Showing posts with label Hinduism. Show all posts
Showing posts with label Hinduism. Show all posts

March 12, 2020

ભેદભાવ વિનાની દુનિયા જોવા હજી કેટલે દૂર જવું પડશે??

By Vijay Makwana  || 02 Oct 2019

Image result for kepler star

તમને એ ખબર છે કે, પ્રકાશ એક વર્ષમાં જેટલા કિલોમીટર ચાલે તેટલાં અંતરને એક પ્રકાશવર્ષ કહે છે. આ સામાન્ય વાત થઈ! તમને એ પણ જાણ છે કે કોઈપણ વસ્તુ કે ચીજ પર પ્રકાશ ના કિરણો પડે અને તે કિરણો પરાવર્તિત થઈ આપણી આંખની કીકી સુધી પહોંચે એટલે જે તે ચીજને આપણે જોઈ શકીએ છીએ..મતલબ કે આપણી આંખ અને જે તે ચીજ વસ્તુની વચ્ચે રહેલું અંતર પ્રકાશ કાપે છે..સરળ અર્થમાં સફર કરે છે. જો તે ચીજ એક પ્રકાશવર્ષ દૂર હોય તો? સ્વાભાવિક છે કે તે એક વર્ષ આપણી આંખને મોડી દેખાશે!

તસવીરમાં દેખાતો કેપ્લર નામનો તારો આપણી પૃથ્વીથી 5000 પ્રકાશવર્ષ દૂર છે. જે સૂર્ય કરતા બે ગણો મોટો છે.

તમે કલ્પના કરી લો! તમે કેપ્લર ની આસપાસ ફરતા કોઈ ગ્રહ પર બેઠા છો અને આપણી પૃથ્વી તરફ નજર કરો! પૃથ્વી પર સિંધુ સંસ્કૃતિના લોકો નહેરો ખોદી રહ્યાં છે, માટી ની ઈંટો બનાવી રહ્યાં છે. હાર બંધ મકાનો બનાવી રહ્યાં છે. ગોદામમાં માલ ભરી રહ્યાં છે, નાના ભૂલકાઓ માટીના ગાડાં થી રમી રહ્યા છે. વિશાળ સ્નાન ઘરોની આસપાસ આવેલાં કૂવાઓ પર પનિહારીઓ માટી ના ઘડાઓથી પાણી ભરી રહી છે..હવે બોલો કેટલું સુરમ્ય મનોહર જાતિ અને જાતિવાદ વિહીન દ્રશ્ય ચાલી રહ્યું છે??!! ભેદભાવ વિનાની દુનિયા જોવા હજી કેટલે દૂર જવું પડશે??

તમે તર્ક સાથે વિજ્ઞાન ને ભેળવી દો તો કેટલાય સુંદર દૃશ્યો જોવા મળે! બસ નજર હોવી જોઈએ! લવ યુ ઓલ! જય આંબેડકર!

July 22, 2018

વર્ણવ્યવસ્થા અને કેટલીક ભ્રાંતિઓ....

By Jigar Shyamlan ||  Written on 9 April 2018


जन्मना जायते शुद्र: संस्काराद् द्विज उच्यतो
वेदाध्ययनाद् विप्रस्तु ब्रह्मज्ञानाद् ब्राह्मण: ||
(અર્થાત- જન્મથી બધા શુદ્ર જન્મે છે, સંસ્કારથી જ દ્વિજ કહેવાય છે, વેદાધ્યન કરવાથી વિપ્ર અને બ્રહ્મજ્ઞાન થાય તેને બ્રાહ્મણ કહેવાય છે.)

વર્ણવ્યવસ્થાના બચાવમાં કેટલાય વિધ્વાનો એવી દલિલ અને વકીલાત કરે છે કે એ જન્મ આધારિત નહી પણ ગુણ અને કર્મ આધારિત હતી. આ દલિલ પર મને હંમેશા હસવુ આવ્યુ છે, અને આ દલિલને હુ એક જોકથી વિશેષ નથી ગણતો.

વર્ણ વ્યવસ્થા જન્મ આધારિત નહી પણ કર્મ આધારિત હતી એવો સાવ લૂલો બચાવ કરનારા અને આવી દલિલો કરનાર પોતાના બચાવને ઝાઝો ટકાવી રાખવામાં સફળ નિવડતા નથી.

પોતાને હિન્દુ અને સનાતન ધર્મી તરીકે ઓળખાવતા મિત્રો હિન્દુ ધર્મ બાબતે બહુ બે-જવાબદારીપૂર્ણ અને પ્રતિદલીલમાં એક મિનીટ પણ ટકી ન શકે તેવી રજુઆત કરે છે કે હિન્દુ ધર્મમાં જાતિ વિભાજન જન્મને આધારે નહી પણ કર્મને આધારે હતું. ટુંકમાં વર્ણ વ્યવસ્થા કર્મ આધારીત હતી, જન્મ આધારીત નહી.

કારણ જો ખરેખર તેમની વર્ણ વ્યવસ્થા કર્મ આધારિત હતી જન્મ આધારિત નહી વાળી વાત સાચી હોય તો એમની આવી ખોટી અને સત્યથી વિપરીત રજૂઆત સાંભળ્યા પછી શંબૂક, એકલવ્ય કર્ણ અને વિદૂર મારી નજર સામે આવી જાય છે.

શંબૂક, એકલવ્ય, કર્ણ અને વિદુરને શા માટે અપમાન સહન કરવાનો વારો આવેલો...???

  • શંબૂક શુદ્ર હતો, વેદાભ્યાસ કરી રહ્યો હતો. મતલબ બ્રાહ્મણનુ કર્મ કરી રહ્યો હતો. પણ હું પુછવા માંગીશ કે શુદ્ર શંબૂકને બ્રાહ્મણ તરીકે માન્યતા મળી...??? શંબૂક વિધ્યા અભ્યાસ કરી રહ્યો હતો... તો તેને પોતે કરી રહેલ કર્મ મુજબ બ્રાહ્મણ ઘોષિત શા માટે ન કરવામાં આવ્યો..????
    ઉલટાનું શંબૂકને બ્રાહ્મણનુ કર્મ કરવા બદલ રામ દ્વારા હત્યા કરવામાં આવેલી.
  • એકલવ્ય પણ શુદ્ર હતો, ધર્નુવિધ્યા શીખી રહ્યો હતો. મતલબ ક્ષત્રિયનુ કર્મ કરી રહ્યો હતો. શું તેને કદીય ક્ષત્રિય તરીકે માન્યતા મળી..??
    ના.. એકલવ્યને પણ સજાના રૂપે પ્રત્યક્ષ દ્રોણ પાસે ભણ્યો ન હોવા છતાં અંગુઠાની ગુરૂદક્ષિણા આપવી પડી.
    આવો જ અનુભવ વિદ્વાન ધર્નુધારી કર્ણને પણ દ્રોપદીના સ્વયંવર વખતે થયો હતો, સૂતપુત્ર કહીને તેને સ્વયંવરમાં ભાગ લેવાની મનાઈ કરવામાં આવી હતી.
    એકલવ્ય અને કર્ણ બન્ને શસ્ત્રવિધ્યામાં નિપૂર્ણ હતા તો પણ તેમને કદી ક્ષત્રિય બનવા દેવાયા ન હતા.
  • વિદુર પોતે દાસીપુત્ર હોવાના કારણે રાજનિતીનાં એકદમ નિપૂર્ણ હોવા છતાં હસ્તિનાપુરના સિંહાસન પર કદી આરૂઢ ન થઈ શક્યા.


