May 19, 2017

જાતિવાદી અપશુકન નેસ્તનાબૂદ થવાની કહાની : રાજુ સોલંકી

શુકન-અપશુકન 

“બહાર જતા રસ્તામાં સામે વિષ્ટાનો ટોપલો લઇને જતાં ઢેડ કે ઢેયડી મળે તો માનવું કે તે જે કામ કરવા જાય છે તેમાં જશ નહીં સાંપડતા ઉલટો માથે આરોપ મુકાશે.”
વિક્રમ સંવત 2041 એટલે કે વર્ષ 1984-85માં બહાર પડેલા ગાયત્રી પ્રત્યક્ષ પંચાગમાં શુકન-અપશુકન પ્રકરણમાં એક અપશુકન આવું પણ હતું. પંચાગંના સંપાદક રઘુનાથ ચુનીલાલ શાસ્ત્રી આમ તો વીસેક વર્ષથી આ પંચાંગ બહાર પાડતો હતો અને એમાં શુકન-અપશુકનની યાદીમાં આવું હાડોહાડ જાતિવાદી દ્વેષથી ઝળહળતું અપશુકન છાપ્યે રાખતો હતો. એને ક્યારેય કોઇએ ટોક્યો નહોતો કે રોક્યો નહોતો. પરતું, 1984-85નું એ પંચાંગ રઘુનાથ શાસ્ત્રીનું આખરી પંચાંગ હતું, કેમ કે, એ પંચાંગ સામે 11 જાન્યુઆરી, 1985ના રોજ અમદાવાદના કાલુપુર પોલિસ સ્ટેશનમાં અમારા જેવા ચળવળીયા (એ વખતે કર્મશીલ શબ્દ પ્રચલિત નહોતો) લોકોએ FIR નોંધાવી હતી, જેના પરિણામે અમદાવાદના ચીફ મેટ્રોપોલિયન મેજિસ્ટ્રેટ શ્રી. એન. આર. તાતીયાએ રઘુનાથ શાસ્ત્રીને ”પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ એક્ટની કલમ 7 (1) ડી હેઠળ ગુનેગાર” ઠરાવીને એક માસની સાદી કેદની સજા અને રૂ. 100 દંડ ફટકાર્યો હતો. અને દંડ ના ભરે તો વધુ સાત દિવસની સજા કરી હતી. 
સજા સાંભળીને રઘુનાથ શાસ્ત્રીના હોશકોશ ઉડી ગયા હતા. કેમ કે અત્યાર સુધી તો તે એમ જ માનતો હતો કે રસ્તે જતા બિલાડી આડી ઉતરે એ જેમ અપશુકન છે એમ કોઈ નીચ જાતિની વ્યક્તિ આડી ઉતરે તો એ પણ અપશુકન જ છે. રઘુનાથને ખબર નહોતી કે દુનિયા બદલાઈ ગઈ છે અને ભારત દેશમાં હવે ડો. બાબાસાહેબ આઁબેડકરનું સંવિધાન અમલમાં મુકાઈ ગયું છે. અમારી જાતિ નિર્મૂલન સમિતિએ તાતીયા સાહેબનો એ ઐતિહાસિક ચૂકાદો ત્યારે 1986માં મુદ્રીત કર્યો હતો. કેમ કે હું દ્રઢપણે માનતો હતો કે આવા ચૂકાદા પબ્લિક ડોમેઇનમાં જેટલા વધારે મુકાય તેટલું વંચિત સમુદાયોનું નૈતિક મનોબળ વધશે.
આ કેસ શરુ થયો એ જ અરસામાં 23 વર્ષની ઉંમરે હું ગાંધીનગર સચિવાલયમાં આસિસ્ટન્ટની નોકરીમાં જોડાયો હતો. એ મારો પ્રોબેશન પીરીયડ હતો. રજા પાડવી મુશ્કેલ હતી, છતાં, હું દર મુદતે રજા પાડીને કોર્ટમાં નિયમિત જતો હતો. કોર્ટમાં સુનાવણી બાદ સરકારી વકીલ રઘુનાથ શાસ્ત્રીના વકીલ પાસેથી મને ‘ભથ્થુ’ અપાવતા હતા. આમ તો એ સાવ મામુલી હોય, છતાં મને બહુમૂલ્ય લાગતું હતું. હું વ્યવસાયે વકીલ નહોતો પરંતુ કાનૂની હસ્તક્ષેપની સંભાવનાઓ ત્યારથી મારા મનમાં વસી ગઈ હતી. આ કેસમાં કમનસીબે ઉપલી અદાલતે શાસ્ત્રીને નિર્દોષ ઠેરવ્યો હતો, પરંતુ આ કેસ પછી પંચાંગોની દુનિયામાં આવા ગંદા, જાતિવાદી અપશુકન નેસ્તનાબૂદ થઈ ગયા. 
-Raju Solanki

