December 02, 2017

The Real Lady Fighter ચંદ્રિકા સોલંકી

By Jigar Shyamlan ||  28 Oct 2017 



ચાણક્યે શિક્ષકોની ક્ષમતા વ્યાખ્યાયિત કરતા એક પ્રસિધ્ધ વાક્ય લખ્યું છે.
" शिक्षक कभी साधारण नही होता, प्रलय और निमाँण उस की गोद में बसते है ।"
હાલ આ વાકયના શબ્દે શબ્દને યથાથઁ ઠેરવી રહ્યા છે કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતિના મહિલા અગ્રણી ચંદ્રિકા સોલંકી.
જેઓ છેલ્લા દોઢ વર્ષથી આશાવર્કર અને આંગણવાડી કર્મચારીઓ માટે આંદોલન ચલાવી રહ્યા છે.
સામાન્ય રીતે આવા આંદોલનો અને ચળવળ ચલાવતા લોકોનુ મોરલ તોડી પાડવા એવા કટાક્ષ કરવામાં આવે છે કે આ તો બધા નવરા છે.
પણ આશા વકઁર, આંગણવાડી વકઁર અને ફિક્સ પગાર કમઁચારીઓના અધિકારો માટે સરકાર સામે બાંયો ચઢાવી પોતાની તાકાતનો પરચો આપનાર કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતિના મહિલા અગ્રણી ચંદ્રિકા સોલંકી પોતે છોટાઉદેપુર જિલ્લાના કોટાલી ગામમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.
મહત્વની વાત એ છે કે તેઓ પોતાની નોકરીની પરવા કયાઁ વિના છેલ્લા દોઢ વષઁથી ASHA (Accredited Social Health Activist) આશાવર્કર અને આંગણવાડી કર્મચારીઓ અને ફિક્સ પગાર કમઁચારીઓના અધિકારો માટે આંદોલન ચલાવી રહ્યા છે
હજી હમણાં જ ચાર મહિના પહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચંદ્રિકા સોલંકીને સવગુણ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપ્યો હતો.
તાજેતરમાં કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતિ વતી વિરોધ પ્રદઁશિત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બંગડીઓ ફેકી હતી. જે બદલ ચંદ્રિકા સોલંકી સાથે વિરોધ પ્રદઁશન કરી રહેલા 49 આશાવર્કર અને રજનીકાંત સોલંકી ની અટકાયત કરી હતી.
સરકાર સામે અધિકારોની માંગ સાથે અવાજ ઉઠાવી રહેલ ચંદ્રિકા સોલંકીને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વિના સરકારી નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
હવે જાતજાતના દબાણ કરી આંદોલનના અવાજને દબાવવાના પ્રયાસ કરવામા કરવામાં આવશે. પણ મિજાજ જોતા લાગે છે સરકાર ઝૂકાવી નહી શકે.
કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતિના મહિલા અગ્રણી અને ગુજરાતના સિંહણ ચંદ્રિકા સોલંકીને મારો પુરો સપોટઁ છે.
#I_Support_Real_Lady_Fighter
#I_Support_Chandrika_Solanki
- જિગર શ્યામલન

આંબેડકરવાદ - અસરો, બિનઅસરો ભાગ-૨

By Dinesh Makwana  || 25 Nov 2017


૭. કેટલાય લેખો મે વ્યસન વિશે લખ્યા. બાબા સાથે જોડાયેલા લોકો પોતાના ગામમાંથી વ્યસન દુર કરવા માટે કોઇ પ્રયત્ન કરતા નથી. બાબાના વિચારો જાણવાથી વ્યસન દુર થતા નથી. હમણા જ ખંભાતમા દારુનું વેચાણ બંધ થાય તે માટે કેટલાય જાગૃત યુવાનોએ મામલતદાર ને જઇને આવેદન આપ્યું હતું. ધન્ય છે આ યુવાનોને. દરેક ગ્રુપ ગામમાં આવીને બાબા વિશે પ્રવચન આપી જાય છે પણ કોઇ જે તે ગામના વ્યસનો ને દુર કરવા માટે કશુ જ કહેતા નથી. કારણ કે તેમને સમસ્યા કરતા પોતાની પ્રસંશામા વધુ રસ હોય છે. શિક્ષણનું પ્રમાણ ખરેખર વધ્યું છે પણ તેની સાથે જો વ્યસન પણ વધ્યું હોય તો તે ચિંતાનો વિષય છે. બાબાના વિચારોને જાણતો શરાબી કરતા નિરવ્યસની મંદિરમાં જતો વ્યકિત મારી દષ્ટિએ વધુ પ્રસંશનીય છે કારણ કે તે સમાજનું ભલું કદાચ નહી કરે પણ પોતાનું કુટુંબ બરબાદ થતા સો ટકા બચાવી શકશે.

