Showing posts with label Una kand. Show all posts
Showing posts with label Una kand. Show all posts

June 29, 2018

‘ઉના-દમન પીડિતોનુ બૌદ્ધ ધર્મપરિવર્તન’

By Raju Solanki  || 29 April 2018



બુદ્ધમ શરણમ ગચ્છામિ
આજે ઇટીવી પર ‘ઉના-દમન પીડિતોના બૌદ્ધ ધર્મપરિવર્તન’ પર લાઇવ ડીબેટમાં મેં ભાગ લીધો. સમયની મર્યાદા હતી એટલે ઝાઝુ કહી શક્યો નહીં, પરંતુ ધર્મ પરિવર્તન અંગે ગાંધીજીના આઘાતજનક, શરમજનક વિચારોમાંથી એક કણિકા ડીબેટમાં રજુ કરી.

બાબાસાહેબે ‘અસ્પૃશ્યતા અને અશ્પૃશ્યો પર નિબંધો: ધાર્મિક’ ગ્રંથના ચોથા પ્રકરણ ‘વટલાયેલાની પરિસ્થિતિ’ (Condition of the convert)માં ગાંધીજીના આ વિચારો નોંધ્યા છે. ગાંધીજી કહે છે, “તેઓ (હરીજનો) એક ગાય જેટલી પણ ગુણદોષની પરખ ધરાવતા નથી. હરીજનોને દિમાગ નથી, બુદ્ધિ નથી, ઇશ્વર અને અનિશ્વર વચ્ચેનો ભેદ પારખવાની સમજ નથી.”

કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો ધર્મ પરિવર્તનની વિરુદ્ધમાં છે અને તેઓ ગાંધીજીની વિચારધારાને અનુસરે છે. બાબાસાહેબે પાંચ લાખ અનુયાયીઓ સાથે 1956માં બૌદ્ધ ધર્મ પરિવર્તન કરીને ગાંધીજીના આ વિચારોનું ઐતિહાસિક ખંડન કર્યું હતું. બાબાસાહેબના પગલે પગલે ચાલી નીકળેલા ઉનાના બાલુભાઈ સરવૈયા, તેમના પરિવારજનો અને અન્ય દલિત બાંધવોને ખુબ ખુબ અભિનંદન. તમે પાડેલી કેડી પર દેશના તમામ પીડિતો આજે નહીં તો કાલે નીકળી પડશે એમાં લગીરે શંકા નથી.

May 07, 2018

What is the difference between ‘victim’ and ‘agitationist’?

By Raju Solanki  || 07 May 2018 at 8:16am


What is the difference between ‘victim’ and ‘agitationist’?

When you evaluate religious conversion of Dalit victims of Una, remember following points:

The perspectives of ‘victim’ and ‘agitationist’ are different.
‘Victim’ wants the permanent solution of his problems.
‘Agitationist’ has come out to make his political career by exploiting the pain of ‘victim’.

‘Victim’ converts to Buddhism because he does not want to remain Hindu.
For ‘agitationist’ conversion is a ‘personal problem’, hence problem of ‘victim’. It is not ‘agitationist’ problem.

‘Victim’ opposes both Congress and BJP because he knows that system never changes whoever rules.
If ‘agitationist’ opposes both Congress and BJP, he can't make his political career, so he opposes only one party and goes on flirting with his so-called agitations.


In Gujarati :-

પીડિત અને આંદોલનકારી વચ્ચેનો ફરક સમજો

ઉનામાં ગૌરક્ષકોના દમનનો ભોગ બનેલા દલિતોના બૌદ્ધ ધર્મ પરિવર્તનનું મૂલ્યાંકન કરતી વખતે આપણે આટલી બાબતો ધ્યાનમાં રાખીએ,

પીડિત અને આંદોલનકારીના દ્રષ્ટિકોણો અલગ અલગ છે.
પીડિત સમસ્યાઓનું કાયમી નિરાકરણ ઇચ્છે છે.
આંદોલનકારી પીડિતની પીડા વટાવીને પોતાની રાજકીય કારકીર્દિ બનાવવા નીકળ્યો છે.

પીડિત બૌદ્ધ ધર્મ પરિવર્તન કરે છે, કેમ કે તે ‘હિન્દુ’ રહેવા માંગતો નથી.
આંદોલનકારી માટે ધર્મ પરિવર્તન ‘વ્યક્તિગત સમસ્યા’ છે, એટલે કે પીડિતની સમસ્યા છે, આંદોનકારીની સમસ્યા નથી.

પીડિત કોંગ્રેસ અને ભાજપ બંનેનો વિરોધી છે, કેમ કે તેને ખબર છે કે કોઈપણ પક્ષનું શાસન હોય, વ્યવસ્થા બદલાતી નથી.
આંદોલનકારી કોંગ્રેસ અને ભાજપ બંનેનો એકસાથે વિરોધ કરવા જાય તો તેની રાજકીય કારકીર્દિ બનતી નથી, એટલે તે કોઈ એકનો વિરોધ કરે છે અને કહેવાતા આંદોલનો કર્યા કરે છે. આંદોલનકારીને વ્યવસ્થા બદલવામાં લગીરે રસ નથી.

March 03, 2018

ક્યા સુધી છેતરાશો?

By Raju Solanki  || 21 February 2018 at 15:21 


જ્યારે જ્યારે સત્તા પરીવર્તન થાય છે ત્યારે ત્યારે રણમેદાનમાં દલિતો મોખરે હોય છે. પેશવાઓ સામેના જંગમાં હજારો મહારોએ કુરબાની આપી હતી. સત્તા પર આવ્યા પછી અંગ્રેજો મહારોની દિલેરી ભૂલી ગયા હતા.

