March 30, 2020

ઑફિશ્યલ આંકડા જેના માટે લોકડાઉન ની કોઈ વ્યવસ્થા નથી

By Vijay Makwana  || 28 March 2020


તમને ડર નથી લાગતો તેવા આંકડા.. આ આંકડા ઑફિશ્યલ છે.

દુનિયામાં માત્ર ભૂખ ના કારણે રોજ 9000 લોકો મૃત્યુ પામે છે.

દુનિયામાં અશુદ્ધ પાણી પીવાથી થતાં રોગોના કારણે ચાલુ વર્ષમાં 2,00,000 લોકો મૃત્યુ પામ્યા.

દુનિયામાં સિઝનલ ફ્લૂ ના કારણે ચાલુ વર્ષમાં 110000 લોકોના મૃત્યુ થયા.

દુનિયામાં ચાલુ વર્ષ દરમિયાન પ્રસૂતિ માં 73000 મતાઓનું મૃત્યુ થયું.

દુનિયામાં ચાલુ વર્ષ માં જ 18,00000 કુપોષિત બાળકો પોતાના જીવનના 5 વર્ષ પૂરા ન કરી શક્યા..

દુનિયામાં ચાલુ વર્ષમાં 4,00000 લોકો માત્ર એઇડ્સ થી મૃત્યુ પામ્યા.

દુનિયામાં ચાલુ વર્ષમાં 240000 લોકો મેલેરિયા થી જીવ ગુમાવ્યો.

દુનિયામાં ચાલુ વર્ષે કેન્સર ના રોગે 1900000 લોકોનો ભોગ લીધો..

દુનિયા એ ચાલુ વર્ષમાં ધૂમ્રપાન ના કારણે 1100000 લોકો મરણ ગયા.

અને દારૂના કારણે 500000 લોકો મરણ શરણ થયા.

અને ચાલુ વર્ષે માતાના ગર્ભમાં જ મૃત્યુ પામનારા બાળકોની સંખ્યા 10 કરોડ છે.

અને મિત્રો આપણે જુદા જુદા કારણો અને વાતાવરણ પેદા કરી લોકોને એટલા મજબૂર અને પરેશાન કરીએ છીએ કે દુનિયામાં ચાલુ વર્ષે 2,56000 લોકોએ આત્મહત્યા કરી લીધી છે..

ખરેખર તો વર્તમાન મહામારી કોરોના કરતા આ મૃત્યુ આંક ઘણામોટા છે પણ તે માટે લોકડાઉન ની કોઈ વ્યવસ્થા નથી..

- વિજય મકવાણા

જાતિવાદીઓની સોય વારંવાર દલિત સંગઠનો પર જ કેમ અટકી જાય છે?

By Vijay Makwana  || 29 March 2020


સવર્ણ જાતિવાદી લોકો એ સર્વે કરી તપાસી ચકાસી રહ્યાં છે કે, દલિતો ના સંગઠન બસપા, બામસેફ, ભીમ આર્મી, સ્વયમ સૈનિક દળ વિગેરે આ કોરોના આપદા માં લોકો ને મદદ કરે છે કે નહિ?

મારો વળતો સવાલ દલિતોને છે.. અલ્યા તમે આ જાતિવાદી સવર્ણ દાતાઓ પર જીવન ટકાવી રહ્યાં છો? આ સર્વે કરવાવાળા જાતિવાદી માંથી કોઈ પાંચ શેર બાજરી તમારા ઘેર નાખી ગયું છે?

