November 20, 2019

રૈદાસ અને કબીર : ભક્તિ આંદોલનના મહારથીઓની ગાથા!

By Vijay Makwana  || 26 Oct 2019



જ્યારે એ લોકો બીરબલ, ટોડરમલ, તાનસેન, માનસિંહ, જય સિંહ.. બની પાંચ હજારી, દશ હજારી ગુલામીના પટ્ટા સમી મનસુબદારી મેળવી રહ્યાં હતાં. જ્યારે એ લોકો નિર્માલ્ય બની મોગલાઈ ચિકનમટન ની દાવત માણી રહ્યાં હતાં.. ત્યારે સામાન્ય જનતા અને લોકો વચ્ચે રહેલા શીલવંત સાધુ સંતોએ જાણી લીધું કે દેશની પ્રજાને નિર્માલ્ય અને કાયર બનાવનારી વ્યવસ્થા કઈ છે.. અને પછી શરૂ થયું રૈદાસ અને કબીરનું ભક્તિ આંદોલન...

આ ભક્તિ આંદોલનનો એક છેડો રાજસ્થાનમાં મીરાબાઈ છે. બીજો સૌરાષ્ટ્રમાં છે.. અને તે છે ગંગાસતી અને પાનબાઈ!

ગંગાસતીએ પોતાની પુત્રવધુ પાનબાઈ ને ઉદ્દેશીને કહ્યું છે..કે,

જાતિ પાતી છોડી અજાતિ થાવું ને
કાઢવો વર્ણ વિકાર રે,
જાતિ ને ભ્રાંતિ નહીં હરિ કેરા દેશમાં
એવી રીતે રહેવું નિર્માન રે..

સીધો ને સરળ અર્થ છે.. જાતિ થી મુક્તિ મેળવી જાતિ નો વિનાશ કરવો... વેદોમાં દર્શાવેલ વર્ણવ્યવસ્થા ત્યાગવી.. જાતિ એ ભ્રમણા છે.. કબીર અને રૈદાસ ના અમર દેશ અને બેગમપુરા જેવા જાતિવિહિન નિર્વાણ નગરમાં વાસ કરવો..

લોકો તમને આધ્યાત્મ સમજાવે તો કબીરના અમરદેશ અને બેગમપુરાનો વાસ્તવિક અર્થ સમજાવી દેવો.. ગંગાસતી, પાનબાઈ, અને મીરાંબાઈની કથાઓમાં સામ્યતા એ છે કે, તે તમામ રાજપૂતાણી હતા. ભક્તિમય જીવન પસાર કરતા હતાં. તેમ છતાંય તેમના પરિવાર જનો તેમના પર અસહ્ય ત્રાસ ગુજારતાં.. તર્ક કરો ભક્તિમય જીવન પસાર કરતી ઘરની કુલવધુઓ કયા પરિવારને નાપસંદ હોય?

દુર્ભાગ્ય છે કે, આ દેશનો ઈતિહાસ રાજ પુરોહિતો, રાજ દીવાનો, રાજ કવિઓએ લખ્યો છે. ચામડું ચુંથતા, માથે મેલું ઉપાડનાર, ઢોર ચરાવવા વાળા, ખેતમજૂરી કરતા, હુન્નર અજમાવી, જાત જાત ના કસબ કરી પેટિયું રળનાર મહેનતું લોકોએ આ દેશનો ઈતિહાસ નથી લખ્યો..નહિ તો સત્ય ખૂબ જુદું હોત..

અને છેલ્લે! પાનબાઈ જવાબ આપે છે! જેને હું લાસ્ટ પંચ મારવામાં ઉપયોગ કરું છું!

છુટ્ટા છુટ્ટા તીર મુને મારો ના બાઈજી!

- વિજય મકવાણા

November 18, 2019

गुजरात सरकार बिन-सचिवालय कलार्क परीक्षा के प्रश्नपत्र में की गई कुचेष्टा

By Raju Solanki  || 17 Nov 2019


 ता. 17 नवम्बर 2019 के दिन गुजरात सरकार बिन-सचिवालय कलार्क परीक्षा में जनरल नोलेज पेपर में 170 नंबर का प्रश्न इस प्रकार है,

****

“स्वतंत्रता संग्राम के दौरान ब्रिटिश सरकार ने हरिजनों को पृथक मताधिकार देने की कुचेष्टा की थी. उस समय डो. आंबेडकर, सरदार पटेल वगैरह ने वाटाघाट करके दलित वर्गों के लिए समाधान करके कुछ सीटें नक्की की थी. यह समाधान कौन सी जगह हुआ था,

1. मुंबई, 2. कलकत्ता, 3. पुना, 4. हैदराबाद.

