March 29, 2018

એટ્રોસીટી એક્ટ અને શાસકો ની નઘરોળ માનસીકતા

By Raju Solanki  || 27 March 2018 


અત્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 અંગે ઉગ્ર ચર્ચા ચાલી રહી છે, ત્યારે ગુજરાત સરકાર આ કાયદા વિષે કેટલી સમજ ધરાવતી હતી તેનું એક ઉદાહરણ અહીં રજુ કરું છું. 2005માં મારા પુસ્તક ‘ભગવા નીચે લોહી’માં આ વિગત મુકી હતી.
*
“તા. ૧૬-૪-૨૦૦૪એ ગુજરાત વિધાનસભામાં જામનગર ગ્રામ્યના ધારાસભ્ય ડૉ. દિનેશ પરમારે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ પૂછયો હતો: "માનનીય મુખ્યમંત્રી શ્રી (ગૃહ) જણાવવા કૃપા કરશો કે,

(૧) એટ્રોસીટી એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓમાં તપાસ અધિકારી તરીકે ડી.વાય.એસ.પી કક્ષાથી ઉતરતી કક્ષાના ન હોય તેવા અધિકારીની નિમણૂંક કરવાની જવાબદારી જિલ્લા પોલીસ વડાની છે તે વાત સાચી છે?

મુખ્યપ્રધાનનો જવાબ કાયદા વિધાશાખાના સૌથી ઠોઠ નિશાળીયાને પણ આઘાત પમાડે તેવો હતો. માત્ર દેખાવથી બુદ્ધિશાળી લાગતા નરેન્દ્ર મોદી વાસ્તવમાં કેવા ડફોળ છે. એની પ્રતીતિ આ જવાબથી થાય છે. તેઓ કહે છે:

"ના, જી. પરન્તુ એટ્રોસીટી એક્ટ હેઠળ નોંધાયેલા તમામ કેસોની તપાસ ડી.વાય.એસ.પી. થી ઉપરના દરજ્જાના ન હોય તેવા અમલદારોએ કરવા માટે અનુ.જાતિ/જનજાતિ અધિનિયમો ૧૯૯૫ના નિયમ-૭ (૧)માં જોગવાઈ છે. જિલ્લા પોલીસ વડાની નથી.”

‘ડી.વાય.એસ.પી.થી ઉપરના દરજ્જાના ન હોય' તેવા અધિકારી એટલે પોલીસ ઇન્સપેક્ટર અથવા પોલીસ સબ ઇન્સપેક્ટર. મોટા ભાગના એટ્રોસીટી કેસોમાં અદાલતો આરોપીઓને એટલા જ કારણસર છોડી મૂકે છે, કે તપાસ અધિકારી પોલીસ ઇન્સપેક્ટર હતો અથવા સબ ઇન્સપેક્ટર હતો. અમદાવાદની કાઉન્સિલ ફોર સોશ્યલ જસ્ટિસે એકઠા કરેલા આવા ૩૦૦ ચુકાદાઓ દર્શાવે છે કે, ૯૫ ટકા કેસોમાં આરોપીઓ સત્તાવાળાઓની બેદરકારીને કારણે જ છૂટી ગયા છે.

મુખ્યપ્રધાન મોદીની ગુનાહિત અજ્ઞાનતાનું વહીવટીતંત્રના છેક તળિયા સુધી સિંચન થયું છે. શાસકો પોતે આવા નઘરોળ હોય, ત્યાં સામાન્ય કારકૂન કે કોન્સ્ટેબલ પાસે કાયદાના પાલનની અપેક્ષા વાંઝણી છે.”

March 24, 2018

AN OPEN LETTER : SC/ST Atrocity Act By Raju Solanki

By Raju Solanki  || 22 March 2018 at 9:09pm



Supreme Court of India has given an adverse judgement in the matter of the Atrocity Act. We have sent a letter to Member of Parliament from Gujarat Dr. Kirit Solanki urging him to promptly take action in this regard. The text of the letter is as follows:

  1. The recent judgement of Supreme Court of India in the matter of Atrocity Act is detrimental to aims and objectives of the Act.
  2. The apex court has observed that the said Act has been misused. This observation is very shallow and ill-founded. When acquittal rate is app. 96 percent and hardly 4 percent accused are punished, the so-called ‘misuse’ of the law is ‘fictitious’ and ’precarious.’
  3. In Gujarat, our personal experience with such cases is quite contrary to what ‘honourable’ judges assume on caste-based atrocities.
  4. We Dalits are the most vulnerable marginalised community, particularly in villages where feudal, casteist attitude prevails and entire political-administrative-police machinery gang up against Dalits.
  5. The present judgement would make Dalits more vulnerable against the hostile forces that need to be controlled as early as possible.
  6. We hope your initiative in this matter may stop ‘judicial extravagance’ and save lives of millions.


This letter will be faxed to all SC and ST MPs

બાવાલોલી, સૌચાલય અને અશરફ (In Gujarati & English)

By Raju Solanki  || 23 March 2018 


બાવાલોલી, સૌચાલય અને અશરફ

અમદાવાદમાં સપ્તર્ષિ સ્મશાનગૃહ પાસે લવલવીના છાપરામાં એક હજાર ગરીબ પરિવારો વસે છે. બધી જ જાતિ, કોમ, ધરમના. એમને સપ્તર્ષિનો ઉચ્ચાર કરતાં પણ નથી આવડતું. સપ્તર્ષિના બદલે સતપ્સી બોલે. અને આમેય અમે અમદાવાદીઓ તો વર્ષોથી આ સ્મશાનને બાવા લોલીના સ્મશાનના નામે જ ઓળખીએ છીએ.

આ લવલવીનગરના અર્સને ગઈ સાલ આરટીઈ એક્ટ હેઠળ 25 ટકામાં ખાનગી શાળામાં મફત પ્રવેશ મળેલો. પરંતુ, ગુગલ મેપની ખામીને કારણે એના ઘરથી આઠ કિમી દૂર છેક મણિનગરની ટ્રિનિટી શાળામાં સરકારે એને ધકેલ્યો. અર્સનો પિતા અશરફ ઘી કાંટામાં રેડીમેડ ગારમેન્ટની ફેક્ટરીમાં કામ કરે છે. રોજ નોકરી જતા પહેલાં અર્સને ઘરેથી સ્કુલમાં મુકી જાય અને બપોરે ફેક્ટરીથી એના શેઠનું કે મિત્રનું બાઇક લઇને અર્સને સ્કુલેથી પિક અપ કરીને ઘરે મુકીને પાછો નોકરી પર જાય. એક વર્ષ સતત દોડાદોડી કરીને અશરફ કંટાળી ગયો. અર્સને સ્કુલમાંથી ઉઠાડી મુકવાનો નિર્ણય કર્યો. સ્કુલે કહ્યું કે ઉઠાડી મુકો, વાંધો નહીં, પરંતુ અમને લખી આપો કે હવે પછી હું આરટીઈનો લાભ લઇશ નહીં. અશરફ બહુમાળી મકાનમાં ડીઈઓની કચેરીએ ગયો. એમણે હાથ ઉંચા કરી દીધા. કહ્યું, ગાંધીનગર જાવ. અમારા હાથની વાત નથી. અશરફ ગાંધીનગર પણ ગયો. કઈ ઓફિસમાં ગયો એની એને ખબર નથી.

દરમિયાન અશરફના મમ્મી બિલ્કિસબાનુ મને વિકાસીની મંચની મીટિંગમાં મળેલા. આરટીઈની મારી વાત સાંભળીને એમને આશા જાગેલી. કાલે અશરફને લઇ મારા ઘરે આવ્યા. મેં બાલ આયોગની કચેરીને સંબોધીને પત્ર આપ્યો અને સમજાવ્યું કે આ કચેરી જુના સચિવાલયમાં આવેલી છે. ત્યાં જઇને કોઇને પણ પૂછજો. તમને બતાવી દેશે.

”મને ખબર છે, જુના સૌચાલય. મેં જોયું છે.”

”સૌચાલય નહીં. ભાઈ, સચિવાલય. ગાંધીનગરમાં બે સચિવાલય છે. જુનું અને નવું. સામસામે.”

આજે તેઓ અરજી લઇને જવાના છે.

અશરફ જેવા પચાસ કરોડ લોકો આ દેશમાં છે. તમામ જાતિઓમાં, ધરમોમાં. સમાજ વ્યવસ્થા એમનું શોષણ કરે છે. તેઓ ગારમેન્ટની ફેક્ટરીમાં જીન્સના ફેશનેબલ પેન્ટ બનાવે છે, પરંતુ એમની ભાવિ પેઢીને અભણ અને ગમાર જ રાખવાનું ષડયંત્ર રચાઈ ચૂક્યું છે.

- Raju Solanki


In English :-

Bavaloli, Sauchalay and Ashraf

A thousand poor families live in the 'Lavlavi na Chhapra' slum near the Saptarshi Crematorium in Ahmedabad. They belong to all castes, communities and religions. They don't even know how to pronounce 'Saptarshi' and instead call it 'Satpasi'. In any case, we Amdavadis have known this crematorium as the Bava Loli crematorium for years.

Arsh from this Lavlavinagar got admission in a private school under the 25% rule of the RTE last year. But because of a glitch in Google maps, the government pushed him off to Trinity School right in Maninagar, 8 km from his home. His father, Ashraf, works in a readymade garments factory in Gheekanta. He dropped Arsh to school every morning before going to work, and every afternoon he would borrow his boss's or a friend's bike, pick Arsh up from school, drop him off home, and return to work. After a year of such running around, Ashraf was fed up. He decided to take Arsh out of school. The school agreed to this, but they said that they wanted it in writing that Arsh would never again want admission to another private school under the RTE. Ashraf went to the DEO's office. That office refused to take any action and said it was out of their hands. They told Ashraf to go to Gandhinagar. Ashraf went to Gandhinagar too, though he does not know the name of the office he went to.
In the meanwhile, I met Ashraf's mother, Bilkisbanu, at a meeting of the Vikasini Manch. My talk on the RTE Act gave her some hope. She brought Ashraf over to my place. I gave them a letter addressed to the Bal Aayog, and explained to him that the office is located in the Old Sachivalay (Secretariat) building. He could go there and ask anyone about it, they could guide him.

"Yes, Old Sauchalay. I have seen it."

"Not Sauchalay, my friend, Sachivalay. There are two Sachivalays in Gandhinagar. Old Sachivalay and New Sachivalay. They are on opposite sides of the road."

They are taking the application there today.

There are 50 crores people like Ashraf in this country. They belong to all castes and all religions. The social structure exploits them. They work in garment factories to make fashionable jeans, but there is a conspiracy afoot to keep their future generations illiterate and backward.

Translated By  Anita Dixit

March 20, 2018

महाड़ जल सत्याग्रह 20 मार्च,1927

By Vishal Sonara || 20 March 2018

91 साल पहले आज के दिन, 20 मार्च,1927 ...को बाबा साहब डॉ. अम्बेडकर ने करोड़ों अछूतों को पानी पीने का अधिकार दिलाया जो महाड़ जल सत्याग्रह के नाम से जाना जाता है। 
धर्मांध लोगो की मानसिकता समझने लायक है, जिस तालाब का पानी जानवर तो पी सकते थे लेकिन अछूत समाज के लोग नहीं..!!! अछूत गंदा और हानिकारक पानी पीने पर मजबूर थे...!!! 
बाबा साहब ने 20 मार्च 1927 को अपने अनुयायियों के साथ खुद "चवदर तालाब" का पानी पीकर इस प्रथा को तोड़ा और सत्याग्रह की मिसाल कायम की।
हिन्दू समाज के लिए कितनी शर्मनाक बात है ये की पानी पीने के हक के लिए लोगों को अपना खून बहाना पड़ा था। क्योकि जब बाबा साहब और उनके साथी महाड तलाब पर पानी पिने गए तो पंडितों ने सत्याग्रहीयो पर ईंट-पथ्थरों से हमला कर दिया जिससे बाबा साहब बुरी तरह से घायल हो गए थे परन्तु वो वहा खड़े रहे और कहा, "पानी पीना हमारा भी अधिकार है और ये अधिकार मै ले कर रहुगा।"

उसके बाद बाबा साहब ने अंग्रेजों से कानून पास करवाया के अछूत लोग भी कुएं तालाबों में से पानी पी सकते है। 
ईस से पहले का जो भी महान इतिहास हमें दिखाया जा रहा है वह किस काम का जब उसमें एक बडे तबक्के को साफ सुथरा पानी तक नसीब न हुआ???

