July 31, 2018

ઝૂમખાથી છુટી પડી ગયેલ દ્રાક્ષ...

By Jigar Shyamlan ||  Written on 10 May 2016

એક વાર એક માણસ દ્રાક્ષ ખરીદવા ફળવાળાની દુકાને ગયો.

દ્રાક્ષના ઝૂમખા જોઈ, પુછ્યું- '' શું... ભાવ છે...?

ફળવાળો બોલ્યો: '' 80 રૂપિયે કિલો.....''

લારીમાં એક તરફ દ્રાક્ષનાં છુટ્ટા દાણાઓનો ઢગલો પડ્યો હતો.

તે તરફ આંગળી ચીંધતા પેલા માણસે બીજી વાર પુછ્યું: '' આનો.. શું ભાવ છે..?''

ફળવાળાએ ફરી જવાબ આપતા કહ્યું- '' 30 રૂપિયાની કિલો..''

પેલો માણસ નવાઈ પામતા બોલ્યો- '' કેમ...ભાવમાં આટલો બધો ફેર...? શું ખરાબ છે...?

ફળવાળો: અરે...ના... સાહેબ.. દ્રાક્ષ તો બધી એક જ છે પણ...આ બધી ઝૂમખાથી છુટી પડી ગઈ છે..''

દ્રાક્ષની કિંમત ત્યાં સુધી જ છે જ્યાં સુધીએ ઝૂમખા સાથે જોડાયેલી છે. ઝૂમખાથી છુટી પડી ગયેલ દ્રાક્ષ કાં તો સડી બગડી જાય છે કાં તો કોઈકના પગના નીચે કચડાઈને મરી જાય છે.

દરેક માણસ ગમે તેટલો પાવરફુલ કેમ ન હોય કદાચ સંગઠન, સમાજ અને પરિવારથી અલગ પડે કે કિંમત અડધાથી ય ઓછી થઈ જાય.

કદાચ સંગઠન, સમાજ અને પરિવારથી અલગ રહેવાથી આપણી દશા પણ ઝુમખાથી છૂટી પડી ગયેલ દ્રાક્ષ જેવી થતી હશે.
શું કહો છો......?
- જિગર શ્યામલન

સામાજીક અને ધાર્મિક ક્રાન્તિ

By Jigar Shyamlan ||  Written on 5 May 2018


રાજનીતિક ક્રાન્તિ રૂપી રિઝલ્ટ મેળવવા માટે પહેલા સામાજીક અને ધાર્મિક ક્રાન્તિ રૂપી પરીક્ષામાં પાસ થવું ફરજિયાત છે.

આપણે રાજનીતિક ક્રાન્તિ કરીને હુકમરાન બનવાના દિવાસ્વપ્નો જોઈયે છીએ. બહુજન અને બહુ સંખ્યક સમાજને રાજનીતિક ક્રાન્તિ કરીને સત્તાધારી બનવું છે.
દરેકને ક્રાન્તિ કરવી છે, પણ આ ક્રાન્તિ ક્યારે, કઈ રીતે, કોના દ્વારા અને ક્યા સાધન વડે લાવી શકાશે તે બાબતે સ્પષ્ટ નથી. આપણાં ક્રાન્તિના ખ્યાલો સ્પષ્ટ નથી. લોક આંદોલન અને ક્રાન્તિ એ બન્ને વચ્ચે ભેદ છે. આંદોલન ક્ષણિક આવેગનુ પરિણામ છે જ્યારે ક્રાન્તિ લાંબાગાળાના ચિંતન અને રણનિતીનુ પરિણામ. 
કોઈપણ જડ વ્યવસ્થાને ધરમૂળથી સદાને માટે બદલવા માટેની ધીમી પણ મક્કમ કવાયત એટલે જ ક્રાન્તિ. ક્રાન્તિનો જન્મ મસ્તિષ્ક થાય છે અને અંત હ્યદયથી, પણ આપણે આંદોલનને ક્રાન્તિમાં ગણાવી નાખવા ઉત્સુક છીએ.
રાજનીતિક ક્રાન્તિ એ પ્રભાવશાળી શબ્દ છે. જે દેખીતી રીતે જ વર્ચસ્વ અને પાવર તેમજ શક્તિ સાથે સંકળાયેલો છે. 
એક વાત સ્પષ્ટ છે કે રાજનીતિક ક્રાન્તિ એ માત્ર એક રિઝલ્ટ છે જે સામાજીક અને ધાર્મિક ક્રાન્તિની પરિક્ષા આપ્યા સિવાય પ્રાપ્ત થવાનું નથી. રાજનીતિક ક્રાન્તિ રૂપી રિઝલ્ટ મેળવવા માટે પહેલા સામાજીક અને ધાર્મિક ક્રાન્તિ રૂપી પરીક્ષામાં પાસ થવું ફરજિયાત છે.
આ વાત સાથે કેટલાક સંમત હશે અને કેટલાક સંમત નહી હોય. જે સંમત ન હોય તેઓને બાબા સાહેબને વાંચવાની ભલામણ કર્યા વિના અન્ય ઉપાય નથી.


હવે પછીના તમામ વિચાર બાબા સાહેબના છે. 
"સામાન્ય રીતે ઈતિહાસ એ પ્રસ્તાવને સમર્થન આપે છે કે રાજનીતિક ક્રાન્તિઓ હંમેશા સામાજીક અને ધાર્મિક ક્રાન્તિ પછી જ થઈ છે.
લૂથર દ્વારા શરૂ કરવામાં આવેલ ધાર્મિક સુધાર યુરોપના લોકોની રાજનીતિક મુક્તિ માટે અગ્રદૂત હતું. ઈગ્લેન્ડમાં પ્યૂરિટનવાદને કારણે રાજનીતિક સ્વતંત્રતાની સ્થાપના થઈ. પ્યૂરિટનવાદે જ નવા વિશ્વની સ્થાપના કરી. પ્યૂરિટનવાદે જ અમેરીકી સ્વાતંત્રતા સંગ્રામ જીત્યો હતો. પ્યૂરિટનવાદ એક ધાર્મિક આંદોલન હતું.
આ જ વાત મુસ્લિમ સામ્રાજ્યોના સબંધમાં પણ સાચી છે. આરબ રાજનીતિજ્ઞો સત્તા બન્યા એ પહેલા મોહમ્મદ પયગંબર સાહેબ દ્વારા આરંભાયેલ સંપૂર્ણ ધાર્મિક ક્રાન્તિમાંથી પસાર થયા હતા.
ત્યાં સુધી કે ભારતીય ઈતિહાસ પણ એ જ નિષ્કર્ષનું સમર્થન કરે છે. ચંદ્રગુપ્ત દ્વારા સંચાલિત રાજનીતિક ક્રાન્તિની પહેલા ભગવાન બુધ્ધની ધાર્મિક અને સામાજિક ક્રાન્તિ થઈ હતી. શિવાજીના નેતૃત્વમાં રાજનીતિક ક્રાન્તિ પણ મહારાષ્ટ્રના સંતો દ્વારા કરવામાં આવેલ ધાર્મિક અને સામાજિક સુધારા બાદ જ થઈ હતી.
શીખોની રાજનીતિક ક્રાન્તિની પહેલા ગુરૂ નાનક દ્વારા કરવામાં આવેલ ધાર્મિક અને સામાજિક ક્રાન્તિ થઈ હતી.
અહીં વધુ દ્રષ્ટાંત આપવા જરૂરી છે. આ દ્રષ્ટાંતોથી એક વાત પ્રગટ થઈ જશે કે મન અને આત્માની મુક્તિ જનતાના રાજનીતિક વિસ્તાર માટેની પ્રથમ જરૂરીયાત છે."
(बाबा साहब आंबेडकर संपूर्ण वाग्ड्मय खंड -1, पेज नं- 61 & 62)
બસ.. હવે હુકમરાન સમાજ બનવા કે બનાવવાની ખેવના રાખનારા લોકોએ પોતાના ઘરોની દિવાલો પર જઈને એક વાત સ્પષ્ટ રીતે દેખાય તેમ લખી નાખવી જોઈયે કે રાજનીતિક ક્રાન્તિ રૂપી રિઝલ્ટ મેળવવા માટે પહેલા સામાજીક અને ધાર્મિક ક્રાન્તિ રૂપી પરીક્ષામાં પાસ થવું ફરજિયાત છે.
- જિગર શ્યામલન

नमो बुध्धाय कि बजाय पढो बुध्धाय

By Jigar Shyamlan ||  Written on 30 April 2018


आप स्वयं को लडने का प्रयास करना ही होगा, बुद्ध तो सिर्फ रास्ता ही बताएगें।

बुद्घम् शरणम् गच्छामिधम्मम् शरणम् गच्छामिसंघम् शरणम् गच्छामि


  • बुद्घम् शरणम् गच्छामिमतलब एकदम ही साफ है। किसी ने कहा, किसी ने लिखा, किसी ने कर दीया उसे ही सही मत मानो। खुद तर्क करो, खुद अपनी सोच का दायरा बढाओ। किसी भी चीज को जानो फिर मानो। अपने बुध्धि एवम तर्क से किसी चीज को समझने योग्य बनने की प्रक्रीया ही बुध्ध है।
    यही है बुध्ध की शरण में जाना।
  • धम्मम् शरणम् गच्छामिधम्म का मतलब ही नैतिकता है। यदी हम नैतिकता पर ही चल रहे है तो हमे किसी भी बाहरी तत्व से सहायता की कोई जरूरत ही नही। क्योकि नैतिकता ही धम्म है और धम्म ही नैतिकता।
    यही है धम्म की शरण में जाना।
  • संघम् शरणम् गच्छामिसंघ मतलब समूह ऐकता। हम तब तक बलशाली और प्रभावीत रहे सकते है जब तक साथ है। अकेली लकडी में कोई बल या शक्ति नही होती। कोई भी उसे जरा से भी बल से तोड देगा। लेकिन यदी सारी लकडीयां ईकठ्ठी हो जाए तो मजबुत बन जाती है फिर ईतनी बलशाली हो जाती है कि कोई भी उसे तोड नही पाएगा। 
    यही है संध की शरण में जाना।


