October 26, 2017

ડાયપર બદલો

By Raju Solanki  || 24 October at 14:11



ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીનું પરીણામ ગમે તે આવે, ચારે તરફ અત્યારે એની ચર્ચા છે. ખાસ કરીને સોશલ મીડીયા પર કેટલાક મુદ્દાઓ આવી રહ્યા છે, જેના વિષે બોલવું અત્યંત જરૂરી છે.


મુદ્દો એક. આગામી ચૂંટણી નિર્ણાયક છે.

આમ તો લોકશાહીમાં દરેક ચૂંટણી નિર્ણાયક જ હોય છે. સમજુ માબાપ જેમ બાળકોના ડાયપર બીજા દિવસે બદલી નાંખે એમ સમજુ મતદારોએ દર પાંચ વર્ષે સરકારો બદલી નાંખવાની હોય. પરંતુ, આપણા દેશમાં બાબાસાહેબ આંબેડકરે કહ્યું એમ લોકશાહીનો છોડ બહારથી લાવીને વાવ્યો છે. પ્રજા એટલી પરિપક્વ નથી. વીસ વીસ વર્ષથી એકના એક પક્ષને કારણ વગર સત્તા ભોગવવાની તક આપીએ છીએ. સમય હવે ડાયપર બદલવાનો પાકી ગયો છે.


મુદ્દો બે. બીએસપી, એનસીપી જેવા નાના પક્ષોને કારણે ગુજરાતમાં કોંગ્રેસ જીતતી નથી.

આ એક વાહિયાત તર્ક છે. ગુજરાતમાં ક્યારેય ઉત્તર પ્રદેશની જેમ કોઈ ત્રીજો કે ચોથો પક્ષ એટલો મજ્બૂત બન્યો નથી કે એના કારણે કોંગ્રેસ હારે. ગુજરાતમાં કોંગ્રેસને કોંગ્રેસીઓ જ હરાવતા આવ્યા છે. બીજેપીનો વોટ શેર 43 ટકા હોય અને કોંગ્રેસનો 35 ટકા હોય ત્યારે હારનારા તમામ પક્ષોના મત એકઠા થાય તો પણ ગુજરાતમાં બીજેપી જીતતી આવી છે.

મુદ્દો ત્રણ. બીએસપી જેવા દલિત પક્ષો યુપીમાં ચાલ્યા નથી, ગુજરાતમાં તો નહીં જ ચાલે

પહેલી વાત તો એ કે બીએસપી કે બીએમપીનો ઝંડો લઇને ફરતો માણસ પોતાના ખર્ચે અને જોખમે કામ કરે છે. એને કોઈ અદાણી કે અંબાણી પૈસા આપતા નથી. લોકશાહીમાં માણસને આટલો હક્ક તો હોવો જોઇએ. રહી વાત ગુજરાતની તો ગુજરાતમાં બીએસપીને કારણે ભાજપ જીતે છે અને કોંગ્રેસ હારે છે એવું અત્યાર સુધી ક્યારેય બન્યું નથી. બીએસપી જેવા દલિત-બહુજન પક્ષો જે દિવસે મજબૂત થશે તે દિવસે બીજેપી-કોંગ્રેસ બંનેની હવા નીકળી જશે એ લખી રાખો. એ દિવસ હજુ આવ્યો નથી.

મુદ્દો ચાર. આ વખતે તો બીજેપી જવાની જ.

ગુજરાતમાં 1981માં ભયંકર જાતિ-દ્વેષી અનામત-વિરોધી આંદોલન થયું ત્યારથી બીજેપીના આગમનના ભણકારા વાગતા હતા. દલિત આંદોલને તો ત્યારથી સંઘ પરિવારના ફાસીવાદને પહેચાની લીધો હતો. હાલ એ ફાસીવાદ બધાના માથે બેસીને ખીલા ઠોકે છે એટલે પટેલોથી માંડીને ઠાકોરો, બધા રાડારાડ કરે છે. પરંતુ, પટેલો અને ઠાકોરો-દલિતોનું અનામત મુદ્દે થયેલું પોસ્ચરિંગ બીજેપીનો પ્લસ પોઇન્ટ છે.

મુદ્દો પાંચ. પટેલ, ઠાકોર, દલિત આંદોલનોને કારણે બીજેપી હારશે.

જરા ટેપ રીવાઇન્ડ કરો. જ્યારે પટેલ આંદોલન શરૂ થયું ત્યારે એસસી, એસટી, ઓબીસીની એકતાના નારા હવામાં ગૂંજ્યા હતા. ઘણા લોકો ગેલમાં આવી ગયા હતા કે ગુજરાતમાં હવે ખામ લોબી ફરી જીવિત થવાની છે. વરસ પછી ઉના-દમન થયું અને મીડીયાએ ત્રણ જાતિના ત્રણ લીડરો પ્રોજેક્ટ કર્યા. કોઇને ખબર જ ના પડી કે આ સમગ્ર મીડીયાગીરી એસસીએસટીઓબીસીના ધ્રૂવીકરણને તોડવા માટે થઈ હતી. હાલ ગુજરાતમાં ચૂંટણી માથે હોવા છતાં મીડીયામાં શિક્ષણના ખાનગીકરણ જેવા અત્યંત ગંભીર અને મહત્વના મુદ્દાઓ ચર્ચાતા જ નથી. ફલાણો, ઢીંકણો કે લોંકણો કઈ પાર્ટીમાં જશે એની પર જ ફોકસ થઈ રહ્યું છે. આવું વ્યક્તિવાદી રાજકારણ રમાયા પછી પણ બીજેપી હારવાની હોય તો હું એને ચમત્કાર જ કહીશ.

મુદ્દો છ. કોંગ્રેસને વોટ આપવો કે નહીં તે લોકો નક્કી કરશે.

હાલની ચૂંટણીનું આ સૌથી મોટું તકવાદી વિધાન છે. ભલા માણસ, અમારા તો બાપદાદા કોંગ્રેસી હતા. કોંગ્રેસને વોટ આપવા માટે અમારે તમારી સલાહ લેવાની જરૂર નથી. અને આવું જ કરવું હતું તો તમારી શું જરૂર છે? લોકશાહી છે. બે પક્ષો છે. લોકો વાઘ કે સિંહની કોઈની પણ પસંદગી કરવાના જ છે. (ફાડી ખાવા માટે)

મુદ્દો સાત. કોંગ્રેસને બિનશરતે વોટ આપવો જોઇએ.

આ સૌથી ભયાનક બાબત છે. તમારે કોંગ્રેસના બાપ બનીને વોટ આપવો છે કે હાથ જોડીને વોટ આપવો છે? કોંગ્રેસ સત્તા પર આવે પછી તમારી સામે જોવાની નથી એમ સમજીને અત્યારે જ તેની જોડેથી શક્ય તેટલી માંગણીઓ પર લેખિત વચન લેવાનો આ જ સમય છે.

મુદ્દો આઠ.આ વખતે બીજેપી સત્તા પર આવશે તો તમે મરી જ ગયા સમજો

ના દોસ્ત. મને આ રીતે ડરાવવાની જરૂર નથી. દસ વરસ પહેલાં આપણે જે દહેશતો સેવેલી એ આજે સાચી પડી છે. એમાં ના નહીં. બીજેપી કેન્દ્રમાં સત્તા પર આવી છે. પણ સિક્કાની બીજી બાજુ પણ છે. આજે મોદી પીએમ છે. મોદી શું ઉખાડી લેશે આ દેશના દલિત-બહુજનોનું? સવા અબજનો દેશ છે. કરોડો યુવાઓ છે. મોદીનો બાપ આવે તો પણ આ દેશમાં કટોકટી લાદી નહીં શકે અને લાદશે તો ઇદી અમીન જેવા સરમુખત્યારોની જેમ એ પણ ઇતિહાસની કચરા ટોપલીમાં ફેંકાઈ જશે.

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જે કોઈ આવે. જનતા જનાર્દનનો જુવાળ તો હજુ આવવાનો બાકી છે.
તીસરી આઝાદીની લડાઈ હજુ બાકી છે.
વો સુબહ જરૂર આયેગી. તા ઉમ્ર ઇંતજાર કિયા થા. ઔર ભી કરેંગે.

જય ભીમ. જય ભારત.

October 25, 2017

"यु ट्यूब" मे अपना चेनल कैसे बनाये (Basic)

By Vishal Sonara || 25 Oct 2017 

अपने के एंड्रोईड फोन मे युट्युब पर विडीयो सब ने देखा ही होगा. उसी एप मे से हमे विडीयो अपलोड करना है.
- स्टेप 1 मे युट्युब का आईकोन दिखाया है उस आईकोन से युट्युब एप खुलती है. ज्यादातर फोन मे मेनु मे गुगल का एक अलग फोल्डर होगा उसी मे ये एप मील जायेगी.
- स्टेप 2 लाल बोक्ष मे दिखाये गये आईकोन से विडीयो अपलोड हो सकेगा. उस पर क्लीक करने के बाद फोन मे सेव कोइ भी विडीयो को सीलेक्ट कर ले. आप कोइ फंक्शन मे गये हो या किसी कि स्पीच अच्छी लगी हो उसे फोन से ही रेकोर्ड कर ले. ज्यादा लंबी होती है तो हम वोट्सप पर नही भेज पाते तो ऐसे लंबे विडीयो को युट्युब पर अपलोड करके लींक शेर करने से हम ज्यादा लोगो तक उसे पहुंचा पायेगे.
- स्टेप 3 बोक्ष मे दिखाये गये स्थान पर हमे विडीयो कीस बात का है उस की थोडी डीटेल लीखनी है, टाईटल मे शोर्ट लीखाना है उसे देख कर लोगो को विडीयो देखने का मन हो और उतना पढ के हि लोग विडीयो किस बात का है वह जान सके इस प्रकार ईसे सीलेक्ट करे, नीचे वाले स्थान पर लंबा डीस्क्रीप्शन लीख सकते है. बाद मे उसी स्क्रीन पर राईड साईड वाला एरो > दीख रहा है उस को क्लीक करने पर हमारा विडीयो अपलोड होने लगेगा.
- स्टेप 4 मे हमने अपलोड किया हुआ विडीयो कितने परसेंट अपलोड हुआ वो दीख रहा है.
इस प्रकार से एक एक विडीयो अपलोड कर के कमेंट बोक्ष मे उस का लींक रख दे. और उस मे क्या क्या तकलीफ आती है वह भी पुछ ले. मे उस को सोल्व करने की कोशीश करुगा.
ये शुरुआती आज्माईश है. इतना करने के बाद युट्युब कि दुनीया मे हम आगे बढेंगे.

