March 03, 2018

આ તે આપણી કેવી માનસિકતા...?

By Jigar Shyamlan ||  1 March 2018 at 08:55 





આપણે ખુદને માણસ ઓળખાવીએ છીએ, પૃથ્વી પર સૌથી સુસંસ્કૃત અને સભ્ય હોવાનુ ગૌરવ પણ લઈએ છીએ પણ આ તે આપણી કેવી માનસિકતા...?

એક બાજુ આપણે જેને હોળીમાતા કહીએ છીએ અને બીજી બાજુ એજ માતાને સળગાવવાનુ અમાનવીય કૃત્ય પણ કરીએ છીએ.


હોળી....! 
ઓહ....! સોરી હોળી માતા..!
ક્યાંક વાંચેલુ છે કે માતાના ચરણોમાં જ ખરૂ સ્વર્ગ છે. બીજુ પણ એક વાંચેલુ કે જયારે ઈશ્વરને એવુ લાગ્યુ કે દુનિયામાં તમામ લોકો સુધી પહોંચીને પ્રેમ વરસાવી શકાય એમ નથી એટલે ઈશ્વરે માતાનુ સર્જન કર્યુ. ચાહે માનવ હોય કે જાનવર પણ માતા તો માતા જ હોય છે.

આપણે ખુદને માણસ ઓળખાવીએ છીએ, પૃથ્વી પર સૌથી સુસંસ્કૃત અને સભ્ય હોવાનુ ગૌરવ પણ લઈએ છીએ પણ આ તે આપણી કેવી માનસિકતા...?

એક બાજુ આપણે જેને હોળીમાતા કહીએ છીએ અને બીજી બાજુ એજ માતાને સળગાવવાનુ અમાનવીય કૃત્ય પણ કરીએ છીએ.

હુ જ્યારે જ્યારે પણ હોળી જોઉં છું ત્યારે મને લાકડા, ધાસ, છાણાંઓના ઢગલાને બદલે એક નિર્દોષ સ્ત્રી નો જ ભાસ થાય છે. સમસ્ત નારી જાતિના અપમાન સમી આ ધટનાને ઉત્સવ તરીકે ઉજવવાની માનસિકતામાંથી બહાર આવવુ જોઈયે.

લોકો હોળી પ્રગટાવે છે ત્યારે એક સ્ત્રી પર થતો અત્યાચાર નજર સામે ખડો થઈ જાય છે. 
અગ્નિનુ કામ છે બાળવાનું, અગ્નિ પોતાના સંપર્કમાં આવનારી દરેક વસ્તુ, વ્યક્તિને બાળી જ મૂકવાનો. 
કારણ કોણ સાચુ અને કોણ ખોટુ..?
કોણ પાપી કોણ પુણ્યશાળી..? 
કોણ નિર્દોષ કોણ અપરાધી...? 
એવો અગ્નિને કોઈ વિવેક નથી હોતો. તમે જાતને ગમે તેટલા પુણ્યશાળી માનતા હોવ, ખુદને ભગવાનના માણસ માનતા હોવ. જીવનમાં જાણ્યે અજાણે કોઈ પાપ ન કર્યુ હોય તો પણ અગ્નિના સંપર્કમાં આવશો તો કંઈ એ તમને છોડી નહી દે એ તો તમને બાળી જ મૂકશે.

હવે એક વાત સમજવા જેવી કે બે માણસોને સાથે સળગાવવામાં આવે અને એમાંથી એક માણસ સળગીને રાખ બની જાય અને બીજો હેમખેમ બહાર આવે એ વાત માન્યામાં આવે ખરી..???

શું જે તે વખતે હોળીકાને આ રીતે જાહેરમાં સળગાવી હશે ત્યારે લોકોને હોળીકાની જીવ બચાવવા કરેલ ધમપછાડા અને કરૂણા સભર ચીસો સંભળાઈ જ નહી હોય.