हमें ये कभी नहीं भूलना चाहिए कि हमे पानी पिने का अधिकार बाबा साहब डॉ भीमराव अम्बेडकर ने दिया है किसी ब्रह्मा विष्णु महेश ने नही। 
- विशाल सोनारा 

March 14, 2018

मानसिक रोगियों , आरक्षण को बदनाम करना बंद करो

By Vishal Sonara || 13 March 2018



ये 12 मार्च 2018 को डिकलेर हुआ GPSC क्लास 1 और क्लास 2 के रिजल्ट का एनालीसीस है. अक्सर आरक्षण के बारे मे लोगो के दिमाग मे गलत धारणाए होती है. आईये देखते है वो धारणाए कितनी गलत या सही है.

➡️ ओपन कैटेगरी पुरुष के लिए कट ऑफ है 463.50
  • SC पुरुष के लिए 463.00 , 0.50 मार्क्स का फर्क है, पुरा एक मार्क भी नही.
  • SEBC पुरुष का कट ऑफ 450.25 , इस मे 13.25 मार्क्स का फर्क.
  • ST पुरुष का कट ऑफ 410.50 , इस कैटेगरी मे 53 मार्क्स का फर्क है


➡️ ओपन महिला के लिए कट ऑफ है 454

  • SC महिला का कट ऑफ 449,  जो की ओपन के कट ऑफ से 5 मार्क्स ही कम है.
  • SEBC महिला का कट ऑफ 434.50,  इस मे 19.50 मार्क्स का फर्क है.
  • ST महिला का कट ऑफ 391.75, जो की 62.25 मार्क्स का फर्क होता है. 

इस तरह मार्क्स मे फर्क कैटेगरी के हिसाब से अलग अलग है, जो की आधे मार्क से लेकर 62.25 मार्क्स तक जाता है. अब कुल मार्क्स होते है 1000 इस मे से ज्यादा से ज्यादा फर्क रहता है 62.25 मार्क्स का तो परसेंट के हिसाब से देखे तो डिफरेंस 6.225% बनता है. 0.05 से लेकर 6.225% तक का अंतर रहता है.
हार्दिक पटेल और कंपनी ने SC ST OBC जनता के बारे मे जो झूठ फैला रखा है कि 40% वाले नौकरी कर रहे हैं और 90% वाले रह जाते हैं. तो ये सब अगर दिमागी दिवालीयेपन के बीना देखा जाए तो हार्दिक पटेल की झूठी बातों से दुर दुर तक कनेक्शन नही बनता. मुजे तो शक है अनपढो को परसेंट और मार्क्स मे फर्क भी पता होगा या नही.

इस तरह का जुठ लंबे समय तक फैलाने के प्रायश्चीत स्वरुप हार्दिक पटेल को आरक्षण प्राप्त वर्गो की (जो की इस देश के 85% लोग है) माफि मांगनी चाहिए.


अब रीजल्ट का थोडा डेटा एनालीसीस करते है.
टोटल 335 केंडीडेट सफल हुए.
उसमे "24 SC" , "53 ST", "104 OBC" और "2 विकलांग" (1 विकलांग SEBC मे सामील है) है.
और बाकी के "152 ओपन" कैटेगरी के उम्मीदवार.

इन 152 ओपन उम्मीदवारों मे सभी की सरनेम के अनुसार य देखा जाए तो 28 सरनेम ही पटेल है, बाकी की पेटा सरनेम वाले पटेल जाति के लोग अलग से. जैसे की रोल नं 106082046 की सरनेम इटालीया है, वो सरनेम पटेल जाति मे आती है. बाकी के लोगो की सरनेम मे ज्यादातर सवर्ण सरनेम ही है जैसे की शाह, भट्ट, देसाई, दवे, त्रीवेदी वगैरह है. आबादी अनुसार देखा जाए तो जीनकी 15% से भी कम पॉप्युलेशन है वो सब से ज्यादा सीटो पर कबजा किए हुए है.
इस बात पर कोई शक नहीं कि अगर रीजर्वेशन न होता तो SC ST OBC मे जो लोग सफल हुए है उनकी जगह पर भी ये ही लोग होते. इस लिए आरक्षण कोइ कम प्रतिभा वालो को बडे पदो पर बीठा देने का मामला नही है पर वो प्रतिनप्रति प्रदान करने की संवैधानिक व्यवस्था है. वैसे भी ज्यादातर अनामत कैटेगरी के लोगो के इंटर्व्यु के मार्क्स देख कर ही पता चल जाता है की गपला कहा हो रहा है.

अब नौकरी मे आरक्षण से चयनीत उम्मीदवारों की प्रतिभा के बारे मे थोडे उदाहरण :
  • एससी कैटेगरी से रोल नं 116160435 दिव्यप्रकाश गोहिल है, जीनके टोटल मार्क्स है 500.25, अब ओपन कैटेगरी मे 129 लोग ऐसे है जीनको 500.25 से कम मार्क्स आए है फिर भी उनका सीलेक्शन हो चुका है. 
  • ओबीसी कैटेगरी से रोल नं 126227664 कुमारी सरयु को 512 मार्क्स है, ओपन कैटेगरी मे 152 मे से 145 लोगो से आगे है. सिर्फ 7 लोग ही उनके आगे है, 145 ओपन कैटेगरी वाले इनसे कम मार्क्स होते हुए भी चयनीत हो गए है. 
  • एसटी कैटेगरी मे रोल नं 132292087 कौशीक जादव का है, उनके मार्क्स है 462.25. वो ओपन कैटेगरी के 17 लोगो से आगे चल रहे है. उनसे भी कम मार्क्स वाले 17 लोग ओपन कैटेगरी मे चयनीत हुए है. 


आप ही बताओ कौन ज्यादा प्रतिभा लेकर नौकरी कर रहा है और कौन कम????

आरक्षण के नाम पर लोगो मे सनसनी फैलाकर अपनी राजनीती चमकाते रहना बहोत पुरानी आदत बन चुकी है कुछ लोगो की. उनकी औलादे भी ये ही कर रही है. बच के रहीए इनसे.

- विशाल सोनारा

Download Result from Here

કોન્ગ્રેસ અને ગાંધીજીની ચાલાકીઓ..!!!

By Jigar Shyamlan ||  11 March 2018 at 11:39am





ભારતમાં અસ્પૃશ્ય સમાજના લોકોની સમસ્યાઓ, તકલિફો અને અસ્તિત્વને ઓળખ આપવા સૌથી ફળદાયી પ્રસંગોની યાદી બનાવવી હોય તો ગોળમેજી પરિષદોનુ નામ પ્રથમ હરોળમાં આવે.

ભારતના અસ્પૃશ્ય સમાજના પ્રતિનીધી તરીકે ડો. બાબા સાહેબ આંબેડકરે યોજાયેલ ત્રણેય પરિષદોમાં ભાગ લીધો હતો.

ગોળમેજી પરિષદોએ ભારતના અસ્પૃશ્યોની સમસ્યાઓને સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે અસરકારક પ્લેટફોર્મ પુરૂ પાડેલુ.

પહેલી ગોળમેજી પરિષદમાં બાબા સાહેબની ધારદાર રજુઆતોના પગલે ભારતના અસ્પૃશ્યોના પ્રશ્નોને રાષ્ટ્રીય સમસ્યા અને અસ્પૃશ્યોનાં અલગ અસ્તિત્વનો સ્વિકાર કરવામાં આવ્યો હતો.

ગોળમેજી પરિષદની કામગીરીથી બાબા સાહેબ અપાર પ્રસિધ્ધી પામ્યા હતા. સમગ્ર વિશ્વમાં બાબા સાહેબનું નામ ગાજવા લાગ્યુ હતુ.

બીજી ગોળમેજી પરિષદ યોજાવાની હતી તે પહેલા નાં આ અરસામાં મોહનદાસ કરમચંદ ગાંધી ઉર્ફે મહાત્મા ગાંધીએ પત્ર લખી બાબા સાહેબની મુલાકાત માંગી હતી. 1931ની 14 ઓગસ્ટના રોજ મુંબઈના મણિભવનમાં આ મુલાકાત થઈ હતી.

બાબા સાહેબની સાથે દેવરાવ નાઈક, દાદા સાહેબ ગાયકવાડ, મટકેબુવા પ્રધાન, શિવવતરકર અને રણખાંબે પણ હતા.

શરીરે એકસૌ છ ડિગ્રીનાં તાવમાં ફફડતા હોવા છતાં બાબા સાહેબ આ મુલાકાત માટે ગયા હતા. આ મુલાકાતમાં અસ્પૃશ્યોની સમસ્યા અને નિવારણ બાબતે લંબાણપુર્વકની ચર્ચા થઈ.

ખબર નહી પણ કેમ..???? આ ચર્ચા માં ગાંધીજીને બાબા સાહેબ આંબેડકરના અસ્પૃશ્યોદ્ધારના વિચારો ન ગમ્યા.

ખાસ તો બાબા સાહેબે અસ્પૃશ્યો માટે માંગણી કરેલ અલગ મતાધિકારની વાત ગાંધીજીને પસંદ આવી ન હતી.
બીજી તરફ ગાંધીજી અને તેમની કોન્ગ્રેસ જે રીતે અસ્પૃશ્યોનો કહેવાતો ઉધ્ધાર કરવા માંગતી હતી તેમની વાતોથી બાબા સાહેબ સહેજેય પ્રભાવિત ન થયા હતા..

આમ એક વિવાદીત માહોલમાં આ મુલાકાત પુરી થઈ.
મુલાકાતને અંતે એક વાત સાફ હતી. ગાંધીજી અસ્પૃશ્યોને અલગ મતાધિકાર આપવામાં આવે તેના વિરોધમાં હતા.

બીજી બાજુ બાબા સાહેબ આ મતાધિકાર અસ્પૃશ્યોને મળે તે માટે શક્ય તમામ પ્રયાસ કરવા સજ્જ હતા.
ગાંધીજીએ બાબા સાહેબના વિચારો જાણી લીધા તે દિવસથી જ મહાત્માજીએ પહેલી ગોળમેજી પરિષદમાં બાબા સાહેબે કરેલ રજુઆત અને માંગણી મુજબ અસ્પૃશ્યોને અલગ મતાધિકાર ન મળે તે દિશામાં પોતાની તમામ તાકાત કામે લગાડી દેવાની શરૂ કરી દીધી હતી.
કદાચ ગાંધીજીની આ વૃત્તિ આવનારા સમયમાં અસ્પૃશ્યો અને તેમના અધિકાર માટે લડી રહેલ બાબા સાહેબ માટે એક આફત લઈ આવનાર હતી. જેનાથી ગાંધી સદાયને માટે અસ્પૃશ્યોના દુશ્મન બનવાના હતા.

ગોળમેજી પરીષદ મા ગાંધી અને કોન્ગ્રેસના કાવા દાવા

By Jigar Shyamlan ||  11 March 2018 at 11:39am



ઈતિહાસ તો આ બન્ને સવાલનો જવાબ સદા ગાંધીજી પાસેથી માંગતો રહેશે. પરંતુ હું પણ એક અસ્પૃશ્યની હૈસીયતથી આ બે સવાલ ગાંધીજીને અવશ્ય પૂછવા માંગીશ.

પ્રથમ ગોળમેજી પરીષદમાં બાબા સાહેબ સમગ્ર ભારતના અસ્પૃશ્યોનો અવાજ બનીને તેઓની સમસ્યાઓ રજૂ કરવામાં સફળ રહ્યા હતા. આ કારણથી અસ્પૃશ્યોની સમસ્યાઓના નિવારણ માટે યોજાનારી બીજી ગોળમેજી પરીષદ અત્યંત મહત્વની બનવાની હતી.

બીજી પરીષદમાં ગાંધીજીએ કોન્ગ્રેસના પ્રતિનિધી તરીકે ભાગ લીધો હતો. અસ્પૃશ્યોના પ્રતિનિધી તરીકે બાબા સાહેબ હતા. એ વાત ખાસ યાદ રાખવા જેવી છે કે કુલ ત્રણ ગોળમેજી પરીષદો યોજાઈ હતી અને આ ત્રણેય પરીષદોમાં બાબા સાહેબે ભાગ લીધેલો.

હવે આ બીજી ગોળમેજી પરીષદમાં 
(1). ફેડરલ સ્ટ્રક્ચર અને
(2). માઈનોરીટીઝ કમિટી આ બન્ને કમિટીઓનું કામ અતિ મહત્વપૂર્ણ રહેનારૂ હતું.