મતલબ હિન્દુ ધર્મમાં જાતિ જન્મ આધારીત નહી પરંતુ કર્મ આધારીત હતી.. એ દલીલોની તો રેવડી દાણ દાણ જ થઈ ગઈ ને.

હા.. એક વસ્તુ ખાતરી આપી કહી શકુ એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. ગમે તેટલા કર્મ કરે પણ તેમનો વર્ણ શુદ્ર અને ગણ રાક્ષસ જ રહેવાનો.

એવા કેટલાય દુરાચારી, બળાત્કારી, પાપાચારી બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યો હતા પણ તેમને નીચલા વર્ણમાં ધકેલી શુદ્ર બનાવી દીધાનો દાખલો કેમ શોધ્યોય જડતો નથી.??

આવી બધી દલિલોના જવાબ આપી નથી શકતા એટલે પછી એમની પેલી 
"અમે તો જાતિમાં માનતા નથી. મારા કેટલાય મિત્રો પછાત સમાજમાંથી છે. અમે સાથે જમીએ છીએ" જેવી વાતો કરવા માંડે.

જો કે આ બધી વાતો કહેવા પાછળ એ એ લોકોનો આડકતરો અર્થ એવો હોય છે કે હવે એવા ઉચ્ચનીચના ભેદભાવ નથી. જો કે હવે જાતિવાદ નથી એવી સુફીયાણી વાતો કરવાવાળાઓનો ગોળ ગોળ પણ સીધો હુમલો સંવિધાનની પ્રતિનિધીત્વની જોગવાઈઓ પર હોય છે. આવા લોકો મને હંમેશા સ્યૂડો હ્યુમિનીસ્ટ જ લાગ્યા છે.

વૈદિક સંસ્કૃતિમાં કે વેદ, પુરાણ, સ્મૃતિ, શ્રુતિ જે પણ સાહિત્ય પોતે શાસ્ત્ર છે કે એવા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તેમાં કોઈ જગ્યાએ વર્ણ પરિવર્તન કે નીચલા વર્ણમાંથી ઉપરના વર્ણમાં જવાની કોઈ વિધી વિધાન શા માટે નથી..??

જન્મથી તો સૌ શુદ્ર છે એવી વાત માત્ર શુદ્રોને નિમ્ન બતાવવા માટે જ ઉલ્લેખ કરાઈ છે. વળી તેમાં બ્રાહ્મણ થવા સંસ્કાર, વેદ અભ્યાસ, બ્રહ્મજ્ઞાન વગેરે જેવી વાતો કહેવામાં આવી છે. પરંતુ મહત્વની વાત એ હતી કે શુદ્રોની સંસ્કારવિધી, વેદા અભ્યાસ પર પાબંધી હતી. આ સદંતર બેવડા ધોરણો હતા.

જો જન્મથી જ શુદ્રોને ઉપનયન અને વેદા અભ્યાસનો અધિકાર આપવામાં આવ્યો હોત તો એ પણ યોગ્યતા મુજબ આગળ વધી શક્યા હોત..પણ એવુ નથી થયું
શુદ્રને ઉપનયન સંસ્કાર નહી, ઉપનયન સંસ્કાર વિના વિધ્યા નહી, વિધ્યા વિના વેદાધ્યન નહી, અને વેદાધ્યાન નહી મતલબ બ્રહ્મજ્ઞાન નહી. સીધો જ સાર મતલબ બ્રાહ્મણ નહી.

વર્ણવ્યવસ્થા જન્મ આધારિત જ હતી, કર્મઆધારિત તો કદીય નહી. તેમ છતાં તેવી દલિલો, અને તેને અનુમોદન આપતા સાહિત્યો માત્ર અને માત્ર ભ્રમ ફેલાવે છે બીજુ કંઈ નહી..
- જિગર શ્યામલન



Facebook Post :

February 13, 2018

પુસ્તકપરિચય : The Myth Of The Holy Cow

By Rushang Borisa   || 12 February 2018



પુસ્તકપરિચય 

નામ : "The Myth Of The Holy Cow"
લેખક: ઇતિહાસકાર "દ્વિજેન્દ્ર ઝા"

હિન્દૂ સંસ્કૃતિમાં ગાય એ કદાચ આપણી માતા કરતા પણ ઉંચો દરજ્જો ભોગવી રહી છે. ગાય હિન્દૂ ધર્મનું પ્રતીક માનવામાં આવે છે. તેને લઈને એ હદે પ્રચાર થાય છે કે તેના રક્ષણ માટે સૈકડ઼ોં હિંસા પણ ઉચિત ઠરે. ઘણા સાચા-ખોટા પ્રચાર વડે હિંદુઓનું બ્રેઈન વોશ કરવામાં આવે છે.

પણ શું ગાય ઐતિહાસિક રીતે પૂજનીય ધાર્મિક પશુ હતું? આ સવાલનો જવાબ ઇતિહાસકાર આપણા "ભવ્ય ભૂતકાળ" માં છુપેલ સંદર્ભો અને પુરાવાઓ વડે આપી "ના" કહે છે.તેથી વિપરીત ગૌમાંસ આર્યોનું પ્રિય ભોજન હતું તેવું નિષ્કર્ષ નીકળે છે!

આ સંદર્ભોને વેદિકકાળ,અનુ-વેદિકકાળ,જૈન-બૌદ્ધ કાળ, અનુ-બૌદ્ધકાળ, બિનધાર્મિક ગ્રંથો તેમજ આદિ શંકરાચાર્ય પછીના સમય પ્રમાણે તબક્કાવાર ચકાસીએ.

✴ ઋગ્વેદમાં ઇન્દ્રને રીઝવવાની ઋચાઓ છે. જેમાંની કેટલીક ઋચાઓ આખલાના માંસ વડે ઇન્દ્રને રીઝવે છે.અન્ય ઋચામાં ઇન્દ્ર ૧૦૦ ભેંસોને આરોગી જાય છે તે વર્ણન છે. એટલું જ નહીં; ઘોડા,બળદ,આખલા,ગાય,ઘેટાં વગેરે પશુઓની બલિનું વર્ણન ઋગ્વેદમાં જોય શકાય છે.લગ્ન સમયે ગાયની બલિ ચડાવવાની પ્રથા પણ નજરે ચડે છે.[ઋગ્વેદ.૧૦.૬૮,૧૦.૨૮,૧૦.૨૭,૬.૧૭,૮.૪૩,૧૦.૯૧,૧૦.૧૬ વગેરે] દૂધ,ઘી,ગૌમાંસ,પશુમાંસ વગેરે વેદિક દેવોના રોજિંદા ખોરાક હતા.