"While walking on road, if you find a dhed (man scavenger) or a dheyadi (woman scavenger) carrying human excreta on his/her head, it is a bad omen"
Gayatri Pratyaksh Panchang (Hindu calendar book) published this as a bad omen in 1984-85. We filed FIR against the editor of the panchang, Raghunath Shastri. He was convicted by Ahmedabad metropolitan court and given the sentence of one month and fined 100 Rs.
I published the judgement as I firmly believed that such reports in public domain can inspire marginalised communities.
Though upper court later freed Shastri, such panchangs were erased from the market. I was 23 years old at that time.

























Facebook Post :-

બાબાસાહેબ લિખિત આ પત્ર વાંચી તમારી પાંપણ ભીંજાયા વગર રહેશે નહીં

મિત્રો,
બાબાસાહેબ લિખિત આ પત્ર વાંચી તમારી પાંપણ ભીંજાયા વગર રહેશે નહીં.... આશા છે પત્ર વાંચી પ્રતિક્રિયા જરૂર આપશો.

રમાં.... ! 
કેમ છે રમાં તું? આજે તારી, યશવંતની ખૂબ યાદ આવી. તમારી યાદોથી મન હળવું થઈ ગયું આજે. છેલ્લા અમુક દિવસોનું મારું ભાષણ ખૂબ વખણાયું. પરિષદમાંનું સર્વોત્કૃષ્ટ ભાષણ, પ્રભાવી વકૃત્વનો સર્વશ્રેષ્ઠ નમૂનો મારા ભાષણો બદ્દલ અહીંયા ના વર્તમાનપત્રોમાં લખી આવ્યું. આ પહેલી ગોલમેજ પરિષદમાં મારી ભૂમિકાનો વિચારકરતા આપણાં દેશનાં સર્વ પીડિતોનું સંસાર મારા આંખો સામે તરી ગયું. 