અહીં બીજી ગોળમેજી પરીષદમાં એક વાત ભારે આધાતજનક એ હતી કે ગાંધીજી જેને જે જોઈયે તે આપવા રાજી હતા પરંતુ અસ્પૃશ્યોને અલગથી મતાધિકાર આપવાની વાતનો ભારે વિરોધ કરી રહ્યા હતા.

આ અલગ મતાધિકાર એટલે અસ્પૃશ્યો પોતાના બે વોટનો ઉપયોગ કરી શકે. જે પૈકી એક વોટથી એ પોતાનામાંથી જ કોઈ યોગ્ય અસ્પૃશ્ય વ્યક્તિને ચૂંટી શકે, જ્યારે બીજા વોટથી અન્ય સામાન્ય ઉમેદવારને ચૂંટી શકે. ટુંક માં અલગ મતાધિકારને કારણે અસ્પૃશ્ય સમાજના લોકો પોતાનો ઉમેદવાર જાતે જ પસંદ કરી તેને ચૂંટીને સંસદમાં મોકલી શકે તેમ હતા.

આ પરીષદમાં અસ્પૃશ્યોને અલગથી મતાધિકાર ન આપવામાં આવે એના માટે ગાંધીજીએ કેટલાક કાવાદાવા પણ કર્યા હતા.

જેમાં ગાંધીજીએ મુસલમાનોની તમામ ચૌદ સુત્રીય માંગણીઓ કોઈ પણ જાતના વિરોધ વગર સ્વિકારી હતી. બદલામાં મુસ્લિમ પ્રતિનિધીઓ અસ્પૃશ્યોના અલગ મતાધિકારનો જબરજસ્ત વિરોધ કરે એવી બાજી ગોઠવી રાખી હતી.

ગાંધીજીના આ વલણથી બાબા સાહેબને ભારે આધાત લાગ્યો હતો. આ મામલો ઉકેલવા માટે અને ગાંધીજીને સમજાવવા માટે બાબા સાહેબે લંડનમાં ગાંધીજી સાથે ત્રણ ત્રણ વખત મિટીંગો કરી જોઈ હતી. કલાકોના કલાકો ચર્ચાઓ ચાલી હતી. પરંતુ ગાંધીજી ન તો કોઈ વાત સમજવા તૈયાર હતા, ન તો પોતાની હઠ છોડવા. 
અસ્પૃશ્યોને અલગથી મતાધિકાર ન મળે તે દિશામાં ગાંધીજીએ પોતાનો વિરોધ ચાલુ જ રાખેલો.

પરીષદમાં આ મૂદ્દે ઘમાસાણ યુધ્ધ જેવો માહોલ પેદા થઈ ગયો હતો. અસ્પૃશ્યોને અલગ મતાધિકાર ન મળે તે માટે ગાંધીજી નવા નવા દાવપેચ કરી રહ્યા હતા.

ગાંધીજીના આ વિરોધની પરાકાષ્ટા એ હતી કે ગાંધીજી મુસ્લિમોના પવિત્ર ગ્રંથ કુર્આનને સાથે રાખી મુસ્લિમ નેતા અને ધર્મગુરૂ આગાખાનની શરણમાં પણ ગયેલા. ગાંધીજી આગાખાન પાસે જઈ આજીજી કરી અપિલ કરવા લાગેલા કે તેઓ પણ અસ્પૃશ્યોના અલગ મતાધિકારનો વિરોધ કરવામાં સાથ આપે.
પરંતુ આગાખાને ગાંધીજીની આ માંગણીનો અસ્વિકાર કરીને સાફ શબ્દોમાં કહી દીધેલુ કે એવુ ન થઈ શકે.

એક તરફ એકલા બાબા સાહેબ, બીજી તરફ ગાંધીજી એમની કોન્ગ્રેસ અને અસ્પૃશ્યો વિરોધી જાતિવાદી સમાચારપત્રો.

આખરે કોઈપણ જાતનો નિર્ણય કર્યા વગર એક અનિર્ણાયક અવસ્થામાં ગોળમેજી પરીષદ પૂરી જાહેર કરવામાં આવી.

પરંતુ બાબા સાહેબ એમ હાર માને એમ ન હતા. એ ફરીથી લંડન પહોંચી ગયા. બ્રિટીશ પ્રધાનમંત્રી અને મંત્રીમંડળને મળ્યા. પોતાની શક્ય એટલી તમામ તાકાત લગાવીને અસ્પૃશ્યોને અલગથી મતાધિકાર આપવામાં આવે તે માટે દલીલો કરી હતી.

આ પછી 20 એપ્રિલ 1932 ના દિવસે એક જબરજસ્ત ધડાકો થયો. આ ધડાકો એવો હતો જેની ગૂંજ સાંભળી ગાંધીજીની હાલત કાપો તોય લોહી ન નીકળે થઈ ગઈ હતી.

બ્રિટીશ પ્રધાનમંત્રીએ કોમ્યૂનલ એવોર્ડની ઘોષણા કરી દીધી. જે કોમી ચૂકાદાના નામથી પણ ઓળખાય છે. જેમાં અસ્પૃશ્યોને અલગ મતાધિકાર આપવાની માંગણીનો સ્વિકાર કરવામાં આવ્યો હતો, જેનો ગાંધીજીએ ભરપૂર વિરોધ કર્યો હતો.

અસ્પૃશ્યોને માંગણી મુજબ અલગ મતાધિકાર મળી ગયો હતો. જેને રોકવા ગાંધીજીએ કરેલા તમામ પ્રયાસો અને દાવ પેચ ભૂંડી રીતે નિષ્ફળ ગયા હતા

આ હાર ગાંધીજી માટે જીરવવી સહેલી ન હતી. આખરે ગાંધીજીએ પોતાનો નવો દાવ અમલી બનાવ્યો.
અસ્પૃશ્યોને મળેલ અલગ મતાધિકારના વિરોધમાં પૂના જેલમાં બેઠા બેઠા ગાંધીજીએ આમરણ ઉપવાસ શરૂ કરી દીધા. પોતાને અહિંસાના સમર્થક અને મહાત્મા ઓળખાવતા ગાંધીજીએ અલગ મતાધિકારના વિરોધ કરતા આમરણ ઉપવાસ શરૂ કરીને ભયંકર માનસિક હિંસા કરવી શરૂ કરી દીધી.

અસ્પૃશ્યોના ઉધ્ધારની વાતો કરનારા મહાત્મા ગાંધીને બાબા સાહેબની અથાગ મહેનત, સંઘર્ષના ફળસ્વરૂપે અસ્પૃશ્યોને મળેલ અલગ મતાધિકારનો વિરોધ કેમ કરવો પડ્યો..???

ગાંધીજીનો વિરોધ હોવા છતા અસ્પૃશ્યોને અલગ મતાધિકાર મળ્યો હતો, તો આ મળેલ અધિકારોની વિરોધમાં ગાંધીજીને આમરણ ઉપવાસ ઉપર કેમ ઉતરવુ પડ્યું..???

ઈતિહાસ તો આ બન્ને સવાલનો જવાબ સદા ગાંધીજી પાસેથી માંગતો રહેશે. પરંતુ હું પણ એક અસ્પૃશ્યની હૈસીયતથી આ બે સવાલ ગાંધીજીને અવશ્ય પૂછવા માંગીશ.

રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ અને બાબા સાહેબ નો ભવ્ય પુરુષાર્થ

By Jigar Shyamlan ||  11 March 2018 at 11:39am


નવેમ્બર 1930 થી 1933 ના ગાળામાં ત્રણ ગોળમેજી પરિષદો ( રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ) લંડનમાં યોજાઈ હતી. જેમાં બાબા સાહેબની કાર્યવાહી ખુબ જ પ્રસંશનીય હતી.

અસંખ્ય મહાનુભાવો જેવા કે મજુર પક્ષના નેતા લેન્સબરી, વડાપ્રધાન રેમ્સે મેકડોનલ્ડ, ચર્ચિલ, ફિલિપ ચેરવુડ વગેરેને મળીને અસ્પૃશ્યોના પ્રશ્નો અને હકીકતોથી વાકેફ કર્યા હતા. સ્થાનિક સમાચારપત્રોને મુલાકાતો આપી તેમાં લેખો લખી અસ્પૃશ્યો માટે જનમત ઉભો કયોઁ હતો.

પોતાના પ્રવચન પુર્વે ગોળમેજી પરિષદની અલ્પ સંખ્યક વિષયક સમિતીને પત્ર લખી અસ્પૃશ્યો માટે બંધારણમાં

(1). સમાન મુળભૂત અધિકાર

(2). ભેદભાવપૂર્ણ વર્તન સામે રક્ષણ

(3). સરકારી નોકરીઓમાં પ્રતિનિધીત્વ

(4). વિધાનસભામાં બેઠકોમાં પ્રતિનિધિત્વ

(5). અસ્પૃશ્યોના અભ્યુદય માટે અલગ સરકારી વિભાગ

(6). સામાજિક બહિષ્કાર કરનારને સખત સજાની જોગવાઈ

(7). શોષણમુક્ત પ્રતિ સવિશેષ લક્ષ વગેરે જેવા અધિકારો આપવા રજુઆત કરી હતી.

ગોળમેજી પરિષદમાં અસ્પૃશ્યો વતી રજુઆત કરતા બાબા સાહેબે સ્પષ્ટ કહ્યું હતુ કે-

'' ભારતમાં અસ્પૃશ્યો વતી અમારી રજુઆત છે. ભારતમાં અસ્પૃશ્યોની વસ્તી ચાર કરોડ ત્રીસ લાખની છે. જે બ્રિટિશ ભારતનો પાંચમો ભાગ છે. અસ્પૃશ્યો મુસલમાનોથી અલગ છે તેમજ તેમનો સમાવેશ જો હિન્દુમાં કરવામાં આવે તો પણ તેઓ તેનો ભાગ નથી. અસ્પૃશ્ય વર્ગ એક અલગ એકમ છે, એટલું જ નહી પરંતુ ભારતનાં કોઈપણ વર્ગ કરતાં તેનું સમગ્ર અસ્તિત્વ જ અજીબ છે. અસ્પૃશ્ય વર્ગને જે જે દરજ્જો આપવામાં આવ્યો છે તે જુદા જ હિન પ્રકારનો છે. તેમનાંમાં પણ ભુદાસ કે ગુલામ છે પરંતુ તેમાં પણ જુદુ છે. આવાા ભુદાસ કે ગુલામોનો સ્પર્શ કરવામાં આવે છે, પરંતુ અસ્પૃશ્યોનાં સ્પર્શની પણ મનાઈ છે. અસ્પૃશ્યો પર જબરજસ્તીએ લાદવામાં આવેલી ગુલામગીરી અન્યાયી, અવર્ણનિય છે. સમાન તક તથા સમાન નાગરિક જીવનનો ઈન્કાર કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ કે ફ્રાન્સની જનસંખ્યા જેટલી તેમની જનસંખ્યા છે અને તેઓ પોતાનાં અસ્તિત્વ માટે ભયંકર સંકટો વેઠી રહ્યા છે. તેમના પ્રશ્નોનો નિકાલ થવો જ જોઈયે''

બાબા સાહેબના આ ભવ્ય પુરુષાર્થ, ધારદાર રજુઆત અને વિદ્વતાની ફળશ્રુતિ એ મળી કે અસ્પૃશ્યના પ્રશ્નોને રાષ્ટ્રીય સમસ્યા અને તેમના અલગ અસ્તિત્વનો સ્વિકાર કરવામાં આવ્યો.

સૌથી મોટી વાત ખુદ જાતને બદલવાની છે આ વાતને દરેક નજર અંદાજ કરે છે

By Jigar Shyamlan ||  10 March 2018 at 12:04pm


બાબા સાહેબે લગભગ 1935 સુધી તો હિન્દુ રહીને જ હિન્દુ ધર્મમાં સુધારા કરવા તેમજ ધર્મ દ્વારા શોષિત બનાવાયેલ સમાજના ઉત્થાન માટે અથાગ પ્રયાસ કર્યા હતા.

જાતિવાદનો નાશ એ પુસ્તકમાં ભારતની સામાજિક, આર્થિક, રાજકીય, ભૌગૌલિક તમામ આયામો પર અત્યંત ઝીણવટપૂર્વકના અભ્યાસ અને સંશોધન બાદ તેમણે જાતિવાદના સંપૂર્ણ નાશ માટે ધર્મ અને શાસ્ત્રોના ધ્વસ્તનો ઉપાય રજૂ કર્યો હતો.

