Showing posts with label #gujarat_election. Show all posts
Showing posts with label #gujarat_election. Show all posts

December 19, 2017

गुजरात चुनाव पर सबसे बेहतरीन विश्लेषण : Ram Riots and Reservation!

By Jitendra Makwana | 19 December 2017 at 01:18 


गुजरात के चुनाव मे शहरी क्षेत्रो मे से 85% सीटे भाजपा ने जीती.

चार प्रमुख शहरों - अहमदाबाद, सूरत, वडोदरा और राजकोट की 55 में से भाजपा ने 44 सीटें जीत ली और कोंग्रेस ने सिर्फ 11 सीटें.   ( Deccan Herald) 
फिर एक बार सवर्ण गुजराती मतदाता ने यह साबित कर दिया है कि उनके लिए भारत में सरकार का चुनाव करने के लिए आर्थिक मापदंड कोइ माईने नही रखता. 

ये आंकड़े स्पष्ट रूप से दिखाते है की व्यापारी वर्ग और सवर्ण मध्यम वर्ग को GST ,नोटबंधी या मोदी सरकार की दुसरी कोइ भी गलती से मतलब नही है. 

( यहा तक की नोटबंधी के तुरंत बाद सवर्ण और गरीब पीछडो ने उत्तरप्रदेश मे मोदी को वोट दिया था. )

वास्तव में शहरी सीटों में बीजेपी का वोट शेयर पिछले चुनावों की तुलना में इस बार 3-5% बढ़ा है.

अगर आप इन मे से किसी भी सवर्ण व्यापारी वर्ग को जाकर पुछेगे की व्यापार का क्या हाल है तो वो कहेंगे की GST और नोटबंधी के कारण कारोबार मे काफी गिरावट है.

लेकिन जब चुनाव और मतदान की बात आती है, तो ऊपरी जाति का वोट संघ और भाजपा के सीवा और कही भी नही पडता.

मगर आप ये हरगीझ न सोचे की ये वोटींग मोदि के कारण है.

उनका ये वोट आरक्षण और मुसलमानों के खिलाफ है.

वोह संघ या मोदी नहीं है जो दंगे चाहते है, लेकिन वोह उच्च जाति और मध्यम वर्ग गुजरात है जो बडी गहराई ये सब चाहते है.

मोदि और संध तो सिर्फ उन लोगो की सेवा कर रहे है जो ये सब चाहते है. 


उच्च जातियों का मानना है कि कांग्रेस का मतलब है आरक्षण और मुसलमान।

समझदार दलितों और मुसलमानों को पता है कि कांग्रेस का मतलब दलितो और मुसलमानों के लिए विकास शून्य परिस्थीती.

और बीजेपी ये सब भ्रम या गलतफहमी का राम, राओट्स (दंगे) और रीजर्वेशन के रुप मे लाभ ले लेती है.

Ram Riots and Reservation!



Original Texts :-

85 % urban seats won by BJP.

Of the 55 seats in four major urban cities - Ahmedabad, Surat, Vadodara and Rajkot - BJP has won 44 seats, with the Congress at a distant 11. ( Deccan Herald)

Once again upper caste Gujarati voter has proved that Economic performance will never ever be a measurement to elect a govt in India for them.

These data clearly show business class, upper caste middle class do not mind GST or demonetization or any mistakes of Modi Sarkar.

( Even after demonetization upper caste & poor backwards had voted for Modi in Uttar Pradesh.)

In fact in urban seats, BJP's vote share has increased by 3-5 % compared to the last election.

While if you go and meet any of these upper caste business class, they will say since GST and Demonetization business has slowed down significantly.

But when it comes to election and voting, Upper caste vote is only and only for Sangh and BJP agenda.

Please don't think it is for Modi.

The vote is against reservation and Muslims.

It is not Sangh or Modi who loves riots, but it is upper caste &middle-class Gujarat that loves it deeply.

Modi and Sangh are just serving people what they want.

Upper castes think Congress means Reservation and Muslims.

Wise Dalits and Muslims know congress means zero development for Dalit and Muslims.

And Bjp takes the benefit of this confusion or misunderstanding on the name of Ram, riots, and reservation

- Makwana Jitendra

(अंग्रेजी से हिन्दी रूपांतरण विशाल सोनारा ) 

December 15, 2017

ક્યા સે ક્યા હો ગયા?

