November 21, 2018

વધુ એક બ્રાહ્મણ વડાપ્રધાન મોરારજી દેસાઈ અને બિનસવર્ણ વર્ગ

By Kiritkumar Pravasi ||  Written on 18 Nov 2018


કનૈયાકુમાર નામના બિહારી બ્રાહ્મણથી પ્રભાવિત લોકોએ આ પોસ્ટ ખાસ વાંચવી. આવા જ એક બિહારી બ્રાહ્મણ હતા જયપ્રકાશ નારાયણ. જયપ્રકાશ નારાયણે 15 જૂન 1975ના રોજ પટનાના ગાંધી મેદાનમાં વિદ્યાર્થીઓના વિશાળ સમૂહ સામે "સંપૂર્ણ ક્રાંતિ"ની જરૂર છે એવી ઘોષણા કરી.અત્યારે કનૈયો ક્રાંતિ કરી નાખશે એવું ઘણાને લાગે છે તેમ આ બીજા ગાંધી જયપ્રકાશ પણ ક્રાંતિ લાવી દેશે એમ લોકોને લાગેલું ! ત્યાર બાદ ઈન્દીરાની સરકારે કટોકટી લાદી, કટોકટી બાદ જનતા પક્ષને બહુમતી મળી. તે સમયે શૂદ્ર જાટ જાતિના ચૌધરી ચરણસિંહ અને અનુસૂચિત જાતિના બાબુ જગજીવન રામ વડાપ્રધાન બનવા માટેની રેસમાં હતા, પણ પ્રથમ ગાંધીની જેમ જ આ બીજા ગાંધી જયપ્રકાશ નારાયણે વડાપ્રધાન બનાવવા માટે પોતાની પસંદગી બ્રાહ્મણ જાતિના ગુજરાતના મોરારજી દેસાઈ ઉપર ઉતારી મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા, ત્યારે તેમની ઉંમર 81 વર્ષની હતી. 24 માર્ચ 1977ના રોજ મોરારજીભાઈ વડાપ્રધાન બન્યા અને 28 જુલાઈ 1979 સુધી વડાપ્રધાન રહયા ગાંધીવાદી અને પૂર્વ કોંગ્રેસી એવા મોરારજી દેસાઈ પણ ઈન્દિરાના માર્ગે જ ચાલ્યા અને 9 રાજ્યોમાં કોંગ્રેસી સરકારો હતી તેને બરખાસ્ત કરી નવેસરથી ચૂંટણી કરાવી, જે તેમનું લોકશાહી વિરોધી વલણ હતું તેમને એક એ રીતે પણ યાદ રાખી શકાય છે કે તેમણે પણ મોદીની જેમ નોટબંદી કરાવી હતી.100 રૂપિયાથી વધુ કિંમતની નોટો તેમણે રદ કરી નાખી નાખી હતી. જનતાપક્ષમાં જનસંઘ (હાલનું ભાજપ ) સામેલ હતો તો સાથે સાથે પછાત વર્ગના નેતાઓ પણ તેમાં મોટા પ્રમાણમાં હતા.જનતાપક્ષે ચૂંટણી ઢંઢેરામાં ઓબીસી માટે કાલેલકર આયોગ લાગુ કરવાનું વચન આપ્યું હતું જનતાપક્ષમાં રહેલા પછાત વર્ગના નેતાઓ મોરારજીભાઈ ઉપર કાલેલકર આયોગ લાગુ કરવા માટે દબાણ કરવા લાગ્યા જ્યારે ખૂબ જ પ્રેશર વધી ગયું ત્યારે મોરારજીભાઈએ વાત ટાળવા માટે કહ્યું કે કાલેલકરનો રિપોર્ટ ખૂબ જૂનો થઇ ગયો છે માટે નવું આયોગ બનાવીએ. 20 ડિસેમ્બર 1978ના રોજ મંડલ આયોગ બનાવવામાં આવ્યું મંડલ આયોગે પોતાનો રિપોર્ટ 12 ડિસેમ્બર 1980ના રોજ કેન્દ્ર સરકારને સોંપ્યો ત્યારે મોરારજી સરકાર વિદાય લઇ ચૂકી હતી અને ઈન્દીરાની સરકાર સત્તામાં આવી ચૂકી હતી.
આમ, મોરારજી દેસાઈની સરકારે ઓબીસીને કોઈ જ વાસ્તવિક લાભ થાય એવું કોઈ પગલું ભર્યું નહિ. અનુસૂચિત જાતિ/જનજાતિની કેન્દ્ર સરકારની નોકરીઓમાં રહેલી જગ્યાઓ ભરાય તે માટે પણ કોઈ કાળજી લીધી નહિ.દલિત ખ્રિસ્તી અને દલિત મુસ્લિમને માન્યતા માટેનો પ્રશ્ન તેમની સરકારમાં પણ ઉકલી શક્યો નહિ.અગાઉના બ્રાહ્મણવાદી વડાપ્રધાનોની જેમ જ આ બ્રાહ્મણ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈએ શાસન કર્યું અને તેઓ પણ બહુમતિ બિનસવર્ણ વર્ગના હિતોની વિરુદ્ધમાં હતા.