બાબા સાહેબના આ દિશામાં પ્રયાસો લગભગ 1935 સુધી તો ચાલ્યા જ હતા. પણ આટલા બધા પ્રયાસો છતાં હિન્દુ સભા કે હિન્દુ સમાજ તરફથી આ બાબતે કોઈ પણ જાતનુ હકારાત્મક વાતાવરણ પેદા થયુ ન હતુ.

આખરે બાબા સાહેબ હિન્દુ સભાની આ ચાલ ઓળખી ગયેલા અને ત્યાર પછી એમણે ધર્માતરની વાત પર ભાર મૂકેલ.

13 ઓક્ટોબર 1935 માં યેવોલામાં ભરાયેલ પછાત સંમેલનમાં ડો. આંબેડકરે હિન્દુ ધર્મ ત્યાગ કરવાની ઇચ્છા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે- 
“મારો જન્મ અશ્પૃશ્ય હિન્દુ પરિવારમાં થયો જેની પર મારો અધિકાર ન હતો પરંતું હું સોગંદ ખાઇને પ્રતિજ્ઞા કરૂં છું કે હું એક હિન્દુ તરીકે ક્યારેય નહી મરૂં.''

આજે આપણામાંના કેટલાય લોકો એવા છે જેઓ પોતાની જાતને બાબા સાહેબ કરતા પણ વધુ હોંશિયાર અને સ્કોલર માનવા લાગ્યા છે. એ લોકોને બાબા સાહેબનુ નામ લેવુ પસંદ છે. બાબા સાહેબની વાતો કરવી પસંદ છે પણ માત્ર લોકોની ભીડ ભેગી કરવા સુધી જ.
કારણ સમાજ બહુ ભોળો છે. જય ભીમ.. જય ભીમ કરીને બાબા સાહેબનુ નામ દઈ વાત કરનારાઓમાં સમાજને પોતાનો ઉધ્ધારક દેખાય છે. એટલે સમાજ આલીયા માલીયા ગમે તેવાની વાતોમાં આવી જઈ એને સમાજનો નેતા કે મસિહા કે ઉધ્ધારક બનાવી દે છે.
કેટલાક તો સમાજને બદલવાની કે સુધારવાની વાતો કરે છે, પરંતુ બાબા સાહેબે બતાવેલ રસ્તા ઉપર ચાલ્યા વગર.

એસ.સી. સમાજ પણ અનેક પેટાજાતિઓમાં વહેંચાયેલ છે. કેટલાક લોકો એસ.સી. સમાજના કુરિવાજો દૂર કરવાની વાત કરે છે. કેટલાક અરસપરસ લગ્ન કરવાની વાતોને પ્રોત્સાહન અને સર્મથન આપતા જોવા મળે છે. આ બધાની વાતો સાંભળી મને તો હસવુ અને રડવુ બન્ને આવે છે. આવી વાતો કરનારા મહાનુભાવો મને હંમેશા બાબા સાહેબથી પણ વધુ હોંશિયાર અને સ્કોલર લાગે છે.

સૌથી મોટી વાત ખુદ જાતને બદલવાની છે આ વાતને દરેક નજર અંદાજ કરે છે.

શરૂઆતમાં અનેક પ્રયાસો, કાર્યક્રમ અને આંદોલન પછી સ્વમાન અને સન્માનપૂર્વક જીવન વ્યતિત કરવાના માર્ગ તરીકે બાબા સાહેબે ધર્માતરણનો રસ્તો જ અપનાવ્યો હતો. બાબા સાહેબ પોતે બૌધ્ધ બની ગયા હતા.

બૌધ્ધ બનવાની વાત આવે એટલે સમાજને સુધારવા અને એકતાની વાતો કરનારા મહાનૂભાવો ન જાણે ક્યા જઈને સંતાઈ જાય છે કે ગોત્યા જડતા નથી.

શેરલોક હોમ્સ જેવુ પાત્ર : કલ્પના અને હકીકત

By Jigar Shyamlan ||  6 March 2018 at 9:25am



જે લોકોને વાંચનનો શોખ હશે, એમાંય રહસ્યમય કથાઓ એમના માટે "શેરલોક હોમ્સ"નું નામ કદાચ અજાણ્યુ નહી હોય.

મુળ શેરલોક હોમ્સ એ અંગ્રેજી રહસ્યકથાનુ એક ડિટેક્ટીવ પાત્ર છે.

જે ભલ ભલી રહસ્યમયી ધટનાઓના તાળા મેળવી દે છે. અપરાધીએ ગમે તેટલી હોંશિયારીથી અપરાધ કર્યો હોય, કોઈ પુરાવો ન રાખ્યો હોય તો પણ શેરલોક હોમ્સ પોતાની ઝીણવટભરી નિરીક્ષણની ટેવ અને કુશાગ્ર બુધ્ધીથી ગમે તે કેસ સોલ્વ કરી દેતા.

શેરલોક હોમ્સ અને તેનો સાથીદાર જોન વોટસન, શેરલોક હોમ્સની તમામ કથાઓ તેના સાથીદાર વોટસન કહેતો હોય તે શૈલીમાં લખાયેલી છે. હોલીવૂડમાં શેરલોક હોમ્સની ફિલ્મો પણ બનેલી છે.

ગુજરાતીમાં સાહીત્યકાર રમણલાલ સોનીએ શેરલોક હોમ્સની વાર્તાઓના ગુજરાતી અનુવાદો આપ્યા છે.

આ શેરલોક હોમ્સ નામના પાત્રને કાગળ પર ઉતારી તેની રહસ્યમયી વાર્તાઓ ધડનાર લેખક આર્થર કોનન ડોયલ.
આર્થર કોનન ડોયલ વ્યવસાયે ડોક્ટર, દવાખાનામાં પેશન્ટોની ઓ.પી.ડી. પતાવી નવરાશના સમયમાં આ વાર્તાઓ વખતા.

આ વાર્તાઓએ અને શેરલોક હોમ્સના પાત્રે લોકોને જબ્બર ઘેલુ લગાડેલુ. ત્યાં સુધી કે વાર્તાઓમાં લખેલ કાલ્પનિક પાત્ર શેરલોક હોમ્સ ખરેખર અસ્તિત્વ ધરાવતુ હોવાનુ લોકો માનતા હતા.

તેની વાર્તામાં બતાવેલ હોમ્સના કાલ્પનીક સરનામા 221 B,બેકર સ્ટ્રીટ પર લોકો ખરેખર એને મળવા અને શોધવા આવતા હતા. આજે પણ ચાહકો ત્યાં મુલાકાત લેવા જાય છે, જો કે એ શેરલોક હોમ્સનુ આખુ પાત્ર અને સરનામુ કાલ્પનિક હતુ.

એક વખત લેખક આર્થર કોનન ડોયલે વાર્તાને ન્યાય આપતા શેરલોક હોમ્સને મરણ જતો બતાવેલો અને વાતઓ પુરી કરવા પ્રયાસ કર્યો હતો પણ શેરલોક હોમ્સના ચાહકોને શેરલોક હોમ્સનુ મરણ જરા પણ ગમેલ નહી. પછી લોકોએ એટલો જબરજસ્ત વિરોધ કરેલો કે મરણવાળી વાર્તાને ક્રમશ: આગળ વધારી શેરલોક હોમ્સને ફરીથી જીવતો કરવો પડેલો.

કદાચ વાર્તામાં મરણ પામેલ કોઈ પાત્ર લોક લાગણીને કારણે ફરીથી જીવંત કરવુ પડે તેવો આ પ્રથમ પ્રસંગ હશે.

હવે મુખ્ય મુદ્દાની વાત કરીએ લખાણ અને રજૂઆત કેટલીય વખત લોકો પર એવી જબરજસ્ત અસર જન્માવે કે લોકો એને ભુલી શકતા નથી. અને કલ્પના હોવાની ખબર છતા તેને સત્ય માનવા પ્રેરાય છે.

આ આખી વાત એટલા માટે યાદ આવી ગઈ કારણ આપણાં સમાજમાં પણ ભૂતકાળમાં કેટલાક વિદ્વાનોએ લખેલ ગ્રંથો બાબતે સમાજમાં આવી જ કેટલીક માન્યતાઓ છે. કલ્પનાની ઉડાન હોવા છતાં પણ લોકો તેને સાચુ માને છે.. અમુક તો પુજન પણ કરતા આવ્યા છે.

ખરેખર આ બધા જ ગ્રંથો શ્રૂતિઓ, સ્મૃતિઓ,.બ્રાહ્મણ ગ્રંથો, રામાયણ, મહાભારત, ગીતા, આટલા બધા પુરાણો કલ્પનાની હકીકત છે કે પછી હકીકતની કલ્પના...??
સવાલ વિચારવા જેવો છે.
- જિગર શ્યામલન

વિચારધારા અને વૈચારીક પરિવર્તન

By Jigar Shyamlan ||  6 March 2018 at 9:25am


કોઈ પણ વિચારધારા સાથે જોડાવા માટે બે રસ્તા છે.

(1).વૈચારીક પરિવર્તન કરી વિચારધારાને અનુસરીને.

(2).વૈચારીક પરિવર્તન કર્યા સિવાય ભાવનાત્મક રીતે ખેંચાઈને.

આજે સમાજમાં લોકો બાબા સાહેબ આંબેડકરની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે. પણ એકંદરે સમગ્ર માહોલ જોતા એવુ ચોક્કસ લાગે કે લોકો વૈચારિક પરિવર્તન કર્યા વગર જ વિચારધારાકીય રીતે નહી પણ ભાવનાત્મક રીતે જોડાઈ રહ્યા છે.

આપણે આ બન્ને વચ્ચેનો ભેદ સ્પષ્ટ સમજવો પડશે. કારણ વૈચારિક પરિવર્તન કર્યા સિવાય ભાવનાત્મક જોડાણ તમને ભક્ત બનાવી ભક્તિ કરવા પ્રેરશે, જ્યારે વૈચારીક પરિવર્તન કરી વિચારધારામાં જોડાણ તમને આપોઆપ અનૂયાયી બનાવશે.

મિત્રો વિચારધારાને સમજ્યા વગર ખાલી જય ભીમ જય ભીમ કર્યા કરવુ એ એક પ્રકારની ભક્તિ જ છે. અને આપણે આ પ્રકારની ભક્તિથી તો દૂર જ રહેવાનુ છે.

આ પરિસ્થીતી નિવારવા સૌથી પહેલા તો બાબા સાહેબ આંબેડકરને વાંચવા પડશે. એમને સમજવા પડશે. જ્યાં સુધી આપણે સ્વયં વાંચીને સમજીશુ નહી ત્યાં સુધી આપણે વિચારધારાની સમજ નહી કેળવી શકીએ.

(૧). આપણે જય ભીમ કરીએ છીએ પણ પોતાની પેટાજાતિનું સ્વયં ગૌરવ લઈએ છીએ.

(૨). આપણે જય ભીમ જય ભીમ કરીએ છીએ અને બાબા સાહેબે જેમનાથી દૂર રહેવાની ચેતવણી આપી છે તેઓને પ્રત્યક્ષ કે પરોક્ષ સપોર્ટ કરીએ છીએ.

(૩). આપણે જય ભીમ જય ભીમ કરીએ છીએ ખુદને નાસ્તિક કે રેશનલ ગણાવીએ છીએ અને બાબા સાહેબે જબરજસ્ત અભ્યાસ પછી અપનાવેલ બુધ્ધીઝમ બાબતે મીંઢુ મૌન સેવીએ છીએ.

(૪). આપણે જય ભીમ જય ભીમ કરીએ છીએ પણ ચુંટણી ટાણે પોત પોતાના પક્ષોમાં, પોતપોતાની છાવણીઓમાં જતા રહીએ છીએ.

(૫). આપણે જય ભીમ જય ભીમ કહીને ખુદ માટે અને સમાજ માટે વારંવાર દલિત.. દલિત શબ્દ વાપરીએ છીએ.

મિત્રો કોઈ મૂદ્દે રસ્તા ઉપર આવી જવુ, રેલીઓ કાઢવી, ધરણાં કરવા કે ચક્કાજામ કરવો એ આંબેડકરની વિચારધારા નથી.

પહેલા આંબેડકરને વાંચવા પછી આંબેડકરને સમજવા અને ખુદમાં વૈચારિક પરિવર્તન કરવુ બાદ આંબેડકર શું કહી ગયા એ વાતને લોકો વચ્ચે જઈ રજૂ કરી લોકોને વિચારધારાની પ્રેરણા આપવી એ જ આંબેડકરવાદ.

