Showing posts with label atrocity. Show all posts
Showing posts with label atrocity. Show all posts

August 30, 2019

દલિત આંદોલનના ઇતિહાસનું એક પાનુ : વર્ષ 1992

By Raju Solanki  || 29 Aug 2019





રાત્રે ડબલામાં ગળી પલાળીને હાથમાં કૂચડો લઇને અમે નીકળતા. કૂચડો એટલે બાવળના દાતણને એક છેડેથી કૂટીને બનાવેલી પીંછી કે પછી ઘરના માળીયે પડી રહેલા વર્ષો જૂના બ્રશ. અમદુપુરાના ચોકથી શરૂ કરીને સી કોલોની અને ત્યાંથી રેલ્વે ક્રોસિંગ વટાવીને ઓમનગર. રસ્તામાં જ્યાં કોઈપણ દિવાલ કોરી દેખાય ત્યાં લખતા, બુદ્ધનગરની દિવાલ પર મેં ભીત લખાણ કરેલું એ હજુય યાદ છે. એ સૂત્રો હતા,

“કુમ્હેર હત્યાકાંડનો વિરોધ કરો”
ભૈરોંસિંહ શેખાવતની ઠાઠડી બાળવાના કાર્યક્રમમાં જોડાવ”


કુમ્હેર હત્યાકાંડ વખતે રાજસ્થાનના મુખ્યમંત્રી હતા ભૈરોંસિંહ શેખાવત.

કુમ્હેર હત્યાકાંડ આઝાદી પછી રાજસ્થાનમાં થયેલો સૌથી મોટો ઘાતકી નરસંહાર હતો, જેમાં જાટોએ 18 જાટવ (દલિતો)ની કત્લેઆમ કરી હતી. એમના ઝુંપડા સળગાવીને રાખ કરી દીધા હતા.

આ ઘટના 1992માં બની હતી.

અમે અમદુપુરા, સી કોલોની અને ઓમનગર ત્રણ ઠેકાણે ધરણા કરીને શેખાવતની ઠાઠડી બાળી હતી અને સામૂહિક ધરપકડો વહોરી હતી. ત્રણેય વખતે હજારો યુવાનોએ ધરણાંમાં ભાગ લીધો હતો. ચારે તરફ પોલિસનો કાફલો ખડકી દેવાતો હતો. પાંચ-છ ડબ્બા ભરી ભરીને આંદોલનકારીઓને પોલિસ પકડતી હતી અને શહેર કોટડા પોલિસ સ્ટેશને લઈ જતી હતી.

શેખાવતની સાથે તત્કાલીન ભાજપ અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાની પણ ઠાઠડી અમે બાળી હતી. કારણ કે શંકરસિંહે રાજન પ્રિયદર્શીને નોકરીમાંથી બરખાસ્ત કરવાની માગણી કરી હતી. પ્રિયદર્શી ત્યારે પાલનપુરમાં જિલ્લા પોલિસ વડા હતા અને એક કોમી છમકલામાં એમણે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોની અટકાયત કરી હતી.




ત્યારે અમદુપુરાના જયંતી ફકીર, રજનીકાંત ડોડીયા, સી કોલોનીના મુકેશ વોરા, ઓમનગરના મંગળદાસ કાપડીયા, ઇશ્વર પરમાર, પ્રવીણ તપોધન, રમેશ નાગર, જયંતી દવે, શ્રીકાંત ડોડીયા, કિસ્મત સોસાયટીના હસુ વોરા, મજુરગામના નરેશ રેવર, જયંતી ચૌહાણ, રાયખડના કનુ સુમરા, ખાનપુરના ભરત વાઘેલા, અરવિંદ પરમાર, કૌશિક પરમાર જેવા યુવા આંદોલનકારીઓ જોડાયા હતા. એક પત્રીકા છાપી હતી, એમાં સૌના નામે અપીલ કરવામાં આવી હતી. સૌનો ઉત્સાહ ગજબનો હતો.

દેખાવોમાં સામેલ થયેલા સંગઠનોમાં નરોડા રોડના યુવાનો, દલિત અધિકાર મંચ, જાતિ નિર્મૂલન સમિતિ, માસ મુવમેન્ટ સહિતના સંગઠનોના નામ પણ પત્રીકામાં લખેલા. (જુઓ પત્રીકાની તસવીર)

અત્યારે ફેસબુક પર લાઇવ થાવ, સો-બસો ગ્રુપ્સમાં મેસેજ ફેંકો, કાર્યક્રમમાં જોડાવા માટે લોકોના મોબાઇલ નંબરો પર ઓડિયો મેસેજ મોકલો, તો પણ પાંચસો માણસો ભેગા થતા ફાંફા પડી જાય છે. એ વખતે એક પત્રીકા અને ભીંત લખાણથી બહુ જ અસરકારક રીતે સંદેશો જતો હતો.

મૂળે 1981-85ના અનામતવિરોધી આંદોલનો વખતે મેં ભીંત લખાણોની શરૂઆત કરી હતી. એની વાત પછી ક્યારેક કરીશ.

- રાજુ સોલંકી (29 ઓગસ્ટ, 2019)

August 26, 2019

ના સોનુ સાચવ્યું, ના ચાંદી

By Raju Solanki  || 26 Aug 2019


આ મારો ભઇલો રાયચંદ મેઘરાજની ચાલીમાં રહે છે. નામ એનું મહેશ. આજે મારી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નરોડા રોડ પર આવેલી ઉત્તર ઝોનની કચેરીએ મહેશ આવેલો. મહેશ પાસે રાયચંદ મેઘરાજની ચાલીની જૂનામાં જૂની છેક 1956ની ભાડાચિઠ્ઠીઓ છે. ચાલીની મીટિંગમાં મેં જ્યારે કહ્યું કે કોની પાસે જૂની ભાડાચિઠ્ઠીઓ છે, ત્યારે મહેશ એક પ્લાસ્ટિકની ફાટેલી કોથળીમાં પીળી પડી ગયેલી સિત્તેર વર્ષ જૂની ભાડાચિઠ્ઠીઓ લઇને આવેલો. હું એની અસ્તવ્યસ્ત દાઢી ને વિખરાયેલા માથાના વાળ સામે જોઇ જ રહેલો. મેં હેમંતને કહ્યું, “ના સોનુ સાચવ્યું. ના ચાંદી. મારા દલિતોએ દાયકાઓ જૂની ભાડાની પહોંચો સાચવી.”

આજે ડેપ્યુટી કમિશનર ઠક્કરને મેં કહ્યું કે તમારી ટીપી સ્કિમ સિત્તેરની સાલમાં બની અને આ ચાલી છેક 1932ની છે. તમે ચાલીના રહીશોને વળતર આપ્યા વિના નોટિસનો અમલ કરાવી ના શકો. તમે લોકો કસ્તુરભાઈ લાલભાઈને વળતર આપો છો, તો દલિતોને કેમ નહીં? કાલે મહેશની એફિડેવિટ કરાવીને બીજું મેમોરેન્ડમ ઉત્તર ઝોનમાં આપીશું. અમે લડીશું. ભાજપ અને વહીવટીતંત્રને પ્રતીતિ કરાવીશું કે દલિતો પસ્તીના કાગળ નથી કે તમે કોથળામાં ભરીને ગમે ત્યાં નાંખી દો.

- રાજુ સોલંકી (26 ઓગસ્ટ, 2019)

FB 

July 30, 2019

ખૈરલાંજી હત્યાકાંડ, 2006 (24/05/19 સુપ્રીમ કોર્ટનો ચુકાદો)

By Vishal Sonara || 29 July 2019




29 સપ્ટેમ્બર 2006 ના રોજ મહારાષ્ટ્ર ના ખૈરલાંજી મા બનેલ જઘન્ય હત્યાકાંડ પર સુપ્રીમ કોર્ટે ના જજ અરૂણ મિશ્રા, ભૂષણ આર ગવઈ અને સુર્ય કાંત ની બેચનુ એવુ તારણ છે કે તે હત્યાકાંડ જાતિવાદ ના લીધે નહી પરંતુ આપસી અણબનાવ ના કારણે બન્યો હતો તેથી તેના ગુનેગારોને ફાંસીની સજાને બદલે આજીવન કેદની સજા મળવા પાત્ર છે.
આજકાલ મોબ લિંચીંગની ઘટનાઓ પર લોકો ખૂબ વાત કરી રહ્યા છે ત્યારે તે લોકોઅે જાણી લેવુ જોઈએ કે જેને તમે આજે દેશ માટે નુકસાનકારક ગણી રહ્યા છો તે મોબ લિંચીંગ આ દેશમાં જાતિવાદ ને કેંદ્રમા રાખીને જોઈઅે તો અનુસૂચિત જાતિ અને જન જાતિના લોકો સાથે હજારો વર્ષોથી થઈ રહ્યુ છે. એવો જ એક કિસ્સો છે આ ખૈરલાંજી હત્યાકાંડ.



