September 19, 2017

અનામત અને બ્રાહ્મણવાદી તરકીબો

By Rushang Borisa   || 8 September 2017 at 23:31



અનામત શબ્દ એટલો આકર્ષક છે કે આ વિષયે જયારે વાત નીકળે ત્યારે ગમે ત્યાં ચર્ચા-વિવાદ શરુ થઇ જાય. અનામતને લઈને સામાન્ય રીતે હિન્દૂ ઉચ્ચ જ્ઞાતિઓમાં અણગમો કે રોષ જોવા મળે છે. એટલું જ નહીં તેઓ દેશની ટોચની અડચણોમાં સામેલ પણ કરી,ભારતના પછાતપણા માટે અનામત જવાબદાર છે તે વિષે જાતજાતના તર્ક-કુતર્ક કરતા રહે. આ મુદ્દાનો એટલો (અપ)પ્રચાર કરવામાં આવ્યો છે કે તેનો લાભ લેતો ઓબીસી વર્ગ પણ તેની જાહેરમાં ટીકા કરે છે!
અનામત વિરોધીઓની મુખ્યત્વે એવી દલીલ હોય છે કે અનામતને લીધે ગુણવત્તાસભર પ્રતિભાઓને તક મળતી નથી અને અયોગ્ય વ્યક્તિને તક મળી જાય.તેના સમર્થનમાં તેઓ વિદ્યાર્થીઓના ગુણપત્રકો બતાવતા રહે છે. સાથે સાથે અતિશયોક્તિભરેલ-બનાવટી તથ્યો પણ ઉમેરાતા રહે છે.વળી, અનામતનો લાભ વંચિતોના છેવાડાના વર્ગ સુધી નથી પહોંચતો તે દલીલ ને પણ હથિયાર બનાવી મૂળ અનામતના ખ્યાલ ઉપર પ્રહારો થતા રહે છે.
અનામત-વિરોધીઓની આવી તરકીબોએ અનામત-લાભાર્થીઓના મગજમાં એક પ્રકારની "દોષભાવના" કાયમ કરી છે. એટલે ઘણા લાભાર્થીઓ અનામતને ભાંડે છે અથવા તેનો લાભ લેતા ખચકાય છે. આ વિષયે એ હદે એકતરફો પ્રચાર કરાયો છે કે દલીલોમાં લગભગ અનામતવિરોધીઓ સરસાઈ મેળવે છે. જોક્સ-મેસેજીસ-ફોટોશોપ્ડ પીક્સ વગેરેનો ઉપયોગ હવે બદલાતા જમાના સાથે અનામત મુદ્દે પણ બ્રાહ્મણવાદીઓ કરી રહ્યા છે.
અહીંથી, અનામત વિષયે અનામતવિરોધીઓની દલીલને ખરીજ કરવાનો પ્રયાસ થયો છે. (આ પણ વાંચજો- ભારત અને રેસીસ્મ )
હવે, અનામતવિરોધી એવા બ્રાહ્મણવાદીઓના દંભ કે દોગલાપન ઉપર વાત કરીયે...
મહદંશે એવો પ્રચાર કરવામાં આવે છે કે અનામત વર્ગના માર્ક્સ બહુ ઓછા હોય છે અને જનરલ વર્ગના માર્ક્સ વધારે હોય છે. જો અહીં શિક્ષણવ્યવસ્થા ને લઈને સરખામણી કરીયે તો સીધી ને સાફ વાત છે કે ભારતમાં શિક્ષણ ધંધો બની રહ્યો છે. ભારતીય શિક્ષણ ક્વોલિટી નહીં, પણ ક્વોન્ટિટી ઉપર ભાર મૂકે છે તેવી દલીલ શિક્ષણવિદોની સાથે કહેવાતી ઉચ્ચ જ્ઞાતિ પણ કરે છે. એક તરફ શિક્ષણ પદ્ધતિનો વિરોધ આ જ મેરીટધારીઓ કરતા રહે છે કે માર્કની કોઈ વેલ્યુ નથી,શિક્ષણમાં ખામીઓ છે. જયારે અનામતની વાત આવે ત્યારે કેમ માર્ક્સને મહત્વ આપતા હશે? માર્ક્સને શોપીસ ગણાવતા મેરીટધારીઓને અચાનક કેમ માર્ક્સપ્રેમ ઉભરાઈ આવતો હશે? જો શિક્ષણ પદ્ધતિમાં ખામી હોય તો સહજ છે કે તેના પરિણામે મળેલ ગુણપત્રકો પણ કોઈની સાચી પ્રતિભા-લાયકાત ધરાવતા ના હોય. વળી, પ્રેક્ટિકલી જયારે કોઈ વ્યવસાય-નોકરી કે રોજગારે જોડાય છે ત્યારે આપોઆપ લોકોને સમજાય જાય છે કે થિયોરિકલ જ્ઞાન કરતા પ્રેક્ટિકલ જ્ઞાન વધુ જરૂરી છે. જયારે ભારતીય શિક્ષણવ્યવસ્થામાં શાળા થી લઈને સ્નાતક સુધીના સ્તરે ચોપડીયા જ્ઞાનની- ગોખણપટ્ટીની બોલબાલા છે! એટલે ખામીયુક્ત પદ્ધતિને કારણે માર્ક/ગુણ વિદ્યાર્થીના મૂલ્યાંકનનો સાચો માપદંડ ના ગણી શકાય. આવી સ્થિતિમાં જો કઈ અસરકારક પરિબળ હોય તો તે શાળાકીય-કોલેજ તબક્કા પછીનો છે ; જેમાં મહાવરો-તાલીમ દ્વારા પ્રેક્ટિકલ માહિતી/સ્કિલ નું જ્ઞાન મેળવાય. પણ અનામત વિરોધીઓ આ વિષે વિચારતા જ નથી અથવા જાણી જોઈને આંખ આડા કાન કરે છે. જો તમે એક બાજુ શિક્ષણ પદ્ધતિ- ગુણપત્રકોને મહત્વ ના આપતા હોવ અને બીજી બાજુ આજ ગુણપત્રકોને સામે રાખી અનામતની ટીકા કરતા હોવ તો ખરેખર તમે હાંસીને પાત્ર છો.
