May 27, 2018

જન્મજાત આંદોલનકારી, નખશિખ આંબેડકરવાદી નારણ વોરા

By Raju Solanki  || 22 April 2018 


ગુજરાતની આંબેડકરી ચળવળના મશાલચી, દલિત પેંથરના દિગ્ગજ નેતા દિવંગત નારણ વોરાના અમદુપુરા-સ્થિત નિવાસસ્થાનની આજે અમે મુલાકાત લીધી. તેમના પત્ની સેમીબેનના ખબર અંતર પૂછ્યા. સેમીબેન લાંબા સમયથી પથારીવશ છે. થોડાક સમય પહેલાં એમને પક્ષાઘાતનો હૂમલો આવેલો, તેથી ચાલી શકતા નથી. પરંતુ તેમની યાદશક્તિ એકદમ સાબૂત છે. નારણભાઈની વાત કરતા કરતા એમના ગળે ડૂમો બાઝી ગયો હતો. બત્રીસ વર્ષ પહેલાં અચાનક વિદાય લેનારા પતિની યાદમાં તેમની આંખના ખૂણા ભીના થઈ ગયા હતા. સામે ભીંત પર લટકતા ફોટાઓ સામે આંગળી ચીંધીને કહ્યું કે, “એમના ગયા પછી મારા બંને દીકરા પણ મરી ગયા. છેલ્લી ઘડીએ એમનો મેળાપ પણ ના થયો. એ મંદિરોમાં માનતા નહોતા, તોય મને કહ્યું કે સેમી જા, રણુજા જઈ આવ. હું રણુંજા ગઈ અને અહીં એમનો દેહ પડ્યો. એમનું શરીર એકદમ ઠંડુ પડી ગયેલું.” નારણભાઈ હાર્ટ એટેકથી ગુજરી ગયેલા અને ત્યારે એમની ઉંમર પચાસ વર્ષની પણ નહોતી. એમને ઇમરજન્સી સારવાર મળી નહોતી. સમાજ માટે લડનારો એક મહાન યોદ્ધો અંગત, આર્થિક વિટંબણાઓ સામે હારી ગયો હતો.

નારણ વોરા, રમેશચંદ્ર પરમાર, વાલજીભાઈ પટેલની ત્રિપુટીએ વીસમી સદીના સાતમા દાયકામાં રીપબ્લિકન પક્ષના વિઘટન અને બિખરાવ પછી ગુજરાતની વેરવિખેર અનુસૂચિત જાતિઓને ‘દલિત પેંથર’ના નેજા નીચે સંગઠીત કરવાનો ખમીરવંતો પ્રયાસ કર્યો હતો. “ત્યારે મારા સ્કુટરની એક બાજુ નારણભાઈ અને બીજી બાજુ રમેશભાઈ સાયકલ પર નીકળતા. ક્યારેક બંને જણા મારા ખભા પકડી લેતા અને હું સ્કુટર દોડાવી દેતો. એ રીતે અમે ચાલીઓ ખૂંદતા હતા,” વાલજીભાઈ પટેલ એમના દિવંગત સાથીદારો સાથે ચલાવેલા આંદોલનને કંઈક આ રીતે પરિભાષિત કરે છે. ત્યારે દલિત નેતાઓ ફોર વ્હીલર ગાડીઓમાં ફરતા નહોતા. સાઇકલોથી ખેંચાતો હતો બાબાસાહેબનો રથ.