By Raju Solanki  || 21 November 2017 at 17:26



મેં અગાઉ પણ કહેલું અને આજે પણ કહું છું, હાર્દિક પટેલને અનામત માટે નેતા બનાવવામાં આવેલો, ભાજપ હટાવવા માટે નહીં. હાર્દિક એના મેન્ડેટની બહાર ગયો. દેશમાં ક્યાંય ક્વોટા આંદોલન એની નક્કી કરેલી સ્ક્રિપ્ટની બહાર ગયું નથી. જાટ, મરાઠા, ગુર્જર, આ તમામ સમુદાયોના આંદોલનો ભગવા નેજા નીચે જ ચાલ્યા છે. કોઈએ ક્યાંય સંઘની ચડ્ડીઓ સામે એક અક્ષર ઉચ્ચાર્યો નથી. ખરેખર તો સંઘની થિન્ક ટેન્ક આ આંદોલનોને એક લાંબા ગાળાની રણનીતિના ભાગરૂપે જોઈ રહી છે, જે દેશમાં અનામતની સમીક્ષા માટેનું એક વ્યાપક વાતાવરણ તૈયાર કરે અને ભવિષ્યમાં અનામતને હટાવી શકાય.

વોટની રાજનીતિ આડે આવે છે, નહીંતર એક સેકન્ડમાં સંઘીઓ અનામતને એક ઝાટકે ઉડાડી દેવા તૈયાર છે. સૌથી મોટો ડર ઓબીસીનો છે, જે હવે યુપી જેવા સૌથી મોટા રાજ્યમાં ભગવા રંગે રંગાઈ ચૂક્યા છે. ઓબીસીનું દલિત-આદિવાસી સાથે જોડાણ થાય તો સંઘનો ખેલ ખતમ થાય એમ છે અને એ અટકાવવા માટે ક્વોટા આંદોલન આવી રહ્યા છે.

ગુજરાતના ક્વોટા આંદોલને આજે દળી દળીને કુલડીમાં ભર્યું છે, પાસનું દળકટક ભાજપમાં જઈ રહ્યું છે અને હાર્દિક એકલવાયો ટ્વીટ્ટર પર શાયરીઓ કરી રહ્યો છે. આ તો થવાનું જ હતું. ચુંટણી પછી ઘીના ઠામમાં ઘી પડી જશે. પટેલો ભાજપમાં જ રહેશે. ભાજપ પટેલોનું પોતાનું ઘર છે. બહું મહામહેનતે આ ઘર બનાવ્યું છે. જય સરદારના નારાથી કોંગ્રેસીઓ પટેલોને બેવકૂફ બનાવી નહીં શકે.

ચૂંટણી કરોડોનો ખેલ છે. આજે સમાચાર છે એમ ભાજપને દસ કરોડ અને કોંગ્રેસને આઠ કરોડ બે નંબરના નાણા પાનકાર્ડ વિનાના મળ્યા છે. તમે આંદોલન કરવા તૈયાર હો તો બંને પક્ષો તમને ખરીદવા તૈયાર છે. તમારે તમારી કિંમત નક્કી કરવાની છે. આમાં સિદ્ધાંત બિદ્ધાંત કશું જ આવતું નથી. જો જીતા વહી સિકંદર. તમને લોકોના નામે બોલતા આવડવું જોઇએ. તમારી પાસે મગજ વગરના બે-પાંચ હજાર માણસોનું ટોળું હોય તો તમારી કિંમત અંકાય છે. હાર્દિક પાસે લાખોનું ટોળું હતું, પરંતુ એના પણ પગ નીચેથી ધરતી ખસી રહી છે.

મીડીયાએ કાલે તમને હીરો બનાવ્યા, આજે ઝીરો પણ બનાવી દેશે.

November 15, 2017

દલિતોના મત કેટલા નિર્ણાયક?

By Raju Solanki  || 8 November 2017 at 15:43


કેટલાક દિવસો પહેલાં એક ગુજરાતી અખબારમાં આવેલું કે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 60 બેઠકો પર દલિતોના મત નિર્ણાયક છે. ઘણા લોકો આ વાંચીને ગેલમાં આવી ગયા હતા. આમ પણ છેલ્લા કેટલાક સમયથી મીડીયા જાતિવાદી ધ્રૂવીકરણની નીતિના ભાગરૂપે દલિતો વિષે અતિશયોક્તિપૂર્ણ અહેવાલો છાપી રહ્યું છે. જમીની સ્તર પર સ્થિતિ સાવ જૂદી છે.

ગુજરાતમાં 47 લાખ દલિતો છે. દેશના અન્ય રાજ્યો કરતા અહીં દલિતોનું શહેરીકરણ બહુ મોટા પાયે થયું છે. એટલે લગભગ ચાલીસ ટકા દલિતો રાજ્યના પાંચ મોટા મહાનગરો અમદાવાદ, વડોદરા, સૂરત, રાજકોટ અને ભાવનગરમાં તેમ જ અન્ય નાના નગરો જેવા કે મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, અમરેલી, જામનગરમાં વસે છે. આમ, અંદાજે 17 લાખ દલિતો શહેરોમાં વસે છે. જ્યારે ગુજરાતના 18,000 ગામડાઓમાં બાકીના ત્રીસ લાખ દલિતો વસે છે. ગુજરાતના અમદાવાદ, સાબરકાંઠા, કચ્છ અને સુરેન્દ્રનગર આ ચાર જિલ્લાઓમાં દલિતોની વસતી દસ ટકા કે તેથી વધારે છે. બાકીના જિલ્લાઓમાં સાત ટકાથી ઓછી છે.