બીજી એક નૈતિક જવાબદારી દર્શાવતી અને ભાવુક દલીલ અનામતવિરોધીઓ તરફ થી એવી આવે છે કે અનામતનો લાભ મધ્યમ-સમૃદ્ધ વર્ગ લઇ લે છે અને ખરેખર જેને જરૂર છે તેને મળતો નથી. એટલે કે જે વર્ગ અનામત વિના પણ રહી શકે છે તે ગરીબ વર્ગની અનામત ઝુંટવે છે. દેખીતી રીતે આ દલીલ વ્યાજબી જણાતી હોય પણ શું ખરેખર અનામતવિરોધીઓ આવું બોલવાને લાયક છે? જો અહીં ક્રિટીકલી વિચારીયે તો કહેવાતા અપર કાસ્ટ વિચારકો પણ દંભી ભાસે. કેમ કે જો તેઓ એવું કહેતા હોય કે અનામતનો ફાયદો સમૃદ્ધ-પ્રબળ સમાજ લઇ લે છે ;તો તેમની આ દલીલ ક્યાં ખોવાય જાય છે જયારે સરકારી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓનો પૈસાદાર વર્ગ બેઠકો પચાવી ને પોતાના જ સમાજના ગરીબ વર્ગને સરકારી ફાયદાઓથી વંચિત રાખે છે? શું જનરલ કેટેગરીનો સમૃદ્ધ-સક્ષમ વર્ગ પોતાના જ્ઞાતિ-સમાજના ગરીબો ખાતર સરકારી કોલેજોની બેઠકો ત્યજી ના શકે? જેમણે ક્યારેય બલિદાન નથી આપ્યું તેઓ બીજા ને બલિદાન આપવાની વાત કરે તે વિચિત્ર તો લાગે. વેલ, અહીં પણ મુખ્ય સમસ્યા ગરીબ-તવંગર ની નહીં; પણ શિક્ષણના વ્યાપારીકરણની છે. જેને લીધે લાખો રૂપિયા લૂંટતી સંસ્થાઓનો રાફડો ફાંટીયો છે. ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ દેશના તમામ સમુદાયમાં સરળતાથી મળી રહે તે માટે માળખું તૈયાર કરવાની જરૂર છે; જયારે આપણા દેશમાં તો ઉલટું શિક્ષણ બજેટમાં કાપ મુકાય છે!
અહીં અનામતને લઈને બ્રાહ્મણવાદીઓની સાતિર દલીલને કાઉન્ટર કરવાનો પ્રયાસ છે. બાકી તેમની ગુણવત્તા તો આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં જ દેખાઈ આવે છે કે તેઓ કેટલા મેરીટધારી છે . દેશનું ૯૦% થી પણ વધુ તંત્ર-આયોજન તેમના હાથમાં છે. વડાપ્રધાન,મુખ્યમંત્રી,ડિરેક્ટર,સલાહકાર થી લઈને પ્રિન્સિપાલ,મેનેજર વગેરે જેવા ઉચ્ચ પદો ઉપર હોવા છતાં દેશનો સર્વાંગી વિકાસ ૭૦ વર્ષ પછી પણ ના થયો હોય તો અનામતવિરોધીઓને કોઈ હિસાબે "અનામત નિષ્ફ્ળ નીવડી છે" તે કહેવાનો નૈતિક અધિકાર નથી. ખરેખર તો ૭૦ વર્ષ પછી દેશ વિષે એટલું કહી શકાય કે મેરીટધારીઓ દેશને અપેક્ષિત સ્તરે પહોંચાડવામાં નિષ્ફળ થયા છે.
આપણે ત્યાં સદીઓથી ફુલતાં-ફાલતા બ્રાહ્મણવાદને લીધે લોકોમાં જાતિવાદ વકર્યો અને ઈર્ષ્યા-અસમાનતાએ દેશના લગભગ તમામ ક્ષેત્રોને દુષિત કરી કોરી ખાધા. કમનસીબી એ રહી કે આ પ્રક્રિયામાં સીધો ફાળો ધર્મનો રહ્યો! જેનાથી સદીઓ સુધી વિકાસ રૂંધાયો અને હવે વંચિતોને તક મળે તે માટે કોઈ મજબૂત વિકલ્પ વિચારવો જ રહ્યો. દેશના સર્વાંગી વિકાસ માટે આરક્ષણ બાધારૂપ નહીં, પણ અનિવાર્ય છે. જે ધીમી પણ મક્કમ ગતિએ દેશમાં પ્રગતિના દ્વાર ખોલશે તેવી શક્યતાઓ છે ; જે જાતિવાદી આંખોને નહીં દેખાય.
જ્યાં સુધી દેશની મુખ્ય સમસ્યા અનામત નહીં ,પરંતુ જાતિવાદ-બ્રાહ્મણવાદ છે અને અનામત કોઈ સમસ્યા નહીં, ઉપાય છે તેટલું સમજવા જેટલી બુદ્ધિ નહીં દોડે ત્યાં સુધી તમે દેશના હિતેચ્છુ નહીં,પણ દુશ્મન જ કહેવાશો.
અહીં, મર્યાદિત દ્રષ્ટિકોણ થી સમજાવવાનો પ્રયાસ છે. અનામતને લઈને તમે શું વિચારો છે તે વિષે જણાવો.
(નોંધ: અત્યારે જે મેરીટધારીઓ તેમની "આંતરરાષ્ટ્રીય" ગુણવત્તાના બણગા ફૂંકે છે; તેઓ ઇતિહાસ જાણે કે અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી રહેવા આ જ કહેવાતી ઉચ્ચ હિન્દૂ જાતિઓએ લઘુતમ ગુણ ૫૦ માંથી ૪૦ કરવાની ભલામણો બ્રિટિશ સરકાર સમક્ષ કરી હતી, કારણ કે વિદેશીઓ પોતાની ઉજળિયાત-એડવાન્સ શિક્ષણ-સ્થાનિક એડવાન્ટેજથી સવર્ણોને અરીસામાં મોઢા સામે મેરીટ બતાવતા હતા.)

