March 28, 2020

વિદેશથી આવતા લોકો પહેલા ખોળાના છે???

By Raju Solanki  || 26 March 2020


દિલ્હીમાં દુબઈથી આવેલી મહિલા મહોલ્લાના ક્લિનિકના ડોક્ટર પાસે સારવાર માટે ગયેલી. એણે ડોક્ટરને, તેમના પત્નીને અને બાળકને ચેપ લગાડ્યો, એટલું જ નહીં બીજા સેંકડો લોકોને પણ ચેપ લગાડ્યો. હવે છસો વ્યક્તિઓને ક્વોરન્ટાઇમાં રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે.

આ ભયાનક ઘટના છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સરકારે દેશમાં વિદેશથી આવતા લોકોને બેફામપણે દેશમાં ઘૂસવા દીધા છે. આવા લોકોને એરપોર્ટ પર જ અટકાવીને ક્વોરન્ટાઇનમાં રાખવાની જરૂર હતી, પરંતુ સરકારે એ તરફ ધ્યાન જ આપ્યું નથી અને હવે એની સજા દેશના ગરીબોને ભૂખે મારીને આપી રહી છે.

હજુ સમય છે. સરકારે પાસે છેલ્લા બે મહિનામાં કોણ કોણ વિદેશથી આવ્યં એની યાદી છે. આ લોકોને શોધી શોધીને ક્વોરન્ટાઇનમાં મુકી દેવા જોઇએ. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ જણાવ્યું છે કે એગ્રેસિવ્લી આવા લોકોને શોધી શોધીને એમનો ટેસ્ટ કરીને સંક્રમિત લોકોને અલગ પાડી દેવા જોઇએ.

સરકારે કેમ આવું ના કર્યું એનું એક કારણ એ પણ છે કે વિદેશથી આવતા લોકો પહેલા ખોળાના છે. એમાં કોઈ આદિવાસી, દલિત કે બહુજન સમાજના નથી. સરકારે વિદેશથી આવતા લોકોની પાછળ કૂતરાની જેમ પડીને તેમને શોધી કાઢવાના હતા, એના બદલે સરકાર હવે બહુજન, ગરીબ લોકોની પાછળ કૂતરાની જેમ પડીને તેમને દંડા મારીને લોકઆઉટનો અમલ કરાવી રહી છે.

અર્ણબ, રાહુલ, રાજદીપ જેવા મીડીયાના પ્રવક્તાઓ આ મુદ્દા પર ભસવા તૈયાર નથી.



શિક્ષકોને સોંપી દીધું કોરોના સંક્રમિત લોકો શોધવાનું કામ

By Raju Solanki  || 26 March 2020

Coronavirus In India: 100 Students And Teachers Gone To Leave ...
સરકારે ગામડાઓમાં પ્રાથમિક શાળાના શિક્ષકોને સોંપી દીધું કોરોના સંક્રમિત લોકો શોધવાનું કામ.

જ્યારે આવા સંક્રમિત લોકોને એરપોર્ટ પર અટકાવવાના હતા ત્યારે ગુજરાત વિધાનસભામાં શું ચાલી રહ્યું હતું એ હવે યાદ કરો.

એ વખતે ભાજપના વાડામાં કોંગ્રેસના ઘેટાઓ એટલે કે ધારાસભ્યોને લાવવાનું ઓપરેશન રાજસભા ચાલી રહ્યું હતું. કોંગ્રેસના ઘેટા ભારતમાતાની સેવા કરવા ભાજપમાં નહોતા જઈ રહ્યા. તેઓ પોતાની કિંમત જણાવી રહ્યા હતા. અને તેમની કિંમત પ્રમાણે નોટોની કોથળીઓ કમલમમાંથી ટ્રકો ભરીને કોંગ્રેસના ધારાસભ્યોના ઘરોએ પહોંચી રહી હતી. મોટા પાયે કાળા નાણાની હેરફેર ચાલી રહી હતી.

જે સમયે રાજ્ય પર કોરોનાની ભૂતાવળ ત્રાટકવાની તૈયારીમાં હતી ત્યારે ગાંધીનગરમાં સત્તાનો આ વરવો ખેલ ચાલી રહ્યો હતો.

અને કોંગ્રેસ પક્ષ એના ઘેટાઓને બચાવવા માટે સાગમટે સૌને જયપુર લઈ જઈ રહ્યો હતો. જયપુરમાં કોંગ્રેસીઓ જલસા કરી રહ્યા હતા.