૮. અનુસુચિત જાતિની દરેક પેટા જાતિઓને એક પ્લેટફોરમ પર લાવવાનો પ્રયાસ અત્યંત સરાહનીય છે પણ ગામમાં ચાલતા ભેદભાવ ને આપણે દુર કરી શકતા નથી. કેટલાય ગામમાં ચાલતી તડ પ્રથાને નાબુદ કરી શક્યા નથી. નવી પેઢી એકબીજાના મિત્રો છે પણ સામાજિક પ્રસંગોમાં એકબીજાથી દુર રહે છે, દુર રાખવામા આવે છે. કેટલીય વાર બાબાના સંલગ્ન પ્રસંગમાં પણ એક તડ વાળા જતા નથી. આ જોયેલો અનુભવ છે, આઘાત અને આશ્ચર્ય ની વાત છે પણ કડવી હકીકત છે. નવી પેઢીએ હિંમત કરવી પડશે, બદલાવ લાવવો પડશે. તડ પ્રથા માટેના કારણો દુર ના થઇ શકે તો તેને ભુલવા રહ્યા. બાબાના વિચારો આપણને ભેગા ના કરી શકતા હોય તો આ શિક્ષણ શા કામનું.

૯. બાબાના નામે ઉભા થયેલા સંગઠનોએ સમાજમાંથી મોટી રકમ દાન તરીકે એકઠી કરી, પણ ખર્ચનો સાચો હિસાબ રજુ ના કરી શકે. કેટલાક તે પૈસામાંથી જ પાર્ટી કરતા રહ્યા, લોકોના પૈસા શરાબ પીતા રહ્યા. આ પરિસ્થિતિમાં આવી સંસ્થાઓ પર કેવી રીતે વિશ્વાસ આવે, બધા આવુ નથી કરતા, પણ આપણા સંગઠનો કે મંડળો પર સમાજના કેટલાય વ્યકિતઓને આજે પણ વિશ્વાસ નથી. તેથી કેટલીય સક્ષમ વ્યકિતઓ દાન આપતા કતરાતી હોય છે. કારણ કોઇ એક સંસ્થાનો કડવો અનુભવ હોય તો દરેક સંસ્થાને તે નજરથી મપાય છે. સંસ્થા ચલાવવા માટે આર્થિક મદદ ની જરુર રહેલી છે. પણ પારદર્શક વહીવટના અભાવે સમાજમાંથી દાન મળી શકતું નથી. તમારે આના માટે વધુ ધ્યાન આપવું પડશે, લોકોને વિશ્વાશ આપવો પડશે, એક અલગ ઇમેજ ઉભી કરવી પડશે. સંસ્થા પર જ્યારે અવિશ્વાસ ઉભો થાય ત્યારે સંસ્થા ના હેતુથી લોકો દુર ભાગે છે, પછી કેમ તે બાબાના વિચારો સાથે જોડાયેલી કેમ ના હોય.

૧૦. કેટલાય વોટ્સ અપ ગ્રુપ બાબાના વિચારો સાથે જોડાયેલા છે, કેટલાય માત્ર તેના માટે જ બન્યા છે. પણ હુ મોટો આંબેડકરવાદી તેની હરિફાઇ ચાલતી રહે છે. કોપી પેસ્ટ મેસેજ મોકલાતા રહે છે, જે કોઇ વાંચતું જ નથી. કારણ કે ફોરવર્ડ કરેલો મેસેજ છે. તેમાંય જો કોઇ વિષય પર ચર્ચા થઇ તો એવી કાપાકાપી શરુ થાય છે કે વાત ના પુછો. ઉંમર, હોદો બધુ બાજુ પર મુકી દેવામાં આવે છે, ગ્રુપ પર આપણે કોઇને હડધૂત કરવામાં ગર્વ અનુભવીએ છે. બાબાના વિચારો તમને નમ્રતા કે વિવેક ના શીખવાડી શકતા હોય તો બાબાના બધા પુસ્તક ફેકી દો. દરેકે દરેક પુસ્તક ના વાંચ્યું હોય, તેથી શક્ય છે સામી વ્યકિતને ખબર ના હોય પણ આપણે એવી દલીલો કરીયે છે કે પેલાને અપમાન જેવું લાગે. મને આવા અનુભવો થયા છે. તેથી તેવા ગ્રુપ સાથે હુ લાંબો સમય રહી ના શક્યો. આપણે જોડવાના બદલે તોડવાનું કામ કરી રહ્યા છે. દરેકની મંજિલ એક છે પણ રસ્તા જુદા જુદા છે, એક રસ્તા પર આવી શકે છે પણ અંદર રહેલો ઇગો તેમને તેમ કરતા રોકે છે.

