July 19, 2017

જેની આશા ના હોય તેનો લોભ કરી પચાવી લેવું શું તે ન્યાય હોય શકે?

By Rushang Borisa
કાશ્મીર - ભારતની કૂટનીતિ-કાર્યક્ષમતા ની નિષ્ફળતા અને (કુ)ઇરાદાનું દર્શન કરાવતું ઉદાહરણ (સેમ ટૂ પાકિસ્તાન ઓલ્સો)

આ મુદ્દો જેટલો ગૂંચવણભર્યો વર્તમાનમાં બન્યો છે તેટલો જ શરૂઆતમાં સાફ-સરળ હતો.જયારે દેશના ભાગલા પાડવાના હતા ત્યારે રજવાડા-નવાબોના પ્રાંતોને ૩ વિકલ્પ આપવામાં આવ્યા હતા- 
૧.ભારતમાં ભળે,
૨.પાકિસ્તાનમાં ભળે ,
૩.સ્વતંત્ર રહે. 

આશરે ૫૬૨ જેટલા રજવાડાઓ ભારત અથવા પાકિસ્તાન માં એક કે બીજી રીતે ભળી ગયા.ભારત તરફ થી ૩ રજવાડા ના અપવાદને બાદ કરતા આ કામ અઘરું નહતું. પરંતુ જૂનાગઢ,હૈદરાબાદ અને કાશ્મીરના રાજા-નવાબોએ ભારત નો પ્રસ્તાવ અસ્વીકાર્યોં. હૈદરાબાદ અને કાશ્મીરે સ્વતંત્ર રહેવાનો નિર્ણય કર્યો અને જૂનાગઢે પાકિસ્તાનમાં ભળવાનો નિર્ણય કર્યો.ઉપરાંત સિક્કિમ અને ભૂટાન ભારત સંરક્ષિત સ્વતંત્ર રાજ્ય બન્યા. જો કે ૧૯૭૫માં જનમત દ્વારા પ્રચંડ બહુમતી મેળવી સિક્કિમ ભારતમાં ભળ્યું.

૩ રજવાડા જૂનાગઠ,હૈદરાબાદ અને કાશ્મીરની સમસ્યા જટિલ બની. હૈદરાબાદ અને જૂનાગઢમાં હિન્દુઓની બહુમત હતી. વળી, ભૌગોલિક સ્થિતિ દેખતા ભારતમાં ભળવું શ્રેષ્ઠ વિકલ્પ હોય છતાં મૂર્ખ નવાબો ભારતમાં ના ભાળ્યા. બાદમાં ભારતે લશ્કરી કાર્યવાહી વડે બન્ને રજવાડાનું ભારતમાં વિલીનીકરણ કર્યું.છતાં અહીં કાશ્મીરનો સવાલ અલગ અને વિશિષ્ટ હતો.કારણ કે જે પરિબળો હૈદરાબાદ-જૂનાગઢમાં અનુકૂળ રહ્યા હતા તે કાશ્મીરમાં વિપરીત હતા. ના તો કાશ્મીરમાં હિન્દુની બહુમતી હતી કે ના ભૌગોલિક દ્રષ્ટિએ એ તે ભારતની સરહદની અંદર હતું.એટલે ભારત અહીં વધુ દબાણ કરી શકે તે સ્થિતમાં નહતું.

એક રીતે તો આઝાદી પહેલા જ કોંગ્રેસને ખબર હતી કે કાશ્મીર સ્વતંત્ર ભારતનો ભાગ નહીં બને. જયારે ૧૯૩૩માં રહેમત અલીએ અલગ મુસ્લિમ રાષ્ટ્ર પાકિસ્તાનની અવધારણા પ્રસ્તુત કરી ત્યારે તેની સરહદમાં કાશ્મીર સામીલ હતું.વળી, કાશ્મીરી જાતિવાદી રાજા હરિસિંહ કોંગ્રેસના આલોચક હોય અને સાથે સાથે મુસ્લિમની બહુમતી હોય ભારતીય રાજકારણીઓ કાશ્મીર પ્રત્યે ચિંતિત હતા નહીં. નહેરુ અને હરિસિંહ વચ્ચે આપસી દુશમનાવટ જેવા સંબંધો હતા. કારણ કે હરિસિંહ પોતાના વહીવટમાં કાશ્મીરના પ્રબળ સમૂહ મુસ્લિમ અને પંડિતોની અવગણના કરતા હતા.