આવા સમયે વિધાનસભાનું સત્ર મળ્યું. પરંતુ ત્યારે એક પણ ધારાસભ્ય કોરોનાનો ક ઉચ્ચારવા તૈયાર નહોતો. ત્યારે કોઈ ધારાસભ્ય પોતાની ગ્રાન્ટ આપવા માટે જાહેરાતો કરતો નહોતો.

અને એ સમયે અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ પરથી કોરોનાના સંક્રમિત દર્દીઓ વિના રોકટોક ટેક્ષીમાં બેસીને એમના ઘરે જઈ રહ્યા હતા. બીજા સેંકડો લોકોને કોરોનાનો ચેપ લગાડી રહ્યા હતા.

એક તરફ, સત્તાખોરો ખુરસીની આસપાસ ગરબા ગાતા હતા, ત્યારે કોરોનાનો જીવલેણ વાયરસ ગુજરાતમાં ઘૂસી રહ્યો હતો.

હવે સરકાર સફાળી જાગી છે. જાગીને લોકોને લોકડાઉન કરી દીધા છે. ગરીબોની રોજગારી છીનવાઈ ગઈ છે. એરપોર્ટ પરથી ઉતરતા કોરોના સંક્રમિત લોકોને દંડા મારવાના બદલે પોલિસ નિર્દોષ, નિરપરાધ લોકોને દંડી રહી છે. અને છ છ મહિનાનું કરીયાણું, સામાન બંગલાઓ અને ફ્લેટોમાં ભરીને બેઠેલા ધનવાન લોકો પોલિસના દંડાનો માર ખાતા અસભ્ય લોકોની મજાક કરી રહ્યા છે.

ગઈ કાલે અમદાવાદથી પલાયન કરી રહેલા હજારો લોકોના ફોટા કર્મશીલોએ સોશીયલ મીડીયા પર મૂક્યા. આદિવાસી પરીવારો ચાલતા નીકળી પડેલા ત્રણસો-ચારસો કિમી દૂર આવેલા રાજસ્થાનના એમના ગામડાઓ તરફ. એ એક નજારો હતો. ગુજરાતમાં સરકાર નામનીકોઈ ચીજ નથી એની ગવાહી પૂરતું એ દ્રશ્ય હતું. ગુજરાતના ધારાસભ્યોને કર્મશીલોએ ફોનો કર્યા. કોઈએ ઉપાડ્યા નહીં. બધાને જાન વહાલો છે. ધારાસભ્યોને તો જાન ઉપરાંત ખુરસીની પણ ચિંતા કરવાની છે.

182 ધારાસભ્યો ચૂપ છે. 182 ધારાસભ્યો એક વ્યવસ્થાનો ભાગ છે.

કોરોનાને કારણે ભૂખે મરતા લોકો વ્યવસ્થાની બહાર છે.

આ વ્યવસ્થામાં તમે કોની સાથે છો?

રાજુસોલંકી

Playing with Fire

By Raju Solanki  || 27 March 2020

Image may contain: one or more people, people standing, hat and outdoor


1.
ट्रम्प पागल आदमी है.

ट्रम्प बहुत कुछ है. केपिटालिस्ट, क्रोनी केपिटालिस्ट, मोनोपोलिस्ट, सेल्फिश, रेसिस्ट, व्हाइट सुप्रिमेसिस्ट, फासिस्ट, एन्टि-वुमन.

पूरी मानवजाति विनाश के कगार पर है, तब अमरिका में ट्रम्प का प्रेसिडन्ट होना अच्छी बात नहीं है.

ट्रम्प ने बार बार कोरोना वायरस को चाइनीझ वायरस या वुहान वायरस कहकर अपने नस्लवादी होने का प्रमाण दिया है.

यह एक तरह का स्टीरीयोटाइपिंग तो है ही, साथ साथ इससे एक बात भी समजी जाती है कि अमरिका खुद की गलतियां स्वीकार नहीं करेगा.

अमरिका केन डु नो रोंग. जस्ट लाइक किंग.

वाकई में कोरोना की वजह क्या है?

दर असल, मानवजाति ने कुदरत का बनाया हुआ संतुलन बिगाड दिया है. अपने स्वार्थ के चलते. पैसे कमाना और तेजी से कमाना. इस रफ्तार में केपिटालिस्ट वर्ग ने कुदरत की व्यवस्था को पटरी से उतार दी है. अमरिका यह कटु सत्य कैसे स्वीकार करेगा? कोई भी डेवलप कन्ट्री यह बात नहीं स्वीकारेगा.

कोरोना वायरस चमगादड से आया है वाया पेंगोलिन. और यह पेंगोलिन एक लुप्त हो रही मासूम प्रजाति है. पेंगोलिन का व्यापार होता है और उसमें बहुत मुनाफा है. इसी मुनाफाखोरी से चलते इन्सान ने पर्यावरण से खिलवाड किया है.