દુઃખના પહાડ હેઠળ આ માણસો હજારો વર્ષોથી દટાયેલા છે. અને આ દટાયેલાપણાંનો કોઈજ ઉપાય નથી તેવી તેમની સમજ છે. હું હેરાન થાવ છું રમાં! પણ હું લડત આપી રહ્યો છું. મારી બૌદ્ધિક શક્તિ પરમવીર થઈ હોય જાણે! મનની ભાવનાઓ ઉભરાઈ રહી છે. ખુબજ હળવું થયું છે મન. ખૂબ વ્યાકુળ થયું છે મન! અને તમારાં બધાંની યાદ આવી. તારી, યશવંતની.
તું મને બોટમાં છોડવા આવી હતી. મારા ના કહેવા છતાં તારા મનને તું રોકી શકી નહીં. હું ગોલમેજ પરિષદમાં જઈ રહ્યો હતો. સર્વત્ર મારો જયજયકાર શરૂ હતો. તું જોઈ રહી હતી. તારું મન ગદગદ થઈ રહ્યું હતું. કૃતાર્થથી તું છલકાઈ રહી હતી. તું શબ્દોથી બોલી રહી નોહતી; પણ તારી આંખો જે શબ્દોથી બોલી ન શકાય તે બધું બોલી રહી હતી. તારું મૌન શબ્દોથી વધારે બોલકું થયું હતું. હોંઠો ના શબ્દો કરતાં તારી આંખોના આંસુંની ભાષા તે સમયે તને મદદરૂપ થઇ હતી.
અને હમણાં અહીંયા લંડનમાં તે બધીજ વાતો મારાં મનમાં ઉભી રહી છે. મન નાઝૂક થયું છે. જીવમાં હલચલ થઈ રહી છે. કેવી છે રમાં તું? આપણો યશવંત કેમ છે? મને યાદ કરે છે કે? તેનાં સંધિવાતનો દુઃખાવો કેવો છે? તેની કાળજી લેજે રમાં! આપણા ચાર છોકરાઓ આપણને છોડી ચાલ્યા ગયા. હવે ફક્ત યશવંત જ છે. તે જ તારી માતૃત્વનો આધાર છે હવે. તેની આપણે કાળજી લેવી જોઈએ. યશવંતની કાળજી લે રમાં! યશવંતને ખૂબ અભ્યાસ કરવા લગાડ. તેને રાત્રે અભ્યાસમાટે ઉઠાવતી જા. મારા બાપુજી મને અભ્યાસમાટે રાત્રે ઉઠાવતાં. ત્યાં સુધી તે જાગ્યા રહેતાં. મને આ શિસ્ત તેમણે જ લગાવી. હું ઉઠ્યો, અભ્યાસ શુરું કર્યો કે તે સુઈ જતાં.
શુરૂમાં અભ્યાસમાટે રાત્રે ઉઠવાનો આળસ આવતો. તે સમયે અભ્યાસ કરતાં ઉંઘ મહત્વની લાગતી હતી. હવે જીવનભરમાટે ઉંઘ કરતાં અભ્યાસ જ મૂલ્યવાન લાગતો રહ્યો. આ બધામાં સૌથી વધારે શ્રેય મારા બાપુજીનો છે. મારા અભ્યાસની જ્યોત સળગતી રહે માટે મારા બાપુજી તેલની જેમ બળતા રહ્યા. તેમણે રાત-દિવસ એક કરી. અંધારામાં પ્રકાશ પૂર્યો. મારા બાપુજીના મહેનતનું ફળ આવ્યું છે. ખૂબ ખૂબ આનંદ અનુભવું છું રમાં આજે. રમાં, યશવંતના મનમાં આવીજ રીતે અભ્યાસનો લવો લગાવો જોઈએ. તેણે ગ્રંથોનું મનન ચિંતન કરવું જોઈએ.
રમાં! વૈભવ, શ્રીમંતી આ વાતો નિરર્થક છે. તે તું તારી આસપાસ જોઇજ રહી છે. માણસો આવી જ વાતોમાં સતત પાછળ લાગેલો હોય છે. તેમનું જીવન જ્યાંથી શુરું થાય છે ત્યાંજ અટકાયેલું હોય છે. આવા લોકોનું જીવન જગ્યા બદલતું નથી. આપણને આમ જીવીને ચાલશે નહીં રમાં! આપણી પાસે દુઃખ સિવાય બીજું કંઈજ નથી. દરિદ્રતા, ગરીબી એમનાં સિવાય બીજું કાંઈ નથી. અડચણો અને સંકટો આપણને છોડતા નથી.અપમાન, છળ, તિરસ્કાર જેવી વાતો આપણને પડછાયાની જેમ ચોંટેલી છે.
પાછળ અંધાર છે. દુઃખનો સમુદ્ર છે. આપણો સૂર્યોદય અપણેજ થવા જોઈએ રમાં. આપણે જ આપણો માર્ગ થવા જોઈએ. તે માર્ગઉપર દિપોની હારમાળા આપણે જ થવા જોઈએ. તે માર્ગઉપર જીદ્દ નો પ્રવાસ આપણે જ થવા જોઈએ. આપણી દુનિયા નથી. આપણી દુનિયા આપણેજ નિર્માણ કરવી જોઈએ. આપણે આવા છીએ રમાં. માટે કહું છું યશવંતને ખૂબ અભ્યાસ કરવા લગાવ. તેના કપડાંની કાળજી લે. તેમાં સમજણ પુરાવ. તેની જીદ્દ જગાડ. મને તારી સતત યાદ આવે છે. યશવંતની યાદ આવે છે.
