April 27, 2020

जूठन: एक दलित की आत्मव्यथा की कथा | Book Review

By Madhukar Chauhan  || 24 April 2020


ज्योतिबा फुले ने कहा था- "गुलामी की यातना को जो सहता है, वही जानता है और जो जानता है, वही पूरा सच कह सकता है. सचमुच जलने का अनुभव राख ही जानती है और कोई नहीं." 

ओमप्रकाश वाल्मीकि की ‘जूठन’ हिंदी साहित्य की मौलिक आत्मकथाओं में से एक है. ओमप्रकाश वाल्मीकि कहते हैं- ‘‘दलित जीवन की पीड़ाएं असहनीय और अनुभव-दग्ध हैं। ऐसे अनुभव जो साहित्यिक अभिव्यक्तियों में स्थान नहीं पा सके। एक ऐसी समाज-व्यवस्था में हमने सांसें ली हैं, जो बेहद क्रूर और अमानवीय है। दलितों के प्रति ‘असंवेदनशील भी...। अपनी व्यथा-कथा को शब्द-बद्ध करने का विचार काफी समय से मन में था। लेकिन प्रयास करने के बाद भी सफलता नहीं मिल पा ही थी।...इन अनुभवों को लिखने में कई प्रकार के खतरे थे। एक लंबी जद्दोजहद के बाद मैंने सिलसिलेवार लिखना शुरू किया। तमाम कष्टों, यातनाओं, उपेक्षाओं, प्रताड़नाओं को एक बार फिर जीना पड़ा, उस दौरान गहरी मानसिक यंत्रणाएं मैंने भोगीं। स्वयं को परत-दर-परत उघेड़ते हुए कई बार लगा-कितना दुखदायी है यह सब! कुछ लोगों को यह अविश्वसनीय और अतिरंजनापूर्ण लगता है।’’1

दलित बालक ओमप्रकाश वाल्मीकि को चूहड़ा समझकर हेडमास्टर दिन भर लेखक से झाड़ू लगवाता है। लेखक के शब्दों में- "दूसरे दिन स्कूल पहुँचा। जाते ही हेडमास्टर ने फिर से झाड़ू के काम पर लगा दिया। पूरे दिन झाड़ू देता रहा। मन में एक तसल्ली थी कि कल से कक्षा में बैठ जाऊंगा। तीसरे दिन मैं कक्षा में जाकर चुपचाप बैठ गया। थोड़ी देर बाद उनकी दहाड़ सुनाई पड़ी, ‘अबे, ओ चूहड़े के, *** कहाँ घुस गया... अपनी माँ...’ उनकी दहाड़ सुनकर मैं थर-थर काँपने लगा था। एक त्यागी (सवर्ण) लड़के ने चिल्लाकर कहा, ‘मास्साब, वो बैट्ठा है कोणे में।’ हेडमास्टर ने लपककर मेरी गर्दन दबोच ली थी। उनकी उंगलियों का दबाव मेरी गर्दन पर बढ़ रहा था। जैसे कोई भेड़िया बकरी के बच्चे को दबोचकर उठा लेता है। कक्षा के बाहर खींचकर उन्होंने मुझे बरामदे में ला पटका। चीखकर बोले, ‘जा लगा पूरे मैदान में झाड़ू..नहीं तो *** में मिर्ची डाल के स्कूल से बाहर काढ़ (निकाल) दूँगा।"2 स्कूल के मास्टर से लेकर गाँव-घर के सामन्त व सेठ-साहूकार तक सभी दलित जीवन को लीलने के लिए तैयार बैठे थे। ‘जूठन’ दलित जीवन की मर्मान्तक पीड़ा का दस्तावेज है।

ओमप्रकाश वाल्मीकि जी ने, जातीय अपमान और उत्पीड़न के जीवंत वर्णन के माध्यम से एक दलित की आत्मव्यथा को प्रस्तुत किया है और भारतीय समाज के कई अनछुए पहलुओं को उजागर करते हुए हमारे समक्ष रखा है।

सन्दर्भ-सूची :-
1. वाल्मीकि ओमप्रकाश, जूठन, राधाकृष्ण प्रकाशन, नई दिल्ली, भूमिका
2. वही पृ.सं.-15

डॉ बाबासाहब आंबेडकर का पुस्तक प्रेम

Compiled By Madhukar Chauhan  || 23 April 2020




विश्व पुस्तक दिन के अवसर पर डॉ. बाबासाहब आंबेडकर के पुस्तक प्रेम पर एक नजर करें...

भीमराव स्कूल की पाठ्य पुस्तकें कम ही पढ़ता था। पाठ्य पुस्तकें तो वह सरसरी तौर पर देख लेता था। उसे दूसरी किताबें पढ़ने और संग्रह करने का बेहद शौक था। नई-नई पुस्तकें खरीदने के लिए वह अकसर पिता से जिद करता। रामजी भी पर्याप्त साधन न होते हुए भी बेटे की इच्छा पूरी करते थे। अक्सर वे अपनी दो विवाहित पुत्रियों से पैसा उधार लाते थे। वास्तव में, रामजी ने जान लिया था कि उसका बेटा साधारण बच्चा नहीं हैं। वे उसमे बड़ा आदमी बनने की क़ाबलियत देख रहे थे।

रामजी सूबेदार ने डबल चाल में केवल एक ही कमरा ले रखा था। उसमें पढ़ने के लिए जगह नहीं थी। भीमराव ने इस प्रकार की पुस्तकें पढ़ने के लिए चर्बी रोड़ गार्डन में एक स्थान बना लिया था। स्कूल से छुट्टी होने पर वह उसी अड्डे पर बैठकर पुस्तकें पढ़ा करता था( बाबासाहेब और उनके संस्मरणः मोहनदास नैमिशराय, पृ 57 )।

सूबेदार रामजी को अपने बेटे की पढाई का बड़ा ख्याल रहता था। तब वे लोअर परल के एक ही कमरे में रहते थे। घर के बर्तनों के साथ अन्य सामान और परिवार के लोग उसी कमरे में रहते थे। सूबेदार ने जगह की समस्या का ऐसा समाधान ऐसा निकाला कि वे सांय से लेकर दो बजे रात तक बेटे को सुला देते और दो बजे रात तक स्वयं जाग कर व्यतीत करते और तत्पश्चात भीम को नींद से जगाते और स्वयं सो जाते। दीपक की टिमटिमाती लौ में भीम पुस्तकों को प्रातः होते तक पढ़ता रहता(बाबासाहेब डॉ. बी. आर. अम्बेडकर के सम्पर्क में 25 वर्षः सोहनलाल शास्त्री, पृ. 234 )।

चर्बी रोड गार्डन में जहां भीमराव गैर स्कूली पुस्तकें पढ़ा करते थे, यहीं उसका परिचय कृष्णाजी केलुस्कर से हुआ था। कृष्णाजी केलुस्कर ‘ सिटी विलसन हाई स्कूल’ में सहायक अध्यापक थे। वे तकरीबन प्रति दिन भीमराव को यहां घंटों बैठे पढ़ने में तल्लीन देखा करते थे। एक दिन कृष्णाजी ने पूछा- ‘‘बेटा! तुम किस जाति के हो?’’ भीमराव ने बिना झिझक कहा- ‘‘महार’’( बाबासाहेब और उनके संस्मरणः मोहनदास नैमिशराय , पृ 57)। बालक भीम की स्पष्टता से कृष्णाजी बहुत खुश हुए और वे भीमराव को अच्छी-अच्छी पुस्तकें ला-ला कर देने लगें (डॉ. अम्बेडकरः लॉइफ एॅण्ड मिशनः धनंजय कीर, पृ. 19 )।