- विशाल सोनारा


October 21, 2017

રાજકીય વ્યકિત, રાજકીય સત્તા

By Dinesh Makwana  || 01 Sep 2017


અનામત સીટ પરથી ચુંટાઇ આવતા દરેક અનામત કેટેગરી ના ઘારાસભ્યો કે સંસદસભ્યો ગમે તે પક્ષની ટિકિટ હેઠળ ચુંટાઇ આવ્યા હોય પણ તેમની પ્રાથમિક વફાદારી તેમના પક્ષ પ્રત્યે જ હોય છે.

દિલ્હીના સંસદ સભ્ય ઉદિત રાજે હમણા થોડા સમય પહેલા કહ્યુ કે તે માત્ર દલિતોના મતને આધારે ચુટાઇ આવ્યા નથી. ત્યારબાદ પંચાયતની ચુટણી ઓમાં તેમના અભિપ્રાય ને અવગણવામાં આવ્યો ત્યારે આ નફ્ફટ સંસદસભ્ય કહે છે હુ દલિત હોવાથી મારા અભિપ્રાય ને મહત્વ આપવામાં આવતુ નથી. આ કડવી હકીકત છે, પક્ષ અવગણે ત્યારે દલિતો યાદ આવે છે અને દલિતોની સમસ્યા હોય ત્યારે પક્ષ યાદ આવે છે.

રમણલાલ વોરાએ કહ્યુ ભાજપને દલિતોની જરુર નથી, કેટલીક વાર વધારે પડતા ઘેલા થઇને, હાઇ કમાન્ડને વહાલા થવા કેટલાક લોકો ગમે તેવા બયાનો આપતા રહે છે.

દલિતોના અત્યાચાર સમયે કોઇ એવો નેતા નથી કે તે ગામની મુલાકાત લે, ઘટનાને વખોડે, કારણ કે દરેક નેતાને સમાજ કરતા પોતાની ફિકર વધારે હોય છે, તેને ચિંતા હોય છે કદાચ તેનું પ્રધાનપદું ક્યાંક છિનવાઇ ના જાય.  ધારાસભ્ય કે સંસદસભ્ય ને બીજી ચુટણીની ટિકિટની ચિંતા હોય છે. ટુંકમા તમે ચુંટેલો નેતા તમારો કે તમારા સમાજનો નથી બની શકતો.

પુના પેકેટ ને દરેકે વાંચવો પડશે, સમજવો પડશે, આપણને કેટલું નુકસાન થઇ રહ્યુ છે, પણ જેમ બંધારણ બદલી નહી શકાય, તેમ પુના કરારના જે પરિણામો છે તેને સાથે રાખીને જ તમારે ચાલવું પડશે.

મુસ્લિમો માટે રાજકારણમાં કોઇ અનામત નથી, પણ તેમનો નેતા ચુંટાય છે અને તેના સમાજને વફાદાર પણ રહે છે.

હકીકતમા દલિત ઉમેદવાર કોઇ પણ જનરલ સીટ પર ઉભો રહીને જીતી શકે તેટલી બહુમતી દલિતો ની કોઇ પણ વિસ્તારમાં નથી, તેથી તમારી પાસે જે સ્થિતિ ઉપલબ્ધ છે તેને સ્વીકારીને જ તમારી સમસ્યાને હલ કરવી પડશે.

એક ભીમ નામના ગ્રુપ પર આપણા ભુતપુર્વ ધારાસભ્યને ગ્રુપના મિત્રો ભડવા, ગદ્દાર જેવા શબ્દો વાપરીને સીધી ગાળો જ ભાંડતા હતા.

આનાથી સમસ્યા હલ નહી જ થાય. પેલા જનરલ વાળા આવા મેસેજ વાંચે ત્યારે તેમને લાગે જ આમનો નેતા એમનો જ નથી, અને લોકો પણ તે નેતાને માનતા નથી. પણ દરેક સમસ્યાનો હલ કદાચ તેઓ ના આપી શકે તો જે આપે તેને લેવામા મને ડહાપણ દેખાય છે. માત્ર તેમને અવગણવાથી તેઓ નજીક નહી આવે કે સમાજનું ભલું નહી કરે પણ તેઓ જે આપી શકે છે તેની પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.

કેટલીક વાર વોટ્સ પર ક્રાંતિ કરનારા લોકો નેતાને રુબરુ મળે ત્યારે આપણા અત્યાચાર વિશે કહેતા નથી કે આપણી તાતી સમસ્યા વિશે રજુઆત કરતા નથી.

રવિવારે ભાવિન ચૌહાણે કહ્યુ હતું તે ક્યારેક સાચું પણ છે. આપણે નેતાની સામે એટલા બધા ભાવ વિભોર થઇ જઇએ છે તે માત્ર તેમની પ્રસંશા જ કરતા રહીયે છે. કેટલીક વાર આવા પ્રસંગોનો હેતુ વ્યકિત લાભ માટે પણ હોય છે. કેટલીક વાર સમાજમાં પોતાનું માન કે પ્રતિષ્ઠા વધે તે માટે પણ આવા કાર્યક્રમનું આયોજન થતુ રહે છે. અને મુળ સમસ્યા ત્યાંની ત્યાંજ રહે છે.

પણ શુ કરીયે તો આ સમસ્યા નો ઉકેલ આવે. તમારે કેટલાક જોડાણ કરવા પડશે. SC ની તમામ પેટા જાતિઓને એક પ્લેટફોરમ પર લાવવી પડશે. વિદ્ધાન કનુભાઇ વ્યાસ અભિયાન મારફતે આ કામ બહુ સારી પેઠે કરી રહ્યા છે. પણ આવા પ્રયત્નો સ્વાધ્યાય પરિવાર કરતું હતું તે પ્રમાણે કરવા પડશે. અભિયાનનો કાર્યક્રમ પતી જાય પછી બધા ભુલી જાય છે. તેથી જે તે ગામના નેતાઓ રોજ બધાની સાથે માત્ર ત્રીસ મિનિટ વાત કરે તો લોકો તમારી સાથે જલદી આવશે, તમારી વાત સમજશે. તેના માટે સમય આપવો પડશે, પ્રતિબદ્ધ થવુ પડશે. બીજી હરોળના યુવા નેતા ઉભા કરવા પડશે. આના પરિણામો સમય પર મળશે જ.

દિનેશ મકવાણા
બ્યાવર અજમેર
If I have to chop down a tree within Eight hours. I will use 6 hrs in sharpening my axe.
- Abraham Lincoln
જો મારે એક ઝાડને આઠ કલાકમાં કાપી નાંખવાનું હોય તો હુ છ કલાક મારી કુહાડીની ધાર તેજ કરવા માટે વાપરીશ..

ભારતમાં શિક્ષણ અને શિક્ષકો ની સ્થીતી

By Dinesh Makwana  




એનડી ટીવી ના રવિશકુમારના રિપોર્ટમાં એક ચોંકાવનારી વાત સામે આવી જે જાણીને તમે પણ આઘાતથી આશ્ચર્ય પામશો. 

અમેરિકાની યુનિવર્સિટીઓમાં પચાસ ટકાથી વધુ શિક્ષકો જેને આપણે પ્રોફેસર કે લેકચરર કહીયે છે તેઓ કાયમી નથી, હંગામી ધોરણે કામ કરી રહ્યા છે. ગાર્ડીયન નામના અખબારની માહિતિ પ્રમાણે પ્રોફેસરો પોતાનું ઘર ચલાવવા બીજું વધારાનું કામ કરે છે જેમાં કેટલાક ટેક્ષી ચલાવે છે, કેટલાક ક્લબમાં કામ કરે છે. એક સ્ત્રી પ્રોફેસર પોતાના ઘરને ચલાવવા સેકસ વર્કર બની છે. પણ આ હંગામી પ્રોફેસરોનો પગાર અમેરિકન સરકાર વધારતી નથી. જો આ હાલત અમેરિકા જેવા વિકસિત દેશની હોય તો બીજા દેશની વાત જ શુ કરવી. દર વર્ષે શિક્ષા માટેનુ બજેટ ઘટતું જાય છે. પ્રોફેસરોને પુરા સમય કે અમુક કલાકોથી વધારે કામ આપવામાં આવતુ નથી જેથી તેમને હેલ્થ ઇન્યુરન્સ આપવો ના પડે. ક્યારે નોકરી છુટી જશે તેના માટે કોઇ ગેરંટી નથી. તલવારની ધાર પર કામ કરતા રહે છે. તેઓ પોતાના બાળકોને સારી સ્કુલ કે કોલેજમા ભણાવી શકતા નથી.

ભારતમાં લગભગ દરેક જગ્યાએ આ સ્થિતિ છે. સરકારી કોલેજમા છેલ્લા ૧૦ કે ૧૫ વર્ષથી ભરતી થઇ નથી. હંગામી ધોરણે કે પાર્ટ ટાઇમ ધોરણે તો કોઇ જગ્યાએ ગેસ્ટ ફેકલ્ટીના નામે શિક્ષણ અપાઇ રહ્યુ છે. 

દિલ્હી યુનિવર્સિટી સંલગ્ન જે કોલેજો છે તેમાં આ હંગામી શિક્ષકોનો પગાર ૨૪૫૦૦ થી વધુ નથી. દિલ્હીમાં એક ટેક્ષી ચાલક મહીને ૫૦૦૦૦ થી વધુ કમાઇ શકે છે ત્યારે ભવિષ્યનું ઘડતર કરનારા આ પ્રોફેસરોની હાલત શુ હશે. એનડીટીવી પર તેઓ જે ઘરમા રહે છે, જે વાતાવરણમાં રહે છે તે દ્રશ્યો બતાવવા મા આવ્યા. આપણા ગામડાના ગરીબ માણસો કરતાય બદતર હાલતમાં આ શિક્ષકો રહે છે. આ બધા ની પાસે પુરેપુરી શૈક્ષણિક લાયકાત છે.UGC  ની પરીક્ષા પાસ કરી છે. MPhil કે PhD થયેલા આ શિક્ષકોના ચહેરા પર નિરાશા અને રોષ છે. શિક્ષણનો વ્યવસાય આજેય ઉમદા ગણાય છે જયાં ભ્રષ્ટાચાર લગભગ શુન્ય છે પણ તેમની સ્થિતિ વિશે સરકાર કે બીજાને કોઇ ચિંતા નથી.

મધ્યપ્રદેશ મા આનાથી વધારે ખરાબ હાલત છે. લગભગ દરેક સરકારી કોલેજમા માત્ર દસ ટકા જ કાયમી શિક્ષકો છે બાકીના મહેમાન તરીકે છે. આ બધાની પાસે પુરી શૈક્ષણિક લાયકાત હોવા છતા તે બધાનો પગાર ૮૦૦૦ થી વધુ નથી. 

પંજાબમા ૧૯૯૬ પછી ભરતી થઇ જ નથી.ઉતરાંચલ મા પણ આ જ સ્થિતિ છે. 

