July 31, 2017

ક્રાન્તિ શું છે..???

By Jigar Shyamlan ||  28 July 2017 at 10:48 

ક્રાન્તિ એક તરફી, અવસરવાદી કે કોઈ ક્ષણિક આવેગ ન હોઈ શકે. મને ક્રાન્તિ એ નિરંતર ચાલતી પ્રક્રિયા લાગે છે, એક માણસના જીવનમાં આમુલ બદલાવ લાવવાની પ્રક્રિયા જ ક્રાન્તિ હશે..!!
પહેલા આદિમાનવયુગમાં ખોરાક તરીકે પશુઓનો શિકાર કરીને કાચુ માંસ ખાવામાં આવતું હતું. પછી અગ્નિની શોધ થઈ અને માંસને અગ્નિમાં શેકી, ભુંજીને ખાવાની શરૂઆત થઈ. પછી વિવિધ ફળ, ફુલ અને કંદમુળનો અને છેલ્લે અનાજ ઉગાડવાનો ધીમે ધીમે આ પ્રક્રિયામાં ક્રમિક સુધારો થતો ગયો જે ક્રાન્તિના પરિણામ આજે ખોરાકની વિવિધતાઓ આપણી સામે છે.
પોશાકની દિશામાં પણ આવો ક્રમિક સુધાર થતો ગયો. પહેલા મરેલા પ્રાણીઓના ચામડા પછી ઝાડની છાલ અને પાંદડા, છેલ્લે કપડાં.
રહેઠાણમાં પણ ગુફાઓ પછી ઝાડ પછી નાની ઝુંપડીઓ અને હવે પાકા મકાનોનો ક્રમિક વિકાસ થતો ગયો. 
માનવને સ્પશઁતી દરેક વસ્તુમાં આદિમાનવયુગથી ક્રમિક વિકાસ થતો રહ્યો અને આ વિકાસને પરિણામે સ્થિતી બહેતર બનતી રહી. આ એક પ્રકારની ક્રાન્તિ જ હતી. 
ધમઁ અને આસ્થાની બાબતમાં પણ માણસ જોઈએ તેટલો ક્રમિક વિકાસ કરતો રહ્યો પણ તેની દિશા વિપરીત રહી.
આદિમાનવકાળમાં કોઈ ધમઁ ન હતો. કોઈ ધામિઁક માન્યતાઓ ન હતી. કોઈ ઈશ્વરીય અવતાર કે કોઈ ધામિઁક માન્યતાઓ ન હતી. મહત્વની વાત એ છે કે બુધ્ધિના વિકાસની સાથે સાથે આ બધો ક્રમિક વિકાસ થતો રહ્યો.
આજના માણસનો બુધ્ધિમતા આંક આદિમાનવકાળના માણસના બુધ્ધિમતા આંક કરતા કેટલાય ગણો વધુ છે, મતલબ બુધ્ધિમતા આંકમાં ક્રમિક વિકાસ થયો છે પણ ધમઁ અને તેની સાથે સંકળાયેલી વિવિધ બાબતો તેમજ ઈશ્વર પ્રત્યેની આસ્થા ચરમસિમાએ પહોંચી છે.
આવી અવળી ક્રાન્તિ થવા પાછળ ક્યુ કારણ હશે..??
- જિગર શ્યામલન

તમારી પ્રોડક્ટ કોક દિવસ તો રૂબરૂ બતાવો

By Jigar Shyamlan ||  31 July 2017 


ભગવાન-ઈશ્વર, અલ્લાહ-તાલા, જિસસ એ એક એવી પ્રોડક્ટ છે જેનું કોઈ અસ્તિત્વ જ નથી. જેને અલગ અલગ ધમઁના લોકો જુદા જુદા નામથી ઓળખાવે છે.
દરેક ધમઁમાં અમુક લોકો વિવિધ ધમઁના ધમઁગુરુઓ, મૌલવીઓ અને ફાધરો બની આ પ્રોડક્ટનું માકેઁટીંગ કરી સેલ્સમેનો બની ગયા છે તે સૌને સવાલ છે તમારી પ્રોડક્ટ કોક દિવસ તો રૂબરૂ બતાવો..?
શું ખરેખર હશે ભગવાન.. ?
પૃથ્વીની રચનાનું કારણ બ્રહ્માંડનો વિસ્ફોટ.
તો પરમાત્માના નામે શાને ખોટી ઠોકાઠોક.
શા કારણથી આપીએ છીએ આટલુ માન. 
શું ખરેખર હશે ભગવાન.. ?
ઉલટાવી દીધા ગ્રંથો વાંચી નાખી પોથી. 
પાને પાનાં ફેંદયા તોય નથી શક્યો ગોતી.
કોણ મને સમજાવશે કોણ કરાવે ભાન.
શું ખરેખર હશે ભગવાન.. ?
ફોટાઓ બધા જોઇને મને ઘણાય પ્રશ્નો થાય. 
ફોટામાં છે એ ગોડ,ખુદા,ભગવાન કહેવાય. 
થાય ખુશ જો કરીએ બાંગ, પ્રેયર,આરતી ગાન. 
શું ખરેખર હશે ભગવાન.. ?
અલ્લાહ, જીસસ, કુષ્ણનો કેવો હશે દેખાવ.
જોવા માટે તમામ જગાએ નાખી જોયા પડાવ. 
મારા પ્રશ્નનું હજીય નથી થયું સમાધાન. 
શું ખરેખર હશે ભગવાન..?
કેવું હશે દિવ્ય રૂપ એમનું એની કરવા ખોજ. 
મંદિર, મસ્જિદ,ચર્ચ, ગુરુદ્વારા ભટકું રોજ. 
કેવા હશે એ એનું હજીય મળ્યું નથી જ્ઞાન. 
શું ખરેખર હશે ભગવાન.. ?
મંદિરે જઇ ફુલ, દૂધ, પ્રસાદીનો કરું અભિષેક. 
કોઇ સંજ્ઞા મળે માટે મૂર્તિને તાકી રહું અનિમેશ.
નથી આવતો કોઇ સ્વર ખુલા હોય છે મારા કાન. 
શું ખરેખર હશે ભગવાન.. ?
ગોતવા એને મસ્જિદમાં ગયો છું ઘણીયવાર.
ચાદર ચડાવી લોબાનના કર્યા ધૂપ અપાર.
ત્યાં પણ કોઇ હરકત એની આવી નથી ધ્યાન. 
શું ખરેખર હશે ભગવાન.. ?
શોધી કાઢવા મેં લગાવી ચર્ચમાં દૌડ.
કેન્ડલ સળગાવી તોય રીઝ્યો નહી ગોડ.
ત્યાં પણ નથી મળ્યું એનું કોઇ પ્રમાણ. 
શું ખરેખર હશે ભગવાન.. ?
ગુરુદ્વારામાં પણ મેં ચલાવી એની શોધ. 
એકવાર દર્શન દો એવો ખુબ કર્યો અનુરોધ.
અહીં પણ ન સમજાયુ એનુ કોઇ વિજ્ઞાન. 
શું ખરેખર હશે ભગવાન.. ?
ખરેખર અસ્તિત્વ હોય એનું તો આપો પ્રમાણ. 
એને રીઝવવા શા માટે આટલા બધા દબાણ.
કોઇ કરે કઠોર તપ કોઇ આપે મોટા દાન.
શું ખરેખર હશે ભગવાન.. ?
ઉકેલાતી નથી આ ગૂંચ ઉકેલું એમ ગૂંચવાય.
મને ચૂપ કરવા ધર્મોના ટોળા ભેગા થાય.
અસ્તિત્વ ન સ્વિકારે એને કેમ ન મળે સન્માન. 
શું ખરેખર હશે ભગવાન.. ?
- જિગર શ્યામલન 

श्री कोविन्द को देश के पहले दलित राष्ट्रपति और के आर नारायणन को ईसाई चित्रित करने का दुर्भावनापूर्ण प्रयास

By Vishal Sonara || 31 July 2017 at 15:05

भारतीय जनता पार्टी के सपोर्ट से बने भारत के वर्तमान राष्ट्रपती श्री रामनाथ कोविन्द को देश के प्रथम दलित राष्ट्रपती  दीखाने की चाह मे कुछ फेक न्युस साईट्स, मीडिया का कुछ तबक्का और सोशल मीडिया की कुछ टीम सक्रीय हो गई है और ऐसे मेसेज बना कर वोट्सप, फैसबुक ,ट्वीटर और साईट्स के माध्यम से इस गलत खबर को फैला रहे है. 
एक प्रोपेगेंडा वेबसाईट postcard.news ने बाकायदा लीख ही दीया "“Shocking! K.R. Narayanan was first Christian President, not Dalit President” बिना कुछ ज्यादा जाने बीना ऐसी हि खबरे फैलाई जाते है उस वेबसाईड पर. 
outlookindia.com ने भी अपनी वेबसाईट मे खबर लीखी है , उन्होने तो हेड्लाईन मे ही सनसनी फैला दी जो ईस प्रकार है "Was India's First Dalit President K.R. Narayanan Really A Christian?"
केरल की जनम टीवी  चेनल और जन्मभुमी दैनीक (दोनो RSS से संलग्न है) ने ईस खबर की रीपोर्टींग मे बताया की,  "के आर नारायणन अपनी मृत्यु के बाद ईसाई धर्म में परिवर्तित हो गए"  “K R Narayanan was converted into Christianity after his death"

बहोत सारी वेब पोर्टल और कुछेक न्युझ चेनल भी इस मुद्दे को लेकर वादविवाद मे पड गये है. फेसबुक और वोट्सप ये खबर फैलाने का एक बहोत हि सुलभ रास्ता बन चुका है.

के आर नारायण के नाम पर पहले भी ऐसी बाते की जा चुकी है
1997 मे जब उनको राष्ट्रपति बनाने की बात चली थी तब भी बहोत से हिंदुवादी नेता और संगठनो ने ऐसी हरकते की थी. विश्व हिंदु परीषद के नेता अशोक सींघल ने उनको राष्ट्रपती बनाने का विरोध करते हुई कहा था की वो दलित हिंदु सीर्फ कागज पर हि है, उनको राष्ट्रपती बनाना चर्च की साजीश है और उन्होने कभी दलितो के हक की आवाज नही उठाई नाही वो आंबेडकरवादी है और ना ही गांधीवादी. हैरानी की बात तो ये है की विश्व हिंदु परीषद भाजपा की सहयोगी रहि है भाजपा ने भी कांग्रेस के साथ मे रहते हुए के आर नारायण को एक दलित प्रत्याशी के स्वरुप मे समर्थन उस समय भी दीया था फीर भाजपा का ही सहयोगी दल ऐसी बाते कर रहा था. 
के.आर. नारायणन की धार्मीक आस्था और जाती को लेकर जो बहर उस वख्त थी और आज है दोनों ही  उनका अपमान और उनकी शख्शीयत पर दाग लगाने की कोशीष है और ये पुरे देश के लिए शर्मनाक है.

