November 20, 2019

રૈદાસ અને કબીર : ભક્તિ આંદોલનના મહારથીઓની ગાથા!

By Vijay Makwana  || 26 Oct 2019



જ્યારે એ લોકો બીરબલ, ટોડરમલ, તાનસેન, માનસિંહ, જય સિંહ.. બની પાંચ હજારી, દશ હજારી ગુલામીના પટ્ટા સમી મનસુબદારી મેળવી રહ્યાં હતાં. જ્યારે એ લોકો નિર્માલ્ય બની મોગલાઈ ચિકનમટન ની દાવત માણી રહ્યાં હતાં.. ત્યારે સામાન્ય જનતા અને લોકો વચ્ચે રહેલા શીલવંત સાધુ સંતોએ જાણી લીધું કે દેશની પ્રજાને નિર્માલ્ય અને કાયર બનાવનારી વ્યવસ્થા કઈ છે.. અને પછી શરૂ થયું રૈદાસ અને કબીરનું ભક્તિ આંદોલન...

આ ભક્તિ આંદોલનનો એક છેડો રાજસ્થાનમાં મીરાબાઈ છે. બીજો સૌરાષ્ટ્રમાં છે.. અને તે છે ગંગાસતી અને પાનબાઈ!

ગંગાસતીએ પોતાની પુત્રવધુ પાનબાઈ ને ઉદ્દેશીને કહ્યું છે..કે,

જાતિ પાતી છોડી અજાતિ થાવું ને
કાઢવો વર્ણ વિકાર રે,
જાતિ ને ભ્રાંતિ નહીં હરિ કેરા દેશમાં
એવી રીતે રહેવું નિર્માન રે..

સીધો ને સરળ અર્થ છે.. જાતિ થી મુક્તિ મેળવી જાતિ નો વિનાશ કરવો... વેદોમાં દર્શાવેલ વર્ણવ્યવસ્થા ત્યાગવી.. જાતિ એ ભ્રમણા છે.. કબીર અને રૈદાસ ના અમર દેશ અને બેગમપુરા જેવા જાતિવિહિન નિર્વાણ નગરમાં વાસ કરવો..

લોકો તમને આધ્યાત્મ સમજાવે તો કબીરના અમરદેશ અને બેગમપુરાનો વાસ્તવિક અર્થ સમજાવી દેવો.. ગંગાસતી, પાનબાઈ, અને મીરાંબાઈની કથાઓમાં સામ્યતા એ છે કે, તે તમામ રાજપૂતાણી હતા. ભક્તિમય જીવન પસાર કરતા હતાં. તેમ છતાંય તેમના પરિવાર જનો તેમના પર અસહ્ય ત્રાસ ગુજારતાં.. તર્ક કરો ભક્તિમય જીવન પસાર કરતી ઘરની કુલવધુઓ કયા પરિવારને નાપસંદ હોય?

દુર્ભાગ્ય છે કે, આ દેશનો ઈતિહાસ રાજ પુરોહિતો, રાજ દીવાનો, રાજ કવિઓએ લખ્યો છે. ચામડું ચુંથતા, માથે મેલું ઉપાડનાર, ઢોર ચરાવવા વાળા, ખેતમજૂરી કરતા, હુન્નર અજમાવી, જાત જાત ના કસબ કરી પેટિયું રળનાર મહેનતું લોકોએ આ દેશનો ઈતિહાસ નથી લખ્યો..નહિ તો સત્ય ખૂબ જુદું હોત..

અને છેલ્લે! પાનબાઈ જવાબ આપે છે! જેને હું લાસ્ટ પંચ મારવામાં ઉપયોગ કરું છું!

છુટ્ટા છુટ્ટા તીર મુને મારો ના બાઈજી!

- વિજય મકવાણા

November 18, 2019

गुजरात सरकार बिन-सचिवालय कलार्क परीक्षा के प्रश्नपत्र में की गई कुचेष्टा

By Raju Solanki  || 17 Nov 2019


 ता. 17 नवम्बर 2019 के दिन गुजरात सरकार बिन-सचिवालय कलार्क परीक्षा में जनरल नोलेज पेपर में 170 नंबर का प्रश्न इस प्रकार है,

****

“स्वतंत्रता संग्राम के दौरान ब्रिटिश सरकार ने हरिजनों को पृथक मताधिकार देने की कुचेष्टा की थी. उस समय डो. आंबेडकर, सरदार पटेल वगैरह ने वाटाघाट करके दलित वर्गों के लिए समाधान करके कुछ सीटें नक्की की थी. यह समाधान कौन सी जगह हुआ था,

1. मुंबई, 2. कलकत्ता, 3. पुना, 4. हैदराबाद.

****

यह सवाल के खिलाफ आज सोसीयल मीडीया में तुफान मचा है. युवाओं का खुन खौल उठा है. मगर इस प्रश्न में गलत क्या है? यही इतिहास तो हमें पढाया जाता है.

पृथक मताधिकार के खिलाफ गांधीजी ने आमरण उपवास किया था. इसे हम नौटंकी कहते हैं, मगर सवर्ण इतिहास लेखक तो ‘गांधीजी ने देश बचाने के लिए अपने प्राण दाव पर लगा दिए थे’ ऐसा ही लिखते हैं.

वाकई में यह इतिहास कांग्रेस ने लिखा है और बीजेपी कांग्रेस की इकलौती संतान है. कांग्रेस से बीजेपी का नजरीया अलग कैसे हो सकता है?

राजु सोलंकी



In Gujarati 

 17 નવેમ્બર, 2019ના રોજ લેવાયેવી બિન-સચિવાલય ક્લાર્ક પરીક્ષામાં સામાન્ય જ્ઞાનના પેપરમાં 170 નંબરનો સવાલ આ પ્રમાણે છે,

***

સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે બ્રિટિશ સરકારે હરિજનોને અલગ મતાધિકાર આપવાની કુચેષ્ટા કરી હતી, આ સમયે ડો. આંબેડકર, સરદાર પટેલ વગેરેએ આ બાબત વાટાઘાટો કરી દલિત વર્ગો માટે સમાધાન કરી અમુક બેઠકો નક્કી કરાઈ. આ સમાધાન કયા મુકામે થયું હતું,

1. મુંબઈ, 2. કલકત્તા, 3. પુના, 4. હૈદરાબાદ.

***

આ સવાલ સામે આજે સોશીયલ મીડીયામાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. યુવાનોનું લોહી ઉકળી ઉઠ્યું છે. આ પ્રશ્નમાં ખોટું શું છે? આ જ ઇતિહાસ તો ભણાવવામાં આવે છે. અલગ મતાધિકાર સામે ગાંધીજીએ ઉપવાસ કર્યા એને આપણે ત્રાગુ કહીએ છીએ, પરંતુ સવર્ણ ઇતિહાસ લેખકો તો ‘ગાંધીજીએ દેશને બચાવવા માટે પોતાના પ્રાણ હોડમાં મુક્યા હતા’ એ રીતે જ આ ઘટનાને જુએ છે.

મૂળે આ ઇતિહાસ કોંગ્રેસે લખ્યો છે. ભાજપ કોંગ્રેસની ઇકલૌતી ઓલાદ છે. એનું દ્રષ્ટિબિંદુ અલગ કઈ રીતે હોઈ શકે?

(ફોટો - સૌજન્ય અતુલ વાળા)

રાજુ સોલંકી (17 નવેમ્બર, 2019)

November 14, 2019

નેહરુની કંગાલિયત

By Raju Solanki  || 8 Nov 2019



બાબાસાહેબ પાસે ‘બુદ્ધ એન્ડ હીઝ ધમ્મા’ છાપવાના પૈસા નહોતા. એમણે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુને પત્ર લખ્યો અને પ્રેસમાં છપાઈ રહેલા પુસ્તકની માત્ર પાંચસો નકલો ખરીદવાની વિનંતી કરી તો જવાબમાં નેહરુએ એ નકલો ખરીદવાની ઘસીને ના પાડી દીધી એટલુ જ નહીં બાબાસાહેબને બુદ્ધ જયંતીએ સ્ટોલ લગાવીને પુસ્તક વેચવાની સલાહ આપી.

તો વાંચો નેહરુને સંબોધીને બાબાસાહેબે તા. 14 સપ્ટેમ્બર, 1956ના રોજ લખેલો પત્ર,

વહાલા પંડિતજી,
હમણાં જ જેનું લખાણ મેં પૂરું કર્યું છે એ મારી કિતાબ ‘બુદ્ધ એન્ડ હીઝ ધમ્મા’નું વિષયવસ્તુ દર્શાવતી મુદ્રીત બુકલેટની બે નકલો આ પત્ર સાથે બીડી રહ્યો છું. આ કિતાબ હાલ પ્રેસમાં છે. વિષયવસ્તુ પરથી તમે જોઇ શકશો કે આ કામ કેટલું સઘન થયું છે. પુસ્તક સપ્ટેમ્બર 1956માં બજારમાં આવી જશે. મેં આના પર પાંચ વરસ કામ કર્યું છે. બુકલેટ પરથી આ કામની ગુણવત્તા જણાઈ આવશે.

પ્રિન્ટિંગ કોસ્ટ હેવી છે અને લગભગ રૂ. 20,000 થશે. આ મારી ક્ષમતા બહારનો ખર્ચ છે અને તેથી હું તમામ વર્ગોની મદદ મેળવવા કેન્વાસિંગ કરી રહ્યો છું.

બુદ્ધની 2500 વર્ષમી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે ભારત સરકાર જે વિદ્વાનોને આમંત્રી રહી છે તેમને તેમ જ વિવિધ પુસ્તકાલયોમાં વહેંચણી અર્થે આ પુસ્તકની 500 નકલો ભારત સરકાર ખરીદી શકે તો મને ગમશે.
તમારો બુદ્ધ ધર્મમાં રસ છે તે હું જાણું છું. અને તેથી હું તમને આ પત્ર લખું છુ. આશા છે કે તમે આ બાબતમાં મને થોડી મદદ કરશો.

તમારો ભવદીય,

ડો. બી. આર. આંબેડકર
26, અલીપુર રોડ, સિવિલ લાઇન્સ, દિલ્હી

હવે જવાહરલાલ નેહરુએ જવાબમાં શું કહ્યું તે વાંચો.

મારા વહાલા ડો. આંબેડકર,

તમે જેનું સૂચન કર્યું છે એ તમારા પુસ્તકની નકલો મોટી સંખ્યા ખરીદવી શક્ય છે કે કેમ એ બાબતે મને શંકા છે. અમે બુદ્ધ જયંતીના પ્રસંગે પ્રકાશન માટે કેટલીક રકમ ફાળવી હતી. એ રકમ વપરાઈ ગઈ છે. હકીકતમાં, વધારે પડતી વપરાઈ ગઈ છે. એટલે, બુદ્ધ ધર્મ સંબંધિત પુસ્તકો માટે નાણા ફાળવવાની કેટલીક દરખાસ્તોને અમારે નકારવી પડી હતી. તેથી હું તમારો પત્ર બુદ્ધ જયંતી સમિતિના અધ્યક્ષ ડો. રાધાકૃષ્ણનને તમારો પત્ર મોકલી રહ્યો છું.