અમારું ખાતું એટલે કે શ્રમ મંત્રાલય મોંઘવારી ના આંકડા પ્રમાણે દર છ મહિને ન્યુનતમ મજદુરી ના આંકડા બહાર પાડે છે, એટલે કે તેનાથી ઓછો પગાર આપી શકાય નહી. અત્યારે અમદાવાદ જેવા શહેરમાં ૫૪૦, વડોદરા કે સુરત કે રાજકોટ જેવા શહેરમાં ૪૫૯ અને બાકીના તમામ વિસ્તારોમાં ૩૫૯ જેટલો ઓછામા ઓછું અથવા અભણ મજુરને પગાર તરીકે ચુકવવામા આવે છે. 

સામી બાજુએ જે PhD કે MPhil થયા છે તેમને આ  અભણ મજુરો કરતા ઓછો પગાર ચુકવાય છે. 

બેરોજગારી એટલી બધી છે કે તમને આવા શિક્ષિત મળી રહે છે. સેલ્ફ ફાયનાન્સ કોલેજોની વાત જ કરવા જેવી નથી. ૧૫૦૦૦ પર સહી કરાવશે અથવા બેન્કમા ટ્રાન્સફર કરશે પરંતુ હકીકતમા ૮૦૦૦ કે ૯૦૦૦ થી વધુ તેમને મળતા નથી. 

બંધારણ પ્રમાણે સમાન કામ સમાન વેતન છે પરંતુ કોઇ કોર્ટ આ બાબતમાં કશુ કરતી નથી. દરેક રાજ્યમાં આ સ્થિતિ છે.  કાયમી પ્રોફેસર ૭૫૦૦૦ થી વધુ પગાર લે છે અને પેલો ૧૦૦૦૦ મા વધારે કામ કરે છે. મોંઘવારી બંને માટે સરખી છે પણ તેમના માટે લડનારુ કોઇ નથી. તેમની પાસે કોઇ નિમણૂક પત્ર નથી, હંગામી ધોરણે કામ કરે છે અને તેથી બીજા સેમેસ્ટરમા તેમને નોકરી મળશે કે નહી તેની ગેરંટી જ નથી. 

આખી દુનિયામાં સૌથી માનપાત્ર શિક્ષકો આપણે ત્યાં સૌથી વધુ દુખી અને મજબુર છે. પણ અખબારો કે ચેનલોને તેમના સમાચાર મા રસ નથી. નેતા હિન્દુ મુસ્લિમ પર ભાષણઆપતા રહે છે. પણ ભવિષ્ય ઘડનારાની સ્થિતિ વિશે વિચારવાનો કોઇને સમય નથી. 

જો આ સ્થિતિ જનરલ કેટેગરીની હોય તો તેનાથી વધુ દયનીય આપણી છે.  કેટલાય ને નોકરી નથી. દરેક નસીબદાર નથી કે લાયકાતમાં મેરીટ નથી. 

અને આપણે જય ભીમ કરતા રહીયે છે. અને આ દેશને મહાન કહેતા રહીયે છે.

દિનેશ મકવાણા
૪/૧૯/૨૦૧૭ અજમેર

October 18, 2017

... તો ઇશ્વર અને રોમના નીરો વચ્ચે શુ તફાવત?

By Dinesh Makwana  || 01 Sep 2017


જો, તમે માનતા હોય કે સર્વશક્તિશાળી ( Almighty), સર્વવ્યાપી (Omnipresent), સર્વશક્તિમાન ( omnipotent), સર્વજ્ઞ (omniscient) ઇશ્વરે આ પૃથ્વી કે દુનિયાનું સર્જન કર્યુ હોય, તો મને કહો કેમ તેણે આનું સર્જન કર્યુ ? જે દુનિયામાં દુખ અને નિરાશા છવાયેલા હોય, જેમાં સાક્ષાત અસંખ્ય  કરુણાંતિકા મળતી રહે,જયાં એક પણ આત્મા પુરી રીતે સંતુષ્ટ ના હોય, તેવી દુનિયાનું સર્જન શા માટે કર્યુ? 

પ્રાથના, તમે તેને ઇશ્વરને માનવાનો નિયમ ના કહો, કારણ કે જો તેના દ્રારા મળતો હોય તો તો સર્વશક્તિમાન નથી.  તે આપણી જેમ બીજો ગુલામ જ છે. મહેરબાની કરીને તે પણ ના કહે કે પ્રાથના ઇશ્વરના આનંદ માટે છે. 

નીરોએ રોમને સળગાવી દીધું. તેણે કેટલાય ને મારી નાંખ્યા, કેટલીય કરુણાંતિકોઓ ઉભી કરી, તેણે આ બધુ પોતાના આનંદ માટે કર્યુ. પણ તેનું ઇતિહાસમાં કયા સ્થાન છે? ઇતિહાસકારો તેને કયા નામથી ઓળખે છે? તમામ પ્રકારના ઝેરી ઉપનામો તેના માટે વપરાય છે. નીરો માટે દરેક પાના પર ખરાબ શબ્દો વપરાય છે. હદય વિનાનો, જુલમી, દુષ્ટ વગેરે. 

બીજા એક ચંગેઝખાને હજારો જિંદગીઓને પોતાના આનંદ માટે હોમી દીધી અને આપણે તેના નામને ય નફરત કરીયે છે. પછી તમે તમારા સર્વશક્તિમાન ના અસ્તિત્વને કેવી રીતે સ્વીકારો છો? નીરો જેણે કરુણાંતિકો સર્જવાનું કામ કર્યુ, જે દરેક મિનિટે, દરેક કલાકે આ કામ કરી રહ્યો છે. આના આવા દુષ્ટ કાર્યને તમે કેવી રીતે સમર્થન આપી શકો? હુ પુછવા માંગુ છુ તે સર્વશક્તિમાને કેમ આ દુનિયા- જે સાક્ષાત નરક છે, એવું સ્થળ જયા સતત અને કડવી અશાંતિ રહેતી હોય, આવી દુનિયાનું સર્જન કેમ કર્યુ ? માનવજાતિ નું સર્જન શા માટે કર્યુ જ્યારે તેની પાસે આ બધુ નહી કરવાની અપાર શક્તિ હતી. આ બધાનો શો અર્થ છે? નિર્દોષ લોકોને સહન કરવા માટે અને નકામાને સજા આપવા માટે ? 

આનંદ મેળવવા માટે જો આ દુનિયાનું સર્જન ઇશ્વરે કર્યુ હોય તો તેના અને રોમના નીરો વચ્ચે શુ તફાવત? 

તમારી પાસે આના જવાબો છે?


ભગતસિંહ
Why I am an Atheist 
(હુ કેમ નાસ્તિક છુ)

કેટલીક કડવી પણ સત્ય વાતો

By Dinesh Makwana  || 02 Oct 2017



  1. મોલમાં આપણે કમિશન માંગતા નથી, શાકભાજી વાળા પાસે ડિસ્કાઉન્ટની સાથે ધાણા પણ માગીયે છે. 
  2. લગભગ દરેક ભારતીય પાસે મોબાઇલ છે પરંતુ ૬૦ ટકાથી વધુ ના ઘરમા આજે પણ સંડાસ નથી.
  3. જાહેરમા કીસ કરવી ગુન્હો બને છે, પણ જાહેરમા પેશાબ કરવો તેને કોઇ શરમની વાત પણ કહેતું નથી.
  4. આપણી દેશદાઝ સોશિયલ મીડીયા પર દેખાય છે પરંતુ આપણી આસપાસ ગંદકીના ઓથાર ઉભા કરીયે છે.
  5. મારા ધર્મ વિશે એક પણ ખરાબ શબ્દ હુ સાંખી શકીશ નહી પરંતુ બીજાના ધર્મની ઠેકડી ઉડાદતો રહીશ.
  6. દીકરીના શિક્ષણ માટે મારી પાસે કઇ નથી પરંતુ તેના દહેજ માટે લાખોની રકમ ભેગી કરીશ.
  7. ખેલાડીઓ ભુલાતા જાય છે. પરંતુ તેમની ઉપર બનાવેલા ફિલ્મોના અભિનેતા કે અભિનેત્રીને આપણે યાદ રાખીયે છીએ
  8. દેવી માતાની પુજા કરીશું, પરંતુ બાળકીનો જન્મ થવા નહી દઇએ.

દિનેશ મકવાણા
મણીનગર અમદાવાદ
૨/૧૦/૨૦૧૭

October 17, 2017

દુનિયાની સફળતમ પ્રતિભાઓના સર્વે દરમિયાન જોવા મળેલ કેટલાક ગુણ

By Dinesh Makwana  || 01 Sep 2017





૧) દુનિયાની સફળતમ પ્રતિભાઓના સર્વે દરમિયાન એક ગુણ જોવા મળ્યો તે છે : Passion - જુસ્સો

દુનિયાના સૌથી સફળતમ અને મહાન વ્યકિતઓ પર એક સર્વે કરવામાં આવ્યો. આ વ્યકિતઓ ગમે તે ક્ષેત્રની હતી પરંતુ તેમનામા એવા કયા સામાન્ય વિશેષ ગુણો હતા જે તેમને બીજાથી અલગ કરે છે અને તેમની વિશિષ્ટ છાપ પેદા કરે છે. સૌથી પ્રથમ તેમનો સામાન્ય ગુણ હતો. Passion જેને ગુજરાતીમાં જુસ્સો કહે છે. Passion for excellence.

ગુજરાત સમાચારના કટાર લેખક જય વસાવડા આની વ્યાખ્યા આપતા કહે છે તમારી ક્ષમતા ઉપરાંત કામ કરવાની શક્તિ ને જુસ્સો કહે છે.

દરેક બાબતમાં શ્રેષ્ઠ રહેવાના અભિગમને અંગ્રેજી મા passion for excellence કહે છે. વીસ ફુટ ઉંચી મુર્તિ મા શિલ્પકાર મોઢાના ભાગને આખરી ઓપ આપી રહ્યો હતો, ત્યાથી રાજા પસાર થાય છે અને કહે છે મને કશુંય ખરાબ દેખાતું નથી. આટલે ઉંચેથી કોઇને કદાચ નાની ભુલ દેખાશે પણ નહી. શિલ્પકાર કહે છે મહારાજ મને મારા કામમાં સંતોષ નહી હોય ત્યાં સુધી તે કામ અધુરુ જ છે, જે ભુલ આપને કે બીજાને નહી દેખાય તે મને નજરે પડે છે તેથી જયાં સુધી શ્રેષ્ઠ મુર્તિ નહી બને ત્યાં સુધી હુ કામ કરતો રહીશ.

સ્વામી ચિન્મયાનંદ નકામા કાગળને કચરા ટોપલી મા નાંખતા પહેલા તેને વાળીને સુંદર બનાવતા, કચરો કેમ સુંદર ના હોઇ શકે.

આ અભિગમ કોઇ સ્કુલમા શીખવવામાં આવતો નથી, આ અંદરથી બહાર આવે છે.

