November 05, 2020

"મહેશ નરેશ" ની સફળતા અને "જાતિ"

  By Vijay Makwana  || 30 October 2020


સિનેમા એ શેરી નાટકો અને નાટક મંડળીઓ તથા ભવાઈ નું આધુનિક રૂપ છે. ભવાઈ એ એક જમાના નો અસ્પૃશ્ય ધંધો છે. બોલીવુડ ઢોલીવુડ ટોલિવુડ નો ઇતિહાસ તપાસી લો.. ઉચ્ચવર્ણના લોકો આ વ્યવસાયમાં આવતા તો સમાજમાં ખૂબ ખરાબ ચર્ચા થતી. એક અસાઈત બ્રાહ્મણ ને નાટક માં ભાગ લેવા બદલ ન્યાત બહાર મુકાયેલ.. જેણે ઘણા ભવાઈ ના નાટકો લખેલા..  નરેશ અને મહેશ માટે તે વખતે સરળ અને સહેલું હતું સફળતા મેળવી લેવાનું.. અને આમેય નરેશ મહેશ પહેલાં કાનજીભાઈ નામના ગુજરાતી ફિલ્મ નિર્દેશક મૌજુદ હતા.. અનુ. જાતિ માં આવતી નાયક અને બીજી જાતિઓનો આ મૂળ વ્યવસાય હતો.. સવર્ણો એ 50 ના દસક બાદ આ ધંધામાં નાણાં અને કીર્તિ જોઈ એટલે ઘૂસણખોરી કરી..

40 ના દસકામાં તો આખા ભારતમાં કોઈ સ્ત્રી નાટક કે ફિલ્મ ની હિરોઈન થવા તૈયાર નહોતી. ત્યાં સુધી તો પુરુષ જ હીરો અને હિરોઈન બનતો હતો.. આ ચાલીસના દસકામાં જ મહેશ અને નરેશ નો નવજાત બાળકો તરીકે જન્મ થયો હતો.

ગાવું અને વગાડવું, લોકોનું મનોરંજન કરી પેટિયું રળવા નો મૂળથી જ દલિતોના બાપ દાદા નો અસ્પૃશ્ય ધંધો હતો. એટલે એમાં મહેશ નરેશ સફળ થાય જ.. જાતિવાદ દૂર થયો નહિ જાતિ બરકરાર રહી એમ સમજો!

સાલિયાણું "પ્રિવી પર્સ"

 By Vijay Makwana  || 31 October 2020


સાલિયાણું આપી રાજાઓને રાજકાજમાંથી ફરજિયાત મુક્તિ આપી મહેલો માં બેસાડી દેવા એ 600 વરસ પહેલાંની વિલીનીકરણ ની જૂની પદ્ધતિ ની બ્રિટને ખોજ કરેલી. ડચ લેન્કશાયર, ડર્બી શાયર, યોર્ક શાયર, વેલ્સ વિગેરે મળી વીસેક પરગણાનું વિલીનીકરણ કરી ત્યાંના રાજાઓ, રાણીઓ, કુંવરો ને સાલિયાણું એટલે કે પ્રિવી પર્સ આપી દેવાયું..વધુમાં આશરે 45000 એકર કિંમતી જમીન પણ રિઝર્વ આપી.. જેમાંથી બીજા ખર્ચાઓ પણ નીકળે! બ્રિટનમાં તો આજે પણ સાલિયાણું અપાય છે.

જર્મનીનો બિસ્માર્ક એ બાબતે માઈલ સ્ટોન કહેવાય.! પાક્કો રાષ્ટ્રવાદી! જૂની પદ્ધતિ અને જૂના ડ્રાફ્ટિંગ મુજબ કામ જ ના કર્યું.. એવી કોઈ સ્કીમ જ નહિ! રાજાઓ ઉમરાવો ને કશુંજ આપવાનું ના હોય પ્રજા છો પ્રજાની જેમ રહેવાનું.. સદીઓ સુધી તમારા ઝલસા અને મહત્વાકાંક્ષા માટે પ્રજાના હાડ માંસ તો ચૂસ્યાં.. 

હવે નહિ!

June 03, 2020

"I can't breathe"

By Vijay Makwana  || 01 June 2020


ગઈ તારીખ 25 મે ના રોજ અમેરિકાના મીનીઆપોલીસ શહેરના એક સ્ટોરમાં એક કાળો વ્યક્તિ સિગારેટ ના પેકેટ ખરીદવા આવે છે. તેના વોલેટમાંથી તે 20 ડોલરની નોટ કાઢી સ્ટોર ના કર્મચારીને આપે છે. સ્ટોર કર્મચારી 20 ડોલરની નોટને આમતેમ ફેરવી જુએ છે. તેને નોટ બનાવટી હોવાનું માલુમ થાય છે. તે કાળા માણસને બાકીના છૂટા પરત કરી તેની જાણ બહાર પોલીસને ખબર પહોંચાડે છે કે, એક કાળો માણસ મારા સ્ટોરમાં 20 ડોલરની બનાવટી નોટ પધરાવી ગયો છે. પોલીસ નજીકમાં જ હોય છે. હજુ કાળો માણસ સ્ટોરની બહાર નીકળી ઊભો ઊભો સિગારેટ ના કસ મારી રહ્યો હોય છે. અને પોલીસ પોતાની કાર સાથે આવી ચડે છે. સિગારેટ પીતા કાળા માણસ ને જેનું નામ છે જ્યોર્જ ફ્લોયડ તેની ધરપકડ કરે છે. તેના હાથ પાછળથી બાંધી દે છે. અને રસ્તાના સામા છેડે આવેલી કાર સુધી લઈ જાય છે. જ્યોર્જ ફ્લોયડ ને કારમાં ધકેલવા માટે પોલીસ અમલદાર ધક્કો મારે છે. જેનાથી જ્યોર્જ ગળથોલું ખાઈ જાય છે. જેને પેલો ગોરો અમલદાર વિરોધ ગણી લે છે. તે જ્યોર્જ પર તુટી પડે છે. અને જ્યોર્જને છાતી ભેર કાર પાસે જ નીચે પાડી દે છે. નીચે પડેલા જ્યોર્જ ની ગરદન પર તે પોતાનો પગ વાળીને મૂકી દે છે. લગાતાર 8 મિનિટ સુધી જ્યોર્જ તરફડે છે. તે ગોરા અમલદાર ને ચીસો પાડી ને વિનવણી કરતા કરતા કહે છે. પ્લીઝ મારા પર થી પગ હટાવી લો.. હું મરી જઈશ..મારો શ્વાસ રુંધાય છે.. અને અંતે જ્યોર્જ ફ્લોયડ ના શ્વાસ અટકી જાય છે. તે મૃત્યુ પામે છે. કોઈ વ્યક્તિએ આ આખી ઘટના પોતાના સ્માર્ટ ફોન પર વિડિયો સ્વરૂપે કેદ કરી લીધી જે વિડિયો જોતા જોતામાં વાયરલ થઈ ગયો. વીડિયોથી એ સ્પષ્ટ થઈ રહ્યું હતું કે આ એક રંગભેદી ઘટના હતી જ્યોર્જ નો ગુન્હો મામૂલી ગુન્હો હતો. હજારો લાખો બનાવટી નોટો અમેરિકામાં ફરી રહી છે. દરેક સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવે તો અમેરિકાની ચોથા ભાગની વસ્તી નાબૂદ થઈ જાય. પણ આ મામલે ગોરા અમલદારે પોતાની વિકૃત માનસિકતા નું પ્રદર્શન કરી એક કાળા માણસની સરાજાહેર હત્યા કરી. આ ઘટનાના ખૂબ મોટા પ્રત્યાઘાતો પડ્યા. અમેરિકામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા. પ્રેસિડેન્ટ ટ્રમ્પ ને લોકોએ રેસિસ્ટ કહ્યા. તેમને અમેરિકામાં વધી રહેલી વ્હાઇટ સુપ્રીમસી અને રંગભેદની નીતિ ને પોષણ કરતા શાસક કહેવાયા. તેઓ સામે હાલ પુષ્કળ વિરોધ થઈ રહ્યો છે ગઇકાલે જ્યોર્જ ની હત્યાના મામલે ચાલતા પ્રદર્શન થી ચિંતિત સુરક્ષા એજન્સીઓ એ સુરક્ષાના કારણોસર પ્રેસિડેન્ટ ટ્રમ્પ ને બંકર માં રોકવાની સૂચના આપી છે.

આ ઘટનામાં સહુથી ખૂબસૂરત વાત હોય તો એ છે કે અમેરિકામાં વસતા ન્યાયપ્રિય ગોરાલોકો અંદરથી ખળભળી ઉઠયા તેઓ પણ રસ્તા ઉપર આવી ગયા. હજારો ની સંખ્યા માં ગોરાલોકો બહાર નીકળ્યા અને આ આંદોલન ની ધુરા પોતાના હાથમાં લઈ લીધી. લેટેસ્ટ સમાચાર મુજબ અમેરિકન પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોમાંથી 4100 લોકોને લોકઅપ માં પૂરી દીધા છે. જેમાં 3000 લોકો તો ગોરા લોકો છે. જ્યોર્જ ની હત્યા કરનાર ગોરા પોલીસ અમલદારની પત્ની પણ આ આંદોલનમાં સામેલ છે. તેણી એ પોતાના પતિ ને જ્યોર્જ ની હત્યાના બીજા દિવસે મૌખિક છૂટાછેડા આપી દીધા છે અને શનિવારના દિવસે કોર્ટમાં છૂટાછેડાની અરજી ફાઈલ કરી છે. આ સન્નારી એ જાહેર મંચ પર કહ્યું '' હું આવા નીચ અને અધમ વિચારધારા ધરાવતા હેવાન સાથે જીવન વિતાવી રહી હતી તેનો મને બેહદ અફસોસ છે...''

અમેરિકાની ગોરી પ્રજાને મારી સલામ છે. જે આ વિકૃત માનસિકતા ને ખતમ કરવા તમામ પ્રયાસો કરવા કટિબદ્ધ છે. અને એમની આ કટિબદ્ધતા નું સન્માન મહાત્મા જ્યોતિબા ફૂલે એ આજથી દોઢ સદી પહેલાં પોતાની કિતાબ "ગુલામગીરી" ને કાળા લોકોના સામાજિક ન્યાયના આંદોલનમાં હિસ્સો લેતા ગોરાલોકો ને સમર્પિત કરી ને કર્યું છે. ભારતના આકાશમાં હજી જાતિવાદ નો અંધકાર છવાયેલો છે. હજી સૂર્યોદય થવાને ઘણી વાર છે. ભારતના જાતિવાદી સવર્ણો ના દિમાગમાં બંધુત્વની, સમાનતાની, ન્યાયની આ સમજ ક્યારેય નહિ આવે! ભારત નો જાતિવાદી સવર્ણ સમાજ જાતિગૌરવ ના ગંદા ખાબોચિયામાં ભૂંડ જેમ આળોટી રહ્યો છે. એ ક્યારેય પોતાની વ્હાલી એવી ગંદકી ને છોડવા તૈયાર નહિ થાય..

ખરી હકીકતે તો કોઈપણ રાષ્ટ્ર નો અસલી વિકાસ તો તેમાં રહેતા લોકો વચ્ચેના પરસ્પરના પ્રેમ , સ્નેહ, બંધુતા, ન્યાય અને સમાનતાની ભાવનાથી મૂર્ત થતો હોય છે.

જય આંબેડકર દોસ્તો!

#મામા_ભાણેજ

May 13, 2020

જગતની સર્વશ્રેષ્ઠ પ્રાર્થના : વિજય મકવાણા

By Vijay Makwana  || 03 May 2020


આ જગતની સર્વશ્રેષ્ઠ પ્રાર્થના છે. જે તમારા પોતાના માટે છે. તમે કરી જુઓ.. મન ખુશીથી ભરાઈ જશે.

હું મારા માતા-પિતાને એ ભાવનાથી મુક્ત કરું છું. કે તેઓ મને જેવો ઈચ્છતા હતા તેવો બનાવી નથી શક્યા. હું મારા બાળકોને મારા પર ગર્વ કરવા તેમજ મારી શરતે જીવન જીવવાની શરતોમાંથી મુક્ત કરું છું. કેમ કે તેઓ પોતાનું હૃદય કહે તેમ જીવન જીવી શકે. અને પોતાની મન મુજબનો રસ્તો પસંદ કરી શકે. હું મારા જીવનસાથીને એ ફરજમાંથી મુક્ત કરું છું. કે તે મને સંપૂર્ણ છું તેવું મહેસુસ કરાવવા સતત પ્રયત્ન કરે છે. હું તેને દિલાસો આપું છું કે મારા માં હવે કોઈ અપૂર્ણતા નથી બચી. હું એ તમામ જડ ચેતન પદાર્થો, તથા જીવસજીવ નો આભાર વ્યક્ત કરું છું કેમ કે હું અહીં જે કઈ પણ શીખ્યો છું તે તેમની પાસેથી શીખ્યો છું હું એ લોકોનો પણ આભારી છું જેઓ હંમેશા કોઈને કોઈ અપેક્ષા સાથે અથવા કોઈપણ અપેક્ષા વિના મારી આસપાસ રહ્યા છે અને મારા વ્યક્તિત્વના ઘડતરમાં મને સહયોગ આપ્યો છે. હું મારા દાદા-દાદી, મારા નાના-નાની અને મારા પૂર્વજોનો ખુબ આભારી છું. કારણ કે તેઓ એકબીજા સાથે મળ્યા તેઓના શુભ મિલનની ક્ષણોથી જ મારું આજનું અસ્તિત્વ છે. અને હું મારા તમામ પૂર્વજોને અતીતના સઘળા દોષોથી મુક્ત કરું છું. કેમ કે મારા અસ્તિત્વને અહી સુધી પહોચાડવા તેમણે કેટલીય ઈચ્છાઓને પોતાની છાતીઓમાં દબાવી દીધી હશે. તેમણે કશું ખરાબ કર્યું હશે એવું હું માની શકતો નથી. એટલે હું તેમને પ્રેમ કરું છું તેમનું સમ્માન કરું છું. મારી ચેતનામાં રહેલા તમામ શુભ ભાવોથી પેદા થતું શ્રેષ્ઠ કર્મ અને તેનું શ્રેષ્ઠ ફળ હું મારા પૂર્વજોને સમર્પિત કરું છું. હું મારી આસપાસ રહેલા તમામ ને વચન આપું છું કે, હું દરેક ક્ષણે મારા આત્મા સાથે સંવાદ માં રચ્યો-પચ્યો રહીશ. મારો આત્મા કહેશે તેમ તમારી સાથે મારા અને તમારા સહઅસ્તિત્વનો ન્યાય કરીશ. પણ હું ક્યારેય તમારો ઉદ્ધારક બનવાની કોશિશ નહિ કરું. કેમ કે હું જાણું છું મારી પાસે જેવો સુંદર આત્મા છે એવો સુંદર માર્ગદર્શક આત્મા તમારી પાસે પણ છે. હું માત્ર એવું ઈચ્છી શકું છું કે તમારું અને મારું સહઅસ્તિત્વ અને જીવન શાંતિપૂર્વક, આનંદદાયક રીતે, કોઈ પણ અવરોધ કે અડચણ વિના સફર કરે. તેમ છતાય તમારામાંથી કોઈને હું ક્યારેય સમજાયો નહિ કે મારા વિચારો અને કર્મો તમારી સાથે મળતા નથી તો ફિકર ના કરશો. હું માત્ર મને સમજવા માટે જ આ પૃથ્વી પર આવ્યો છું. મને પ્રકૃતિએ ખાસ વિશિષ્ટ કાર્ય માટે સર્જ્યો છે. મને એ ખબર નથી કે મારે કયું કાર્ય કરવાનું છે. મારે મારા સર્જનના હેતુ એટલે કે, એ કારણ સુધી પહોચવાનું છે. તમે મને એ જ ક્ષણે વિના વિચાર્યે રત્તીભર દુઃખ અનુભવ્યા વગર મને સ્વતંત્ર મૂકી દો કેમકે મેં તમને લોકોને મારાથી સ્વતંત્ર કર્યા છે. હું પ્રાર્થના કરું છું તમે પણ સ્વતંત્ર થાઓ... મુક્ત થાઓ..