મને ખબર નથી એવું નથી રમાં, મને સમજાય છે કે તું દુઃખની આગમાં સળગી રહી છે. પાન સુકાઈ જવા અને જીવ મુરજાય એમ તું થઈ રહી છે. પણ રમાં હું શું કરું! એક તરફ હાથ ધોઈને પાછળ પડેલી દરિદ્રતા. બીજી તરફ મારી જીદ્દે લીધેલો ધ્યેય, ધ્યેય જ્ઞાનનો! હું જ્ઞાનના સાગરને ગ્રહણ કરી રહ્યોં છું. આ સમયે મને બીજી કંઈજ ભાન નથી; પણ મને આ શક્તિ મળવામાં તારો મોટો હાથ છે. તું અહીં મારો સંસાર સંભાળીને બેઠી છે. આંસુઓનું પાણી કરી તું મારું મનોબળ વધારી રહી છે. માટે જ હું બેભાન મનથી જ્ઞાનની ઊંડાણ નું માપ લઈ રહ્યો છું.
સાચું કહું રમાં, હું નિર્દયી નથી. પણ જીદ્દના પંખ પસારી આકાશમાં ઉડનારા મને કોઈએ હાક મારી, તો યાતના થાય છે. મારા મનને ડંખે છે અને મારા કાળનો ભડકો ઉઠે છે. મને પણ હૃદય છે રમાં! હું અકળાવ છું. પણ હું બંધાયેલો છું ક્રાંતિ થી! માટે મને મારી પોતાની ભાવનાઓ ચિતા ઉપર મુકવી પડે છે. અને ક્યારેક તેની ઝાળ તારાં અને યશવંત સુધી પણ પોહચે છે. તે સાચું છે; પણ આ સમયે હું રમાં આ જમણે હાથે લખી રહ્યો છું તો ડાબે હાથે મારી આંખોથી છલકાયેલા આંસુ લુછી રહ્યો છું. સુડકયાને સંભાળ રમાં. તેને મારતી નહીં. મેં તેને આવી રીતે માર્યો છે તેવી યાદ પણ તેને અપાવતી નહીં. તેજ તારાં કાળજાનો એકનો એક ટુકડો છે.
માણસની ધાર્મિક ગુલામગીરીનો, આર્થિક અને સામાજિક ઉચ્ચનીચતાનો અને માનસિક ગુલામગીરીનો પત્તો શોધવો છે. માણસના જીવનમાં આ વસ્તુઓ પલાંઠી મારી બેઠાં છે. તેને છેક સળગાવવા, દાટતા આવડવું જોઈએ. સમાજના સ્મરણ માંથી અને સંસ્કાર માંથી આ વાતો ન ને બરાબર થવી જોઈએ.
રમાં! તું આ વાંચી રહી છે અને તારી આંખોથી આંસુઓ છલકાઈ રહ્યાં છે. ગળું ભરાઈ રહ્યું છે. હોંઠ થરથરી રહ્યાં છે. મનમાં ઊભાં થયેલ શબ્દો હોંઠ સુધી પોહચી પણ નથી શકી રહ્યા. એટલી તું વ્યાકુળ થઈ છે.
રમાં, તું મારા જીવનમાં આવી ન હોત તો? તું મનઃસાથી તરીકે મળી ન હોત તો? તો શું થાત? ફક્ત સંસારસુખને ધ્યેય સમજનારી સ્ત્રી મને છોડીને ગઈ હોત. અર્ધા પેટે રહેવું, છાણ વહેંચવા જવું અથવા છાણ લીપવાના કામમાં જવું કોને ગમશે? રસોઈમાટે ઇંધણ ભેગું કરવાં જવું, મુંબઈમાં કોણ પસંદ કરશે? ગાબડાં પડેલ ઘરના ગાબડાં પુરવા, ફાટેલ વસ્ત્રોને સિવતું રહેવું, એટલી દીવાસળી માં મહિનો નિકળવો જોઈએ, આટલું ધાન્ય, આટલું તેલ-મીઠું પૂરું પડવું જોઈએ. મારા મુખથી નીકળેલ આ ગરીબીના આદેશો સારાં નહીં લાગ્યા હોત તો? તો મારું મન ફાંટી ગયું હોત. મારી જીદ્દમાં તિરાડ પડી હોત. મને ભરતી આવી હોત અને તે તે સમયે ઓટપણ આવી હોત. મારૂ સ્વપ્ન વિખરાઈ ગયું હોત રમાં! મારા જીવનનો બધો સુર બેસુંરો થયો હોત, બધીજ મોડતોડ થઈ હોત. કદાચ એક જગ્યાએ પડેલી વનસ્પતિ થયો હોત. રાખ ખુદને જેમ રાખે છે મને. જલ્દી જ આવવા નિકળીશ કાળજી ન કરતી.
સૌને કુશળ કેજે.....! 
તારો.... ભીમરાવ...!
લંડન, ૩૦ ડિસેમ્બર ૧૯૩૦.