હત્યાકાંડ ની વિગતો :-
મહારાષ્ટ્રના ભંડારા જીલ્લા ના ખૈરલાંજી ગામે તારીખ 29 સપ્ટેમ્બર 2006 ના રોજ સાંજના સમયે જાતિગત ધ્રુણા થી અેક ખૂની ખેલ ખેલાયો હતો જેમા અેક અનુસૂચિત જાતિના ભોતમાંગે પરિવારના ચાર વ્યક્તિઓની સાથે કલાકોના કલાકો સુધી અત્યાચારો થયા અને અંતે તેઓ ચારેય મૃત્યુ પામ્યા.
સુરેખા ભોતમાંગે (ઉમર 45), તેમની દિકરી પ્રિયંકા (17), બે દિકરા રોશન (21) અને સુધીર (23) આ મોબ લિંચીંગ નો ભોગ બન્યા હતાં. પોતાની માલિકીની જમીન પર ગામના અન્ય લોકો અવૈધ કબ્જો કરવા માંગતા હતા તેનો ઝઘડો ચાલતો હતો. ખૈરલાંજી ગામમાં 800 ની વસ્તી હતી, કણબી અને કલાર અેમ બે મુખ્ય ઓબીસી જાતિઓ અને થોડા આદિવાસીઓની વસ્તી હતી જ્યારે અનુસૂચિત જાતિના ફક્ત ત્રણ જ પરિવાર ત્યા વસતા હતા.
29 સપ્ટેમ્બર 2006 ની સાંજે ભોતમાંગે પરિવાર ના ચારેય સભ્યોને ગામના કહેવાતા ઉચ્ચ હિંદુઓએ ટોળામાં ભેગા થઈને ઘરમાંથી ખેંચીને બહાર કાઢ્યા તથા નિર્વસ્ત્ર કરીને ગામ આખામાં પરેડ કરાવી. બંને દિકરાઓને માર મારીને માતા તથા પુત્રી સાથે સંભોગ કરવા માટેની ફરજ પાડવાની કોશિશ કરવામાં આવી જ્યારે તેઓએ સામો પ્રતિકાર કરતા સ્ત્રીઓ પર વારંવાર બળાત્કાર કરવામાં આવ્યા તથા ચારેય વ્યક્તિઓને ખૂબ પ્રતાડીત કરવામાં આવ્યા અને અંતે હત્યા કરીને ગામની નજીકમાં આવેલી એક કેનાલમા ફગાવી દેવામાં આવ્યાં.

કુટુંબના મુખ્ય સભ્ય ભૈયાલાલ ભોતમાંગે હાજર ન હોવાથી બચી ગયા હતા. તેઓ ન્યાય ની લડત આપતા આપતા જાન્યુઆરી 2017 મા મૃત્યુ પામ્યા હતા.

કોર્ટ મેટર :-આ બનાવમા પોલીસ દ્વારા 47 લોકોને પકડવામાં આવ્યા હતાં તેમાંથી 11 લોકો ને દોષી જાહેર કરવામાં આવ્યા હતાં અને બાકીના ને છોડી મુકાયા હતા. કોર્ટ - હાઈકોર્ટ ના અવનવા ચુકાદાઓના અંતે તે 11 માંથી 4 નરાધમોને ફાંસીની સજા આપવામાં આવી હતી. પરંતુ હાઈકોર્ટે તે સજાને ફાંસી ને બદલે ઉમરકેદ મા બદલી નાખી. તેની સામે સીબીઆઇ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી જેને હવે સુપ્રીમ કોર્ટે પણ ફગાવી દઈને હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો છે.

હવે, સુપ્રીમ કોર્ટના મીલોર્ડ માનવા તૈયાર નથી કે આ હત્યાકાંડ જાતિવાદી માનસિકતા ના પરિણામે બન્યો હતો. જ્યારે તેઓએ તો બનાવની ગંભીરતા ને ધ્યાનમાં રાખીને કડકમાં કડક સજા આપવી જોઈતી હતી.



ફેસબુક પોસ્ટ :-


July 11, 2018

Justice delayed is justice denied

By Raju Solanki  || Written on 4 July 2018


Today Vishnagar Sessions’ Court will hear bail application of three teachers who are accused in Dalit suicide case in Vadnagar, the native place of Prime Minister Narendra Modi. More than four and half months have passed since the death of Mahesh Chauhan, a mead day meal manager, the charge sheet has not been submitted in the court. This is how justice is delivered in Gujarat.
Yesterday, Ramesh, brother of the deceased told me on the telephone that he, too, wants to commit suicide and will write a letter to Gujarat government. I requested him not to take such a harsh step. Tomorrow he is coming to my home. Widow of deceased has been given a job in the same school, where her husband was harassed by the accused.

July 02, 2018

એક ચિઠ્ઠી અને આત્મવિલોપન

By Raju Solanki  || 5 May 2018



“આજ રોજ હું નામે ચૌહાણ મહેશકુમાર ભીખાભાઈ સભાન અવસ્થામાં લખી આપું છું કે હું છેલ્લા વીસ વર્ષથી મ.ભો.યો. (મધ્યાહ્ન ભોજન યોજના)માં સંચાલક તરીકે શેખપુર પ્રા. શાળામાં નોકરી કરું છું. ત્યાં મને શાળાના શિક્ષકો માનસિક ત્રાસ આપે છે. અને મારો પગાર રૂ. 1600 (સોળસો) છે. જેના કારણે ઘરમાં પણ પોસાતું નથી. જેના કારણે ઘરમાં ઉછીના વ્યાજે પૈસા ઘર ચલાઊં પડે છે. જેના કારણે મારા માથે ભાર હોવાથી મને કશું જ સૂઝતું નથી. જે શાળાના કારણે મને માનસિક ત્રાસ છે. મને સાઇડમાં નોકરી ધંધો પણ સૂઝતો નથી. અને માથે દેવાનો ભાર વધે છે. 
જેના કારણે હું જાતે આ નિર્ણય લઊં છું. મને પરવડતું નથી અને હવે 40 વર્ષ પછી મને નોકરી કોણ. બે બાળકો પણ છે. જેના કારણે હું હતાશ તથા કંટાળી ગયો છું. જેથી મારી પત્નીને જોબ મળે અને બાળકો સાચવજો.
(પાછળ)
પરેશાન ત્રણ શિક્ષકો જ કરે છે. 
રોજે રોજ ટોર્ચર કરે છે. તથા ચા-પાણી ખર્ચ મારા માથે નાંખે છે. જે દિવસે ચા, ખાંડના પૈસા ના અપાય ત્યારે તેમના વર્ગની સંખ્યા બાળકો બેસે છે તેમાંથી ઘટાડો કરે છે.
12 બાળકો ભોજનમાં બેસે તો – 8
20 બાળકો બેસે તો – 9
અને મને રસોઈયા-મદદનીસ વડનગર હોઈ પોસાતું નથી. જેના કારણે માનસિક ટોર્ચર કરે છે. 
જે આપ સાહેબને ખયાલ છે. આયોજનમાં સંચાલકે સાયકલ પણ વસાવી નથી. દેવા ઘર થઈ ગયેલ છે. માનસિક ત્રાસ વધે છે.

બસ એજ
આપનો વિશ્વાસુ
ચૌહાણ મહેશકુમાર બી.
શેખપુર પ્રા. શાળા
તા. વડનગર

ચિઠ્ઠી જેમ છે તેમ અક્ષરશ: અહીં મૂકી છે. માત્ર શિક્ષકોના નામ મેં ટાળ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડનગર તાલુકાના એક ગામમાં ગુજરાતના એક નાગરીકે આ રીતે અંત આણ્યો એની જિંદગીનો. 2018ની સાલમાં મહિને માત્ર રૂ. 1800 એટલે કે વર્ષે ફક્ત રૂ. 21,000ની આમદાની ધરાવતો એક આમ આદમી બે બાળકો અને પત્ની સહિતના કુટુંબનું કઈ રીતે ભરણપોષણ કરી શકે?

7 ફેબ્રુઆરી, 2018ના રોજ વડનગરના રોહિતવાસમાં રહેતા મહેશભાઈએ વડનગરના રેલવે ફાટકની પાસે એક કુવામાં પડતું મૂકીને મોતને વહાલું કર્યું હતું. તેમના ખિસામાંથી નીકળેલી ચીઠ્ઠીમાં તેમની માનસિક સ્થિતિનો સ્પષ્ટ ચિતાર જોવા મળે છે. મહેશભાઈએ આત્મવિલોપન કર્યું એ જ અરસામાં ઉંઝાના ભાનુભાઈ વણકરે પણ આત્મવિલોપનનું કઠોર કદમ ઉઠાવેલું. વડનગરમાં લોકો રસ્તા પર આવી ગયેલા અને મહેશભાઈની દીકરી પણ પિતાની તસવીર સાથે રસ્તા પર બેસી ગઈ હતી. 
આજે મહેશભાઈના આત્મવિલોપનને ત્રણ મહિના પૂરા થવા આડે બે દિવસ બાકી છે, ત્યારે હાલ એમના કુટુંબની તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 3(2)(5) તથા આઈપીસીની કલમો 306, 114 હેઠળ વડનગર પોલિસ સ્ટેશનમાં દાખલ થયેલી એફઆઈઆર નં. 5 ⁄ 18 હેઠળ દાખલ થયેલા કેસની સ્થિતિ શું છે?

મૃતકના મોટા ભાઈ રમેશભાઈ અમદાવાદમાં જીવરામ ભટ્ટની ચાલીમાં રહે છે. બે દિવસ પહેલાં તેઓ મહેશભાઈના કેસના કાગળો મને ઘરે આપી ગયેલા. આ કાગળોનો અભ્યાસ કરતા જણાય છે કે આ કેસના ત્રણેય આરોપીઓ એફઆઈઆર ક્વૉશ (રદ) કરાવવા ગુજરાત હાઇકોર્ટમાં ગયા છે. તા. 15 ફેબ્રુઆરી, 2018ના રોજ જસ્ટિસ પારડીવાલાએ મૌખિક આદેશમાં જણાવ્યું છે કે “There shall be no coercive steps against the applicants. એટલે કે “અરજદારો (એટલે કે ત્રણેય આરોપીઓ) સામે કોઈપણ પ્રકારના બળપ્રયોગના પગલાં ભરાશે નહીં.”