- વિજય મકવાણા

April 27, 2020

जूठन: एक दलित की आत्मव्यथा की कथा | Book Review

By Madhukar Chauhan  || 24 April 2020


ज्योतिबा फुले ने कहा था- "गुलामी की यातना को जो सहता है, वही जानता है और जो जानता है, वही पूरा सच कह सकता है. सचमुच जलने का अनुभव राख ही जानती है और कोई नहीं." 

ओमप्रकाश वाल्मीकि की ‘जूठन’ हिंदी साहित्य की मौलिक आत्मकथाओं में से एक है. ओमप्रकाश वाल्मीकि कहते हैं- ‘‘दलित जीवन की पीड़ाएं असहनीय और अनुभव-दग्ध हैं। ऐसे अनुभव जो साहित्यिक अभिव्यक्तियों में स्थान नहीं पा सके। एक ऐसी समाज-व्यवस्था में हमने सांसें ली हैं, जो बेहद क्रूर और अमानवीय है। दलितों के प्रति ‘असंवेदनशील भी...। अपनी व्यथा-कथा को शब्द-बद्ध करने का विचार काफी समय से मन में था। लेकिन प्रयास करने के बाद भी सफलता नहीं मिल पा ही थी।...इन अनुभवों को लिखने में कई प्रकार के खतरे थे। एक लंबी जद्दोजहद के बाद मैंने सिलसिलेवार लिखना शुरू किया। तमाम कष्टों, यातनाओं, उपेक्षाओं, प्रताड़नाओं को एक बार फिर जीना पड़ा, उस दौरान गहरी मानसिक यंत्रणाएं मैंने भोगीं। स्वयं को परत-दर-परत उघेड़ते हुए कई बार लगा-कितना दुखदायी है यह सब! कुछ लोगों को यह अविश्वसनीय और अतिरंजनापूर्ण लगता है।’’1

दलित बालक ओमप्रकाश वाल्मीकि को चूहड़ा समझकर हेडमास्टर दिन भर लेखक से झाड़ू लगवाता है। लेखक के शब्दों में- "दूसरे दिन स्कूल पहुँचा। जाते ही हेडमास्टर ने फिर से झाड़ू के काम पर लगा दिया। पूरे दिन झाड़ू देता रहा। मन में एक तसल्ली थी कि कल से कक्षा में बैठ जाऊंगा। तीसरे दिन मैं कक्षा में जाकर चुपचाप बैठ गया। थोड़ी देर बाद उनकी दहाड़ सुनाई पड़ी, ‘अबे, ओ चूहड़े के, *** कहाँ घुस गया... अपनी माँ...’ उनकी दहाड़ सुनकर मैं थर-थर काँपने लगा था। एक त्यागी (सवर्ण) लड़के ने चिल्लाकर कहा, ‘मास्साब, वो बैट्ठा है कोणे में।’ हेडमास्टर ने लपककर मेरी गर्दन दबोच ली थी। उनकी उंगलियों का दबाव मेरी गर्दन पर बढ़ रहा था। जैसे कोई भेड़िया बकरी के बच्चे को दबोचकर उठा लेता है। कक्षा के बाहर खींचकर उन्होंने मुझे बरामदे में ला पटका। चीखकर बोले, ‘जा लगा पूरे मैदान में झाड़ू..नहीं तो *** में मिर्ची डाल के स्कूल से बाहर काढ़ (निकाल) दूँगा।"2 स्कूल के मास्टर से लेकर गाँव-घर के सामन्त व सेठ-साहूकार तक सभी दलित जीवन को लीलने के लिए तैयार बैठे थे। ‘जूठन’ दलित जीवन की मर्मान्तक पीड़ा का दस्तावेज है।

ओमप्रकाश वाल्मीकि जी ने, जातीय अपमान और उत्पीड़न के जीवंत वर्णन के माध्यम से एक दलित की आत्मव्यथा को प्रस्तुत किया है और भारतीय समाज के कई अनछुए पहलुओं को उजागर करते हुए हमारे समक्ष रखा है।

सन्दर्भ-सूची :-
1. वाल्मीकि ओमप्रकाश, जूठन, राधाकृष्ण प्रकाशन, नई दिल्ली, भूमिका
2. वही पृ.सं.-15

डॉ बाबासाहब आंबेडकर का पुस्तक प्रेम

Compiled By Madhukar Chauhan  || 23 April 2020




विश्व पुस्तक दिन के अवसर पर डॉ. बाबासाहब आंबेडकर के पुस्तक प्रेम पर एक नजर करें...

भीमराव स्कूल की पाठ्य पुस्तकें कम ही पढ़ता था। पाठ्य पुस्तकें तो वह सरसरी तौर पर देख लेता था। उसे दूसरी किताबें पढ़ने और संग्रह करने का बेहद शौक था। नई-नई पुस्तकें खरीदने के लिए वह अकसर पिता से जिद करता। रामजी भी पर्याप्त साधन न होते हुए भी बेटे की इच्छा पूरी करते थे। अक्सर वे अपनी दो विवाहित पुत्रियों से पैसा उधार लाते थे। वास्तव में, रामजी ने जान लिया था कि उसका बेटा साधारण बच्चा नहीं हैं। वे उसमे बड़ा आदमी बनने की क़ाबलियत देख रहे थे।

रामजी सूबेदार ने डबल चाल में केवल एक ही कमरा ले रखा था। उसमें पढ़ने के लिए जगह नहीं थी। भीमराव ने इस प्रकार की पुस्तकें पढ़ने के लिए चर्बी रोड़ गार्डन में एक स्थान बना लिया था। स्कूल से छुट्टी होने पर वह उसी अड्डे पर बैठकर पुस्तकें पढ़ा करता था( बाबासाहेब और उनके संस्मरणः मोहनदास नैमिशराय, पृ 57 )।

सूबेदार रामजी को अपने बेटे की पढाई का बड़ा ख्याल रहता था। तब वे लोअर परल के एक ही कमरे में रहते थे। घर के बर्तनों के साथ अन्य सामान और परिवार के लोग उसी कमरे में रहते थे। सूबेदार ने जगह की समस्या का ऐसा समाधान ऐसा निकाला कि वे सांय से लेकर दो बजे रात तक बेटे को सुला देते और दो बजे रात तक स्वयं जाग कर व्यतीत करते और तत्पश्चात भीम को नींद से जगाते और स्वयं सो जाते। दीपक की टिमटिमाती लौ में भीम पुस्तकों को प्रातः होते तक पढ़ता रहता(बाबासाहेब डॉ. बी. आर. अम्बेडकर के सम्पर्क में 25 वर्षः सोहनलाल शास्त्री, पृ. 234 )।

चर्बी रोड गार्डन में जहां भीमराव गैर स्कूली पुस्तकें पढ़ा करते थे, यहीं उसका परिचय कृष्णाजी केलुस्कर से हुआ था। कृष्णाजी केलुस्कर ‘ सिटी विलसन हाई स्कूल’ में सहायक अध्यापक थे। वे तकरीबन प्रति दिन भीमराव को यहां घंटों बैठे पढ़ने में तल्लीन देखा करते थे। एक दिन कृष्णाजी ने पूछा- ‘‘बेटा! तुम किस जाति के हो?’’ भीमराव ने बिना झिझक कहा- ‘‘महार’’( बाबासाहेब और उनके संस्मरणः मोहनदास नैमिशराय , पृ 57)। बालक भीम की स्पष्टता से कृष्णाजी बहुत खुश हुए और वे भीमराव को अच्छी-अच्छी पुस्तकें ला-ला कर देने लगें (डॉ. अम्बेडकरः लॉइफ एॅण्ड मिशनः धनंजय कीर, पृ. 19 )।

अमेरिका से भीमराव ने अपने पिता के मित्र को पत्र लिखा- हमें इस विचार को पूर्णत: त्याग देना चाहिए कि माता-पिता बच्चें को जन्म देते हैं और कर्म नहीं। वे बच्चे के भाग्य को बदल सकते हैं। शिक्षा उत्थान का मूल मन्त्र है। हमें अपने सगे-सम्बन्धियों के बीच इसका अधिकाधिक प्रचार करना चाहिए ।
अमेरिका की कोलम्बिया यूनिवर्सिटी में अध्ययन के दौरान भीमराव को विविध प्रकार की पुस्तकें पढ़ने का एक प्रकार से जुनून था। वे यूनिवर्सिटी की लायब्रेरी में सबसे पहले पहुंच जाते और सबसे पीछे बाहर निकलते। वे हर रोज औसतन 16 से 17 घंटे अध्ययन में बिताते। अवकाश दिन यूनिवर्सिटी की लाइब्रेरी बंद रहने पर वे न्यूयार्क शहर के अन्य पुस्तकालयों की सैर करते। बाजार में पुस्तकों की अन्य दुकानों पर जाकर दुर्लभ ग्रंथों को जहां तक उनकी जेब साथ देती, खरीदते थे। वे प्राय: पुरानी पुस्तकें खरीदते थे।
भीमराव का पुस्तक प्रेम और उनकी अध्ययनशीलता देखकर कोलम्बिया यूनिवर्सिटी के अर्थशास्त्र के प्रोफेसर एडविन आर. ए. सेलिग्मेन उन्हे बहुत चाहते थे। प्रो. सेलिग्मन कोलम्बिया यूनिवर्सिटी की लाइब्रेरी के अध्यक्ष थे। वे भीमराव की प्रतिभा और श्रम-शीलता से प्रसन्न थे। भीमराव अकसर प्रो. सेलिग्मेन के निवास पर जाते और विभिन्न विषयों पर उनसे वार्तालाप करते, अपनी शंकाओं का समाधान करते।
जिस समय अन्य विद्यार्थी सिनेमा, शराब और सिगरेट पर पैसा बहाते थे, उन दिनों भीमराव पुस्तकें खरीदने के सिवा अन्य कोई खर्च नहीं करते थे। शराब और सिगरेट को उन्होनें कभी स्पर्श तक नहीं किया था। केवल बचपन से लगी हुई चाय-पान की आदत वहां अवश्य बढ़ गयी थी। उन्हीं दिनों उन्हें अपनी आंखों पर चश्मा लगाना पड़ा था।
('डा. बाबासाहब आंबेडकर': वसंत मुन प्रकाशक: नेशनल बुक ट्रस्ट, इंडिया, प्रकाशित वर्ष:2004)

भीमराव लन्दन जैसे अंतर्राष्ट्रीय शिक्षा केंद्र से अर्थशास्त्र में विशेषज्ञता और बैरिस्टरी की उपाधि प्राप्त करना चाहते थे।डॉ. भीमराव अम्बेडकर लंदन के लिए जहाज से रवाना हुए। अमेरिका में रहते हुए उन्होंने जो बहुमूल्य पुस्तकें संग्रह की थी, उनमें से कुछ तो वे अपने साथ लिए थे और बाकि को उन्होंने वहीं अपने एक मित्र को सौंप दी।
स्मरण रहे, सन् 1914 में द्वितीय युद्ध छिड़ गया था जो सन् 1916 तक भयंकर रूप धारण कर चुका था। उस समय इंग्लैंड पर भी गोलीबारी हो रही थी। डॉ. अम्बेडकर का जहाज जब इंग्लैंड के निकट पहुंचा तो गोलों की आवाज से यात्री घबराने लगे थे किन्तु डॉ. अम्बेडकर पुस्तकें पढ़ने में तल्लीन थे(आधुनिक भारत के निर्माताः भीमराव अम्बेडकरः डब्लू. एन. कुबेर)।

डॉ. अम्बेडकर को पुस्तकें बहुत प्रिय थी। उनकी पुस्तकों के अध्ययन से तृप्ति नहीं होती थी। वे विश्व की लगभग एक दर्जन भाषाएं जानते थे। कहा जाता है कि उनका निजी पुस्तकालय एशिया में सबसे बड़ा वैयक्तिक पुस्तकालय था। यह उनका पुस्तक प्रेम ही था कि बाद के दिनों में उन्होंने 'पीपुल्स एजुकेशन सोसायटी' की स्थापना की और बम्बई और औरंगाबाद में महाविद्यालय खोले(डॉ. सूर्यभान सिंह : भारतरत्न डॉ अम्बेडकर ; व्यक्तित्व एवं कृतित्व ; पृ 79 )।

