારૂ જ્ઞાન, તમારૂ તન, મન, ધન અને શરીરથી પરિશ્રમથી આપણા દેવીપુજક સમાજની ભાવી પેઢીને બચાવવા માટે અને એના ભવિષ્યને ઉજ્જવળ કારકિર્દી આપવા માટે, આવનારા વિકટ અને વિપરીત સમયને ધ્યાનમાં લઈને દેવીપુજક સમાજનાં સંગઠનને વધુ વેગવંતુ અને કાર્યશીલ બનાવવા અને સંગઠનનો હેતુ સેવા, સહકાર, સંગઠન અને શિક્ષણને પ્રગતિ આપવા અને પવિત્ર અને પ્રકાશવાન બનાવી આપણે આપણા સમાજને મજબૂત બનાવી કંઈક સમાજ સેવા કે સમાજ માટે આગળ આવીએ‘‘ બે સહારાનો સહારો બનીએ’તો સંગઠન કંઈ વિશેષ કર્યાનુ બિરૂદ પામશે અને નોધારા નો આધાર બનશું તો ભાવી પેઢી આપણને ગર્વથી કહેશે કે અમે દેવીપુજક સમાજના યુવાનો છીએ..
દેવીપુજક સમાજના સંગઠનને મજબૂત અને સાચી દિશા, સાચી યોજનાઓ સિધ્ધાંતોને ન્યાય આપવા માટે યુવાન ભણેલા, ગણેલા અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો, આગળ આવે તો સમાજને ભૂતકાળની ભૂલો માંથી ભૂતકાળની રહેલીક્ષતીઓ દૂર થાય અને વર્તમાન સારૂ થાય અને ભવિષ્યનું આપણા દેવીપુજક સમાજના બાળકો, યુવાનો, દિકરા, દિકરીઓનું ભાવિ ઉજ્જવળ બને એની કારકિર્દી ઉજ્જવળ બને પરિવારની પ્રતિષ્ઠા પરિવારની સલામતીની ચિંતા ઓછી થાય અને પરિવારજનોંના ચહેરાઓમાં પ્રસન્નતા અને સ્મિત આવે.
પ્રસન્ન ચિત્તથી થયેલ કાર્ય સફળતા શિખર સુધી પહોંચવા માટે સહાયક બની રહે છે. એટલે ખુશ રહો... મસ્ત રહો.. વ્યસ્ત રહો..આ સૂત્ર ખાસ જીવનમાં અપનાવવું જોઈએ. માટે આપણા દેવીપુજક સમાજના શિક્ષિત યુવાનો પોતાનો અહં-છોડી પરિવાર ભાવના કેળવી અને પોતાની આવડત, પોતાનું જ્ઞાન, પોતાના અનુભવો, પોતાની શકિત, તન, મન, ધન અને કિંમતી સમય આપણા દેવીપુજક સમાજના સ્નેહીજનો, યૂવાનો સંગઠનને મજબૂત બનાવવા અને સલામતી આપવા, સલામત રાખવા માટે આગળ આવો