May 05, 2018

વિચરતી વિમુકત જાતિ આરક્ષણ અને ઓબીસી ઉપવર્ગીકરણ

By Anilkumar Talpada || 9 April 2018


  એવુ માનવામાં આવે છે કે સમગ્ર દેશની વસ્તીના અડધા કરતા વધારે (52%) ઓબીસી છે. આરક્ષણના સંદર્ભમાં ઓબીસી નું વિભાજન (વર્ગીકરણ), કેન્દ્રની સાથે સાથે રાજ્યોમાં પણ કરવું જોઇએ. આજની પરિસ્થિતિમાં અત્યંત આવશ્યક છે. બાબાસાહેબ આંબેડકરે આરક્ષણની જે નીતિ બનાવી હતી તથા સામાજિક ન્યાય સંબંધી બંધારણમાં જે જોગવાઇ છે, તેને જોતા આજે ઓબીસીનું વિભાજનની ખૂબ જરૂર છે.
              બંધારણ નો ઉદ્દેશ, બધાંજ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય તેમજ સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ગેરંટી આપે છે. બંધારણના અનુચ્છેદ 14 મુજબ, ' રાજય, ભારતનાં રાજયક્ષેત્રમાં કોઈપણ વ્યક્તિને કાયદાઓ માં સમાનતા કે કાયદાઓ ના સમાન રક્ષણથી વંચિત ન રાખી શકાય.' તેનો અર્થ કે જે 'અસમાન' છે તેની સાથે સમાન વ્યવહાર ન કરી શકાય. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ  ને મુખ્યધારામાં લાવવા માટે વિશેષ પ્રયાસો આવશ્યક છે. બંધારણનાં અનુચ્છેદ 16(4) તેમજ 15(4), રાજયએ સામાજિક અને આર્થિક પછાત માટે નોકરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ માં અનામત જેવી વિશેષ જોગવાઇ કરવાનો અધિકાર છે.
             ઇ.સ. 1955 માં ભારતીય બંધારણના અનુચ્છેદ 340 મુજબ કાકા કાલેલકર આયોગ ની રચના કરી અને આ આયોગે આવી જાતિઓને ઓબીસીમાં સામિલ કરી, જેમની પરિસ્થિતિ ઓબીસી કરતા પણ ખરાબ હતી, જેમને વિમુકત અને વિચરતી માં મુકવામાં આવ્યા. ત્યારે તત્કાલીન વડાપ્રધાન પંડિત નહેરુ એ કાલેલકર કમિશનની ભલામણો ફગાવી દીધી. દેશમાં જે કથિત ગુનેગાર જાતિઓ હતી, તેનાં માટે અંગ્રેજોએ 1871 નાં 'ક્રિમિનલ ટ્રાઇબસ્ એક્ટ' નામનો કાળોકાયદો બનાવેલો, આઝાદી પછી ઇ.સ. 1949 માં આ કાળો કાયદો ના અભ્યાસ માટે આયંગર સમિતિ બનાવી. આ સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ, 1952 માં આ કાયદાને રદ્દ કરવા સંસદમાં બિલ પ્રસાર થયું. આ બિલ પર ચર્ચા દરમિયાન બિહારનાં સાંસદ શ્રીપાલ સિંહ એ કહ્યુ કે માત્ર આ કાનૂન રદ્દ કરવા થી કામ નહીં ચાલે આ સમુદાયો ને જયાં સુધી અનુસૂચિત જાતી/જન જાતી ની જેમ આરક્ષણ તેમજ શિક્ષણ ની સુવિધા નહીં અપાય અને તેમનાં માટે બજેટ માં જોગવાઇ ન થાય ત્યાં સુધી દેશ આ સમુદાયોને ન્યાય નહીં આપી શકે.
            કેટલાક રાજયોએ બંધારણ લાગુ થતા પહેલા અને તરત પછી પછાત વર્ગોમાં નોકરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ માં અનામતની જોગવાઇ કરી.
           મહારાષ્ટ્ર સરકારએ 1961 માં ઓબીસી ક્વોટા ને વિભાજીત (વર્ગીકૃત) કરી વિમુકત અને વિચરતી જાતિઓ માટે અલગ થી આરક્ષણની વ્યવસ્થા કરી. કારણ કે આ વર્ગો એ કેન્દ્ર સરકાર ની સેવાઓ અને કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓ માં અનામત નહોતી મળતી, માટે 1978 માં મોરારજી દેસાઈ સરકારે બંધારણનાં અનુચ્છેદ 340 અનુસાર મંડલ આયોગ ની રચના કરી. આ આયોગ એ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો માટે 27% આરક્ષણ ની ભલામણ કરી. સાથે સાથે આર્થિક સહાયતા, સંસ્થાકિય પરિવર્તનો તેમજ શૈક્ષણિક લાયકાતમાં છૂટ જેવી ગણી ભલામણો પણ કરી. મંડલ કમિશને પોતાની રિપોર્ટ માં સુપ્રિમ કોર્ટ દ્વારા અનુચ્છેદ 15(4) તેમજ 16 (4) મુજબ આરક્ષણ ની ઉચ્ચતમ સીમાનું નિર્ધારણ તેમજ ઓબીસી નાં વર્ગીકરણ સંબંધી નિર્ણયો ધ્યાને લીધાં. આ આયોગ (કમિશન) ના સભ્ય એલ.આર નાઈક એ રિપોર્ટ ના ભાગ 7 ની ભલામણો થી અસહમતી દર્શાવતા એક નોટ લખી. નાઈકે મત વ્યકત કર્યો કે ઓબીસી ની રાજય-વાર સૂચિ ને બે ભાગમાં વહેંચવામાં આવે. - એક મધ્યમ પછાત વર્ગ અને બીજો અતિપછાત વર્ગ. પરંતું સભ્યો ની બહુમતીએ નાઈક ની ભલામણો નો અસ્વીકાર થયો.