एम. एस. सी. , डी. एस. सी. और बार-एट-लॉ के अध्ययन की अनुमति प्राप्त होते ही डॉ. अम्बेडकर ने इण्डिया आफिस लायब्रेरी, लंदन स्कूल लायब्रेरी, ब्रिटिश म्यूजियम की विज्ञान लायब्रेरियों में अध्ययन करने और नोट्स लेने का काम शुरू किया। सनद रहे, पूर्व में इन्हीं लायब्रेरियों में विश्व के बड़े-बड़े विचारकों ने बैठकर अध्ययन किया था और अब, उस लिस्ट में भारत में अछूत माने जाने वाली कौम में पैदा हुए डॉ. भीमराव अम्बेडकर का नाम जुड़ रहा था।

मिस्टर जॉन मुंथर ने अपनी पुस्तक 'इनसाइड एशिया' (1938) में लिखा है कि "बाबासाहेब का निजी पुस्तकालय, व्यक्तिगत पुस्तकालयों में संसार में सबसे बड़ा था।" उन्होंने यह भी लिखा है कि "लोग रहने के लिए मकान बनाते हैं, लेकिन डॉ अम्बेडकर ने पुस्तकों के लिए अपना 'राजगृह' बनवाया है। " सन 1938 में उनके पुस्तकालय में लगभग 8000 किताबें थी। वह संख्या उत्तरोत्तर बढ़ती ही गई, घटने का तो प्रश्न ही नहीं था। (1956 में बाबा साहेब के परिनिर्वाण के समय उनके निजी संग्रह में पचास हज़ार पुस्तकें थी। )

संदर्भ ग्रंथ-
1. बाबासाहेब और उनके संस्मरणः मोहनदास नैमिशराय। संगीता प्रका. दिल्ली; संस्करण- 1992
2. बाबासाहेब का जीवन संघर्षः चन्द्रिकाप्रसाद जिज्ञासु। बहुजन कल्याण प्रका. लखनऊ;संस्करण- 1961-82
3. आधुनिक भारत के निर्माताः भीमराव अम्बेडकरः डब्लू. एन. कुबेर। प्रकाशन विभाग, सूचना और प्रसारण मंत्रालय भारत सरकार नई दिल्ली; संस्करण- 1981
4. डॉ. अम्बेडकरः लॉइफ एॅण्ड मिशनः धनंजय कीर। पॉपुलर प्रका. बाम्बे, संस्करण- 1954- 87
5. डॉ. अम्बेडकर; कुछ अनछुए प्रसंगः नानकचन्द रत्तू। सम्यक प्रका. दिल्ली, संस्करण- 2003-16.
6. बाबासाहेब डॉ. बी. आर. अम्बेडकर के सम्पर्क में 25 वर्षः सोहनलाल शास्त्री बी. ए.। सिद्धार्थ साहित्य सदन दिल्ली, संस्करण 1975।
7. डॉ. बाबासाहब अम्बेडकरः वसन्त मून। अनुवा.- आशा दामले। नेशनल बुक टस्ट इण्डिया। संस्करण- 2002
8. डॉ. बी. आर. आंबेडकर: व्यक्तित्व और कृतित्व, पृ. 15 ; डॉ. डी. आर. जाटव। समता साहित्य सदन , जयपुर (राज. ) संस्करण 1984
9. भारतरत्न डॉ. अम्बेडकर , व्यक्तित्व एवं कृतित्व। सम्पादक डॉ रामबच्चन राव, सागर प्रकाशन मैनपुरी , संस्करण-1993
10. દિલના દરવાજે દસ્તક, દલિત અધિકાર
11.ડૉ. રમેશચંદ્ર પરમારના પુસ્તકો
madhukar2611@gmail.com

April 20, 2020

તમને શું લાગે છે? કોરોના રાહત ફંડમાં કૌભાંડ થશે?

By Vijay Makwana  || 30 March 2020

Contributions to PM CARES Fund qualify as CSR expenditure, but not ...
ડિઝાસ્ટર મેનજમેન્ટ એકટ -૨૦૦૫ ની કલમ 50, 60, અને કલમ 70 થી 76 વાંચી જાઓ! તે મુજબ કુદરતી આપદા માં સરકાર જે કોઈ પણ કદમ ઉઠાવે તેને કોઈ લોકલ ઓથોરિટીમાં લોકો ચેલેન્જ ન કરી શકે. માત્ર હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટ જ તેને વાજબી અથવા ગેરવાજબી કહી શકે. એટલે કોઈ પણ પદાધિકારી સામે તમારે ગેરરીતિની ફરિયાદ કરવી હોય તો દરવાજા તમારે ઉચ્ચ ન્યાયાલય ના ખખડાવવાના ! આપદના સમય વખતે સરકાર દ્વારા જે રાહત ફંડ આપવામાં આવે છે તે ફંડ નું ઓડિટ પણ કોઈ સંસ્થા નથી કરી શકતી. રાજ્ય ઓથોરિટી જે ફંડ વાપરે તેનો રિપોર્ટ વિધાન સભામાં તથા લોકસભા માં વાર્ષિક રિપોર્ટ તરીકે રજૂ કરી શકે છે. અને એ વખતે કેન્દ્ર ની કે રાજ્યની સરકાર ને એમ લાગે કે રાજ્યો એ તે ભંડોળ નો દુરુપયોગ કર્યો છે તો જે તે રાજ્યની ડિઝાસ્ટર ઓથોરિટી નો કેન્દ્ર સરકારના આદેશથી અહેવાલ માંગવામાં આવશે. હવે રાજ્ય ઓથોરિટી ના વડા મુખ્યમંત્રી હોય છે! તેમને પોતાના તાબા માં રહેલ ઓથોરિટી નો અહેવાલ મોકલવાનો છે. કેન્દ્રમાં ડિઝાસ્ટર મેનજમેન્ટ ઓથોરિટી ના મુખિયા માત્ર વડાપ્રધાન રહેશે! જેમના હાથમાં તમામ સત્તા રહેશે..

કલમ 50 વાંચો તો એમાં સ્પષ્ટ લખ્યું છે. ઓથોરિટી જે રાહત કામ માટે જે ખરીદી કરે તેના માટે કોઈ ટેન્ડર પ્રક્રિયા નથી કરવાની. ઓથોરિટી ને ઉચ્ચક ખર્ચના બિલ કે રજીસ્ટર સાચવવાથી મુક્તિ અપાઈ છે. તે એટલા માટે કે આપદા માં વિના સંકોચ આવશ્યક ચીજ વસ્તુઓ ઓથોરિટી તત્કાળ ખરીદી શકે.

હવે જોઈએ કોરોના રાહત ફંડના 1 લાખ 70 હજાર કરોડ કયા રાજ્યો કેવી રીતે વાપરે છે. અને કયા રાજ્યોના અહેવાલો ની ટીકા થાય છે. હજી સુધી લોકસભામાં આપદા વ્યવસ્થાપન અહેવાલ બાબતે પક્ષ કે વિપક્ષે બહુ વિરોધ કર્યો હોય તેવું બન્યું નથી. આ વખતે મોટી રકમ છે પણ નરેન્દ્ર મોદી સાહેબ મુખ્ય કર્તા હર્તા હોય તો મને ક્યાં કોઈ ચિંતા છે..?? પણ તમે જ ફરિયાદ કરશો સરકારે કોરોના કૌભાંડ કર્યું. તમારે ફરિયાદ કરવી છે પણ તમે ઉચ્ચ ન્યાયાલય સિવાય ફરિયાદ નહિ કરી શકો. કેમ કે, તમારે કોર્ટમાં ફરિયાદ કરતા પહેલા રાજ્ય સરકાર ની મંજુરી લેવી પડશે. તે મંજૂરી ન આપે તો તમારે 30 દિવસમાં કાનૂની નોટિસ આપવી પડશે. એ નોટિસ નો જવાબ ના મળે તો 15 દિવસની મુદતમાં ઉચ્ચ ન્યાયાલયમાં ફરિયાદ કરવાની. ઉચ્ચ ન્યાયાલય તમારી ફરિયાદ લેવી કે ના લેવી તેનો નિર્ણય લેવા બે માસ ની હિયરિંગ તારીખ નાખશે. આવું કલમ 60 માં જણાવેલ છે.

કોઈ ઓડિટ નહિ. કોઈ ઓડિટર નહિ. કોઈ ફરિયાદ લેનાર નહિ. સાંભળનાર નહિ.. અને 1 લાખ 70 હજાર કરોડ.. સરકારી બાબુઓ અને નેતાઓ ના હાથમાં! તમને શું લાગે છે? કૌભાંડ થશે?

શું તમને એવુ લાગે છે કે બહુજન મુદ્દા ખૂટી ગયા છે???

By Vijay Makwana  || 05 April 2020


એક પોસ્ટ પર એક દોસ્તે ટોણો માર્યો કે, મારી પાસે બહુજન મુદ્દા ખૂટી ગયા છે. મેં જવાબ આપ્યો કે, હું લખતો ન હોઉં એ તમારા માટે ચિંતા નો વિષય છે. કેમ કે જયારે એક બહુજન તરીકે હું લખતો નથી હોતો ત્યારે ફિલ્ડમાં હોઉં છું. અને ફિલ્ડમાં અમે બહુજનો બહુ ખતરનાક હોઈએ છીએ.. વચ્ચે વર્ષ ૨૦૧૭માં મેં લગભગ ૧૦ માસ નો અહીં વિરામ લીધો હતો. તે સમય નો એક મસ્ત કિસ્સો છે. તમને મઝા પડશે..

ઉનાકાંડ તમને યાદ હશે. મેં મારા સામાજિક કાર્યકર દોસ્ત નટુભાઈ ની પ્રશંસા કરેલી. સુરેન્દ્રનગરમાં લગભગ ૧૦૦ થી વધુ સામાજિક કાર્યકરો છે. બધા એકથી એક ચડિયાતા. લગભગની સાથે મારે ઘર જેવા સબંધો છે. હું એકવાર એક સિવિલ દાવો ટાઈપ કરાવી રહ્યો હતો. ત્યાં નટુભાઈ આવી ચડ્યા. મારો અને નટુભાઈ નો રોજ એકવાર તો ભેટો થાય જ..અને તેનું કારણ છે ટાઈપવાળો..મારો અને નટુભાઈનો ટાઈપવાળો એકજ છે. નટુભાઈ નિત્ય લડવાવાળો જુજારું સામાજિક કાર્યકર છે. એ ક્યારેય રજા રાખતા નથી. એમની પાસે અઢળક મુદ્દાઓ છે. લોકોની સમસ્યાઓ અને તેનું કેવી રીતે નિરાકરણ લાવવું એના હજાર આઈડિયા એમની પાસે છે. નટુભાઈ ગમે ત્યારે ટાઈપમાં આવે હું મારું કામ સાઈડ પર મૂકી દઉં છું. અને તેમને ડ્રાફટ તૈયાર કરવામાં મદદ કરી દઉં છું. તે દિવસે તેઓ રાજ્યપાલ શ્રી ને કોઈ સમસ્યા નું નિરાકરણ કરવા પત્ર લખવા આવેલા. અમે આંદોલનની ચર્ચા કરતા હતા. મેં નટુભાઈ ને તે દિવસનું તાજું અખબાર વંચાવ્યું.. એમાં એક કોર્નર પર યોગી આદિત્યનાથ ના સમાચાર હતા. જેમાં લખેલ કે ઉત્તરપ્રદેશ કુશીનગરમાં યોગી આદીત્યાનાથની વિસ્તાર મુલાકાતની યાત્રા હતી. અને કુશીનગર પ્રશાશને દલિતો ને સાબુ અને શેમ્પુ આપી ને કહ્યું કે, મુખ્યમંત્રી આવે છે. તમારે લોકોએ નાહીને આવવું મુખ્યમંત્રીને ગંદા ગોબર લોકો પસંદ નથી. મેં નટુભાઈ ને કહ્યું આ યોગી દલિતોને ન્હાવા ધોવાની સલાહ આપે છે. આનો કોઈક ઉપાય કરવો પડે નટુભાઈ! નટુભાઈ એ કહ્યું: બોલો સાહેબ ! આ યોગીના નાકમાં દમ લાવી દઈએ? એની પાસે માફી મંગાવવી જ છે? મેં કહ્યું: નટુભાઈ મારા શું ભોગ લાગ્યા છે?? અને યોગી ક્યાં મારો સગો છે?? હું શું કામ ના પાડું?? નટુભાઈ એ દિવસે ગયા.. અઠવાડિયા પછી મળ્યા.. આપણે તોડ ગોતી લીધો સાહેબ..!! યોગી માફી માંગશે.. ! એક મહિનામાં નટુભાઈ એ પોતાની જાતે ૧૨૫ કિલોનો સાબુ બનાવ્યો. સાબુ ની બનાવટ માં તથાગત બુદ્ધ ની ડાઈ બનાવી તેમની મૂર્તિ આકારનો સાબુ બનાવ્યો.. અને બીજી ૫૦૦ જેટલી સાબુ ની એવી જ મૂર્તિ સ્વરૂપની નાની નાની ગોટીઓ બનાવી..એક માસ બાદ સીધા ઉત્તરપ્રદેશ! આગોતરા આયોજન મુજબ ત્યાના લોકલ કાર્યકરો અહીં ગુજરાતથી ૩૦ જેટલા લોકો.. એમનું આયોજન હતું યોગી આદિત્યનાથ ને રૂબરૂ ૧૨૫ કિલો નો સાબુ આપવો અને કહેવાનું કે દલિતો ને નહાવાની સલાહ આપવા કરતા તમે આ તથાગત સ્વરૂપ સાબુથી નહાજો અને દલિતો પ્રત્યેની તમારી જે ગંદી માનસિકતા છે. તેને તથાગતના પ્રેરણાદાયક પવિત્ર વિચારોથી ધોઈ નાખજો..!! નટુભાઈ નું બધું કામ પરફેક્ટ હોય..!! આયોજનમાં કોઈ કચાશ ન હોય ન્યુયોર્ક ટાઈમ્સ, ગાર્ડિયન, બીબીસી, સીએનએન, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ધ હિન્દુ બધા ના પ્રતિનિધિઓ તેમને ઓળખે.. અઠવાડિયા આગાઉ તો ઉત્તરપ્રદેશના લોકલ કાર્યકરો દ્વારા લોકલ મીડિયામાં તથા આંતરરાષ્ટ્રીય મીડિયામાં નટુભાઈ એ પ્રચાર કરી દીધેલો. કે ગુજરાતના એક સંગઠનના કાર્યકરો યોગી ને સાબુ આપશે. પણ નટુભાઈ નો આ બાબત સંદર્ભે ગુજરાતમાં કોઈ પ્રચાર નહિ..!! નહિ તો અહીંથી જ યાત્રા અટકી જાય! આ આયોજન માટે નટુભાઈ એ તાત્કાલિક એક અલગ નામથી સંગઠન પણ કાગળ ઉપર બનાવી નાખ્યું..(આ સિક્રેટ રાખવાનો સ્પેશલ કેમિયો છે) હવે બન્યું એવું કે આખે આખો માંચડો લઇ નટુભાઈ ટ્રેન માં બેસી ગયા. બરાબર ઝાંસી સ્ટેશને પહોંચ્યા ઉત્તરપ્રદેશ પોલીસે અધવચ્ચે જ બધાને પકડી લીધા. ઝાંસીમાં જ નટુભાઈ એ ધારણા ચાલુ કર્યા. પોલીસ કોઈપણ સંજોગોમાં આગળ જવા દેવા માંગતી ન હતી. નટુભાઈ એટલે ખેલાડી માણસ! એમને તો ભાવતું હતું ને વૈદે કહ્યું જેવો ઘાટ થયો. તેમણે ઉત્તરપ્રદેશના કાર્યકરો ને કેટલીક માહિતી આપી દીધી. મીડિયા સુધી તે માહિતી પહોંચી ગઈ. અર્ધા કલાકમાં તો આખું મીડિયા ઝાંસીમાં નટુભાઈ પછી ઝાલ્યા ના રહ્યા.. યોગી ને સ્ક્રીન પર ચેલેન્જ આપી દીધી આવતીકાલે બરોબર વિધાનસભા આગળ તમને હાથોહાથ સાબુ આપીશ.. ઉત્તરપ્રદેશ ની લોકલ ચેનલવાળા લોકોએ નટુભાઈ ને સહકાર આપ્યો.. પ્રાઈમ ટાઈમ માં નટુભાઈ ચમક્યા. ઉત્તરપ્રદેશ વિધાનસભાનું સત્ર બીજા દિવસે શરુ થવાનું હતું. નટુભાઈ ઝાંસીમાં હતા લગભગ ઉત્તરપ્રદેશના ૧૦-૧૨ હજાર બહુજન લોકો એકઠા થઇ ગયા.. મોટો તાયફો થઇ ગયો. યોગીના અંગત સચિવ નટુભાઈ ને એ જ રાત્રે મળી ગયા.. કાર્યક્રમ મોકૂફ રાખવા વિનંતી કરી..પણ આ તો નટુભાઈ! કાર્યક્રમ બદલવાની ના પાડી વળતો જવાબ મોકલ્યો.. હું દેશ નો નાગરિક છું. મારા દેશના એક મોટા પ્રાંતના મુખ્યમંત્રી ને મોંઘેરી ભેટ આપવા આવ્યો છું.. હું કોઈ ગુન્હો તો નથી કરી રહ્યો.. તમે યોગીજી ને સમજાવો.. સાબુ લઇ લે..!! બીજે દિવસે યોગી આદિત્યનાથે વિધાનસભા સત્રમાં આ મુદ્દો ઉછળે નહિ ચર્ચા ન થાય તે બીક થી..પોતાના સચિવ મારફત સાબુ ભેટ સ્વીકાર્યો અને કબુલ કર્યું કે કુશીનગર પ્રશાસન ની આ ભૂલ છે. એક મુખ્યમંત્રી તરીકે હું સમાજની માફી માંગું છું. કુશીનગર પ્રશાસનના અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનું વચન આપું છું..