अब जरा रुख करते है वर्तमान कंट्रोवर्सी पर

सत्तापक्ष ने राष्ट्रपती के लीए दलित प्रत्याशी के रुप मे श्री रामनाथ कोविंद को आगे कीया था और सामने विपक्ष ने भी दलित कार्ड खेलकर हार नीश्चीत होते हुए भी मीरा कुमार को खडा कीया था. अब श्री रामनाथ कोविंद राष्ट्रपती बन चुके है पर पहले दलित राष्ट्रपती श्री के आर नारायण है ये बात सत्तापक्ष के आक्रमक समर्थको को पसंद नही है. श्री के आर नारायण को ईसाई चीत्रीत कर के भाजपा समर्थीत राष्ट्रपती को प्रथम दलित राष्ट्रपती साबीत करने की व्यर्थ कोशीष करते रहते है.
सोशल मीडिया पर एक सुव्यवस्थीत तरीके से और कुछेक वेब साईट पर दिल्ही स्थीत एक ईसाई कब्रस्थान मे श्री के आर नारायणन को दफनाया गया है ऐसा दीखा कर उनको ईसाई साबीत करने की साजिश हो रही है.

सच्चाई क्या है???

9 नवंबर, 2005 को नारायणन का निधन हो जाने के बाद, उनको 10 नवंबर को यमुना के तट पर पूरे सैन्य सम्मान और हिंदु रीत रीवाजो के साथ अग्नी दाह दीया गया था. नारायणन का अग्नीदाह उनके भतीजे एस रामचंद्रन ने कीया था. वो स्थल जवाहरलाल नहेरु के स्मारक शांतीवन और लाल बहादुर शाश्त्री के स्मारक विजय घाट के बिच मे स्थीत है. 

समाचार एजेंसी "न्युज 18" ने श्री के आर नारायणन की बेटियां अमृता नारायणन और चित्रा नारायणन से स्पष्टीकरण करने के लिए संपर्क किया, ताकि पता लगाया जा सके कि कब्रिस्तान में मृतक राष्ट्रपति की कब्र कैसे हो सकती है जबकी उनका अंतिम संस्कार हिंदु रीत रीवाजो से किया गया था. उनकी बेटियों ने न्यूज 18 को एक ईमेल उत्तर में कहा कि वह एक हिंदू और सभी धर्मों का सम्मान करते थे. ये हाल की जो कोन्ट्रोवर्सी है वह एक निजी मामला है और इस तरह का विवाद बेमाईने है.

उनकी बेटीओ ने खुद जो बात बताई ये हम आप को हिंदी मे ट्रासलेट कर के बताते है, "अंतिम संस्कार के बाद, उन की अस्थीओ को चार भागों में विभाजीत किया गया था. उसमे से एक भाग को हरिद्वार मे सबसे बड़ी बेटी द्वारा गंगा में विसर्जित कीया गया था. अस्थीओ के दूसरे भाग को उनकी छोटी बेटी के द्वारा केरल में ले जाया गया जहां राज्य सरकार ने केरल की एक पवित्र नदी भरतपुज्जा में उस का विसर्जन कीया. नारायणन के छोटे भाई के आर भास्करन, जो भाजपा के करीबी सहयोगी थे उन्होने अपने हाथो से अस्थीओ को हिंदू संस्कारों के अनुसार विसर्जीत क्या. अस्थीओ के तीसरे भाग को नारायणन के दिवंगत माता-पिता की अस्थीओ के साथ मिलाया गया था. और अंतीम भाग को उनकी विधवा उषा नारायणन, जो की ईसाई धर्म को मानती थी,उन के देहांत के बाद साथ दफनाने के लिए रखा गया था. 2008 में उनके अवसान होने पर, शेष अस्थीओ को पृथ्वीराज रोड कब्रिस्तान में उनकी इच्छा के अनुसार दफ्न किया गया था. यह पूरी तरह से निजी इच्छा थी और उसे इस तरह ही सम्मान किया जाना चाहिए. "

उनकी बेटीओ ने ये पुरा मामला एक बेमतलब की बात है ये साबीत कर दीया. फीर भी अगर कुछ लोग ऐसे प्रेरणादायी व्यक्तीत्व की छबी खराब करने का प्रयास कर रहे है तो लोगो को सचेत हो जाना जरुरी है. 
उन की मंशा सीर्फ ये हि है की  "हमारे वाला दलित आप के वाले दलित से ज्यादा दलित है" और कुछ नही.






जालियाँवाला बाग हत्याकांड की सच्चाई : जानना जरुरी है

By Vishal Sonara || 31 July 2017 at 14:48


आज एक पुराना विडीयो मैने देखा उस विडीयो का टाईटल कुछ इस प्रकार है "Real History of 'Jallianwala Bagh Kand' By Prof. Gurnam Singh Mukatsar, University of Panjab, Panjab"

विडीयो मे दीखाई गई बात :-
विडीयो मे पंजाब विश्वविद्यालय के प्रोफेसर गुरनाम सिंह ठोस सबूतों के हवाले से बताते हैं कि जालियाँवाला बाग में उन अछुत सिखों की सभा चल रही थीं जिन्हें स्वर्णमंदिर में घुसने नहीं दिया गया था जहाँ वे प्रथम विश्वयुद्ध 1918 में भाग लेने के बाद 1919 में सकुशल बच आये थे और  गुरु का शुक्रिया अदा करने दरबार साहब अमृतसर गये थे।
पर उनको जातीवाद के चलते अंदर जाने नही दीया गया, उन का अपमान कीया गया , उन को गालीया दी गई। इन सब बातो का विरोध करने के लीये वह लोग ईकठ्ठा हुए, जालियाँवाला बाग में उन की मीटींग रख्खी गई। और उस सभा मे जो गोलीया चली वो जथेदार अरुर सींग के कहने पर जनरल डायर ने चलवाई थी, जो की उन दीनो स्वर्णमंदिर के मैनेजर थे।  जब गोली चली हजारो लोग मर गये तब वो जनरल डायर को दरबार साहब ले जाया गया वहा जा कर उस का सम्मान कीया गया उस को सरोपा (robe of honour) दीया गया।  और ये बात जगदेव सींघ जस्सोवाल (Former congress MLA, Died Dec 2014) ने पार्लीयामेंट मे एक डीबेट मे नोट करवाई हुई है। इतनी बडी एन्फोर्मेशन हमारे लोगो को नही है। जालियाँवाला बाग हत्याकांड अछुत लोगो पर हुआ था और उन पर गोली उंची जाती के लोगो के कहने पर चलाई गई और उस की रुपरेखा बदल दी गई।
***

बहोत हैरानी की बात है की इतिहास से यह सब गायब है।

हमारे देश के इतिहास को जितना जातिवादी लोगो ने तोड़ मरोड़ कर पेश किया गया है शायद ही दुनिया के किसी और देश में किया गया हो, दरसल यह सब एक साजिश के तहत किया गया ताकि इस देश के मूल निवासी अपना सही इतिहास ना जान पाए।

जिस जलियावाला काण्ड को हम यह कह कर पढ़ते है की वहा पर देशभक्तो की कोई देश की आजादी के लिए मीटिंग हो रही थी दरअसल वहा पर देशभक्तों की तो ठीक है पर सुवर्ण मंदिर से जलील किए गए "अछूतों की मीटिंग" हो रही थी जो अपने उच्च जातीय भेदभाव के मुद्दों पर विचार करने के लिए इकट्ठे हुए थे।

जालियांवाला हत्याकांड के मुजरिम जनरल ड़ायर को स्वघोषित उच्च जाति के बड्डे बड्डे महान क्रांतिकारीयों ने क्यों नहीं मारा ? दलित उधमसिंह ने ही उसे लंदन में घुसकर मारा, क्यों ?

इतिहास में हम दफन है पर हमें इतिहास दफनाने वालों का पढ़ाया जाता है।

जय भीम, जय भारत!!!

Watch The Video 

July 30, 2017

ડૉ બાબાસાહેબ આંબેડકરનાં અંતિમ દિવસો.. - રાકેશ પ્રિયદર્શી

સન ૧૯૫૨ માં રાજ્યસભાના સભ્ય તરીકે ચુંટાયા બાદ ડૉ.બાબાસાહેબ આંબેડકર ૨૬,અલીપોર રોડ દિલ્હી ખાતેના નિવાસ સ્થાને રહેતા હતા. તેમણે અહીજ 5 ડિસેમ્બર 1956ની મધરાતે અંતિમ શ્વાસ લીધા હતા.

18 માર્ચ 1956 આગરા માં પોતાના સમાજના લોકોને ધ્યાનમાં રાખીને બાબાસાહેબે રડતી આંખે કહ્યું હતું કે મારા સમાજના ભણેલા-ગણેલા લોકોએ મને દગો દીધો છે, મારી સાથે ગદ્દારી કરી છે, મને એમ કે મારા સમાજના લોકો ભણી-ગણી સરકારી નોકરીઓ કરશે અને પોતાની આવકનો અમુક હિસ્સો સમાજના ઉત્થાન માટે તથા સમાજના છેવાડાના માણસને આગળ લાવામાં વાપરશે, પણ અફસોસ મારા સમાજના ભણેલા-ગણેલા લોકોએ મને દગો દીધો છે.

બહુજનોના કલ્યાણ માટે જન્મ લેનાર મહામાનવ તા:-૧૪/૪/૧૮૯૧ થી મુત્યુ તા:-૬/૧૨/૧૯૫૬ ની વચ્ચે ૬૫ વર્ષનાં આયખામાં ક્ષણે-ક્ષણ સઘર્ષ કરનાર મહામાનવ, વિશ્વ વિભૂતિ, ભારતરત્ન ડૉ.બાબાસાહેબનાં જીવનના  છેલ્લા દિવસોની કલ્પના કરતાજ આંખમાંથી આંસુ નીકળી જાય છે.