અંગ્રેજો સામે આઝાદીનો જંગ છેડાયો, ત્યારે ચૌરીચૌરામાં સિત્તેર જાટવો ફાંસીના માંચડે લટકી ગયા. ઇતિહાસમાં એમની જાનફેસાનીની નોંધ સુદ્ધા ના લેવાઈ.ગાંધીએ દાંડીકૂચ કાઢી એમાં પણ દલિતો પણ જોડાયા. આજે એમને કોઈ યાદ કરતું નથી.

1947માં સત્તા પરીવર્તન થયું અને કોગ્રેસ સત્તા પર આવી. કોંગ્રેસે અંગ્રેજોથીય બદતર વહેવાર કર્યો દલિતો સાથે. થોડાગણા (0.001 ટકા) દલિતો સૂખી થયા અનામતના લાભો લઇને, પરંતુ બહુમત દલિતો કંગાળ જ રહ્યા.

ગુજરાતમાં ભાજપ પણ સત્તા પર આવી એમાંય બલિદાનની વેદી પર તો દલિતો જ ચડ્યા. ગોધરા કાંડમાં હજારો દલિતો જેલમાં ગયા, કોમવાદીનું લેબલ દલિતો પર મીડીયા અને સેક્યુલર બૌદ્ધિકોએ લગાવ્યું, બદનામ દલિતો થયા અને માલ મલીદા સવર્ણોએ ચાટ્યાં.

આમ, ઇતિહાસમાં વારંવાર દલિતો પરીવર્તનની રણભેરી ફૂંકે છે, મરે છે, શહીદ થાય છે, આત્મવિલોપનો કરે છે. અને જ્યારે સત્તા મળે છે ત્યારે દલિતો ફરી પાછા હાંસિયા પર ધકેલાય છે. વારંવાર દલિતો છેતરાય છે, તોય એમની આંખો ઉઘડતી નથી.

આજે સમગ્ર દેશમાં મોદી અને ભાજપ સામે અસંતોષ વધી રહ્યો છે. દલિતો બલિદાનો આપી રહ્યા છે. સવર્ણ સમાજ માલ્યા, નીરવ મોદી, કોઠારી જેવા લૂંટારાઓને પેદા કરી રહ્યો છે અને દલિતો રોહિત વેમુલા, ભાનુભાઈ વણકર જેવા શહીદોને સર્જી રહ્યો છે. કાલે મોદી સત્તા પરથી ઉતરી જશે અને ભાજપ ઘરે જશે ત્યારે શું દલિતોને સત્તામાં એમનો ન્યાયોચિત હિસ્સો મળશે? શું કોંગ્રેસ ફરી સત્તા પર આવશે તો અસમાનતામૂલક, અન્યાયી સમાજવ્યવસ્થા બદલાશે? તમારી જાતને આ સવાલ પૂછો.

August 28, 2017

ઉના પ્રતિરોધના મહાનાયક હિરાભાઈ ચાવડાની મુલાકાત

By Raju Solanki  || 27 Aug 2017


જેમના જીવન સંઘર્ષ આગળ ધીરુભાઈ અંબાણીનો સંઘર્ષ તો પિકનિક જેવો છે

ઉના-દમન પછી સુરેન્દ્રનગરમાં મરેલા ઢોર કલેક્ટર કચેરી આગળ ઠાલવીને સમગ્ર દેશના દલિત આંદોલનમાં અભૂતપૂર્વ, ઐતિહાસિક અને નિર્ણાયક ક્રાન્તિની શરૂઆત કરનારા હિરાભાઈ ચાવડાને આજે મળવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. તેમની જીવન કથની સાંભળીને મને લાગ્યું કે તેમની આગળ ધીરૂભાઈ અંબાણી જેવા ઉદ્યોગ સાહસિકોના કહેવાતા જીવન સંઘર્ષો તો રીવરફ્રન્ટની પાળે બેસીને માણેલી પિકનિકો જેવા છે.

”હિરાભાઈ કેટલું ભણ્યા?”, તો કહે છે, ”સરકારી નિશાળમાં ગયો, પણ એકેય આંકડો ના આવડ્યો. દસ વર્ષની ઉંમરથી માંડ માંડ સાયકલ ચલાવતો, વારંવાર પડી જતો, તોય ચામડાની ફેરી કરતો, જે સમયે હાડકાના મણે (20 કિલોના) રૂપિયા પાંચ મળતા હતા જેના હવે 300 રૂપિયા થયા. ચામડાનો ભાવ સાઇઠ ગણો થયો, પરંતુ નફાનું માર્જીન ઘટી ગયું.”

“આજે હાડકામાંથી બૉન એશ બને, જે સીરામિક ઉદ્યોગમાં વપરાય. સરકાર સીરામિક ઉદ્યોગમાં પટેલોને કરોડોની લોનો આપે છે, પરંતુ ચમારને પાંચીયોય આપતી નથી. મારું વરસનું ટર્ન ઓવર લાખો રૂપિયાનું છે, તોય બેન્ક મને કરન્ટ ક્રેટિડ ફેસિલિટી આપતી નથી.”