ગામડાઓમાં વસતા દલિતોના મતો કોઈપણ વિધાનસભા વિસ્તારમાં નિર્ણાયક નથી. એટલે કે દલિતો એકલા હાથે કોઈ સીટનું ભાવિ નક્કી કરી શકતા નથી. ઘણી જગ્યાએ તો આજે પણ દલિતોના વોટ સવર્ણ જાતિઓના દબંગોના હાથમાં છે. ગામમાં બહુમતી સવર્ણ હિન્દુઓ નક્કી કરે તે પક્ષનો ઉમેદવાર જીતે છે. શહેરોમાં દલિતો કોઈ અન્ય વંચિત સમુદાય સાથે જોડાય તો એના વોટ અસરકારક બને છે. જેમ કે અમદાવાદમાં દલિતો મુસલમાનો સાથે જોડાય તો બંનેના મતો નિર્ણાયક બને છે. અગાઉ કોંગ્રેસના સમયમાં એવું બનતું હતું. અમદાવાદનો મેયર મુસ્લિમ હોય અને ડેપ્યુટી મેયર દલિત હોય તેવું સમીકરણ હતું, જેને ગોબર મંડળીએ વ્યવસ્થિત રીતે તોડ્યું હતું હુલ્લડો કરાવીને. હવે એ સમીકરણ જીવતું થાય તેમ નથી, કેમ કે કોંગ્રેસ પણ ભાજપની જેમ સોફ્ટ હિન્દુત્વ પર રમી રહી છે. કોંગ્રેસની ઢીલી નીતિને કારણે અમદાવાદમાં માત્ર દલિતોના જ નહીં મુસલમાનોના મત પણ બિન-અસરકારક બન્યા છે.

દલિતોના મત નિર્ણાયક બનાવવા હોય તો દલિતોની સાથે મુસ્લિમ મતો પણ નિર્ણાયક કઈ રીતે બને તેની વ્યૂહરચના હોવી જોઇએ. હાલ તો કોંગ્રેસ અમદાવાદ જેવા શહેરોમાં આ મુદ્દે નિષ્ફળ નીવડી છે. કોંગ્રેસ ગજા વગરની ગધાડી છે. એન્ટી ઇન્કમ્બન્સીના જુવાળ પર જીતી જાય તો ઠીક છે. બાકી, ચૂંટણીના પરિણામ પછી જ આમાં શાંતિથી વિચારી શકાશે.