તા:-૧૪/૧૦/૧૯૫૬ નાં રોજ અંદાજે 8 લાખ બહુજનો સાથે બૌદ્ધ ધમ્મમાં દીક્ષા લીધા બાદ ડૉ.બાબાસાહેબ આંબેડકર ૧ માસ ૨૨ દિવસ જ જીવેલા. આ 52 દિવસના ગાળામાં તેમનું શરીર સાથ નહોતું આપતું છતાં પણ તેઓ લોકોને બૌદ્ધ ધમ્મની દિક્ષા અપાવામાં વ્યસ્ત રહેતા હતા.

તા:-૩/૧૨/૧૯૫૬ નાં રોજ તેમના લખેલા છેલ્લા પુસ્તક બુધ્ધ અને તેમનો ધમ્મનું છેલ્લું પ્રકરણ પૂરું કરી ટાઈપમાં આપ્યું અને રાજય સભાના સભ્ય તરીકે રાજય સભામાં તા:-૪/૧૨/૧૯૫૬ નાં રોજ છેલ્લી હાજરી આપેલી.

6 ડિસેમ્બરે સવારે તેમના સેવક રત્તૂએ સાહેબને જગાડવા ખુબજ પ્રયત્ન કરેલ પણ સાહેબ ક્યાંથી ઉઠે. આખા સમાજની જવાબદારી પોતાના ખભે લઇ 24 કલ્લાક માંથી 20-20 કલ્લાક કામ કરનાર માણસને પણ થાક લાગે કે નહિ ?


તા:-૬/૧૨/૫૬ નાં રોજ બહુજનોના મસીહા તારણહાર એક જ આયખામાં અનેક જીવન જીવનાર અનંતની યાત્રાએ રવાના થઇ ગયા.

ખાસ પ્લેન મારફતે સવિતા આંબેડકર અને રતું બાબાસાહેબના પાર્થિવ દેહને દિલ્લીથી લઇ મુબઈ રવાના થયા. લાખો લોકો મુંબઇ એરપોર્ટ પર બાબાસાહેબના પાર્થિવ દેહની રાહ જોઈએ બેઠેલા.  બીજા દિવસે ૭/૧૨/૧૯૫૬ ના રોજ નીકળેલી સ્મશાન યાત્રામાં અંદાજે 20 લાખથી પણ વધારે લોકો જોડાયેલ, બાબાસાહેબના ચહેરાના છેલ્લા દર્શન કરવા આખા દેશ માંથી લોકો મુંબઇ આવેલા. જેને જે સાધન મળ્યું, કોઈ બસમાં તો કોઈ ટ્રેનમાં બધા વાહનો ખીચો-ખીચ. મુંબઈના રોડ રસ્તામાં માનવ મહેરામણ, જ્યાં જોવો ત્યાં ટ્રાફિક અને ભીડ, પણ એ ભીડની વચ્ચે એક સન્નાટો હતો, બાબાસાહેબના ના હોવાનો.

બીજી બાજુ જે લોકો પોત-પોતાના ઘરે હતા એ લોકો પણ વ્યથિત અને દુઃખી હતા, બધા અંદરો-અંદર પોતાના આંશુને રોકવાનો પ્રયત્ન કરતા હતા, બાબાસાહેબ હવે નથી રહ્યા એ સમાચાર સાંભળીને ઘણા લોકોના ઘરના ચૂલા ઓલવાઈ ગયા.

કેમ કે એ બધાને ખબર હતી કે જેમણે અમને પશુ માંથી માણસ બનાવ્યા એ બાબાસાહેબ આ ધરતી ઉપર ફરી પેદા થશે કે કેમ ?

 7 ડિસેમ્બરે બાબાસાહેબની અંતિમયાત્રા આખા મુંબઈમાં ફરી, અને એ અંતિમ યાત્રામાં શરૂઆતથી અંત સુધી એવી કોઈ આંખ નહિ હોય કે આંખમાં આંશુ ના હોય, દાદરનો અરબી સમુદ્ર પણ જાણે પોતાનો કિનારો છોડીને બહાર આવવા માંગતો હતો સાહેબના છેલ્લા દર્શન કરવા.

કેમ કે સાહેબ હવે નથી રહ્યા...

બૌદ્ધ વિધિ પ્રમાણે સાંજે જયારે અંતિમ ક્રિયા અને વિધિ પુરી થઇ ત્યારે લાખો લોકો બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. અને 10 લાખથી પણ વધારે લોકો બાબાસાહેબના પાર્થિવ દેહને સાક્ષી માની બૌદ્ધ બનેલા.

બાબાસાહેબને અણસાર આવી ગયો હશે એટલેજ કદાચ એમણે આ ફાની દુનિયામાં વધારે ના રહેવાનું પસંદ કર્યું હોઈ શકે. કારણકે એ વધારે જીવ્યા હોત તો આ સમાજે જ એમને બદનામ કરી દીધા હોત.

સુરજ અને ચાંદ રહે કે નાં રહે પણ બાબાસાહેબની ક્રાંતી અને તેમનું નામ ચોક્કસ રહેશે.

હું આજે પણ નવરાશની પળોમાં દાદરમાં બાબાસાહેબની સમાધી પાસે બેસીને અરબી સમુદ્રના ઉછળતા મોજાને જોઈ સાહેબનો આભાર માનવાનું નથી ચુકતો, કે જેમના થકી હું અને મારો સમાજ ઉજળો છે. સાહેબ તમે નથી પણ ભારતીય સંવિધાનમાં તમે  અમારા માટે કાયમ જીવતા છો અને રહેશો. સાહેબ તમે અમર છો અને અમર રહેશો.

હવે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો કે બાબાસાહેબે તો આપણને ઘણું બધું આપ્યું, સામે આપણે બાબાસાહેબને શું આપ્યું ?

-- રાકેશ પ્રિયદર્શી

સ્મૃતી અને સહનશીલતા

By Dinesh Makwana  || 28 July at 08:20

અજય દેવગનનુ એક પિકચર આવ્યુ હતું. DRISHYAM. મુળ સંસ્કૃત શબ્દનો અર્થ એવો થાય છે તમારી નજર સમક્ષ રહેવું. મનોવૈજ્ઞાનિક દષ્ટિએ આ પિકચર ઘણી બાબત શીખવાડી જાય છે. તમારી નજરની આસપાસ સતત જે ફરતું રહે તેને તમે જલદી યાદ રાખો છો, તેની જ ચર્ચા કરતા રહો છો.

દુનિયામાં સૌથી વધુ ભારતના લોકો વાતને ભુલી જાય છે. વિરાટ કોહલી દસ ઇનિંગમાં નિષ્ફળ જાય અને અગિયારમી ઇનિંગમાં સદી મારે એટલે આપણે આગળની તમામ દસ ભુલીને હાલમાં મારેલી સદીને યાદ કરતા રહીયે છે અને તેની જ ચર્ચા કરીયે છે.

આ બાબત કહેવાતા સવર્ણો બહુ પહેલા સમજી ગયા હતા અને તેથી આપણે કેવી રીતે જીવન જીવતા હતા તેને કોઇ યાદ કરતું નથી. ઇતિહાસની વાતો કેમ બાબાના અનુયાયી સતત કરતા રહે છે? વાત પાછી બહુ જુની પણ નથી. જે તકલીફ કે અત્યાચાર ની વાતો કરીયે છે તે માત્ર ૧૦૦ વર્ષ પહેલાની જ છે પણ આપણે ભુલી ગયા છે. તે તકલીફો અને અત્યાચાર માથી બહાર કાઢનારને આપણે ભુલી ગયા છે. બાબાના અનુયાયીઓ ઘાંટા પાડી પાડીને કહે છે કે આ તો યાદ રાખો. પણ આપણે ભુલવાનુ કામ કરી રહ્યા છે. આપણે કોઇના હાથા બનીને કામ કરી રહ્યા છીએ. આપણે કોઇના અજન્ડા પર કામ કરી રહ્યા છે.

બાબાની મુર્તિ કોઇ જગ્યાએ તોડી હોય તો તેના ફોટા અને કડવા શબ્દો જુદા જુદા ગ્રુપ પર ફરતા રહે છે. માત્ર વોટ્સ અપ પર આક્રોશ વ્યક્ત કરાતો રહે છે. પણ આની પાછળના હેતુને આપણે ક્યારેય સમજી શક્યા નહી. આપણે સહનશીલ નથી, નવી પેઢી તો બિલકુલ સહનશીલ નથી, તેથી તે ઘટનાની પ્રતિક્રિયા આપવામાં આપણે પોતાનો સમય બરબાદ કરતા રહીયે છે, પણ મુળ હેતુ આપણને વિચલિત કરીને મુખ્ય મુદ્દામાંથી તમને બધાને બીજે હટાવવાનો છે.

એક ઉદાહરણ આપું: આખા ગુજરાતમાં વરસાદે માઝા મુકી છે. બનાસકાંઠા અમદાવાદ મહેસાણા જેવા વિસ્તારોમાં ભયંકર વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠાના લોકોને અત્યારે સૌથી વધુ રાહત સામગ્રીની જરુર છે. દરેક લોકો આગળ આવી રહ્યા છે, પણ સરકારની નિષ્ફળતા ના દેખાય એટલે ગઇ કાલે ત્રણ કોગ્રેસ ના ધારાસભ્યો ભાજપમાં ગયા તેના વિશે સતત સમાચાર જુદી જુદી ગુજરાતી ચેનલ પર આવતા રહે છે. તમારું ધ્યાન હટાવવામા તેઓ સફળ થાય છે અને દરેક ગ્રુપ પર આ મેસેજ ફરતા થાય છે.

મોદી સાહેબે સંસદમાં સૌ પ્રથમ ભાષણ આપ્યું ત્યારે કહ્યુ હતું પહેલા ત્રણ વર્ષ આપણે બધા વિકાસની વાતો કરીયે. છેલ્લું વર્ષ આપણે રાજનીતિની વાતો કરીશું. આ દર્શાવે છે તમે પહેલા ત્રણ કે ચાર વર્ષની નિષ્ફળતા ભુલી જજો.

હકીકતમા આપણે તેજ યાદ રાખીયે છે જે અત્યારે બન્યું હોય અને સતત તમારી આસપાસ ફરતું રહે. આ કમજોરીનો લાભ રાજકીય ક્ષેત્રે લેવામા આવતો રહ્યો છે અને તમે તેના ભોગ બની રહ્યા છો.