નારણ વોરાની જન્મભૂમિ અને કર્મભૂમિ એવો અમદુપુરા વિસ્તાર 1960ના ઐતિહાસિક ભૂમિ આંદોલનથી માંડીને 1968ના ડૉ. બાબાસાહેબ આંબેડકર તૈલચિત્ર આંદોલનનું ઉર્જાવાન, પ્રાણવાન નાભિકેન્દ્ર હતો. ત્યારે કોંગ્રેસ પક્ષને બાબાસાહેબ તરફ અપાર સૂગ હતી અને ગુજરાતની વિધાનસભામાં બાબાસાહેબનું તૈલચિત્ર મુકાવવા માટે પણ દલિતોને આંદોલન કરવું પડેલું. ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર તૈલચિત્ર સમિતિ’ની રચના કરવી પડેલી. સમિતિની પહેલી જાહેર સભા (ત્યારે તુલસી કાંટાથી ઓળખાતા) અમદુપુરાના આંબેડકર ચોકમાં ભરાઈ હતી. આઠ આઠ વર્ષના પ્રલંબ આંદોલન પછી છેક 1976માં તત્કાલીન રાજ્યપાલ કે. કે. વિશ્વનાથનના હસ્તે વિધાનસભ્યો માટેના આરામકક્ષમાં (વિધાનસભાગૃહમાં તો નહીં જ) આ તૈલચિત્ર મુકાયું હતું. ત્યારે બાબુભાઈ જશભાઈ પટેલ મુખ્યમંત્રી હતા. આ આંદોલનમાં પણ નારણ વોરાનો સિંહફાળો હતો.

1966માં ભૂમિ આંદોલન ટાણે નારણ વોરાએ અઢી મહિનાનો કારાવાસ વેઠ્યો હતો. જેલવાસ દરમિયાન માની હાલત કથળી હતી, પેરોલ પર છૂટવા માટે સરકારને કગરે એ બીજા, નારણ વોરા નહીં. માતા દલિત દિપડાનું મોઢું જોયા વિના જ મૃત્યુ પામ્યા. 1981ના અનામતવિરોધી આંદોલન વખતે “દલિતોની અનામત સાથે ચેડાં થશે તો ગુજરાત ભડકે બળશે,” એવા નારણ વોરાના નિવેદનની ગુજરાતના અખબારોએ મન-કમને પણ નોંધ લીધી હતી અને સરકારે સૌ પહેલાં તેમને જેલમાં પૂરી દીધા હતા. એ વખતે પણ જેલમાં હતા ત્યારે એમના બનેવી પોલિસની ગોળીનો ભોગ બન્યા, જવાનજોધ બહેન વિધવા બની. પણ નારણ વોરાએ પારોઠના પગલાં ભર્યા નહીં.

આખી જિંદગી મિલમાં નોકરી કર્યા પછી પણ વારંવાર રજાઓ પાડવાથી પીએફ કે ગ્રેજ્યુઇટી કશું જ ના મળ્યા. જિંદગીના અંતિમ વર્ષોમાં અત્યંત અકિંચન અવસ્થામાં નારણ વોરાએ બેહદ લાચારી અનુભવી હતી. નારણ વોરાએ ધાર્યુ હોત તો કોંગ્રેસમાં જોડાઈને કોર્પોરેટર કે ધારાસભ્ય થઈ શક્યા હોત. આજે કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે, તો પણ 2019માં રાહુલ ગાંધી વડાપ્રધાન થશે તેવી આશામાં ઘણા લોકો લાળ પાડે છે, તો નારણ વોરાના સમયમાં તો કોંગ્રેસનો સુવર્ણયુગ હતો. પરંતુ, નારણ વોરા જન્મજાત આંદોનલનકારી હતા અને નખશિખ આંબેડકરવાદી હતા. રીપબ્લિકન પક્ષમાં તેમનું ઘડતર થયું હતું, આજે આપણે જોઇએ છીએ કે કેવા કેવા ધૂરંધરો દલિત ક્રાંતિની પીપૂડી વગાડતા વગાડતા કોંગ્રેસમાં (કે ભાજપમાં) સેટિંગ કરે છે અને સમાજ તેમને ક્રાંતિકારી યોદ્ધાના બિરુદો પણ આપે છે.