સચિન તેડુંલકરને ૨૦૦૪ મા બ્રેડ હોગે આઉટ કર્યો ત્યારે મેચના અંતે તે બોલ લઇને હોગ સચીન પાસે જઇને બોલ પર ઓટોગ્રાફ માંગે છે. તે બોલ પર સચીન લખે છે It will never happen again અને સહી કરે છે. ત્યાર બાદ સચીન અને હોગ આમને સામને ૨૧ વાર આવે છે પણ હોગ સચીનને આઉટ કરી શકતો નથી.

પારો જેને મર્ક્યુરી નામ આપવામાં આવ્યુ છે તેને શોધનાર મર્કયુરી દંપતિ આખી જિંદગી ફના થઇ જાય છે. તમામ વસ્તુ અને ઘર સુધા વેચાઇ જાય છે, છતા બધુ વેચીને છેલ્લો પ્રયોગ કરે છે, જો પ્રયોગ નિષ્ફળ જાત તો આપઘાત કરવો પડે તેવી સ્થિતિ હતી પણ Passion for excellence રંગ લાવે છે, પ્રયોગ સફળ થાય છે અને જગતને એક પ્રવાહી ધાતુ મળે છે.

Remember passion for excellence.



૨) દુનિયાની સફળતમ પ્રતિભાઓના સર્વે દરમિયાન એક બીજો ગુણ જોવા મળ્યો તે છે : Mastery on communication

ગુજરાતીમાં કહીયે તો તમે તમારી વાત બીજા સુધી કેવી રીતે પહોંચાડી શકો, સમજાવી શકો છે.દરેક નેતા પોતાની વાત વધુમાં વધુ લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકે છે. મહાત્મા ગાંધીના એકલાના પ્રયત્નો થી ભારતને આઝાદી નથી મળી પરંતુ તેઓ સૌથી વધુ લોકો સુધી પોતાનો મેસેજ પહોંચાડી શકતા હતા.

Communication means the transfer of idea with the feeling to other persons with the same idea and same feelings.

તમારી પાસે જે વિચારો છે અને તેની પાછળ જે ભાવના છે, જ્યારે બીજી વ્યકિત સુઘી તે વિચારો પહોંચે પણ જો ભાવના તે નહી હોય તો તે કામ નહી કરી શકે, તેથી વિચારોની સાથે સાથે તે ભાવના પણ જરુરી છે.

સચીન તેડુંલકર મહાન બેટસમેન હોવા છતા કેપ્ટન તરીકે નિષ્ફળ ગયો કારણ કે તે પોતાની વાત બીજા સુધી પહોંચાડી શકતો નહોતો, he was not master in communication. તેની સામે મહેન્દ્રસિહં ધોની કે સૌરભ ગાંગુલીને કેપ્ટન તરીકે સારી સફળતા મળી છે. માઇક બ્રિયર્લી નામના ઓછા જાણીતા બેટસમેને કેપ્ટન તરીકે સૌથી વધુ સફળતા ઓસ્ટ્રલિયાને અપાવી છે..

કોઇ પણ સમસ્યા ના હલ માટે કોમ્યુનિકેશન અત્યંત જરુરી છે. પતિ પત્ની વચ્ચે જો કોમ્યુનિકેશન નહી હોય તો કેટલીક વાર ઝઘડો ડાઇવોર્સ સુધી પહોંચી જાય છે.

એક કંપનીમાં એક પ્રયોગ કરવામાં આવ્યો. દરેક ને હોદાને નજરમાં રાખ્યા સિવાય ટીમ બનાવવામા આવી. દરેક ટીમને એક ફુગ્ગો આપવામાં આવ્યો. દરેક ટીમનું કામ તે હતું કે ફુગ્ગાને ટપલી મારી મારીને સૌથી વધુ સમય સુધી હવામાં રાખવાનું હતું. સ્વાભાવિક છે એક ટીમ જીતી ગઇ. તેમને જ્યારે પુછવામા આવ્યુ કે તમારું રમત રમતી વખતે ધ્યેય શુ હતું? ફુગ્ગાને ટપલી મારી મારીને હવામાં રાખવાનું, તે સમયે તે પણ વિચાર્યું નહી કે તે વાઇસ પ્રેસિડન્ટ છે અને વધુ ટપલી મારે છે અને પટાવાળો બિલકુલ મારતો નથી, કારણ તેવું વિચારીને જો ટપલી મારવાનું બંધ કરે તો ફુગ્ગો નીચે આવી જાય અને ટીમ હારી જાય.

આ આખુ ઉદાહરણ એ સમજાવે છે દરેકની પાસે એક ચોક્કસ ગોલ હતું અને તે કંપનીના છેલ્લા કર્મચારી સુધી સમજાવવામા આવ્યુ હતું એટલે કે ત્યાં સુધી કમ્યુનીકેટ થયુ હતું.

કોઇ પણ સંસ્થા કે સંગઠનમા પણ આ સંવાદ મહત્વની બાબત છે. દરેક સુધી સંવાદ નહી હોય તો તે દિલથી જોડાઇને કામ નહી કરે. તેથી દરેકની વાત સાંભળવી જરુરી છે. મુળ વાત દરેકની વચ્ચે સંવાદ હોવો જરુરી છે.

જીવનમાં તેથી સંવાદ બહુ જરુરી છે. ડો પ્રકાશ કોઠારી કહે છે સંવાદ એટલે સમ+વાદ. બંનેનો સરખો વાદ. જ્યારે બંને સરખા વાદ ધરાવતા હશે તો સમસ્યા કાંતો હશે નહી અને હશે તો જલદીથી નિવારી શકાશે.

આનો અર્થ એ છે કોમ્યુનિકેશન ખુબ જ મહત્વનું છે.

આવો આપણે એકબીજાની વચ્ચે સંવાદ રાખીયે



૩) દુનિયાની સફળતમ પ્રતિભાઓના સર્વે દરમિયાન ત્રીજો ગુણ જોવા મળ્યો તે છે : High Energy Level - કામ કરવાની અપાર શક્તિ

આ કામ કરવાની શક્તિ બે પ્રકારે મળે છે. તમે જે કામ કરો છો તે કામમાં તમને રસ છે કે નહી અને બીજું તમારું ભોજન કેવું છે.

તમને કામમાં ખરેખર રસ છે પણ તમારું ભોજન પૌષ્ટિક નથી, સમયસર ભોજન નથી તો પણ તમારામા કામ કરવાની અપાર શક્તિ નહી જ આવે.

કેટલાક ટીવી સામે જોતા જોતા જમતા હોય છે, સાસુ વહુની સીરીયલોના કરુણ દ્રશ્યો સાથે જોડાઇને તે પણ કરુણ અવસ્થામાં મુકાય છે, કોળિયો લેવાય છે પણ મગજ કે હદય જમવામા નથી, ભોજનનો સ્વાદ નથી લેવાતો, માત્ર પેટ ભરાય છે. ક્રિકેટ મેચ જોતી વખતે જો મેચ હારવાની પરિસ્થિતિ હોય તો અહીં બેઠા તમે કશુ જ કરી શકવાના નથી તેમ છતા તેમાં સંકળાઈને તમે સલાહ આપ્યા કરો છો આણે આ શોટ મારવાનો હતો કે આ રીતે રન લેવાના હતા. નકામું ટેન્શન તમે જમતા જમતા લીધે રાખો છો અને ભોજનની અસર શરીર પર જે થવી જોઇએ તે થતી નથી.

સાધુ વાસવાની કહે છે ટેન્શન કે ચિંતા સાથે લીધેલો ખોરાક આખરે રોગ જ પેદા કરે છે.

આમ તો આર્યુવેદમા ભોજન લેતા સમયે કાઇ વાત કરવાની ના પાડી છે કારણ કે ભોજનને તમે બરાબર ચાવી શકો, તેનો સ્વાદ માણી શકો પરંતુ અત્યારની ઝડપી જિંદગીમાં કેટલીક વાર ભોજન સમયે જ વાત કરવાનો મોકો મળે છે ત્યારે સ્વામી સચ્ચિદાનંદ કહે છે જો વાત જ કરવી હોય તો ભોજન સમયે આનંદ પ્રમાદની હળવી વાતો કરો, ગંભીર કે વિચારવા લાયક વાતો ના કરો.

હોટલમાં જમવા જઇએ છે ત્યારે ઓડર આપી ને આપણે રાહ જોઇને થાકી જઇએ છે ક્યારે આવશે તેના ટેન્શનમા જ્યારે ભોજન આવે છે ત્યારે તેનો આનંદ માણી શકતા નથી. કેટલાક ભોજનની એટલી બધી ઉતાવળ હોય છે સામી વ્યકિતએ પહેલો કોળિયો શરુ કર્યો હોય ત્યારે આ ભાઇએ ભોજન પુરુ કરી નાંખ્યું હોય.

ડો મનુ કોઠારી કહે છે ગમે તે ખાઓ પણ સમય આપો, શરીરને તે ખોરાક પચવાનો સમય આપો, ભોજન લેવાથી તકલીફ નથી આવતી પણ કેવી રીતે અને ક્યારે લેવાથી તકલીફ આવી શકે છે.

કેટલાક ને સવારે વહેલા ઉઠવાની ટેવ નથી. શાસ્ત્રો કહે છે જે સુર્યોદય ની સાથે જ તમે ઉઠી જશો તો તમારામા કામ કરવાની એક અદ્ભુત શક્તિ પેદા થશે. પણ આ આદત કેટલાય પાળી શકતા નથી. તમે એલાર્મ મુકો છે પણ સવારે ઊઠતી વખતે તમે સ્નુઝ બટન દબાવીને તમે વધુ દસ મિનિટ સુઇ રહો છો. તમારું મગજ ઉઠવાનુ કહે છે પણ તમારું શરીર ના પાડે છે, તમે તમારા પોતાના નિર્ણય ને પાળી શકતા નથી.

શહેરમાં જુદી જુદી જગ્યાઓએ ફિટનેસ ક્લબ ખોલવામાં આવી છે અને તેઓ હંમેશા વાર્ષિક જ ફી નો આગ્રહ રાખે છે કારણ કે તેમને ખબર છે તેમને ત્યાં આવનાર પચાસ ટકા ગ્રાહકો બે મહિનાથી વધુ આવવાના નથી. તમારી કાચી નિર્ણયશક્તિનો તેઓ લાભ ઉઠાવતા રહે છે.

મુળ વાત છે અપાર કામ કરવાની શક્તિ ભોજન અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે. બીજું આપને તમારા કાર્ય મા કેટલો રસ છે, જો રસ જ નહી હોય તો ભલે તે કામ તમને રોજગાર આપતું હોય કે પૈસા કમાવી આપતું હશે તમે તેમાં થાક અનુભવશો.