પરંતુ કદાચ ધર્મ આપણને એવા સવાલ કરવાની પરવાનગી નથી આપતો...!

આપણે જાતને શિક્ષીત ગણતા હોય તેમજ તર્ક અને બુધ્ધી જેવી વસ્તુ આપણામાં હોય તો. સ્વાભાવીક આપણને એક સવાલ થવો જોઈયે કે શા માટે એક સ્ત્રીને વિના વાંકે અને એ પણ સૂર્ય આથમતા અંધારાના સમયે સળગાવી મૂકવામાં આવી હતી..?

હા.. એક વાત ખરી કે જ્યારે પણ ચાલાક અપરાધી કોઈ અપરાધ કરે ત્યારે એ ધટના બહાર ન આવે એ માટે સૌથી પહેલા એ પૂરાવાઓનો નાશ કરવાનુ કામ કરે છે. પૂરાવા સળગાવી દેવા એ ચાલાક અપરાધીઓ દ્વારા શોધી કાઢેલ સૌથી હાથવગીને સરળ રીત છે સદીઓથી..

અને એક વાત ખાસ કોઈ પણ ધટના પર લોકો શંકા કરે કે એની પર સવાલ પેદા કરે એ પહેલા એ ધટનાને ધર્મ સાથે જોડી દો એટલે લોકોની શત્રમારી નજરમાં હોળીકાને બાળવાની ધટના એક જબરજસ્ત કાવતરાથી વિશેષ કંઈ નથી.

ખરેખર આપણે ખુદને માણસ ગણતા હોઈએ અને પૃથ્વી પર સૌથી સભ્ય સંસ્કૃતિ હોવાનુ ગૌરવ લેતા હોઈએ તો એક સ્ત્રીને બાળી મૂકવાની આવી અમાનવીય ધટનાઓના ઉત્સવની ઉજવણી બંધ કરવી જોઈયે.
- જિગર શ્યામલન

જો બકા...! મારા સાહેબ એટલે બાબા સાહેબ..

By Jigar Shyamlan ||  2 March 2018 


માર્કસ ડાબેરી વિચારધારા સાથે સંકળાયેલ હતા. એમની વિચારધારા મુજબ જગતમા અમીર અને ગરીબ બે જ ભાગ છે. તથા અમીરો કે પુંજીપતિઓ ગરીબો એટલે કે કામદારોનુ શોષણ કરે છે.

હવે આ મહાનુભાવ ભારતમાં જન્મ્યો ન હોતા. હવે સ્વાભાવિક વાત છે ભારતમાં જન્મ્યા ન હોય એટલે ભારતની કંઈ ખબર ન હોય.

ભારતમાં આર્થિકતાને આધારે ગરીબ કે મજૂરોનુ જેટલુ શોષણ થાય છે તેના કરતા હજારગણુ શોષણ જાતિ આધારીત નીચ વર્ગના લોકોનુ થાય છે.

માર્કસ વર્ગવિહીન સમાજ રચનાની વાત કરતા હતા, પણ એને પોત પોતાના દેશ, કાળ અને પરિસ્થીતી મુજબ મોડીફાઈડ કરી લાગુ પાડવાની છૂટ નકારી ન હતી.
ભારતના સામ્યવાદીઓ અને પોતાને માર્કસવાદી કહેતા કોમરેડ. આ લોકો પાસે ઈન્કલાબ જિંદાબાદ, લાલ સલામ, સર્વહારા, બૂર્જવા, કેપીટાલિઝમ સિવાય કોઈ બીજા શબ્દો નથી. જે પણ હવે ચ્યૂંઈનગમ જેવા બની ગયા છે નથી થુકી શકાતુ કે નથી ગળી શકાતુ..!

આમ તો મને દલિત શબ્દ વાપરવો નથી ગમતો પણ આજે રજૂ કરવા અનિવાર્ય છે એટલે ન છૂટકે વાપરવો પડી રહ્યો છે.

