August 17, 2017

મોટર સાયકલ પર ‘જય ભીમ’ લખવા બદલ દલિતના હાથ પગ તોડી નાંખ્યા

By Raju Solanki  || 17 Aug 2017

તા. 12 ઓગસ્ટ, 2017એ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મઢડા ગામના રમેશ મોહનભાઈ ચૌહાણના બાઇક પર ‘જય ભીમ’ લખેલું હોવાથી તેમના ગામના વિક્રમ નાજા જાંબુડા, માલુબેન નાજા જાંબુડા અને યુનુસ સંધીએ રમેશભાઈને એક પુલ પર રોક્યા હતા. તેમને કહ્યું કે ઢેડા, આ જય ભીમ લખેલું હોય તો શું થઈ જાય. રમેશભાઈએ કહ્યું કે આંબેડકર બાપા અમારા છે. તો મેં લખેલું છે.
આથી, વિક્રમ અને તેની સાથેના માણસોએ લાકડીઓ અને પાઇપોથી રમેશભાઈ પર હૂમલો કર્યો અને તેમના હાથ પગ તોડી નાંખ્યા હતા. રમેશભાઈની સાથે તેમના પિતા મોહનભાઈ પર પણ હૂમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના પછી રમેશભાઈના માતા સમજુબેન અમરેલી આવવા નીકળ્યા ત્યારે રહીમ દલ નામના અન્ય માણસે કેસ પાછો ખેંચી લેવા ધમકી આપી હતી.
અગાઉ 19 ફેબ્રુઆરી 2017એ આ જ લોકોએ દલિતો પર હૂમલો કરીને છરીઓ મારી હતી. તેમની સામે એફઆઈઆર પણ થઈ હતી, જેને ક્વોશ કરાવવા તેઓ ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા અને પોલિસની બેદરકારીને લીધે છૂટા ફરતા હોવાથી બીજી વાર હૂમલો કર્યો હતો.
દલિત આગેવાનો રમેશ બાબરીયા અને કિશોર ધાખડાએ આ અંગે સ્થાનિક સ્તરે સત્તાવાળાઓ સમક્ષ રજુઆતો કરી છે. ગઈ કાલે રાત્રે મોહનભાઈએ મારી સાથે ફોન પર વાત કરી હતી. મેં તેમને આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે જરૂર પડ્યે આપણે હાઇકોર્ટમાં પણ જઇશું. હાલ ડીવાયએસપી રાજેશ પરમાર સાથે મેં વાત કરી. તેમણે જણાવ્યું કે આરોપીઓ પકડાઈ ગયા છે.

गुजरात मे पिटाई से बुरी तरह घायल दलित युवक की मौत

By News Desk || 17 Aug 2017 || 09:00 PM

પ્રેસનોટ 

*વડગામ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં. ૪૨/૨૦૧૭ ઇ.પી.કો કલમ ૩૦૨, ૩૪૨,૩૩૧, ૨૦૧, ૧૨૦(બી)  તથા એટ્રોસીટી એકટ કલમ ૩(૨) (૫)  મુજબના બનેલ દુખદ બનાવને શ્રી નીરજ કુમાર બડગૂજર પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠા પાલનપુરનાઓએ ગંભીરતાથી લઇ તાત્કાલીક ગુનો દાખલ કરાવી એલ.સી. બી. તથા એસ.ઓ.જી.અને પરોલ ફર્લો સ્કોડની ટીમોનું ગઠન કરી તાત્કાલીક રાતોરાત ગુનાના ૭ આરોપીઓ પકડી પાડી આ ગુનાના સંબધે વાયરલ થયેલ વિડીયો આધારે ફલીત થયેલ અન્ય આરોપી મળી કુલ ૧૪ આરોપીઓને ગણતરીના સમયમાં ઝડપી પાડતી બનાસકાંઠા જિલ્લા પોલીસ*

