Showing posts with label BSP. Show all posts
Showing posts with label BSP. Show all posts

May 21, 2019

કાંશીરામ ઔર બીએસપી: દલિત આંદોલન કા વૈચારિક આધાર બ્રાહ્મણવાદ વિરોધ’ - Part 2

By Raju Solanki  || Written on 16 May 2019







આ વાત કાંશીરામ ના સમયની છે, તમે વાંચો ત્યારે નજર સમક્ષ 1990નો સમય રાખજો. અહીં જે વર્ણન કર્યું છે એવી સક્રિયતા હાલ તમને જોવા ના પણ મળે. કેમ કે ત્યારે કાંશીરામ નો ચાબૂક વીંઝાતો હતો.


બહુજન વિચારધારાના પ્રચાર માટે કાંશીરામે પક્ષમાં વિવિધ મોરચા (હિન્દીમાં દસ્તા , અંગ્રેજીમાં ફ્રન્ટ) ઉભા કર્યા. જેમ કે,


  • સાઇકલ દસ્તા: બસપાનો આ સૌથી સશક્ત ફ્રન્ટ છે. પક્ષના કાર્યકરો સમૂહમાં સૂત્રો પોકારતા નીકળે છે. એમાં ‘બમન, બનીયા, ઠાકુર છોડ, બાકી સબ ડીએસફોર’નો નારો બહુ જ લોકપ્રિય છે. જોકે, કાંશીરામ  આ નારા પર ભાર મૂકતા નથી અને તેઓ કાર્યકરોને આ નારો બોલવાની ના પાડે છે.

    સાઇકલ દસ્તો સભાઓ કરવા કરતાં લોકોને વ્યક્તિગતરૂપે મળવા ઉપર વધારે ભાર મૂકે છે. બહુ મોટી સભાઓ કરતા નાની નાની સભાઓ કરે છે. એક દિવસમાં 50-60 કિમી.ની યાત્રા તેઓ સાયકલ પર કરે છે. રોજ દસ્તાના કાર્યક્રમો નક્કી થાય છે. રસ્તામાં તેમના જમવાની અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ દસ્તામાં માત્ર પુરુષો જ હોય છે, સ્ત્રીઓ હોતી નથી. એમાં 10થી 15 વર્ષના તરુણો પણ ભાગ લેતા હોય છે. આ તરુણો નાની સભાઓમાં બહુજન વિચારધારા, કાંશીરામ ના મિશન પર ભાષણો આપે છે. સાઇકલ દસ્તો બસપાના તમામ દસ્તાઓમાં સૌથી મોટો છે.

  • ભિખારી દસ્તા: આ દસ્તો પક્ષના ચૂંટણી પ્રચાર માટે ભંડોળ એકઠું કરે છે. એનો નારો છે, ‘એક વોટ, એક નોટ’. આ મોરચો બહુજન સમાજની વસતીમાં પદયાત્રા કરે છે. વચ્ચે વચ્ચે રોકાઈને સભાઓ કરે છે. ચૂંટણીમાં કાળા ધનના ઉપયોગ સામે આ દસ્તો લોકોને જાગૃત કરે છે અને લોકોને વિશ્વાસ આપે છે કે બસપા પોતાના નાના નાના સંસાધનોથી ચૂંટણી લડશે.

  • જાગૃતિ દસ્તા: ગીતો, નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનું કામ આ મોરચો કરે છે. બહુજન સમાજના મહાન નાયકો ફૂલે, શાહુ મહારાજ, પેરિયાર, બાબાસાહેબ, કાંશીરામ ના મિશન વિષે ગીતો દ્વારા જાણકારી આપે છે. મોરચો દલિતો પર થતા અત્યાચારો ઉપર પિક્ચર, વીડીયો કેસેટ બતાવે છે. પ્રકાશ ઝાની ‘દામુલ’ ફિલ્મ પણ ગામે ગામ બતાવવામાં આવે છે.