દલિતોમાં પણ કેટલાય કોમ્યૂનિસ્ટો છે. એમને હુ કોમ્યુનિસ્ટ નહી કહુ પણ દલિત કોમ્યુનિસ્ટ જ કહીશ. 
કારણ ભારતના કોમ્યુનિસ્ટ મૂળ તો બ્રાહ્મણો જ. હવે બ્રાહ્મણની પાર્ટી હોય તો એમાં દલિતો દલિતો જ રહેવાના પછી ભલે કોમ્યુનિસ્ટ હોય કે અન્ય.

હવે આ દલિત કોમ્યુનીસ્ટોની વાત.. આ લોકો પાસે માર્કસ પાસે કેમ જવુ તેની સજ્જડ કોઈ દલિલ જ નથી. 
આ દલિત કોમ્યૂનિસ્ટો આર્થિક અને સામાજીક ભેદ સમજી શકવા અસમર્થ છે, તેમની પાસે એ ચિત્ર જોવા યોગ્ય નંબરના કોઈ સ્વતંત્ર કોઈ ચશ્મા જ નથી જે એમને સ્પષ્ટ ચિત્ર બતાવી શકે. એ લોકો આ સમસ્યાને હજીય પણ માર્કસના ચશ્મા પહેરીને જ જૂએ છે. એટલે એમને ધુંધળૂ દેખાય છે.પણ જો તે યોગ્ય નંબરના ચશ્મા લગાવે તો સ્પષ્ટ જોઈ શકશે.

હવે આ જાતિપ્રથા અને તેનો આવિષ્કાર કરનાર મુખ્ય પરિબળ પ્રત્યે આ લોકો લિબરલ રહેવા માંગે છે. મતલબ એ બાબતે ન કોઈ કથન ન કોઈ વિરોધ. હવે આ પાછળ એમની શુ નબળાઈ હશે એ તો એ જાણે.

હવે એમાના કેટલાક દલિત કોમ્યુનિસ્ટો એવા પણ ઉભા થઈ રહ્યા છે જેઓ માર્કસની વાતોને પથ્થરની લકીર સાબીત કરવા મથી રહ્યા છે. ભલે ને મથે આપણને ક્યાં વાંધો પણ આ લોકો માર્કસની લીટી લાંબી કરવા બાબા સાહેબ આંબેડકર પર સવાલો ઉઠાવી રહ્યા છે. આંબેડકરે આમ લખ્યુ... આમ કર્યુ પણ આમ ન કર્યુ એવા સવાલો કરી રહ્યા છે.

હવે મને આ તમામ દલિત કોમ્યુનિસ્ટો પર એટલુ જ હસુ આવે. કારણ આ લોકો એ જ દલિતો છે જે 
  •  ગામના છેવાડે ફાટેલી તુટેલી ઝૂંપડીઓમાં હતા..
  •  એમને કોઈ ગણતુ ન હતુ કોઈ પણ વર્ગ કે વર્ણમાં કારણ આ લોકોનો પડછાયો પણ કોઈ લેતુ ન હતુ.
  •  આ લોકોના બાપદાદાઓ કેવી કાળી મજૂરીઓ કરી કરીને મરી ગયા અને એમની માતાદાદીઓએ લાચારી વશ કેવી કેવી સ્થિતીઓમાં શુ કર્યુ હશે.
  •  આ લોકો ધાતુના વઃસણ વાપરી શકતા ન હતા
  •  આ લોકો સોનુ ચાંદી પણ પહેરી શકતા ન હતા.
  •  આ લોકો જાહેર સ્થળો પર આવ જા કરી શકતા ન હતા.
  •  આ લોકોને કોઈકે આપેલુ વધેલુ ધટેલુ કે એઠવાડમાંથી જે મળે તે ખાઈને દિવસો પસાર કરવાના હતા.
  •  આ લોકોને ભણવાનુ ન હતુ માત્ર ચાકરી કરવાની હતી.
  •  આ લોકોને કોઈ સંપત્તિ પણ ભેગી કરવાની ન હતી.