મોદીની વાત નીકળી તો હિરાભાઈએ કહ્યું કે, “મોદી દુનિયાભરમાં ફરીને કહે છે કે ભારતે સ્લોટર હાઉસ બંધ કર્યા છે. અમારા ચામડાના વેપારીઓ કહે છે કે દુનિયાના બજારોમાં હવે ભારતના ચામડાના સોદા હવે થતા જ નથી. આમાં સૌથી મોટું નુકસાન દલિતોને થયું છે.” મોદી સરકાર દલિતોની કમર ભાંગી રહી છે, પરંતુ દેશના મોટા સ્લોટર હાઉસના માલિકો બ્રાહ્મણો છે અને ચામડાના અગ્રણી નિકાસકારો પણ બ્રાહ્મણો છે. બોલો હવે બ્રાહ્મણવાદ સે આઝાદી.

“આપણી સૌથી મોટી સમસ્યા શું છે?,” તો હિરાભાઈએ કહ્યું કે આપણા વિસ્તારોમાં સરકારે અને પોલિસે દારૂના અડ્ડાની બેફામ છૂટ આપી છે. તેઓ દલિતોને દારૂ પીવડાવીને ખતમ કરી રહ્યા છે. યુવાનોએ દારૂ છોડવો જોઇએ, નહીંતર આપણે બરબાદ થઈ જઈશું.

(દલિત એજન્ડા સમિતિના સભ્યો વિજય જાદવ, વિશાલ સોનારા તથા પ્રજ્ઞેશ લેઉવા સાથે સુરેન્દ્રનગરમાં હિરાભાઈના ઘરે)



August 17, 2017

દલિતો પોતાના પીડિતોને સાંભળે તો પણ .....

By Raju Solanki  || 17 Aug at 18:52
ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે પાટીદાર ક્વોટા આંદોલનમાં માર્યા ગયેલા પટેલોને ‘શહીદ’ કહ્યા, મને ગળા સુધી ખાત્રી છે કે સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન આત્મારામ પરમાર કે વિધાનસભાના અધ્યક્ષ રમણભાઈ વોરા આવા શબ્દો ઉના-દમન પછી ઝેર પીને આત્મવિલોપન કરનારા કે જેલમાં જનારા દલિતો માટે ક્યારેય નહીં ઉચ્ચારે. અને શા માટે ઉચ્ચારે? દલિતો પોતે સમાજ માટે ભોગ આપનારા લોકોને આસાનીથી વિસરી જાય છે, તો રાજકીય પક્ષોના પગલૂછણીયા જેવા દલિત રાજકારણીઓ તેમને ક્યાંથી યાદ રાખે કે બિરદાવે?
કોઈપણ આંદોલનની સાચી વરસી તો ત્યારે ઉજવાય જ્યારે આંદોલનમાં બલિદાન આપનારા લોકોને અને તેમના સ્વજનોને પોંખવામાં આવે અને તેમના સમર્પણને તાલીઓના ગડગડાટથી બિરદાવવામાં આવે. 2012માં ‘ચલો થાન’ના કોલના પ્રતિસાદમાં થાનગઢમાં મળેલી વિશાળ સભા કે જેમાં 50,000થી વધારે દલિતો સ્વયંભૂ એકઠા થયા હતા અને જેણે ગુજરાતના દલિત આંદોલનના ત્રીસ વર્ષના ઠહરાવને તોડ્યો હતો, તેમાં તમામ પીડિતોના સ્વજનોએ પોતાની વેદના રજુ કરી હતી અને જેના દીકરાને પોલિસે ભર બજારમાંથી ઉઠાવીને લોકઅપમાં ગોંધી દીધો હતો તેની માતાએ જ્યારે સ્ટેજ પરથી તેની દર્દનાક દાસ્તાન વર્ણવી ત્યારે સભામાં ઉપસ્થિત તમામ દલિત બહેનો ચોધાર આંસુએ રડી પડી હતી. આવા આંદોલનો સમાજને તાકાત આપે છે. આવા આંદોલનો સમાજને એક કરે છે. દલિતો પોતાના પીડિતોને કાન દઈને સાંભળે તો પણ એમને રૂંવાડા ખડા કરવા કોઈ કનૈયાકુમારની જરૂર ના પડે.
થાનગઢમાં દલિત તરુણો પર એકે-47માંથી ફાયરિંગ કરી રહેલા ડીવાયએસપીના અંગરક્ષક પાસેથી એકે-47 છીનવી લેવાનો સંગીન આરોપ જેના પર મુકાયો હતો તે સુરેશ ગોગીયાને છોડાવવા ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી મુકાવડાવ્યા પછી તેને બેઇલ પર છોડવા માટેનું બીડું લઇને હું કનુ સુમરા તથા મહેશ ચૌહાણ સાથે સુરેન્દ્રનગરની સબ-જેલમાં ગયો હતો. એ વખતે સમયસર કાનૂની મદદ ના મળી હોત તો સુરેશ ગોગીયા આજે પણ જેલમાં સબડતો હોત. આજે સુરેશ ગોગીયા રસ્તામાં મને મળે તો કદાચ ઓળખશે પણ નહીં. પણ આંદોલનમાં જોડાયા હતા એટલે ફરજ નીભાવી એનો સંતોષ છે.