  • ભાષણ દસ્તા: પક્ષના બુદ્ધિજીવી લોકો આ મોરચામાં કામ કરે છે. તેઓ સ્નાતક થયેલા હોય છે. આ મોરચો વર્તમાન બામણવાદી વ્યવસ્થા, સવર્ણ ઉત્પીડન પર પ્રકાશ પાડે છે.

  • પેન્ટિંગ દસ્તા: આ મોરચો શહેરોથી માંડીને ગામડાઓમાં પક્ષના ચૂંટણી ચિહ્ન, નારા દિવાલ પર લખે છે.

  • ગુપ્તચર દસ્તા: બીજા પક્ષોની ગતિવિધિઓ, રણનીતિઓની જાણકારી રાખે છે અને પક્ષને તેની માહિતી પૂરી પાડે છે.

  • સુરક્ષા દસ્તા: પક્ષની કચેરીઓ તથા સભાઓમાં સુરક્ષાની કામગીરી પૂરી પાડે છે.

  • જીપ દસ્તા: તે સમગ્ર ક્ષેત્રનો પ્રવાસ કરીને અભ્યાસ કરે છે. ઉમેદવારોની સ્થિતિ, ક્ષમતાની માહિતી પૂરી પાડે છે. ચૂંટણીની સ્થિતિનું મૂલ્યાંકન કરે છે. તેમાં પક્ષના મુખ્ય કાર્યકરો હોય છે.

  • રણનીતિ દસ્તા: ચૂંટણી વખતે પક્ષની રણનીતિ તૈયાર કરે છે અને કાર્યકરોને માર્ગદર્શન આપે છે. બીજા દસ્તાના લોકો આ દસ્તાને તેમની માહિતી પૂરી પાડે છે. એટલે આ દસ્તો મુખ્ય દસ્તો છે. તેમાં પક્ષના હોદ્દેદારો હોય છે.

  • ચૂંટણી દસ્તો: તેમાં બામસેફના સભ્યો હોય છે, તેઓ ચૂંટણી કાર્યાલયોની વ્યવસ્થા સંભાળે છે.


આર. કે. સિંહના પુસ્તકમાં આવા વિવિધ મોરચાઓની વિગતે જાણકારી તમને મળશે. એ વાંચીને તમને આશ્ચર્ય થશે કે આવું કશું આપણે હાલ બસપામાં જોતા નથી. માન્યવરના નિધન પછી પક્ષે બહુધા માયાવતીના કરિશ્મા પર બધું છોડી દીધું છે. હવે પક્ષમાં નવું લોહી ફરતું થવું જોઇએ.

- રાજુ સોલંકી

May 20, 2019

‘કાંશીરામ ઔર બીએસપી: દલિત આંદોલન કા વૈચારિક આધાર બ્રાહ્મણવાદ વિરોધ’ - Part 1

By Raju Solanki  || Written on 16 May 2019




‘કાંશીરામ ઔર બીએસપી: દલિત આંદોલન કા વૈચારિક આધાર બ્રાહ્મણવાદ વિરોધ’ પુસ્તક માન્યવરના બહુજન આંદોલનની જાણકારી આપતું સર્વપ્રથમ પ્રમાણભૂત પુસ્તક છે. એના લેખક આર. કે. સિંહ અલ્હાબાદના ગોવિંદ વલ્લભ પંત સામાજિક વિજ્ઞાન સંસ્થાનમાં સંશોધનનું કાર્ય કરતા હતા. માન્યવર અલ્હાબાદની સંસદીય પેટાચૂંટણીમાં ઉભા રહ્યા તે સમયે આર. કે. સિંહે બસપા પર થીસિસ લખવાનો નિર્ણય કર્યો હતો. તેની ફળશ્રુતિ એટલે આ પુસ્તક.

