Showing posts with label Untouchables. Show all posts
Showing posts with label Untouchables. Show all posts

April 27, 2020

जूठन: एक दलित की आत्मव्यथा की कथा | Book Review

By Madhukar Chauhan  || 24 April 2020


ज्योतिबा फुले ने कहा था- "गुलामी की यातना को जो सहता है, वही जानता है और जो जानता है, वही पूरा सच कह सकता है. सचमुच जलने का अनुभव राख ही जानती है और कोई नहीं." 

ओमप्रकाश वाल्मीकि की ‘जूठन’ हिंदी साहित्य की मौलिक आत्मकथाओं में से एक है. ओमप्रकाश वाल्मीकि कहते हैं- ‘‘दलित जीवन की पीड़ाएं असहनीय और अनुभव-दग्ध हैं। ऐसे अनुभव जो साहित्यिक अभिव्यक्तियों में स्थान नहीं पा सके। एक ऐसी समाज-व्यवस्था में हमने सांसें ली हैं, जो बेहद क्रूर और अमानवीय है। दलितों के प्रति ‘असंवेदनशील भी...। अपनी व्यथा-कथा को शब्द-बद्ध करने का विचार काफी समय से मन में था। लेकिन प्रयास करने के बाद भी सफलता नहीं मिल पा ही थी।...इन अनुभवों को लिखने में कई प्रकार के खतरे थे। एक लंबी जद्दोजहद के बाद मैंने सिलसिलेवार लिखना शुरू किया। तमाम कष्टों, यातनाओं, उपेक्षाओं, प्रताड़नाओं को एक बार फिर जीना पड़ा, उस दौरान गहरी मानसिक यंत्रणाएं मैंने भोगीं। स्वयं को परत-दर-परत उघेड़ते हुए कई बार लगा-कितना दुखदायी है यह सब! कुछ लोगों को यह अविश्वसनीय और अतिरंजनापूर्ण लगता है।’’1

दलित बालक ओमप्रकाश वाल्मीकि को चूहड़ा समझकर हेडमास्टर दिन भर लेखक से झाड़ू लगवाता है। लेखक के शब्दों में- "दूसरे दिन स्कूल पहुँचा। जाते ही हेडमास्टर ने फिर से झाड़ू के काम पर लगा दिया। पूरे दिन झाड़ू देता रहा। मन में एक तसल्ली थी कि कल से कक्षा में बैठ जाऊंगा। तीसरे दिन मैं कक्षा में जाकर चुपचाप बैठ गया। थोड़ी देर बाद उनकी दहाड़ सुनाई पड़ी, ‘अबे, ओ चूहड़े के, *** कहाँ घुस गया... अपनी माँ...’ उनकी दहाड़ सुनकर मैं थर-थर काँपने लगा था। एक त्यागी (सवर्ण) लड़के ने चिल्लाकर कहा, ‘मास्साब, वो बैट्ठा है कोणे में।’ हेडमास्टर ने लपककर मेरी गर्दन दबोच ली थी। उनकी उंगलियों का दबाव मेरी गर्दन पर बढ़ रहा था। जैसे कोई भेड़िया बकरी के बच्चे को दबोचकर उठा लेता है। कक्षा के बाहर खींचकर उन्होंने मुझे बरामदे में ला पटका। चीखकर बोले, ‘जा लगा पूरे मैदान में झाड़ू..नहीं तो *** में मिर्ची डाल के स्कूल से बाहर काढ़ (निकाल) दूँगा।"2 स्कूल के मास्टर से लेकर गाँव-घर के सामन्त व सेठ-साहूकार तक सभी दलित जीवन को लीलने के लिए तैयार बैठे थे। ‘जूठन’ दलित जीवन की मर्मान्तक पीड़ा का दस्तावेज है।

ओमप्रकाश वाल्मीकि जी ने, जातीय अपमान और उत्पीड़न के जीवंत वर्णन के माध्यम से एक दलित की आत्मव्यथा को प्रस्तुत किया है और भारतीय समाज के कई अनछुए पहलुओं को उजागर करते हुए हमारे समक्ष रखा है।

सन्दर्भ-सूची :-
1. वाल्मीकि ओमप्रकाश, जूठन, राधाकृष्ण प्रकाशन, नई दिल्ली, भूमिका
2. वही पृ.सं.-15

July 31, 2018

Poem: સર્વહારાનો બુર્જવાવાદ

By Jigar Shyamlan ||  Written on 20 April 2018


મનેય પણ રક્ત વહાવી, 
સર્વહારાની ક્રાન્તિ 
મેળવવાની
તમન્ના છે.
હું ય એ 
સર્વહારા 
માટીનો જ 
પિંડ છું.
એનુ જ બીજ છું
એ જ 
સર્વહારા જે 
પરસેવે જમીન રગદોળી 
સર્ગભા બનાવે.
એ જ 
મશીનોના 
તીણા અવાજમાં
વેદનાનો ડૂમો 
છૂપાવે.
પોતાના કપડાં 
ફાડીને, 
સંતાનોના તન ઢાંકે
પોતાના શ્વાસ 
ગિરો મૂકીને,
કુટુમ્બનો 
શ્વાસ ચલાવે.
તમામ મોજ શોખ 
બાળકોની 
આંખોમાં નિહાળે.
ક્યારેક 
માલિકની ગાળો પણ
હસતા મોંઢે 
સાંભળી લે.
કારણ કાન પર 
જવાબદારીઓ
ચોંટી પડી છે.
પણ આ સર્વહારાની જમાતો
જડતી નથી.
ખેતરે બપોરનું ભાથુ ખાવા
અલગ ઝાડવાઓના 
છાંયા ગોતે.
મિલોની રિશેષ પડે કે 
અલગ ટોળાને
અલગ ટિફીનોના ઢાંકણ
ખુલવાનો અવાજ.
પાણી પીવાના માટલાઓ
પણ નોખા છે
અહી પણ એક
બુર્જવાવાદ ચાલે છે
ફરક એટલો અભિમાન
બસ ચામડીના પહેરેલ કપડાનું
કે પછી કોખમાં જન્મેલ જાતિનુ
બાકી ક્ષમતા ને કામ તો
એક જ છે.
તોય જુઓને આ સર્વહારાનો
બુર્જવાવાદ.
- જિગર


FB post :-


July 19, 2018

વર્તમાનમાં રહેલો નજીકનો ફાયદો જોતા પહેલા ભવિષ્યમાં પડેલા દૂરના નુકશાનને જોવુ જોઈયે..