હું એવું સૂચન કરીશ કે બુદ્ધ જયંતી ઉજવણીના સમયે દિલ્હી અને બીજે બધે જ્યાં વિદેશથી ઘણા લોકો આવે છે ત્યાં તમારા પુસ્તકને વેચાણ માટે મૂકી શકાય. ત્યાં તેનું સારું વેચાણ થઈ શકે.

તમારો વિશ્વાસુ,
જવાહરલાલ નેહરુ

November 11, 2019

શું સાચે જ સુપ્રિમ કોર્ટે રામના અસ્તિત્વને સ્વીકાર્યું?? : જાણો તથ્ય

By Vijay Makwana  || 10 Oct 2019



ઘણાં અહીં બેઠા બેઠા તુક્કા મારે છે કે, સુપ્રિમ કોર્ટે રામના અસ્તિત્વને સ્વીકાર્યું. રામ હતા તેવું સ્વીકાર્યું, તો..

મિ. તુક્કાબાઝ જાણી લો કે, સિવિલ પ્રોસિજર કોડ નો ઇતિહાસ રોમન લોકો સુધી જાય છે. રોમનો જ્યારે ધાર્મિક બાબતે વિવાદિત સિવિલ પ્રક્રિયા કરવાની હોય ત્યારે દેવતાઓને કાલ્પનિક પક્ષકાર બનાવી લેતાં જેથી જીવિત કોઈપણ વ્યક્તિ તે વિવાદનો લાભ કે ગેરલાભ ના ઉઠાવી જાય. ભારતમાં અંગ્રેજો સિવિલ પ્રોસીજર કોડ લઈને આવ્યા. અહીં દેવતાઓની ભરમાર હતી અને કોઈ દેવતાઓ ના મંદિરના ટ્રસ્ટ તો હતા નહિ. એટલે તેમણે રોમનો જેવી જ પરંપરા અહીં લાગુ કરી. કોઈ પણ મંદિર વિષયક વિવાદમાં ભગવાન ને જ પક્ષકાર ગણી લેવા જોઈએ તેવું લાગુ કર્યું. ભારતમાં પ્રથમવાર ડાકોર ના શામળાજી ને પક્ષકાર ગણવામાં આવેલા.

હિન્દુ લો અને ધાર્મિક ટ્રસ્ટો નો અધિનિયમ વાંચવો ખૂબ જરૂરી છે. ભારતમાં આ અધિનિયમ મુજબ કોઈ સંસ્થા, ટ્રસ્ટ, કંપની, મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા, ચરમાળિયા દાદા, ખેતરપાળ જેમનામાં જીવ નથી તેવી તમામ ચીજોને પક્ષકાર ગણી શકાય છે. પક્ષકાર ગણી લેવા એટલે રામ ને હાજરાહજૂર માની લેવા તેવું નહિ. ચુકાદાને પબ્લિક ઇન્ટરેસ્ટ થી દૂર રાખવાની આ વર્ષો જૂની પ્રણાલી છે.

રામ કાલ્પનિક જ છે. મહાકાવ્ય ના નાયક જ છે. તે સુપ્રિમ કોર્ટ પણ જાણે છે. અને જેનામાં પાશેર બુદ્ધિ છે તે પણ સમજે અને માને છે.

 - વિજય મકવાણા

November 02, 2019

ડો આંબેડકરે ફક્ત બૌદ્ધ ધમ્મ ની જ પસંદગી કેમ કરી??







૧૯૩૫ માં હિન્દૂ તરીકે નહીં મરવાની પ્રતિજ્ઞા લીધા બાદ, ૧૯૫૬ માં બાબાસાહેબ ડો આંબેડકરે ફક્ત બૌદ્ધ ધમમ ની જ પસંદગી જ કેમ કરી?? કેમ તેઓ ને ફક્ત બૌદ્ધ ધમ્મ અંગીકાર કરવા યોગ્ય લાગ્યો??
આ પ્રશ્ન નો જવાબ બાબાસાહેબ ડો આંબેડકર ના લેખ "બુદ્ધ ઔર ઉનકે ધમમ કા ભવિષ્ય" માંથી મળે છે..
આ લેખ કલકત્તા ની મહાબોધી સોસાયટી ના માસિક લેખ માં ૧૯૫૦ ની સાલ માં પ્રકાશિત થયો હતો, જે વોલ્યુમ ૧૭ ના ભાગ ૨ માં સંકલિત છે..
આ લેખ માં બાબાસાહેબ એ વિશ્વ ના ચાર પ્રચલિત ધર્મ બૌદ્ધ, ઈસાઈ, ઇસ્લામ અને હિન્દૂ ની તુલના કરી છે.. અને આ ચારેય ધર્મ ને વિવિધ કસોટીઓ પર તપાસ્યા છે.. અને આમાં બૌદ્ધ ધમમ એમની કસોટી પર ખરો ઉતર્યો હતો..
  • બુદ્ધ ના માનવીય રૂપ થી બાબાસાહેબ આકર્ષિત થયા હતા.. જ્યારે અન્ય ધર્મ ના સંસ્થાપકો એ પોતે ઈશ્વર, ઈશ્વર ના દૂત કે ઈશ્વર ના સંતાન હોવાની વાત કરી છે, ત્યારે બુદ્ધ એ પોતાને ફક્ત સામાન્ય માણસ ગણાવ્યા છે..
  • બુદ્ધ એ ક્યારેય મુક્તિદાતા હોવાનો દાવો નથી કર્યો.. બુદ્ધ કહે છે કે, હું મુક્તિદાતા નહીં ફક્ત માર્ગદાતા જ છું.. હું ફક્ત રસ્તો બતાવી શકું છું, પરંતુ એના પર ચાલવાનું તો તમારે પોતે જ છે.. બુદ્ધ એ પોતાના ધમમ માં એક મનુષ્ય તરીકે મુક્તિદાતા અને માર્ગદાતા નો ભેદ સ્પષ્ટ કરી ને એક માનવ ધર્મ આપ્યો..
  • બુદ્ધ નો ધમમ તર્ક અને અનુભવ પર આધારિત છે, નહીં કે વિશ્વાસ અને શ્રદ્ધા પર!! ગૌતમ બુદ્ધ એ કહ્યું છે કે, તમે કોઈ પણ વાત ને એટલા માટે ના માનશો કે એ કોઈ સાધુ, સંત કે મહાપુરુષ એ કહેલી છે.. એ વાત ને પોતાની બુદ્ધિ અને તર્ક ની કસોટી પર ચકાસો અને યોગ્ય લાગે તો જ માનો.. આમ બુદ્ધ એ પોતાના અનુયાયીઓ ને પ્રશ્ન કરવાની છૂટ આપી છે.. વધારામાં પોતાના પરિનિર્વાણ સમયે પોતાના અનુયાયીઓ ને બુદ્ધ એ કહ્યું હતું કે, "વિશેષ સમય અને સ્થિતિ પ્રમાણે જો એમની શિક્ષાઓ સટીક માલુમ ના થાય તો તેઓ તેમાં સુધાર કરી શકે છે અને અમુક વાતો ત્યાગી પણ શકે છે.."
  • બુદ્ધ ના ધમમ માં સુધાર, સંશોધન અને વિકાસ ની સંભાવના છે.. બાબાસાહેબ આંબેડકર લખે છે કે બુદ્ધ ઇચ્છતા હતા કે, ભૂતકાળના મૃતદેહો તેમના ધમમ ઉપર બોજ ન બનવા જોઈએ. તેમનો ધર્મ સદાબહાર અને સર્વકાળ માટે ઉપયોગી બને.આ જ કારણ હતું કે તેમણે જરૂરિયાત વખતે તેમના અનુયાયીઓને ધમમ ને સંવારવાની અને સુધારવાની સ્વતંત્રતા આપી. તે લખે છે કે 'બીજા કોઈ ઉપદેશકે આમ કરવાની હિંમત દર્શાવી નથી.'
વિશેષ માં બાબાસાહેબ એ બુદ્ધ ની એ શિક્ષા તરફ પણ ધ્યાન દોર્યું કે, બુદ્ધ એ ફક્ત અહિંસા ની શિક્ષા નથી આપી.. બુદ્ધ એ સમાનતા ની શિક્ષા પણ આપી છે; ફક્ત પુરુષ-પુરુષ વચ્ચે જ નહીં પણ સ્ત્રી-પુરુષ વચ્ચે ની સમાનતા પણ..
એક તરફ જ્યાં હિન્દૂ ધર્મ માં શુદ્ર અને સ્ત્રીઓ ને ફક્ત દાસ ગણવામાં આવ્યા હતા, તમને ઉપદેશ દેવાનો કે સન્યાસી થવાનો અધિકાર નહોતો; બુદ્ધ એ પોતાના ભીખ્ખુ સંઘ માં શુદ્રો ને પણ સામેલ કર્યા તેમજ સ્ત્રીઓ ને પણ ભિક્ષુણી બનવાના અધિકાર આપ્યા.. આમ બુદ્ધ સમાનતા ના સમર્થક હતા, અને બાબાસાહેબ ની દ્રષ્ટિ માં સમાનતા એ કોઈ પણ ધર્મ નું મહત્વ નું અંગ હોવું જોઈતું હતું..

'બુદ્ધ અને તેમના ધમમ નું ભવિષ્ય' શીર્ષકના લેખમાં, બાબાસાહેબ ડો આંબેડકર કહે છે કે ધર્મને વિજ્ઞાન અને તર્કની કસોટી પર ખરું ઉતરવું જોઈએ. તેઓ લખે છે કે 'જો ધર્મ એ ખરેખર કામ કરવું હોય તો તે બુદ્ધિ અથવા તર્ક પર આધારિત હોવું જોઈએ, જેનું બીજું નામ વિજ્ઞાન છે.' તેમાં ફક્ત નૈતિકતા હોવી પૂરતું નથી. તે નૈતિકતાએ જીવનના મૂળભૂત સિદ્ધાંતો - સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારોનું પાલન કરવું જોઈએ.'
બાબાસાહેબ આંબેડકરે ૧૯૩૫ ની યેવલા પરિષદ માં પોતાનો હિન્દુ ધર્મ છોડવાની જાહેરાત કરી, પરંતુ તેમણે 1956 માં ધર્મ પરિવર્તન કર્યું. આ દરમિયાન, તેમણે બધા ધર્મોનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેમના પોતાના અનુસાર શ્રેષ્ઠ ધર્મની પસંદગી કરી; સાથે સાથે જ અલગ અલગ સમુદાય ના લોકો વચ્ચે જઈ સભાઓ કરી આ ઐતિહાસિક ઘટના માટે ની પૃષ્ઠભૂમિ તૈયાર કરી. સારા અને કલ્યાણકારી ધર્મની તેમની શોધ તેમને બૌદ્ધ ધમ્મ તરફ દોરી ગઈ. તેથી તેમણે તેમના અનુયાયીઓ સાથે બૌદ્ધ ધમ્મ અપનાવી લીધો. એક રીતે આ ધર્મપરિવર્તન નહીં પણ, બહુજનો ની પોતાના મૂળ ધર્મ માં ઘર વાપસી હતી..
"આ કોઈ ઘટના કે અત્યાચાર ના લીધે કરેલું ધર્મપરિવર્તન નહીં પણ, વૈચારધારા આધારિત પરિવર્તન હતું.. અને વિચારધારા ના આધાર પર થતા આંદોલનો લાંબો સમય, કઠિન પરિશ્રમ અને ત્યાગ માંગી લે છે.."

