November 01, 2017

જેની જેટલી જનસંખ્યા તેનો તેટલો હિસ્સો

By Jigar Shyamlan ||  30 Oct 2017 


પાટીદાર અનામત આંદોલન સમીતિ (પાસ) અને કોન્ગ્રેસ વચ્ચે બેઠક હતી. આરક્ષણ સિવાયના ચાર મૂદ્દાઓ પર સકારાત્મક વાતાવરણમાં બેઠક પૂણઁ થઈ.
સંવિધાનીક રીતે પાટીદારોને આરક્ષણ કેવી રીતે મળી શકે એ બાબતે કોન્ગ્રેસ હવે નિષ્ણાંતો સાથે ચચાઁ કરશે. સંવિધાનીક રીતે પાટીદારોને આરક્ષણ આપવાની સ્પષ્ટ ફોમ્યુઁલા નક્કી કરશે અને આગામી દિવસોમાં આ મુદ્દે ફરી પાસ સાથે બેઠક કરવામાં આવશે. ત્યારબાદ પાસ ચૂંટણીમાં કોને સમઁથન આપવું એ બાબતે પોતાનો મત જાહેર કરશે.
જો કે એ તો વાતની વાત છે, બેઠક પછી પાસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. હાદિઁક પટેલનું વલણ દયનીય જણાયું,
પોતે હાવભાવથી સ્પષ્ટ ઈનકાર કરતો રહ્યો પરંતુ વાતચીત અને બોડી લેંન્ગવેજથી કોન્ગ્રેસને સમઁથન આપી જ દીધું.
પાસ માટે આ હાલની સ્થિતી એક મજબૂરી બની ચુકી છે, એની પાછળ કેટલાક કારણો છે.
(૧). અનામત આંદોલન પછી પાસ ની સરકાર સાથે એક પછી એક કેટલીક મંત્રણાઓ નિષ્ફળ કરવામાં આવેલી. એમાં સરકારનું ઉદાર વલણ હતુ પણ પાસનું વલણ સહેજ અક્કડ રહેલું એટલે તેમાં કોઈ ભલીવાર રહ્યો ન હતો.
(૨). આ પછી પાસ દ્વારા સરકાર સામે રીતસરની બાંયો ચઢાવી સરકાર સામે આક્રમક કાયઁક્રમો આપેલા જેનાથી સરકારે આ મુદ્દે મૌન રહેવુ પસંદ કયુઁ, સરકારે ફરી મંત્રણા માટે પ્રતીભાવ ન આપ્યા.
(૩). સરકારના વિરોધ પછી પાસે આમ આદમી પાટીઁ તરફ સરકવા પણ પ્રયાસ કયોઁ પણ આમ આદમી પાટીઁ લાચાર હતી કારણ આટલા ટુંકા સમયગાળામાં ચૂંટણી લડવા યોગ્ય તૈયાર ન થઈ શકી. જોઈયે તેટલો જનમત ભેગો કરી શકી નહી, પાસમાં ટીકીટ માંટે ફાંફા જણાતા પાસના આપમાં જોડાયેલ લોકોમાં ધડાધડ રાજીનામાં પડવા લાગ્યા અને જે ને જયાં ગોળ મળ્યો ત્યાં માખીઓ બણબણવા માંડી.
(૪). ગુજરાતમાં એન.સી.પી., જે.ડી.યુ. સમ ખાવા પૂરતા ગણાય એટલે એની સાથે જવાય નહી. જન વિકલ્પ વિકલ્પ બનવાની શક્યતા ગૂમાવી ચુક્યુ છે.
હવે બચ્યુ કોણ..? કોન્ગ્રેસ...

જે મિત્રો એ જોયું હશે તેમને ખબર હશે, કે આજની પ્રેસ કોન્ફરન્સમાં હાદિઁકના મોંઢે વાત વાતમાં માન્યવર કાંશીરામજીએ આપેલ નારો નિકળી આવ્યો "જેની જેટલી જનસંખ્યા તેનો તેટલો હિસ્સો"

Watch Video :-

આંબેડકરવાદ અને આપણે.....??

By Jigar Shyamlan ||  01 Nov 2017 


માહોલ એવો છે કે બાબા સાહેબ આંબેડકરની વિચારધારા પર ચાલતા માણસને પણ પોતે કેવો આંબેડકરવાદી છે તેની સાબિતીઓ આપવી પડે છે.!!!

આ સાબિતી સો ટચની ત્યારે જ ગણાય જ્યારે તમે બ્રાહ્મણોને ગાળો આપતા હોવ. બ્રાહ્મણોને ગાળો આપવાની ક્ષમતાઓ તમારો આંબેડકરવાદ નક્કી કરે છે, જેટલી વધુ ગાળો આપી શકો તમે તેટલા જ સવાયા અને કટ્ટર આંબેડકરવાદી સાબિત થાવ છો.