જયારે કાશ્મીરે સ્વતંત્ર રહેવાનો નિર્ણય કર્યો ત્યારે ભારત કરતા વધુ આઘાત પાકિસ્તાનને લાગ્યો હશે.કારણ કે ભારતને કાશ્મીરની આશા હતી નહિ, પણ પાકિસ્તાનની કલ્પનામાં કાશ્મીર નો સમાવેશ હોય ત્યારે બહુમતી મુસ્લિમ રાજ્ય પાકિસ્તાનથી અલગ રહે એટલે પાકિસ્તાનને વિશ્વાસઘાતની લાગણી અનુભવાય.જેવી રીતે જૂનાગઢમાં બહુમતી હિંદુઓ ભારતમાં ભળવા ઇચ્છતા હતા,પરંતુ નવાબ રાજી નહતા.ત્યારે પરિસ્થિતિને થાળે પાડવા નહેરુ અને સરદારે લશ્કરી કાર્યવાહી વડે સપ્ટેમ્બર,૧૯૪૭ માં જૂનાગઢ જીત્યું તેમ પાકિસ્તાને આ જ રસ્તે અલગ રીતે દાવ રમ્યો.ઓક્ટોબર,૧૯૪૭ માં પાકિસ્તાની સેનાએ વેશપલટો કરી નિંદ્રાધીન કાશ્મીરી રાજાના રાજ્ય ઉપર આક્રમણ કર્યું. ત્યારે ડઘાઈ ગયેલ રાજા હરિસિંહે ભારત પાસે મદદ માંગી. નહેરુ સરકાર આપસી અણબનાવ ને લઈને મદદ કરવા રાજી નહતા. પણ આ સ્થતિનો ફાયદો લોર્ડ માઉન્ટબેટન અને વલ્લભભાઈ એ ઉઠાવ્યો. માઉન્ટબેટન પહેલે થી જ ઇચ્છતા હતા કે કાશ્મીર બે માંથી કોઈ એક રાષ્ટ્રમાં ભળી જાય. માઉન્ટબેટનની સલાહ થી ભારત સરકારે રાજા હરિસિંહને શરતી મદદ કરવાની ખાતરી આપી.શરત મુજબ જો કાશ્મીર ભારતનો આંતરિક ભાગ બને અને તેના આધિપત્ય હેઠળ આવે તો ભારતનું લશ્કર મદદ કરે.રાજા હરિસિંહ પાસે કોઈ વિકલ્પ બચ્યો ના હોય શરત સ્વીકારવી રહી અને કાશ્મીર ભારતનું ભાગ બન્યું.ભારતીય લશ્કરે ૨/૩ કાશ્મીર નો કબ્જો મેળવ્યો અને ૧/૩ ભાગ પાકિસ્તાની લશ્કરે તાબે રહ્યું.

જો કે ભારતના ગવર્નલ જનરલ લોર્ડ માઉન્ટબેટન સ્પષ્ટપણે કાશ્મીરની સમસ્યાને વિલક્ષણ માનતા હતા. માઉન્ટબેટને ભારત સરકારને સલાહ આપી કે કાશ્મીરમાં પરિસ્થતિ કાબુમાં આવ્યા બાદ ત્યાંની પ્રજાના જનમત વડે કાશ્મીરે સ્વતંત્ર રહેવું છે કે ભારતમાં ભળવું તેનો નિર્ણય લેવામાં આવે. નેહરુને કાશ્મીરી રાજનીતિજ્ઞ અને નેતા શેખ અબ્દુલ્લા સાથે સારા સબંધ હોય એ ભ્રમે કે અબ્દુલ્લાહ મુસ્લિમોને મનાવી ભારત પક્ષે મત અપાવશે તેવું વિચારી સહમત થયા. પરંતુ નેહરુની આશા ઠગારી નીવડી અને કાશ્મીરીઓ કદાચ ભારત તરફી બહુમતી ના આપે તે ડરે માઉન્ટબેટનની સલાહનું પાલન કર્યું નહીં.

જેવી રીતે કાશ્મીરી રાજાના શરતી વિલીનીકરણથી પાકિસ્તાન હતપ્રભ થયું અને ભારતે લાભ ઉઠાવ્યો; તેમ કાશ્મીરી જનમતના નિર્ણય થી પાકિસ્તાનને પરોક્ષ ફાયદો હતો. જયારે આ વિવાદાસ્પદ મુદ્દો સંયુક્ત રાષ્ટ્માં નિરાકરણ માટે ગયો ત્યારે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિએ તબક્કાવાર ઉપાય બતાવ્યો.જે મુજબ પ્રથમ પાકિસ્તાન કાશ્મીરમાંથી પોતાનું લશ્કર પાછું ખેંચે ,બાદમાં ભારત સલામતી દળો પાછા ખેંચે અને આખરે કાશ્મીરી પ્રજાના મત વડે જે નિર્ણય આવે તેનો બંને દેશોએ સ્વીકાર કરવો. પરંતુ બન્ને દેશો એ જનમત ના થાય તે માટે પૂરતા પ્રયત્નો કરાયા અને આજ સુધી સફળ રહ્યા.બન્ને દેશોને એકબીજા ઉપર વિશ્વાસ ના હોય, લશ્કર પાછું ના બોલાવ્યું. અહીં, ભારતનું પલ્લું ઉપર રહે છે કારણકે સંયુક્ત રાષ્ટ્રના આદેશ મુજબ પ્રથમ લશ્કરની વાપસી પાકિસ્તાને કરવાની હતી.પણ, પાકિસ્તાને એવી દલીલ કરી કે જો અમે પાછા ગયા અને ભારતે લશ્કર ના પરત કર્યું તો શું? અમારી પીછેહઠ થી ભારત કાશ્મીર પચાવી લેશે તે મુદ્દો આગળ ધરી સમસ્યાને ગૂંચવી.જેના પરિણામ સ્વરૂપ બાદમાં જે સંજોગો ઉદ્ભવ્યા તેનો લાભ લઇ ભારતે ૧૯૯૦માં આફસ્પા કાશ્મીરમાં લાગુ કર્યું. આ સાથે જ લગભગ નક્કી થઇ ગયું કે હવે કાશ્મીરમાં જનમત નહિ થાય.

