December 13, 2017

Una-flogging: social victims and political beneficiaries

By Raju Solanki  || 10 December 2017 at 18:23



A few days back, Balubhai Sarvaiya, a victim of Una-flogging visited my home to meet me. Dr Jayanti Makadia, president Gujarat Dalit Sangathan and Govind Parmar, human rights activist and lawyer accompanied him. Balubhai told me that BJP had organised his press conference at Kamalam, but he didn’t go there. I appreciated his courage and thanked him on behalf of 47 lakh Dalits of Gujarat.



During our discussion advocate Govind Parmar said, “All accused in Una-flogging case are getting bail, because the court is not taking up hearing in time.” This is very serious question and it reveals the failure of Dalit movement. After Una atrocity, there should have been an attempt to form a panel of dedicated, sensible advocates who can provide legal assistance to all victims of caste atrocities across Gujarat. A corpus of 15 lakh could have been collected and a committee of prominent Dalit activists could have been formed. Instead, the dalit movement has been reduced to political bickering and manipulation.


I asked Balubhai about his favourite political party. He said, “Bahenji Mayavati is our goddess. She raised our issue in parliament and everybody including Rahul Gandhi and Arvind Kejarival rushed to Mota Samadhiyala. Many journalists who visited Balubhai’s home expressed surprise when they saw photo of Mayavati hanging on the wall.


Actually, Gujarati media has consciously neglected BSP after Una episode. BSP gave Gujarat bandh call and its workers stopped train in Surendranagar, but media didn’t highlight that historical act of Dalit masses. They all knew that after one year a very crucial election is coming and BSP must not be given political space. And now we can see that Congress is shamelessly taking benefit of Una-flogging.


- Raju Solanki

આવાઝ દો... હમ એક હૈ...




2002માં થયેલા ગુજરાતમાં મુસ્લિમ વિરોધી રમખાણોમાં હિંદુત્વવાદી સંગઠનો એ જે રીતે માનવતાને જાહેરમાં રોવળાવી તેની કલ્પના માત્ર થી દરેક માનવતાવાદી લોકો ના હૃદય કંપી ઉઠે છે... 

જેમાં તે લોકોએ મુખ્ય ઉપયોગ અનુસૂચિતજાતિ અને ઓબીસી(શુદ્ર) ટૂંકમાં કહેવાતી પછાત જાતિઓનો જ ભરપૂર ઉપયોગ કર્યો.. અને તમે અતિજુસ્સા સાથે તેમના માટે ઉપયોગી બન્યા. ટૂંકમાં લઘુમતીને લઘુમતી સાથે ટકરાવાઈ... 

અને તે સંગઠનો ભરેલા તળાવમાંથી કોરા નીકળ્યા.. 
તબાહ દલિતો અને મુસ્લિમો થયા.. બંને સમાજમાં આવેલા મજબૂત ભાઈચારાને એક જ દિવસમાં તોડી પાડવાનો તેમનો પ્રયત્ન કામિયાબ રહ્યો... 

મુસ્લિમ બાળકો, મહિલાઓ અને ઘરડાઓની ચિચિયારીઓ થી આખું વિશ્વ થંભી ગયું. જીવતા સળગાવ્યા બાળકો હોય કે ગર્ભવતી મહિલાઓ... બસ તે લોકોનો નારો જ એ હતો કે "કોઈ ને બક્ષવામાં નહીં આવે" 
બળાત્કાર, લૂંટફાટ, હત્યાઓ, લોહીની નદીઓ સામાન્ય થઈ ગઈ હતી.. ઠેર ઠેર લાશોના ઢગલા.. અને એ લાશો પર હિંદુત્વવાદી ભગવો ઝંડો દરેક જણમાં એ બીક પેસાડતો ગયો.. 

પણ જ્યારે તેજ ભગવા ઝંડાએ 14 વર્ષ બાદ તમને જ ઉઘાડા કરીને પટ્ટા માર્યા.. ત્યારે તમારી આંખ ઉઘડી..તમને ખ્યાલ આવ્યો કે હકીકતમાં અમે હિંદુ છીએ જ નહીં... અને હજુ જો તમારામાં કેટલાકને હિંદુ હોવાનો ગર્વ હોય તો તમારાથી મૂર્ખ કોઈ નથી. 

પણ એ સંગઠનો પણ એટલું યાદ રાખીલે કે હજુ માનવતાએ પોતાના ગર્ભમાં કોપર ટી નથી મુકાવ્યો તે હંમેશા આવા અમાનુષી અત્યાચારો સામે વિદ્રોહીઓ ક્રાંતિપુરુષો પેદા કરશે જ.. મનુવાદ, જાતિવાદ સામે લોહીથી નહીં પણ સહી થી લડત આપશે અને એક નવી ઐતિહાસિક ક્રાંતિ કરશેે.... 