यदी आप बगैर संशय किसी चीज को नही मानते। आप विचारशील है, तर्कशील है और नैतिकता को सही मायने में चरीतार्थ कर रहे है तो आप बुध्ध ही है।
यदी जय भीम का नारा हमें संधर्ष करने की शक्ति देता है तो नमो बुध्धाय का नारा हमे उस शक्ति को सही दिशा में ले जाने का ज्ञान देता है।
वैसे तो मैं नमो बुध्धाय कि बजाय पढो बुध्धाय ही कहना चाहुंगा।
जय भीम
पढो बुध्धाय

FB Post :-

Poem: સર્વહારાનો બુર્જવાવાદ

By Jigar Shyamlan ||  Written on 20 April 2018


મનેય પણ રક્ત વહાવી, 
સર્વહારાની ક્રાન્તિ 
મેળવવાની
તમન્ના છે.
હું ય એ 
સર્વહારા 
માટીનો જ 
પિંડ છું.
એનુ જ બીજ છું
એ જ 
સર્વહારા જે 
પરસેવે જમીન રગદોળી 
સર્ગભા બનાવે.
એ જ 
મશીનોના 
તીણા અવાજમાં
વેદનાનો ડૂમો 
છૂપાવે.
પોતાના કપડાં 
ફાડીને, 
સંતાનોના તન ઢાંકે
પોતાના શ્વાસ 
ગિરો મૂકીને,
કુટુમ્બનો 
શ્વાસ ચલાવે.
તમામ મોજ શોખ 
બાળકોની 
આંખોમાં નિહાળે.
ક્યારેક 
માલિકની ગાળો પણ
હસતા મોંઢે 
સાંભળી લે.
કારણ કાન પર 
જવાબદારીઓ
ચોંટી પડી છે.
પણ આ સર્વહારાની જમાતો
જડતી નથી.
ખેતરે બપોરનું ભાથુ ખાવા
અલગ ઝાડવાઓના 
છાંયા ગોતે.
મિલોની રિશેષ પડે કે 
અલગ ટોળાને
અલગ ટિફીનોના ઢાંકણ
ખુલવાનો અવાજ.
પાણી પીવાના માટલાઓ
પણ નોખા છે
અહી પણ એક
બુર્જવાવાદ ચાલે છે
ફરક એટલો અભિમાન
બસ ચામડીના પહેરેલ કપડાનું
કે પછી કોખમાં જન્મેલ જાતિનુ
બાકી ક્ષમતા ને કામ તો
એક જ છે.
તોય જુઓને આ સર્વહારાનો
બુર્જવાવાદ.
- જિગર


FB post :-


July 29, 2018

રેશનકાર્ડ પર દારૂ આપવો જોઇએ?

By Raju Solanki  || Written on 28 July 2018





દારૂ પીવા ગયેલા પોલિસે અડ્ડા પર બાળકને સ્તનપાન કરાવતી મહિલા માટે ”આ માલને બહાર મોકલો”, એવા બિભત્સ શબ્દો ઉચ્ચારતાં બબાલ થઈ. દારૂડિયા પોલિસે ફોન કરીને પોલિસ સ્ટેશનથી કૂમક બોલાવીને મધરાતે સમગ્ર વસ્તીમાં ઘરે ઘરે ઘૂસીને નિર્દોષ લોકોને માર્યા, લૉકઅપમાં પૂરી દીધાં ને ઘટનાનું રીપોર્ટિંગ કરતા પત્રકારને પણ ઝૂડ્યો. માત્ર બે દિવસ પહેલાનો આ કિસ્સો ગુજરાતમાં પહેલવહેલો નથી. દારૂબંધી પોલિસ અને પોલીટીશીયનોની જુગલબંધીથી ચાલતું એક એવું નાટક છે, જેમાં પડદા પાછળ લાખો રૂપિયાના હપ્તા લેવાય છે અને નાટકના અંતે હજારો ગરીબો ઝેરી લઠ્ઠો પીને મરી જાય છે.

તમિલનાડુમાં ‘ઇન્ડીયા મેઇડ ફોરીન લીકર’ (આપણી ભાષામાં વિદેશી દારૂ)ના ઉત્પાદનની મોનોપોલી સરકાર પાસે છે. તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન પાસે દારૂ બનાવવાના સર્વ હક્ક સ્વાધીન છે. આ સરકારી કંપનીએ ગયા વર્ષે સરકારને રૂ. 21,800 કરોડની કમાણી કરી આપી. તમિળનાડુથી થોડા નાના રાજ્ય કેરળમાં આવા વિદેશી દારૂ અને તાડી બંન્નેના વેચાણમાંથી સરકારને થઈ રૂ. 8,000 કરોડની આવક. તમિળનાડુ અને કેરળમાં કુપોષણથી મરતા બાળકોનું પ્રમાણ ગુજરાત કરતા ઘણું ઘણું ઓછુ છે. બીજી તરફ, રામેશ્વરમની એકમાત્ર સરકારી દારૂની દુકાનને બંધ કરાવવા તાજેતરમાં ત્યાંની મહિલાઓએ મોટાપાયે દેખાવો કરેલા. તેમના પતિઓ દારૂડીયા થઈ ગયા છે અને દુકાન આગળથી સ્ત્રીઓ નીકળી શકતી નથી એવી તેમની ફરિયાદ હતી.

અરૂણ શૌરીના સમયથી સરકારો ખાનગીકરણના રવાડે ચડી છે. પરંતુ, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, બિહાર, છત્તીસગઢ, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, કર્ણાટકની સરકારોએ દારૂનો હોલસેલ બિઝનેસ પોતાના કન્ટ્રોલમાં રાખ્યો છે. ખાનગી ખેલાડીઓ માત્ર દારૂના છૂટક વેચાણમાં છે. મોટાભાગના રાજ્યોમાં સરકારોની કમાણીનો વીસ ટકા જેટલો માતબર હિસ્સો દારૂના વેચાણમાંથી થાય છે. કેરળમાં તો આ હિસ્સો હવે 22-23 ટકા સુધી પહોંચી ગયો છે. કલ્યાણ રાજ્યનો દાવો કરતી આ તમામ સરકારો સાવ સસ્તા દારૂ પર જંગી એક્સાઇઝ નાંખીને મોંઘો દારૂ વેચે છે. એટલે કેટલાક નિષ્ણાતો હવે બીપીએલ કાર્ડ પર ગરીબોને રાશનની દુકાનેથી ઘઉં અને ચોખાની સાથે સસ્તો અને સારો દારૂ આપવાની હિમાયત કરી રહ્યા છે. તમારું શું કહેવું છે?

(ફોટો - તમિલનાડુની સરકારી દારૂની દુકાન)

Gujarat police attacked Chharanagar

By Raju Solanki  || Written on 27 July 2018


Gujarat police attacked Chharanagar last midnight. Innocents were beaten and more than fifty vehicles destroyed as if Chharanagar is a terrorist hide out. 
This is an act of vandalism by police. Chharanagar is a habitat of the poor denotified tribe, vulnerable, helpless and resourceless. In the name of prohibition, police want to terrorise an enlightened, educated group of youth who are relentlessly mobilising, organising Chharas against manuvadi, capitalist system. 
Chharas are not thieves, they are victims of a system perpetuated by big capitalist class. Dalits and Bahujans of the entire country are with Chharas in this moment of crisis.








FB Post :

Even if you are saffron-clad, you will not be spared.

By Raju Solanki  || Written on 18 July 2018



Even if you are saffron-clad, you will not be spared. This is the message of India's chauvinistic ruling party.
Swami Agnivesh has consistently raised his voice against state-sponsored developmentalism aiming at tribal's destruction.
I still remember his fierce speech in Dr. Babasaheb Ambedkar Hall, Ahmedabad in 1994. Jati Nirmulan Samiti organised a Dalit convention in solidarity with displaced tribals of Sardar Sarovar Dam.

તમે ભગવા વસ્ત્રો પહેર્યા હોય તો પણ તમને અમે છોડીશું નહીં. આ સંદેશ છે ભારતની અંધ રાષ્ટ્રવાદી શાસક પાર્ટીનો. 
સ્વામી અગ્નિવેશે હંમેશાં આદિવાસી-દલિતોના રાજ્ય-પ્રેરીત વિકાસવાદથી થતા વિનાશ સામે અવાજ ઉઠાવ્યો છે. 
મને હજુ યાદ છે તેમનું આગ ઝરતું વક્તવ્ય, જે તેમણે આપેલું 1994માં અમદાવાદના આંબેડકર હૉલમાં, જ્યારે જાતિ નિર્મૂલન સમિતિએ સરદાર સરોવર બંધથી વિસ્થાપિત થયેલા આદિવાસીઓના સમર્થનમાં બોલાવ્યું હતું દલિત સંમેલન.




FB Post :

July 22, 2018

आरक्षण तो युं ही बदनाम है...

By Vishal Sonara 


आरक्षण पर रोने का झुनझुना पकडा कर ये लोग देश को खोखला किए जा रहे है और एवरेज बुद्धीजीवी आरक्षण का विरोध और समर्थन मे ही उलझे रहते है. 
कभी किसी ने नही ध्यान दिया की डोक्टर का बेटा डोक्टर कैसे बन जाता है? सब को लगता है की ये उन के डीएनए मे होगा. 
पर ज्यादातर डोक्टरो के माता-पिता तो डोक्टर न थे तो अब उनका डीएनए डोक्टरो वाला कैसे बन गया?
उनका डीएनए और कुछ नही मैनेजमेंट क्वोटा है. मैनेजमेंट क्वोटा से चपरासी बनने के भी लायक न हो ऐसे लोग डोक्टर बनकर समाज मे आ जाते है और कभी किसी के पेट मे कैची छोड देते है तो कभी लोगो की जेब पर भी कैची चला लेते है.