ભાઈ જાતિવાદી સવર્ણ! અમારી સંસ્થાઓ અમારા માટે જ કામ કરશે.. બામસેફ એ નોકરિયાત લોકોનું સંગઠન છે. તું સર્વે કર એ પહેલાં પોતાનો એક પગાર એ લોકો દાન કરી ચૂક્યા છે. હવે બીજો પગાર પણ આપશે..બસપા ની દરેક જિલ્લા ની વ્યવસ્થાપન કમિટી 21 માર્ચથી ગરીબ દલિતોના સંપર્કમાં જ છે. ભીમ આર્મી ના યુવાનો છેલ્લા એક સપ્તાહથી રાશન ફૂડ પેકેટ વહેંચી જ રહ્યાં છે. અમે માત્ર આવી આપદા સમયે જ તમારી જેમ બિલાડીના ટોપ જેમ ફૂટી નથી નીકળતા આ કામ ટેમ્પરરી નથી કરતા.. આખા વર્ષમાં માત્ર મારા જિલ્લામાં જ અમારું ઉપરની તમામ સંસ્થાઓનું નોકરિયાતો ઉદ્યોગ સાહસિકો નું 1600 લોકોનું એક સંગઠન છે જે મહિને પ્રત્યેક વ્યક્તિ 600 રૂપિયા લોક ફાળો આપી.. શિક્ષા અને રોજગાર અને કુદરતી આપદા સંગઠન ચલાવીએ છીએ. તારે ભલા માણસ સર્વે જ કરવો હોય તો એ સર્વે કર કે તું જે સવર્ણ ટ્રસ્ટ કે સંસ્થા માં કામ કરે છે.. તે વર્ષે કેટલા કરોડ બ્લેક મની વ્હાઇટ કરવા કર રાહત નો ગેરલાભ ઉઠાવે છે? કેટલા સવર્ણ અમીરો ની આ રીતે ધોળી કે કાળી આર્થિક સેવા કરે છે? ફાલતુ માં દલિતો પાછળ આટલો સમય શા માટે બરબાદ કરે છે..? 21 દિવસ મળ્યા છે મોજ થી તકિયા પર આરામ કર દલિતો પોતાનું કરી લેશે.. એમની ચિંતા ન કર..એ અમે કરી લઈશું!

- વિજય મકવાણા

March 28, 2020

વિદેશથી આવતા લોકો પહેલા ખોળાના છે???

By Raju Solanki  || 26 March 2020


દિલ્હીમાં દુબઈથી આવેલી મહિલા મહોલ્લાના ક્લિનિકના ડોક્ટર પાસે સારવાર માટે ગયેલી. એણે ડોક્ટરને, તેમના પત્નીને અને બાળકને ચેપ લગાડ્યો, એટલું જ નહીં બીજા સેંકડો લોકોને પણ ચેપ લગાડ્યો. હવે છસો વ્યક્તિઓને ક્વોરન્ટાઇમાં રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે.

આ ભયાનક ઘટના છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સરકારે દેશમાં વિદેશથી આવતા લોકોને બેફામપણે દેશમાં ઘૂસવા દીધા છે. આવા લોકોને એરપોર્ટ પર જ અટકાવીને ક્વોરન્ટાઇનમાં રાખવાની જરૂર હતી, પરંતુ સરકારે એ તરફ ધ્યાન જ આપ્યું નથી અને હવે એની સજા દેશના ગરીબોને ભૂખે મારીને આપી રહી છે.

હજુ સમય છે. સરકારે પાસે છેલ્લા બે મહિનામાં કોણ કોણ વિદેશથી આવ્યં એની યાદી છે. આ લોકોને શોધી શોધીને ક્વોરન્ટાઇનમાં મુકી દેવા જોઇએ. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ જણાવ્યું છે કે એગ્રેસિવ્લી આવા લોકોને શોધી શોધીને એમનો ટેસ્ટ કરીને સંક્રમિત લોકોને અલગ પાડી દેવા જોઇએ.

સરકારે કેમ આવું ના કર્યું એનું એક કારણ એ પણ છે કે વિદેશથી આવતા લોકો પહેલા ખોળાના છે. એમાં કોઈ આદિવાસી, દલિત કે બહુજન સમાજના નથી. સરકારે વિદેશથી આવતા લોકોની પાછળ કૂતરાની જેમ પડીને તેમને શોધી કાઢવાના હતા, એના બદલે સરકાર હવે બહુજન, ગરીબ લોકોની પાછળ કૂતરાની જેમ પડીને તેમને દંડા મારીને લોકઆઉટનો અમલ કરાવી રહી છે.

અર્ણબ, રાહુલ, રાજદીપ જેવા મીડીયાના પ્રવક્તાઓ આ મુદ્દા પર ભસવા તૈયાર નથી.



શિક્ષકોને સોંપી દીધું કોરોના સંક્રમિત લોકો શોધવાનું કામ

By Raju Solanki  || 26 March 2020

Coronavirus In India: 100 Students And Teachers Gone To Leave ...
સરકારે ગામડાઓમાં પ્રાથમિક શાળાના શિક્ષકોને સોંપી દીધું કોરોના સંક્રમિત લોકો શોધવાનું કામ.