હવે આવી હાલતમાં સબડી રહેલા દલિતો માટે કોણ આગળ આવેલુ...???
માત્ર બાબા સાહેબ આંબેડકર..

હવે દલિતો માટે આટલો બધો સંધર્ષ કરનાર, દલિતોને અધિકારો અપાવવા એકલપંડે ઝઝૂમનાર, પોતાના પરિવાર, પત્નીની લેશમાત્ર પરવા કર્યા વગર સમગ્ર જીવન દલિતોના હક્ક, અધિકાર અને સન્માન માટે ન્યોછાવર કરનાર બાબા સાહેબ માટે બે ચાર શબ્દો સાચા કહો એટલે આ માર્કસવાદી દલિતો એને આંબેડકર ભક્તી ગણાવવા લાગે છે.

પણ તમે માર્કની વાતોને સાચી ઠરાવવા આંબેડકરે આ અભ્યાસ ન કર્યો ને આ બાબતે આમ ન કર્યુ એવુ બધુ કહી આખેઆખા દંડવત કરી ચરણોમાં આળોટવા માંડો એ વ્યાજબી..

હુ તો એક જ વાત કહીશ બાબા સાહેબ મારા માટે તો માર્કસ કરતાય મહાન છે. હવે આને તમારે મારી આંબેડકર ભક્તિ ગણાવવી હોય કે બીજુ જે કહેવુ હોય મને કોઈ ફરક નથી પડતો.

હુ અછૂત હતો એટલે મારૂ શોષણ થયુ હતુ... હુ ગરીબ હતો એટલે નહી. હુ સતત નીચ જાતિનો હોવાથી હડધુત થયો છુ ગરીબ હોવાના લીધે નહી.

હુ આજે આટલુ બધુ લખી શકુ... મારા વિચારો વ્યક્ત કરી શકુ એ પણ જાહેર મંચ પર મને આ તમામ અધિકારો અપાવવા મારા બાબા સાહેબ લડ્યા હતા કોઈ માર્કસ નહી.

એટલે જો બકા...! મારા સાહેબ એટલે બાબા સાહેબ..

Letter from Gujarat

By Raju Solanki  || 20 February 2018 at 17:26




Letter from Gujarat

How helplessly pathetic it has been to watch both political parties in Gujarat manipulating each and every atrocity on Dalits, getting political mileage out of it and using it for their narrow electoral gains during last forty years!
In the eighties when Congress was in power, BJP would exploit Dalit anger sending its Dalit stooges in Dalit protests and Dharanas, Modi would come with a glass of lemon to end daylong fast of his party's obedient Dalit leaders. The famous Sambarada struggle of 1989 was the glaring example of BJP's blatant manipulation of Dalit dissent, where the then Union finance minister B K Gadhvi was the villain as his caste men tormented Dalits of Sambarda village. The Samabarda struggle was one of the reasons for Congress' downfall in Gujarat.
Now, it is a turn of Congress, the opposition party to ride on Dalit anger and beat BJP with the same tactics and method. And Dalits are simply becoming pawns in the power struggle between two Brahmanical parties.
- Raju Solanki
(copy from 'Tamil-Gujarat Sangam')

પ્યાદા બનેલા દલિતો


By Raju Solanki  || 20 February 2018 at 17:26



છેલ્લા ચાલીસ વર્ષથી ગુજરાતમાં દલિતો પર થતા દરેક અત્યાચારમાંથી રાજકીય ફાયદો ઉઠાવીને ચૂંટણીમાં વોટ મેળવતા બંને મુખ્ય રાજકીય પક્ષોને આપણે અસહાયતાપૂર્ણ લાચારીથી જોઈ રહ્યા છીએ.

