June 30, 2017

બંધારણવાળો બાબો ભાગ ૪




By Raju Solanki

બંધારણના ઘડવૈયા કોને કહેવાય? સંવિધાનસભામાં 207 સભ્યો હતા. કેમ એ બધાને બંધારણના ઘડવૈયાનું બિરુદ ના મળ્યું? કેટલાક સભ્યો તો વાંધા વચકા કાઢનારા, પાણીમાંથી પોરા કાઢનારા ને માથાના વાળના બે ભાગ (hair-splitting) કરનારા હતા. એકમાત્ર બાબાસાહેબ એવા હતા કે જેમના શિરે એમણે લખેલા બંધારણના મુસદ્દાના એક એક શબ્દનો બચાવ કરવાની જવાબદારી આવી પડી હતી, જે તેમણે બખૂબી નિભાવી હતી. આનું સૌથી સચોટ ઉદાહરણ તમને લઘુમતીઓના બંધારણીય અધિકારો અંગેની ચર્ચામાં જોવા મળશે. 
પહેલી મે, 1947ના રોજ સરદાર પટેલે “અનુચ્છેદ 18 – સાંસ્કૃિતક અને શૈક્ષણિક અધિકારો”નો ઠરાવ રજુ કર્યો હતો. આ ઠરાવનો વિરોધ ક. મા. મુનશી અને ત્યાગી જેવા સભ્યોએ કર્યો હતો. ઠરાવના બચાવમાં બાબાસાહેબે જે શબ્દો ઉચ્ચાર્યા હતા તે આજે હિન્દુત્વના હિંસક વંટોળમાં કેટલા પ્રસ્તુત છે તે તમે ખુદ નક્કી કરજો. બાબાસાહેબે કહેલું, 
“(મુનશી અને ત્યાગી જેવા સભ્યોની) આ દરખાસ્તના સમર્થનમાં એક જ કારણ છે, જે સમજી શકાય છે, કે લઘુમતીઓના અધિકારો સાપેક્ષ હોવા જોઇએ. એટલે કે પાકિસ્તાનની સંવિધાનસભા ત્યાંના લઘુમતીઓને (હિન્દુઓને) શું અધિકારો આપે છે તેની રાહ જોવી જોઇએ અને પછી હિન્દુસ્તાનમાં લઘુમતીઓને (મુસ્લિમોને) અધિકારો આપવાનું નક્કી કરવું જોઇએ. હવે, અધ્યક્ષ મહોદય, તમામ મતભેદો સાથે, આવા કોઇપણ વિચારનો મારે વિરોધ કરવો જ જોઇએ. લઘુમતીઓના અધિકારો નિરપેક્ષ હોવા જોઇએ. આ અધિકારો એવી કોઇપણ વિચારણાને અધીન ના હોવા જોઇએ કે બીજો પક્ષકાર (પાકિસ્તાન) તેના અધિકારક્ષેત્રમાં લઘુમતીઓ જોડે શું કરવા ઇચ્છશે.”
(કોન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બલી ડીબેટ્સ વોલ્યૂમ ત્રણ, પેઇજ ૫૦૩)
- રાજુ સોલંકી


Facebook Post:-

બંધારણવાળો બાબો ભાગ ૩



By Raju Solanki

ડો. બાબાસાહેબ આંબેડકર મહાન હતા, પરંતુ એ કઈ ઘડી હતી જ્યારે એમની મહાનતાનો સમગ્ર દેશને પરિચય થયો? એ કયો પ્રસંગ હતો, જ્યારે બાબાસાહેબે એમની વિલક્ષણ વિદ્વતા, પારદર્શક પ્રતિબદ્ધતા અને અદમ્ય દેશભક્તિથી તે સમયના દેશનેતાઓના મન હરી લીધાં હતા? એમના દુશ્મન સમા કોંગ્રેસીઓને નતમસ્તક કરી દીધા હતાં?
17 ડિસેમ્બર, 1946નો એ દિવસ હતો. એ દિવસે બાબાસાહેબ સંવિધાનસભામાં ડો. એમ. આર. જયકરે મુકેલા પ્રસ્તાવ અંગે પોતાનો પ્રતિભાવ આપવા ઉભા થયા હતા. જયકરે જવાહરલાલ નેહરુએ રજુ કરેલા ઠરાવમાં સુધારો સૂચવ્યો હતો. મુસ્લિમ લીગ સંવિધાન સભાનો બહિષ્કાર કરી ચૂકી હતી. મુસ્લિમ લીગ બંધારણના ઘડતરની પ્રક્રિયામાં જોડાય નહીં ત્યાં સુધી ઠરાવ પસાર ના થાય તેવું જયકર સૂચવી રહ્યા હતા. 
બાબાસાહેબ જયકરના પ્રસ્તાવ અંગે બોલવા ઉભા થયા ત્યારે સંવિધાનસભામાં ઉપસ્થિત કોંગ્રેસીઓને એવી અપેક્ષા હતી કે ડો. આંબેડકર જયકરને સમર્થન આપવાની મેલી રમત રમશે અને એવું ધારીને ડો. આંબેડકરને ભોંય ભેગા કરવાનો મનસૂબો કોંગ્રેસીઓ હૈયામાં ધરીને બેઠા હતા. પરંતુ, સૌના આશ્ચર્ય વચ્ચે બાબાસાહેબે તેમના સમગ્ર જીવનના અર્ક સમું, તેમની પ્રતિભાને અનુરૂપ એવું ઓજસ્વી વક્તવ્ય આપ્યું કે સમગ્ર સંવિધાન સભાએ ઉભા થઈને તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધાં હતાં. 
બાબાસાહેબના એ વક્તવ્ય વિષે હું તમને અહીં વિસ્તારપૂર્વક જણાવીશ, પરંતુ અત્યારે તો એટલું જ કહીશ કે એ ઘડીથી બંધારણના ઘડવૈયા તરીકેની બાબાસાહેબની ભૂમિકાની શરૂઆત થઈ હતી.
- રાજુ સોલંકી

Facebook Post:-

શહેરી જાતીવાદ : સમય સાથે જાતીવાદ સ્વરુપ બદલતો રહે છે

By Prashant Leuva

અમારા વિસ્તારમાં ત્રણ દુકાન છે. પહેલી દુકાન પટેલ ભાઈની, વચ્ચેની અમારી અને ત્રીજી બીજા એક પટેલ ભાઈની. ૧૫ વર્ષથી કોઈ જાતનો કશો ભેદભાવ નહિ, રોજ બેસવા ઊઠવાનું સાથે. ખરો કિસ્સો હવે થયો. ઘણા વર્ષો પછી મહેનત કરી મારા પપ્પાએ નવું સરસ ડુપ્લેક્ષ લીધું. સ્વાભાવિક રીતે બંને દુકાનદાર પડોશીઓ હરખાયા. સોસાયટી નવી બની હતી એટલે સોસાયટી તરફથી જમણવાર રાખવામાં આવ્યો. દરેક સભ્યોને જોઈએ એટલા પાસ આપવામાં આવ્યા. અમે પણ પાસ લઇ બંને દુકાનદાર પડોશીઓને આપ્યા. પહેલી દુકાન વાળા પાડોશીએ ફટાક કરતો પાસ લીધો અને કહ્યું અમે ચોક્કસ આવશું .ત્રીજી દુકાન વાળા તૈયાર ના થયા આવવા, કહે કે તમારામાં અમે ના આવીએ. મારું છટકયું, ઘણું બોલ્યો પપ્પાને કે શું લેવા આપવા પડે પાસ આમને ? આપણે પણ નહી જઈએ એમના ત્યાં પ્રસંગમાં. મેં પણ આ વાતનો જડબાતોડ જવાબ આપવાનું નક્કી કરી રાખ્યું હતું.
આ બધું પત્યાંને પંદર દિવસ થયા હશે. ત્રીજી દુકાન વાળા માસી આવ્યા એમની દુકાને. હું મારી દુકાને ઉભો હતો. મને કહે કે નવા ડુપ્લેક્ષની પાર્ટી ક્યારે ? કઈ હોટેલમાં જવું છે જમવા ?
મોકો મળી ગયો પછી મને, મેં કહ્યું ઘરે હોટલને પણ ટક્કર મારે એવી વાનગીઓ બનાવીએ, તમે તૈયાર થઇને આવો ફેમીલી. એમણે કહ્યું ના ઘરે તો ના આવીએ.
મેં કહ્યું અચ્છા એમ ? ઘરે આવવું હોય તો આવજો બાકી હોટેલ ફોટેલ માં કોઈ દિવસ નહિ...અને હા તમારા ઘરે અમે આવીશું એવી કોઈ ખોટી આશા ના રાખતાં હવે...ભૂલી જજો કે અમે આવીશું...
માસી ત્યારના હજુ ચુપ જ છે એ બાબતે....
આ પોસ્ટ લખાય છે ને ત્રણ દુકાન વાળા અમે જોડે બેઠા છીએ !!