કેટલાક ભગત ને યોગી એટલે તોપનો ગોળો એવું લાગે છે. પણ આવા તોપના ગોળાને અમે નાનકડા બહુજન કાર્યકરો બેઠા બેઠા પોતું મારી ભેજ લગાડી દઈએ છીએ.. ૨૦૧૪ થી ૨૦૨૦ સુધીમાં સાહેબ બહાદુર મંચ ઉપર સાત વખત રડ્યા છે એમાં ચાર વખત અમારા આવા નાના સામાજિક કાર્યકરો એ રડાવ્યા છે. એકવાર સાહેબે ગૌ રક્ષકોને રાત્રીના રખડતા આવારા તત્વો કહેલા! એ શબ્દો સાહેબ કઈ ઘટના ને કારણે બોલેલા તેની પણ એક વિસ્તૃત કથા છે. લોઢું ગરમ થાય ત્યારે હથોડો મારવો આ કહેવત મામુલી કહેવત છે. લોઢું ગરમ થાય ત્યાં સુધી કોણ રાહ જુએ? લોઢું હથોડાથી ટીપાવા સતત ગરમ જ રહે તેવી ટેકનીક દલિત સંગઠનો અને કાર્યકરોએ વિકસાવી છે! એ દલિતો સિવાય કોઈ જાણતું નથી! અંદોલન કેવી રીતે ચલાવવું તેને વિશાળ જન સમુહમાં કેવી રીતે તબદીલ કરવું. સંચાર માધ્યમો વિના લોકો સુધી સંદેશ કેમ પહોચાડવો. કયા મુદ્દામાં કેટલા લોકો ની જરૂર છે. કેટલાની નહિ. વાતાવરણ, પર્યાવરણ, આર્થિક શક્તિ, હેતુ..પ્રતિકુળ બાબતો તેનો અભ્યાસ કરવો..કેટલી સ્ટ્રેટેજી અપનાવવી કેટલી નહિ. ઉપરના નટુભાઈ ના આંદોલનમાં માત્ર ૨૩ વ્યક્તિઓએ હિસ્સો લીધેલો! જેમાં ઉત્તરપ્રદેશના ૯ લોકો હતા. બાકીના ઉત્તરપ્રદેશના ૧૦૦૦૦ લોકો તો મીડિયા લઇ આવેલું... ભાઈઓ! ભારતમાં સરકાર ને કોઈ આયોજન કરવું હોય કે વડાપ્રધાન કે રાષ્ટ્રપતિને ક્યાંય મુલાકાત લેવી હોય તો મહિના અગાઉ અમારા સામાજિક કાર્યકરોની રેકી કરવી પડે છે..આ લોકોના જેટલા આંદોલન હોય તેનો નિકાલ કરો. નહિ તો બધું રફેદફે કરી નાખશે! બીક બીક માં તો સાહેબની સરકાર ચાલે છે.. નથી માનતા? ફિલ્ડ માંથી બીજા કિસ્સા લઇ આવું?



~ વિજયમકવાણા

જે બનવું હોય તે બનજે પણ સહુથી પહેલા ભારતીય બનજે...

By Vijay Makwana  || 07 April 2020


ઇસાપૂર્વ બીજી સદીમાં કુષાણ વંશમાં એક રાજા થઇ ગયો નામ એનું કનિષ્ક. જે એક બૌદ્ધ રાજા હતો. જેના સમયમાં તેણે બૌદ્ધ ધર્મનો ખુબ પ્રચાર કરેલો. પોતાના રાજ્યમાં તેણે પોતાના ચલણી સિક્કાઓ પર ભારતીય સંસ્કૃતિના તમામ ધર્મના પ્રતીકો અને દેવતાઓનું ચિત્રણ કરેલ. તેણે પોતાના રાજમાં ઘણા બોદ્ધ વિહારો બનાવ્યા હતા. ઘણા સ્તુપોની રચના કરી હતી. બુદ્ધચરિત નામના ગ્રંથની રચના કરનાર મહાન બૌદ્ધ દાર્શનિક અશ્વાઘોષ તેના માર્ગદર્શક હતા. કનિષ્ક મહાયાની બોદ્ધ હતો. તેના કાળ સુધી બુદ્ધની મૂર્તિઓ બનતી ન હતી. પણ તેની ઈચ્છા હતી કે ધમ્મ નો પોતાના સામ્રાજ્ય તથા તેના સામ્રાજ્ય સાથે વ્યાપારિક રીતે જોડાયેલા ગ્રીક, યુઆન, અને ચીન જેવા દેશોમાં પણ બોદ્ધ ધમ્મ નો પ્રચાર થાય તે માટે તેણે બુદ્ધની મૂર્તિ બનાવવા અશ્વાઘોષ પાસે પરામર્શ કરેલ. અશ્વાઘોષ જેણે ફોર્થ બુદ્ધિસ્ટ કાઉન્સિલ એટલે કે બુદ્ધ સંગતિ બોલાવી મૂર્તિ બનાવવા નો પરામર્શ કરવા સુચન કર્યું. ચોથી બુદ્ધ સંગતિ કાશ્મીરમાં કનિષ્કએ બોલાવી અને બુદ્ધની પ્રથમ મૂર્તિ બની..! કનિષ્ક એ બુદ્ધની આકૃતિ કંડારેલા ૮૪૦૦૦૦૦ સોનાના સિક્કા ચલણમાં મુક્યા. મ્યાનમાર થી ગ્રીસ સુધી જતા સિલ્ક રૂટ પર હજારો બુદ્ધ મૂર્તિ તથા વિહારોની સ્થાપના કરી.. કુષાણ આમ વિદેશી પ્રજા હતી પણ કનિષ્ક ચાર ચાર પેઢીથી ભારતમાં રહેતો હતો તેથી ભારત ને પોતાની માતૃભૂમિ કહેતો હતો..જીવન ના અંત સમયમાં મરણ પથારીએ રહેલા કનિષ્ક એ પોતાના પુત્ર હવીષ્ક ને જે સલાહ આપી તે આ મુજબ છે..

“પુત્ર.! ભારત ની આ ધરતી આપણી માતા છે. અને આપણે તેના સંતાનો. માતા અને સંતાન નો આ સબંધ સહુથી પવિત્ર સબંધ છે. આપણે સહુ માતાના ગર્ભમાંથી જન્મ લઈએ છીએ અને આ ધરતી માતાના ગર્ભમાં સમાઈ જઈએ છીએ. અને જ્યાં સુધી ધરતી પર શ્વાસ લઇએ છીએ આપણી દરેક જરૂરિયાત આ ધરતી માતા પૂરી કરે છે. એટલે આપણે તેની ઉપાસના કરીએ છીએ. સૂર્ય આપણને ઉર્જા આપે છે એટલે આપણે તેની ઉપાસના કરીએ છીએ. ચંદ્રમા આપણને શીતળતા આપે છે એટલે જ આપણે તેની ઉપાસના કરીએ છીએ. આપણને જીવન પ્રદાન કરવા માટે થઈને આપણે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. તું સિંધુ, ગંગા, યમુના, કુંભા વિગેરે ને પોતાની માતાઓ ગણજે. ક્યારેય વૈદિક, અવૈદિક, બ્રાહ્મણ, બૌદ્ધ માં ભેદભાવ ન કરતો. મારા પિતા શિવના ઉપાસક હતા પણ દરેક દેવતાઓનું સન્માન કરતા હતા. હું બુદ્ધનો ઉપાસક છું પણ મેં તમામ દેવતાઓનું સન્માન કર્યું છે. આજ ભારત છે! પોતપોતાના દેવતાઓમાં વિશ્વાસ કરવો એ વ્યક્તિગત ધર્મ છે. પણ એક ધર્મ એ પણ છે જે તમામ ધર્મોની ઉપર છે. અને તે છે રાષ્ટ્રધર્મ! આ ધર્મ રાજાઓને ચલાવે છે. અને પ્રજાનું પાલન કરે છે. એટેલે તું હમેશા એ યાદ રાખજે કે, રાષ્ટ્ર ધર્મથી મોટો કોઈપણ ધર્મ નથી હોતો.. આ જ ભારતની અસલી સંસ્કૃતિ છે..! ‘સા પ્રથમા સંસ્કૃતિવિશ્વવારા’ એવું યજુર્વેદમાં લખેલું છે. જેનો મતલબ છે ‘આ વિશ્વને ધારણ કરવાવાળી પોષણ કરવાવાળી સંસ્કૃતિ છે. એનો અનુયાયી બનજે. અને એનું રક્ષણ કરજે. તારે બૌદ્ધ બનવું હોય તો બૌદ્ધ બનજે ! જૈન બનવું હોય તો જૈન, શૈવ બનવું હોય તો શૈવ બનજે! જે બનવું હોય તે બનજે પણ સહુથી પહેલા ભારતીય બનજે..”

~ વિજયમકવાણા

વિજ્ઞાન વિશે એક મઝાની વાત...

By Vijay Makwana  || 16 April 2020

Science versus Religion

વિજ્ઞાન વિશે એક મઝાની વાત હોય તો એ છે કે, વિજ્ઞાન હંમેશા ટીકાઓ માટે
અને ચર્ચાઓ માટે તૈયાર રહે છે. એના માં ખુલ્લાપણું ખુબ છે. એ બંધિયાર
નથી. દુનિયામાં ઘણી શક્તિઓ એવી છે કે જે વિજ્ઞાન ને પણ ધર્મ બનાવવાની
મથામણ કરે છે. પણ વિજ્ઞાને પોતે પોતાના માટે એક નિયમ બનાવ્યો છે. પોતાના
નિયમો સાર્વજનિક હોવા જોઈએ અને તેની સાર્વજનિક ચર્ચા થવી જોઈએ. આપણે જોઈ શકીએ છીએ કે આપણે આઇન્સ્ટાઇન ના નિયમોમાં ત્રુટી છે તે જોઈ શકીએ છીએ. કારણ કે, આઇન્સ્ટાઇન ના નિયમને જૂઠા સાબિત કરતા બીજા સાયન્ટીફીક પેપર્સ આપણી પાસે હાલ મોજુદ છે. દરેક વ્યક્તિ અહીં ગણિત શીખી શકે છે. અને એ પણ બિલકુલ નવીનતમ ગણિત. તે મોનોગ્રાફ વાંચી શકે છે. આર્ટીકલ વાંચી શકે છે. વિજ્ઞાનસભાઓમાં જઈ શકે છે. બીજા વિજ્ઞાનીકો સાથે લાંબી લાંબી ચર્ચાઓ કરી શકે છે અને પોતાનું સત્ય તારવી શકે છે. આ ખુલ્લાપણું વિજ્ઞાનની અમોઘશક્તિ છે. જેની સામે ધર્મ વિકલાંગ બની જાય છે. ધર્મ હંમેશા બંધિયાર રહ્યો છે. તેમાં પરિવર્તનની કોઈ શક્યતા નથી. તેના નિયમો કેમ આવ્યા તે કાયમ રહસ્ય રહ્યાં છે. કેમ કે ધર્મના નિયમ વિષે સાર્વજનિક ચર્ચા થવાનો સંભવ શક્ય નથી. નિયમ સામે શંકાઓ નથી થઇ એટલે તે બદલાયા નથી. ધર્મના નિયમો અફર છે કેમ કે તેને એક પ્રકારે આદરથી જોવામાં આવે છે. કેમ કે તેના પર ઈશ્વરનો માર્કો લગાવવામાં આવે છે. જેથી તે નિયમ હંમેશને માટે એક રહસ્ય બની જાય છે. અને એટલે જ ધાર્મિક શિક્ષણ વિકૃત બની ગયું છે. ધર્મના સત્તાધીશો જે અનુયાયીને સમજાવે તે તેમના માટે આખરી શબ્દ હોય છે. કોઈ સામાન્ય વ્યક્તિ તે નિયમને પડકારી નથી શકતો કે તેનું સાચું અર્થઘટન નથી કરી શકતો..