March 13, 2018

ગટરમાં મરતા સફાઈ કામદારોને વળતર માટેની બે દાયકાની લાંબી લડત સફળ થશે

By Raju Solanki  || 11 March 2018 at 9:44pm 



પૂરતા સુરક્ષા સાધનો વિના ગટરમાં ઉતરતા અને ઝેરી ગેસથી ભયાનક મૃત્યુને ભેટતા સફાઈ કામદારોની રક્તરંજિત યાદી 2003માં વાલ્મીકિ સમાજના ઉત્સાહી, પ્રતિબદ્ધ અને લડાકુ કર્મશીલ પરસોત્તમ વાઘેલાએ વર્ષ 2004માં મને આપેલી. આ યાદી મેં મારા પુસ્તક ‘ભગવા નીચે લોહી’માં સામેલ કરેલી. ગુજરાતમાં હિન્દુ હ્રદય સમ્રાટ નરેન્દ્ર મોદીના શાસનમાં સફાઈ કામદારોની ભયંકર હાલત ઉજાગર થઈ હતી. અને ત્યારે ‘ભગવા નીચે લોહી’ની પાંચ હજાર નકલો છપાવીને વિના મૂલ્યે કર્મશીલોમાં વહેંચવામાં આવેલી. આ પુસ્તકનો અંગ્રેજી ભાવાનુવાદ Blood under Saffron છપાયો અને એમાં પણ યાદી છપાઈ હતી. ગુજરાતી અને અંગ્રેજી બંને પુસ્તકો મારા બ્લોગ્સ પર મેં મુકેલા અને ત્યાર બાદ નવી દિલ્હી સ્થિત રાઉન્ડ ટેબલ ઇન્ડીયા વેબસાઇટ પર સાદ્યંત પુસ્તક મુકાયેલું. આમ, આ યાદી સમગ્ર દેશમાં અને દુનિયામાં લોકો સુધી પહોંચી ગયેલી. અને નેટ પર ઘણા લોકોએ લેખકનો આભાર માન્યા વિના પોતાના નામે પોસ્ટ કર્યે રાખી હતી. 2010માં દલિત અગ્રણી વાલજીભાઈ પટેલે રાઇટુ ટુ ઇન્ફર્મેશન હેઠળ આ તમામ અપમૃત્યુની એફઆઈઆર જે તે પોલિસ સ્ટેશનોમાંથી મેળવેલી અને તેમણે પણ ગુજરાત સરકારને આવેદનપત્ર આપેલું. એ વખતે ગટરમાં થતા અપમૃત્યુના બદલામાં વળતર પેટે રૂ. 10 લાખની માગણી પણ અમે લોકોએ કરી હતી. આમ, વિવિધ વાલ્મીકિ-દલિત સંગઠનો અને કર્મશીલોની છેલ્લા બે દાયકાની લડતને પરિણામે સરકાર હવે મૃતકોના સ્વજનોને વળતર ચૂકવશે. આ ઉમદા લડતમાં યત્કિંચિત ફાળો આપનારા તમામ કર્મશીલોને સલામ. જય ભીમ.









Blood under Saffron: The myth of Dalit-Muslim confrontation Links :-

ગામડાના દલિતોની રણનીતિ. કેટલાક વિચારો

By Raju Solanki  || 10 March 2018 at 8:31pm



સૌરાષ્ટ્રના ગામડાઓમાં દલિતો પર દિનપ્રતિદિન અત્યાચારો વધી રહ્યા છે. આવા સંજોગોમાં દલિતોએ શું કરવું? સૌરાષ્ટ્રના એક ગામમાં દલિત સૈનિકે જુગાર રમતાં લોકોને ઠપકો આપ્યો અને એની છાતી ચાળણી થઈ ગઈ. સૈનિકના માબાપ ગાંધીનગરમાં ધરણા પર બેઠા, ત્યારે એક ગુજરાતી અખબારે લખેલું કે સૈનિકે જુગારીઓ જોડે ઉદ્ધત વર્તન કરેલું. ખરી વાત છે. સૈનિકે શા માટે ઠપકો આપ્યો? એણે જુગારીઓને ઠંડુ પાણી પીવડાવવું જોઇતું હતું. એ પોતે મીલીટરીમાં હતો. કેન્ટોનમેન્ટમાંથી દારુ લાવીને જુગારીઓને પીવડાવવાનો હતો. જુગારીઓ બાપડાં પત્તા રમતા હતા. જન્માષ્ટમીએ તો આખો સમાજ પત્તા રમે છે. અને ભાજપ-કોંગ્રેસ તો વિધાનસભામાં દાયકાઓથી, મજેથી પત્તા જ રમે છે. દર પાંચ વર્ષે પત્તા ચીપાય છે. ટાઇમ્સ ઑફ ઇન્ડીયા એને લોકશાહીનું નૃત્ય (dance of democracy) કહે છે. હું એને લોકશાહીનો જુગાર (gambling of democracy) કહું છું. અહીં કોંગ્રેસ જીતે કે ભાજપ જીતે, હોડમાં પ્રજા જ મુકાય છે અને છેલ્લે પ્રજાની જ હાર થાય છે. લાસ વેગાસના કોઈપણ કાસિનો કરતા પણ મોટી હેરાફેરી અહીં થાય છે. 
*
થાનગઢમાં આગલા દિવસે મેળામાં દલિતો અને ભરવાડના જુથો વચ્ચે મારામારી થયેલી. મેહુલના પોસ્ટમોર્ટમના રીપોર્ટમાં લખેલું કે એને છાતી પર ઇજા થઈ હતી. એણે ઘરે આવીને કોઇને કહેલું પણ નહીં. રાત્રે પંકજને પોલિસે ગોળી મારી. બીજા દિવસે દલિતો પોલિસની સામે ધસી ગયેલા, એમાં મેહુલ પણ હતો. પોલિસના હાથમાં એકે-47 અને દલિતોના હાથમાં બાવળીયાના ઝાંખરા. કેટલું ભયાનક ઝનુન. પરિણામ કેટલું વિકરાળ. 
*
દલિતોને ક્યાંક મૂછો વધારવાથી માર પડે છે. મૂછો શા માટે રાખો છો? ‘વાણીયાભાઈની મૂછ નીચી’ કહેનારા વાણીયા આજે રાજ કરે છે અને મૂછો પર લીંબુ ઠેરવતા દરબારો પડીને પાધર થયા છે. દરબારોની નકલ કરવા કરતા વાણીયાની કરો. બંને વર્ણવ્યવસ્થાના જ પ્રતીકો છે. તમારે તો નકલ જ કરવી છે ને? તો મૂછ વિનાનું પ્રતીક શું ખોટું? નકલમાં તો અકલ રાખો. 
*
ઉનામાં બાલુબાપાને માર પડ્યો. હજુ ઘરમાં માયાવતીનો ફોટો રાખે છે. શરમ નથી આવતી બાલુભાઈને. અરે ભાઈ, ઘરમાં નરેન્દ્ર મોદીનો ફોટો રાખો. મોદીનો ના રાખવો હોય તો રાહુલજીનો રાખો. તેઓ આવતી કાલે વડાપ્રધાન બનવાના છે. જાણીતા વિદ્વાન કટાર લેખકો, ઊંડા રાજકીય વિષ્લેષકો, લબ્ધ પ્રતિષ્ઠિત સમાજશાત્રીઓ એક અવાજે કહી રહ્યા છે. રાહુલબાબા ઉગતો સૂરજ છે. માયાવતી આથમતી અમાસ છે. કોનો ફોટો રાખવો કે ના રાખવો એ પણ તમને સમજાવવાનું? બેવકૂફ માણસો. સમજો. જીવતો નર ભદ્રા પામે. સર સલામત તો પઘડીયા બહોત. સમય પ્રમાણે સુકાન ફેરવો. સમજ ના પડતી હોય તો ફેસબુક પરની પોસ્ટો વાંચો.
*
ગામડાના દલિતોએ શહેરના દલિતોને એક વાત ખોંખારીને કહી દેવાની જરૂર છે. મહેરબાની કરીને લક્ઝરીઓ ભાડે કરીને અહીં દેકારો કરવા આવશો નહીં. તમે શહેરના અભયારણ્યમાં મજેથી રહો છો. જલસા કરો. અહીં ગામડામાં આવીને ક્રાંતિના નાટકો કરશો નહીં. અહીં ગામડામાં ગાંધી, સરદાર નેહરુ, રૂપાણી, ધનાણી, કાનાણી કોઈનીએ કોઈ શરમ ભરતું નથી, તો તમે કયા ખેતની મૂળી? આપણે બંદૂક ઉઠાવી શકીએ એમ નથી. આપણે પોતે સીક્યૂરિટી માંગીએ છીએ. બીજાને શું અભયદાન આપીશું? તમે શહેરવાળા તમારી ચિંતા કરો. અમે ગામડાવાળા અમારું ફોડી લઇશું. 
*
અને છેલ્લે, ગામડાના દલિતોએ મીડીયા પર ભરોસો કરવો નહીં. મીડીયાને દલિતોમાં રસ નથી, દલિતોની લાશોમાં રસ છે. અખબારોને સરક્યુલેશન વધારવું છે અને ટીવી ચેનલોને એમની ટીઆરપી. મીડીયાના ચાવવાના અને બતાવવાના દાંત જુદા છે. હમણાં એક ટીવી ચેનલ પર એક ડીબેટમાં ભાગ લેવા ગયો ત્યારે મેં જોયું કે એન્કર ટીવી પર જાતિવાદી આંદોલનોને અને આંદોલનકારીઓને ભાંડતો હતો અને જેવી ડિબેટ પૂરી થઈ ત્યારે એની ચેમ્બરમાં “હવે મધ્યસત્ર ચૂંટણી આવવાની છે અને કોંગ્રેસ 120 બેઠકો લાવવાની છે,” એમ કહી રહ્યો હતો. સરવાળે જાતિવાદી તમે છો, ભાજપ અને કોંગ્રેસ તો દૂધે ધોયેલા છે. એ રાજ કરશે. તમારે તો ખહટાવવાનું જ છે.

- Raju Solanki

કાલે ગુજરાતી ભાષા શંકર પેન્ટરને ચોક્કસ કહેશે, થેંક્યુ દલિત કવિ

By Raju Solanki  || 7 March 2018 at 8:55am



“ચ્યમ ’લ્યા આટલું ફાટ્ટી જ્યું સ
મારા હોમું હેંડત હાળા 
લગીર તન બીક ના લાજી.
પૂછજે તારા વાહમ જઇન
હું કુણ સુ તન કેહ એ તો
લેમડે બોંધી બાપન તારા 
ધોક્કે ધોક્કે ધધડાયો’તો
મેલ્લામથી ડોસીયો આઈ
ખોળા પાથરી સોડાયો’તો
દુણી લઇન સાસ લેવા 
આવજે અવ ગોંમમ દીયોર
હોદ પડાવું ઓઈંથી જઇન
બંધ કરી દો દાડીયાઓન
પોલિસ પટલ સરપંચ મારો
તલાટી ન મંતરી મારો
ગામનો આખો ચોરો મોરો
તાલુકાનો ફોજદાર મારો
જોઇ લે આખો જીલ્લો મારો
મોટ્ટામ મોટ્ટો પરધોન મારો
દીલ્લી હુધી વટ્ટ સ મારો
કુણ સ તારુ? કુણ સ તારુ?
ધારું તો ’લ્યા ઠેર મારું.”

કલમના એક જ લસરકે શંકર પેન્ટરે સદીઓથી લાચાર, હાથ જોડીને કગરતા, બીતા, માર ખાતા દલિતનું અને તેને પ્રતાડતા આતંકી સવર્ણ દબંગીઓની લોંઠકી માનસિકતાનું અદ્ભૂત ચિત્ર અહીં દોરી નાંખ્યું. આ ગીત તો ઘણાએ સાંભળેલું, પરંતુ એની સીક્વલ, જેમાં આ ગભરુ દલિત પલટવાર કરીને કહે છે, “તું શું મારે ઠેર અમોને, બકવા તારો બંધ કરી દે” બહુ ઓછા લોકોએ સાંભળી છે. તેમાં પ્રતિ-આક્રમણ (retaliation) કરતો કાળઝાળ દલિત કહે છે,

“તું શું મારે ઠેર અમોને
બકવા તારો બંધ કરી દે.”
જરા તારા દિદાર તો જો,
”એન્ટેના જેવી ચોટીવાળા,
બલુન જેવી ફાંદવાળા, 
સંકર-આચાર્યના કોઠા બીલ્લાં.”