ધટનાક્રમની વિગતો:-
         વરવાડીયા ગામના કનુભાઇ વશરામભાઇ પરમાર તે તેના કુટુંબમા થતી પીતરાઇ બહેન નામે પાયલબેન ભલાભાઇ પરમાર બન્ને જણા નાસી ગયેલ હતા અને વરવાડીયા ગામના લોકો કિરણભાઇ માંનાભાઇ પરમાર રહે. ડાલવાણા તા. વડગામવાળા ઉપર શક હોય તેઓ કીરણભાઇને શોધતા હતા અને કિરણભાઇ તા.૧૪/૮/૧૭ના સાંજના સવા છ વાગ્યાની પાલનપુર સુરત બસ વાયા વડગામ-પીલુચાથી જતી હોઇ તે બસમા પીલુચાથી કીરણભાઇ સુરત જવાનો છે તેવી ખબર આરોપી રમેશભાઇ વસાભાઇ પરમાર રહે. વરવાડીયા વાળાને પડતા તેણે વરવાડીયા ગામે આવી તેના કુટુંબના માણસોને એકઠા કરેલા અને તેઓને જણાવેલ કે કનુ અને પાયલ ભાગી ગયા છે તે બાબત ડાલવાણાનો કીરણ માનાભાઇ પરમાર જાણે છે જેથી તેને બરાબર મેથીપાક આપો તો સાચુ બોલી જશે અને હાલ તે પાલનપુર સુરત બસમા સુરત બાજુ જાય છે ત્યારબાદ તેમણે વડગામની એક પ્રાઇવેટ ગાડી ટવેરા જીપ ગાડીનં. જીજે ૦૯ એઇ ૩૩૨૫ની ભાડાથી કરેલ તે ગાડીમા (૧) રમેશભાઇ વસાભાઇ પરમાર (૨) તળશીભાઇ જીવાભાઇ પરમાર (૩) બાબુભાઇ સવાભાઇ પરમાર (૪) ઇશ્વરભાઇ ભીખાભાઇ પરમાર (૫) અશોકભાઇ વાસ્તાભાઇ પરમાર (૬) રમેશભાઇ ધરમાભાઇ પરમાર (૭) વીરાભાઇ અમરાભાઇ પરમાર (૮) અમુમીયા પહાડખાન લોહાણી (જાગીર દાર) તમામ રહેવાસી વરવાડીયા તા. વડગામવાળાઓ તા.૧૪/૮/૧૭ રાત્રે સાડા દસેક વાગ્યાના સુમારે પાલનપુર સુરત બસનો પીછો કરતા રવાના થયેલ અને સાથેના અમુમીયા પહાડખાન લોહાણીએ રસ્તામા પાલનપુર સુરત બસનો નંબર વડોદરા મુકામે તેના મિત્ર આરોપી (૯)નયનભાઇ રવાભાઇ રબારીને ફોન કરી આપી કીરણભાઇ માનાભાઇ પરમારને બસમાંથી ઉતારી મેથીપાક આપવાનું કહેલ જેથી આરોપી નયનભાઇ રબારીએ તેના મિત્રો આરોપી (૧૦) વિજયસિહ ધુડાભાઇ પઢીયાર રહે.વડોદરા (૧૧) વિષ્ણુભાઇ મફાભાઇ રબારી રહે. વસ્રાપુર અમદાવાદ (૧૨) ઉમંગભાઇ રધુભાઇ રબારી રહે ધાટલોડીયા અમદાવાદ (૧૩) મુકેશભાઇ વેરશીભાઇ રબારી રહે વસ્રાપુર અમદાવાદ (૧૪) વિશ્વાસભાઇ હવાભાઇ રબારી રહે જીનેશ્વર સોસાયટી ઘાટલોડીયા અમદાવાદનાઓની મદદથી  મકરપુરા બસ સ્ટેન્ડ પર કીરણભાઇને બસમાંથી ઉતારી આઇ માતા હોટલ ઉપર લઇ ગયેલ અને ત્યાં ઉકત નં. ૧ થી ૮ ના આરોપીઓ પહોચી જઇ કીરણભાઇ માંનાભાઇ પરમારને આરોપીઓએ નાસી ગયેલ પાયલબેન તથા કનુભાઇ કયાં છે તે બતાવ તેમ કરી કબુલાત કરાવવા માટે લાકડાના ધોકા અને ગડદાપાટુનો માર મારી ગંભીર ઇજાઓ કરેલ અને આરોપી વિજયસિહ ધુડાભાઇ પઢીયાર રહે.વડોદરાનાએ તે ઘટનાનો વિડીયો બનાવી વાયરલ કરેલ અને ગંભીર ઇજાઓના કારણે  કીરણભાઇ માંનાભાઇ પરમારનું મોત નિપજતા આ અંગે વડગામ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં. ૪૨/૨૦૧૭ ઇ.પી.કો કલમ ૩૦૨, ૩૪૨,૩૩૧,૨૦૧,૧૨૦(બી) તથા એટ્રોસીટી એકટ કલમ ૩ (૨) (૫) મુજબનો ગુનો દાખલ થતા શ્રી નીરજ કુમાર બડગૂજર પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠા પાલનપુરના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી. બી. પાલનપુર તથા એસ.ઓ.જી.અને પરોલ ફર્લો સ્કોડ પાલનપુરનાઓની જુદી જુદી ટીમોએ બાકીના તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડેલ છે. આ ગુનાની ઉંડાણપૂર્વકની તપાસ શ્રી નીરજ કુમાર બડગૂજર પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠા પાલનપુરના સીધા સુપરવિઝન હેઠળ શ્રીમતી હેતલબેન પટેલ નાયબ પોલીસ અધીક્ષક એસ.સી.એસ.ટી.પાલનપુરનાઓ કરી રહેલ છે અને પકડાયેલ તમામ આરોપીઓના પોલીસ રીમાન્ડ મેળવી ગુનાના ઘટનાક્રમનું રીકંસ્ટ્રકશન પંચનામુ કરી ક્રીમીનલ પ્રોસીઝર કોડ કલમ ૧૬૪ના નિવેદનો લેવડાવવાની તપાસ કાર્યવાહી હાથ ધરાયેલ છે.