****

यह सवाल के खिलाफ आज सोसीयल मीडीया में तुफान मचा है. युवाओं का खुन खौल उठा है. मगर इस प्रश्न में गलत क्या है? यही इतिहास तो हमें पढाया जाता है.

पृथक मताधिकार के खिलाफ गांधीजी ने आमरण उपवास किया था. इसे हम नौटंकी कहते हैं, मगर सवर्ण इतिहास लेखक तो ‘गांधीजी ने देश बचाने के लिए अपने प्राण दाव पर लगा दिए थे’ ऐसा ही लिखते हैं.

वाकई में यह इतिहास कांग्रेस ने लिखा है और बीजेपी कांग्रेस की इकलौती संतान है. कांग्रेस से बीजेपी का नजरीया अलग कैसे हो सकता है?

राजु सोलंकी



In Gujarati 

 17 નવેમ્બર, 2019ના રોજ લેવાયેવી બિન-સચિવાલય ક્લાર્ક પરીક્ષામાં સામાન્ય જ્ઞાનના પેપરમાં 170 નંબરનો સવાલ આ પ્રમાણે છે,

***

સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે બ્રિટિશ સરકારે હરિજનોને અલગ મતાધિકાર આપવાની કુચેષ્ટા કરી હતી, આ સમયે ડો. આંબેડકર, સરદાર પટેલ વગેરેએ આ બાબત વાટાઘાટો કરી દલિત વર્ગો માટે સમાધાન કરી અમુક બેઠકો નક્કી કરાઈ. આ સમાધાન કયા મુકામે થયું હતું,

1. મુંબઈ, 2. કલકત્તા, 3. પુના, 4. હૈદરાબાદ.

***

આ સવાલ સામે આજે સોશીયલ મીડીયામાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. યુવાનોનું લોહી ઉકળી ઉઠ્યું છે. આ પ્રશ્નમાં ખોટું શું છે? આ જ ઇતિહાસ તો ભણાવવામાં આવે છે. અલગ મતાધિકાર સામે ગાંધીજીએ ઉપવાસ કર્યા એને આપણે ત્રાગુ કહીએ છીએ, પરંતુ સવર્ણ ઇતિહાસ લેખકો તો ‘ગાંધીજીએ દેશને બચાવવા માટે પોતાના પ્રાણ હોડમાં મુક્યા હતા’ એ રીતે જ આ ઘટનાને જુએ છે.

મૂળે આ ઇતિહાસ કોંગ્રેસે લખ્યો છે. ભાજપ કોંગ્રેસની ઇકલૌતી ઓલાદ છે. એનું દ્રષ્ટિબિંદુ અલગ કઈ રીતે હોઈ શકે?

(ફોટો - સૌજન્ય અતુલ વાળા)

રાજુ સોલંકી (17 નવેમ્બર, 2019)

November 14, 2019

નેહરુની કંગાલિયત

By Raju Solanki  || 8 Nov 2019



બાબાસાહેબ પાસે ‘બુદ્ધ એન્ડ હીઝ ધમ્મા’ છાપવાના પૈસા નહોતા. એમણે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુને પત્ર લખ્યો અને પ્રેસમાં છપાઈ રહેલા પુસ્તકની માત્ર પાંચસો નકલો ખરીદવાની વિનંતી કરી તો જવાબમાં નેહરુએ એ નકલો ખરીદવાની ઘસીને ના પાડી દીધી એટલુ જ નહીં બાબાસાહેબને બુદ્ધ જયંતીએ સ્ટોલ લગાવીને પુસ્તક વેચવાની સલાહ આપી.

તો વાંચો નેહરુને સંબોધીને બાબાસાહેબે તા. 14 સપ્ટેમ્બર, 1956ના રોજ લખેલો પત્ર,

વહાલા પંડિતજી,
હમણાં જ જેનું લખાણ મેં પૂરું કર્યું છે એ મારી કિતાબ ‘બુદ્ધ એન્ડ હીઝ ધમ્મા’નું વિષયવસ્તુ દર્શાવતી મુદ્રીત બુકલેટની બે નકલો આ પત્ર સાથે બીડી રહ્યો છું. આ કિતાબ હાલ પ્રેસમાં છે. વિષયવસ્તુ પરથી તમે જોઇ શકશો કે આ કામ કેટલું સઘન થયું છે. પુસ્તક સપ્ટેમ્બર 1956માં બજારમાં આવી જશે. મેં આના પર પાંચ વરસ કામ કર્યું છે. બુકલેટ પરથી આ કામની ગુણવત્તા જણાઈ આવશે.