સચિન તેંડુલકરને પુછવામા આવ્યુ કે તમારા માટે ક્રિકેટ મહત્વનું છે કે પૈસા? ત્યારે તેણે જવાબ આપ્યો કે મારા માટે ક્રિકેટ જ મહત્વનું છે જો હુ ક્રિકેટ સારુ રમીશ તો પૈસા તેની પાછળ આવવાના છે. તે બે દિવસ સુધી થાક્યા વિના ક્રીઝ પર ઉભો રહીને રમી શકે છે કારણ કે તેને ક્રિકેટમાં રસ છે.

પ્રખ્યાત તબલાવાદક અલ્લારખા કહે છે તમને તમારા કામ કરતી વખતે રસની સાથે સાથે આનંદ પણ આવવો જોઇએ તેથી સંગીતના દરેક સાધનો વગાડનાર કે બજાવનાર હસતો રહે છે કારણ કે તેને મઝા આવે છે. નવરાત્રિના ગરબા દરમ્યાન ગાયકો બદલાતા રહે છે પણ તબલા વગાડનાર બદલાતો નથી, તે સતત ત્રણ થી ચાર કલાક વગાડતો રહે છે, આનંદ લેતો રહે છે.

કેટલીક વ્યકિતઓને વિશેષ કામમાં રસ હોય છે તેથી તેવા કામમાં તેઓ અપાર શક્તિ દર્શાવે છે. અમારા ટ્રસ્ટ ના મંત્રીશ્રી રોહિતભાઇ ડેસરીયા ટ્રસ્ટ ની વાત આવે તો રાત્રે બાર વાગ્યે પણ ઉભા થઇને તૈયાર થઇ જાય. આ રસની વાત છે, કમિટમેન્ટની વાત છે.

તેથી આપણે કામ કરવાની અપાર શક્તિ કેવી રીતે લાવી શકીયે તેના પર ધ્યાન આપીયે.



૪) દુનિયાની સફળતમ પ્રતિભાઓના સર્વે દરમિયાન ચોથો ગુણ જોવા મળ્યો તે છે : Develop a Team

દરેક યુધ્ધ માત્ર સૈનિકોના બળના આધારે જીતાયા નથી. ચોક્કસ અને સબળ નેતાગીરી વડે ઓછા સૈનિકોના આધારે પણ યુધ્ધ જીતી શકાયા છે. અંગ્રેજો ની પાસે વધારે સૈનિકબળ નહોતુ પરંતુ સબળ નેતાગીરીના આધારે તેઓ મોટા ભાગના તમામ યુદ્ધો જીત્યા છે.

વ્યકિત ગમે તેટલી મહેનત કરે, સૌથી વધુ કામ કરે પરંતુ સબળ ટીમના અભાવે કોઇ પણ સંગઠન કે સંસ્થા સફળ થઇ શકે નહી. દરેક સફળ વ્યકિત એક ટીમ પણ બનાવે છે જે સંસ્થાને આગળ લઇ જવામા મદદ કરે. પણ નેતા કેવો હોવો જોઇએ.

Leadership is the art of getting someone else to do something you want to be done because he wants to do it.. - Dwight D Eisenhower

નેતાગીરી એક એવી કળા છે જે કોઇ પણ વ્યકિત દ્રારા તમે ઇચ્છો તે કામ કરાવી શકો, કારણ કે પેલી વ્યકિત પણ તે કામને કરવા ઇચ્છે છે.

જર્મનની ના હિટલરની સામે તેના લોકોએ બળવો પોકાર્યો અને તેની વાત માનવાની ના પાડી ત્યારે હિટલરે જર્મનીનો રાષ્ટ્રધ્વજ જમીન પર પાથરીને દરેક સૈનિકને કહ્યુ તમે મારી વાત ના માનો તે તમારી મરજીની વાત છે પણ હુ મારા દેશ માટે લડી રહ્યો છુ જે મારી વાત સાથે સંમત ના હોય તે આ ધ્વજ પર ચાલીને બહાર નીકળી શકે છે. કોઇ જઇ ના શક્યુ કારણ કે તે પોતાના દેશની વાત હતી.

લીડર એવો હોવા જોઇએ કે જ્યારે તેની પાસે જઇશુ ત્યારે આપણી દરેક સમસ્યાનો ઉકેલ તેની પાસે હશે તેવો વિશ્વાસ પેદા કરે. Let the problem come from anywhere here is the solution. દરેક સમયે કદાચ ઉકેલ ના હોઇ શકે પણ ઉકેલ કયાં અને કેવી રીતે મળી શકે તે જાણતો હોવો જોઇએ.

દરેક નેતાની પાસે પોતાની દષ્ટિ સ્પષ્ટ હોવી જોઇએ. તે કયા ધ્યેય પર કામ કરવા માંગે છે તે તેની ટીમને ખબર હોવી જોઇએ. નેતા ટીમના દરેક સભ્ય પાસેથી સતત ફીડબેક લેતા રહેવો જોઇએ.

નેતા દરેક કામની શરુઆત કરતો હોવો જોઇએ, પોતાના કામ વડે તે રોલમોડેલ બની શકવો જોઇએ. પોતાના કામ વડે બીજાને પ્રેરણા અને પ્રોત્સાહન પુરુ પાડે તેવો હોય.

દરેક લીડરની ફરજ છે કે તે બીજી લાઇન તૈયાર કરે. જો બીજી લાઇન તૈયાર નહી હોય તો એક સમયે શૂન્યાવકાશ સર્જાશે ત્યારે સંગઠન તુટવાના આરે પહોંચી જાય છે. માયાવતી, જયલલિતા કે મમતા બેનરજી સિવાય બીજી હરોળના નેતાઓ આ પક્ષમાં બહુ દેખાતા નથી. તેથી જયલલિતા પછી તેમના પક્ષમાં ભંગાણની સ્થિતિ છે.

સંસ્થાની વાત કરીયે તો ટોપ પોઝિશન પર પદ ખાલી હોય તો ગમે તેને ત્યાં બેસાડીને એ પદ ભરવાની વાત નથી પરંતુ તે પણ જોવું જરુરી છે કે તે વ્યકિત જે તે પદ માટે યોગ્ય છે કે નહી. ટાટા અને ઇનફોસિસ નું ઉદાહરણ આ પરિસ્થિતિ ને સમજાવે છે.

કોઇ પણ સંસ્થા કે સંગઠન સફળ રીતે ત્યારે જ કાર્ય કરી શકે જ્યારે તેમાં સમર્પિત સભ્યો હોય, ટીમ વર્ક હોય અને સબળ લીડરશીપ હોય.

TEAM: Together Everybody Achieve More

સફળતમ વ્યકિતઓના સામાન્ય ગુણ ની ચર્ચા કરી તે નીચે પ્રમાણે છે.


  1. Passion for excellence
  2. Mastery in Communication
  3. High Energy Level
  4. Ability to build a team


આગળના ત્રણ સામાન્ય ગુણો નીચે પ્રમાણે છે.

5. Value-based decision
6. Methodology
7. Faith



૫) Value based decision - મુલ્યો આધારિત નિર્ણય

દરેક વ્યકિત સંસ્કારો સાથે જીવન પસાર કરે છે. દરેકે પોતાના જીવન માટે ચોક્કસ નીતી અને મુલ્યો નક્કી કર્યા છે. કેટલાક મુલ્યો વંશપરંપરાગત હોય છે, કેટલાક નીતીવિષયક હોય છે અને કેટલાક આદર્શ આધારિત હોય છે. કેટલાક મુલ્યો પુસ્તકોમાં મળતા નથી તે પેઢી દર પેઢી જીવનમાં આવતા જાય છે. કેટલાક તમારી આસપાસના વાતાવરણના કારણે ઉભા કરેલા છે, કેટલાક મુલ્યો સદંતર ખોટા હોવા છતા તમે છોડી શકતા નથી.

અમરીષપુરી ના એક પિકચર મા તેનો ડાયલોગ છે

मेरे बापने मुजे शेर पर बेठा दिया हे, अगर मे नीचे उतरूँगा तो शेर मुजे खा जायेगा

પોતાની નકામા મુલ્યો ને નહી છોડી શકવાની પીડાને તે ઉપરના ડાયલોગ દ્રારા વ્યક્ત કરે છે.

તેથી કેટલાય સદંતર જુઠુ બોલતા રહે છે પરંતુ તેમને કશુ ખોટું કર્યાનો અફસોસ નથી, પછી આ આદતમાં ફેરવાય છે અને તેની સાથે સાથે મૂલ્યોનું ધોવાણ થતુ રહે છે. કેટલાક પોતે બિમાર હોય કે કદાય નાના મોટા અકસ્માતને લીધે વાગ્યું હોય તો તે બિમારી કે જખમને મોટો કરી, બતાવી સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન કરતા રહે છે તેમ કરીને પોતાનું જુઠ છુપાવે છે અથવા તેમની સમસ્યા પર લોકોનું ધ્યાન જાય અને તે રીતે સહકાર મેળવવાનો બદઇરાદો હોય છે. પણ જુઠ વૃદ્ધ થઇને મરતું નથી, આવા લોકો જલદી ઉઘાડા પડી જાય છે અને તેથી ઘણા બધાનો વિશ્વાસ અને મદદ ગુમાવે છે.

તેથી મુલ્યો આધારિત નિર્ણયો ઘર હોય કે સંસ્થા હોય ખુબ જરુરી છે. આવા નિર્ણયોનો વિરોધ નથી હોતો અને તેથી સંગઠન મજબુત બને છે.  જનહિતમાં લીધેલા નિર્ણયોનું હંમેશા સ્વાગત થાય છે અને તેને લીધે ટીમ બને છે અને દરેક અરસપરસ વિશ્વાશ થી કાર્ય કરે છે. કેટલાક નિર્ણયો કડવા હોઇ શકે પણ સંગઠનના હિતમાં હોય તો તેને સ્વીકારવા રહ્યા.



૬) Methodology - પદ્ધતિ

જીવનમાં કઇંક નવું કરતા રહેવું પડે છે. નવી પદ્ધતિ ઓ શોધતા રહેવું પડે છે. જ્યારે ક્રિકેટ નીરસ થવા માંડ્યું, ટેસ્ટના પરિણામો નહોતા આવતા અને નવી પેઢીને રસ બદલાઇ રહ્યો હતો ત્યારે લલિત મોદી ૨૦-૨૦ ક્રિકેટ લઇ આવ્યા અને ક્રિકેટ ને વધુ પ્રખ્યાત અને મનોરંજક કરી. આ મેથોડોલોજી છે.