✴ અનુ-વેદિકકાળ...
બ્રાહ્મણા અને સંહિતા પૂર્વ અનુ-વેદિક બ્રાહ્મણગ્રંથો ગણાય છે;જે મૂળભૂત રીતે વેદોનું વિસ્તરણ છે.તૈત્તરીય સંહિતામાં ૧૮૦ પ્રકારની પશુબલિ અને પશુ-માંસનું વર્ણન છે.તૈત્તરીય સંહિતા.૬.૧.૭ માં ગાય બલિનું વિસ્તૃત વર્ણન છે. રાજસૂયા અને વાજપેય યજ્ઞ માટે ગાયની બલિ ઉત્તમ ગણાતી. શતપથ બ્રાહ્મણા મુજબ મારુત દેવને પ્રસન્ન કરવા ગૌમાંસ ચડાવાતું.તૈત્તરીય બ્રાહ્મણા ગાયને શુદ્ધ ભોજન કહે છે,અગત્સ્ય યજ્ઞમાં ૧૦૦ બળદોની બલિ આપે છે તેના વખાણ કરે છે.આ ગ્રંથોમાં વિસ્તારમાં પશુબલિનું વર્ણન છે ;જે મુજબ અગ્નેયદ્યેય યજ્ઞની તૈયારી માટે ગાય નું સ્થાન નક્કી કરે છે, અધ્વર્યુ (મુખ્ય કર્તા)પદ્ધતિસર પ્રાણીઓના અંગો કાપે છે. ગાયની બલિ માંગતા યજ્ઞને ગોસવ યજ્ઞ કહેવાતો. ઘોડાની બલી માંગતો અશ્વમેધ યજ્ઞ ઉચ્ચ કક્ષાનો યજ્ઞ ગણાતો.

ગૃહસૂત્રોમાં પણ પશુબલિનું સમર્થન જોઈ શકાય. રુદ્ર માટે આખલાની બલિ સારી કહેવાતી.અપસ્તંબ ધર્મસુત્રની શ્રાધ્ધવિધિમાં બળદ નું માંસ ખવાતું.પરાશર ધર્મસુત્ર મુજબ મૃત્યુ પછીના ૧૧માં દિવસે બ્રાહ્મણો માટે માંસ પીરસવામાં આવતું.

✴ પાશ્ચાત્ય ધર્મગ્રંથો...
મહાભારત,સ્મૃતિ,પુરાણો વગેરે સાપેક્ષે પોસ્ટ-વેદિક ગ્રંથો માનવામાં આવે છે. તેમાંના ઘણા જૈનીસ્મ અને બુદ્ધિઝમના સમકાલીન રહ્યા છે; તો કેટલાક પોસ્ટ-બુદ્ધિસ્ટ સમયના છે.
મનુસ્મૃતિએ ગાયને પવિત્ર જાહેર કરી નહતી.તેથી વિપરીત કેવા પશુઓનું માંસ ખાદ્ય છે અને કેવા પશુઓ અખાદ્ય છે તેનું વર્ણન છે.મનુસ્મૃતિ મુજબ યજ્ઞમાં પશુબલિ કરનાર યજમાન અને બલિ ચડનાર પશુ બન્ને સ્વર્ગ પ્રાપ્ત કરે છે.યાજ્ઞવલ્કય સ્મૃતિ મજબ બ્રાહ્મણના સ્વાગત હેતુ બળદને કાપી તેનું માંસ પીરસવું જોઈએ.બૃહસ્પતિ સ્મૃતિ મુજબ ધાર્મિક નિયમો અનુસાર માંસ આરોગવામાં કોઈ અધર્મ નથી.

✴ મહાભારત ,રામાયણ અને પુરાણો...
મહાભારત મુજબ શ્રાધ્ધવિધિમાં ગાયના માંસથી ૧૨ મહિના સુધી પિતૃઓ તૃપ્ત રહે છે.દ્રૌપદી જયદ્રથ અને તેના સાથીઓને ૧૫ પ્રકારના હરણના માંસ પીરસવાની વાત કરે છે. પાંડવો હરણનો શિકાર કરી પ્રથમ ભાગ બ્રાહ્મણોને આપે છે અને બાદમાં તેને આરોગે છે.[મહાભારત.૩.૫૦] રાજા રતિદેવ હજારોની સંખ્યામાં ગાયોની બલિ ચડાવી ગૌમાંસ બ્રાહ્મણોને દાન કરે છે;બ્રાહ્મણોને આ રાજા અતિપ્રિય હોય છે. એવું કહેવાય છે કે પશુઓના રક્તથી ચર્મવતી નદી નો જન્મ થયો.(અત્યારની ચંબલ નદી) અનુશાસનપર્વમાં નારદ જે સામગ્રીઓ બ્રાહ્મણને દાન કરવાનું કહે છે તેમાં માંસ નો પણ ઉલ્લેખ છે.[મહાભારત.૧૩.૬૩]

રામાયણ મુજબ દશરથે પુત્રપ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો ત્યારે ૩૦૦ પશુઓની બલિ ચડાવી હતી.વનવાસ ભોગવતા રામે જયારે ઝૂંપડી બનાવી ત્યારે ગૃહપ્રવેશની વીધીહેતુ કાળિયારની બલિ ચડાવી હતી.હનુમાન જયારે સીતાને રામનું વિરહદુઃખ જણાવે છે ત્યારે ઉમેરે છે કે દુઃખી રામ માંસ પણ ખાતા નથી.

વિષ્ણુપુરાણ અનુસાર ઘોડા,બકરી,હરણ,ઘેટાને શ્રાધ્ધવિધિમાં ખાવા ગુણકારી છે.માર્કેન્ડય પુરાણ કહે છે કે ધાર્મિક ક્રિયા હેતુ માંસાહાર કરવાથી પાપ લાગતું નથી. પરશુરામ કહે છે કે બ્રહ્માએ પશુઓનું સર્જન ભોજન માટે કર્યું છે; તેથી પ્રયાપ્ત માત્રામાં શિકાર કરવાથી પાપ થતું નથી.

✴ બુદ્ધિઝમ અને જૈનીસ્મ...
બુદ્ધ અને મહાવીર ને અહિંસાના જનક માનવમાં આવે છે. પરંતુ બૌધ્ધો અને જૈનો પણ માંસાહાર કરતા હતા તેના સંદર્ભો હયાત છે. બુદ્દિસમ મુજબ વૈદ્યની સલાહ,કુદરતી રીતે મૃત્યુ પામેલ પશુ, પશુ હત્યા થઇ છે તેવી શંકા ના હોય તેવા કારણજનક કિસ્સાઓમાં માંસાહાર ઉચિત છે.એટલે કે બુદ્દિસમ અહિંસક મધ્યમમાર્ગ રૂપે માંસાહારની મંજૂરી આપતું હતું.
ચુસ્ત શાકાહારી ગણાતું જૈનીસ્મ પણ પ્રારંભના તબક્કામાં માંસાહારથી મુક્ત નહતું. અચરંગ સૂત્ર મુજબ જો ભિક્ષુ અજાણતા માંસનો ભિક્ષા રૂપે સ્વીકાર કરે તો તેને નકારી ના શકે. વિપાકસૂત્રમાં મૌસમી માંસાહારનું વર્ણન છે. કલ્પ ભાષ્ય(૬ સદી) કહે છે જે પ્રદેશમાં માત્ર માંસાહાર જ થતો હોય ત્યાં ભિક્ષુએ પરિસ્થિતિ મુજબ અનુકૂળ થઇ ભોજન કરવું જોઈએ.હરિભદ્રસૂરિ (૮ સદી) કહે છે કે પ્રાચીન જૈન ભિક્ષુઓ દાનમાં મળેલ માંસ આરોગતા હતા.એટલે કે જૈનીસ્મ પણ અપવાદ નહતું.

