November 27, 2017

टीपू सुल्तान विवाद

By Social Media Desk

पिछले कुछ सालों से, 10 नवंबर के आसपास, भाजपा, टीपू सुल्तान पर कीचड़ उछालने का अभियान चलाती रही है। पिछले तीन सालों से कर्नाटक सरकार ने आधिकारिक तौर पर टीपू की जयंती मनाना शुरू कर दिया है। टीपू सल्तान देश के एकमात्र ऐसे राजा हैं जिन्होंने अंग्रेज़ों के खिलाफ लड़ते हुए अपनी जान गंवाई। इस साल भी, 10 नवंबर के कुछ पहले, केन्द्रीय मंत्री और कर्नाटक भाजपा के वरिष्ठ नेता अनन्त कुमार ने टीपू जयंती समारोह में भाग लेने का कर्नाटक सरकार का निमंत्रण ठुकरा दिया। उन्होंने कहा कि टीपू सुल्तान बलात्कारी, दुष्ट और कट्टरपंथी था और उसने कई कत्लेआमों को अंजाम दिया था। कुछ स्थानों पर भाजपा ने टीपू की जयंती मनाए जाने का विरोध भी किया।

समाज के कुछ तबके यह मानते हैं कि टीपू सुल्तान एक आततायी शासक था, जिसने हिन्दुओं को जबरदस्ती मुसलमान बनाया। यह भी आरोप लगाया जाता है कि उसने कन्नड़ भाषा की कीमत पर फारसी को बढ़ावा दिया। ऐसा आरोप है कि अपने सेनापतियों को लिखे अपने पत्रों में, जिनके बारे में यह दावा किया जाता है कि वे ब्रिटिश सरकार के कब्जे में हैं, टीपू ने यह लिखा था कि काफिरों का इस धरती पर से नामोनिशान मिटा दिया जाना चाहिए। टीपू के मुद्दे पर समय-समय पर विवाद उठते रहे हैं। कुछ सतही जानकारियों के आधार पर चंद लोग यह दावा करते हैं कि उसने सैंकड़ों मंदिरों को ध्वस्त किया और हज़ारों ब्राह्मणों को मौत के घाट उतार दिया।

यह दिलचस्प है कि भारत के राष्ट्रपति रामनाथ कोविन्द, जो संघ की विचारधारा से ताल्लुक रखते हैं, ने हाल में अपनी कर्नाटक यात्रा में टीपू की जमकर प्रशंसा की। उन्होंने कहा, ‘‘टीपू सुल्तान अंग्रेज़ों से लड़ते हुए एक नायक की मौत मरे। उन्होंने रॉकेटों का विकास किया और युद्ध में उनका इस्तेमाल किया’’। राष्ट्रपति के इस कथन से भाजपा को धक्का लगा और उसके कुछ प्रवक्ताओं ने यह दावा किया कि राष्ट्रपति का भाषण कर्नाटक सरकार द्वारा दी गई जानकारी के आधार पर तैयार करवाया गया था।

टीपू सुल्तान के मुद्दे पर आरएसएस-भाजपा परिवार में भी मतभेद हैं। सन 2010 में चुनाव के ठीक पहले, भाजपा नेता बीएस येदियुरप्पा ने टीपू सुल्तान की पगड़ी पहनकर, तलवार हाथ में लेकर तस्वीरें खिंचवाईं थीं। सन 1970 के दशक में आरएसएस ने अपनी भारत-भारती श्रृंखला के तहत प्रकाशित एक पुस्तिका में टीपू की प्रशंसा करते हुए उन्हें देशभक्त बताया था।

कन्नड़ नाटककार गिरीश कर्नाड टीपू के इतने जबरदस्त प्रशंसक हैं कि उन्होंने यह मांग की है कि बेंगलुरू के हवाईअड्डे का नाम टीपू के नाम पर रखा जाना चाहिए। कर्नाड का यह भी कहना है कि अगर टीपू सुल्तान हिन्दू होते तो उन्हें कर्नाटक में वही दर्जा मिलता जो शिवाजी को महाराष्ट्र में मिला हुआ है।