અમરેલીમાં ઉના-દમનના વિરોધમાં નીકળેલી રેલીના આયોજકો ક્રાન્તિકારી યુવાનો કાન્તી વાળા અને નવચેતન પરમારને દલિતો વિસરી ચૂક્યા છે. ઉના-દમન પછી અમદાવાદ, રાજકોટ કે ઉનામાં થયેલી એક પણ સભામાં એક પણ વક્તાએ ક્યારેય ભૂલથી પણ કાન્તી વાળા કે નવચેતન પરમારનું નામ લીધું નથી, કાન્તી વાળાના પિતા મૂળજીભાઈને કે નવચેતનના પિતા દિપકભાઈને સ્ટેજ પર બોલાવ્યા નથી. અમરેલીમાં નવચેતન પરમારે કલેક્ટર ઓફિસના પટાંગણમાં ભર બપોરે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો ત્યારે વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. નવચેતનને પોલિસ પકડીને લઈ ગઈ હતી. જિલ્લાના પોલિસ વડા જગદીશ પટેલ દોડતા દોડતા કલેક્ટર કચેરીમાં આવ્યા હતા. એ જ સમયે અમે કલેક્ટરને આવેદનપત્ર આપીને વડલી બળાત્કાર કેસના આરોપીને પકડવાની અને જેલમાં ઠુંસી દેવાયેલા દલિતોને છોડવા માટે માંગણી કરી હતી. કલેક્ટર રાણાને મેં ખખડાવીને કહ્યું હતું કે તમારો એટ્રોસિટી સેલનો ડીવાયએસપી ગધેડો છે. દુષ્કર્મનો ભોગ બનેલી દલિત દીકરીને ચોવીસ કલાક પછી હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જાય છે. ત્યારે રાણા ચીડાઈ ગયા હતા. એ મીટીંગમાં ઉપસ્થિત એસપી જગદીશ પટેલે બધાના મોબાઈલ ફોન સ્વિચ કરાવ્યા પછી કહેલું, “તમને ઓફ ધી રેકોર્ડ કહું છું. આ કેસમાં અમે ઢીલું મુકીશું. બધા છૂટી જવાના છે. બસ, તમે લોકો આમરણાંત ઉપવાસનો કાર્યક્રમ રદ કરી નાંખો.” એ દિવસે અમરેલીમાં આંદોલનનો વીટો વળી ગયો હતો.
ત્યાર બાદ એક મહિના સુધી કાન્તી વાળાના પિતા મુળજીભાઈ ગાંધીનગરમાં પ્રતિરોધ છાવણી પર આમરણાંત ઉપવાસ પર બેઠા હતા, બે બે વાર મૃત્યુના મુખમાં ધકેલાયેલા મૂળજીભાઈને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એક યૌદ્ધાની જેમ મૂળજીભાઈ લડ્યા હતા. દીકરા કાન્તીની યાદમાં એમની આંખ ભીની થતી જોઈ છે. “મારો કાન્તી ક્યારે છૂટશે?,” એ એક જ પ્રશ્ન એમને મળું ત્યારે એમના મુખમાંથી નીકળતો હતો.
દલિત આંદોલનની તાસીર એવી છે કે ગામડાઓમાં અત્યાચારો થાય ત્યારે શહેરી નેતાગીરી ક્યાં તો રોસ્ટર-અનામત એક્ટનો અમલ કરવાની માંગ કરે છે કે પછી રાજકીય મનસૂબા સાકાર કરવા તૂટી પડે છે. જેની પર ખરેખર અત્યાચારો થાય છે એ તો બિચારો ખૂણામાં ઉભો ઉભો બધા ખેલ જ જોયા કરે છે. કોંગ્રેસ-ભાજપ જ્યારે જ્યારે વિપક્ષમાં હોય ત્યારે ત્યારે દલિત અત્યાચારના મુદ્દે મેદાનમાં આવે છે. તેમને દલિતોને ન્યાય અપાવવામાં એક પૈસાનો રસ નથી.
હજુ પણ કાન્તી વાળા અને નવચેતન પરમાર સહિતના તમામ કહેવાતા આરોપીઓ રેલીના કેસમાં છૂટી શકે એમ છે. સવાલ એ છે કે આપણા આંદોલનના એજન્ડામાં આ મુદ્દો છે ખરો?