अमेरिका से भीमराव ने अपने पिता के मित्र को पत्र लिखा- हमें इस विचार को पूर्णत: त्याग देना चाहिए कि माता-पिता बच्चें को जन्म देते हैं और कर्म नहीं। वे बच्चे के भाग्य को बदल सकते हैं। शिक्षा उत्थान का मूल मन्त्र है। हमें अपने सगे-सम्बन्धियों के बीच इसका अधिकाधिक प्रचार करना चाहिए ।
अमेरिका की कोलम्बिया यूनिवर्सिटी में अध्ययन के दौरान भीमराव को विविध प्रकार की पुस्तकें पढ़ने का एक प्रकार से जुनून था। वे यूनिवर्सिटी की लायब्रेरी में सबसे पहले पहुंच जाते और सबसे पीछे बाहर निकलते। वे हर रोज औसतन 16 से 17 घंटे अध्ययन में बिताते। अवकाश दिन यूनिवर्सिटी की लाइब्रेरी बंद रहने पर वे न्यूयार्क शहर के अन्य पुस्तकालयों की सैर करते। बाजार में पुस्तकों की अन्य दुकानों पर जाकर दुर्लभ ग्रंथों को जहां तक उनकी जेब साथ देती, खरीदते थे। वे प्राय: पुरानी पुस्तकें खरीदते थे।
भीमराव का पुस्तक प्रेम और उनकी अध्ययनशीलता देखकर कोलम्बिया यूनिवर्सिटी के अर्थशास्त्र के प्रोफेसर एडविन आर. ए. सेलिग्मेन उन्हे बहुत चाहते थे। प्रो. सेलिग्मन कोलम्बिया यूनिवर्सिटी की लाइब्रेरी के अध्यक्ष थे। वे भीमराव की प्रतिभा और श्रम-शीलता से प्रसन्न थे। भीमराव अकसर प्रो. सेलिग्मेन के निवास पर जाते और विभिन्न विषयों पर उनसे वार्तालाप करते, अपनी शंकाओं का समाधान करते।
जिस समय अन्य विद्यार्थी सिनेमा, शराब और सिगरेट पर पैसा बहाते थे, उन दिनों भीमराव पुस्तकें खरीदने के सिवा अन्य कोई खर्च नहीं करते थे। शराब और सिगरेट को उन्होनें कभी स्पर्श तक नहीं किया था। केवल बचपन से लगी हुई चाय-पान की आदत वहां अवश्य बढ़ गयी थी। उन्हीं दिनों उन्हें अपनी आंखों पर चश्मा लगाना पड़ा था।
('डा. बाबासाहब आंबेडकर': वसंत मुन प्रकाशक: नेशनल बुक ट्रस्ट, इंडिया, प्रकाशित वर्ष:2004)

भीमराव लन्दन जैसे अंतर्राष्ट्रीय शिक्षा केंद्र से अर्थशास्त्र में विशेषज्ञता और बैरिस्टरी की उपाधि प्राप्त करना चाहते थे।डॉ. भीमराव अम्बेडकर लंदन के लिए जहाज से रवाना हुए। अमेरिका में रहते हुए उन्होंने जो बहुमूल्य पुस्तकें संग्रह की थी, उनमें से कुछ तो वे अपने साथ लिए थे और बाकि को उन्होंने वहीं अपने एक मित्र को सौंप दी।
स्मरण रहे, सन् 1914 में द्वितीय युद्ध छिड़ गया था जो सन् 1916 तक भयंकर रूप धारण कर चुका था। उस समय इंग्लैंड पर भी गोलीबारी हो रही थी। डॉ. अम्बेडकर का जहाज जब इंग्लैंड के निकट पहुंचा तो गोलों की आवाज से यात्री घबराने लगे थे किन्तु डॉ. अम्बेडकर पुस्तकें पढ़ने में तल्लीन थे(आधुनिक भारत के निर्माताः भीमराव अम्बेडकरः डब्लू. एन. कुबेर)।

डॉ. अम्बेडकर को पुस्तकें बहुत प्रिय थी। उनकी पुस्तकों के अध्ययन से तृप्ति नहीं होती थी। वे विश्व की लगभग एक दर्जन भाषाएं जानते थे। कहा जाता है कि उनका निजी पुस्तकालय एशिया में सबसे बड़ा वैयक्तिक पुस्तकालय था। यह उनका पुस्तक प्रेम ही था कि बाद के दिनों में उन्होंने 'पीपुल्स एजुकेशन सोसायटी' की स्थापना की और बम्बई और औरंगाबाद में महाविद्यालय खोले(डॉ. सूर्यभान सिंह : भारतरत्न डॉ अम्बेडकर ; व्यक्तित्व एवं कृतित्व ; पृ 79 )।

एम. एस. सी. , डी. एस. सी. और बार-एट-लॉ के अध्ययन की अनुमति प्राप्त होते ही डॉ. अम्बेडकर ने इण्डिया आफिस लायब्रेरी, लंदन स्कूल लायब्रेरी, ब्रिटिश म्यूजियम की विज्ञान लायब्रेरियों में अध्ययन करने और नोट्स लेने का काम शुरू किया। सनद रहे, पूर्व में इन्हीं लायब्रेरियों में विश्व के बड़े-बड़े विचारकों ने बैठकर अध्ययन किया था और अब, उस लिस्ट में भारत में अछूत माने जाने वाली कौम में पैदा हुए डॉ. भीमराव अम्बेडकर का नाम जुड़ रहा था।

मिस्टर जॉन मुंथर ने अपनी पुस्तक 'इनसाइड एशिया' (1938) में लिखा है कि "बाबासाहेब का निजी पुस्तकालय, व्यक्तिगत पुस्तकालयों में संसार में सबसे बड़ा था।" उन्होंने यह भी लिखा है कि "लोग रहने के लिए मकान बनाते हैं, लेकिन डॉ अम्बेडकर ने पुस्तकों के लिए अपना 'राजगृह' बनवाया है। " सन 1938 में उनके पुस्तकालय में लगभग 8000 किताबें थी। वह संख्या उत्तरोत्तर बढ़ती ही गई, घटने का तो प्रश्न ही नहीं था। (1956 में बाबा साहेब के परिनिर्वाण के समय उनके निजी संग्रह में पचास हज़ार पुस्तकें थी। )

संदर्भ ग्रंथ-
1. बाबासाहेब और उनके संस्मरणः मोहनदास नैमिशराय। संगीता प्रका. दिल्ली; संस्करण- 1992
2. बाबासाहेब का जीवन संघर्षः चन्द्रिकाप्रसाद जिज्ञासु। बहुजन कल्याण प्रका. लखनऊ;संस्करण- 1961-82
3. आधुनिक भारत के निर्माताः भीमराव अम्बेडकरः डब्लू. एन. कुबेर। प्रकाशन विभाग, सूचना और प्रसारण मंत्रालय भारत सरकार नई दिल्ली; संस्करण- 1981
4. डॉ. अम्बेडकरः लॉइफ एॅण्ड मिशनः धनंजय कीर। पॉपुलर प्रका. बाम्बे, संस्करण- 1954- 87
5. डॉ. अम्बेडकर; कुछ अनछुए प्रसंगः नानकचन्द रत्तू। सम्यक प्रका. दिल्ली, संस्करण- 2003-16.
6. बाबासाहेब डॉ. बी. आर. अम्बेडकर के सम्पर्क में 25 वर्षः सोहनलाल शास्त्री बी. ए.। सिद्धार्थ साहित्य सदन दिल्ली, संस्करण 1975।
7. डॉ. बाबासाहब अम्बेडकरः वसन्त मून। अनुवा.- आशा दामले। नेशनल बुक टस्ट इण्डिया। संस्करण- 2002
8. डॉ. बी. आर. आंबेडकर: व्यक्तित्व और कृतित्व, पृ. 15 ; डॉ. डी. आर. जाटव। समता साहित्य सदन , जयपुर (राज. ) संस्करण 1984
9. भारतरत्न डॉ. अम्बेडकर , व्यक्तित्व एवं कृतित्व। सम्पादक डॉ रामबच्चन राव, सागर प्रकाशन मैनपुरी , संस्करण-1993
10. દિલના દરવાજે દસ્તક, દલિત અધિકાર
11.ડૉ. રમેશચંદ્ર પરમારના પુસ્તકો
madhukar2611@gmail.com

April 20, 2020

તમને શું લાગે છે? કોરોના રાહત ફંડમાં કૌભાંડ થશે?

By Vijay Makwana  || 30 March 2020

Contributions to PM CARES Fund qualify as CSR expenditure, but not ...
ડિઝાસ્ટર મેનજમેન્ટ એકટ -૨૦૦૫ ની કલમ 50, 60, અને કલમ 70 થી 76 વાંચી જાઓ! તે મુજબ કુદરતી આપદા માં સરકાર જે કોઈ પણ કદમ ઉઠાવે તેને કોઈ લોકલ ઓથોરિટીમાં લોકો ચેલેન્જ ન કરી શકે. માત્ર હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટ જ તેને વાજબી અથવા ગેરવાજબી કહી શકે. એટલે કોઈ પણ પદાધિકારી સામે તમારે ગેરરીતિની ફરિયાદ કરવી હોય તો દરવાજા તમારે ઉચ્ચ ન્યાયાલય ના ખખડાવવાના ! આપદના સમય વખતે સરકાર દ્વારા જે રાહત ફંડ આપવામાં આવે છે તે ફંડ નું ઓડિટ પણ કોઈ સંસ્થા નથી કરી શકતી. રાજ્ય ઓથોરિટી જે ફંડ વાપરે તેનો રિપોર્ટ વિધાન સભામાં તથા લોકસભા માં વાર્ષિક રિપોર્ટ તરીકે રજૂ કરી શકે છે. અને એ વખતે કેન્દ્ર ની કે રાજ્યની સરકાર ને એમ લાગે કે રાજ્યો એ તે ભંડોળ નો દુરુપયોગ કર્યો છે તો જે તે રાજ્યની ડિઝાસ્ટર ઓથોરિટી નો કેન્દ્ર સરકારના આદેશથી અહેવાલ માંગવામાં આવશે. હવે રાજ્ય ઓથોરિટી ના વડા મુખ્યમંત્રી હોય છે! તેમને પોતાના તાબા માં રહેલ ઓથોરિટી નો અહેવાલ મોકલવાનો છે. કેન્દ્રમાં ડિઝાસ્ટર મેનજમેન્ટ ઓથોરિટી ના મુખિયા માત્ર વડાપ્રધાન રહેશે! જેમના હાથમાં તમામ સત્તા રહેશે..

