February 28, 2018

હવે સુધરજો મીડીયાના ટોપાઓ

By Raju Solanki  || 24 February 2018 




28 ફેબ્રુઆરી.
આ તારીખ છે 2002ના ધર્મોત્સવ, વિજયોત્સવ, રણોત્સવની. etc etc...
મૂર્ખ, સ્ટુપિડ સેક્યુલરો આ ઘટનાને ‘નરસંહાર’ (અંગ્રેજીમાં genocide) કહે છે.

આ સમય છે મીડીયામાં એક્સક્લુઝિવ સ્ટોરીઝ, ખાસ અહેવાલો, વૃતાંતો લખવાનો. દરેક અહેવાલો ખાસ વાંચજો.

કંપની સેક્રેટરીની પરીક્ષામાં ટોપ કરતી ‘અમદાવાદની દીકરીઓ’ એવું લખનારા લોકો 2002ના લેખો લખતી વખતે દંગામાં ભાગ લેનારા લોકો માટે ‘અમદાવાદના દીકરાઓ’ નહીં લખે. તેઓ લખશે દંગામાં ભાગ લેનારા દલિતો, દેવીપૂજકો, પછાતો, ગરીબો વિષે.

અહેવાલો સાથે તેઓ છાપશે એક સાવ સામાન્ય, મૂફલીસ, નાચીઝ માણસની તસવીર. એના માથે કેસરી રીબન છે, હાથમાં તલવાર છે અને ચહેરા પર છે હિંસ્રતાના ભાવ. એ છે એમનો 2002નો આઇકોન. આઇડલ. આદર્શ. અને તમે પણ ફેસબુક પર એની તસવીર શેર કરીને લખશો એમના જેવી જ સુફીયાણી કોમી એકતાની કાલ્પનિક વાતો.

મારા ભાઈ, 2002ના દંગાનો આતંકી ચહેરો હોઈ શકે કોઈ નરેન્દ્ર મોદી કે પ્રવિણ તોગડીયા કે બાબુ બજરંગી કે માયા કોડનાની કે અશોક ભટ્ટ કે આઈ કે જાડેજા. ફુટપાથ પર જુતા સાંધીને પોતાની વેરણછેરણ જિંદગીને સીવતો અશોક પરમાર કઈ રીતે હોઈ શકે? પણ તમે માની લેશો એમની પોપટ કથાઓ અને કહેશો તમારી ભાવિ પેઢીને તમારા પોતાના કહેવાતા અપરાધોની થ્રીલરો અને પીડાતા રહેશો ઇતિહાસના અપરાધબોધથી.

હવે સુધરજો મીડીયાના ટોપાઓ.

- Raju Solanki

રાષ્ટ્ર પ્રગતિના માપદંડો

By Rushang Borisa   || 24 February 2018



દેશ ની પ્રગતિ એટલે દેશનો વિકાસ. દેશ કઈ દિશામાં કેટલી ઝડપે આગળ વધી સિદ્ધિઓ મેળવે તે માટે જે-તે દેશની પ્રગતિના માપદંડો આપણને માહિતગાર કરે છે.સામાન્ય રીતે દેશની પ્રગતિના માપદંડને દેશના અર્થતંત્રની ગતિ સાથે સાંકળવામાં આવે છે. જે દેશની આર્થિક પ્રવૃત્તિ અને ઉત્પાદન જેટલું વધુ તેટલો તે દેશનો વિકાસ વધુ. આ સામાન્ય સમજ આધુનિક સમયમાં ક્ષય થતી જાય છે. હવે, નાગરિક સુખાકારી-જીવનધોરણનું સ્તર-આર્થિક સ્વનિર્ભરતા જેવા નવીન ખ્યાલો ના વિકાસ સાથે પ્રગતિના માપદંડો પણ બદલાય રહ્યા છે. આર્થિક ચિત્રો બતાવતા રોકાણ,ઉત્પાદન,નિકાસ વગેરેના આંકડાઓ પરંપરાગત બની રહ્યા છે ; જયારે સંતુલિત-સમાન-સમાવિષ્ટ વિકાસ માટે આવશ્યક એવા માનવજીવન સાથે પ્રત્યક્ષ સંબધ ધરાવતા પાસાઓ સુધારાવાદી-આધુનિક માપદંડ બની રહ્યા છે.

કોઈ પણ દેશ ની પ્રગતિ દર્શવાતા જરૂરી કેટલાક મહત્વના માપદંડો વિષે જાણીયે.

❝...