આ જાણકારી નવી નથી. કાશ્મીરી સમસ્યાને સમજતા વૈચારિકો જાણે જ છે. પણ આજ-કાલ "કાશ્મીર હમારા હે" ના નારા લગાવતા ભારતીયો નહીં જાણતા હોય. પણ શું ખરેખર કાશ્મીર આપણું હતું? આ વિષયે શરૂઆતના ભારતીય અભિગમને સમજીયે જે સાબિત કરે છે કે કાશ્મીર ભારતનો પ્રાણપ્રશ્ન દાયકાઓ બાદ દેખાદેખી અને કહેવાતા આત્મસન્માન ને લીધે બન્યો.

ભારતે જેમ જૂનાગઢ અને હૈદરાબાદમાં દબાણ લાવ્યું તેમ લાવ્યું નહીં.કારણ પણ સહજ હતું કે કાશ્મીર ભારતનો આંતરિક ભાગ બને તે માટેના પ્રયાપ્ત પરિબળો ભારતના પક્ષે નહતા.એટલે શરૂઆતમાં કાશ્મીરની અવગણના ભારત વડે થઇ હતી. જે લોકો એવી દલીલ કરે છે કે વલ્લભભાઈને કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવા ના આપ્યો તેથી વિવાદ જન્મ્યો.આ દલીલ સાવ તકલાદી અને અજ્ઞાનતા દર્શાવનારી છે. વલ્લભભાઈ પોતે આઝાદી પહેલા કાશ્મીર પ્રત્યે ગંભીર નહતા. ના તો રજવાડાઓના વિલીનીકરણની પ્રક્રિયામાં રાજા હરિસિંહ સાથે વાટાઘાટો કરી હતી. પણ જયારે શરતી જોડાણ થયું(જે પાછળનો મૂળ વિચાર માઉન્ટબેટનનો હતો,વલ્લભભાઈનો નહીં) ત્યારે પરિસ્થિતિનો લાભ ઉઠાવી વલ્લભભાઈએ કાશ્મીરમાં રસ લીધો. જો કે નેહરુની દખલગીરી સામે વલ્લભભાઈએ પીછેહઠ કરવી પડી.

રાજા હરિસિંહ સાથેની શરત મુજબ ભારતે કાશ્મીરને પાકિસ્તાની સેનાથી મુક્ત કરાવવાનું હતું. પણ તેમાં ભારત પૂર્ણ રીતે સફળ થયું નહીં.૧/૩ ભાગ પાકિસ્તાન હેઠળ રહ્યા તે સાબિત કરે છે કે કાશ્મીર ભારતનો પ્રાણપ્રશ્ન નહતો.

સમય જતા ભારતીય વૈચારિકોએ એવી દલીલ કરી કે કાશ્મીરને ભારત હેઠળ રાખવું એ વ્યૂહાત્મક રીતે ભારતના પક્ષે છે.કારણ કે જો કાશ્મીર આઝાદ રહે તો પાકિસ્તાન સાથે સંબંધ સુધરતાં પાકિસ્તાનની સીમા ગર્ભિત ધોરણે વિસ્તરી રાજધાની દિલ્લીની નજીક રહે. જેથી ભારતના હૃદય ઉપર ખતરો મંડાયેલો રહે. જેની સામે કાશ્મીર રક્ષણ આપે છે.આ દલીલ સ્વાર્થી અને તદ્દન સામ્રાજ્યવાદી માનસિકતા બતાવે છે. જે વૈચારિકો આ દલીલ કરે છે તે સાબિત કરે છે કે તેમને કાશ્મીરની પ્રજા સાથે નિસબત નથી. ભારત માટે કાશ્મીર ભોગ આપે તે ભાવના અહીં સ્પષ્ટ દેખી શકાય છે.

શરૂઆતની ગૂંચવણ બાદ સમસ્યા વિકરી તેમાં પાકિસ્તાન અને ભારતે જે રાજકારણ રમ્યું તેમાં કાશ્મીર પિસાયું. આ પ્રક્રિયામાં જે હરીફાઈ થઇ તે બન્ને દેશ માટે "વટ" નો મુદ્દો બન્યો.જેના ભાગરૂપે કાશ્મીર ભારતનો પ્રાણપ્રશ્ન બન્યું.(અને દંભી દેશભક્તિનું ઉદાહરણ પણ.)