કલમ 50 વાંચો તો એમાં સ્પષ્ટ લખ્યું છે. ઓથોરિટી જે રાહત કામ માટે જે ખરીદી કરે તેના માટે કોઈ ટેન્ડર પ્રક્રિયા નથી કરવાની. ઓથોરિટી ને ઉચ્ચક ખર્ચના બિલ કે રજીસ્ટર સાચવવાથી મુક્તિ અપાઈ છે. તે એટલા માટે કે આપદા માં વિના સંકોચ આવશ્યક ચીજ વસ્તુઓ ઓથોરિટી તત્કાળ ખરીદી શકે.

હવે જોઈએ કોરોના રાહત ફંડના 1 લાખ 70 હજાર કરોડ કયા રાજ્યો કેવી રીતે વાપરે છે. અને કયા રાજ્યોના અહેવાલો ની ટીકા થાય છે. હજી સુધી લોકસભામાં આપદા વ્યવસ્થાપન અહેવાલ બાબતે પક્ષ કે વિપક્ષે બહુ વિરોધ કર્યો હોય તેવું બન્યું નથી. આ વખતે મોટી રકમ છે પણ નરેન્દ્ર મોદી સાહેબ મુખ્ય કર્તા હર્તા હોય તો મને ક્યાં કોઈ ચિંતા છે..?? પણ તમે જ ફરિયાદ કરશો સરકારે કોરોના કૌભાંડ કર્યું. તમારે ફરિયાદ કરવી છે પણ તમે ઉચ્ચ ન્યાયાલય સિવાય ફરિયાદ નહિ કરી શકો. કેમ કે, તમારે કોર્ટમાં ફરિયાદ કરતા પહેલા રાજ્ય સરકાર ની મંજુરી લેવી પડશે. તે મંજૂરી ન આપે તો તમારે 30 દિવસમાં કાનૂની નોટિસ આપવી પડશે. એ નોટિસ નો જવાબ ના મળે તો 15 દિવસની મુદતમાં ઉચ્ચ ન્યાયાલયમાં ફરિયાદ કરવાની. ઉચ્ચ ન્યાયાલય તમારી ફરિયાદ લેવી કે ના લેવી તેનો નિર્ણય લેવા બે માસ ની હિયરિંગ તારીખ નાખશે. આવું કલમ 60 માં જણાવેલ છે.

કોઈ ઓડિટ નહિ. કોઈ ઓડિટર નહિ. કોઈ ફરિયાદ લેનાર નહિ. સાંભળનાર નહિ.. અને 1 લાખ 70 હજાર કરોડ.. સરકારી બાબુઓ અને નેતાઓ ના હાથમાં! તમને શું લાગે છે? કૌભાંડ થશે?

શું તમને એવુ લાગે છે કે બહુજન મુદ્દા ખૂટી ગયા છે???

By Vijay Makwana  || 05 April 2020


એક પોસ્ટ પર એક દોસ્તે ટોણો માર્યો કે, મારી પાસે બહુજન મુદ્દા ખૂટી ગયા છે. મેં જવાબ આપ્યો કે, હું લખતો ન હોઉં એ તમારા માટે ચિંતા નો વિષય છે. કેમ કે જયારે એક બહુજન તરીકે હું લખતો નથી હોતો ત્યારે ફિલ્ડમાં હોઉં છું. અને ફિલ્ડમાં અમે બહુજનો બહુ ખતરનાક હોઈએ છીએ.. વચ્ચે વર્ષ ૨૦૧૭માં મેં લગભગ ૧૦ માસ નો અહીં વિરામ લીધો હતો. તે સમય નો એક મસ્ત કિસ્સો છે. તમને મઝા પડશે..