અને પછી મૂછો પર વારંવાર હાથ ફેરવતા સામંતી અડીયલ ટટ્ટુઓને એમની કાયરતાના શરમજનક ઇતિહાસના પાના ખોલીને બતાવે છે, 
યાદ કરો ઇતિહાસ.

“તૈમૂર અને તુગલગ આયા, તાર ઘાઘરામ ચ્યમ લપઈ જ્યા’તા.
અકબર જેવા બાદશાહો તમારી બૂન ન છોડી પૈણી જ્યા’તા
ન ઔરંગઝેબના દાબથી તો દીયોર ઉભા ન ઉભા મૂતરી જ્યા’તા.”

*
1983 પછી અમદાવાદના મજુરગામ, રાજપુર-ગોમતીપુર, રાયખડ સહિતની દલિત વસતીઓમાં કવિ શંકર પેન્ટર અમારી સાથે જાતિ નિર્મૂલન સમિતિના સતત ચાલતા અભિયાનમાં ફરેલા, ડાયાબીટીસ અને બ્લડ પ્રેશરની બેવડી બિમારીઓ વળગેલી તોય જાત ઘસીને લોકજાગૃતિનો જુવાળ પ્રગટાવેલો. આવા અનોખા કવિ હાલ માંદગીના બિછાને છે. એમને ન્યૂમોનીયા થયો છે. નિષ્ણાત તબીબોએ નિદાન કર્યું છે કે ઓએનજીસીમાં સ્પ્રે કલર કરતી વેળાએ હવામાં તરતા કલર કેમિકલના સૂક્ષ્મ કણો એમના ફેફસામાં ભરાયેલા એ હવે ઢળતી ઉંમરે પરેશાન કરી રહ્યા છે. બહુ ઓછા લોકોને ખબર છે કે શંકર કલમ સાથે પીંછી પણ એટલી જ નૈસર્ગિક સાહજિકતાથી ચલાવી શકે છે. વ્યવસાયે પેન્ટર એવા શંકરની પહેલી ઓળખાણ પણ એવી જ યાદગાર રીતે થયેલી.

1982માં બબલદાસ ચાવડાએ વીસનગરના સયાજીરાવ છાત્રાલયમાં દલિત કવિ સંમેલન રાખેલું. અમે સૌ એમાં ગયેલા. રેલવે ટ્રેકને ઓળંગીએ એટલે સામે છાત્રાલય આવે. છાત્રાલયના કંપાઉન્ડમાં સૌ કવિમિત્રો બેઠા પછી બધા પોતપોતાનો પરિચય આપતા હતા. બધાનો પરિચય પૂરો થયો પછી છેલ્લે આકાશવાણી થઈ હોય એમ ઉપરથી એક અવાજ આવ્યો, “મારું નામ શંકર પેન્ટર. હું પણ કવિ છું.” અમે ડોક ઉંચી કરીને જોયું તો છાત્રાલયની દિવાલે એક પાળી પર એક જાડો, બેઠી દડીનો માણસ એક હાથમાં કૂચડો અને બીજા હાથમાં ડબલું લઇને ઉભો હતો. એની બાંયવાળી સફેદ બંડી પર ઠેર ઠેર કલરના ડાઘા પડેલા. કાળા સીસમ જેવા એના ચહેરા પર પણ રંગના છાંટણા થયેલા. એને જોઇને સૌ હેરતમાં પડી ગયેલા. આ તે કેવો કવિ, સૌને મનોમન પ્રશ્ન પણ થયેલો, પરંતુ બપોરે ભોજન પછીના સત્રમાં પેન્ટરે જ્યારે એમની આગવી અદામાં કવિતાઓ સંભળાવી ત્યારે સૌ એમના પર વારી ગયેલા. હું તો ત્યારથી એમની કવિતાઓનો ચાહક બની ગયેલો.

એ કવિ સંમેલન પછી કવિ મારા ઘરે અમદાવાદ આવેલા એમની કવિતાઓની હસ્તપ્રત લઇને. મેં કાળજીપૂર્વક એમની સંઘેડા ઉતાર કવિતાઓની કોપી કરીને પ્રેસમાં છપાવવા આપેલી. 1982માં મારા પિતાનું બ્રેઇન ટ્યૂમરના જીવલેણ રોગને કારણ મૃત્યુ થયેલું. પિતાના મૃત્યુ પાછળ આપણે કોઈ સામાજિક કે ધાર્મિક વિધિવિધાનમાં પૈસા ખર્ચ્યા નથી, તો એમના સ્મરણાર્થે પેન્ટરનો કાવ્યસંગ્રહ છપાવવો ઉચિત રહેશે એવી સમજ સાથે શંકર પેન્ટરના પ્રથમ કાવ્ય સંગ્રહ ‘બૂંગિયો વાગે”નું પ્રકાશન થયું. એક સરસ મજાના દલિત કવિની રચનાઓની પ્રસિદ્ધિમાં અંગત રીતે નિમિત્ત બન્યાનો આનંદ અને ગૌરવ હજુ મારા હૈયે છે.

શંકર પેન્ટર ન માત્ર દલિત કવિતાના, બલ્કે સમગ્ર ગુજરાતી સાહિત્યની રળિયાત ઉપલબ્ધિ છે. ગુજરાતી સાહિત્ય પરિષદે પેન્ટરને રણજિતરામ સુવર્ણચંદ્રક આપવો જોઇએ. હમણાં મીડીયામાં, છાપામાં ને ટીવી ચેનલોમાં આપણા મૂર્ધન્ય સાહિત્યકારોને ગુજરાતી ભાષાની ચિંતા કરતા જોયા. છેક અમેરિકામાં વસતો ગુજરાતી કેવો જબરજસ્ત ભાષાપ્રેમી છે અને અહીં ઘર આંગણે ગુજરાતી ભાષાનું નખ્ખોદ વળી ગયું છે એવી એમની લવારી પણ આપણે સાંભળી. અરે સાક્ષરો, ગુજરાતી ભાષાને તમારા લૂખ્ખા, લોભીયા એનઆરઆઈ ટણપાઓ જીવતી નહીં રાખે. ગુજરાતી ભાષાને ધબકતી રાખશે ગામડાના પેલા અભણ દલિતો, કહેવાતા પછાતો, દેવીપૂજકો, રબારીઓ, ભરવાડો, તૂરી, તરગાળાઓ અને એમની તળપદી બાનીમાં લખતા શંકર પેન્ટર જેવા કવિઓ. આજે મહેસાણાનો અને ગુજરાતનો દલિત ‘સંસારે મુજ મુગ્ધ ભ્રમણ, પાંશુ મલિન વેશે,’ લખનારા તમારા સંસ્કૃત પદાવલી પંડિત રાજેન્દ્ર શાહને કે ‘હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એકે વાત તમારી કે મારી કરવા આવ્યો છું,’ કહેનારા વિદ્વાન, લબ્ધ પ્રતિષ્ઠિત પ્રાધ્યાપક નિરંજન ભગતને નથી ઓળખતો. એ ઓળખે છે ‘ઢોલ ઓશિકે વડલા હેઠળ ઉંઘતા’ કાળીયા ઢોલીની વાત માંડતા ને કાળીયા ઢોલી જેવા જ અદના કવિ શંકર પેન્ટરને. ગુજરાતી ભાષા દાતેડાના દેવતાની કવિતાઓમાં જીવતી રહેશે.

કાલે ગુજરાતી ભાષા શંકર પેન્ટરને ચોક્કસ કહેશે, થેંક્યુ દલિત કવિ.

- Raju Solanki

March 09, 2018

भारत मे मुस्लिमों और अनुसुचीत जाती के लोगो के हालात पर यु.एन. ने चींता जताई

By Vishal Sonara || 9 March 2018



संयुक्त राष्ट्र मानवाधिकार परिषद् के हाई कमीश्नर जईद राद अल हुसैन बुधवार (7 March 2018) को ह्युमन राईट्स काउंसील के 37 वें सेशन को संबोधीत किया. उस मे उन्होने दुनीया के कई देशो मे मानवाधिकार के संदर्भ मे जो काम हुआ है वो बताया और उन देशो की समस्या को दुनिया के सामने रखा. जईस जईद राद अल हुसैन ने भारत के बारे मे बताते हुए भारत के अनुसुचीत जाति और मुस्लिमो पर हो रहे अत्याचार पर चींता जताई और पुरी दुनिया के सामने ये समस्या रखी. हाई कमीश्नर ने अपनी बात जो कही उसका हिन्दी भाषांतर दे रहा हु. 

"भारत के संदर्भ मे , अल्पसंख्यको के उपर हो रहे भेदभाव और अत्याचारो से मेरी चींता बढती जा रही है, अल्पसंख्यको मे दलित (अनुसुचीत जाती के लोग) और धार्मीक अल्पसंख्यक लोग जैसे की मुस्लीम सामेल है. कुछ मामलों मे ईस प्रकार के अत्याचारों मे स्थानीय लोग और धार्मिक प्रतिनिधियों के भी सक्रिय होने की जानकारी मील रही है. मैं इस बारे मे भी चिंतित हुं की कुछ दावो के अनुसार सरकारी नीतियों की आलोचना लगातार देशद्रोह या राष्ट्रीय सुरक्षा के लिए खतरा करार दि जाती है. मैं हजारों गैर-सरकारी संगठनों के पंजीकरण रद्द करने या निलंबन के जरिए महत्वपूर्ण आवाजों पर रोक लगाने के प्रयासों से गंभीरता से चिंतित हूं, उन संगठनों में मानव अधिकारों और यहां तक कि सार्वजनिक स्वास्थ्य समूहों के से जुडे समूह भी शामिल हैं.  कश्मीर के संबंध में, अफसोस की बात ये है कि नियंत्रण रेखा के दोनों तरफ से (भारत-पाकिस्तान) संयुक्त राष्ट्र मानवाधिकार परिषद् के लोगों को बीना किसी शर्त के जाने देने को बार बार मना कर दिया जाता है, और मैं इस मुद्दे पर जून महिने में विस्तार से विवरण दुंगा. "

In English :-
In India, I am increasingly disturbed by discrimination and violence directed at minorities, including Dalits and other scheduled castes, and religious minorities such as Muslims. In some cases, this injustice appears actively endorsed by local or religious officials. I am concerned that criticism of government policies is frequently met by claims that it constitutes sedition or a threat to national security. I am deeply concerned by efforts to limit critical voices through the cancellation or suspension of registration of thousands of NGOs, including groups advocating for human rights and even public health groups.
With respect to Kashmir, on both sides of the Line of Control, regrettably unconditional access continues to be refused to my Office, and I will report on this issue at greater length in June.
संयुक्त राष्ट्र मानवाधिकार परिषद् के हाई कमीश्नर जईद राद अल का ये बयान संयुक्त राष्ट्र मानवाधिकार परिषद की वेब साईट से लिया गया है. 

इस बात से ये साबित हो रहा है की आंतर राष्ट्रीय लेवल पर भारत मे अनुसुचीत जाती और मुस्लिमो पर हो रहे अत्याचारो की खबरे जा रही है. और पुरी दुनीया इस का संग्यान ले रही है. देश मे शांति है ये सब दावे हवा साबीत हो रहे है.

और एक चौंकाने वाली बात है की इतनी बडी खबर की भारतीय मीडिया मे कोइ खबर नही चल रही है. इस लिए अब ये मानना जरुरी हो गया है की भारत मे मुस्लीमो और नीचली जाति के लोगो के लिए मीडिया काम नही कर रहा है. ये जातिवादी मीडिया है. 