આ વિષયે સૌથી લોજિકલ સોલ્યુશન કદાચ ભીમરાવ આંબેડકરે આપ્યું હતું.આ સોલ્યુશનને કેન્દ્રમાં રાખી વર્તમાન હિન્દુવાદી લખોટાઓ આંબેડકરને દેશદ્રોહી સાબિત કરવામાં તુલ્યા છે.આંબેડકરે કલમ ૩૭૦ અને કાશ્મીર સમસ્યાને સંયુક્ત રાષ્ટ્માં લઇ જવાની ઉગ્ર ટીકા કરી હતી. આંબેડકરે કાશ્મીરના બે ભાગ કરવાનો સુઝાવ આપ્યો હતો.કાશ્મીરના મુસ્લિમ બહુમતી વાળો હિસ્સો પાકિસ્તાન હસ્તક રહે અને હિન્દૂ-બૌદ્ધ બહુમતી વાળો હિસ્સો ભારત હસ્તક રહે તે સલાહ આંબેડકરે આપી હતી. આંબેડકરે ઉમેર્યું હતું કે ભારત નાહકનું કાશ્મીર વિષયે ગંભીર બની મુદ્દો ગૂંચવે છે ,જયારે તેનું સમાધાન વ્યાવહારિક રીતે અઘરું નથી.

જો આંબેડકરના વિચારને અવલોકી બન્ને દેશોએ કાશ્મીરનું વિભાજન કર્યું હોત તો અત્યારે જે હદે હુંસાતુંસી-હિંસા થી કાશ્મીરીઓ પીડાય છે- માનસિક યાતનાઓમાં જીવે છે તે નિવારી શકાયી હોત.પણ અફસોસ ,આંબેકડર ને અવગણી બન્ને દેશોએ કમનસીબી વ્હોરી.

હવે જે થઇ ગયું તેને બદલી ના શકાય. અત્યારના સંજોગો દેખતા દરેક કાશ્મીરીઓએ ભારતને મનથી અપનાવવું જોઈએ તે તેમના હિત માં છે.પણ, અલગાવવાદીઓ પાસે કેટલાક મહત્વપૂર્ણ કારણો હોય તેઓ રાજી નથી. આમ પણ આ સમગ્ર પ્રકરણમાં ભારત લુખ્ખું સામ્રાજ્યવાદી તો જણાય છે. જો દેશનું વિભાજન ધર્મના આધારે થયું હોય તો કાશ્મીરનો મોહ શું કામ રાખ્યો હશે? પાકિસ્તાનની જેમ ભારત પણ તટસ્થ અને ન્યાયી જણાતું નથી.પણ કાશ્મીરના મોહમાં ભારત પણ ઘણું ગુમાવી રહ્યું છે. પાકિસ્તાન પાસે તો ગુમાવવા ક્યાં કશું છે જ? સિવાય કે...