- અશાંત

June 29, 2017

ખેર કયારેક તો સુધરશે ને આ લોક..???



By Dr Yashpal Divyaben Kanjibhai
બે ધટના
વષૅ ૨૦૦૪ ધોરણ ૧૦ નુ વેકેશન સામાન્ય રીતે વેકેશન ગામડે જ કરવાનુ થાય ધમાલ મસ્તી ના દિવસો ,
બપોર થાય એટલે ચા પીવાનો ટાઈમ થાય એટલે ઘરના સભ્યો ગ્લાશ પકડાવી દે જા ફલાણા ને ત્યાંથી દુધ લઇ આવ નાછુટકે જવુ પડે ત્યારે દુધ શેર,બશેર,પાશેર ની ગણતરી મા આપતા તળપદી મા સવણૅ ના ઘર લોક ના ઘર કહેવાતા થોઙી ઉંચાઈ પર ધર હોય તમે દુધ લેવા જાવ પણ પગથીયા નહિ ચડવાના , હડધૂત થવાની તૈયારી રાખવાની , પૈસા પણ હાથ મા નહિ આપવાના, નીચે મુકવાના એ લઈ લે
આમ તો દાદા એક ઓફિસર ના શહેરી છોકરા ને બધુ શીખવતા પણ આવા રોજ ના અપમાન ઘુંટડે ઘુંટડે વેકેશન પુરતો પી જતો. એક દિવસ ધીરજ તૂટી અને શબ્દો ની મર્યાદા પણ. ઘર મા ઓહો થઈ ગયુ પટેલ એ સલાહ આપી દાદા શીખવો શહેર ના છોકરા ને કે બહાર જવાથી લોક ના થઈ જવાય... પણ એ ઘટના પછી ધણુ પરિવર્તન આવ્યુ. અમુલ ની થેલી ગામડા સુધી આવી ગઈ, પણ આજે પણ રીત એજ છે . 

ખેર કયારેક તો સુધરશે ને આ લોક..???

૨૦૧૨
ત્યારે મકાન લાયક પૈસા ની સગવડ થઈ ગઈ હતી.  હું અને પપ્પા રોજ પ્લોટ કે મકાન લેવાની ચર્ચા કરતા. પપ્પા એ શોધવાની જવાબદારી મારા પર નાખી ત્યારે મેડીકલ નુ અંતિમ વર્ષ, જ્યા જાહેરાત જોઉ ત્યા કોલ કરુ. દલાલ ફેમિલી ડીઈટેલ પુછે શરુઆત માં ખુશ થઈ જાય પછી હરવેક થી જાતી પુછી લે , જવાબ સાંભળતા જ અવાજ નો ટોન બદલાય. પછી શું, ગલા તલ્લા શરૂ.  લગભગ બધે થી નિરાશા કોઈક એમ કહે મને વાંધો નથી કાલ સવારે સોસાયટીવાળા વાંધો ઉઠાવે, કોઇક કહે થોડો સમય જાત છુપાવી રહો પછી વાંધો નહિ, કોઈ કહે તમારા બજેટ મા નથી વગેરે વગેરે કેટલાય ઢકોસલા સાંભળી ને કંટાળ્યો અંતે નકકી કર્યું મારા સમાજ વચ્ચે જ સારો છુ....

આતો થઈ બે ધટના ની વાત બીજી ધણી વાતો છે પછી કયારેક નિરાંતે

માસૂમ જવાબ : હા લોક છીએ..!!!



મારી પાસે તો તાજો બે મહિના પહેલાંનો દાખલો છે. એક મજૂરણ બાઇ ઘર આગળથી પસાર થઇ રહી હતી. હું બહાર કોમન પ્લોટમાં ખુરશી પર બેઠેલો. મારું મકાન બે માળનું આલિશાન છે. 
મજૂરણને પાણીની તરસ લાગેલી. તે દરવાજા તરફ ગઇ અને મારી દિકરી માસૂમને કહે, "બેનબા, પાણી આપજોને તરસ લાગી છે."

માસૂમ ફ્રિઝમાંથી બોટલ લઇ આવી. કાચના ગ્લાસમાં પાણી ભરી હજી તેને આપી જ રહી હતી..ત્યાંજ સાંસ્કૃતિક સવાલ પૂછાયો! "બેનબા, તમે લોક છો...???"
માસૂમ કહે, "હા લોક છીએ!"

 ખરી હકિકતે માસૂમને જાણ નથી કે 'લોક' એટલે શું? 

હું સાંભળતો હતો મેં માસૂમને કહ્યું, "બેટા, બોટલ પાણી આપ્યાં વિના ફ્રિઝમાં મુકી દે! આપણે લોક નથી! 'અનલોક' છીએ!"
પછી પેલી બાઇને કહ્યું, "અમે જાતના ચમાર છીએ..." 
તે સમજી ગઇ! માસૂમ પાસેથી ભરેલો ગ્લાસ હું ગટગટાવી ગયો..

એ બાઇને કહ્યું, "આ કાચનો ગ્લાસ સ્પેશલ મેં પસંદ કર્યો છે... 70/- રુપિયાનો એક ગ્લાસ છે. બે ડઝન છેક આગ્રા ગયેલો ત્યાંથી લાવ્યો છું. તારા લોક તને આવા ગ્લાસમાં પાણી નહી પીવડાવે..! અહીંથી ચોથી લાઇન લોકની છે. પણ બધાંના દરવાજા લોક હશે..."

હું અંદરથી ઇચ્છતો કે તેનું વધારે સ્વમાન ઘવાય..પણ હું તેને કડવા વે'ણ ન બોલી શક્યો કેમ કે મને ખબર છે કે, આ અજ્ઞાન, આ માનસિક અધોગતિનાં મૂળને પોષણ કોણ આપે છે. કયા વિદ્વાનો આ વ્યવસ્થા ટકી રહે તેવા પ્રયત્ન કરી રહ્યા છે? હું તેમને અહીં રોજેરોજ અરીસો દેખાડું છું..છતાંય તેઓ પોતાના વિકૃત ચહેરા પર લાલીલપેડા કરી સુંદરતાનો ડોળ કરશે..

પૂછનારનો કોઇ વાંક નથી..તે અણસમજુ, અભણ, ગમાર છે. જે શિક્ષિત સવર્ણો છે તે સમાજમાં સૌહાર્દ, સમાનતા, ભાતૃત્વનો વિકાસ થાય તેવું નથી ઇચ્છી રહ્યાં. જો તેઓ ઇચ્છતા હોત તો તેઓએ આંતરીક સામાજિક સુધારણાનું આંદોલન શરું કર્યું હોત!

