July 22, 2017

બંધારણવાળો બાબો ભાગ ૧૩

By Raju Solanki



#Jaitley_The_Liar

આજે સમગ્ર દેશમાં ગૌ ગુંડાઓએ કાયદો હાથમાં લઇને નિર્દોષ માણસોની હત્યાઓ કરવા માંડી છે ત્યારે ગઈકાલે આ મુદ્દા પર રાજ્યસભામાં ચાલેલી ચર્ચામાં ઝુકાવતા નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે, ”બાબાસાહેબ આઁબેડકરે ગૌવંશના રક્ષણ માટેનો અનુચ્છેદ 48 ઘડ્યો હતો અને આજે તેમણે આ કાયદો ઘડ્યો હોત તો સતીષ મિશ્રાની પાર્ટી (બીએસપી)એ તેમને પણ કોમવાદી કહ્યા હોત.”

બિચારો અભણ સતીષ મિશ્રા. એની પાસે જેટલીના જુઠ્ઠાણાનો જવાબ જ ન હતો. કોંગ્રેસ-ડાબેરી સહિત બીજા પક્ષોને પણ આ મુદ્દે દેશમાં કોમી ધ્રુવીકરણ જ કરવું છે, એટલે કપિલ સીબ્બલે જેટલીને જવાબ આપવાના બદલે મોદી પર એટેક કર્યો અને લાંબી તડાફડીના અંતે બાજપેયી કહે છે તેમ, ”ડીબેટમેં ગર્મી જ્યાદા ઔર રોશની કમ રહી.”

હકીકતમાં, બંધારણસભાની એ સમયની ડીબેટ વાંચીએ તો સ્પષ્ટ જણાય છે કે જ્યારે પંડિત ઠાકુરદાસ ભાર્ગવ જેવા કેટલાક સભ્યો ગૌવંશની રક્ષાના મુદ્દાને બૂનિયાદી અધિકારોની સૂચિમાં મુકવા માંગતા હતા, ત્યારે એક માત્ર બાબાસાહેબે આ મુદ્દાને માર્ગદર્શક સિદ્ધાંતોની યાદીમાં મુકવાની હિમાયત કરી હતી અને હંમેશ બન્યું હતું તેમ એ વખતે પણ સમગ્ર સભાએ બાબાસાહેબની વાત સ્વીકારી હતી. આને કારણે જ આ મુદ્દો રાજ્યો પર છોડવામાં આવ્યો હતો. આજે પશ્ચિમ બંગાળ કે કેરળમાં બીફ ખાવા પર પ્રતિબંધ નથી અને ચાવાળો કે ચડ્ડીવાળો રાજ્યોને ફરજ પાડી શકતા નથી. એનું કારણ બાબાસાહેબની દૂરંદેશિતા છે.

જેટલીએ અનુચ્છેદ 48 કહેલો, પરંતુ તેમને ભાન નથી કે આ અનુચ્છેદ 38 એ છે. વધુ માહિતિ માટે કોન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બલી ડીબેટ્સના વોલ્યૂમ સાતમાં 24 નવેમ્બર, 1948ના રોજ થયેલી ચર્ચા વાંચી લેવી.

(ફોટો - ઇન્ડીયન એક્સપ્રેસ, તા. 21 જુલાઈ, 2017,પેઇજ 10)