પણ સારુ છે કે સોશિયલ મીડીયા ના કારણે આપણે ઘણું બાદ યાદ કરી શકીયે છે. કારણ કે પ્રિન્ટ મિડીયા અને ચેનલ પર તો સંપુર્ણ નિયંત્રણ છે ત્યારે આ સોશિયલ મીડીયા જ તમને સાચી અને તાજેતરની માહિતી આપી શકે છે.

આખી વાતનો હેતુ છે કે તમે લાગણીના પ્રવાહમાં કે બીજા સમાચાર મા તમારા ઇતિહાસને ભુલો નહી. જિગરે બહુ સરસ વાત મને કહી હતી અત્યારે બાબાના સૌથી વધુ મેસેજ દરેક ગ્રુપ પર ફરે છે તેના કારણે હેમરિંગ જેવું લાગે ખરું પણ તે જરુરી છે. કારણ કે જેઓએ મહાભારત કે રામાયણ વાંચ્યા નથી તેમને તે ગ્રંથોના દરેક પ્રસંગો યાદ છે કારણ કે તે તેમને સતત સંભળાવવામા આવતા. તેનો સતત મારો થતો રહેતો.

આપણે આપણા ઇતિહાસ ને અને બાબાના સંઘર્ષને યાદ કરતા રહીયે.


દિનેશ મકવાણા
૨૮/૭/૨૦૧૭ સવારે ૮.૨૦
અજમેર રાજસ્થાન

July 29, 2017

ભારતમાં વૈશ્વિક કક્ષાના બૌધિકોની ઉણપ નુ કારણ

By Rushang Borisa   || 28 July 2017

પ્રવર્તમાન બંધિયાર રીત-રિવાજો-ધાર્મિક માન્યતાઓ-સામાજિક ખામીઓ વિરુદ્ધ ચળવળ ચલાવવા માત્ર સામાજિક કાર્યકર હોવું પૂરતું નથી; તે માટે પ્રખર બૌદ્ધિક પણ બનવું પડે. શા માટે મને રાજા રામમોહન રાય,બાળગંગાધર તિલક અને મોહનદાસ ગાંધી કરતા જ્યોતિબા ફૂલે અને ભીમરાવ આંબેડકર ચડિયાતા જણાય છે તે માટે પૂરતા તથ્યો છે.પ્રથમ ૩ સામાજિક/રાજનીતિક નેતાઓ હતા ; જયારે પાછલા બન્ને સામાજિક-બૌદ્ધિક-રાજનૈતિક લડાયક હતા.

આંબેડકર જે વિઝન રાખતા હતા તેમાં તેમણે જે અડચણો-અસામાજિક તત્વો દેખ્યા હતા અને તેની કટ્ટર આલોચના કરી હતી તેમાં કેટેગરી પ્રમાણે આવું કૈક હોય શકે:

અસામાજિક તત્વ:- બ્રાહ્મણવાદી માનસિકતા
ધાર્મિક ખામી:- હિન્દુત્વ
વિચારધારા:- ગાંધીવાદ
રાજનૈતિક પક્ષ:- કોંગ્રેસ
અસમાનતા:- જ્ઞાતિ વ્યવસ્થા

શા માટે ભારતમાં વૈશ્વિક કક્ષાના બૌધિકોની ઉણપ જણાય છે તે વિષયે આંબેડકરે લખેલ પુસ્તકમાંથી લીધેલ લેખ આજે પણ અડીખમ જણાય છે.(સમય મુજબ જે ફેરફાર થયા હોય, પણ વિવેચનનું મૂળ તેટલું જ મજબૂત છે.)

“ હાલમાં, નિષ્ણાતવર્ગ બ્રાહ્મણો સુધી સીમિત છે.પણ બદનસીબી છે કે કોઈ પણ બ્રાહ્મણ-નિષ્ણાત વોલ્ટેરની જેમ પહેલ કરી શક્યા નથી; વોલ્ટેર કે જેઓ કેથોલિક પંથમાં ઉછેરાયા હોવા છતાં ધાર્મિક-સિદ્ધાંતો વિરુદ્ધ આગેવાની લીધી અને પોતાની બૌદ્ધિક ઇમાનદારીમાં ખરા ઉતર્યા.ના કોઈ બ્રાહ્મણ-બૌદ્ધિક તે હદે ઈમાનદાર જણાય છે કે ના ભવિષ્યમાં આવા નિષ્ણાતો આવશે તેવી આશા જણાય છે. બ્રાહ્મણ-નિષ્ણાતો પોતાનામાંથી કોઈ વોલ્ટેર પેદા ના કરી શક્યા તે તેમની બૌદ્ધિકતાના કબર નું પ્રતિબીંબ છે. બ્રાહ્મણ-નિષ્ણાતો જ્ઞાની છે, પણ ખરા અર્થમાં બૌદ્ધિક નથી તેવું કહેવામાં નવાઈ ના લાગવી જોઈએ. જ્ઞાની અને બૌદ્ધિક વર્ગ વચ્ચે તફાવત છે- જ્ઞાનીઓ પોતાના વર્ગના હિતો પ્રત્યે ગંભીર હોય છે અને તેને જાળવવામાં રસ ધરાવે છે; જયારે બૌદ્ધિક વર્ગ પોતાના નિજી હિતો ના પ્રભાવથી મુક્ત થઇ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે.એટલા માટે બ્રાહ્મણ-નિષ્ણાતો માત્ર જ્ઞાની હોય છે, બૌદ્ધિક નહીં.

શા માટે બ્રાહ્મણો ભારતમાં વૉલ્ટરને પેદા નથી કરી શકયા તેના જવાબ માટે એવો સવાલ પૂછવો જોઈએ કે શા માટે તુર્કીના સુલતાનો મોહમ્મદના ધર્મનો નાશ ના કરી શક્યા? શા માટે કોઈ ઈસાઈ પોપે કેથોલિક સંપ્રદાયની નિંદા ના કરી? જે કારણ થી સુલતાનો કે પોપે તે કાર્યો કર્યા નહીં, તે જ કારણથી બ્રાહ્મણો વૉલ્ટરનું સર્જન કરી શક્યા નહીં. આ વાત સ્વીકારવી પડે કે કોઈ વ્યક્તિ કે વર્ગ જ્યાંથી તેઓ આવે છે ત્યાંના સ્વાર્થી હિતો તેમની આંતરિક નબળાઈ બને છે અને વ્યક્તિ/વર્ગની બુદ્ધિને નિયંત્રિત કરે છે. બ્રાહ્મણોની સત્તા અને પદ સંપૂર્ણ રીતે હિન્દૂ સામાજિકરણને આભારી છે ,જે બ્રાહ્મણોને દેવ તરીકે મોભો આપે છે અને અન્ય નીચલી જ્ઞાતિઓ ઉપર જાતજાત ની પાબંદીઓ વડે દબાણ રાખે છે; જેથી નીચલી જ્ઞાતિઓ ઉપર ના ઉઠે અને બ્રાહ્મણોનું પ્રભુત્વ જળવાઈ રહે. માટે સહજ છે કે બ્રાહ્મણો પોતાની સર્વોપરિતાની જાળવણી માટે ચિંતિત રહે; ચાહે તે રૂઢિચુસ્ત કે બિનરૂઢીચુસ્ત. બ્રાહ્મણો ને વોલ્ટેર પરવડી જ કેવી રીતે શકે? જો બ્રાહ્મણો માં વોલ્ટેર રહે તો તે હિન્દૂ સભ્યતા કે જેને બ્રાહ્મણોની સર્વોપરિતામાં યોગદાન આપ્યું છે તેની જાળવણી માટે સક્ષમ ખતરો ઉભો થાય.મુદ્દો એ છે કે સ્વ-હિતોના રક્ષા માટેની ચિંતા એ જ બ્રાહ્મણ-નિષ્ણાતોના બુદ્ધિની તીવ્ર મર્યાદા છે.બ્રાહ્મણ પોતાની આંતરિક નબળાઈથી પીડાય છે જેથી તે પ્રામાણિકતાના હેતુ માટે પોતાની બૌદ્ધિકતાને મહત્તમ સ્તરે પહોંચાડી શકતા નથી.તેઓ ડરે છે.

પણ મને એક વાત હેરાન કરે છે એ છે કે બ્રાહ્મણ-ગ્રંથોને ઉઘાડા પાડવાના પ્રયત્નો પ્રત્યે બ્રાહ્મણ-નિષ્ણાતો અસહિષ્ણુ હોય છે. તે ખુદ જરુર હોય ત્યારે ધર્મ-વિદ્રોહ ની ભૂમિકા ભજવતા નથી; પણ કોઈ બિન-બ્રાહ્મણ સક્ષમ હોવા છતાં જો તે ભૂમિકા ભજવશે તો બ્રાહ્મણ-નિષ્ણાત તેને રોકશે.જો કોઈ બિન-બ્રાહ્મણ ધર્મગ્રંથો કે ધાર્મિક માન્યતાઓને ઉઘાડી પાડવા મશગુલ બનશે તો બ્રાહ્મણો તેમને ચૂપ કરાવવા-તેની કઠોર નિંદા કરવી-તેના કાર્યોને વાહિયાત સિદ્ધ કરવા-તેની અવગણના કરવી વગેરે જેવા પ્રપંચો રચશે. એક લેખક તરીકે જયારે-જ્યારે મેં બ્રાહ્મણ-ગ્રન્થોને બેનકાબ કરવાના પ્રયત્નો કર્યા છે ત્યારે-ત્યારે બ્રાહ્મણ-નિષ્ણાતોએ મારી ઉપર તેવી તરકીબો અજમાવી છે ; જેનો હું શિકાર બન્યો છું. “

આજે જે બૌદ્ધિક ખતરો આંબેડકરે બ્રાહ્મણો પ્રત્યે દર્શાવ્યો હતો તેનું સંકોચન મંથર ગતિએ થઇ રહ્યું છે પણ વિસ્તરણ વેગીલું જણાય છે. આ બૌદ્ધિક નબળાય હવે બિન-બ્રાહ્મણ જ્ઞાતિને પણ શિકાર બનાવી રહી છે. આ પ્રકિયા માટે મૂળભૂત રીતે જવાબદાર જો કોઈ હોય તો તે હિન્દૂ વર્ણ-વ્યવસ્થાની ઉત્ક્રાંતિ એવું "જાતિવાદ" જ છે.