સંદર્ભ -: 'રમાઈ'
લેખક -: યશવંત મનોહર




મને કોઇ ધર્મની જરુર નથી..! : વિજય મકવાણા

મને કોઇ ધર્મની જરુર નથી.!
કેમ કે મારે કઇ રીતે જીવન જીવવું તે નક્કી કરવાનો અધિકાર ફક્ત મારી પાસે છે.
મારા જીવન વિશે, મારી દૈનિક ગતિવિધી વિશે નિર્ણય કરવાનો અધિકાર કોઇ ધર્મને,તેના ઠેકેદારોને,તેના અનુયાયીઓને કે, તેના ધર્મગ્રંથોને હરગીજ નથી. કોઇ ધર્મ અને તેના ઠેકેદારો મારા માટે કોઇ બંધન અથવા કાયદો કે નિયમ ન બનાવી શકે અને બનાવે તોય હું સ્વીકારું પણ નહી. હું અસ્વીકાર કરું છું.
મારા માટે ભારતીય સંવિધાનમાં જે બંધનો છે તે પુરતાં છે. અને હું સંવૈધાનિક બંધનોનો સ્વીકાર કરું છું. સન્માન કરું છું.
મારે કોઇ ધર્મની ખરેખર જરુર નથી કેમ કે, મને કોઇપણ પ્રકારની પૂજાથી નફરત છે. હું જાણું છું કે કોઇપણ પ્રકારની પૂજાથી કંઇપણ જાતની સિદ્ધી નથી મળવાની. તમારે જો કંઇ નક્કર મેળવવું જ હોય તો તે તમારી અંદર રહેલાં શુદ્ધ વિચારોથી જ મળશે.
મારે સંસ્કારો માટેય ધર્મની જરુર નથી. વગર ધર્મે પણ પ્રત્યેક વ્યક્તિ જાણી શકે છે કે, સારું શું? અને ખરાબ શું? ધાર્મિક વ્યક્તિઓ પણ શું સારું અને શું ખરાબ છે તે જાણે છે. તેમ છતાંય ખોટાં કામો કરવાવાળા મોટા ભાગના ધાર્મિકો હોય છે. તમે જોઇ શકો છો ઇશ્વરની જેમ પુજાવાવાળા કેટલાંક ધર્મના ઠેકેદારો આજે જેલમાં છે તો કેટલાંક જેલયાત્રા કરી પરત આવી ચૂક્યાં છે. જો તમારો ધર્મ તમને દુષ્કર્મોથી મુક્તિ ન અપાવી શકે તો એનો ફાયદો શું? જુઠ્ઠા ધર્મનો ઢંઢેરો પીટવાથી શો લાભ??
મારે ધર્મની કોઇ જરુર નથી કેમ કે, માનવતાનું જેટલું નુકસાન ધર્મોએ કર્યું છે એટલું કોઇએ નથી કર્યું..સૌથી પહેલાં ધર્મના હાથે જ માનવતાનું ખૂન થયું છે. મોટા મોટા નરસંહારો ધર્મના નામ પર જ થયા છે. એક ધર્મના ઠેકેદારોએ બીજા ધર્મના ઠેકેદારોનું બેહિસાબ લોહી વહેવડાવ્યું છે.
મારે ધર્મની કોઇ જરુર નથી કેમ કે, ધર્મ જ્ઞાનથી અજ્ઞાન તરફ લઇ જાય છે. ધર્મ અંધશ્રદ્ધા અને પાખંડને પોષણ આપે છે. એ ધર્મના ઠેકેદારો જ હોય છે જેમની હવસની પૂર્તિ ન થતા જેઓ મહિલાઓને ડાકણ જાહેર કરે છે. પછી એની પર બળાત્કાર કરી પત્થરો મરાવે છે,જીવતી સળગાવે છે.
ધર્મ મનુષ્યને પ્રકાશથી અંધકાર તરફ લઇ જાય છે. અને મને પ્રકાશમાં, અજવાળાંમાં રહેવાની આદત થઇ ગઇ છે. તેથી હું અંધકારમાં જવા નથી માંગતો. એ ધર્મના ઠેકેદારો જ હોય છ જે દેવી-દેવતાને ખુશ કરવા માટે માસુમ બાળકોની બલી ચઢાવી દે છે. એ ધર્મના ઠેકેદારો જ હોય છે જે ધર્મના નામ પર ભોળી જનતાનું આર્થિક,સામાજીક,માનસિક શોષણ કરે છે. મારે ન તો કોઇ વ્યક્તિનું શોષણ કરવું છે ન તો મારું શોષણ થવા દેવું છે. તેથી મારે ધર્મની કોઇ જરુર નથી. મારે ન તો સ્વર્ગ જોઇએ છે કે ન તો મને કોઇ નરકમાં રુચિ છે. કેમ કે, હું જાણું છું કે મારું અસ્તિત્વ ત્યાં સુધી છે જ્યાં સુધી મારું મસ્તક જીવે છે. મસ્તકના મૃત્યું પછી ન તો કોઇ મને નરકની અગ્નિમાં જલાવી શકે છે. અને ન તો કોઇ સ્વર્ગનો આનંદ આપી શકે છે. મસ્તકની સમાપ્તિ પછી મારું અસ્તિત્વ શૂન્ય થઇ જશે. મસ્તકના ખત્મ થવાની સાથે જ ન તો કોઇ આત્મા રહેવાનો ન કોઇ પરમાત્મા પછી સ્વર્ગ-નરક જેવી કાલ્પનિક ચીજોનો આનંદ કોણ ઉઠાવશે??
મારે ધર્મની કોઇ જરુર નથી કેમ કે, હું મારું જીવન મારી શરતો પર જીવવા માંગુ છું..ભલે મારું જીવન અભાવોથી ભરેલું હોય, ભલે હું ભુખ્યો-તરસ્યો રહું, સુક્કી રોટલી ખાઇ લઇશ. પણ જીવન હું મારી રીતે વિતાવવા માંગુ છું. જો હું બીજાઓની વ્યાખ્યા અનુસાર જીવીશ તો મારામાં અને પશુઓમાં ફેર શું રહેશે??
-વિજય મકવાણા



