टीपू सुल्तान को राष्ट्रीय स्तर पर प्रसिद्धि दिलवाने में टीवी सीरियल ‘‘स्वोर्ड ऑफ टीपू सुल्तान’’ का महत्वपूर्ण योगदान है। भगवान गिडवानी की पटकथा पर आधारित इस सीरियल के 60 एपीसोड प्रसारित हुए थे, जिनमें ईस्ट इंडिया कंपनी के साथ टीपू की लंबी लड़ाई का चित्रण किया गया था। टीपू ने मराठाओं और हैदराबाद के निज़ाम से पत्राचार कर उनसे यह अनुरोध किया था कि वे अंग्रेज़ों का साथ न दें। टीपू का यह मानना था कि ईस्ट इंडिया कंपनी का शासन भारत के लिए अहितकर होगा। अपनी इसी सोच के चलते उन्होंने अग्रेज़ों के साथ कई लड़ाईयां लड़ी। सन 1799 के चैथे अंग्रेज़-मैसूर युद्ध में वे मारे गए। कर्नाटक में उन पर लिखे हुए कई लोकगीत प्रचलित हैं। वे राज्य के लोगों की स्मृति में आज भी जिंदा हैं। लोगों के मन में उनके प्रति वही आदर भाव है जो शिवाजी के प्रति महाराष्ट्र के लोगों में है।

टीपू ने अपने दरबार की भाषा फारसी को क्यों बनाया? यहां यह याद रखा जाना आवश्यक है कि उस समय भारतीय उपमहाद्वीप के कई राजदरबारों की भाषा फारसी थी। शिवाजी भी फारसी में पत्राचार किया करते थे और इसके लिए उन्होंने मौलाना हैदर अली को अपना प्रमुख सचिव नियुक्त किया था। टीपू धार्मिक कट्टरवादी नहीं थे, जैसा कि आज बताया जा रहा है। टीपू की नीतियां धर्म से प्रेरित नहीं थीं। कामकोटि पीठम के शंकराचार्य को लिखे अपने पत्र में उन्होंने शंकराचार्य को ‘जगत गुरू’ के नाम से संबोधित किया था। उन्होंने कामकोटि पीठम को ढेर सारी धन दौलत भी दान में दी थी।

पटवर्धन की मराठा सेना द्वारा श्रेंगेरी मठ में लूटपाट किए जाने के बाद टीपू ने इस मठ का पुराना वैभव बहाल किया। उनके शासनकाल में 10 दिन का दशहरा उत्सव मैसूर की सामाजिक जिंदगी का अभिन्न हिस्सा था। अपनी पुस्तक ‘‘सुल्तान ए खुदाद’’ में सरफराज शेख़ ने ‘टीपू का घोषणापत्र’ प्रकाशित किया है। इस घोषणापत्र में टीपू कहते हैं कि वे धार्मिक आधार पर किसी के साथ भेदभाव नहीं करेंगे और अपनी अंतिम सांस तक अपने साम्राज्य की रक्षा करेंगे।

यह आरोप लगाया जाता है कि टीपू ने कुछ समुदायों को प्रताड़ित किया। यह सही है। परंतु इसका कारण धार्मिक न होकर राजनीतिक था। इतिहासकार केट ब्रिटिलबैंक लिखती हैं, ‘‘यह उनकी धार्मिक नीति नहीं थी बल्कि लोगों को सज़ा देने की नीति थी’’। उन्होंने उन समुदायों को निशाना बनाया जिनके बारे में वे यह मानते थे कि वे राज्य के प्रति वफादार नहीं हैं। ऐसा भी नहीं है कि उन्होंने सिर्फ हिन्दू समुदायों को प्रताड़ित किया। उन्होंने महादवी जैसे कुछ मुस्लिम समुदायों को भी अपना निशाना बनाया। इसका कारण यह था कि ये समुदाय अंग्रेज़ों के समर्थक थे और ईस्ट इंडिया कंपनी की सेना के घुड़सवार दस्ते में इन समुदायों के बहुत सारे व्यक्ति शामिल थे। एक अन्य इतिहासविद सुसान बैली लिखती हैं कि अपने राज्य के बाहर के हिन्दुओं और ईसाईयों पर उनके हमलों को उनकी राजनीति का भाग माना जाना चाहिए क्योंकि अपने राज्य के भीतर इन समुदाय के लोगों से उनके निकट और सौहार्दपूर्ण संबंध थे।