કરિયાણાની દુકાનમાં તમારે દરેક ચીજ વસ્તુઓ માંગીને ખરીદવી પડે છે, તેનાથી ખરીદ શક્તિ ચોક્કસ માત્રા સુધી જ રહેતી હતી. પણ નવા મોલ ઉભા કરીને તમારી ખરીદશક્તિ વધારી છે, તમારી ઇચ્છાઓને વધારી છે. એક સર્વે પ્રમાણે ઘેરથી જ નક્કી કરીને લાવ્યા હોય તેના કરતા ડબલ ચીજવસ્તુઓ મોલમાંથી ખરીદવામાં આવે છે. આ શોપિગ મોલ એક પ્રકારની નવી પદ્ધતિ છે

સાદી રોટલીમાં તમને શાક જેવી ચીજ મુકીને તમને આપવામાં આવે તો તમે નહી ખરીદો પરંતુ ફ્રેન્કી જેવું નામ આપીને તેજ રોટલી કે ભાખરીની વચ્ચે મસાલો મુકીને આપવાંથી કશુંક નવું જમ્યાની અદ્ભુત લાગણી થાય છે. પીઝા, બર્ગર આ બધુ ઇનોવેટીવ વિચારનો એક ભાગ જ છે.

મુળ વાત એ છે કેટલીક રુઢિઓનો ત્યાગ કરવો જોઇએ, પરંપરાગત વિચારોને દુર કરવા જોઇએ. ( સંસ્કારની વાત જુદી છે)

આ બાબત સંગઠનને પણ એટલી જ લાગુ પડે છે.

અને છેલ્લો ગુણ છે



૭) FAITH: વિશ્વાસ

તમે કાર્ય કરો ત્યારે તમને તમારામા વિશ્વાસ હોવો જરુરી છે, તમારું કામ બીજાને પસંદ આવશે તે પ્રકારનો વિશ્વાસ જરુરી છે. દરેક વ્યકિત ને જુદી જુદી બાબતો પર વિશ્વાસ હોય છે, કોઇ ભગવાન પર વિશ્વાસ રાખતું હોય, કોઇ માતા પિતા પર કે કોઇ પતિ કે પત્ની પર વિશ્વાસ રાખતું હોય, કોઇ ધર્મ પર કે તો કોઇ પુસ્તક પર ભરોસો રાખતું હોય, પણ વિશ્વાસ જરુરી છે.
ધીરુભાઇ અંબાજીને પુછવામા આવ્યુ કે તમારી સફળતાનુ રહસ્ય શુ છે? તેમણે કહ્યુ મારી માતાના આશિર્વાદ મારી સાથે હતા.
વિશ્વાસ પણ એટલો જ મહત્વનો છે.



ટીમ બનાવવા વિશે કે નેતાગીરી વિશે લખ્યુ ત્યારે એક મિત્રનો કોલ આવ્યો કે નેતાગીરી માટે જો સૌથી નુકસાનકારક કોઇ બાબત હોય તો તે EGO મિથ્યાભિમાન છે. Ego વિશે એક લેખ લખ્યા હતો પરંતુ તેમાં સુધારો વધારો કરીને બીજી વાર રજુ કરીશું

-     દિનેશ મકવાણા 

October 16, 2017

વાતો તો બધા ચાંદ તારા તોડવાની કરે છે, પરંતુ ગ્રાઉન્ડ રીએલિટી શું છે?

By Raju Solanki  || 07 October 2017 



વાતો તો બધા ચાંદ તારા તોડવાની કરે છે, પરંતુ ગ્રાઉન્ડ રીએલિટી શું છે?
આજકાલ અત્યાચારોના મુદ્દે ઘણા લોકો એવું કહે છે કે, આપણે દલિતો શિક્ષિત થઈ ગયા છીએ, સંગઠિત પણ થઈ ગયા છે હવે તો સંઘર્ષ જ છેડવાની જરૂર છે. આરપારની લડાઈ લડી નાંખીએ. કોઈ કહે છે હવે તો બંદૂકો ઉઠાવી લો. તો કોઈ કહે છે, સત્તા પ્રાપ્તિ વગર બધું જ નકામું. વાતો તો બધા ચાંદ તારા તોડવાની કરે છે, પરંતુ ગ્રાઉન્ડ રીએલિટી શું છે? ચાલીઓમાં રહેતા દલિતોની સામાજિક અને શૈક્ષણિક સ્થિતિ ખરેખર શું છે?
વર્ષ 2009માં મેં અમદાવાદ શહેરના રાજપુર-ગોમતીપુર વિસ્તારની 20 ચાલીઓના 1052 કુટુંબોનો સરવે કરાવ્યો હતો. સરવેના પરીણામો ભયાનક અને ચોંકાવનારા હતા. સરવે હેઠળના 4026 વિદ્યાર્થીઓ પૈકીના 2157 એટલે કે 54.11 ટકાએ અધવચે ભણતર છોડી દીધું હતું. આ 1052 કુટુંબોમાં 235 "સત્તાવાર" બીપીએલ કુટુંબો હતા અને 376 "બીપીએલ કાર્ડથી વંચિત કુટુંબો" હતા. 611 કુટુંબોમાં પતિ-પત્ની બંને મજુરી કરે તો પણ માસિક આવક રૂ. 3500થી પણ ઓછી હતી.
પશ્ચિમ બંગાળના મહિલા, બાળ અને સમાજ કલ્યાણ વિભાગ તેમજ યુનિસેફની મદદથી કોલકાતાની જયપ્રકાશ ઇન્સ્ટિટયૂટ ઑફ સોશલ ચેન્જે કોલકાત્તાના રેડ લાઇટ એરીયા સોનાગાછી વિસ્તારમાં એક સરવે કરાવ્યો હતો. તેમાં નોંધાયું હતું કે, ધોરણ પાંચથી સાતના બાળકોમાં અને ખાસ કરીને છોકરીઓમાં ડ્રોપ આઉટ રેટ અત્યંત ઉંચો છે. આ સરવેમાં 1200 સેમ્પલ કુટુંબો આવરી લેવામા આવ્યા હતા અને જણાયું હતું કે 2003 બાળકો કયારેય શાળાએ ગયા નથી, 384 બાળકોએ પૂર્વ-પ્રાથમિક કક્ષાએ જ શાળા છોડી દીધી હતી, જયારે માત્ર 13 બાળકો ઉચ્ચા માધ્યમિક કક્ષામાં જઈ શક્યા હતા." અમદાવાદના રાજપુર-ગોમતીપુર વિસ્તારના દલિતોના બાળકો અને કોલકાતાની સોનાગાછી વિસ્તારની સેક્સવર્કર્સના બાળકોની સ્થિતિમાં ઝાઝો ફેર નથી.
રાજપુર-ગોમતીપુર વિસ્તારના એ 243 બાળમજૂરોની વાત સૌ પહેલા કરીએ. ગુજરાતના શાસકો અને એમના અધિકારીઓ સમાજ-વ્યવસ્થાનો સૌથી ઘાતકીપણે ભોગ બનેલા લોકો માટે સંસ્કૃતમય પદાવલીઓ યોજવામાં ઉસ્તાદ છે. તેઓ બાળકો માટે 'બાળ શ્રમયોગી' શબ્દ વાપરે છે, પરન્તુ આપણે એમને બાળ મજૂરો જ કહીશું. આ બાળકોમાં ચૌદ વર્ષથી નીચેના 21 બાળ મજૂરો, 15 વર્ષના વયના 27 બાળમજૂરો, 16 વર્ષના વયના 28 કિશોર મજૂરો, 17 વર્ષના વયના 51 મજૂરો અને 18 વર્ષની વયના 107 કહેવાતા પુખ્ત મજૂરો જોવા મળ્યા, જેમણે છેક 14 વર્ષની વયથી પોતાના પરીવારને ટેકો કરવા મજૂરીનો રાહ પકડી લીધો હતો, જેમાં 90 છોકરાઓ અને 17 છોકરીઓ હતી.
સરવેમાં ખાડાવાળી ચાલી, વોરાની ચાલી, શકરા ઘાંચીની ચાલી, હીરા ઘાંચીની ચાલી, સળિયાવાલી ચાલી, હવાડાની પોળ (મહાસુખરામની ચાલી, પોપટીયા વડ, જીવરામ ભટ્ટાની ચાલી), કુંડાવાલી કાનજીભાઈ કાલીદાસ ચાલી, પોસ્ટ ઓફિસ સામે, અબુ કસાઈની ચાલી, પોસ્ટ ઑફિસ સામે, હીરાલાલની ચાલી, દૂધવાળી લાઇન, સુથારવાડાની પોળ, જૈન દેરાસર, મહેબૂબ બિલ્ડીંગ, મણિયારવાડો, મરીયમબીબી મસ્જીદ, ચંદા મસ્જીદ, ઝુલતા મીનારા(અમનનગર છાપરા, બીબી મસ્જીદ, તુલસી પાર્ક)નો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ડ્રોપ-આઉટની પેટર્ન જોઇએ તો સાતમાંથી દસમાં ઘોરણમાં જતા ડ્રોપ-આઉટનું પ્રમાણ વધતું જાય છે. અને દસમું ઘોરણ ડ્રોપ- આઉટની પરાકાષ્ટા છે. મોટા ભાગના બાળકો દસમા ઘોરણને વટાવી શકતા નથી. આમાંના નેવું ટકા બાળકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં ભણે છે, જ્યાં વર્ષમાં 200 દિવસનું શૈક્ષણિક કાર્ય પૂર્ણ થતું નથી. વર્તમાન સરકારની વિજયોત્સવો, કાર્નીવલો અને મહોત્સવો ઉજવવાની ઘેલછાએ દલિત બાળકોને શાળાઓ છોડાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. સાબરમતી રીવર ફ્રન્ટ ઉપર ચોજાએલા આંતરરાષ્ટ્રીય પંતગ મહોત્સવમાં વહેલી સવારથી 7500 બાળકોને હાજર કરી દેવામાં આવ્યા હતા. કાંકરીયા કાર્નિવલના ઉદ્દ્ઘાટન સમારોહમાં 10,000 બાળકોને કલોકો સુધી ભર તડકામાં ઉભા રાખવામાં આવ્યા હતા.
સરવે હેઠળના વિસ્તારોમાં મુખ્યત્વે દલિત-મુસ્લિમ સમુદાયો વસે છે. પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલાં આ વિસ્તારોમાં લાલ ઝંડાની આણ હતી. એ વખતે સમ્રગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સીપીએમના એક માત્ર કોર્પોરેટર અહીંથી ચુંટાયા હતા. વીસ-પચીસ વર્ષ પહેલા આ વિસ્તારો કોમી એખલાસની મિશાલ સમાન હતા. બનેં કોમો સંપથી રહેતી હતી. 1981ના અનામત વિરોધી રમખાણો પછી આ સંપ રહ્યો નથી. એના કારણો ગમે તે હોય, પરિણામ તમારી નજર સામે છે. નદીની પેલે પાર નવરંગપુરા, નારણપુરા, સેટેલાઇટ વિસ્તારોમાં એક કિશોર ભણવાના ટેન્શના કારણે આપઘાત કરે તો, છાપાઓમાં મોટી હેડલાઇનો બને છે. દલિત-મુસ્લિમ વિસ્તારોમાં હજારો કિશોરો આર્થિક બેહાલીના કારણે ટેન્શનમાં ભણી જ શકતા નથી તો એની નોંધ કોણ લે છે?
ચૂંટણી આવી રહી છે, ત્યારે દલિતો-મુસ્લિમોના બુદ્ધિજીવીઓ શિક્ષણના મુદ્દે શું વિચારે છે?