Read this too : 


Facebook Post : 

મિ.ક્લીન રાજીવ ગાંધી અને બિનસવર્ણ સમાજ

By Kiritkumar Pravasi ||  Written on 18 Nov 2018


પંજાબમાં અકાલીદળના વર્ચસ્વને ખતમ કરવા માટે ઇન્દિરા ગાંધીએ ભીંડરાનવાલેને પ્રોત્સાહન આપેલું ભીંડરાનવાલે અલગાવવાદી નેતા હતા.પંજાબમાં ઇન્દિરાએ પોતે જ આતંકવાદના છોડને પાણી પાયેલું એ છોડ વૃક્ષ બનીને છેવટે ઇન્દિરાને ખતમ કરતો ગયો. 31 ઓક્ટોબર 1984ના રોજ ઇન્દિરા ગાંધીના બે શીખ બોડીગાર્ડ્સએ ગોળીઓ ચલાવીને ઇન્દિરા ગાંધીની હત્યા કરી નાખી.
એ સમયે રાજીવ ગાંધી પાયલટની નોકરી કરતા હતા. એ સમયે પ્રણવ મુખર્જી અને અન્ય અમુક નેતાઓને વડાપ્રધાન થવું હતું પણ રાજીવ ગાંધીએ વગર અનુભવે વડાપ્રધાન થવા માટે હા પાડી અને છેવટે રાજીવ ગાંધી પાયલટમાંથી સીધા પ્રાઈમ મિનિસ્ટર બની ગયા ! 31 ઓક્ટોબર 1984ના રોજ રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા. ઈન્દીરાની હત્યા બાદ દિલ્હીમાં કોંગ્રેસીઓએ લઘુમતી ધર્મ ગણાતા શીખ ધર્મના અનુયાયીઓ પર કાળો કેર વર્તાવી મૂક્યો લગભગ 5000 જેટલા શીખ સ્ત્રી-પુરુષો-માસૂમ ભૂલકાંઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા અનેક શીખોને જાહેર રસ્તા પર જ જીવતા સળગાવવાની ઘટનાઓને પણ અંજામ આપવામાં આવ્યો, શીખ હત્યાકાંડમાં કોંગ્રેસી નેતા અને રાજીવ ગાંધીના પ્રીતિપાત્ર એચ.કે.એલ.ભગત અને જગદીશ ટાઇટલરના નામ ઉછળ્યા તેમના પર કેસ પણ થયા પણ સજા ક્યારેય ભોગવી નહિ ! એ સમયે વડાપ્રધાન રાજીવ ગાંધીએ એવું નિવેદન આપેલું કે "મોટું ઝાડ પડે ત્યારે આસપાસના છોડવાઓ નાશ પામતા હોય છે." આવું કહીને તેઓ શીખ હત્યાકાંડને વાજબી ઠેરવી રહ્યા હતા ! યુટ્યુબ પર સર્ચ કરો, આ વિડીયો મળશે. મીડિયા આવા વડાપ્રધાનને મિ.ક્લીન કહીને લોકોને ઉલ્લુ બનાવી રહ્યું હતું. 
રાજીવ ગાંધીના કાર્યકાળમાં ભોપાલ ગેસ કાંડ થયો.એ સમયે મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસ પક્ષની જ સરકાર હતી.2-3 ડિસેમ્બર 1984ના રોજ ભોપાલમાં યુનિયન કાર્બાઈડ નામની વિદેશી કંપનીના કારખાનામાંથી ઝેરી ગેસનું ગળતર થયું અને વાતાવરણમાં ઝેરી ગેસ ફેલાયો. લગભગ 16000 જેટલા લોકો જેમાં સ્ત્રીઓ અને માસૂમ બાળકો પણ સામેલ હતા તે મૃત્યુ પામ્યા. 6 લાખ જેટલા લોકોને આની અસર થઇ.કેટલાય આંધળા બની ગયા તો કેટલાય શારીરિક અપંગ બન્યા ! આ કંપનીના ચેરમેન વોરેન એન્ડરસનની 7 ડિસેમ્બર 1984ના રોજ ધરપકડ થઇ અને માત્ર 6 કલાકમાં જ 2100 ડોલરનો દંડ કરીને તેને આઝાદ કરી દીધો એટલે તે દેશ છોડી જતો રહ્યો. એમ કહી શકાય કે કોંગ્રેસી મુખ્યમંત્રી અર્જુનસિંહ અને વડાપ્રધાન રાજીવ ગાંધીએ તેને ભગાડી દીધો !