हज किसका, सवाब किसका

By Raju Solanki  || 11 November 2017 at 08:59



હજ કિસકા, સવાબ કિસકા
ગુજરાતની ગોબર મંડળીએ ચૂંટણી પ્રચારને રામ વિરુદ્ધ હજનો રંગ આપ્યો ત્યારે એવું લાગ્યું કે આ સ્ક્રિપ્ટ તો પચીસ વરસ જૂની છે. જે લડાઈમાં મુસલમાનને બે ટકાનો ફાયદો થવાનો નથી, જે લડાઈના અંતે મુસલમાનોનું રાજકીય પ્રતિનિધિત્વ ‘દયાજનક’ અને ‘લાચાર’ જ રહેવાનું છે, એ લડાઈમાં મુસલમાનને જ બદનામ કરવાનો તખતો ગોઠવાઈ ગયો છે.
બે દિવસ પહેલાં રાષ્ટ્રીય ઉલેવા કાઉન્સિલે લઘુમતી સમાજ માટે 18 બેઠકોની માંગણી કરી હતી. આ કાઉન્સિલનું આમ તો કોઈ જ વજુદ નથી. પરંતુ, બીજા જ દિવસે કોંગ્રેસના લઘુમતી સમુદાયના ધારાસભ્યએ પ્રેસ વિજ્ઞપ્તિમાં કહ્યું કે મૌલવીઓ રાજકારણમાં માથુ ના મારે તો સારું. હવે આ દેશમાં જેમને બે પૈસાની અક્કલ નથઈ એવા નાગા બાવાઓ વચ્ચે પણ મુખ્યપ્રધાન થવાની સ્પર્ધા શરૂ થઈ છે ત્યારે મૌલવીઓને ખામોશ રહેવાની સલાહ આપવી એ તો બિલાડીથી ફફડતા ઉંદરના કલ્પાંત જેવી જ છે.
કોંગ્રેસે સોફ્ટ હિન્દુત્વનો માર્ગ પકડી લીધો છે. રાહુલ ગાંધીએ રાજ્યના તમામ નામાંકિત મંદિરોમાં જઇને ઘંટ વગાડી દીધો છે. મીડીયાને પણ મજા પડી ગઈ. કહે છે, “રાહુલ બાબા માત્ર પંદર મીનીટમાં ચોટીલા માતાજીના મંદિરના પગથીયા ચડી ગયા અને ઉતરી પણ ગયા.” હજુ ત્રણ વરસ પહેલાં 2014માં લોકસભાની ચુંટણીઓ ટાણે જે માણસને તમે પપ્પુ પપ્પુ કહીને વગોવી માર્યો હતો, ઇન્ટરનેટ પરથી શોધી શોધીને એની જોક્સ મુકી હતી, એ રાતોરાત કેવી રીતે સ્ફુર્તિવાળો થઈ ગયો, ધીર ગંભીર થઈ ગયો, દેશના ભાવિ વડાપ્રધાન થવાની લાયકાત ધરાવતો થઈ ગયો. મીડીયાએ કોંગ્રેસનું સોફ્ટ હિન્દુત્વ ચ્યવનપ્રાસની જેમ લોકોને ચટાડ્યું અને લોકોએ પેટ ભરીને ચાટ્યું.
પણ, રાહુલ બાબાની કોંગ્રેસને કોઈ એવો પ્રશ્ન નથી પૂછતું કે વિધાનસભામાં 44-44 બેઠખો ધરાવતા ગુજરાતના સૌથી પ્રભુત્વશાળી સમુદાયના સવાલો રોજે રોજ મંત્રણા કરવા યોગ્ય છે, તો એના જેટલી જ વસતી ધરાવતા સમુદાયને કેમ માત્ર –ત્રણ સીટો આપીને પટાવો છો? શું દેશના બંધારણની રક્ષા કરવાની એક માત્ર પવિત્ર જવાબદારી મુસલમાનોના માથે જ છે?
રાહુલ બાબાની મંદિર મુલાકાતો સામે ગોબર મંડળીએ વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે, કોંગ્રેસ માતાજીની ગમે તેટલી આરતી કરે, છેવટે તો તેણે હજનો જ આશરો લેવો પડશે. મુસલમાનોને રાજકીય રીતે ‘અદ્રશ્ય’ બનાવી દેવાની ભાજપની જાદુગરીમાં કોંગ્રેસ પણ હોંશે હોંશે સામેલ થઈ જતી હોય ત્યારે મુસલમાનોએ મૂંગા મંતર રહેવાનું, લોકશાહીને બચાવવાની મહત્તમ કિંમત લઘુત્તમ સમાજે ચુકવવાની. આ કેવું?
2004મા મારી કિતાબ ‘ભગવા નીચે લોહી’માં મેં એક વિશ્લેષણ કર્યું હતું. જેમાં મેં જણાવ્યું હતું કે 1981માં મુસલમાનોના નવ ધારાસભ્યો હતા. વાંકાનેરમાં પીરઝાદા મંજુર હુસેન, જામનગરમાં મોહમદ હુસેન બલોચ, સિદ્ધપુરમાં શરીફભાઈ ભટ્ટી, ગોધરામાં અબ્દુલ રહીમ ખાલપા, ઠાસરામાં યાસીન મિયાં મલેક, ભરુચમાં અહેમદ પટેલ, સુરત (પશ્ચિમ)માં મોહમદ સુરતી, કાલુપુરમાં મોહમદ હુસેન બારીજીયા અને જમાલપુરમાં લાલભાઈ કુંદીવાલા. ગોબર મંડળીએ હિન્દુત્વની એવી કટ્ટર ઝુંબેશ ચલાવી કે આ સીટો પર આજે સવર્ણ હિન્દુઓ કમળના નિશાન પર જીતે છે. મુસલમાનો સામે હુલ્લડોમાં એસસી, એસટી, ઓબીસીને ધંધે લગાડ્યા હતા અને પછી મુસલમાનોની રાજકીય બાદબાકી થઈ ત્યારે એનો ફાયદો વાણીયા, બ્રાહ્મણ, પટેલોએ લીધો હતો.
ગુજરાતમાં આ વખતે જે એન્ટિ ઇન્કમ્બન્સી છે, એ અગાઉની કોઈપણ ચૂંટણીમાં જોવા મળી નથી. તેમ છતાં જો કોંગ્રેસ હારી જશે તો મુસલમાનોએ નવા રાજકીય વિકલ્પ અંગે વિચારવું પડશે.