By Jigar Shyamlan ||  Written on 5 April 2018



આજે સોશિયલ મીડિયા ફેસબુક અને વોટ્સએપ્પ પર બાબા સાહેબના વિચારોનો ફેલાવો જોઈને મન પ્રસન્ન બની જાય છે. દિલમાં એક હાશકારો થાય છે કે આંબેડકરવાદ હજી જીવંત છે, અને વધુને વધુ ફેલાઈ રહ્યો છે.

પણ..!!! બીજી જ ક્ષણે મનમાં એક વિચાર ઘેરી વળે છે, અને મુંઝવણ વધારી દે છે.

શું આજના સોશિયલ મીડિયામાં પ્રસરી રહેલ અને મિનીટે મિનીટ ફોરવર્ડ થઈ રહેલ આંબેડકરવાદ એ ખરેખર બાબા સાહેબને વાંચીને, સમજીને વ્યક્તિના અંતર થી પ્રગટ થયેલ આંબેડકરવાદ છે કે કોઈના ઉધાર લીધેલા વિચારોમાંથી પેદા થયેલ ક્ષણીક રેડીમેઈડ આંબેડકરવાદ..????

કારણ બાબા સાહેબને વાંચ્યા વગર, સમજ્યા વગર પોતાના અંતર મનથી પેદા થયેલ આંબેડકરવાદને બદલે કોઈ બીજાના વિચારોને ઉધાર લઈને અપનાવેલ રેડીમેઈડ આંબેડકરવાદ ખતરનાક સિધ્ધ થશે.

મિત્રો... ગણીતનો ભારેખમ દાખલો કે સવાલ સોલ્વ કરવા માટે ગાણિતીય સુત્રો અને રીતને વાંચવી, સમજવી ખુબ જ જરૂરી છે. પણ મોટા ભાગે શું કરવામા આવે છે..???

આ કવાયત કર્યા વગર ગાણિતીય સુત્રો અને રીતને સમજ્યા તેની પર ગણતરી કર્યા વગર છેલ્લે પાને આપેલ જવાબ જોઈને સવાલ કે દાખલો સોલ્વ કરી દેવાની મોટા ભાગનાને ટેવ હોય છે. આવા રેડીમેઈડ જવાબ અને ઉકેલ મળવાને કારણે દાખલા કે સવાલને ઉકેલવાની રીતમાં બહુ રસ લેતા નથી.

એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે જવાબ કે ઉકેલ મહત્વનો નથી. મહત્વ એ વાતનું છે કે તમે કઈ રીત અને ક્યા સુત્રથી જવાબ લાવો છો. કારણ યોગ્ય રીત કે સુત્ર વગરના જવાબની કિંમત શૂન્ય છે.

આ રેડીમેઈડ જવાબ જોઈ લેવાની આપણી વૃત્તિ આપણને સવાલ પર વિચાર કરી વિચારવાની પ્રક્રિયાથી સાવ દુર રાખે છે.

આપણે ખરેખર બાબા સાહેબના મેસેજ ફોરવર્ડ કરતા પહેલા કે જયભીમ બોલતા પહેલા આપણે દિલ પર હાથ મુકીને અંતર મનને પુછવું જોઈયે કે આપણો આંબેડકરવાદ બાબા સાહેબને વાંચી, સમજીને પેદા થયેલ આંબેડકરવાદ છે કે કોક બીજાના વિચારો કે ફોરવર્ડ કરાયેલ મેસેજોમાંથી ઉધાર લીધેલ રેડીમેઈડ આંબેડકરવાદ.

કોક દિવસ અંતર મનને પુછી જો જો. કારણ વર્તમાનમાં રહેલો નજીકનો ફાયદો જોતા પહેલા ભવિષ્યમાં પડેલા દૂરના નુકશાનને જોવુ જોઈયે..
જય ભીમ
- જિગર શ્યામલન

સંવિધાન સભાની ચુંટણીમાં બાબા સાહેબ અને અસ્પૃશ્ય સમાજના લોકોનો સ્વયંભૂ સંધર્ષ

By Jigar Shyamlan ||  Written on 2 April 2018



State and Minorities: What are their Rights and How to secure them in the Constitution of free India? નામનાં ગ્રંથમાં બાબા સાહેબે આંકડાકીય હકીકતો અને યોગ્ય દલિલો પરથી પુના કરારના કારણે અસ્પૃશ્યોને કેટલું પારાવાર નુકશાન કર્યુ તેની વિગતો વર્ણવી હતી.

બાબા સાહેબે પુનાકરાર કરતી વખતે કરેલ ધારણા સો ટકા સાચી બની રહી હતી કે પુના કરારને કારણે અસ્પૃશ્યોના સાચા પ્રતિનિધી ચુંટાઈ નહી શકે. આથી પુના કરાર રદ કરવા તથા સ્વતંત્ર ભારતના ભાવિ સંવિધાનમાં અસ્પૃશ્યોના અધિકારોની જોગવાઈ કરવાની ખાત્રી માટે 1946માં શિડ્યુલ્ડ કાસ્ટ ફેટરેશન દ્વારા સત્યાગ્રહ શરૂ કરાયો હતો.

જે વાયા મહારાષ્ટ્ર સમગ્ર દેશમાં પ્રસરી રહ્યો હતો. તેમાં હજારો અસ્પૃશ્યો ભાગ લેવા માંડ્યા હતા અને ધરપકડ વહોરી રહ્યા હતા.

જો કે એ વખતે પુના કરારના ફળ સ્વરૂપ ચુંટાયેલ અસ્પૃશ્ય પણ કોન્ગ્રેસી ''હરિજનો'' આ સત્યાગ્રહનો વિરોધ કરી રહ્યા હતા. એક તરફ આ સત્યાગ્રહ ચાલતો હતો બીજી તરફ સંવિધાન સભાની ચુંટણીઓ યોજાઈ રહી હતી. બાબા સાહેબે લંડન જઈ બ્રિટિશ નેતાઓની મુલાકાત લઈ અસ્પૃશ્યોની સ્થિતી વિશે માહિતગાર કરવા પ્રયાસ કરી જોયો પરંતું તેમાં સફળતા ન મળી. આ ફોગટના ફેરા પછી એક વાત સ્પષ્ટ હતી કે જો અસ્પૃશ્યો માટે ખરેખર કંઈક કરવું હોય તો સંવિધાન સભામાં જવુ એ જ એકમાત્ર રસ્તો હતો.