મહેશભાઈના વિધવા પત્ની ઇલાબહેન જેઓ હાઇકોર્ટના કેસમાં પ્રતિવાદી (respondent) છે તેમના તરફથી ખંતીલા, ઝુઝારુ, પ્રતિબદ્ધ અને વિદ્વાન ધારાશાસ્ત્રી ગિરીશ દાસ પોતે હાજર રહ્યા છે. અદાલતમાં મેટર હીયરિંગ પર આવતી નથી, બે મુદતો પડી ચૂકી છે અને હવે તો કોર્ટમાં ઉનાળાનું વેકેશન પણ પડી ગયું છે. દરમિયાન સમાજ કલ્યાણે ઇલાબહેનને એક લાખ રૂપિયા આપ્યા છે, પરંતુ તેમને તેમના દિવંગત પતિની જગ્યાએ મભોયોની એ જ જુની નોકરી આપી છે, એ જ શાળામાં એ જ ત્રણ આરોપીઓની પનાહમાં તેમની દયા પર જીવવા છોડી દીધા છે. ઇલાબહેન હાલ નોકરી પર જતા નથી. બે બાળકો સહિતના ત્રણ વ્યક્તિના પરિવારનો જીવનસંઘર્ષ વસમો થઈ ચૂક્યો છે. 
ઉનાળુ વેકેશન પછી હાઇકોર્ટના કેસમાં ધારાશાસ્ત્રી ગિરીશ દાસ પાછી પાની કરવાના નથી, પરંતુ ઘરનો મોભી ગુમાવનારા એક પરીવારની પડખે ઉભા રહેવામાં સમાજ ઉણો ઉતરશે તો ....?

In English :-  
Three months back, a 40-year-old Dalit man from Narendra Modi’s own town Vadnagar committed suicide by jumping into a well after he was harassed by three teachers at a school where he was working as an administrator of Mid Day Meal (MDM) scheme. His monthly salary was just Rs. 1600 and as he had written in his suicide note, the three teachers mentally tortured him by ordering him to pay their tea bills. Kind-hearted Gujarat government has given his widow same job at the same place, in the same school and in the vicinity of same three teachers. The scared woman has not resumed her new duty and her two kids are now starving. The three accused has moved Gujarat High court to quash the FIR lodged against them and Court has ordered not to take ‘coercive’ steps against them. This is Gujarat model!

Yesterday Ramesh Chauhan, elder brother of the victim came to my home and narrated the gruesome story. I solaced him and pledged to support the legal battle.




Original Facebook Post :-



June 29, 2018

રાજપુતો, દલિતો, ગાય અને ગોબર


By Raju Solanki  || 28 April 2018


આજે બપોરે એક જાણીતા ગુજરાતી દૈનિકની પોર્ટલમાં કામ કરતા મીડીયાકર્મીનો મારા પર ફોન આવેલો. તેમણે મને પૂછ્યું કે, “ફલાણા દલિત નેતા અને તેમના સાથીદારે રાજપુત સમાજની માફી માંગતો વીડીયો વાયરલ થયો એના અંગે તમારે શું કહેવાનું છે?”

મેં કહ્યું કે, “હું કોઈપણ દલિત નેતાએ સોશીયલ મીડીયામાં શું કહ્યું એનો ટ્રેક રેકોર્ડ રાખતો નથી. આવા તો ઘણા વીડીયો વાયરલ થાય છે. ક્યારેક તો લોકો પોતાની અનુકૂળતાએ ફેક વીડીયો ફોરવર્ડ કરતા હોય છે. આ તો બહુ મહાન વોટ્સપ યુનિવર્સિટી છે. રહી વાત રાજપુત સમાજની. તો મારે એટલું જ કહેવું છે કે ગામડામાં દલિતોને મારનારા દરબારો પણ અંગુઠાછાપ છે અને માર ખાનારા દલિતો પણ અભણ છે. ઉનામાં દલિતોને રંજાડનારા ગૌરક્ષકો માટે કાળા અક્ષર ભેંસ બરાબર હતા અને માર ખાનારા દલિતો પણ સાવ અભણ રહ્યા. એટલે મારનારા અને માર ખાનારા બધા ભણે ગણે, વૈજ્ઞાનિક થાય અને દેશનું ભલું કરે એવું આપણે તો ઇચ્છીએ. કમનસીબે ભાજપની રૂપાણી સરકાર શિક્ષણ પાછળ પૈસા ખર્ચતી નથી. ગાય અને ગોબરની ભક્તિમાંથી ઊંચી આવતી નથી.” મારી વાત સાંભળીને મીડીયાકર્મીએ ફોન મુકી દીધો. આગળ વાત કરવાની એમને કદાચ ઇચ્છા થઈ નહીં. મારી વાત એમને ક્વોટ કરવા જેવી લાગી નહીં.

June 20, 2018

દલિત-વિદ્રોહ વટવૃક્ષ બનીને ઉગવાનો છે

By Raju Solanki  || 11 April 2018


ઘણા લોકોને એ સમજાયું નહીં કે બીજી એપ્રિલે આટલા બધા લોકો હાથમાં વાદળી ઝંડા લઇને કઈ રીતે નીકળી પડ્યા? ‘જય ભીમ’ના નારા સાથે એમણે ટ્રેનો રોકી, રસ્તા રોક્યા, પોલિસનો સામનો કર્યો, ધરપકડો વહોરી, ગુંડાઓની ગોળીઓ છાતીમાં ખાધી. કઈ રીતે થયું? આમ અચાનક? શું આ લોકો 2019માં નેહરુ ખાનદાનના યુવરાજ રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા નીકળ્યા હતા? ના. હરગીઝ નહીં.

આ તો એક દાવાનળ હતો, જે દાયકાઓથી ઉપખંડ જેવા એક વિશાળ દેશની સૌથી દબાયેલી કચડાયેલી પ્રજાની સામૂહિક ચેતના (collective consciousness)ની ભીતરમાં ભભૂકતો હતો. તમે સપાટી પર જે ધૂમાડો જોયો એનાથી આ દાવાનળની તીવ્રતાનો તમને લગીરે ખ્યાલ નહીં આવે.

અને જો તમે ‘આંબેડકરી ચળવળ’ નામની એક યુગપ્રવર્તક ઘટનાને જાણતા-સમજતા ના હો, તો તમને સહેજ પણ નહીં સમજાય કે છેલ્લા સો વર્ષની એક મહાન, સાતત્યપૂર્ણ, દૂરોગામી અસરો ધરાવતી ચળવળનું આ પરીણામ છે, જેમાં હજારો નિ:સ્વાર્થ, પ્રતિબદ્ધ લોકોએ પોતાનો લોહી-પસીનો રેડીને એમના સૂતેલા સમાજને જગાડવા દિવસ-રાત મહેનત કરી છે. આ એવા લોકો છે જેમના નામ તમે મીડીયાની હેડલાઇન્સમાં વાંચ્યા નથી, ટીવીની ડિબેટોમાં સાંભળ્યા નથી. એ લોકો સાચા અર્થમાં મારા, તમારા સમાજના unsung heroes છે. વીસ કરોડની વિશાળ જનસંખ્યા ધરાવતી, સમગ્ર દેશમાં પથરાયેલી અનુસૂચિત જાતિઓને એક માળામાં પરોવવા આ મહાનાયકોએ એમની જિંદગીઓ કુરબાન કરી છે.

શેખર ગુપ્તા, સાગરિકા ઘોષ, રાજદીપ સરદેસાઈ, ઉર્મિલેશ, ભાનુપ્રતાપ મહેતા જેવા મનુસ્ટ્રીમ મીડીયાના કહેવાતા પ્રબુદ્ધ (enlightened) પત્રકારો આ આંબેડકરી ચળવળને ‘સેક્યુલર, ડેમોક્રેટિક, લીબરલ, લેફ્ટ’ની પરીભાષામાં સમજવા અને સમજાવવા હાલ રીતસર તરફડીયા મારી રહ્યા છે. કેમ કે, એમના તમામ શુભાશયો છેવટે તો આવા દલિત-વિદ્રોહને કોંગ્રેસની મતપેટી સુધી જ સીમિત રાખવાની મથામણનો ભાગ છે. પણ મને કહેવા દો, આ દલિત-વિદ્રોહ ‘લેફ્ટ-રાઇટ’ના આભાસી વૈચારિક દ્વન્દ્વથી પર, કોંગ્રેસ-ભાજપના રાજકીય ધ્રુવીકરણથી દૂર દલિત-બહુજનની ભાગીદારીની નક્કર જમીન પર વટવૃક્ષ બનીને પાંગરવાનો છે.



- Raju Solanki

May 27, 2018

राजस्थान में दलित एट्रोसीटी और कांग्रेस पार्टी

By Raju Solanki  || 15 April 2018 


राजस्थान में हिन्दुत्व की हिंस्रता सत्ता के समर्थन से दलितों को रौंद रही है. यहां तीन तसवीरें मैंने रखी है. पहली तसवीर राष्ट्रीय स्वयंसेवक संघ के पथ संचलन के कार्यक्रम की है, जो 14 अप्रैल के दिन सरेरी खंड के मोड का निम्बाहेडा गांव में हुआ था. दुसरी तसवीर अखिल भारतीय विद्यार्थी परिषद की भीलवाडा में भगवा रैली के कार्यक्रम की है. यह दोनों तसवीरें स्पष्ट रूप से यह दिखाती है कि राजस्थान में दलित-विद्रोह को वैचारिक तौर से परास्त करने के लिए संघ परिवार पूरी तरह से जोर लगा रहा है. तीसरी तसवीर जिला नागौर के मेडता शहर के पुलीस थाने के थानाधिकारी (पोलीस इन्सपेक्टर) का पत्र है, जो उसने मेडता सिटी ब्लोक के ब्लोक प्रारंभिक शिक्षा अधिकारी (डीपीईओ) को भेजा है, जिसमें उसने लिखा है कि दिनांक 2-4-2018 को उनके ब्लोक के अधीन वाले तमाम कार्यालयों तथा स्कुलों में कार्यरत तमाम कर्मचारी एवम अधिकारियों के नाम उनके मोबाइल नंबर के साथे भेजें, जो लोग उस दिन अवकाश पर अर्थात् लीव पर रहे हो.