गुजरात के बनासकांठा जिले के वडगाम तहसील के गांव वरवाडीया मे कुछ समय पहले एक प्रेमी जोडे ने प्रेम विवाह कीया था. उस विवाह के सबंध मे लडकी वालों को (जो की देसाई, रबारी समाज  OBC से तालुक रखते है)   ऐसा शक था, की इस विवाह मे डालवाणा गांव के किरणभाई मोनाभाई ने प्रेमी जोडे को भागने मे सहायता की थी. ईसी शक के आघार पर 15/08/2017 के दिन मृतक किरणभाई को सुरत जाने वाली बस में से बरोडा बस अड्डे से अगुआ कर लिया. अगुआ करने वाले बहोत लोग थे और मृतक अकेला ही था.  बाद मे उसे किसी अनजान जगह पर लेजा कर बहोत ही अमानवीय तरिको से मारा गया. मार पीट का विडीयो भी इन गुंडो ने बनाया. और खुद वाईरल भी कीया. विडीयो मे हम देख सकते है कितनी बुरी तरह से मृतक को मारा पीटा गया है और मा बहन कि गालीया भी दी गई है. मृतक किरण के परीवार मे कोई नही था और वह कोइ होटल मे वेईटर कि नौकरी कर के अपना जिवन नीर्वाह करता था. मृतक का प्रेम विवाह से कोइ सबंध नही था. प्रेम विवाह करने वाला कोइ और था और अपनी नाकामी का गुस्सा जातीय भेदभाव की वजह से किरण पर निकाला हो ऐसा मालुम पड रहा है. अभी तक की जानकारी के अनुसार पुलीस ने 14 लोगो को गिरफ्तार कीया है.
नीचे दीये गये विडीयो मे आप देख सक्ते है किस तरह से मृतक को अपमानीत और अमानवीय ढंग से पीटा गया. विडियो गुजराती मे है और उसमे अश्लील शब्द भी है तो पाठक अपनी विवेकबुद्धी का उपयोग करके हि इसे देखे.




મુજે પઢે લીખે લોગોને ધોકા દીયા - બાબા

By Dinesh Makwana  || 15 August 2017



પક્ષ, અપક્ષ અને વિપક્ષ.
બંધારણ બન્યા બાદ અનામતની જોગવાઈઓને આધારે બહુજનોને ભણવાની અને ત્યારબાદ સરકારમાં નોકરી કરવાની તક મળી. આ પહેલા આ બહુજનોએ સ્કુલ પણ જોઇ નહોતી. વર્ષોની તકલીફો કે તિરસ્કાર માથી બહાર આવ્યા જ નહોતા. આપણને આ બધુ મળી શકે તે કોઇ માનવા તૈયાર જ નહોતુ. એક પુસ્તકમાં વાંચ્યું હતું કે કોઇ પણ રાષ્ટ્ર ને બરબાદ કરી નાખવો હોય તો તે રાષ્ટ્ર ના નાગરિકોની ઇચ્છા શકિત મારી નાખો.