આ પુસ્તક લેખકની પાંચ વર્ષની કઠોર તપસ્યાના અંતે લખાયું અને લેખક કહે છે તેમ એમને આ પુસ્તક લખવામાં પારાવાર અડચણો પડેલી. સૌથી પહેલી અડચણ તો બહુ જ વિશિષ્ટ હતી. લેખકના પોતાના શબ્દોમાં, “આમ પણ મારા જેવા સામાન્ય વિદ્યાર્થી માટે પુસ્તક લેખન પોતે એક મુશ્કેલ કાર્ય હતું. અને અહીં મુશ્કેલીનું મુખ્ય કારણ એ હતું કે બસપાનું સમગ્ર કાર્ય ગોપનીય ઢંગથી ચાલતું હતું. ગુપ્તતા બસપાનું મુખ્ય લક્ષણ હતું. લાખ પ્રયાસ કરવા છતાં એની ગુપ્તતા ભેદવી એ લગભગ અશક્ય કામ હતુ. હું સવર્ણ હોવાથી વળી આ કામ વધારે મુશ્કેલ થઈ ગયું હતું. એના નેતા અને કાર્યકર્તા મને શંકાની નજરે જોતા હતા. કેટલાક મને સરકારી ઇન્ફોર્મર, સીઆઈડી, સીબીઆઈનો એજન્ટ કહેતા હતા. તો કોક સવર્ણોનો એજન્ટ કહેતા હતા. ક્યારેક ક્યારેક તો અશ્લીલ શબ્દોનો પણ સામનો કરવો પડતો હતો. મારી ઉપર ચાંપતી નજર રાખવામાં આવતી હતી.”

લેખક આગળ જણાવે છે કે, તેઓ પછી બેત્રણ વાર કાંશીરામને મળ્યા, તેમનો ઇન્ટરવ્યૂ લીધો. એમને તથા કેન્દ્રીય કચેરીને વિશ્વાસમાં લીધી કે પોતે એક સંશોધક છે. લેખક પોતે માર્ક્સવાદી હતા અને તેને કારણે પણ તેમના પર બસપાના કાર્યકરો વિશ્વાસ મુકતા નહોતા. 1987થી માંડીને 1993માં પુસ્તક પ્રગટ થયું ત્યાં સુધી લેખકે અપાર પરિશ્રમ કરીને બસપા અને કાંશીરામ  વિચારધારા વિષે સંશોધન કર્યું.

આ પુસ્તક બસપાના સ્થાપકની વિચારધારા સમજવા માટે અત્યંત મૂલ્યવાન છે. તમે જુઓ કે માન્યવરે એક સંસદીય પક્ષને સામ્યવાદીઓના અન્ડરગ્રાઉન્ડ સંગઠન જેવી લોખંડી શિસ્તથી ચલાવ્યો અને એક પોલાદી સંગઠન ઉભું કર્યું, જે આજે પણ ભયાનક ઝંઝાવાતો વચ્ચે ઉત્તર પ્રદેશમાં મનુવાદીઓને પડકારી રહ્યું છે અને એ પણ અખબારી નિવેદનોથી કે પત્રકાર પરિષદો ભરીને પોકળ અલ્ટિમેટમો આપીને નહીં, બલ્કે જમીન પર ચુનૌતી આપી રહ્યું છે.

માન્યવર દલિતો પર અત્યાચારો થાય એટલે મીડીયામાં ફોટા છપાવવા કે ટીવીની ચેનલો પર બાઇટ્સ આપવા થનગનતા નહોતા. તેઓ પોતાની વ્યક્તિગત મહત્તા ઉભી કરવા, નામ મોટું કરવા જીવતા નહોતા, તેઓ બહુજનોને સત્તા પર બેસાડવા માટે ટીવી-મીડીયાની ઝાકઝમાળથી દૂર રહીને ગ્રાઉન્ડ લેવલે કાર્યરત હતા.

આ કિતાબ મને બહુ જ મહત્વની લાગી છે અને હજુ આવી દસ પોસ્ટ આ પુસ્તક પર હું કરવા માગુ છું, જેથી આજની યુવા પેઢીને બસપાના જનકની કાર્યશૈલીનો અંદાજ આવશે.