~ વિજયમકવાણા

એક પદયાત્રા, ત્રણ તસવીર

By Raju Solanki  || 12 April 2020


આજે મારા એક કઝિનનું મૃત્યુ થયું. સવારે દસ કલાકે એની અંતિમક્રિયા દૂધેશ્વર સ્મશાગૃહમાં થઈ. કઝિન કોટના વિસ્તાર રહેતા. ત્યાંથી સ્વજનો શબવાહિનીમાં એમના મૃતદેહને લઇને નીકળ્યા. મારી પાસે વાહન નથી. એટલે હું ઘરેથી ચાલતો ચાલતો દૂધેશ્વર જવા નીકળ્યો. 5 કિમી. જવાના. 5 કિમી. આવવાના.

10 કિમીની આ પદયાત્રામાં મેં મારા મોબાઇલથી ત્રણ ફોટા પાડ્યા. પહેલો ફોટો દૂધેશ્વર વોટર વર્ક્સ પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સઘન કચરાનો નિકાલ કરતા વાહનનો છે. બે સફાઈદૂત નગ્ન હાથે કચરો ભરેલી લારીમાંથી ડબ્બા ઉપાડી ઉપાડીને વાહનમાં ઠાલવતા હતા. મેં એમને પૂછ્યું, તમને ગ્લોવ્ઝ નથી આપ્યા?. પોતાની કામગીરીમાં મસ્ત એ લોકોએ મારા સવાલનો તુરંત જવાબ ના આપ્યો. હું ઉભો રહ્યો. પંદર સેકન્ડ પછી એકે કહ્યું કે ગ્લોવ્ઝ આપ્યા છે, પરંતુ એનાથી પક્કડ રહેતી નથી. કામ કરતા ફાવતું નથી. મેં કહ્યું એક ફોટો પાડું તમારો. એમને ફોટો પડાવવામાં રસ જ નહોતો. ફોટામાં આ જે માણસ ઝીલાયો છે, એનો સાથીદાર તો હું ક્લિક કરું એ પહેલા ફ્રેમની બહાર નીકળી ગયો.

આ કેવા માણસો છે. અહીં કોરોના-યુગમાં લોકો ઘરમાં બેસીને ગિટાર વગાડે, ડાન્સ કરે, પત્તા રમે, ગીત ગાય, અંતાક્ષરીઓ રમે, એના ફોટા પાડે, વીડીયો બનાવે, સોશીયલ મીડીયામા મૂકે અને ટીવી ચેનલો પર સ્ટે હોમ, સ્ટે હેપ્પીના સંદેશ સાથે દર્શાવાય અને અહીં આ સફાઈ કામદારોને ફોટા પડાવવામાં સહેજે રસ નથી.

બીજો ફોટો દૂધેશ્વર સ્મશાનમાં મૂકાયેલી #દધિચિ ઋષિની પ્રતિમાનો છે. આ પ્રતિમા અગાઉ સ્મશાનમાં નહોતી. પ્રતિમાની નીચે #દધિચિ ઋષિની કપોળ કલ્પિત કહાની છે. વૃત્રાસુરે દેવલોક પર આક્રમણ કર્યું. ઇન્દ્ર ભાગી ગયો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પાસે ગયો. એમણે કહ્યું કે અમારી પાસે કોઈ શક્તિ નથી, પંરંતુ દધિચિ ઋષિ પાસે જા. એના હાડકા તપસ્યા કરીને કઠોર થઈ ગયા છે. ઇન્દ્ર દધિચિ પાસે ગયો. એના હાડકા માંગ્યા. એમાંથી વજ્ર બનાવ્યું અને વૃત્રાસુરનો નાશ કર્યો.

કહેવાય છે કે દધિચિએ માનવજાતિનું કલ્યાણ કર્યું. મને કાયમ એ સવાલ થાય છે કે દધિચિએ તો ટ્રમ્પ જેવા લબાડ, નાલાયક, ઐયાસ, હરામી ઇન્દ્રની ગાદી બચાવવા માટે એના હાડકા આપેલા. આમાં માનવજાતિનું કલ્યાણ ક્યાંથી આવ્યું?. હજારો હિન્દુઓ આવી વાર્તા સ્મશાનમાં વાંચે છે. મનુવાદની આ બૂનિયાદ છે.

ત્રીજી તસવીર શાહીબાગની પોલિસ કમિશનરની કચેરીની સામે ફુટપાથ પર બેઠેલી વૃદ્ધાની છે. એને ભારતમાતા જ કહોને. કોરોનાના કપરા કાળમાં આ ઘરવિહોણી મહિલા શહેરના પોલિસ કમિશનરની કચેરીની સામે જ બેસી રહે છે. જોડે એના મોંઘેરા અસબાબ જેવી પ્લાસ્ટિકની થેલીઓ છે. એને કોરોનાની લગીરે બીક નથી. આ તસવીર વિસ્થાપિત ભારતની છે.

ત્રણ તસવીરો. બે તસવીરો જીવાતા જીવનની છે. એક તસવીર દંતકથાની છે.. ત્રણેય તસવીરોને જોડનારો એક તંતુ છે. ભારત દધિચિની કપોળ કાલ્પનિક કહાનીમાં રાચતું રહેશે ત્યાં સુધી એના સફાઈદૂતોને, એના વિસ્થાપિતોને ન્યાય નહીં મળે.

બહુ દિવસે આવી પદયાત્રા કરી. ઘરે આવ્યો ત્યારે થાકી ગયો. પરંતુ ત્રણ તસવીરોની આ કથા લખવાથી મારો થાક ઉતરી ગયો.

- રાજુ સોલંકી

કોરોના-યુગની કઠણાઈ

By Raju Solanki  || 12 April 2020


India ranks below Pakistan, Lanka in Global Hunger Index, report ...
સરસપુર, પોલિસ ચોકીની બાજુમાં આવેલા કડીયાવાડમાં રહેતા રાજુ ભાવસાર રમકડાં, ફુગ્ગા વેચીને ગુજારો કરતા હતા. લોકડાઉનમાં એ પણ બંધ થઈ ગયું. 65 વર્ષના રાજુભાઈ એકલા જ રહે છે. પરીવારમાં બીજું કોઈ નથી. થોડાક દિવસો પહેલાં કડીયાવાડમાં પોલિસ સરવે કરવા આવેલી. રાજુભાઈ છેક અંદરના ભાગમાં કહે છે. કોઇએ એમનું નામ આપેલું નહીં. એટલે ફુડ પેકેટ પણ મળ્યા નહીં. હવે શું કરવું કોર્પોરેશનના અધિકારીઓ ફોન ઉઠાવતા નથી, એમ તેમણે જણાવ્યું હતું.

એસજી હાઇવે પર ગ્રાન્ડ ભગવતીની સામે આવેલી ધી ગ્રાન્ડ ઇડન હોટલના માલિક જયસુખ ભટ્ટ જણાવે છે કે એમણે છ છોકરાઓને એમની હોટલમાં આશરો આપ્યો છે. છેક કોલકાતા છે. અહીં મજુરી કરતા હતા. લોકડાઉનના કારણે વતનમાં પાછા ફરી શક્યા નથી.

વસ્ત્રાલ-ઓઢવવની વચ્ચે, પાંજરાપોળની પાછળ, તનમન ભાજીપાંઉની સામે ઔડાના ચાર માળીયા નામે સત્યમ આવાસ છે. અહીં અંદાજે 2000ની વસતી છે. છૂટક મજુરી કરતા આ લોકો હાલ ભૂખે મરે છે.

મધુરમ ફ્લોરા, ચાંદખેડાથી રમેશ પરમાર જણાવે છે કે, એમના ત્યાં બાંધકામની વિવિધ સાઇટો પર કામ કરતા 60 મજુરો તકલીફમાં છે. વારાણસી, બલીયા બાજુના આ મજુરો લોકડાઉનના કારણે ચાંદખેડામાં ફસાઈ ગયા છે અને હવે તેમને ખાવાના ફાંફા છે. રમેશભાઈ પોતે સીઝનલ ધંધો કરતા હતા. કાગળની થેલીઓ બનાવીને દુકાને દુકાને ફરીને વેચતા હતા. એમનો ધંધો પણ હવે બંધ થઈ ગયો છે.

ન્યૂ રાણીપ શિવદર્શન સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા રોબર્ટ ક્રિશ્ચિયન સિક્યોરિટીમાં નોકરી કરતા હતા. હાલ બેકાર થઈ ગયા છે. એમને શ્વાસની તકલીફ છે અને ઉપરથી હવે ખાવાના ફાંફા છે.

ઓમનગર, ફાટકની જોડે, ક્વાટર્સની બાજુમાં ખાડાવાળી ચાલીમાંથી વિનોદ પરમાર જણાવે છે કે, અહીં છાપરામાં 75 પરીવારો વસે છે. તેઓ નરોડા ફ્રુટ માર્કેટમાં મજુરી કરતા હતા. હાલ માર્કેટ બંધ છે. તેઓ સૌરાષ્ટ્ર બાજુના છે. વિસ્તારના ધારાસભ્ય વલ્લભ કાકડીયાને ફોન કરતા તેમણે તેમના વોર્ડ પ્રમુખ ભાવિન જોડે વાત કરવા જણાવેલું. પણ કશું થયું નથી.

શાહપુર, મહેંદીકુવા, કાઝીમિયાંની ચાલીમાં વીસ પરીવારો ભાડાના મકાનોમાં રહે છે. તેઓ છૂટક મજુરી કરતા હતા. હાલ તકલીફમાં છે, એમ જગદીશભાઈ તુલસીભાઈ બોડાણા જણાવે છે.

- રાજુ સોલંકી

April 19, 2020

કોરોનાનો પડકાર

By Raju Solanki  || 17 April 2020



કોરોના વાયરસનું ઉત્પત્તિસ્થાન ચીન છે. અંગ્રેજીમાં તેને ગ્રાઉન્ડ ઝીરો કહે છે. ચીની વૈજ્ઞાનિકોએ વુહાનમાં કોરોના વાયરસનો ચેપી રોગચાળો ફાટી નીકળ્યો પછી જેને સૌથી પ્રથમ કોરોનાનો ચેપ લાગેલો એ વ્યક્તિને શોધી કાઢેલી. આવી વ્યક્તિને પેશન્ટ ઝીરો કહે છે. આવી વ્યક્તિ કે વ્યક્તિઓના શરીરમાંથી મળેલા કોરોના વાયરસના ડીએનએનું વિશ્લેષણ કરતાં ચીની વૈજ્ઞાનિકોને તેમાં ચામાચીડીયા અને પેંગોલિનના ડીએનએ મળી આવેલા. પેંગોલિન નષ્ટ થતું પ્રાણી છે. વિનાશના આરે ઉભેલી દુર્લભ પ્રજાતિ છે. પેંગોલિન અને ચામાચીડીયાનો આહાર કરતા લોકોને આ વાયરસનો ચેપ લાગેલો. ચીની સરકારે હાલ પેંગોલિન અને ચામાચીડીયાના આહાર પર પ્રતિબંધ મુકી દીધો છે.

ચીની વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસની જીનોમ સીક્વન્સ શોધી કાઢી છે અને તેઓ તેની વેક્સિન બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે. સમગ્ર વિશ્વને આની ખબર છે. ગઈ કાલે ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ચૈતન્ય જોષીએ જણાવ્યું કે તેમની ટીમે કોરોના વાયરસના ત્રણ નવા સ્વરુપો (મ્યુટેશન) શોધી કાઢ્યા છે. છ સ્વરુપોની તો દુનિયાને જાણ હતી જ. જો આ સંશોધનનો અહેવાલ સાચો હોય તો એ અત્યંત ગંભીર બાબત છે. આનો અર્થ એવો થયો કે કોરોના વાયરસ ભારતમાં અને ગુજરાતમાં નવા સ્વરુપે આવ્યો છે. ચીફ મિનિસ્ટર ઓફિસ આ સમાચારની જાહેરાત કરતા જાણે આ કોઈ મોટી સિદ્ધિ હોય તેમ ફૂલીને ફાળકો થઈ ગઈ. પણ આમાં ફુલાવા જેવું કંઈ જ નથી. માનવજાતિ કદાચ એના ઇતિહાસમાં પહેલીવાર એક એવા ભયંકર રોગ સામે લડી રહી છે, જેનો અંદાજ માનવ જાતિને પોતાને નથી.