✴ આયુર્વેદ...
ચરક,વાગ્ભટ્ટ,સુશ્રુત વગેરેના ગ્રંથો આયુર્વેદ તરીકે ઓળખાય છે. આ તમામ પ્રાચીન વૈદ્યોએ માંસાહારના રોગપ્રતિકારક ગુણો દર્શાવેલ છે. ચરકસંહિતામાં ૨૮ પ્રાણીઓની યાદી છે જેમનું માંસ ગુણકારી છે. સુશ્રુત સંહિતામાં ૧૬૮ પ્રકારનું માંસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણાવ્યું છે. એટલું જ નહીં, કેટલાક રોગની સારવાર માટે ગૌમાંસને પ્રાથમિકતા આપી છે. સુશ્રુત તો એટલે સુધી કહે છે કે ગર્ભવતી સ્ત્રીએ ભાવિ બાળકના સ્વાસ્થ્ય માટે આખલાનું માંસ ખાવું જોઈએ.

✴ સાહિત્યિક રચનાઓ...
કાલિદાસ,ભવભૂતિ વગેરેની રચનાઓ બિનધાર્મિક શ્રેણીની છે.મહાભારતની જેમ કાલિદાસ પણ મેઘદત્ત કાવ્યમાં રતિદેવે કરેલ ગૌબલીઓને વર્ણવે છે.ભવભૂતિ (૭ સદી) ની રચના મહાવિરચિત્ર માં વસિષ્ઠ ક્રોધિત પરશુરામને શાંત કરવા વાછરડાના ભોજનનું પ્રલોભન આપે છે. શ્રીહર્ષ (૧૨ સદી) એ પોતાની રચના નૈષધચિત્રમાં લગ્ન સમયે થતા ગૌમાંસ સહિતના માંસાહારને બતાવ્યા છે. કુમારિલ ભટ્ટ અને આદિ શંકરાચાર્યે વેદિકપશુબલિનો બચાવ કર્યો હતો.

____________________________________

ગાયની “પવિત્ર“ ભ્રમણાને દૂર કરવા આટલા સંદર્ભો પૂરતા છે. પુસ્તકમાં અનેક સંદર્ભો હોય, તમામ જણાવી શકું તેમ નથી. પણ અહીં એક એવો વૈજ્ઞાનિક પુરાવો છે જે પ્રાચીન પશુબલિનો દાવો સાચો સાબિત કરે છે. એચ.ડી.સાંકળિયા નામક પુરાતનશાસ્ત્રીએ સૈકડ઼ોં સદી પૂર્વેના મળેલ વિવિધ પશુઓના હાડકાઓ ઉપર સંશોધન કર્યું હતું; જેમાં પશુ ઉપર તીક્ષણ હથિયાર વડે પ્રહાર થયા હોય તેવા નિશાનો મળી આવ્યા હતા. ખાસ કરીને ગાય/આખલાને મળતા હાડકાઓમાં તેવા નિશાનો સાફ જોવા મળ્યા. એટલે કહેવાતા સતયુગ-દ્રાપરયુગમાં ગૌમાંસ મુખ્ય ભોજન હશે.

લેખકે વિવિધ સંદર્ભો વડે સાબિત કર્યું છે કે ગાય પ્રાચીન સમયમાં પવિત્ર નહીં, પણ સ્વાદિષ્ટ પશુ હતું. જો કે કેવી રીતે ગાય પવિત્ર બની તેનો જવાબ જાણવા મળતો નથી.છતાં પોસ્ટ-બુદ્ધિસ્ટ ગ્રંથોમાં નિયમો આધીન માંસાહાર ઉપરનું નિયંત્રણ દેખી શકાય છે. સમય જતા પશુહિંસાને પાપ ને દરજ્જો મળ્યો ;પણ તે લઘુપાતકની શ્રેણીમાં હતું ,મહાપાતક નહીં.(લઘુપાતક એટલે નાનું પાપ , મહાપાતક એટલે મોટું પાપ) આ કોયડાનો વિસ્તારમાં અર્થપૂર્ણ જવાબ આંબેડકરે આપેલ છે.

જો કે આપણા ભવ્ય ઇતિહાસમાં ગાયનું શું સ્થાન હતું તેનો ચોક્સાઈથી જવાબ અહીં જાણી શકાય છે.

January 31, 2018

माथे तीलक हाथ जप माला जग ठगने कु स्वांग बनाया....

By Vishal Sonara || 31 January 2018


 "माथे तीलक हाथ जप माला जग ठगने कु स्वांग बनाया." 
 - सद्गुरु रविदास जी महाराज 


शिरोमणी श्री रविदास जी कहते है कि, “कोई व्यक्ति जिसने माथे पर तिलक लगाया है और हाथ में माला जप रहा है उसने समाज को ठगने के लिए ढोंग रचाया है, वह ठग है.”

इस प्रकार अपनी सभी रचनाओ मे उन्होने पाखंड और आडंबरो को आडे हाथ लिया था. माथे का तिलक और हाथ मे माला केवल पाखण्ड का चिह्न और चोर बाजारी है. इस प्रकार का दिखावा समाज को धोखा देने का साचन मात्र है और कुछ नही.

दुख कि बात ये है की आजकल हम देखते है कि खुद रविदास जी महाराज की माथे तिलक और गले मे माला डाले फोटो फैलाई जा रही है. और साथ मे उनके जिवन के बारे मे गलत कहानीया फैलाई जा रही है ,वैग्यानीक दृष्टीकोण से जिसका कोइ मोल नही है. 
रविदास जी महाराज एक क्रांतिकारी व्यक्ती थे और उन्हे गौतम बुद्ध की ही तरह बहुजन समाज के एक पथदर्शक की तरह देखना चाहिए. चमत्कारो को उनसे जोड कर उनके विचारो की महानता को हमे कम नही करना चाहिए. उनके लिए राम का मतलब था मनुष्य मात्र मे बसा जीव था, जीसे वो अपनी बानी मे भी बहोत बार कह चुके है की मेरे लिए राम का मतलब दशरथ का पुत्र नही है पर वो है जो पुरी दुनीया मे समाया हुआ मानविय तत्व है.

हमारे देश मे पाखंडीयों की अनोखी परंपरा रही है किसी भी महान विचारधारा को खत्म करने के लिए पहले वो लोग उनसे मुकाबला करते है पर बाद मे पता चल जाए की इस विचारधारा के सामने वो हार सकते है तो उन्हे बाद मे उस महान विचारधारा का गुनगान गाने मे लग जाते है. गुनगान गाते गाते वो लोग चमत्कार और अवैग्यानीक बातो को फैलाते रहते है और लोगो के दिमाग मे भरते रहते है. और बाद मे विचारधारा के मुल विचारो को खत्म कर दिया जाता है. ये ही संत रविदार , कबीर और बहोत से संतो के साथ किया गया है.