- વિજય મકવાણા


 બિન દલિત હોવાનો નશો દુનિયાનો સૌથી કેફી નશો છે. એમાં મદહોશ થનારા ભિખારી પણ કરોડપતિ, એજ્યુકેટેડ, સંસ્કારી દલિત કરતા ય પોતાને ઊંચા સમજે છે. અને એટલે જ ભારતના ગરીબો ક્રાંતિ નથી કરી શકતા.
- અરુણ પટેલ

ગોખલા ની રકાબી અને મનોરોગીયો ની ચા

By Vishal Sonara
છુઆછુત તો અત્યારે ન હોય એવુ લાગે છે પણ માનસીક છુઆછુત તો નથી જ ગઈ હજી પણ ખાસ કરી ને ગામડાઓ મા હાલત વધુ ખરાબ છે.
સૌરાષ્ટ્ર ના ઘણા ગામડાઓ મા ચા પીવાની બે ત્રણ અલગ રકાબીયો ને રસોડા (કે જે મોટે ભાગે બાર ની સાઈડ જ હોય) ની બાર ની થાંભલી ના ગોખલા જેવી જગ્યા એ રાખવા મા આવે કે જે થી કોઇ એવી જાતી નો વ્યક્તી આવી જાય કે જે ઉતરતી જાતી નો હોય અને એને ચા પીવડાવવી પડે તો એને એમા ચા આપી શકાય. પાછી ચા પીવડાવવા જેટલી ખાનદાની ખરી આવા માનસીક રીતે બીમાર (જાતિવાદી) લોકો ની.
જો રેગ્યુલર રકાબી મા ચા પીવરાવવામા આવે અને એ રકાબી ઘર મા અન્ય વાસણો સાથે ભળે તો અનર્થ થઈ જાય. અભડાઈ જવાય , દેવી-દેવતા કોપાયમાન થઈ જાય , ભુવા બોલાવવા પડે, પાપ મા પડાય , ધર્મ ભ્રષ્ટ થઈ જાય વગેરે વગેરે જેવી અનેક માન્યતાઓ એમના મગજ મા હોય છે.
હવે જો આવો કોઇ નીચલી વર્ણ નો વ્યક્તિ ચા પી જાય અને એના ચા પીધા બાદ ઘર મા રકાબી લઈ જવી હોય તો વળી ગંગાજળ કે ગૌમુત્ર નો છંટ્કાવ કરવો પડે ને બીજા ઘણા પ્રશ્નો ઉભા થાય એના કરતા બાર નુ બાર જ પતે એ મુખ્ય હેતુ થી આવા ગોખલા પ્રથા અમલી છે હજી હાલ ની તારીખ મા પણ.
પણ અત્યારે ટેકનોલોજી નો જમાનો છે તો આવા પ્રોબ્લેમ મા પણ એ જ કામ આવે ને..!!! હવે એ પ્રોબ્લેમ ઘણા અંશે પ્લાસ્ટીક ના ડીસ્પોસેબલ કપ આવી જતા સોલ્વ થઈ ગયો છે.
ડીસ્પોસેબલ ચા ના કપ મા ચા આપી દેવાની ચા પીવાય જાય એટલે ડાયરેક્ટ જે ચા પીવા વાળો હોય એના જ હાથ થી ફગાવી દેવાની દુર એવિ સુવ્યવસ્થીત વ્યવસ્થા નુ સર્જન થઈ રહ્યુ છે.

ટેક્નોલોજી કેટલી કામ મા આવે છે એનો આ તાદ્દશ નમુનો છે...!!!

June 28, 2017

गीता रहस्य : भाग - २




By Sanjay Patel Bauddha

गीताकार कृतज्ञ नहीं है !
ऐसा प्रतीत होता है की गीताकार कृतज्ञ नहीं है! वह कृघ्नता के साथ-साथ ईमानदार भी नहीं है। उसने गीता में जहा से सामग्री चोरी की है, उस सामग्री के स्रोत को न बताकर गीता को मौलिक कृति बनाने की घृष्टता की है। संस्कृत साहित्य के मर्मज्ञ डॉ. सुरेंद्र कुमार शर्मा कहते है की, "गीता यध्यपि एक स्वतंत्र पुस्तक है तथापि उसमे बहुत कुछ पहले विद्यमान वांगमय से लिया गया है। इसमें महाभारत के २७ पुरे श्लोक, कही कही अक्षरशः और कही थोड़े परिवर्तन से मिलते है।

ऐसे ही कठोपनिषद के ७ श्लोक गीता में अक्षरशः व कुछ परिवर्तन के साथ मिलते है श्वेताश्वतर उपनिषद के भी बहुत से श्लोक और भाव गीता में मिलते है। गीता के दूसरे अध्याय का आत्मा का वर्णन, आठवें अध्याय क अक्षर-ब्रह्म वर्णन और १३वें अध्याय के क्षेत्र-क्षेत्रज्ञ विचार अक्षरशः उपनिषदों से लिया गया है।

और भी बहुत सी पुस्तकों के भाव, शब्द और श्लोक गीताकार ने लिए है। उसने एक सभ्य लेखक की तरह उनके मूलस्रोतो का उल्लेख नहीं किया, बल्कि अपनी मौलिकता सिद्ध करने की उच्चाकांक्षा के वशीभूत होकर हर एक उठाए श्लोक व भाव को ऐसे पेश किया है, मानो वह उसकी अपनी रचना हो। आज अगर गीताकार ऐसा करता, शायद कॉपीराईट-कानून के अधीन जेल की हवा खाता। गीताकार के इस पक्ष की ओर विद्वानों ने ध्यान दिया है और सख्त टिप्पणियां भी की है।

लेकिन इस बात की ओर बहुत कम लोगो ने ध्यान दिया हैं की गीताकार ने बौद्ध वांगमय से भी बहुत कुछ उठाया है- कही भाव, कही उपमाएं और कही पारिभाषिक शब्दावली। यह अलग अलग बात है की उसने कही-कही मूल शब्दों को वह अर्थ में प्रयोग किया है, जो उनका असल में अर्थ नहीं है।
दूसरे अध्याय में स्थितप्रज्ञ के विषय में १८ श्लोको में जो कुछ कहा है, ठीक वही कुछ बौद्ध वांगमय के सुत्तनिपात १८ गाथाओ में अंकित है।
गीता के अध्याय १२ में सच्चे साधक के जो गुण बताए गए है, वे बुद्धिज़्म से लिए गए है। इन्हे बौद्ध वांगमय में 'भावना' कहते है। भावना में चार ब्रह्मविहार होते है। वे निम्नलिखित है - करुणा, मैत्री, मुदिता और उपेक्षा।

गीता का १६वां अध्याय 'धम्मपद' और 'सुत्तनिपाद' पर पूरी तरह आधारित है। गीता में 'निर्वाण' शब्द बौद्ध धर्म से लिया गया है, क्योंकि वेदों, ब्राह्मण ग्रंथो तथा उपनिषदों में यह 'निर्वाण' शब्द कहीं नहीं है। गीताकार ने इसमें ब्रह्म शब्द जोड़कर इसे ब्राह्मणवादी शिक्षा बनाने की कोशिश की है। गीता के दूसरे अध्याय के श्लोक ४० से ७२ तक ब्रह्मनिर्वाण प्राप्त करने के जो पांच सोपान बतलाए है, वे ये हैं- श्रद्धा, व्यवसाय, स्मृति, समाधी, प्रज्ञा। यही पांच सोपान आरंभिक बुद्धिज़्म में बतलाए गए है।
गीता का १७वा अध्याय तप के वर्गीकरण से संबंधित है। कृष्ण ने अपनी पूरी जिंदगी में कही तप नहीं किया या फिर कही पे भी कृष्ण के तप का वर्णन नहीं है तो फिर कृष्ण के पास तप का ज्ञान कैसे आया ? यह बुद्ध द्वारा तपस्या के विभिन्न वर्गों के विषय में प्रकट किये विचार है। गीता में विराट दर्शन भी कुछ कुछ बुद्ध तथा मार विजय की नक़ल है।

गीताकार ने बौद्ध संस्कृति और दर्शन के प्रचलित शब्दों को बहुत स्थानों पर अपना अर्थ देने की शरारतपूर्ण कोशिश की है। इसका उद्देश्य वही था, जो मछली पकड़ने के लिए फेंकी गई कंटिया के आगे लगे मांस का होता है, यानि बौद्ध विचारो से प्रभावित लोगों को इन शब्दों से आकृष्ट कर ब्राह्मणवादी शिक्षाए दिमागों में भरना।

हिन्दू वांग्मय के विद्वान् तथा भारतीय संविधान निर्माता बाबासाहेब डॉ. आम्बेडकर का कहना है की, "गीता ने 'निर्वाण' सिद्धांत कहा से लिया ? निश्चय ही यह सिद्धांत उपनिषदों से नहीं लिया गया है क्योंकि किसी भी उपनिषद में 'निर्वाण' शब्द का उल्लेख नहीं है। यह बौद्ध धर्म से ली गई है। यदि इस संबंध में किसी को संदेह हो तो उसे भगवद्गीता के ब्रह्मनिर्वाण की तुलना बौद्ध धर्म की निर्वाण संबंधी अवधारणा से करना चाहिए जिसका विवेचन महापरिनिब्बान सुत्त में किया गया है।