જ્યારે આવા સંક્રમિત લોકોને એરપોર્ટ પર અટકાવવાના હતા ત્યારે ગુજરાત વિધાનસભામાં શું ચાલી રહ્યું હતું એ હવે યાદ કરો.

એ વખતે ભાજપના વાડામાં કોંગ્રેસના ઘેટાઓ એટલે કે ધારાસભ્યોને લાવવાનું ઓપરેશન રાજસભા ચાલી રહ્યું હતું. કોંગ્રેસના ઘેટા ભારતમાતાની સેવા કરવા ભાજપમાં નહોતા જઈ રહ્યા. તેઓ પોતાની કિંમત જણાવી રહ્યા હતા. અને તેમની કિંમત પ્રમાણે નોટોની કોથળીઓ કમલમમાંથી ટ્રકો ભરીને કોંગ્રેસના ધારાસભ્યોના ઘરોએ પહોંચી રહી હતી. મોટા પાયે કાળા નાણાની હેરફેર ચાલી રહી હતી.

જે સમયે રાજ્ય પર કોરોનાની ભૂતાવળ ત્રાટકવાની તૈયારીમાં હતી ત્યારે ગાંધીનગરમાં સત્તાનો આ વરવો ખેલ ચાલી રહ્યો હતો.

અને કોંગ્રેસ પક્ષ એના ઘેટાઓને બચાવવા માટે સાગમટે સૌને જયપુર લઈ જઈ રહ્યો હતો. જયપુરમાં કોંગ્રેસીઓ જલસા કરી રહ્યા હતા.

આવા સમયે વિધાનસભાનું સત્ર મળ્યું. પરંતુ ત્યારે એક પણ ધારાસભ્ય કોરોનાનો ક ઉચ્ચારવા તૈયાર નહોતો. ત્યારે કોઈ ધારાસભ્ય પોતાની ગ્રાન્ટ આપવા માટે જાહેરાતો કરતો નહોતો.

અને એ સમયે અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ પરથી કોરોનાના સંક્રમિત દર્દીઓ વિના રોકટોક ટેક્ષીમાં બેસીને એમના ઘરે જઈ રહ્યા હતા. બીજા સેંકડો લોકોને કોરોનાનો ચેપ લગાડી રહ્યા હતા.

એક તરફ, સત્તાખોરો ખુરસીની આસપાસ ગરબા ગાતા હતા, ત્યારે કોરોનાનો જીવલેણ વાયરસ ગુજરાતમાં ઘૂસી રહ્યો હતો.

હવે સરકાર સફાળી જાગી છે. જાગીને લોકોને લોકડાઉન કરી દીધા છે. ગરીબોની રોજગારી છીનવાઈ ગઈ છે. એરપોર્ટ પરથી ઉતરતા કોરોના સંક્રમિત લોકોને દંડા મારવાના બદલે પોલિસ નિર્દોષ, નિરપરાધ લોકોને દંડી રહી છે. અને છ છ મહિનાનું કરીયાણું, સામાન બંગલાઓ અને ફ્લેટોમાં ભરીને બેઠેલા ધનવાન લોકો પોલિસના દંડાનો માર ખાતા અસભ્ય લોકોની મજાક કરી રહ્યા છે.

ગઈ કાલે અમદાવાદથી પલાયન કરી રહેલા હજારો લોકોના ફોટા કર્મશીલોએ સોશીયલ મીડીયા પર મૂક્યા. આદિવાસી પરીવારો ચાલતા નીકળી પડેલા ત્રણસો-ચારસો કિમી દૂર આવેલા રાજસ્થાનના એમના ગામડાઓ તરફ. એ એક નજારો હતો. ગુજરાતમાં સરકાર નામનીકોઈ ચીજ નથી એની ગવાહી પૂરતું એ દ્રશ્ય હતું. ગુજરાતના ધારાસભ્યોને કર્મશીલોએ ફોનો કર્યા. કોઈએ ઉપાડ્યા નહીં. બધાને જાન વહાલો છે. ધારાસભ્યોને તો જાન ઉપરાંત ખુરસીની પણ ચિંતા કરવાની છે.

182 ધારાસભ્યો ચૂપ છે. 182 ધારાસભ્યો એક વ્યવસ્થાનો ભાગ છે.