બ્રાહ્મણવાદ અને બ્રાહ્મણ એકબીજા સાથે જોડાયેલ છતાં અલગ અલગ પરિબળો હોઈ શકે. બધાજ બ્રાહ્મણવાદી બ્રાહ્મણો હોય અને બધા જ બ્રાહ્મણો બ્રાહ્મણવાદી છે એ વાત જે તે માણસની વિચારધારા પર આધારિત છે. હાલ આંબેડકરવાદી વિચારસરણી માત્ર અને માત્ર બ્રાહ્મણોની નિંદા કરવા પુરતી જ સિમિત બનાવી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યુ છે. બ્રાહ્મણોને ગાળો આપતા રહેવી એ જ આપણો ફુલ ટાઈમ ધ્યેય બની ગયો છે. હું અહી એક વાત સ્પષ્ટ કરવા માંગુ છુ કે હું પોતે બ્રાહ્મણવાદનો વિરોધી છું. માત્ર બ્રાહ્મણોને ગાળો આપતા રહેવું એ તો સમસ્યાનો કોઈ ઉકેલ નથી.
ખુદ બાબા સાહેબ આંબેડકરે 1927 July-9 બહિષ્કૃત ભારતના એક તંત્રી લેખ ''દુ:ખાત સુખ''માં લખે છે કે-
''જનતામાં અનેક ધમઁ વિધમાન છે. પ્રત્યેક ધમઁના અનુયાયીઓ વચ્ચે વિવિધ પ્રકારના ભેદ જોવા મળે છે. કોઈ ગરીબ છે, કોઈ શ્રીમંત. કોઈ જ્ઞાની છે તો કોઈ અજ્ઞાની, પરંતુ આવા ભેદ દરેક ધમઁમાં જોવા મળશે જ. પરંતુ વ્યવસાય પ્રમાણે પાડવામાં આવેલ ભેદ તો માત્ર હિન્દુ ધમઁમાં જ જોઈ શકાય છે. કોઈ બ્રાહ્મણ, કોઈ ક્ષત્રિય, કોઈ વૈશ્ય, કોઈ શુદ્ર છે. હિન્દુ ધમઁમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણેત્તર એમ બે પ્રકારના ભેદ વધારે સ્પષ્ટ છે. જન્મજાત ઉંચનીચના ભેદભાવ એ જ બ્રાહ્મણની ખરી વ્યાખ્યા છે. એ બાબત સ્પષ્ટ છે કે હું બ્રાહ્મણ જાતિનો વિરોધી નથી તે મારો વિચાર સ્પષ્ટપણે જાહેર કરૂ છું બ્રાહ્મણ લોકો અમારા વેરી કે દુશ્મન નથી, પરંતુ જેઓ બ્રાહ્મણવાદગ્રસ્ત છે તે જ અમારા વેરી છે એવું હું સમજું છું''

બાબા સાહેબની વિચારધારા એકદમ સ્પષ્ટ હતી સમાનતા.., સ્વતંત્રતા..., ભાઈચારા અને અધિકાર માટેની હતી. પણ આપણે આ વિચારધારાને એકદમ ગૂંચવી નાખી છે. આપણે આજે સાચા આંબેડકરવાદી બનવાને બદલે એક જાતના કટ્ટરવાદી બની રહ્યા છીએ. બ્રાહ્મણવાદ વિરૂધ્ધની આખી આ લડાઈ આપણે માત્ર અને માત્ર બ્રાહ્મણ વિરૂધ્ધ કટ્ટરતાની બનાવી દીધી છે. આમ કરીને આપણે આપણી ચળવળને ક્યાંક ને ક્યાંક નુકશાન કરી રહ્યાનું પ્રતિત થાય છે.