July 28, 2017

अशोक स्तंभ को तोड़कर शिवलिंग

By Sanjay Patel Bauddha  23 July 2017 at 22:39





RSS की एक किताब "हिंदुत्व" के पेज 54 में खुद मोहन भागवत जवाब दे रहे है कि मूर्ति पूजा और मंदिर यह सब वैदिक परंपरा में नहीं था यह सब बुद्ध के बाद प्रचलित हुआ तो फिर हिन्दू धर्म के प्राचीन मंदिर कैसे हो सकते है ?
उस में मोहन जी एक और बात कहते है कि पहले शिवलिंग की पूजा की जाती थी तो मोहन जी सारे शिवलिंग भी अशोक स्तंभ को तोड़कर बनाये गए है...
मैंने श्रावस्ती के पास आए हुवे पूर्वाराम महाविहार की मुलाकात ली वहा पता चला कि ब्राह्मिन लोग अशोक स्तंभ को तोड़कर शिवलिंग बनाते थे। फ़ोटो देखिये।










राम का सेतु भी रामायण की ही तरह काल्पनिक है

By Sanjay Patel Bauddha  24 July 2017 at 23:10


'सेतु समुद्रम' योजना के तहत 2007 में केन्द्र सरकार ने सुप्रीम कोर्ट में हलफनामा प्रस्तुत करते हुए लिखा था कि राम-रावण युद्ध हुआ ही नहीं और न ही सीता का हरण ही हुआ। राम कभी लंका भी नहीं गए। इस प्रकार रामसेतु की अवधारणा को पूरी तरह बेबुनियाद बताया है।
केन्द्र का कहना है कि इस बात का कोई वैज्ञानिक सबूत नहीं है कि साढ़े छह हजार वर्ष पहले भगवान राम ने यह पुल बनवाया था। इसी प्रकार भारतीय पुरातत्व सर्वेक्षण (एएसआई) ने भी सुप्रीम कोर्ट में हलफनामा दायर कर रामायण के चरित्रों के अस्तित्व से इनकार ‍किया है। इस प्रकार इस विभाग ने राम और रामायण पर ही प्रश्नचिन्ह लगा दिया है।
अब सवाल यह है कि जब सरकार और पुरातत्व सर्वेक्षण खुद स्वीकार कर रहे है कि राम-रावण युद्ध नहीं हुआ, राम कभी लंका नहीं गए, रामायण काल्पनिक है, राम का कोई वैज्ञानिक सबूत नही है तो फिर लोग क्यों राम के नाम पे मूर्ख बन रहे है ! क्यों राम के नाम पे इंसानों के बीच लड़ाई कर रहे है ?
विज्ञान अपनाओ, देश मे एकता बढ़ाओ।
अंधश्रद्धा भगाओ, देश बचाओ ।

આજે બીજું કંઈ નહી પણ એક નાનકડી વાતાઁ..!!!!

By Jigar Shyamlan ||  27 July 2017


એકવાર હવા અને સુરજ વચ્ચે વાત વાતમાં ચચાઁ જામી કે કોણ સૌથી વધુ પ્રભાવશાળી.., બળશાળી અને મહાન...??? કોણ શ્રેષ્ઠ..????
હવા અને સુરજ બન્ને પોતપોતાની પોત પોતાની ઉપયોગીતા અને જરુરિયાત તેમજ મહત્વતાના ગાણા ગાતા રહ્યા. 
એક બાજુ હવાનું કહેવું હતુ કે મારા જેવું કોઈ નહી તો બીજી બાજુ સુયઁ પણ પોતાની મહત્વતા ગણાવી રહ્યો હતો. બન્ને પરસ્પર ચડસાચડસીમાં આવી ગયા, બેમાંથી એકેય પોતાની જાતને સહેજ પણ ઉતરતી ગણવા માંગતા ન હતા. બન્ને વચ્ચે વિવાદ વધ્યો..
આખરે ધરતી ઉપર કામળો ઓઢી જઈ રહેલા એક ગરીબ માણસને જોઈ બન્નેએ શરત લગાવી.!!
બન્નેમાંથી જે પણ પેલા ગરીબ માણસે ઓઝી રાખેલ કામળો ઉતારી નાખવા મજબુર કરી દે તે મહાન..! અને શ્રેષ્ઠ.
પહેલો વારો હવાનો હતો. હવા એ પોતાનુ બળ વાપરવાનુ શરૂ કયુઁ. હવા જોર જોરથી ફુંકાવા લાગી.. પેલા માણસનો કામળો હવામાં લહેરાવા લાગ્યો. હવા કામળાને જ નિશાન બનાવ્યુ હતુ. એ કામળાને ગરીબ માણસના શરીરથી સાવ દુર કરી દેવા માંગતી હોય તેમ જોસથી ફુંકાઈ રહી હતી.
પણ..! જેમ જેમ હવા ફુંકાઈ રહી હતી અને ઓઢી રાખેલ કામળો હવામાં લહેરાઈ રહ્યો હતો તેમ તેમ પેલા માણસની કામળા પર પક્કડ વધતી જતી હતી. એ પોતે ઓઢી રાખેલ કામળાને વારંવાર સરખો કરી રહ્યો હતો. આખરે એણે કામળાને બરાબર પકડીને અદબ વાળી પક્કડ વધારી દીધી.
હવા થાકી ગઈ હતી.. એ માણસે ઓઢી રાખેલ કામળો હટાવી શકે તેવી પરિસ્થિતી સજઁવામાં સાવ જ નિષ્ફળ રહી..
હવે સુરજનો વારો હતો, સુરજે ધીમે ધીમે પોતાનો તાપ વધારવો શરૂ કરી દીધો. જેમ જેમ તાપ વધતો ગયો એમ એમ વાતાવરણમાં ગરમી વધતી ગઈ.. અને પેલા માણસ માટે કામળો ઓઢી રાખવો અસહ્ય બનતો ગયો..આખરે એકદમ ગરમી વધી જતા પેલો ગરીબ માણસ પરસેવે રેબઝેબ થઈ ગયો. અને તરત જ એણે પોતે ઓઢી રાખેલો કામળો કાઢી નાખ્યો.
હવે આ વાતાઁના પાત્રોની સરખામણી પણ કરી લઈએ.!!
(1).અહીં પેલો કામળો ઓઢેલ માણસ એટલે શ્રધ્ધા, અંધશ્રધ્ધા, ધામિઁક માન્યતાઓ, રૂઢીઓ અને રિવાજોનું પાલન કરતો માણસ...,
(2). કામળો એટલે એટલે તેની શ્રધ્ધા, અંધશ્રધ્ધા, ધામિઁક માન્યતાઓ, રૂઢીઓ અને રિવાજો..,
(3). હવા એટલે તે શ્રધ્ધા, અંધશ્રધ્ધા, ધામિઁક માન્યતાઓ, રૂઢીઓ અને રિવાજો રૂપી કામળાને દુર કરવા મથી રહેલ માણસો..,
એક વાત સમજવા મળી કોઈ માણસને તેની શ્રધ્ધા, અંધશ્રધ્ધા, ધામિઁક માન્યતાઓ, રૂઢીઓ અને રિવાજોથી દુર કરવા માટે જેટલા આક્રમક પ્રયાસો કરવામાં આવશે એ માણસ તેટલો જ તેને વધુ જડતાથી પકડી રાખશે...
બસ એકવાર એની જાતે તાપ વધશેને ગરમી અસહ્ય બનવા લાગશે ત્યારે આ કામળો પોતાની મેળે જ છોડી દેશે.
આપણે એક વાત વ્યવસ્થિત રીતે સમજવી પડશે કે આપણે આપણો મેસેજ આપવામાં ક્યાંક કોઈ ભુલ તો નથી કરી રહ્યાને..????
- જિગર શ્યામલન

તણાવ- કારણો અને ઉપાયો

 By Dinesh Makwana  || 22 July at 8:30
 

તણાવ અને દબાણમાં ફર્ક છે. તણાવ એટલે માનસિક દબાણ. દબાણ કુત્રિમ છે તે તમને હેરાન નથી કરતું. તણાવ જેને અંગ્રેજી stress કહે છે તે કેમ આવે છે. કોઇ વ્યકિત દબાણ વિનાની હોઇ શકે. ચિંતા હોવી સ્વાભાવિક છે. ચિંતા એ જવાબદારીનો અહેસાસ છે. મારી જવાબદારી જ મને ચિંતામાં મુકે છે. પણ વધુ પડતી બિનજરૂરી ચિંતા તણાવ તરફ દોરી જાય છે. તેથી તેમાથી બહાર નીકળવું આસાન હોતું નથી. કેટલાકને  આ દબાણની ટેવ હોય છે. દબાણ એક માનસિક અવસ્થા છે તેથી પર કોઇનુ નિયંત્રણ નથી પણ યોગ્ય બાબતો ને લઇને આપણે તેને હળવું જરુર કરી શકીયે.

દબાણ મા રહેવાના કારણો.

૧. આત્મવિશ્વાસ નો અભાવ.

જ્યારે તમારી પાસે જ્ઞાન ઓછું હશે ત્યારે આત્મવિશ્વાસ નો અભાવ રહેવાનો જ. પણ આ કાયમી સ્થિતિ નથી. તેમાં તમે સમયાંતરે મહેનત કરીને જરુરી જ્ઞાન મેળવીને વિશ્વાસ પ્રાપ્ત કરી શકો છો.

૨. સમયમર્યાદા મા કામ પુરુ કરવાની ઇચ્છા કે ટેવ

સમયમર્યાદા મા કામ કરવાની ઇચ્છા હોવી તે ઘણી સારી બાબત કહેવાય. પણ જે કાર્ય લઇને બેઠા છો તે આપેલ સમયમર્યાદા મા પુરુ થઇ શકવાનુ છે કે નહી તે વિચારવું પડશે. દરેકની પોતાની ક્ષમતા હોય છે અને તે બીજાથી જુદી હોય છે. તેથી કેટલીક વાર દરેકને આપેલો ટારગેટ દરેક આપેલી સમયમર્યાદા મા પુરો નથી કરી શકતો ત્યારે દબાણ આવતુ રહે છે.

૩. બિનજરૂરી અપેક્ષા :

ખાસ કરીને વિધ્યાર્થીઓ પાસે તેમની ક્ષમતા કરતા વધુ અપેક્ષા રાખવામા આવે છે તેના કારણે પણ બાળકો સતત દબાણમાં રહેતા હોય છે. સતત સરખામણી બાળકને ટેનશનમાં મુકતુ રહે છે. બાળક પોતાની નહી પણ માબાપ ની અપેક્ષા પુરી કરવા તેની ક્ષમતાથી વધુ મહેનત કરે છે પણ પરિણામ યોગ્ય નહી મળે તેવા ડરને કારણે સતત દબાણ અનુભવે છે.