राजस्थान में वसुंधरा राजे की सरकार दलितों को कुचलने के लिए तमाम प्रकार के हथकंडे अपना रही है. अभी अहमदाबाद के होप अस्पताल में रानीवाडा से एक दलित युवा को लाया गया था, जिसको मस्तक में टीयरगेस का शेल लगा था और वह गंभीर रूप से जख्मी हुआ था. सूना है कि रानीवाडा में दलितों पर पुलीस तथा करनीसेना ने भयानक हमला किया और दलितों को काफी नुकसान पहुंचाया है.

हम गुजरात के दलित राजस्थान के साथियों के साथ खडे हैं. मगर सवाल यह है कि आनेवाले दिनों में राजस्थान के चुनावी समर में बीजेपी को चुनौती देनेवाली कांग्रेस पार्टी क्या कर रही है? राजस्थान के दलितों को कानूनी मदद के लिए कांग्रेस पक्ष की और से कोई लीगल सेल है कि नहीं? यही सवाल बीएसपी के लिए भी हम पूछ सकते हैं. क्या हमें राजस्थान के दलितों पर हो रहे अत्याचारों का कोई प्रमाणित ब्यौरा मील सकता है?

April 29, 2018

21st Century India and Police Protection to Marriages...!!!

By Jatin Baudh || 29 April 2018




Attended a lot of marriages.
But this one is the special one...

A few days back at a village called Padamala, 15 km distance from Vadodara city during a marriage procession of groom belonged to schedule caste was attacked for playing DJ during the marriage...
Attackers pelted stones at guests who were there to attend marriage...
Goons with hypocrite Orthodox mentality couldn't digest that somebody from lower background had the Audacity to enjoy freedom equal to them.
And then the whole chaos created by goons took village under disturbance and stress...

Today there was another marriage from the same community, and there was a chance of a repetition of the same incident.

Whole marriage proceeding of the groom was handled under police protection...I also attended a marriage with my friends as to extend our moral support to them.

It is so unfortunate that after 70 years of independence still there are parts of India we have to provide police protection to someone just merely because one has fear of getting attacked during the marriage...Can a groom or bride enjoy their marriage with happiness in such situation?

Thank you police department for putting their efforts and allowing marriage procession to compete without any disruption. Also, thank you those progressive and intellectual people who despite belonging to opposite community supported the function

I will be happy when a day will come where no community would have hatred for other and equality will be established.

More Photos :-






March 29, 2018

એટ્રોસીટી એક્ટ અને શાસકો ની નઘરોળ માનસીકતા

By Raju Solanki  || 27 March 2018 


અત્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 અંગે ઉગ્ર ચર્ચા ચાલી રહી છે, ત્યારે ગુજરાત સરકાર આ કાયદા વિષે કેટલી સમજ ધરાવતી હતી તેનું એક ઉદાહરણ અહીં રજુ કરું છું. 2005માં મારા પુસ્તક ‘ભગવા નીચે લોહી’માં આ વિગત મુકી હતી.
*
“તા. ૧૬-૪-૨૦૦૪એ ગુજરાત વિધાનસભામાં જામનગર ગ્રામ્યના ધારાસભ્ય ડૉ. દિનેશ પરમારે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ પૂછયો હતો: "માનનીય મુખ્યમંત્રી શ્રી (ગૃહ) જણાવવા કૃપા કરશો કે,

(૧) એટ્રોસીટી એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓમાં તપાસ અધિકારી તરીકે ડી.વાય.એસ.પી કક્ષાથી ઉતરતી કક્ષાના ન હોય તેવા અધિકારીની નિમણૂંક કરવાની જવાબદારી જિલ્લા પોલીસ વડાની છે તે વાત સાચી છે?

મુખ્યપ્રધાનનો જવાબ કાયદા વિધાશાખાના સૌથી ઠોઠ નિશાળીયાને પણ આઘાત પમાડે તેવો હતો. માત્ર દેખાવથી બુદ્ધિશાળી લાગતા નરેન્દ્ર મોદી વાસ્તવમાં કેવા ડફોળ છે. એની પ્રતીતિ આ જવાબથી થાય છે. તેઓ કહે છે:

"ના, જી. પરન્તુ એટ્રોસીટી એક્ટ હેઠળ નોંધાયેલા તમામ કેસોની તપાસ ડી.વાય.એસ.પી. થી ઉપરના દરજ્જાના ન હોય તેવા અમલદારોએ કરવા માટે અનુ.જાતિ/જનજાતિ અધિનિયમો ૧૯૯૫ના નિયમ-૭ (૧)માં જોગવાઈ છે. જિલ્લા પોલીસ વડાની નથી.”

‘ડી.વાય.એસ.પી.થી ઉપરના દરજ્જાના ન હોય' તેવા અધિકારી એટલે પોલીસ ઇન્સપેક્ટર અથવા પોલીસ સબ ઇન્સપેક્ટર. મોટા ભાગના એટ્રોસીટી કેસોમાં અદાલતો આરોપીઓને એટલા જ કારણસર છોડી મૂકે છે, કે તપાસ અધિકારી પોલીસ ઇન્સપેક્ટર હતો અથવા સબ ઇન્સપેક્ટર હતો. અમદાવાદની કાઉન્સિલ ફોર સોશ્યલ જસ્ટિસે એકઠા કરેલા આવા ૩૦૦ ચુકાદાઓ દર્શાવે છે કે, ૯૫ ટકા કેસોમાં આરોપીઓ સત્તાવાળાઓની બેદરકારીને કારણે જ છૂટી ગયા છે.

મુખ્યપ્રધાન મોદીની ગુનાહિત અજ્ઞાનતાનું વહીવટીતંત્રના છેક તળિયા સુધી સિંચન થયું છે. શાસકો પોતે આવા નઘરોળ હોય, ત્યાં સામાન્ય કારકૂન કે કોન્સ્ટેબલ પાસે કાયદાના પાલનની અપેક્ષા વાંઝણી છે.”

March 24, 2018

AN OPEN LETTER : SC/ST Atrocity Act By Raju Solanki

By Raju Solanki  || 22 March 2018 at 9:09pm



Supreme Court of India has given an adverse judgement in the matter of the Atrocity Act. We have sent a letter to Member of Parliament from Gujarat Dr. Kirit Solanki urging him to promptly take action in this regard. The text of the letter is as follows:

  1. The recent judgement of Supreme Court of India in the matter of Atrocity Act is detrimental to aims and objectives of the Act.
  2. The apex court has observed that the said Act has been misused. This observation is very shallow and ill-founded. When acquittal rate is app. 96 percent and hardly 4 percent accused are punished, the so-called ‘misuse’ of the law is ‘fictitious’ and ’precarious.’
  3. In Gujarat, our personal experience with such cases is quite contrary to what ‘honourable’ judges assume on caste-based atrocities.
  4. We Dalits are the most vulnerable marginalised community, particularly in villages where feudal, casteist attitude prevails and entire political-administrative-police machinery gang up against Dalits.
  5. The present judgement would make Dalits more vulnerable against the hostile forces that need to be controlled as early as possible.
  6. We hope your initiative in this matter may stop ‘judicial extravagance’ and save lives of millions.