गीता में भावना, कर्मयोग, लोक संग्रह, योगक्षेम, शब्द गीताकार ने बौद्ध धर्म से चुराये है। अतः डॉ. सुरेन्द्र कुमार अज्ञात का कथन शाट-प्रतिशत सही है की "बुद्ध और बुद्धिज़्म की शिक्षाओं का मुकाबला करने के लिए ब्राह्मणो ने अपने ग्रंथो की नए ढंग से व्याख्या शुरू की। कई नये ग्रंथो की रचना की और नायको और देवताओ को नए रूप में पेश किया। ब्रह्मसूत्र ऐसे ग्रंथो में मुख्य था। लेकिन वह सर्वजन सुगम नहीं था। अतः एक सरल ग्रन्थ था भगवद्गीता जिसमे बुद्ध के स्थान पर कृष्ण को स्थापित किया गया। "

संदर्भ:
1. गीता की शव परीक्षा - डॉ. सुरेन्द्र अज्ञात
2. भारत की गुलामी में गीता की भूमिका - आचार्य भद्रशील रावत
3. बाबासाहेब डॉ. आंबेडकर सम्पूर्ण वांग्मय, खंड - 7 - डॉ. आंबेडकर



Facebook Post :-

બંધારણવાળો બાબો ભાગ ૨




By Raju Solanki
બંધારણની મુસદ્દા સમિતિમાં સાત સભ્યોની નિમણૂંક થઈ હતી. એમાંના એક ટી. ટી. કૃષ્ણામાચારી એ બંધારણના ઘડવૈયા તરીકેની ડો. બાબાસાહેબ આંબેડકરની ભૂમિકાને બિરદાવતા કહેલું કે,
"સભાને કદાચ એ વાતની જાણ છે કે તમે નિયુક્ત કરેલા સાત સભ્યો પૈકીના એકે સભામાંથી રાજીનામુ આપ્યું હતું અને તેમની જગ્યાએ અન્યને લેવા પડ્યા હતા. એક સભ્ય મૃત્યુ પામ્યા હતા. તેમની પૂર્તિ થઈ શકી ન હતી. એક સભ્ય અમેરિકામાં હતા અને તેમની જગ્યા ભરી શકાઈ ન હતી. એક સભ્ય સરકારી કામોમાં વ્યસ્ત રહેતા હતા, એટલે એમનું પદ ખાલી જેવું જ હતું. એક કે બે સભ્યો દિલ્હીથી દૂર રહેતા હતા અને કદાચ આરોગ્યના કારણસર તેઓ હાજર રહી શક્યા ન હતા. તેથી અંતે એવું બન્યું કે આ બંધારણનો મુસદ્દો ઘડવાનો બોજો એકમાત્ર ડો. આંબેડકરના શિરે આવ્યો હતો અને નિ:શંકપણે સરાહનીય રીતે આ કાર્ય સિદ્ધ કરવા બદલ આપણે એમના ઋણી છીએ એ બાબતમાં મને લગીરે શંકા નથી."
પ્રજાના કામો કરવાના બદલે ઉત્સવોના તાયફાઓમાં વ્યસ્ત ગુજરાત સરકારના અભણ, ઠોઠ નિશાળીયા જેવા પ્રધાનોને આ ઐતિહાસિક તથ્યની જાણ નથી.
- રાજુ સોલંકી




Facebook Post :-

બંધારણવાળો બાબો ભાગ ૧

By Raju Solanki

આજકાલ ગુજરાતી અખબારોના કેટલાક ટુણીયાટ કટારલેખકો સતત એવો પ્રચાર કરી રહ્યા છે કે ડો. બાબાસાહેબ આંબેડકર બંધારણના ઘડવૈયા ન હતા અને તેમણે પોતે કહેલું કે તેઓ તો માત્ર ટાઇપિસ્ટ હતા. હમણાં ગુજરાત સરકારે બાળકોના કોઈ પાઠ્યપુસ્તકમાં પણ બંધારણના ઘડવૈયાઓની યાદી આપીને બાબાસાહેબનું મહત્વ ઓછું કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ થયો છે. 
બાબાસાહેબ બંધારણના ઘડવૈયા હતા એવું કહેવા માટે તર્કબદ્ધ દલીલો આપવી પડે. વિનોબા ભાવેએ બાબાસાહેબને આધૂનિક મનુ કહ્યા હતા એવું કહેવામાત્રથી ના ચાલે. ડો. બાલીના પુસ્તકના કેટલાક ઉદ્ધરણો મૂકી દેવાથી ના ચાલે. આ માટે તમારે થોડું અધ્યયન કરવું પડે. 
સૌ પ્રથમ તો ડો. રાજેન્દ્રપ્રસાદના એ વાક્યો યાદ કરવા પડે, જે તેમણે 26 નવેમ્બર, 1949ના દિવસે બંધારણસભાએ સર્વાનુમતે બંધારણ પસાર કર્યું તે પહેલાં બાબાસાહેબ માટે ઉચ્ચાર્યા હતા. બંધારણસભાના પ્રમુખ રાજેન્દ્રપ્રસાદે કહેલું,
"હું (મારું વક્તવ્ય) પૂરું કરું તે પહેલાં, મારે આ પ્રતિષ્ઠિત સભાના તમામ સભ્યોનો આભાર માનવો જ રહ્યો, જેમના તરફથી મને માત્ર સૌજન્ય જ નહીં, બલ્કે હું કહીશ કે તેમનો આદર અને પ્રેમ પણ મને પ્રાપ્ત થયો છે. (અધ્યક્ષની) ખુરશીમાં બેઠા બેઠા અને રોજેરોજની કાર્યવાહી નિહાળતાં મને સમજાયું છે કે જે ઉત્સાહ અને નિષ્ઠાથી મુસદ્દા સમિતિના સભ્યો અને ખાસ કરીને તેના ચેરમેન ડો. આંબેડકરે પોતાની નાદુરસ્ત તબિયત છતાં કામ કર્યું છે તે ભાગ્યે જ બીજું કોઈ કરી શક્યું હોત. એમને મુસદ્દા સમિતિમાં મુકવાના અને તેના ચેરમેન બનાવવાના નિર્ણય કરતા વધારે સારો નિર્ણય આપણે લીધો ન હતો કે લઈ શક્યા ના હોત. તેમણે ના માત્ર તેમની પસંદગીને ઉચિત ઠેરવી છે, બલ્કે તેમણે જે કાર્ય કર્યું છે તેમાં આભા ઉમેરી છે...."
(કોન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બલી ડીબેટ્સ, વોલ્યૂમ 11, પેઇજ 994)
સંઘ પરિવારની ચડ્ડીઓને ચડ્ડીના બટન વાસવાનું પણ ભાન ન હતું, ત્યારે બાબાસાહેબે આ મહાન દેશનું બંધારણ રચીને આપણા પર બહુ મોટો ઉપકાર કર્યો છે.
- રાજુ સોલંકી