આ સમય ભારે કટોકટીનો હતો. કારણ એક તો ક્રિપ્સ મિશનમાં અસ્પૃશ્યોને કોઈ સ્થાન અપાયું ન હતું, અને બીજુ એ વખતના રાજકીય નેતાઓ અને પક્ષો અસ્પૃશ્યોના પ્રશ્ને સૌ મૌન હતા. કોઈને અસ્પૃશ્યોની કંઈ પડી ન હતી તેવો માહોલ સ્પષ્ટ હતો.

આવા સંજોગોમાં સંવિધાન સભા માટે ચુંટણી યોજાવા જઈ રહી હતી એટલે અસ્પૃશ્યોના અવાજને બુલંદ કરવા સંવિધાન સભામાં બાબા સાહેબનો પ્રવેશ થવો અત્યંત અનિવાર્ય બની ગયો હતો.

જો કે એ વાત ખાસ ઉલ્લેખનીય છે કે સંવિધાન સભામાં બાબા સાહેબના પ્રવેશ સામે જબરજસ્ત વિરોધ હતો. બાબા સાહેબ સંવિધાન સભામાં પ્રવેશ ન કરી શકે તે માટે કોન્ગ્રેસે શામ, દામ, દંડ અને ભેદ તમામ ઉપાય અજમાવ્યા હતા.

સરદાર વલ્લભભાઈ પટેલે તો ત્યાં સુધી કહી દીધુ હતુ કે- ''મેં સંવિધાન સભાનાં બારી-બારણાં અને વેન્ટિલેશન પણ બંધ કરી મણમણનાં તાળા લગાવ્યા છે, હવે જોઈયે ડો. આંબેડકર સંવિધાન સભામાં કેવી રીતે આવે છે?''
(સોર્સ: ડો. આંબેડકર જીવન ઔર મિશન (હિન્દી) લેખક- એલ.આર.બાલી, પેજ નંબર-25)

આવા કપરા સંજોગોમાં બંગાળી જોગેન્દ્રનાથ માંડલે બાબા સાહેબને સંવિધાન સભામાં મોકલવાનું બિડુ ઝડપ્યું હતુ અને બંગાળ વિધાનસભા મતદાર મંડળમાંથી બાબા સાહેબનુ ઉમેદવારી પત્ર ભરાવેલું.

એ વખતે કોલકાત્તાના પંજાબી અસ્પૃશ્યો ગમે તે ભોગે બાબા સાહેબને સંવિધાન સભામાં મોકલી આપવા મક્કમ નિર્ધાર કરીને બેઠા હતા. આ બધા અલગ અલગ જુથોમાં વહેંચાઈને અસ્પૃશ્ય ધારાસભ્યોના નિવાસસ્થાનોની ઘેરાબંધી કરીને બેઠા હતા. એ વખતે બાબા બુધ્ધસિંહ તલહનતો હાથમાં ખુલ્લી તલવાર સાથે ટોળાની વચ્ચે ઘુમી રહ્યા હતા.

એક એક ધારાસભ્યને ખુલ્લી ચિમકી આપવામાં આવી હતી કે બાબા સાહેબને મત નહી આપો તો તમારી ખેર નથી.
(સોર્સ: આંબેડકરી આંદોલનમાં પંજાબીઓનો ફાળો (હિન્દી) લેખક- કે.સી.લીલ, પેજ નંબર-25)

આખરે ગાંધીજી અને કોન્ગ્રેસના અપાર વિરોધ વચ્ચે બાબા સાહેબ સૌથી વધુ મતો મેળવી સંવિધાન સભામાં પહોંચ્યા હતા.

સંવિધાન સભાની આ ચુંટણી Do or Die સમાન હતી જેમાં બાબા સાહેબ વિજયી નિવડ્યા હતા.

એ વખતે આમ અસ્પૃશ્ય સમાજના લોકોએ બાબા સાહેબને સંવિધાન સભામાં પ્રવેશ મળે એ માટે સ્વયંભુ કહી શકાય તેવો સંધર્ષ કરેલો.

આ પ્રસંગ એટલા માટે જણાવવો જરૂરી છે કે અસ્પૃશ્યો ખરેખર એ વાત સારી રીતે સમજતા હતા કે બાબા સાહેબ સિવાય તેમનું કોઈ નથી.
- જિગર શ્યામલન




Facebook Post

July 11, 2018

વિશ્વ જળ દિવસ પર ભારત ના અશ્પૃશ્યો સાથે જોડાયેલ વાતો યાદ કરીએ

By Jigar Shyamlan ||  Written on 22 March 2017



જીવન માટે જળ અતિ જરૂરી છે. જળ એ જીવન એવું કહેવાય છે. ભારતમાં કેટલાય યુધ્ધો ખેલાયા, કેટલાય સત્યાગ્રહ કરવામાં આવ્યા અને અનેક આંદોલન થયા...
આજે હું એક સાવ જ નોખા અને ઈતિહાસમાં ન ભુતો ન ભવિષ્યતિ એવા જળ સત્યાગ્રહના પ્રસંગની માહિતી આપીશ.

જો કે એ મહત્વની વાત છે કે માનવાધિકાર સબંધિત આ સત્યાગ્રહને ઈતિહાસમાં જાણી જોઈને ઉપેક્ષિત કરવામાં આવેલ છે.. કારણ તેના નાયક બાબા સાહેબ અને અસ્પૃશ્યો હતા.

કદાચ આના પરથી તમને મનુવાદ શું છે ? તેનો આછો પાતળો અણસાર આવી જશે.?

આ વાંચ્યા પછી તમારે જ ન્યાય કરવાનો છે કે શું વ્યાજબી અને શું ગેર વ્યાજબી ?

તમે ઈતિહાસના પાનાં પર ગાંઘી અને તેના સત્યાગ્રહીઓ દ્વારા કરવામાં આવેલી દાંડીકૂચથી પરિચીત જ હશો. મોટાભાગના મિત્રોએ ઈતિહાસની ચોપડીઓમાં દાંડીકૂચના નામે લગભગ એકથી દોઢ પાનાનું લખાણ કે અભ્યાસક્રમ જરૂર વાંચ્યો હશે.

ઈતિહાસમાં દાંડીકૂચનું એવું તો વર્ણન કરવામાં આવ્યું છે કે જાણે સમગ્ર ભારતની મહાનતમ ધટના હોય..!