(તસવીર - ચલો થાનના કોલના પ્રતિસાદમાં થાનગઢમાં મળેલી વિશાળ સભામાં પીડિતોને સાંભળતી દલિત માતાની હ્રદયદ્રાવક ક્ષણો કર્મશીલ, કવિ, ફોટોગ્રાફર, લેખક ઉમેશ સોલંકીએ ઝીલી છે.)

અન્ય તસવિરો ઃ-

 એડવોકેટ નવચેતન પરમાર


પ્રતિરોધ છાવણી



July 08, 2017

સમાજના સાચા હિરો કાંતી વાળા ની કરુણ કથની અને ઢોંગી સમાજપ્રેમીઓ

By Sunil Jadav




ધન્ય ઘડી... ધન્ય ભાગ્ય...દલિત સમાજનો હિરો... આપણા સમાજનું ઘરેણું એવા કાંતિ વાળા(અમરેલી) અમારે ઘેર પધાર્યા...! હા, એ દસ દિવસની પેરોલ પર છૂટ્યા છે. તેમની કરુણ કથની સાંભળી મને આપણા આખા સમાજ પર અને સૌથી વધુ તો મારી જાત પર ખૂબ ગુસ્સો આવ્યો. સમાજ ઉત્થાનની અને સમાજ જાગૃતિ તથા સમાજ હિતની વાતો કરનારા આપણાં કહેવાતા સામાજિક-રાજકીય આગેવાનો એક માણસને એક વર્ષથી જેલમાંથી જામીન પર છોડાવી નથી શક્યા એ સૌથી મોટા અફસોસ અને શરમની વાત છે. આજે એ બેય માણસ મારા ઘેર પોતાની પીડા અને આપવીતી વર્ણવતા રડી પડ્યા ત્યારે મને મારી જાત પર ખૂબ ઘૃણા થઈ... નફરત થઈ. .! 
મિત્રો, ઉનાકાંડને એક વર્ષ થવા આવ્યું છે. ઉનકાંડ પછી આખા ગુજરાતમાં ઉગ્ર આંદોલન અને દેખાવો થાય. ક્યાંક તોફાનો પણ થાય. આપણાં અનેક યુવાનોએ ઝેરના પારખાં કર્યા...જેમાં યોગેશ સરીખડા(મોટી પડબડી) જેવા આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો. દરેક તાલુકા-જિલ્લા લેવલે રેલીઓ નીકળી...દેખાવો થયા..આવેદનો અપાયા. અમરેલીમાં પણ વિશાળ રેલી નિકળી અને વાતાવરણ ઉગ્ર બનતા તોફાન થયું... લાઠીચાર્જ થયો.. આ તોફાની વાતાવરણ વચ્ચે પંકજ અમરેલીયા નામના પોલીસ કોન્સ્ટેબલનું જીપમાં પડી જવાથી અકસ્માતે અવસાન થયું. આંદોલનને ડામી દેવા પોલીસ તંત્ર દ્વારા આગેવાનોને ટાર્ગેટ કરી ખોટી રીતે 49 જેટલા લોકો પર 302 ની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. જેમાં દલિત સમાજના અનેક બનાવોમાં ન્યાય માટે વારંવાર લડત કરતા અને પોલીસ તથા વહીવટી તંત્ર માટે માથાનો દુખાવો બની ચૂકેલા એવા આપણાં હોનહાર યુવા આગેવાન કાંતિ વાળા(સાવરકુંડલા)ને આરોપી નંબર એક અને યુવા એડવોકેટ નવચેતન પરમારને આરોપી નંબર બે બનાવી જેલ ભેગા કરાયા. અન્ય પાંચ-છ લોકોની પણ ધરપકડ કરવામાં આવી. બાકીનાની ધરપકડ તોળાય છે. પોલીસના આવા પક્ષપાતી વલણ સામે દલિત સમાજે જબરદસ્ત ફાઇટ આપી. ઉપવાસ-ધરણાં-આવેદન-સંમેલન થયા.. પણ કોઈ પરિણામ ન આવ્યું. લાંબી કાયદાકીય પ્રક્રિયા ચાલી અને બે મહિલાઓ સહિત એક પછી એક આંદોલનકારી જમીન પર છૂટ્યા. પણ કાંતિ વાળા ન છુટ્યા. કેટલાંક આગેવાનો અને સામાજિક કાર્યકરોએ પ્રયત્નો કર્યા પણ નિસ્ફળ રહ્યા. જેલ વાસ દરમ્યાન કાંતિ વાળાના પરિવારની... બાળકોના અભ્યાસની વગેરે જવાબદારી સમાજે ભોગવવી જોઈતી હતી... પણ મોટી મોટી વાતો કરવામાં..અને FB તથા વ્હોટ્સઅપ પર શુફિયાણી વાતો કરી... ફક્ત સમાજપ્રેમી હોવાનો ઢોંગ કરનાર... દેખાવ કરનાર... આરંભે શુરા એવા આપણે સૌ અંતે તો માયકાંગલા સાબિત થયા. કાંતી વાળાને છોડાવવાની ગુલબંગો પોકારનારા મોટાભાગના આગેવાનો શોમેન સાબિત થયા અથવા તો ખસી ગયા. સૌથી દુઃખદ બાબત તો એ કે તેમને જેલમાંથી છોડાવવા સંદર્ભે પણ રાજકારણ ખેલવા લાગ્યું. આજે પરિસ્થિતિ એવી છે કે કાંતિ ભાઈ એક વર્ષથી જેલમાં છે જેથી એમના પત્ની અને બે નાની દીકરીઓના ભરણ-પોષણ અને ભણતરના ખર્ચના પણ સાંસા થઈ પડ્યા છે. કાંતિભાઈ પોતાનું મકાન વેચવા તૈયાર થયા છે. આ વાતની ઉનાના મિત્રોને ખબર પડી તો તે લોકોએ બનતી મદદ કરી... એ મિત્રોએ મને આ વાતની જાણ કરી. મેં મારાથી બનતા પ્રયત્નો કરવાની અને આર્થિક મદદની ખત્રી આપી. જેથી પોતાના મેડિકલ શર્ટિફિકેટના કામે આજે રાજકોટ આવેલા કાંતિભાઈ અને તેમના પત્નીને અમે સીધા અમારે ઘેર બોલાવ્યા. અમે સૌ સાથે જમ્યા અને 'તથાગત ફાઉન્ડેશન' વતી તેમની બન્ને દીકરીઓને અભ્યાસના ખર્ચ પેટે રૂપિયા 25,000 /- ની મદદ કરી. ઉપરાંત અમારાથી બનતા બધા જ પ્રામાણિક પ્રયત્નો કરી હાઇકોર્ટ દ્વારા તેમને જામીન મળે એ માટે પણ અમારાથી બનતી મદદ કરવાની ખાતરી આપી. જે મિત્રોએ તેમને અત્યાર સુધી મદદ કરી છે તે સૌનો ઋણ સ્વીકાર સાથે ખૂબ ખૂબ આભાર. ભાઈ કાંતિ વાળા વહેલી તકે જામીન પર છૂટી જેલમાંથી બહાર આવે...પોતાની વ્હાલસોઈ નાની દીકરીઓ સાથે પ્રેમમય જીવન જીવતા થાય.. અને એના માટે સમાજમાં જાગૃતિ આવે એવી અપેક્ષા સાથે...સૌને જય ભીમ.
(Created by Vishal Sonara) 