आज हम देख रहे है की आरएसएस और कोंग्रेस के लोग आंबेडकर की भक्ति मे लगे हुए है और उनको पुजने का दिखावा कर रहे है. ये वो ही पाखंडी लोग है जो इस प्रकार विचारधारा को खत्म करने का काम करते है. ये उनका मनुवाद ही है और तरीका भी पुराना है सिर्फ हमे समजना होगा.

हमे SC ST OBC समाज के महानतम विचारको के सच को जानना होगा. चमत्कारो को ज्यादा भाव न दिये बीना मुल विचारो को उजागर करना होगा तभी लोगो के दिमाग से अग्यानता का जो अंधकार है वो दुर होगा.

संत रविदास जी के क्रांतिकारी विचारो को घर घर तक पहुंचा कर उन के बारे मे फैलाए जा रहे चमत्कारो को नकार कर ही हम उन्हे सच्ची श्रद्धांजली दे सकते है.

महान संत शिरोमणी श्री रविदास जी के पावन जन्मदिवस पर आपको और आपके परिवार के सभी सदस्य को मेरी तरफ से बधाई एवं हार्दिक शुभकामनायें .

- विशाल सोनारा

January 17, 2018

ઇતિહાસના દરિયામાં ડૂબી ગયેલા સવાલો

By Rushang Borisa   || 16 January 2018


વિચિત્રતા, દંભ અને હકીકત

ઇતિહાસ અને વર્તમાન વચ્ચે કાયમ સુરેખ સંબંધો રહ્યા છે.કહેવાતો પરિવર્તનશીલ આજનો આધુનિકકાળ દેખાવે તો આપણી આંખો અંજાવી નાખે ;પણ સ્થાપિત હિતો પહેલા પણ દીર્ઘસ્થાયી હતા અને અત્યારે પણ છે.

જો આપણે ઇતિહાસ અને વર્તમાન નું નિરીક્ષણ કરીયે તો આપણને કેટલીક વિચિત્ર બાબતો જાણવા મળે. પણ તે પાછળ કેવા પરિબળો હશે તેવું ઊંડું વિચારતા આપણે આળસ કરીયે છીએ. આખરે આપણે ઇરાદાપૂર્વક અજાણતા બની લોકશાહી અને ભાવિ પેઢીને શોષણના દ્વારે લાવી મુકીયે છીએ.

  • શું તમને અજુગતું નથી લાગતું કે જે કોંગ્રેસનો આંબેડકરે આખરી પળ સુધી સામનો કર્યો- વિરોધ કર્યો તે કોંગ્રેસ આંબેડકરના આજે ગુણગાન ગાય છે?!!! જે વિચારસરણી અને હિન્દૂ રાષ્ટ્રનો આંબેડકરે ઊંડાણપૂર્વક-વિશ્લેષણાત્મક રીતે કટ્ટર વિરોધ કર્યો તે જ આંબેડકરને RSS - ભાજપ પોસ્ટરમેન બનાવી રહ્યા છે?!!!
  • શું આ વિચિત્ર નથી કે શિવાજીએ પોતાનું કેન્દ્રસ્થાન શ્રમિકો અને ખેડૂતોના હિત રાખ્યું હતું ; પરધર્મને સ્વધર્મ સમાન માન આપ્યું હતું તે જ શિવાજીનો આજે કેટલાક ભગવા તત્વો “મુસલમાનવિરોધી” અને “ગૌ-બ્રાહ્મણ પ્રતિપાલક” તરીકે પ્રચાર કરી રહ્યા છે?!!!
  • શું તમે સ્વીકારી શકો કે જે કબીર નીડરતાથી ધર્મ-પાખંડ અને રિવાજો ઉપર પ્રહાર કરતા હતા તેમને આજે કેટલાક તત્વો ધાર્મિક સંત બનાવવા પેતરા આજમાવી રહ્યા છે?
  • શું આ અપવાદ હશે કે બ્રાહ્મણગ્રંથોમાં વિષ્ણુના લગભગ દરેક અવતાર ઉપર પુરાણો રચાયા ,પણ તે જ બ્રાહ્મણગ્રંથો "બુદ્ધ-પુરાણ" લખવાનું કેમના ભૂલ્યા હશે? જે બુદ્ધે સમકાલીન સમયે પ્રતિવિચારસરણીનો પાયો નાખ્યો તે જ બુદ્ધ ને સમતલ નજરે ચીતરવા આવે છે તે કેટલું ન્યાયી હશે??


આવા અગણિત સવાલો-કોયડાઓ હશે જે ઇતિહાસના દરિયામાં ડૂબી ગયા હશે.

પણ આવું કેમ થતું હશે? ક્યાં પરિબળો આ વિરોધાભાસ માટે નિમિત્ત બનતા હશે?

આ કોયડાનો ચોક્કસાઈથી જવાબ ગોવિંદ પાનસરે તેમની રચનાના એક ભાગમાં આપવાનો પ્રયાસ કર્યો હતો. (ગોવિંદ પાનસરે જાણીતા બૌદ્ધિક-ફ્રી થીન્કર હતા, જેમની ૨૦૧૫માં હત્યા કરવામાં આવી હતી. હત્યા પાછળ પ્રાથમિક ધોરણે કટ્ટર ભગવાધારીઓ નો હાથ છે તેવું તારણ આપવામાં આવે છે.)

ચાલો જાણીયે ગોવિંદ પાનસરે શું કહે છે...