ઉનાકાંડ તમને યાદ હશે. મેં મારા સામાજિક કાર્યકર દોસ્ત નટુભાઈ ની પ્રશંસા કરેલી. સુરેન્દ્રનગરમાં લગભગ ૧૦૦ થી વધુ સામાજિક કાર્યકરો છે. બધા એકથી એક ચડિયાતા. લગભગની સાથે મારે ઘર જેવા સબંધો છે. હું એકવાર એક સિવિલ દાવો ટાઈપ કરાવી રહ્યો હતો. ત્યાં નટુભાઈ આવી ચડ્યા. મારો અને નટુભાઈ નો રોજ એકવાર તો ભેટો થાય જ..અને તેનું કારણ છે ટાઈપવાળો..મારો અને નટુભાઈનો ટાઈપવાળો એકજ છે. નટુભાઈ નિત્ય લડવાવાળો જુજારું સામાજિક કાર્યકર છે. એ ક્યારેય રજા રાખતા નથી. એમની પાસે અઢળક મુદ્દાઓ છે. લોકોની સમસ્યાઓ અને તેનું કેવી રીતે નિરાકરણ લાવવું એના હજાર આઈડિયા એમની પાસે છે. નટુભાઈ ગમે ત્યારે ટાઈપમાં આવે હું મારું કામ સાઈડ પર મૂકી દઉં છું. અને તેમને ડ્રાફટ તૈયાર કરવામાં મદદ કરી દઉં છું. તે દિવસે તેઓ રાજ્યપાલ શ્રી ને કોઈ સમસ્યા નું નિરાકરણ કરવા પત્ર લખવા આવેલા. અમે આંદોલનની ચર્ચા કરતા હતા. મેં નટુભાઈ ને તે દિવસનું તાજું અખબાર વંચાવ્યું.. એમાં એક કોર્નર પર યોગી આદિત્યનાથ ના સમાચાર હતા. જેમાં લખેલ કે ઉત્તરપ્રદેશ કુશીનગરમાં યોગી આદીત્યાનાથની વિસ્તાર મુલાકાતની યાત્રા હતી. અને કુશીનગર પ્રશાશને દલિતો ને સાબુ અને શેમ્પુ આપી ને કહ્યું કે, મુખ્યમંત્રી આવે છે. તમારે લોકોએ નાહીને આવવું મુખ્યમંત્રીને ગંદા ગોબર લોકો પસંદ નથી. મેં નટુભાઈ ને કહ્યું આ યોગી દલિતોને ન્હાવા ધોવાની સલાહ આપે છે. આનો કોઈક ઉપાય કરવો પડે નટુભાઈ! નટુભાઈ એ કહ્યું: બોલો સાહેબ ! આ યોગીના નાકમાં દમ લાવી દઈએ? એની પાસે માફી મંગાવવી જ છે? મેં કહ્યું: નટુભાઈ મારા શું ભોગ લાગ્યા છે?? અને યોગી ક્યાં મારો સગો છે?? હું શું કામ ના પાડું?? નટુભાઈ એ દિવસે ગયા.. અઠવાડિયા પછી મળ્યા.. આપણે તોડ ગોતી લીધો સાહેબ..!! યોગી માફી માંગશે.. ! એક મહિનામાં નટુભાઈ એ પોતાની જાતે ૧૨૫ કિલોનો સાબુ બનાવ્યો. સાબુ ની બનાવટ માં તથાગત બુદ્ધ ની ડાઈ બનાવી તેમની મૂર્તિ આકારનો સાબુ બનાવ્યો.. અને બીજી ૫૦૦ જેટલી સાબુ ની એવી જ મૂર્તિ સ્વરૂપની નાની નાની ગોટીઓ બનાવી..એક માસ બાદ સીધા ઉત્તરપ્રદેશ! આગોતરા આયોજન મુજબ ત્યાના લોકલ કાર્યકરો અહીં ગુજરાતથી ૩૦ જેટલા લોકો.. એમનું આયોજન હતું યોગી આદિત્યનાથ ને રૂબરૂ ૧૨૫ કિલો નો સાબુ આપવો અને કહેવાનું કે દલિતો ને નહાવાની સલાહ આપવા કરતા તમે આ તથાગત સ્વરૂપ સાબુથી નહાજો અને દલિતો પ્રત્યેની તમારી જે ગંદી માનસિકતા છે. તેને તથાગતના પ્રેરણાદાયક પવિત્ર વિચારોથી ધોઈ નાખજો..!! નટુભાઈ નું બધું કામ પરફેક્ટ હોય..!! આયોજનમાં કોઈ કચાશ ન હોય ન્યુયોર્ક ટાઈમ્સ, ગાર્ડિયન, બીબીસી, સીએનએન, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ધ હિન્દુ બધા ના પ્રતિનિધિઓ તેમને ઓળખે.. અઠવાડિયા આગાઉ તો ઉત્તરપ્રદેશના લોકલ કાર્યકરો દ્વારા લોકલ મીડિયામાં તથા આંતરરાષ્ટ્રીય મીડિયામાં નટુભાઈ એ પ્રચાર કરી દીધેલો. કે ગુજરાતના એક સંગઠનના કાર્યકરો યોગી ને સાબુ આપશે. પણ નટુભાઈ નો આ બાબત સંદર્ભે ગુજરાતમાં કોઈ પ્રચાર નહિ..!! નહિ તો અહીંથી જ યાત્રા અટકી જાય! આ આયોજન માટે નટુભાઈ એ તાત્કાલિક એક અલગ નામથી સંગઠન પણ કાગળ ઉપર બનાવી નાખ્યું..(આ સિક્રેટ રાખવાનો સ્પેશલ કેમિયો છે) હવે બન્યું એવું કે આખે આખો માંચડો લઇ નટુભાઈ ટ્રેન માં બેસી ગયા. બરાબર ઝાંસી સ્ટેશને પહોંચ્યા ઉત્તરપ્રદેશ પોલીસે અધવચ્ચે જ બધાને પકડી લીધા. ઝાંસીમાં જ નટુભાઈ એ ધારણા ચાલુ કર્યા. પોલીસ કોઈપણ સંજોગોમાં આગળ જવા દેવા માંગતી ન હતી. નટુભાઈ એટલે ખેલાડી માણસ! એમને તો ભાવતું હતું ને વૈદે કહ્યું જેવો ઘાટ થયો. તેમણે ઉત્તરપ્રદેશના કાર્યકરો ને કેટલીક માહિતી આપી દીધી. મીડિયા સુધી તે માહિતી પહોંચી ગઈ. અર્ધા કલાકમાં તો આખું મીડિયા ઝાંસીમાં નટુભાઈ પછી ઝાલ્યા ના રહ્યા.. યોગી ને સ્ક્રીન પર ચેલેન્જ આપી દીધી આવતીકાલે બરોબર વિધાનસભા આગળ તમને હાથોહાથ સાબુ આપીશ.. ઉત્તરપ્રદેશ ની લોકલ ચેનલવાળા લોકોએ નટુભાઈ ને સહકાર આપ્યો.. પ્રાઈમ ટાઈમ માં નટુભાઈ ચમક્યા. ઉત્તરપ્રદેશ વિધાનસભાનું સત્ર બીજા દિવસે શરુ થવાનું હતું. નટુભાઈ ઝાંસીમાં હતા લગભગ ઉત્તરપ્રદેશના ૧૦-૧૨ હજાર બહુજન લોકો એકઠા થઇ ગયા.. મોટો તાયફો થઇ ગયો. યોગીના અંગત સચિવ નટુભાઈ ને એ જ રાત્રે મળી ગયા.. કાર્યક્રમ મોકૂફ રાખવા વિનંતી કરી..પણ આ તો નટુભાઈ! કાર્યક્રમ બદલવાની ના પાડી વળતો જવાબ મોકલ્યો.. હું દેશ નો નાગરિક છું. મારા દેશના એક મોટા પ્રાંતના મુખ્યમંત્રી ને મોંઘેરી ભેટ આપવા આવ્યો છું.. હું કોઈ ગુન્હો તો નથી કરી રહ્યો.. તમે યોગીજી ને સમજાવો.. સાબુ લઇ લે..!! બીજે દિવસે યોગી આદિત્યનાથે વિધાનસભા સત્રમાં આ મુદ્દો ઉછળે નહિ ચર્ચા ન થાય તે બીક થી..પોતાના સચિવ મારફત સાબુ ભેટ સ્વીકાર્યો અને કબુલ કર્યું કે કુશીનગર પ્રશાસન ની આ ભૂલ છે. એક મુખ્યમંત્રી તરીકે હું સમાજની માફી માંગું છું. કુશીનગર પ્રશાસનના અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનું વચન આપું છું..

કેટલાક ભગત ને યોગી એટલે તોપનો ગોળો એવું લાગે છે. પણ આવા તોપના ગોળાને અમે નાનકડા બહુજન કાર્યકરો બેઠા બેઠા પોતું મારી ભેજ લગાડી દઈએ છીએ.. ૨૦૧૪ થી ૨૦૨૦ સુધીમાં સાહેબ બહાદુર મંચ ઉપર સાત વખત રડ્યા છે એમાં ચાર વખત અમારા આવા નાના સામાજિક કાર્યકરો એ રડાવ્યા છે. એકવાર સાહેબે ગૌ રક્ષકોને રાત્રીના રખડતા આવારા તત્વો કહેલા! એ શબ્દો સાહેબ કઈ ઘટના ને કારણે બોલેલા તેની પણ એક વિસ્તૃત કથા છે. લોઢું ગરમ થાય ત્યારે હથોડો મારવો આ કહેવત મામુલી કહેવત છે. લોઢું ગરમ થાય ત્યાં સુધી કોણ રાહ જુએ? લોઢું હથોડાથી ટીપાવા સતત ગરમ જ રહે તેવી ટેકનીક દલિત સંગઠનો અને કાર્યકરોએ વિકસાવી છે! એ દલિતો સિવાય કોઈ જાણતું નથી! અંદોલન કેવી રીતે ચલાવવું તેને વિશાળ જન સમુહમાં કેવી રીતે તબદીલ કરવું. સંચાર માધ્યમો વિના લોકો સુધી સંદેશ કેમ પહોચાડવો. કયા મુદ્દામાં કેટલા લોકો ની જરૂર છે. કેટલાની નહિ. વાતાવરણ, પર્યાવરણ, આર્થિક શક્તિ, હેતુ..પ્રતિકુળ બાબતો તેનો અભ્યાસ કરવો..કેટલી સ્ટ્રેટેજી અપનાવવી કેટલી નહિ. ઉપરના નટુભાઈ ના આંદોલનમાં માત્ર ૨૩ વ્યક્તિઓએ હિસ્સો લીધેલો! જેમાં ઉત્તરપ્રદેશના ૯ લોકો હતા. બાકીના ઉત્તરપ્રદેશના ૧૦૦૦૦ લોકો તો મીડિયા લઇ આવેલું... ભાઈઓ! ભારતમાં સરકાર ને કોઈ આયોજન કરવું હોય કે વડાપ્રધાન કે રાષ્ટ્રપતિને ક્યાંય મુલાકાત લેવી હોય તો મહિના અગાઉ અમારા સામાજિક કાર્યકરોની રેકી કરવી પડે છે..આ લોકોના જેટલા આંદોલન હોય તેનો નિકાલ કરો. નહિ તો બધું રફેદફે કરી નાખશે! બીક બીક માં તો સાહેબની સરકાર ચાલે છે.. નથી માનતા? ફિલ્ડ માંથી બીજા કિસ્સા લઇ આવું?



~ વિજયમકવાણા

જે બનવું હોય તે બનજે પણ સહુથી પહેલા ભારતીય બનજે...