             પોતાની નોટ માં નાઈકે એ પણ જણાવ્યું કે ઓબીસીમાં જે ઉચ્ચ જાતિઓ છે તે અતિપછાત જાતિઓ ને આગળ નહીં વધવા દે અને ભવિષ્યમાં અતિપછાત જાતિઓ સંગઠિત થઈ પોતાનું નેતૃત્વ પોતે નિર્માણ કરશે.
            જો ઓબીસી સૂચિ નું વિભાજન રાજ્યોની સાથે સાથે કેન્દ્રીય સ્તર પર પણ ન થઇ શકે તો ઓબીસી    નાં જે અત્યંત પછાત વર્ગ જેવા કે વિમુકત અને વિચરતી જાતિ, આ 27% આરક્ષણ નો લાભ નહીં ઉઠાવી શકે.
            મહારાષ્ટ્રમાં ટાટા ઇન્સ્ટીટયુટ ઑફ સોશિયલ સાયન્સ અને યોજના આયોગ ના સુચન અને ભલામણો નાં આધારે, 1961 માં આ વિભાગો ને ઓબીસી ક્વોટામાં વિભાજીત કરી અનામત આપવામાં આવી અને તેનો ગણો લાભ વિમુકત અને વિચરતી જેવી અત્યંત પછાત જાતિઓ એ ઉઠાવ્યો અને હજુ પણ ઉઠાવી રહ્યાં છે.
           મંડલ આયોગની ભલામણો અનુસાર 27% આરક્ષણ આપવાના સંદર્ભમાં સુપ્રિમ કોર્ટ એ ઇન્દિરા સાહની વિરૂદ્ધ ભારત સરકાર પ્રકરણ માં નિર્ણય માં કહ્યુ કે અનુચ્છેદ 16(4) મુજબ પછાત જાતિઓ ને પછાત અને અતિપછાત જાતિઓ માં વર્ગીકૃત કરવા માં કોઈ બંધારણીય વાંધો નથી. આ વર્ગીકરણ સામાજિક પછાતપણા ના પરિમાણ ના આધારે કરવું જોઈએ. જો આ રીતે વર્ગીકરણ કરવામાં આવે તો એ જરૂરી કે વિવિધ પછાત જાતિઓ વચ્ચે લાભો ને ન્યાયસંગત વહેંચી શકાય જેથી એવું ન બને કે માત્ર એક કે બે જાતિ આખા ક્વોટા પર કબ્જો કરીલે અને અન્ય પછાત જાતિઓ માટે કાંઇ વધે જ નહીં.
            આ નિર્ણયના ફકરા 802 માં સુપ્રિમ કોર્ટે કહ્યું કે રાજય દ્વારા પછાત જાતિઓ ને પછાત તેમજ અતિપછાત માં વર્ગીકૃત કરવામાં કાનૂની કે બંધારણીય કોઈ વાંધો નથી. સુપ્રિમ કોર્ટે કહ્યું કે તે એવું નથી કહેતા કે આવું કરવું જોઈએ તેનાં બદલે માત્ર એમ કે જો આવું કરવામાં આવે તો તે કાનૂની હશે અને બંધારણીય ગણાશે. પોતાનાં નિર્ણયમાં સુપ્રિમ કોર્ટ એ બે જાતિઓ ને ઉદાહરણમાં લઇ ને જણાવ્યું કે જો સુનારો અને વાડી(પારંપરિક પથ્થર તોડવાવાળા) ને એક શ્રેણી માં રાખવામાં આવે તો સુનાર બધીંજ આરક્ષણ પદો પર કબ્જો કરીલે અને વાડીઓ માટે કશું જ ન વધે. આ કારણોસર રાજય ને ઓબીસી માં વર્ગીકરણ કરવા પર વિચાર કરવો જોઇએ જેથી અતિપછાત વર્ગ ને તેમની ન્યાયી ભાગીદારી મળી શકે.