उनके वे तथाकथित पत्र, जो ब्रिटिश सरकार के कब्जे में हैं, के बारे में जो कुछ कहा जा रहा है उसे भी इसी परिप्रेक्ष्य में देखे जाने की ज़रूरत है। अभी तो यह भी पक्का नहीं है कि वे पत्र असली हैं या नहीं।

हम किसी भी व्यक्ति को उसकी पूर्णतः में ही देख-समझ सकते हैं। जब पुर्णैया नामक एक ब्राह्मण उनके मुख्य सलाहकार थे और वे कांची कामकोटि पीठम के शंकराचार्य के प्रति सम्मान भाव रखते थे, तब इस बात की संभावना बहुत कम रह जाती है कि उन्होंने हिन्दुओं का कत्लेआम करवाया होगा। अंग्रेज़ उनसे बहुत नाराज़ थे क्योंकि वे अंग्रेज़ों के भारत में बढ़ते प्रभाव के कड़े विरोधी थे और उन्होंने मराठाओं और निज़ाम से यह कहा था कि हमें अपने झगड़े आपस में मिल बैठ कर सुलझाने चाहिए और अंग्रेज़ों को इस देश से बाहर रखना चाहिए। अंग्रेज़ों ने टीपू सुल्तान का दानवीकरण करने में कोई कसर नहीं छोड़ी। इस योद्धा और शासक के बारे में हमें संतुलित ढंग से सोचना होगा। हमें इस बात को ध्यान में रखना होगा कि टीपू ने प्राणपन से अंग्रेज़ों का विरोध किया क्योंकि उन्हें एहसास था कि भारत पर जिन शक्तियों ने कब्ज़ा जमाया, उनसे अंग्रेज़ कई मामलों में एकदम भिन्न थे। एक तरह से टीपू सुल्तान अंग्रेज़ों के खिलाफ भारतीय प्रतिरोध के अग्रदूत थे।

सांप्रदायिक ताकतें पेंडुलम की तरह टीपू को सिर-आंखों पर बिठाने के बाद अब उन पर कालिख पोतने में जुटी हुई हैं। यह सब केवल और केवल उनकी राजनीति का हिस्सा है। 
-राम पुनियानी
(अंग्रेजी से हिन्दी रूपांतरण अमरीश हरदेनिया) 

સમયપાલન - આળસ કે ઇગો

By Dinesh Makwana  || 31 Oct 2017


સ્વામી સચ્ચિદાનંદ ના પુસ્તકો હુ ૧૯૮૭ થી વાંચતો આવ્યો છે. કેટલાય કાર્યક્રમમાં તેમને રુબરુ સાંભળવાનો મોકો મળ્યો છે. તે કહે છે હુ રાતે આઠ વાગ્યે સુઇ જઇને સવારે ચાર વાગે ઉઠી જાઉં છુ. છેલ્લા ત્રીસ વર્ષથી આ નિત્યકર્મ ચાલે છે. તેમને કોઇ પણ પ્રસંગમાં બોલાવવા હોય તો તેમની પહેલી શરત એ હોય છે તેમનો કાર્યક્રમ સમયસર શરુ થશે પછી તેમાં બે પ્રેક્ષકો હોય કે આખો હોલ ભરેલો હોય.

નડીયાદમાં વેકેશન દરમિયાન ત્યાની બે ત્રણ ક્લબો જુદા જુદા કાર્યક્રમ ગોઠવતી હોય છે. તેમાં એકવાર જુદી જુદી હસ્તીઓ જીવન અનુભવ વિશે કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. અરવિંદ જોષી ( ૩ ઇડીયટ ના સરમન જોષીના પિતા), જાદુગર કે લાલ ( મુળ નામ કાન્તિલાલ) અને સ્વામી સચ્ચિદાનંદ ( મુળ નામ લક્ષમી શંકર ત્રિવેદી) જેવા મહાનુભાવોને સાંભળવાનો લહાવો મળ્યો હતો. તેમાં મોરારી બાપુ પણ હતા. બીજા બધાને છોડીને સ્વામી નો કાર્યક્રમ ચોક્કસ આઠના ટકોરે જ ચાલુ થયા હતો. બીજા દસ કે પંદર મિનિટ મોડા પડ્યા હતા. તેનાથી પણ જયાં પણ સ્વામીનો કાર્યક્રમ હોય ત્યાં તે હંમેશા સમયસર શરુ થયો જ છે.