પ્રિન્ટિંગ કોસ્ટ હેવી છે અને લગભગ રૂ. 20,000 થશે. આ મારી ક્ષમતા બહારનો ખર્ચ છે અને તેથી હું તમામ વર્ગોની મદદ મેળવવા કેન્વાસિંગ કરી રહ્યો છું.

બુદ્ધની 2500 વર્ષમી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે ભારત સરકાર જે વિદ્વાનોને આમંત્રી રહી છે તેમને તેમ જ વિવિધ પુસ્તકાલયોમાં વહેંચણી અર્થે આ પુસ્તકની 500 નકલો ભારત સરકાર ખરીદી શકે તો મને ગમશે.
તમારો બુદ્ધ ધર્મમાં રસ છે તે હું જાણું છું. અને તેથી હું તમને આ પત્ર લખું છુ. આશા છે કે તમે આ બાબતમાં મને થોડી મદદ કરશો.

તમારો ભવદીય,

ડો. બી. આર. આંબેડકર
26, અલીપુર રોડ, સિવિલ લાઇન્સ, દિલ્હી

હવે જવાહરલાલ નેહરુએ જવાબમાં શું કહ્યું તે વાંચો.

મારા વહાલા ડો. આંબેડકર,

તમે જેનું સૂચન કર્યું છે એ તમારા પુસ્તકની નકલો મોટી સંખ્યા ખરીદવી શક્ય છે કે કેમ એ બાબતે મને શંકા છે. અમે બુદ્ધ જયંતીના પ્રસંગે પ્રકાશન માટે કેટલીક રકમ ફાળવી હતી. એ રકમ વપરાઈ ગઈ છે. હકીકતમાં, વધારે પડતી વપરાઈ ગઈ છે. એટલે, બુદ્ધ ધર્મ સંબંધિત પુસ્તકો માટે નાણા ફાળવવાની કેટલીક દરખાસ્તોને અમારે નકારવી પડી હતી. તેથી હું તમારો પત્ર બુદ્ધ જયંતી સમિતિના અધ્યક્ષ ડો. રાધાકૃષ્ણનને તમારો પત્ર મોકલી રહ્યો છું.

હું એવું સૂચન કરીશ કે બુદ્ધ જયંતી ઉજવણીના સમયે દિલ્હી અને બીજે બધે જ્યાં વિદેશથી ઘણા લોકો આવે છે ત્યાં તમારા પુસ્તકને વેચાણ માટે મૂકી શકાય. ત્યાં તેનું સારું વેચાણ થઈ શકે.

તમારો વિશ્વાસુ,
જવાહરલાલ નેહરુ

November 11, 2019

શું સાચે જ સુપ્રિમ કોર્ટે રામના અસ્તિત્વને સ્વીકાર્યું?? : જાણો તથ્ય

By Vijay Makwana  || 10 Oct 2019



ઘણાં અહીં બેઠા બેઠા તુક્કા મારે છે કે, સુપ્રિમ કોર્ટે રામના અસ્તિત્વને સ્વીકાર્યું. રામ હતા તેવું સ્વીકાર્યું, તો..

મિ. તુક્કાબાઝ જાણી લો કે, સિવિલ પ્રોસિજર કોડ નો ઇતિહાસ રોમન લોકો સુધી જાય છે. રોમનો જ્યારે ધાર્મિક બાબતે વિવાદિત સિવિલ પ્રક્રિયા કરવાની હોય ત્યારે દેવતાઓને કાલ્પનિક પક્ષકાર બનાવી લેતાં જેથી જીવિત કોઈપણ વ્યક્તિ તે વિવાદનો લાભ કે ગેરલાભ ના ઉઠાવી જાય. ભારતમાં અંગ્રેજો સિવિલ પ્રોસીજર કોડ લઈને આવ્યા. અહીં દેવતાઓની ભરમાર હતી અને કોઈ દેવતાઓ ના મંદિરના ટ્રસ્ટ તો હતા નહિ. એટલે તેમણે રોમનો જેવી જ પરંપરા અહીં લાગુ કરી. કોઈ પણ મંદિર વિષયક વિવાદમાં ભગવાન ને જ પક્ષકાર ગણી લેવા જોઈએ તેવું લાગુ કર્યું. ભારતમાં પ્રથમવાર ડાકોર ના શામળાજી ને પક્ષકાર ગણવામાં આવેલા.