બાબા સાહેબ આંબેડકર દ્વારા મહાડ અને બાદ ચવદાર તળાવ ખાતે અછુત સમાજના લોકોને સાર્વજનિક જળાશયમાંથી પીવાનું પાણી મળે તેના માટે જીવનાં જોખમે કરેલ મહાડ અને ચવદાર તળાવ સત્યાગ્રહ નો ક્યાંય પણ ઉલ્લેખ જોવા મળતો નથી. જે વિર્યહીન સવર્ણ ઈતિહાસકારો દ્વારા કરવામાં આવેલી જ્ઞાતિગત કિન્નાખોરીનું ભુંડું ઉદાહરણ છે.

તમારા મતે જીવન જીવવા માટેની મુળભુત જરુરિયાત શું ? મીઠું (નમક) કે પાણી ?

માણસના જીવનમાં મીઠા વગર ચાલે પણ પાણી વિના કંઈ ચાલે ?

જ્યારે ગાંધી મીઠા એટલે કે જીભના સ્વાદ માટે લડી રહ્યા હતા. તે જ વખતે બાબા સાહેબ જીવનની મુખ્ય જરૂરિયાત એવા પીવાના પાણી માટે લડી રહ્યા હતા.

માત્ર ફરક એટલો બાબા સાહેબની લડાઈ અછુતો માટે હતી. જ્યારે ગાંધીની લડાઈ અછુત સિવાયના લોકો માટેની.

કેટલી કરૂણતા કહેવાય ભારત જેવા મહાન ગણાતા દેશમાં સૌથી મહાન ગણાવાતા હિન્દુ ધર્મમાં જ જન્મેલા સમાજનો એક મોટો ભાગ અછુત સમાજ પાણી માટે વલખા મારી રહ્યો હતો. કારણ હિન્દુ ધર્મ મુજબ તેઓ અછુત હતા.

તેમનો સ્પર્શ તો છોડો પડછાયો પડે તો પણ હિન્દુઓ અભડાઈ જતા હતા. તેમને જાહેર સ્થળો પર જવાની બંધી હતી. ગામના જાહેર પીવાના સ્ત્રોતો પરથી પાણી ભરવા પર પ્રતિબંધ હતો. કારણ તેમના અડવાથી તળાવ અભડાઈ જતું.

અછુતો ગંદુ પાણી પીવા મજબુર હતા. ત્યારે અછુતોની વહારે એક માત્ર બાબા સાહેબ આવ્યા હતા. મોટી મોટી ગુલબાંગો પોકારી આઝાદીનાં હોંકારા પડકારા કરતા....કોઈ ગાંધી..નેહર...સરદાર...ટિળક નહી.
એક સમજવા જેવી વાત. ગાંધીનો વિરોધ કોણ કરતા માત્ર અંગ્રેજ.....?

બાકી સમગ્ર ભારત ગાંધીનો પડ્યો બોલ ઝીલવા તૈયાર હતું. હવે વિચારો આટલુ પ્રચંડ સમર્થન હતુ તો પણ ગાંધી અછુતો માટે કંઈ કહેતા કંઈ કરી શક્યા નહી. માત્ર હરિજન જેવો એક શબ્દ આપી સંતોષ માની ગયા. તે શું સૂચવે છે.....?

બાબા સાહેબે તમામ હિન્દુઓ, સંગઠનો, પક્ષોના ભયંકર વિરોધ વચ્ચે. પોતાને જાનથી મારી નાખવાની ધમકી મળવા છતાં. પોતાનો જીવ જોખમમાં મુકી. પોતાના અછુત સમાજને પાણી મળી રહે તે માટે મહાડ સત્યાગ્રહ કર્યો હતો.

દુખની વાત તો એ છે કે બાબા સાહેબે મહાડ તળાવમાંથી ખોબો ભરી પાણી પી.. તળાવ અછુતો માટે ખુલ્લુ મૂક્યુ. તેમની સાથેના અન્ય આંદોલનકારીઓએ પણ તળાવમાંથી પાણી પીધું. (પણ બીજા દિવસે ગામના ઉચ્ચ હિન્દુઓએ તે જ તળાવમાં ગાયનુ મુત્ર, છાણ અને બીજી વસ્તુઓ નાખી તેનું શુધ્ધિકરણ કર્યુ હતુ. કારણ હિન્દુઓના મત મુજબ બાબા સાહેબે તળાવ અભડાવી દીધુ હતુ)

મહાડ અને ચવદાર એ બન્ને સત્યાગ્રહ બાબા સાહેબના હતા એટલે ઈતિહાસમાં ક્યાંય તેની ઝાઝી નોંધ નથી. કારણ એ આંદોલન અછુતોનું હતું. મનુવાદીઓનું નહી.
મિત્રો હવે જ્યારે પણ તમને તરસ લાગે અને ત્યારે તમે ફ્રીજમાંથી બોતલ કાઢી કે માટલામાંથી ગ્લાસ ભરી તરસ છીપાવવા પાણી હોઠે લગાવો ત્યારે બાબા સાહેબને મનોમન યાદ કરી લેજો.

દરેક અસ્પૃશ્યના શરીરમાં નસ નસમાં ફરી રહેલા પાણી અને લોહી બન્નેનાં એક એક ટીંપા ઉપર બાબા સાહેબનું કદીય ન ચૂકવી શકાય તેવું દેવું છે.
જિગર શ્યામલન


Facebook Post :

December 14, 2017

વ્યક્તિગત નિષ્ફળતાનું ઠીકરું દલિતોના આંતરીક જાતિવાદના માથે ફોડાય નહીં

By Raju Solanki  || 29 November 2017 at 17:56 




આજકાલ કેટલાક નિષ્ણાત, વિદ્વાન મહાપુરુષો ફેસબુક પર દલિતોના આંતરીક જાતિવાદ વિષે એમના છીછરા જ્ઞાનનું વરવું પ્રદર્શન કરી રહ્યા છે. ખાસ કરીને ચૂંટણીમાં કોઈ હારી જાય તો એની હાર માટે તેઓ દલિતોના આંતરીક જાતિવાદને જવાબદાર ઠેરવે છે. ચૂંટણીઓમાં ઉમેદવારોની હારજીતમાં ઘણા પરિબળો નિર્ણાયક હોય છે. પક્ષની પ્રતિષ્ઠા, મતદારોની લાગણી અને ઉમેદવારની વ્યક્તિગત ઇમેજ જેવા અસંખ્ય કારણોથી હારજીત નક્કી થાય છે. આંતરીક જાતિવાદ તો આવા દસ પરિબળો પૈકીનું એક હોય છે, એકમાત્ર પરિબળ નથી હોતું.