નારણ વોરાએ ક્યારેય રાજકીય સમાધાનો કર્યા નહીં. ખુદ્દારીથી જીવવાની કારમી કિંમત ચૂકવી. હવે સમાજે એના આવા ભડવીર સંતાનને મોડો મોડોય પોંખવો પડે. અનામતનો લાભ લઇને બેઠેલા સરકારી કર્મચારીઓ માટે ઋણ ઉતારવાની આ ઘડી છે. ગઈ ચૌદમી એપ્રિલે આ જ અમદુપુરા ચોકમાં યોજાએલી સભામાં મેં નારણ વોરા સન્માન સમિતિ રચવાની ઇચ્છા પ્રગટ કરી હતી. મારી ઇચ્છા સમગ્ર દલિત સમાજની બનશે?

(તસવીરો 1. નારણ વોરાના પત્ની સેમીબેન, 2. એમના પરીવારજનોની તસવીર, 3. પેંથર મેગેઝિનનો પ્રથમ અંક, જેના તંત્રીપદે નારણ વોરાનું નામ છે, 4. નારણ વોરા, 5. બાબાસાહેબના તૈલચિત્રના ચિત્રકાર શાંતિલાલ શાહ સાથે નારણ વોરા અને વાલજીભાઈ પટેલ)








Raju Solanki

અક્ષુભાઈ ર. વ. દેસાઈની ખોટ સાલે છે

By Raju Solanki  || 21 April 2018 


આ સોળમી એપ્રિલે એક ઉમદા ગુજરાતી અને એટલા જ ઉમદા સમાજશાસ્ત્રી અક્ષયકુમાર રમણલાલ દેસાઈની જન્મજયંતી ગઈ. ગુજરાતના એક પણ અખબાર કે સામિયકને ‘ગ્રામલક્ષ્મી’ જેવી સુંદર નવલકથાઓના સર્જક ર. વ. દેસાઈના પુત્ર અક્ષયકુમારે સમાજશાસ્ત્રમાં આપેલા અનન્ય પ્રદાનની નોંધ લેવા જેવી લાગી નહીં. ગુજરાતના કોઈ સમાજશાસ્ત્રીએ પણ અક્ષયકુમાર ર. દેસાઈને સાંભર્યા નહીં. લાગે છે કે ગુજરાતમાં સમાજશાસ્ત્ર વિષય કોલેજોમાં તગડા પગારો ખાવાની ફાલતુ જણસ માત્ર બની ગયો છે.

છેલ્લા સો વર્ષની ભારતીય સમાજશાસ્ત્રની પરંપરામાં લખનૌ સ્કુલે રાધાકમલ મુખરજી, ધૂર્જટિપ્રસાદ મુખરજી અને ડી. એન. મજમુદાર આપ્યા; કોલકત્તા સ્કુલે અક્ષયકુમાર દત્તા અને બિનોયકુમાર સરકાર પેદા કર્યા તો બોમ્બે સ્કુલે એ. એસ. ઘૂર્યે અને એ. આર. દેસાઈ જેવા વિદ્વાન સમાજશાસ્ત્રીઓ નિપજાવ્યા. એમાં અક્ષયકુમારે માર્કસવાદી અભિગમથી સમાજશાસ્ત્રને મૂલવ્યું અને સોશીયલ બેકગ્રાઉન્ડ ઑફ ઇન્ડીયન નેશનાલિઝમ જેવા એપિક ગ્રંથો આપ્યા.

16 એપ્રિલ, 1915માં જન્મેલા એ. આર. દેસાઈએ 80 વર્ષનાં સુદીર્ઘ આયુષ્યકાળમાં ગુજરાતના લોક આંદોલનો વિષે સતત કલમ ચલાવેલી. ગજવાના પૈસે તેઓ ‘પડકાર’ મેગેઝિન બહાર પાડતા અને તેમાં તેમણે હિન્દુત્વના પુનરુત્થાન વિષે અભ્યાસપૂર્ણ લેખો લખેલા. મેં ગુજરાતના કોઈપણ મૂર્ધન્ય સમાજશાસ્ત્રીને આઠમા દાયકામાં એ. આર. દેસાઈ જેટલી બળકટતાથી અને સંવેદનીલતાથી હિન્દુ કટ્ટરવાદ સામે લખતા-બોલતા જોયા નથી કે જ્યારે દેશમાં કટ્ટરપંથી પરિબળોએ ધર્મને રાજનીતિમાં ભૂનાવવા મોટાપાયે ઉપાડો લીધો હતો.