"अहमदाबाद सिविल होस्पीटल के तिन डोक्टरो ने 2012 में किए ओपरेशन मे महिला के पेट मे कैंची छोड देने के कारण 5 साल बाद मौत हुई.
जो तिन डोक्टर ,जीन्होने ओपरेशन किया था उनके नाम.
- डॉ हार्दिक बिपीनचंद्र भट्ट
- डॉ सलिल पटेल
- डॉ प्रेरक पटेल"

अगर इस खबर मे नाम मे SC ST OBC या Minorities की सरनेम वाले लोग होते तो अब तक आरक्षण के नाम पर झुनझुना बजा रहे लोग देशव्यापी आंदोलन एरेंज कर चुके होते.



Facebook Post :

Poem : આંબેડકર જયંતી

By Jigar Shyamlan ||  Written on 14 April 2018



રેલીમાં આવી ગયા 
બધા હાથમાં 
વાદળી ઝંડાઓ લઈને.
પણ એ ઝંડા પકડવાનો 
સાચો મતલબ 
શું હોઈ શકે જાણો છો?
ખબર નથી બિચારાઓને 
એમના માટે તો 
ભાદરવી પૂનમ કે શ્રાવણ. 
ગણપતિ કે નવરાત્રની ધજાઓ 
પકડો કે આ વાદળી ઝંડાઓ.
એમના માટે બસ ખાલી 
ઝંડા જ બદલાયા છે, 
ડંડાઓ એના એ જ.
બસ ખબર એ જ કોણ 
ભીમરાવ,દલિતોના મસિહા, 
બંધારણના ઘડવૈયા.
બાકી બોધિસત્વ, 
બાવીસ પ્રતિજ્ઞા આપનાર
આંબેડકરને તો ક્યાં એ 
લોકો જાણે છે?
બસ મનુસ્મૃતિ હોમનાર, 
રામ અને કૃષ્ણ પર સવાલ ઉઠાવનાર.
દલિતોના હક્કની લડાઈ લડનાર આંબેડકર 
જ યાદ છે આ લલવાઓને.
પણ મંદીરના બદલે 
પુસ્તકાલય જાઓ, 
બુધ્ધનો ધમ્મ અપનાવનાર.
કોન્ગ્રેસની પાવલીનોય 
સભ્ય ન બનતા કહેનાર 
ભીમ ક્યાં યાદ છે..?
જનોઈધારી ભાજપ, કોન્ગ્રેસને 
વામદળ ઓફીસના 
દરવાજા ઘસો.
પાછા ચૌદ એપ્રિલે હાર-તોરા 
જય ભીમનારાઓથી 
આકાશ ગજવો.
બસ એક દહાડો હાજરી 
બતાવો આ જ 
તમારો આંબેડકર પ્રેમ 
હોઈ શકે.
આ ભલે ભોળા ભોળા 
દલિતોને પ્રેમ લાગે 
પણ મને તો વહેમ જ લાગે.
સમાનતા, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાય 
પ્રબુધ્ધ ભારતની મંશા રાખનાર.
આંબેડકર હજી પણ 
રાહ જોતા બેઠા છે..!
કોણ આવી?
આ પ્રતિમાઓમાંથી 
એમના પ્રાણ સમી 
વિચારધારાને બહાર કાઢે.
બસ હાર-તોરા પહેરાવી, રેલીઓ કાઢી, 
ડાયરાઓની રમઝટ બોલાવી.
આખો દા'ડો જય ભીમ 
જય ભીમ પોકારો 
એટલે ઉજવણી પૂરી.
આવુ બધુ માનનારા 
એટલા જ માસુમ છે
સાવ બાળક બુધ્ધિ જેવા.
જેટલા હવન કરીને 
માની લે છે કે હવે સુખ
સંપત્તિ આંગણે આળોટશે.
બસ એક જ ઉપાય વાંચો 
પછી વિચારો
અણધાર્યુ વિચારીક પરિવર્તન લાવો.
ખુદમાં એક ઈન્કલાબ તો પેદા કરો 
પછી ઝિંદાબાદ કહો.
પણ..! ના આપણને 
એ બધુ પચતુ નથી 
હોજરીઓ એટલી પાકી નથી.
એટલે જ તો વારંવાર 
અર્ધ પચેલા વિચારોની
ઉલટીઓ થાય છે.
આ દર્દ શારીરીક લાગે સૌને 
લક્ષણો પણ તરત દેખાય
શરીર પર.
પણ આની દવા હકીકતમાં 
આ માનસિક 
ઉપચારથી શક્ય છે.
બસ એક દવા વાંચતા રહો 
અને સાથે ધમ્મ, 
બાવીસ પ્રતિજ્ઞાઓની ચરી પાળો.
- જિગર શ્યામલન





Facebook Post

14 अप्रेल ओर बचपन की यादें....।

By Jigar Shyamlan ||  Written on 13 April 2018




जब मै छोटा था तब बाबा साहब को सिफँ फोटो से ही पहचानता था। उनके बारे में ज्यादा कुछ जानकारी नही थी, ईतना ही मालूम था कि यह बाबा साहब है, और उन्होने हमारे लिये काफी कुछ किया है।

14 अप्रैल के दिन मेरे शहर में बाबा साहब की बडी रैली नीकलती थी। 14 अप्रेल की सुबह दोनो महोल्ले के बीचवाले रोड पर एक घर के पास टेबल पर चादर बिछाकर बाबा साहब की छवि रखी जाती थी। उस छवि पर फुलो की माला पहनाई जाती थी। सब लोग उधर रैली आने के ईन्तझार में ईकठ्ठा होते थे।

फिर दुसरे महोल्ले से बाबा साहब के सन्मान मे निकाली गई रैली हमारे महोल्ले में आती थी। फिर हमारे महोल्लै के लोग रैली का स्वागत करते थे। रैली में आये लोग बाबा साहब की छवि पर फुल चढाते थे। फिर वहां से रैली आगे बढती थी, हमारे मोहल्ले के काफी लोग रैली में जाते थे।

मै भी अपने आनंद के लिए रैली में जाता था। चार-पांच ऊंटो की गाडीया होती थी, मै भी दुसरे बच्चो की तरह एक गाडी में बाबा साहब का आदम कद का फौटो लेकर बैठ जाता था। थोडी थोडी देर में जय भीम.. जय भीम के नारे भी बोलता था।

लेकिन उस वक्त कुछ मालूम ही नही था जय भीम का नारा क्या है। ऊंटकी गाडी में बैठकर रैली में पुरा शहर घूमने का बडा मजा आता था।

फिर शाम को महोल्ले में कायँक्रम होता था। उसमें भी पहली लाईन में बैठता था। कोई एक आदमी आता था, बाबा साहब के बारे में कुछ बोलता था, लेकिन मुझे यह सब सूनने की जरा सी भी परवाह न होती थी। मेरा मन तो भाषण के बाद शुरु होनेवाले प्रोग्राम के ही ईन्तजार में रहता था।

यह थी बचपन की 14 अप्रेल की यादें।

फिर बढती उम्र के साथ साथ जब समज आती गई तब बाबा साहब के बारे में जानने लगा, बाबा साहब को पढने की ईच्छा हूई। बाबा साहब को पढना शुरू किया।

जैसे जैसे बाबा साहब को पढता गया वैसे वैसे उनको समजता गया। और जैसे जैसे समजता गया वैसे वैसे उनको मानता गया। तब एक अफसोस हूआ कि बाबा साहब को पढने में काफि देरी कर दी।

आज समाज में बाबा साहब को माननेवाले बहोत से लोग है, लेकिन बाबा साहब को पढकर, उनको माननेवाला एवम उनके बताये गये रास्तो पर चलनेवाले ज्यादा नही।
ज्यादातर लोगो के पास बाबा साहब के बारे में जो कुछ भी जानकारी और विचार है वो खुद के नही, बल्की दूसरो से सूने हुये जाने हुये उधार लिए हुये है।

लोगो ने बाबा साहब को ही पढा नही और नही पढा ईसलिये बाबा साहब को समझ ही नही पा रहे। जब लोग खूद पढेंगें तब जानेगें, और तब ही समझ पायेंगें।

ईसलिये सबसे पहला काम बाबा साहब को जन जन तक पहूंचाना होगा। बाबा साहब की पुस्तके, उनके लेख, भाषण सभी लोगो तक पहुंचाना है।

क्योकि जब लोग बाबा साहब को पढ लेंगे तब दूसरा कुछ और पढने की जरूरत नही होगी। लोग खूद ब खूद समझ जायेंगें।

हमे अपनी नई पीढी को प्रेरणा देनी होगी कि वो बाबा साहब को पढे, तब ही हम आंबेडकरवाद पैदा कर सकेंगें।

ईस 14 अप्रेल को सभी भाईओ से बिनती है कि हमे बाबा साहब की पुस्तके, उनके लेख, भाषण सभी लोगो तक पहुंचाना चाहीए। हमारे मित्र, सगे-संबंधीओ को यह प्रेरणा देनी चाहीए कि वे बाबा साहब को पढे।

बचपन में काफि वक्त था लेकिन तब समज नही थी, अब समज है पर वक्त कम है। परिवार, नौकरी और जिम्मेदारीयो की वजह से वक्त नही दे पा रहा हुं। लेकिन जितना भी वक्त मिलता है या मिलेगा बाबा साहब के विचारो का प्रचार-प्रसार करता रहुंगा।
जय भीम
- जिगर श्यामलन