In Hindi :-
गुजरात की गोबर मंडली ने चूनावी जंग को राम विरुद्ध हज का रंग दिया तब सभी ने कहा कि यह स्क्रिप्ट तो पचीस साल पुरानी है. मगर किसी ने ऐसा कहने की गुस्ताखी नहीं की कि जिस लडाई में मुसलमान को दो टके का भी फायदा होनेवाला नहीं है, जिस लडाई के अंत में मुसलमानों के राजकीय प्रतिनिधित्व को फिर से ‘लाचार’ और ‘बेबस’ ही रहना है, उस लडाई में बिना वजह मुसलमानों को क्यों बदनाम किया जा रहा है. मुसलमान बुद्धिजीवी, सामाजिक कार्यकर्ता इस बारे में एक लफ्ज भी नहीं बोलेगा तो यह स्थिति शर्मनाक है.
कुछ दिन पहले राष्ट्रीय उलेमा कौन्सील ने मुसलमानों के लिए गुजरात कोंग्रेस से 18 सीटें मांगी थी. दुसरे ही दिन कांग्रेस के मुसलमान विधायक ने कहा कि मौलवी लोग राजनीति से दूर ही रहे तो अच्छा रहेगा. अब जब इस देश में नागा बावाओं के बीच में प्रधानमंत्री होने की स्पर्धा चल रही है तब मौलवियों को खामोश रहने की सलाह बिल्लियों से कांपते चूहो के आक्रंद जैसी ही लगेगी.
कांग्रेस ने इस चुनाव में फिर से सोफ्ट हिन्दुत्व का सहारा लिया है. राहुल बाबा ने पूरे गुजरात के नामी मंदिरों में जाकर घंटा बजा दिया है. मीडीया बहुत खुश है. गुजरात के अखबार लिखते हैं, “राहुल बाबा चोटीला माताजी का मंदिर सिर्फ पंद्रह मिनट में चडकर उतर गए. राहुल बाबा ने क्या फुर्ती दिखाई है.” अभी दो साल पहले जिस इन्सान को आप पप्पु पप्पु कहते थकते नहीं थे, वह अचानक तेज तर्रार कैसे हो गया, धीर गंभीर कैसे हो गया, देश का पीएम मटीरीयल कैसे बन गया. मीडीया को कांग्रेस का सोफ्ट हिन्दुत्व बहुत भाया और मीडीया ने लोगों को च्यनवप्राश की तरह लोगों को चटाया और सभी ने चाट भी लिया.
राहुल बाबा की कांग्रेस को कोई यह सवाल नहीं पूछता कि भैया गुजरात विधानसभा की 44 सीटें जिसकी झोली में है ऐसे प्रभुत्वशाली समुदाय के सवाल हर रोज मंत्रणा करने के काबिल लगते है तो जिस समुदाय की इतनी ही तादाद होकर भी जिसे आप दो-चार सीटें देते हो इसे क्यों आप टेकन फोर ग्रान्टेड गीनते हो?
मैंने 2004 में मेरी किताब ‘भगवा तले अंधेरा’ में एक विश्लेषण किया था. जिसमें मैंने बताया था कि 1981 मुसलमानों के नव विधायक थे. वांकानेर में पीरझादा मंजुर हुसैन, जामनगर में मोहमद हुसैन बलोच, सिद्धपुर में शरीफभाई भट्टी, गोधरा में अब्दुल रहीम खालपा, ठासरा में यासीन मियां मलेक, भरुच में अहमद पटेल, सुरत (पश्चिम) में मोहमद सुरती, कालुपुर में मोहमद हुसैन बारीजीया और जमालपुर में लालभाई कुंदीवाला थे. गोबर मंडली ने हार्ड हिन्दुत्व क्या चलाया कि कांग्रेस भी सोफ्ट हिन्दुत्व पर चल पडी. नतीजा यह आया कि आज सिर्फ दो विधायक रह गये है. और सबसे भयानक बात तो यह है कि इन सारी सीटों पर अब सवर्ण जातियों के लोग चुनकर आते है और वह भी कमल के निशान पर.
गुजरात में इस बार जो तरह की एन्टि इन्कम्बन्सी है, वह शायद ही किसी और चुनाव में होगी. अगर इसके बावजुद कांग्रेस हार जाती है तो मुसलमानों को राजकीय विकल्प के बारे सोचना पडेगा.
-Raju Solanki