 GDP (કુલ ઘરેલુ ઉત્પાદન) :-

GDP અર્થતંત્રનું પ્રખ્યાત માપદંડ છે.સરળ શબ્દોમાં GDP એ કોઈ દેશમાં ચોક્કસ સમયગાળા દરમ્યાન ઉત્પાદિત થયેલ માલ-સમાન તેમજ સેવાઓનું નાણાકીય મૂલ્ય છે.એટલે કે કોઈ એક દેશમાં કોઈ ચોક્કસ વર્ષે નાગરિકો દ્વારા કેટલું આર્થિક ઉત્પાદનકાર્ય થયું તેનો આંકડો આપે છે. GDP માપવાની અનેક પદ્ધતિઓ છે; આંકડાકીય સમીકરણો વડે ઊંડાણમાં વિશ્લેષણ થઇ શકે છે. જો કે આ માપદંડ આજના સમયે ઘણી ટીકાઓનો સામનો કરી રહ્યું છે. છતાં પણ અર્થશાસ્ત્રીઓમાં GDP ની લોકપ્રિયતા અકબંધ રહી છે.

ભારતમાં GDP ના આંકડાઓ આવા કૈક છે: વર્ષ ૨૦૦૦માં દેશનું GDP લગભગ ૨૦ લાખ કરોડ હતું; ૨૦૧૦ માં આશરે ૭૨ લાખ કરોડ ; ૨૦૧૩માં ૧૦૩ લાખ કરોડ જેટલું હતું. તાજેતરના વર્ષ ૨૦૧૬-૧૭માં દેશનું GDP ૧૨૧ લાખ કરોડ જેટલું નોંધાયું હતું. દેશનો GDP છેલ્લા ૧૫ વર્ષોમાં સરેરાશ ૫ થી ૧૦% ના દરે આગળ વધી રહેલ છે. GDP ની દ્રષ્ટિએ ભારતનું અર્થતંત્રનું વિશ્વમાં ૬ ક્રમાંકે છે. પ્રથમ ક્રમાંકે અમેરિકા છે.

 માથાદીઠ આવક:-

માથાદીઠ આવક એ વ્યક્તિગત ખ્યાલ છે; જયારે GDP સંગઠિત ખ્યાલ છે. જે-તે દેશના GDP ને દેશની માનવવસ્તી વડે ભાગતા માથાદીઠ આવકનો આંકડો મળે છે. ટૂંકમાં; માથાદીઠ આવક= કુલ ઘરેલુ ઉત્પાદન ÷ વસ્તી. તે દેશના ઉત્પાદન-આવકમાં પ્રતિ વ્યક્તિનો હિસ્સો દર્શાવે છે.

ભારતના માથાદીઠ આવકના આંકડા આવા કૈક છે: વર્ષ ૨૦૦૧=૨૩૦૦૦ રૂપિયા પ્રતિવર્ષ. વર્ષ ૨૦૧૦=૩૯૦૦૦ પ્રતિવર્ષ. વર્ષ ૨૦૧૨=૬૮૪૦૦ પ્રતિવર્ષ. ૨૦૧૭=૧૧૧૦૦૦ પ્રતિવર્ષ. એટલે કે તાજેતરમાં દેશના સરેરાશ નાગરિકની આવક મહિનાની ૯૨૫૦ જેટલી કહી શકાય. માથાદીઠ આવકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ વિશ્વમાં ૧૪૦ ની આસપાસ છે. અહીં કતાર નો પ્રથમ ક્રમાંક છે.

 HDI (માનવવિકાસ આંક):-

આ માપદંડ સોસીયો-ઇકોનોમિક સ્થિતિ દર્શાવે છે. જે-તે દેશના નાગરિક જીવધોરણનું સ્તર તેમજ આર્થિક સદ્ધરતાની પરિસ્થિતિ જાણવા ઉપયોગી છે. અહીં, શિક્ષણ,આરોગ્ય અને માથાદીઠ આવક જેવા પાસાઓનો સમાવેશ થાય છે; જે એકંદરે જે-તે દેશના નાગરિકોનું જીવનધોરણ પ્રતિબિંબિત કરે છે. સમાજશાસ્ત્રીઓ,માનવવાદીઓ,શિક્ષણવિદો જેવા વર્ગો GDP કરતા HDI ને વધુ મહત્વ આપે છે. છતાં પણ HDI નો ખ્યાલ આજના સમયે ટીકાઓનો ભોગ બની રહ્યું છે; જેમ કે અહીં લૈંગિક અસમાનતા,સામાજિક અસમાનતા વગેરે જેવા મહત્વના પાસાઓ અવગણાતા હોય આ માપદંડ તલસ્પર્શી ચિત્ર રજૂ કરવા પર્યાપ્ત નથી.