This letter will be faxed to all SC and ST MPs

March 13, 2018

ગામડાના દલિતોની રણનીતિ. કેટલાક વિચારો

By Raju Solanki  || 10 March 2018 at 8:31pm



સૌરાષ્ટ્રના ગામડાઓમાં દલિતો પર દિનપ્રતિદિન અત્યાચારો વધી રહ્યા છે. આવા સંજોગોમાં દલિતોએ શું કરવું? સૌરાષ્ટ્રના એક ગામમાં દલિત સૈનિકે જુગાર રમતાં લોકોને ઠપકો આપ્યો અને એની છાતી ચાળણી થઈ ગઈ. સૈનિકના માબાપ ગાંધીનગરમાં ધરણા પર બેઠા, ત્યારે એક ગુજરાતી અખબારે લખેલું કે સૈનિકે જુગારીઓ જોડે ઉદ્ધત વર્તન કરેલું. ખરી વાત છે. સૈનિકે શા માટે ઠપકો આપ્યો? એણે જુગારીઓને ઠંડુ પાણી પીવડાવવું જોઇતું હતું. એ પોતે મીલીટરીમાં હતો. કેન્ટોનમેન્ટમાંથી દારુ લાવીને જુગારીઓને પીવડાવવાનો હતો. જુગારીઓ બાપડાં પત્તા રમતા હતા. જન્માષ્ટમીએ તો આખો સમાજ પત્તા રમે છે. અને ભાજપ-કોંગ્રેસ તો વિધાનસભામાં દાયકાઓથી, મજેથી પત્તા જ રમે છે. દર પાંચ વર્ષે પત્તા ચીપાય છે. ટાઇમ્સ ઑફ ઇન્ડીયા એને લોકશાહીનું નૃત્ય (dance of democracy) કહે છે. હું એને લોકશાહીનો જુગાર (gambling of democracy) કહું છું. અહીં કોંગ્રેસ જીતે કે ભાજપ જીતે, હોડમાં પ્રજા જ મુકાય છે અને છેલ્લે પ્રજાની જ હાર થાય છે. લાસ વેગાસના કોઈપણ કાસિનો કરતા પણ મોટી હેરાફેરી અહીં થાય છે. 
*
થાનગઢમાં આગલા દિવસે મેળામાં દલિતો અને ભરવાડના જુથો વચ્ચે મારામારી થયેલી. મેહુલના પોસ્ટમોર્ટમના રીપોર્ટમાં લખેલું કે એને છાતી પર ઇજા થઈ હતી. એણે ઘરે આવીને કોઇને કહેલું પણ નહીં. રાત્રે પંકજને પોલિસે ગોળી મારી. બીજા દિવસે દલિતો પોલિસની સામે ધસી ગયેલા, એમાં મેહુલ પણ હતો. પોલિસના હાથમાં એકે-47 અને દલિતોના હાથમાં બાવળીયાના ઝાંખરા. કેટલું ભયાનક ઝનુન. પરિણામ કેટલું વિકરાળ. 
*
દલિતોને ક્યાંક મૂછો વધારવાથી માર પડે છે. મૂછો શા માટે રાખો છો? ‘વાણીયાભાઈની મૂછ નીચી’ કહેનારા વાણીયા આજે રાજ કરે છે અને મૂછો પર લીંબુ ઠેરવતા દરબારો પડીને પાધર થયા છે. દરબારોની નકલ કરવા કરતા વાણીયાની કરો. બંને વર્ણવ્યવસ્થાના જ પ્રતીકો છે. તમારે તો નકલ જ કરવી છે ને? તો મૂછ વિનાનું પ્રતીક શું ખોટું? નકલમાં તો અકલ રાખો. 
*
ઉનામાં બાલુબાપાને માર પડ્યો. હજુ ઘરમાં માયાવતીનો ફોટો રાખે છે. શરમ નથી આવતી બાલુભાઈને. અરે ભાઈ, ઘરમાં નરેન્દ્ર મોદીનો ફોટો રાખો. મોદીનો ના રાખવો હોય તો રાહુલજીનો રાખો. તેઓ આવતી કાલે વડાપ્રધાન બનવાના છે. જાણીતા વિદ્વાન કટાર લેખકો, ઊંડા રાજકીય વિષ્લેષકો, લબ્ધ પ્રતિષ્ઠિત સમાજશાત્રીઓ એક અવાજે કહી રહ્યા છે. રાહુલબાબા ઉગતો સૂરજ છે. માયાવતી આથમતી અમાસ છે. કોનો ફોટો રાખવો કે ના રાખવો એ પણ તમને સમજાવવાનું? બેવકૂફ માણસો. સમજો. જીવતો નર ભદ્રા પામે. સર સલામત તો પઘડીયા બહોત. સમય પ્રમાણે સુકાન ફેરવો. સમજ ના પડતી હોય તો ફેસબુક પરની પોસ્ટો વાંચો.
*
ગામડાના દલિતોએ શહેરના દલિતોને એક વાત ખોંખારીને કહી દેવાની જરૂર છે. મહેરબાની કરીને લક્ઝરીઓ ભાડે કરીને અહીં દેકારો કરવા આવશો નહીં. તમે શહેરના અભયારણ્યમાં મજેથી રહો છો. જલસા કરો. અહીં ગામડામાં આવીને ક્રાંતિના નાટકો કરશો નહીં. અહીં ગામડામાં ગાંધી, સરદાર નેહરુ, રૂપાણી, ધનાણી, કાનાણી કોઈનીએ કોઈ શરમ ભરતું નથી, તો તમે કયા ખેતની મૂળી? આપણે બંદૂક ઉઠાવી શકીએ એમ નથી. આપણે પોતે સીક્યૂરિટી માંગીએ છીએ. બીજાને શું અભયદાન આપીશું? તમે શહેરવાળા તમારી ચિંતા કરો. અમે ગામડાવાળા અમારું ફોડી લઇશું. 
*
અને છેલ્લે, ગામડાના દલિતોએ મીડીયા પર ભરોસો કરવો નહીં. મીડીયાને દલિતોમાં રસ નથી, દલિતોની લાશોમાં રસ છે. અખબારોને સરક્યુલેશન વધારવું છે અને ટીવી ચેનલોને એમની ટીઆરપી. મીડીયાના ચાવવાના અને બતાવવાના દાંત જુદા છે. હમણાં એક ટીવી ચેનલ પર એક ડીબેટમાં ભાગ લેવા ગયો ત્યારે મેં જોયું કે એન્કર ટીવી પર જાતિવાદી આંદોલનોને અને આંદોલનકારીઓને ભાંડતો હતો અને જેવી ડિબેટ પૂરી થઈ ત્યારે એની ચેમ્બરમાં “હવે મધ્યસત્ર ચૂંટણી આવવાની છે અને કોંગ્રેસ 120 બેઠકો લાવવાની છે,” એમ કહી રહ્યો હતો. સરવાળે જાતિવાદી તમે છો, ભાજપ અને કોંગ્રેસ તો દૂધે ધોયેલા છે. એ રાજ કરશે. તમારે તો ખહટાવવાનું જ છે.

- Raju Solanki

March 03, 2018

Letter from Gujarat

By Raju Solanki  || 20 February 2018 at 17:26




Letter from Gujarat

How helplessly pathetic it has been to watch both political parties in Gujarat manipulating each and every atrocity on Dalits, getting political mileage out of it and using it for their narrow electoral gains during last forty years!
In the eighties when Congress was in power, BJP would exploit Dalit anger sending its Dalit stooges in Dalit protests and Dharanas, Modi would come with a glass of lemon to end daylong fast of his party's obedient Dalit leaders. The famous Sambarada struggle of 1989 was the glaring example of BJP's blatant manipulation of Dalit dissent, where the then Union finance minister B K Gadhvi was the villain as his caste men tormented Dalits of Sambarda village. The Samabarda struggle was one of the reasons for Congress' downfall in Gujarat.
Now, it is a turn of Congress, the opposition party to ride on Dalit anger and beat BJP with the same tactics and method. And Dalits are simply becoming pawns in the power struggle between two Brahmanical parties.
- Raju Solanki
(copy from 'Tamil-Gujarat Sangam')

પ્યાદા બનેલા દલિતો


By Raju Solanki  || 20 February 2018 at 17:26



છેલ્લા ચાલીસ વર્ષથી ગુજરાતમાં દલિતો પર થતા દરેક અત્યાચારમાંથી રાજકીય ફાયદો ઉઠાવીને ચૂંટણીમાં વોટ મેળવતા બંને મુખ્ય રાજકીય પક્ષોને આપણે અસહાયતાપૂર્ણ લાચારીથી જોઈ રહ્યા છીએ.

એંસીના દાયકામાં કોંગ્રેસ જ્યારે સત્તા પર હતી, ત્યારે બીજેપી તેના દલિત ચમચાઓને દલિતોના આંદોલનો, ધરણા, દેખાવોમાં મોકલીને દલિત આક્રોશને ભૂનાવતી હતી. મોદી લીંબુના શરબતનો ગ્લાસ લઇને તેમના પક્ષના આજ્ઞાંકિત દલિત નેતાઓ, કાર્યકરોને દિવસના ધરણાના અંતે પારણા કરાવતા હતા. 1989ની ઐતિહાસિક સાંબરડા હિજરત દલિત આક્રોશના વરવા ઉપયોગનું સચોટ ઉદાહરણ છે, જ્યારે કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી બી. કે. ગઢવી ખલનાયકના રૂપમાં ચીતરાયા હતા, કેમ કે તેમની જાતિના લોકોએ સાંબરડામાં દલિતોને પ્રતાડ્યા હતા. સાંબરડાની છ મહિના ચાલેલી હિજરત અને સંઘર્ષ ગુજરાતમાં કોંગ્રેસની હાર માટેના મુખ્ય કારણો પૈકીની એક હતી.

હવે, દલિત આક્રોશના ઝંઝાવાત પર સવાર થયેલી કોંગ્રેસ બીજેપીને એ જ રણનીતિ અને પદ્ધતિથી પજવી રહી છે. બંને પક્ષોની સત્તાની સાઠમારીમાં પ્યાદા બનેલા દલિતો આત્મવિલોપનો કરી રહ્યા છે.

ક્યા સુધી છેતરાશો?

By Raju Solanki  || 21 February 2018 at 15:21 


જ્યારે જ્યારે સત્તા પરીવર્તન થાય છે ત્યારે ત્યારે રણમેદાનમાં દલિતો મોખરે હોય છે. પેશવાઓ સામેના જંગમાં હજારો મહારોએ કુરબાની આપી હતી. સત્તા પર આવ્યા પછી અંગ્રેજો મહારોની દિલેરી ભૂલી ગયા હતા.

અંગ્રેજો સામે આઝાદીનો જંગ છેડાયો, ત્યારે ચૌરીચૌરામાં સિત્તેર જાટવો ફાંસીના માંચડે લટકી ગયા. ઇતિહાસમાં એમની જાનફેસાનીની નોંધ સુદ્ધા ના લેવાઈ.ગાંધીએ દાંડીકૂચ કાઢી એમાં પણ દલિતો પણ જોડાયા. આજે એમને કોઈ યાદ કરતું નથી.