આ માત્ર સામાન્ય નિરિક્ષણ છે. કેટલીય સંસ્થાઓ આજે પણ પ્રમાણિકતા થી કામ કરે છે. આમાં બીજા મુદા ઉમેરી શકાય અને તેને સુધારીને સમાજઉપયોગી બનાવી શકાય.

દિનેશ મકવાણા
૨૫/૧૧/૨૦૧૭

આંબેડકરવાદ - અસરો, બિનઅસરો ૧

By Dinesh Makwana  || 24 Nov 2017

ઉના કાંડ ની પહેલા છુટા છવાયા અત્યાચારો દલિતો પર થતા હતા, કેટલીક જગ્યાએ ફરિયાદો થઇ, કેટલીક ફરિયાદો કોર્ટ સુધી પહોંચી જ નહી, કેટલીક પહોંચી તેમાં કેટલાય કેસોમાં ચુકાદા આવ્યા નથી, કેટલાકમા ચુકાદા આવ્યા પણ જોઇએ તેની અસર થવી જોઇએ તેવી થઇ નથી. ખુનની સજા ફાંસી હોવા છતા ખુન બંધ નથી થયા. કારણ કે પોલિસ માત્ર ગુનો રોકવાનું કામ કરે છે, પોલિસનુ કામ ગુનેગારોને પણ રોકવાનું છે, ગુનેગાર ના બને તે પણ જોવાનું છે.

દુષ્ટોને જો દંડિત કરવામાં ના આવે તો સમાજમાં શાંતિ ફેલાઇ શકે નહી. - ચાણક્ય

 પણ આજનો મુદો આંબેડકર પર છે, આંબેડકરવાદ પર છે. ઉના કાંડ પછી દરેક ગામમાં એક નવું સંગઠન બન્યું જેનો ઉદેશ બાબાને વિચારોને દરેક વ્યકિત સુધી લઇ જવાનો હતો, હજુય છે પણ બે વર્ષમાં જોઇએ તેવી સફળતા મળી નથી. કેટલીય જુદી જુદી મીટીંગ એટેન્ડ કર્યા બાદ, કેટલાય વ્યકિતઓને મળ્યા બાદ કેટલાક તારણો રજુ કરુ છુ, જેના પર વિચારવાની જરુર છે.

કોઇની ભુલ બતાવવાનો લેશ માત્ર ઇરાદો નથી. પણ હુ આ સમાજનો હિસ્સો છુ, જો કશુંક  મારી વાતોથી સુધારી શકાતુ હોય અને આપણે સાચા રસ્તે જઇ શકતા હોય તો આ મહેનત કઇંક અંશે સફળ થઇ શકશે.

૧. દરેક પોતાના ગામ કે ક્ષેત્રમાં બાબાના નામે જુદા જુદા સંગઠનો બનાવ્યા પણ એકબીજા સાથે સંકલન નથી.એક સંગઠનનો પ્રમુખ બીજા સંગઠનની સભામાં જતો નથી, તેમના કાર્યક્રમમાં હાજરી આપતો નથી કારણ કે તે પોતાની અંદરના પ્રમુખપણાને છોડી શકતો નથી. જો કદાચ ભુલે ચુકે જાય તો તેને પ્રમુખ જેટલું જ સમ્માન જોઇએ છે. આને પાછો બીજો ય ડર હોય છે કે તેના સમર્થક જો પેલાના કાર્યક્રમમાં જશે તો પોતાની ઇજ્જત લુંટાઇ જશે, તેથી પોતે જતો નથી અને બીજાને જવા દેતોય નથી. એકતાની વાતો ખોખલી સાબિત થાય છે. કેટલાક સંગઠનોના હેતુ જુદા હોય તો પણ બીજા સંગઠનોનો સહકાર મળતો નથી. કારણ કે દરેકને ડર અને ચિંતા છે પેલો પ્રસિદ્ધ ના થઇ જાય.