હિન્દુ લો અને ધાર્મિક ટ્રસ્ટો નો અધિનિયમ વાંચવો ખૂબ જરૂરી છે. ભારતમાં આ અધિનિયમ મુજબ કોઈ સંસ્થા, ટ્રસ્ટ, કંપની, મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા, ચરમાળિયા દાદા, ખેતરપાળ જેમનામાં જીવ નથી તેવી તમામ ચીજોને પક્ષકાર ગણી શકાય છે. પક્ષકાર ગણી લેવા એટલે રામ ને હાજરાહજૂર માની લેવા તેવું નહિ. ચુકાદાને પબ્લિક ઇન્ટરેસ્ટ થી દૂર રાખવાની આ વર્ષો જૂની પ્રણાલી છે.

રામ કાલ્પનિક જ છે. મહાકાવ્ય ના નાયક જ છે. તે સુપ્રિમ કોર્ટ પણ જાણે છે. અને જેનામાં પાશેર બુદ્ધિ છે તે પણ સમજે અને માને છે.

 - વિજય મકવાણા

November 02, 2019

ડો આંબેડકરે ફક્ત બૌદ્ધ ધમ્મ ની જ પસંદગી કેમ કરી??







૧૯૩૫ માં હિન્દૂ તરીકે નહીં મરવાની પ્રતિજ્ઞા લીધા બાદ, ૧૯૫૬ માં બાબાસાહેબ ડો આંબેડકરે ફક્ત બૌદ્ધ ધમમ ની જ પસંદગી જ કેમ કરી?? કેમ તેઓ ને ફક્ત બૌદ્ધ ધમ્મ અંગીકાર કરવા યોગ્ય લાગ્યો??
આ પ્રશ્ન નો જવાબ બાબાસાહેબ ડો આંબેડકર ના લેખ "બુદ્ધ ઔર ઉનકે ધમમ કા ભવિષ્ય" માંથી મળે છે..
આ લેખ કલકત્તા ની મહાબોધી સોસાયટી ના માસિક લેખ માં ૧૯૫૦ ની સાલ માં પ્રકાશિત થયો હતો, જે વોલ્યુમ ૧૭ ના ભાગ ૨ માં સંકલિત છે..
આ લેખ માં બાબાસાહેબ એ વિશ્વ ના ચાર પ્રચલિત ધર્મ બૌદ્ધ, ઈસાઈ, ઇસ્લામ અને હિન્દૂ ની તુલના કરી છે.. અને આ ચારેય ધર્મ ને વિવિધ કસોટીઓ પર તપાસ્યા છે.. અને આમાં બૌદ્ધ ધમમ એમની કસોટી પર ખરો ઉતર્યો હતો..
  • બુદ્ધ ના માનવીય રૂપ થી બાબાસાહેબ આકર્ષિત થયા હતા.. જ્યારે અન્ય ધર્મ ના સંસ્થાપકો એ પોતે ઈશ્વર, ઈશ્વર ના દૂત કે ઈશ્વર ના સંતાન હોવાની વાત કરી છે, ત્યારે બુદ્ધ એ પોતાને ફક્ત સામાન્ય માણસ ગણાવ્યા છે..
  • બુદ્ધ એ ક્યારેય મુક્તિદાતા હોવાનો દાવો નથી કર્યો.. બુદ્ધ કહે છે કે, હું મુક્તિદાતા નહીં ફક્ત માર્ગદાતા જ છું.. હું ફક્ત રસ્તો બતાવી શકું છું, પરંતુ એના પર ચાલવાનું તો તમારે પોતે જ છે.. બુદ્ધ એ પોતાના ધમમ માં એક મનુષ્ય તરીકે મુક્તિદાતા અને માર્ગદાતા નો ભેદ સ્પષ્ટ કરી ને એક માનવ ધર્મ આપ્યો..
  • બુદ્ધ નો ધમમ તર્ક અને અનુભવ પર આધારિત છે, નહીં કે વિશ્વાસ અને શ્રદ્ધા પર!! ગૌતમ બુદ્ધ એ કહ્યું છે કે, તમે કોઈ પણ વાત ને એટલા માટે ના માનશો કે એ કોઈ સાધુ, સંત કે મહાપુરુષ એ કહેલી છે.. એ વાત ને પોતાની બુદ્ધિ અને તર્ક ની કસોટી પર ચકાસો અને યોગ્ય લાગે તો જ માનો.. આમ બુદ્ધ એ પોતાના અનુયાયીઓ ને પ્રશ્ન કરવાની છૂટ આપી છે.. વધારામાં પોતાના પરિનિર્વાણ સમયે પોતાના અનુયાયીઓ ને બુદ્ધ એ કહ્યું હતું કે, "વિશેષ સમય અને સ્થિતિ પ્રમાણે જો એમની શિક્ષાઓ સટીક માલુમ ના થાય તો તેઓ તેમાં સુધાર કરી શકે છે અને અમુક વાતો ત્યાગી પણ શકે છે.."
  • બુદ્ધ ના ધમમ માં સુધાર, સંશોધન અને વિકાસ ની સંભાવના છે.. બાબાસાહેબ આંબેડકર લખે છે કે બુદ્ધ ઇચ્છતા હતા કે, ભૂતકાળના મૃતદેહો તેમના ધમમ ઉપર બોજ ન બનવા જોઈએ. તેમનો ધર્મ સદાબહાર અને સર્વકાળ માટે ઉપયોગી બને.આ જ કારણ હતું કે તેમણે જરૂરિયાત વખતે તેમના અનુયાયીઓને ધમમ ને સંવારવાની અને સુધારવાની સ્વતંત્રતા આપી. તે લખે છે કે 'બીજા કોઈ ઉપદેશકે આમ કરવાની હિંમત દર્શાવી નથી.'
વિશેષ માં બાબાસાહેબ એ બુદ્ધ ની એ શિક્ષા તરફ પણ ધ્યાન દોર્યું કે, બુદ્ધ એ ફક્ત અહિંસા ની શિક્ષા નથી આપી.. બુદ્ધ એ સમાનતા ની શિક્ષા પણ આપી છે; ફક્ત પુરુષ-પુરુષ વચ્ચે જ નહીં પણ સ્ત્રી-પુરુષ વચ્ચે ની સમાનતા પણ..
એક તરફ જ્યાં હિન્દૂ ધર્મ માં શુદ્ર અને સ્ત્રીઓ ને ફક્ત દાસ ગણવામાં આવ્યા હતા, તમને ઉપદેશ દેવાનો કે સન્યાસી થવાનો અધિકાર નહોતો; બુદ્ધ એ પોતાના ભીખ્ખુ સંઘ માં શુદ્રો ને પણ સામેલ કર્યા તેમજ સ્ત્રીઓ ને પણ ભિક્ષુણી બનવાના અધિકાર આપ્યા.. આમ બુદ્ધ સમાનતા ના સમર્થક હતા, અને બાબાસાહેબ ની દ્રષ્ટિ માં સમાનતા એ કોઈ પણ ધર્મ નું મહત્વ નું અંગ હોવું જોઈતું હતું..