એંસીના દાયકામાં કોંગ્રેસ જ્યારે સત્તા પર હતી, ત્યારે બીજેપી તેના દલિત ચમચાઓને દલિતોના આંદોલનો, ધરણા, દેખાવોમાં મોકલીને દલિત આક્રોશને ભૂનાવતી હતી. મોદી લીંબુના શરબતનો ગ્લાસ લઇને તેમના પક્ષના આજ્ઞાંકિત દલિત નેતાઓ, કાર્યકરોને દિવસના ધરણાના અંતે પારણા કરાવતા હતા. 1989ની ઐતિહાસિક સાંબરડા હિજરત દલિત આક્રોશના વરવા ઉપયોગનું સચોટ ઉદાહરણ છે, જ્યારે કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી બી. કે. ગઢવી ખલનાયકના રૂપમાં ચીતરાયા હતા, કેમ કે તેમની જાતિના લોકોએ સાંબરડામાં દલિતોને પ્રતાડ્યા હતા. સાંબરડાની છ મહિના ચાલેલી હિજરત અને સંઘર્ષ ગુજરાતમાં કોંગ્રેસની હાર માટેના મુખ્ય કારણો પૈકીની એક હતી.

હવે, દલિત આક્રોશના ઝંઝાવાત પર સવાર થયેલી કોંગ્રેસ બીજેપીને એ જ રણનીતિ અને પદ્ધતિથી પજવી રહી છે. બંને પક્ષોની સત્તાની સાઠમારીમાં પ્યાદા બનેલા દલિતો આત્મવિલોપનો કરી રહ્યા છે.

સાંથણીની જમીન કોંગ્રેસનો લોલીપોપ હવે ભાજપ આપશે

By Raju Solanki  || 20 February 2018 at 21:13




જમીનના મુદ્દે અમે બહુ મોટા આંદોલન કરીએ છીએ એવી ડંફાશો મારતા કહેવાતા દલિત કોંગ્રેસી આંદોલનકારીઓની જાણ સારુ અહીં છેક 1982માં કોગ્રેસની સરકારે બહાર પાડેલો પરીપત્ર મુક્યો છે.





આ પરીપત્રનું શીર્ષક છે - સરકારી પડતર જમીન સાંથણીમાં મેળવતી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વ્યક્તિને જમીનના વિકાસ માટે આર્થિક સહાયની યોજના. પરીપત્રનો ક્રમાક છે જમમ-3981-9839-અ-29-4-1982. આ પરીપત્ર તમને હાલ ઑનલાઇન પણ મળી શકશે.

36 વર્ષ પહેલાં મહેસૂલ વિભાગના સેક્શન અધિકારી છગનભાઈ પટેલની સહીથી બહાર પડેલા આ પરીત્રમાં બહુ જ વિસ્તૃત રીતે છણાવટ કરવામાં આવી છે કે સાંથણીની જમીન મેળવતા એસસી-એસટીને કઈ રીતે સરકારી રાહે સહાય કરવી. પરીપત્ર તો બહુ મજાનો છે. જો આનો પ્રમાણિકતાથી અમલ થયો હોત તો આજે દલિતોને સડકો પર ઉતરવાની હાકલો કોંગ્રેસને કરવી પડી ના હોત. એટલું જ નહીં ખામના નામે સૂંડલા ભરી ભરીને દલિતોના વોટો લઇને સત્તા ભોગવનારા અને મહાલનારા કોંગ્રેસીઓને ગામડાના ગરીબ, અભણ દલિતોએ આશીર્વાદ આપ્યા હોત અને ભાજપ જેવા નાલાયક પક્ષને સત્તા પર આવવાના કમનસીબ સંજોગો ઉભા જ થયા ના હોત.