ટી ટી રંગરાજન તામિલનાડુના પ્રખ્યાત મેન્ટર છે. જુદા જુદા વિષયો પર તેમનુ લેકચર ખરેખર સાંભળવા જેવું છે. અંગ્રેજીમાં  કેવી રીતે બોલવું અને તેના ઉચ્ચાર માટે તેમને સાંભળો. ૧૯૮૪ થી સતત કાર્યક્રમ આપે છે. તેઓ કહે છે તેમનો એક પણ કાર્યક્રમ એક મિનિટ પણ લેટ નથી થયો. પોલિસ ખાતાના કાર્યક્રમ મા ખુદ પોલિસ કમિશ્નર જેઓ મુખ્યમંત્રીની સુરક્ષાની મીટીગમા હતા તેઓ માત્ર પાંચ મિનિટ આ રંગરાજન ના કાર્યક્રમમાં લેટ થયા અને તેમને કહી દેવામાં આવ્યુ તેમને આજે પ્રવેશ નહી મળે.

અક્ષયકુમાર અભિનેતા એક પણ પાર્ટીમા જતો નથી સાંજે આઠ વાગે સુઇ જઇને સવારે ચાર વાગ્યે ઉઠીને કસરત કરવા જિમમા જાય છે.

આપણા કાર્યક્રમો ક્યારેય સમયસર શરુ થતા નથી. કેમ? આપણામાં શુ ખામી છે જેને સુધારવાની જરુર છે. કેટલાય વર્ષોથી આ ચાલતુ રહ્યું પણ કોઇ તો પહેલ કરો કે આ હવે નહી ચાલે. કાર્યક્રમ તો સમયે જ શરુ થશે. પણ કેટલીક જાતિવાચક ખામીઓ છે તેને દુર કરવી પડશે.

મને બોલાવ્યો નહી

આમંત્રણ પત્રિકા મોકલાવી પણ મને રુબરુ કહ્યુ નહી.

આમના સિવાય કાર્યક્રમ શરુ જ ના થાય

હુ આનો પ્રમુખ છુ હુ જે  કહુ તે પ્રમાણે જ થશે.

આપણા સિવાય કાર્યક્રમ ચાલુ થાય તો...

જેઓ પ્રેક્ષકો છે તેમને ખબર છે કે આ કાર્યક્રમ મોડેથી જ શરુ થવાનો છે

તમારે આ બદલવું પડશે. સવારના દસ વાગ્યાનો કાર્યક્રમ ૧૨ વાગે શરુ થાય તો આયોજકો બહુ મોટી મુઝવણમાં આવતા હોય છે, આયોજન ચાર કલાકનું છે અને હવે માત્ર બે કલાકમાં આટોપવાનું છે. પછી ઉતાવળમાં ભુલો થાય ત્યારે તેને આપણે બિલોરી કાચથી જોઇએ છે. શુ સારુ હતું તેની બદલે શુ ખરાબ હતું તેની તરફ નજર અને પછી તેના વિશે જ ચર્ચા થતી રહે છે. આના માટે સંયુક્ત પ્રયાસો જરુરી છે. એવી એક ઇમેજ બનવી જ જોઇએ કે ફલાણા સંગઠન કે ટ્રસ્ટ નો કાર્યક્રમ હશે તો સમયસર શરુ થશે જ. તેના કારણે પ્રેક્ષકો અને મહેમાનોને પણ સંદેશો પહોંચશે કે તેમણે સમયસર પહોંચવું પડશે. પણ પહેલા આપણે આપણી જવાબદારી સમજવી પડશે.