- રાજુ સોલંકી

કાનુન કે કાયદા મંત્રી ના પદેથી રાજીનામું આપતા બાબા સાહેબ ની વેદના. ભાગ- ૬

By Dinesh Makwana

બે કે ત્રણ દિવસની ચર્ચા બાદ પ્રધાનમંત્રી એક નવી દરખાસ્ત લઇને આવ્યા. આ વખતે તેમણે આખા ખરડાને પડતા મુકવાની વાત કરી તેમાં લગ્ન અને છુટાછેડાનો ભાગ પણ સામેલ હતો. હુ છમ્મ થઇ ગયો. ( I was stunned) અને કશુ કહી શક્યો નહી. આ ખરડો એટલા માટે પડતો મુકવામા આવ્યો કારણ કે કેબિનેટના બીજા શકિતશાળી મંત્રીઓ તેમના ખરડાને રજુ કરવા માંગતા હતા. હુ તે સમજી શકતો નહોતો કે બનારસ કે અલીગઢ યુનિવર્સિટી ને લગતા ખરડા કે પ્રેસ ને લગતા ખરડા ને હિન્દુ કોડની ઉપર વધારે મહત્વ કેમ આપવામાં આવે છે. એવું નથી કે અલીગઢ કે બનારસ યુનિવર્સિટી ચલાવવા માટે આપણી પાસે કોઇ કાનુની નિયમાવલી નથી. એવું પણ નથી જો આ બે યુનિવર્સિટી ને લગતા ખરડા પસાર કરવામાં ન આવે તો આ બંને યુનિવર્સિટી ખતમ થઇ જશે. પ્રેસને લગતો ખરડો પણ તાત્કાલિક રીતે પસાર કરવો જરુરી નથી. તેના માટે પણ આપણી પાસે કાયદો છે જ અને આ ખરડા માટે આપણે રાહ જોઇ શકાય તેમ છે. પ્રધાનમંત્રી મારી દષ્ટિએ નિષ્ઠાવાન હોવા છતાં આ હિન્દુ કોડને પસાર કરાવવા માટે તેમની પાસે કોઇ ઉત્સુકતા કે નિર્ણયશકિત નહોતા અથવા તો તેમની ઇચ્છા નહોતી.
આ ખરડાના સંદર્ભમાં મારી સાથે ભયંકર માનસિક અત્યાચાર કરવામાં આવ્યો. પક્ષ તરફથી આર્થિક સહાય આપવામાં આવી નહી. પ્રધાનમંત્રીએ દરેકને પોતાનો મત આપવાની સ્વતંત્રતા અપાવી જે આ પક્ષના ઇતિહાસમાં ક્યારેય ના બની ના હોય તેવી અસામાન્ય બાબત હતી. મને તેનો વાંધો નહોતો. પણ હુ બે વાતોનો આગ્રહ રાખતો હતો. એક જ્યારે આ ખરડા પર ચર્ચા કરવા માટે સમય આપવામાં આવ્યો ત્યારે હુ ઇચ્છતો હતો પણ પોતાના દરેક સભ્યોને વ્હીપ દ્રારા સુચના આપે કે આ ખરડાની ચર્ચા માટેની સમયમર્યાદાનુ ધ્યાન રાખે અને યોગ્ય સમયે તે ચર્ચાનું સમાપન થાય. જો આપણે સમયમર્યાદાનુ પાલન કર્યુ હોત તો કદાચ આ ખરડાને પસાર કરાવી શક્યા હોત. જ્યારે મત આપવાનો અધિકાર આપવામાં આવતો હોય ત્યારે સમયમર્યાદા માટે જરુરી આદેશ પણ અાપી શક્યા હોત. તેનો કોઇ વાંધો હોવો જોઇએ નહી. સંસદીય બાબતોના કાર્યમંત્રી જે આ ખરડાની બાબતમાં પક્ષના મુખ્ય દંડક હતા તેમનો વ્યવહાર ખુબ ઓછા શબ્દોમાં કહુ તો તેઓ આ ખરડા પ્રત્યે તદન અસામાન્ય હતા. તેઓ ખરડાના સખત વિરોધી હતા અને તેમણે મને કોઇ મદદ કરી નહી. ખરડા પરની ચર્ચા નો અંત લાવવા માટે તેમણે કશુ કર્યુ નહી. ખરડાના એક નિયમ વિશે ચર્ચા કરવા માટે ખરડાને દિવસો સુઘી, કલાકો સુધી રોકી રાખવામા આવ્યો. પરંતુ પાર્ટીના મુખ્ય દંડક તરીકે તેમની ફરજ હતી કે તેઓ સરકારના નકામા ખર્ચને બચાવીને સરકારના કાર્યો કરાવે. પણ આ બાબત તેમનામા ગેરહાજર હતી. જે દિવસથી આ હિન્દુ કોડને ગૃહ સમક્ષ રજુ કરવામાં આવ્યુ તે દિવસથી આવો એક પણ દાખલો મે જોયો નથી કે પાર્ટીના મુખ્ય દંડક આ રીતે પ્રધાનમંત્રીને વફાદાર ના હોય. અને તેની વિરુદ્ધ પ્રધાનમંત્રી આ ગદાર દંડક તરફ પુરી રીતે વફાદાર હોય. (Loyal to disloyal)
આવા સંજોગોમાં હુ અહીં રહી શકુ તે અશક્ય છે. "It is impossible to carry on in such circumstances." એક એવી વાત પણ કહેવામા આવી હતી કે વિરોધ પક્ષ મજબુત હોવાના કારણે આ ખરડો પડતો મુકવામા આવ્યો છે. વિપક્ષ કેટલો મજબુત છે? આ ખરડા વિશે જ્યારે પણ ચર્ચા થઇ ત્યારે આ ખરડાના વિરોધીઓમાં ભાગલા પડી જતા હતા. (Division-ભાગલા) દરેક સમયે વિરોધીઓને લાગ મળી જતો હતો. છેલ્લી વાર જ્યારે આ ખરડા વિશે પક્ષની મીટીગમા ચર્ચા રાખવામા આવી ત્યારે કુલ ૧૨૦ સભ્યોમાંથી માત્ર ૨૦ સભ્યો જ ખરડાની વિરુદ્ધ મા હતા. માત્ર સાડા ત્રણ કલાકમા જ આ ખરડાની ૩૩ કલમો પર સહમતી સાધી શકાઇ હતી. તેના પરથી કહી શકાય કે પક્ષની અંદર આ ખરડા પ્રત્યે કેટલો વિરોધ હતો. ગૃહની અંદર જ ખરડાની કલમ ૨.૩ અને ૫ ઉપર જ ભાગલા પડી ગયા હતા.
દરેક સમયે આ ખરડાની તરફેણમાં એક અદ્ભુત સમર્થન રહ્યું હતું અને તેમાંય ખાસ કરીને કલમ ૪ જે આ હિન્દુ કોડને આત્મા છે તેને પણ જબરદસ્ત સમર્થન પ્રાપ્ત હતું.
તેથી સમયના અભાવે આ ખરડાને છોડી દેવાના પ્રધાનમંત્રીના નિર્ણય સાથે હુ સહમત નહોતો.
કેટલાકે એવી વાત ઉડાવી કે હુ મારી બીમારીને કારણે રાજીનામું આપી રહ્યો છુ. પણ રાજીનામા માટે આટલો લાંબો ખુલાસો આપી શક્યો તે માટે તમામનો અહેસાનમંદ છુ તેથી બિમારીની વાતને હુ સ્વીકારતો નથી. હુ દુનિયાનો છેલ્લી વ્યકિત હોઇશ જે બિમારી ને કારણે પોતાની ફરજ ચુકી જતો હોય.
તેમ પણ કહેવામા આવ્યુ કે મારુ રાજીનામું કવેળાનુ છે. પણ જો હુ સરકારની વિદેશ નીતિ કે અનુસુચિત જાતિ અને પછાત વર્ગની વ્યકિતઓ સાથે જે વ્યવહાર થતો હતો તેના કારણે માત્ર મને અસંતોષ હોત તો મે ઘણા સમય પહેલા રાજીનામું આપી દીધું હોત. પણ મારી પાસે અહીં રહેવાના ઘણા કારણો હતા. કારણ કે મે મોટા ભાગના સમયમાં કેબિનેટના સભ્ય તરીકે કાર્ય કર્યુ. મારુ ધ્યાન ૨૬/૧/૧૯૫૦ સુધી બંધારણ ની રચનામાં હતું. અને ત્યાર બાદ જન પ્રતિનિધિત્વ અંગેના ખરડાની રચનામાં હુ વ્યસ્ત થઇ ગયો, જેમાં સીમાંકન અંગેના હુકમો પણ સામેલ હતા. મારી પાસે વિદેશ બાબતો માટે બિલકુલ સમય નહોતો. અને આ બધુ કામ અધુરુ છોડીને જવાનું યોગ્ય જણાતું નહોતુ.
બીજા વિચારમાં મને હિન્દુ કોડ માટે મને અહીં રહેવાનું મુનાસિબ લાગ્યું. કેટલાકના અભિપ્રાય પ્રમાણે માત્ર હિન્દુ કોડને કારણે જ હુ અહીં હતો તે પણ ખોટું છે. મારો મત જુદો છે. પણ આ દેશમાં કોઇ પણ ધારાસભા દ્રારા રજુ કરાયેલ કોઇ પણ પ્રકારના ખરડા કરતા આ હિન્દુ કોડ સામાજિક સુધાર માટેનો સૌથી મહત્વનો ખરડો હતો. તેના મહત્વ પ્રમાણે આવો કોઇ કાયદો આજ સુધી બની શક્યો અને ભવિષ્યમાં કદાચ આ પ્રકારનો કાયદો બનશે પણ નહી.
એક જ વર્ગ વચ્ચે કે એક જ જાતિ વચ્ચે અસમાનતા ના હિન્દુ પ્રજાના વિષય ને આજ સુધી કોઇએ છંછેડવાનો પ્રયાસ કર્યો નથી. આપણે આર્થિક બાબતોને લગતા કાયદા બનાવતા રહીયે છે તે બંધારણ ની મજાક છે અને રેતીના ઢગલા પર મહેલ બનાવવા બરાબર છે. ( To make farce of our constitution and to build a palace on a dung heap). આટલુ બધુ મહત્વ હુ હિન્દુ કોડને આપતો હતો. મારી સાથે મતભેદો હોવા છતા હિન્દુ કોડને લીધે હુ અહીં રહ્યો હતો. તેથી અહીં રહેવાથી મે કશુ ખોટું કર્યુ હોય તો કશુંક સારુ કરવાની આશામાં હુ રહી શક્યો હતો. વિરોધીઓની ખલેલ પાડવાની નીતિઓમાંથી કેમ બહાર નીકળવું તેની મારી પાસે કોઇ આશા નહોતી?  આ અનુસંધાનમાં ગૃહમાં પ્રધાનમંત્રીએ આપેલા માત્ર ત્રણ વિધાનોનો સંદર્ભ લેવા માંગુ છે.
(નોંધ: આ ત્રણ વિધાનો પ્રધાનમંત્રા દ્રારા કહેવાયેલા અત્યંત બોર કરે તેવા છે તેથી અહીં મુકીને તમને હુ બોર કરવા માંગતો નથી)
પણ આ બધી વાત પ્રધાનમંત્રીએ ખરડાને પડતો મુક્યા પછી કહી હતી. જો હુ તે વિચારતો ના હોઉં કે પ્રધાનમંત્રી ના વાયદા અને આચરણમાં બહુ મોટો તફાવત છે તો તેના માટે પ્રધાનમંત્રી પોતે જવાબદાર છે, હુ તેના માટે જવાબદાર નથી.
મારી વિદાય આ દેશ માટે ચિંતાનો વિષય નથી. પણ હુ મારી જાતને સત્ય સાથે રાખવા માંગુ છુ અને તે માત્ર રાજીનામું આપીને બહાર રહીને જ સત્ય સાથે રહી શકુ. પણ તેમ હુ કરુ તે પહેલા મારા દરેક સાથીઓનો હુ આભાર માનું છુ કે તેમણે મને કેબિનેટના સભ્ય તરીકે મારી સાથે માનપુર્વક વર્ત્યા. પણ હુ સંસદ સભ્ય તરીકે રાજીનામું આપતો નથી તેથી સંસદના તમામ સભ્યોનો મને શાંતિથી સાંભળવા બદલ હાર્દિક આભાર વ્યક્ત કરુ છુ.
બી આર આંબેડકર
તા ૧૦/૧૦/૧૯૫૧ નવી દિલ્હી