July 06, 2017

Unsuccessful attempt to hijack the Movement

Article By Raju Solanki



These are five photographs of a spontaneous, historical, monumental movement in the Dalit resistance of India.
Throwing corpses of cows at the doors of collector office in Surendranagar and decorating government office with bones and horns of cows in Gondal and en masse applications for licenses of firearms in Morbi and protest gathering in Una just after the barbaric flogging of Dalits and a train was stopped at Ganapati Fatsar Area in Wadhwan of Surendranagar.
And I remind you, media didn't report these protests, nobody gave any call and called press conferences and yet Dalits of Gujarat created a huge movement.
It is only after these events some people came forward to make it an event and tried unsuccessfully to imitate it.

અહીં આપેલી પાંચ તસવીરો ભારતમાં દલિત પ્રતિરોધના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ, સ્વયંભૂ અને પ્રચંડ આંદોલનની તસવીરો છે.
ઉનામાં દલિતોને સાંકળે બાંધીને મારવાના જંગલી કૃત્ય પછી બીજા જ દિવસે ઉનામાં થયેલું જંગી વિરોધ પ્રદર્શન, સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરીના દરવાજે નંખાયા ગાયોના મૃતદેહો, ગોંડલમાં રીવોલ્વરોના પરવાના લેવા થયેલી સામૂહિક અરજીઓ અને સુરેન્દ્રનગરમાં રોકવામાં આવી ચાલુ ટ્રેન.
હું તમને યાદ દેવડાવું કે આ વિરોધ આંદોલન અંગે મીડીયાએ એક શબ્દ લખ્યો ન હતો. કોઇએ આના માટે પ્રેસ કોન્ફરન્સ બોલાવી ન હતી. કેટલાક વીરલાઓએ આ અદ્ભુત કામો કર્યા હતા, જેમના નામો પણ આપણે જાણતા નથી.
કેટલાક લોકોએ આ સ્વયંભૂ આંદોલનની નિષ્ફળ નકલ કરવાનો પ્રયાસ કર્યો હતો.


Facebook Post:-


Image may contain: one or more people and crowdImage may contain: tableImage may contain: one or more people, dog and outdoorNo automatic alt text available.

May 03, 2017

જાતીવાદ - અત્યાચાર અને તેની સામે સંઘર્ષ : વિજય જાદવ



જ્યારે કોઇ દલિત ઉપર મારઝુડ કે હત્યા થાય ત્યારે અને તોજ એમ માનવામાં આવે છે કે દલિતો ઉપર અત્યાચાર થયો. 
શુ કોઇ દલિતની ઉપર કોઇ હિંસા થાય એને જ અત્યાચાર માનવો? 
સમાજમાં ફક્ત કોઇ ઉપર મારઝુડ થાય અથવા હત્યા થાય તો અત્યાચાર થયો એવુ માનવાની ગ્રંથી મને યોગ્ય નથી લાગતી. એ પછી સમાજ થોડો ટાઇમ એના ઉપર ધ્યાન આપી પછી છોડી દેશે. એ કેટલુ યોગ્ય માનવુ? 

જાતીગદ ભેદભાવ રાખી અપરકાસ્ટ દ્વારા દલિતો પર જે અત્યાચાર કરવામાં આવે છે તેને જાતીવાદ નો અત્યાચાર કહી શકાય. 
કોઇ વ્યક્તિની જાતિ ને ધ્યાનમાં રાખી તેનુ માનસિક, શારીરીક કે આર્થિક શોષણ કરવુ,  કોઇ ને જાતિગત અપશબ્દો બોલવા, દલિત છોકરીઓ પર બળાત્કાર કરવો,  યોગ્યતા હોવા છતા લગ્ન,  નોકરીમાં તકલીફ પડવી , નીચ કામ કરવા મજબુર કરવા, સામાજીક બહીસ્કાર કરવો, નોકરી ના આપવી કે હેરાન કરવા, કોઇ પણ પ્રકારની આભડછેટ રાખવી...... વગેરે જેવા ઘણા બધા બનાવો પણ જાતિગત અત્યાચારમાંજ આવે છે. આવા અસંખ્ય બનાવો બને જ છે. 

અત્યાચાર તો કોઇપણ વ્યક્તિ પર થઇ શકે છે. પરંતુ જાતિવાદી અત્યાચાર SC,  ST અને OBC પર જ થાય છે. જેમાં અનુસુચિત જાતિ ઉપર થતા અત્યાચાર નુ પ્રમાણ ખુબ વધુ હોય છે. 

આપણે દલિત અત્યાચાર બાદ વળતર માંગીને બેસી જઇએ છીએ પરંતુ ભવિષ્યમાં આવા બનાવો ના બને એ માટે શુ કરવુ? એ માટે કોઇ વ્યુહાત્મક રચના દેખાતી નથી. એકાદ બે જણને પકડી લીધા બાદ જામીન પણ મળી જાય છે. જેથી એમની આવુ કરવાની હીમ્મત વધતી જાય છે. એવુ તો શુ કરવુ જેથી એ લોકો ભવિષ્યમાં આવુ કરવાની હિમ્મત ના કરે. નીચે મુજબના થોડા સુચનો મને જણાઇ રહ્યા છે. 