- કુંદન

September 28, 2019

કોઈ સ્કિલ ઇન્ડિયા બોલે તો હરખપદુડાં નહી થવાનું..!

By Vijay Makwana  || 24 Sep 2019



વર્ષ 2009-10 માં ગુજરાતનાં યુવાનોને સ્કિલ ડેવલપમેન્ટના નામે છેતરવામાં આવ્યાં. એલ એન્ડ ટી નામની કંપનીએ ગુજરાતનાં યુવાનોને હુન્નરબાજી શિખવવાનું સરકારી બીડું ઝડપ્યું. ગુજરાત સરકારની ભાગીદારીમાં તમામ આઈટીઆઇમાં કડીયાકામ,સુથારીકામ,સેન્ટીંગનાં વિગેરે..બે માસથી લઇને ત્રણ માસ સુધીનાં સ્કિલ ડેવલપીંગ ના કોર્સ શરુ કરવામાં આવેલાં. માત્ર મારા જિલ્લામાં જ 2000+ યુવાનોએ લાભ લીધેલ. પણ શિખવનાર ઇન્સ્ટ્રકટર પોતે જ તમામ માહિતીથી અનભિજ્ઞ હતાં. બસ હાજરી પુરાવો સ્ટાઇપેન્ડમાંથી અમુક રકમ ફાળવો. સર્ટીફિકેટ લઇ જાઓ. આશરે દસેક લાખનો સામાન બે વર્ષ નવો પેક પડ્યો રહ્યો હવે સડી ગયો છે.(એ દરમ્યાન સરકારમાં વપરાશના નવાનાં બીલ બનતાં જ હતાં) આખરે સંપૂર્ણ જિલ્લો હુન્નરવાળો થઇ ગયો. સરકારની આ હુન્નરબાજીના સુ-રિપોર્ટમાં મારો જિલ્લો પ્રથમ નંબરે છે.

આવું જ બીજુ એક કરતુત છે. ધો-12 પાસ તમામ યુવાનોને કોલસેન્ટરમા,હોટલોમાં પર્સનાલીટીના આધારે નોકરી મળી રહે તે માટે. પર્સનાલીટી ડેવલપમેન્ટ તથા બીપીઓ કોર્સ (બે માસના) ફ્રિ માં ચલાવવા રાજ્યભરમાં ગુજરાત સરકારે પાંચસોએક જેટલી ખાનગી એજન્સીઓને કોન્ટ્રેક્ટ આપેલાં. બધી એજન્સીઓ સંખ્યાંમાં રસ ધરાવતી. હજારો સર્ટીફિકેટનું વિતરણ થયું. યુવાન દિઠ સરકારે શો ચાર્જ ચૂકવ્યો તે ગોપનીય છે.

વચ્ચે સાહેબને અંગ્રેજી પ્રત્યે અનહદ પ્રેમ જાગ્યો..(મુળ સંસ્કૃતપ્રેમી). હું પણ ફ્લુએન્ટ અંગ્રેજી બોલું ગુજરાત પણ બોલે..!! સ્કોપ નામનો કોર્સ લઇ આવ્યા હોર્ડીંગ્સ લગાવ્યા..હજારો યુવાનોને હાકલ કરી..જોડવામાં આવ્યા. આખું ગુજરાત આજે ચોપડા ઉપર કડકડાક અંગ્રેજી બોલે છે. તમારે ન માનવું હોય તો સરકારી રિપોર્ટ જોઇ લો!

આ થઇ સ્કિલની વાતો..! હવે કોઈ #સ્કિલઇન્ડિયા બોલે તો હરખપદુડાં નહી થવાનું..!

-વિજય મકવાણા

( આ મોદી પીએમ થયાં પહેલાની પોસ્ટ છે. જે અક્ષરસ: આજે સાચી છે)

August 30, 2019

દલિત આંદોલનના ઇતિહાસનું એક પાનુ : વર્ષ 1992

By Raju Solanki  || 29 Aug 2019





રાત્રે ડબલામાં ગળી પલાળીને હાથમાં કૂચડો લઇને અમે નીકળતા. કૂચડો એટલે બાવળના દાતણને એક છેડેથી કૂટીને બનાવેલી પીંછી કે પછી ઘરના માળીયે પડી રહેલા વર્ષો જૂના બ્રશ. અમદુપુરાના ચોકથી શરૂ કરીને સી કોલોની અને ત્યાંથી રેલ્વે ક્રોસિંગ વટાવીને ઓમનગર. રસ્તામાં જ્યાં કોઈપણ દિવાલ કોરી દેખાય ત્યાં લખતા, બુદ્ધનગરની દિવાલ પર મેં ભીત લખાણ કરેલું એ હજુય યાદ છે. એ સૂત્રો હતા,

“કુમ્હેર હત્યાકાંડનો વિરોધ કરો”
ભૈરોંસિંહ શેખાવતની ઠાઠડી બાળવાના કાર્યક્રમમાં જોડાવ”


કુમ્હેર હત્યાકાંડ વખતે રાજસ્થાનના મુખ્યમંત્રી હતા ભૈરોંસિંહ શેખાવત.

કુમ્હેર હત્યાકાંડ આઝાદી પછી રાજસ્થાનમાં થયેલો સૌથી મોટો ઘાતકી નરસંહાર હતો, જેમાં જાટોએ 18 જાટવ (દલિતો)ની કત્લેઆમ કરી હતી. એમના ઝુંપડા સળગાવીને રાખ કરી દીધા હતા.

આ ઘટના 1992માં બની હતી.

અમે અમદુપુરા, સી કોલોની અને ઓમનગર ત્રણ ઠેકાણે ધરણા કરીને શેખાવતની ઠાઠડી બાળી હતી અને સામૂહિક ધરપકડો વહોરી હતી. ત્રણેય વખતે હજારો યુવાનોએ ધરણાંમાં ભાગ લીધો હતો. ચારે તરફ પોલિસનો કાફલો ખડકી દેવાતો હતો. પાંચ-છ ડબ્બા ભરી ભરીને આંદોલનકારીઓને પોલિસ પકડતી હતી અને શહેર કોટડા પોલિસ સ્ટેશને લઈ જતી હતી.

શેખાવતની સાથે તત્કાલીન ભાજપ અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાની પણ ઠાઠડી અમે બાળી હતી. કારણ કે શંકરસિંહે રાજન પ્રિયદર્શીને નોકરીમાંથી બરખાસ્ત કરવાની માગણી કરી હતી. પ્રિયદર્શી ત્યારે પાલનપુરમાં જિલ્લા પોલિસ વડા હતા અને એક કોમી છમકલામાં એમણે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોની અટકાયત કરી હતી.




ત્યારે અમદુપુરાના જયંતી ફકીર, રજનીકાંત ડોડીયા, સી કોલોનીના મુકેશ વોરા, ઓમનગરના મંગળદાસ કાપડીયા, ઇશ્વર પરમાર, પ્રવીણ તપોધન, રમેશ નાગર, જયંતી દવે, શ્રીકાંત ડોડીયા, કિસ્મત સોસાયટીના હસુ વોરા, મજુરગામના નરેશ રેવર, જયંતી ચૌહાણ, રાયખડના કનુ સુમરા, ખાનપુરના ભરત વાઘેલા, અરવિંદ પરમાર, કૌશિક પરમાર જેવા યુવા આંદોલનકારીઓ જોડાયા હતા. એક પત્રીકા છાપી હતી, એમાં સૌના નામે અપીલ કરવામાં આવી હતી. સૌનો ઉત્સાહ ગજબનો હતો.

દેખાવોમાં સામેલ થયેલા સંગઠનોમાં નરોડા રોડના યુવાનો, દલિત અધિકાર મંચ, જાતિ નિર્મૂલન સમિતિ, માસ મુવમેન્ટ સહિતના સંગઠનોના નામ પણ પત્રીકામાં લખેલા. (જુઓ પત્રીકાની તસવીર)

અત્યારે ફેસબુક પર લાઇવ થાવ, સો-બસો ગ્રુપ્સમાં મેસેજ ફેંકો, કાર્યક્રમમાં જોડાવા માટે લોકોના મોબાઇલ નંબરો પર ઓડિયો મેસેજ મોકલો, તો પણ પાંચસો માણસો ભેગા થતા ફાંફા પડી જાય છે. એ વખતે એક પત્રીકા અને ભીંત લખાણથી બહુ જ અસરકારક રીતે સંદેશો જતો હતો.

મૂળે 1981-85ના અનામતવિરોધી આંદોલનો વખતે મેં ભીંત લખાણોની શરૂઆત કરી હતી. એની વાત પછી ક્યારેક કરીશ.

- રાજુ સોલંકી (29 ઓગસ્ટ, 2019)

August 27, 2019

રાયચંદ મેઘરાજની ચાલી બચાવવાનો સંઘર્ષ

By Raju Solanki  || 24 Aug 2019






છેલ્લા ચોંત્રીસ વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એકહથ્થુ સત્તા ભોગવતા, ફાટીને ધૂમાડો થઈ ગયેલા ભાજપના ભ્રષ્ટ કોર્પોરેટર પુલકિત વ્યાસનો એક એવો વીડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ગેરકાયદે બાંધકામ કરનારને કહે છે કે ચોમાસાના ત્રણ મહિના કંઈ તોડવાનું નથી અને એમ કહીને વ્યાસ રૂ. 10,000 લઈ રહ્યો છે, એ જ સમયે બીજી તરફ આ જ ભાજપની કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ખાતાના અધિકારીઓ અમદુપુરા વિસ્તારમાં આવેલી રાયચંદ મેઘરાજની ચાલી ભરચોમાસામાં માત્ર પંદર જ દિવસમાં તોડવાની નોટિસ ચાલીના દરવાજે ચોંટાડીને રવાના થઈ ગયા છે. ભાજપ હરામખોરીની તમામ હદો વટાવી ચૂક્યું છે અને જે દલિતો પાસેથી હિન્દુત્વના નામે વોટ લીધા છે એમને ઘરવિહોણા કરીને ફુટપાથ પર ફેંકી દેવાની જડબેસલાખ યોજના આ ભાજપની કોર્પોરેશને ઘડી કાઢી છે.