આ કરી શકાય, અઘરું નથી. માત્ર શિસ્ત અને ઇચ્છાશક્તિની વાત છે

દિનેશ મકવાણા
અજમેર ૩૧/૧૦/૨૦૧૭
સરદાર પટેલ જન્મજયંતિ

નકામી ટેવો

By Dinesh Makwana  || 14 Nov 2017


તમે તમારા ભવિષ્યને બદલી શકતા નથી પરંતુ તમારી ટેવોને બદલી શકો છો. જો ટેવોને બદલી શકતા હોય તો ચોક્કસ માનજો કે તે તમારા ભવિષ્યને બદલી નાંખશે.
- જી બી શો ( જ્યોર્જ બર્નાડ શો)

ગુટકા કે મિરાજ તમાકુ ખાનારા મોટે ભાગે કોઇને આપીને ખાતા હોય છે. બસમાં કે ગાડીમાં મા જો કોઇ ખાતું હોય અને તમે તેની સામે લાચારી ભરી નજર નાંખી હશે તો પેલો તરત જ તમને મિરાજ આપી જ દેશે.

સિગારેટ પીનારા પાસે મોટે ભાગે માચીસ કે લાઇટર હોતા નથી. હુ બહુ હાઇ કલાસ લોકોની વાત નથી કરતો. મધ્યમ વર્ગના લોકોની વાત છે. સિગારેટ માચીસની ભીખ માંગવા મજબુર કરે છે. કોઇ બીડી પીતો હોય અને તેની પાસે સિગારેટ સળગાવવા માચિસ માંગશો તો પેલો તમારી સામે પ્રશ્નાર્થ રીતે જોઇને આપશે. કેટલાક કહી પણ દેતા હોય છે. સિગારેટ પીવાનો શોખ પાળવો હોય તો માચીસ રાખતા શાખો. બીડી તો રીતસરની ભીખ જ મંગાવે.

સૌરાષ્ટ્ર મા માવા બહુ ચાલે. પ્લાસ્ટિક ના કાગળમાં સોપારી અને સુગંધીદાર તમાકુ સાથે ચુનો મિક્સ થાય ત્યાં સુધી તેને મસળતા રહેવું અને તેનો અવાજ બધાને સંભળાય તે રીતે ઉભા રહેવું મર્દાના નિશાની છે. ભડના દીકરાઓ ના પાસે તમે એક સોપારીનો ટુકડો માંગશો તો આખો માવો આપી દેશે. એ અલગ વાત છે ત્યાં કોઇ માંગતુ નથી પણ ગુજરાતમાં મસાલો અડધો અડધો ખાવાની ટેવ છે. મજબુરી બંનેની, સ્વમાન અડધું

જેને શરાબ પીવાનો શોખ છે તે ક્યારેય એકલો નહી પીવે. તમારી પાસે પૈસા ના હોય તો તેના પૈસે શરાબ પીવડાવશે. પોતે ખુવાર થશે અને બીજાને ખુવાર કરશે. પહેલા એક પેગમા અસર થાય, થોડા સમય પછી બે, પછી ત્રણ એમ કરતા વધતા જ રહે. અમારા એક ઓફિસર મિત્રને શરાબ પીવો એનો અર્થ એજ કે પીને બેભાન થઇ જવુ.

આ તમામ ટેવોના ગેરફાયદા છે અને છે જ. કેટલાય પિતાઓના મૃત્યુ ઉપરની આદતોને કારણે થયા પરંતુ તેમના દીકરા તે ટેવોને છોડી શકતા નથી.

જીવન બદલાઇ જાય જો આ નકામી ટેવો છુટે તો. મારે જમ્યા પછી બીડી કે સિગારેટ પીવી જ પડે આ બહાના છે. જો તમારે ભિખારી ના બનવુ હોય, તમારું સન્માન સાચવવું હોય કે મજબુર કે આકુળ વ્યાકુળ ના થવુ હોય તો આ ટેવોને છોડો.