૨.  જે સંગઠન ચલાવે છે તેમનુ વર્તન કે વ્યવહાર અનુકરણીય બનાવી શકતા નથી. એક સંગઠનના મંત્રી પોતાની જિદ છોડી શકતા નહોતા. દરેક બાબતમાં માથું મારીને પોતાનું ધાર્યું કરાવતા. વ્યક્તિગત સંબંધો ખરાબ ના થાય તેના કારણે સંગઠનનો ભોગ લેવાતો.  નકામી બાબતો તરફ તમારી ખામોશી ને કારણે તેમાં તમે પણ ભાગીદાર છો.

૩. કેટલીક વ્યકિતઓને પોતાની પ્રસંશા થતી રહે તેમાં જ રસ હોય છે. હુ કોઇ સંસ્થાના સભારંભ ના અતિથિ વિશેષ બનવા માટે ૧૧૦૦૦ નું દાન આપું પણ ગામડામાં બિમાર મા માટે એક રૂપિયાનો ખર્ચ ના કરી શકુ તો લાનત છે આ જીવનને . આ વર્તન કે વ્યવહાર બીજા જોઇ રહ્યા છે, જો આવુ જ હોય તો તમે બીજા માટે કેવી રીતે પ્રેરણા રુપ બની શકો. તેથી આવી વ્યકિતઓ જે સંગઠન સાથે જોડાયેલી છે તેને પણ નબળા પડે છે.

૪. વધારે સંગઠન હોય તો જવાબદારી વહેંચાય છે, તમે વધુ લોકો સુધી તમારા હેતુ પહોંચાડી શકો છો પણ પરસ્પર સંકલનના બદલે હરીફાઈ ચાલે છે, પોતાના કાર્યક્રમમાં માત્ર ૫૦ જ ભેગા થયા પણ પેલાના કાર્યક્રમ મા કેમ ૫૦૦ આવ્યા તેથી હરીફાઈ વધુ ઉડી બનતી જાય છે, મતભેદ મનભેદમાં ફેરવાતો જાય છે. અંગત સંબંધો ખરાબ થતા જાય છે. મિશન દુર થતુ જાય છે.

૫. આપણા સંગઠનોએ લોકોની સમસ્યા મા બહુ રસ નથી બતાવતા. જે તે ગામમાં જઇને લોકોને ભેગા કરીને બાબાના સંઘર્ષ અને બીજી વાતો કરીને આવી જવુ. ફરજ પુરી, સમાજ જાગૃત. પણ વાસ્તવિકતા જુદી  છે. ખરેખર તો જે તે ગામના વ્યકિતઓને આપણે સાંભળતા જ નથી. તેમની સામાન્ય વાતો કે સમસ્યામાં આપણને રસ નથી હોતો. આ બાબતમાં સ્વાધ્યાય પરિવારે જે રીતે લોકોને જોડવાનું કામ કર્યુ હતું તેમ આપણે કરતા નથી. આ સ્વાધ્યાય પરિવાર મા જનરલ કેટગરીના મિત્રો તમારા વિસ્તારમાં આવીને માત્ર સામાન્ય વાતો કરતા કરતા તમારો વિશ્વાસ કેળવતા, બહુ ગંભીર કે ના સમજાય તેવી વાૂતો કરતા નહી. મારી દષ્ટિએ સ્વાધ્યાય પરિવાર જાતિ દુર કદાચ ના કરી શક્યા પણ જાતિ વચ્ચેનો ભેદ તેમણે ઘણો ખરો ઓછો કરી નાંખ્યો હતો. એક અદ્ભુત મિશન સાથે કામ કરતી સંસ્થાના વળતા પાણી થયા અને નુકસાન પછાતોને જ થયુ.

૬. ખ્રિસ્ત મિશનરી વિશે મે પહેલા લખ્યુ હતું તેમ આપણે આપણી નજીકના લોકોની સમસ્યા જોઇ શકતા નથી, કે તેમને મદદ કરતા નથી. બનાસકાંઠામા પુર આવ્યુ ત્યારે રાહત સામગ્રી લઇને જતા ફોટા કેટલાય ગ્રુપ પર જોયા, પણ તેમના જ ગામના કોઇ ગરીબને અથવા જેને જરુર છે તેમાં તેમને રસ નથી.  ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો જેવો ઘાટ કરતા રહીયે છે. મુળ લોકોનું ધ્યાન ખેંચવામા આપણે સફળ કદાય થયા હોઇશુ પણ મુળ સમસ્યા ત્યાની ત્યાં જ રહે છે.

ક્રમશ:

દિનેશ મકવાણા
૨૪/૧૧/૨૦૧૭ ઉદેપુર


Also Read : આંબેડકરવાદ - અસરો, બિનઅસરો ભાગ-૨