એ મનુવાદ જાતિવાદ સંઘવાદ તેરે ખિલાફ બઘાવત જીંદબાદ..... 
આવાઝ દો... હમ એક હૈ... 
જય જયજય જયજય ભીમ 

-અપૂર્વ અમીન

જેટલી હોંશથી આરક્ષણનો લાભ લઈ રહ્યા છો તેટલી જ હોંશથી કોક દિવસ બાબા સાહેબને પણ યાદ કરો

By Jigar Shyamlan ||  6 December 2017 at 09:10 






માની લો કે તમને એક અંધારી કોટડીમાં પરાણે પૂરી રાખવામાં આવ્યા છે. મજબૂરી એ કે કોટડીની બહાર નિકળી શકતા નથી. એ કોટડી જ તમારી ઓળખાણ છે, વજૂદ છે અને કદાચ ભવિષ્ય પણ.. તમારા પૂવઁજો, તમારા પરદાદા, દાદા અને તમારા પિતા સૂધ્ધા એ કોટડીમાં રિબાઈ રિબાઈને દમ તોડી ચૂક્યા છે. તમારી પાસે કોટડીથી આઝાદ થવાની શક્તિ નથી. આવા સમયે કોઈ માણસ એક નાયકની આવીને તમને કોટડીની કેદમાંથી છોડાવવા કમ્મર કસે છે, અને એક યુધ્ધ કરીને તમને સદાને માટે કોટડીની કેદથી મુક્ત કરાવે છે. હવે તમે સદાયને માટે આઝાદ બનો છો.




આઝાદ બની ગયા પછી તમને કોટડીમાંથી મુક્તિ અપાવવા યુધ્ધે ચડેલ નાયકને આદર આપવાનુ તથા તેને યાદ કરવાનું કદાચ તમે જિંદગીભર નહી ભૂલો. પરંતુ નોંધવા જેવી કહો કે શરમથી ડૂબી મરવા જેવી વાત આરક્ષણનો 27% લાભ લેતો ઓ.બી.સી. સમાજ (OBC) અને 14% લાભ લેતો એસ.ટી. સમાજ (ST) બન્નેમાંથી કોઈનેય આજે ડો.બાબા સાહેબ આંબેડકર યાદ નથી.


એક સમય એવો હતો જ્યારે ભારતમાં મનુસ્મૃતિનુ શાસન હતું. આખા હિન્દુ સમાજમાં ચાતૂવણઁ વણઁ વ્યવસ્થા અમલમાં હતી. મનુસ્મૃતિ કાળમાં શુદ્રો (હાલના ઓ.બી.સી., બીજા શબ્દોમાં કહીએ તો સામાજિક અને શૈક્ષણીક પછાત વગઁ) ની હાલત પશુ કરતાય બદત્તર હતી. તેમને કોઈ અધિકારો ન હતા.


આજે ઓ.બી.સી. સમાજ સફળતાના શિખરે પહોંચ્યો છે પણ ભૂતકાળના શુદ્રો અને હાલના ઓ.બી.સી.ને પોતાને એ વાતની ખબર જ નથી કે ઓ.બી.સી. સમાજ શિખર પર ચઢી શકે તે માટે મજબૂત સીઢીઓનું ચણતર કરનાર કોણ હતું..?


આ મજબૂત સીઢીઓ બનાવનાર શિલ્પી હતા ડો. બાબા સાહેબ આંબેડકર...


ખરેખર આજે એક મોદી કે જે ઘાંચી જેવી શુદ્ર ગણાતી જાતિનો માણસ ભારત દેશના વડાપ્રધાન પદે બિરાજી દેશનો વહીવટ કરે તેનો ખરેખરો શ્રેય ડો. બાબા સાહેબ આંબેડકરને જ આપવો રહ્યો.


આજે ઓ.બી.સી. માટે સંવિધાનમાં 27% આરક્ષણની જોગવાઈઓ છે. બીજા નંબરે એસ.ટી. માટે 14% અને પછી એસ.સી. માટે 7% આરક્ષણની જોગવાઈ છે જે ડો. બાબા સાહેબ આંબેડકરના સંધષઁ અને અવિરત પ્રયાસોની દેન છે.


એસ.ટી. અને ઓ.બી.સી. મિત્રો જેટલી હોંશથી આરક્ષણનો લાભ લઈ રહ્યા છો તેટલી જ હોંશથી કોક દિવસ બાબા સાહેબને પણ યાદ કરો.