            નવી દિલ્લી માં 25 એપ્રિલ 2005 માં આયોજીત સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ની રાષ્ટ્રીય સેમિનારમાં કેન્દ્રીય ઓબીસી સૂચિ ને પછાત તેમજ અતિપછાત જાતિઓ માં વર્ગીકૃત કરવામાં આવે ની હિમાયત કરતા એક પ્રસ્તાવ મુક્યો હતો. પ્રસ્તાવ માં કહ્યું કે જો ઓબીસી સૂચિ નું વર્ગીકરણ ન કરવામાં આવે તો એ સંભાવના બની રહેશે કે પછાત જાતિઓ માંથી તુલનાત્મક રીતે ઓછી પછાત જાતિઓ, આરક્ષણ તેમજ અન્ય સુવિધાઓ નો વધુ લાભ ઉઠાવી લે અને અતિ પછાત જાતિઓ ને નુકશાન માં રહે. વર્ગીકરણ થી પછાત જાતિઓ માં પરસ્પર અસમાનતા ને સમાપ્ત કરવામાં મદદ મળશે. જે પણ રાજય/કેન્દ્ર શાસિત પ્રદેશો ની સરકાર પોતાની સુચિઓ માં વર્ગીકરણ કરે, તો સંબંધિત રાજ્યોને કેન્દ્રીય સૂચિ માં પણ તેને અનુરૂપ પરિવર્તન કરી શકાય.
            તે પહેલા, 2006 માં વિમુકત અને વિચરતી જાતિનાં ઉન્નતિનાં ઉપાય સૂચવવા બાલકૃષ્ણ રેણકે આયોગ (રેણકે કમિશન) ની રચના થઈ. આ આયોગ એ 2008 માં પોતાની રિપોર્ટ ભારત સરકારને સોંપી અને વિમુકત અને વિચરતી જાતિ માટે 10% આરક્ષણ આપવાની ભલામણ કરી. પરંતું સરકાર પાસે આ જાતિઓ ની જનસંખ્યા ના આંકડા ઉપલબ્દ ન હોવાનાં બહાના હેઠળ આ ભલામણ લાગુ ન પાડી. પણ હજુ સુધી ન તો જાતિ ગણના કરી ન તો કમિશન રિપોર્ટ લાગુ પાડવામાં આવ્યું.
           2015 માં દાદાસાહેબ ઇદાતે કમિશન ની રચના કરી. આ આયોગ માં કહ્યું કે આખા દેશનાં વિમુકત અને વિચરતા સમુદાયો ની સૂચિ તૈયાર કરો અને તેની ઉન્નતિ નાં ઉપાયો સુચવો. આ આયોગ એ કામ કરવા નું શરૂ કર્યું. પરંતું આ રિપોર્ટ આવવામાં બે વર્ષ લાગ્યા. પણ હજુ સુધી અંતિમ રિપોર્ટ આપ્યો નથી. કેટલાંક સામાજિક સંગઠનો એ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ સમક્ષ માંગણીઓ મુકી જેમાં 27% ઓબીસી આરક્ષણ ને યોગ્ય રીતે વર્ગીકૃત કરવામાં આવે અને અત્યંત પછાત જાતિઓ ને તેં બધીજ સુવિધાઓ મળે જે અનુસૂચિત જાતી/જનજાતિ ને મળી રહી છે.
           આ વાત દેશ નાં વિવિધ સામાજિક સંગઠનો દ્વારા છેલ્લા 20 વર્ષ થી કહી રહ્યાં છે. મંડલ કમિશન ની રિપોર્ટ વી પી સિંગે 1993 માં લાગુ કરી ત્યાર બાદ સંઘલોકસેવા આયોગ દ્વારા ભારતીય વહીવટી સેવા, પોલિસ સેવા અને વનસેવા માં ઓબીસી ક્વોટાથી જે ભરતીઓ થઈ, તેનાંથી કેટલાંક ગણ્યા-ગાઠંયા ઉચ્ચ ઓબીસી જાતિઓ ને લાભ થયો?
           અશોક યાદવ ની સ્થાપનાનાં વિપરીતમાં કહેવા માંગીશ કે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ નો ઓબીસી ની કેન્દ્રીય સૂચિનાં વર્ગીકરણ નો પ્રસ્તાવ ખૂબ પ્રસંશનીય છે અને સામાજિક ન્યાયનાં સિઁદ્ધાતો ને અનુરૂપ છે. ડૉ. બાબા સાહેબ આંબેડકર એ અને છત્રપતિ શાહુજી મહારાજ ને આરક્ષણ પર જે નીતિ બનાવી હતી અને વિચાર મુક્યા હતાં, એજ વિચાર રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ એ આ પ્રસ્તાવ નાં માધ્યમથી મુકી છે. હું માનું છું આ વિષય પર ઉચ્ચ ઓબીસી નાં જે નેતાઓ હોય, તેઓ એ રાજનીતિ ન કરવી જોઇએ અને ઓબીસીમાં આગળ વધારવા નો અવસર આપ્યો જોઈએ.
          ડૉ. આંબેડકર એ કહ્યું હતું કે જો એક બાસ્કેટ માં ચણા નાખી એક મજબૂત શક્તિશાળી ઘોડો અને બીજો એક નબળા ઘોડા ને ચણા મુકવામાં આવે તો શક્તિશાળી ઘોડો બધાંજ ચણા ખાઈ જાય અને કમજોર ઘોડાને કશુંજ ન મળે. આજ ઓબીસી ક્વોટા માં આજ થઈ રહ્યું છે.