આપણી ઇચ્છા શક્તિ મારી નાખવામા આવી હતી. બહુજનોથી કોઇ સ્વપ્નો જોઇ જ ના શકાય તેવું વાતાવરણ હતું. માર ખાવા અને સેવા કરવા આપણો જન્મ થયો હતો. કદાચ તે જ નસીબ કહેવાતા ભગવાનોએ લખ્યુ હતું. પણ તિરસ્કાર સિતમની પણ હદ પાર કરી દે તો દરેક દેશમા કોઇ ને કોઇ વિરલો પાક્યો છે જેણે વ્સવસથાને બદલી નાખવા પડકાર ફેંક્યો હોય. આ હજારો વર્ષથી ચાલી આવતી વ્યવસ્થાને બાબાએ પડકાર ફેક્યો, અંગ્રેજોને સમજાવવા સફળ રહ્યા. ક્રાંતિ વિશે વધુ વાત કરવી નથી કારણ કે આપ બધા તેનાથી વાકેફ છો. બાબા એવુ માનતા હતા કે હુ એકલો શિક્ષિત આટલુ કરી શકતો હોય તો હવે સમાજમા શિક્ષિતોની ફોજ આવશે અને ક્રાંતિ કરશે.પણ આ વધુ પડતી અપેક્ષા હતી. આપણા લોકોએ સુખ, સગવડ કે માન સમ્માન ભોગવવાની વાત તો દુર પણ જોયા જ નહોતા, તેથી જ્યારે આ બધુ મળ્યુ ત્યારે બાબાનો સંઘર્ષ ભુલી ગયા, અને સમાજથી દુર થઇ ગયા. જ્યારે બીજાના પ્રયતનોથી સફળતા કે સુખ મળે છે ત્યારે તેની કિંમત નથી હોતી. બાબા ના પ્રતાપે ભણી ગણીને નોકરી કરતા થયેલા ંઆ લોકો ને સંઘર્ષ કે મિશનથી દુર થતા જોઇને બાબાને કહેવુ પડ્યુ કે મને ભણેલા લોકોએ જ દગો આપ્યો છે.

પણ જેમ ઉપર કહ્યુ તેમ આ લોકો સુખ સગવડ ભોગવવામા અને માન મરતબો મેળવવાના ચકકરમા મુળ વાત ભુલી ગયેલા હોય તેમ દેખાય છે. બીજુ કે માત્ર તેમનુ એકલાનુ જ નહી તેમની બીજી પેઢીના સુખની ચિંતા કરીને તેઓ પોતાના સંતાનોમાં પણ વ્યસ્ત રહેવા લાગ્યા. હવે કશુ કરવાનું રહેતું નથી. એક ભ્રમમાં રાચવા લાગ્યા કે હવે સોનાનો સુરજ ઉગી ગયો છે અને હજારો વર્ષથી ચાલી આવતી પ્રથા ખતમ થઇ ગઇ છે. આ પ્રજાને કોઇ અનુભવ કડવા થયા નહી કે તેમણે બીજે નજર કરી નહી તેથી આ પ્રજા અળગી રહી તેથી બાબા ને આ ભણેલી પ્રજા માટે કહેવુ પડ્યું કે આ લોકોએ દગો કર્યો છે. પણ સ્થિતિ અને સંજોગો જોતા તે અર્ધસત્ય છે.