કોરોનાને કારણે ભૂખે મરતા લોકો વ્યવસ્થાની બહાર છે.

આ વ્યવસ્થામાં તમે કોની સાથે છો?

રાજુસોલંકી

Playing with Fire

By Raju Solanki  || 27 March 2020

Image may contain: one or more people, people standing, hat and outdoor


1.
ट्रम्प पागल आदमी है.

ट्रम्प बहुत कुछ है. केपिटालिस्ट, क्रोनी केपिटालिस्ट, मोनोपोलिस्ट, सेल्फिश, रेसिस्ट, व्हाइट सुप्रिमेसिस्ट, फासिस्ट, एन्टि-वुमन.

पूरी मानवजाति विनाश के कगार पर है, तब अमरिका में ट्रम्प का प्रेसिडन्ट होना अच्छी बात नहीं है.

ट्रम्प ने बार बार कोरोना वायरस को चाइनीझ वायरस या वुहान वायरस कहकर अपने नस्लवादी होने का प्रमाण दिया है.

यह एक तरह का स्टीरीयोटाइपिंग तो है ही, साथ साथ इससे एक बात भी समजी जाती है कि अमरिका खुद की गलतियां स्वीकार नहीं करेगा.

अमरिका केन डु नो रोंग. जस्ट लाइक किंग.

वाकई में कोरोना की वजह क्या है?

दर असल, मानवजाति ने कुदरत का बनाया हुआ संतुलन बिगाड दिया है. अपने स्वार्थ के चलते. पैसे कमाना और तेजी से कमाना. इस रफ्तार में केपिटालिस्ट वर्ग ने कुदरत की व्यवस्था को पटरी से उतार दी है. अमरिका यह कटु सत्य कैसे स्वीकार करेगा? कोई भी डेवलप कन्ट्री यह बात नहीं स्वीकारेगा.

कोरोना वायरस चमगादड से आया है वाया पेंगोलिन. और यह पेंगोलिन एक लुप्त हो रही मासूम प्रजाति है. पेंगोलिन का व्यापार होता है और उसमें बहुत मुनाफा है. इसी मुनाफाखोरी से चलते इन्सान ने पर्यावरण से खिलवाड किया है.

कुदरत ने हमें बहुत बडा मेसेज दिया है.
अभी भी वक्त है. संभल जाओ.
कल कुदरत तुम्हे पछताने का मौका भी शायद नहीं देगी.



2.

लोग हैरान परेशान है.

पूछ रहे हैं कि चीन से 15,000 किमी की दूरी पर इटली है. वहां कैसे कोरोना पहुच गया?

अभी हमें कुछ काम ही नहीं करना है. तो वाइरस चीन से इटली कैसे पहुंचा उस पर ही रीसर्च क्यों ना करें?

क्या कोई चाइनीझ चीन से फ्लाइट में बैठकर इटली के मिलान में गया होगा और वहां थुककर कोरोना फैलाया होगा?

बडी दिलचश्प कल्पना है.

और दूसरी कल्पना तो इससे भी मजेदार है.

कहते हैं चीन ने जानबूझकर अपने ही देश में वायरस फैलाया और फिर पूरी दुनिया को बरबाद कर दिया.

कहते है आलसी इन्सान का दिमाग शैतान की फैक्ट्री है.

दर असल हमारी बहुत सारी इन्फर्मेशन (या मिसइन्काफर्मेशन) का स्रोत अमरिका और उसकी न्यूझ एजन्सियां है. हम जाने अनजानें में भी उन्ही की गढी हूई कहानियां आत्मसात करते हैं और फिर हमारी वोट्सप युनिवर्सिटी के हमारे भोले भाले छात्रों को पढाते रहतेहैं.

भाई जान, कोरोना किसी कोन्सपीरसी नहीं है. यह पेन्डामिक है. वैश्विक महामारी है.

और अगर यह कोन्सपीरसी है तो वह इन्सान ने अपने निजी स्वार्थ के कारण पूरी कुदरत के खिलाफ जो खिलवाड किया है उसी की वजह से यह पेन्डामिक आया है.

अमरिका चीन के सर पर सारी गलतियां थोपकर बचना चाहता है. गुनहगार तो दोनों हैं.