November 03, 2017

દેડકાની પાંચશેરી

By Raju Solanki  || 1 November 2017 at 15:12

પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં જંબૂદ્વીપ પ્રદેશ. તેમાં પાંચ લાખ કૂવા, ભવ્ય પણ જર્જરીત. પાંચ હજાર વર્ષથી આ કૂવાઓએ યેનકેનપ્રકારેણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખેલું. દરેક કૂવામાં હજાર જાતના જીવ-જંતુ. વીંછી, નોળીયો અને સાપ. કાનખજૂરા, ગરોળી અને નાગ. વાગોળ, ઘુવડ અને ઉંદર, કીડી, મંકોડા અને છછૂંદર. કૂવાની દિવાલોની સદીઓ જૂની તિરાડોમાંથી ફૂટેલા પીપળા અને વડના વૃક્ષો પર સેંકડો જાતના પંખી, રંગબેરંગી માળા બાંધે અને કિલકિલાટ કરે. આ હંધાય પશુ-પંખી એકબીજા હારે ખુબ બાઝે, લડે, નહોરીયાં ભરાવે, લોહી કાઢે, પણ જ્યારે પેલા બિચારા દેડકાં સહેજ અવાજ કાઢે તો એની સામે તો સૌ એકજુટ થઈ જાય. કોઈ દેડકાંને માથુ ઉંચકવા ના દે, બધા ભેગા મળીને દેડકાઓનો તો ઘાણ કાઢી નાંખે.
કૂવાના ચીતરી ચડે તેવા મરેલા વંદાઓને ખાવાનું કામ દેડકાઓના માથે. પાંચ હજાર વર્ષથી દેડકા નીચુ મોંઢુ રાખીને એક પવિત્ર ફરજ સમજીને આ કાર્ય કરતા હતા. ક્યારેક એમની વચ્ચે ચર્ચાઓ થતી હતી. રૌરવ નર્ક જેવો કૂવો એમના લમણે લખાયેલો હતો. યુવાન દેડકાઓ હવે કોઈની લૂખ્ખી દાદાગીરી ચલાવી લેવા તૈયાર ન હતા.
અને હમણાંકથી દેડકાઓમાં અંદરો અંદર ચણભણ વધી ગઈ હતી. કેટલાક દેડકાઓ કૂવાની બહાર ડોકિયું કરતા હતા. કેટલાક તો હિંમત કરીને કૂવાની બહાર કૂદકો મારીને બીજા કૂવા સૂધી લટાર પણ મારી આવેલા. પાછા આવીને તેઓ કૂવાના દેડકાઓ આગળ બહારની ચકાચૌંધ દુનિયાના રસપ્રદ વર્ણનો કરતા હતા. ક્યારેય જેમણે કૂવો ના છોડ્યો હોય તેવા દેડકાઓ તેમની વાતો સાંભળીને ભારેખમ નિસાસા નાંખતા હતા.
થોડાક દિવસો પર તો કેટલાક દેડકાઓએ ભારે હિંમત કરી નાંખી હતી. કૂવાની બહાર નીકળીને જંબૂદ્વીપના મોભી સમાન નાગનાથના દર પર પહોંચી જ ગયા હતા. અને નાગનાથને એક તીખો, અણિયાળો સવાલ પૂછી જ નાંખ્યો હતો. “હે નાગનાથ, જંબૂદ્વીપમાં એક કૂવો બતાવો કે જ્યાં અમારી જાતના દેડકાઓ પર કોઈ જુલમ થતો ના હોય.” નાગનાથ એની કાયમની ખંધી નજરે દેડકાઓ સામે જોઈ જ રહ્યો હતો. એણે કોઈ જવાબ જ ના આપ્યો. દેડકાંઓ પાછા ફર્યા હતા. કોક કહેતું હતું, “જોયું, નાગનાથને કેવો ભીંસમાં લીધો. સાલાને પસીનો છૂટી ગયો.” કોક કહેતું હતું, “ક્યાંથી બતાવે કૂવો? એના બાપના તબેલામાંથી બતાવે? આવો કોઈ કૂવો જ નથી, જ્યાં દેડકાઓ પર અત્યાચાર થતો ના હોય.”
એક વાદળી આંખોવાળો દેડકો ક્યારનો ખૂણામાં બેઠો બેઠો બધી ચર્ચાઓ સાંભળતો હતો. એણે મોટેથી ઘાંટો પાડીને કહ્યું, “ભાઈઓ, આ બધી મોંકાણ આ કૂવાના લીધે છે. કૂવો છોડીને બાજુના તળાવમાં જતા રહીએ તો કેવું?” “તળાવમાં ભૂખે મરી જઇશ. છાનોમાનો બેસ. દોઢડાહીના,” કૂવાના સૌથી વૃદ્ધ દેડકાએ એને તતડાવ્યો. વાદળી આંખોવાળો દેડકો ગાંજ્યો જાય એવો ન હતો. તે બોલ્યો, “ભૂલી ગયા લ્યા, પેલા મહામાનવે શું કહેલું આપણા બાપદાદાવને? કૂવો છોડો, તળાવ ચલો. કહેલું કે નહીં?”
એવામાં કૂવાની બહાર મોટી મોટી પીપુડીઓ વાગી. વાદળી આંખોવાળા દેડકાનો અવાજ તેમાં દબાઈ ગયો હતો. એક ઉત્સાહી દેડકો ક્યાંકથી આવીને ટપક્યો હતો. કહેતો હતો, “ભાઈઓ, આ બધી જંજાળ છોડો. મહિના કેડે ચૂંટણી આવી રહી છે. આપણે આપણા દુશ્મન નાગનાથની જગ્યાએ સાપનાથને ચૂંટી કાઢીએ. આપણા મોટાભાગના પ્રશ્નો હલ થઈ જશે.”
બધા એની સામે જોઈ રહ્યા.
બહાર પીપુડીઓનો અવાજ વધારે મોટો થવા માંડ્યો હતો.
રાજુ સોલંકી