Facebook Post :

भारत के वास्तविक राष्ट्रपिता : ज्योतिबा फूले

By Jigar Shyamlan ||  Written on 11 April 2018





देश के पढे लिखे सवणँ मानसिकता वाले लेखको ने कभी भी बहुजन नायको को न्याय नही दीया। तब ऐसे माहौल में पढे-लिखे बहूजन लोगो का कतँव्य बनता है कि वे अपने महापुरुषो के सच्चे ईतिहास को अपने लोगो के सामने पेश करे। जो आज तक हमसे छीपाया गया है। आज की पोस्ट एक ऐसा ही छोटा सा प्रयास है।

आज 11 अप्रैल..।

सच में वास्तविक महात्मा कहे जानेवाले ज्योतिबा फूले का आज जन्मदिन है।

दोस्तो, भले ही भारत के लोग मोहनदास करमचंद गांधी को महात्मा के रूप में पहचानते हो परंतु मेरा मन कभी भी गांधीजी को महात्मा के रूप में स्वीकार करने के लिए तैयार नहीं है। क्योकि गांधीजी एक चतुर राजनेता से विशेष और कुछ नही थे।

भारत के वास्तविक राष्ट्रपिता कहलाने वाला एक ही ईन्सान हो सकते है और वो है 19वी सदी में भारत में वैचारीक क्रान्ति के जरीये सामाजिक क्रान्ति का बीज बोने वाले ज्योतिबा फुले पुरा नाम ज्योतिराव गोविंदराव फुले। भारतीय विचारक, समाजसेवी, लेखक, दार्शनिक तथा क्रान्तिकारी कार्यकर्ता।

जब समाज में वर्गभेद और जातिवाद अपनी चरम सीमा पर था। धमँ पर खडी हूई वणँ व्यवस्था के कारण शूद्र वर्ग की दशा अच्छी नहीं थी। उनका भरपूर शोषण हो रहा था। उन पर बहोत सारे प्रतिबंध थे। शूद्र स्वतंत्रता से घूम-फिर नही सकते थे, शूद्र पढ नही सकते थे, शूद्र अपवित्र थे और उनको छूना ठीक परछाई लेना भी पाप था। धमँ में शूद्रो को किसी भी प्रकार का अधिकार नही दीया गया था। उन्हें शिक्षा से वंचित रखा जाता था। तब ज्योतिबा फूले ने वैचारिक क्रान्ति से सामाजिक क्रान्ति का बिगूल फुंक कर शूद्रो की शिक्षा के लिए सामाजिक संघर्ष का बीड़ा उठाया था।

ज्योतिबा ने समाज में फैली छूआछूत, धमँ के नाम पर चल रहे पाखंड और अनेक कुरूतियों को दूर करने के लिए सतत संघर्ष किया था।

धमँ के आधार पर लागु की गई वणँ व्यवस्था से पीडित और शोषीत समाज के लिये "दलित"शब्द दीया था।
धर्म पर टीका – टिप्पणी करके उन्होने हिन्दू धर्म में विष की तरह फैली हूई जातिगत विषमता को उजागर किया था। धमँ के आधार पर वणँ व्यवस्था से ईन्सान से ईन्सान के हो रहे शोषण को, जाति-भेद और वर्ण व्यवस्था के विरोध में अपने क्रान्तिकारी विचार रखे थे। उन्होने महाराष्ट्र में सत्य शोधक समाज नामक संस्था का भी गठन किया था।

ज्योतिबा यह महसूस करते थे कि जातियों और पंथो पर बंटे इस देश का सुधार तभी संभव है जब लोगो की मानसिकता में सुधार होगा।

ज्योतिबा ने "गुलामगीरी" लिखकर धमँ और वणँ व्यवस्था पर बहुत ही ताकिँक सवाल खडे किये थे। "शिवाजी का पेवाडा"लिखकर शिवाजी जन्मोत्सव मनाना शुरू करके बहूजनो में वैचारीक क्रान्ति की शुरूआत की थी।
आयँ बाहर से ही आनेवाले लोग थे और यहां के बहुसंख्यक लोगो को धमँ के आधार पर गुलाम बनाकर भरपुर शोषण किया था। यह सबसे पहले कहनेवाले ज्योतिबा ही थे।

उस वक्त जात-पात और ऊँच-नीच की दीवारे बहुत ही ऊँची थी। शूद्र एवं स्त्रियों की शिक्षा के रास्ते बंद थे। ज्योतिबा ने इस मनुवादी व्यवस्था को चैलेन्ज दे कर अछूत एवं स्त्रीयो को शिक्षा देने का काम शुरू कर दीया था।

ज्योतिबा द्रढरूप से मानते थे कि–माताएँ जो संस्कार बच्चो पर डालती हैं, उसी में उन बच्चो के भविष्य के बीज होते है। इसलिए स्त्रीयो को शिक्षित करना आवश्यक है।

इस विचार पर अमल करने के लिये उन्होंने वंचित वर्ग एवं स्त्रीयो की शिक्षा के लिए स्कूलों का प्रबंध करने का द्रढ निश्चय किया था।

स्त्रियों की दशा सुधारने और उनकी शिक्षा के लिए ज्योतिबा ने 1848 में एक स्कूल खोला था जो पुरे देशभर में पहला महीला विद्यालय था। जब लड़कियों को पढ़ाने के लिए अध्यापिका नहीं मिली तो उन्होंने कुछ दिन स्वयं यह काम किया फिर बाद में अपनी पत्नी सावित्री फूले को शिक्षा देकर ईस काम योग्य बनाया था।

11 अप्रैल 1827 को महाराष्ट्र के सतारा में एक माली के घर में जन्मे ज्योतिबा फूले सच में एक ऐसे दिपक थे जिन्होने सचमूच अछूतो एवं स्त्रीयो को शिक्षा देकर रौशन किया था।

भारत में अछूतो और स्त्रीयो को शिक्षा देने के लिये ज्योतिबा फूले उनकी पत्नी सावित्री फूले और उनको सहयोग करनेवाली फातीमा बीबी द्वारा कीये गये प्रयास सदा ही स्मरणीय रहेंगें।

उन्होने न सिफँ अछूतो की शिक्षा पर काम कीया बल्कि नारी-शिक्षा, विधवा – विवाह और किसानो के हित के लिए काफी उल्लेखनीय कार्य किया है।

ज्योतिबा फूले ने अपने जीवन काल में कई पुस्तकें भी लिखीं थी। सावँजनिक सत्यधमँ, शेतकन्याचा आसूड, तृतीय रत्न, छत्रपति शिवाजी का पेवाडा, राजा भोसला का पखड़ा, ब्राह्मणों का चातुर्य, किसान का कोड़ा, अछूतों की कैफियत, गुलामगीरी जैसी पुस्तके लिखकर एक वैचारिक क्रान्ति का निमाँण किया था।

बाबा साहब आंबेडकर भी ज्योतिबा से काफी प्रभावित थे और आजीवन प्रभावित रहे। डॉ भीमराव आंबेडकर ने अपने महान शोध ग्रंथ "Who Were The Shudras" ज्योतिबा फूले को ही अर्पित किया था।

लेकिन जातिवाद से ग्रस्त भारत के सवणँ मानसिकता वाले लेखको ने कभी भी ज्योतिबा फूले के सामाजिक सुधार के कायँ को ज्यादा तवज्जो नही दीया। ईसी के कारण सच में महात्मा की छवि चरीताथँ करनेवाले देश के वास्तविक राष्ट्रपिता ज्योतिबा फूले आज भी अनछूए ही रह पाये है।

#सच्चे_महात्मा

#भारत के_वास्तविक_राष्ट्रपिता

#जय फूले

- जिगर श्यामलन



Facebook Post :

14 મી એપ્રિલ આવશે ને બાબા સાહેબ આંબેડકર યાદ આવવા માંડશે...

By Jigar Shyamlan ||  Written on 10 April 2018



બાબા સાહેબ આંબેડકરના પુતળાઓ પર જામેલી ધુળ દુર કરવામાં આવશે, પાણીથી ધોવામાં આવશે. પ્રતિમાને માલ્યાર્પણ કરી શકાય તે માટે સીડીઓ ગોઠવાશે.

ઓફીસ કે ધરના માળિયામાં ગોઠવી મુકી રાખેલ અશોક ચક્રની છાપવાળા જયભીમ લખેલા બ્લ્યુ ઝંડાઓ અને સ્લોગનોના બેનરો નીચે ઉતારવામાં આવશે.

મોબાઈલ હેંગ થવા માંડે તેટલી હદે આંબેડકરી વિચારધારાના મેસેજોનો મારો વોટ્સએપ્પ અને ફેસબુક પર થતો રહેશે.

આ દિવસે કેટલાક અનોખા પ્રસંગો પણ જોવા મળશે.


  •  વરસના 365 દિવસ મંદિરોમાં જઈ પથ્થરાઓને નમન કરનારાઓ અને પુજા પાઠ, વ્રત, કથા કરાવનારાઓ.

  •  આખી જિંદગી વણકર અને ચમારના અલગ સંગઠનો બનાવનારાઓ.

  •  પોતાના પેટાજાતિ અને ગોળ-પરગણાનુ મિથ્યાભિમાન કરનારાઓ.

  •  માત્ર ચુંટણી પુરતા જ એસ.સી. બનનારા અને ચુંટણી પછી પોતાના પક્ષના કાબેલ ચમચા બનવા મથનારા રાજનેતાઓ અને આગેવાનો.