ક્યાં છે જાગૃતિ?

By Raju Solanki  || 13 October 2017 at 15:30 




આજે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડીયા’એ દલિતો પર વધતા જતા અત્યાચાર પર સ્ટોરી કરી છે. એમાં એક તારણ એવું કાઢ્યું છે કે દલિતોમાં જાગૃતિ વધી હોવાથી અત્યાચારો વધી રહ્યા છે.
શું આ તર્ક સાચો છે?
શું મોટા સમઢીયાળાના બાલા બાપા જાગૃત થયા એટલે એમના પર લાઠીઓ વીંઝાઈ હતી?
ગુજરાતના કોઈ અંતરીયાળ ગામડામાં મરેલા ઢોર ખેંચતા પરીવારનો મોભી ‘જાગૃત’ થાય તો એ શું વિચારશે?
સૌથી પહેલા તો એ એવું વિચારશે કે મેં ભલે મરેલા ઢોર ખેંચવામાં મારું આયખું પૂરું કર્યું, પરંતુ મારા સંતાનો આ કામ હવે પછી કદી નહીં કરે.
આને કહેવાય જાગૃતિ.
જાગૃતિ એટલે સમજદારી.
આવી જાગૃતિ આવે એટલે એ માણસ એ ગામ છોડી દેશે, બીજું કોઈ કામ કરશે અને એના સંતાનોને ભણાવવા માટે પ્રયાસ કરશે.
એ માણસનો સમાજ પણ તો જ જાગૃત કહેવાય જો તે સમાજ એને વૈકલ્પિક આજીવિકા પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
આવું કરવાના બદલે સમાજ મૂછો જ આમળ્યા કરશે મીડીયાને સ્ટોરી બનાવવામાં ચોક્કસ રસ છે.

October 07, 2017

अगर मै गलत हूं... तो फिर कौन सही..????

By Vishal Sonara || 07 Oct 2017 09:34 PM


गुजरात की बाहोश पुलिस ने मूंछ कांड की एक घटना को गलत साबित कर दिया है. और उस मे फरियाद  करने वाले 17 साल के लडके ने पुलिस के सामने कबुल कर लिया है कि ये सब उसने पब्लिसिटी के लिये किया है. पुलिस के काम की हम सराहना करते है. और इसी प्रकार की बाहोशी पिछले साल की  घटना उनाकांड , थानगढ (2012 मे) मे तीन बच्चो को पुलिस ने ही मार दिया था उस प्रकार के केसीस मे दिखायें ऐसी अरज है. 
वो तो छोड़िए पिछले हप्ते की हि घटना मे आणंद ज़िले के भादरणीया गांव मे गरबा देखने गये दलित लडके को पीट पीट कर मार देने वाली घटना मे भी उसने खुद अपने को पीटवाया था ऐसी बात तो नही है ना वह तो जरुर चेक करीयेगा. 

अब बात करते है उस घटना की जो मीडिया मे उछाला जा रहा है की मूंछ कांड पुरा गलत है. 

पुरी घटना इस प्रकार है जीसे गुजरात के जातिवादीयो का मूंछ कांड कहा गया है. 

25 सितंबर को गुजरात की राजघानी गांधीनगर के लिंबोदरा गांव में मूंछ रखने के मामले में एक दलित युवक की पिटाई कर दी गई.  उस दिन राजपूत समुदाय के कुछ सदस्यों ने पीयूष परमार (24) की कथित तौर पर पिटाई का आरोप लगाया था. 
इस के बाद मे पुरे देश मे से दलित समाज के युवाओ को इस व्यवस्था पर गुस्सा दिख रहा था.  इस घटना के बाद एक और घटना को मीडिया ने आश्चर्यजनक महत्व दिया और पहले वाली घटना को थोडा डीम कर के इस दुसरी घटना जो की पहली घटना के ठीक चार दिन बाद 29 तारिख को घटी थी. 
मीडिया मे आने लगा दलित को ब्लेड से मारा, चाकु मार दिया , बेरहमी से ये किया वो किया न जाने क्या क्या प्लोट लोगो के सामने रखे गये. 

दलितो को ये सब सुन सुन कर ज्यादा तकलिफ हो रही थी. 
इसी बिच दशहरा (30 अक्टुबर) पर रात मे गरबा देखने गये एक युवक कि पीट पीट कर हत्या कर दि गई ऐसी खबरे आने लगी. 

ये तीनों घटना ने मीडिया और अलग अलग माध्यमो के जरिये पुरे देश के दलित समाज के दिमाग मे एक तुफान खड़ा कर दिया था.  गुजरात का दलित समाज अपने आप को असुरक्षीत महसुस करने लगा. इसी असुरक्षा की भावना मे सारे देश के दलित गुजरात के दलितो के साथ आकर खडे रहने लगे. सोशल मीडिया से एक दुसरे को जोडने लगे और एक बडा आंदोलन खडा हो गया जिसे तीन हैशटेग के जरिये ट्वीटर पर हम देख सकते है #RightToMoustache #MrDalit और #DalitWithMustache .

इस प्रकार दलितो के पास तीन रोशपुर्ण घटनाए थी जो उन के जहन मे कांटे की तरह चुभती थी. और कई घटनाए और भी है पर वो भुतकालीन है. 
- 25 सितंबर को मूंछो के लीए पियुश परमार को पीटने वाली घटना
- 29 सितंबर की ब्लेड / छुरी वाली घटना
- दशहरा (30 अक्टुबर) मे गरबा देखने गये युवक को मार डालने की घटना

पुरानी घटनाएं भी जब तक न्याय न मीले भुली तो नही ही जा सकती. और इस देश का भी अजीब रेकॉर्ड है दलितो की ज्यादातर घटनाओ मे न्याय मीलता ही नही है. चाहे हत्याकांड ही क्यों न हो. 

पर हाल मे इन तीन घटनाओ के कारण गुस्सा सोशल मीडिया पर केंपेईन के माध्यम से शांतीपुर्ण तरीके से हो रहा था. और ये विरोध मे देश विदेश मे से भी कई लोग जुडे थे. बहोत आंतर राष्ट्रीय न्युस चैनलो ने भी इन सभी घटनाओ की बहोत नींदा की. 

अब पुलिस का काम देखते है. 
तीन मे से एक उपर की और एक नीचे की इस प्रकार दो घटनाओ पर मौन रख कर काम कीया उन्होने, बाहोश है तो बाहोशी से ही काम किया होगा ये मान लेते है. पर बीच वाली घटना की जीस पर (पुलीस की ही तरह) बाहोश मीडिया ने भी बहोत डराया था दलितो को इस घटना का केस सोल्व कर दिया...!!!!

इस घटना का संज्ञान देश मे तो चलो ठीक है विदेशो मे भी लीया जाना चाहिये. इतने कम समय मे इतनी बडी कामीयाबी. 29 सितंबर की उस घटना को पुलीस ने गलस साबीत कर के कुछेक रेकोर्ड तो तोड ही दिये होगे. अब थानगढ, आणंद, उना और भी कई घटनाओ की बारी हो ऐसी हम सब की मांग है. 


पुलीस के इस काम को ट्रीब्युट देती हुई भारत देश की जातिवादि मीडिया ने शुरु कर दिया मूंछ कांड जुठ था, फरेब था,  सुर्खीओ मे आने के लिए किया गया था. पर मीडिया को इस घटना को छोड कर बाकी की दोनो घटना भी जुठी लगने लगी है क्या?? उस पर तो कवरेज मानो कही से ब्लोक ही कर दिया हो. सब जगह से जातिवादी सोच वाले लोगो को भी अब सवाल उठाने का मौका मील गया. उन के सवाल कुछ अंश तक वाजीब भी है ये हम मानते है. पर वो सीर्फ और सीर्फ दुसरी घटना तक ही सीमीत है.   25 सितंबर और दशहरा वाली घटना को भी मानो वह गलत ही मान रही है इस प्रकार की जातिवादी रीपोर्टींग कर रहे है कुछ लोग. 

मीडिया तो छोडो जातिवादी लोगों को मानो कुछ बडा खजाना हाथ आ गया हो इस प्रकार सोशल मीडिया पर लग गये है.  एक केस गलत साबीत हुआ तो सब गलत ये मान नेऔर मनवाने लगे, अरे वो गरबा देखने गए युवक का  खुन हो गया वो भी गलत कैसे साबीत करोगे मनोरोगीओ??? जातीवाद के चलते और दलितो के प्रती ध्रुणा मन मे होते हुए लोग इस प्रकार कि बाते कर रहे है. इस को भीमराव आंबेड्कर ने मनोरोग कहा है. और ये देश इस प्रकार के मनोरोगीओ से भरा पडा है. और ये इस प्रकार का रोग है की समजाने या हकिकत को सामने लाने से नही मीटेगा. इस के लीए भीमराव आंबेडकर जैसे मनोवैग्यानीक की जरुरत है इन लोगो को. 

दलित युवाओ ने इस मूंछ केंपेईन को चलाया और मे भी इस का हिस्सा रहा हु. तीन मे से एक घटना के चलते मे अपनी गलती ना होते हुए भी स्वीकार कर रहा हु की मै गलत हु. पर अब हमे ये भी जवाब चाहीये " तो फिर कौन सही है" ???? जातिवाद कर रहे हैं वो?  या मूंछ से विरोध कर रहे हैं वो?? 

जो लोग समजदार है उनके लिए ये बात है बाकी के लोगो को उनकी मानसीकता मुबारक हो. 

આ અત્યાચારનું શું?