ઉપરની દરેક બાબત મારા અનુભવમાંથી પસાર થઇ ચુકી છે. છોડવા માટે તમારી પાસે ૫૦૦ બહાના હોવા જોઇએ. ૧૯૮૮ થી સિગારેટ પીવાની શરુ કરી હતી. ૨૦૧૩ માં છોડી દીધી. બક્ષી કહે છે તમે મનના એટલા તો મજબુત હોવા જ જોઇએ કે નકામી ટેવોને તમે ઇચ્છો ત્યારે છોડી શકો.

દિનેશ મકવાણા
અજમેર ૧/૧૧/૨૦૧૭

અભિપ્રાય અને ધારણા

By Dinesh Makwana  || 14 Nov 2017


Worrying about everyone's opinion will only hold you back.

Don't let other people define what you can and can not accomplish.

જો દરેકના અભિપ્રાય ને લઇને ચિંતા કરતા રહેશો તો તે તમને પાછળ રાખશે. તમે શુ મેળવી શકો છો કે શુ નહી તેની વ્યાખ્યા બીજાને કરવા દેશો નહી.

દરેકનો અભિપ્રાય જુદો જુદો જ હોય છે. કેટલાક તમારી વિશે ખોટી ધારણા ને કારણે તમારા વિશે ખોટો અભિપ્રાય રાખતા હોય છે. કોઇનો અભિપ્રાય તમે બદલી શકતા નથી, કોઇને જે તે અભિપ્રાય રાખવા માટે ફરજ પાડી શકતા નથી, ત્યારે દરેકના અભિપ્રાય ની ચિંતા કરતા રહેશો તો આગળ વધી નહી શકાય તે હકીકત છે. કેટલાકની પાસે તમારી જેટલી ક્ષમતા નથી , તેઓ તમારા જેટલું દોડી શકતા નથી તેથી તમારા વિશે નકારાત્મક અભિપ્રાય રાખતા હોય છે.

મુદ્રા-કચ્છ મા આવેલા HPCL ના પ્લાન્ટ ની દિવાલ પર એક વાક્ય લખ્યુ હતું.

તે વ્યકિતએ ક્યારેય કોઇ ભુલ નહી કરી હોય જેણે કોઇ કાર્ય કર્યુ જ નહી હોય.

ભુલ વિનાનો વ્યકિત શોધવો મુશ્કેલ છે. અને જે કામ કરતો હોય છે તે ભુલ કરવાનો જ. ભુલને સુધારવાની વાત થવી જ જોઇએ.

અનુપમ ખેર કહે છે.

I will make mistake everyday, but I will never repeat any mistake.
હુ રોજ ભુલો કરીશ પણ ક્યારેય તે ભુલ બીજી વાર નહી કરુ.

જુદી જુદી સ્પરધાત્મક પરીક્ષામાં પુર્ણ વિશ્વાસ થી પાસ થતા બીરજુ ઉર્ફ ઉત્કર્ષ અમરાવત જેની ઉંમર હજુ ૨૫ વર્ષ છે. તેણે આપેલી તમામ પરીક્ષામાં તે પાસ થયો છે. તેને પુછતા તેણે કહ્યુ કે દરેક પરીક્ષાની તૈયારી કરતા રહો, ભુલો સુધારતા રહો, એક સમય એવો આવશે જ્યારે ભુલો સૌથી ઓછી હશે અથવા નહિવત્ હશે ત્યારે તમે સફળ થવાના જ. બેન્ક ઓફ બરોડામા ઓફિસર તરીકે કાર્ય કરતા ભાઇ Phd ની લેખિત તેમજ મૌખિક પરીક્ષા પાસ કરીને Phd કરી રહ્યા છે. સફળતા કેવી રીતે મેળવવી તે એક યુવાન મને સમજાવી જાય છે.

પણ પરીક્ષા સિવાય જ્યારે સંગઠનની વાત હોય ત્યારે દોડનાર ઓછા હોય છે, હુ દોડીશ નહી પરંતુ જે દોડીશ તેની ભુલો કાઢીશ તેવો અભિગમ સંગઠનને નબળો પાડે છે. એવા કેટલાય મિત્રો હોય છે જે ખામોશ રહે છે, તમારી ભુલો કે કાર્ય વિશે કશુ કહેતા નથી, પણ અંદરથી તમારા હિતેચ્છુ જ હોય છે તેમ માનજો.