આ રાયચંદ મેઘરાજની ચાલીનું નામ તમે ના સાંભળ્યું હોય તો જાણી લો કે આ ચાલી માત્ર અમદાવાદ જ નહીં, સમગ્ર ગુજરાતના છેલ્લા સો વર્ષના ઓજસ્વી દલિત આંદોલનના કેન્દ્રબિંદુ સમા અમદુપુરા વિસ્તારમાં આવેલી છે અને આ ચાલી મહાન આંબેડકરવાદી નેતા, દલિત પેંથરના સ્થાપક એવા નારણ વોરાની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. એટલું જ નહીં, આ ચાલી અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર બનાવનારા સ્વાશ્રયી, પરિશ્રમી, ખંતીલા, સ્વાભિમાની દલિત મજુરોની ધરોહર છે. રાયચંદ મેઘરાજની આ ચાલી જેવી સો ચાલીઓ નરોડા રોડ પર આવેલી છે અને આ જ ચાલીઓના મહાન આંબેડકરવાદીઓએ વીસમી સદીના છઢ્ઢા દાયકામાં ગામડાઓના ભૂમિહીન દલિત માટે ઝુઝારુ સઘર્ષ ચલાવ્યો હતો અને હજારોની સંખ્યામાં છ-છ મહિનાનો કારાવાસ વેઠ્યો હતો. આ ચાલીઓની ધરતીમાં ગુજરાતના દલિત આંદોલનનો જ્વલંત ઇતિહાસ ધરબાયેલો છે. ગયા વર્ષે આ જ સ્થળેથી આંબેડકરવાદીઓએ ‘આંબેડકર હેરિટેજ ટુર’ કરીને ભૂલાયેલા, વિસરાયેલા મહાન ઇતિહાસને ફરીથી તરોતાજા કરવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો.

છેલ્લા એક સપ્તાહથી ચાલીના રહીશોએ સંગઠિત થઇને આવનારી આફતનો પ્રતિકાર કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. એક સપ્તાહ પહેલાં ચાલીમાં યોજાએલી પ્રથમ બેઠકમાં ચાલીના તમામ રહીશો ખાસ કરીને બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. એ બેઠકમાં મેં વિસ્તારપૂર્વક રહીશોને જણાવ્યું હતું કે, આ નોટિસ ફાડીને ફેંકી દેવા જેવી છે. આ ચાલી 1932થી અસ્તિત્વમાં આવી છે. 1976માં ટીપી સ્કીમ બની તે પહેલાંથી આ ચાલી અહીં વસી છે. ટીપી સ્કીમમાં જેને રસ્તો કહેવામાં આવે છે, એ તો હકીકતમાં આપણા મિલમજુર બાપદાદાઓએ મિલોમાં જવા માટે બનાવેલી કેડી હતી, જેને તેઓ નેળિયું કહેતા હતા અને આજે પણ અમદાવાદમાં આવા ઘણા નેળિયા હયાત છે. આ ચાલીની એક તરફ ગુજરાત સિન્થેટિક મિલ (બોરડી મિલ) છે અને બીજી તરફ આર્યોદય મિલ છે. આ બોરડી મિલની દિવાલને અડીને આવેલી વસાહતમાં રહેતા દેવી પૂજક ભાઈઓ પણ બેઠકમાં હાજર હતા. આ દેવીપૂજકો પણ અગાઉ મિલ સામે એક કેસ છેક હાઇકોર્ટ સુધી લડી ચૂક્યા છે. તેમની લડાઈની પણ એક રસપ્રદ કહાણી છે, જેના માટે મારે એક બીજી પોસ્ટ લખવી પડે એમ છે.

કેટલાક લોકો પાસે તો છેક 1952ની ભાડા પહોંચો છે. કોર્પોરેશનના એસ્ટેટ ખાતાએ ચાલીના માલિક રાયચંદ મેઘરાજ તથા અન્ય ચાર જણાને નોટિસ પાઠવી છે અને તે બધા મરી ચૂક્યા છે. ખરેખર તો ચાલીના ભાડુઆતોને પક્ષકાર તરીકે નોટિસ આપવી જોઇએ. સિત્તેર વર્ષથી ચાલીમાં રહેતા દલિત ભાડુઆતોના તમામ કાનૂની અધિકારો એસ્ટેટ ખાતાએ નેવે મૂક્યા છે. અધિકારીઓ મૌખિક રીતે જણાવે છે કે આ તો માત્ર અહીંથી ગટર કાઢવાની છે, એટલા પૂરતુ દબાણ હટાવવાનું છે, પણ લેખિત નોટિસમાં એવો કોઈ જ ઉલ્લેખ નથી. આ જ રાયચંદની ચાલીથી સો ફુટ દૂર એક રસ્તો આ જ કોર્પોરેશને વોરાઓના ટ્રસ્ટને વેચી માર્યો છે અને એ રોડ પરની ગટર લાઇનો પણ બ્લોક કરી દીધી છે અને બીજી તરફ અહીં ચાલીની છાતી ચીરીને ગટર કાઢવાની યોજના બનાવી છે.

ગઈ કાલે રાત્રે ચાલીમા થયેલી બેઠકમાં સ્થાનિક કોર્પોરેટરો શ્રી. યોગીભાઈ (કોંગ્રેસ) તથા શ્રી. જીતેન્દ્રભાઈ પરમાર (ભાજપ) હાજર રહ્યા હતા. યોગીભાઈ મારા પરમ મિત્ર અને પ્રખર આંબેડકરવાદી આર. પી. પરમારના પુત્ર છે. તેમણે કહ્યું કે કશું જ તોડવાનું નથી. બધાને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની છે. મેં બંને કોર્પોરેટર મિત્રોને કહ્યું કે તમે આ નોટિસ રદ કરાવો અને વૈકલ્પિક વ્યવસ્થા (જો આપવાના હોય તો) તેની લેખિત બાંહેધરી આપો. તમે એક વાર પાકા મકાનો ધરાશયી કરો, લોકો રસ્તા પર આવી જાય પછી, વૈકલ્પિક વ્યવસ્થાની ખાત્રી એસ્ટેટની ફાઈલોના જંગલમાં ખોવાઈ જાશે. એ નહીં ચાલે. બંને કોર્પોરેટર મિત્રો અમારી વાત સાથે સંમત થયા છે. સોમવારે હકારાત્મક જવાબ નહીં મળે તો ગુજરાત હાઇકોર્ટમાં કોર્પોરેશનના અમાનવીય કૃત્યને પડકારવામાં આવશે.

અમદાવાદમાં પાંચસો વર્ષ જૂની ટંકશાળની ગલી આજે પણ પહોળી નથી થતી. રતનપોળ, માણેકચોકમાં એક કાંકરી ખરતી નથી. પોળો હેરિટેજ છે. ચાલીઓ હેરિટેજ નથી. પોળોમાં દેવતાઓ રહે છે. ચાલીઓમાં જાનવરો રહે છે. ટીપી સ્કીમના અમલમાં ભાજપના બેવડા ધોરણો છે. હવે, દલિતોએ પુરવાર કરવાનું છે કે ભલે એમના લોહીમાંસ ચૂસાઈ ગયા છે, પણ એમના આત્મામાં હજુ જય ભીમના નાદ સાથે બેઠા થવાનો રણકાર જીવતો છે.

- રાજુ સોલંકી (24 ઓગસ્ટ, 2019)


August 26, 2019

ના સોનુ સાચવ્યું, ના ચાંદી

By Raju Solanki  || 26 Aug 2019


આ મારો ભઇલો રાયચંદ મેઘરાજની ચાલીમાં રહે છે. નામ એનું મહેશ. આજે મારી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નરોડા રોડ પર આવેલી ઉત્તર ઝોનની કચેરીએ મહેશ આવેલો. મહેશ પાસે રાયચંદ મેઘરાજની ચાલીની જૂનામાં જૂની છેક 1956ની ભાડાચિઠ્ઠીઓ છે. ચાલીની મીટિંગમાં મેં જ્યારે કહ્યું કે કોની પાસે જૂની ભાડાચિઠ્ઠીઓ છે, ત્યારે મહેશ એક પ્લાસ્ટિકની ફાટેલી કોથળીમાં પીળી પડી ગયેલી સિત્તેર વર્ષ જૂની ભાડાચિઠ્ઠીઓ લઇને આવેલો. હું એની અસ્તવ્યસ્ત દાઢી ને વિખરાયેલા માથાના વાળ સામે જોઇ જ રહેલો. મેં હેમંતને કહ્યું, “ના સોનુ સાચવ્યું. ના ચાંદી. મારા દલિતોએ દાયકાઓ જૂની ભાડાની પહોંચો સાચવી.”

આજે ડેપ્યુટી કમિશનર ઠક્કરને મેં કહ્યું કે તમારી ટીપી સ્કિમ સિત્તેરની સાલમાં બની અને આ ચાલી છેક 1932ની છે. તમે ચાલીના રહીશોને વળતર આપ્યા વિના નોટિસનો અમલ કરાવી ના શકો. તમે લોકો કસ્તુરભાઈ લાલભાઈને વળતર આપો છો, તો દલિતોને કેમ નહીં? કાલે મહેશની એફિડેવિટ કરાવીને બીજું મેમોરેન્ડમ ઉત્તર ઝોનમાં આપીશું. અમે લડીશું. ભાજપ અને વહીવટીતંત્રને પ્રતીતિ કરાવીશું કે દલિતો પસ્તીના કાગળ નથી કે તમે કોથળામાં ભરીને ગમે ત્યાં નાંખી દો.

- રાજુ સોલંકી (26 ઓગસ્ટ, 2019)

FB 

July 30, 2019

દુ:ખ વિશેના લોકોમાં બે જુઠ્ઠા અને ભ્રામક વિચારો

By Vijay Makwana  || 26 July 2019




(૧) સમય મોટામાં મોટા દુ:ખનો ઇલાજ છે.