અારક્ષણ વિરોધી અબુધ લોકો માટે



અારક્ષણના કારણે દેશ બરબાદ થઈ ગયો છે.... જાતિ આધારિત આરક્ષણના કારણે જાતિવાદ વધી રહ્યો છે... કેટલી પાંગળીને પોકળ દલિલો છે... કેટલાક અબુધ મિત્રોની
પહેલા તો આવી દલિલ કરનારા અને આવી દલિલોને સમઁથન કરનારા બેય લોકો એકવાર સંવિધાન અને પુના કરાર અવશ્ય વાંચી લેવા જોઈયે...
આજે તો સંવિધાનમાં શિડ્યુલ્ડ કાસ્ટ, શિડ્યુલ્ડ ટ્રાઈબ અને ઓ.બી.સી. આ ત્રણેય વગઁના લોકો માટે આરક્ષણરૂપી કરવામાં આવેલી પ્રતિનિધીત્વની જોગવાઈને લઈને બધા જ બિન અનામતીયા કમેન્ટ કરવા મંડી પડ્યા છે.
પણ એક વાત ગર્વથી કહેવી પડે કે સૌથી ઓછુ પ્રતિનિધીત્વ મેળવતા 7% એવા શિડ્યુલ્ડ કાસ્ટના લોકો જ આવી અર્થહીન દલિલોનો જવાબ આપવાની હિંમત કરી શકે છે. કારણ શિડ્યુલ્ડ કાસ્ટના લોકોએ બાબા સાહેબને વાંચ્યા છે.. સમજ્યા છે.. બાબા સાહેબને અપનાવવાની હિંમત કરી છે. 
બાકી 27% પ્રતિનિધીત્વ ભોગવતા ઓ.બી.સી. કે 17% પ્રતિનિધીત્વ ભોગવતા એસ.ટી. ની એટલી તાકાત નથી કે આવા ટીકાકારોને જવાબ આપી તેમના મ્હોં બંધ કરી શકે... કારણ ઓ.બી.સી. અને એસ.ટી. આ બન્ને એ હજી પણ બાબા સાહેબને પુરા વાંચ્યા નથી કે નથી બાબા સાહેબને સમજી શક્યા. ઓ.બી.સી. અને એસ.ટી. બન્ને પોતાના ખરા મસિહા અને હિતેચ્છુ એવા બાબા સાહેબને સદંતર સાઈડ લાઈન કરી રહ્યા છે. 
પાટિદારો પણ અનામત માંગવા આવ્યા ત્યારે ઓ.બી.સી.વાળા સફાળા જાગ્યા અને તરત જ એમને બાબા સાહેબની યાદ આવી ગઈ.. જો પાટિદાર અનામત આંદોલન ન થયું હોત તો હજીય ઓ.બી.સીને બાબા સાહેબની કદીય યાદ આવી ન હોત...
ઓ.બી.સી. અને એસ.ટી. સમાજે ખરેખર બાબા સાહેબનો દિલથી આભાર માનવો જોઈયે.. કારણ આજે એ લોકોએ જે પણ પ્રગતિ કરી એ બાબા સાહેબના સંઘર્ષ અને આજીવન લડતને આભારી છે.
એસ.સી. સમાજ તો બાબા સાહેબને ભુલ્યો નથી. આજે પણ બાબા સાહેબની વિચારધારાને આદર્શ માની પોતાની પ્રવૃતિઓ કરી રહ્યો છે. અને આરક્ષણની જોગવાઈને પડકારતા દરેક બબુચકોને જવાબ આપી પોતાની નિષ્ઠા બતાવી રહ્યો છે...
ભલા માણસ હવે તમે ક્યારે મેદાનમાં આવશો...? કોક દિવસ તો 14 મી એપ્રિલની રેલીમાં ભાગ લો.... કોક દિવસ તો બાબા સાહેબની યાદમાં એમના સેમિનાર કે જાહેર વ્યાખ્યાનો ગોઠવો.... કોક વાર તો દિલથી જયભીમનો નાારો લગાવો....
કે પછી તમે લોકો પણ બસ કોઈની મહેનતના ફળ ખાઈ એકદમ નગુણાં બની પ્રતિનિધીત્વરુપી આરક્ષણની જોગવાઈઓનો લાભ લેતા રહેશો...
Pay back to Society (મતલબ પોતે જે મેળવ્યું તેમાંથી સમાજને કંઈ પાછુ આપવું) થોડીક તો આચરણમાં મુકી બતાવો.... 
ઓ.બી.સી. અને એસ.ટી. સમાજવાળાઓ જેટલો હોંશે હોંશે પ્રતિનિધીત્વનો લાભ લો છો તેની અડધાનીય અડધી તાકાત બતાવીને વારે તહેવારે તમારા પ્રતિનિધીત્વની જોગવાઈઓને પડકારતા તત્વોને યોગ્ય જવાબ આપવાની તસદી તો લો.... કોઈ તમને મારી નહી નાખે.... 
જિગર શ્યામલનનાં જયભીમ..............

कांशीराम की कीताब ”चमचा युग” के आईने से

By Social Media Desk


दलित सिख परिवार में 15 मार्च को जन्मे मान्यवर कांशीराम ने भारत के बहुजन समाज को जो नेयमते बक्शी है वह काबिले गौर है, पूणे में सरकारी सेवा में रहते हुए उन्होने महसूस किया कि दलित बहुजन बिखरा हुआ और शोषित है, इसलिए पहले-पहल उन्होने कर्मचारियों का संगठन खड़ा कर पूरे भारत में बामसेफ के रूप में स्थापित किया। उन्हे यकीन था कि बहुजन समाज का नौकरी पेशा वाला तबका अपने समाज को जागृत कर सकता है। उन्होने महसूस किया की बाबा साहेब की विचार धारा महाराष्ट्र तक सीमित है। उन्हे केवल बुध्द के साथ फोटो रखकर पूजा जाने के लिए प्रयोग किया जाता है। उनके बौध्दिक आन्दोलन पर कुछेक लोगो ने कब्जा कर रखा है। मान्यवर कांशीराम ने बामसेफ कर्मचारी संगठन के माध्यम से बाबा साहेब के संदेश को जन-जन तक पहुचाने की मुहीम चलाई। खासकर ओबीसी समाज के बीच आम्बेडकर को लाने का श्रेय कांशीराम को ही जाता है। गौरतलब है कि ये मुहीम तब रंग लाई जब उन्होने महाराष्ट्र के अलावा मध्यप्रदेश, बंगाल, उत्तर प्रदेश में काम शुरू किया। जो आगे चल कर राजनैतिक दल बहुजन समाज पार्टी के रूप में परिणित हुआ।

 सन 1982 में उनकी कालजयी किताब ”चमचा युग” (An Era of the Stooges) प्रकाशित हुई। यह किताब आम्बेडकर के अभ्युदय से लेकर पूना पैक्ट, शोषित समाज के नकली नेतृत्व से होती हुई स्थायी समाधान तक पहुचती है। कुल जमा चार भागो में विभक्त यह किताब मात्र 127 पृष्ठों की है। गौरतलब है कि कांशीराम ने बहुजन समाज पार्टी का औपचारिक गठन 1984 में किया।