Facebook Post:-

June 27, 2017

રાજનીતિ અંગે ડો. આંબેડકરના વિચાર

By Jigar Shyamlan
રાજનીતિ અંગે ડો. આંબેડકરના વિચાર એકદમ સ્પષ્ટ હતા. તેમના વિચાર પક્ષને એક ઉમદા પક્ષ બનવાના રસ્તે લઇ જઇ શકે એટલા પ્રભાવી હતા.
ડો. આંબેડકર રાજનિતીક પક્ષની વિચારધારા બાબતે પક્ષની આચારસંહિતાને મુખ્ય આધાર માનતા હતા. રાજનિતીક પક્ષ કે દળ તરીકે શું હોવું જોઇયે એ બાબતે તેઓ સ્પષ્ટ હતા.
ડો. આંબેડકરના મત મુજબ એક રાજકીય પક્ષ માટે કેટલાક પાયાના ખ્યાલ હોવા જરૂરી છે જેમાં,
(1). પક્ષના પોતાના સિધ્ધાંત સ્પષ્ટ હોવા જોઇયે
(2). સાંપ્રદાયિક તેમજ પ્રતિક્રિયાવાદી પક્ષો સાથે કોઇ પ્રકારનું જોડાણ ન કરવું જોઇયે.
(3). પક્ષે માત્ર સરકાર બને તેવો મોહ ન રાખતા શ્રેષ્ઠ કોટીનો વિપક્ષ બને તેનું પણ ધ્યાન રાખવું જોઇયે.
સપ્ટેબર 1951માં “હિન્દુ કોડ બિલ”ના મુદ્દે મંત્રી મંડળમાંથી રાજીમાનું આપ્યા બાદ ડો. આંબેડકર મુક્ત હતા. 1952માં સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાનાર હતી. આ અવસરે “અખિલ ભારતીય અનુસૂચિત જાતિસભા”ની કાર્યકારીણી બેઠક ઓક્ટોબર 1951માં ડો. આંબેડકરના દિલ્હી સ્થિત નિવાસસ્થાન હોર્ડિંગ એવન્યું ખાતે મળી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ તેમના નેતાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ચૂંટણી ઢંઢેરા પર વિચાર વિમર્ષ કરવાનો હતો. આ બેઠકમાં એ વાત સ્પષ્ટ કરવામાં આવી હતી કે કોંન્ગ્રેસ, હિન્દુ મહાસભા અને ડાબેરીઓ સાથે કોઇ સમાધાન ન કરવું.
- જિગર શ્યામલન



Facebook Post :-

કાયદાથી રક્ષિત ધાર્મિક આતંકવાદનું ભારત માં બિજારોપણ

By Dr Tarun Chandrikaben Baldevbhai

Legalized #SaffronTerror in UP...




આતંકવાદી કોઈપણ ધર્મ નો હોઈ શકે, મુસલમાન હોઈ શકે , હિન્દુ  કે અન્ય કોઈ ધર્મનો... પણ મોટા ભાગે આતંકવાદી તે ધાર્મિક-ચરમપંથી જ હોય. અને આવા કોઈ ધર્માંધ કટ્ટરપંથી વિચારધારા વાળા વ્યક્તિ ના હાથમાં કાયદો વ્યવસ્થા સાચાવવાની જવાબદારી હોય તો પ્રજા નિર્ભક કઈ રીતે હોય.?

ઉત્તરપ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ના "મુસલમાનો શાંતિથી નહીં રહે તો અમે તેમને તેમની ભાષામાં શાંતિથી રહેતાં શીખવીશું" તે સબબ ના નિવેદનો તે જે તે પ્રદેશ ની લઘુમતી કોમના લોકો માટે ચોક્કસ ભયભીત કરનારા હશે...આતંક ફેલાવનારા હશે.તેમના શાબ્દિક આતંકવાદના પુરાવા...

【1】-ઓગસ્ટ, 2014માં યોગીએ લઘુમતી સમુદાય પર હુમલો કરતા જણાવ્યું હતું કે, જ્યાં પણ તેમની સંખ્યા 10 ટકા કરતા વધુ વસ્તી છે ત્યાં રમખાણો થાય છે જ્યારે તેમની સંખ્યા 35 ટકાથી વધુ છે ત્યાં બિન મુસ્લિમો માટે જગ્યા નથી.



【2】- યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશ ચૂંટણીના પ્રચાર દરમિયાન કૈરાનામાં હિન્દુઓના પલાયનનો મુદ્દો ઉઠાવી ધાર્મિક કાર્ડ ખેલવાનો પ્રયાસ કર્યો હતો. ફેબ્રુઆરી 2017 માં યોગીએ કહ્યું કે અમે પશ્વિમ ઉત્તરપ્રદેશને બીજું કાશ્મીર બનવા નહીં દઇએ.


【3】- જૂન 2016માં બીજેપી સાંસદ યોગી આદિત્યનાથે મધર ટેરેસાને લઇને વિવાદીત નિવેદન કરતા કહ્યુ હતુ કે, ટેરેસા જેવા લોકોએ ભારતમાં ઇસાઇકરણનો પ્રયાસ કર્યો છે. મધર ટેરેસા જેવા લોકો ક્યારેક ભારતમાં ઇસાઇકરણનું કામ કરે છે તો ક્યારેક ફાધર બનીને અહીં હિન્દુઓને દફનાવવાનું કાવતરું રચે છે.


【4】-જૂન, 2015માં આદિત્યનાથે કહ્યુ હતુ કે યોગ ઋષિઓએ આગળ વધાર્યો છે. હિન્દુસ્તાનમાં મહાદેવનો વાસ છે. જેણે યોગને લઇને કોઇ સમસ્યા છે તે હિન્દુસ્તાન છોડીને જઇ શકે છે. જેને સૂર્ય નમસ્કાર કરવા પર સમસ્યા છે તેમણે સમુદ્રમાં ડૂબી જવું જોઇએ.


【5】- નવેમ્બર 2015માં યોગી  આદિત્યનાથે શાહરૂખ ખાનની તુલના આતંકી હાફિઝ સઇદ સાથે કરી હતી. આદિત્યનાથે શાહરૂખ ખાન પર આપતિજનક નિવેદન કરતા કહ્યુ હતું કે, શાહરૂખે સમજવું જોઇએ કે જો એક મોટી વસ્તીએ ફિલ્મ જોવાનું બંધ કરી દીધું તો શાહરૂખ રસ્તા પર આવી જશે. શાહરૂખ અને આતંકી હાફિઝ સઇદના નિવેદનો એક જેવા છે.


【6】 ઓગસ્ટ, 2014માં આદિત્યનાથનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ કહી રહ્યા છે કે અમે નિર્ણય લીધો છે કે જો એક હિન્દુ છોકરીનું ધર્મ પરિવર્તન કરાવવામા આવશે તો અમે 100 મુસ્લિમ છોકરીઓનું ધર્મ પરિવર્તન કરાવીશું. બાદ મા આદિત્યનાથે કહ્યું કે, અમે આ વીડિયો પર કોઇ ટિપ્પણી કરીશું નહીં.


【7】- ઓક્ટોબર 2015 માં ચર્ચાસ્પદ દાદરી કાંડ પર આદિત્યનાથે કહ્યુ હતુ કે, ઉત્તરપ્રદેશ કેબિનેટ મંત્રી (આઝમ ખાન)એ જે રીતે સંયુક્ત રાષ્ટ્ર જવાની વાત કરી છે તેમને તરત જ હટાવી દેવામાં આવે. આજે મેં વાંચ્યું છે કે અખલાક પાકિસ્તાન ગયો હતો અને ત્યારબાદથી તેની ગતિવિધિઓ બદલાઇ ગઇ હતી. શું સરકારે એ જાણવાનો પ્રયાસ કર્યો કે આ વ્યક્તિ પાકિસ્તાન કેમ ગયો હતો. આજે તેના વખાણ કરવામાં આવી રહ્યા છે.


【8】- ફેબ્રુઆરી 2015માં યોગી આદિત્યનાથે કહ્યુ હતું કે, જો તેમને તક આપવામાં આવે તો તેઓ દેશની તમામ મસ્જિદોની અંદર ગૌરી-ગણેશની મૂર્તિ સ્થાપિત કરી દે.


【9】- ફેબ્રુઆરી 2015માં આદિત્યનાથે કહ્યુ હતું કે આર્યાવર્તએ આર્ય બનાવ્યા, હિન્દુસ્તાનમાં અમે હિન્દુ બનાવી દઇશું. અમે આખી દુનિયામાં ભગવો ઝંડો ફરકાવી દઇશું.


【10】 - ફેબ્રુઆરી 2015માં આદિત્યનાથે કહ્યું હતું કે, મક્કામાં બિન મુસ્લિમોને પ્રવેશવાની મંજૂરી નથી. વેટિકન સિટીમાં બિન ખ્રિસ્તીઓને પ્રવેશ મળતો નથી તો પછી આપણે ત્યાં કોઇ પણ વ્યક્તિ કેમ આવે છે?? દેશમાં મુસ્લિમોમાં જન્મદર વધારે છે. જેનાથી જનસંખ્યામાં અસંતુલન આવી શકે છે.