July 18, 2017

बहन मायावती का इस्तीफा : देश मे अघोषीत आपातकाल

By News Desk


राज्यसभा में बहन मायावती ने मंगलवार (18 July,2017) को सहारनपुर हिंसा का मुद्दा उठाया. उन्होंने सहारनपुर की पुरी घटना को केंद्र की साजिश बताया. और दलितो के साथ हो रहे भेदभाव के मुद्दे को संसद मे उठाना चाहा. पर दलित और पीछडा विरोधी बहरी सरकार को इस से कोइ फर्क नही पडता था. सहारनपुर जैसी संवेदनशील घटना पर भी सरकार का ये रुख बेहद नीराशाजनक है.

अभी वह अपनी बात रख ही रही थीं कि उपसभापति पी जे कुरियन ने घंटी बजाकर उन्हें बात जल्दी खत्म करने का इशारा दिया. इस पर मायावती नाराज हो गईं. उन्होंने कहा कि उन्हें बोलने से क्यों रोका जा रहा है??? और बाद मे उपसभापति और बहन मायावती की बहस हो गई. बाद मे मायावती जी ने कहा कि अगर उन्हें बोलने से रोका जाएगा तो वह राज्यसभा से इस्तीफा दे देंगी.

इसके बाद राज्यसभा विपक्ष के द्वारा सरकार पर दलित-विरोधी होने के नारे लगने शुरू हो गए. कांग्रेस नेता गुलाम नबी आजाद ने कहा, 'अगर सरकार को बहुमत दलितों, किसानों और अल्पसंख्यकों की लिंचिंग के लिए मिला है तो हम इस सरकार के साथ नहीं. दलित, किसान और अल्पसंख्यकों की लिंचिंग हो रही है.' 

हंगामे के बीच बहन मायावती गुस्से में सदन से उठकर बाहर चल दीं. विपक्ष के नेताओं ने भी उनका समर्थन करते हुए सदन से वॉकआउट कर दिया.

सदन के बाहर मीडिया से बीतचीत में मायावती ने कहा कि वह राज्यसभा में समाज के कमजोर वर्ग के बारे में बात करना चाहती थीं, लेकिन उन्हें ऐसा करने से रोका जा रहा है. बाद मे उन्होंने कहा, 'लानत है...अगर मैं अपने समाज की बात सदन में नहीं रख सकती तो मुझे सदन में रहने का अधिकार नहीं है. यही वजह है कि मैंने राज्यसभा से इस्तीफा देना का फैसला किया है. मेरी बात नहीं सुनी जा रही है...मुझे बोलने नहीं दिया जा रहा है.'

मायावती ने कहा कि दलितों और छोटे तबकों के लोगों पर लगातार अत्याचार हो रहा है. सहारनपुर में दलितों का बड़े पैमाने पर उत्पीड़न हुआ. गुजरात के ऊना में दलितों पर अत्याचार हुआ.  मुझे शब्बीरपुर में हेलीकॉप्टर से जाने की इजाजत नहीं दी गई. सड़क के रास्ते जाना पड़ा. जब मैं गांव पहुंची तो डीएम और एसपी गायब थे. मैंने वहां कोई ऐसी बात नहीं कही जिससे समुदायों के बीच लड़ाई हो जाए. यूपी में अभी भी महाजंगलराज और महागुंडाराज है. हमें पीड़ितों की मदद के लिए भी प्रशासन से अनुमति लेनी पड़ी.

उना मामले मे जीस तरह बहन मायावती के द्वारा मुद्दा उठाये जाने पर सरकार को राष्ट्रीय और आंतरराष्ट्रीय स्तर पर जीस तरह नालेशी का सामना करना पडा वह देख कर बौखलाये हुए सत्ता पक्ष ने उन की आवाज को दबाने का ये ही रास्ता चुना. 

भारतीय लोकतंत्र का काला अध्याय है ये.

पढीये बहन मायावती का दीया हुआ इस्तीफा ः-






Watch how the Democracy is Dying :-