અયોધ્યામાં રામ મંદિરનું વર્ષોથી બંધ તાળું ખોલીને પૂજા કરવાની છૂટ પણ રાજીવ ગાંધીના સમયમાં જ મળી હતી.આગળ જતા અત્યારે આ પ્રશ્ને વિકરાળ રૂપ લીધું છે જેનો ફાયદો ભાજપને મળી રહ્યો છે.
રાજીવ ગાંધી પણ પોતાની માતા ઇન્દિરા અને નાના જવાહરલાલની જેમ જ બહુમતી બિનસવર્ણ પ્રજાના બંધારણીય હકોની વિરુદ્ધમાં હતા. રાજીવે પણ કેન્દ્ર સરકારની નોકરીઓમાં 54% ઓબીસી વસ્તીને લાભ આપતું કાલેલકર આયોગ કે મોરારજી દેસાઈના કાર્યકાળમાં રચાયેલું મંડલ પંચ લાગુ કર્યું નહિ.દલિત મુસ્લિમ અને દલિત ખ્રિસ્તીઓને અનામતની જોગવાઈ તેઓએ કરાવી નહિ.
રાજીવ ગાંધીની અણઘડ વિદેશનીતિને કારણે જ તેમનું મોત થયું. શ્રીલંકામાં તમિલ આતંકવાદ એ સમયે ચરમસીમાએ પહોંચ્યો હતો.તામિલનાડુની જનતાની તેમના પ્રત્યે સહાનુભૂતિ હતી. રાજીવ ગાંધીએ શાંતિ સેનાના નામે ભારતીય લશ્કર શ્રીલંકામાં મોકલીને મૂળ ભારતીય પણ શ્રીલંકામાં વસેલા તમિલોનો સફાયો કર્યો એટલે તમિલ પ્રજાનો રોષ રાજીવ ગાંધી અને કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ ફાટી નીકળ્યો. તામિલનાડુમાં રાજીવ અને કોંગ્રેસ અપ્રિય થઇ ગયા તો શ્રીલંકાના તામિલોમાં પણ તેમની છાપ વિલન તરિકેની ઉભી થઇ.
તેમના સમયગાળા દરમિયાન બોફોર્સ તોપો ખરીદાઈ તેમાં વચેટીયો સોનિયા ગાંધીનો મિત્ર ઇટાલિયન ક્વોટ્રોચી હતો.તેમાં ભારે કમિશન ખાવામાં આવ્યું છે તેવો આરોપ રાજીવ,ક્વોટ્રોચી અને અમિતાભ બચ્ચનના ભાઈ અજિતાભ પર મીડિયા અને વિપક્ષે મૂક્યો હતો.ક્વોટ્રોચીને ભગાડવામાં પણ રાજીવ ગાંધીએ મદદ કરી એવો આરોપ પણ ચર્ચાયો હતો.રાજીવ ગાંધીની મિ.ક્લીનની છબી ખરડાઈ હતી.પ્રજામાંથી નારો ઉઠ્યો હતો કે," ગલી ગલી મેં શોર હૈ,રાજીવ ગાંધી ચોર હૈ"
1989ની ચૂંટણીમાં રાજીવ ગાંધીના પક્ષ કોંગ્રસની હાર થઇ અને મીડિયાએ જેમને "સુપર ક્લીન" કહ્યા એવા વી.પી.સિંહ વડાપ્રધાન થયા પણ તેમની સરકાર ટકી શકી નહિ અને 1991માં ફરીથી ચૂંટણી આવી.રાજીવ ગાંધી પ્રચાર કરવા માટે તામિલનાડુ ગયા ત્યાં શ્રી પેરંબદૂરમાં 21 મે 1991ના રોજ ચૂંટણી પ્રચાર સભાના સ્ટેજ ઉપર જ માનવ બૉમ્બ બનીને આવેલી આતંકી તમિલ મહિલાએ બૉમ્બ વિસ્ફોટ કરતા રાજીવ ગાંધી મૃત્યુ પામ્યા.
આમ, રાજીવ ગાંધીનો કાર્યકાળ પણ બિનસવર્ણ સમાજને માટે નિરાશાજનક રહ્યો તેઓ પણ તેમની માતા અને નાનાને પગલે ચાલીને બિનસવર્ણ સમાજ વિરોધી વલણ અખત્યાર કર્યું.