1995માં અમદાવાદના શહેરકોટડા મતવિસ્તારમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર વાલજીભાઈ પટેલ રોહિત જાતિના હોવાથી વણકર મતદારોએ એમને મત આપ્યા નહીં એવો કુતર્ક આવા નિષ્ણાતો કરી રહ્યા છે. એમના રાજકીય અજ્ઞાનની દયા ખાવા જેવી છે. એમને ખબર જ નથી કે આ જ મતવિસ્તારમાં માત્ર ત્રણ વર્ષ પછી થયેલી નવમી વિધાનસભાની ચૂંટણીમાં જીતુ વાઘેલા નામના રોહિત જાતિના ઉમેદવારને લોકોએ ચૂંટી કાઢ્યા હતા. જે તે સમયે લોકો કઈ બાબતને અગ્રતા આપે છે એ મહત્વનું છે. 1998માં શહેરકોટડાના લોકોએ હિન્દુત્વની અપીલને વધારે સમર્થન આપ્યું હતું, જ્યારે 1995માં વાલજીભાઈ પટેલ સામેના કોંગ્રેસના ઉમેદવાર અને તત્કાલીન પ્રધાન મનુભાઈ પરમારની કાર્યશૈલીથી નારાજ થયેલા લોકોએ તેમને હરાવ્યા હતા. આવી સીધીસાદી વાતમાં પેટાજાતિવાદ ઘુસાડતા લોકો ખરેખર માનસિક રોગીઓ છે.

શંકરસિંહના પ્રીતિપાત્ર પ્રવિણ રાષ્ટ્રપાલ પાટણ મતવિસ્તારમાં મહેશ કનોડીયા જેવા લોકપ્રિય કલાકાર સામે ચૂંટણી લડ્યા ત્યારે કઈ રીતે જીત્યા હતા? રાષ્ટ્રપાલે મતદારોમાં ‘ગાયક જોઇએ કે લાયક જોઇએ?’ એવું સૂત્ર પ્રચલિત કર્યું હતું અને લોકોએ તેમનો મેસેજ સરસ રીતે ઝીલ્યો હતો. વણકરોની બહુમતિ ધરાવતા વિસ્તારોમાં રાષ્ટ્રપાલને સારો પ્રતિસાદ મળેલો અને વણકર જાતિના અને એ જ પંથકના વગદાર પાટણવાડા પરગણાના માનીતા એવા મહેશ કનોડીયા હારી ગયા હતા. પાંચ વર્ષ પછી રાષ્ટ્રપાલ ફરી આ જ મતવિસ્તારમાં ઉભા રહ્યા ત્યારે હારી ગયા હતા. લોકોને એમની કામગીરીમાં કોઈ ભલીવાર ના પણ લાગ્યો હોય કે પછી એમના જ પક્ષના કોંગ્રેસીઓએ (ત્યારે વાઘેલા કોંગ્રેસમાં ઘુસી ગયા હતા) તેમને હરાવ્યા હોય. ઘણા કારણો હશે. પેટાજાતિવાદથી બધું સંચાલિત થતું નથી.

કોંગ્રેસ અને ભાજપમાં પેટાજાતિવાદ ચાલે તો વાંધો નથી, પરંતુ બીએમપી કે બીએસપીમાં ચાલવો ના જોઇએ. આ આદર્શ તો સારો છે, પરંતુ સિત્તેર વર્ષથી મનુવાદી પક્ષોમાં કામ કરીને સવર્ણોની લાળ ચાટી ચાટીને પેટાજાતિવાદથી વિકૃત થયેલા દલિતો રાતોરાત થોડા સુધરવાના છે? થોડોક તો સમય આપો.

September 04, 2017

જાણો "ગોબરહા" શું છે.

By Raju Solanki  || 1 September 2017 at 17:40



ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારોમાં અછૂતોને વેતન તરીકે ‘ગોબરહા’ના નામે ઓળખાતા અનાજના દાણા આપવામાં આવે છે. ગોબરહા એટલે પશુના છાણમાં રહેલા દાણા. માર્ચ કે એપ્રિલના મહિનામાં જ્યારે પાક તૈયાર થઈ જાય ત્યારે લણણી કરવામાં આવે અને પછી સૂકવીને તેને ખળામાં વેરવામાં આવે. બળદોને તેના પર ચલાવવામાં આવે. તેમની ખરીઓના દબાણથી દાણા કણસલામાંથી છૂટા પડે. બળદો ચાલતા ચાલતા કણસલાં ને ડૂંડાં ખાતા જાય. એટલું બધું ખાય કે દાણા પચાવી પણ ના શકે. બીજા દિવસે તેમના જઠરમાંથી પચ્યા વગરના દાણા છાણમાં નીકળે. આ છાણમાંથી દાણા છૂટા પાડીને અછૂતોને મહેનતાણા પેટે આપવામાં આવે છે. તેમાંથી લોટ દળાવીને અછૂતો ખાય છે.
- ડો. બાબાસાહેબ આંબેડકર ( Volume 5 , Outside the Fold)

હવે એટલું જ વિચારો કે બાબાસાહેબે આ લખ્યું ના હોત તો કયા લિબરલ, ડેમોક્રેટ, રેશનલ, પ્રોગ્રેસિવ, લેફ્ટ સવર્ણ હિન્દુએ તમારો આ ઇતિહાસ લખ્યો હોત ...



Original text Written By Dr Ambedkar  :
The wages paid to the Untouchables are either paid in cash or in corn. In parts of the Uttar Pradesh the corn was given to the Untouchables as their wages is called “Gobaraha”. “Gobaraha” means privy corn or corn contained in the dung of an animal. In the month of March or April when the crop is fully grown, reaped and dried, it is spread on the threshing floor. Bullocks are made to tread over the corn in order to take the corn out of husk by the pressure of their hooves. While treading over the corn, the bullocks swallow up the corn as well as the straw. As their intake is excessive they find it difficult to digest the corn. Next day, the same corn comes out of their stomach along with their dung. The dung is strained and the corn is separated and given to the Untouchable workmen as their wages which they convert into flour and make into bread.
( Writings and Speeches Volume 5 Page 23-24, Outside the Fold)

July 17, 2017

અસ્પૃશ્યતા : ગાંધીજી માટે માત્ર Part time business ,જ્યારે બાબા સાહેબ માટે Full time Aim