गीता रहस्य : पढ़ेगा इंडिया , तभी तो आगे बढ़ेगा इंडिया

By Sanjay Patel Bauddha
सूचना: जिस किसीकी आस्था-श्रद्धा कमजोर हो वह न पढ़े और अगर फिर भी पढ़ते है और उनकी कमजोर आस्था-श्रद्धा को ठेस पहुंचे तो इसके जिम्मेवार वह खुद रहेंगे ।

भारत के कुछ कुर्सी तोड़ विद्वान भोलेभाले लोगों को यह कहकर गुमराह किया करते है कि आज से लगभग 5-6 हजार वर्ष पूर्व महाभारत का युद्ध हुआ था, जिसमें गीता समाहित है... मगर आज यहा कई किताबों के रेफरेंस और अध्ययन से इस बात का खंडन करेंगे...
कहते है कि अपराधी अपने पीछे अपराधपन का कोई न कोई प्रमाण अवश्य ही छोड़ जाता है ! ऐसी ही कुछ प्रामाणिक बातें गीताकार ने भी छोड़ी है । गीता का लेखक अपने घर में बैठकर गीता लिख रहा है। वह गीता के 18वें अध्याय के श्लोक 70 में कृष्ण के मुंह से कहला बैठता है -

अध्येष्यते च य इमं धर्म्यं संवादभावयो: ।
ज्ञानयज्ञेन तेनाहमिष्ट: स्यामिति मे मति: ।
अर्थ: जो कोई हम दोनों के संवाद रूप इस 'धर्म' को पढ़ेगा तो मेरा मत है कि उसके ऐसा करने से मैं ज्ञान यज्ञ द्वारा पूजित होऊंगा ।

गीताकार ने जो 'अध्येष्यते' शब्द का प्रयोग किया है; यहीं पर वह पकड़ा गया है। सभी जानते है कि युद्ध के समय कृष्ण और अर्जुन में मौखिक वार्तालाप हो रहा था और मौखिक वार्तालाप में 'अध्येष्यते' का प्रयोग सरासर गलत है। गीताकार स्वयं भूल गया था कि कृष्ण और अर्जुन का मौखिक वार्तालाप है। इसीलिए भूलवश वह 'अध्येष्यते' (पढ़ेगा) का प्रयोग कर बैठा। 'पढ़ेगा' का अर्थ है कि गीताकार घर में जो पोथी लिख रहा है, उसे भविष्य में कोई पढ़ेगा (=अध्येष्यते) अतः गीता का संबंध वास्तव में किसी युद्ध से न होकर वह तो केवल गीताकार की घर में बैठे ही बैठे कोरी कल्पना ही है ।
कहते है कि कृष्ण ने समय को भी रोक दिया था, अर्जुन और कृष्ण के अलावा सब रुक गया था तो फिर गीता लिखी किसने ? न अर्जुन ने न कृष्ण ने तो यह तीसरा कहा से आया ?
गीता की रचना कब की गई है, इसका प्रमाण स्वयं गीता में ही मिल जाता है! प्रसिद्ध इतिहासकार धर्मानंद कोसंबी ने खोज करके बताया है कि बालादित्य राजा के राज्यकाल (5वीं शताब्दी) में वादरायण या उसके किसी अज्ञात नामा शिष्य ने इसकी रचना की होगी ।
"गीता की भाषा 500 ईशवी पूर्व वाली नही है । यह भाषा बहुत कुछ आधुनिक संस्कृत जैसी है । यह कालिदास के काफी निकट है । फिर इसमें बौद्ध दर्शन के 'निर्वाण' आदि शब्दों का प्रयोग हुआ है । इससे स्पष्ट है कि यह बुद्ध के बाद कि रचना है।
गीता का समय निश्चित करने में स्वयं गीता काफी मदद करती है। अध्याय 13 के श्लोक 4 में 'ब्रह्मसूत्र' पदों का उल्लेख है। ब्रह्मसूत्रों में बुद्ध दर्शन के चारों संप्रदायों वैभाषिक, सौत्रान्त्रिक, योगाचार और माध्यमिक का खंडन है। योगाचार का विकास असंग और वसुबंधु नाम के भाइयों ने सन 350 ईशवी के आसपास किया । इसके 40-50 वर्ष बाद ही योगाचार इतना प्रसिद्ध हुआ कि इसके पृथक खंडन की जरूरत पड़ी। स्पष्ट है, सन 400 ईसवी के बाद ही ब्रह्मसूत्रों की रचना हुई। लगभग इसी समय वादरायण हुआ जिसका शंकर की गुरु परंपरा में आदि स्थान है- वादरायण, उसका शिष्य गोविंद भागवदपद और उसका शिष्य आदि शंकराचार्य (जन्म 788 ईसवी) शंकर के जन्म से दो-ढाइसो वर्ष पहले कहीं हुआ होगा।
गीता की रचना बौद्ध धर्म के विकास के बाद ही हुई है। बौद्ध धर्म से मुकाबला करने के उद्देश्य से ही किसी अल्प विद्वान ने इसकी रचना घर मे बैठकर की है। पांचवी शताब्दी के आसपास बौद्ध धम्म उच्च शिखर पर था। उस समय के वर्णाश्रम धर्म के मुकाबले में बौद्ध धम्म श्रेष्ठ माना जाता था। जो गंदगी, दलदल, अनैतिकता तथा अंधविश्वास वैदिक धर्म में थे, बौद्ध धम्म इन सबसे मुक्त था। इसीलिए लोग पुराने दलदल को छोड़कर बौद्ध धम्म अंगीकार कर रहे थे। इस धर्म परिवर्तन को रोकना गीताकार का मूल उद्देश्य था। गीताकार यह भी जानता है कि वैदिकधर्म गुण रहित है और बौद्ध धम्म गुण श्रेष्ठ है। इसीलिए बौद्ध धम्म से वह भयभीत है। तभी तो गीताकार को कहना पड़ता है -

श्रेयान्स्वधर्मो विगुण: परधर्मात्स्वनुष्ठितात् |
स्वधर्मे निधनं श्रेय: परधर्मो भयावह: || (गीता, अध्याय 03/35)
अर्थ: अच्छी प्रकार आचरण में लाये हुए दूसरे के धर्म से गुण रहित भी अपना धर्म अति उत्तम है । अपने धर्म में तो मरना भी कल्याण कारक है और दूसरे का धर्म भय को देने वाला है ।।
गीताकार इतना डरा हुआ प्रतीत हो रहा है कि गीता के इस श्लोक को उलट फेर करके गीता अध्याय 18 के श्लोक 47 में उसी बात को फिर दोहरा बैठता है-

श्रेयान्स्वधर्मो विगुण: परधर्मात्स्वनुष्ठितात् |
स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् || 47||
अर्थ: अच्छी प्रकार आचरण किये हुए दूसरे के धर्म से गुणरहित भी अपना धर्म श्रेष्ठ है ;क्योंकि स्वभाव से नियत किये हुए स्वधर्म रूप कर्म को करता हुआ मनुष्य पाप को नहीं प्राप्त होता ।। ४७ ।।

इन दोनों श्लोकों पर सोचा जाए तो पता चलता है कि, अगर मान लिया जाए कि सृष्टि का सबसे पुराना धर्म हिन्दू है तो फिर कृष्ण यह श्लोकों में कौन से दूसरे धर्म की बात करता है? अगर हिन्दू धर्म अच्छा है तो अर्जुन को यह समझाने की क्या आन पड़ी ?
डॉ. श्रीराम आर्य ने गीता विवेचन में लिखा है कि, " गीता की रचना... यह प्रकट करती है कि वह अन्य शास्त्रों में से चोरी करके बनाई गई पुस्तक है। गीताकार ने जो भी सामग्री महाभारत, मनुस्मृति व उपनिषदों और बौद्ध साहित्य में से ली है, उसे तोड़-मरोड़कर व उसमे मिलावट करके उपस्थित किया है...
गीता में 'निर्वाण' शब्द बौद्ध धर्म से लिया गया है क्योंकि वेदों, ब्राह्मण ग्रंथो तथा उपनिषदों में यह 'निर्वाण' शब्द कहीं नही है।