राजनैतिक क्रांति के सन्दर्भ में बाबासाहब के विचार..

By Kundan Kumar
लाहौर जातपांत तोडक मंडल १९३६ के वार्षिक सम्मलेन की अध्यक्षता करने के लिए बाबासाहब डॉ आम्बेडकर को आमंत्रित किया गया था, उसके लिए बाबासाहब डॉ भीमराव आम्बेडकर ने भाषण तैयार किया था.. सम्मलेन रद किये जाने की वजह से यह भाषण पढ़ा नहीं जा सका, लेकिन यह एक बहोत ही महत्वपूर्ण और वैचारिक दस्तावेज है, जो जातिभेद का नाश करने के लिए और स्वतंत्रता समानता बंधुता से परिपूर्ण समाज की रचना में बहोत ही सहायक हो शकता है.. 

बाबासाहब लिखते है की, “इतिहास सामान्यतः इस प्रस्ताव को बल देता है की, राजनितिक क्रांतिया हमेशा सामाजिक और धार्मिक क्रांतियो के बाद हुई है..” इस बात के समर्थन में बाबासाहब ने कुछ द्रष्टान्त दिए है, जो की विश्व में बहोत हि मशहूर है.. 


१) लूथर द्वारा आरम्भ किया गया धार्मिक सुधर यूरोप के लोगो की राजनितिक मुक्ति का अग्रदूत था.. 

२) इंग्लेंड में प्युरिटनवाद के कारण राजनितिक स्वतंत्रता की स्थापना हुए.. प्युरिटनवाद ने नए विश्व की स्थापना की.. प्युरिटनवाद ने ही अमेरिकी स्वतंत्रता संग्राम को जीता.. प्युरिटनवाद एक धार्मिक आन्दोलन था..

३) अरबो के राजनितिक सत्ता बनने से पहले वे पैगम्बर मुहम्मद साहब द्वारा आरम्भ सम्पूर्ण धार्मिक क्रांति से गुजरे थे.. 

यहाँ तक की भारतीय इतिहास भी इसी निष्कर्ष का समर्थन करता है..

४) चन्द्रगुप्त द्वारा संचालित राजनितिक क्रांति से पहले गौतम बुद्ध की धार्मिक और सामाजिक क्रांति हुई थी.. 

५) शिवाजी के नेतृत्व में राजनितिक क्रांति भी महारास्ट्र के संतो द्वारा किए गए धार्मिक और सामाजिक सुधारो के बाद ही हुई थी.. 

६) सीखो की राजनितिक क्रांति से पहले गुरु नानक द्वारा की धार्मिक और सामाजिक क्रांति हुई थी.. 

इन उदाहारण से यह बात प्रकट होती है की, “जनता के राजनीतिक विस्तार के लिए मन और चेतना की मुक्ति आवश्यक व् प्रारंभिक है..”

यह बात बाबासाहब ने १९३६ में लिखी थी, और यह ग्रन्थ आज “ANNIHILATION OF CASTE” यानि “जातिभेद का बिजनाश” के नाम से प्रसिद्ध है.. अपने पुरे जीवनकाल में बाबासाहब ने इस जातिभेद का नाश कर एक समतामूलक समाज की रचना के लिए कार्य किया.. २ वर्ष ११ महीने और १८ दिवस के अथाग परिश्रम के बाद बाबासाहब ने विश्व का सबसे बड़ा लोकशाही बंधारण लिखा, जिसमे इस जातिविहीन राष्ट्र की संकल्पना समाविष्ट की उन्होंने.. 

१९५६ में बाबासाहब के परिनिर्वाण के बाद उनका ये कारवां कुछ रुक सा गया था, जिसे बहुजन नायक मान्यवर साहब कांशीराम ने आगे बढाया.. मैने ऐसा कई लोगो से सुना है की, बहुजन नायक मान्यवर साहब कांशीराम ने अपने पुरे जीवन काल में “जातिभेद का बिजनाश” पुस्तक का अध्ययन कई बार किया था, और जब पहली बार उनके एक साथी ने उन्हें यह किताब दी थी तब, एक ही रात में उन्होंने इस किताब को सात से आठ बार पढ़ा था.. 