તે સમયે

પ્રધાનમંત્રી: જવાહરલાલ નહેરું
શિક્ષણ મંત્રી: મૌલાના અબ્દુલ કલામ આઝાદ જેમણે UGC ની સ્થાપના કરી.

વિશેષ નોંધ: આ અંતિમ હપતા સાથે બાબાની વેદના ઉપરની લેખમાળાનો અંત આવે છે. BBC પર આપેલ બાબા સાહેબના ઇન્ટરવ્યુ નો મે જ્યારે ભાવાનુવાદ કર્યો ત્યારે રોહિત સેના ગ્રુપના મિત્ર શ્રી અમીતભાઇ મહેરીયાએ મને બાબા નો સૌથી મોટો લેખ અંગ્રેજીમા મોકલીને ભાવાનુવાદ કરીને પોસ્ટ કરવાનું કહ્યું. એક સાથે પોસ્ટ કર્યુ હોત લાંબા લાંબા હિન્દી મેસેજની જેમ આ મેસેજને પણ કોઇ વાંચત નહી. તેથી હપતે હપતે વાચીને બાબાની વેદના તમે જાતે અનુભવી શકો તે માટે મે તે વેદનાને હપતાવાર લખી છે. આ તમામ મેસેજ વાંચીને જો દસ ટકા જેટલો ય તમારામા ફેરફાર આવશે તો મારા આ દસ રાતોના ઉજાગરા એળે નહી જાય. બાબાને માત્ર વાંચવાના નથી ભલે તમે ઓછું જાણો પણ જે જાણો તેને જીવનમાં ઉતારો.

"હુ દુનિયાની છેલ્લી વ્યકિત હોઇશ જે બિમારી ના કારણે પોતાની ફરજ ચુકી જાય છે." આ વાક્ય ઘણું શીખવે છે. હિન્દુ કોડ માત્ર અનુસુચિત જાતિના કે પછાત વર્ગના લોકો માટે નહોતો પણ તમામ વર્ગ માટે હતો તે વાત બીજા લોકો સમજી શક્યા નહી કે ઉપરની વ્યકિતઓએ આ વાત લોકો સુધી પહોંચવા દીધી નહી.

કોડ એટલે ઘણી બધા સુસંગત કાયદાને ભેગા કરી એક સામાન્ય કાયદો બનાવવો તેને કોડ કહેવાય છે.

ફરી કોઇ નવી વેદના કે નવા વિષય સાથે આપની સમક્ષ હાજર થઇશુ.