October 26, 2017

ડાયપર બદલો

By Raju Solanki  || 24 October at 14:11



ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીનું પરીણામ ગમે તે આવે, ચારે તરફ અત્યારે એની ચર્ચા છે. ખાસ કરીને સોશલ મીડીયા પર કેટલાક મુદ્દાઓ આવી રહ્યા છે, જેના વિષે બોલવું અત્યંત જરૂરી છે.


મુદ્દો એક. આગામી ચૂંટણી નિર્ણાયક છે.

આમ તો લોકશાહીમાં દરેક ચૂંટણી નિર્ણાયક જ હોય છે. સમજુ માબાપ જેમ બાળકોના ડાયપર બીજા દિવસે બદલી નાંખે એમ સમજુ મતદારોએ દર પાંચ વર્ષે સરકારો બદલી નાંખવાની હોય. પરંતુ, આપણા દેશમાં બાબાસાહેબ આંબેડકરે કહ્યું એમ લોકશાહીનો છોડ બહારથી લાવીને વાવ્યો છે. પ્રજા એટલી પરિપક્વ નથી. વીસ વીસ વર્ષથી એકના એક પક્ષને કારણ વગર સત્તા ભોગવવાની તક આપીએ છીએ. સમય હવે ડાયપર બદલવાનો પાકી ગયો છે.


મુદ્દો બે. બીએસપી, એનસીપી જેવા નાના પક્ષોને કારણે ગુજરાતમાં કોંગ્રેસ જીતતી નથી.

આ એક વાહિયાત તર્ક છે. ગુજરાતમાં ક્યારેય ઉત્તર પ્રદેશની જેમ કોઈ ત્રીજો કે ચોથો પક્ષ એટલો મજ્બૂત બન્યો નથી કે એના કારણે કોંગ્રેસ હારે. ગુજરાતમાં કોંગ્રેસને કોંગ્રેસીઓ જ હરાવતા આવ્યા છે. બીજેપીનો વોટ શેર 43 ટકા હોય અને કોંગ્રેસનો 35 ટકા હોય ત્યારે હારનારા તમામ પક્ષોના મત એકઠા થાય તો પણ ગુજરાતમાં બીજેપી જીતતી આવી છે.

મુદ્દો ત્રણ. બીએસપી જેવા દલિત પક્ષો યુપીમાં ચાલ્યા નથી, ગુજરાતમાં તો નહીં જ ચાલે

પહેલી વાત તો એ કે બીએસપી કે બીએમપીનો ઝંડો લઇને ફરતો માણસ પોતાના ખર્ચે અને જોખમે કામ કરે છે. એને કોઈ અદાણી કે અંબાણી પૈસા આપતા નથી. લોકશાહીમાં માણસને આટલો હક્ક તો હોવો જોઇએ. રહી વાત ગુજરાતની તો ગુજરાતમાં બીએસપીને કારણે ભાજપ જીતે છે અને કોંગ્રેસ હારે છે એવું અત્યાર સુધી ક્યારેય બન્યું નથી. બીએસપી જેવા દલિત-બહુજન પક્ષો જે દિવસે મજબૂત થશે તે દિવસે બીજેપી-કોંગ્રેસ બંનેની હવા નીકળી જશે એ લખી રાખો. એ દિવસ હજુ આવ્યો નથી.

મુદ્દો ચાર. આ વખતે તો બીજેપી જવાની જ.