- राजु सोलंकी

સોશીયલ ડિસ્ટન્સિંગ એટલે સામાજિક આભડછેટ : જય વસાવડા

By Raju Solanki  || 27 March 2020

Image may contain: 1 person, text

A prominent Gujarati writer Jay Vasavda has translated the word 'social distancing' as 'social untouchability' सामाजिक आभडछेट in Gujarati. This is the ultimate proof of the fact that caste virus is deadlier than corona. 

જ્યારે કોઈ અંગ્રેજ સોશીયલ ડિસ્ટન્સિંગ શબ્દ વાપરે છે, ત્યારે એના મનમાં સમજે છે કે મારે ભૌેતિક દૂરી રાખવાની છે. અને જ્યારે કોઈ ભારતીય સોશીયલ ડિસ્ટન્સિંગ રાખે છે ત્યારે એના મનમાં સમજે છે કે મારે સામાજિક આભડછેટ રાખવાની છે. એક જ શબ્દનો અંગરેજીમાં અને ગુજરાતીમાં અલગ અર્થ થાય છે.

કેમ કે, અંગ્રેજના સમાજમાં કોઈ સમુદાય સાથે આભડછેટ પાળવામાં આવતી નથી, જ્યારે ભારતીય સમાજમાં આભડછેટ પાળવામાં આવ છે.

એટલે જ્યારે કોરોનાના સંદર્ભમાં સોશીયલ ડિસ્ટન્સિંગ શબ્દ પ્રયોજાયો ત્યારે એનું ગુજરાતી જય વસાવડાએ સામાજિક આભડછેટ કર્યું. જય બિલકુલ સાચો છે. જયના દિમાગમાં એના બાપદાદાએ જે ગંદવાડો ભર્યો છે (ડિજિટલ જાર્ગનમાં કહીએ તો પ્રોગ્રામિંગ કર્યું છે) એના કારણે જય જ્યારે સોશીયલ ડિસ્ટન્સિંગનું ગુજરાતી કરવા બેસે છે ત્યારે આપોઆપ એનું ગુજરાતી સામાજિક આભડછેટ કરી બેસે છે. આમાં બિચારા જયનો કોઈ વાંક નથી. કોઈએ જયનો વાંક કાઢવો નહી. જય સુધરવાનો નથી. જયના બાપદાદા પણ સુધર્યા નહોતા અને કદાચ એના સંતાનો પણ સુધરશે નહીં.

March 12, 2020

કટ પેસ્ટ કરી શેયર કરવા જેવી મસ્ત મુદ્દાની વાત!

By Vijay Makwana  || 04 Oct 2019




આજે તમારા માટે કટ પેસ્ટ કરી શેયર કરવા જેવી મસ્ત મુદ્દાની વાત!

અંગ્રેજી બહુ સુંદર ભાષા છે. વાંચતા, લખતા અને બોલતાં તમે આરામથી, સરળતાથી શીખી જાઓ. પણ દરેક ભાષાનું પોતાનું આગવી બોલચાલની શૈલી હોય છે. ખરેખર સરળ શબ્દોમાં કહીએ ભાષાનું માધુર્ય તેના રૂઢિપ્રયોગો અને શબ્દસમૂહો હોય છે. તમે અંગ્રેજી શીખી જાઓ તમે લખવા બોલવાની માસ્ટરી કેળવી લો તોય તમે રૂઢિપ્રયોગો અને શબ્દસમૂહો નો યોગ્ય પ્રયોગ ન કરી શકો તો માસ્ટર નથી ગણાતા!
હવે મૂળ વાત.. બાબાસાહેબ નું અંગ્રેજી ભાષા પર તમામ બાબતે સંપૂર્ણ પ્રભુત્વ હતું. અને અંગ્રેજી ભાષામાં પ્રસ્થાપિત લેખક હતા. અને તે ભાષાના ઉત્તમ વક્તા હતા. તેમનું પોતાનું અંગત પુસ્તકાલય હતું જેમાં ૫૦૦૦૦ પુસ્તકો હતા. અને તમને જણાવી દઉં કે ૧૭ મી થી ૧૯ મી સદીના તમામ ખ્યાતનામ અંગ્રેજી લેખકોના જ 17000 થી વધારે પુસ્તકો તેમની પાસે મૌજુદ હતા! બાબાસાહેબે પોતાના તમામ વોલ્યુમ માત્ર ને માત્ર અંગ્રેજી ભાષામાં જ લખ્યા છે.