(अगले पोस्ट में गीता में कहा कहा से चोरी करके लिखा गया है उसकी जानकारी विस्तृत से बताऊंगा)
प्रसिद्ध आलोचक एवं संस्कृत साहित्य के मर्मज्ञ डॉ. सुरेन्द्र अज्ञात भगवदगीता के बारे में लिखते है, "गीता का रचयिता न संस्कृत व्याकरण का पूरी तरह ज्ञाता है और न उसे वेदों व दूसरे धर्म तथा दर्शन-सिद्धांतो का ठीक से ज्ञान है। गीता में 176 के लगभग व्याकरण विषयक गलतियां मिलती है, चार श्लोकों के बाद एक गलती कहीं संधिविषयक गलती है, तो कहीं गणविषयक; कहीं समास विषयक गलती है तो कहीं लकार विषयक। 
अतः "यह निर्विवाद है कि गीता न कृष्ण की रचना है, न व्यास और न किसी विद्वान की, यह किसी कामचलाऊ पंडित की रचना है जो वेद, दर्शन और संस्कृत व्याकरण का भी ज्ञाता नहीं है।"
इस प्रकार निःसंदेह रूप से यह बात प्रमाणित होती है कि गीता कृष्ण के द्वारा न रची गई है या न कृष्ण का कोई उपदेश है। उसे बनाने वाले ने उपनिषद, मनुस्मृति, महाभारत और बौद्ध वांगमय से भी सामग्री लेकर, उसे तोड़-मरोड़कर व उसमें मिलावट करके इस रूप में प्रस्तुत किया है कि श्री कृष्ण जी को साक्षात परमेश्वर सिद्ध (बुद्ध को भुलाने और बुद्ध से मुकाबला करने) किया जा सकें । यदि ऐसा न करता तो उसे अपनी बात को प्रभाव पूर्ण ढंग से रखने का अवकाश भी नहीं मिल सकता था।
(बने रहिएगा... पढ़ेगा इंडिया...तभी तो आगे बढ़ेगा इंडिया... आगे जारी रहेगा गीता का रहस्य अगले पोस्ट में)
संदर्भ:
1. पालि साहित्य का इतिहास
2. गीता की शव परीक्षा - डॉ. सुरेन्द्र अज्ञात
3. गीता विवेचन - डॉ. श्रीराम आर्य
4. भारत की गुलामी में गीता की भूमिका - आचार्य भद्रशील रावत
5. श्रीमद भागवद गीता
6. विकिपीडिया 

June 26, 2017

धर्म का भय क्यों?

By Sanjay Patel Bauddha

डॉक्टर बी आर अंबेडकर ने अपनी पुस्तक "जाति-प्रथा का विध्वंस" में लिखा है कि धर्म और कानून दो अलग-अलग चीज होते हैं।
प्रत्येक धर्म के कुछ सिद्धांत होते हैं। ये सभी मनुष्यों पर समान रूप से लागू होते हैं। धर्म में किसी खास व्यक्ति या समूह के लिए कुछ पाबंदी हो या दूसरे समूह के लिए कुछ छूट हो ऐसा नहीं होता।
कानून या नियम मनुष्य के जीवन को नियंत्रित करने के लिए बनाए जाते हैं। जैसे किसी देश का संविधान या स्कूलों के नियम। स्कूलों में कुछ खास नियम होते हैं- समय पर आने का, पढ़ने का, छुट्टी का, अध्यापकों के साथ व्यवहार करने का आदि।
कानून या नियमों को बदला जा सकता है। जैसे जनहित में संविधान में संशोधन किया जा सकता है। जिसका कोई बुरा नहीं मानता।
लेकिन धर्मों के सिद्धांतों में कोई परिवर्तन नहीं करता है और ना ही करना चाहता है क्योंकि वह सोचता है कि धर्म के सिद्धांत ईश्वर के बनाए हुए हैं, या ईश्वर के दूत के बनाए हुए हैं।
हिंदू धर्म में वास्तव में सिद्धांत नहीं है, वे कानून ही है जैसे कि ब्राम्हण को किस तरह व्यवहार करना चाहिए, क्षत्रिय, वैश्य व शूद्रों को किस तरह से व्यवहार करना चाहिए। उनके अलग-अलग अधिकार बताये गए हैं। लेकिन इन कानूनों को धर्म का रूप दिया हुआ है जिससे लोग उसको सुधारने की हिम्मत ना करें।
दूसरी बात है कि हिंदू धर्म में ब्राम्हण को सम्मानित माना जाता है और भू-देवता माना जाता है। जैसा वह चाहता है वैसा ही किया जाता है। वह कभी नहीं चाहेगा कि हिंदू धर्म में सुधार हो क्योंकि उसमें उसका बहुत फायदा है। मंदिरों में बिना मेहनत के गाढ़ी कमाई होती है। लोगों की जन्म, मृत्यु, शादी में मुफ्त में खाने को मिलता है। ब्राह्मण ऐसा अधिकार क्यों छोड़ना चाहेगा?
इन कारणों के होते हुए हिंदू धर्म में सुधार संभव नहीं है। यदि जनता को समझ में आ जाए कि हिंदू धर्म की असमानतावादी व्यवस्था धर्म का सिद्धांत नहीं बल्कि शोषण का कानून है तो वे उस को बदलने में कोई संकोच नहीं करेंगे।
वह केवल श्रद्धा के नाम पर रुका हुआ है और अपना शोषण करवाता रहता है। ज्ञान प्राप्त होते ही वह बिना किसी की डरे इस सड़े-गले कानून को मानने से मना कर देगा और वर्ण व्यवस्था से मुक्त हो जाएगा।
इस प्रकार से मनुष्य का डर केवल अज्ञान के कारण है।

Facebook Post:-

ડો. આંબેડકર મહા મહેનતે ઉચ્ચ અભ્યાસ પામી શક્યા તેની પાછળ તેમનું દ્રઢ મનોબળ અને સંધર્ષ કરવાની વૃત્તિએ મુખ્ય ભાગ ભજવ્યો હતો.

By Jigar Shyamlan

મનોવિજ્ઞાન એવું સ્વિકારે છે કે બાળપણના આઘાતજનક અને હતાશાપ્રેરક બનાવ વ્યક્તિના માનસપટ પર કાયમી છાપ છોડી જાય છે. ભારત અને અમેરિકામાં આ બાબતે કરવામાં આવેલ કેટલાક સંશોધનોમાં એ વાત સાબિત થઇ છે કે પદદ્લિત સમુદાયના સભ્યોનો પોતાની જાત વિશેનો નીચો ખ્યાલ માનસ પર ઉંડી અસર કરે છે. આ અસર વ્યક્તિમાં નામ, ચહેરા કે અસ્તિત્વવિહીનતાની માનસિક લાગણી પેદા કરે છે.
ડો. આંબેડકર પણ આવી જ અશ્પૃશ્ય પૈકીની એક ગણાતી મહાર જાતિમાં જન્મ્યા હતા. ડો. આંબેડકરનું સમગ્ર જીવન અન્યાય, હતાશા, અપમાન અને અવમાનનાથી ભરેલુ રહ્યું હતુ.
ડો. આંબેડકર બાળપણમાં જ્યારે શાળામાં દાખલ થયા ત્યારથી જ પોતે અષ્પૃશ્ય છે એ વાતના કડવા અનુભવો થવા લાગ્યા હતા. શાળામાં તેમને અન્ય હિન્દુ વિધાર્થીઓથી સાવ અલગ બેસવાની ફરજ પાડવામાં આવતી હતી. પોતે વર્ગમાં અન્ય વિધાર્થીઓની સરખામણીમાં હોંશિયાર હોવા છતાં શિક્ષકો તરફથી સદા અપમાનિત થયા હતા. શાળામાં મૂકેલ પાણીના સાર્વજનિક માટલાને અડકી શકાતુ ન હતુ. જ્યાં સુધી પટાવાળો આવીને પોતાના હાથે નળ ખુલ્લો ન કરે ત્યાં સુધી તરસ્યા બેસી રહેવું પડતું હતું. પટાવાળાના હાથે નળ ખુલ્લો કરાયા બાદ નળને સ્પર્શ ન થાય તે વાતનું ધ્યાન રાખતા ખોબો ધરીને પાણી પીવું પડતુ હતુ. જ્યારે પટાવાળો રજા પર હોય કે બહાર ગયો હોય ત્યારે આખો દિવસ પાણી પીધા વગર તરસ્યા જ રહેવું પડતુ અને શાળા છૂટે કે પોતાના ઘેર જઇને તરસ છિપાવવી પડતી.
આટલા કડવા અપમાન છતા ડો. આંબેડકર મહા મહેનતે ઉચ્ચ અભ્યાસ પામી શક્યા તેની પાછળ દ્રઢ મનોબળ અને સંધર્ષ કરવાની વૃત્તિએ મુખ્ય ભાગ ભજવ્યો હતો.
- જિગર શ્યામલન