'બુદ્ધ અને તેમના ધમમ નું ભવિષ્ય' શીર્ષકના લેખમાં, બાબાસાહેબ ડો આંબેડકર કહે છે કે ધર્મને વિજ્ઞાન અને તર્કની કસોટી પર ખરું ઉતરવું જોઈએ. તેઓ લખે છે કે 'જો ધર્મ એ ખરેખર કામ કરવું હોય તો તે બુદ્ધિ અથવા તર્ક પર આધારિત હોવું જોઈએ, જેનું બીજું નામ વિજ્ઞાન છે.' તેમાં ફક્ત નૈતિકતા હોવી પૂરતું નથી. તે નૈતિકતાએ જીવનના મૂળભૂત સિદ્ધાંતો - સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારોનું પાલન કરવું જોઈએ.'
બાબાસાહેબ આંબેડકરે ૧૯૩૫ ની યેવલા પરિષદ માં પોતાનો હિન્દુ ધર્મ છોડવાની જાહેરાત કરી, પરંતુ તેમણે 1956 માં ધર્મ પરિવર્તન કર્યું. આ દરમિયાન, તેમણે બધા ધર્મોનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેમના પોતાના અનુસાર શ્રેષ્ઠ ધર્મની પસંદગી કરી; સાથે સાથે જ અલગ અલગ સમુદાય ના લોકો વચ્ચે જઈ સભાઓ કરી આ ઐતિહાસિક ઘટના માટે ની પૃષ્ઠભૂમિ તૈયાર કરી. સારા અને કલ્યાણકારી ધર્મની તેમની શોધ તેમને બૌદ્ધ ધમ્મ તરફ દોરી ગઈ. તેથી તેમણે તેમના અનુયાયીઓ સાથે બૌદ્ધ ધમ્મ અપનાવી લીધો. એક રીતે આ ધર્મપરિવર્તન નહીં પણ, બહુજનો ની પોતાના મૂળ ધર્મ માં ઘર વાપસી હતી..
"આ કોઈ ઘટના કે અત્યાચાર ના લીધે કરેલું ધર્મપરિવર્તન નહીં પણ, વૈચારધારા આધારિત પરિવર્તન હતું.. અને વિચારધારા ના આધાર પર થતા આંદોલનો લાંબો સમય, કઠિન પરિશ્રમ અને ત્યાગ માંગી લે છે.."

- કુંદન