ભારતમાં હિન્દુ ધર્મમાં મનુસ્મૃતિ આધારીત રચાયેલ ચાતુર્વર્ણીય વ્યવસ્થામાં અસ્પૃશ્યો તથા પછાતોએ સદીઓ સુધી શારીરીક,માનસીક યાતનાઓ અને જાતિગત અપમાન સહન કર્યા. જો કે એ વાત ખાસ વિચારવા જેવી છે કે કુલ જન સંખ્યામાં અસ્પૃશ્યો તથા પછાતોની સંખ્યા 75 થી 80% હોવા છતાં માંડ 5 થી 8% જન સંખ્યા ધરાવતા લોકો અસ્પૃશ્યો તથા પછાતોને સદીઓ સુધી ગુલામ બનાવી રાખી શોષણ કરતા રહ્યા. એની પાછળનું કારણ અસ્પૃશ્યતા તથા જાતીવ્યવસ્થા ને મળેલ ધર્મનું સમર્થન.
ભારતમાં જ ભક્તિ આંદોલન, સતિપ્રથા વિરોધ, વિધવા પુનર્લગ્ન અને બાળલગ્નો જેવા વિવિધ વિષયો પર સમયાંતરે આંદોલનો થયા પરંતું સદીઓથી હિન્દુ ધર્મમાં નરકની યાતના ભોગવી રહેલા અસ્પૃશ્યો તથા પછાતોને સમાજની મુખ્યધારામાં લાવવા કે તેમના માનવીય અધિકારની પ્રાપ્તિ થાય એ માટે કોઈ આંદોલન કરવામાં આવ્યુ હોય તેવુ બન્યું નથી. 
હિન્દુ ધર્મમાં અસ્પૃશ્યતા અને વર્ણ વ્યવસ્થાને ધર્મનું સજ્જડ પીઠબળ આપવામાં આવેલ હતું એટલે ધર્મની આજ્ઞા જ એવી હતી કે અસ્પૃશ્યો પીડાતા રહે.
ભારતમાં અસ્પૃશ્યતા નિવારણ માટેનો ખરો Do or Die વાળો જંગ બાબા સાહેબના સંકલ્પ પછી જ શરુ થયો હતો એ કહેવામાં સહેજે અતિશયોક્તિ નથી.
વચ્ચે વચ્ચે ગાંધીજીની હરિજન ઉધ્ધારની પ્રવૃત્તિઓ દેખા દેતી હતી. જે કામ ઓછું પણ દેખાડો વધુ જેવી હતી. ગાંધીજી પોતે વર્ણ વ્યવસ્થાનાં ચુસ્ત હિમાયતી હતા. એ પોતે વર્ણ વ્યવસ્થાને ઈશ્વરીય વ્યવસ્થા ઓળખાવતા હતા. ગાંધી અસ્પૃશ્યોના ઉધ્ધાર કરવાની વાતો કરતા હતા પણ....વર્ણ વ્યવસ્થામાં કોઈ પણ જાતનો હસ્તક્ષેપ કર્યા વગર. જે કદીય શક્ય ન હતું.
બાબા સાહેબ વર્ણ વ્યવસ્થાને પડકારી કોઈ પણ જાતની દયા ખાધા વિના સાહજિક રીતે અસ્પૃશ્યો તથા પછાતો સમાજની મુખ્ય ધારામાં સામેલ થાય અને અન્ય લોકો જેવા અધિકારો મેળવે તેનાં પક્ષમાં હતા. 
સાવ સાચા શબ્દોમાં કહીએ તો ગાંધીજી અસ્પૃશ્યોને હરિજન બનાવી આઝાદીની લડાઈમાં જનસમર્થન વધારવા માટે અસ્પૃશ્યોને માત્ર ભીડ તરીકે ઉપયોગ કરવા માંગતા હતા.
કારણ અસ્પૃશ્યતા નિવારણ એ ગાંધીજી માટે માત્ર Part time business હતો...જ્યારે બાબા સાહેબ માટે Full time Aim.
જિગર શ્યામલનનાં જયભીમ.................

June 30, 2017

શહેરી જાતીવાદ : સમય સાથે જાતીવાદ સ્વરુપ બદલતો રહે છે

By Prashant Leuva

અમારા વિસ્તારમાં ત્રણ દુકાન છે. પહેલી દુકાન પટેલ ભાઈની, વચ્ચેની અમારી અને ત્રીજી બીજા એક પટેલ ભાઈની. ૧૫ વર્ષથી કોઈ જાતનો કશો ભેદભાવ નહિ, રોજ બેસવા ઊઠવાનું સાથે. ખરો કિસ્સો હવે થયો. ઘણા વર્ષો પછી મહેનત કરી મારા પપ્પાએ નવું સરસ ડુપ્લેક્ષ લીધું. સ્વાભાવિક રીતે બંને દુકાનદાર પડોશીઓ હરખાયા. સોસાયટી નવી બની હતી એટલે સોસાયટી તરફથી જમણવાર રાખવામાં આવ્યો. દરેક સભ્યોને જોઈએ એટલા પાસ આપવામાં આવ્યા. અમે પણ પાસ લઇ બંને દુકાનદાર પડોશીઓને આપ્યા. પહેલી દુકાન વાળા પાડોશીએ ફટાક કરતો પાસ લીધો અને કહ્યું અમે ચોક્કસ આવશું .ત્રીજી દુકાન વાળા તૈયાર ના થયા આવવા, કહે કે તમારામાં અમે ના આવીએ. મારું છટકયું, ઘણું બોલ્યો પપ્પાને કે શું લેવા આપવા પડે પાસ આમને ? આપણે પણ નહી જઈએ એમના ત્યાં પ્રસંગમાં. મેં પણ આ વાતનો જડબાતોડ જવાબ આપવાનું નક્કી કરી રાખ્યું હતું.
આ બધું પત્યાંને પંદર દિવસ થયા હશે. ત્રીજી દુકાન વાળા માસી આવ્યા એમની દુકાને. હું મારી દુકાને ઉભો હતો. મને કહે કે નવા ડુપ્લેક્ષની પાર્ટી ક્યારે ? કઈ હોટેલમાં જવું છે જમવા ?
મોકો મળી ગયો પછી મને, મેં કહ્યું ઘરે હોટલને પણ ટક્કર મારે એવી વાનગીઓ બનાવીએ, તમે તૈયાર થઇને આવો ફેમીલી. એમણે કહ્યું ના ઘરે તો ના આવીએ.
મેં કહ્યું અચ્છા એમ ? ઘરે આવવું હોય તો આવજો બાકી હોટેલ ફોટેલ માં કોઈ દિવસ નહિ...અને હા તમારા ઘરે અમે આવીશું એવી કોઈ ખોટી આશા ના રાખતાં હવે...ભૂલી જજો કે અમે આવીશું...
માસી ત્યારના હજુ ચુપ જ છે એ બાબતે....
આ પોસ્ટ લખાય છે ને ત્રણ દુકાન વાળા અમે જોડે બેઠા છીએ !!