इसी ग्रन्थ को पढ़कर बहुजन नायक मान्यवर साहब कांशीराम ने, अपने साथियों के साथ मिलकर १९७८ में बामसेफ (BAMCHEF - All India Backward and Minority Communities Employee’s Federation) की स्थापना की, जो की एक सम्पूर्ण बिनराजकीय संगठन था, जिसके तहत उन्होंने गैरराजनीतिक और सामाजिक जड़े मजबूत करने का कार्य किया.. उसके बाद उन्होंने DS4 (दलित शोषित समाज संघर्ष समिति) और १९८४ में बसपा (बहुजन समाज पार्टी) की स्थापना की, जो की एक राजकीय संगठन था, और आज भारत देश की तीसरे नम्बर की सबसे बड़ी राजकीय पार्टी है.. 

बामसेफ के माध्यम से बुद्ध, फुले, बिरसा, शाहू, आम्बेडकर, कांशीराम की मानवतावादी बहुजन विचारधारा के माध्यम से सामाजिक जड़ें मजबूत करने के बाद ही, साहब कांशीराम ने राजनीती में कदम रखा, और बसपा से माध्यम से बहुजनो को सत्ता तक पहुँचाया, जिसके लिए बाबासाहब कहा करते थे की, “जाओ और जाकर, अपने घर की दीवारों पर लिख दो की, मुझे इस देश की शासक जमात बनना है..”, “Political Power is the Master Key..”

साहब कांशीराम कहते थे की, “जिस समाज की गैरराजनीतिक जड़े मजबूत नहीं होती, वो समाज राजनीती में कभी सफल नहीं हो शकता..” एक तरफ से देखा जाये तो यह बाबासाहब के कथन, “राजनितिक क्रांतिया हमेशा सामाजिक और धार्मिक क्रांतियो के बाद हुई है..” का पूर्ण समर्थन करता है..

ભગવો અને હિન્દુત્વ

By Rushang Borisa   || 26 August 2017 at 11:23 


છેલ્લા કેટલાક સૈકાઓથી "કેસરી" રંગ હિન્દુત્વની ઓળખ બની ચુક્યો છે. હિન્દૂ ધર્મ-સંસ્કૃતિ સાથે સંકળાયેલ લગભગ તમામ સંસ્થા-ટ્રસ્ટ-ધર્મસ્થાનો પોતાના અધિકૃત ચિહ્ન માં તરીકે કેસરી રંગ અચૂક ઉપયોગ કરે છે. હાલમાં હિન્દુત્વની રાજનીતિ કરતી સરકારના ભક્તો પણ જ્યાં-ત્યાં કેસરી કપડાં-સાયકલ-ઝંડા વગેરે લઈને રખડતા જોવા મળે. કેસરી રંગ ને લઈને બ્રાહ્મણવાદીઓ વડે એ હદે પ્રચાર કરવામાં આવ્યો છે કે હવે લોકો ભગવા રંગને જ હિન્દુત્વની વેશભૂષા માની બેઠા છે. પણ શું ખરેખર ભગવા રંગ અને હિંદુત્વને પ્રાચીન સંબંધો હતા?
આ વિષે શરૂઆત ઝંડા સમિતિની ભલામણો ઉપર ચર્ચા કરવા નિમાયેલ બેઠકથી કરીયે. ૨૨ જુલાઈ,૧૯૪૭ માં સંસદ મધ્યસ્થ હોલમાં મળેલ બેઠકમાં સભ્ય શેઠ ગોવિંદદાસની રજૂઆતનો એક ભાગ વાંચીયે.( ગોવિંદદાસ આઝાદીની લડાઈના ભાગીદાર હોવા સાથે હિન્દી ભાષાના જાણીતા લેખક તેમજ હિન્દૂ સંસ્કૃતિના ચાહક -જાણકાર પણ છે.)
"જયારે આપણે આપણા ધ્વજના રંગો દેખીયે ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.જે લોકો એવું કહે છે કે કેસરી રંગ હિદુત્વનું પ્રતિનિધિત્વ કરે છે તેમને હું કહેવા માગું છું કે તમે ખોટા છો.એ વાતમાં કોઈ શંકા નથી કે એક સમયે તે હિન્દુઓનો રંગ હતો.જયારે પેશ્વાઓનું રાજ ચાલતું હતું ત્યારે કેસરી રંગ હિન્દુઓનો રંગ કહેવાતો હતો. રાજપૂતો યુદ્ધમાં કેસરી રંગના કપડાં પહેરતા હતા. પરંતુ જો આપણે વધુ દૂરના સમય સુધી જઈએ તો આપણે સ્વીકારવું પડશે કે કેસરી રંગ તે સમયે કોઈ ધર્મપ્રતિક નહતો.તમે જાણતા જ હશો કે મહાભારતમાં રંગ વિષે કોઈ સવાલો નહતા.અર્જુનના રથ ઉપર હનુમાનનું ચિહ્ન હતું. કર્ણના રથ ઉપર હાથીનું ચિહ્ન હતું.એટલે કોઈ રંગ ને હિન્દૂ ધર્મના પ્રતીક રૂપે માનવું ઐતિહાસિક રીતે ખોટું છે.....મને એ જાણીને ઘણું દુઃખ થયું કે કેટલાક કોમવાદી તત્વોએ ધ્વજના રંગોને લઈને (તોફાની) કાર્યક્રમો કર્યા; પણ મને વિશ્વાસ છે કે સમય જતા જયારે તેમને ભાન આવશે ત્યારે તેઓને પોતાના કાર્યો ઉપર શરમ આવશે......જ્યાં સુધી લીલા રંગની વાત છે, એક સમય હતો જયારે દેશમાં આ રંગે સ્વતંત્રતાની લડાઈમાં ભૂમિકા ભજવી હતી.હું તમને ૧૮૫૭ના સ્વતંત્રતા સંગ્રામ વિષે યાદ અપાવવા માંગુ છું.તે સમયે આપણા ધ્વજનો રંગ લીલો હતો અને આપણે સૌએ સાથે લડાઈ લડી હતી.ત્યારે લીલો રંગ માત્ર મુસ્લિમ કે હિન્દૂ નો પ્રતીક નહતો, પણ સમસ્ત આઝાદીની ચળવળનો રંગ રહ્યો હતો...."