" મહાન નાયકો વારંવારં દુર્ભાગ્યનો ભોગ બનતા આવ્યા છે.જયારે આ મહાન નાયકો જીવતા હોય છે, ત્યારે સત્તાપક્ષો તેમને દબાવે છે, તેમના માર્ગમાં બાધાઓ લાવે છે.સત્તાબળોતેમના સિદ્ધાંતોનો વિરોધ કરે છે; નાયકોએ જે જવાબદારીભર્યું સાહસિક-કામ ઉપાડ્યું હોય તેમાં અવરોધ પેદા કરે છે.એટલું જ નહીં સત્તાબળો ક્યારેક તેમને મારી નાખવાના પણ પ્રયાસો કરે છે અને તેમના કાર્યોનો સત્યાનાશ કરી નાખે છે.પણ કમનસીબે આ સ્થાપિત હિતો નાયકોની મહાનતાને નષ્ટ કરવામાં સફળ થતા નથી.કારણ કે સામાન્ય લોકો નાયકોના સાહસને વધાવે છે એટલુંજ નહીં તેમના મોત બાદ તેમના વિચારોને અપનાવી લે છે.લોકો તેમનું અનુકરણ પણ કરે છે.
જે તત્વો નાયકોનો વિરોધ કરતા આવ્યા હતા તેઓ તેમના મોત બાદ ચબરાકી રમત રમતા હોય છે. તેઓ પોતે જ આ નાયકોના અતિઉત્સાહી અનુયાયી બની જાય છે! તેઓ નાયકની પૂજા કરવા લાગે છે, નાયકની જયંતિઓ મનાવે છે, મંદિરો બનાવે છે અને તેમના ફોટા-ચિત્રો ચોંટાડે છે. જયારે આ તત્વો આ કાર્યોમાં વ્યસ્ત હોય છે ત્યારે ખરેખર તો તેઓ ઊંડી રમત રમી રહ્યા હોય છે. લોકકલ્યાણના જે લક્ષ્યો નાયકોએ સેવ્યા હતા તેને આવી તરકીબો વડે તેઓ વિકૃત બનાવે છે ; નાયકોના અસલી ઇતિહાસને ભૂંસવા માટે તેઓ સતત કઠિન પ્રયાસો કરે છે.નાયકો જે અન્યાયી સજ્જડ વ્યવસ્થાને ઉખેડવા મહેનત કરતા હતા તે હકીકતથી જ નવી પેઢી અજાણ રહે તે માટે પૂરતી કાળજી આ તત્વો લે છે. આ તત્વો પૂરતો ખ્યાલ રાખે છે કે જે સ્થાપિત હિતો વિરુદ્ધ નાયકોએ પ્રતિકાર-બળવાની શીખ આપી હતી તે શિખામણ શોષિત વર્ગ સુધી પહોંચે નહીં. આ તત્વો લોકોને છેતરી ને ખોટો ઇતિહાસ લખે છે. લોકોને જૂઠી કથાઓ ભણાવે છે.તેઓ મિશ્રિત-છહ્મ ઇતિહાસ લખે છે જે થોડોક સાચો અને બહોળો ખોટો હોય છે. રૂઢિવાદી તત્વો પોતાનું પરંપરાગત સ્થાન મજબૂત કરવા આવી હલકી રમતો વડે નાયકોની "એન્ટી-એસ્ટાબ્લીશ" વિચારધારાને જ વાપરી ખાય છે. કપટી તત્વો સમાજના નેતાનો ડગલો પહેરે છે; લોકો જેને પૂજે છે તેની તસવીરો અને નિશાનીઓ વાપરે છે.પોતાના સ્વાર્થ હેતુ નાયકોની નિશાનીઓ વિકૃત કરે છે અને આખરે નાયક ના મૂળવિચારોને જ વિકૃત કરે છે. આ સ્થાપિત તત્વો ઘણા ચાલાક હોય છે. સમાજના ઉપલા વર્ગો, ધનવાનો અને દબંગવર્ગો જ આ ચાલાક તત્વો છે."

ગોવિંદ પાનસરે આગળ સંત તુકારામના ઉદાહરણ વડે આ મુદ્દો સમજ્વ્યો હતો.

આજની પેઢીએ; ખાસ કરીને ભારત જેવા સાપેક્ષ પછાત દેશમાં નાગરિકોનું શોષણ ના થાય કે નાગરિકો હકોનું ઉલ્લંઘન ના થાય તે માટે સ્થાપિત તત્વોની હકીકતો અને કાવાદાવાઓ છતા કરવા રહ્યા. ન્યાયના શત્રુઓ અને શોષણકર્તા સ્થાપિત હિતો ચાહે કેટલીય ગંદી-હલકી- ઊંડી રમતો રમે ;છતા લોકજુવાળ અને લોકજાગૃકતાનો ડર હંમેશા તેમના સ્થાપિત હિતોમાં જ ગૂંથાયેલો હોય છે.

માટે જ તેઓ જાગૃત લોકશાહીથી ગૂંગળામણ અનુભવી ભાગલાવાદી પ્રવૃર્તીઓ કરે છે. જયારે હકીકતે જે લોકો ક્રાંતિકારો-સુધારકોના માર્ગે ચાલે છે તેને રાજકીય-પ્રચાર-બળવંત સાધનો વડે સ્થાપિત-હિતો દેશદ્રોહી-સમાજદ્રોહી તરીકે ચીતરે છે. સ્થાપિત-હિતોને સમયનો એક એવો મજબૂત-અતૂટ ફાયદો રહ્યો છે જેના ઉપયોગ વડે તેઓ બહોળા વર્ગને ભ્રમિત કરી શકે છે.

પોતાના ભૂતપૂર્વ વિરોધી-વિદ્રોહીઓનો સ્થાપિત-હિતો સામ અને ભેદની નીતિ વડે ઉપયોગ કરી સુધારકોના સ્વપનાને જ વિકૃત કેવી રીતે અને કેમ કરવામાં આવે છે તે હવે સમજી શકાય છે હવે.

ફોટો: ઘણા સભ્યો સવાલ પૂછતાં હોય છે કે શા માટે બૌધિકો-વૈચારિકો પોતાના ઉમદા કાર્યોમાં સફળ થતા નથી? આંબેડકરે તેનો જવાબ આપ્યો હતો તે જવાબનો એક હિસ્સો.

શુ પતંગ ઉત્સવ (Kite Festival) એ હીંદુ તહેવાર છે?

By Vijay Jadav ||  14 January 2018




પતંગ ની શોધ ચાયનામાં થયેલ તો પછી ઉત્તરાયણ, મકર સંક્રાંતિ વગેરે જેવા શબ્દો વાપરી આ ઉત્સવ કેમ મનાવવામાં આવે છે. શુ પતંગ ઉત્સવ એ હીંદુ તહેવાર છે? 

પતંગની શોધ ઇ.સ.પુર્વે ત્રીજી સદીમાં થયેલો. ચીન પછી પતંગોનો ફેલાવો જાપાન,  કોરીયા, થાઇલેન્ડ, બર્મા, ભારત તથા ઉત્તર આફ્રીકા સુધી થયો. ભારતમાં મુખ્યત્વે કાગળના પતંગનો ઉપયોગ જોવા મળે છે. આ મુજબ પતંગ નો ઇતિહાસ 2300 વર્ષ પહેલાનો છે.
ભારતમાં પતંગ મહોત્સવને ઇતિહાસમાં તોડી મરોડી સંદર્ભ કરવામાં આવ્યો છે. એવી માન્યતા છે કે હિંદુ ભગવાન શ્રી રામે પણ પતંગ ચગાવેલ હતો. રામચરિતમાનસ માં ઉલ્લેખ કરેલ છે કે એમનો પતંગ ઉપર ઇન્દ્રલોક સુધી પહોંચી ગયેલો. મને સવાલ થયો કે 5000 વાર દોરી ની ફીરકી જો આટલી મોટી અને વજનદાર હોય છે તો ભગવાન રામે જે પતંગ ચકાવેલ જે છેક ઇન્દ્રલોક પહોંચી ગયેલ એ ફીરકો કેટલો મોટો હશે? તેનો વજન કેટલો હશે? તે પતંગ પણ કેટલો મોટો હશે કે જે આટલે ઉંચે થી જોઇ શકાયો હશે??? ખેર એ શ્રદ્ધાનો વિષય છે, હુ વધુ કંઇ વિચારી ના શકુ.