હવે બીજી વાત! સરકારે આ તમામ વોલ્યુમ નું જુદી જુદી ભાષાઓમાં ભાષાંતર કરાવ્યું છે. તમને બધાને એમ હશે કે સરકારે જેમને આ જવાબદારી સોંપી તે અંગ્રેજીમાં વિદ્વાન અને પારંગત હશે ! તો જવાબ છે ના! એ લોકો માત્ર અગ્રેજી લખી, બોલી, વાંચી શકતા જ લોકો છે.. વિદ્વાન નહિ! કે પારંગત પણ નહિ!

તે વિદ્વાન હોત તો અહી નીચે જણાવેલ વિગત વાંચો!

ડૉ ભીમ રાવ આંબેડકરનો એક સુપ્રસીદ્ધ ગ્રંથ છે “WHO WERE THE SHUDRAS?” કે જે ૧૯૪૭ મા પ્રકાશીત થયેલ હતો. તેની પ્રસ્તાવનામા નીચે પ્રમાણે તેમણે બે વાક્યો લખેલ છે આજે તેના પર ચર્ચા કરીએ.
- બાબા સાહેબે અંગ્રેજીમા લખેલુ મુળ લખાણ :

It may well turn out that this attempt of mine is only an illustration of the proverbial fool rushing in where the angels fear to tread. But I take refuge in the belief that even the fool has a duty to perform, namely, to do his bit if the angel has gone to sleep or is unwilling to proclaim the truth. This is my justification for entering the prohibited field.

- બાબા સાહેબના આ મુળ વાક્ય નો અર્થ હિંદી ભાષાંતર કરનાર કમીટી એ નીચે મુજબ કર્યો છે. :
इस प्रकार इस विषय पर मेरी मान्यता है कि मेरा यह प्रयास कुछ इस प्रकार का है कि इस विषय को छूने में देवदूत तक घबरा जाते हैं उसको मैं स्पर्श करुं. मैं यह मान कर संतोष करता हूं कि अनधिकारी का भी परम कर्तव्य है कि जब देवदूत सो जाएं या सत्य की उद्धोषणा से बचें वह अपना प्रयास जारी रखें. इस निषिद्ध क्षेत्र में मेरे प्रवेश का यही औचित्य हैं.

- હવે આ જ વાક્યો નો ગુજરાતી અનુવાદ કરનાર કમીટીએ જે અનુવાદ કર્યો છે તે જોઇએ. :
જો કે એવું લાગે છે કે , “ જયાં દેવદૂતો જતાં ડરે છે એવા ક્ષેત્રમાં મૂર્ખાઓ ધસી જાય છે ”
એવી કહેવત તો છે જ છતાંય મને લાગે છે કે મુર્ખ માણસે પણ પોતાનું કર્તવ્ય બજાવવાનું હોય છે . જો દેવદૂતો પોતાની ફરજ ન બજાવતા હોય તો સત્ય શોધવા માટે મૂર્ખ માણસે તો એમાં ચંચુપાત કરવો જ જોઈએ . પ્રતિબંધિત ક્ષેત્રમાં પ્રવેશ અંગે મારે આટલું જ કહેવું છે.

પરંતુ મારા મામાશ્રી વિશાલ સોનારાના મત મુજબ તેનો યોગ્ય ભાવાનુવાદ નીચે મુજબ છે... ભાવાનુવાદ વાંચો!
"એમ કહિ શકાય કે આવા મુદ્દાઓ (જાતિને લગતા) ઉપર જ્યારે હોંશીયાર લોકો પણ બચીને ચાલતા હોય ત્યારે મારો આ પ્રયત્ન થોડો બીન અનુભવી અથવા ઉતાવળીયો લાગી શકે છે. પણ જ્યારે પ્રખર વિદ્વાનો પણ જ્યારે ઘોર તંદ્રામાં હોય અથવા સત્ય કહેવા માટે તૈયાર ન હોય ત્યારે સામાન્ય વ્યક્તિઓની એ ફરજ બની જાય છે કે સત્યને ઉજાગર કરવા માટે પ્રયત્નો કરવા જ જોઇએ. જે ક્ષેત્રમાં પ્રવેશવા પર અધોષીત પ્રતિબંધો લાદવામા આવી રહ્યા છે તે બાબતો પર ટીપ્પણી કરવા માટે મારા માટે આટલી સમજણ પર્યાપ્ત છે."