1) આપણી એવી માંગણી હોવી જોઇએ કે હીંસા કે અત્યાચારના બનાવબાદ એ કેસની તપાસ કરનાર તપાસ અધિકારી અનુસુચિત જાતીનો જ હોવો જોઇએ એવી માંગ મુકવી જોઇએ. ત્યાર બાદ આવા એટ્રોસીટી ના કેસો માં 99% કેસોમાં આરોપીઓ પુરાવા ના અભાવ અથવા બીજી કોઇ રીતે સહેલાયથી છુટી જાય છે. તો સૌપ્રથમ એટ્રોસીટી કેસ સ્પેશ્યલ એટ્રોસીટી કોર્ટમાજ પેનલ માં ઓછામાં ઓછો એક જજ અનુસુચિત જાતી નો જ હોવો જોઇએ એવી માંગ કરવી જોઇએ. અને કેસ નો ફેસલો જલ્દીમાં જલ્દી આવે તેવી માંગ કરવી જોઇએ. અને કઠોરમાં કઠોર સજા અે અપરાધીને મળે એનુ ધ્યાન રાખવુ જોઇએ. જેથી આવો ગુનો કરતા પહેલા એ લોકો સો વખત વિચાર કરે. 

2) હીંસક અત્યાચારો ગામડાઓમાં વધુ બને છે તો ડો. બાબાસાહેબ આંબેડકરનુ જે સુચન હતુ કે ગામડાઓ ખાલી કરો અને શહેરમાં જઇ વસો. એ સુચનનુ પાલન કરાવા પ્રયત્નો કરવા જોઇએ. હવે તો RTE કાયદા પ્રમાણે સારી સ્કુલોમાં પણ એડમીશન મળે છે. તો એના દ્વારા વધુ માં વધુ બાળકો સારુ શિક્ષણ મેળવે એ માટે પ્રયત્નો કરવા જોઇએ.  

3) આપણા પુના પેક્ટથી ઉત્પન્ન રાજકીય ચમચાઓ ક્યારેય સમાજ નુ હિત નહી કરી શકે. એલોકો આવા અત્યાચાર સમયે પણ તમારો અવાજ બની ને બહાર નથી આવતા. અને ક્યાંય અવાજ ઉઠાવશે તો સમજી લેજો તમારો અવાજ દબાવવા માટે જ. પોતાના માલિકોને ખુશ કરવા માટે જ....
એમને પ્રોગ્રામમાં આમંત્રણ આપવાનુ ટાળો, એમના પ્રોગ્રામોમાં જવાનુ ટાળો. 
આવા લોકો ફક્ત રાજકીય કઠપુતળી બની બેઠા છે જે આખા સમાજને નચાવી રહ્યા છે.  એવા રાજકીય ચમચાઓને સલાહ કે તમે સમાજની સીટ ઉપર ચુંટણી લડો છો એ ભારતીય સંવિધાનમાં તમને તમારા સમાજનુ પ્રતિનીધિત્વ કરવા માટે મળે છે નહી કે રાજકીય પક્ષોની ચમચાગીરી કરવા બદલ! 
ચમચાગીરી કરી તમને જનરલ સીટ ઉપર લડો અમને કોઇ વાંધો નથી પરંતુ જ્યારે રીઝર્વ સીટ ઉપર લડો છો તો તમારા માટે સમાજ હીત ને ધ્યાનમાં રાખવુ જરુરી બને છે.  
અને જો સમાજ હીત કરતા તમને તમારો પક્ષ વધુ વહાલો હોય તો છોડી દો એ સીટ, અને માંગો જનરલ સીટ. જોઇલો તમને તમારી ઔકાદ શુ એ ત્યાજ ખબર પડી જશે. 

4) લગ્ન સંબંધો નક્કી કરતી વખતે જાતિ જોવાનુ ટાળવુ જોઇએ. આજે આપણે આ કરીશુ તો આપણો સમાજ આ કરશે અને ધીરે ધીરે બધા જ સમાજ આ મુહીમ માં જોડાશે. જાતિવાદ ખત્મ કરવાનુ મજબુત હથિયાર અાંતરજાતીય લગ્નો છે. 