By Vijay Makwana  || 07 April 2020


ઇસાપૂર્વ બીજી સદીમાં કુષાણ વંશમાં એક રાજા થઇ ગયો નામ એનું કનિષ્ક. જે એક બૌદ્ધ રાજા હતો. જેના સમયમાં તેણે બૌદ્ધ ધર્મનો ખુબ પ્રચાર કરેલો. પોતાના રાજ્યમાં તેણે પોતાના ચલણી સિક્કાઓ પર ભારતીય સંસ્કૃતિના તમામ ધર્મના પ્રતીકો અને દેવતાઓનું ચિત્રણ કરેલ. તેણે પોતાના રાજમાં ઘણા બોદ્ધ વિહારો બનાવ્યા હતા. ઘણા સ્તુપોની રચના કરી હતી. બુદ્ધચરિત નામના ગ્રંથની રચના કરનાર મહાન બૌદ્ધ દાર્શનિક અશ્વાઘોષ તેના માર્ગદર્શક હતા. કનિષ્ક મહાયાની બોદ્ધ હતો. તેના કાળ સુધી બુદ્ધની મૂર્તિઓ બનતી ન હતી. પણ તેની ઈચ્છા હતી કે ધમ્મ નો પોતાના સામ્રાજ્ય તથા તેના સામ્રાજ્ય સાથે વ્યાપારિક રીતે જોડાયેલા ગ્રીક, યુઆન, અને ચીન જેવા દેશોમાં પણ બોદ્ધ ધમ્મ નો પ્રચાર થાય તે માટે તેણે બુદ્ધની મૂર્તિ બનાવવા અશ્વાઘોષ પાસે પરામર્શ કરેલ. અશ્વાઘોષ જેણે ફોર્થ બુદ્ધિસ્ટ કાઉન્સિલ એટલે કે બુદ્ધ સંગતિ બોલાવી મૂર્તિ બનાવવા નો પરામર્શ કરવા સુચન કર્યું. ચોથી બુદ્ધ સંગતિ કાશ્મીરમાં કનિષ્કએ બોલાવી અને બુદ્ધની પ્રથમ મૂર્તિ બની..! કનિષ્ક એ બુદ્ધની આકૃતિ કંડારેલા ૮૪૦૦૦૦૦ સોનાના સિક્કા ચલણમાં મુક્યા. મ્યાનમાર થી ગ્રીસ સુધી જતા સિલ્ક રૂટ પર હજારો બુદ્ધ મૂર્તિ તથા વિહારોની સ્થાપના કરી.. કુષાણ આમ વિદેશી પ્રજા હતી પણ કનિષ્ક ચાર ચાર પેઢીથી ભારતમાં રહેતો હતો તેથી ભારત ને પોતાની માતૃભૂમિ કહેતો હતો..જીવન ના અંત સમયમાં મરણ પથારીએ રહેલા કનિષ્ક એ પોતાના પુત્ર હવીષ્ક ને જે સલાહ આપી તે આ મુજબ છે..

“પુત્ર.! ભારત ની આ ધરતી આપણી માતા છે. અને આપણે તેના સંતાનો. માતા અને સંતાન નો આ સબંધ સહુથી પવિત્ર સબંધ છે. આપણે સહુ માતાના ગર્ભમાંથી જન્મ લઈએ છીએ અને આ ધરતી માતાના ગર્ભમાં સમાઈ જઈએ છીએ. અને જ્યાં સુધી ધરતી પર શ્વાસ લઇએ છીએ આપણી દરેક જરૂરિયાત આ ધરતી માતા પૂરી કરે છે. એટલે આપણે તેની ઉપાસના કરીએ છીએ. સૂર્ય આપણને ઉર્જા આપે છે એટલે આપણે તેની ઉપાસના કરીએ છીએ. ચંદ્રમા આપણને શીતળતા આપે છે એટલે જ આપણે તેની ઉપાસના કરીએ છીએ. આપણને જીવન પ્રદાન કરવા માટે થઈને આપણે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. તું સિંધુ, ગંગા, યમુના, કુંભા વિગેરે ને પોતાની માતાઓ ગણજે. ક્યારેય વૈદિક, અવૈદિક, બ્રાહ્મણ, બૌદ્ધ માં ભેદભાવ ન કરતો. મારા પિતા શિવના ઉપાસક હતા પણ દરેક દેવતાઓનું સન્માન કરતા હતા. હું બુદ્ધનો ઉપાસક છું પણ મેં તમામ દેવતાઓનું સન્માન કર્યું છે. આજ ભારત છે! પોતપોતાના દેવતાઓમાં વિશ્વાસ કરવો એ વ્યક્તિગત ધર્મ છે. પણ એક ધર્મ એ પણ છે જે તમામ ધર્મોની ઉપર છે. અને તે છે રાષ્ટ્રધર્મ! આ ધર્મ રાજાઓને ચલાવે છે. અને પ્રજાનું પાલન કરે છે. એટેલે તું હમેશા એ યાદ રાખજે કે, રાષ્ટ્ર ધર્મથી મોટો કોઈપણ ધર્મ નથી હોતો.. આ જ ભારતની અસલી સંસ્કૃતિ છે..! ‘સા પ્રથમા સંસ્કૃતિવિશ્વવારા’ એવું યજુર્વેદમાં લખેલું છે. જેનો મતલબ છે ‘આ વિશ્વને ધારણ કરવાવાળી પોષણ કરવાવાળી સંસ્કૃતિ છે. એનો અનુયાયી બનજે. અને એનું રક્ષણ કરજે. તારે બૌદ્ધ બનવું હોય તો બૌદ્ધ બનજે ! જૈન બનવું હોય તો જૈન, શૈવ બનવું હોય તો શૈવ બનજે! જે બનવું હોય તે બનજે પણ સહુથી પહેલા ભારતીય બનજે..”

~ વિજયમકવાણા

વિજ્ઞાન વિશે એક મઝાની વાત...

By Vijay Makwana  || 16 April 2020

Science versus Religion

વિજ્ઞાન વિશે એક મઝાની વાત હોય તો એ છે કે, વિજ્ઞાન હંમેશા ટીકાઓ માટે
અને ચર્ચાઓ માટે તૈયાર રહે છે. એના માં ખુલ્લાપણું ખુબ છે. એ બંધિયાર
નથી. દુનિયામાં ઘણી શક્તિઓ એવી છે કે જે વિજ્ઞાન ને પણ ધર્મ બનાવવાની
મથામણ કરે છે. પણ વિજ્ઞાને પોતે પોતાના માટે એક નિયમ બનાવ્યો છે. પોતાના
નિયમો સાર્વજનિક હોવા જોઈએ અને તેની સાર્વજનિક ચર્ચા થવી જોઈએ. આપણે જોઈ શકીએ છીએ કે આપણે આઇન્સ્ટાઇન ના નિયમોમાં ત્રુટી છે તે જોઈ શકીએ છીએ. કારણ કે, આઇન્સ્ટાઇન ના નિયમને જૂઠા સાબિત કરતા બીજા સાયન્ટીફીક પેપર્સ આપણી પાસે હાલ મોજુદ છે. દરેક વ્યક્તિ અહીં ગણિત શીખી શકે છે. અને એ પણ બિલકુલ નવીનતમ ગણિત. તે મોનોગ્રાફ વાંચી શકે છે. આર્ટીકલ વાંચી શકે છે. વિજ્ઞાનસભાઓમાં જઈ શકે છે. બીજા વિજ્ઞાનીકો સાથે લાંબી લાંબી ચર્ચાઓ કરી શકે છે અને પોતાનું સત્ય તારવી શકે છે. આ ખુલ્લાપણું વિજ્ઞાનની અમોઘશક્તિ છે. જેની સામે ધર્મ વિકલાંગ બની જાય છે. ધર્મ હંમેશા બંધિયાર રહ્યો છે. તેમાં પરિવર્તનની કોઈ શક્યતા નથી. તેના નિયમો કેમ આવ્યા તે કાયમ રહસ્ય રહ્યાં છે. કેમ કે ધર્મના નિયમ વિષે સાર્વજનિક ચર્ચા થવાનો સંભવ શક્ય નથી. નિયમ સામે શંકાઓ નથી થઇ એટલે તે બદલાયા નથી. ધર્મના નિયમો અફર છે કેમ કે તેને એક પ્રકારે આદરથી જોવામાં આવે છે. કેમ કે તેના પર ઈશ્વરનો માર્કો લગાવવામાં આવે છે. જેથી તે નિયમ હંમેશને માટે એક રહસ્ય બની જાય છે. અને એટલે જ ધાર્મિક શિક્ષણ વિકૃત બની ગયું છે. ધર્મના સત્તાધીશો જે અનુયાયીને સમજાવે તે તેમના માટે આખરી શબ્દ હોય છે. કોઈ સામાન્ય વ્યક્તિ તે નિયમને પડકારી નથી શકતો કે તેનું સાચું અર્થઘટન નથી કરી શકતો..

~ વિજયમકવાણા

એક પદયાત્રા, ત્રણ તસવીર

By Raju Solanki  || 12 April 2020


આજે મારા એક કઝિનનું મૃત્યુ થયું. સવારે દસ કલાકે એની અંતિમક્રિયા દૂધેશ્વર સ્મશાગૃહમાં થઈ. કઝિન કોટના વિસ્તાર રહેતા. ત્યાંથી સ્વજનો શબવાહિનીમાં એમના મૃતદેહને લઇને નીકળ્યા. મારી પાસે વાહન નથી. એટલે હું ઘરેથી ચાલતો ચાલતો દૂધેશ્વર જવા નીકળ્યો. 5 કિમી. જવાના. 5 કિમી. આવવાના.