દિનેશ મકવાણા
9429255930


આગળ ના ભાગો વાંચોઃ-

કાનુન કે કાયદા મંત્રી ના પદેથી રાજીનામું આપતા બાબા સાહેબ ની વેદના. ભાગ- ૫

કાનુન કે કાયદા મંત્રી ના પદેથી રાજીનામું આપતા બાબા સાહેબ ની વેદના. ભાગ- ૫

By Dinesh Makwana


હવે મારા રાજીનામા સાથે સુસંગત એવી ચોથી બાબત વિશે ઉલ્લેખ કરવા માંગુ છુ. કેબિનેટ માત્ર જુદી જુદી કમિટિ દ્રારા લેવાયેલા નિર્ણયોની નોંધણી કાર્યાલય બની ગયુ છે. જે પ્રમાણે મે કહ્યું તેમ કેબિનેટ જેમ કમિટિ કહે તે પ્રમાણે કામ કરે છે. અાપણી પાસે સંરક્ષણ કમિટિ છે, આપણી પાસે વિદેશ નીતિને લગતી કમિટિ છે. સંરક્ષણની મહત્વની બાબતોનો નિર્ણય સંરક્ષણ કમિટિ દ્રારા જ લેવામાં આવે છે. આ કમિટિના સભ્યો પણ કેબનિટના જ સભ્યો જેવા છે. હુ આવી એક પણ કમિટિનો સભ્ય નથી. આ કમિટિઓ લોખંડી પડદા પાછળ કાર્ય કરે છે. જે લોકો આવી કમિટિના સભ્ય નથી તેમણે પણ નવી પોલિસિ બનાવવાના કાર્યમાં ભાગ લઇને સંયુક્ત જવાબદારી લેવી પડતી હતી. આ એક અશક્ય સ્થિતિ છે.
હવે હુ તમને એવી વાત કહેવા માંગુ છુ કે જેણે મને અંતત: આ રાજીનામું આપવાના આખરી નિર્ણય લેવામા પ્રેર્યો. તે હિન્દુ કોડ સાથે જે વર્તાવ કરવામાં આવ્યો તેને અનુલક્ષીને છે. આ ખરડો તારીખ ૧૧/૪/૧૯૪૭ ના રોજ ગૃહમાં રજુ કરવામાં આવ્યો. ચાર વર્ષના લાંબા અંતરાલ બાદ આ ખરડાના માત્ર ચાર નિયમો પસાર કરીને આ ખરડાને મારી નાખવામા આવ્યુ જેની પાછળ કોઇ વિષાદ ગીતો નહોતો, કોઇ શોક નહોતો. જ્યારે તે બીલ ગૃહની સમક્ષ હતું ત્યારે જે રીતે બંધબેસે અને બધાને યોગ્ય લાગે તે રીતે જીવતું રહ્યું. પુરા એક વર્ષ સુધી સરકારને આ બીલને વિશેષ સમિતિ પાસે મોકલવાની જરુરત લાગી નહી. ૯/૪/૧૯૪૮ ના રોજ વિશેષ સમિતિ સમક્ષ મોકલવામા આવ્યુ. તે વિશેષ સમિતિનો રિપોર્ટ આ ગૃહમાં ૧૨/૮/૧૯૪૮ ના રોજ રજુ કરવામાં આવ્યો. આ રિપોર્ટ અંગે જરુરી વિચાર વિમર્શ કરવા માટેની દરખાસ્ત મારા દ્રારા ૩૧/૮/૧૯૪૮ ના રોજ મુકવામા આવી.
આ માત્ર આ બિલને કાર્યસૂચિ મા મુકવાની દરખાસ્ત હતી. ૧૯૪૯ ના ફેબ્રુઆરી સુધી આ દરખાસ્ત પર ચર્ચા કરવાની પરવાનગી મળી નહી. અરે તેના પછી સત્ર ચાલુ રાખવાની પરવાનગી મળી નહી. તે દસ મહિના ઉપરાંત ના સમય દરમિયાન આ ચર્ચા કરવામાં આવી. તેમાં ૧૯૪૯ ના ૪ દિવસ, માર્ચમાં એક દિવસ અને એપ્રિલના બે દિવસ સામેલ છે. ત્યારબાદ ૧૯૪૯ ના ડિસેમ્બર મહિનામાં માત્ર એક દિવસ આ બીલને આપવામાં આવ્યો. અને ૧૯/૧૨/૧૯૪૯ ના રોજ વિશેષ સમિતિના આ ખરડા પરના અહેવાલ પર વિચાર વિમર્શ માટેની દરખાસ્ત ગૃહે સ્વીકારી. ૧૯૫૦ ના વર્ષ દરમિયાન એક પણ દિવસ આ ખરડા ઉપરની ચર્ચા માટે આપવામાં આવ્યો નહી. ત્યાર બાદ આ ખરડો ગૃહ સમક્ષ ૫/૨/૧૯૫૧ ના દિવસે આવ્યો ત્યારે તે ખરડાના દરેક નિયમો વિશે ચર્ચા કરવામાં આવી. ૫,૬,૭ ફેબ્રુઆરી માત્ર ત્રણ દિવસ જ આ ખરડાની ચર્ચા માટે આપવામાં આવ્યા ત્યાર બાદ આ ખરડાને તેના હાલ પર છોડી દેવામાં આવ્યુ.
વર્તમાન સંસદનું આ છેલ્લું સત્ર હોઇ કેબિનેટે તે નિર્ણય કરવો જરુરી હતો કે આ ખરડો આ સત્રના અંત સુધી પસાર કરી દેવો કે તેને નવી સંસદ માટે છોડી દેવો. વિનો વિરોધે કેબિનેટે નિર્ણય લીધો કે આ ખરડાને આ સંસદમાં જ રજુ કરવો અને તેથી ૧૭/૯/૧૯૫૧ ની કાર્યસૂચી મા ફરીથી આ ખરડાને સામેલ કરવામા આવ્યો અને તેના દરેક નિયમો પર વિચાર વિમર્શ કરવું.
ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રીએ એક નવી દરખાસ્ત મુકી કે હવે આપણી પાસે પર્યાપ્ત સમય નથી તેથી આખો ખરડો પાસ થઇ શકે નહી. તેથી આ ખરડાના અમુક ભાગને પસાર કરીને કાયદાનું સ્વરૂપ આપવું હિતાવહ છે. અને એમ જો ના કરી શકીયે તો આખો ખરડો નકામો બની જશે. આ મારા માટે વજ્રઘાત હતો. પરંતુ એક કહેવતના આધારે હુ સંમત થયો. બધુ ગુમાવવા કરતા કઇંક મળે તો બચાવી લેવું. પ્રધાનમંત્રીએ સુચન કર્યુ કે આપણે પ્રથમ લગ્ન અને છુટાછેડા વાળો ભાગ લઇએ. બે કે ત્રણ દિવસની ચર્ચા બાદ પ્રધાનમંત્રી એક નવી દરખાસ્ત લઇને આવ્યા...


નોંધ: આ નવી દરખાસ્ત શુ હતી, બાબા સાહેબની માનસિક સ્થિતિ શુ હતી. પ્રથમ કહ્યું હતું તેમ જ્યારે તમારો હેતુ સ્પષ્ટ હોય ત્યારે દુનિયાની કોઇ તાકાત તમને સત્ય બોલતા રોકી શકતી નથી. અત્યારના નમાલા મંત્રીઓ કે સંસદસભ્યો પોતાના પ્રધાનમંત્રીને આ રીતે કહી શકે? બાબા સાહેબ કહી શકતા હતા કારણ કે તેમાં તેમનો પોતાનો સ્વાર્થ નહોતો તો વાત આપણે અને આ દેશના તમામ નાગરિકો એ સમજવી પડશે. હિન્દુ કોડ વિશે ઘણી લાંબી ચર્ચા છે અને તેમાં બાબા સાહેબે વિવેક સાથે કડવા વેણ કહ્યા છે.