ગુજરાતમાં 1981માં ભયંકર જાતિ-દ્વેષી અનામત-વિરોધી આંદોલન થયું ત્યારથી બીજેપીના આગમનના ભણકારા વાગતા હતા. દલિત આંદોલને તો ત્યારથી સંઘ પરિવારના ફાસીવાદને પહેચાની લીધો હતો. હાલ એ ફાસીવાદ બધાના માથે બેસીને ખીલા ઠોકે છે એટલે પટેલોથી માંડીને ઠાકોરો, બધા રાડારાડ કરે છે. પરંતુ, પટેલો અને ઠાકોરો-દલિતોનું અનામત મુદ્દે થયેલું પોસ્ચરિંગ બીજેપીનો પ્લસ પોઇન્ટ છે.

મુદ્દો પાંચ. પટેલ, ઠાકોર, દલિત આંદોલનોને કારણે બીજેપી હારશે.

જરા ટેપ રીવાઇન્ડ કરો. જ્યારે પટેલ આંદોલન શરૂ થયું ત્યારે એસસી, એસટી, ઓબીસીની એકતાના નારા હવામાં ગૂંજ્યા હતા. ઘણા લોકો ગેલમાં આવી ગયા હતા કે ગુજરાતમાં હવે ખામ લોબી ફરી જીવિત થવાની છે. વરસ પછી ઉના-દમન થયું અને મીડીયાએ ત્રણ જાતિના ત્રણ લીડરો પ્રોજેક્ટ કર્યા. કોઇને ખબર જ ના પડી કે આ સમગ્ર મીડીયાગીરી એસસીએસટીઓબીસીના ધ્રૂવીકરણને તોડવા માટે થઈ હતી. હાલ ગુજરાતમાં ચૂંટણી માથે હોવા છતાં મીડીયામાં શિક્ષણના ખાનગીકરણ જેવા અત્યંત ગંભીર અને મહત્વના મુદ્દાઓ ચર્ચાતા જ નથી. ફલાણો, ઢીંકણો કે લોંકણો કઈ પાર્ટીમાં જશે એની પર જ ફોકસ થઈ રહ્યું છે. આવું વ્યક્તિવાદી રાજકારણ રમાયા પછી પણ બીજેપી હારવાની હોય તો હું એને ચમત્કાર જ કહીશ.

મુદ્દો છ. કોંગ્રેસને વોટ આપવો કે નહીં તે લોકો નક્કી કરશે.

હાલની ચૂંટણીનું આ સૌથી મોટું તકવાદી વિધાન છે. ભલા માણસ, અમારા તો બાપદાદા કોંગ્રેસી હતા. કોંગ્રેસને વોટ આપવા માટે અમારે તમારી સલાહ લેવાની જરૂર નથી. અને આવું જ કરવું હતું તો તમારી શું જરૂર છે? લોકશાહી છે. બે પક્ષો છે. લોકો વાઘ કે સિંહની કોઈની પણ પસંદગી કરવાના જ છે. (ફાડી ખાવા માટે)

મુદ્દો સાત. કોંગ્રેસને બિનશરતે વોટ આપવો જોઇએ.

આ સૌથી ભયાનક બાબત છે. તમારે કોંગ્રેસના બાપ બનીને વોટ આપવો છે કે હાથ જોડીને વોટ આપવો છે? કોંગ્રેસ સત્તા પર આવે પછી તમારી સામે જોવાની નથી એમ સમજીને અત્યારે જ તેની જોડેથી શક્ય તેટલી માંગણીઓ પર લેખિત વચન લેવાનો આ જ સમય છે.

મુદ્દો આઠ.આ વખતે બીજેપી સત્તા પર આવશે તો તમે મરી જ ગયા સમજો

ના દોસ્ત. મને આ રીતે ડરાવવાની જરૂર નથી. દસ વરસ પહેલાં આપણે જે દહેશતો સેવેલી એ આજે સાચી પડી છે. એમાં ના નહીં. બીજેપી કેન્દ્રમાં સત્તા પર આવી છે. પણ સિક્કાની બીજી બાજુ પણ છે. આજે મોદી પીએમ છે. મોદી શું ઉખાડી લેશે આ દેશના દલિત-બહુજનોનું? સવા અબજનો દેશ છે. કરોડો યુવાઓ છે. મોદીનો બાપ આવે તો પણ આ દેશમાં કટોકટી લાદી નહીં શકે અને લાદશે તો ઇદી અમીન જેવા સરમુખત્યારોની જેમ એ પણ ઇતિહાસની કચરા ટોપલીમાં ફેંકાઈ જશે.

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જે કોઈ આવે. જનતા જનાર્દનનો જુવાળ તો હજુ આવવાનો બાકી છે.
તીસરી આઝાદીની લડાઈ હજુ બાકી છે.
વો સુબહ જરૂર આયેગી. તા ઉમ્ર ઇંતજાર કિયા થા. ઔર ભી કરેંગે.

જય ભીમ. જય ભારત.