#રાજુસોલંકી

બાબાસાહેબના ચાહક: અભિનેતા દિલીપકુમાર

By Raju Solanki  || 19 April 2020



બોલીવુડના અભિનેતા દિલીપકુમાર ડો. બાબાસાહેબ આંબેડકરના મહાન ચાહક હતા. એકવાર દિલીપકુમાર ઔરંગાબાદમાં એક ફિલ્મનું શુટિંગ કરી રહ્યા હતા. તેમને ખબર પડી કે બાબાસાહેબ બાજુના સુભેદરી ગેસ્ટ હાઉસમાં ઉતર્યા છે, તો તુરન્ત એમના શુટિંગના અત્યંત વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને દિલીપકુમાર બાબાસાહેબને મળવા ધસી ગયા હતા. ગેસ્ટહાઉસમાં બંને વચ્ચે બહુ લાંબી ચર્ચા થઈ હતી. વાતચીત દરમિયાન બાબાસાહેબે દિલીપકુમારને જણાવ્યું કે તમે મુસ્લિમ સમુદાયના ગરીબો માટે કશુંક કરવાનું વિચારો. બાબાસાહેબની વાત દિલીપકુમારના દિલમાં ઉતરી ગઈ હતી. એ વખતે તો તાત્કાલિક તેમણે કશું નહોતું કર્યું. પરંતુ, વર્ષો સુધી આ વાત એમના દિમાગમાં ઘોળાયા કરી હશે અને તે પાછળથી પસમાંદા મુસ્લિમો (ઓબીસી મુસ્લિમો)ના મંચ સુધી દિલીપકુમારને દોરી ગઈ હતી.

બહુ ઓછા લોકોને આ વાતની ખબર છે કે દિલીપકુમાર બોલીવુડની એક સર્વકાલીન મહાન સેલીબ્રીટી અને ઉચ્ચ વર્ગીય મુસલમાન હોવા છતાં મહારાષ્ટ્રમાં પછાત (પસમાંદા) મુસલમાનોના અધિકારો માટે ઓલ ઇન્ડીયા મુસ્લિમ ઓબીસી ઓર્ગેનાઇઝેશન (એઆઈએમઓબીસીઓ)ના કર્મશીલો સાથે કામ કર્યું હતું.

પસમાંદા મુસ્લિમો માટે કામ કરતા શબીર અન્સારી અને વિલાસરાવ સોનવણે દિલીપકુમારને સૌ પ્રથમવાર મુંબઈના ઇસ્લામ જીમખાનામાં મળ્યા હતા. દિલીપકુમારે તેમને શાંતિથી સાંભળ્યા હતા. દિલીપકુમાર સામાજિક રીતે અત્યંત સંવેદનશીલ હતા. દેશમાં દુકાળ, પુર જેવી આફતો આવે કે ઇન્ડીયન આર્મી નો કોઇપણ મુદ્દો હોય દિલીપકુમાર હંમેશાં આગલી હરોળમાં રહેતા. તેએ કહેતા હતા કે कोई भी फिल्मी हस्ती अगर सोशीयल इश्यूझ में सोसायटी के साथ नहीं रहेती तो लोग उसे स्क्रीन से उतरते ही भूला देंगे. ये सिर्फ सोशीयल एक्टीवीझम है जो उसे जिंदा रखेगा. શબીરભાઈ અને વિલાસભાઈએ દિલીપકુમારે મંડલ પંચની ભલામણો અંગે જણાવ્યું. અને તેમને કહ્યું કે મુસલમાનોના 85 ટકા પસમાંદા છે અને ઓલ ઇન્ડીયા મુસ્લિમ ઓબીસી સંગઠન આ દિશામાં કામ કરશે. 

1990માં દિલીપકુમાર ઓલ ઇન્ડીયા મુસ્લિમ ઓબીસી સંગઠનમાં સત્તાવાર રીતે જોડાયા અને પછી તો તેમણે સંગઠનની રોજબરોજની પ્રવૃત્તિમાં દિલ દઇને સાથ આપ્યો. દિલીપકુમારે સમગ્ર દેશમાં સંગઠનની સોથી વધારે રેલીઓમાં હાજરી આપી અને સંબોધન કર્યું. ઔરંગાબાદ અને લખનૌની તેમની રેલીઓએ તે સમયે રાજકીય ભૂકંપ પેદા કર્યો હતો. એમના સેલિબ્રિટી સ્ટેટસને કારણે હજારો લોકો સંગઠનની સભાઓમાં આવતા હતા અને રાજકીય વર્ગને પણ તેની નોંધ લેવાની ફરજ પડતી હતી. આ તમામ સભાઓમાં દિલીપકુમાર એક વાત ખાસ જણાવતા હતા કે અનામત પછાત મુસલમાનનો માટે ધાર્મિક મુદ્દો નથી, પરંતુ તેમના આર્થિક ઉત્કર્ષ માટેનું સામાજિક માધ્યમ છે. દિલીપકુમાર પસમાંદાનો પાવરફુલ અવાજ બન્યા હતા. દિલીપકુમારના પ્રયત્નોને કારણે મહારાષ્ટ્ર સરકારને 1990માં પસમાંદા મુસલમાનોને ઓબીસીમાં સમાવવાની ફરજ પડી હતી.

મહાન અભિનેતા દિલીપકુમાર વિષે હજુ ઘણું લખાય એમ છે. આ તો માત્ર શરુઆત છે. હાલ તો એટલું કહી દઉં કે આ પોસ્ટ લખવાની પ્રેરણા દિલીપકુમાર વિષે લખાયેલા એક ગંદા લેખમાંથી મને મળી છે. તમે આ ગંદો લેખ વાંચ્યો હશે. જેમાં બાબાસાહેબે દિલીપકુમારને ગાળો બોલી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સત્ય એનાથી તદ્દન વિપરીત છે. હકીકતમાં, દિલીપકુમાર અને બાબાસાહેબના સંબંધો બહુજન ઇતિહાસનું એક મહત્વનું પ્રકરણ છે.

- રાજુસોલંકી

Image may contain: 4 people, people standing and indoor

Image may contain: 7 people

Image may contain: 3 people, people standing and child

કોરોના અંગે ગંભીરતા કેળવવા માટે આટલુ જરૂરથી વાંચો

By Manish Bhartiy  || 28 March 2020



વગર ચેતવણીએ આવ્યો અને ફેલાઈ ગયો નોવેલ કોરોના-19.
8 ડિસેમ્બર 2019ના દિવસે પ્રથમ કેસ ચીનના વુહાન શહેરમાં જોવામાં આવ્યો જે ટિપિકલ ન્યુમોનિયા જેવો લાગ્યો ડોકટરોને શરદી,ખાંસી, તાવ અને શ્વાસ લેવામાં પડતી તકલીફો સાથે આવેલ 71 વર્ષીય પેશન્ટ એડમીટ કરવામાં આવ્યો પરંતુ એક્સરે અને બીજા રિપોર્ટના આધારે સાર્સ કોરોના(2003) હોવાનું સમજી તબીબી સારવાર શરૂ કરવામાં આવી.
સાર્સ વાયરસ 2003માં જોવામાં આવ્યો હતો જેમાં 8 થી 10 હજાર લોકો સક્રમિત્ત થયા હતા અને 774 લોકોનો ભોગ લીધો હતો અને તેના ઉપર કન્ટ્રોલ મેળવતા 10 મહિના લાગ્યા હતા. પરંતુ ચીની મેડિકલ સાયન્સ દ્વારા પરીક્ષણ કરતા જાણવા મળ્યું કે વુહનમાં જોવા મળેલ વાયરસ સાર્સ વાયરસ સાથે 76% જિનેટિકલ સમાનતા ધરાવે છે પરંતુ આ વાયરસ સાર્સ નથી સાર્સ કરતા ઓછો જીવલેણ છે પરંતુ સંક્રમણમાં ઝડપી છે અને જે પેશન્ટ સક્રમીત થયેલ છે તેના લક્ષણ વુહન શહેરના અલગ અલગ વન્ય જીવોના મટન માર્કેટમાં વેપાર કરતા બે વેપારીની બીમારી સાથે મળતા આવે છે તપાસ કરતા જાણવા મળ્યું કે પ્રથમ પેશન્ટ અવારનવાર મટન માર્કેટની મુલાકાત કરતા હતા ત્યા સુધીમાં ચાઈના મેડિકલ સાયન્સ જાણી ચૂક્યું હતું કે ઉટ અને ચામાચીડિયામાં જોવા મળતો વાયરસ કોરોના વાયરસ છે કેમકે સાર્સ સંક્રમિત પેશન્ટ સઁક્રમણના 7 દિવસ પછી તેનો ફેલાવો કરતો હતો અને સંપર્કમાં આવવાથી કે વાત કરવાથી ફેલાતો નહોતો જ્યારે કોવિડ-19 સઁક્રમણ થવાની સાથે જ પેશન્ટ દ્વારા ફેલાવવાનું શરૂ થઈ જતો હતો સંપર્ક અને વાત કરવા દરમિયાન પણ ફેલાઈ રહ્યો હતો.


  • 31 ડિસેમ્બર 2019ના દિવસે ચીન દ્વારા WHO ને આ વાયરસની જાણકારી આપવામાં આવી.
  • 12 જાન્યુઆરીએ ચીન દ્વારા કોરોના કોવિડ-19 નામ આપવામાં આવ્યું.
  • 20 જાન્યુઆરીએ ચીની હેલ્થ ડીપાર્ટમેન્ટ દ્વારા ખુલાસો થયો કે માણસથી માણસમાં ફેલાતો વાયરસ રોકવા વુહાન શહેરનો દુનિયાથી સંપર્ક કાપવામાં આવે.
  • WHO દ્વારા 29 જાન્યુઆરીએ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી ત્યાં સુધી કોરોના 20 દેશોમાં પ્રસરી ચુક્યો હતો અને ત્યારે દુનિયાના બધા દેશોના નાગરિકો ચીનમાંથી પરત બોલાવવા માટે કામે લાગી ગયા.

ચાઈના ન્યુ યરના કારણે ડોક્ટર અને હોસ્પિટલમાં ઘણો બધો સ્ટાફ રજા ઉપર ઉતરેલો હોવાથી કોરોનાનો ફેલાવો ઘણો થઈ ગયેલો એટલે વુહનમાં તાત્કાલિક બધાજ હોસ્પિટલ સ્ટાફની રજા નામંજુર કરી પરત બોલાવવામાં આવ્યા અને કન્સ્ટ્રક્શન વર્કરોને ત્રણ ગણી હાજરી આપી બે હોસ્પિટલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું.
મોબાઈલ અને ઈન્ટરનેટનો ઉપયોગ કરી નાગરિકો સુધી કોરોના વિષે જાણકારી પહોંચાડવામાં આવવા લાગી ડોકટર રજા ઉપર હોય કે હોસ્પિટલમાંથી છૂટીને ઘરે પહોંચ્યા હોય નાગરિકોના સવાલોના જવાબો મોડી રાત સુધી ઓનલાઈન ચેટ દ્વારા આપવામાં કામે લાગી ગયા તેનાથી નાગરિકોને ઘરે બેઠા જાણકારી પ્રાપ્ત થવા લાગી કે પોતે કોરોના ગ્રસ્ત છે કે નહીં. જેથી નવી બનેલી કોરોના હોસ્પિટલમાં પેશન્ટ એજ આવતા જેઓને કોરોનાના લક્ષણો હતા.
સાર્સ (2003) વાયરસે હોંગકોંગ અને સિંગાપોરમાં કહેર વર્તવ્યો હતો જેના કારણે ચીની નાગરિકોને વાયરસ સામે કઈ રીતે લડવું તેનો અંદાજો હતો ગભરાયા વગર સ્કૂલ બંધ કરવી કામકાજ બંધ કરવા જેવા નિર્ણય લેવામાં તેઓએ પીછેહટ ન કરી. તેઓ છેલ્લા 16 વરસથી ત્યાંના નાગરિકો માટે સમયે સમયે ટ્રેનિંગ પણ આયોજિત કરી રહ્યા હતા વાયરસ સામે શુ કરવું, કઈ રીતે આયોજન કરવું બધા જ જવાબો ચીની નાગરિકો પાસે હતા તેઓ પહેલેથી તૈયાર હતા. તેમને તરત અંદાજો આવી ગયો હતો કે આ મહામારીમાંથી નીકળવા નાના હોસ્પિટલ કામ નહીં કરે એટલે તાત્કાલિક બે મોટી હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લેવાયો જે ફક્ત બે અઠવાડિયામાં જ નિર્માણ કરવામાં આવી.
ચીનમાં ફેલાયેલ સાર્સ વાયરસની જાણકારી મેળવવામાં દુનિયાને 4 મહિના લાગ્યા હતા ત્યારે પણ ચીન ઉપર જાણકારી છુપાવવાના આરોપ લાગ્યા હતા અને અત્યારે પણ આરોપ લાગી રહ્યા છે.  કેમકે ચીને કોરોના કોવિડ-19ની માહિતી દુનિયાને 1 મહિના પછી આપી હતી હવે જોવાનું એ રહે છે કે દુનિયા કોરોનામાંથી બહાર આવી શું નિર્ણય લે છે?

અત્યારે આપણે પડીશું, ફરી ઉભા થઈશું આ દરમિયાન કેટલાક યોદ્ધાઓ(ડોક્ટર) ,સંબંધી અને નજીકના સગાઓ ખોઈશું પણ દુનિયા આ ખોયેલા લોકોને યાદ કરીને કઈક શીખશે જરુર. આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેવા પ્રયત્નો કરીશું સાથે સાથે આપણે આભારી રહીશું ડોકટર,પોલીસ, સફાઈ કર્મચારીઓ અને હોસ્પિટલ સ્ટાફના જેમના પ્રયત્નો થકી આપણે કોરોના મુક્ત થઈશું.

- મનીષ ભારતીય

March 30, 2020

ઑફિશ્યલ આંકડા જેના માટે લોકડાઉન ની કોઈ વ્યવસ્થા નથી

By Vijay Makwana  || 28 March 2020


તમને ડર નથી લાગતો તેવા આંકડા.. આ આંકડા ઑફિશ્યલ છે.

દુનિયામાં માત્ર ભૂખ ના કારણે રોજ 9000 લોકો મૃત્યુ પામે છે.

દુનિયામાં અશુદ્ધ પાણી પીવાથી થતાં રોગોના કારણે ચાલુ વર્ષમાં 2,00,000 લોકો મૃત્યુ પામ્યા.

દુનિયામાં સિઝનલ ફ્લૂ ના કારણે ચાલુ વર્ષમાં 110000 લોકોના મૃત્યુ થયા.

દુનિયામાં ચાલુ વર્ષ દરમિયાન પ્રસૂતિ માં 73000 મતાઓનું મૃત્યુ થયું.