પરંતુ મારી જાણ મુજબ ભારતમાં તો ઉત્તરાયણ (પતંગ ઉત્સવ) હંમેશા 14મી જાન્યુઆરીએ આવે છે, જે ઇંગ્લીશ કેલેન્ડર છે. જ્યારે તમામ હીંદુ ઉત્સવો તો હીંદુ કેલેન્ડર પ્રમાણે તીથી અને મુર્હુત ના આધારે જ ઉજવાય છે. તો આ ઉત્તરાયણ ને 14મી જાન્યુઆરી સાથે શુ લેવા દેવા? જે હીંદુ કેલેન્ડર પ્રમાણે કેમ ઉજવવામાં આવતો નથી?

મારા મુજબ તો આ અેક આંતરરાષ્ટ્રીય ઉત્સવ છે જેને કોઇ પણ જાતની માન્યતા વગર ઉજવવો જોઇએ. જેને કોઇ ધાર્મિક ઉજવણી સાથે જોડવો ના જોઇએ.

દરેકને પતંગ ઉત્સવ ની શુભેચ્છા.

પ્રથમ બે તસવીર ભગવાન શ્રીરામ પતંગ ઉડાડતા હતા એના વિશે છે. ત્રીજી તસવીર જાપાનમાં યોજાતા પતંગ ઉત્સવની છે જે દર વર્ષે મે મહીનાના ચોથા રવિવારે મનાવાય છે.

#વિજય_જાદવ


January 09, 2018

રોજબરોજ ની ધટનાઓ ના અંશો.....

By Dr Yashpal Divyaben Kanjibhai || 6 January 2018 at 09:58



Think About change let's make New India.

લધુ ધટનાઓ:
૧.
એક વિકસીત શહેર ની નજીક નુ ગામ,ગામ ના સંરપંચ દલિત સમાજ ના એક દિવસ ત્યા મેડિકલ કેમ્પ કેમ્પ ના અંતે ચા માટે અતિઆગહ પણ ચા આવતા અંદાજીત અડધા કલાક પછી ડૉકટરે પુછયુ કેમ વાર લાગી તો જવાબ હતો
"સાહેબ ગામ ના સંરપંચ હરિજન છે તો તેમના ધરે થી ચા ના લાવી શકાય"

૨.
બે ભણેલી નોકરિયાત સહેલીએ જમણવાર ગોઠવવાનૂ વિચાયુૅ પણ એક સહેલી સાંજે સાહજીક ના પાડી દીધી
કારણ??
સવણૅ મકાન માલિક ને નાપસંદ વાત હતી કે એના ભાડુઆત કોઈ પછાત ના ધરે જમવા જાય.



મીડીયા નુ ભીમાકોરેગાંવ નુ સત્ય છુપાવી અસત્ય બતાવી વિકૃતિકરણ નો ખેલ.


૪.
એક મહાનગર મિક્સ એરિયા મા ફલેટ ની છાપા મા જાહેરાત જોઈ કોલ લગાવ્યો પછાત પણ સધર ભાવતાલ પુછયા હા પણ પાડી પણ......તમારી જાતિ
સાહેબ!મને તો વાંધો નથી પણ બીજા લોકો વાંધો ઉઠાવે
સારુ...
સોરી...
અને પેલા સજ્જન નુ મુખ્યધારા સાથે રહેવાનુ સપનુ પણ....થી અટકી ગયુ.


૫.
જાણીતુ શહેર મુખ્યમાગૅ પર મંદિર "સ્ત્રીઓ એ મંદિર મા પવેશ ના કરવો"


૬.
-"પપ્પા મને એક છોકરી ગમે છે સાથે જ ભણતા"
-"કંઈ જ્ઞાતી ના?"
-"હરીજન"
-ચહેરા ની ખેંચાયેલ રેખા સાથે
"તને મળી મળીને એમાથી જ મળી સમાજ શુ વાતો કરશે બીજુ કોઈ હોત તો હજુ પણ સમજત"
(આ કિસ્સા ખુબ સામાન્ય છે)
રોજબરોજ ની ધટનાઓ ના અંશો.....


ધટનાઓ વિતેલા વષૅ ની આસપાસ ની 21 મી સદી ની કહેવાતા મહાનગરો અમને સમાનતા મા માનીએ એવા ઢોંગીઓ ની
પછાત જ જાતિવાદી માનસીકતા ધરાવે છે એવા સ્વદેહિ ની
અને હવે એવુ કંઈ નથી ની....?
તમે એટોસીટી ના કડક કાયદા થી કદાચ શારિરીક અશ્પૂયતા તો દુર કરી બેઠા પણ હજુ અંતરિયાળ ગામો મા ચિત્ર નથી બદલાયુ
તમે તમારા મન મા ઘુસેલી માનશીક અશ્પૂસતા નુ શુ કરશો....!
રોજ દેશ ના કોઈક ને કોઈક ખૂણે માનશીકતા છતી થાય છે
ધમૅ ના ઠેકેદારો ઝેર ઓકતા જ રહે છે વિચારો........તમારી ઝડતા તમને જ ના ખાઈ જાય
યશપાલ ની કલમે..!
Sixer-For Friendship and Professional Relation CAST doesn't Matter But out of It Cast everywhere matter....

December 13, 2017

આવાઝ દો... હમ એક હૈ...




2002માં થયેલા ગુજરાતમાં મુસ્લિમ વિરોધી રમખાણોમાં હિંદુત્વવાદી સંગઠનો એ જે રીતે માનવતાને જાહેરમાં રોવળાવી તેની કલ્પના માત્ર થી દરેક માનવતાવાદી લોકો ના હૃદય કંપી ઉઠે છે... 

જેમાં તે લોકોએ મુખ્ય ઉપયોગ અનુસૂચિતજાતિ અને ઓબીસી(શુદ્ર) ટૂંકમાં કહેવાતી પછાત જાતિઓનો જ ભરપૂર ઉપયોગ કર્યો.. અને તમે અતિજુસ્સા સાથે તેમના માટે ઉપયોગી બન્યા. ટૂંકમાં લઘુમતીને લઘુમતી સાથે ટકરાવાઈ... 

અને તે સંગઠનો ભરેલા તળાવમાંથી કોરા નીકળ્યા.. 
તબાહ દલિતો અને મુસ્લિમો થયા.. બંને સમાજમાં આવેલા મજબૂત ભાઈચારાને એક જ દિવસમાં તોડી પાડવાનો તેમનો પ્રયત્ન કામિયાબ રહ્યો... 

મુસ્લિમ બાળકો, મહિલાઓ અને ઘરડાઓની ચિચિયારીઓ થી આખું વિશ્વ થંભી ગયું. જીવતા સળગાવ્યા બાળકો હોય કે ગર્ભવતી મહિલાઓ... બસ તે લોકોનો નારો જ એ હતો કે "કોઈ ને બક્ષવામાં નહીં આવે" 
બળાત્કાર, લૂંટફાટ, હત્યાઓ, લોહીની નદીઓ સામાન્ય થઈ ગઈ હતી.. ઠેર ઠેર લાશોના ઢગલા.. અને એ લાશો પર હિંદુત્વવાદી ભગવો ઝંડો દરેક જણમાં એ બીક પેસાડતો ગયો.. 

પણ જ્યારે તેજ ભગવા ઝંડાએ 14 વર્ષ બાદ તમને જ ઉઘાડા કરીને પટ્ટા માર્યા.. ત્યારે તમારી આંખ ઉઘડી..તમને ખ્યાલ આવ્યો કે હકીકતમાં અમે હિંદુ છીએ જ નહીં... અને હજુ જો તમારામાં કેટલાકને હિંદુ હોવાનો ગર્વ હોય તો તમારાથી મૂર્ખ કોઈ નથી. 