- અશાંત

June 29, 2017

ખેર કયારેક તો સુધરશે ને આ લોક..???



By Dr Yashpal Divyaben Kanjibhai
બે ધટના
વષૅ ૨૦૦૪ ધોરણ ૧૦ નુ વેકેશન સામાન્ય રીતે વેકેશન ગામડે જ કરવાનુ થાય ધમાલ મસ્તી ના દિવસો ,
બપોર થાય એટલે ચા પીવાનો ટાઈમ થાય એટલે ઘરના સભ્યો ગ્લાશ પકડાવી દે જા ફલાણા ને ત્યાંથી દુધ લઇ આવ નાછુટકે જવુ પડે ત્યારે દુધ શેર,બશેર,પાશેર ની ગણતરી મા આપતા તળપદી મા સવણૅ ના ઘર લોક ના ઘર કહેવાતા થોઙી ઉંચાઈ પર ધર હોય તમે દુધ લેવા જાવ પણ પગથીયા નહિ ચડવાના , હડધૂત થવાની તૈયારી રાખવાની , પૈસા પણ હાથ મા નહિ આપવાના, નીચે મુકવાના એ લઈ લે
આમ તો દાદા એક ઓફિસર ના શહેરી છોકરા ને બધુ શીખવતા પણ આવા રોજ ના અપમાન ઘુંટડે ઘુંટડે વેકેશન પુરતો પી જતો. એક દિવસ ધીરજ તૂટી અને શબ્દો ની મર્યાદા પણ. ઘર મા ઓહો થઈ ગયુ પટેલ એ સલાહ આપી દાદા શીખવો શહેર ના છોકરા ને કે બહાર જવાથી લોક ના થઈ જવાય... પણ એ ઘટના પછી ધણુ પરિવર્તન આવ્યુ. અમુલ ની થેલી ગામડા સુધી આવી ગઈ, પણ આજે પણ રીત એજ છે . 

ખેર કયારેક તો સુધરશે ને આ લોક..???

૨૦૧૨
ત્યારે મકાન લાયક પૈસા ની સગવડ થઈ ગઈ હતી.  હું અને પપ્પા રોજ પ્લોટ કે મકાન લેવાની ચર્ચા કરતા. પપ્પા એ શોધવાની જવાબદારી મારા પર નાખી ત્યારે મેડીકલ નુ અંતિમ વર્ષ, જ્યા જાહેરાત જોઉ ત્યા કોલ કરુ. દલાલ ફેમિલી ડીઈટેલ પુછે શરુઆત માં ખુશ થઈ જાય પછી હરવેક થી જાતી પુછી લે , જવાબ સાંભળતા જ અવાજ નો ટોન બદલાય. પછી શું, ગલા તલ્લા શરૂ.  લગભગ બધે થી નિરાશા કોઈક એમ કહે મને વાંધો નથી કાલ સવારે સોસાયટીવાળા વાંધો ઉઠાવે, કોઇક કહે થોડો સમય જાત છુપાવી રહો પછી વાંધો નહિ, કોઈ કહે તમારા બજેટ મા નથી વગેરે વગેરે કેટલાય ઢકોસલા સાંભળી ને કંટાળ્યો અંતે નકકી કર્યું મારા સમાજ વચ્ચે જ સારો છુ....

આતો થઈ બે ધટના ની વાત બીજી ધણી વાતો છે પછી કયારેક નિરાંતે

માસૂમ જવાબ : હા લોક છીએ..!!!



મારી પાસે તો તાજો બે મહિના પહેલાંનો દાખલો છે. એક મજૂરણ બાઇ ઘર આગળથી પસાર થઇ રહી હતી. હું બહાર કોમન પ્લોટમાં ખુરશી પર બેઠેલો. મારું મકાન બે માળનું આલિશાન છે. 
મજૂરણને પાણીની તરસ લાગેલી. તે દરવાજા તરફ ગઇ અને મારી દિકરી માસૂમને કહે, "બેનબા, પાણી આપજોને તરસ લાગી છે."

માસૂમ ફ્રિઝમાંથી બોટલ લઇ આવી. કાચના ગ્લાસમાં પાણી ભરી હજી તેને આપી જ રહી હતી..ત્યાંજ સાંસ્કૃતિક સવાલ પૂછાયો! "બેનબા, તમે લોક છો...???"
માસૂમ કહે, "હા લોક છીએ!"

 ખરી હકિકતે માસૂમને જાણ નથી કે 'લોક' એટલે શું? 

હું સાંભળતો હતો મેં માસૂમને કહ્યું, "બેટા, બોટલ પાણી આપ્યાં વિના ફ્રિઝમાં મુકી દે! આપણે લોક નથી! 'અનલોક' છીએ!"
પછી પેલી બાઇને કહ્યું, "અમે જાતના ચમાર છીએ..." 
તે સમજી ગઇ! માસૂમ પાસેથી ભરેલો ગ્લાસ હું ગટગટાવી ગયો..

એ બાઇને કહ્યું, "આ કાચનો ગ્લાસ સ્પેશલ મેં પસંદ કર્યો છે... 70/- રુપિયાનો એક ગ્લાસ છે. બે ડઝન છેક આગ્રા ગયેલો ત્યાંથી લાવ્યો છું. તારા લોક તને આવા ગ્લાસમાં પાણી નહી પીવડાવે..! અહીંથી ચોથી લાઇન લોકની છે. પણ બધાંના દરવાજા લોક હશે..."

હું અંદરથી ઇચ્છતો કે તેનું વધારે સ્વમાન ઘવાય..પણ હું તેને કડવા વે'ણ ન બોલી શક્યો કેમ કે મને ખબર છે કે, આ અજ્ઞાન, આ માનસિક અધોગતિનાં મૂળને પોષણ કોણ આપે છે. કયા વિદ્વાનો આ વ્યવસ્થા ટકી રહે તેવા પ્રયત્ન કરી રહ્યા છે? હું તેમને અહીં રોજેરોજ અરીસો દેખાડું છું..છતાંય તેઓ પોતાના વિકૃત ચહેરા પર લાલીલપેડા કરી સુંદરતાનો ડોળ કરશે..

