June 20, 2017

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ના કવરેજ મા ચીત્રલેખા એ ૨૦૧૬ નો ફોટો પોતાની વેબસાઈટ પર મુકી દિધો

By Blue Diary Bureau

૧૯૫૦ થી પ્રકાશીત થઈ રહ્યા ચીત્રલેખા વિકલી મેગેઝીન ની વેબસાઈટ પર  ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૧/૦૬/૨૦૧૭ ના અનુસંધાને સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયને રોશનીથી શણગારવામાં આવ્યું એવા ન્યુઝ પોતાની સાઈટ પર મુક્યા.
પણ સાઈટ પર ના ન્યુઝ મા એક મોટો છબરડો કરી નાખ્યો ચીત્રલેખા ની ટીમ એ.

સમાચાર તો અનુપમ ખેર અને  સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીન ની ટ્વીટ નો આધાર લઈને બનાવવામા આવ્યા હતા પરંતુ તેમા સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય નો ફોટો સૈયદ અકબરુદ્દીન ની ૨૦૧૬ ની ટ્વીટ નો મુકવામા આવ્યો હતો.
જે અહી નીચે આપેલ લીંક્સ મા આપ સ્પષ્ટપણે જોઇ શકો છો.
સૈયદ અકબરુદ્દીન` ની ૨૦૧૬ ની ટ્વીટ કે જે ફોટો ચીત્રલેખા દ્વારા અત્યારે ૨૦૧૭ ના સમાચાર મા વાપરેલ છે.


સૈયદ અકબરુદ્દીન ની ૨૦૧૭ યોગા દીવસ માટે ની ટ્વીટ


અનુપમ ખેર ની ટ્વીટ



હમણા જ ગૃહ મંત્રાલય ની સાઈટ પર પણ એક આવો જ છબરડો સામે આવ્યો હતો જેમા ભારત પાકીસ્તાન ની બોર્ડર જણાવી ને સ્પેન અને મોરોક્કો વચ્ચે ની સરહદ નો ફોટો મુકવા મા આવ્યો હતો.

ગુજરાત ના પ્રતીષ્ઠીત મેગેઝીન દ્વારા કરવા મા આવેલી આ ભુલ વિસ્મય જનક લાગે છે.
આપણા દેશ મા સરકાર નુ મીડિયા પર દબાણ વધી રહ્યું છે. આવા દબાણ ના કારણે સમાચાર ની ગુણવત્તા પર ગંભીર અસરો પડે છે એ અહી દેખાઈ રહ્યુ છે.

શું ચીત્રલેખા ને પણ યોગ દિવસ નુ કવરેજ કરવાનુ એટલુ પ્રેશર હશે કે ઉતાવળ મા આ રીત ની ભુલ થયેલ છે એ જ વિચારવુ રહ્યું.

આપણી સૌથી મોટી તાકાત જ આપણી સૌથી મોટી કમજોરી બની રહી છે.

By Jigar Shyamlan
આપણી તાકાત એટલે આપણી જનસંખ્યા અને આપણી કમજોરી એટલે આપણાંમાં પ્રવઁતી રહેલ જાતિ,પેટાજાતિના ભેદભાવ..
વરૂ હંમેશા ટોળામાં એક ઝૂંડ બનાવીને જ રહે અને ઝૂંડ બનાવીને જ શિકાર કરે. વરુઓનું ઝૂંડ વ્યુહબાજ અને સવોઁત્તમ શિકારી ગણાય છે. બની શકે ત્યાં સુધી વરૂ પોતાના સમુહથી અળગા રહેવાનુ પસંદ કરતુ નથી. કારણ એ સારી રીતે જાણે છે કે વરૂઓનું ઝૂંડ એ દરેક વરૂની તાકાત છે, અને દરેક વરૂ પાસે ઝૂંડની તાકાત છે. 
આપણી પાસે ટોળુ છે પણ સંગઠન નથી, નેતાઓ કે આગેવાનો છે પણ કાયઁકરો નથી. પાટીદાર આંદોલન પછી જેમ હાદિઁક પટેલ રાતોરાત હિરો બની ગયો તેવી રીતે કેટલાક રાજકીય મંશા ધરાવતા મિત્રો પણ આવા જ હિરોઈઝમ મેળવવા કંઈ કરવા લલચાઈ રહ્યા છે.
આપણે કેટલીય રેલીઓ કરી જોઈ, કેટલાય વિરોધ પ્રદશઁન કાયઁક્રમો કરી નાખ્યા, ધરણાઓ અને સંમેલનો યોજીને શક્તિ પ્રદઁશનો પણ કયાઁ પણ અંતે આપણને શું નક્કર પ્રાપ્ત થયું...??
રેલીઓ, ધરણાઓ અને સંમેલનો કરીને શક્તિ પ્રદઁશનો કરવાથી કંઈ નહી વળે. આપણને જરુર છે એવા સંગઠનની જે તમામ પરિસ્થિતીઓમાં એકજૂટ રહી શકે.. ચુંટણીઓ સમયે તો ખાસ કારણ આપણે આપણા ઉમેદવારને નહી ચુંટી શકીએ ત્યાં સુધી આપણે આમ શક્તિ વિહીન જ રહીશું.
આપણું પહેલું લક્ષ્ય સમગ્ર અનુ.જાતિની એકતા હોવી જોઈયે. ના કોઈ વણકર, ના કોઈ રોહીત, ના કોઈ વાલ્મિકી. એવા આપસના કોઈ પણ ભેદ નહી વણકરથી લઈને વાલ્મિકી સુધીની એકતા.
આપણે અંદરો અંદરનો આ ભેદ મિટાવવો પડશે. છુટા છવાયા બની ગયેલા વરૂઓને ભેગા કરી એક ઝુંડ બનાવવું પડશે. તો જ આપણે દરેક વરુને ઝૂંડની તાકાત અને ઝૂંડને દરેગ વરૂની તાકાત આપી શકીશું.
- જિગર શ્યામલન


Facebook Post :-