જેમણે આ વ્યવસ્થા બનાવી હતી તેમના માટે કુઠારાઘાત હતો. તેમને લાગ્યું કે જો આ રીતે ભણી ગણીને આ પ્રજા આગળ નીકળતી રહેશે

તેથી એક ચોક્કસ પ્લાન હેઠળ આ વ્યવસ્થા ફરી મજબુત થાય તેના પરોક્ષ પ્રયત્ન કર્યા. જેમાં તેઓ સીધા સંડોવાયેલા નથી માત્ર  તેમના ઁભેજાની પેદાશ છે. સમયનું ચક્ર પાછું ફરવા માંડ્યું. હકો બધા ભોગવવા મળતા પણ ધીમે ધીમે વ્યવહાર અસમાન વધુ થવા લાગ્યો. આ કદાચ મારી દષ્ટિએ સૌથી કપરો અને નાજુક કાર્યકાળ હતો. જો તે સમયે આપણી પ્રજાએ જબરદસ્ત પ્રતિઘાત આપ્યો હોત તો અત્યારની પ્રજાએ જે સંઘર્ષ કરવો પડે છે, કરી રહ્યા છે તે કદાય કરવો ના પડત. પણ એક પેઢીના બહુમુલ્ય વર્ષો નિષ્ક્રિય રહ્યા અને તેના પરિણામો આગળની પેઢી ભોગવી રહી છે. વચ્ચે એક્કા દુકા સંગઠનો કે વ્યકિતઓ કરતી રહી હતી પણ તે અપુરતુ રહ્યું.

"ગુજરાત માટે ૧૯૮૫ નું આંદોલન આપણને જગાડવા પુરતુ હતું પરંતુ મારી પેઢી બહુ સક્રિય રીતે કાર્યરત હોય તેમ દેખાતું નથી. શિક્ષણ દુર દુરના ગામડા સુધા પહોંચી ગયું હતું પણ સંઘર્ષ ક્યાંય દેખાતો નહોતો.", તેમ ૧૯૭૦ મા જેમને નોકરી મળી હતી તે વડીલ મને કહે છે.

નેતાઓની વાત કરવા જેવી જ નથી તે પહેલા હોય કે અત્યારે, તેઓ સમાજ કરતા પોતાના પક્ષને વધુ વફાદાર રહ્યા હતા અને હજુ રહ્યા છે. તેથી આપણા વોટ પર જીતીને સમાજથી અળગા રહ્યા. ઉતરપ્રદેશ મા એક સિતારો ચમકી રહ્યો હતો, પણ તેની અસર જોઇએ તેવી બીજા રાજ્યોમાં જે તે સમયે થવી જોઇતી હતી તે કદાચ ના થઇ શકી તે આપણી કમનસીબી કહી શકાય.

પણ હવે થોડા શિક્ષિત લોકો જાગી રહ્યા હતા. જેમને ૧૯૮૦ પછી નોકરી મળી હતી તેમાં મોટા ભાગના લોકો પાછા ફરી રહ્યા હતા. પણ સૌથી મોટો ફટકો ઉના કાંડ અને હાર્દિક પટેલના આંદોલને માર્યો. ૧૯૮૫ પછી જેમનો જન્મ થયો છે તેવી પેઢી બાબાના તમામ પુસ્તકો વાંચીને કટ્ટરવાદ સાથે આગળ આવી અને તેમણે આ સંઘર્ષની વ્યાખ્યા બદલી કાઢી. આ તમામ નવયુવાનો માત્ર  શિક્ષિત જ નહી, જબરદસ્ત પ્રતિભાશાળી છે. જેના પરિણામો જોવા મળી રહ્યા છે અને મને પુરી ખાતરી છે ભવિષ્યમાં આનાથી વધુ હકારાત્મક પરિણામો જોવા મળશે. નિશંક પણે કહી શકાય કે તમામ શિક્ષિત તમારી સાથે નથી પણ જેઓ બહાર છે તેઓ મજબુત રીતે લડાઇ લડી રહ્યા છે. આ તમામ લોકો અભણ નથી શિક્ષિત જ છે. કોઇ પણ જાતિ કે સમુહમાં પુરી રીતે બધા લોકો જોડાઇ શકે નહી પરંતુ ધીમે ધીમે આપણી સંખ્યા વધી રહી છે. જેઓ ખુલ્લી રીતે કદાચ તમારી સાથે નથી પરંતુ તેઓ અંદરથી સ્વીકારે છે આ યુવાનો કરે છે તે બરાબર છે. બાબાના ઉપરના કથન સાથે અત્યારે હુ સહમત નથી. દરેક મહાન વ્યકિતનુ વાક્ય જે તે સમય અને સંજોગો ને આધિન છે. તે પરિવર્તનશીલ છે. અને તે સત્ય છે.