આવા બધા નમૂનાઓ બ્લુ વાવટાઓ પકડીને, બાબા સાહેબની પ્રતિમાને માલ્યાપર્ણ કરશે, બાબા સાહેબ વિશે ભાષણોની ભરમાર કરી દેશે, અને ઉછળી ઉછળીને જય ભીમ કરતા દેખાશે.

આ બધુ એક જ દિવસ પછી બીજા દિવસે કોઈ આંબેડકરને યાદ પણ નહી કરે. એટલી હદે કે બીજા દિવસથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓ ધુળ ખાતી થઈ જશે.

આ 14 મી એપ્રિલે પહેરાવેલ ફુલોનો હાર સુકાઈને કચરો બની જશે અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની આંખો કચરો બની ચુકેલ ફુલના હારતોરા હવે આવતી 14 મી એપ્રિલ સુધી કોણ હટાવશે એની રાહ જેવામાં અધિરી બની જશે.

મિત્રો આવી રીતે તો વરસોથી ઉજવાતી રહી છે આંબેડકર જયંતિ. બસ એવી જ રીતે આ વરસે પણ ઉજવાશે. અને કદાચ આવનારા વર્ષોમાં ઉજવાતી રહેશે.
આંબેડકર જયંતિની ઉજવણીઓમાં જાણે અજાણ્યે બાબા સાહેબની વિચારધારાને બદલે તેમની પ્રતિમાઓ અને ફોટાઓનુ પૂજન કરવામાં મગ્ન બની રહ્યા છીએ. વિચારધારા ક્યાંય નથી.

કારણ એક સાદો નિયમ એવો છે જો માણસનો સંપુર્ણ નાશ કરી નેસ્તનાબુદ કરવો હોય તો પહેલા તેની વિચારધારાને ખતમ કરો.

સમાજમાં બાબા સાહેબ આજે જીવંત છે પણ માત્ર એક પ્રતિમા બની રહી ગયા છે, જે માત્ર 14 મી એપ્રિલે જ યાદ આવે છે. વિચારધારા ધીરે ધીરે નષ્ટ થઈ રહી છે.
આ વરસની ઉજવણીમાં એક નાનકડી અપિલ છે કે દરેક યુવા મિત્ર જેઓ ખરેખર બાબા સાહેબ પ્રત્યે થોડાક પણ ગંભીર હોય તેવા મિત્રો વરસમાં ઓછામાં ઓછુ એક બાબા સાહેબનું પુસ્તક અવશ્ય વાંચે એમાં પણ બાબા સાહેબે લખેલા વોલ્યૂમ અવશ્ય વાંચે અને બાબા સાહેબને સમજવાનો પ્રયાસ કરે.

માણસ ખતમ થઈ શકે છે પણ વિચારધારા કદીય મરતી નથી એ સદાય જીવંત રહે છે.

કારણ આ લડાઈ બાબા સાહેબના વિચારોની જ છે.
- જિગર શ્યામલન


Facebook Post :

વર્ણવ્યવસ્થા અને કેટલીક ભ્રાંતિઓ....

By Jigar Shyamlan ||  Written on 9 April 2018


जन्मना जायते शुद्र: संस्काराद् द्विज उच्यतो
वेदाध्ययनाद् विप्रस्तु ब्रह्मज्ञानाद् ब्राह्मण: ||
(અર્થાત- જન્મથી બધા શુદ્ર જન્મે છે, સંસ્કારથી જ દ્વિજ કહેવાય છે, વેદાધ્યન કરવાથી વિપ્ર અને બ્રહ્મજ્ઞાન થાય તેને બ્રાહ્મણ કહેવાય છે.)

વર્ણવ્યવસ્થાના બચાવમાં કેટલાય વિધ્વાનો એવી દલિલ અને વકીલાત કરે છે કે એ જન્મ આધારિત નહી પણ ગુણ અને કર્મ આધારિત હતી. આ દલિલ પર મને હંમેશા હસવુ આવ્યુ છે, અને આ દલિલને હુ એક જોકથી વિશેષ નથી ગણતો.

વર્ણ વ્યવસ્થા જન્મ આધારિત નહી પણ કર્મ આધારિત હતી એવો સાવ લૂલો બચાવ કરનારા અને આવી દલિલો કરનાર પોતાના બચાવને ઝાઝો ટકાવી રાખવામાં સફળ નિવડતા નથી.

પોતાને હિન્દુ અને સનાતન ધર્મી તરીકે ઓળખાવતા મિત્રો હિન્દુ ધર્મ બાબતે બહુ બે-જવાબદારીપૂર્ણ અને પ્રતિદલીલમાં એક મિનીટ પણ ટકી ન શકે તેવી રજુઆત કરે છે કે હિન્દુ ધર્મમાં જાતિ વિભાજન જન્મને આધારે નહી પણ કર્મને આધારે હતું. ટુંકમાં વર્ણ વ્યવસ્થા કર્મ આધારીત હતી, જન્મ આધારીત નહી.

કારણ જો ખરેખર તેમની વર્ણ વ્યવસ્થા કર્મ આધારિત હતી જન્મ આધારિત નહી વાળી વાત સાચી હોય તો એમની આવી ખોટી અને સત્યથી વિપરીત રજૂઆત સાંભળ્યા પછી શંબૂક, એકલવ્ય કર્ણ અને વિદૂર મારી નજર સામે આવી જાય છે.

શંબૂક, એકલવ્ય, કર્ણ અને વિદુરને શા માટે અપમાન સહન કરવાનો વારો આવેલો...???

  • શંબૂક શુદ્ર હતો, વેદાભ્યાસ કરી રહ્યો હતો. મતલબ બ્રાહ્મણનુ કર્મ કરી રહ્યો હતો. પણ હું પુછવા માંગીશ કે શુદ્ર શંબૂકને બ્રાહ્મણ તરીકે માન્યતા મળી...??? શંબૂક વિધ્યા અભ્યાસ કરી રહ્યો હતો... તો તેને પોતે કરી રહેલ કર્મ મુજબ બ્રાહ્મણ ઘોષિત શા માટે ન કરવામાં આવ્યો..????
    ઉલટાનું શંબૂકને બ્રાહ્મણનુ કર્મ કરવા બદલ રામ દ્વારા હત્યા કરવામાં આવેલી.
  • એકલવ્ય પણ શુદ્ર હતો, ધર્નુવિધ્યા શીખી રહ્યો હતો. મતલબ ક્ષત્રિયનુ કર્મ કરી રહ્યો હતો. શું તેને કદીય ક્ષત્રિય તરીકે માન્યતા મળી..??
    ના.. એકલવ્યને પણ સજાના રૂપે પ્રત્યક્ષ દ્રોણ પાસે ભણ્યો ન હોવા છતાં અંગુઠાની ગુરૂદક્ષિણા આપવી પડી.
    આવો જ અનુભવ વિદ્વાન ધર્નુધારી કર્ણને પણ દ્રોપદીના સ્વયંવર વખતે થયો હતો, સૂતપુત્ર કહીને તેને સ્વયંવરમાં ભાગ લેવાની મનાઈ કરવામાં આવી હતી.
    એકલવ્ય અને કર્ણ બન્ને શસ્ત્રવિધ્યામાં નિપૂર્ણ હતા તો પણ તેમને કદી ક્ષત્રિય બનવા દેવાયા ન હતા.
  • વિદુર પોતે દાસીપુત્ર હોવાના કારણે રાજનિતીનાં એકદમ નિપૂર્ણ હોવા છતાં હસ્તિનાપુરના સિંહાસન પર કદી આરૂઢ ન થઈ શક્યા.


મતલબ હિન્દુ ધર્મમાં જાતિ જન્મ આધારીત નહી પરંતુ કર્મ આધારીત હતી.. એ દલીલોની તો રેવડી દાણ દાણ જ થઈ ગઈ ને.

હા.. એક વસ્તુ ખાતરી આપી કહી શકુ એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. ગમે તેટલા કર્મ કરે પણ તેમનો વર્ણ શુદ્ર અને ગણ રાક્ષસ જ રહેવાનો.

એવા કેટલાય દુરાચારી, બળાત્કારી, પાપાચારી બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યો હતા પણ તેમને નીચલા વર્ણમાં ધકેલી શુદ્ર બનાવી દીધાનો દાખલો કેમ શોધ્યોય જડતો નથી.??

આવી બધી દલિલોના જવાબ આપી નથી શકતા એટલે પછી એમની પેલી 
"અમે તો જાતિમાં માનતા નથી. મારા કેટલાય મિત્રો પછાત સમાજમાંથી છે. અમે સાથે જમીએ છીએ" જેવી વાતો કરવા માંડે.

જો કે આ બધી વાતો કહેવા પાછળ એ એ લોકોનો આડકતરો અર્થ એવો હોય છે કે હવે એવા ઉચ્ચનીચના ભેદભાવ નથી. જો કે હવે જાતિવાદ નથી એવી સુફીયાણી વાતો કરવાવાળાઓનો ગોળ ગોળ પણ સીધો હુમલો સંવિધાનની પ્રતિનિધીત્વની જોગવાઈઓ પર હોય છે. આવા લોકો મને હંમેશા સ્યૂડો હ્યુમિનીસ્ટ જ લાગ્યા છે.

વૈદિક સંસ્કૃતિમાં કે વેદ, પુરાણ, સ્મૃતિ, શ્રુતિ જે પણ સાહિત્ય પોતે શાસ્ત્ર છે કે એવા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તેમાં કોઈ જગ્યાએ વર્ણ પરિવર્તન કે નીચલા વર્ણમાંથી ઉપરના વર્ણમાં જવાની કોઈ વિધી વિધાન શા માટે નથી..??