10 કિમીની આ પદયાત્રામાં મેં મારા મોબાઇલથી ત્રણ ફોટા પાડ્યા. પહેલો ફોટો દૂધેશ્વર વોટર વર્ક્સ પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સઘન કચરાનો નિકાલ કરતા વાહનનો છે. બે સફાઈદૂત નગ્ન હાથે કચરો ભરેલી લારીમાંથી ડબ્બા ઉપાડી ઉપાડીને વાહનમાં ઠાલવતા હતા. મેં એમને પૂછ્યું, તમને ગ્લોવ્ઝ નથી આપ્યા?. પોતાની કામગીરીમાં મસ્ત એ લોકોએ મારા સવાલનો તુરંત જવાબ ના આપ્યો. હું ઉભો રહ્યો. પંદર સેકન્ડ પછી એકે કહ્યું કે ગ્લોવ્ઝ આપ્યા છે, પરંતુ એનાથી પક્કડ રહેતી નથી. કામ કરતા ફાવતું નથી. મેં કહ્યું એક ફોટો પાડું તમારો. એમને ફોટો પડાવવામાં રસ જ નહોતો. ફોટામાં આ જે માણસ ઝીલાયો છે, એનો સાથીદાર તો હું ક્લિક કરું એ પહેલા ફ્રેમની બહાર નીકળી ગયો.

આ કેવા માણસો છે. અહીં કોરોના-યુગમાં લોકો ઘરમાં બેસીને ગિટાર વગાડે, ડાન્સ કરે, પત્તા રમે, ગીત ગાય, અંતાક્ષરીઓ રમે, એના ફોટા પાડે, વીડીયો બનાવે, સોશીયલ મીડીયામા મૂકે અને ટીવી ચેનલો પર સ્ટે હોમ, સ્ટે હેપ્પીના સંદેશ સાથે દર્શાવાય અને અહીં આ સફાઈ કામદારોને ફોટા પડાવવામાં સહેજે રસ નથી.

બીજો ફોટો દૂધેશ્વર સ્મશાનમાં મૂકાયેલી #દધિચિ ઋષિની પ્રતિમાનો છે. આ પ્રતિમા અગાઉ સ્મશાનમાં નહોતી. પ્રતિમાની નીચે #દધિચિ ઋષિની કપોળ કલ્પિત કહાની છે. વૃત્રાસુરે દેવલોક પર આક્રમણ કર્યું. ઇન્દ્ર ભાગી ગયો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પાસે ગયો. એમણે કહ્યું કે અમારી પાસે કોઈ શક્તિ નથી, પંરંતુ દધિચિ ઋષિ પાસે જા. એના હાડકા તપસ્યા કરીને કઠોર થઈ ગયા છે. ઇન્દ્ર દધિચિ પાસે ગયો. એના હાડકા માંગ્યા. એમાંથી વજ્ર બનાવ્યું અને વૃત્રાસુરનો નાશ કર્યો.

કહેવાય છે કે દધિચિએ માનવજાતિનું કલ્યાણ કર્યું. મને કાયમ એ સવાલ થાય છે કે દધિચિએ તો ટ્રમ્પ જેવા લબાડ, નાલાયક, ઐયાસ, હરામી ઇન્દ્રની ગાદી બચાવવા માટે એના હાડકા આપેલા. આમાં માનવજાતિનું કલ્યાણ ક્યાંથી આવ્યું?. હજારો હિન્દુઓ આવી વાર્તા સ્મશાનમાં વાંચે છે. મનુવાદની આ બૂનિયાદ છે.

ત્રીજી તસવીર શાહીબાગની પોલિસ કમિશનરની કચેરીની સામે ફુટપાથ પર બેઠેલી વૃદ્ધાની છે. એને ભારતમાતા જ કહોને. કોરોનાના કપરા કાળમાં આ ઘરવિહોણી મહિલા શહેરના પોલિસ કમિશનરની કચેરીની સામે જ બેસી રહે છે. જોડે એના મોંઘેરા અસબાબ જેવી પ્લાસ્ટિકની થેલીઓ છે. એને કોરોનાની લગીરે બીક નથી. આ તસવીર વિસ્થાપિત ભારતની છે.

ત્રણ તસવીરો. બે તસવીરો જીવાતા જીવનની છે. એક તસવીર દંતકથાની છે.. ત્રણેય તસવીરોને જોડનારો એક તંતુ છે. ભારત દધિચિની કપોળ કાલ્પનિક કહાનીમાં રાચતું રહેશે ત્યાં સુધી એના સફાઈદૂતોને, એના વિસ્થાપિતોને ન્યાય નહીં મળે.

બહુ દિવસે આવી પદયાત્રા કરી. ઘરે આવ્યો ત્યારે થાકી ગયો. પરંતુ ત્રણ તસવીરોની આ કથા લખવાથી મારો થાક ઉતરી ગયો.

- રાજુ સોલંકી

કોરોના-યુગની કઠણાઈ

By Raju Solanki  || 12 April 2020


India ranks below Pakistan, Lanka in Global Hunger Index, report ...
સરસપુર, પોલિસ ચોકીની બાજુમાં આવેલા કડીયાવાડમાં રહેતા રાજુ ભાવસાર રમકડાં, ફુગ્ગા વેચીને ગુજારો કરતા હતા. લોકડાઉનમાં એ પણ બંધ થઈ ગયું. 65 વર્ષના રાજુભાઈ એકલા જ રહે છે. પરીવારમાં બીજું કોઈ નથી. થોડાક દિવસો પહેલાં કડીયાવાડમાં પોલિસ સરવે કરવા આવેલી. રાજુભાઈ છેક અંદરના ભાગમાં કહે છે. કોઇએ એમનું નામ આપેલું નહીં. એટલે ફુડ પેકેટ પણ મળ્યા નહીં. હવે શું કરવું કોર્પોરેશનના અધિકારીઓ ફોન ઉઠાવતા નથી, એમ તેમણે જણાવ્યું હતું.

એસજી હાઇવે પર ગ્રાન્ડ ભગવતીની સામે આવેલી ધી ગ્રાન્ડ ઇડન હોટલના માલિક જયસુખ ભટ્ટ જણાવે છે કે એમણે છ છોકરાઓને એમની હોટલમાં આશરો આપ્યો છે. છેક કોલકાતા છે. અહીં મજુરી કરતા હતા. લોકડાઉનના કારણે વતનમાં પાછા ફરી શક્યા નથી.

વસ્ત્રાલ-ઓઢવવની વચ્ચે, પાંજરાપોળની પાછળ, તનમન ભાજીપાંઉની સામે ઔડાના ચાર માળીયા નામે સત્યમ આવાસ છે. અહીં અંદાજે 2000ની વસતી છે. છૂટક મજુરી કરતા આ લોકો હાલ ભૂખે મરે છે.

મધુરમ ફ્લોરા, ચાંદખેડાથી રમેશ પરમાર જણાવે છે કે, એમના ત્યાં બાંધકામની વિવિધ સાઇટો પર કામ કરતા 60 મજુરો તકલીફમાં છે. વારાણસી, બલીયા બાજુના આ મજુરો લોકડાઉનના કારણે ચાંદખેડામાં ફસાઈ ગયા છે અને હવે તેમને ખાવાના ફાંફા છે. રમેશભાઈ પોતે સીઝનલ ધંધો કરતા હતા. કાગળની થેલીઓ બનાવીને દુકાને દુકાને ફરીને વેચતા હતા. એમનો ધંધો પણ હવે બંધ થઈ ગયો છે.

ન્યૂ રાણીપ શિવદર્શન સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા રોબર્ટ ક્રિશ્ચિયન સિક્યોરિટીમાં નોકરી કરતા હતા. હાલ બેકાર થઈ ગયા છે. એમને શ્વાસની તકલીફ છે અને ઉપરથી હવે ખાવાના ફાંફા છે.

ઓમનગર, ફાટકની જોડે, ક્વાટર્સની બાજુમાં ખાડાવાળી ચાલીમાંથી વિનોદ પરમાર જણાવે છે કે, અહીં છાપરામાં 75 પરીવારો વસે છે. તેઓ નરોડા ફ્રુટ માર્કેટમાં મજુરી કરતા હતા. હાલ માર્કેટ બંધ છે. તેઓ સૌરાષ્ટ્ર બાજુના છે. વિસ્તારના ધારાસભ્ય વલ્લભ કાકડીયાને ફોન કરતા તેમણે તેમના વોર્ડ પ્રમુખ ભાવિન જોડે વાત કરવા જણાવેલું. પણ કશું થયું નથી.