March 06, 2018

भगत सिंह के कंधे पर बंदुक मत रखो

By Vishal Sonara || 6 March 2018




जो कम्युनीस्ट अभी लेनिन को भगत सिंह का आदर्श स्थापीत करने मे लगे हुए है उनको एक बात बता देना जरुरी है की देश के जो युवा भगत सिंह को मानते है उनका आदर्श खुद भगत सिंह ही है. भगत सींह को किताबे पढने का शौख था. वो कार्ल मार्क्स, लेनिन, मीखाईल बाकुनीन, त्रोत्स्की जैसे लेखको की किताब पढते थे ऐसा उल्लेख मीलता है और भी बहोत सी किताबे उन्होने पढी होगी..
किताब पढने से देश दुनीया से रुबरु हो सकते है और इसी लीये ज्यादातर महान लोग किताबे पढते थे. भगत सिंह भी पढते थे. और किसी की किताब अगर पढ लें तो क्या वो हमारे आदर्श बन गए??
मैने गांधी को भी पढा है, गोड्से को भी पढता हु. वेद पुराण को भी पढता हु. पर इन मे से कोइ मेरा आदर्श नही है. अच्छी बाते अगर लगे तो ग्रहण कर सकते है, प्रेरणा ले सकते है, उनके विचारो से गहराई नाप सकते है, दुश्मन को पहचान सकते है... बहोत कुछ हो सकता है.  इस बात पर लेनिन को भगत सिंह का आदर्श बता देना मुजे ठीक नही लगता.
भगत सिंह खुद एक मीसाल थे.
अपनी फांसी के एक दिन पहले भगत सिंह ने कहा था की, "मै क्रांति का मुल मंत्र बन गया हुं." ्ये बहोत गहरी बात उन्होने कही थी. वो खुद अपने लिए क्रांति का मुल मंत्र थे. और वो जानते थे की देश के लिए भी वो खुद एक बडी क्रांति है.  लेनिन और भगत सिंह मे गुरु शीष्य जैसा रिश्ता नीकालना भगत सींह के मुल वैचारीक तत्व को खत्म करने जैसा है.

हमारे आदर्श भगत सींह ही है, भगत सिंह के कंधे पर बंदुक रख कर हमे लेनिन को आदर्श मानने के लिए मत समजाओ.  हमे विदेशी विचारधाराओ की कोइ जरुरत नही है.

भगत सिंह को लेनिन के समकक्ष क्रांतिकारी कहना हो तो कह सकते हो पर ये सीखाने की कोशीष मत करो की लेनिन नहि होता तो हमे भगत सिंह नही मिलते.

આંબેડકર ની વિચારધારા સમજવા માટે એમને વાંચવા જરુરી છે

By Jigar Shyamlan ||  4 March 2018 




આજે પણ બાબા સાહેબનું નામ પડે કે મનુવાદી વિચારસરણી ધરાવતી પાર્ટીઓને તરત જ પરસેવો છુટવા માંડે છે.

આ ડર આજનો નથી પણ બાબા સાહેબ હયાત હતા ત્યારથી છે. એ વખતે પણ અસ્તિત્વમાં રહેલી રાજકીય, સામાજિક સંગઠનો બાબા સાહેબના નામથી થર..થર..થર કાંપતા હતા.
આ ડર વિશેનું કારણ ખુદ બાબા સાહેબે જણાવતા કહ્યું હતું કે-
'' હું વિધ્વાન છું.....
વધારે ભણેલો ગણેલો છું....
સૌથી મોટા સમુદાયનું પ્રતિનિધિત્વ કરું છું....
આ બધા કારણોસર લોકો મારાથી ડરતા નથી.
પણ એ લોકો મારાથી ડરે છે કારણ કે....
હું શીલવાન છું....
ચારિત્રવાન છું....
સ્વમાની છું.....
મને ખરીદી શકાય તેમ નથી.....
મને અને મારા વિચારોને વેચી શકાય તેમ નથી."

આજે મોટાભાગના રાજકીય પક્ષો બાબા સાહેબ સાથે પોતાને જોડી પછાત સમાજને ખુશ કરવા પ્રયાસ કરી રહ્યા છે. પણ તેમને જોઈયે તેટલી સફળતા મળી રહી નથી. કારણ બાબા સાહેબના વિચારધારા અને બાબા સાહેબે લખેલા પુસ્તકો.

બાબા સાહેબની વિચારધારા અને તેમને લખેલા પુસ્તકો એક રીતે છુપાવી રાખેલા બોમ્બ છે. બસ આપણે કંઈ કરવાનું નથી બાબા સાહેબના પુસ્તકોનાં પાનાં ખોલીને વાંચવાના છે.

જ્યારે બાબા સાહેબના વિચારધારા સમાવતા પુસ્તકોરૂપી બોમ્બને વાંચનરૂપી દિવેટથી સળગાવીશું. બસ ત્યારે એવો વિસ્ફોટ થશે જેમાં મનુવાદી વિચારસરણી પાયામાંથી હચમચીને ધરાશાયી થઈ જશે..જમીનદોસ્ત થઈ જશે...

એટલે સૌએ એક જ કામ કરવાનું છે.... બસ સમાજનાં પ્રત્યેક માણસ સુધી બાબા સાહેબના વિચાર... અને તેમને લખેલ પુસ્તકોનો શક્ય તેટલો ફેલાવો કરવો....

આપણે બસ એટલો પ્રયાસ કરવાનો છે કે લોકો બાબા સાહેબને વાંચતા થાય. બસ પછી એને જાગ્રત કરવાનું કામ ખુદ બાબા સાહેબની વિચારધારા કરી દેશે.
- જિગર શ્યામલન

વિચરતી વિમુક્ત ૪૦ જ્ઞાતિઓનો વિકાસ મંત્ર

By Anil Shekhaliya || 3 March 2018 at 19:29


"૧૧% અનામત સાથે ST માં સમાવેશ"

હક્ક મંગવો એ દરેક નાગરિકનો સમાન અધિકાર છે આપણે બીજી બધી જ્ઞાતિઓ કરતા આર્થિક શૈક્ષણિક અને સામાજિક રીતે સૌથી ગરીબ વંચિત શોષિત અને પીડિત પ્રજા છીએ વિચરતી વિમુક્ત જ્ઞાતિઓનો વિકાસ ફક્તને ફક્ત અલગ અનામત મળે તો જ ઉદ્ધાર છે.
આજના ભ્રષ્ટ મુડીવાદિ અને હરિફાઈના યુગમાં આવી નબળી જાતિઓ અને આપણો વિકાસ આપણે કોઈપણ હરીફાઈમાં ટકીને કરી શકીએ તેમ નથી. પાયામાં શિક્ષણ તો જરૂરી છે જ પરંતુ આ બીજા વિકસિત સમાજ સાથે વિકાસની ભાગીદારી મેળવવા અને મુખ્ય ધારા માં આવવા માટે માત્રને માત્ર આપણે ૧૧% સાથે ST માં સમાવેશ કરે તો જ આપનો વિકાસ શક્ય છે એમ લાગે છે.
માટે જાગો ભાઈઓ આપણી એકતા કરી હક્ક અધિકાર માટે આ અભિયાનમાં જોડાઓ.  NT/DNT સમાજ ની ગરીબી નાબૂદી માટે લડાઈ ઉપાડીયે અને આપણને પણ સમાન અધિકાર મળે એ માટે  સૌ સાથે મળી ને સંધર્ષ કરીએ. એક વેર-વિખેર કડીઓને જોડીને એક સાંકળ બનીએ અને આપણો અધિકાર મેળવીને જ જંપીએ

આપણે અનામત શા  માટે માંગીએ  છીએ ઃ-

  1. NT/DNT સમાજ શોષિત પીડિત અને વંચિત જંગલી જીવન જીવે છે
  2. એક જગ્યાએ વસવાટ નથી નિરંતર ભટકતી જ્ઞાતિઓ છે 
  3. આસ્થા શ્રદ્ધાથી મહેનત કરે છે વિકાસ અને રોજગાર માટે ભટકે છે
  4. આર્થિક પરીસ્થીતી જ નબળી હોય તો શિક્ષણના ખર્ચા ક્યાંથી કરશે?
  5. બિન સંગઠિત કોમ છે
  6. જન્મ મરણ રેશનકાર્ડ કે બીપીએલ વગેરેના પુરાવા ધરવતા નથી જેથી કોઈ યોજનાઓના લાભ મેળવી શકતા નથી
  7. તીરસ્કાર અને અપમાન નો ભોગ બનેલી પ્રજા છે
  8. ઓબીસી માં સમાવેશ કરવાથી NT/DNT સમાજ ફક્ત શોભાના ગાંઠિયા સમાન છે
  9. મજબૂત સમાજ જ obc ના ૨૭% અનામત ના લાભ મેળવે છે અને ગરીબના લાભ ઝુંટવાઈ જાય છે


૧૧% અનામત સાથે ST માં સમાંવવાથી શુ ફાયદો મળશે ??


  1. કોઈપણ શિક્ષણમાં ઉચ્ચ અભ્યાસમાં NT/DNT બાળકોને અનામતથી અભ્યાસમાં સ્થાન મળશે
  2. નોકરીમાં પણ ૧૦૦૦ ક્લાર્કઓની ભરતી હશે તો ૧૧% થી ૧૧૦ NT/DNT બાળકો કલાર્કની નોકરી મેળવશે
  3. ૧૦૦૦ પોલીસની ભરતીમાં પણ ૧૧૦ NT/DNT બાળકો પોલીસ બની શકશે
  4. ૧૦૦૦ મામલતદારો,કલેકટરો,કે પી.આઈ, વગેરેની ભરતીમાં પણ દરેકમાં NT/DNT ૧૧૦ બાળકો પદ મેળવશે
  5. કોઈ પણ ચૂંટણી હોય સરપંચ,ડેલીગેટ,કોર્પોરેટર,ધારાસભ્ય,સંસદસભ્ય વગેરેમાં પણ NT/DNT સમાજ ના લોકો ને ૧૧% લેખે અનામતનો લાભ મળશે.
    જેમ કે, ૧૦૦૦ સરપંચની ગામોમાં ચૂંટણીમાં ૧૧૦ NT/DNT સમાજ માથી સરપંચ બની શકશે, ૨૦૦ ધારાસભ્યોમાં ૨૨ NT/DNT ધારાસભ્યો બની શકશે. આમ દરેક ક્ષેત્રે NT/DNTને ૧૧% મળશે તો તેનો લાભ મળશે અને દેશ ના વિકાસમાં સહભાગી બની શકાશે. 
  6. ST માં સમાવેશ કરશે તો અનુસૂચિત જનજાતિને જે લાભ કે સુવિધા મળે છે તે બધી જ સુવિધાઓ આપણને ૧૧% અનામત પ્રમાણે મળશે.
એસ સી કે એસ ટી અનામત મા કોઇ ફેરફાર કર્યા વિના આ ડીમાંડ કરવામા આવે છે.

માટે જાગો ભાઈઓ-બહેનો,વડીલો-યુવાનો આપણા સમગ્ર સમાજોના ઉદ્ધાર માટે વિચરતી વિમુક્ત જ્ઞાતિના નેતૃત્વમાં સૌએ એક સંપ થઈને આપણો અધિકાર મેળવીયે.
વિચરતી વિમુક્તની એક કરોડ પંદર લાખની જનતામાં આપના દરેક પરિવારમાંથી દરેક ઘરમાંથી એક સભ્ય આ અભિયાન માં જોડાઈશું તો એક મજબૂત અવાજ બનશે. "આપણે આપણો અધિકાર મેળવીને જ જંપીશું આવી શપથ લઈએ."

આ અભિયાનમાં જોડાઓ.

આ મેસેજ વધુમાં વધુ શેર કરો તમામ સમાજ સુધી પહોચવો જોઈએ

લી. અનિલ શેખલીયા
મો. 9714017874

સપોર્ટર ઃ-
અજિતભાઈ મીઠાપરા
9924511851
મહેશભાઈ સાથળિયા
8000419315
(Edited By Vishal Sonara)

March 03, 2018

આ તે આપણી કેવી માનસિકતા...?

By Jigar Shyamlan ||  1 March 2018 at 08:55 





આપણે ખુદને માણસ ઓળખાવીએ છીએ, પૃથ્વી પર સૌથી સુસંસ્કૃત અને સભ્ય હોવાનુ ગૌરવ પણ લઈએ છીએ પણ આ તે આપણી કેવી માનસિકતા...?

એક બાજુ આપણે જેને હોળીમાતા કહીએ છીએ અને બીજી બાજુ એજ માતાને સળગાવવાનુ અમાનવીય કૃત્ય પણ કરીએ છીએ.


હોળી....! 
ઓહ....! સોરી હોળી માતા..!
ક્યાંક વાંચેલુ છે કે માતાના ચરણોમાં જ ખરૂ સ્વર્ગ છે. બીજુ પણ એક વાંચેલુ કે જયારે ઈશ્વરને એવુ લાગ્યુ કે દુનિયામાં તમામ લોકો સુધી પહોંચીને પ્રેમ વરસાવી શકાય એમ નથી એટલે ઈશ્વરે માતાનુ સર્જન કર્યુ. ચાહે માનવ હોય કે જાનવર પણ માતા તો માતા જ હોય છે.