Facebook Post :-

સુલતાનો ના સુલતાન ટીપુ સુલ્તાન : વિજય મકવાણા

મહાન સમ્રાટ ટીપુ સુલતાન! ભારતના વીર સપૂતને સલામ!
(20 November 1750 – 4 May 1799),
પુનમની મધરાતે ઝુંપડીની છતના બાકોરાંમાંથી આવતા આછા અજવાસમાં એક શુદ્ર સ્ત્રી પોતાના પતિને કહે છે...
''તમે આંખો બંધ કરો હું તમને એક ચીજ દેખાડું''
(પતિએ આંખો બંદ કરી..)
થોડીવાર પછી પત્ની બોલી
''હવે ખોલો''
પતિ પોતાની પત્નીને સુંદર કમખા માં જોઇ રોમાંચિત થઇ ગયો..કેટલીય ચૂમીઓ ભર્યા પછી એકાએક ઉદાસ થઇ ગયો
બોલ્યો: 'કાશ! તું દિવસે કમખો પહેરી શકતી હોત તો...ઉતારી નાખ! હમણા સવાર પડશે અને કોઇ જાણી ગયું કે તારી પાસે કમખો છે તો તારી-મારી ચામડી ઉતરડી લેશે પેલાં ઉજળીયાતો!
થોડાંક દિવસ વીત્યાં..
પત્ની નાગી ઉઘાડી છાતીએ દોડતી દોડતી પતિ પાસે આવી..હાંફતા હાંફતા..હરખાતાં હરખાતાં..
''સાંભળ્યું તમે??''
''શું??''
''હવે હું દિવસેય કમખો પહેરી શકીશ! છુટ મળી..!''
''હોય નહી? કોણે કહ્યું મુખ્ય પંડીતજીએ?''
''હુડ્ડ્, નામ ન લો એ લફંગાઓનું''
''તો કોણે કહ્યું ગાંડી??''
''આપણા મહારાજ, સુલતાનો ના સુલતાન ટીપુજીએ..!!''
''જુગ જુગ જીવો સુલતાન જુગ જુગ જીવો!!''
-વિજય મકવાણા
નોંધ:- મદ્રાસ રાજ્યના સરકારી ગેઝેટમાં આ મહાન કાર્ય મહાન સુલતાન ટીપુના નામે બોલે છે..




















Facebook Post:-

બ્રાહ્મણોના દુરંદર્શી ષડયંત્ર "સ્તરીય" વ્યવસ્થાનુ પરિણામ: "સવર્ણ" પટેલ(નીઓ ક્ષત્રિય) : રુશાંગ બોરીસા