અક્ષયકુમારને અમે લોકો ‘અક્ષુભાઈ’ કહેતાં. ના કાકા. ના સાહેબ. પોતે પ્રખર માર્કસવાદી એટલે સાહેબ કહેવડાવવાનું તો લગીરે પસંદ ના કરતા. મારો અક્ષુભાઈ સાથે વાત્સલ્યનો નાતો. અમારી નાની-મોટી પ્રવૃત્તિઓની તેઓ તેમના સામયિક ‘પડકાર’માં અચૂક નોંધ લેતા. અમે મિત્રોએ અમદાવાદમાં ભંગી સમાજના પ્રથમ મહિલા પીએચડી શારદા વડાદરાનું પ્રથમ સન્માન કરેલું. અક્ષુભાઈએ એ સમારોહની ઐતિહાસિકતા પીછાણેલી અને જ્યારે ગુજરાતના એકપણ અખબારે આ ઘટનાની નોંધ લેવાનું અયોગ્ય માનેલું ત્યારે તેમણે ‘ગુજરાતમિત્ર’ની એમની કટારમાં સુંદર લેખ લખેલો. અમારા કાર્યક્રમને કારણે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજી દ્વારા શારદા વડાદરાનું જાહેર નાગરિક સન્માન થયેલું. નરેન્દ્ર મોદીના લેખોનું ‘સામાજિક સમાનતા’ના નામે સંપાદન કરનારા કિશોર મકવાણાએ પુસ્તકની પ્રસ્તાવનામાં આની ક્રેડિટ નરેન્દ્ર મોદીને આપેલી. સમાજમાં જે કંઈ સારી ઘટના ઘટે તે શાસકોના નામે ચડાવવાની માનસિકતા પ્રબળ બની રહી છે ત્યારે અક્ષુભાઈ જેવા વીરલ ‘એન્ટિ-એસ્ટાબ્લિશમેન્ટ’ મિજાજ ધરાવતા વિદ્વાનોની ખોટ અવશ્ય સાલે.

ગુજરાતને ફાસીવાદની પ્રયોગશાળા કહેવામાં આવે છે. સમગ્ર દેશને ભરડો લેનારી વિચારધારાનો હિંસક પ્રાદુર્ભાવ ગુજરાતમાં થયો. ગુજરાતમાં હજારો પ્રાધ્યાપકો યુનિવર્સિટીઓમાં, કોલેજોમાં સમાજશાસ્ત્ર ભણાવે છે. પરંતુ, કમનસીબે ગુજરાતના સમાજજીવનના તળીયાના લોકો, દલિતો, આદિવાસીઓ, વંચિતોના જીવનમાં આવી રહેલા સામાજિક-આર્થિક પરિવર્તનોની નોંધ લેતા સંશોધનો થતા હોય તેવું જણાતું નથી. ઉપર ત્રણ સ્કુલોની વાત મેં કરી. હજુ ચોથી આંબેડકરી સ્કુલના વિદ્યાર્થીઓ, સંશોધકો તો બહાર આવ્યા જ નથી. ગુજરાતમાં થતા દરેક ફેરફારને કોંગ્રેસ-ભાજપના દ્વન્દ્વમાં જ જોવાની કોંગ્રેસી સમાજશાસ્ત્રીઓની કુટેવ છે. આવા સમયે સામ્યવાદી અક્ષુભાઈના પ્રદાનનું પુન:મૂલ્યાંકન કરવાની જરૂર છે.