પૂછનારનો કોઇ વાંક નથી..તે અણસમજુ, અભણ, ગમાર છે. જે શિક્ષિત સવર્ણો છે તે સમાજમાં સૌહાર્દ, સમાનતા, ભાતૃત્વનો વિકાસ થાય તેવું નથી ઇચ્છી રહ્યાં. જો તેઓ ઇચ્છતા હોત તો તેઓએ આંતરીક સામાજિક સુધારણાનું આંદોલન શરું કર્યું હોત!

- વિજય મકવાણા


 બિન દલિત હોવાનો નશો દુનિયાનો સૌથી કેફી નશો છે. એમાં મદહોશ થનારા ભિખારી પણ કરોડપતિ, એજ્યુકેટેડ, સંસ્કારી દલિત કરતા ય પોતાને ઊંચા સમજે છે. અને એટલે જ ભારતના ગરીબો ક્રાંતિ નથી કરી શકતા.
- અરુણ પટેલ

ગોખલા ની રકાબી અને મનોરોગીયો ની ચા

By Vishal Sonara
છુઆછુત તો અત્યારે ન હોય એવુ લાગે છે પણ માનસીક છુઆછુત તો નથી જ ગઈ હજી પણ ખાસ કરી ને ગામડાઓ મા હાલત વધુ ખરાબ છે.
સૌરાષ્ટ્ર ના ઘણા ગામડાઓ મા ચા પીવાની બે ત્રણ અલગ રકાબીયો ને રસોડા (કે જે મોટે ભાગે બાર ની સાઈડ જ હોય) ની બાર ની થાંભલી ના ગોખલા જેવી જગ્યા એ રાખવા મા આવે કે જે થી કોઇ એવી જાતી નો વ્યક્તી આવી જાય કે જે ઉતરતી જાતી નો હોય અને એને ચા પીવડાવવી પડે તો એને એમા ચા આપી શકાય. પાછી ચા પીવડાવવા જેટલી ખાનદાની ખરી આવા માનસીક રીતે બીમાર (જાતિવાદી) લોકો ની.
જો રેગ્યુલર રકાબી મા ચા પીવરાવવામા આવે અને એ રકાબી ઘર મા અન્ય વાસણો સાથે ભળે તો અનર્થ થઈ જાય. અભડાઈ જવાય , દેવી-દેવતા કોપાયમાન થઈ જાય , ભુવા બોલાવવા પડે, પાપ મા પડાય , ધર્મ ભ્રષ્ટ થઈ જાય વગેરે વગેરે જેવી અનેક માન્યતાઓ એમના મગજ મા હોય છે.
હવે જો આવો કોઇ નીચલી વર્ણ નો વ્યક્તિ ચા પી જાય અને એના ચા પીધા બાદ ઘર મા રકાબી લઈ જવી હોય તો વળી ગંગાજળ કે ગૌમુત્ર નો છંટ્કાવ કરવો પડે ને બીજા ઘણા પ્રશ્નો ઉભા થાય એના કરતા બાર નુ બાર જ પતે એ મુખ્ય હેતુ થી આવા ગોખલા પ્રથા અમલી છે હજી હાલ ની તારીખ મા પણ.
પણ અત્યારે ટેકનોલોજી નો જમાનો છે તો આવા પ્રોબ્લેમ મા પણ એ જ કામ આવે ને..!!! હવે એ પ્રોબ્લેમ ઘણા અંશે પ્લાસ્ટીક ના ડીસ્પોસેબલ કપ આવી જતા સોલ્વ થઈ ગયો છે.
ડીસ્પોસેબલ ચા ના કપ મા ચા આપી દેવાની ચા પીવાય જાય એટલે ડાયરેક્ટ જે ચા પીવા વાળો હોય એના જ હાથ થી ફગાવી દેવાની દુર એવિ સુવ્યવસ્થીત વ્યવસ્થા નુ સર્જન થઈ રહ્યુ છે.

ટેક્નોલોજી કેટલી કામ મા આવે છે એનો આ તાદ્દશ નમુનો છે...!!!

June 04, 2017

November 1929 : A case of an Untouchable school teacher in a village in Kathiawar, Gujarat

A case of an Untouchable school teacher in a village in Kathiawar, and is reported in the following letter which appeared in the Young India, a journal published by Mr. Gandhi, in its issue of 12th December 1929. It expresses the difficulties he [the letter writer] had experienced in persuading a Hindu doctor to attend to his wife, who had just delivered, and how the wife and child died for want of medical attention. The letter says:

"On the 5th of this month, a child was born to me. On the 7th, she [the letter writer's wife] fell ill and suffered from loose stools. Her vitality seemed to ebb away and her chest became inflamed. Her breathing became difficult and there was an acute pain in the ribs. I went to call a doctor--but he said he would not go to the house of a Harijan, nor was he prepared lo examine the child. Then I went to [the] Nagarseth and Garasia Darbar and pleaded [with] them to help me. The Nagarseth stood surety to the doctor for my paying his fee of two rupees. Then the doctor came, but on condition that he would examine them only outside the Harijan colony. I took my wife out of the colony along with her newly born child. Then the doctor gave his thermometer to a Muslim, he gave it to me, and I gave it to my wife and then returned it by the same process after it had been applied. It was about eight o'clock in the evening and the doctor, on looking at the thermometer in the light of a lamp, said that the patient was suffering from pneumonia. Then the doctor went away and sent the medicine. I brought some linseed from the bazaar and used it on the patient. The doctor refused to see her later, although I gave the two rupees fee. The disease is dangerous and God alone will help us.
The lamp of my life has died out. She passed away at about two o'clock this afternoon."

The name of the Untouchable school teacher is not given. So also the name of the doctor is not mentioned. This was at the request of the Untouchable teacher, who feared reprisals. The facts are indisputable.
    No explanation is necessary. The doctor, in spite of being educated, refused to apply the thermometer and treat an ailing woman in a critical condition. As a result of his refusal to treat her, the woman died. He felt no qualms of conscience in setting aside the code of conduct which is binding on his profession. The Hindu would prefer to be inhuman rather than touch an Untouchable.

( WRITINGS AND SPEECHES OF DR. AMBEDKAR English Volume 12 Page No 687 )
Download Here





(Created By Vishal Sonara)