ભારતની સ્થિતિ: વર્ષ ૨૦૦૦=૦.૪૯; ૨૦૧૦=૦.૫૮; ૨૦૧૫=૦.૬૨
(આ માપદંડ ૦ થી ૧ ની વચ્ચે રહે છે; ૦ એ સૌથી ખરાબ આંક દર્શાવે છે ; જયારે ૧ એ સૌથી સારો આંક દર્શાવે છે.) ભારત અહીં ધીમે ધીમે પ્રગતિ કરી રહ્યું છે. છતાં તેનો ક્રમાંક ૧૯૩ દેશો પૈકી ૧૩૫ જેટલો પાછળ છે. ભારતની સરખામણીએ કેનેડા,સાઉદી આરબ,મલેશિયા,શ્રીલંકા,ઇરાક અને ઇન્ડોનેશિયા જેવા દેશો આગળ છે. નોર્વે દેશ અહીં પ્રથમ ક્રમાંકે છે.

 IDI ( સમાવિષ્ટ વિકાસ આંક):-

સમાવિષ્ટ વિકાસ આંક એ તાજેતરમાં રજુ થયેલ નવીન ખ્યાલ છે; જે GDP અને HDI ની મર્યાદાઓ દૂર કરી માનવજીવનની વધુ સ્પષ્ટ સ્થિતિ દર્શાવે છે. અહીં ૧૫ જેટલા વિવિધ ક્ષેત્રોને સાંકળી દેશની આર્થિક,સામાજિક અને રાજકીય પરિસ્થતિ ને નિચોડી તારણ કાઢવામાં આવે છે. તે નાગરિક ઉત્કર્ષને સ્પર્શતી અતિમહત્વની બાબતો ઉપર જોર આપે છે. IDI આંકડાઓ,જાહેરાતો કે પ્રયત્નો ને નહીં; પણ ગુણવત્તા,અમલીકરણ અને પરિણામ તફર આંગળી ચીંધે છે. અહીં GDP, રોજગારી,તંદુરસ્ત આરોગ્ય,ગરીબી,શ્રમ-ક્ષમતા , આવક-સંપત્તિની સમાનતા,બચત, દેવું, માથાદીઠ આવક જેવા પરિબળો વડે દેશની સ્થિતનો ચિતાર મેળવાય છે. આ આંક સંતુલિત,સમ્પોષિત તેમજ સમાવિષ્ટ માપદંડ છે;જેને લઈને ભવિષ્યમાં ઘણી આશાઓ રહેલ છે.

ભારતનો ક્રમાંક ૭૮ દેશો પૈકી ૬૦ હોય; ભારત ઘણું પાછળ જણાય છે. પ્રથમ ક્રમે નોર્વે છે.

 SPI ( સામાજિક પ્રગતિ આંક) :-

સામાજિક પ્રગતિ આંક અતિઆધુનિક ખ્યાલ છે. IDI ની સમાન અહીં પણ માનવજીવનના અગત્યના પાસાઓ ઉપર ધ્યાન અપાયેલ છે. નાગરિકોની પાયાની જરૂરિયાતો, જીવધોરણ સુધારવાની ક્ષમતા, તકો-સંભાવના નો મહત્તમ ઉપયોગ કરવાની મોકળાશ જેવા ઉચ્ચ પરિબળોનો સમાવેશ કરી આંક મેળવાય છે. ટૂંકમાં, સામાજિક, પર્યાવરણીય, આર્થિક તેમજ માનવકલ્યાણ ની દ્રષ્ટિએ કોણ ક્યાં છે તે સ્થિતિ દર્શાવે છે.
SPI માં ભારતનો ક્રમાંક ૧૨૮ દેશો પૈકી ૯૩ માં ક્રમાંક છે. ડેનમાર્ક પ્રથમ ક્રમાંકે છે. (નોર્વે ત્રીજા સ્થાને છે.)

...❞

દેશના રાજકીય પક્ષો FDI ,GDP , આયાત-નિકાસ જેવી પરંપરાગત બાબતો ઉપર રાજકારણ રમી પ્રજાને ગુમરાહ કરે છે. આજ કાલતો ભારત વિશ્વનું પ્રથમ ક્રમાંક નું અર્થતંત્ર બની સુપરપાવર બનશે તેવો પ્રચાર જોરશોરથી ચાલુ છે. છતાં પણ શું હકિકતી આયના સામે ઉભા રહી નજર મિલાવવાની હિંમત છે? વ્યક્તિગત સુખાકારી અને જીવનધોરણનું સ્તર દેખતા શું આપણે "વિશ્વગુરુ" ના હકદાર છીએ? રાજકારણ પ્રેરિત રાષ્ટ્રવાદ આપણને આખરે "મિથ્યાભિમાની" બનાવી; સાચી દિશામાં ચાલવા કરતા વ્યર્થ ખોટા માર્ગો તરફ દોરી જાય છે.