૪. કશુંક ખોટું થઇ ગયાનો અહેસાસ:

મારાથી કશુંક ખોટું થઇ જશે તો, આ ભાવના પણ તમને દબાણમાં રાખે છે. દરેક માબાપ ઇચ્છા રાખતા હોય છે તેમના સંતાનોથી કોઇ ભુલ થાય જ નહી. આ કામ મારો દીકરો કે દીકરી કરે જ નહી તે ભાવના પણ બાળકને દબાણ તરફ લઇ જાય છે. નોકરી કરતી વ્યકિતઓને પણ કેટલાક સંવેદનશીલ કામ કરવા પડતા હોય છે તેથી સતત ડરમાં રહે છે મારાથી કશુ ખોટું તો નથી થયુ ને.

૫. સામાજિક જવાબદારી:

સંતાનોની સામાજિક જવાબદારીઓ પણ તમને દબાણમાં રાખી શકે છે કારણ કે આમાં તમે કશુ કરી શકતા નથી અને પરિણામ અપેક્ષા મુજબનુ દેખાતું પણ નથી.

૬. પડી જવાનો ડર કે બીજા નંબરે આવવાનો ડર

જે લોકો આગળ ચાલતા હોય છે એટલે કે જેઓ નેતાગીરી કરતા હોય છે તેમને પાડવાનો ડર બીજી લાઇન વાળા કરતા રહે છે તેથી પડી જવાનો ડર પણ દબાણ આપી શકે છે. દરેક પરીક્ષામાં પ્રથમ નંબર લાવનાર વિધ્યાર્થી પણ દરેક પરીક્ષા સમયે દબાણ મા હોય છે, મારો નંબર બીજો તો નહી આવે ને?

ઉપાયો:

કેટલીક બાબત કે પરિસ્થિતિ તમે બદલી શકવાના નથી તેને સ્વીકારી ને ચાલો. આત્મવિશ્વાસ સખત મહેનત પછી આપમેળે આવતો હોય છે. વ્યવસ્થિત આયોજન અને સમય મર્યાદાને સાચવીને કામ કરવાથી આત્મ વિશ્વાસ કેળવી શકાય છે. હુ આ કરી શકુ છુ તે વિશ્વાસ તમને સફળતા અપાવે છે. પહેલો ચોક્કો ના વાગે ત્યાં સુધી બેટસમેન મુઝવણમાં હોય છે. પણ તે તકની રાહ જોતો રહે છે. અને તક મળતા જ ચોક્કો ફટકારી ને આત્મવિશ્વાસ મેળવે છે.

દરેક કાર્યની સમયમર્યાદા બાંધેલી છે. આ સમયમર્યાદા સામાન્ય વ્યકિતઓની ક્ષમતાના આધારે નક્કી કરેલી હોય છે. પણ  તેજ સમયમર્યાદા મા વધુ કામની અપેક્ષા ના રાખો, તમે તમારી ક્ષમતા મુજબનુ કામ કરીને છોડી દો. જવાબદારી નો અહેસાસ હોવો જોઇએ પણ આ જીવન બહુમુલ્ય છે, મારા માટે અને મારા કુટુંબ માટે તે વિચારતા રહેવું પડે છે. અમારા બોસ કહેતા જે લોકો સમય ઉપરાંત બેસે છે તેઓ પ્રસંશાને યોગ્ય નથી કારણ કે તેમણે આખો દિવસ કઇ નહી કર્યુ હોય.

માબાપોએ પોતાના દીકરાની અપેક્ષા અને તેની ક્ષમતી સમજવી પડશે. ખોટી શાખા પસંદગી પણ તેને સતત દબાણમાં રાખશે. તેની ઇચ્છાને આધીન શિક્ષણ લેવા દો અને સમયાંતરે તેની પ્રસંશા કરતા રહો. પોતાનું ઉદાહરણ ક્યારેય આપશો નહી. તમારી અને તમારા સંતાનની શિક્ષણ પધ્ધતિમા આસમાન જમીન નો તફાવત છે.

બને ત્યાં સુધી ખોટું ના કરો, બીજાને આના વિશે ખબર નહી હોય પણ તમારો આત્મા સતત ડંખને રહેશે. અને જો થઇ ગયું જ હોય તો સતત તેને યાદ કરવાની જરુર નથી. તે સમયે ચંદ્રકાંત બક્ષીની પડશે એવા દેવાશેની ફિલસુફી તમને સંતોષ આપશે.

સામાજિક જવાબદારી મા માત્ર સમય જ મહત્વનો છે. કેટલીક બાબતો આપણા હાથમાં હોતી નથી. આપણે આપણા પ્રયત્નો કરતા રહો અને યોગ્ય સમયની રાહ જુઓ. પણ રાત્રે સુતી સમયે આ જવાબદારીઓને યાદ ના કરશો નહી તો નિદ્રા જ નહી આવે.

આંખો, કાન અને નાક ખુલ્લા રાખીને ચાલશો તો પડવાનો ડર નહી લાગે. કોઇ એક પરીક્ષામાં કદાચ બીજો નંબર આવી જાય તો જિંદગી બદલાઇ જવાની નથી. તમે તમારી અપેક્ષા મુજબનુ પરિણામ મેળવો કે મેળવી શકો તે સૌથી મોટો માનસિક સંતોષ  છે.

સૌથી મોટું અને અગત્ય નું કારણ નકારાત્મકતા છે

આ નકારાત્મકતાને જો તમારા જીવનમાં પ્રવેશના નહી દો તો તમારું કામ આસાન થઇ જશે.

દિનેશ મકવાણા
તારીખ ૨૨/૭/૨૦૧૭ સવારે ૮.૩૦
વડોદરા

ભાષા - સુંદરતા અને કુરુપતા

By Dinesh Makwana  || 23 July at 22:15



તમારી ભાષા તમારી ઓળખાણ છે. વોટ્સ અપ પર જ્યારે તમને કોઇ જોઇ શકતું નથી ત્યારે તમે તમારો પરિચય તમારા શબ્દો વડે આપતા રહો છો. હેતુ સારો હોય પણ ભાષા ખરાબ હશે તો તે હેતુ તમે સિધ્ધ નહી કરી શકો, કારણ કે વોટ્સ અપ પર ખાસ નજીકના બે ચાર મિત્રોને બાદ કરતા તમને ઓળખતું જ નથી.

નવી પેઢી બહુજ ઝડપથી આગળ વધી રહી છે અને તેમની પાસે સમય ઘણો ઓછો હોવાથી શબ્દો બહુ જ ટુકા લખે છે
That ના બદલે dat, Hmm, Lol જેવા ટુંકાક્ષરી શબ્દોનો ઉપયોગ બોલવામાં અને લખવામાં કરતા રહે છે. SMS પર શબ્દોની કદાચ મર્યાદા આપવામાં આવી છે પણ વોટ્સ પર આવી કોઇ મર્યાદા આપવામાં આવી નથી. તો પછી આવી ભાષા લખવાનું શુ કારણ.

આપણે ભાષા ભુલી રહ્યા છે. ધોરણ ૧૧ મા ફાધર વાલેસનો એક પાઠ ભણ્યા હતા. ભાષા જાય તો સંસ્કૃતી જાય. અને મને લાગે છે તે તરફ આપણે આગળ વધી રહ્યા છે. આજેય કેટલાય ને અલ્પ વિરામ, પુર્ણ વિરામ, આશ્ચર્ય ચિન્હ કયા મૂકવું તેની ખબર જ નથી અને તે રીતે આપણે ભાષાને કુરુપ બનાવતા રહીયે છે.

ફાધર વાલેસ અમેરિકા મા એક ગુજરાતી ફેમિલીમા ગયા ત્યારે સંતાનો તેમની સાથે અંગ્રેજીમા વાત કરતા જોઇને પિતાએ કહ્યુ ફાધર બહુ સરસ ગુજરાતી બોલી શકે છે. તેમની સાથે ગુજરાતીમાં જ વાત કરો.

આ વાત એટલા માટે યાદ આવી કે કેટલાય મિત્રો અંગ્રેજી મા મેસેજ કરતા રહે છે. અને અંગ્રેજી નું ખુન કરતા રહે છે. ગુજરાતી માતૃભાષા છે જ્યારે અંગ્રેજી માસી છે. મા ની સાથે માસીને પણ માર પડે  છે ત્યારે બહુ દુખ થાય છે. આપણે આપણી વચ્ચે વાત કરીયે છીએ અને તેથી એકબીજાને પ્રભાવિત કરવાને બદલે એકબીજાનો સંદેશ પહોંચાડવાનો હેતુ વધુ હોય છે ત્યારે આપણે આપણી ભાષામાં આપણી વાતને લખીયે.

તમારું અંગ્રેજી સારુ હોય અને તમે તે ભાષામાં લખશો તો ખરેખર આનંદ થશે પણ કેટલાય મેસેજ વાંચું છુ ત્યારે અંગ્રેજી સાહિત્યના વિદ્યાર્થી તરીકે મને દુખ અને આઘાત લાગે છે.

આપણા મેસેજ કોઇ વાંચે અને આપણો હેતુ સમજે તે માટે હોય છે તેથી તેમાં ટૂંકાક્ષરી શબ્દો ના લખતા પુરેપુરા શબ્દો લખો. વાચનાર કોઇ તંત્રી નથી કે પ્રુફરીડર નથી. બીજું જે લખવાની ટેવ પડશે તે દરેક જગ્યાએ રહેશે. જે નવયુવાનો છે તેમણે આ ખાસ શીખવાની જરુર છે.કારણ કે આ અભિગમ પાછળથી બદલી શકાશે નહી. એવું ના માનતા વોટ્સ અપ ગમે તેમ લખીશું અને બીજે સારી ભાષામાં લખીશું કારણ કે તે બદલી નહી શકાય.

કપિલદેવ અને ઇમરાન ખાન બંનેએ જેટલું ક્રિકેટ રમ્યા તેમાં સૌથી ઓછા નો બોલ નાખવાનો રેકોર્ડ છે. કપિલદેવે તેની ૧૩૬ ટેસ્ટની કારકિર્દી મા ૧૩૬ પણ નો બોલ નાંખ્યા નથી. એક ઇન્ટરવ્યુ મા કહે છે જ્યારે પ્રેકટિસ કરતા ત્યારે પણ નોબોલ બાબતે અમે ગંભીર રહેતા. તેને કારણે આ આદત રહી જે તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી મા કામ આવી.