मूलतः अंग्रेजी में लिखी गई इस किताब का सरल सहज हिन्दी में अनुवाद रामगोपाल आजाद ने किया है। जो महात्मा जोतिराव फुले जी को समर्पित की गई है।

कांशीराम इस पुस्तक के उद्देश्‍य के बारे में लिखते है कि ”इस पुस्तक को लिखने का उद्देश्‍य दलित शोषित समाज को और उसके कार्यकर्ताओं एवं नेताओं को दलित शोषित समाज में व्यापक स्तर पर विद्यमान पिट्ठू तत्वो के बारे में शिक्षित, जागृत और सावधान करना है। इस पुस्तक को जनसाधारण को और विशेषकर कार्यकर्ताओ को सच्चे एवं नकली नेतृत्व के बीच अन्तर को पहचानने की समझ पैदा करने की दृष्टि से भी लिखा गया है। उन्हे यह समझना भी आवश्‍यक है कि वे किस प्रकार के युग में रह रहे है और कार्य कर रहे है- यह पुस्तक इस उद्देश्‍य की पूर्ति भी करती है।”

ज्ञातव्य है कि मान्यवर कांशीराम ने अपनी राजनीतिक पारी की शुरूआत छत्तीसगढ़ से की यहां उनके कार्यकर्ता उनके लिए अपनी जान छिड़कते थे। जांजगीर लोकसभा चुनाव के दौरान वे स्वयं एक हाथ में नीला रंग, दूसरे हाथ में कूची(ब्रस) लेकर गलियों में बसपा के नारे लिखते थे। वे कार्यकर्ताओं के बीच हमेशा एक मिशनरी कार्यकर्ता के रूप में ही रहे। आज ऐसे नेता दुलर्भ है। यहां बसपा भले ही अपनी अंतिम सांसे गिन रही है लेकिन पुराने कार्यकर्ता उन्हे आज भी याद करते है। वे बतलाते है कि नये कार्यकार्ता को उनकी किताब चमचा युग पढ़ने के लिए दी जाती एवं केडर केम्प में शामिल किया जाता था।

काशीराम अपनी किताब चमचा युग में उद़त करते है कि किस प्रकार प्रसिध्द डा. अम्बेडकर को उनके बिरादरी के अनजाने प्रत्याषी ने हरा दिया। वे कहते है कि डा.अम्बेडकर को इसकी आशंका पूना पैक्ट के दौरान ही थी इसलिए उन्होने पृथक निर्वाचक मण्डल की वकालत की। डा आंबेडकर का यह कथन ध्यान देने योग्य है-


”संयुक्त निर्वाचक मण्डल और सुरक्षित सीटों की प्रणाली के अन्तर्गत स्थिति और भी बदतर हो जायेगी, जो एतत्पष्चात पूना-पैक्ट की शर्तो के अनुसार लागू होगी। यह कोरी कल्पना मात्र नही है। पिछले चुनाव ने 1946 निर्णायक रूप से यह सिध्द कर दिया है कि अनुसूचित जातियों के संयुक्त निर्वाचक मण्डल से पूर्ण रूपेण मताधिकारच्युत किया जा सकता है।”
- डा. अम्बेडकरपृ.85 चमचा युग
यानि बाबा साहेब ये मानते थे कि वर्तमान मतदान प्रणाली दलित बहुजन को अपने सच्चे प्रतिनीधि चुनने के काम नही आयेगी। हिन्दू जिन आरक्षित सीटों में दलित बहुजन को खड़ा करेगे वे दलितों के नही वरन हिन्दूओं के चमचे (हितैषी) होगे।

मान्यवर कांशीराम पुस्तक के प्रारंभ में चमचा/पिटठु की परिभाषा बतलाते है-
 ”चमचा एक देशी शब्द है जो ऐसे व्यक्ति के लिए प्रयुक्त किया जाता है जो अपने आप क्रियाशील नही हो पाता है बल्कि उसे सक्रिय करने के लिए किसी अन्य व्यक्ति की आवश्‍यकता पड़ती है। वह अन्य व्यक्ति चमचे को सदैव अपने व्यक्ति उपयोग और हित में अथवा अपनी जाति की भलाई में इस्तेमाल करता है जो स्वयं चमचे की जाति के लिए हमेशा नुकसानदेह होता है।” पृष्ठ-80 चमचा युग