પણ એ સંગઠનો પણ એટલું યાદ રાખીલે કે હજુ માનવતાએ પોતાના ગર્ભમાં કોપર ટી નથી મુકાવ્યો તે હંમેશા આવા અમાનુષી અત્યાચારો સામે વિદ્રોહીઓ ક્રાંતિપુરુષો પેદા કરશે જ.. મનુવાદ, જાતિવાદ સામે લોહીથી નહીં પણ સહી થી લડત આપશે અને એક નવી ઐતિહાસિક ક્રાંતિ કરશેે.... 

એ મનુવાદ જાતિવાદ સંઘવાદ તેરે ખિલાફ બઘાવત જીંદબાદ..... 
આવાઝ દો... હમ એક હૈ... 
જય જયજય જયજય ભીમ 

-અપૂર્વ અમીન

October 18, 2017

... તો ઇશ્વર અને રોમના નીરો વચ્ચે શુ તફાવત?

By Dinesh Makwana  || 01 Sep 2017


જો, તમે માનતા હોય કે સર્વશક્તિશાળી ( Almighty), સર્વવ્યાપી (Omnipresent), સર્વશક્તિમાન ( omnipotent), સર્વજ્ઞ (omniscient) ઇશ્વરે આ પૃથ્વી કે દુનિયાનું સર્જન કર્યુ હોય, તો મને કહો કેમ તેણે આનું સર્જન કર્યુ ? જે દુનિયામાં દુખ અને નિરાશા છવાયેલા હોય, જેમાં સાક્ષાત અસંખ્ય  કરુણાંતિકા મળતી રહે,જયાં એક પણ આત્મા પુરી રીતે સંતુષ્ટ ના હોય, તેવી દુનિયાનું સર્જન શા માટે કર્યુ? 

પ્રાથના, તમે તેને ઇશ્વરને માનવાનો નિયમ ના કહો, કારણ કે જો તેના દ્રારા મળતો હોય તો તો સર્વશક્તિમાન નથી.  તે આપણી જેમ બીજો ગુલામ જ છે. મહેરબાની કરીને તે પણ ના કહે કે પ્રાથના ઇશ્વરના આનંદ માટે છે. 

નીરોએ રોમને સળગાવી દીધું. તેણે કેટલાય ને મારી નાંખ્યા, કેટલીય કરુણાંતિકોઓ ઉભી કરી, તેણે આ બધુ પોતાના આનંદ માટે કર્યુ. પણ તેનું ઇતિહાસમાં કયા સ્થાન છે? ઇતિહાસકારો તેને કયા નામથી ઓળખે છે? તમામ પ્રકારના ઝેરી ઉપનામો તેના માટે વપરાય છે. નીરો માટે દરેક પાના પર ખરાબ શબ્દો વપરાય છે. હદય વિનાનો, જુલમી, દુષ્ટ વગેરે. 

બીજા એક ચંગેઝખાને હજારો જિંદગીઓને પોતાના આનંદ માટે હોમી દીધી અને આપણે તેના નામને ય નફરત કરીયે છે. પછી તમે તમારા સર્વશક્તિમાન ના અસ્તિત્વને કેવી રીતે સ્વીકારો છો? નીરો જેણે કરુણાંતિકો સર્જવાનું કામ કર્યુ, જે દરેક મિનિટે, દરેક કલાકે આ કામ કરી રહ્યો છે. આના આવા દુષ્ટ કાર્યને તમે કેવી રીતે સમર્થન આપી શકો? હુ પુછવા માંગુ છુ તે સર્વશક્તિમાને કેમ આ દુનિયા- જે સાક્ષાત નરક છે, એવું સ્થળ જયા સતત અને કડવી અશાંતિ રહેતી હોય, આવી દુનિયાનું સર્જન કેમ કર્યુ ? માનવજાતિ નું સર્જન શા માટે કર્યુ જ્યારે તેની પાસે આ બધુ નહી કરવાની અપાર શક્તિ હતી. આ બધાનો શો અર્થ છે? નિર્દોષ લોકોને સહન કરવા માટે અને નકામાને સજા આપવા માટે ? 

આનંદ મેળવવા માટે જો આ દુનિયાનું સર્જન ઇશ્વરે કર્યુ હોય તો તેના અને રોમના નીરો વચ્ચે શુ તફાવત? 

તમારી પાસે આના જવાબો છે?


ભગતસિંહ
Why I am an Atheist 
(હુ કેમ નાસ્તિક છુ)

October 03, 2017

વિશ્વ હિન્દુ પરિષદનો દંભ છતો થયો

By Raju Solanki  || 1 October 2017 at 10:02 



“દલિતોનું બૌદ્ધ ધર્મ પરિવર્તન શું હિન્દુ ધર્મ માટે ખતરાની ઘંટી છે?” આ વિષય પર ગઈ કાલે વી ટીવી ચેનલ પર ડીબેટ રાખવામાં આવી હતી. સ્ટુડીયો પર પહોંચ્યા પછી મને ખબર પડી કે ડીબેટમાં માત્ર હું એકલો જ છું. વિશ્વ હિન્દુ પરિષદના મીડીયા મંત્રી હેમેન્દ્ર ત્રિવેદીએ ડીબેટમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી. કારણ પૂછતાં તેમણે જણાવેલું કે ચૂંટણી આવી રહી છે એટલે દલિતોના મુદ્દે કંઈ જ ના બોલવું એવો અમને આદેશ છે.
વડોદરામાં સો દલિતોએ સંકલ્પ ભૂમિ પર બૌદ્ધ ધર્મ પરિવર્તન કર્યું હતું. તેના સંદર્ભમા આ ડીબેટ રાખવામાં આવી હતી. ચેનલે મને જણાવેલું કે વિશ્વ હિન્દુ પરિષદનો પ્રવક્તા ડીબેટમાં જોડાવાનો છે. હવે વિશ્વ હિન્દુ પરિષદ પોતે જો ચૂંટણીના કારણે મહત્વના નીતિ વિષયક મુદ્દા પર બોલવા માંગતી ના હોય તો એનો સ્પષ્ટ અર્થ એવો થયો કે વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુઓના હિતોને ધ્યાનમાં રાખીને કામ કરતી નિષ્ઠાવાન સંસ્થા નથી, બલકે ચૂંટણીની ગણતરીઓથી કામ કરતી સ્વાર્થી, લાલચુ અને દંભી લોકોની જમાત છે.
આ ડીબેટમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તાએ આવીને કહેવું જોઇતું હતું કે દલિતોએ બૌદ્ધ ધર્મ પરિવર્તન કરવાની જરૂર નથી. અમે તેમના હિતોની રખેવાળી કરવા બેઠા છીએ. અથવા તો એમ કહી દેવાનું હતું કે અમે દલિતોને માત્ર હુલ્લડોમાં મુસલમાનો સામે લડાવવા પૂરતા જ હિન્દુ ગણીએ છીએ.

Watch Videos :-