દુનિયામાં ચાલુ વર્ષ માં જ 18,00000 કુપોષિત બાળકો પોતાના જીવનના 5 વર્ષ પૂરા ન કરી શક્યા..

દુનિયામાં ચાલુ વર્ષમાં 4,00000 લોકો માત્ર એઇડ્સ થી મૃત્યુ પામ્યા.

દુનિયામાં ચાલુ વર્ષમાં 240000 લોકો મેલેરિયા થી જીવ ગુમાવ્યો.

દુનિયામાં ચાલુ વર્ષે કેન્સર ના રોગે 1900000 લોકોનો ભોગ લીધો..

દુનિયા એ ચાલુ વર્ષમાં ધૂમ્રપાન ના કારણે 1100000 લોકો મરણ ગયા.

અને દારૂના કારણે 500000 લોકો મરણ શરણ થયા.

અને ચાલુ વર્ષે માતાના ગર્ભમાં જ મૃત્યુ પામનારા બાળકોની સંખ્યા 10 કરોડ છે.

અને મિત્રો આપણે જુદા જુદા કારણો અને વાતાવરણ પેદા કરી લોકોને એટલા મજબૂર અને પરેશાન કરીએ છીએ કે દુનિયામાં ચાલુ વર્ષે 2,56000 લોકોએ આત્મહત્યા કરી લીધી છે..

ખરેખર તો વર્તમાન મહામારી કોરોના કરતા આ મૃત્યુ આંક ઘણામોટા છે પણ તે માટે લોકડાઉન ની કોઈ વ્યવસ્થા નથી..

- વિજય મકવાણા

જાતિવાદીઓની સોય વારંવાર દલિત સંગઠનો પર જ કેમ અટકી જાય છે?

By Vijay Makwana  || 29 March 2020


સવર્ણ જાતિવાદી લોકો એ સર્વે કરી તપાસી ચકાસી રહ્યાં છે કે, દલિતો ના સંગઠન બસપા, બામસેફ, ભીમ આર્મી, સ્વયમ સૈનિક દળ વિગેરે આ કોરોના આપદા માં લોકો ને મદદ કરે છે કે નહિ?

મારો વળતો સવાલ દલિતોને છે.. અલ્યા તમે આ જાતિવાદી સવર્ણ દાતાઓ પર જીવન ટકાવી રહ્યાં છો? આ સર્વે કરવાવાળા જાતિવાદી માંથી કોઈ પાંચ શેર બાજરી તમારા ઘેર નાખી ગયું છે?

ભાઈ જાતિવાદી સવર્ણ! અમારી સંસ્થાઓ અમારા માટે જ કામ કરશે.. બામસેફ એ નોકરિયાત લોકોનું સંગઠન છે. તું સર્વે કર એ પહેલાં પોતાનો એક પગાર એ લોકો દાન કરી ચૂક્યા છે. હવે બીજો પગાર પણ આપશે..બસપા ની દરેક જિલ્લા ની વ્યવસ્થાપન કમિટી 21 માર્ચથી ગરીબ દલિતોના સંપર્કમાં જ છે. ભીમ આર્મી ના યુવાનો છેલ્લા એક સપ્તાહથી રાશન ફૂડ પેકેટ વહેંચી જ રહ્યાં છે. અમે માત્ર આવી આપદા સમયે જ તમારી જેમ બિલાડીના ટોપ જેમ ફૂટી નથી નીકળતા આ કામ ટેમ્પરરી નથી કરતા.. આખા વર્ષમાં માત્ર મારા જિલ્લામાં જ અમારું ઉપરની તમામ સંસ્થાઓનું નોકરિયાતો ઉદ્યોગ સાહસિકો નું 1600 લોકોનું એક સંગઠન છે જે મહિને પ્રત્યેક વ્યક્તિ 600 રૂપિયા લોક ફાળો આપી.. શિક્ષા અને રોજગાર અને કુદરતી આપદા સંગઠન ચલાવીએ છીએ. તારે ભલા માણસ સર્વે જ કરવો હોય તો એ સર્વે કર કે તું જે સવર્ણ ટ્રસ્ટ કે સંસ્થા માં કામ કરે છે.. તે વર્ષે કેટલા કરોડ બ્લેક મની વ્હાઇટ કરવા કર રાહત નો ગેરલાભ ઉઠાવે છે? કેટલા સવર્ણ અમીરો ની આ રીતે ધોળી કે કાળી આર્થિક સેવા કરે છે? ફાલતુ માં દલિતો પાછળ આટલો સમય શા માટે બરબાદ કરે છે..? 21 દિવસ મળ્યા છે મોજ થી તકિયા પર આરામ કર દલિતો પોતાનું કરી લેશે.. એમની ચિંતા ન કર..એ અમે કરી લઈશું!

- વિજય મકવાણા

March 28, 2020

વિદેશથી આવતા લોકો પહેલા ખોળાના છે???

By Raju Solanki  || 26 March 2020


દિલ્હીમાં દુબઈથી આવેલી મહિલા મહોલ્લાના ક્લિનિકના ડોક્ટર પાસે સારવાર માટે ગયેલી. એણે ડોક્ટરને, તેમના પત્નીને અને બાળકને ચેપ લગાડ્યો, એટલું જ નહીં બીજા સેંકડો લોકોને પણ ચેપ લગાડ્યો. હવે છસો વ્યક્તિઓને ક્વોરન્ટાઇમાં રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે.

આ ભયાનક ઘટના છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સરકારે દેશમાં વિદેશથી આવતા લોકોને બેફામપણે દેશમાં ઘૂસવા દીધા છે. આવા લોકોને એરપોર્ટ પર જ અટકાવીને ક્વોરન્ટાઇનમાં રાખવાની જરૂર હતી, પરંતુ સરકારે એ તરફ ધ્યાન જ આપ્યું નથી અને હવે એની સજા દેશના ગરીબોને ભૂખે મારીને આપી રહી છે.

હજુ સમય છે. સરકારે પાસે છેલ્લા બે મહિનામાં કોણ કોણ વિદેશથી આવ્યં એની યાદી છે. આ લોકોને શોધી શોધીને ક્વોરન્ટાઇનમાં મુકી દેવા જોઇએ. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ જણાવ્યું છે કે એગ્રેસિવ્લી આવા લોકોને શોધી શોધીને એમનો ટેસ્ટ કરીને સંક્રમિત લોકોને અલગ પાડી દેવા જોઇએ.

સરકારે કેમ આવું ના કર્યું એનું એક કારણ એ પણ છે કે વિદેશથી આવતા લોકો પહેલા ખોળાના છે. એમાં કોઈ આદિવાસી, દલિત કે બહુજન સમાજના નથી. સરકારે વિદેશથી આવતા લોકોની પાછળ કૂતરાની જેમ પડીને તેમને શોધી કાઢવાના હતા, એના બદલે સરકાર હવે બહુજન, ગરીબ લોકોની પાછળ કૂતરાની જેમ પડીને તેમને દંડા મારીને લોકઆઉટનો અમલ કરાવી રહી છે.

અર્ણબ, રાહુલ, રાજદીપ જેવા મીડીયાના પ્રવક્તાઓ આ મુદ્દા પર ભસવા તૈયાર નથી.



શિક્ષકોને સોંપી દીધું કોરોના સંક્રમિત લોકો શોધવાનું કામ

By Raju Solanki  || 26 March 2020

Coronavirus In India: 100 Students And Teachers Gone To Leave ...
સરકારે ગામડાઓમાં પ્રાથમિક શાળાના શિક્ષકોને સોંપી દીધું કોરોના સંક્રમિત લોકો શોધવાનું કામ.

જ્યારે આવા સંક્રમિત લોકોને એરપોર્ટ પર અટકાવવાના હતા ત્યારે ગુજરાત વિધાનસભામાં શું ચાલી રહ્યું હતું એ હવે યાદ કરો.

એ વખતે ભાજપના વાડામાં કોંગ્રેસના ઘેટાઓ એટલે કે ધારાસભ્યોને લાવવાનું ઓપરેશન રાજસભા ચાલી રહ્યું હતું. કોંગ્રેસના ઘેટા ભારતમાતાની સેવા કરવા ભાજપમાં નહોતા જઈ રહ્યા. તેઓ પોતાની કિંમત જણાવી રહ્યા હતા. અને તેમની કિંમત પ્રમાણે નોટોની કોથળીઓ કમલમમાંથી ટ્રકો ભરીને કોંગ્રેસના ધારાસભ્યોના ઘરોએ પહોંચી રહી હતી. મોટા પાયે કાળા નાણાની હેરફેર ચાલી રહી હતી.

જે સમયે રાજ્ય પર કોરોનાની ભૂતાવળ ત્રાટકવાની તૈયારીમાં હતી ત્યારે ગાંધીનગરમાં સત્તાનો આ વરવો ખેલ ચાલી રહ્યો હતો.

અને કોંગ્રેસ પક્ષ એના ઘેટાઓને બચાવવા માટે સાગમટે સૌને જયપુર લઈ જઈ રહ્યો હતો. જયપુરમાં કોંગ્રેસીઓ જલસા કરી રહ્યા હતા.

આવા સમયે વિધાનસભાનું સત્ર મળ્યું. પરંતુ ત્યારે એક પણ ધારાસભ્ય કોરોનાનો ક ઉચ્ચારવા તૈયાર નહોતો. ત્યારે કોઈ ધારાસભ્ય પોતાની ગ્રાન્ટ આપવા માટે જાહેરાતો કરતો નહોતો.

અને એ સમયે અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ પરથી કોરોનાના સંક્રમિત દર્દીઓ વિના રોકટોક ટેક્ષીમાં બેસીને એમના ઘરે જઈ રહ્યા હતા. બીજા સેંકડો લોકોને કોરોનાનો ચેપ લગાડી રહ્યા હતા.

એક તરફ, સત્તાખોરો ખુરસીની આસપાસ ગરબા ગાતા હતા, ત્યારે કોરોનાનો જીવલેણ વાયરસ ગુજરાતમાં ઘૂસી રહ્યો હતો.

હવે સરકાર સફાળી જાગી છે. જાગીને લોકોને લોકડાઉન કરી દીધા છે. ગરીબોની રોજગારી છીનવાઈ ગઈ છે. એરપોર્ટ પરથી ઉતરતા કોરોના સંક્રમિત લોકોને દંડા મારવાના બદલે પોલિસ નિર્દોષ, નિરપરાધ લોકોને દંડી રહી છે. અને છ છ મહિનાનું કરીયાણું, સામાન બંગલાઓ અને ફ્લેટોમાં ભરીને બેઠેલા ધનવાન લોકો પોલિસના દંડાનો માર ખાતા અસભ્ય લોકોની મજાક કરી રહ્યા છે.

ગઈ કાલે અમદાવાદથી પલાયન કરી રહેલા હજારો લોકોના ફોટા કર્મશીલોએ સોશીયલ મીડીયા પર મૂક્યા. આદિવાસી પરીવારો ચાલતા નીકળી પડેલા ત્રણસો-ચારસો કિમી દૂર આવેલા રાજસ્થાનના એમના ગામડાઓ તરફ. એ એક નજારો હતો. ગુજરાતમાં સરકાર નામનીકોઈ ચીજ નથી એની ગવાહી પૂરતું એ દ્રશ્ય હતું. ગુજરાતના ધારાસભ્યોને કર્મશીલોએ ફોનો કર્યા. કોઈએ ઉપાડ્યા નહીં. બધાને જાન વહાલો છે. ધારાસભ્યોને તો જાન ઉપરાંત ખુરસીની પણ ચિંતા કરવાની છે.

182 ધારાસભ્યો ચૂપ છે. 182 ધારાસભ્યો એક વ્યવસ્થાનો ભાગ છે.

કોરોનાને કારણે ભૂખે મરતા લોકો વ્યવસ્થાની બહાર છે.

આ વ્યવસ્થામાં તમે કોની સાથે છો?

રાજુસોલંકી

Playing with Fire

By Raju Solanki  || 27 March 2020

Image may contain: one or more people, people standing, hat and outdoor


1.
ट्रम्प पागल आदमी है.

ट्रम्प बहुत कुछ है. केपिटालिस्ट, क्रोनी केपिटालिस्ट, मोनोपोलिस्ट, सेल्फिश, रेसिस्ट, व्हाइट सुप्रिमेसिस्ट, फासिस्ट, एन्टि-वुमन.

पूरी मानवजाति विनाश के कगार पर है, तब अमरिका में ट्रम्प का प्रेसिडन्ट होना अच्छी बात नहीं है.

ट्रम्प ने बार बार कोरोना वायरस को चाइनीझ वायरस या वुहान वायरस कहकर अपने नस्लवादी होने का प्रमाण दिया है.

यह एक तरह का स्टीरीयोटाइपिंग तो है ही, साथ साथ इससे एक बात भी समजी जाती है कि अमरिका खुद की गलतियां स्वीकार नहीं करेगा.

अमरिका केन डु नो रोंग. जस्ट लाइक किंग.

वाकई में कोरोना की वजह क्या है?

दर असल, मानवजाति ने कुदरत का बनाया हुआ संतुलन बिगाड दिया है. अपने स्वार्थ के चलते. पैसे कमाना और तेजी से कमाना. इस रफ्तार में केपिटालिस्ट वर्ग ने कुदरत की व्यवस्था को पटरी से उतार दी है. अमरिका यह कटु सत्य कैसे स्वीकार करेगा? कोई भी डेवलप कन्ट्री यह बात नहीं स्वीकारेगा.

कोरोना वायरस चमगादड से आया है वाया पेंगोलिन. और यह पेंगोलिन एक लुप्त हो रही मासूम प्रजाति है. पेंगोलिन का व्यापार होता है और उसमें बहुत मुनाफा है. इसी मुनाफाखोरी से चलते इन्सान ने पर्यावरण से खिलवाड किया है.

कुदरत ने हमें बहुत बडा मेसेज दिया है.
अभी भी वक्त है. संभल जाओ.
कल कुदरत तुम्हे पछताने का मौका भी शायद नहीं देगी.



2.

लोग हैरान परेशान है.

पूछ रहे हैं कि चीन से 15,000 किमी की दूरी पर इटली है. वहां कैसे कोरोना पहुच गया?