જો અને તોની આ કરમકહાણી અત્રે મારે દોહરાવવી પડે છે, કેમ કે 1982માં આ પરીપત્રનો અમલ નહીં કરનારા કોંગ્રેસીઓના દીકરાઓ અત્યારે ફરી સત્તા પર આવવા માટે દલિતોને આત્મવિલોપનનો માર્ગ બતાવી રહ્યા છે. મારે તો લેખિત નિવેદન આ કોંગ્રેસીઓ જોડેથી લેવું છે કે નાલાયકો તમે સત્તા પર આવશો તો તમારા બાપાઓ પાંત્રીસ વર્ષ પહેલા જે નહોતું કરી શક્યા તે હવે આ વૈશ્વિકરણ, ખાનગીકરણ અને ઉદારીકરણની દુનિયામાં કઈ રીતે કરશો.

એને છેલ્લે બીજી મહત્વની વાત. જય ભીમ જય સરદાર બોલતા દલિત ક્રાંતિકારીઓ માટે. જ્યારે આ પરીપત્ર બહાર પડ્યો ત્યારે દલિતો જમીન મેળવવાનું તો દૂર પોતાની અનામતો બચાવવા માટે જીવ સટોસટનો જંગ ખેલી રહ્યા હતા અને તમારા પરમ મિત્ર હાર્દિક પટેલના કાકા-મામાઓ અનામત હટાવવા ગુજરાતને બાનમાં લઈ રહ્યા હતા.

જય ભીમ.

ક્યા સુધી છેતરાશો?

By Raju Solanki  || 21 February 2018 at 15:21 


જ્યારે જ્યારે સત્તા પરીવર્તન થાય છે ત્યારે ત્યારે રણમેદાનમાં દલિતો મોખરે હોય છે. પેશવાઓ સામેના જંગમાં હજારો મહારોએ કુરબાની આપી હતી. સત્તા પર આવ્યા પછી અંગ્રેજો મહારોની દિલેરી ભૂલી ગયા હતા.

અંગ્રેજો સામે આઝાદીનો જંગ છેડાયો, ત્યારે ચૌરીચૌરામાં સિત્તેર જાટવો ફાંસીના માંચડે લટકી ગયા. ઇતિહાસમાં એમની જાનફેસાનીની નોંધ સુદ્ધા ના લેવાઈ.ગાંધીએ દાંડીકૂચ કાઢી એમાં પણ દલિતો પણ જોડાયા. આજે એમને કોઈ યાદ કરતું નથી.

1947માં સત્તા પરીવર્તન થયું અને કોગ્રેસ સત્તા પર આવી. કોંગ્રેસે અંગ્રેજોથીય બદતર વહેવાર કર્યો દલિતો સાથે. થોડાગણા (0.001 ટકા) દલિતો સૂખી થયા અનામતના લાભો લઇને, પરંતુ બહુમત દલિતો કંગાળ જ રહ્યા.

ગુજરાતમાં ભાજપ પણ સત્તા પર આવી એમાંય બલિદાનની વેદી પર તો દલિતો જ ચડ્યા. ગોધરા કાંડમાં હજારો દલિતો જેલમાં ગયા, કોમવાદીનું લેબલ દલિતો પર મીડીયા અને સેક્યુલર બૌદ્ધિકોએ લગાવ્યું, બદનામ દલિતો થયા અને માલ મલીદા સવર્ણોએ ચાટ્યાં.

આમ, ઇતિહાસમાં વારંવાર દલિતો પરીવર્તનની રણભેરી ફૂંકે છે, મરે છે, શહીદ થાય છે, આત્મવિલોપનો કરે છે. અને જ્યારે સત્તા મળે છે ત્યારે દલિતો ફરી પાછા હાંસિયા પર ધકેલાય છે. વારંવાર દલિતો છેતરાય છે, તોય એમની આંખો ઉઘડતી નથી.