"નીઓ ક્ષત્રિય" શબ્દથી લોકો અવગત હશે.આ વર્ગ વર્તમાન રાજકીયતંત્રને લક્ષ્યમાં રાખી હિન્દુવાદીતત્વો લોકશાહીમાં પોતાનું સ્થાન ઉપર રાખવા માટે રચેલ છે.હાલમાં ક્ષત્રિય વર્ગનું ખાસ વજૂદ નથી,તેમની પાસે રહેલી રાજસત્તા નાશ પામેલ હોય હિન્દૂ વર્ણવ્યવસ્થામાં શોભાના ગાંઠિયા જેવું સ્થાન જોવા મળે છે.આવી પરિસ્થિતિમાં હિન્દુવાદીતત્વોએ સત્તા જાળવી રાખવા વૈશ્ય અને શુદ્રો તરફ નજર કરવી રહી.બ્રિટિશકાળ અને તે બાદ થયેલ સુધારાઓ-બંધારણીય અધિકારોને કારણે શુદ્ર વર્ગની જ્ઞાતિઓમાં જે આશાઓ ઉદ્ભવી તેનો ફાયદો હિન્દૂ જાતિવાદે ઉઠાવ્યો."નીઓ ક્ષત્રિય" એ એવી જ્ઞાતિઓનો સમૂહ છે જે ક્ષત્રિય નહિ શુદ્ર હોય છતાં ક્ષત્રિયગીરી કરે છે.આવી કેટલીક જ્ઞાતિઓમાં ઠાકોર,યાદવ,પટેલ,કામા વગેરેનો સમાવેશ કરી શકાય.એક નોંધનીય બાબત એ પણ છે કે દલિતો ઉપર થતા અત્યાચારો-ભેદભાવમાં ક્રમશઃ બ્રાહ્મણ-વૈશ્યનો રેશિઓ ઘટી રહ્યો છે જયારે શુદ્ર જ્ઞાતિઓનો રેસીઓ વધી રહ્યો છે.આ ફેરફારનું અર્થઘટન કરવા બ્રાહ્મણવાદને ઊંડાણમાં સમજવું રહ્યું.