એમ તો આપણી અંદર પણ એક પ્રકારનો છુપો બ્રાહ્મણવાદ વરસોથી ઉછરી રહ્યો છે જ..
(1). આપણી અંદરનો બ્રાહ્મણવાદ એટલે અનુસૂચિત જાતિમાં પ્રવઁતી રહેલ પેટાજાતિઓનું મિથ્યાભિમાન...!!
(2). આપણે આપણી ઓળખ એક વણકર.., રોહીત.., ગરોડા.., સેનમા..., નાડીયા...,સાધુ..., તુરી.., તરગાળા તરીકેની આપતા હોઈએ પણ ખુદને એક એસ.સી. તરીકે ન ઓળખાવતા હોઈએ એ પણ એક પ્રકારનો છુપો બ્રાહ્મણવાદ જ છે.
(3). સમગ્ર એસ.સી. સમાજમાં પણ આપણે વિવિધ પેટાજાતિઓ અને પેટાજાતિઓમાં પણ અમુક તમુક ગોળ,પરગણાં કે સમાજ તરીકે બંધાયેલ રહીએ એ પણ બ્રાહ્મણવાદની ચરમસિમા છે.
(4). આપણે આપણાં વિવિધ સમાજમાં ચાલતી કેટલીક રૂઢીઓ, રીતરિવાજોમાં તસુભાર પણ બદલાવ લાવી શક્યા નથી. આપણે બંધારણમાં ઉલ્લેખ કરાયેલ અનુસૂચિત જાતિ પુરતા જ એક છીએ, બાકી બંધારણની બહાર આપણે અનેક પેટાજાતિઓનાં શંભુમેળાથી વિશેષ કંઈ નથી.
(5). આપણે આપણી તમામ શક્તિઓ અંદરો અંદરના વિખવાદને બહાર લાવી એકબીજાને પછાડવાની પ્રવૃત્તિઓમાં જ વ્યથઁ વેડફી રહ્યા છીએ.
(6). રાજકીય રીતે પણ આપણે માણસે માણસે અલગ મત ધરાવીએ છીએ.
(7). એકલો હું જ બાબા સાહેબને સારી રીતે સમજી શકું બીજાઓ અધકચરુ સમજ્યા એ પણ એક પ્રકારનો મિશ્રિત બ્રાહ્મણવાદ જ છે.
(8). આપણા ધમઁમાં પ્રવતઁમાન વ્યથઁ માન્યતાઓ, વિધીવિધાનો અને ક્રિયાઓ બાબતે જે તે શાસ્ત્રો કે ધમઁને ભાંડવા સિવાય કંઈ કયુઁ નથી. સામાન્યમાં સામાન્ય માણસ સમજી શકે તે રીતની રચનાત્મક સમજણ આપવામાં આપણે જોઈયે તેટલા સફળ નથી.
(9). આપણે અવારનવાર મિટીંગો યોજીએ છીએ પણ તેમાં આપણો સાચો મેસેજ કહેવામાં પુણઁત: નિષ્ફળ રહીએ છીએ.

આપણે એક બનીશુ પણ પછી શુ કરીશુ તેનુ કોઈ વિઝન નથી. રાજકીય જેને જ્યાં ફાવે ત્યાં જેવો ધાટ છે.

કોઈ પણ માણસ પુણઁ નથી... તેને પુણઁ બનવુ પડે. કોઈપણ માણસ પુણઁ થવા તરફ પ્રયાણ કરે એ જ સાચો માણસ.
મને વિશ્વાસ છે કે મારી આ પોસ્ટ કેટલાક માણસોને ગમશે નહી... એટલે મારી આ પોસ્ટ પરથી મને જે તે રીતે ધારી લેવામાં આવશે, પણ હું કોઈની ધારણા નથી.
જ્યાં સુધી આપણે સમગ્ર અનુસૂચિત સમાજ તરીકે એક નહી બની શકીએ ત્યાં સુધી બ્રાહ્મણવાદી રહીને બ્રાહ્મણવાદનો વિરોધ કરનારા લોકો બનીને જ રહી જઈશું.
#જય_ભીમ
# જિગર શ્યામલન


એક બનો એક બનતા અટકાવનારા લોકો ને સાચી સમજ આપો

By Jigar Shyamlan ||  31 Sep 2017 


એક વસ્તુ ખાસ ધ્યાનમાં આવી છે, કે સમગ્ર અનુસૂચિત જાતીના વણકર, રોહીત, રાવત, ગુરુબ્રાહ્મણ, તુરી, વાલ્મિકી વગેરે અલગ અલગ મણકાઓને એક સૂત્રમાં પરોવવા માટે કોઈ મજબૂત દોરો હોય તો એ છે એકલો "જય ભીમ" નો નારો...

આ નારો એકલો "જય ભીમ" બોલાય ત્યાં સુધી જ ઠીક છે, પરંતુ જયારે પણ આ નારાની પાછળ પાછળ "જય વીરમાયા" "જય રોહીદાસ" "જય વાલ્મિકી" જેવા અન્ય પેટાજાતિ સમૂહ દશઁક નારાઓ સાંભળવા મળે ત્યારે બંધીયાર પાણીને ડહોળતા જેવી ગંધ ઉઠે તેવી જ ગંધ અનુસૂચિત જાતિમાં ખદબદતા જાતિવાદની છે.

માત્ર "જય ભીમ" અને "જય ભીમ નમો બુધ્ધાય" એ નારાઓ આપણી એકતાનો જયઘોષ કરે છે.
એ સિવાય આપણે જયાં સુધી એકલું જય ભીમ બોલીશું ત્યા સુધી જ એકસુત્રમાં બંધાયેલ રહીશું. જય ભીમની પાછળ જોડાતા બીજા નારા આપણી એકતા ખંડીત કરે છે.
તો આપણે આ વાતને સમજીએ અને એક સમાજ તરીકે એક બનીએ બસ એટલી જ લાગણી..
#I_Support_Unity
#જિગર શ્યામલન