By Raju Solanki  || 07 October 2017 


અમદાવાદના રાજપુર ગોમતીપુર વિસ્તારમાં મગન કુંભારની ચાલી, ખાડાવાળી ચાલી અને કુંડાવાળી ચાલી કે પછી નરોડા રોડ પર અશોક મિલની ચાલી અને કલેક્ટરની ચાલી કે પછી અસારવામાં અનાજ ગોડાઉનના છાપરા અને કડીયાની ચાલી કે પછી ઓઢવમાં સોનીની ચાલી અને જનતાનગર કે પછી વાડજમાં રામાપીરનો ટેકરો અને ગાંધીનગરનો ટેકરો, આવી હજારો ચાલીઓ અને સેંકડો ટેકરાઓમાં દર વર્ષે જન્મતા છ લાખ બાળકોના લલાટે લખાયેલું છે કે તમારે મોટા થઇને તમારા ઘરની બાજુની પેલી ગંધાતી સરકારી સ્કુલોમાં ભણવાનું છે,
જ્યાં તમારે તમારી જિંદગીના બહુમૂલ્ય વર્ષો રીતસર વેડફવાના છે,
જ્યાં કહેવાતા ભણતર પછી તમે ઢબૂ પૈસાના ઢ થઇને બહાર નીકળવાના છો અને માંડ માંડ આઠમુ-દસમુ ભણ્યા પછી તમે કમરતોડ ખાડા ખોદવામાં, સાયકલ લઇને કુરીયર સર્વિસમાં ઢસરડા કરવામાં, સીક્યુરિટીના કપડાં પહેરી મૉલમાં સીસોટીઓ મારવામા અને સલામો ઠોકવામાં તમારી બાકીની જિંદગી પૂરી કરવાના છો.
દર વર્ષે છ લાખ બાળકોના ભવિષ્યમાં ઓપરેશન બ્લેકબોર્ડના નામે અંધારુ કરનારાઓના કોઈ છાજિયા લેવાતા નથી. દર વર્ષે છ લાખ બાળકોને મૂછો વગરના નમાલા બનાવનારી શિક્ષણ વ્યવસ્થા સામે કોઈનું લોહી ઉકળતું નથી. શરમની વાત છે.
દર વર્ષે છ લાખ બાળકોના નાગરિક તરીકેના અધિકારો છીનવાઈ જાય એને તેને કોઈ અત્ચાચાર પણ ગણતું નથી. ક્યાંક કોકને ટપલી પડી કે કોકને કોઈ ગાળ બોલ્યું કે કોકને કોઈએ છરી મારી તો મીડીયામાં કાગારોળ થઈ જાય છે. અહીં છ લાખ બાળકોને જિંદગીભર ટપલીઓ ખાતા કરી દેનારા શિક્ષણ અંગે એક શબ્દ ઉચ્ચારાતો નથી.
કમાલ છે. તમારા બધાની સંવેદનશીલતા.
ધન્ય છે તમારી ચળવળો.
ધન્ય છે તમારા આંદોલનો.
ધન્ય છે તમારી કર્મશીલતા
ધન્ય છે તમારી નેતાગીરીઓ.

October 03, 2017

વિશ્વ હિન્દુ પરિષદનો દંભ છતો થયો

By Raju Solanki  || 1 October 2017 at 10:02 



“દલિતોનું બૌદ્ધ ધર્મ પરિવર્તન શું હિન્દુ ધર્મ માટે ખતરાની ઘંટી છે?” આ વિષય પર ગઈ કાલે વી ટીવી ચેનલ પર ડીબેટ રાખવામાં આવી હતી. સ્ટુડીયો પર પહોંચ્યા પછી મને ખબર પડી કે ડીબેટમાં માત્ર હું એકલો જ છું. વિશ્વ હિન્દુ પરિષદના મીડીયા મંત્રી હેમેન્દ્ર ત્રિવેદીએ ડીબેટમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી. કારણ પૂછતાં તેમણે જણાવેલું કે ચૂંટણી આવી રહી છે એટલે દલિતોના મુદ્દે કંઈ જ ના બોલવું એવો અમને આદેશ છે.
વડોદરામાં સો દલિતોએ સંકલ્પ ભૂમિ પર બૌદ્ધ ધર્મ પરિવર્તન કર્યું હતું. તેના સંદર્ભમા આ ડીબેટ રાખવામાં આવી હતી. ચેનલે મને જણાવેલું કે વિશ્વ હિન્દુ પરિષદનો પ્રવક્તા ડીબેટમાં જોડાવાનો છે. હવે વિશ્વ હિન્દુ પરિષદ પોતે જો ચૂંટણીના કારણે મહત્વના નીતિ વિષયક મુદ્દા પર બોલવા માંગતી ના હોય તો એનો સ્પષ્ટ અર્થ એવો થયો કે વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુઓના હિતોને ધ્યાનમાં રાખીને કામ કરતી નિષ્ઠાવાન સંસ્થા નથી, બલકે ચૂંટણીની ગણતરીઓથી કામ કરતી સ્વાર્થી, લાલચુ અને દંભી લોકોની જમાત છે.
આ ડીબેટમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તાએ આવીને કહેવું જોઇતું હતું કે દલિતોએ બૌદ્ધ ધર્મ પરિવર્તન કરવાની જરૂર નથી. અમે તેમના હિતોની રખેવાળી કરવા બેઠા છીએ. અથવા તો એમ કહી દેવાનું હતું કે અમે દલિતોને માત્ર હુલ્લડોમાં મુસલમાનો સામે લડાવવા પૂરતા જ હિન્દુ ગણીએ છીએ.

Watch Videos :-




આંદોલનો અને રાજનીતિ

By Raju Solanki  || 1 October 2017 at 15:55



એ કેટલું આઘાતજનક છે કે ગઈકાલે એક્સપ્રેસ અડ્ડામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને કોઇએ એવો સવાલ જ ના પૂછ્યો કે છેલ્લા વીસ વર્ષથી તમારા પક્ષે ગુજરાતના શિક્ષણનું ખાનગીકરણ કરીને જે પત્તર ઠોકી છે એમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ તમારી પાસે છે કે કેમ? કે પછી રાષ્ટ્રીય સ્તરે નીટની પરીક્ષામાં ગુજરાત બોર્ડના ઉમેદવારોની સીબીએસઈ ભણેલા રઇશજાદાઓ સામે સ્પર્ધામાં ટકવાની અક્ષમતાનો તમારી પાસે કોઈ હલ છે ખરો? કે પછી કિસાનોની આત્મહત્યાઓ અને યુવાનોની બેકારીને નાથવાનો કોઈ રોડ મેપ છે કે કેમ?
આવા સવાલો પૂછવાના બદલે રૂપાણીને ફલાણા આંદોલનખોરો વિષે ટીપ્પણી કરવા જણાવવામાં આવ્યું હતું. અને રૂપાણીએ કહ્યું કે એમણે ચૂંટણી લડવી જોઇએ, જેથી એમની લોકપ્રિયતાની કસોટી થાય. જાણે અમુક લોકોના રાજકારણમાં જોડાવાથી પ્રજાની કારમી સમસ્યાઓ હલ થઈ જવાની હોય.
એક્સપ્રેસ અડ્ડાની કાલની બેઠકમાં ગુજરાતના જાણીતા કેળવણીકારો પણ હતા, પરંતુ તેમણે પણ રૂપાણીને ગુજરાતીઓની શૈક્ષણિક દુર્દશા અંગે કોઈ સવાલો ના કર્યા. કદાચ એમને અડ્ડાની બેઠકોનું છાપાની પહેલા પાની બોટમ સ્ટોરી સિવાય કશું જ વજુદ નથી તેની ખબર હશે.
શું મોદી કે શું રાહુલ કે શું રૂપાણી – રાજકારણમાં એમના આવવાથી લોકોને શું ફરક પડ્યો છે? કેટલાક ભક્તોને મંજીરા વગાડવાના મનગમતા પ્રતીકો મળ્યા છે કે બીજું કંઈ? તમારા નેતાઓની આખરી કસોટી તો એ જ છે કે લોકોના પ્રશ્નો ઉકેલવાની એમની કેટલી આવડત છે.
ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય, નોકરીના સવાલો ઉકેલવામાં મોદીની નિષ્ફળતાને કારણે છેલ્લા એક વર્ષમાં આંદોલનો આવ્યા છે. કોંગ્રેસે એનો લાભ ઉઠાવ્યો છે એટલું જ. રૂપાણીએ કોંગ્રેસને દોષ દેવો ના જોઇએ. પાંત્રીસ વર્ષ પહેલાં એમના પક્ષે પણ અનામત આંદોલનોનો ઉપયોગ કે દુરુપયોગ કોંગ્રેસવિરોધી લાગણીઓ ભડકાવવામાં કર્યો હતો. આંદોલનો તો લોકશાહીમાં પ્રજાને મુરખ બનાવવા થાય છે. સત્તા પર તો મુડીવાદીઓ, બિલ્ડરો, માલેતુજારો જ આવે છે. પક્ષ કોઈ પણ હોય.


October 02, 2017

#मन_की_गंदगी : गांधी जयंती पर जातिवाद के खिलाफ पर ट्वीटर पर फुंटा मुळनीवासी/बहुजनो का गुस्सा

By Social Media Desk






बहुजन समाज के लोग पुछ रहे है की आज गांधी जयंती पर हर कोइ गांधीजयंती को मनाने का दिखावा कर रहा है. साशक वर्ग स्वच्छता अभीयान चला रहा है पर क्या ये अभीयान लोगो के दिमाग की जातिवादि गंदगी को मीटा पायेगा??? बहोत बडी बडी बाते देश आजाद हुआ तब से सब सुनते आये है पर साशक कोम के लोग क्या कभी ऐसा चाहेगे की देश मे से कभी जातीवाद खत्म हो???

इन सब नफरत भरे भाव को पालने वालो को बहुजन समाज द्वारा दिमाग की गंदगी नाम दीया गया है. बहोत देश की गंदगी साफ करने का और फोटो शुट कराने के नाटक से अब जातिवाद से ग्रसीत लोग थक चुके है उन्हे जातिवाद मुक्त स्वच्छ भारत चाहिये सीर्फ फैसबुक और ट्वीटर पर फोटो डालने के लिए कीया जा रहा जुठा स्वच्छता अभीयान नही अब दिमागी स्वच्छता अभीयान इस देश मे जरुरी है. 

देखते ही देखते 1000 से अधीक ट्वीट्स ट्वीटर पर आ चुकी है. ये लीखा जा रहा है उस वख्त भी लोग इसी गंदगी पर ट्वीट कर के देश के कुछ लोगो की जातिवादी मानसीकता पर ट्वीट कर रहे है नीचे हम वह ट्वीट्स के लींक दे रहे है. आप भी #मन_की_गंदगी के साथ अपने विचार रख सकते है. आप की ट्वीट भी इसी समाचार पर दीखने लगेगी. इस मुहिम से अब लगता है कि देश के लोग जागृत हो रहे है. अपने साथ हो रहे अन्याय के खीलाफ जमकर मुह खोल रहे है. जातिवाद कर रहे लोगो के दिमागी हालत को भीमराव आंबेडकर ने एक मानसीक रोग बोला है. इसी रोग के खीलाफ हर एक सच्चे देशवासीको खडा होना पडेगा. आप चाहे कीसी भी पार्टी या किसी भी विचारधारा को मान रहे हो पर जातिवाद से देश का कितना नुकसान हो रहा है ये तो आप को समजना ही होगा. 



नीचे ट्वीट्स दीये गये है जो लोगो ने ट्वीटर पर इस जातिवादी गंदगी के खिलाफ किये है. आप भी इस मे हिस्सा ले सकते है.