5) દલિતો દલિત એટલા માટે છે કારણકે તે હીન્દુ ધર્મના સૌથી નીચેના પાયદાન પર છે. એટલે જે ધર્મને દલિત પોતાનો ધર્મ માનીને બેઠા છે એ ધર્મ જ તમને નીચ માને છે. તમારે હવે આ દલિત પણાનો વિરોધ કરવોજ રહ્યો. તમારી સામે તમારાજ માનીતા ધર્મનો ઉપયોગ કરી ધર્મરક્ષકો તમને હજારો વર્ષોથી છેતરી તમારી ઉપર શાષન કરી તમને ગુલામ બનાવી ને રાખ્યા છે. ધર્મ એ એમનુ મજબુત હથિયાર છે જે તમારી ઉપર વારંવાર ચલાવવામાં આવે છે. 
તમે પાછા એ ધર્મને મજબુત કરો છો, આર્થિક સહાય કરીને! 
જી હા બિલકુલ સાચી વાત છે ધર્મના નામે,  ઇશ્વરના નામે, શ્રદ્ધાના નામે તમે જેટલો પણ ખર્ચો કરો છો એ આખરે તમારી જ સામે ઉપયોગ થાય છે. કેમકે ક્યારેય કોઇ ઇશ્વરે જાતિવાદ અને જાતિગત અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો હોય કે કોઇ ચમત્કાર કરી એ અત્યાચાર બંધ કર્યો હોય એવુ મે આજસુધી નથી સાંભડ્યુ. તમે ક્યાંય સાંભડ્યુ હોય કે જોયુ હોય તો જણાવશો. 
તો આજથીજ નક્કી કરો કે ધર્મના નામે, ઇશ્વરનાનામે એક પણ રુપીયાનુ દાન નહી આપીએ, કોઇ પણ પ્રકારનો ખર્ચો નહી કરીએ. એ પૈસાનો ઉપયોગ બાળકોના શિક્ષણ પાછળ વાપરી શુ તો આવનારી પેઢી વધુ મજબુત બની ઉભી રહેશે. કોઇ પણ પ્રકારનો ખર્ચો હવે ધર્મ પાછળ, ઇશ્વર પાછળ કે શ્રદ્ધા પાછળ વાપરીશુ નહી. 
બીજુ ધર્મ રક્ષકો તમને હીન્દુ બનાવી મુસ્લિમ વિરુદ્ધ લડાવી તમારો હંમેશા ઉપયોગ કર્યો છે. જેનો દાખલો જોવો હોય તો અત્યાર સુધી શુદ્રો શિવાય ધાર્મિક હિંસાનો ભોગ કોઇ બનેલ નથી એ ચકાસી જુઓ. કોઇ ધર્મ રક્ષકને આજ સુધી તોફાનોમાં સજા થઇ હોય એવો દાખલો આપો. તમારા શિવાય મુસલમાનો સામે લડ્યુ છે કોણ? અંતે તમે મુસલમાનોના દુશ્મન બનો છો. જાતિગત રીતે ઉચ્ચ વર્ણના તમે દુશ્મન તો છો જ. મતલબ બન્ને બાજુ તમારી અવદશા કરવામાં આવી રહી છે. 

ધર્મ રક્ષકો તમને જણાવશે કે ધર્મની રક્ષા કરવા અમે બધુ કરીશુ તો કહી દેવાનુ કે તમને હીન્દુ ધર્મમાં ધર્મની રક્ષા કરવાનુ જ કામ અપાયુ છે તો કરો રક્ષા તમે જાતે જ. તમને કહેવામાં આવશે કે મુસલમાનો હીન્દુના દુશ્મન હોય છે. અને એ લોકો જાતે જ મુસલમાનોના ખોળામાં બેસતા તમે જોઇ શકો છો. લવજેહાદના નામે તમને મુર્ખ બનાવવામાં આવશે અને પોતાનાજ દીકરા દીકરીઓના લગ્ન મુસલમાન સાથે કરાવશે. ચેક કરી શકો છો. એટલોજ મુસલમાન પ્રત્યે કટ્ટરતા હોય તો એમની પાસે વોટ માંગવા પણ શુ કામ જાઓ છો?
મતલબ એમને વોટબેંક માટે જ દલિતો અને મુસલમાનોની જરુર છે. 
મુસ્લિમો સામે કોઇ પણ પ્રકારના તોફાનોમાં હીસ્સો નહી લેવાનો નક્કી કરો. જેવુ લાગે કે પરિસ્થિતિ નાજુક બની રહી છે તો બન્ને પક્ષના આગેવાનો આગળ આવી પરિસ્થિતિ સંભાળી લેવી. બન્ને પક્ષે શાંતિ સમિતિ બનાવો જે અમુક સમયના અંતરાલે મળતા રહે અને બન્ને પક્ષે શાંતિ જળવાઇ રહે એના માટે પ્રયાસો કરે.  તમે જે દિવસે મુસ્લિમો સામેની હીન્દુ ધર્મની કહેવાતી લડાઇમાથી ખસી ગયા એ દિવસથી જ તમારી પ્રગતિ સાચી દીશામાં આગળ વધશે. 

6) અને આખરમાં તમારામાં ખરી જાગ્રુતિ શિક્ષિત બનીને જ આવશે. આવનારી પેઢીને પણ ખુબ ભણાવો.
ડો. બાબાસાહેબે ત્રણ મહત્વના સુચનો આપેલા છે.  શિક્ષિત બનો, સંઘઠીત બનો, સંઘર્ષ કરો. 
હવે મારા માનવા મુજબ સંઘર્ષ તો તમે રોજ કરો છો. આંતરીક જાતિવાદનો સંઘર્ષ કંઇ ઓછો નથી. ક્યારે પોતાના જ ભાઇને આગળ જતો અટકાવવો એ આપણો સમાજ બહુ સારી રીતે જાણે છે! સોસાયટીમાં પાડોસી સાથે નાની અમથી બાબતમાં પણ સંઘર્ષ માં ઉતરી પડો છો કે નઇ??? 

સંઘઠિત થયા એવુ મહદઅંશે દેખાઇ રહ્યુ છે. એક બીજાના પ્રોગ્રામને સફળ બનાવવાની લાગણી જે આવી છે એ સંઘઠન જ કહેવાય ને? 

શિક્ષિત બનવામાં હજી સમાજ ઘણો પાછળ છે. એ હુ જોઇ શકુ છુ.  માટે સમાજ ને પ્રથમ જરુરીયાત સારા મા સારા શિક્ષણ ની છે. શિક્ષિત સમાજ ને છેતરવાની કોઇ હીમ્મત નહી કરે. તમે તર્કબદ્ધ, યોજનાબદ્ધ લડી શકશો. અન્યાય સામે અવાજ ઉઠાવી શકશો. તો આજથી આ સુત્ર ઉપર વધુ ભાર મુકો..... 

શિક્ષિત બનો,  શિક્ષિત બનો,  શિક્ષિત બનો.........

આભાર 

વિજય જાદવ