પણ ખરેખર થાય છે એવું કે, દુ:ખ આપવાવાળી ઘટના અને તેની સ્મૃતિઓથી ઘેરાયેલાં તમારા મન ઉપર કેટલાંય નવા વિચારો અને નવી સ્મૃતિઓની ચાદર ચડી જાય છે. પરંતુ દુ:ખ તો ત્યાંનું ત્યાં જ મૌજૂદ હોય છે. આરામથી તે જે જગાએ છે ત્યાં બેઠું હોય છે. સમય વિતતો રહે છે તેની સાથે તમારા અવચેતન મનનો તે હિસ્સો બની જાય છે. અને ત્યારબાદ તે અઘટિત અભિવ્યક્તિ અથવા વિકૃત અભિવ્યક્તિના સ્વરુપે તમારામાંથી બહાર નિકળે છે.

(૨) બીજો જુઠ્ઠો અને ભ્રામક વિચાર એ છે કે, દુ:ખ વહેંચવાથી ઓછું થાય છે.

વાસ્તવમાં એ હકિકત ખરી નથી. બે-ચાર, કે દસ-બાર દુ:ખી લોકો સાથે મળીને કોઇ એકને સુખી નથી બનાવી શકતાં. ત્યાં માત્ર દુ:ખને ખંજોળવામાં આવે છે. દુ:ખને વલુરવામાં આવે છે અને દુ:ખ હોય છે તેના કરતાં વધું ફેલાઇ જાય છે. દુ:ખ વહેંચવાથી ઓછું થયું તેવો ભ્રમ પેદા થાય છે. દુ:ખ વહેંચવાની આ આદત ચાલું રહે તો આગળ જતાં તે પોતાની જાત પ્રત્યે દયા મેળવવાની વૃતિ એટલે કે, આત્મદયાની વૃતિ માણસમાં બળવતર બનશે.

તેથી જ તથાગત બુદ્ધે કહ્યું છે. દુ:ખનું કારણ હોય છે. તે સમજવું ખૂબ જરુરી છે...પછી કારણ ખતમ કરો તો તે દુ:ખ પણ ખતમ..

ખૈરલાંજી હત્યાકાંડ, 2006 (24/05/19 સુપ્રીમ કોર્ટનો ચુકાદો)

By Vishal Sonara || 29 July 2019




29 સપ્ટેમ્બર 2006 ના રોજ મહારાષ્ટ્ર ના ખૈરલાંજી મા બનેલ જઘન્ય હત્યાકાંડ પર સુપ્રીમ કોર્ટે ના જજ અરૂણ મિશ્રા, ભૂષણ આર ગવઈ અને સુર્ય કાંત ની બેચનુ એવુ તારણ છે કે તે હત્યાકાંડ જાતિવાદ ના લીધે નહી પરંતુ આપસી અણબનાવ ના કારણે બન્યો હતો તેથી તેના ગુનેગારોને ફાંસીની સજાને બદલે આજીવન કેદની સજા મળવા પાત્ર છે.
આજકાલ મોબ લિંચીંગની ઘટનાઓ પર લોકો ખૂબ વાત કરી રહ્યા છે ત્યારે તે લોકોઅે જાણી લેવુ જોઈએ કે જેને તમે આજે દેશ માટે નુકસાનકારક ગણી રહ્યા છો તે મોબ લિંચીંગ આ દેશમાં જાતિવાદ ને કેંદ્રમા રાખીને જોઈઅે તો અનુસૂચિત જાતિ અને જન જાતિના લોકો સાથે હજારો વર્ષોથી થઈ રહ્યુ છે. એવો જ એક કિસ્સો છે આ ખૈરલાંજી હત્યાકાંડ.



હત્યાકાંડ ની વિગતો :-
મહારાષ્ટ્રના ભંડારા જીલ્લા ના ખૈરલાંજી ગામે તારીખ 29 સપ્ટેમ્બર 2006 ના રોજ સાંજના સમયે જાતિગત ધ્રુણા થી અેક ખૂની ખેલ ખેલાયો હતો જેમા અેક અનુસૂચિત જાતિના ભોતમાંગે પરિવારના ચાર વ્યક્તિઓની સાથે કલાકોના કલાકો સુધી અત્યાચારો થયા અને અંતે તેઓ ચારેય મૃત્યુ પામ્યા.
સુરેખા ભોતમાંગે (ઉમર 45), તેમની દિકરી પ્રિયંકા (17), બે દિકરા રોશન (21) અને સુધીર (23) આ મોબ લિંચીંગ નો ભોગ બન્યા હતાં. પોતાની માલિકીની જમીન પર ગામના અન્ય લોકો અવૈધ કબ્જો કરવા માંગતા હતા તેનો ઝઘડો ચાલતો હતો. ખૈરલાંજી ગામમાં 800 ની વસ્તી હતી, કણબી અને કલાર અેમ બે મુખ્ય ઓબીસી જાતિઓ અને થોડા આદિવાસીઓની વસ્તી હતી જ્યારે અનુસૂચિત જાતિના ફક્ત ત્રણ જ પરિવાર ત્યા વસતા હતા.
29 સપ્ટેમ્બર 2006 ની સાંજે ભોતમાંગે પરિવાર ના ચારેય સભ્યોને ગામના કહેવાતા ઉચ્ચ હિંદુઓએ ટોળામાં ભેગા થઈને ઘરમાંથી ખેંચીને બહાર કાઢ્યા તથા નિર્વસ્ત્ર કરીને ગામ આખામાં પરેડ કરાવી. બંને દિકરાઓને માર મારીને માતા તથા પુત્રી સાથે સંભોગ કરવા માટેની ફરજ પાડવાની કોશિશ કરવામાં આવી જ્યારે તેઓએ સામો પ્રતિકાર કરતા સ્ત્રીઓ પર વારંવાર બળાત્કાર કરવામાં આવ્યા તથા ચારેય વ્યક્તિઓને ખૂબ પ્રતાડીત કરવામાં આવ્યા અને અંતે હત્યા કરીને ગામની નજીકમાં આવેલી એક કેનાલમા ફગાવી દેવામાં આવ્યાં.

કુટુંબના મુખ્ય સભ્ય ભૈયાલાલ ભોતમાંગે હાજર ન હોવાથી બચી ગયા હતા. તેઓ ન્યાય ની લડત આપતા આપતા જાન્યુઆરી 2017 મા મૃત્યુ પામ્યા હતા.

કોર્ટ મેટર :-આ બનાવમા પોલીસ દ્વારા 47 લોકોને પકડવામાં આવ્યા હતાં તેમાંથી 11 લોકો ને દોષી જાહેર કરવામાં આવ્યા હતાં અને બાકીના ને છોડી મુકાયા હતા. કોર્ટ - હાઈકોર્ટ ના અવનવા ચુકાદાઓના અંતે તે 11 માંથી 4 નરાધમોને ફાંસીની સજા આપવામાં આવી હતી. પરંતુ હાઈકોર્ટે તે સજાને ફાંસી ને બદલે ઉમરકેદ મા બદલી નાખી. તેની સામે સીબીઆઇ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી જેને હવે સુપ્રીમ કોર્ટે પણ ફગાવી દઈને હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો છે.

હવે, સુપ્રીમ કોર્ટના મીલોર્ડ માનવા તૈયાર નથી કે આ હત્યાકાંડ જાતિવાદી માનસિકતા ના પરિણામે બન્યો હતો. જ્યારે તેઓએ તો બનાવની ગંભીરતા ને ધ્યાનમાં રાખીને કડકમાં કડક સજા આપવી જોઈતી હતી.



ફેસબુક પોસ્ટ :-


July 20, 2019

ગુજરાતી પાઠ્યપુસ્તકમાં બાબાસાહેબના સૂત્રને જ બદલી નાંખ્યું..!!!

By Raju Solanki  || 20 July 2019






ધોરણ પાંચના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં 76મા પાને 13મો પાઠ ‘ભારતરત્ન: ડો. આંબેડકર’ છે. તેના લેખિકા હાસ્યદા પંડ્યા છે. આ પાઠમાં, જાણતા કે અજાણતાં, એક મોટી ભૂલ કરવામાં આવી છે કે પછી થઈ ગઈ છે. 

લેખિકા લખે છે, “બાબાસાહેબનું એક સૂત્ર ગાંઠે બાંધવા જેવું છે: ‘શિક્ષિત બનો, સંગઠિત બનો, સ્વાવલંબન જ સાચી સહાય છે.’ ....”

બાબાસાહેબે આવું કોઈ સૂત્ર ક્યારેય આપ્યું હોવાનું મારી જાણમાં નથી.

6 મે, 1945ના રોજ મુંબઈમાં ઓલ ઇન્ડીયા શેડ્યુલ્ડ કાસ્ટ્સ ફેડરેશનને સંબોધતી વખતે બાબાસાહેબે આ સૂત્ર આપેલું અને ‘કોમી મડાગાંઠ અને અને તેનો ઉકેલવાનો માર્ગ’ ગ્રંથમાં આ ભાષણનો સમાવેશ થયો છે. એની સો ટકા અધિકૃત ટેક્સ્ટ નીચે મુજબ છે,

“There is a lamentable lack of resources at our command. We have no money. We have no press. The crudest of tyrannies and oppressions, to which our people are subjected, day in and day out all over India, are never reported by the Press. Even our views on social and political questions are systematically suppressed by an organized conspiracy on the part of the Press. We have no funds to maintain a machinery, to render help to our people and to educate, agitate and organize them.”

ભારતીય ખ્રિસ્તી સમુદાયના સંદર્ભમાં પણ બાબાસાહેબે આ સૂત્રનો ઉપયોગ કરેલો છે, જે નીચે મુજબ છે,

“The Indian Christians are living in sheltered waters. They are, at any rate, a large majority of them are living in the laps of the missionaries. For their education, for their medical care, for religious ministration and for most of their petty needs they do not look to Government. They look to the Missions. if they were dependent upon Government they would be required to mobilize, to agitate, educate, and organize their masses for effective political action.”

આમાં, ક્યાંય સ્વાવલંબન જ સાચી સહાય છે, એવું બાબાસાહેબે કહ્યું નથી. બાબાસાહેબે સંઘર્ષ કરવાની, લડવાની, આંદોલન કરવાની વાત કરી છે. હાસ્યદા પંડ્યા આવું હાસ્યાસ્પદ સૂત્ર ક્યાંથી લઈ આવ્યા હશે? બાબાસાહેબના એક અત્યંત જાણીતા સ્લોગનને તોડી મરોડીને આવી રીતે રજુ કરવાનું એમને કોણે કહ્યું હશે? એમણે પોતાની વિવેકબુદ્ધિથી આવો ફેરફાર કર્યો હોય તો આવું કરવાનો એમનો કોઈ અધિકાર જ નથી.

સુભાષચંદ્ર બોઝે “તુમ મુઝે પૈસા દે દો, મૈં તુમ્હે આઝાદી દુંગા,” આવું કહેલું? કોઈ પાઠ્યપુસ્તકમાં આવું છપાય તો કેટલો ઉહાપોહ થાય? ગુજરાત સરકાર ઇચ્છતી નથી કે પ્રજા આંદોલન કરે, સંઘર્ષ કરે અને એટલે આવું ક્યાંય બાબાસાહેબે કહેલું હોય તો એને પણ તોડી મરોડીને રજુ કરો એવો વણલખ્યો આદેશ બહાર પાડ્યો હોય એવું બની શકે.