એવું નથી કે દેશ રાતોરાત જીવનધોરણના માપદંડોમાં અવ્વ્લ આવી જશે. પરંતુ આપણી પ્રાથમિકતા શું હોવી જોઈએ તેટલી સમજ કેળવવી આપણી ફરજ તો છે જ .

તમારા મતાનુસાર આ પાંચ માપદંડો પૈકો કોણ દેશની વાસ્તવિક આદર્શ સ્થિતિઆંક દર્શાવે છે ?

એક્ષક્યુઝ મી એથેઇસ્ટ...

By Rushang Borisa   || 27 February 2018



ન્યાય અને નૈતિકતા ની સ્થાપના માટે સમાનતા,બંધુતા અને સ્વતંત્રતાના પાયાઓ જરૂરી છે. જે-તે ધર્મની સ્થાપના માનવસમાજ ને અરાજકતામાંથી બહાર નીકાળી એક વ્યવસ્થાનું માળખું ઉભું કરવા જરૂરી હતી .એક્ચ્યુઅલી હતી નહીં ;છે...કારણ કે આ માનવમગજની કુદરતી ભેટ છે.

આંબેડકરે ધર્મ,સંસ્કૃતિ અને સમાજ ઉપર સૈકડ઼ોં પુસ્તકો વાંચ્યા હતા, માત્ર વાંચ્યા નહીં સમજ્યા હતા ; તલસ્પર્શી બુધ્ધિપહોચ વડે પોતાના લખાણોમાં આ વિષયે અનેક વખત ધ્યાન દોરવાના પ્રયત્નો પણ કર્યા. જે-તે ધર્મ ની શરૂઆત ચાલે પુરાતન હોય કહેવાતા નાસ્તિકો કે સેક્યુલર્સ અત્યારના સમયમાં ધર્મનો છેદ ઉડાવે ;છતાં ધર્મનું જે મિશન-વિઝન હોય છે તે તત્વજ્ઞાન પ્રેરિત હોય છે; પુરી રીતે જર્જરિત નથી હોતું. તેથી વિપરીત આ વિઝન જે-તે ધર્મને પરિસ્થિતિ મુજબ સ્થિતિસ્થાપક બનાવી સનાતન કરે છે.

તત્વજ્ઞાન જયારે મનુષ્ય અને સમાજ ઉપર મંતવ્યો રજૂ કરે ત્યારે એક ય બીજી રીતે "સમાનતા,બંધુતા અને સ્વતંત્રતા" ને ક્યારેય અવગણી ના શકે. આંબેડકરે વિશ્વના તમામ પ્રચલિત ધર્મોનો ગહન અભ્યાસ કર્યો હતો. ખામીઓ-ખૂબીઓ જણાવી ધર્મો ઉપર ટિપ્પણીઓ કરી હતી. તમે જેટલી આંબેડકરની રચનાઓ વાંચવાનું રિપીટ કરો તમને એક નાનું પણ નવું પાસું જાણવા મળશે; જે પહેલા ચુકી જવાયું હોય.

આંબેકરે વિશ્વના બિગ ફોર કહેવાતા ૪ ધર્મો ને "સમાનતા,બંધુતા અને સ્વતંત્રતા" ની સાપેક્ષે વિભાજીત કર્યા હતા; અને પોતાના નિષ્કર્ષ ઉપર વિશ્લેષણાત્મક રજુઆત કરી હતી. ચાલો આ વિભાજનને જાણીયે...

ઈસાઈ ધર્મ :- અહીં સમાનતા અને બંધુતા છે ;પણ સ્વતંત્રતા નથી.
ઇસ્લામ ધર્મ :- અહીં પણ સમાનતા અને બંધુતા છે; પણ સ્વતંત્રતા નથી.
હિન્દૂ ધર્મ:- અહીં સમાનતા,સ્વતંત્રતા અને બંધુતાની સ્પષ્ટ ગેરહાજરી છે.
બૌદ્ધ ધર્મ:- અહીં સમાનતા,બંધુતા અને સ્વતંત્રતાનો સમન્વય છે.