अभी हमें कुछ काम ही नहीं करना है. तो वाइरस चीन से इटली कैसे पहुंचा उस पर ही रीसर्च क्यों ना करें?

क्या कोई चाइनीझ चीन से फ्लाइट में बैठकर इटली के मिलान में गया होगा और वहां थुककर कोरोना फैलाया होगा?

बडी दिलचश्प कल्पना है.

और दूसरी कल्पना तो इससे भी मजेदार है.

कहते हैं चीन ने जानबूझकर अपने ही देश में वायरस फैलाया और फिर पूरी दुनिया को बरबाद कर दिया.

कहते है आलसी इन्सान का दिमाग शैतान की फैक्ट्री है.

दर असल हमारी बहुत सारी इन्फर्मेशन (या मिसइन्काफर्मेशन) का स्रोत अमरिका और उसकी न्यूझ एजन्सियां है. हम जाने अनजानें में भी उन्ही की गढी हूई कहानियां आत्मसात करते हैं और फिर हमारी वोट्सप युनिवर्सिटी के हमारे भोले भाले छात्रों को पढाते रहतेहैं.

भाई जान, कोरोना किसी कोन्सपीरसी नहीं है. यह पेन्डामिक है. वैश्विक महामारी है.

और अगर यह कोन्सपीरसी है तो वह इन्सान ने अपने निजी स्वार्थ के कारण पूरी कुदरत के खिलाफ जो खिलवाड किया है उसी की वजह से यह पेन्डामिक आया है.

अमरिका चीन के सर पर सारी गलतियां थोपकर बचना चाहता है. गुनहगार तो दोनों हैं.

- राजु सोलंकी

સોશીયલ ડિસ્ટન્સિંગ એટલે સામાજિક આભડછેટ : જય વસાવડા

By Raju Solanki  || 27 March 2020

Image may contain: 1 person, text

A prominent Gujarati writer Jay Vasavda has translated the word 'social distancing' as 'social untouchability' सामाजिक आभडछेट in Gujarati. This is the ultimate proof of the fact that caste virus is deadlier than corona. 

જ્યારે કોઈ અંગ્રેજ સોશીયલ ડિસ્ટન્સિંગ શબ્દ વાપરે છે, ત્યારે એના મનમાં સમજે છે કે મારે ભૌેતિક દૂરી રાખવાની છે. અને જ્યારે કોઈ ભારતીય સોશીયલ ડિસ્ટન્સિંગ રાખે છે ત્યારે એના મનમાં સમજે છે કે મારે સામાજિક આભડછેટ રાખવાની છે. એક જ શબ્દનો અંગરેજીમાં અને ગુજરાતીમાં અલગ અર્થ થાય છે.

કેમ કે, અંગ્રેજના સમાજમાં કોઈ સમુદાય સાથે આભડછેટ પાળવામાં આવતી નથી, જ્યારે ભારતીય સમાજમાં આભડછેટ પાળવામાં આવ છે.

એટલે જ્યારે કોરોનાના સંદર્ભમાં સોશીયલ ડિસ્ટન્સિંગ શબ્દ પ્રયોજાયો ત્યારે એનું ગુજરાતી જય વસાવડાએ સામાજિક આભડછેટ કર્યું. જય બિલકુલ સાચો છે. જયના દિમાગમાં એના બાપદાદાએ જે ગંદવાડો ભર્યો છે (ડિજિટલ જાર્ગનમાં કહીએ તો પ્રોગ્રામિંગ કર્યું છે) એના કારણે જય જ્યારે સોશીયલ ડિસ્ટન્સિંગનું ગુજરાતી કરવા બેસે છે ત્યારે આપોઆપ એનું ગુજરાતી સામાજિક આભડછેટ કરી બેસે છે. આમાં બિચારા જયનો કોઈ વાંક નથી. કોઈએ જયનો વાંક કાઢવો નહી. જય સુધરવાનો નથી. જયના બાપદાદા પણ સુધર્યા નહોતા અને કદાચ એના સંતાનો પણ સુધરશે નહીં.

March 12, 2020

કટ પેસ્ટ કરી શેયર કરવા જેવી મસ્ત મુદ્દાની વાત!

By Vijay Makwana  || 04 Oct 2019




આજે તમારા માટે કટ પેસ્ટ કરી શેયર કરવા જેવી મસ્ત મુદ્દાની વાત!

અંગ્રેજી બહુ સુંદર ભાષા છે. વાંચતા, લખતા અને બોલતાં તમે આરામથી, સરળતાથી શીખી જાઓ. પણ દરેક ભાષાનું પોતાનું આગવી બોલચાલની શૈલી હોય છે. ખરેખર સરળ શબ્દોમાં કહીએ ભાષાનું માધુર્ય તેના રૂઢિપ્રયોગો અને શબ્દસમૂહો હોય છે. તમે અંગ્રેજી શીખી જાઓ તમે લખવા બોલવાની માસ્ટરી કેળવી લો તોય તમે રૂઢિપ્રયોગો અને શબ્દસમૂહો નો યોગ્ય પ્રયોગ ન કરી શકો તો માસ્ટર નથી ગણાતા!
હવે મૂળ વાત.. બાબાસાહેબ નું અંગ્રેજી ભાષા પર તમામ બાબતે સંપૂર્ણ પ્રભુત્વ હતું. અને અંગ્રેજી ભાષામાં પ્રસ્થાપિત લેખક હતા. અને તે ભાષાના ઉત્તમ વક્તા હતા. તેમનું પોતાનું અંગત પુસ્તકાલય હતું જેમાં ૫૦૦૦૦ પુસ્તકો હતા. અને તમને જણાવી દઉં કે ૧૭ મી થી ૧૯ મી સદીના તમામ ખ્યાતનામ અંગ્રેજી લેખકોના જ 17000 થી વધારે પુસ્તકો તેમની પાસે મૌજુદ હતા! બાબાસાહેબે પોતાના તમામ વોલ્યુમ માત્ર ને માત્ર અંગ્રેજી ભાષામાં જ લખ્યા છે.

હવે બીજી વાત! સરકારે આ તમામ વોલ્યુમ નું જુદી જુદી ભાષાઓમાં ભાષાંતર કરાવ્યું છે. તમને બધાને એમ હશે કે સરકારે જેમને આ જવાબદારી સોંપી તે અંગ્રેજીમાં વિદ્વાન અને પારંગત હશે ! તો જવાબ છે ના! એ લોકો માત્ર અગ્રેજી લખી, બોલી, વાંચી શકતા જ લોકો છે.. વિદ્વાન નહિ! કે પારંગત પણ નહિ!

તે વિદ્વાન હોત તો અહી નીચે જણાવેલ વિગત વાંચો!

ડૉ ભીમ રાવ આંબેડકરનો એક સુપ્રસીદ્ધ ગ્રંથ છે “WHO WERE THE SHUDRAS?” કે જે ૧૯૪૭ મા પ્રકાશીત થયેલ હતો. તેની પ્રસ્તાવનામા નીચે પ્રમાણે તેમણે બે વાક્યો લખેલ છે આજે તેના પર ચર્ચા કરીએ.
- બાબા સાહેબે અંગ્રેજીમા લખેલુ મુળ લખાણ :

It may well turn out that this attempt of mine is only an illustration of the proverbial fool rushing in where the angels fear to tread. But I take refuge in the belief that even the fool has a duty to perform, namely, to do his bit if the angel has gone to sleep or is unwilling to proclaim the truth. This is my justification for entering the prohibited field.

- બાબા સાહેબના આ મુળ વાક્ય નો અર્થ હિંદી ભાષાંતર કરનાર કમીટી એ નીચે મુજબ કર્યો છે. :
इस प्रकार इस विषय पर मेरी मान्यता है कि मेरा यह प्रयास कुछ इस प्रकार का है कि इस विषय को छूने में देवदूत तक घबरा जाते हैं उसको मैं स्पर्श करुं. मैं यह मान कर संतोष करता हूं कि अनधिकारी का भी परम कर्तव्य है कि जब देवदूत सो जाएं या सत्य की उद्धोषणा से बचें वह अपना प्रयास जारी रखें. इस निषिद्ध क्षेत्र में मेरे प्रवेश का यही औचित्य हैं.

- હવે આ જ વાક્યો નો ગુજરાતી અનુવાદ કરનાર કમીટીએ જે અનુવાદ કર્યો છે તે જોઇએ. :
જો કે એવું લાગે છે કે , “ જયાં દેવદૂતો જતાં ડરે છે એવા ક્ષેત્રમાં મૂર્ખાઓ ધસી જાય છે ”
એવી કહેવત તો છે જ છતાંય મને લાગે છે કે મુર્ખ માણસે પણ પોતાનું કર્તવ્ય બજાવવાનું હોય છે . જો દેવદૂતો પોતાની ફરજ ન બજાવતા હોય તો સત્ય શોધવા માટે મૂર્ખ માણસે તો એમાં ચંચુપાત કરવો જ જોઈએ . પ્રતિબંધિત ક્ષેત્રમાં પ્રવેશ અંગે મારે આટલું જ કહેવું છે.

પરંતુ મારા મામાશ્રી વિશાલ સોનારાના મત મુજબ તેનો યોગ્ય ભાવાનુવાદ નીચે મુજબ છે... ભાવાનુવાદ વાંચો!
"એમ કહિ શકાય કે આવા મુદ્દાઓ (જાતિને લગતા) ઉપર જ્યારે હોંશીયાર લોકો પણ બચીને ચાલતા હોય ત્યારે મારો આ પ્રયત્ન થોડો બીન અનુભવી અથવા ઉતાવળીયો લાગી શકે છે. પણ જ્યારે પ્રખર વિદ્વાનો પણ જ્યારે ઘોર તંદ્રામાં હોય અથવા સત્ય કહેવા માટે તૈયાર ન હોય ત્યારે સામાન્ય વ્યક્તિઓની એ ફરજ બની જાય છે કે સત્યને ઉજાગર કરવા માટે પ્રયત્નો કરવા જ જોઇએ. જે ક્ષેત્રમાં પ્રવેશવા પર અધોષીત પ્રતિબંધો લાદવામા આવી રહ્યા છે તે બાબતો પર ટીપ્પણી કરવા માટે મારા માટે આટલી સમજણ પર્યાપ્ત છે."

વાંચી લીધું? હજી પણ તમને ગતાગમ ના પડી હોય તો મારા મામા શ્રી વિશાલ સોનારા તમને આ રીતે સમજાવે છે..

અંગ્રેજી ભાષામાં અઢારમી સદી ની શરૂઆતમાં એક વિદ્વાન કવિ થઈ ગયા. નામ એમનું એલેક્ઝાન્ડર પોપ! તેમણે ૧૭૧૧ ની સાલમાં તેમના કાવ્ય An essay on criticism માં એક શબ્દસમૂહ નો પ્રયોગ કરેલો! જે આખો શબ્દસમૂહ આ છે! Fools rush in where angels fear to tread..!

જેનો વાસ્તવિક અર્થ એ થાય છે કે, જ્યારે પ્રખર વિદ્વાનો પણ જ્યારે ઘોર તંદ્રામાં હોય અથવા સત્ય કહેવા માટે તૈયાર ન હોય ત્યારે સામાન્ય વ્યક્તિઓની એ ફરજ બની જાય છે કે સત્યને ઉજાગર કરવા માટે પ્રયત્નો કરવા જ જોઇએ!

તમે શબ્દસમૂહ નો વાસ્તવિક અર્થ ચકાસી શકો છો! મારી ના નથી.. પણ હું તમને કહી દઉં છું કે, My Darling Mamu was forced by me to burn the midnight oil to get this marvelous post!



- વિજય મકવાણા & વિશાલ સોનારા

ભેદભાવ વિનાની દુનિયા જોવા હજી કેટલે દૂર જવું પડશે??

By Vijay Makwana  || 02 Oct 2019

Image result for kepler star

તમને એ ખબર છે કે, પ્રકાશ એક વર્ષમાં જેટલા કિલોમીટર ચાલે તેટલાં અંતરને એક પ્રકાશવર્ષ કહે છે. આ સામાન્ય વાત થઈ! તમને એ પણ જાણ છે કે કોઈપણ વસ્તુ કે ચીજ પર પ્રકાશ ના કિરણો પડે અને તે કિરણો પરાવર્તિત થઈ આપણી આંખની કીકી સુધી પહોંચે એટલે જે તે ચીજને આપણે જોઈ શકીએ છીએ..મતલબ કે આપણી આંખ અને જે તે ચીજ વસ્તુની વચ્ચે રહેલું અંતર પ્રકાશ કાપે છે..સરળ અર્થમાં સફર કરે છે. જો તે ચીજ એક પ્રકાશવર્ષ દૂર હોય તો? સ્વાભાવિક છે કે તે એક વર્ષ આપણી આંખને મોડી દેખાશે!

તસવીરમાં દેખાતો કેપ્લર નામનો તારો આપણી પૃથ્વીથી 5000 પ્રકાશવર્ષ દૂર છે. જે સૂર્ય કરતા બે ગણો મોટો છે.

તમે કલ્પના કરી લો! તમે કેપ્લર ની આસપાસ ફરતા કોઈ ગ્રહ પર બેઠા છો અને આપણી પૃથ્વી તરફ નજર કરો! પૃથ્વી પર સિંધુ સંસ્કૃતિના લોકો નહેરો ખોદી રહ્યાં છે, માટી ની ઈંટો બનાવી રહ્યાં છે. હાર બંધ મકાનો બનાવી રહ્યાં છે. ગોદામમાં માલ ભરી રહ્યાં છે, નાના ભૂલકાઓ માટીના ગાડાં થી રમી રહ્યા છે. વિશાળ સ્નાન ઘરોની આસપાસ આવેલાં કૂવાઓ પર પનિહારીઓ માટી ના ઘડાઓથી પાણી ભરી રહી છે..હવે બોલો કેટલું સુરમ્ય મનોહર જાતિ અને જાતિવાદ વિહીન દ્રશ્ય ચાલી રહ્યું છે??!! ભેદભાવ વિનાની દુનિયા જોવા હજી કેટલે દૂર જવું પડશે??

તમે તર્ક સાથે વિજ્ઞાન ને ભેળવી દો તો કેટલાય સુંદર દૃશ્યો જોવા મળે! બસ નજર હોવી જોઈએ! લવ યુ ઓલ! જય આંબેડકર!