Also Read : 
બહુજનોના હક અને અધીકાર પ્રત્યે નહેરુનું વલણ


Facebook Post :

ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસનું બ્રાહ્મણવાદી ચરિત્ર

By Kiritkumar Pravasi || Written on 16 Nov 2018




જવાહરલાલની પુત્રી ઇન્દિરા ગાંધીને યાદ કરીએ ત્યારે બે સિદ્ધિઓ અચૂક યાદ આવે.એક તો પરમાણુ ધડાકો કરાવીને વિશ્વને સ્તબ્ધ કરાવી દેનાર ઇન્દિરા અને બીજું બાંગ્લાદેશ નામના નવા રાષ્ટ્રને જન્મ આપનાર ઇન્દિરા.'ગાય કી દુમ તુમ રખો' જેવો લોકરંજક નારો 'ગરીબી હટાવો' ઈન્દીરાએ આપ્યો હતો જરૂર પણ દેશમાંથી ગરીબી ક્યારેય હટી જ નહિ !

ઇન્દિરા પણ જવાહરલાલની જેમ જ બિનસવર્ણ પ્રજાના અધિકારોની વિરોધી રહી છે. દેશની 54% ઓબીસી આબાદીને પોતાના બંધારણીય અધિકારો આપતું કાલેલકર પંચ તેમના પિતાની જેમ જ ક્યારેય લાગુ કર્યું જ નહિ ! દલિત ખ્રિસ્તી અને દલિત મુસ્લિમને પણ અનુસૂચિત જાતિના લાભો મળે તે માટે 1950નો રાષ્ટ્રપતિનો હુકમ જે એમના પિતાએ કરાવેલો તે ક્યારેય રદ કર્યો જ નહિ ! 

સૌથી વધુ બ્રાહ્મણ મુખ્યમંત્રીઓ કોંગ્રેસ પક્ષે જ આપ્યા છે. સૌથી વધુ સવર્ણ મુખ્યમંત્રીઓ પણ કોંગ્રેસ પક્ષે જ આપ્યા છે.આમ, કોંગ્રેસનું ચરિત્ર પણ બ્રાહ્મણવાદી જ રહ્યું છે.