इस प्रकार कांशीराम मुख्य रूप से चमचों/ मौका परस्तों को छःभागो में बांटते है-

1.         जाति या समुदायवार चमचे

o       अनुसूचित जाति -(अनिच्छुक चमचे)- इन्होने संघर्ष करके उज्जवल युग में प्रवेश करने का प्रयास किया लेकिन गांधी और कांग्रेस ने अनिच्छुक चमचा बना दिया।

o       अनुसूचित जनजाति-(नवदीक्षित चमचे)- इन्हे दलितों के संघर्ष के कारण पहचान एवं अधिकार मिल गया लेकिन ये अपने उत्पीड़क को अपना हितैषी समझते है।

o       अन्य पिछड़ा वर्ग-(महत्वकांक्षी चमचे)-ये अब महसूस करते है कि वे दलितों से भी पीछे हो गये है इसलिए इन्हे महत्वकांक्षा बहुत है। इसी कारण बहुजन आंदोलन से जुड़ रहे है।

o       अल्पसंख्यक-(मजबूर चमचे)- इसाई, मुसलमान, सिक्ख, बौध्द ये मजबूर चमचे है क्योकि ये शासक जातियों के रहमों करम पर है।

2.         पार्टीवार चमचे-ये चमचे अपने आपको दलीय अनुशासन में जकड़े होने का हवाला देकर समाज विरोधी कार्य करते है।

3.         अबोध या अज्ञानी चमचे– ये वो चमचे है जो अपने शोषको को ही अपना उध्दारक मानते है।

4.         ज्ञानी चमचे या अम्बेडकर वादी चमचे– ये वो लोग है जो बड़ी- बड़ी बाते करते है अम्बेडकर को पढ़ते और कोड भी करते है लेकिन आचरण उसके विपरीत करते है। कांशीराम इन चम्मचों से सबसे ज्यादा आहत थे।

5.         चमचों के चम्मच– ये राजनैतिक चम्मच अपनी जाति या समुदाय में पैठ दिखाने के लिए अपने चमचे बनाते है। जो शासक जातियों की पूरी सेवा करने के लिए तत्पर रहते है। शिक्षित-नौकरी पेशा वाले लोग अपने फायदे के लिए इन चम्मचों की चमचागिरी करते है।

6.         चमचे विदेशों में – विदेश में रहने वाल अछूत जिन्हे लगता है कि भारत में चमचों की कमी है तो वे भारत आकर शासक जाति की चमचागीरी चालू करते है और अपने आपको आम्बेडकर समझने लगते है। जैसे ही दलित बहुजन आंदोलन गति पकड़ेगा वे पुनः खुले रूप में बाहर आ जायेगे।

उनकी यह किताब किसी भी दलित बहुजन को परिस्कृत करने के लिए काफी है। आज हम जान सकते है कि किस प्रकार चमचों के कारण बसपा कमजोर हो गई। बहुजन आन्दोलन गद्दारों का आन्दोलन न बन पाये इसलिए भविष्य को ध्यान में रखकर उन्होने आगाह करने के लिए यह किताब लिखीं । यह किताब आम्बेडकर आन्दोलन को एक कदम आगे ले जाने के लिए प्रेरित करती । वे अम्बेडकर के शब्दो को मंत्रो की तरह रटने के लिए नही बल्कि उसका अंगीकार करने के लिए जोर देते। इस किताब में घटनाओं एवं तथ्यों का विशलेषण तथा व्याख्या महत्वपूर्ण।

कांशीराम को सभी जानते होगे, लेकिन समझ वही सकते है जिन्होने उनकी किताब चमचा युग पढ़ी होगी। आज भी उनकी किताब प्रासंगीक है ओर हमेशी रहेगी। बहुजन आंदोलन के लोग इस किताब को बाईबल की तरह सम्मान देते है।

( उपरोक्त लेख वाट्सप से प्राप्त है, लेखक का नाम पता नही है.)
Created By Vishal Sonara

हमारे एक पाठक वाणीया विपुल के द्वारा एक टीप्पणी ः
कांशीराम साहेब अपनी पुस्तक चमचा युग में चमचो की विभिन्न किस्मों के बारे में लिखते है| वर्तमान समय में अलग-अलग चमचो और उनकी चाटुकारिता को देखा जा सकता है| कांशीराम साहेब के शब्दों में|
अनिच्छुक चमचे- अनुसूचित जातियाँ
नवदीक्षित चमचे- अनुसूचित जनजातियाँ
महत्वाकांक्षी चमचे- अन्य पिछड़ी जतियाँ
मजबूर चमचे- अल्पसंख्यक
पार्टीवार चमचे- राजनैतिक पार्टियों ने अनुशासन के नाम पर पैदा किये हुए चमचे
अबोध और अज्ञानी चमचे- डॉ. अम्बेडकर के संघर्ष से अनभिज्ञ चमचे
ज्ञानी अम्बेडकरवादी चमचे- अम्बेडकरवाद को समझकर भी उल्टा आचरण करने वाले
चमचो के चमचे- नौकरी याफ्ता लोगों में उत्पन्न ऐसे चालाक लोग जो राजनैतिक चमचों की चमचागिरी में जुटे है|
(स्रोत :- चमचा युग पुस्तक से)

બંધારણવાળો બાબો ભાગ ૧૨

By Raju Solanki





"Damn your safeguards, we don’t want to be ruled by you on any terms."