સામ્યવાદીઓ ધર્મને માનવજીવનના દુશ્મન કહે છે. આંબેડકરે સામ્યવાદીઓ ઉપર ફિલોસોફિકલ પ્રહારો કર્યા હતા. જેમ કે સામ્યવાદ કહે છે કે રાજ્ય/રાષ્ટ્રનું અસ્તિત્વ નાશ પામવું જોઈએ અને સત્તાનું કેન્દ્રીકરણ શ્રમિકોના હાથમાં જવું જોઈએ. આંબેડકર કહે છે કે જો રાજ્યનું અસ્તિત્વ ના રહે તો તેની જગ્યા કોણ લેશે? કોઈ પણ વ્યવસ્થા જયારે તૂટે છે ત્યારે અરાજકતા ફેલાય છે; તે અરાજકતા માત્ર રાજકીય સત્તાના કેન્દ્રીકરણ વડે અંકુશમાં ના આવી શકે. અરાજકતાનો અંકુશમાં રાખવા ધર્મ ની સ્થાપના જરૂરી છે.

ધીરે ધીરે મારી નાસ્તિકતા(?) પણ લિબરલ બની રહી છે. જેમ જેમ મનોવિજ્ઞાન ઉપર વાંચન વધારું છું તેમ તેમ ધર્મનું મહત્વ પુનઃ સમજાતું જાય છે.

એક્ષક્યુઝ મી એથેઇસ્ટ...

मार्क्सवाद या छुपा ब्राह्मणवाद ???

By Jigar Shyamlan ||  28 February 2018 


‘मार्क्सवाद की दुर्दशा' में सुप्रसिद्ध इतिहासकार एस. के. बिस्वास लिखते है...

मित्रों उपरोक्त तथ्यों की रोशनी में आपके समक्ष निम्न शंकाएं रखना चाहता हूं.

- हालांकि पहले भी इस किस्म की शंका रख चुका हूं फिर भी दुबारा बता दूं कि क्रांति के शास्त्र में जिस ब्राह्मण वर्ग का चरित्र प्रतिक्रांति वाला है , उसके हाथ में मार्क्सवाद जैसे क्रांतिकारी सिद्धांत का लगाम देखकर वंचित वर्ग क्यों नहीं मार्क्सवाद से दूरी बनाएगा?

- फुले से लगाये शाहूजी, पेरियार, बाबासाहेब ,रामस्वरूप वर्मा ,जगदेव प्रसाद कांशीराम इत्यादि सभी बहुजन नायकों ने मार्क्सवादी- ब्राह्मणों के खिलाफ आक्रामक तेंवर अपनाये। वही काम उनके अनुसरणकारी भी किये जा रहे हैं। आप यह बतलायें बहुजन नायकों का विरोध क्या अकारण था?

- यह तय है कि एक वर्ग के रूप ब्राह्मणों ने अपनी मंषा से मानवता को जितनी क्षति पहुचाया है, उसकी कोई मिसाल मानव जाति के इतिहास में नहीं है। इनके कारण देश की बहुसंख्यक आबादी शक्ति के स्रोतों-आर्थिक, राजनीतक, धार्मिक- के साथ ही पिछड़े,अस्पृश्य,आदिवासी(जंगली)और विधर्मी बनकर पूर्ण मानवीय मर्यादा से भी वंचित हैं। अतः जिस जाति का किसी क्रन्तिकारी संगठन पर वर्चस्व,जगदेव प्रसाद की भाषा में कुत्ते द्वारा मांस की रखवाली करने जैसा हो;जो डॉ.आंबेडकर तथा अन्य बहुजन नायकों के शब्दों में शूद्रातिशूद्रों(सर्वस्व-हारा)के सबसे पुराने व कट्टर दुश्मन हों,उसी वर्ग के कथित डीक्लास्ड और ज्ञानी लोगों के नेतृत्व में दलित-पिछडों के मार्क्सवाद के झंडे तले संगठित होने की कोई युक्ति है?

- जिस डॉ.अम्बेडकर के दलित –मुक्ति अवदानों को देखते हुए दुनिया ने अब्राहम लिंकन,बुकर टी वाशिंगटन,मोजेज इत्यादि से उनकी तुलना किया उसी डॉ.आंबेडकर को 21 वीं सदी के मार्क्सवादियों द्वारा खारिज करना क्या यह साबित नहीं करता कि वर्तमान प्रजन्म के वैदिकों की सोच में रत्ती भर भी बदलाव नहीं आया है और वे ब्राह्मणवादी कहलाने के ही पात्र हैं। क्या इसके पीछे उनकी यह मानसिकता नहीं झलकती कि जन्मजात सर्वस्वहारा आंबेडकरवाद से मुक्त होकर राष्ट्रवादी,गाँधीवादी या खुद उनके अर्थात मार्क्सवादी खेमे में चले जाएँ ताकि मूलनिवासियों के मुक्ति की परिकल्पना ध्वस्त हो जाय और उनपर परम्परागत शासक जातियों का प्रभुत्व बरकरार रहे?