ભાષા મહત્વની છે પણ તમે જે કહેવા માંગો છે તે વધારે મહત્વનું છે. ભાષા સુંદર હશે અને તમારી વાત પણ સરસ હશે તો બીજા મિત્રો જલદીથી તમારી વાતને સ્વીકારશે.

ટુંકમા મેસેજ સારી ભાષા અને સારા શબ્દોમાં લખો.

દિનેશ મકવાણા
વડોદરા રેલવે સ્ટેશન
તા ૨૩/૭/૨૦૧૭ રાત્રે ૧૦.૧૫

July 26, 2017

સામાન્ય માણસ હિન્દુ મુસલમાન નથી હોતો

By Kirit Parmar  || 22 July 2017 at 15:59 


ગઈકાલે સાંજે ઓફિસ થી આવતો હતો
વરસાદી વાતાવરણ ને લીધે બસ માં જવાના બદલે રીક્ષા માં જવાનું નક્કી કર્યુઁ
લાલ દરવાજાએ થી એક રીક્ષા માં બેઠો .કાકા ની રીક્ષા જોઈ બહુ ગમ્મત સૂઝિ મને
એમ થયુ કે કોઈ ભક્ત કે ભુવાની રીક્ષામાં બેસી ગયો છુ
અંદર ની બન્ને સાઇડ ભગવાન માતાજી ના ફોટા હતાં
પાછળ જય શ્રી રામ લખેલ હતું
કાકાએ તિલક તથા હાથ માં માલા પહેરી હતી
મને એમ કે તેઓ ચુસ્ત હિન્દુ જ હશે .

રીક્ષા થોડી આગળ ગઇ
ગાયકવાડ હવેલી આવી ત્યા એમને અચાનક રીક્ષા રોકી
મને થયુ કે રીક્ષા બગડી
પણ જ્યા રીક્ષા ઊભી રાખી ત્યા જ એક બીજી રીક્ષા ઊભી હતી
જે બંધ પડી હતી

એ રીક્ષા ચાલક જુવાન છોકરો હતો 30-35 વર્ષ હશે કદાચ

એ રીક્ષા માં બીજા
એક મુસ્લિમ વ્રુદ્ધ કપલ્ હતું

મારી રીક્ષાવાલા કાકાએ પેલા યુવાનને કહ્યું #તુમ_બેઠ_જાઓ_મે_પિછે_સે_ધક્કા_દેતાં_હુ

અને રિક્ષા ચાલુ કરી ને એ જુવાનની રીક્ષા ને જમાલપુર દરવાજા સુધી લઈ ગયા !

પછી પેલા યુવાને #થેઁક્સ_ચાચા કહ્યું ને બદલામાં આ કાકાએ ખાલી સ્માઇલ જ આપી !

પછી આગળ જતાં મે પુછ્યુ

#કાકા તમારા મિત્ર હતા એ ભાઇ !

#ના :એમને કહ્યું

તો પણ તમે ઓટો ઊભી રાખી ને મદદ કરી ખૂબ સરસ કહેવાય

#હા કરવી જ પડે ને ! એક તો ધંધા ની રીતે જોવા જઇએ તો અમારી બીરાદરી નો થાય !ભાઇ થાય !

બીજું આ ચોમાસા ના વાતાવરણમાં કોઈ ની પણ ઓટો બગડે તો અમે ઓટો વાલા એક બીજાને મદદ કરીએ જ .અમારી એક જ પહેચાન ઓટોવાલા

અને ત્રીજુ એ ઓટો માં બે ઉંમરલાયક માણસ હતાં .એની ઓટો બગડી છતા એ બંને ને ઊતરી બીજી રીક્ષા લઈ લેવાનું ન કહ્યું ને વરસાદ માં એમને અંદર જ બેસાડી રાખ્યા .એટલે મને સમજાઇ ગયું કે એ છોકરો દયાભાવ ધરાવે છે .તો મારે પણ થોડી માનવતા બતાવવી પડે કે નહી? એમાં ધર્મ જાતિ એવું વધુ ન જોવાય .બધાય સરખા જ છે !

#બધાય સરખા જ છે એ વાત હ્રદય ને સ્પર્શી ગઇ

આટલી સરળ વાત સમજવામાં મોટા મોટાં ગ્રંથો ના જાનકારો,કોલેજો કરેલ ,phd કરેલ ,લોકો  નિષ્ફળ  નિવડ્યા છે !

મારો વિસ્તાર આવતાં હુ ઊતરી ગયો

મે ભાડું આપીને થેઁક યુ કહ્યું

જવાબ માં એમણે #જય_શ્રી_રામ કહ્યુ
મે પણ હસીને જય શ્રી રામ કહ્યું !
- Kiritkumar Manjulaben Vitthalbhai









ભારતીય સંવિધાન અને મહિલાઓ

By Kirit Parmar  || 25 July 2017 at 21:00


અમે અમસ્તા  જ સંવિધાન ના ગુણગાન નથી ગાતા
જાતિવાદ
મનુવાદ
અને લિંગભેદ થી ગ્રસિત આ દેશ માં મહિલાઓ ની પરિસ્થિત કયારેય સારી ન હતી
આઝાદી પછી પણ સારી ન જ હોત જો આંબેડકર નૂ બંધારણ અસ્તિત્વ માં ન હોત .
અહીં મર્દ હોવાનો ખોટો ગર્વ લેવામાં આવી રહ્યો છે.

મહિલાઓ છોકરા પેદા કરવાં ,ચૂલો કરવો ,કુટુંબ ને સાચવવુ જેવાં અનેક કામો ના હાસિયા માથી બહાર નીકળી ને વિવધ ક્ષેત્રો માં  સફળતા શિખરો સર કરી રહી છે તે પણ ઘણા પુરુષવાદી દંભી માનસિકતા ધરાવતાં લોકો જોઈ શકતા નહી હોય .

આવાં નર્યા ભેદભાવ વખતે ભારતનું સંવિધાન જ એમનાં માનવીય હકો નૂ રક્ષણ કરી રહ્યું છે .માનવ હોવાનું ગર્વ અપાવી રહ્યું છે .પુરુષ સમોવડિ થવાની તક આપી રહ્યું છે .લિંગ ના ભેદ ને કારણે એમની સાથે કોઈ ભેદભાવ નહી થાય એની ખાતરી આપી રહ્યું છે .ફક્ત જરૂર છે પોતાના એ હકો ને જાણવાની અને એનાં માટે લડવાનિ.

એક પુરુષ કોઈ ક્ષેત્રમાં સફળ થાય તો એનાં માટે બધી શક્યતાઓ ના દરવાજા ખુલી જાય છે અને મહિલાઓ માટે આવી કોઈ યોજના નથી એવું માત્ર આપણા આ મહાન દેશમાં જ થઈ શકે !

મહિલાઓ ના વિકાસમાં સંવિધાન જેટલો મહત્વનો ભાગ કોઈ ભજવી શકે એમ નથી .પણ આ મહિલાઓ ના સંઘર્ષ માં મદદ કરનાર માતા પિતા ભાઇ બહેન કે પતિ કે કોઈ પણ જે સમાજ ની રૂઢિ ની અવગણના કર્યા વિના stand by રહેનારા દરેક જણ અભિનંદન ને પાત્ર છે .
બસ મહિલાઓ ભારતીય બંધારણે આપેલ હકો નૂ મહત્વ સમજી બંધારણને બિરદાવવૂ રહ્યું .જ્યા સુધી આંબેડકર નૂ સંવિધાન અસ્તિત્વમાં છે ત્યાં સુધી મહિલાઓ ,શોષિતો ,પીડિતો ના હકો પર કોઈ તરાપ નહી મારી શકે એની મને ખાતરી છે

જય ભીમ

જય સંવિધાન

કિરીટ પરમાર







July 25, 2017

मार्क्सवादियों को भारत में मार्क्सवाद मजबूत बनाने के लीये पहले जाति की झंझीरो को तोडना होगा

By Vishal Sonara || 25 July 2017 at 22:48

डो आंबेडकर ने अपने जीवन मे अनगिनत पुस्तकों का अध्ययन कीया था और अनगिनत पुस्तकें लीखी भी हैं.  उन्होने सामाजिक बदलाव से जुड़े हर एक सिद्धांत को समजा और जाना था. उन की ईस पढाई और रिसर्च का निचोड हमारा संविधान दे ही रहा है. डो. आंबेडकर ने अपनी किताब "बुद्धा और कार्ल मार्क्स" मे मार्क्सवाद के बारे मे भी लीखा है  जो कि हम सभी ने पढी है और अगर आप ने ना पढी हो तो आपको जल्द ही पढ लेनी चाहीये. क्योंकि मार्क्स वाद को बारीकी से जानने के लीये वह कीताब बहोत महत्व रखती है.


कार्ल मार्कस के सिद्धांतों के बारे मे उन्होने "एनहीलेशन ओफ कास्ट" मे ये बाते लीखी है.
(ओरीजनली उन्होंने ये भाषण जात पात तोडक मंडल की सभा मे देने के लिये लिखा था पर बाद मे वह वहां पर दे नही सके थे तो उस को किताब के स्वरुप में हमारे सामने रखा है.)
सर्वहारा वर्ग को जागृत करने के लिये और आर्थिक क्रांति लाने के लिए कार्ल मार्क्स ने कहा, "आप के पास गुलामी की झंझीरो के अलावा खोने के लीये कुछ नही है."
लेकिन जिस धुर्त तरीके से विभिन्न जातियों में सामाजिक और धार्मिक अधिकार वितरित किए जाते हैं, जिनमें से कुछेक जातियों को अधिक और कुछ को कम अधिकार होते हैं, ये हालात कार्ल मार्क्स की उपरोक्त बात को को जाति व्यवस्था के खिलाफ हिंदुओं को जाग्रुत करने के लिए काफी बेकार बना देती है।

डो. भीमराव आंबेडकर ने कार्ल मार्क्स की थ्योरी का बहोत बारीकी से अध्ययन करने के बाद ये बात कही थी. मार्क्स के सिद्धांत सिर्फ दो वर्गो के ईर्द गीर्द हि धुमते दीख रहे है. मार्क्स के अनुसार समाज के शोषक ओर शोषित - ये दो वर्ग सदा ही आपस मे संघर्षरत रहे हैं और इनमें समझोता कभी संभव नहीं है. उन को भारत मे प्रवर्तमान जाती प्रथा का कोइ संग्यान ही नही था. भारत मे हजारों जातियां हैं हर एक उंची जाती अपने से नीची हर जाति का शोषण करता है. जैसे जैसे ये नीचे की तरफ जाता है शोषण काफी बढता रहता है. मार्क्स अपने हिसाब से बिल्कुल सही थे पर हिंदू धर्म की बहुखंडीय शोषित व्यवस्था में उन के सिद्धांतों को फिट बैठाना सिद्धांतों से बेइमानी हैं. क्योंकि मार्क्स ने अपने भौगोलीक और राजनैतीक संदर्भ मे ये सारे सिद्धांतों को गढा लीखा था इस लीये मार्क्स के लीये वहा पर स्थापीत दो वर्गो की बात महत्वपुर्ण थी. वे सदैव ही पुंजीवाद के विरोध मे थे पर भारत में पुंजीवाद और जातिवाद दोनो अलग बात है. जातिवाद के जरीये पुंजीपती बने बैठे लोगो को समजना कार्ल मार्क्स के सिध्धांतो से कभी संभव नही है ये बात बाबा साहब ने बार बार कही है. हा अगर जातिवाद खत्म हो जाता है तब ये बात फिट जरुर बैठती है. मार्क्सवादियों को भारत में मार्क्सवाद को मजबूत बनाना है तो पहले जीतोड मेहनत करके देश से जातिवाद को मिटाना होगा. तभी कोई बात बन सकती है.  ये करने से जातिवाद से ग्रसित 85% से भी ज्यादा हिन्दूओं का साथ निसंदेह ही पहले हांसिल कर लेंगे. 