1947માં સત્તા પરીવર્તન થયું અને કોગ્રેસ સત્તા પર આવી. કોંગ્રેસે અંગ્રેજોથીય બદતર વહેવાર કર્યો દલિતો સાથે. થોડાગણા (0.001 ટકા) દલિતો સૂખી થયા અનામતના લાભો લઇને, પરંતુ બહુમત દલિતો કંગાળ જ રહ્યા.

ગુજરાતમાં ભાજપ પણ સત્તા પર આવી એમાંય બલિદાનની વેદી પર તો દલિતો જ ચડ્યા. ગોધરા કાંડમાં હજારો દલિતો જેલમાં ગયા, કોમવાદીનું લેબલ દલિતો પર મીડીયા અને સેક્યુલર બૌદ્ધિકોએ લગાવ્યું, બદનામ દલિતો થયા અને માલ મલીદા સવર્ણોએ ચાટ્યાં.

આમ, ઇતિહાસમાં વારંવાર દલિતો પરીવર્તનની રણભેરી ફૂંકે છે, મરે છે, શહીદ થાય છે, આત્મવિલોપનો કરે છે. અને જ્યારે સત્તા મળે છે ત્યારે દલિતો ફરી પાછા હાંસિયા પર ધકેલાય છે. વારંવાર દલિતો છેતરાય છે, તોય એમની આંખો ઉઘડતી નથી.

આજે સમગ્ર દેશમાં મોદી અને ભાજપ સામે અસંતોષ વધી રહ્યો છે. દલિતો બલિદાનો આપી રહ્યા છે. સવર્ણ સમાજ માલ્યા, નીરવ મોદી, કોઠારી જેવા લૂંટારાઓને પેદા કરી રહ્યો છે અને દલિતો રોહિત વેમુલા, ભાનુભાઈ વણકર જેવા શહીદોને સર્જી રહ્યો છે. કાલે મોદી સત્તા પરથી ઉતરી જશે અને ભાજપ ઘરે જશે ત્યારે શું દલિતોને સત્તામાં એમનો ન્યાયોચિત હિસ્સો મળશે? શું કોંગ્રેસ ફરી સત્તા પર આવશે તો અસમાનતામૂલક, અન્યાયી સમાજવ્યવસ્થા બદલાશે? તમારી જાતને આ સવાલ પૂછો.

March 01, 2018

હવે લીપાપોતી નહીં ચાલે

By Raju Solanki  || 22 February 2018 at 8:49pm  



અત્યાચારો કોંગ્રેસના રાજમાં પણ થતા હતા અને ભાજપના શાસનમાં પણ થાય છે. પરંતુ બંને વચ્ચે એક મહત્વનો તફાવત છે. કોંગ્રેસના રાજમાં અત્યાચારો થતા ત્યારે “આ વખતે તો કોંગ્રેસને પાડી જ દો” એવું કોઈ બોલતું નહોતું. લોકો અત્યાચારોને કોંગ્રેસ સાથે identify કરતા નહોતા. કોંગ્રેસ દલિતોની માબાપ છે, દલિતો કોંગ્રેસના ઓશિંગણ છે, એવી છાપ એકંદરે જળવાઈ રહેલી. કોંગ્રેસ પર જીવતી એનજીઓ અને કોંગ્રેસની સમાજવાદી છબી ઘસી ઘસીને ઉજળી રાખતા સમાજશાસ્ત્રીઓ, બૌદ્ધિકોએ સમય સાથે અંદરથી સડતી જતી કોંગ્રેસને બહારથી લીલીછમ્મ રાખી હતી.

જેતલપુરમાં શકરાને જીવતો સળગાવી દેવાયેલો. હજારો દલિતો જેતલપુર ઉમટી પડેલા અને ગામને રીતસરનો ઘેરો ઘાલેલો. ઉનાકાંડ કરતા પણ ભયાનક હતો જેતલપુરકાંડ. ઉનાકાંડનો વીડીયો વાયરલ થયો એટલે એની ભયાનકતાનો તમને અંદાજ આવ્યો. જેતલપુરના હત્યાકાંડની કોઈને ગંધ સુદ્ધાં આવેલી નહીં. ત્યારે દલિત અત્યાચારની શોકસભાઓમાં કોંગ્રેસના દલિત આગેવાનોની હાજરી એકદમ સ્વભાવિક ગણાતી. દલિત કવિ નીરવ પટેલની અત્યંત જાણીતી કવિતા ‘જેતલપુર’માં કવિ તત્કાલીન કોંગ્રેસી દલિત અગ્રણીઓને ઉદ્દેશીને કહે છે,

“મનુભાઈ, શાંતાબેન
એમણે કરવાના ખુન અને આપણે ભરવાની શોકસભાઓ?”

આજે અત્યાચાર થાય તો આ જ પંક્તિમાં થોડો ફેરફાર કરીને આપણે કહીએ છીએ, 
“રાહુલભાઈ, સોનીયાબેન
એમણે કરવાના ખુન અને આપણે ભરવાની શોકસભાઓ?”

દલિતોની રેકર્ડ અટકી ગઈ છે.
દલિતોની રેકર્ડ ઘસાઈ ગઈ છે. 
હવે તો પિન પણ ઘસાઈ ગઈ છે, 
તોય કેટલાક લોકો નવી રેકર્ડ, નવી પિન લાવવા માંગતા નથી, નવું ગીત ગાવા માંગતા નથી. 

જેતલપુરમાં અત્યાચારો પટેલો કરતા હતા, કોંગ્રેસ કરતી નહોતી એવી સમજ (કે ગેરસમજ?) હતી. ગોલાણામાં અત્યાચારો દરબારોએ કર્યા, કોંગ્રેસે કર્યા એવું કોઈ કહેતું નહોતું. કોઈએ એવું પણ ના કહ્યું કે, કોંગ્રેસના રાજમાં દરબારોને બહુ ચરબી ચડી ગઈ છે. કોંગ્રેસ તો સારી છે, આ દરબારો અને પટેલો ખરાબ છે એવું કહેનારો વર્ગ મોટો હતો. અત્યાચારો થાય છે, પરંતુ કોંગ્રેસમાં આપણો અવાજ તો છે ને આવું માનનારા લોકોની સંખ્યા મોટી હતી.

કોંગ્રેસના રાજમાં લોકશાહીની ભ્રામકતા જળવાઈ રહેલી. કેમ કે, કોંગ્રેસ પાસે ગાંધીવાદ નામનો જોરદાર મલમ હતો. માર ખાનારના બરડે જઇને હાથ ફેરવતા, એમને સાંત્વન આપતા, હૈયાધારણ આપતા ઇન્દુચાચા, અનસુયાબેન, રવિશંકર મહારાજ, બબલદાસ મહેતા, ભાનુ અધ્વર્યુ, ઠક્કરબાપા, પરીક્ષિત મજમુદાર જેવા અસંખ્ય ગાંધીવાદીઓએ અસમાનતામૂલક સમાજવ્યવસ્થાને ટકાવી રાખતી કોંગ્રેસ સરકારોને સતત પ્રાણવાયુ પૂરો પાડ્યો હતો. આજે ભાજપ પાસે છી છી રવિશંકર, રામદેવ, આશારામ, રામરહીમ જેવા કહેવાતા સંતોની ફોજ છે, પરંતુ તેઓ દલિતોને આત્મીય કે પોતીકા લાગતા નથી.

કોંગ્રેસ પાસે ગાંધીવાદનો મલમ હતો. ભાજપ પાસે હિન્દુત્વનો કેફ છે. હવે મલમથી દુખાવો મટતો નથી. કેફ ઉતરી ગયો છે. દલિતો બાબાસાહેબ આંબેડકરે આપેલો ભીમબાણ ઇલાજ માંગે છે. સત્તામાં જ નહીં, તમામ ક્ષેત્રોમાં ભાગીદારી ઇચ્છે છે. હવે લીપાપોતી નહીં ચાલે.

- Raju Solanki
(Writer is freethinker and social activist based in Ahmedabad, Gujarat)

February 26, 2018

ભાનુભાઈ ની શહાદત તમામ સમાજ માટે એક સામાજિક ચળવળ નો પાયો છે

By Jigar Shyamlan ||  17 February 2018 at  12:30pm 






જે.પી.દત્તાની ફિલ્મ "ગુલામી"નો એક ડાયલોગ છે, જેમાં ધમેન્દ્ર કહે છે કે - 
"बरसात की पहली बूंद को तपती हूई जमीन पर गिर कर फना होना ही पडता है।"

ભાનુભાઈના આત્મવિલોપન અને બાદમાં થયેલ અવસાનની ધટનાને લોકો ભલે ગમે તે અર્થ માં મૂલવતા હોય. પણ તેને માત્ર પછાત સમાજ પુરતી સિમીત ન બનાવી દેતા તમામ સમાજના લોકોની નાગરિક અધિકારપત્ર માટેની એક લડાઈ તરીકે પણ નિહાળવી જોઈયે.
આપણે તેને સરકારી કચેરીઓમાં શોભાના ગાંઠીયાની પેઠે ગોઠવેલા નાગરિક અધિકાર પત્રો સામેની લડાઈ તરીકે પણ ઓછી ન આંકવી જોઈયે.

આ એક એવી વાત જેના પર કદાચ બહુધા લોકોનું ધ્યાન નથી જઈ રહ્યું.

સમી તાલુકાના દૂદખા ગામે પછાત સમાજનાં લોકોને સરકાર તરફથી ફાળવાયેલ જમીનના માલીકીકરણની વરસો જૂની માંગણી હતી. આ સભ્યોએ સરકાર દ્વારા નિયત કરાયેલ નાંણા ભયાઁ હતા તેમ છતાં આ મુદ્દે સરકારી તંત્ર પોતાના સ્વભાવ અને આદત મુજબ ખો આપી રહ્યું હતું.