કાનુન કે કાયદા મંત્રી ના પદેથી રાજીનામું આપતા બાબા સાહેબ ની વેદના. ભાગ- ૪



રાજીનામું આપવાના કારણોમાં ત્રીજી બાબત આ દેશની વિદેશ નીતિ છે. જેના માટે મને માત્ર અસંતોષ નહી પણ ભારોભાર ચિંતા અને દુખ છે. કોઇ પણ વ્યકિત આપણી વિદેશ નીતિ ની સાથે સાથે અન્ય દેશોના વ્યવહારનો પણ અભ્યાસ કરશે તો તેને સમજાશે કે તે દેશોના આપણી સાથેના વ્યવહારમાં અણધાર્યો ફેરફાર આવ્યો છે. ૧૫/૮/૧૯૪૭ ના દિવસથી જ્યારે આપણે સ્વતંત્ર દેશ તરીકે જીવવાની શરુઆત કરી ત્યારે કોઇ પણ દેશ આપણને ગરીબ કે બિમાર ગણતો નહોતો. આજે ચાર વર્ષ બાદ દરેક મિત્રો આપણને રઝળતા મુકીને ચાલ્યા ગયા છે. આપણો કોઇ મિત્ર નથી.  આપણે આપણી જાતને બધાથી વિમુખ કરી નાંખી છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કરેલા આપણા ઠરાવો માટે આપણને કોઇ સાથ સહકાર મળતો નથી. હુ જ્યારે વિદેશ નીતિ વિશે વિચારું છુ  ત્યારે વિસમાક અને બર્નાડ શો નામની વ્યકિતઓએ શુ કહ્યું તે યાદ આવે છે. વિસમાકે કહ્યું હતું કે રાજનીતિ આદર્શ વ્યવસ્થા ઉભી કરવાની રમત નથી પણ રાજનીતિ જે શક્ય છે તેના માટે પ્રયાસ કરી શકાય તેની રમત છે. બર્નાડ શો એ થોડા સમય પહેલા કહેલું કે સારા આદર્શો હંમેશા સારા છે પણ કોઇએ તે ભુલવુ ના જોઇ કે દરેક સમયે સારા થઇને રહેવું તે ખતરનાક છે. વિશ્વ ની આ બે મહાન વિભુતીઓએ કહેલી વાતથી તદન વિરોધી આપણી વિદેશ નીતિ છે.
કેટલી ખતરનાક પોલિસી આ છે જેમાં આપણે બીજા માટે ઉદાહરણ રુપ બનવાના પ્રયાસમાં,  જેમાં લશ્કરના ખર્ચ વડે કે આપણા ભુખે મરતા લાખો લોકો માટે અનાજ મેળવવા માટે કરવા પડતા ખર્ચ વડે કે આપણ દેશમાં ઓધોગિક ક્રાંતિ શરુ થાય તેની સહાય મેળવવાના ખર્ચ વડે આપણા તમામ સંસાધનો સુકાઇ ગયા છે એટલે કે આપણી પાસે કશુ રહ્યું નથી.
દર વર્ષે આપણે ૩૫૦ કરોડ રુપિયાની આવક ઉભી કરીયે છે તેમાથી લગભગ ૧૮૦ કરોડ લશ્કર પાછળ વપરાય છે. આ વધુ પડતો ખર્ચ છે જેની સરખામણી કશાની સાથે થઇ શકે નહી. અને આ વધુ પડતો ખર્ચ એ આપણી વિદેશનીતિ નું પરિણામ છે.
આપણે આપણા સંરક્ષણ ખર્ચને વધારવું પડશે કારણ કે કટોકટીની પરિસ્થિતિ મા મદદ કરનારા આપણી પાસે કોઇ મિત્રો નથી જેની પર આપણે આધાર રાખી શકીયે. મને આશ્ચર્ય થાય છે શુ આ પ્રકારની નીતિ શુ આપણી વિદેશનીતિ નો ભાગ છે.
પાકિસ્તાન સાથેની લડાઇ આપણી વિદેશ નીતિનો ભાગ છે. જેના વિશે મને ખાસો અસંતોષ છે. પાકિસ્તાન સાથેના સંબંધો બગડવાના બે પરિબળો દેખાય છે. એક તો કાશ્મીર અને બીજું પુર્વ બંગાળમાં રહેલા આપણા લોકોની દશા. મને લાગે છે કે આપણે પુર્વ બંગાળની ચિંતા વધુ કરવી જોઇએ, જયા આપણા લોકોની સ્થિત કાશ્મીર કરતા પણ વધુ ખરાબ અને અસહ્ય છે. આ પ્રકારના સમાચારો રોજ અખબારોમાં આવે છે. તેમ છતા આપણે તમામ શક્તિ કાશ્મીર સમસ્યા પર લગાડી છે. અરે હુ તો એમ માનું છુ કે આપણે એક અવાસ્તવિક સમસ્યા માટે સંઘર્ષ કરી રહ્યા છે. એક એવી સમસ્યા જેના માટે આપણે સતત લડતા રહીયે છે તે નક્કી કરવા કે કોણ સાચું છે કે કોણ ખોટું છે. પરંતુ મારા મનમાં લાગે છે કે સમસ્યા તે નથી કે કોણ સાચું છે પણ સમસ્યા એ છે કે શુ સાચું છે.
આ બાબત પર હુ ભાર આપીને કહેવા માંગુ છુ કે મને કાશ્મીરના ટુકડા કરવામાં જ સમસ્યાનો ઉકેલ દેખાય છે. હિન્દુ અને બોધિષ્ટ ભાગ ભારતને આપી દેવામાં આવે અને મુસ્લિમ ભાગ પાકિસ્તાનને આપી દેવામાં આવે જેમ આપણે આપણા દેશના કિસ્સામાં કર્યુ હતું તેમ કરી શકાય. કાશ્મીરના મુસ્લિમ પ્રદેશની આપણે કોઇ ચિંતા કરતા નથી. તે બાબત પાકિસ્તાન અને કાશ્મીરના મુસ્લિમો વચ્ચેની છે. તેઓ જેમ ઇચ્છે તેમ તેનો ઉકેલ લાવી શકે અથવા તમને લાગતું હોય તો તેના ત્રણ ટુકડા કરી નાખો. યુધ્ધ વિરામ પ્રદેશ( Cease fire zone), ખીણ પ્રદેશ અને જમ્મુ લડાખ વિસ્તાર. પણ આ સંભવિત જનમત વિશે મને ડર છે જે આ પુરા વિસ્તારનો જનમત બની જાય. હિન્દુ અને બૌધિષ્ટોને તેમની ઇચ્છા વિરુદ્ધ પાકિસ્તાનમા ધકેલી દેવામાં આવશે અને આપણે પણ એવી સમસ્યાનો સામનો કરવો પડશે જે સમસ્યા નો સામનો આપણે પુર્વ બંગાળ કરી રહ્યા છે.

ક્રમશ:

નોંધ: મોટે ભાગે લોકોને એવું છે કે માત્ર હિન્દુ કોડ ના વિરોધમાં જ બાબા સાહેબે રાજીનામું આપ્યું હતું. પણ આ હપતા વાર લેખના આધારે સમજી શકાય છે કે માત્ર એક જ કારણ નહોતુ. વિદેશ નીચી, ખર્ચ, રાજનીતિ કેટલા વિષયો પર આ સાહેબનું બહોળું જ્ઞાન છે. અને તમે જ્યારે તમારા કાર્યમાં પ્રામાણિક હોય ત્યારે અને તો જ તમે નિર્ભય થઇને તમારી વાત રજુ કરી શકો. બાબા સાહેબના અંગ્રેજી વિધાનોમાં આ વાતને તમે સુંઘી શકો છો.

દિનેશ મકવાણા
૩૦/૬/૨૦૧૭ સવારે ૯.૦૦
અજમેર રાજસ્થાન

કાનુન કે કાયદા મંત્રી ના પદેથી રાજીનામું આપતા બાબા સાહેબ ની વેદના. ભાગ-૩


સરકારની અનુસુચિત જાતિના લોકો તરફ બેદરકારી જોઇને જે નિરાશા કે હતાશા મારી મનમાં ઉપજી છે તે હુ ભુલી શકતો નથી. અને એક પ્રસંગે અનુસુચિત જાતિના લોકોની જાહેરસભામાં મારી લાગણીઓને વ્યક્ત કરી હતી.
માનનીય ગૃહમંત્રી દ્રારા મને એક પ્રશ્ન કરવામાં આવ્યો કે અનુસુચિત જાતિના લોકોને ૧૨.૫ ટકા પ્રતિનિધિત્વ આપવાના નિયમથી કોઇ ફાયદો નથી થયો તે આરોપો સાચા છે? આ પ્રશ્નના જવાબમાં મંત્રીશ્રીએ કહ્યું કે આ આરોપો આધાર વિનાના છે. ગમે તે હોય પણ તેમના આત્માને તેમણે ઢંઢોળ્યો હશે અને તેથી સરકારના દરેક ખાતામા એક સરક્યુલર મોકલાવીને પુછાવ્યુ કે અનુસુચિત જાતિની કેટલી વ્યકિતઓને સરકારી નોકરી આપવામાં આવી છે? તે પ્રમાણે નો રિપોર્ટ તૈયાર કરીને મોકલવો. તે અંગે મને જાણ કરવામાં આવી. મને તેની પણ માહિતિ આપવામાં આવી કે દરેક ખાતાનો જવાબ શુન્ય હતો કે શૂન્યની નજીક હતો. અને જો આ માહિતિ સાચી હોય તો માનનીય ગૃહમંત્રીએ આપેલા જવાબ પર કોઇ ટિપ્પણી કરવાની જરુર નથી
જેમની વચ્ચે હુ જન્મ્યો છુ તે અનુસુચિત જાતિના લોકોનું ઉત્થાન કરવા હુ બાળપણથી સમર્પિત છુ. એવું નથી આ રસ્તે ચાલતી વખતે મને કોઇ લાલચ ના મળી હોય. જો મેં ફક્ત મારા વિશે જ વિચાર્યું હોય તો હુ જે ઇચ્છુ તે બની શક્યો હોત. અને જો હુ કોગ્રેસ નો સભ્ય બન્યો હોત તો તે સંસ્થાના ઉચ્ચતમ પદે પહોંચ્યો હોત. પરંતુ પહેલા કહ્યું તેમ મે મારી જાતને સંપુર્ણ રીતે અનુસુચિત જાતિના લોકોના ઉત્થાન માટે જ સમર્પિત કરી દીધી છે. હુ પેલી કહેવતને અનુસર્યો છુ કે જો તમે તમારા હેતુ કે લક્ષ્યને પુરુ કરવા માંગો છે તો તમારે મોટી આંકાશાઓ છોડવી પડશે તે તમારે માટે સારુ જ રહેશે.
તેથી તમે કલ્પના કરી શકો કે જ્યારે અનુસુચિત જાતિના લોકોને પ્રતિનિધિત્વના નામ પર કઇ નથી મળ્યું ત્યારે મને કેટલું દુખ થયુ હશે.