- महान मार्क्सवादी विचारक महापंडित राहुल सांकृत्यायन ने अपने ग्रन्थ ‘कार्ल मार्क्स’के विषय प्रवेश में लिखा हैं-‘मानव समाज की आर्थिक विषमताएं ही वह मर्ज है,जिसके कारण मानव समाज में दूसरी विषमताएं और असह्य वेदनाएं देखी जाती हैं.इन वेदनाओं का हर देश-काल में मानवता –प्रेमियों और महान विचारकों ने दुःख के साथ अनुभव किया और उसको हटाने का यथासंभव प्रयत्न भी किया.भारत में बुद्ध,चीन में मो-ती,इरान में मज्दक ….जैसे अनेक विचारक प्रायः ढाई हज़ार साल तक उस समाज का सपना देखते रहे ,जिसमें मानव-मानव समान होंगे;उनमें कोई आर्थिक विषमता नहीं होगी;लूट-खसोट,शोषण-उत्पीडन से मुक्त मानव समाज उस वर्ग का रूप धारण करेगा,जिसका भिन्न -भिन्न धर्म मरने के बाद देते है। ’महापंडित राहुल ने 2500 सालों के इतिहास में आर्थिक बिषमतारहित व शोषण व उत्पीडन-मुक्त समतामूलक समाज के लिए सक्रिय प्रयास करनेवाले चंद लोगों में उस गौतम बुद्ध का नाम बड़ी प्रमुखता से लिया था जिनके धम्म का अनुसरण डॉ.आंबेडकर ने किया था। मानवता की मुक्ति के लिए मार्क्स द्वारा वैज्ञानिक सूत्र इजाद किये जाने के कई सदियों पूर्व विश्व में एकमात्र वैज्ञानिक धर्म का प्रवर्तन करनेवाले गौतम बुद्ध ने बेबाकी से कहा था। ’किसी बात को इसलिए मत मानो कि उसका बहुत से लोग अनुसरण कर रहे हैं या धर्म-शास्त्रों में लिखा हुआ है अथवा मैं(स्वयं बुद्ध) कह रहा हूँ। आज आंबेडकर के लोग बड़ी तेज़ी से उसी बुद्ध के धम्म की शरण में जा रहे हैं जिस बुद्ध ने इस दुनिया को को स्वर्ग से भी सुन्दर बनाने का वैज्ञानिक उपाय सुझाया था। आज आंबेडकर के साथ जिस तरह मार्क्सवादी बुद्ध को भी खारिज करने का उपक्रम चला रहे हैं उससे लगता है वे आंबेडकर के लोगों को उन धर्मों की पनाह में ले जाना चाहते जो मरणोपरांत स्वर्ग का सुख मुहैया कराते हैं। ऐसे में अगर मैं यह कहूं कि मार्क्सवादी छुपे ब्राह्मणवादी हैं तो क्या यह गलत होगा?

- डॉ.आंबेडकर ने जिस तरह हिंदुत्व के दर्शन को मानवता विरोधी करार देने के साथ ही ‘हिदू-धर्म की पहेलियां’लिख कर किसी धर्म की धज्जी उड़ाई वह धर्म-द्रोह के इतिहास की बेनजीर घटना है। किन्तु पेरियार ने जिस तरह सार्वजनिक रूप से हिंदू देवी-देवताओं की मूर्तियों को झाड़ू और जूते से पिटने का अभ्यास बनाया उसकी कल्पना भी नहीं की जा सकती। इन्ही के पद चिन्हों पर चलते हुए कांशीराम ने शोषण के यंत्र हिंदू धर्म-शास्त्र और देवी-देवताओं के खिलाफ ऐसा अभियान चलाया कि लोग घरों से देवी-देवताओं की तस्वीरें निकाल कर नदी तालाबों में डुबोने लगे। किन्तु जिस तरह अम्बेडकरवाद से प्रेरित होकर लोग धर्म से विमुक्त होना शुरू किये, वह काम भारत में मार्क्सवाद न कर सका। आज अम्बेडकरवाद से प्रेरित होकर जिस तरह दलित साहित्यकारों ने लोगों को दैविक गुलामी (divine-slavery)से मुक्त करने के लिए कलम को तलवार के रूप में इस्तेमाल करने की मुहीम छेड़ा है उसके सामने भारत के गैर-आंबेडकरवादी साहित्यकार शिशु लगते हैं। इस मोर्चे पर अम्बेकर्वादियों का मुकाबला कर सकते थे मार्क्सवादी। पर,मार्क्सवादी तो शिशु ही दीखते हैं। इसका खास कारण यह है कि भारत के मार्क्सवादियों ने सिर्फ स्लोगन दिया –धर्म अफीम हैं। किन्तु लोगों को दैविक-दासत्व से मुक्त करने का आंबेडकरवादियों जैसा प्रयास बिलकुल ही नहीं किया। इन पंक्तियों को लिखते हुए मुझे मार्क्सवादियों के गढ़ बंगाल की याद आ रही है.