જન્મથી તો સૌ શુદ્ર છે એવી વાત માત્ર શુદ્રોને નિમ્ન બતાવવા માટે જ ઉલ્લેખ કરાઈ છે. વળી તેમાં બ્રાહ્મણ થવા સંસ્કાર, વેદ અભ્યાસ, બ્રહ્મજ્ઞાન વગેરે જેવી વાતો કહેવામાં આવી છે. પરંતુ મહત્વની વાત એ હતી કે શુદ્રોની સંસ્કારવિધી, વેદા અભ્યાસ પર પાબંધી હતી. આ સદંતર બેવડા ધોરણો હતા.

જો જન્મથી જ શુદ્રોને ઉપનયન અને વેદા અભ્યાસનો અધિકાર આપવામાં આવ્યો હોત તો એ પણ યોગ્યતા મુજબ આગળ વધી શક્યા હોત..પણ એવુ નથી થયું
શુદ્રને ઉપનયન સંસ્કાર નહી, ઉપનયન સંસ્કાર વિના વિધ્યા નહી, વિધ્યા વિના વેદાધ્યન નહી, અને વેદાધ્યાન નહી મતલબ બ્રહ્મજ્ઞાન નહી. સીધો જ સાર મતલબ બ્રાહ્મણ નહી.

વર્ણવ્યવસ્થા જન્મ આધારિત જ હતી, કર્મઆધારિત તો કદીય નહી. તેમ છતાં તેવી દલિલો, અને તેને અનુમોદન આપતા સાહિત્યો માત્ર અને માત્ર ભ્રમ ફેલાવે છે બીજુ કંઈ નહી..
- જિગર શ્યામલન



Facebook Post :

July 21, 2018

"लाल सलाम" भी अब "राम नाम की नाव" पर सवार हो चुका है

By Vishal Sonara 

हाल हि मे खबरें आई थीं की केरल की कम्युनिस्ट सरकार अपने राज्य मे रामायण महीना मनाने जा रही है और बहोत जोरो से उसकी तैयारियां चालु है. अब छवि बदलने की कोशिश में है ये लोग, वो अब बोलने वाले है की कार्ल मार्क्स जो भी कह कर गए पर अब तो हमें भी भगवान पर विश्वास है...!!!
बहोत से लोग ये खबर सुनकर आचंबीत हो गए और अपनी प्रतिक्रिया देने लगे. 
इसी कम्युनीस्टो ने पीछले दिनो अछुतो को मंदिर मे पुजारी बनाकर पेश किया था. बाद मे उन्ही अछुत पुजारीयों पर हमले भी हुए थे वो बात लोग भुल जाते है. अगर धर्म अफिम है तो फिर क्यो अफिम पीलाई जा रही है ये बात लोग पुछते तक नही है इनलोगो को...

कुछ जागरुक लोगो का कहना था की कम्युनिस्ट लोग तो धर्म मे मानते नही है फिर ये सब क्या है. पर उन्हे असली बात पता ही नही है. कम्युनिस्ट लोग अपने धर्म को कभी भी नफरत नही करते. सब दिखावे की बाते है. कम्युनिस्ट लीडर्स के लाल कपडो के नीचे की जनेउ अकसर दीख ही जाती है. वामपंथियों का कहना है की अब लोगों के बीच 'असली राम' और 'असली रामायण' को लाया जाएगा. संध ने गलत व्यख्या कि है. आज तक संघ बता रहा था अंग्रेजो और मुगलो ने गलत व्यख्या कि है अब ये लाल सलाम वाले लोग भी "राम नाम की नाव" पर सवार हो चुके है और बताएगे की पिछला वाला सब गलत था अब हम सुनाते है सही क्या है...!!!! बस लोगो को सब अपने हिसाब से कथा कहानीयां सुनाई जाएगी और देश मे बढ रही गरीबी बेरोज़गारी की बात कोई नही करेगा.

और भारत की जनता भावनाओं मे बहकर ईन सब बदमाशीयों को चुपचाप सहन करती रहेगी. क्यों की 85% भारतीय जनता का कोई प्रतिनिधित्व नही है, और जो है उस प्रतिनिधित्व को खुद उन्होने ही खत्म सा कर दिया है. लोगो को अपने अदली मुद्दो पर जागृत होना पडेगा तभी कुछ परिवर्तन आएगा.

कुछ लोगो को ये सब नया लग रहा है पर बाबा साहब और रामासामी पेरीयार ने तो बहोत पहले हि ये सब कह दिया था. आंबेडकर और पेरीयार की विचारधारा को ठीक से जानने वाले ये पूरी बदमाशी पहले से ही पहचानते है. जब तक लोग असली बहुजन नायको को पढना नही शुरु करेगे तब तक ये सब ऐसे ही भारत कि जनता को उल्लु बनाते रहेगे. एक जाएगा दुसरा उसी विचारो को लेकर नई पटकी पढाने आ जाएगा, जनता वहीं की वहीं रहेगी...

- विशाल सोनारा


Facebook Post :

Sacred Games (Netflix) : अतापी-वतापी का दृष्टांत

By Vishal Sonara 



धर्मो का खेल समजाने के लिए Netflix की वेब सीरीज Sacred Games में हिन्दू मीथोलोजी में से एक बहोत बढीया दृष्टांत दिया गया है. 

फिल्म मे एक पात्र है "गुरुजी" नाम का एक पात्र अपने शीष्यो को प्रवचन दे रहा होता है. जो इस प्रकार है...
अतापी और वतापी दो दैत्य थे. अतापी किसी भी भटके हुए राहगीर को, बड़े प्रेम से अपने घर बुलाता. "आप आइये मेरे घर, शायद आपको भूख लगी है. मैं स्वादिष्ट भोजन ग्रहण कराऊंगा." राहगीर खुशी-खुशी आ जाते और इतने में इधर वतापी अपनी मायावी शक्तियों, राक्षशी शक्तियों का प्रयोग कर बकरे का रूप धारण कर लेता. अतिथि उस स्वादिष्ट बकरे का भोजन करके प्रसन्नचित हो जाता. और इतने में अतापी आवाज लगाता, " वतापी... वतापी!!!! बाहर आओ." और अचानक अतिथि का पेट फटता और एक मांस का लोथड़ा बाहर आ जाता. और राहगीर परलोक... और फिर दोनों भाई अतापी और वतापी खुशी के मारे झूम उठते, नाच उठते.
धर्मों का रूप यही है. राहगीर को प्रेम से घर बुलाओ, आदर समीत भोजन ग्रहण कराओ, फिर उसकी आत्मा पे कब्जा कर लो. यहूदी-मुसलमान, मुसलमान- ईसाई, हिन्दू-मुसलमान... सब... अतापी-वतापी है.


इस दृष्टांत से समजाने का प्रयास किया गया है की किस प्रकार धर्मो का उपयोग करके आम इंसान को अपने वश मे किया जाता है. जैसे " यहूदी-मुसलमान, मुसलमान- ईसाई, हिन्दू-मुसलमान". एक अतापी बन जाता है और दुसरा वतापी, फिर अतापी आम इंसान को बडे प्रेम से बुलाता है और वतापी नाम का खाना परोस देता है. बाद मे वतापी उस के पेट मे पहुंच जाने के बाद अतापी और वतापी मीलकर उस आम इंसान के आत्मा पर कब्जा कर लेते है. ये सब बाते चाहे कितनी भी पुरानी हो जाए पर राजनिती के लिए हंमेशा ही प्रासंगिक रहेगी.

- विशाल सोनारा
(Note : इस सीरीज मे बहोत ज्यादा न्युडीटी, गालियां और हिंसाचार है. देखना चाहते हो वह अपनी सुजबुझ से ही देखे.)


Facebook Post :-

July 19, 2018

બાબા સાહેબે ધર્મવિહીન અવસ્થા શા માટે ન અપનાવી..?

By Jigar Shyamlan ||  Written on 7 April 2018


બાબા સાહેબ અને બૌધ્ધ ધમ્મની વાત આવે ત્યારે આ બન્ને સવાલો અતિ મહત્વના બની રહે છે.

બાબા સાહેબ પોતે અતિ અભ્યાસુ હતા, વિદ્વાન હતા તેમ છતાં ખુદને ધર્મવિહીન ન રાખી શક્યા. દુનિયાના વિશેષ કરીને પશ્ચિમમાં અનેક લોકો કોઈ પણ જાતના ધર્મ વગરની અવસ્થામાં છે એમનુ ઉદાહરણ બાબા સાહેબે કેમ ન અપનાવ્યુ..?

બીજી રીતે કહીએ તો

(1). બાબા સાહેબે ધર્મવિહીન અવસ્થા શા માટે ન અપનાવી..?

(2). એક વખત હિન્દુ ધર્મનો ત્યાગ કરી દીધા પછી કોઈ પણ ધર્મ સ્વિકાર્યા વગર કેમ ન રહી શક્યા..?

આ બન્ને સવાલો મહત્વના બની રહે છે, આપણે એનો જવાબ મેળવવાની કોશિશ કરીશું.

પહેલી વાત એ કહેવી પડશે કે બાબા સાહેબ એવુ માનતા હતા કે મનુષ્યના જીવનમાં ધર્મની જરૂરીયાત અતિ આવશ્યક છે.

બીજી વાત સમાજની ધારણા માટે નૈતિકતાના અર્થમાં ધર્મ અતિ આવશ્યક છે એવો બાબા સાહેબનો વિશ્વાસ હતો.

બાબા સાહેબને વિશ્વાસ હતો કે નીતિ નિયામકતા થવાથી જ સમાજની ધારણા થઈ શકે છે. માત્ર કાયદાની નિયામકતા એટલે કે એક જાતની શક્તિ પર આધારિત નિયામકતા પુરતી નથી.

બાબા સાહેબનુ માનવુ હતુ કે સમાજ ત્યારે જ સલામત રહી શકે જ્યારે સમાજના બહુસંખ્યક લોકો ધર્મના અધિકાર સ્વિકારે, બીજા અર્થમાં કહીએ તો નૈતિકતાના અધિકારને સ્વિકારે અને માને.