कार्ल मार्क्स की थीयरी को भारत के संदर्भ मे समजना मतलब की आसाम के चाय के बागानों की खेती पध्धती को कच्छ के सफैद रण मे नमक के उत्पादन के लीये इस्तेमाल करना.  



फूलन देवी के बलीदान दिवस पर कवितायें

By Veeru Ji  ||  25 July 2017 at 15:00


फूलन देवी को समर्पित प्रथम कविता
लुट रही थी लाज कंही फूलन की खेत में।
तडप-तडप ऐडियां भी गड गईं थी रेत में।
चीखती थी जौर से और गिरती थी खेत में।
भूखी ही तडप रही दाना न पेट में
भूखे दरिंदों ने ले लिया चपेट में ।
जौरों से चीख रही चोट लगे पेट में
छीन लिये कपडे और घुमा दिया गांव में।
शर्म बाली बेडियां भी टूट गई पांव में।
भर रहै थे सब दरिंदे बारी बारी वांह में।
ढूब रही थी फूलन जैसे छेद नाव में
टूट गई फूलन जो खिल रही थी बाग में
सूख गये आंसू भी बदले की आग में
लेकर बंदूक वो भी निकल पडी गांव में।
कर कर के नंगे फिर मारती थी गांव में...



फूलन देवी पर दूसरी कविता
लूटकर लाज जब उसे नंगा घुमाया था।
उस बक्त उसे बचाने कोई कृष्ण नहीं आया था
तप रही थी धूप न ही बादलों का साया था
बैहसी दरिंदों ने नंगा घुमाया था।
देख रहै लोग मगर कोई नही आया था
किस से उम्मीद करे,कोई नही साया था
मर गई शरम वंही ऐक कसम खाया था
बदले की भावना से खून ऊतर आया था
उस दिन से फूलन में तेज नया आया था
लेने को बदला हत्यार फिर उठाया था
मार के दरिंदों को बदला चुकाया था।
नारी शक्ती को सच कर दिखाया था
उस दिन से फूलन का परचम लहराया था
ईज्जत से जीने का दौर नया आया था...

"નમો બુધ્ધાયને " બદલે "પઢો બુધ્ધાય" કારણ કે એ જ બુધ્ધને ઓળખવાનો સાચો રસ્તો છે

By Jigar Shyamlan ||  22 July 2017 at 10:12



મને બુધ્ધના વિચાર ગમે છે, એકદમ સત્ય, નિખાલસ અને નેચરલ. બુધ્ધ સાફ સાફ વાતો કરે છે.
ઈશ્વર કે ભગવાન...., આત્મા-પરમાત્મા....., પુજા પાઠ...., શાસ્ત્રોના વિધીવિધાન પર પ્રશ્નો ઉભા કરે છે.
બુધ્ધ પોતે કોઈ ચમત્કારમાં માનતા નથી, સમઁથન આપતા નથી. બુધ્ધે પણ કોઈ ચમત્કાર કયાઁ નથી.
બુધ્ધે કોઈને પરચા આપ્યા નથી. મહત્વની વાત બુધ્ધે કદી એવું નથી કહ્યુ કે " હું કહું એટલે જ તમારે માની લેવાનું..!!!"
બુધ્ધ તો એક જ વાત કહે છે.. સંસારમાં દુ:ખ શાશ્વત, સત્ય અને કાયમી છે. દુ:ખને ચપટી વગાડતા દુર કરી દેવાય કે કોઈ જદુઈ લાકડી ઘુમાવીને ગુમ કરી દેવા શક્ય નથી, કોઈના પણ અભયમુદ્રામાં હાથ રાખીને તથાસ્તુ કહેવાથી દુ:ખ દુર થવાના નથી.
દુ:ખ દુર થઈ શકે..!! માત્ર એક જ રીતે દુ:ખનું સાચુ કારણ ક્યું..??? એ જાણીને.
એક વખત દુ:ખનું કારણ શોધી લઈએ અને તેનો સ્વિકાર કરી લઈએ તો દુ:ખ પીડા નહી આપે. 
જો હું બુધ્ધની પ્રતિમા આગળ નમો બુધ્ધાય... નમો બુધ્ધાય કરતા ધુપ સળગાવી બે હાથ જોડી બેસી રહ્યો હોત તો આ બધી ખબર મને કદીય ન પડી હોત.
માટે હું એક નારામાં બદલાવ કરવા માંગું છું હવે હું "નમો બુધ્ધાયને " બદલે "પઢો બુધ્ધાય" જ કહીશ કારણ એ જ સાચો રસ્તો છે.. બુધ્ધને ઓળખવાનો.
કારણ પઢેગા તભી તો આગે બઢેગા..
- જિગર શ્યામલન

જે સમજે તેના માટે... બાકીનાઓને તેમની દશા સમજાવશે.

By Jigar Shyamlan ||  25 July 2017 at 10:59



છેલ્લા બે દિવસથી બજારમાં રૂપિયા પયાસથી માંડીને પાંચ હજાર સુધીની દશામાતાની મુતિઁઓ વેચાતી હતી. 
વરસાદની સિઝન છે, વરસાદ પણ ચાલી રહ્યો છે. વેપારીઓ પોતાની દશામાતાને વરસાદથી બચાવવા ઉપર તાડપત્રીઓ નાંખીને બેઠા હતા. અને બહેનો હોંશે હોંશે દશામાતાની મુતિઁઓ ખરીદી રહી હતી. મોં માંગ્યા દામ આપીને.
પણ કોઈ બહેનને મગજમાં એવો સવાલ પેદા ન થયો કે હું જે દશા માતાને ખરીદી, તેનું વ્રત કરી પોતાની દશા સુધારવા જઈ રહી છું.. તે માતા ખુદ વરસતા વરસાદમાં પોતાની દશા સુધારી શકતી નથી. એને વરસાદથી બચાવવા તાડપત્રીઓ ઢાંકવી પડે છે.
કોઈને પણ આવા સવાલો મગજમાં પેદા ન થયા કારણ કે સદીઓથી મનુવાદી વિચારસરણીનો એવો હેવી ડોઝ પીવડાવવામાં આવ્યો છે કે હજીય એના ઘેનનાં નશામાંથી બહાર આવી શક્યા નથી. આ મનુવાદી વિચારધારાએ પછાતોના દિલ અને દિમાગ પર એવો જબરજસ્ત કબજો જમાવી દીધો છે. આ ઘેનનો નશો કેવો હોય એના તાજા અને જીવંત દાખલાઓ આપણે આપણાં જ સમાજ.., શહેરની સોસાયટીઓ., ગામનાં મહોલ્લાઓ, ફળીયાઓમાં દશામાતાના વ્રત તરીકે જોઈ શકીએ છીએ.
પછાત સમાજની બિચારી બહેનો પોતાની દશા બદલાય એ માટે દશાને માતા બનાવી રંગેચંગે પોતાના ઘરમાં લાવીને સ્થાપી ચુકી છે.
હવે આ બહેનો દસ દિવસ વ્રત કરશે, ઉપવાસ કરશે અને સવાર સાંજ વ્રતની વાતાઁ સાંભળીને પોતાની દશા બદલવા મુતિઁની સામે કાલાવાલા કરશે..
એક માણસના હાથે બનાવેલી પ્લાસ્ટર ઓફ પેરીસની કે માટીની મુતિઁ કોઈ માણસની દશાને શું બદલી શકવાની..??
પણ આવા તકઁ પર વિચાર કરવાને બદલે આપણે તેવા વિચારોને શ્રધ્ધા પર આક્રમણ કે ટીકા ગણાવીએ છીએ.
યાદ રાખો.., કોઈ પણ જાતના વ્રત, પુજા કયાઁ વગર પણ દશા બદલી શકાય છે. 
યોગ્ય શિક્ષણ..., ભરપુર મહેનતથી જ આપણી દશા બદલી શકાશે... કોઈ દશામાતાની મુતિઁઓની પુજા વ્રત કરીને નહી.
એવો એક દાખલો બતાવજો જેની દશા આ દશામાતાના વ્રત કરીને સુધરી હોય..
આ બધા વ્રત, પુજા મફતમાં તો ઉજવાતા નથી. પ્રત્યેક તહેવાર પછાતોની આવકનો સારો એવો હિસ્સો ઓહિયા કરી જાય છે.
વ્રત.., પુજાપાઠ.., ધામિઁક વિધીઓ.., ઉજવણીઓ આ બધુજ સદીઓથી કરતા રહ્યા... તો પણ શું મળ્યું.....?????? 
આ બધાયથી દુર રહીને આવકનો એ હિસ્સો બચાવવામાં આવે તો કેટલાયની દશાઓ એમ જ બદલાઈ જાય, કેટલાય અધુરા કામ પુરા થઈ જાય..
પણ.. અહીં સમજાવવું કોને..???????
જે સમજે તેના માટે... બાકીનાઓને તેમની દશા સમજાવશે.
- જિગર શ્યામલન