નોંધ: આજે કેટલાક મિત્રોને આ લેખ ટુંકો લાગ્યો હશે. પણ જે વેદના તેમના શબ્દોમાં આપણા માટે હતી તેને મહસુસ કરી શકો તેથી આ વેદના પુરતો જ આજનો લેખ મે સીમીત રાખ્યો છે. હજુ તેમણે ઘણી બધી વાત કહી છે પણ અહીંથી વિષય બદલાય છે તેથી તેના વિશે આવતી કાલે લખીશ. પણ આ સાહેબ કેમ મહાન છે. લોકો નાની નાની વાતમાં અત્યારે વેચાઇ જાય છે, અરે તેમના બિલકુલ નજીકના વ્યકિત વિશે વિચાર કરતા નથી ત્યારે આ સાહેબ આખા સમાજનું ભલું કરવા ભારત સરકારની સામે પડ્યા હતા. આ ધ્યેય તેમણે બાળપણથી જ રાખ્યું છે. તેમને કોઇ સંકોચ નથી તે સ્વીકાર કરવામાં કે તેઓ અનુસુચિત જાતિમા જ જનમ્યા છે. ગઇ કાલની વાત મુજબ મારે કોઇના વિશે કોઇ નકારાત્મક વાત કહેવી નથી કારણ કે આપ બધા સમજદાર છો. રાજીનામું આપતા સમયે જે વેદના હુ લખી રહ્યો છુ તે વેદનાને માત્ર સમજી લેશો તો બાબાને પુરા સમજી શકશો. કદાચ હુ પણ પહેલી વાર સમજી રહ્યો છુ