અહીં ગોવિંદદાસે રાષ્ટ્રધ્વજના રંગો કોમવાદી છે તે દાવાનું  ખંડન કર્યું હતું. તે સમયે હિન્દુવાદી તત્વો ધ્વજને પૂર્ણ રીતે કેસરિયો રંગવા માંગતા હતા અને આ જ તત્વોએ રાષ્ટ્રધ્વજને રસ્તાઓ ઉપર ફેંકી બહિષ્કાર કર્યો હતો.
ગોવિંદદાસનું ઉપરોક્ત નિવેદન ટૂંકું અને સામાન્ય જણાય, પણ જો ઊંડાણપૂર્વક તપાસીએ તો કેસરી રંગને હિન્દૂ ધર્મ સાથે જોડવું એ એક સાતિર બ્રાહ્મણવાદી તરકીબ ભાસે.
  • જો આપણે વેદિકકાળના ગ્રંથો (વેદો) ને તપાસીએ તે તેમાં ક્યાંય કોઈ રંગને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. પ્રાચીનતમ ઋગ્વેદમાં દેવો-કથાઓનું જે વર્ણન છે તેમાં ક્યાંય કેસરી રંગનો ઉલ્લેખ નથી. વેદો જે વિધિ-કર્મકાંડોથી ભરેલા છે તેમે ક્યાંય ભગવા રંગનો ઉલ્લેખ નથી. એટલે કે વૈદિકકાળમાં ઋષિઓ,દેવો કે ઘાર્મિક ક્રિયાકાંડમાં કેસરી તો ઠીક, કોઈ પણ રંગને મહત્વ મળેલ ના હોય ; સિમ્બોલાઈઝેશન નો વિચાર તો કોસો દૂર રહે.
  • હવે વેદોથી આગળ રામાયણ-મહાભારત (ભલે મિથીહાસ હોય, પણ કાળગણના પ્રમાણે વિશ્લેષણ થઇ શકે છે) ના સમય તરફ વધીયે. અહીં, પણ કેસરીયાને કોઈ અગ્રતા આપવામાં આવી હોય તેવા તથ્યો મળ્યા નથી. બાલકાંડમાં વિષ્ણુને પીળા વસ્ત્રો પહેરતા દર્શાવ્યા છે. જયારે કૌશલ્યાને ધાર્મિક વિધિમાં સફેદ વસ્ત્ર પહેરતા દર્શવયા છે.(અયોધ્યાકાંડ>સર્ગ-૨૦) તેવી જ રીતે રામાયણમાં સફેદ અને સિલ્ક ના વસ્ત્રોનું વર્ણન દેખી શકાય છે. નવાય ની વાત એ છે કે ટીવીમાં જે રામાયણની ધારાવાહિકો બતાવવામાં આવે છે તેમાં વનવાસ જતા વેળાએ રામને ભગવા વસ્ત્રોમાં બતાવવામાં આવે છે. જયારે વાલ્મિકી રામાયણમાં વસ્ત્રો વિષે કોઈ નોંધ નથી.તેથી વિપરીત સીતાના અંગરક્ષક ત્રીજાતા ને આવેલ સ્વપનમાં રામને સફેદ વસ્ત્રોમાં બતાવ્યા છે. પણ જો ધાર્મિક વિધિ તરફ જઈએ તો વનવાસ બાદ પરત આવેલ રામના સ્વાગત માટે બ્રાહ્મણોએ સફેદ વસ્ત્રો પહેર્યા હતા.(યુદ્ધકાંડ>સર્ગ-૧૨૭) બીજા શબ્દોમાં કહું તો રામાયણ એ વાત તરફ ઈશારો કરે છે કે ધાર્મિક ક્રિયામાં સફેદ રંગના વસ્ત્રોનું મહત્વ હતું. ઉપરાંત, ઋષિ  ભારદ્વાજને પણ સફેદ વસ્ત્રોમાં બતાવ્યા છે.(અયોધ્યાકાંડ>સર્ગ-૯૦) ઉપરોક્ત ,રજૂઆતથી એટલું તો સ્પ્ષ્ટ થાય જ છે કે ભગવા રંગને રામ સાથે પણ કોઈ સંબંધ નહતો. અત્યારે જે રીતે હિન્દુવાદીઓ રામમંદિરને લઈને ભગવા ઝંડા નો દેખાડો કરે તે તે ખરેખર વિચિત્રની સાથે હાસ્યાસ્પદ પણ લાગે.
  • મહાભારતમાં પણ વેદો અને રામાયણની માફક ભગવા રંગને લઈને ધાર્મિક ઉલ્લેખ જોવા મળતો નથી. ઉલટું, મહાભારતના એક કિસ્સામાં બ્રાહ્મણોને સફેદ વસ્ત્રોમાં બતાવ્યા છે.(મહાભારત.૧૨.૧૭૧) મહાભારતમાં ૩ સ્થાને કેસરી(પીળા અને લાલનું મિશ્રણ) જોવા મળે છે.જેમાં એક સ્થાને આત્મશાંતિ(નિર્વાણ?) ઇચ્છુક મુનિના વસ્ત્ર કેસરી બતાવ્યા છે. બીજા સ્થાને યતિમુનિઓ સફેદ અથવા લાલાશ પડતા(કેસરી) વસ્ત્રો પહેર છે તેવું લખ્યું છે. જયારે શ્રાદ્ધવિધિના વર્ણનમાં ચાંડાલોની સાથે સાથે ભગવાવસ્ત્રધારીની હાજરી ઉપર પ્રતિબંધ મુક્યો છે!( કેમ ભગવા એ શ્રાદ્ધનું શું બગાડ્યું હશે?) પણ એકદંરે ધર્મને લઈને રંગનું કોઈ મહત્વ જોવા મળતું નથી. ઋષિમુનિઓ અને બ્રાહ્મણોની સૈકડ઼ોં કથાઓથી ભરપૂર મહાભારતમાં કોઈ ઋષિને ભગવામાં વર્ણવ્યા હોય તેવો ઉલ્લેખ જોવા મળતો નથી. ઉલટું, મહાભારતના મુખ્ય એવા ૨ બ્રાહ્મણ પાત્રો-  દ્રોણાચાર્ય અને કૃપાચાર્યને સફેદ વસ્ત્રોમાં સજ્જ બતાવ્યા છે.....દુનિયાના સૌથી વિશાલ ધર્મગ્રન્થની બડાશ મારતા હિન્દુવાદીઓ પહેલા જાણી લે કે આટલા વિશાલ ગ્રંથમાં તમારો ભગવો ક્યાંય લહેરાતો નજરે પડતો નથી.
  • વેદો,રામાયણ,મહાભારત ઉપરાંત ઉપનિષદોમાં પણ ભગવાનું ક્યાંય સ્થાન નથી. હિન્દૂ ધર્મ,સમાજ અને રાજનીતિની નિયમાવલી અને બ્રાહ્મણપ્રિય મનુસ્મૃતિએ પણ કેસરીયાને રદિયો આપ્યો છે. મનુસ્મૃતિએ પોતાના એક પણ નિયમમાં કેસરી રંગને ફરજીયાત રાખ્યો નથી.