જેને તમારી ઇર્ષ્યા છે તે ખામોશ નહી જ રહે, તે તમારી નાની ભુલોને પણ મોટી કરીને રજુ કરશે. આવા ને તમારે અવગણ્યા સિવાય છુટકો નથી. તમે શુ મેળવી શકો છો કે શુ નહી તેની વ્યાખ્યા આવા લોકોને કરવા દેશો નહી, તમે  તમારું કામ કરતા રહો, જો તમે સાચા હોય તો આવાની ચિંતા કરશો નહી.

જો પોતાને ખુદને તમારું કામ નહી ગમે તો બીજાને નહી જ ગમે. પોતાની નજરથી તમારા કાર્યને ચકાસતા રહો. બાકી દુનિયા દરેક પ્રકારનો અભિપ્રાય આપતી જ રહેવાની.

Do the best, ignore them

દિનેશ મકવાણા
બ્યાવર ૧૪/૧૧/૨૦૧૭

ફુલનદેવી અને પદ્માવતી - વાદ વિવાદ

By Dinesh Makwana  || 16 Nov 2017

૧૯૮૭ માં શિક્ષણ સિવાયનું વાંચન શરુ કર્યુ ત્યારે મારા કાકાએ તેમનુ એક ખાનગી પુસ્તકાલય નું કાર્ડ મને આપ્યું. ૧૮ વર્ષની અણસમજુ ઉંમરે મને કયુ પુસ્તક વાંચવું તેની ખબર નહોતી. તેથી વાંચનની શરુઆત ચંબલના જુદા જુદા ડાકુઓની કથાથી કરી. સૌથી વધુ રસ મને ફુલનદેવીની કથામાં પડ્યો હતો.

ફુલનદેવી મલ્હાર જાતિમાં જન્મેલી સ્ત્રી, જેનું લગ્ન તેના કરતા ૧૫ વર્ષ વધુ ઉંમરના પુરુષ સાથે થાય છે, અત્યાચાર નો બદલો લે છે. બહાઇ હત્યાકાંડ મા તેનો હાથ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સામે સમર્પણ કરીને બીજી જિંદગી પસાર કરનારી ફુલનને સમાજવાદી પાર્ટી તરફથી સાંસદની ટીકીટ મળે છે અને તે મીરપુર સીટ પરથી જીતીને લોકસભાની સભ્ય બને છે.

બહાઇ હત્યાકાંડનો બદલો લેવા શેરસિંહ રાણા આગળ આવે છે. હિન્દુ ક્ષત્રિયસભા તેને મદદ કરે છે અને તે ફુલન પર તેના દિલ્હી સ્થિત નિવાસસ્થાને ગોળી ચલાવીને તેની હત્યા કરે છે. મૃત્યુ સમયે તેની ઉંમર માત્ર  ૩૮ વર્ષ હતી. જોકે શેરસિંહ રાણાએ લખેલા પુસ્તક ‘જેલ ડાયરી’ માં તે ક્યાંય સ્વીકારતો નથી કે તેણે ફુલનની હત્યા કરી છે. માત્ર તેની પર આરોપ છે તેમ કહે છે.

૧૪/૫/૨૦૧૭ ના રોજ ચિતોડગઢ ની મુલાકાતે અમે ગયા હતા. જયા બહુચર્ચિત પદ્માવતી ફિલ્મનું શુટિંગ થયુ હતું. ઇતિહાસ પ્રમાણે રાણી પદ્માવતી સૌથી સુંદર સ્ત્રી હતી.