ગુજરાતના આંબેડકરવાદીઓએ ફરી એકવાર પુરવાર કર્યું છે કે તેઓ એક મૃતપ્રાય થઈ રહેલી પ્રજાતિ છે. આટલી મોટી ગરબડ થઈ છે અને આંબેડકરવાદીઓ ઠંડે કલેજે બેઠા છે.

- રાજુ સોલંકી (20 જુલાઈ, 2019)




FB

June 18, 2019

શિક્ષણ નુ સ્તર અને ખાનગી શાળાઓ

By Vijay Makwana  || 10 June 2019


એક વખત હતો સુરેન્દ્રનગરની જે.એન.વી સ્કુલ, આર.પી.પી ગર્લ્સ સ્કુલ, કે.પી બોયઝ & ગર્લ્સ સ્કુલ, અમદાવાદની દિવાન બલ્લુભાઇ અને સી.એન. શેઠ વિદ્યાલયનો તેમજ બીજા ઘણાં જીલ્લાની શાળાઓ પણ સામેલ કરીએ તો આ તમામ સરકારી/અર્ધ સરકારી શાળાઓનો ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડમાં દબદબો હતો..રાજ્યના તમામ ટોપર્સ આ શાળાઓમાંથી નિકળતા.. ગુજરાતના પ્રશાસનમાં ચાવીરુપ વિભાગો પર આજે પણ તે શાળાઓના વિદ્યાર્થીઓ બેઠા છે.. વર્ષ 2000 પછી એવો પ્રોપેગન્ડા ચલાવવામાં આવ્યો કે સરકારી શાળાઓની હાલત કથળતી જાય છે. સરકાર પર શિક્ષણ ખર્ચનો બોજો છે..ફલાણું ઢીંકણું.. તમને એ હદે સરકારી શાળાની એલર્જી ઉભી કરી દીધી કે, એ જ શાળાઓ, એ જ શિક્ષકો, એ જ સુવિધાઓ મૌજૂદ હોવા છતાં નવી પરવાના આપેલી શાળાઓમાં તમે તમારા સંતાનો મુકવા લાગ્યાં.. આજે પરિસ્થિતી એ છે કે.. ઉપરોક્ત શાળાઓ બંધ થવાની અણી ઉપર છે.. ખાનગી શાળાઓ જાહેરાતની ચમક દમક જ એટલી હોય છે કે, તમોને ઉપરોક્ત શાળાઓ તુચ્છ લાગે!

અને બીજી એક ખાનગી વાત.. જે ખાનગી શાળાઓ આજે ટોપર્સ આપી રહી છે તે સિલેક્ટેડ સવાલો ગોખાવી રહી છે. સિલેક્ટેડ મટિરીયલ બાળકોને આપી રહી છે. બાળકોને પેપર લખવાની ખાસ સિક્રેટ ટીપ્સ આપી રહી છે. તે બાળકોના પેપર્સ બોર્ડ પરિક્ષકોની ખાસ ટીમ તપાસતી હોય છે જેમને તમામ સિક્રેટ કોડ અગાઉથી શિખવવામાં આવેલ હોય છે. તેઓ ખાસ પ્રકારની મેથડ ચકાસતા જાય અને પર્સેન્ટાઇલ/પર્સેન્ટેજ/માર્કસનો મબલક પાક ઉતરતો જાય.. શાળા ટોપ! તમારું બાળક ટોપ!

હું ખોટો લાગું છું ને?

તો આવો કસોટી કરીએ!

દસેક આડોઅવળા સવાલો પાઠ્ય પુસ્તકમાંથી તમે તમારા બાળકને પૂછી જુઓ..જો તેને પરસેવો વળે તો.. મારી વાત સાચી માનજો...

May 21, 2019

કાંશીરામ ઔર બીએસપી: દલિત આંદોલન કા વૈચારિક આધાર બ્રાહ્મણવાદ વિરોધ’ - Part 2

By Raju Solanki  || Written on 16 May 2019







આ વાત કાંશીરામ ના સમયની છે, તમે વાંચો ત્યારે નજર સમક્ષ 1990નો સમય રાખજો. અહીં જે વર્ણન કર્યું છે એવી સક્રિયતા હાલ તમને જોવા ના પણ મળે. કેમ કે ત્યારે કાંશીરામ નો ચાબૂક વીંઝાતો હતો.


બહુજન વિચારધારાના પ્રચાર માટે કાંશીરામે પક્ષમાં વિવિધ મોરચા (હિન્દીમાં દસ્તા , અંગ્રેજીમાં ફ્રન્ટ) ઉભા કર્યા. જેમ કે,


  • સાઇકલ દસ્તા: બસપાનો આ સૌથી સશક્ત ફ્રન્ટ છે. પક્ષના કાર્યકરો સમૂહમાં સૂત્રો પોકારતા નીકળે છે. એમાં ‘બમન, બનીયા, ઠાકુર છોડ, બાકી સબ ડીએસફોર’નો નારો બહુ જ લોકપ્રિય છે. જોકે, કાંશીરામ  આ નારા પર ભાર મૂકતા નથી અને તેઓ કાર્યકરોને આ નારો બોલવાની ના પાડે છે.

    સાઇકલ દસ્તો સભાઓ કરવા કરતાં લોકોને વ્યક્તિગતરૂપે મળવા ઉપર વધારે ભાર મૂકે છે. બહુ મોટી સભાઓ કરતા નાની નાની સભાઓ કરે છે. એક દિવસમાં 50-60 કિમી.ની યાત્રા તેઓ સાયકલ પર કરે છે. રોજ દસ્તાના કાર્યક્રમો નક્કી થાય છે. રસ્તામાં તેમના જમવાની અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ દસ્તામાં માત્ર પુરુષો જ હોય છે, સ્ત્રીઓ હોતી નથી. એમાં 10થી 15 વર્ષના તરુણો પણ ભાગ લેતા હોય છે. આ તરુણો નાની સભાઓમાં બહુજન વિચારધારા, કાંશીરામ ના મિશન પર ભાષણો આપે છે. સાઇકલ દસ્તો બસપાના તમામ દસ્તાઓમાં સૌથી મોટો છે.

  • ભિખારી દસ્તા: આ દસ્તો પક્ષના ચૂંટણી પ્રચાર માટે ભંડોળ એકઠું કરે છે. એનો નારો છે, ‘એક વોટ, એક નોટ’. આ મોરચો બહુજન સમાજની વસતીમાં પદયાત્રા કરે છે. વચ્ચે વચ્ચે રોકાઈને સભાઓ કરે છે. ચૂંટણીમાં કાળા ધનના ઉપયોગ સામે આ દસ્તો લોકોને જાગૃત કરે છે અને લોકોને વિશ્વાસ આપે છે કે બસપા પોતાના નાના નાના સંસાધનોથી ચૂંટણી લડશે.

  • જાગૃતિ દસ્તા: ગીતો, નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનું કામ આ મોરચો કરે છે. બહુજન સમાજના મહાન નાયકો ફૂલે, શાહુ મહારાજ, પેરિયાર, બાબાસાહેબ, કાંશીરામ ના મિશન વિષે ગીતો દ્વારા જાણકારી આપે છે. મોરચો દલિતો પર થતા અત્યાચારો ઉપર પિક્ચર, વીડીયો કેસેટ બતાવે છે. પ્રકાશ ઝાની ‘દામુલ’ ફિલ્મ પણ ગામે ગામ બતાવવામાં આવે છે.

  • ભાષણ દસ્તા: પક્ષના બુદ્ધિજીવી લોકો આ મોરચામાં કામ કરે છે. તેઓ સ્નાતક થયેલા હોય છે. આ મોરચો વર્તમાન બામણવાદી વ્યવસ્થા, સવર્ણ ઉત્પીડન પર પ્રકાશ પાડે છે.

  • પેન્ટિંગ દસ્તા: આ મોરચો શહેરોથી માંડીને ગામડાઓમાં પક્ષના ચૂંટણી ચિહ્ન, નારા દિવાલ પર લખે છે.

  • ગુપ્તચર દસ્તા: બીજા પક્ષોની ગતિવિધિઓ, રણનીતિઓની જાણકારી રાખે છે અને પક્ષને તેની માહિતી પૂરી પાડે છે.

  • સુરક્ષા દસ્તા: પક્ષની કચેરીઓ તથા સભાઓમાં સુરક્ષાની કામગીરી પૂરી પાડે છે.

  • જીપ દસ્તા: તે સમગ્ર ક્ષેત્રનો પ્રવાસ કરીને અભ્યાસ કરે છે. ઉમેદવારોની સ્થિતિ, ક્ષમતાની માહિતી પૂરી પાડે છે. ચૂંટણીની સ્થિતિનું મૂલ્યાંકન કરે છે. તેમાં પક્ષના મુખ્ય કાર્યકરો હોય છે.

  • રણનીતિ દસ્તા: ચૂંટણી વખતે પક્ષની રણનીતિ તૈયાર કરે છે અને કાર્યકરોને માર્ગદર્શન આપે છે. બીજા દસ્તાના લોકો આ દસ્તાને તેમની માહિતી પૂરી પાડે છે. એટલે આ દસ્તો મુખ્ય દસ્તો છે. તેમાં પક્ષના હોદ્દેદારો હોય છે.

  • ચૂંટણી દસ્તો: તેમાં બામસેફના સભ્યો હોય છે, તેઓ ચૂંટણી કાર્યાલયોની વ્યવસ્થા સંભાળે છે.


આર. કે. સિંહના પુસ્તકમાં આવા વિવિધ મોરચાઓની વિગતે જાણકારી તમને મળશે. એ વાંચીને તમને આશ્ચર્ય થશે કે આવું કશું આપણે હાલ બસપામાં જોતા નથી. માન્યવરના નિધન પછી પક્ષે બહુધા માયાવતીના કરિશ્મા પર બધું છોડી દીધું છે. હવે પક્ષમાં નવું લોહી ફરતું થવું જોઇએ.