कुदरत ने हमें बहुत बडा मेसेज दिया है.
अभी भी वक्त है. संभल जाओ.
कल कुदरत तुम्हे पछताने का मौका भी शायद नहीं देगी.



2.

लोग हैरान परेशान है.

पूछ रहे हैं कि चीन से 15,000 किमी की दूरी पर इटली है. वहां कैसे कोरोना पहुच गया?

अभी हमें कुछ काम ही नहीं करना है. तो वाइरस चीन से इटली कैसे पहुंचा उस पर ही रीसर्च क्यों ना करें?

क्या कोई चाइनीझ चीन से फ्लाइट में बैठकर इटली के मिलान में गया होगा और वहां थुककर कोरोना फैलाया होगा?

बडी दिलचश्प कल्पना है.

और दूसरी कल्पना तो इससे भी मजेदार है.

कहते हैं चीन ने जानबूझकर अपने ही देश में वायरस फैलाया और फिर पूरी दुनिया को बरबाद कर दिया.

कहते है आलसी इन्सान का दिमाग शैतान की फैक्ट्री है.

दर असल हमारी बहुत सारी इन्फर्मेशन (या मिसइन्काफर्मेशन) का स्रोत अमरिका और उसकी न्यूझ एजन्सियां है. हम जाने अनजानें में भी उन्ही की गढी हूई कहानियां आत्मसात करते हैं और फिर हमारी वोट्सप युनिवर्सिटी के हमारे भोले भाले छात्रों को पढाते रहतेहैं.

भाई जान, कोरोना किसी कोन्सपीरसी नहीं है. यह पेन्डामिक है. वैश्विक महामारी है.

और अगर यह कोन्सपीरसी है तो वह इन्सान ने अपने निजी स्वार्थ के कारण पूरी कुदरत के खिलाफ जो खिलवाड किया है उसी की वजह से यह पेन्डामिक आया है.

अमरिका चीन के सर पर सारी गलतियां थोपकर बचना चाहता है. गुनहगार तो दोनों हैं.

- राजु सोलंकी

સોશીયલ ડિસ્ટન્સિંગ એટલે સામાજિક આભડછેટ : જય વસાવડા

By Raju Solanki  || 27 March 2020

Image may contain: 1 person, text

A prominent Gujarati writer Jay Vasavda has translated the word 'social distancing' as 'social untouchability' सामाजिक आभडछेट in Gujarati. This is the ultimate proof of the fact that caste virus is deadlier than corona. 

જ્યારે કોઈ અંગ્રેજ સોશીયલ ડિસ્ટન્સિંગ શબ્દ વાપરે છે, ત્યારે એના મનમાં સમજે છે કે મારે ભૌેતિક દૂરી રાખવાની છે. અને જ્યારે કોઈ ભારતીય સોશીયલ ડિસ્ટન્સિંગ રાખે છે ત્યારે એના મનમાં સમજે છે કે મારે સામાજિક આભડછેટ રાખવાની છે. એક જ શબ્દનો અંગરેજીમાં અને ગુજરાતીમાં અલગ અર્થ થાય છે.

કેમ કે, અંગ્રેજના સમાજમાં કોઈ સમુદાય સાથે આભડછેટ પાળવામાં આવતી નથી, જ્યારે ભારતીય સમાજમાં આભડછેટ પાળવામાં આવ છે.

એટલે જ્યારે કોરોનાના સંદર્ભમાં સોશીયલ ડિસ્ટન્સિંગ શબ્દ પ્રયોજાયો ત્યારે એનું ગુજરાતી જય વસાવડાએ સામાજિક આભડછેટ કર્યું. જય બિલકુલ સાચો છે. જયના દિમાગમાં એના બાપદાદાએ જે ગંદવાડો ભર્યો છે (ડિજિટલ જાર્ગનમાં કહીએ તો પ્રોગ્રામિંગ કર્યું છે) એના કારણે જય જ્યારે સોશીયલ ડિસ્ટન્સિંગનું ગુજરાતી કરવા બેસે છે ત્યારે આપોઆપ એનું ગુજરાતી સામાજિક આભડછેટ કરી બેસે છે. આમાં બિચારા જયનો કોઈ વાંક નથી. કોઈએ જયનો વાંક કાઢવો નહી. જય સુધરવાનો નથી. જયના બાપદાદા પણ સુધર્યા નહોતા અને કદાચ એના સંતાનો પણ સુધરશે નહીં.