ઉપરોક્ત લખાણ એટલું સાબિત કરવા પૂરતું છે કે ગુપ્તકાળ પહેલા હિન્દૂ સંસ્કૃતિમાં કેસરી રંગનું મહત્વ ના બરાબર હતું. ઉપરાંત, અનુમોર્યયુગ(બીજી સદી બાદ) લખાયેલ પુરાણો પણ કેસરીયાને પ્રાધાન્ય આપતા નથી.ઉલટું, લિંગ પુરાણમાં (જ્યાં સુધી મને યાદ છે) શિવલિંગ બનાવવાની વિધિનું વર્ણન છે. જે મુજબ બ્રાહ્મણ સફેદ માટીનું, ક્ષત્રિય લાલ માટીનું ,વૈશ્ય પીળી માટીનું અને શુદ્ર કાળી માટીનું લિંગ બનાવી શકે છે. બીજા શબ્દોમાં, રંગોને લઈને જો કોઈ અગ્રતાક્રમ આપીયે તો તે સફેદ રંગને અપાવી જોઈએ.
ટૂંકમાં, હિન્દૂ ધર્મના મૂળભૂત ગ્રંથોમાં કેસરી/ભગવા રંગનું મહત્વ જોવા મળતું નથી. કારણ પણ સહજ છે કે અનેક દેવી-દેવતાઓથી ભરચક ગ્રંથોએ અલગ-અલગ દેવી-દેવતાઓમાં માટે વિવિધ ચિહ્નો આપેલ છે. એટલે કોઈ ખાસ ચિહ્ન સમસ્ત ધર્મનું પ્રતિનિધિત્વ કરી શકે નહીં. છતાં રહસ્ય એ રહ્યું કે જે રંગનો ઉપયોગ ધર્મમાં થયો નથી, તેનો ઉપયોગ વર્તમાનમાં ધર્મના ઠેકેદારો કેમ કરે છે? શું ઈરાદાઓ હોય શકે?
ઉપરોક્ત લખાણ એટલું સાબિત કરવા પૂરતું છે કે હિન્દૂ ધર્મના મૂળભૂત ગ્રંથોમાં કોઈ પણ રંગને વિશેષ પ્રતિનિધિત્વ મળ્યું નથી.એટલે ભગવા અને હિન્દુત્વની જોડી ઘણા સૈકા બાદ બની હોવી રહી. તે માટે આપણે હિન્દૂ સંસ્કૃતિથી દૂર થઇ અન્યત્ર શોધખોળ કરવી જોઈએ. અને તે માટે સૌથી યોગ્ય દિશા બુદ્ધિઝમ તરફની જણાય છે ,કારણ કે આ દેશ એક કાળે બૌદ્ધમય રહ્યો હતો.
નોંધનીય વાત એ રહી બૌદ્ધ ગ્રંથોમાં કષા રંગનો (Reddish yellow; બીજા શબ્દોમાં કેસરી) ઉલ્લેખ સ્પષ્ટ જોવા મળે છે. બૌદ્ધ ગ્રંથો મુજબ બૌદ્ધ ભિક્ષુઓ ગેરુઆ રંગ (જે કેસરી રંગનો જ એક શેડ છે)ના વસ્ત્ર પહેરતા હતા. હિન્દૂ ધર્મના મૂળ ગણાતા વેદોમાં કેસરીયાનો ઉલ્લેખ નથી, પરંતુ બૌદ્ધ ધર્મના મૂળગ્રંથ "ધમમપદ" માં ગેરુઆ કાપડનો ઉલ્લેખ છે.