જો કે અહીં કેન્દ્રમાં પટેલ જ્ઞાતિ લીધેલ છે.સામાન્ય રીતે આપણે એવી સમજણ ધરાવીએ છીએ કે શિક્ષણ વડે લોકોમાં જાગૃતતા વધતા જાતિવાદ જેવા દુષણો દૂર થઇ શકે છે.હકીત એ રહી કે શૈક્ષણિક જાગૃતતાના ફાયદાઓમાં જાતિવાદ અપવાદરૂપ છે.જેનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતના પટેલો છે.ફરી ધ્યાન દોરું અહીં મુખ્ય વિલન બ્રાહ્મણવાદી ષડયંત્ર છે,જેનો શિકાર પટેલ જેવી જ્ઞાતિઓ બને છે.પટેલને કેન્દ્રમાં રાખવાનું મુખ્ય ૨ કારણ છે: ૧)તેઓ અન્ય શુદ્ર જ્ઞાતિઓની તુલનામાં વધુ શિક્ષિત છે.૨)તેઓ પોતાને સવર્ણ સમજે છે.
હિંદુઓ જેટલા વધુ ધાર્મિક બને છે,તેટલા વધુ જાતિવાદી બને છે;કારણ કે વર્ણવ્યસ્થા હિન્દૂ ધર્મનો બેજોડ સિદ્ધાંત છે.આ જ કારણ છે કે મહેનતુ કણબી જ્ઞાતિ આજે "સવર્ણ” હોવાનું ગુમાન ધરાવે છે.હિંદુઓમાં વર્ણવ્યવસ્થાને લઈને એવો પ્રભાવ છે કે તેઓ એવું સમજે છે -જે ઉપરા વર્ણમાં છે તેઓ વધુ સજ્જન-પ્રગતિશીલ-આધ્યાત્મિક કે પછી સર્વગુણસંપન્ન છે અને નીચલા વર્ણમાં રહેતા તેઓ પછાત બની રહેશે.આ માનસિકતા ખતરનાક સ્પર્ધાને જન્મ આપે છે.પટેલોના વર્તમાન જાતિવાદનું એક કારણ વલ્લભભાઈ પટેલે કરેલ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર પણ છે.મહદંશે શુદ્ર જ્ઞાતિઓને મંદિરોના ટ્રસ્ટમંડળમાં સ્થાન ના હતું પરંતુ વલ્લભભાઈ કરેલ સોમનાથના જીર્ણોદ્ધારથી પટેલ જ્ઞાતિને દાખલો મળ્યો.વધુ હિન્દુવાદી થતા સહજ રીતે વધુ જાતિવાદી-ઘમંડી બન્યા.અહીં એક બાબત નોંધવી રહી કે ૨૦૦૨ના રમખાણોમાં પણ પટેલોનું પ્રતિનિધિત્વ વધુ રહ્યું હતું.
નીઓ ક્ષત્રિય જ્ઞાતિનો જન્મ મૂળે તો હિન્દૂ વર્ણવ્યવસ્થાની સ્તરીય અસમાનતાના પાયાને આભારી છે.આ વ્યવસ્થા શદીઓ સુધી ટકી શકી તેનું એકમાત્ર કારણ સ્તરીય અસમાનતા છે.અહીં બ્રાહ્મણ સર્વોપરી છે જ્યારે બાકીની જ્ઞાતિઓ ચડસાચડસી માં વ્યસ્ત રહે છે અને દલિતોને કોઈ અવકાશ નથી.સોરી,દલિત મૂળે હિન્દૂ જ નથી.બ્રિટિશકાળ અને આઝાદી બાદ શુદ્ર જ્ઞાતિઓને અભૂતપૂર્વ તકો-અવકાશ પ્રાપ્ત થયા તેનો લાભ એ રહ્યો કે તેમના જીવનધોરણમાં સુધારો થયો.નુકશાન એ રહ્યું કે જાગૃતતા-શિક્ષણ હોવા છતાં તેઓમાં જાતિવાદ વકર્યો છે.જમીન ફાળવણીમાં પટેલોને અન્ય શુદ્ર જ્ઞાતિની તુલનામાં વધુ જમીન મળી;જેથી સ્તરીય અસમાનતાના ભાગરૂપે તેઓ પોતાના શુદ્રપણામાંથી બહાર નીકળવા અને સવર્ણ બનવા વધુ જાતિવાદી બન્યા.જો આ જ પ્રકિયા ભારત બહાર બની હોત તો પટેલો વધુ સુધારાવાદી હોત(કદાચ જાપાનીઓની સમકક્ષ) અને જાતિવાદ વધવાને બદલે દૂર થયો હોત.હું ઘણો ખરો નાસ્તિક હોવા છતાં દલિતોના ધર્માંતરણના પગલાંને સમર્થન આપું છું;કારણ કે ભવિષ્યમાં જો દલિતોની સ્થતિ પટેલો જેવી બની તો તેઓ ખુદ નીઓ ક્ષત્રિય બાદ બ્રાહ્મણ બનવા બિનજરૂરી રસ્તાઓ અપનાવશે અને સમસ્યા વધુ જટિલ બનશે.
સરેરાશ પટેલો જ્યારે બંધારણના ગુણગાન ગાય (સહજ છે કે તેમાં અનામતની બાદબાકી હોય)ત્યારે એવી દલીલ કરે છે કે બંધારણ એકલા આંબેડકરે લખ્યું નથી,અન્ય મહાનુભાવોનો પણ ફાળો હતો. સાથે સાથે ભારતની અખંડિતતાના વિષયે વલ્લભભાઈના ગુણગાન ગાય પૂરો શ્રેય આપે છે.જો કે આ કાર્યમાં લોર્ડ માઉન્ટબેટન,વી.પી.મેનનનો મહત્વનો ભાગ હતો.(વી.પી મેનને જાનના જોખમે આ કામ કરેલું!)વળી, "અઢારેય વર્ણ અમારા ભાઈઓ છે"તેવું વિધાન આપતા વલ્લભભાઈ પોતે જાતિવાદી હતા. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ સંદર્ભે જયારે પત્રકારે વલ્લભભાઈને સવાલો પૂછ્યા હતા ત્યારે વલ્લભભાઈએ પછાત વર્ગોની હાંસી ઉડાવી નફરત દર્શાવી હતી.
આધુનિક યુગમાં જોવા મળતી ચડસાચડસી-વધુ સારું જીવનધોરણ હાંસલ કરવાની ચાહમાં હિંદુઓ જાતિવાદનો સીડી તરીકે ઉપયોગ કરે છે.હકીકતે તો આધુનિક અને કહેવાતા શિક્ષિત "સુધરેલા" હિંદુઓ જાતિવાદની સમસ્યા સમજવા સક્ષમ નથી અને વધુ કટ્ટર જાતિવાદ અપનાવે છે.દર દાયકાએ એક નવી "નીઓ ક્ષત્રિય" જ્ઞાતિનો ઉમેરો થાય છે.ઘણું કહેવું છે પણ લખી શકતો નથી.



ફોટોલાઇન: "જેના મિત્ર નથી તેના મિત્ર બનવું એ મારો સ્વભાવ છે." : સરદાર પટેલ 




- રુશાંગ બોરીસા