બાબા સાહેબ એ વાત સ્થાપિત કરવામાં સફળ હતા કે નૈતિકતાના અર્થમાં ધર્મ એ પ્રત્યેક સમાજનું નિયામક તત્વ હોય છે.

એમને એ પણ કહ્યું કે સમાજમાં અનુશાસન કરવાનું સામર્થ્ય મેળવવા માટે ધર્મે કેટલીક શરતોનું પાલન કરવાનું હોય છે.

એ શરતો જોઈયે તો ધર્મ વિજ્ઞાન સંગત અને બુધ્ધિ સંગત હોવો જોઈયે. ધર્મ સ્વતંત્રતા, સમતા, સમાનતા અને બંધુત્વના મૂળભુત તત્વોને માન્યતા આપતો હોવો જોઈયે. ધર્મ ગરીબી અને શોષણને સમર્થન કરે કે તેને મહત્વ આપે તેવો ન હોવો જોઈયે.

બાબા સાહેબે વિશ્વના તમામ ધર્મોનો પુરો અભ્યાસ કર્યો હતો અને એકમાત્ર બૌધ્ધનો ધમ્મ જ આ તમામ શરતોનું પાલન કરતો હતો અને તમામ કસૌટીઓમાં પાર ઉતરતો હોવાનું જણાયુ હતું.

બાબા સાહેબેને વિશ્વાસ હતો કે વિશ્વને ધર્મની જરૂર છે, નવા અને આધુનિક એકવીસમી સદીના વિશ્વને તો પ્રાચિન કાળના વિશ્વ કરતા પણ ધર્મની જરૂર વધુ છે.

બાબા સાહેબના મત મુજબ તથાગત બુધ્ધે માત્ર અહિંસાના સિધ્ધાંત નો જ ઉપદેશ નથી આપ્યો. બુધ્ધે સ્વતંત્રતાના તત્વનો પણ પાઠ શીખવ્યો છે. સામાજીક, વૈચારીક, આર્થિક અને રાજનૈતિક સ્વતંત્રતાની સાથે સાથે સમતાનો સિધ્ધાંત પણ આપ્યો છે.

બુધ્ધની શિક્ષા માનવના સામાજીક જીવનની દરેક બાબતોને સ્પર્શે છે.

મનુષ્યને મૃત્યુ પછી સ્વર્ગમાં મુક્તિ મેળવવાનો કોઈ માર્ગ બતાવવા બાબતે બુધ્ધે કદી કોઈ વચન આપ્યુ નથી.
બુધ્ધનું મુખ્ય ચિંતન એ છે કે મનુષ્ય પોતાના વર્તમાન જીવનમાં જ, આ જ ધરતી ઉપર નિર્વાણ પ્રાપ્ત કરી લે.

બુધ્ધે પોતાને માત્ર પથદર્શક તરીકે જ રજુ કર્યા છે. કોઈ મુક્તિદાતા તરીકે નહી.


FB Post :

વર્તમાનમાં રહેલો નજીકનો ફાયદો જોતા પહેલા ભવિષ્યમાં પડેલા દૂરના નુકશાનને જોવુ જોઈયે..

By Jigar Shyamlan ||  Written on 5 April 2018



આજે સોશિયલ મીડિયા ફેસબુક અને વોટ્સએપ્પ પર બાબા સાહેબના વિચારોનો ફેલાવો જોઈને મન પ્રસન્ન બની જાય છે. દિલમાં એક હાશકારો થાય છે કે આંબેડકરવાદ હજી જીવંત છે, અને વધુને વધુ ફેલાઈ રહ્યો છે.

પણ..!!! બીજી જ ક્ષણે મનમાં એક વિચાર ઘેરી વળે છે, અને મુંઝવણ વધારી દે છે.

શું આજના સોશિયલ મીડિયામાં પ્રસરી રહેલ અને મિનીટે મિનીટ ફોરવર્ડ થઈ રહેલ આંબેડકરવાદ એ ખરેખર બાબા સાહેબને વાંચીને, સમજીને વ્યક્તિના અંતર થી પ્રગટ થયેલ આંબેડકરવાદ છે કે કોઈના ઉધાર લીધેલા વિચારોમાંથી પેદા થયેલ ક્ષણીક રેડીમેઈડ આંબેડકરવાદ..????

કારણ બાબા સાહેબને વાંચ્યા વગર, સમજ્યા વગર પોતાના અંતર મનથી પેદા થયેલ આંબેડકરવાદને બદલે કોઈ બીજાના વિચારોને ઉધાર લઈને અપનાવેલ રેડીમેઈડ આંબેડકરવાદ ખતરનાક સિધ્ધ થશે.

મિત્રો... ગણીતનો ભારેખમ દાખલો કે સવાલ સોલ્વ કરવા માટે ગાણિતીય સુત્રો અને રીતને વાંચવી, સમજવી ખુબ જ જરૂરી છે. પણ મોટા ભાગે શું કરવામા આવે છે..???

આ કવાયત કર્યા વગર ગાણિતીય સુત્રો અને રીતને સમજ્યા તેની પર ગણતરી કર્યા વગર છેલ્લે પાને આપેલ જવાબ જોઈને સવાલ કે દાખલો સોલ્વ કરી દેવાની મોટા ભાગનાને ટેવ હોય છે. આવા રેડીમેઈડ જવાબ અને ઉકેલ મળવાને કારણે દાખલા કે સવાલને ઉકેલવાની રીતમાં બહુ રસ લેતા નથી.

એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે જવાબ કે ઉકેલ મહત્વનો નથી. મહત્વ એ વાતનું છે કે તમે કઈ રીત અને ક્યા સુત્રથી જવાબ લાવો છો. કારણ યોગ્ય રીત કે સુત્ર વગરના જવાબની કિંમત શૂન્ય છે.

આ રેડીમેઈડ જવાબ જોઈ લેવાની આપણી વૃત્તિ આપણને સવાલ પર વિચાર કરી વિચારવાની પ્રક્રિયાથી સાવ દુર રાખે છે.

આપણે ખરેખર બાબા સાહેબના મેસેજ ફોરવર્ડ કરતા પહેલા કે જયભીમ બોલતા પહેલા આપણે દિલ પર હાથ મુકીને અંતર મનને પુછવું જોઈયે કે આપણો આંબેડકરવાદ બાબા સાહેબને વાંચી, સમજીને પેદા થયેલ આંબેડકરવાદ છે કે કોક બીજાના વિચારો કે ફોરવર્ડ કરાયેલ મેસેજોમાંથી ઉધાર લીધેલ રેડીમેઈડ આંબેડકરવાદ.

કોક દિવસ અંતર મનને પુછી જો જો. કારણ વર્તમાનમાં રહેલો નજીકનો ફાયદો જોતા પહેલા ભવિષ્યમાં પડેલા દૂરના નુકશાનને જોવુ જોઈયે..
જય ભીમ
- જિગર શ્યામલન

સંવિધાન સભાની ચુંટણીમાં બાબા સાહેબ અને અસ્પૃશ્ય સમાજના લોકોનો સ્વયંભૂ સંધર્ષ

By Jigar Shyamlan ||  Written on 2 April 2018



State and Minorities: What are their Rights and How to secure them in the Constitution of free India? નામનાં ગ્રંથમાં બાબા સાહેબે આંકડાકીય હકીકતો અને યોગ્ય દલિલો પરથી પુના કરારના કારણે અસ્પૃશ્યોને કેટલું પારાવાર નુકશાન કર્યુ તેની વિગતો વર્ણવી હતી.

બાબા સાહેબે પુનાકરાર કરતી વખતે કરેલ ધારણા સો ટકા સાચી બની રહી હતી કે પુના કરારને કારણે અસ્પૃશ્યોના સાચા પ્રતિનિધી ચુંટાઈ નહી શકે. આથી પુના કરાર રદ કરવા તથા સ્વતંત્ર ભારતના ભાવિ સંવિધાનમાં અસ્પૃશ્યોના અધિકારોની જોગવાઈ કરવાની ખાત્રી માટે 1946માં શિડ્યુલ્ડ કાસ્ટ ફેટરેશન દ્વારા સત્યાગ્રહ શરૂ કરાયો હતો.

જે વાયા મહારાષ્ટ્ર સમગ્ર દેશમાં પ્રસરી રહ્યો હતો. તેમાં હજારો અસ્પૃશ્યો ભાગ લેવા માંડ્યા હતા અને ધરપકડ વહોરી રહ્યા હતા.

જો કે એ વખતે પુના કરારના ફળ સ્વરૂપ ચુંટાયેલ અસ્પૃશ્ય પણ કોન્ગ્રેસી ''હરિજનો'' આ સત્યાગ્રહનો વિરોધ કરી રહ્યા હતા. એક તરફ આ સત્યાગ્રહ ચાલતો હતો બીજી તરફ સંવિધાન સભાની ચુંટણીઓ યોજાઈ રહી હતી. બાબા સાહેબે લંડન જઈ બ્રિટિશ નેતાઓની મુલાકાત લઈ અસ્પૃશ્યોની સ્થિતી વિશે માહિતગાર કરવા પ્રયાસ કરી જોયો પરંતું તેમાં સફળતા ન મળી. આ ફોગટના ફેરા પછી એક વાત સ્પષ્ટ હતી કે જો અસ્પૃશ્યો માટે ખરેખર કંઈક કરવું હોય તો સંવિધાન સભામાં જવુ એ જ એકમાત્ર રસ્તો હતો.