ચાલો ધમ્મપદના સંદર્ભોને ચકાસીએ
  • "જેનું ચરિત્ર ભ્રષ્ટ છે; જેમાં આત્મસંયમ અને સત્યનો અભાવ છે તે કેસરી કપડાને લાયક નથી."- ધમ્મપદ.૧.૯
  • "જેનું ચરિત્ર ભ્રષ્ટચારથી મુક્ત છે;જેમાં મૂલ્યો રોપાયેલા છે તેમજ આત્મસંયમ અને સચ્ચાઈ છે તે જ કેસરી કપડાને લાયક છે." - ધમ્મપદ.૧.૧૦

બીજા એક સંદર્ભમાં બુદ્ધે ભગવા રંગનું ઉદાહરણ આપી કટાક્ષ કર્યો છે.કટાક્ષ મૂળભૂત રીતે દંભીપણા ઉપર છે.લેટ્સ રીડ ઈટ.
  • "ઘણા દુષ્ટ અને અનિયંત્રિત લોકો કેસરી કપડાં પહેરે છે. છતાં પણ આ દુષ્ટ લોકો પોતાના કર્મોને લીધે આખરે દુઃખશોક ને પામશે." -ધમ્મપદ.૨૨.૨
ધમ્મપદ એકન્દરે ટૂંકો ગ્રંથ હોવા છતાં આ સંદર્ભો સાબિત કરે છે કે બૌદ્ધ ભિક્ષુઓ કેસરી વસ્ત્ર પહેરતા હતા.(જો કે બુદ્ધ પોતે આ જ રંગ તો ઓઢતા હતા!)



હવે,ત્રિપિટક ના સંદર્ભો ટાંકીએ...
બૌદ્ધગ્રંથ તેવીજજા-સુત્તામાં બુદ્ધના ગૃહત્યાગ પછીનું વર્ણન છે. જેમાં વૈરાગી બનેલ તથાગતે કેસરી વસ્ત્ર પહેર્યા હતા તેવું કહ્યું છે. આ વાતનું પુનરાવર્તન સમણાફળ-સુત્તામાં દોહરાવ્યું છે. સુત્તાનો તે ભાગ વૈરાગ્યજીવનના ફળો વિષે જણાવે છે.સુત્તનિપાતના ઉરગવજ્જા પ્રકરણમાં એકાકી જીવન વિષે વર્ણન છે. તેમાં ભિક્ષુએ કેસરી વસ્ત્ર પહેરવા તેવો ઉલ્લેખ છે. બૌદ્ધગ્રંથ મહાવજ્જામાં ગૌતમ બુદ્ધને ભગવા વસ્ત્રોમાં દર્શાવ્યા છે.એક બૌદ્ધ સાહિત્યમાં મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર વિષેનું વર્ણન છે; જેમાં સફેદ વસ્ત્રોને કેસરી રંગે રંગવામાં આવે છે. એ પણ જાણવું રહ્યું કે બુદ્ધિઝમમાં કેસરી રંગને મુક્ત મન માટેનું પ્રેરકબળ માનવામાં આવે છે. એટલે જ તો વિદેશોમાં ફેલાયેલ બૌદ્ધ ભિક્ષુઓ પણ ગેરુઆ કાપડ ઓઢે છે!
આટલું સમજ્યા પછી એ તારણ કાઢવું તો સહેલું છે કે બુદ્ધિઝમ પહેલા ભારતમાં કેસરી રંગ કોઈ ધર્મનું પ્રતીક નહતો , પણ બૌધ્ધોનું પહેરણ કેસરી હતું. છતાં પણ કોયડો એ રહ્યો કે હાલમાં ભારતમાં બૌદ્ધ ધર્મ નામશેષ હોવા છતાં ,કેવી રીતે હિન્દુત્વની ઓળખ બન્યો હશે?
  • મારુ સ્કેપટીક માઈન્ડ મને અહીં બ્રાહ્મણવાદ તફર દોરી જાય છે. બુદ્ધિઝમ સામે ચડિયાતા બનવા બ્રાહ્મણોએ પ્રતિ-ક્રાંતિ માર્ગે અનેક તરકીબો-કાવાદાવાઓ અજમાવ્યા હતા. તો કેસરી રંગ ને હિન્દુત્વ સાથે સાંકળવાનું શ્રેય નીઓ-હિન્દુઈઝમને મળવું જોઈએ. હાલમાં ટીવી,સામયિકો કે ચિત્રો માં જે રીતે પ્રાચીન ઋષિ-બ્રાહ્મણોને ભગવા માં બતાવવામાં આવે છે તે તદ્દન વાહિયાત છે. પ્રાચીન હિન્દૂ ધર્મ કોઈ રંગ ને મહત્વ આપતું નહતું તે વિષે ઉપર જણાવ્યું જ છે. છતાં પ્રછન્ન બુદ્ધ કહેવાતા એવા આદિશંકરાચાર્ય પોતે ભગવા પહેરતા હતા! અને આ જ બ્રાહ્મણે ભારતમાં બુદ્ધિઝમનું પતન નક્કી કર્યું હતું.
  • હું એવું કહેવા માંગુ છું કે બ્રાહ્મણો એ સામ નીતિનો ઉપયોગ કરી બૌદ્ધો ને હરાવ્યા બાદ ,કેસરીયાની ઉઠાંતરી પણ કરી હશે. આ સામનીતિ મનોવૈજ્ઞાનિક રમત તરીકે પણ કારગત નીવડી શકે. શત્રુ ને તેમના જ હથિયાર થી હરાવવાની ટેક્નિક એટલે બ્રાહ્મિનક સામનીતિ. બૌદ્ધ ધર્મને લઈને બહુજનોમાં ભિક્ષુઓ પ્રત્યે ઘણું માન હતું. એટલે તે સમયના સત્તા-માન ભૂખ્યા બ્રાહ્મણોએ ભગવા વસ્ત્રો પહેરી ઉપદેશો આપવાનું શરુ કર્યું હશે.જેનું ઉત્તમ ઉદાહરણ આદિશંકરાચાર્ય ગણી શકાય. એટલે કે આ માર્ગે બુદ્ધિઝમનું બ્રાહ્મણીકરણ (કે પછી બ્રાહ્મણત્વનું બોધિકરણ) પણ થયું હોવું રહ્યું ,જેને બ્રાહ્મણોની પુનઃક્રાંતિ કહેવું ખોટું નથી.એટલે કે પાંચમી કે છઠ્ઠી સદી  પછી વસ્ત્રોને લઈને રમત રમાય હશે; જેને સફળ થતા પણ કેટલાક સૈકાઓ તો લાગ્યા જ હશે. કદાચ ૧૦મી સદી પછી. બ્રાહ્મણવાદીઓની તરકીબો-ષડયંત્રો સમજવા ખરેખર કપરા છે. આંબેડકરે બરાબર કહ્યું હતું કે બ્રાહ્મણોના મગજમાં પણ મગજ હોય છે. બહુજનોના મગજમાં બૌદ્ધો ને લઈને ભગવા રંગે જે છાપ કાયમ કરી હતી તેનો રેડીમેડ ફાયદો બ્રાહ્મણોએ ઉઠાવ્યો હશે. અને બાદમાં બુઘ્ધવિહીન હિંદુઓમાં બ્રાહ્મણોએ ફરી વર્ચસ્વ મેળવ્યું હશે. બ્રાહ્મણ પક્ષે આ પ્રકિયા અઘરી નહીં,પરંતુ સાવ સરળ રહી હશે.
  • અહીં, વેદિકકાળ,પ્રાચીન હિન્દૂ સંસ્કૃતિ,બુદ્ધિઝમ અને પોસ્ટ-બુદ્દિસમ સમયને લોજીકલી તપાસતા એવું કહી શકાય કે ભગવો બૌદ્ધો નો રંગ હતો. જો કે તે પણ બુદ્ધ ધર્મનું પ્રતિનિધિત્વ કરતો નથી.
  • હવે, ગોવિંદદાસના નિવેદન તરફ પાછા જઈએ...
    કાલિદાસ,બાણભટ્ટ કે અન્ય સમકાલીન કવિ-સાહિત્યકારોએ ભગવા ને સંસ્કૃતિના પ્રતીક સમાન માન્યા હોય તેવા અંશો રચનાઓમાંથી મળતા નથી. નથી મીરાંબાઈના પદો કે તુલસીદાસની રામાયણમાં ભગવો લહેરાતો જોવા મળતો. પણ જરૂર પાછળ બારણે ભગવા ને લઈને રાજનીતિ રચવામાં આવી હશે અને જેનું ફળ ઘણા લાંબા સમય બાદ જોવા મળ્યું. અત્યારે તેઓ આ વિષયમાં સફળ થઇ ગયા હોય તેવું જણાય છે.
  • બેશક ઈ.સ.૧૬૫૦ પછી સ્થાપાયેલ પેશ્વારાજમાં  કેસરી રંગ પ્રદેશનું પ્રતિનિધિત્વ કરતો હતો. રાજપૂતો પણ મર્યાદિત પ્રદેશ પૂરતા હોય ,કોઈ ધર્મ નહીં પણ રાજસત્તાના રૂપે કેસરિયો પહેરતા હતા. પણ તે પૂર્વે જ ભગવા એ બુદ્દિસમના માધ્યમે હિન્દૂઓ ઉપર અસર કરી હતી. જેનો સગવડીયો પ્રયોગ બુદ્ધિઝમ પછી કરવામાં આવ્યો હોય શકે.