बंगाल की राजधानी कोलकाता में प्रवेश करने के दौरान जब भी ट्रेनें दक्षिणेश्वर के सामने से गुजरती हैं, प्रायः सभी बंगाली यात्रियों का सर माँ काली की श्रद्धा में झुक जाता है। पारलौकिक शक्ति में परम विश्वास के कारण बंगाली,जिनकी दूसरी पहचान मार्क्सवादी के रूप में है,जिस मात्रा में अंगुलियों में रत्न धारण करते हैं,वह अन्यत्र दुर्लभ है। इन सब त्रासदियों के लिए कोई जिम्मेवार है तो मार्क्सवादी। उन्होंने धर्म अफीम है का डायलाग मारने के सिवाय कुछ किया ही नहीं। ऐसे में दैविक-दासत्व से मुक्ति के मोर्चे पर मार्क्सवादियों की शोचनीय दशा देखते हुए क्या आपको ऐसा नहीं लगता कि वे बेसिकली ब्राह्मणवादी हैं?

કોમ્યુનિસ્ટરૂપી ખતરાને સમજો

By Jigar Shyamlan ||  27 February 2018 at 11:36 


કોમ્યુનિસ્ટરૂપી ખતરાને સમજો અને એ વાત પણ સમજો પોતાની મધ દરીયે ડૂબી રહેલી નાવડીને બચાવવાની કવાયતમાં વામપંથીઓનું ઝૂંડ માત્ર અનુ.જાતિઓનો ઉપયોગ જ કરી રહ્યુ છે.

ઉપરનુ વિધાન સમજવા પહેલા તો દિલ અને દિમાગ બેય ખુલ્લા રાખવા પડશે. આ વિધાન ડો. આંબેડકર દ્વારા વામપંથીઓનો વિરોધ જોતા સ્પષ્ટ સમજી શકાય તેમ છે.

ડો. આંબેડકરે શરૂઆતથી જ વામપંથીઓથી દેશને શુ ખતરો થઈ શકે એ વાત પારખી ગયા હતા. એટલા માટે જ એમણે વામપંથ તરફ પોતાની ના-પસંદગી શરૂથી જ વામપંથનો એકદમ ખુલ્લમ ખુલ્લા વિરોધ કરીને પ્રદઁશિત કરેલી. એમણે સમાજને અને ખાસ કરીને વંચિતોને વામપંથ અંગે ચેતવ્યા પણ હતા.