ગુજરાતમાં ચીમનભાઈ પટેલ પહેલાના મુખ્યમંત્રીઓ બ્રાહ્મણ જ રહ્યા છે.જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા, હિતેન્દ્ર દેસાઈ અને ઘનશ્યામભાઈ ઓઝા નામના ચાર-ચાર બ્રાહ્મણ મુખ્યમંત્રીઓ કોંગ્રેસે આપ્યા ઘનશ્યામભાઈ ઓઝાના કાર્યકાળ દરમિયાન ચીમનભાઈ પટેલ નામના બિનબ્રાહ્મણ નેતાનો ઉદ્ભવ થઇ ચૂક્યો હતો. ચીમનભાઈને જ્ઞાન થયું કે બ્રાહ્મણોની વસ્તી ગુજરાતમાં નગણ્ય છે.બ્રાહ્મણોના ધારાસભ્યો પણ પટેલ ધારાસભ્યો કરતા ઓછા છે તો પછી પટેલ મુખ્યમંત્રી કેમ ના થાય ? આ હિસાબે ચીમનભાઈએ ઇન્દિરા ગાંધીની પસંદ એવા ઘનશ્યામભાઈ ઓઝા સામે બળવો પોકાર્યો અને કોંગ્રેસ પક્ષના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ચીમનભાઈએ 17 જુલાઈ 1973ના રોજ કોંગ્રેસ પક્ષમાંથી મુખ્યમંત્રી તરીકે સ્થાન ગ્રહણ કર્યું ઇન્દિરા ગાંધીને આ ન ગમ્યું શા માટે ન ગમ્યું ? એમના બ્રાહ્મણ મુખ્યમંત્રીને એક તો ચીમનભાઈએ પડકાર આપ્યો હતો.બીજું કે પટેલની વસ્તી સારી એવી હતી અને પટેલો શિક્ષણમાં આગળ વધી રહ્યા હતા.પટેલ મુખ્યમંત્રી હોય તો શિક્ષણમાં આગળ વધેલી પટેલ કોમ રાજસત્તાનો સહારો લઈને પ્રશાસનમાં પણ સારી રીતે ગોઠવાઈ જાય તે ઇન્દિરા સારી રીતે જાણતા હતા. ઇન્દિરા ગાંધીએ ચીમનભાઈને હટાવવા ગુજરાત કોંગ્રેસના બ્રાહ્મણ નેતાઓનો સાથ લઈને છૂપી રીતે વિદ્યાર્થીઓને સાધીને ગુજરાતમાં નવનિર્માણ આંદોલન કરાવ્યું ચીમનમભાઈને રાજીનામુ આપવું પડ્યું અને 9 ફેબ્રુઆરી 1974ના રોજથી ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું। 

એ દરમિયાન દેશમાં જનતા મોરચો બની ચૂક્યો હતો.જનતા મોરચાના મુખ્યમંત્રી તરીકે બાબુભાઇ જશભાઈ પટેલે 18 જૂન 1975ના રોજ શપથ લીધા ત્યારબાદ ફરીવાર રાષ્ટ્રપતિ શાસન આવ્યું આ સમયગાળા દરમિયાન ઇન્દિરા ગાંધીએ ચીમનભાઈને કોંગ્રેસ છોડવા મજબૂર કરી દીધા હતા.કોંગ્રેસને ફરી વાર સરકાર રચવાની તક 24 ડિસેમ્બર 1976ના રોજ મળી. પટેલ મુખ્યમંત્રી થાય તો બ્રાહ્મણોના પ્રશાસનમાં રહેલા એકાધિકારને પડકારે અને નોકરીઓમાં ઘુસવા માંડે એ ન પોસાય કેમકે પટેલો શિક્ષિત બની ગયા હતા. રાજ્યમાં પટેલ કરતા વધુ વસ્તીવાળી કોમ ઠાકોર હતી અને એ સમયે ઠાકોરોમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું એટલે ઇન્દિરા ગાંધીએ માધવસિંહ સોલંકી પર પોતાની પસંદગી ઉતારી માધવસિંહ મુખ્યમંત્રી બને તો એમની કોમ ઓછું ભણેલી હોવાથી પ્રશાસનમાં રહેલ ઉચ્ચ હોદાઓ સુધી પહોંચી જ ન શકે. બીજું કે કોંગ્રેસ પક્ષની છાપ પછાત તરફી પક્ષ તરિકેની પણ ઉભી થાય.આમ કે આમ, ગુટલીયો કે દામ.એટલે ચીમનભાઈ પટેલને કાઉન્ટર કરવા માટે માધવસિંહ સોલંકી નામનો પાસો ઈન્દીરાએ ફેંક્યો અને 24 ડિસેમ્બર 1976ના રોજ માધવસિંહે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

1981માં માધવસિંહ મુખ્યમંત્રી હતા ત્યારે જ પ્રથમ અનામત વિરોધી આંદોલન થયું પણ ઈન્દીરાએ માધવસિંહનો જ પક્ષ લીધો અને મુખ્યમંત્રી તરીકે ચાલુ જ રાખ્યા !