- રાજુ સોલંકી

May 20, 2019

‘કાંશીરામ ઔર બીએસપી: દલિત આંદોલન કા વૈચારિક આધાર બ્રાહ્મણવાદ વિરોધ’ - Part 1

By Raju Solanki  || Written on 16 May 2019




‘કાંશીરામ ઔર બીએસપી: દલિત આંદોલન કા વૈચારિક આધાર બ્રાહ્મણવાદ વિરોધ’ પુસ્તક માન્યવરના બહુજન આંદોલનની જાણકારી આપતું સર્વપ્રથમ પ્રમાણભૂત પુસ્તક છે. એના લેખક આર. કે. સિંહ અલ્હાબાદના ગોવિંદ વલ્લભ પંત સામાજિક વિજ્ઞાન સંસ્થાનમાં સંશોધનનું કાર્ય કરતા હતા. માન્યવર અલ્હાબાદની સંસદીય પેટાચૂંટણીમાં ઉભા રહ્યા તે સમયે આર. કે. સિંહે બસપા પર થીસિસ લખવાનો નિર્ણય કર્યો હતો. તેની ફળશ્રુતિ એટલે આ પુસ્તક.

આ પુસ્તક લેખકની પાંચ વર્ષની કઠોર તપસ્યાના અંતે લખાયું અને લેખક કહે છે તેમ એમને આ પુસ્તક લખવામાં પારાવાર અડચણો પડેલી. સૌથી પહેલી અડચણ તો બહુ જ વિશિષ્ટ હતી. લેખકના પોતાના શબ્દોમાં, “આમ પણ મારા જેવા સામાન્ય વિદ્યાર્થી માટે પુસ્તક લેખન પોતે એક મુશ્કેલ કાર્ય હતું. અને અહીં મુશ્કેલીનું મુખ્ય કારણ એ હતું કે બસપાનું સમગ્ર કાર્ય ગોપનીય ઢંગથી ચાલતું હતું. ગુપ્તતા બસપાનું મુખ્ય લક્ષણ હતું. લાખ પ્રયાસ કરવા છતાં એની ગુપ્તતા ભેદવી એ લગભગ અશક્ય કામ હતુ. હું સવર્ણ હોવાથી વળી આ કામ વધારે મુશ્કેલ થઈ ગયું હતું. એના નેતા અને કાર્યકર્તા મને શંકાની નજરે જોતા હતા. કેટલાક મને સરકારી ઇન્ફોર્મર, સીઆઈડી, સીબીઆઈનો એજન્ટ કહેતા હતા. તો કોક સવર્ણોનો એજન્ટ કહેતા હતા. ક્યારેક ક્યારેક તો અશ્લીલ શબ્દોનો પણ સામનો કરવો પડતો હતો. મારી ઉપર ચાંપતી નજર રાખવામાં આવતી હતી.”

લેખક આગળ જણાવે છે કે, તેઓ પછી બેત્રણ વાર કાંશીરામને મળ્યા, તેમનો ઇન્ટરવ્યૂ લીધો. એમને તથા કેન્દ્રીય કચેરીને વિશ્વાસમાં લીધી કે પોતે એક સંશોધક છે. લેખક પોતે માર્ક્સવાદી હતા અને તેને કારણે પણ તેમના પર બસપાના કાર્યકરો વિશ્વાસ મુકતા નહોતા. 1987થી માંડીને 1993માં પુસ્તક પ્રગટ થયું ત્યાં સુધી લેખકે અપાર પરિશ્રમ કરીને બસપા અને કાંશીરામ  વિચારધારા વિષે સંશોધન કર્યું.

આ પુસ્તક બસપાના સ્થાપકની વિચારધારા સમજવા માટે અત્યંત મૂલ્યવાન છે. તમે જુઓ કે માન્યવરે એક સંસદીય પક્ષને સામ્યવાદીઓના અન્ડરગ્રાઉન્ડ સંગઠન જેવી લોખંડી શિસ્તથી ચલાવ્યો અને એક પોલાદી સંગઠન ઉભું કર્યું, જે આજે પણ ભયાનક ઝંઝાવાતો વચ્ચે ઉત્તર પ્રદેશમાં મનુવાદીઓને પડકારી રહ્યું છે અને એ પણ અખબારી નિવેદનોથી કે પત્રકાર પરિષદો ભરીને પોકળ અલ્ટિમેટમો આપીને નહીં, બલ્કે જમીન પર ચુનૌતી આપી રહ્યું છે.

માન્યવર દલિતો પર અત્યાચારો થાય એટલે મીડીયામાં ફોટા છપાવવા કે ટીવીની ચેનલો પર બાઇટ્સ આપવા થનગનતા નહોતા. તેઓ પોતાની વ્યક્તિગત મહત્તા ઉભી કરવા, નામ મોટું કરવા જીવતા નહોતા, તેઓ બહુજનોને સત્તા પર બેસાડવા માટે ટીવી-મીડીયાની ઝાકઝમાળથી દૂર રહીને ગ્રાઉન્ડ લેવલે કાર્યરત હતા.

આ કિતાબ મને બહુ જ મહત્વની લાગી છે અને હજુ આવી દસ પોસ્ટ આ પુસ્તક પર હું કરવા માગુ છું, જેથી આજની યુવા પેઢીને બસપાના જનકની કાર્યશૈલીનો અંદાજ આવશે.

April 20, 2019

સૌથી કપરું કામ : સામાજિક ન્યાયની સ્થાપનાનું લક્ષ્ય પૂરુ કરવું

By Vijay Makwana  || 10 April 2019



સામાજિક ન્યાયની સ્થાપનાનું લક્ષ્ય પૂરુ કરવું એ સૌથી કપરું કામ છે. તેની સ્થાપના કરવા માટે સતત સંઘર્ષ કરતાં રહેવું પડે છે. તમે જરા પણ ગાફેલ રહો તો સામ્રાજ્યવાદી, મુડીવાદી, જાતિવાદી, રંગભેદી, સાંપ્રદાયિક કુત્સિત વિચારધારાઓ ફરી નવા ચહેરાઓ ધારણ કરી બેઠી થઇ જશે. તમે એમ સમજો કે સુસવાટા મારતી તેજ હવાઓ, અને સતત વરસતાં રહેતાં વાદળો વચ્ચે હલકીફુલકી આડશો ઉભી કરી તમે રેતીનો મહેલ ચણી રહ્યાં છો. એકાદ આડશ ખસી ગઇ તો તમારી સદીઓની મહેનત પર પાણી ફરી વળે. અને એટલે સામાજિક ન્યાય માટે લડતાં લોકોએ એક ક્ષણ પણ અટક્યાં વિના જાગૃત રહી સતત લડતું રહેવાનું છે. અહીં ઘણાં લોકોના મનમાં એવી ગ્રંથિ ઘર કરી ગઇ છે કે, નરેન્દ્ર મોદી અને ભાજપ સત્તા પરથી નિચે ઉતરી જાય એટલે સોનાનો સૂરજ ઉગી નિકળશે. પણ ખરેખર એવું નથી. સાંપ્રદાયિકતા, જાતિવાદ અને મુડીવાદ એ બલા છે કે જે તમારી સાથે જ તમારી ભિતર સફર કરી રહી હોય છે. મોકો મળતાં જ એ બહાર આવી જશે. આજે તમારી સાથે જે લોકો લડી રહ્યાં છે તે બેશક ખૂબ મહાન લોકો છે પણ ભવિષ્યમાં તેમનામાંથી અથવા તમારામાંથી જ કેટલાંક લોકો અથવા તેમના સંતાનો અથવા તમારા સંતાનો તમારી પર કુઠરાઘાત કરશે, દગો કરશે, માનવતા નેવે મુકશે... કારણ કો, મનુષ્ય સ્વભાવે અહંકારી,લોભી, લાલચુ, સ્વાર્થી પહેલાં છે ..

અબ્રાહમ લિંકન, માર્ટિન લ્યુથર કિંગ વિગેરે મહાન લોકો જ્યારે કાળા લોકો માટે સામાજિક ન્યાયની આદર્શ લડાઈ લડી રહેલાં ત્યારે કેટલાંક સારા અને સજ્જન ગોરા લોકો તેમની સાથે ખભે ખભો મિલાવી લડી રહ્યાં હતાં..આજે પરિસ્થિતિ જુદી છે. આજે એજ ગોરાઓના સંતાનો જુદી જુદી રીતે કાળાઓનું શોષણ કરી રહ્યાં છે. રંગભેદ કે જાતિવાદ દૂર કરવા માટે એફર્મેટીવ એક્શન લાગુ કરવાથી કે યોગ્ય પ્રતિનિધિત્વ આપી દેવાથી કે ગુલામો ખરીદવા વેચવા પર પ્રતિબંધ મુકી દેવાથી કે એટ્રોસીટી એક્ટ બનાવી દેવાથી શોષણની વ્યવસ્થા ખતમ નથી થતી. ગુલામીનો અધ્યાય કોઇ કાયદા, કાનુન, ઓર્ડીનન્સથી ખતમ નથી થતો.. માત્ર તમારી જાગરુકતા અને સતત પ્રતિકાર કરવાની ક્ષમતા જ તમને ગુલામ બનતા અટકાવી શકે આ નિર્વિવાદ સત્ય છે.


હમણાં જ આફ્રિકાથી ખૂબ ખરાબ સમાચાર આવ્યાં છે..CNN જેવી ન્યુઝ સંસ્થાએ તે માટે અમેરિકા અને યુરોપની મુડીવાદી વ્યવસ્થાને જવાબદાર ગણાવી છે. લિબિયાના કાળા નાગરિકો માત્ર 400$ જેવી નજીવી રકમમાં અમેરિકા સહિતના યુરોપિય દેશોના ગોરા લોકો ખરીદી રહ્યાં છે. તમને આ સમસ્યા તમારી પોતાની નથી લાગતીને? તો બીજા ખરાબ સમાચાર એ છે કે, અરુણાચલ પ્રદેશ થી ઓરીસ્સા સુધીની પટ્ટીના આદિવાસી વિસ્તારની મહિલાઓ આરબ કન્ટ્રિઝમાં 250$ જેવી મામુલી રકમમાં વેચાઇ રહી છે. જ્યારે નરેન્દ્ર મોદી વાલ્મિકીઓના ચરણ ધોઈ ચરણામૃત પી રહ્યાં હતાં તે જ દિવસે આસામના ચાર જિલ્લા ઓમાંથી 125 જેટલાં વેઠીયા મજુરોને સરકારી પ્રશાસને મહામહેનતે છોડાવેલાં..તમામ ઘટનાઓ રાષ્ટ્રવાદના શંખનાદ અને વિકાસના ઢોલનગારાંના શોરબકોરમાં ગુમ થઇ જાય છે. તમારા સુધી શોષિતો પિડીતોનો અવાજ ન પહોંચે તે માટે જાતિવાદ અને મુડીવાદ લાગણીભીના દેશભક્તિથી તરબોળ રાષ્ટ્રવાદના દોરડે છદ્મવેશે લટકી ગયાં છે. માત્ર સરકારો બદલવાથી, કાયદાઓ સુદ્રઢ કરવાથી આ સમસ્યા હલ નહી થાય. આ સમસ્યાનો એકજ ઇલાજ છે લોકોના દિમાગને જડ થતાં અટકાવો..સતત જાગૃત કરતાં રહો.. માનવીય સંવેદના બધિર સમાજ કે સમુદાય જલ્દી ગુલામ થઇ જાય છે. તમારે નરેન્દ્ર મોદી કે ભાજપ, કોંગ્રેસ કે રાહુલ ગાંધીઓને હરાવવા કે જીતાડવાનું આંદોલન હરગીજ નથી કરવાનું...વ્યવસ્થા પરિવર્તનનું આંદોલન કરતાં રહેવાનું છે. આંદોલન એ સતત નિરંતર ચાલતી પ્રક્રિયા છે..કેમ કે, માણસ એકમાત્ર પ્રાણી એવું છે જે સ્વાર્થી છે.