મુંબઈ-સ્થિત ગુજરાતી દૈનિક ‘સમકાલીન’માં સબએડિટરની નોકરી માટે ઇન્ટર્વ્યૂ આપવા હું મુંબઈ ગયો ત્યારે બે દિવસ તેમના મુંબઇના નિવાસે રોકાયેલો. એમણે અત્યંત પ્રેમથી મારી પરોણાગત કરેલી. એમની સાથે કલાકો સુધી દલિતો, આદિવાસીઓ, વંચિત સમુદાયોના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવાની મજા પડતી. લગ્ન પછી વડોદરાના એમના હવેલી જેવા ઘરે ખાસ એમને મળવા જ અમે પતિ-પત્ની ગયેલા. એ અમારી છેલ્લી મુલાકાત હતી.

Raju Solanki

Marginalisation of Muslims in Gujarat

By Raju Solanki  || 18 April 2018 


Before 2017 assembly elections there were 42 Patel MLAs. Both BJP and Congress danced around Patel community and hardik patel called the shots. Guided by their sheer lust of political power both Alpesh and Mevani succumbed to Congress agenda and ultimately they all contributed to the political marginalisation of Muslims in Gujarat. And now Patels have 47 MLAs and Muslims have only three though they are numerically at par with patels.

राजस्थान में दलित एट्रोसीटी और कांग्रेस पार्टी

By Raju Solanki  || 15 April 2018 


राजस्थान में हिन्दुत्व की हिंस्रता सत्ता के समर्थन से दलितों को रौंद रही है. यहां तीन तसवीरें मैंने रखी है. पहली तसवीर राष्ट्रीय स्वयंसेवक संघ के पथ संचलन के कार्यक्रम की है, जो 14 अप्रैल के दिन सरेरी खंड के मोड का निम्बाहेडा गांव में हुआ था. दुसरी तसवीर अखिल भारतीय विद्यार्थी परिषद की भीलवाडा में भगवा रैली के कार्यक्रम की है. यह दोनों तसवीरें स्पष्ट रूप से यह दिखाती है कि राजस्थान में दलित-विद्रोह को वैचारिक तौर से परास्त करने के लिए संघ परिवार पूरी तरह से जोर लगा रहा है. तीसरी तसवीर जिला नागौर के मेडता शहर के पुलीस थाने के थानाधिकारी (पोलीस इन्सपेक्टर) का पत्र है, जो उसने मेडता सिटी ब्लोक के ब्लोक प्रारंभिक शिक्षा अधिकारी (डीपीईओ) को भेजा है, जिसमें उसने लिखा है कि दिनांक 2-4-2018 को उनके ब्लोक के अधीन वाले तमाम कार्यालयों तथा स्कुलों में कार्यरत तमाम कर्मचारी एवम अधिकारियों के नाम उनके मोबाइल नंबर के साथे भेजें, जो लोग उस दिन अवकाश पर अर्थात् लीव पर रहे हो.

राजस्थान में वसुंधरा राजे की सरकार दलितों को कुचलने के लिए तमाम प्रकार के हथकंडे अपना रही है. अभी अहमदाबाद के होप अस्पताल में रानीवाडा से एक दलित युवा को लाया गया था, जिसको मस्तक में टीयरगेस का शेल लगा था और वह गंभीर रूप से जख्मी हुआ था. सूना है कि रानीवाडा में दलितों पर पुलीस तथा करनीसेना ने भयानक हमला किया और दलितों को काफी नुकसान पहुंचाया है.

हम गुजरात के दलित राजस्थान के साथियों के साथ खडे हैं. मगर सवाल यह है कि आनेवाले दिनों में राजस्थान के चुनावी समर में बीजेपी को चुनौती देनेवाली कांग्रेस पार्टी क्या कर रही है? राजस्थान के दलितों को कानूनी मदद के लिए कांग्रेस पक्ष की और से कोई लीगल सेल है कि नहीं? यही सवाल बीएसपी के लिए भी हम पूछ सकते हैं. क्या हमें राजस्थान के दलितों पर हो रहे अत्याचारों का कोई प्रमाणित ब्यौरा मील सकता है?