દિનેશ મકવાણા
કલોલ
૧૫/૮/૨૦૧૭

દલિતો પોતાના પીડિતોને સાંભળે તો પણ .....

By Raju Solanki  || 17 Aug at 18:52
ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે પાટીદાર ક્વોટા આંદોલનમાં માર્યા ગયેલા પટેલોને ‘શહીદ’ કહ્યા, મને ગળા સુધી ખાત્રી છે કે સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન આત્મારામ પરમાર કે વિધાનસભાના અધ્યક્ષ રમણભાઈ વોરા આવા શબ્દો ઉના-દમન પછી ઝેર પીને આત્મવિલોપન કરનારા કે જેલમાં જનારા દલિતો માટે ક્યારેય નહીં ઉચ્ચારે. અને શા માટે ઉચ્ચારે? દલિતો પોતે સમાજ માટે ભોગ આપનારા લોકોને આસાનીથી વિસરી જાય છે, તો રાજકીય પક્ષોના પગલૂછણીયા જેવા દલિત રાજકારણીઓ તેમને ક્યાંથી યાદ રાખે કે બિરદાવે?
કોઈપણ આંદોલનની સાચી વરસી તો ત્યારે ઉજવાય જ્યારે આંદોલનમાં બલિદાન આપનારા લોકોને અને તેમના સ્વજનોને પોંખવામાં આવે અને તેમના સમર્પણને તાલીઓના ગડગડાટથી બિરદાવવામાં આવે. 2012માં ‘ચલો થાન’ના કોલના પ્રતિસાદમાં થાનગઢમાં મળેલી વિશાળ સભા કે જેમાં 50,000થી વધારે દલિતો સ્વયંભૂ એકઠા થયા હતા અને જેણે ગુજરાતના દલિત આંદોલનના ત્રીસ વર્ષના ઠહરાવને તોડ્યો હતો, તેમાં તમામ પીડિતોના સ્વજનોએ પોતાની વેદના રજુ કરી હતી અને જેના દીકરાને પોલિસે ભર બજારમાંથી ઉઠાવીને લોકઅપમાં ગોંધી દીધો હતો તેની માતાએ જ્યારે સ્ટેજ પરથી તેની દર્દનાક દાસ્તાન વર્ણવી ત્યારે સભામાં ઉપસ્થિત તમામ દલિત બહેનો ચોધાર આંસુએ રડી પડી હતી. આવા આંદોલનો સમાજને તાકાત આપે છે. આવા આંદોલનો સમાજને એક કરે છે. દલિતો પોતાના પીડિતોને કાન દઈને સાંભળે તો પણ એમને રૂંવાડા ખડા કરવા કોઈ કનૈયાકુમારની જરૂર ના પડે.
થાનગઢમાં દલિત તરુણો પર એકે-47માંથી ફાયરિંગ કરી રહેલા ડીવાયએસપીના અંગરક્ષક પાસેથી એકે-47 છીનવી લેવાનો સંગીન આરોપ જેના પર મુકાયો હતો તે સુરેશ ગોગીયાને છોડાવવા ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી મુકાવડાવ્યા પછી તેને બેઇલ પર છોડવા માટેનું બીડું લઇને હું કનુ સુમરા તથા મહેશ ચૌહાણ સાથે સુરેન્દ્રનગરની સબ-જેલમાં ગયો હતો. એ વખતે સમયસર કાનૂની મદદ ના મળી હોત તો સુરેશ ગોગીયા આજે પણ જેલમાં સબડતો હોત. આજે સુરેશ ગોગીયા રસ્તામાં મને મળે તો કદાચ ઓળખશે પણ નહીં. પણ આંદોલનમાં જોડાયા હતા એટલે ફરજ નીભાવી એનો સંતોષ છે.