આ સમય ભારે કટોકટીનો હતો. કારણ એક તો ક્રિપ્સ મિશનમાં અસ્પૃશ્યોને કોઈ સ્થાન અપાયું ન હતું, અને બીજુ એ વખતના રાજકીય નેતાઓ અને પક્ષો અસ્પૃશ્યોના પ્રશ્ને સૌ મૌન હતા. કોઈને અસ્પૃશ્યોની કંઈ પડી ન હતી તેવો માહોલ સ્પષ્ટ હતો.

આવા સંજોગોમાં સંવિધાન સભા માટે ચુંટણી યોજાવા જઈ રહી હતી એટલે અસ્પૃશ્યોના અવાજને બુલંદ કરવા સંવિધાન સભામાં બાબા સાહેબનો પ્રવેશ થવો અત્યંત અનિવાર્ય બની ગયો હતો.

જો કે એ વાત ખાસ ઉલ્લેખનીય છે કે સંવિધાન સભામાં બાબા સાહેબના પ્રવેશ સામે જબરજસ્ત વિરોધ હતો. બાબા સાહેબ સંવિધાન સભામાં પ્રવેશ ન કરી શકે તે માટે કોન્ગ્રેસે શામ, દામ, દંડ અને ભેદ તમામ ઉપાય અજમાવ્યા હતા.

સરદાર વલ્લભભાઈ પટેલે તો ત્યાં સુધી કહી દીધુ હતુ કે- ''મેં સંવિધાન સભાનાં બારી-બારણાં અને વેન્ટિલેશન પણ બંધ કરી મણમણનાં તાળા લગાવ્યા છે, હવે જોઈયે ડો. આંબેડકર સંવિધાન સભામાં કેવી રીતે આવે છે?''
(સોર્સ: ડો. આંબેડકર જીવન ઔર મિશન (હિન્દી) લેખક- એલ.આર.બાલી, પેજ નંબર-25)

આવા કપરા સંજોગોમાં બંગાળી જોગેન્દ્રનાથ માંડલે બાબા સાહેબને સંવિધાન સભામાં મોકલવાનું બિડુ ઝડપ્યું હતુ અને બંગાળ વિધાનસભા મતદાર મંડળમાંથી બાબા સાહેબનુ ઉમેદવારી પત્ર ભરાવેલું.

એ વખતે કોલકાત્તાના પંજાબી અસ્પૃશ્યો ગમે તે ભોગે બાબા સાહેબને સંવિધાન સભામાં મોકલી આપવા મક્કમ નિર્ધાર કરીને બેઠા હતા. આ બધા અલગ અલગ જુથોમાં વહેંચાઈને અસ્પૃશ્ય ધારાસભ્યોના નિવાસસ્થાનોની ઘેરાબંધી કરીને બેઠા હતા. એ વખતે બાબા બુધ્ધસિંહ તલહનતો હાથમાં ખુલ્લી તલવાર સાથે ટોળાની વચ્ચે ઘુમી રહ્યા હતા.

એક એક ધારાસભ્યને ખુલ્લી ચિમકી આપવામાં આવી હતી કે બાબા સાહેબને મત નહી આપો તો તમારી ખેર નથી.
(સોર્સ: આંબેડકરી આંદોલનમાં પંજાબીઓનો ફાળો (હિન્દી) લેખક- કે.સી.લીલ, પેજ નંબર-25)

આખરે ગાંધીજી અને કોન્ગ્રેસના અપાર વિરોધ વચ્ચે બાબા સાહેબ સૌથી વધુ મતો મેળવી સંવિધાન સભામાં પહોંચ્યા હતા.

સંવિધાન સભાની આ ચુંટણી Do or Die સમાન હતી જેમાં બાબા સાહેબ વિજયી નિવડ્યા હતા.

એ વખતે આમ અસ્પૃશ્ય સમાજના લોકોએ બાબા સાહેબને સંવિધાન સભામાં પ્રવેશ મળે એ માટે સ્વયંભુ કહી શકાય તેવો સંધર્ષ કરેલો.

આ પ્રસંગ એટલા માટે જણાવવો જરૂરી છે કે અસ્પૃશ્યો ખરેખર એ વાત સારી રીતે સમજતા હતા કે બાબા સાહેબ સિવાય તેમનું કોઈ નથી.
- જિગર શ્યામલન




Facebook Post

July 18, 2018

જો બાબા સાહેબે લેખન કાર્ય ન કર્યુ હોત તો...

By Jigar Shyamlan ||  Written on 1 April 2018


મને એક વિચાર રોજ આવે છે કે સારૂ હતુ બાબા સાહેબે ખુદ લખવાનુ શરૂ કર્યુ હતુ. કારણ જો બાબા સાહેબે લેખન કાર્ય ન કર્યુ હોત તો આજે બહુજન સમાજની સામાજીક અને રાજકીય જાગૃતિ ક્યાં હોત..?

બાબા સાહેબ પોતાના પુસ્તકોનો એક અમૂલ્ય વારસો મૂકી ગયા છે જે એક વિશ્વવિધ્યાલયથી કમ નથી. જેના કારણે આજે વિચારધારાનો ઉદભવ થઈ શક્યો છે.

બાબા સાહેબે ઘણી બધી વાતો કહી છે. દરેક સમસ્યાઓની વિગતવાર ચર્ચા તથા તેનો ઉકેલ પણ બતાવ્યો છે.

આપણા યુવાનોને આક્રમક બાબા સાહેબ બહુ ગમે છે. હિન્દુ ધર્મના છોતરા કાઢનારા, રામ, કૃષ્ણ પર સવાલ ઉઠાવનારા, ગાંધીજી અને કોન્ગ્રેસની પોલ ખોલનારા પણ બૌધ્ધ ધમ્મ અંગિકાર કરનાર બોધિસત્વ બાબા સાહેબ આપણા યુવાનોને જચતા નથી.

કારણ મુખ્ય વસ્તુ એ છે કે આપણે બાબા સાહેબને વાંચતા નથી. અને વાંચીએ તોય એન્હીલેશન ઓફ કાસ્ટ, રીડલ્સ ઓફ હીન્દુઈઝમ અને હુ વેર ધ શુદ્રાઝ.. બસ આનાથી આગળ વાંચતા જ નથી. બુધ્ધા એન્ડ હીઝ ધમ્મા પણ દરેકે વાંચવી જ જોઈયે.

હિન્દુ ધર્મમાં અસ્પૃશ્ય સમાજને ભોગવવો પડતો જાતિગત ભેદભાવ દુર કરવા બાબા સાહેબે અનેક પ્રયાસ કર્યા. અને તે માટે અનેક ઉપાયો પણ સૂચવેલા છે.

આ જાતિગત ભેદભાવ માટે શરૂમાં બાબા સાહેબે એક વાત કહેલી જે પાછળથી એક સુત્ર જ બની ગયુ હતું.

એ વાત હતી..
શિક્ષિત બનો, 
સંગઠીત થાઓ અને 
સંધર્ષ કરો.. 
બસ આપણને બાબા સાહેબ આંબેડકરની આ એક જ વાત યાદ છે. આ વાત મોટાભાગના એસ.સી. સમાજના સંગઠનો , બાબા સાહેબના નામ કે વિચારો સાથે સંકળાયેલ સંગઠનો અને સંસ્થાઓના લેટરપેડ ઉપર અચૂક જોવા મળે છે.

આ વાતનો બહુ ઝાઝો પ્રચાર પ્રસાર થયો છે એટલે બાબા સાહેબનુ નામ આવે ત્યારે પહેલા આ ત્રણ વાતો યાદ આવી જાય છે.

પણ જ્યારે આ સુત્ર આપવામા આવેલ ત્યારે આપણા લોકોને શિક્ષણ મેળવવાનો અધિકાર તાજો જ મળ્યો હતો. એટલે એ સમય દરમિયાન આ વાત યોગ્ય હતી.
શિક્ષણ થકી જીવનધોરણમાં બદલાવ આવવા છતા પણ હિન્દુ સમાજમાં હજી પણ અસ્પૃશ્યોની હાલતમાં કોઈ ખાસ ફરક પડ્યો ન હતો.

બાબા સાહેબે સંવિધાન થકી અધિકાર અપાવી અસ્પૃશ્યોને સમાજની મુખ્ય ધારામાં સામેલ કરવા તમામ પ્રયાસો કરી જોયા પરંતુ હિન્દુ સમાજે અસ્પૃશ્યોને સ્વમાન, સન્માન અને આદર આપવાની જરીક પણ વૃત્તિ બતાવી ન હતી. ઉલટાના ભેદભાવ વધુ જડ બની રહ્યા હતા.

તમામ પ્રયાસો કરવા છતા કોઈ ખાસ પરિણામ ન દેખાતા આખરે બાબા સાહેબે હિન્દુ સમાજને પડતો મૂકી ખુદને બદલવાની વાત કરી હતી. બાબા સાહેબે બૌધ્ધ ધમ્મ તરફ પ્રયાણ કર્યુ અને પોતે બૌધ્ધ બની ગયા.

એ વખતે બાબા સાહેબે આ સમસ્યાના નિવારણ માટે એક બીજી વાત કહી હતી જે યોગ્ય હતી. પરંતુ બાબા સાહેબની આ બીજી વાત એટલી પ્રચલિત ન બની જેટલી પહેલી વાત બનેલી. એ બાબતે બહુ ઓછા લોકો જાગૃત છે.

એ બીજી વાત હતી..
નામાંતર કરો...
ધર્માતર કરો...
સ્થળાંતર કરો...

પણ એક મહત્વપૂર્ણ વાત એ છે કે હજી સુધી આપણે શિક્ષિત બનો, સંગઠીત થાઓ અને સંધર્ષ કરો.. પછીની બાબા સાહેબે કહેલી સ્ટ્રેટેજીને બહુ ગંભીરતાથી લીધી જ નથી.
- જિગર શ્યામલન



Facebook Post :