January 01, 2019

મહાર રેજિમેન્ટ : શૌર્ય ગાથા નો અમર ઇતિહાસ

By Kiritkumar Manjulaben Vitthalbhai



મહાર રેજિમેન્ટ એ ભારતીય ભૂમિસેનાની પાયદળ રેજિમેન્ટ છે. તે શરુઆતમાં મહાર સમુદાયના જ સૈનિકોને ભરતી કરવા માટે ઉભી કરાઈ હતી. પરંતુ, કાળક્રમે વિસ્તાર થતાં તેમાં સૈનિકો સમગ્ર ભારતમાંથી લેવામાં આવે છે.

શિવાજી અને મરાઠા સામ્રાજ્ય હેઠળ

મહાર સૈનિકોને મરાઠી રાજા શિવાજી દ્વારા સ્કાઉટ્ અને દુર્ગપાળ તરીકે ભરતી કરતા હતા. આ જ પરંપરા અનુસરી અને અંગ્રેજોએ પણ તેમને મોટી સંખ્યામાં તેમની સેનામાં લીધા. એક સમયે તેઓ બોમ્બે સેનાના ૧૬% સંખ્યાબળ ધરાવતા હતા. અંગ્રેજો મહાર સૈનિકોને તેમની વીરતા અને વફાદારી માટે ભરતી કરતા હતા અને તેનો મરાઠા સામેના યુદ્ધમાં વિશ્વાસપાત્ર સાબિત થયા હતા. કોરેગાંવની લડાઈમાં સંખ્યાબળની દ્રષ્ટિએ ચડિયાતા પેશ્વા બાજી રાવ બીજાના સૈન્યને મુખ્યત્વે મહાર સૈનિકો ધરાવતી અંગ્રેજ સેનાએ હરાવી દીધા હતા. આ લડાઈના સ્મારક તરીકે કોરેગાંવ સ્તંભ ઉભો કરાયો હતો જે સ્વતંત્રતા સુધી રેજિમેન્ટના ચિહ્ન તરીકે ઉપયોગમાં લેવાતો હતો. ૧૮૫૭ના વિપ્લવ દરમિયાન બે પલટણોએ બળવો કર્યો હતો.



માર્શલ સમુદાયનો સિદ્ધાંત અને વિસર્જન

બળવા બાદ ભારતીય સેનાના અંગ્રેજ અફસરો અને ખાસ કરીને અફઘાન યુદ્ધમાં ભાગ લઈ ચુકેલા અફસરોએ માર્શલ સમુદાયના સિદ્ધાંતને પ્રચલિત કર્યો. સિદ્ધાંત અનુસાર ભારતીયોમાંના કેટલાક સમુદાય કુદરતી રીતે જ લડાયક વૃત્તિ ધરાવતા હતા અને અન્ય કરતાં તેઓ યુદ્ધ માટે વધુ આદર્શ હતા. આ સિદ્ધાંતને આધારે ભારતીય સેનાનું કાળક્રમે પંજાબીકરણ કરવામાં આવ્યું અને અન્ય સમુદાયોને દૂર કરવામાં આવ્યા. ૧૮૯૨માં ભારતીય સેનાની ગોઠવણી સમુદાયને આધારે કરવામાં આવી અને આમાંથી મહાર સમુદાયને બાકાત રાખવામાં આવ્યો. મહાર સહિત અન્ય કેટલાક સમુદાયમાંથી સૈનિકોની ભરતી બંધ કરવાની જાહેરસૂચના બહાર પાડવામાં આવી. આ સમયે સેનામાં આશરે ૧૦૪ અફસરો અને અનેક સૈનિકો મહાર સમુદાયના હતા તેમને છૂટા કરવામાં આવ્યા. આ ઘટનાને મહાર સમુદાય દ્વારા અંગ્રેજ સરકારનો વિશ્વાસઘાત તરીકે ગણવામાં આવ્યો.



૧૮૯૨-૧૯૪૧

મહાર સૈનિકોના વિસર્જન બાદ સમુદાયના અનેક નેતાઓ દ્વારા સેનામાં ભરતીમાં છૂટ આપવા સરકારને અરજીઓ કરાઈ. જેમાં ૧૮૯૪માં ગોપાલ બાબા વાલાંગકર અને ૧૯૦૪માં શિવરામ જાનબા કામ્બલે નામના ભૂતપૂર્વ સૈનિક હતા. આ અરજીઓને રાજકારણી અને સમાજ સુધારક ગોપાલ કૃષ્ણ ગોખલે એ સૈદ્ધાંતિક ટેકો આપ્યો કારણ કે તેઓ પણ માર્શલ સમુદાય સિદ્ધાંતના વિરોધિ હતા. તે અરજીઓને કોંગ્રેસનો પણ ટેકો મળ્યો કારણ કે તે પણ ભારતીય સૈન્યની ભરતીના નિયમોની વિરુદ્ધ હતી.

સૈન્યની ભરતી નીતિઓ પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત ૧૯૧૪ સુધી ન બદલાઈ. યુદ્ધના કારણે સરકારને આમાં ફેરફાર કરવા ફરજ પડી અને મહાર સમુદાયને અંતે સેનામાં ભરતી થવા છૂટ મળી. જૂન ૧૯૧૭માં એક પલટણ ઉભી કરવામાં આવી. જોકે યુદ્ધમાં તેને કાર્યવાહીમાં ભાગ લેવાનો અવસર ન મળ્યો. ૧૯૨૦માં તેને પંજાબ રેજિમેન્ટની પલટણમાં વિલિન કરવામાં આવી અને પલટણને વિખેરી નાખવામાં આવી.

યુદ્ધો વચ્ચેના ગાળામાં સરકારને ભરતી માટે મનાવવાના પ્રયત્નો અનેકગણા વધારવામાં આવ્યા અને તેના એક આધાર તરીકે ડૉ. ભીમરાવ આંબેડકર પણ આગળ આવ્યા. જેમના પિતા સુબેદાર મેજર રામજી માલોજી સકપાલ અંગ્રેજ ભારતીય સેનામાં સૈનિક હતા. જોકે સેનામાં ફેરફાર કરવાનો મૂળ પ્રસ્તાવ ૧૯૩૦નો હતો પરંતુ વૈશ્વિક આર્થિક મંદીને કારણે તેને પડતો મૂકવામાં આવ્યો. દ્વિતીય વિશ્વયુદ્ધને કારણે સરકારને ફરી એક વખત ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવાની ફરજ પડી.



મહાર રેજિમેન્ટ ઉભી કરાઈ

જુલાઈ ૧૯૪૧માં ડૉ. આંબેડકરને રક્ષા સલાહકાર સમિતિમાં નિમવામાં આવ્યા. આ નિયુક્તિનો લાભ લઈ અને તેમણે સૈન્ય ઉપર મહાર રેજિમેન્ટ ઉભી કરવા દબાણ કર્યું. આ દબાણને કારણે ઓક્ટોબર ૧૯૪૧માં બેલગામ ખાતે ૧લી પલટણ ઉભી કરવામાં આવી. જૂન ૧૯૪૨માં કામ્ટી ખાતે ૨જી પલટણ ઉભી કરાઈ. તે જ વર્ષે ૩જી અને ૨૫મી પલટણ પણ ઉભી કરાઈ. યુદ્ધ દરમિયાન ૧લી અને ૩જી પલટણ સરહદી પ્રાંતમાં તૈનાત હતી. તેને આંતરિક સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી. ૨જી અને ૨૫મી પલટણ પણ આંતરિક સુરક્ષામાં તૈનાત હતી. ૨જી પલટણને બર્મા ખાતે લડવાનો મોકો મળ્યો હતો અને તેણે પાંચ સૈનિકો ગુમાવ્યા અને એક અફસરને સન્માનનીય ઉલ્લેખ અપાયો હતો. યુદ્ધ બાદ તેણે ઈરાક ખાતે પણ ફરજ બજાવી હતી. ૧૯૪૬માં ૨૫મી પલટણનું વિસર્જન કરાયું અને તેના સૈનિકો અને અફસરોને અન્ય ત્રણ પલટણોમાં વિલિન કરી દેવાયા. ઓક્ટોબર ૧૯૪૬માં તેનું રેજિમેન્ટનું મુખ્યાલય કામ્ટી ખાતે સ્થાપવામાં આવ્યું.



બોર્ડર સ્કાઉટ્

બોર્ડર સ્કાઉટ્સએ પૂર્વ પંજાબના સરહદી ગામોના લોકોએ ઉભી કરેલા હંગામી સેના દળ હતા. તેમાં હાલના પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાંથી લોકો ભરતી કરાયા હતા. તેમાં વિવિધ સમુદાયના લોકોનો સમાગમ હતો અને ભારતીય સેના પ્રમાણેના કોઈ ધારા ધોરણો નહોતાં. ભાગલા દરમિયાન તેમણે સરહદના ગામોને હુમલાઓથી બચાવવા મહત્ત્વપૂર્ણ રક્ષણ આપ્યું હતું. ૧૯૪૮માં તેમને પૂર્વ પંજાબ સરહદી સ્કાઉટ્સ એવા નામ હેઠળ કાયમી કરાયા અને પંજાબ હથિયારી પોલીસ સાથે ફરજ સોંપાઈ. ૧૯૫૧માં તેમને બોર્ડર સ્કાઉટ્સ નામ આપી અને ૧લી, ૨જી અને ૩જી પલટણમાં સુવ્યવસ્થિત ગોઠવવામાં આવ્યા. તેમાં ઉત્તર ભારતના વિવિધ સમુદાયોમાંથી સૈનિકોની ભરતી કરવામાં આવી. ૧૯૫૬માં આ ત્રણ પલટણો મહાર રેજિમેન્ટ સાથે ૪થી, ૫મી અને ૬ઠી પલટણ તરીકે વિલિન કરવામાં આવી. આ પરથી રેજિમેન્ટને તેનો વિવિધ સમુદાયમાંથી ભરતી કરવાનો વારસો મળ્યો. આજે પણ આ ત્રણ પલટણો પોતાને મહાર રેજિમેન્ટ (બોર્ડર) એવા નામથી ઓળખાવે છે.