August 09, 2017

સૌરાષ્ટ્રના માછીમારો હાઈકોર્ટના શરણે

By Arvind Khuman  || 04 Aug 2017


તા. ૪/૦૮/૧૭, તળાજા તાલુકાના સરતાનપર બંદર, રાજુલા તાલુકાના ચાંચ બંદર, માંગરોળ તાલુકાના શેરીયાજ બારામાં જેટી મંજુર કરવા  કાનૂની સહાય કેન્દ્રની મદદથી માછીમારોએ રજૂઆત કરી હતી. જેથી આ બંદરોમાં જેટી મંજુર થઈ હતી. પરંતુ મંજુર થયા પછી   જેટી બાંધકામ માટે ફીશેરીઝ વિભાગ વર્ષો લગાવી દેતી હોવાથી સરતાનપર બંદરના શ્રી ગોવીંદભાઈ જાદવ તથા  ગોવિંદભાઈ રૈયાભાઈ તથા રાજુલાના ચાંચ બંદરના બચુભાઈ વિરાભાઈ ચૌહાણ તથા માંગરોળના શેરીયાજબારાના અજગરમીયા કાદરીએ  ગુજરાત હાયકોર્ટમાં પી. આઈ. એલ. દાખલ કરી છે. જેમાં કાનૂની સહાય કેન્દ્રના અરવિંદભાઈ ખુમાણ, માનસિંગભાઈ કાતીરા, ક્રિષ્નાબેન કેશવાણી તથા ધવલભાઈ ચોપડા મદદ કરી રહેલ છે.

             હકીકત એમ છે કે. ગુજરાત રાજ્યમાં ૨૧૭ નાના મોટા માછીમાર બંદરો આવેલ છે અને લાખો લોકોનું જીવન નિર્વાહ માછીમારીના ધંધા સાથે જોડાયેલ છે. જેટી જેવી પાયાની સગવડ ના હોવાના કારણે માછીમારો અનેક યાતનાઓ ભોગવે છે, જેથી કાનૂની સહાય કેન્દ્ર રાજુલા દ્રારા માછીમારોને તૈયાર કરી પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જીલ્લાના બંદરોના કુલ ૨૭ બંદરોને રજુઆત કરવા મદદ કરી હતી. જેથી ફીશરીજ વિભાગે ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર, અમરેલી જીલ્લાના ચાંચ બંદર, જુનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાના શેરીયાજબારા, કોડીનાર તાલુકાના માધવાડ બંદરે જેટી મંજુર થય હતી. જેટી બાંધકામ કરવા માછીમારોએ અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ ફીશરીઝ વિભાગની ગોકળ ગાયની ઝડપે ચાલતા કામ ૧૦-૧૦ વર્ષ લય લેતા હોવાથી માછીમાર આગેવાનોની મીટીંગ રાજુલા ખાતે કાનૂની સહાયતા કેન્દ્ર ઓફિસે મળી હતી. જેમાં ચર્ચા વિચારણાના અંતે હાઈકોર્ટમાં કેસ દાખલ કરવાનું નક્કી કરેલ હતું. સરતાનપરના માછીમાર આગેવાન ગોવિંદભાઈ રામજીભાઈ જાદવ, ગોવીંદભાઈ રૈયાભાઈ મકવાણા તથા ચાંચ બંદરના બચુભાઈ વિરાભાઈ ચૌહાણ, શેરીયાજબારાના અસગરમીયાભાઈ બાવામીયાભાઈ કાદરીએ જુન માસમાં PIL/149/17 પી. આઈ.એલ. દાખલ કરેલ છે. આ સમગ્ર કાનૂની કાર્યવાહીમાં કાનૂની સહાય કેન્દ્ર રાજુલાના  અરવિંદભાઈ ખુમાણ, માંનસીંગભાઈ કતીરા, ક્રિષ્નાબેન કેશવાણી, ધવલભાઈ ચોપડા કાનૂની મદદ કરી રહેલ છે. 

કોઈ પણ કાનૂની મદદ માટે આ નંબર પર સંપર્ક કરવો ૮૧૨૮૩૨૧૨૯૧ 
લી. ગોવીંદભાઈ જાદવ - અરવિંદભાઈ ખુમાણ

Read : 4 साल कि बच्ची पर हिंसा करने वालो पर कार्रवाई

आरक्षण की मूलभूत संकल्पना

By Social Media Desk

आम तौर पर लोगों में आरक्षण की बहुत चर्चा होती है, लेकिन आरक्षण की मूलभूत संकल्पना के बारे में हमारे लोग जानते नहीं हैं.. शासक जाति के लोग और ब्राह्मण-बनिया प्रचार माध्यम के लोग समाज के सामने आरक्षण के नाम पर राजनैतिक आरक्षण की चर्चा करते हैं और हमारे लोग इनकी हा में हा मिलाते रहते हैं..

आरक्षण कोई गरीबी दूर करने का या पेट पालने का साधन नही है.. 

बाबासाहेब डॉ. अम्बेडकर ने आरक्षण (Reservation) इस शब्द की जगह (Representation) प्रतिनिधित्व इस शब्द का उपयोग और प्रयोग किया है.. संविधान में भी प्रतिनिधित्व (Representation) ही लिखा है.. यह प्रतिनिधित्व तीन जगहों पर है, 
(१) संसद, विधान सभाओं आर्थात राजनीति में प्रतिनिधित्व 
(२) प्रशासनिक सेवाओं में प्रतिनिधित्व
(३) शिक्षा में प्रतिनिधित्वब इन तीन क्षेत्रों में संविधान में प्रतिनिधित्व दिया गया है..

 प्रतिनिधित्व का अर्थ है "समाज की तरफ से समाज के लिए प्रतिनिधि के तौर पर कार्य करना"

लोग सोचते हैं कि 'व्यक्ति की उन्नति' के लिए आरक्षण का प्रावधान है मगर यह ऐसा नहीं है.. आरक्षण प्रतिनिधित्व है और वह समाज के लिए निर्धारित किया गया है..

- वामन मेश्राम