કટોકટી લાદીને ઇન્દિરા ગાંધીએ લોકતંત્રનું ખૂન જ કરી નાખ્યું હતું, એ વિષે સૌથી વધુ લખાયું હોવાથી અત્રે લખતો નથી.બિનકોંગ્રેસી રાજ્ય સરકારોને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાદવું એ પણ ઈન્દીરાની બિનલોકશાહી વર્તણુક હતી.

જવાહરલાલ અને ઇન્દિરાના સમયે 54% ટકા વસ્તી ધરાવનાર ઓબીસી સમાજનું વર્ગ-1 અને વર્ગ-2માં પ્રતિનિધિત્વ ભાગ્યે જ હતું. જયારે દલિત-આદિવાસીને અનામત મળતી હતી તેમ છતાં તેમનો ક્વોટા ભરાય તે માટે પણ આ બાપ-બેટીની જોડીએ બેદરકારી દાખવી હતી. 

આમ, જવાહરલાલ નહેરુની જેમ જ ઇન્દિરા ગાંધી પણ બહુમતી બિનસવર્ણ વર્ગના હિતોની વિરુદ્ધમાં હતા.




Facebook Post: 

બહુજનોના હક અને અધીકાર પ્રત્યે નહેરુનું વલણ

By Kiritkumar Pravasi ||  Written on 16 Nov 2018




એ સમયે એવો હતો કે મોટાભાગે દલિત-આદિવાસીને માટે જ અનામત ઉપલબ્ધ હતી. 54% જેટલી વસ્તી ધરાવનાર ઓબીસી સમાજને કેન્દ્ર સરકારની નોકરીઓમાં અનામત મળતી ન હતી.મોટા ભાગના રાજ્યોમાં પણ ઓબીસી માટે આયોગ બન્યા ન હોવાથી રાજ્ય સરકારની નોકરીઓમાં પણ અનામત મળતી નહોતી આવા સમયે 27 જૂન 1961ના રોજ નહેરુ કોંગ્રેસી મુખ્યમંત્રીઓને ગુપ્ત પત્ર લખીને જણાવે છે અનામતનો અમલ કરવો નહિ, અનામતથી બેવડી નાગરિકતા પેદા થાય છે.(ધર્માન્તરથી બેવડી નાગરિકતા પેદા થાય છે,એવા હિન્દુત્વવાદીઓના મત જેવું જ !)




ડૉ. આંબેડકરે નહેરુના મંત્રીમંડળમાંથી રાજીનામુ આપ્યું તેમાં પ્રમુખ બે કારણ હતા.એક તો ઓબીસીને અનામત મળે તે માટે નહેરુ ગંભીર નહોતા અને બીજું કે હિન્દૂ મહિલાઓની મુક્તિ માટેનું હિન્દૂ કોડ બિલ નહેરુએ રૂઢિવાદીઓના દબાણમાં આવીને પડતું મૂક્યું હતું...!!! આંબેડકરના રાજીનામાથી દબાણમાં આવી જઈને નહેરુએ ઓબીસીને કેન્દ્ર સરકારની નોકરીઓમાં અનામત મળે તે માટે કાલેલકર આયોગ જરૂર બનાવ્યું પણ તેની ભલામણોનો અમલ ક્યારેય કર્યો નહિ, તેને અભરાઈ પર ચડાવી દેવામાં આવ્યું...!!! સન 1950 પહેલા દલિત મુસ્લિમ અને દલિત ખ્રિસ્તીઓને મળતી અનુસૂચિત જાતિ માટેની અનામત પણ નહેરુએ રાષ્ટ્રપતિ દ્વારા એક ઓર્ડર બહાર પડાવી રદ કરી.અલબત્ત આધુનિક ભારતના ઘડતરમાં રેશનાલિસ્ટ જેવા લાગતા નહેરુનો ફાળો કમ નથી પણ બહુમતી બિનસવર્ણ પ્રજાના બંધારણીય અધિકારોના પણ તેઓ વિરોધી હતા એ પણ સત્ય છે !



Facebook Post :-