અત્યારે કેટલાક જુઠ્ઠા આંબેડકરવાદીઓ અને બનાવટી બૌદ્ધો બિલોરી કાચ લઇને બાબાસાહેબના ગ્રંથોમાં ક્યાં ક્યાં મુસ્લિમ-વિરોધી લખાણો છે તે શોધવાની રાત-દિવસ કવાયત કરી રહ્યા છે. તેઓ દેશમાં નફરતની રાજનીતિ ફેલાવવાના સંઘીય એજન્ડાનો અમલ કરી રહ્યા છે. આવા લોકોને બાબાસાહેબે બંધારણસભામાં જે શબ્દો ઉચ્ચાર્યા હતા તે ફરીથી યાદ દેવડાવવા જેવા છે.

બાબાસાહેબે કહેલું,
“બંધારણના મુસદ્દાની એટલા માટે પણ ટીકા થાય છે કે તે લઘુમતીઓ માટે સુરક્ષા કદમ (safeguards) પૂરાં પાડે છે. આમાં, મુસદ્દા સમિતિની કોઈ જ જવાબદારી નથી. તે તો બંધારણસભાના નિર્ણયોને માત્ર અનુસરે છે. હું મારી વાત કરું તો, મને એમાં લગીરે શંકા નથી કે બંધારણસભાએ આ રીતે લઘુમતીઓ માટે આવા સુરક્ષા કદમ (safeguards) પૂરાં પાડીને ડહાપણભરેલું કામ કર્યું છે. આ દેશમાં બહુમતી અને લઘુમતી બંને ખોટા માર્ગે ચાલ્યા છે. લઘુમતીનું અસ્તિત્વ નકારવું એ બહુમતી માટે ખોટું છે. લઘુમતી પણ અનંતકાળ સુધી પોતાની ઓળખ જાળવી રાખે એ પણ એટલું જ ખોટું છે. આનું નિરાકરણ આવવું જ જોઇએ, જેનાથી બે હેતુ સરશે. તેમાં સૌ પહેલાં તો લઘુમતીના અસ્તિત્વની સ્વીકૃતિ થવી જ જોઇએ. વળી તે એવું પણ હોવું જોઇએ કે લાંબે ગાળે બહુમતી અને લઘુમતી એકમેકમાં ભળવા સક્ષમ થાય. બંધારણસભા દ્વારા રજુ થયેલું નિરાકરણ આવકારદાયક છે કેમ કે તેનાથી આ બંને હેતુઓ સરે છે.”

આટલું કહીને બાબાસાહેબ જે શબ્દો ઉચ્ચારે છે તે શબ્દો અત્યાર દેશમાં ઉત્પાત મચાવતા ગૌગુંડાઓને ગોખાવવા જેવા છે. બાબાસાહેબ કહે છે, “લઘુમતી સુરક્ષા (safeguards) સામે એક પ્રકારનો કટ્ટરવાદ જેમણે વિકસાવ્યો છે તેવા કટ્ટરપંથીઓ માટે હું બે વાના કહીશ. એક તો, લઘુમતીઓ એક વિસ્ફોટક બળ છે, જે ફાટે તો, રાજ્યના સમગ્ર તાણાવાણાને છિન્નભિન્ન કરી શકે છે. યુરોપનો ઇતિહાસ આ હકીકતની પર્યાપ્ત અને ચોંકાવનારી સાબિતી પૂરી પાડે છે. બીજી બાબત એ છે કે, ભારતની લઘુમતીઓ બહુમતીના હાથમાં તેમનું અસ્તિત્વ સોંપવા સંમત થઈ છે. આયર્લેન્ડના ભાગલા અટકાવવા માટેની મંત્રણાઓના ઇતિહાસમાં રેડમોન્ડે કાર્સનને કહેલું, “પ્રોટેસ્ટન્ટ લઘુમતી માટે તમને ગમે તેવા સુરક્ષા કદમ (safeguards) માંગી લો, પરંતુ આપણે એક સંયુક્ત આયર્લેન્ડ રચીએ, ચાલો.” કાર્સનનો જવાબ હતો, “તમારા સુરક્ષા કદમ ભાડમાં જાય. અમે તમારા દ્વારા શાસિત થવા માંગતા નથી.” (Damn your safeguards, we don’t want to be ruled by you.) ભારતની કોઈપણ લઘુમતીએ આવું વલણ લીધું નથી. તેમણે બહુમતીના શાસનને વફાદારીપૂર્વક સ્વીકારી લીધો છે, જે બહુમતી મૂળભૂતપણે એક કોમી બહુમતી (communal majority) છે, રાજકીય બહુમતી (political majority) નથી.

યાદ રાખજો, અહીં લઘુમતી શબ્દ માત્ર મુસ્લિમ માટે બાબાસાહેબે વાપર્યો નથી. એસસી-એસટી પણ લઘુમતી જ છે.

(કોન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બલી ડીબેટ્સના ત્રીજા વોલ્યૂમના પેઇજ 31થી 44)

(ફોટો - આયરિશ નેતા કાર્સન)

- Raju Solanki