  • પોતાના પક્ષ "શિડ્યૂલ્ડ કાસ્ટ ફેડરેશન"ના ઘોષણા પત્રમાં આંબેડકર લખે છે કે -
    "મારૂ સંગઠન કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે કોઈપણ પ્રકારનુ ગઠબંધન નહી કરે, કારણ કે એમનો ઉદ્દેશ્ય વ્યક્તિગત સ્વતંત્રતા અને સંસદીય લોકતંત્રને નષ્ટ કરી તેના બદલે તાનાશાહી સ્થાપિત કરવાનો છે"
  • પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડીયાને 7 નવેમ્બર 1951 માં આપેલ એક ઈન્ટરવ્યુમાં પણ આંબેડકરે એ સ્પષ્ટ કરેલું કે એમનો પક્ષ કોમ્યુનિસ્ટો સાથે કોઈપણ જોડાણ નહી કરે, કારણ કે
    "હું કોમ્યુનિઝમમાં વિશ્વાસ ધરાવતો નથી, મારા પક્ષનો પણ આ જ અભિપ્રાય છે"
  • સંવિધાન સભામાં કોમ્યુનિસ્ટોની કુત્સિત મંશા પર બોલતા આંબેડકરે કહ્યુ હતુ કે -
    "કોમ્યુનિસ્ટ સંવિધાનમાં અસિમીત મૌલિક અધિકારો એટલા માટે માંગી રહ્યા છે જેથી એ લોકો સત્તા પર ન આવી શકે તો એમની પાસે અસિમીત અધિકારો હોય, જેથી એ લોકો ન ફક્ત ટીકાઓ કરી શકે પણ સરકારને પણ પલટી શકે"
  • 1937માં મસુર જિલ્લા ખાતેના એક સંમેલનમાં કોમ્યુનિસ્ટો દ્વારા કરવામાં આવતા મજુરોના શોષણ પર આંબેડકરે કહ્યું હતુ કે - "હુ કોમ્યુનિસ્ટોનો શાપિત દુશ્મન છું, કોમ્યુનિસ્ટો રાજનૈતિક લાભ મેળવવા માટે મજુરોનું શોષણ કરે છે"
  • કદાચ લોકોને એ વાતની ખબર નહી હોય પણ કોમ્યુનિસ્ટ શ્રી ડાંગેએ ખુલ્લમ ખુલ્લા લોકોને એવી અપિલ કરી હતી કે તમારો વોટ ભલે બરબાદ કરી દો પણ આંબેડકરને તો વોટ ન જ આપો.
  • આંબેડકર એમ પણ લખે છે કે -"કોમ્યુનિઝમ એક મોટા તગડા ડુકકર અને માણસ વચ્ચેનો ફરક નથી સમજતો. જ્યારે એ વાત સાચી છે માણસની જરુરીયાત માત્ર ભૌતિક સમૃધ્ધિ પુરતી સિમીત નથી, આધ્યાત્મિક સમૃધ્ધિ પણ હોય છે"
  • કોમ્યુનિસ્ટો દ્વારા વારંવાર થતી હિંસાઓ પર આંબેડકર લખે છે કે -
    "કેટલી હત્યાઓ કરી આ લોકોએ..?? શું માણસના જીવનની કોઈ કિંમત જ નથી હોતી..??"


વામપંથનુ ચરિત્ર જોતા એક વાત સ્પષ્ટ થાય છે કે આંબેડકરે વામપંથીઓ પ્રત્યે જે પણ આશંકાઓ વ્યક્ત કરી હતી એ કેટલી બધી સાચી હતી.

માટે દરેક મિત્રોને એક વિનંતી કે આંબેડકરે ખુદ બતાવેલ કોમ્યુનિસ્ટરૂપી ખતરાને સમજો અને એ વાત પણ સમજો કે પોતાની મધ દરીયે ડૂબી રહેલી નાવડીને બચાવવાની કવાયતમાં વામપંથીઓનું ઝૂંડ માત્ર અનુ.જાતિઓનો ઉપયોગ જ કરી રહ્યુ છે.

(પ્રેરણાબીજ -પારીજાતજી સિંહાની એક જુની પોસ્ટ)

સંદભઁ : (1) Dr Babasaheb Ambedkar Writing & Speech (Government of India) – (a) Page 402, Vol 17, Part 1, (b) Page 406, Vol 17, Part 1, (2) Parliamentary speech (Parliament of India) – volume 11, page 11; (3) P Radhakrishnan’s book “India, Perfidies of Power (page 54); (4) Election Manifesto of “The Scheduled cast Federation” prepared by Babsaheb Ambedkar ; (5) Election petition filed by Dr Ambedkar (BAWS – page 409 and 422 , vol 17, opart 1), (6) Dr Babasaheb Ambedkar Writing & Speech (Government of India) page 460, 462, 452 of vol 3; )

सर्वहारा क्रान्ति का लोलीपोप

By Jigar Shyamlan ||  24 February 2018 at  10:04am




महर्षि कार्ल मार्क्स ने भी 'साम्यवाद' को देश - काल - परिस्थितियों के अनुसार लागू करने की बात कही है।

लेकिन भारत के वामपंथी / साम्यवादी न मार्क्स की बात मानते हैं न ही लेनिन व स्टालिन की।

जिन देशों मे भी साम्यवाद आया वहा पर मार्क्सवाद का देशी संस्करण तैयार किया गया रूस मे लेनिन और चीन मे माओ, आदि नेताओ ने अपने विशिष्ट सिद्धान्त सामने रखे जो उस क्षेत्र की सांस्कृतिक विरासत के अनुकूल थे लेकिन भारत में क्या हुआ..??

मार्कसवाद को हाईजेक करके पुरा ब्राह्मणीकरण हो गया।

मार्क्सवाद का एक भारतीय संस्करण न खड़ा कर पाना वाम पंथियो की सबसे बड़ी नाकामी है।

अब दलितो, आदिवासीयो और पीछडो को सर्वहारा और सर्वहारा क्रान्ति का लोलीपोप बताकर गुमराह किया जा रहा है।