આપણે ખુદને માણસ ઓળખાવીએ છીએ, પૃથ્વી પર સૌથી સુસંસ્કૃત અને સભ્ય હોવાનુ ગૌરવ પણ લઈએ છીએ પણ આ તે આપણી કેવી માનસિકતા...?

એક બાજુ આપણે જેને હોળીમાતા કહીએ છીએ અને બીજી બાજુ એજ માતાને સળગાવવાનુ અમાનવીય કૃત્ય પણ કરીએ છીએ.

હુ જ્યારે જ્યારે પણ હોળી જોઉં છું ત્યારે મને લાકડા, ધાસ, છાણાંઓના ઢગલાને બદલે એક નિર્દોષ સ્ત્રી નો જ ભાસ થાય છે. સમસ્ત નારી જાતિના અપમાન સમી આ ધટનાને ઉત્સવ તરીકે ઉજવવાની માનસિકતામાંથી બહાર આવવુ જોઈયે.

લોકો હોળી પ્રગટાવે છે ત્યારે એક સ્ત્રી પર થતો અત્યાચાર નજર સામે ખડો થઈ જાય છે. 
અગ્નિનુ કામ છે બાળવાનું, અગ્નિ પોતાના સંપર્કમાં આવનારી દરેક વસ્તુ, વ્યક્તિને બાળી જ મૂકવાનો. 
કારણ કોણ સાચુ અને કોણ ખોટુ..?
કોણ પાપી કોણ પુણ્યશાળી..? 
કોણ નિર્દોષ કોણ અપરાધી...? 
એવો અગ્નિને કોઈ વિવેક નથી હોતો. તમે જાતને ગમે તેટલા પુણ્યશાળી માનતા હોવ, ખુદને ભગવાનના માણસ માનતા હોવ. જીવનમાં જાણ્યે અજાણે કોઈ પાપ ન કર્યુ હોય તો પણ અગ્નિના સંપર્કમાં આવશો તો કંઈ એ તમને છોડી નહી દે એ તો તમને બાળી જ મૂકશે.

હવે એક વાત સમજવા જેવી કે બે માણસોને સાથે સળગાવવામાં આવે અને એમાંથી એક માણસ સળગીને રાખ બની જાય અને બીજો હેમખેમ બહાર આવે એ વાત માન્યામાં આવે ખરી..???

શું જે તે વખતે હોળીકાને આ રીતે જાહેરમાં સળગાવી હશે ત્યારે લોકોને હોળીકાની જીવ બચાવવા કરેલ ધમપછાડા અને કરૂણા સભર ચીસો સંભળાઈ જ નહી હોય.

પરંતુ કદાચ ધર્મ આપણને એવા સવાલ કરવાની પરવાનગી નથી આપતો...!

આપણે જાતને શિક્ષીત ગણતા હોય તેમજ તર્ક અને બુધ્ધી જેવી વસ્તુ આપણામાં હોય તો. સ્વાભાવીક આપણને એક સવાલ થવો જોઈયે કે શા માટે એક સ્ત્રીને વિના વાંકે અને એ પણ સૂર્ય આથમતા અંધારાના સમયે સળગાવી મૂકવામાં આવી હતી..?

હા.. એક વાત ખરી કે જ્યારે પણ ચાલાક અપરાધી કોઈ અપરાધ કરે ત્યારે એ ધટના બહાર ન આવે એ માટે સૌથી પહેલા એ પૂરાવાઓનો નાશ કરવાનુ કામ કરે છે. પૂરાવા સળગાવી દેવા એ ચાલાક અપરાધીઓ દ્વારા શોધી કાઢેલ સૌથી હાથવગીને સરળ રીત છે સદીઓથી..

અને એક વાત ખાસ કોઈ પણ ધટના પર લોકો શંકા કરે કે એની પર સવાલ પેદા કરે એ પહેલા એ ધટનાને ધર્મ સાથે જોડી દો એટલે લોકોની શત્રમારી નજરમાં હોળીકાને બાળવાની ધટના એક જબરજસ્ત કાવતરાથી વિશેષ કંઈ નથી.

ખરેખર આપણે ખુદને માણસ ગણતા હોઈએ અને પૃથ્વી પર સૌથી સભ્ય સંસ્કૃતિ હોવાનુ ગૌરવ લેતા હોઈએ તો એક સ્ત્રીને બાળી મૂકવાની આવી અમાનવીય ધટનાઓના ઉત્સવની ઉજવણી બંધ કરવી જોઈયે.
- જિગર શ્યામલન

જો બકા...! મારા સાહેબ એટલે બાબા સાહેબ..

By Jigar Shyamlan ||  2 March 2018 


માર્કસ ડાબેરી વિચારધારા સાથે સંકળાયેલ હતા. એમની વિચારધારા મુજબ જગતમા અમીર અને ગરીબ બે જ ભાગ છે. તથા અમીરો કે પુંજીપતિઓ ગરીબો એટલે કે કામદારોનુ શોષણ કરે છે.

હવે આ મહાનુભાવ ભારતમાં જન્મ્યો ન હોતા. હવે સ્વાભાવિક વાત છે ભારતમાં જન્મ્યા ન હોય એટલે ભારતની કંઈ ખબર ન હોય.

ભારતમાં આર્થિકતાને આધારે ગરીબ કે મજૂરોનુ જેટલુ શોષણ થાય છે તેના કરતા હજારગણુ શોષણ જાતિ આધારીત નીચ વર્ગના લોકોનુ થાય છે.

માર્કસ વર્ગવિહીન સમાજ રચનાની વાત કરતા હતા, પણ એને પોત પોતાના દેશ, કાળ અને પરિસ્થીતી મુજબ મોડીફાઈડ કરી લાગુ પાડવાની છૂટ નકારી ન હતી.
ભારતના સામ્યવાદીઓ અને પોતાને માર્કસવાદી કહેતા કોમરેડ. આ લોકો પાસે ઈન્કલાબ જિંદાબાદ, લાલ સલામ, સર્વહારા, બૂર્જવા, કેપીટાલિઝમ સિવાય કોઈ બીજા શબ્દો નથી. જે પણ હવે ચ્યૂંઈનગમ જેવા બની ગયા છે નથી થુકી શકાતુ કે નથી ગળી શકાતુ..!

આમ તો મને દલિત શબ્દ વાપરવો નથી ગમતો પણ આજે રજૂ કરવા અનિવાર્ય છે એટલે ન છૂટકે વાપરવો પડી રહ્યો છે.

દલિતોમાં પણ કેટલાય કોમ્યૂનિસ્ટો છે. એમને હુ કોમ્યુનિસ્ટ નહી કહુ પણ દલિત કોમ્યુનિસ્ટ જ કહીશ. 
કારણ ભારતના કોમ્યુનિસ્ટ મૂળ તો બ્રાહ્મણો જ. હવે બ્રાહ્મણની પાર્ટી હોય તો એમાં દલિતો દલિતો જ રહેવાના પછી ભલે કોમ્યુનિસ્ટ હોય કે અન્ય.

હવે આ દલિત કોમ્યુનીસ્ટોની વાત.. આ લોકો પાસે માર્કસ પાસે કેમ જવુ તેની સજ્જડ કોઈ દલિલ જ નથી. 
આ દલિત કોમ્યૂનિસ્ટો આર્થિક અને સામાજીક ભેદ સમજી શકવા અસમર્થ છે, તેમની પાસે એ ચિત્ર જોવા યોગ્ય નંબરના કોઈ સ્વતંત્ર કોઈ ચશ્મા જ નથી જે એમને સ્પષ્ટ ચિત્ર બતાવી શકે. એ લોકો આ સમસ્યાને હજીય પણ માર્કસના ચશ્મા પહેરીને જ જૂએ છે. એટલે એમને ધુંધળૂ દેખાય છે.પણ જો તે યોગ્ય નંબરના ચશ્મા લગાવે તો સ્પષ્ટ જોઈ શકશે.

હવે આ જાતિપ્રથા અને તેનો આવિષ્કાર કરનાર મુખ્ય પરિબળ પ્રત્યે આ લોકો લિબરલ રહેવા માંગે છે. મતલબ એ બાબતે ન કોઈ કથન ન કોઈ વિરોધ. હવે આ પાછળ એમની શુ નબળાઈ હશે એ તો એ જાણે.

હવે એમાના કેટલાક દલિત કોમ્યુનિસ્ટો એવા પણ ઉભા થઈ રહ્યા છે જેઓ માર્કસની વાતોને પથ્થરની લકીર સાબીત કરવા મથી રહ્યા છે. ભલે ને મથે આપણને ક્યાં વાંધો પણ આ લોકો માર્કસની લીટી લાંબી કરવા બાબા સાહેબ આંબેડકર પર સવાલો ઉઠાવી રહ્યા છે. આંબેડકરે આમ લખ્યુ... આમ કર્યુ પણ આમ ન કર્યુ એવા સવાલો કરી રહ્યા છે.

હવે મને આ તમામ દલિત કોમ્યુનિસ્ટો પર એટલુ જ હસુ આવે. કારણ આ લોકો એ જ દલિતો છે જે 
  •  ગામના છેવાડે ફાટેલી તુટેલી ઝૂંપડીઓમાં હતા..
  •  એમને કોઈ ગણતુ ન હતુ કોઈ પણ વર્ગ કે વર્ણમાં કારણ આ લોકોનો પડછાયો પણ કોઈ લેતુ ન હતુ.
  •  આ લોકોના બાપદાદાઓ કેવી કાળી મજૂરીઓ કરી કરીને મરી ગયા અને એમની માતાદાદીઓએ લાચારી વશ કેવી કેવી સ્થિતીઓમાં શુ કર્યુ હશે.
  •  આ લોકો ધાતુના વઃસણ વાપરી શકતા ન હતા
  •  આ લોકો સોનુ ચાંદી પણ પહેરી શકતા ન હતા.
  •  આ લોકો જાહેર સ્થળો પર આવ જા કરી શકતા ન હતા.
  •  આ લોકોને કોઈકે આપેલુ વધેલુ ધટેલુ કે એઠવાડમાંથી જે મળે તે ખાઈને દિવસો પસાર કરવાના હતા.
  •  આ લોકોને ભણવાનુ ન હતુ માત્ર ચાકરી કરવાની હતી.
  •  આ લોકોને કોઈ સંપત્તિ પણ ભેગી કરવાની ન હતી.


હવે આવી હાલતમાં સબડી રહેલા દલિતો માટે કોણ આગળ આવેલુ...???
માત્ર બાબા સાહેબ આંબેડકર..

હવે દલિતો માટે આટલો બધો સંધર્ષ કરનાર, દલિતોને અધિકારો અપાવવા એકલપંડે ઝઝૂમનાર, પોતાના પરિવાર, પત્નીની લેશમાત્ર પરવા કર્યા વગર સમગ્ર જીવન દલિતોના હક્ક, અધિકાર અને સન્માન માટે ન્યોછાવર કરનાર બાબા સાહેબ માટે બે ચાર શબ્દો સાચા કહો એટલે આ માર્કસવાદી દલિતો એને આંબેડકર ભક્તી ગણાવવા લાગે છે.

પણ તમે માર્કની વાતોને સાચી ઠરાવવા આંબેડકરે આ અભ્યાસ ન કર્યો ને આ બાબતે આમ ન કર્યુ એવુ બધુ કહી આખેઆખા દંડવત કરી ચરણોમાં આળોટવા માંડો એ વ્યાજબી..

હુ તો એક જ વાત કહીશ બાબા સાહેબ મારા માટે તો માર્કસ કરતાય મહાન છે. હવે આને તમારે મારી આંબેડકર ભક્તિ ગણાવવી હોય કે બીજુ જે કહેવુ હોય મને કોઈ ફરક નથી પડતો.

હુ અછૂત હતો એટલે મારૂ શોષણ થયુ હતુ... હુ ગરીબ હતો એટલે નહી. હુ સતત નીચ જાતિનો હોવાથી હડધુત થયો છુ ગરીબ હોવાના લીધે નહી.

હુ આજે આટલુ બધુ લખી શકુ... મારા વિચારો વ્યક્ત કરી શકુ એ પણ જાહેર મંચ પર મને આ તમામ અધિકારો અપાવવા મારા બાબા સાહેબ લડ્યા હતા કોઈ માર્કસ નહી.

એટલે જો બકા...! મારા સાહેબ એટલે બાબા સાહેબ..