અલાઉદીન ખીલજી પાસે જઇને કોઇ પદ્માવતીની પ્રસંશા કરે છે તેથી તેને પામવા અને રાજ્યનો વિસ્તાર કરવા ચિતોડ પર આક્રમણ કરે છે. કહેવાતી કથા અનુસાર રતનસિંહ હારી જાય છે. ખીલજી શરત રાખે છે કે જો તે પદ્માવતી નું એક વાર દર્શન કરાવે તો તેને જીવતો છોડી દેશે. રાજપુતો પોતાની સ્ત્રીના દર્શન પરપુરુષોને કરાવતા નથી તેથી એક ઝરૂખામાં રાણીને ઉભી રાખી, નીચે પાણીમાં તેના પ્રતિબિંબ ને ખીલજી ને બતાવવામાં આવે છે. પ્રતિબિંબ મા જ ખીલજી જોઇને મુગ્ધ થઇ જાય છે. રતનસિંહ ને લઇને આગળ જાય છે અને રસ્તામાં જ તેની હત્યા કરે છે. અને પાછો પદ્મિની ને પામવા ચિતોડ પાછો ફરે છે. પદ્મિની સુધી સમાચાર પહોંચી જાય છે, તેથી તે અને મહેલની તમામ સ્ત્રીઓ અગ્નિસ્નાન કરીને પોતાના જીવનનો અંત લાવે છે.

હવે વર્તમાન મા આવીયે તો, આ ફિલ્મ ને જાણી જોઇને ચર્ચા મા રાખવાના પ્રયાસો થઇ રહ્યા હોય તેમ જણાય છે. સંજય લીલા ભણસાલી પર ચિતોડ મા હુમલો થાય છે તે સમયે કોઇને ખબર પણ નથી કે ફિલ્મ કેવી હતી. આ હુમલાની ફરિયાદ સંજય નોંધાવતા નથી. ત્યાર બાદ પુનામા શુટિંગ દરમિયાન આગ લાગે છે, કોઇ જાનહાનિ નથી, પણ બીજું ઘણું નુકસાન થાય છે. તેમાં બીજી કોઇ તપાસ કરવામાં આવતી નથી. આ ફિલ્મના ટ્રેલરને જોઇને ફિલ્મ પર પ્રતિબંધ મુકવા માટે ઘણા સંગઠનો કે સેનાઓ આગળ આવી છે.

ફુલનદેવી પર જ્યારે ફિલ્મ બની ત્યારે માત્ર ફુલનના વિરોધ સિવાય કોઇએ તેનો વિરોધ નહોતો કર્યો. ફુલનનો વિરોધ પણ માત્ર ચાર દ્રશ્ય માટે હતો જેમાં તેને નગ્ન અવસ્થામાં પાણી ભરવા મજબુર કરવામાં આવે છે તે ઉપરાંત બીજા ત્રણ રેપ સીન છે. આ એક જીવતી જાગતી આપણી વચ્ચે રહેતી સ્ત્રીને નગ્ન બતાવવામાં આવે છે ત્યારે કોઇ સંગઠન કે સેનાને તેમાં કશુ અજુગતુ ના દેખાયું, ભારતીય સંસ્ક્રુતી ના ગાણા ગાતા આ બે મોઢાળા સંગઠનોને તેમાં સ્ત્રીનું અપમાન નથી દેખાતું, ઉપરથી તે ફિલ્મને જોઇને સફળ બનાવી. ફુલન એક વાસ્તવિક સ્ત્રી હતી જ્યારે કેટલાક ઇતિહાસકારોના મતે પદ્મિની એક કાલ્પનિક પાત્ર છે, ફુલનના મૃત્યુને હજુ ૧૬ જ વર્ષ થયા છે જ્યારે પદ્મિની ૬૦૦ વર્ષ પહેલાનુ પાત્ર છે, માત્ર ગ્રંથ સિવાય આપણી પાસે કોઇ સાબિતિ નથી કે પદ્મિની હતી કે નહી, જ્યારે ફુલનને કેટલાયે જોઇ છે. બે સ્ત્રીની સરખામણી ની આવુ કેમ? આમાં પણ જાતિવાદ ખદબદતો દેખાય છે, નીચી જાતિનું કોઇ સમ્માન જ નહી, તેમની સાથી ગમે તે થઇ શકે, તેમને ગમે તે રીતે બતાવી શકાય?

પદ્માવતી ફિલ્મનો વિરોધ માત્ર અને માત્ર જાતિવાદી માનસિકતા છે.

દિનેશ મકવાણા
અજમેર ૧૬/૧૧/૨૦૧૭

વાદ -     વિચાર
વિવાદ - વિરુદ્ધ વાદ એટલે કે વિચાર
સંવાદ - સરખો વાદ, વિચાર