દિનેશ મકવાણા
૨૯/૬/૨૦૧૭ સવારે ૯.૦૦
વિજયનગર રાજસ્થાન

કાનુન કે કાયદા મંત્રી ના પદેથી રાજીનામું આપતા બાબા સાહેબ ની વેદના. ભાગ-૨

By Dinesh Makwana

હુ હવે એવી બાબતોનો ઉલ્લેખ કરવા માંગુ છુ જેના લીધે મારા સાથીઓ સાથેનુ જોડાણ તુટવા માટે મજબુર થયો.  જુદા જુદા કારણોને લઇને આ આવેગમાં છેલ્લા કેટલાય સમયથી વૃદ્ધિ થઇ રહી હતી.
સૌથી પહેલા હુ એવી બાબતોનો ઉલ્લેખ કરીશ જે તમારા અંગત ચારિત્ર્ય સાથે વણાયેલી હોય અને એવી ભુમિકા જેના લીધે હુ રાજીનામું આપવા પ્રેરાયો છુ. વાઇસરોય કારોબારી સમિતિના સભ્ય હોવાના કારણે હુ જાણતો હતો કે કાનુન મંત્રાલય વહીવટી દષ્ટિએ કોઇ મહત્વનું મંત્રાલય નથી. તે ભારત સરકારની કોઇ યોજના ને આકાર આપવા માટે કોઇ તક આપતું નથી. આપણે તેને ખાલી સાબુનું બોકસ કહીયે છે જેનો ઉપયોગ અનુભવી વકીલો કરી શકે.
જ્યારે વડાપ્રધાને મારી સમક્ષ પ્રસ્તાવ મુક્યો ત્યારે મારા શિક્ષણ અને અનુભવને કારણે હુ વકીલ હોવાથી આ ખાતું ચલાવી શકવા સક્ષમ હતો. અને જુની વાઇસરોયની કારોબારી સમિતિમાં મારી પાસે બે વહીવટી ખાતા હતા. તેમાં એક શ્રમ અને બીજું જાહેર બાંધકામ વિભાગ જેમાં મોટા પ્રોજ્કટ ના આયોજન માટેની ફાળવણી મારા હાથે થઇ અને તેમ છતા બીજા વહીવટી ખાતા સંભાળવાની ઇચ્છા રાખતો હતો. પ્રધાનમંત્રી તે અંગે સંમત થયા અને નવા બનાવવામા આવી રહેલા આયોજન વિભાગને તેઓ મારા કાનુન વિભાગની સાથે સાથે સંભાળવાનું કહેશે. કમનસીબે આયોજન વિભાગ બહુ મોડો ઉભો કરવામાં આવ્યો અને જ્યારે તે તૈયાર થઇને આવ્યો ત્યારે હુ કેબિનેટમાંથી બહાર નીકળી ગયો હતો.  મારા કાર્યકાળ દરમિયાન કેટલાય મંત્રીઓના વિભાગ બદલાયા, હુ પણ વિચારતો હતો કે મારો વિભાગ પણ બદલાશે. કેટલાય મંત્રીઓને બે કે ત્રણ વિભાગો આપવામાં હતા અને તે રીતે તેઓ કામના બોજા હેઠળ દબાયેલા હતા અને તેમાં મારા જેવા પણ હતા જે વધુને વધુ કામ ઇચ્છતા હતા. જ્યારે મંત્રી વિદેશ પ્રવાસે હોય ત્યારે થોડા સમય માટે ચાર્જ આપવા માટે પણ મારો વિચાર કરવામાં આવ્યો નહી.
તે સમજવું મુશ્કેલ હતું કે મંત્રીઓને જુદા જુદા ખાતા ફાળવવા પાછળ પ્રધાનની કયા સિધ્ધાંતોનુ પાલન કરી રહ્યા હતા. શુ મંત્રીઓની ક્ષમતા જોવામાં આવે છે? તેમની પર વિશ્વાસ છે કે તેઓ મિત્ર છે? કે પછી તેઓ ચાંપલુશો છે? જેમ વિદેશ બાબતોની કે સંરક્ષણ બાબતોની કમિટિ હોય તેવી કેબિનેટ ની મુખ્ય કમિટિના સભ્ય તરીકે પણ મારી નિમણૂક થઇ નહોતી. જ્યારે આર્થિક બાબતોની કમિટિની રચના થઇ ત્યારે અર્થશાસ્ત્ર અને નાંણાના વિધ્યાર્થી હોવાના નાતે મને આશા હતી કે તે કમિટિમાં મને નિમણૂક આપવામાં આવશે પણ મને બહાર રાખવામા આવ્યો. મને કેબિનેટમા નિમણૂક મળી જ્યારે પ્રધાનમંત્રી ઇંગ્લેંડના પ્રવાસે હતા. પણ જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે તેમનુ ધ્યેય દરેક કમિટીઓની પુનર્રચના મા હતું. અને તેમણે મને બહાર રાખ્યો. ત્યાર બાદ મારો વિરોધ જોતા પુનર્રચના પામેલ કમિટિમા મારુ સ્થાન રાખવામા આવ્યું.
હુ ખાતરી આપું છુ કે પ્રધાનમંત્રી એ બાબતે જરુર સંમત થશે કે આ સંદર્ભમાં મે ક્યારેય કઇ ફરિયાદ કરી નથી. જુદા જુદા ખાતાઓમાં જ્યારે જગ્યા ખાલી પડે ત્યારે તે ખાતું મેળવવા કેબિનેટ ની અંદર જે ગંદી રમતો રમાતી હતી તેનો હિસ્સો હુ ક્યારેય બન્યો નહોતો. હુ માત્ર સેવામાં માનુ છુ. અને કેબિનેટના વડા તરીકે પ્રધાનમંત્રીએ જે પદ માટે મને યોગ્ય ગણ્યો હોય તે પદને અનુલક્ષીને મારે જે સેવા કરવી જોઇએ તે મારે કરવી જોઇએ તેમ હુ માનતો હતો. છતાય મારી સાથે શુ ખોટું થઇ રહ્યુ છે તે સમજવા હુ અમાનવીય થઇ શક્યો નહોતો.
હવે હુ એવી બાબતોનો ઉલ્લેખ કરીશ જેના લીધે મને સરકાર પ્રત્યે અસંતોષ જાગ્યો. તે પછાત વર્ગ અને અનુસુચિત જાતિના લોકો સાથે જે વ્યવહાર થાય છે તેને અનુલક્ષીને છે. હુ દિલગીર છુ બંધારણમાં આ પછાત વર્ગ માટે કોઇ સંરક્ષણ ની વ્યવસ્થા નથી. અને તે કાર્ય રાષ્ટ્રપતિ દ્રારા નિમણૂક પામેલ પંચની ભલામણો અનુસાર કાર્યપાલક સરકારે કરવાનું હતું. અને બંધારણને પસાર કર્યાને એક વર્ષ થયુ હોવા છતા સરકારે આ બાબતમાં કોઇ પંચની રચના કરવાનું વિચાર્યું પણ નથી. ૧૯૪૬ ના વર્ષ દરમિયાન જ્યારે મારા હોદા પર નહોતો, તે વર્ષ મારા માટે અને અનુસુચિત જાતિના આગળ પડતા લોકો માટે ચિંતાજનક વર્ષ હતું. બ્રિટિશ લોકો તેમણે કરેલા વાયદામાંથી છટકી ગયા હતા જે તેમણે અનુસુચિત જાતિ માટે બંધારણીય વ્યવસ્થા માટે કર્યા હતા. અને અનુસુચિત જાતિના લોકોને તે પણ ખબર નહોતી કે બંધારણ સભા તેમના માટે આ બાબતમાં શુ કરવાની હતી. આ ચિંતાને લઇને અનુસુચિત જાતિના લોકોની સ્થિતિ વિશે એક રિપોર્ટ બનાવીને મે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં મોકલવાનો વિચાર કર્યો હતો, પણ મે તે મોકલ્યો નહી. કારણ કે મને લાગ્યું કે બંધારણ સભા અને ભવિષ્ય ની ભારત સરકાર આ બાબતમાં શુ કરે છે ત્યાં સુધી રાહ જોવી. બંધારણમાં અનુસુચિત જાતિના લોકો માટે જે વ્યવસ્થા કરવામાં આવી હતી તેનાથી હુ સંતુષ્ઠ નહોતો.
તેમ છતા મે બંધારણ ને સ્વીકારી લીધું. તે આશામાં કે સરકાર તેને અસરકાર બનાવવાની દિશામાં યોગ્ય પગલા લેવા પ્રતિબદ્ધ થશે. આજે અનુસુચિત જાતિનો લોકો કેવા છે, તેમની સ્થિતિ શુ છે? પણ મને લાગે છે તેમની સ્થિતિ પહેલાના જેવી જ છે. તે જુના જુલમો, અત્યાચારો, પહેલાથી ચાલી આવતો ભેદભાવ હજુ પણ ચાલી રહ્યો છે. અને તે પણ બહુ ખરાબ રીતે ચાલી રહ્યો છે. મારી પાસે એવા કેટલાય કેસો છે જેમાં દિલ્હી અને તેની આસપાસ રહેતા અનુસુચિત જાતિના લોકો મારી પાસે તેમની દર્દનાક કથા લઇને આવ્યા હતા કે હિન્દુઓ તેમની સાથે કેવો વ્યવહાર કરે છે. અને પોલિસે તેમની ઁફરિયાદ લેવાની અને મદદ કરવાની ના પાડી દીધી હતી. મને એ આશ્ચર્ય થાય છે દુનિયામાં જે વ્યવહાર ભારતમાં અનુસુચિત જાતિના લોકો સાથે તે વ્યવહાર બીજે ક્યાંય થાય છે. આવી સ્થિતિ બીજે ક્યાંય છે?
હુ શોધી શક્યો નથી. અને તેમ છતા કેમ કોઇ રાહત પુરી પાડવામા આવતી નથી? સરકાર આ લોકો કરતા મુસ્લિમોની ચિંતા વધુ કરે છે. પ્રધાનમંત્રીનો મોટા ભાગનો સમય અને તેમનુ ધ્યાન ફક્ત મુસ્લિમોના રક્ષણ માટે વપરાય છે. હુ માનું છુ કે ભારતના મુસ્લિમો જ્યારે પણ જયા જરુર હોય ત્યાં તેમને રક્ષણ આપવું તે મારી ઇચ્છા હતી. પણ હુ જાણવા માંગુ છુ કે માત્ર મુસ્લિમોને જ રક્ષણની જરુર છે? શુ અનુસુચિત જાતિ કે જનજાતિ કે ખ્રિસ્તીઓને રક્ષણની જરુર નથી? જયા સુધી હુ જાણું છુ આ લોકોની ચિંતા આજસુઘી કોઇએ કરી નથી. હકીકત એ છે કે તેમને મુસ્લિમ કરતા વધુ દરકાર અને ધ્યાનની જરુર હતી.

આટલું લખતા મારી આંખોમાંથી આંસુ ટપકી પડે છે. કેમ આ માણસ મહાન છે. હુ ચોક્કસ પણે માનું છુ આવનારી પેઢીના દરેક બાબાને ભગવાન જ માનશે. આ વ્યક્તિને કેટલી ચિંતા હતી. આપણે સો જન્મ બાદ પણ બાબા શુ તેમના દસમા ભાગનો અંશ બની ના શકીયે.