શાહપુર, મહેંદીકુવા, કાઝીમિયાંની ચાલીમાં વીસ પરીવારો ભાડાના મકાનોમાં રહે છે. તેઓ છૂટક મજુરી કરતા હતા. હાલ તકલીફમાં છે, એમ જગદીશભાઈ તુલસીભાઈ બોડાણા જણાવે છે.

- રાજુ સોલંકી

April 19, 2020

કોરોનાનો પડકાર

By Raju Solanki  || 17 April 2020



કોરોના વાયરસનું ઉત્પત્તિસ્થાન ચીન છે. અંગ્રેજીમાં તેને ગ્રાઉન્ડ ઝીરો કહે છે. ચીની વૈજ્ઞાનિકોએ વુહાનમાં કોરોના વાયરસનો ચેપી રોગચાળો ફાટી નીકળ્યો પછી જેને સૌથી પ્રથમ કોરોનાનો ચેપ લાગેલો એ વ્યક્તિને શોધી કાઢેલી. આવી વ્યક્તિને પેશન્ટ ઝીરો કહે છે. આવી વ્યક્તિ કે વ્યક્તિઓના શરીરમાંથી મળેલા કોરોના વાયરસના ડીએનએનું વિશ્લેષણ કરતાં ચીની વૈજ્ઞાનિકોને તેમાં ચામાચીડીયા અને પેંગોલિનના ડીએનએ મળી આવેલા. પેંગોલિન નષ્ટ થતું પ્રાણી છે. વિનાશના આરે ઉભેલી દુર્લભ પ્રજાતિ છે. પેંગોલિન અને ચામાચીડીયાનો આહાર કરતા લોકોને આ વાયરસનો ચેપ લાગેલો. ચીની સરકારે હાલ પેંગોલિન અને ચામાચીડીયાના આહાર પર પ્રતિબંધ મુકી દીધો છે.

ચીની વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસની જીનોમ સીક્વન્સ શોધી કાઢી છે અને તેઓ તેની વેક્સિન બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે. સમગ્ર વિશ્વને આની ખબર છે. ગઈ કાલે ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ચૈતન્ય જોષીએ જણાવ્યું કે તેમની ટીમે કોરોના વાયરસના ત્રણ નવા સ્વરુપો (મ્યુટેશન) શોધી કાઢ્યા છે. છ સ્વરુપોની તો દુનિયાને જાણ હતી જ. જો આ સંશોધનનો અહેવાલ સાચો હોય તો એ અત્યંત ગંભીર બાબત છે. આનો અર્થ એવો થયો કે કોરોના વાયરસ ભારતમાં અને ગુજરાતમાં નવા સ્વરુપે આવ્યો છે. ચીફ મિનિસ્ટર ઓફિસ આ સમાચારની જાહેરાત કરતા જાણે આ કોઈ મોટી સિદ્ધિ હોય તેમ ફૂલીને ફાળકો થઈ ગઈ. પણ આમાં ફુલાવા જેવું કંઈ જ નથી. માનવજાતિ કદાચ એના ઇતિહાસમાં પહેલીવાર એક એવા ભયંકર રોગ સામે લડી રહી છે, જેનો અંદાજ માનવ જાતિને પોતાને નથી.

#રાજુસોલંકી

બાબાસાહેબના ચાહક: અભિનેતા દિલીપકુમાર

By Raju Solanki  || 19 April 2020



બોલીવુડના અભિનેતા દિલીપકુમાર ડો. બાબાસાહેબ આંબેડકરના મહાન ચાહક હતા. એકવાર દિલીપકુમાર ઔરંગાબાદમાં એક ફિલ્મનું શુટિંગ કરી રહ્યા હતા. તેમને ખબર પડી કે બાબાસાહેબ બાજુના સુભેદરી ગેસ્ટ હાઉસમાં ઉતર્યા છે, તો તુરન્ત એમના શુટિંગના અત્યંત વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને દિલીપકુમાર બાબાસાહેબને મળવા ધસી ગયા હતા. ગેસ્ટહાઉસમાં બંને વચ્ચે બહુ લાંબી ચર્ચા થઈ હતી. વાતચીત દરમિયાન બાબાસાહેબે દિલીપકુમારને જણાવ્યું કે તમે મુસ્લિમ સમુદાયના ગરીબો માટે કશુંક કરવાનું વિચારો. બાબાસાહેબની વાત દિલીપકુમારના દિલમાં ઉતરી ગઈ હતી. એ વખતે તો તાત્કાલિક તેમણે કશું નહોતું કર્યું. પરંતુ, વર્ષો સુધી આ વાત એમના દિમાગમાં ઘોળાયા કરી હશે અને તે પાછળથી પસમાંદા મુસ્લિમો (ઓબીસી મુસ્લિમો)ના મંચ સુધી દિલીપકુમારને દોરી ગઈ હતી.

બહુ ઓછા લોકોને આ વાતની ખબર છે કે દિલીપકુમાર બોલીવુડની એક સર્વકાલીન મહાન સેલીબ્રીટી અને ઉચ્ચ વર્ગીય મુસલમાન હોવા છતાં મહારાષ્ટ્રમાં પછાત (પસમાંદા) મુસલમાનોના અધિકારો માટે ઓલ ઇન્ડીયા મુસ્લિમ ઓબીસી ઓર્ગેનાઇઝેશન (એઆઈએમઓબીસીઓ)ના કર્મશીલો સાથે કામ કર્યું હતું.

પસમાંદા મુસ્લિમો માટે કામ કરતા શબીર અન્સારી અને વિલાસરાવ સોનવણે દિલીપકુમારને સૌ પ્રથમવાર મુંબઈના ઇસ્લામ જીમખાનામાં મળ્યા હતા. દિલીપકુમારે તેમને શાંતિથી સાંભળ્યા હતા. દિલીપકુમાર સામાજિક રીતે અત્યંત સંવેદનશીલ હતા. દેશમાં દુકાળ, પુર જેવી આફતો આવે કે ઇન્ડીયન આર્મી નો કોઇપણ મુદ્દો હોય દિલીપકુમાર હંમેશાં આગલી હરોળમાં રહેતા. તેએ કહેતા હતા કે कोई भी फिल्मी हस्ती अगर सोशीयल इश्यूझ में सोसायटी के साथ नहीं रहेती तो लोग उसे स्क्रीन से उतरते ही भूला देंगे. ये सिर्फ सोशीयल एक्टीवीझम है जो उसे जिंदा रखेगा. શબીરભાઈ અને વિલાસભાઈએ દિલીપકુમારે મંડલ પંચની ભલામણો અંગે જણાવ્યું. અને તેમને કહ્યું કે મુસલમાનોના 85 ટકા પસમાંદા છે અને ઓલ ઇન્ડીયા મુસ્લિમ ઓબીસી સંગઠન આ દિશામાં કામ કરશે. 

1990માં દિલીપકુમાર ઓલ ઇન્ડીયા મુસ્લિમ ઓબીસી સંગઠનમાં સત્તાવાર રીતે જોડાયા અને પછી તો તેમણે સંગઠનની રોજબરોજની પ્રવૃત્તિમાં દિલ દઇને સાથ આપ્યો. દિલીપકુમારે સમગ્ર દેશમાં સંગઠનની સોથી વધારે રેલીઓમાં હાજરી આપી અને સંબોધન કર્યું. ઔરંગાબાદ અને લખનૌની તેમની રેલીઓએ તે સમયે રાજકીય ભૂકંપ પેદા કર્યો હતો. એમના સેલિબ્રિટી સ્ટેટસને કારણે હજારો લોકો સંગઠનની સભાઓમાં આવતા હતા અને રાજકીય વર્ગને પણ તેની નોંધ લેવાની ફરજ પડતી હતી. આ તમામ સભાઓમાં દિલીપકુમાર એક વાત ખાસ જણાવતા હતા કે અનામત પછાત મુસલમાનનો માટે ધાર્મિક મુદ્દો નથી, પરંતુ તેમના આર્થિક ઉત્કર્ષ માટેનું સામાજિક માધ્યમ છે. દિલીપકુમાર પસમાંદાનો પાવરફુલ અવાજ બન્યા હતા. દિલીપકુમારના પ્રયત્નોને કારણે મહારાષ્ટ્ર સરકારને 1990માં પસમાંદા મુસલમાનોને ઓબીસીમાં સમાવવાની ફરજ પડી હતી.