છેલ્લે આ મુદ્દે યોગ્ય નિરાકરણ નહી લાવવામાં આવે તે અંતિમ પગલા તરીકે આત્મવિલોપનની વાત કરવામાં આવી હતી અને તેની જાણ કરતા આવેદનપત્ર પણ સબંધિત તંત્રને અગાઉ મોકલી આપેલ હતા.

બનાવના દિવસે પણ કદાચ આ મામલે સબંધિત લોકોને કલેક્ટરને મળી યોગ્ય રજૂઆત કરવાની કે કોઈ હકારાત્મક વાતચીતનો દૌર આગળ વધે તે બાબતની તક આપવામાં આવી ન હતી.

છેવટે વિલંબમાં પડેલ જમીનના મુદ્દે આ ભાનુભાઈએ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં જ આત્મદાહ કરવો પડ્યો.

હવે આપણે ભાનુભાઈ આંબેડકરવાદી હતા અને પછાતોના જમીનનાં પ્રશ્ન બાબતે આ પગલુ ભરવા મજબુર થયા એટલા માત્રથી આ ધટનાને મૂલવવી ન જોઈયે. કારણ જમીન માટેના અરજદારો તો બીજા હતા. જે જમીન માટે ભાનુભાઈ લડ્યા એમાં તેમનુ ખુદનુ કોઈ હિત ન હતું, કોઈ સ્વાથઁ ન હતો.

એટલે એક અથઁમાં ભાનુભાઈના આત્મવિલોપનની આ ધટના નાગરિક અધિકારપત્ર માટેની એક લડાઈ તરીકે નિહાળવી જોઈયે.

સમાજના તમામ વર્ગના લોકો કે જેઓ પોતાના પ્રશ્નો બાબતે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ ચૂક્યા છે... ધક્કા ખાઈ રહ્યા છે તેઓના માટે નાગરિક અધિકારપત્રનો અસરકારક અમલ કરવાની દિશામાં સરકાર ગંભીર બને તે દિશામાં એક અનોખા આગાઝના રૂપમાં લેખવો જોઈયે.

જેથી ભાનુભાઈ ની શહાદત માત્ર પછાત સમાજ જ નહી પરંતુ તમામ સમાજ માટે એક સામાજિક ચળવળ નો પાયો બની શકે.

સૌ એ વાત જાણે છે કે સરકારી કચેરીમાં કામ કઢાવવા માટે દરેક માણસ ચાહે કોઈ સમાજનો હોય કેટલાય ધક્કા ખાવા પડે છે. જુદા જુદા ટેબલો પર કેટલીય લાંચ આપવી પડે છે.

દરેક સરકારી કચેરીઓમાં નાગરિક અધિકાર પત્રો (સિટીઝન ચાર્ટર્સ) ના મોટા હોર્ડીંગ લગાવાયેલા છે. જેમાં નાગરિકોના ક્યા પ્રકારના પ્રશ્નો કેટલા દિવસની સમય મયાઁદામાં ઉકેલવાના હોય તે લખવામાં આવે છે, પણ તેમ છતાં આ નાગરિક અધિકાર પત્રોનો અસરકારક અમલ જ નથી થતો.

આ ધટનાને માત્ર પછાત સમાજ સુધી સિમીત ન રાખી સર્વ સમાજના લોકો નાગરિક અધિકાર પત્ર અમલીકરણ બાબતે જાગ્રત બને અને સરકારી તંત્ર પર દબાણ લાવે તે દિશામાં જરુરી પગલા લેવાની શરૂઆત તરીકે આંદોલીત કરવી જોઈયે.
(વિચારબીજ -Dr.Tarun Chandrikaben Baldevbhai)

ભાનુભાઈ અને નાગરિક અધિકાર આંદોલન

By Dr Tarun Chandrikaben Baldevbhai || 26 February 2018



ઈ તારીખ ૧૬ ફેબ્રુઆરી ની મોડી રાત્રે અમદાવાદ એપોલો હોસ્પિટલથી આવેલ એ હ્યદયદ્ભાવક દુઃખદ સમાચાર કે  નાગરિક અધિકાર ની લડાઈ માં આપણા પ્રેરણામૂર્તિ ભાનુભાઈ હવે આપણી વચ્ચે નથી રહ્યા.

           ભાનુભાઈનું નામ અમર થાય, ભાનુભાઈની આ લોકાધિકારમાટે જાત હોમી નાખતી ખામીરવંતી શહાદત ની નોંધ મોટા પાયે લેવાય , તેમની શહીદી એળે ન જાય, અને સર્વ સમાજ ના લોકો તેમની મૃત્યુ નો સરકાર સામે ગુસ્સો બતાવે, એક નિઃસ્વાર્થ સમાજસેવક ની તંત્ર દ્વારા કરવામાં આવેલ નિર્મમ હત્યાનો વિરોધ જતાવે તેના માટે વ્યવસ્થિત આયોજન થાકી એક એવો મુદ્દો ઉજાગર કરવો જોઈએ કે ભાનુભાઈ ની શહાદત તે નાગરિક અધિકારપત્ર માટેની એક મોટી સામાજિક ચળવળ નો પાયો બની જાય.
    
           માંડીને વાત કરું તો આપણને સૌને ખબર છે કે સરકારી કચેરીમાં કામ કઢાવવા માટે કેટલાય ધક્કા ખાવા પડે છે, લાંચ આપવી પડે છે. પાટણ ના સમી તાલુકાના દૂદખા ગામના નાગરિકોને સરકાર દ્વારા ફળવાયેેેલ જમીન ના માલીકીકરણની વરસો જૂની માંગણી હતી. આ સભ્યોએ સરકાર દ્વારા નિયત કરાયેલ નાંણા ભયાઁ હતા તેમ છતાં આ મુદ્દે સરકારી તંત્ર પોતાના સ્વભાવ અને આદત મુજબ ખો આપી રહ્યું હતું.સરકારી કચેરીમાં કામ કઢાવવા માટે દરેક માણસ ચાહે કોઈ સમાજનો હોય કેટલાય ધક્કા ખાવા પડે છે. જુદા જુદા ટેબલો પર કેટલીય લાંચ આપવી પડે છે. ભાનુભાઈનું આત્મદાહ નું પગલું એક ગંભીર ઘટના છે, જે  કોઈ એક જ્ઞાતિ ,સમાજ ,ગામ , શહેર કે જિલ્લા પૂરતી સીમિત ના હોઈ શકે.  ભાનુભાઈ ની લડાઈ એ ફક્ત કોઈ દલિત માત્ર કે ગરીબ માત્ર ને જમીન નો ટુકડો અપાવવા માટેની હતી તેવું મૂલ્યાંકન સાવ કાચું કહી શકાય. ભાનુભાઈનો સંઘર્ષ તે સરકારી કચેરી ઓમાં શોભાના ગાંઠીયાની પેઠે ગોઠવેલા નાગરિક અધિકાર પત્રો સામેની લડાઈ તરીકે પણ ઓછો ન આંકવો જોઈયે.

        તમારા વિસ્તારમાં સર્વ-સમાજના લોકો નાગરિકઅધિકારપત્ર ના અમલીકરણ માટે પ્રયત્નશીલ થાય એના માટે આપણે વાત વહેતી મૂકી શકીયે..અધિકારીઓએ નાગરિકોના કામ કેટલા દિવસમાં કરી આપવા તેની સમય મર્યાદા જણાવતા બોર્ડ દરેક સરકારી કચેરી માં લાગે અને તે સમય મર્યાદામાં લોકોનું કામ થાય તેવું નિશ્ચિત થાય, અને જો સમયમર્યાદામાં કામ થાય નહિ તો જે તે અધિકારી ને દંડ થાય તેવા પ્રાવધાન માટે માંગણી કરીયે અને તે મુજબ ના કાર્યક્રમો સર્વસમાજ ને સાથે લઈને કરીયે, સિટીઝન્સ ચાર્ટર ની માંગણી સાથે કલેક્ટર કચેરીના ઘેરાવ નો, આવેદન નો કાર્યક્રમ કરી શકાય અને ભાનુભાઈનું બલિદાન તેના પાયામાં રહે.

....એક સુચન...
શ્રધ્ધાંજલી

ડો.તરૂણ
(સ્ત્રીરોગ નિષ્ણાત, અમદાવાદ)

February 16, 2018

લોકશાહીની અધોગતિ


By Dr Tarun Chandrikaben Baldevbhai || 16 February 2018

માણસાઈના ધજાગરા
લોકશાહીના ધજાગરા
સરકારીતંત્રના ધજાગરા

એક વ્યક્તિને તેને કાગળ પર ફળવાયેલી જમીન ના અધિકાર માટે રજૂઆત કરવા માટે સરકારી અમલદાર ને મળવું છે, અને તેના માટે પ્રજાના સેવક સાહેબજી સમય આપતા નથી અને પોતાની ન્યાયિક માંગણી ની રાજુઆતને આમ તંત્ર દ્વારા વારંવાર આવગણાતા ભાનુભાઈ આત્મવિલોપન ની ચીમકી સાથે અગાઉથી જાહેરાત કરી રજૂઆત કરવા કલેક્ટર કચેરી જાય છે, સરકારે આ વ્યક્તિ આત્મદાહ કરે તો તેના માટે ફાયરબ્રિગેડ , એમ્બ્યુલન્સ ,પોલીસ વગેરે વ્યવસ્થા કરી રાખી છે. પણ તેની રજૂઆત માટે મળવાની વ્યવસ્થા નથી થઇ શકતી. માણસ કચેરી માં ઘુસી ના જાય, એના માટે પોલીસ-વ્યવસ્થા કરવાનો સમય છે, પણ સરકાર તેની પ્રજાના પ્રશ્નો સાંભળવા સમય ફાળવી શકતી નથી.