આજે સમગ્ર દેશમાં મોદી અને ભાજપ સામે અસંતોષ વધી રહ્યો છે. દલિતો બલિદાનો આપી રહ્યા છે. સવર્ણ સમાજ માલ્યા, નીરવ મોદી, કોઠારી જેવા લૂંટારાઓને પેદા કરી રહ્યો છે અને દલિતો રોહિત વેમુલા, ભાનુભાઈ વણકર જેવા શહીદોને સર્જી રહ્યો છે. કાલે મોદી સત્તા પરથી ઉતરી જશે અને ભાજપ ઘરે જશે ત્યારે શું દલિતોને સત્તામાં એમનો ન્યાયોચિત હિસ્સો મળશે? શું કોંગ્રેસ ફરી સત્તા પર આવશે તો અસમાનતામૂલક, અન્યાયી સમાજવ્યવસ્થા બદલાશે? તમારી જાતને આ સવાલ પૂછો.

छी छी रविशंकर को शर्म क्युं नहीं आती?

By Raju Solanki  || 2 March 2018



Caste based discrimination in Shree Shree Ravishankar's school. 
छी छी रविशंकर को शर्म क्युं नहीं आती?
अहमदाबाद के श्री श्री रविशंकर विद्यामंदिर ने गरीब बच्चों के लिए अलग क्लास बनाया और उसको नाम दिया वाल्मीकि. मैंने अहमदाबाद के district primary education officer को लेटर लिख कर कहा है, स्कुल के खिलाफ कारवाई की जाय.


In casteist, fascist land of Gujarat Shree Shree Ravishankar segregates poor student under the tag of ' valmiki' Congratulations Chhi chhi!
Shree Shree Ravishankar Vidhya mandir has compelled poor students admitted under RTE Act to sit in a separate class and named it 'Valmiki'. Dalit Hakk Rakshak Manch has written a letter to district primary education officer to immediately stop this caste-based discrimination and initiate penal proceedings against the school.

आप किसके साथ है???

By Raju Solanki  || 2 March 2018


તમે કોની સાથે છો?

આ દેશમાં માયાવતી કરતા રાહુલ ગાંધીના વડાપ્રધાન થવાના ‘ચાન્સીસ’ વધારે છે. કેમ? 


ચહેરાથી શરૂઆત કરો.

માયાવતી શ્યામ રંગના. નાક ચીબુ. હોઠ જાડા. ચહેરો સહેજેય ફોટોજેનિક નહીં. ચહેરા પર કશીજ નમણાશ કે કોમળતા નહીં.

રાહુલ શ્વેત રંગના. નાક અણીદાર. ચહેરો ક્યૂટ. આકર્ષક. હસમુખો એવો કે ના હસે તો પણ ગાલે ખંજન પડે.

ઋગ્વેદમાં કાળા રંગના, નીગર દાસ, અનાર્ય, દશ્યુઓનું વર્ણન કરેલું છે.
ય: કૃષ્ણગર્ભા નિરહન્નૃઋજિશ્વના
એટલે કે (આર્યોના) દેવે ઋજિસ્વનની સાથે રહીને કૃષ્ણગર્ભો (કાળીયાઓ)ને હાંકી કાઢ્યા.
આર્યો શ્વેત હતા. 
આર્યો જીત્યા, અનાર્યો હાર્યા.

રાહુલ આર્ય પુરુષ છે. માયાવતી અનાર્ય સ્ત્રી છે.
ફુલનદેવી માટે મીડીયા ‘દશ્યુસુંદરી’ શબ્દ વાપરતું હતું. માયાવતી માટે ‘દલિત ઝરીના’ શબ્દ પ્રયોગ થાય છે. 
શ્રી દેવીથી માંડીને સની લીયોની જેવી આર્ય કન્યાઓ પાછળ પાગલ સવા અબજનો દેશ ગોરી ચામડીને પૂજે છે, કાળી ચામડી ધરાવતી સુપર્ણખા કાન કાપવાને લાયક છે, હોલિકા બાળવાને પાત્ર છે.