અમરેલીમાં ઉના-દમનના વિરોધમાં નીકળેલી રેલીના આયોજકો ક્રાન્તિકારી યુવાનો કાન્તી વાળા અને નવચેતન પરમારને દલિતો વિસરી ચૂક્યા છે. ઉના-દમન પછી અમદાવાદ, રાજકોટ કે ઉનામાં થયેલી એક પણ સભામાં એક પણ વક્તાએ ક્યારેય ભૂલથી પણ કાન્તી વાળા કે નવચેતન પરમારનું નામ લીધું નથી, કાન્તી વાળાના પિતા મૂળજીભાઈને કે નવચેતનના પિતા દિપકભાઈને સ્ટેજ પર બોલાવ્યા નથી. અમરેલીમાં નવચેતન પરમારે કલેક્ટર ઓફિસના પટાંગણમાં ભર બપોરે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો ત્યારે વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. નવચેતનને પોલિસ પકડીને લઈ ગઈ હતી. જિલ્લાના પોલિસ વડા જગદીશ પટેલ દોડતા દોડતા કલેક્ટર કચેરીમાં આવ્યા હતા. એ જ સમયે અમે કલેક્ટરને આવેદનપત્ર આપીને વડલી બળાત્કાર કેસના આરોપીને પકડવાની અને જેલમાં ઠુંસી દેવાયેલા દલિતોને છોડવા માટે માંગણી કરી હતી. કલેક્ટર રાણાને મેં ખખડાવીને કહ્યું હતું કે તમારો એટ્રોસિટી સેલનો ડીવાયએસપી ગધેડો છે. દુષ્કર્મનો ભોગ બનેલી દલિત દીકરીને ચોવીસ કલાક પછી હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જાય છે. ત્યારે રાણા ચીડાઈ ગયા હતા. એ મીટીંગમાં ઉપસ્થિત એસપી જગદીશ પટેલે બધાના મોબાઈલ ફોન સ્વિચ કરાવ્યા પછી કહેલું, “તમને ઓફ ધી રેકોર્ડ કહું છું. આ કેસમાં અમે ઢીલું મુકીશું. બધા છૂટી જવાના છે. બસ, તમે લોકો આમરણાંત ઉપવાસનો કાર્યક્રમ રદ કરી નાંખો.” એ દિવસે અમરેલીમાં આંદોલનનો વીટો વળી ગયો હતો.
ત્યાર બાદ એક મહિના સુધી કાન્તી વાળાના પિતા મુળજીભાઈ ગાંધીનગરમાં પ્રતિરોધ છાવણી પર આમરણાંત ઉપવાસ પર બેઠા હતા, બે બે વાર મૃત્યુના મુખમાં ધકેલાયેલા મૂળજીભાઈને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એક યૌદ્ધાની જેમ મૂળજીભાઈ લડ્યા હતા. દીકરા કાન્તીની યાદમાં એમની આંખ ભીની થતી જોઈ છે. “મારો કાન્તી ક્યારે છૂટશે?,” એ એક જ પ્રશ્ન એમને મળું ત્યારે એમના મુખમાંથી નીકળતો હતો.
દલિત આંદોલનની તાસીર એવી છે કે ગામડાઓમાં અત્યાચારો થાય ત્યારે શહેરી નેતાગીરી ક્યાં તો રોસ્ટર-અનામત એક્ટનો અમલ કરવાની માંગ કરે છે કે પછી રાજકીય મનસૂબા સાકાર કરવા તૂટી પડે છે. જેની પર ખરેખર અત્યાચારો થાય છે એ તો બિચારો ખૂણામાં ઉભો ઉભો બધા ખેલ જ જોયા કરે છે. કોંગ્રેસ-ભાજપ જ્યારે જ્યારે વિપક્ષમાં હોય ત્યારે ત્યારે દલિત અત્યાચારના મુદ્દે મેદાનમાં આવે છે. તેમને દલિતોને ન્યાય અપાવવામાં એક પૈસાનો રસ નથી.
હજુ પણ કાન્તી વાળા અને નવચેતન પરમાર સહિતના તમામ કહેવાતા આરોપીઓ રેલીના કેસમાં છૂટી શકે એમ છે. સવાલ એ છે કે આપણા આંદોલનના એજન્ડામાં આ મુદ્દો છે ખરો?

(તસવીર - ચલો થાનના કોલના પ્રતિસાદમાં થાનગઢમાં મળેલી વિશાળ સભામાં પીડિતોને સાંભળતી દલિત માતાની હ્રદયદ્રાવક ક્ષણો કર્મશીલ, કવિ, ફોટોગ્રાફર, લેખક ઉમેશ સોલંકીએ ઝીલી છે.)

અન્ય તસવિરો ઃ-

 એડવોકેટ નવચેતન પરમાર


પ્રતિરોધ છાવણી