આટલી અસંવેદનશીલતા ! લોકશાહીની અધોગતિ.

ભાનુભાઈ ૯૬% દાઝેલા છે, આંતરિક અવયવો ને ગંભીર નુકશાન થયેલ છે, અને કૃત્રિમ શ્વાસોશ્વાસ ના વેન્ટિલેટર મશીન પર છે.

આત્મવિલોપન ના કરશો કોઈ

By Raju Solanki  || 16 February 2018 




ગઈકાલે પાટણ જિલ્લાની કલેક્ટર કચેરી સામે એક દલિતે આત્મવિલોપન કર્યું. આ લખું છું ત્યારે તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે. એમના સ્વજનો માટે આ ભયાનક, કારમી ઘડી છે. આપણે ત્રાહિત લોકો ગમે તેટલી વાતો કરીએ, આપણી સંવેદના પ્રસંગ પૂરતી, ક્ષણિક અને ક્યારેક તો દેખાદેખીથી જન્મેલી હશે. પીડિતના પરિવારના માથે તો ખરેખર આભ જ તૂટી પડ્યું છે.

પાટણની આ હ્રદયવિદારક ઘટના જોઇને મને બે વર્ષ પહેલાંના આત્મવિલોપનો સાંભરી આવ્યા. કેવા ભયાનક સંજોગોનું નિર્માણ થયેલું. ત્યારે 2016માં ગાંધીનગરમાં ગુજરાતના 11 ગામોના દલિતોએ ન્યાય માટે ‘પ્રતિરોધ’ના બેનર નીચે સત્યાગ્રહ છાવણી પર બે મહિના ધરણા ઉપવાસ કરેલા. મીડીયાના મીંઢા મૌન વચ્ચે ખાસી કપરી લડતના અંતે દલિતોની કેટલીક માંગણીઓ ફળીભૂત પણ થયેલી. બધા પોતપોતાના ગામ પાછા ફરેલા. પરંતુ, આંદોલન સમેટાયા પછી આંકોલાળીના પિયુષ સરવૈયાએ ગીર-સોમનાથ કલેક્ટરને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતો પત્ર પાઠવેલો. 2012માં ભાઈની હત્યા પછી સરવૈયા પરિવારે પહેરેલા લૂગડે આંકોલાળી છોડેલું ને પ્રતિરોધની લડતના અંતે તેમને દિવથી પાંચેક કિમી. દૂર દેલવાડા ગામે 14 વીઘા જમીન તો મળી, પણ ગામ અને વહીવટમાં બેઠેલા દલિત-વિરોધી તત્વોને તેઓ આંખમાં કણાની જેમ ખૂંચ્યા. જમીનના બદલામાં સરકારે જમીન આપેલી. કોઈ ઉપકાર નહોતો કર્યો, તોય સરવૈયાને ગામમાંથી ભગાડવાના કારસા રચાતા હતા. છેવટે, કંટાળીને પિયુષે આત્મવિલોપનની ચેતવણી આપેલી.

પત્ર પાઠવીને પિયુષભાઈ ઉનાથી ગાયબ થઈ ગયા. રાત્રે 10 કલાકે પોલિસ સ્ટેશનથી બે પોલિસવાળા મારા ઘરે આવ્યા. પૂછ્યું કે પિયુષ ક્યાં છે? મેં કહ્યું, “આવા કોઈ આત્મવિલોપનની ચેતવણીની મને ખબર નથી. આવા કોઈપણ પગલાંને મારું સમર્થન હોય જ નહીં.” મારા જવાબથી એમને સંતોષ થયો કે નહીં એની તો ખબર ના પડી, પરંતુ એમણે એક કાગળ પર લખાણ કર્યું, મારી સહી લીધી અને વિદાય થયા. અમે પથારીમાં પડીને સૂવાની તૈયારી કરી ત્યાં 11.00 કલાકે ઉના પોલિસ સ્ટેશનના પીએસઆઈ (કે પીઆઈ?) વાઘેલાભાઈનો મારા પર ફોન આવ્યો. અત્યંત નમ્રતાપૂર્વક તેઓ કહે છે, “સાહેબ, પિયુષભાઈ આત્મવિલોપનની ચીમકી આપીને ક્યાંક જતા રહ્યા છે. પોલિસ સ્ટેશનમાં અત્યારે મારી સામે પિયુષભાઈના પિતા કાળાભાઈ બેઠા છે. તેઓ રડી રહ્યા છે અને પિયુષભાઈની બહુ ચિંતા કરે છે.” મેં કહ્યું, “પિયુષભાઈ મને મળ્યા નથી. મળશે તો આવું કોઈ આત્યંતિક પગલું હું તેમને ભરવા નહીં દઉં. અમારા આંદોલનમાં આત્મહત્યા જેવા અંતિમવાદી પગલાંઓને કોઈ સ્થાન નથી.” એમનો ફોન પૂરો થયો. અમે સૂવાની તૈયારી કરી, એવામાં રાત્રે 12.00 કલાકે ફરી બારણું ખખડ્યું. ખોલીને જોયું તો બે પોલિસ કોન્સ્ટેબલો હતા. અસ્તવ્યસ્ત વાળ, આંખો ઉજાગરાથી લાલ, ચોળાયેલા કપડાં, બેઉના ખભે બેગપેક. રાત માથે લઇને નીકળ્યા હોય તેવું લાગતું હતું. મેં એમને પ્રેમથી આવકાર આપ્યો. ઘરમાં બેસાડ્યા અને કહ્યું, “હમણાં જ તમારા સાહેબનો મારા પર ફોન આવ્યો હતો. મેં એમને કહ્યું છે કે પિયુષભાઈ મને મળશે તો હું તેમને આવું કોઈ પગલું ભરવા નહીં જ દઉં.” બીજા દિવસે પિયુષ સરવૈયા સદભાગ્યે નવા સચિવાલયના ગેટ આગળ જ ઝડપાઈ ગયેલા. પોલિસ એમને પકડીને પ્રેમથી ઉના લઈ ગયેલી. સરવૈયા પરિવાર આજે પણ જાતિવાદી દેશના નીંભર વહીવટીતંત્ર અને દલિત-દ્વેષી ગ્રામજનો વચ્ચે જિંદગીનો સંઘર્ષ કરી રહ્યું છે. પણ ઝેરના પારખાં ક્યારેય નહીં કરવા એવો મારો સ્પષ્ટ સંદેશ છે.

પિયુષ સરવૈયાની ઘટનાના થોડાક જ દિવસો પછી ઉના તાલુકાના મોઠા ગામના એડવોકેટ સંજય સોંદરવાએ પણ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારેલી. પોલિસ ફરી મારા ઘરે તપાસ કરવા આવેલી. એ વખતે તો પોલિસે હદ કરી નાંખી. મારા ફ્લેટના ચારેય માળ ફરીને બધાને પૂછ્યું, “રાજુ સોલંકી કોણ છે?” બધાને ભેગા કર્યા અને મારા ઘરવાળા પાસે મારો ફોટો માંગ્યો. હું ત્યારે ઘરે નહોતો. પડોસીએ મને ફોન કરીને કહ્યું કે તમારા ઘરે પોલિસ આવી છે. હું ઘરે આવ્યો. પોલિસોને ઘરમાં બેસાડ્યા. બેસતાની સાથે તેમણે પૂછ્યું, “સંજય સોંદરવા તમારા ઘરે છે?” મેં કહ્યું, “ના. મને ખબર નથી એ ક્યાં છે. એમણે આત્મવિલોપનની ચીમકી આપી છે એની મને ખબર છે.” તેઓ વીલા મોઢે પાછા ગયા. સૌરાષ્ટ્રના છેક તળના ગામમાં કોઈ ચીમકી ઉચ્ચારે તો ત્રણસો કિમી. દૂર અમદાવાદમાં તપાસ કરવા દોડનારી પોલિસ પણ ગુજરાતની છે અને અહીં પાટણમાં એક સપ્તાહ પહેલાં આત્મવિલોપનની ચીમકી આપવા છતાં તેમને ઘાતકી રીતે મરવા છોડી દેનારા પટેલ કલેક્ટર અને આદિવાસી એસપી પણ ગુજરાતના જ છે.

આ બે ઘટનાઓ પછીના ગાળામાં મોરંગીમાં દલિતોએ મારું સન્માન કરેલું ત્યારે પ્રત્યુત્તરમાં મેં કહેલું, “બાબાસાહેબે જીવનમાં ઘણા દુખ સહ્યા. અપમાનો વેઠ્યા. ગાળો ખાધી. ક્યારેય હિંમત હાર્યા નહીં. ક્યારેય એવું ના કહ્યું કે હું આમરણાંત ઉપવાસ પર બેસીશ. ક્યારેય ફીનાઈલનું ડબલું લઇને મામલતદાર કચેરીએ ગયા નહીં. આપણે મહામાનવના જીવનમાંથી આટલું તો શીખીએ જ. ગમે તેટલી મુસીબતો પડે, કાળુ ડીબાંગ અંધારું હોય, સવાર તો પડવાની જ છે. એવી આશા તો રાખીએ જ. હૈયામાં હામ હશે તો જગ જીતાશે. હિંમત હારીશું તો યુદ્ધ હારી જઇશું.”

આશા રાખીએ કે ભાનુભાઈની ઘટના અંતિમ હોય.

- Raju Solanki