મહાન અભિનેતા દિલીપકુમાર વિષે હજુ ઘણું લખાય એમ છે. આ તો માત્ર શરુઆત છે. હાલ તો એટલું કહી દઉં કે આ પોસ્ટ લખવાની પ્રેરણા દિલીપકુમાર વિષે લખાયેલા એક ગંદા લેખમાંથી મને મળી છે. તમે આ ગંદો લેખ વાંચ્યો હશે. જેમાં બાબાસાહેબે દિલીપકુમારને ગાળો બોલી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સત્ય એનાથી તદ્દન વિપરીત છે. હકીકતમાં, દિલીપકુમાર અને બાબાસાહેબના સંબંધો બહુજન ઇતિહાસનું એક મહત્વનું પ્રકરણ છે.

- રાજુસોલંકી

Image may contain: 4 people, people standing and indoor

Image may contain: 7 people

Image may contain: 3 people, people standing and child

કોરોના અંગે ગંભીરતા કેળવવા માટે આટલુ જરૂરથી વાંચો

By Manish Bhartiy  || 28 March 2020



વગર ચેતવણીએ આવ્યો અને ફેલાઈ ગયો નોવેલ કોરોના-19.
8 ડિસેમ્બર 2019ના દિવસે પ્રથમ કેસ ચીનના વુહાન શહેરમાં જોવામાં આવ્યો જે ટિપિકલ ન્યુમોનિયા જેવો લાગ્યો ડોકટરોને શરદી,ખાંસી, તાવ અને શ્વાસ લેવામાં પડતી તકલીફો સાથે આવેલ 71 વર્ષીય પેશન્ટ એડમીટ કરવામાં આવ્યો પરંતુ એક્સરે અને બીજા રિપોર્ટના આધારે સાર્સ કોરોના(2003) હોવાનું સમજી તબીબી સારવાર શરૂ કરવામાં આવી.
સાર્સ વાયરસ 2003માં જોવામાં આવ્યો હતો જેમાં 8 થી 10 હજાર લોકો સક્રમિત્ત થયા હતા અને 774 લોકોનો ભોગ લીધો હતો અને તેના ઉપર કન્ટ્રોલ મેળવતા 10 મહિના લાગ્યા હતા. પરંતુ ચીની મેડિકલ સાયન્સ દ્વારા પરીક્ષણ કરતા જાણવા મળ્યું કે વુહનમાં જોવા મળેલ વાયરસ સાર્સ વાયરસ સાથે 76% જિનેટિકલ સમાનતા ધરાવે છે પરંતુ આ વાયરસ સાર્સ નથી સાર્સ કરતા ઓછો જીવલેણ છે પરંતુ સંક્રમણમાં ઝડપી છે અને જે પેશન્ટ સક્રમીત થયેલ છે તેના લક્ષણ વુહન શહેરના અલગ અલગ વન્ય જીવોના મટન માર્કેટમાં વેપાર કરતા બે વેપારીની બીમારી સાથે મળતા આવે છે તપાસ કરતા જાણવા મળ્યું કે પ્રથમ પેશન્ટ અવારનવાર મટન માર્કેટની મુલાકાત કરતા હતા ત્યા સુધીમાં ચાઈના મેડિકલ સાયન્સ જાણી ચૂક્યું હતું કે ઉટ અને ચામાચીડિયામાં જોવા મળતો વાયરસ કોરોના વાયરસ છે કેમકે સાર્સ સંક્રમિત પેશન્ટ સઁક્રમણના 7 દિવસ પછી તેનો ફેલાવો કરતો હતો અને સંપર્કમાં આવવાથી કે વાત કરવાથી ફેલાતો નહોતો જ્યારે કોવિડ-19 સઁક્રમણ થવાની સાથે જ પેશન્ટ દ્વારા ફેલાવવાનું શરૂ થઈ જતો હતો સંપર્ક અને વાત કરવા દરમિયાન પણ ફેલાઈ રહ્યો હતો.


  • 31 ડિસેમ્બર 2019ના દિવસે ચીન દ્વારા WHO ને આ વાયરસની જાણકારી આપવામાં આવી.
  • 12 જાન્યુઆરીએ ચીન દ્વારા કોરોના કોવિડ-19 નામ આપવામાં આવ્યું.
  • 20 જાન્યુઆરીએ ચીની હેલ્થ ડીપાર્ટમેન્ટ દ્વારા ખુલાસો થયો કે માણસથી માણસમાં ફેલાતો વાયરસ રોકવા વુહાન શહેરનો દુનિયાથી સંપર્ક કાપવામાં આવે.
  • WHO દ્વારા 29 જાન્યુઆરીએ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી ત્યાં સુધી કોરોના 20 દેશોમાં પ્રસરી ચુક્યો હતો અને ત્યારે દુનિયાના બધા દેશોના નાગરિકો ચીનમાંથી પરત બોલાવવા માટે કામે લાગી ગયા.

ચાઈના ન્યુ યરના કારણે ડોક્ટર અને હોસ્પિટલમાં ઘણો બધો સ્ટાફ રજા ઉપર ઉતરેલો હોવાથી કોરોનાનો ફેલાવો ઘણો થઈ ગયેલો એટલે વુહનમાં તાત્કાલિક બધાજ હોસ્પિટલ સ્ટાફની રજા નામંજુર કરી પરત બોલાવવામાં આવ્યા અને કન્સ્ટ્રક્શન વર્કરોને ત્રણ ગણી હાજરી આપી બે હોસ્પિટલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું.
મોબાઈલ અને ઈન્ટરનેટનો ઉપયોગ કરી નાગરિકો સુધી કોરોના વિષે જાણકારી પહોંચાડવામાં આવવા લાગી ડોકટર રજા ઉપર હોય કે હોસ્પિટલમાંથી છૂટીને ઘરે પહોંચ્યા હોય નાગરિકોના સવાલોના જવાબો મોડી રાત સુધી ઓનલાઈન ચેટ દ્વારા આપવામાં કામે લાગી ગયા તેનાથી નાગરિકોને ઘરે બેઠા જાણકારી પ્રાપ્ત થવા લાગી કે પોતે કોરોના ગ્રસ્ત છે કે નહીં. જેથી નવી બનેલી કોરોના હોસ્પિટલમાં પેશન્ટ એજ આવતા જેઓને કોરોનાના લક્ષણો હતા.
સાર્સ (2003) વાયરસે હોંગકોંગ અને સિંગાપોરમાં કહેર વર્તવ્યો હતો જેના કારણે ચીની નાગરિકોને વાયરસ સામે કઈ રીતે લડવું તેનો અંદાજો હતો ગભરાયા વગર સ્કૂલ બંધ કરવી કામકાજ બંધ કરવા જેવા નિર્ણય લેવામાં તેઓએ પીછેહટ ન કરી. તેઓ છેલ્લા 16 વરસથી ત્યાંના નાગરિકો માટે સમયે સમયે ટ્રેનિંગ પણ આયોજિત કરી રહ્યા હતા વાયરસ સામે શુ કરવું, કઈ રીતે આયોજન કરવું બધા જ જવાબો ચીની નાગરિકો પાસે હતા તેઓ પહેલેથી તૈયાર હતા. તેમને તરત અંદાજો આવી ગયો હતો કે આ મહામારીમાંથી નીકળવા નાના હોસ્પિટલ કામ નહીં કરે એટલે તાત્કાલિક બે મોટી હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લેવાયો જે ફક્ત બે અઠવાડિયામાં જ નિર્માણ કરવામાં આવી.
ચીનમાં ફેલાયેલ સાર્સ વાયરસની જાણકારી મેળવવામાં દુનિયાને 4 મહિના લાગ્યા હતા ત્યારે પણ ચીન ઉપર જાણકારી છુપાવવાના આરોપ લાગ્યા હતા અને અત્યારે પણ આરોપ લાગી રહ્યા છે.  કેમકે ચીને કોરોના કોવિડ-19ની માહિતી દુનિયાને 1 મહિના પછી આપી હતી હવે જોવાનું એ રહે છે કે દુનિયા કોરોનામાંથી બહાર આવી શું નિર્ણય લે છે?

અત્યારે આપણે પડીશું, ફરી ઉભા થઈશું આ દરમિયાન કેટલાક યોદ્ધાઓ(ડોક્ટર) ,સંબંધી અને નજીકના સગાઓ ખોઈશું પણ દુનિયા આ ખોયેલા લોકોને યાદ કરીને કઈક શીખશે જરુર. આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેવા પ્રયત્નો કરીશું સાથે સાથે આપણે આભારી રહીશું ડોકટર,પોલીસ, સફાઈ કર્મચારીઓ અને હોસ્પિટલ સ્ટાફના જેમના પ્રયત્નો થકી આપણે કોરોના મુક્ત થઈશું.

- મનીષ ભારતીય