હવે વિચારધારા જુઓ.
માયાવતીએ બદનામી વહોરીને પણ તથાગત બૌદ્ધ, પેરીયાર, જોતીબા ફૂલે, બાબાસાહેબ આંબેડકર, કાંસીરામ, શાહુ મહારાજની પ્રતિમાઓ સ્થાપી. એ એમની વિચારધારા છે. રાહુલ ગાંધી નેહરુ, ગાંધી, ઇન્દિરા, રાજીવની પ્રતિમા સ્થાપશે. એ એમની વિચારધારા છે. 
માયાવતી ચૂંટણી વખતે મંદિરોમાં જઇને ઘંટડી વગાડતા નથી. રાહુલ જનોઈ બતાવીને વોટ માંગે છે.

કોંગ્રેસ અને ભાજપ બંને વૈદિક આર્યોના પક્ષો છે. મીડીયા વૈદિક આર્યોના પક્ષે છે. ગાય, ગોબર, ગંગા વૈદિક આર્યોના પ્રતીકો છે. 
અનાર્યો, બહુજનોના પરાજય માટે બંનેની એકમતિ છે. 
તમે નક્કી કરજો. તમે કોની સાથે રહેશો?

- Raju Solanki



In Hindi :-

आप किसके साथ है???

इस देश मे मायावती से ज्यादा प्रधानमंत्री बनने के चांसीस राहुल गांधी के है. 
क्यो??

चेहरे से ही शुरुआत करते है...

मायावती जी श्याम रंग की है, नाक अणीदार नही है, होंठ मोटे, चेहरा जरा भी फोटोनजेनिक नही. चहरे पर कोमलता भी नही है.

वंही राहुल गांधी गोरे रंग के, अणीदार नाक, चेहरा क्युट, मनमोहक और हसमुख तो ऐसा की अगर ना भी हसे तो गालो पर डिंपल पडते है.

रुग्वेद मे काले रंग के, दास , अनार्य , दश्युओ का वर्णन है.

"यःकृष्णगर्भा निरहन्नुरुजिश्वना"

मतलब की (आर्य) देव ने सुजिस्वन के साथ रह कर कृष्णगर्भो (काले लोगो को) हराया था.

आर्य गोरे लोग थे,
आर्य जीत गए.
अनार्य हार गए...

राहुल गांधी आर्य पुरुष है, मायावती अनार्य है और उस मे भी स्त्री है.
फुलनदेवी के लिए मीडिया "दश्युसुंदरी" शब्द इस्तेमाल करता था. मायावती के लिए "दलित जरीना" शब्द प्रयोग हो रहा है.

श्री देवी से लेकर सनी लीयोनी जैसी आर्य कन्याओ के पीछे पागल ये देश गोरी चमडी को पुजता है, काली चमडी वाली सुपर्णखा नाक काटने के लायक है. होलिका जला देने के लायक है.



अब विचारधारा देखते है.

मायावती ने काफी बदनामी के बावजुद तथागत बुद्ध, पेरीयार, ज्योतीबा फुले , बाबा साहब आंबेडकर, कांशीराम , शाहुमहाराज की प्रतीमाएं स्थापीत की. वो उनकी विचारधारा है.

राहुल गांधी नेहरु, गांधी, इंदीरा, राजीव की प्रतीमा स्थापीत करेगे. वो उनकी विचारधारा है.

मायावती ईलेकशन के समय मंदीरो मे जाकर घंटीया नही बजाती. राहुल अपनी जनेउ लहराता हुआ वोट मांग रहा होता है.

कोंग्रेस और भाजपा दोनो वैदीक आर्यो की राजकीय पार्टीया है. मीडिया वैदीक आर्यो के पक्ष मे है. गाय,गोबर , गंगा , वैदिक आर्यो के प्रतीक है.

अनार्यो, बहुजनो (SC ST OBC) की हार के लिए दोनो एक संमत है. 
अब आप को फैसला करना है की , आप किसके साथ है...????

- Raju Solanki
(Originaly written in Gujarati , Translated By विशाल सोनारा )