October 16, 2017

ક્યાં છે જાગૃતિ?

By Raju Solanki  || 13 October 2017 at 15:30 




આજે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડીયા’એ દલિતો પર વધતા જતા અત્યાચાર પર સ્ટોરી કરી છે. એમાં એક તારણ એવું કાઢ્યું છે કે દલિતોમાં જાગૃતિ વધી હોવાથી અત્યાચારો વધી રહ્યા છે.
શું આ તર્ક સાચો છે?
શું મોટા સમઢીયાળાના બાલા બાપા જાગૃત થયા એટલે એમના પર લાઠીઓ વીંઝાઈ હતી?
ગુજરાતના કોઈ અંતરીયાળ ગામડામાં મરેલા ઢોર ખેંચતા પરીવારનો મોભી ‘જાગૃત’ થાય તો એ શું વિચારશે?
સૌથી પહેલા તો એ એવું વિચારશે કે મેં ભલે મરેલા ઢોર ખેંચવામાં મારું આયખું પૂરું કર્યું, પરંતુ મારા સંતાનો આ કામ હવે પછી કદી નહીં કરે.
આને કહેવાય જાગૃતિ.
જાગૃતિ એટલે સમજદારી.
આવી જાગૃતિ આવે એટલે એ માણસ એ ગામ છોડી દેશે, બીજું કોઈ કામ કરશે અને એના સંતાનોને ભણાવવા માટે પ્રયાસ કરશે.
એ માણસનો સમાજ પણ તો જ જાગૃત કહેવાય જો તે સમાજ એને વૈકલ્પિક આજીવિકા પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
આવું કરવાના બદલે સમાજ મૂછો જ આમળ્યા કરશે મીડીયાને સ્ટોરી બનાવવામાં ચોક્કસ રસ છે.

No comments:

Post a Comment