દિનેશ મકવાણા
વડોદરા
તારીખ ૨૬/૬/૨૦૧૭ સવારે ૭.૧૦

કાનુન કે કાયદા મંત્રી ના પદેથી રાજીનામું આપતા બાબા સાહેબ ની વેદના. ભાગ-૧

By Dinesh Makwana



આ મને ખાતરી છે કે આ ગૃહને પણ અઘિકારીક કે બિનઅધિકારીક રીતે જાણ હશે કે હવે હુ કેબિનેટનો સભ્ય રહ્યો નથી. મે મારુ રાજીનામું તારીખ ૨૭/૯ ના ગુરુવારના રોજ પ્રધાનમંત્રીને મોકલી આપ્યું છે. અને તેમને કહ્યું છે તેઓ વેળાસર આ કાર્યમાંથી મુક્ત કરી દે. પ્રધાનમંત્રી એટલા સારા હતા કે તેમણે બીજા જ દિવસે મારુ રાજીનામું સ્વીકારી લીધું. જો હુ ૨૮/૯ શુક્રવાર સુધી મંત્રી પદે ચાલુ રહ્યો હોય તો તેનું એક જ કારણ હતું કે પ્રધાનમંત્રીએ મને વિનંતી કરી હતી કે તમે આ સત્રના અંત સુધી રોકાઇ જાઓ. એક એવી વિનંતી જે બંધારણીય નિયમોના પાલન માટે હુ તેને સ્વીકારવા બંધાયેલો હતો.

આપણી પધ્ધતિના નિયમો મુજબ દરેક મંત્રીને પરવાનગી મળે છે તેમણે રાજીનામાની બાબતમાં અંગત નિવેદન આપીને દરેકને માહિતગાર કરવા જોઇએ. કેટલાય મંત્રીઓએ મારા કાર્યકાળ દરમિયાન રાજીનામા આપ્યા, અલબત દરેક રાજીનામું આપનાર મંત્રીએ નિવેદન આપવું તેવી કોઇ પ્રણાલિ નથી તેથી કેટલાક મંત્રીઓ નિવેદન આપીને ગયા, કેટલાકે કોઇ નિવેદન કર્યુ નહી. પરંતુ દરેક પ્રકારના સંજોગો જોતા હુ એવા નિષ્કર્ષ પર આવ્યો છુ કે રાજીનામું આપનાર મંત્રી ખુલાસો કરે અથવા નિવેદન આપે તે માત્ર જરુરી નથી, પણ તેની ફરજ પણ હોવી જોઇએ, છેવટે આ ગૃહ તે રાજીનામું આપનાર સભ્યનું જ છે.

ગૃહને કશી જાણ હોતી નથી કે કેબિનેટ કેવી રીતે કાર્ય કરે છે. સભ્યોની વચ્ચે ભાઇચારાની ભાવના હોય છે કે તેમના વચ્ચે સતત સંઘર્ષ ચાલતો હોય તેના વિશે કશી ખબર હોતી નથી.અને તેથી આવા એક સાદા કારણને લીધે એક એવા સભ્ય જે અલ્પસંખ્યકમા હોય તેને પોતાના મતભેદો વિશે માહિતિ આપવાનો અધિકાર નથી, પરંતુ આ સંયુક્ત જવાબદારી છે. તેને પરિણામે આ ગૃહ સતત વિચારતું રહ્યું કે દરેક સભ્યોની વચ્ચે સંઘર્ષ નહોતો પણ હકીકત તે હતી કે કેબિનેટ સભ્યોની વચ્ચે મતમતાંતર રહ્યા હતા.  તેથી વિદાય લઇ રહેલી મંત્રીની ફરજ છે કે તેમણે એક નિવેદન દ્રારા ગૃહને માહિતગાર કરવું જોઇએ કે તે કેમ રાજીનામું આપવા માંગે છે અને બીજી સંયુક્ત જવાબદારી લેવા કેમ ચાલુ રહી શકે તેમ નથી.

બીજું મંત્રી જો નિવેદન કે ખુલાસો આપ્યા વિના જશે તો પ્રજા તેમ વિચારશે કે મંત્રીના આચરણમાં કઇંક ખોટું છે કે મંત્રીના આચરણ વિશે શંકા છે.

જાહેરજીવન મા કે ખાનગી ધોરણે મને લાગ્યું કે કોઇ પણ મંત્રીએ શંકા પેદા થાય તેવા સંજોગો ઉભા કરવા જોઇએ નહી. મારી દષ્ટિએ સૌથી સલામત રસ્તો એ છે કે તેણે નિવેદન આપીને જવુ જોઇએ.

ત્રીજુ આપણા જે અખબારો છે તેઓ તેમની આદત પ્રમાણે તેઓ કોઇના સમર્થક છે તો કોઇના વિરોધી. તેમનુ આકલન ભાગ્યેજ કોઇ ગુણ કે અવગુણના આધારે કરવામાં આવ્યુ હોય છે. જ્યારે તેમને જગ્યા મળશે ત્યારે તે જગ્યા રાજીનામા માટેના એવા કારણોથી ભરી દેશે જે કારણો વાસ્તવમાં સાચા હોતા નથી. તે રીતે તેઓ તેમને જેઓ પસંદ છે તેમને લોકોની નજરમાં સહેલાઈથી લાવતા હોય છે. આવુ મારી સાથે કેટલીય વાર થયુ છે તે હુ સહેલાઇ થી જોઇ શકુ છુ. તે જ કારણોને લઇને  મે નિર્ણય કર્યો કે હુ રાજીનામું આપતા પહેલા એક નિવેદન આપતો જાઉં.

આજે તે વાતને ચાર વર્ષ, એક મહિનો અને છવ્વીસ દિવસ થયા જ્યારે પ્રધાનમંત્રીએ મને કેબિનેટ મા કાયદામંત્રી તરીકેનું પદ સ્વીકારવાનું કહ્યું. આ તક મારા માટે આશ્ચર્યજનક હતી. કારણ કે હુ વિરોધી છાવણીનો હતો અને ઓગસ્ટ ૧૯૪૬ મા જ્યારે અંતરિમ સરકારની રચના થઇ ત્યારે મારી નકામા સંગઠનો બનાવવા માટે ઝાટકણી કાઢવામાં આવી હતી. તેથી હુ જેવા માંગતો હતો કે પ્રધાનમંત્રીના વલણમાં ફેરફાર કેમ આવ્યો. તેના વિશે મારી પાસે કેટલીક શંકાઓ હતી. જેઓ મારા મિત્રો ક્યારેય બન્યા નહોતા તેમની સાથે હુ કેવી રીતે કાર્ય કરી શકીશ. મને એ પણ શંકા હતી કે ભારત સરકારના કાનુન મંત્રી તરીકે જેમણે કાર્ય કર્યુ છે તેમણે તેમના હોદ્દાને અનુરુપ જ્ઞાન વડે તે પદને શોભાવ્યુ છે, તેવી રીતે હુ શોભાવી શકીશ કે નહી તેના વિશે મને શંકાઓ હતી. પરંતુ તમામ શંકાઓને છોડીને દેશના નિર્માણ મા મારો પણ સહયોગ હોવો જોઇએ તેમ વિચારીને મે પ્રધાનમંત્રીનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. એક કેબિનેટ ના સભ્ય તરીકે અને કાનુન મંત્રી તરીકે મે કેવું કાર્ય કર્યુ છે તે નક્કી કરવાનું હુ બીજા ઉપર છોડી દઉં છુ.

- દિનેશ મકવાણા
વડોદરા તા ૨૧/૬/૨૦૧૭ સવારે ૭.૦૦