ઘણા લાંબા સમય પછી બ્રાહ્મણવાદીઓએ બહોળા પ્રચાર વડે હિન્દૂ ધર્મને ભગવા ની નવી પહેચાન આપવા કેસરિયો વાપર્યો છે. (કે બોલો ને વાપરી રહ્યા છે.)મારા ખ્યાલથી આવું કરવું તે બ્રાહ્મણવાદીઓની મજબૂરી પણ હોય શકે.કારણ કે આ તત્વોનો ઉદેશ્ય લોકહિતમાં નહીં, પરંતુ રાજનીતિ-સત્તામાં રહ્યો છે.અને અને વર્તમાનમાં તેઓની ઘણી એક પછી એક લપડાકો મળી હોય આવી ટેક્નિક સશક્તિકરણ  હેતુ કારગત નીવડી શકે.
"ભગવા હમારી પહેચાન હે" , "भगवा हमारी आन भगवा हमारी शान भगवा से हि हिंदू भगवा से हिन्दुस्तान" , "હમારા ખૂન ભગવા હે" વગેરે નારેબાજી કરી ડંફાશો મારતા અને વિધર્મીઓને ભાંડતા હિન્દુવાદીઓ; પહેલા હિંદુત્વને જાણો. હિન્દુત્વનું ભગવાકરણ કરી ખરેખર ધર્મના ઠેકેદારો જ ધર્મદ્રોહ કરી રહ્યા છે.
ભગવા ઝંડા લઈને રખડતા તત્વો ઉપર હસવું કે રડવું તેની તો ખબર નહીં. પરંતુ ,બુદ્ધિઝમમાં જે રંગ મુક્ત ચિત્ત માટે પ્રયોજાયો હતો તે જ રંગ અત્યારે લોકોના મગજ બંધિયાર બનાવવામાં વપરાતો હોય દુઃખ તો થાય...