January 09, 2018

રોજબરોજ ની ધટનાઓ ના અંશો.....

By Dr Yashpal Divyaben Kanjibhai || 6 January 2018 at 09:58



Think About change let's make New India.

લધુ ધટનાઓ:
૧.
એક વિકસીત શહેર ની નજીક નુ ગામ,ગામ ના સંરપંચ દલિત સમાજ ના એક દિવસ ત્યા મેડિકલ કેમ્પ કેમ્પ ના અંતે ચા માટે અતિઆગહ પણ ચા આવતા અંદાજીત અડધા કલાક પછી ડૉકટરે પુછયુ કેમ વાર લાગી તો જવાબ હતો
"સાહેબ ગામ ના સંરપંચ હરિજન છે તો તેમના ધરે થી ચા ના લાવી શકાય"

૨.
બે ભણેલી નોકરિયાત સહેલીએ જમણવાર ગોઠવવાનૂ વિચાયુૅ પણ એક સહેલી સાંજે સાહજીક ના પાડી દીધી
કારણ??
સવણૅ મકાન માલિક ને નાપસંદ વાત હતી કે એના ભાડુઆત કોઈ પછાત ના ધરે જમવા જાય.



મીડીયા નુ ભીમાકોરેગાંવ નુ સત્ય છુપાવી અસત્ય બતાવી વિકૃતિકરણ નો ખેલ.


૪.
એક મહાનગર મિક્સ એરિયા મા ફલેટ ની છાપા મા જાહેરાત જોઈ કોલ લગાવ્યો પછાત પણ સધર ભાવતાલ પુછયા હા પણ પાડી પણ......તમારી જાતિ
સાહેબ!મને તો વાંધો નથી પણ બીજા લોકો વાંધો ઉઠાવે
સારુ...
સોરી...
અને પેલા સજ્જન નુ મુખ્યધારા સાથે રહેવાનુ સપનુ પણ....થી અટકી ગયુ.


૫.
જાણીતુ શહેર મુખ્યમાગૅ પર મંદિર "સ્ત્રીઓ એ મંદિર મા પવેશ ના કરવો"


૬.
-"પપ્પા મને એક છોકરી ગમે છે સાથે જ ભણતા"
-"કંઈ જ્ઞાતી ના?"
-"હરીજન"
-ચહેરા ની ખેંચાયેલ રેખા સાથે
"તને મળી મળીને એમાથી જ મળી સમાજ શુ વાતો કરશે બીજુ કોઈ હોત તો હજુ પણ સમજત"
(આ કિસ્સા ખુબ સામાન્ય છે)
રોજબરોજ ની ધટનાઓ ના અંશો.....


ધટનાઓ વિતેલા વષૅ ની આસપાસ ની 21 મી સદી ની કહેવાતા મહાનગરો અમને સમાનતા મા માનીએ એવા ઢોંગીઓ ની
પછાત જ જાતિવાદી માનસીકતા ધરાવે છે એવા સ્વદેહિ ની
અને હવે એવુ કંઈ નથી ની....?
તમે એટોસીટી ના કડક કાયદા થી કદાચ શારિરીક અશ્પૂયતા તો દુર કરી બેઠા પણ હજુ અંતરિયાળ ગામો મા ચિત્ર નથી બદલાયુ
તમે તમારા મન મા ઘુસેલી માનશીક અશ્પૂસતા નુ શુ કરશો....!
રોજ દેશ ના કોઈક ને કોઈક ખૂણે માનશીકતા છતી થાય છે
ધમૅ ના ઠેકેદારો ઝેર ઓકતા જ રહે છે વિચારો........તમારી ઝડતા તમને જ ના ખાઈ જાય
યશપાલ ની કલમે..!
Sixer-For Friendship and Professional Relation CAST doesn't Matter But out of It Cast everywhere matter....