વાંચી લીધું? હજી પણ તમને ગતાગમ ના પડી હોય તો મારા મામા શ્રી વિશાલ સોનારા તમને આ રીતે સમજાવે છે..

અંગ્રેજી ભાષામાં અઢારમી સદી ની શરૂઆતમાં એક વિદ્વાન કવિ થઈ ગયા. નામ એમનું એલેક્ઝાન્ડર પોપ! તેમણે ૧૭૧૧ ની સાલમાં તેમના કાવ્ય An essay on criticism માં એક શબ્દસમૂહ નો પ્રયોગ કરેલો! જે આખો શબ્દસમૂહ આ છે! Fools rush in where angels fear to tread..!

જેનો વાસ્તવિક અર્થ એ થાય છે કે, જ્યારે પ્રખર વિદ્વાનો પણ જ્યારે ઘોર તંદ્રામાં હોય અથવા સત્ય કહેવા માટે તૈયાર ન હોય ત્યારે સામાન્ય વ્યક્તિઓની એ ફરજ બની જાય છે કે સત્યને ઉજાગર કરવા માટે પ્રયત્નો કરવા જ જોઇએ!

તમે શબ્દસમૂહ નો વાસ્તવિક અર્થ ચકાસી શકો છો! મારી ના નથી.. પણ હું તમને કહી દઉં છું કે, My Darling Mamu was forced by me to burn the midnight oil to get this marvelous post!



- વિજય મકવાણા & વિશાલ સોનારા

ભેદભાવ વિનાની દુનિયા જોવા હજી કેટલે દૂર જવું પડશે??

By Vijay Makwana  || 02 Oct 2019

Image result for kepler star

તમને એ ખબર છે કે, પ્રકાશ એક વર્ષમાં જેટલા કિલોમીટર ચાલે તેટલાં અંતરને એક પ્રકાશવર્ષ કહે છે. આ સામાન્ય વાત થઈ! તમને એ પણ જાણ છે કે કોઈપણ વસ્તુ કે ચીજ પર પ્રકાશ ના કિરણો પડે અને તે કિરણો પરાવર્તિત થઈ આપણી આંખની કીકી સુધી પહોંચે એટલે જે તે ચીજને આપણે જોઈ શકીએ છીએ..મતલબ કે આપણી આંખ અને જે તે ચીજ વસ્તુની વચ્ચે રહેલું અંતર પ્રકાશ કાપે છે..સરળ અર્થમાં સફર કરે છે. જો તે ચીજ એક પ્રકાશવર્ષ દૂર હોય તો? સ્વાભાવિક છે કે તે એક વર્ષ આપણી આંખને મોડી દેખાશે!

તસવીરમાં દેખાતો કેપ્લર નામનો તારો આપણી પૃથ્વીથી 5000 પ્રકાશવર્ષ દૂર છે. જે સૂર્ય કરતા બે ગણો મોટો છે.

તમે કલ્પના કરી લો! તમે કેપ્લર ની આસપાસ ફરતા કોઈ ગ્રહ પર બેઠા છો અને આપણી પૃથ્વી તરફ નજર કરો! પૃથ્વી પર સિંધુ સંસ્કૃતિના લોકો નહેરો ખોદી રહ્યાં છે, માટી ની ઈંટો બનાવી રહ્યાં છે. હાર બંધ મકાનો બનાવી રહ્યાં છે. ગોદામમાં માલ ભરી રહ્યાં છે, નાના ભૂલકાઓ માટીના ગાડાં થી રમી રહ્યા છે. વિશાળ સ્નાન ઘરોની આસપાસ આવેલાં કૂવાઓ પર પનિહારીઓ માટી ના ઘડાઓથી પાણી ભરી રહી છે..હવે બોલો કેટલું સુરમ્ય મનોહર જાતિ અને જાતિવાદ વિહીન દ્રશ્ય ચાલી રહ્યું છે??!! ભેદભાવ વિનાની દુનિયા જોવા હજી કેટલે દૂર જવું પડશે??

તમે તર્ક સાથે વિજ્ઞાન ને ભેળવી દો તો કેટલાય સુંદર દૃશ્યો જોવા મળે! બસ નજર હોવી જોઈએ! લવ યુ ઓલ! જય આંબેડકર!