Facebook Post :-

शाहू महाराज जयंती अवसर पर उन्हें विनम्र अभिवादन।

राजर्षि छत्रपती शाहूजी महाराज के कोल्हापुर संस्थान में ब्राम्हणवाद को नियंत्रण करनेवाले निर्णय
१) १९०१ में कोल्हापुर संस्थान में अछूतों कि जनगणना और १९०२ में मराठा,ओबीसी, अस्पृश्य इन सभी लोगों के लिए आरक्षण की व्यवस्था
२) १९०१ शुद्र-अतिशुद्रो के लिए छात्रावास का प्रावधान
३) कोल्हापुर संस्थान के सभी गाँव में स्कूल खोलने के लिए १ लाख रूपये का प्रावधान और स्कूलें खोलने का आदेश
४) ८ सितम्बर १९१३ कोल्हापुर संस्थान में सखती से अनिवार्य शिक्षा का आदेश
५) १९१७ को विधवा कानून बनाने का आदेश
६) ३ अगस्त १९१८ NT/DNT/VJNT को पुलिस स्टेशन में हाजीर रहने की प्रथा को खत्म कर दिया।
७) ६ सितम्बर १९१९ सार्वजनिक जगह पर जैसे कुँवे,अस्पताल, धर्मशाला,सरकारी आवास पर अस्पृश्यता को नकार कर सबके लिए खुली छूट दिया।
८)१९१९ आतंरजाती विवाह को मान्यता दी
९)३ मई १९२० बंधुवा मजदूरी की प्रथा बंद करवायी। और ज्यो लोग यैसा करते है,उनपर कानूनी कारवाई की जायेगी यह निर्णय हुवा
१०) २ अगस्त १९१९ महिलाओं को तलाख लेने का स्वेच्छा से अधिकार दिया।
११) १७ जनवरी १९२० को देवदासी प्रथा को खत्म कर दिया।
१२) १९२० ब्राम्हणो का जन्म दो बार होता है,एक जन्म से और जनऊ संस्कार से होता है । इस प्रथा को पाबंदी लगायी! और सभी ब्राह्मण हो या शुद्र-अतिशुद्रो का जन्म एकबार ही होता है। यह आदेश दिया गया था।
१३) राष्ट्रपिता ज्योतिराव फुले के समाज संघटना के लिए जगह-जगह मकान उपलब्ध करवाया।
शाहू महाराज जयंती अवसर पर उन्हें विनम्र अभिवादन।


June 25, 2017

'અતુલ્ય' ચાણક્ય

By Rushang Borisa


✨ 'અતુલ્ય' ચાણક્ય 

રાજનીતિ અને અર્થનીતિ વિષે જો નિબંધ લખવામાં આવે તો ચાણક્યનું નામ અચૂક લખાઈ જવાય.એવું કહેવામાં આવે છે કે ચાણક્ય એક મહાન રાજનીતિજ્ઞ હતા. તેઓ કુશળ પ્રબંધકની સાથે અર્થશાસ્ત્રી પણ હતા. પ્રાચીન ભારતમાં ચાણક્યની રાજનીતિ બેજોડ હતી.

ચાણક્ય આશરે ઈસ્વીસન પૂર્વે ૩જી સદીની આસપાસ થયા હશે તેવું માનવામાં આવે છે.તેમનું મુળનામ વિષ્ણુગુપ્ત હતું અને તેમને કૌટિલ્ય પણ કહેવામાં આવે છે.નંદવંશના શાસન દરમ્યાન રાજા ધનનંદે ચાણક્યનું અપમાન કરેલ હોય ચાણક્ય અપમાનનો બદલો લેવા નંદવંશ નો સફાયો કરે છે અને રાજા ધનનંદની હત્યા કરાવે છે. બાદમાં પોતાના વિશ્વાસુ અનાથ ચંદ્રગુપ્તને પાટલિપુત્રના રાજા બનાવે છે.આ સાથે ઇતિહાસમાં મૌયવંશની સ્થાપના થાય છે. ચાણક્ય પોતે સ્થાપેલ રાજ્ય ઉપર કોઈ આંચ ના આવે તેની વિશેષ તકેદારી રાખે છે.

આ તથ્યો ઉપર આજકાલ અતિશયોક્તિ ભરેલ પ્રચાર કરવામાં આવે છે. ચાણક્ય ને લઈને સાચા-ખોટા વિધાનો ટાંકી પ્રચાર કરાય છે. પ્રચાર-માધ્યમો બને તેટલું મીઠું-મરચું ઉમેરી ચાણક્યના ગુણગાન-મહિમા ગાતા રહે. અત્યારે આપણને જે જાણકારીઓ આપવામાં આવે છે તે આધુનિક લેખકોના અભિપ્રાય અને સંશોધનનું પરિણામ છે.
🔯ચાણક્યનો ઉલ્લેખ બૌદ્ધ સાહિત્ય, જૈન સાહિત્ય અને સંસ્કૃત નાટક "મુદ્રારાક્ષસ" માં જોવા મળે છે.

🔯 આશરે છઠ્ઠી સદીની આસપાસ રચાયેલ બૌદ્ધ ઇતિહાસિક ગ્રંથ "મહાવંશ" માં ચાણક્યનો સંદર્ભ જોવા મળે છે. મૂળ પાલી ભાષામાં લખેલ આ ગ્રંથમાં ચાણક્યને "ચાનક્કા" નામ અપાયેલ છે.જેમાં ચાનક્કા એક બ્રાહ્મણ હોય છે, જેને ધનનંદની હત્યા કરી મૌર્ય યુવાન "ચંદ્વગુટ્ટા" (ચંદ્રગુપ્ત) ને રાજા બનાવે છે. આથી વિશેષ કોઈ જાણકારી મહાવંશમાં જોવા મળતી નથી.

🔯 ૧૨ મી સદીમાં લખાયેલ હેમચંદ્રાચાર્ય રચિત "સ્થવિરાવલિ ચરિત્ર" માં ચાણક્યનો ઉલ્લેખ છે.મૂળ કથાની સમાનતા સાથે ઘણી વિસંગતતાઓ આ ગ્રંથમાં જોવા મળે છે. જેમ કે ચાણક્ય બ્રાહ્મણ નહીં, પણ જૈનપુત્ર હતા.ચાણક્યે ધનનંદની હત્યા કરવાને બદલે દેશનિકાલ કરાવ્યો. વળી, એવું કહેવાય છે કે નંદ રાજાએ ચાણક્યનું અપમાન કર્યું હતું , પણ અહીં ચાણક્ય પોતે પહેલા રાજાના આસાન ઉપર બેસી નંદનું અપમાન કરે છે.એક વિચિત્ર તથ્ય એ પણ છે કે પત્નીના મૃત્યુ બાદ ચંદ્રગૃપ્ત રાજપાટનો ત્યાગ કરી જૈન ભિક્ષુ બને છે. ચાહે નાની-મોટી અસંગતતાઓ જોવા મળે પણ આ ગ્રંથમાં ચાણક્યની ચતુરાઈભરી નીતિઓ સ્પષ્ટ છે.ઉપરાંત અહીં ચાણક્યના મૃત્યુના સંદર્ભો જોવા મળે છે જેનું બીજે ક્યાંય વર્ણન નથી. ચંદ્રગુપ્ત બાદ રાજા બનેલ બિન્દુસાર અને ચાણક્ય વચ્ચે મેળ પડતો ના હોય ,આખરે ચાણક્ય અન્ન-જળ નો ત્યાગ કરી મોતને ભેટે છે.

🔯 "મુદ્રારાક્ષસ" એ ચોથી સદી પછીનું વિશાખદત્ત રચિત ડ્રામાપ્લે (નાટક) છે.અહીં મુખ્ય બે પાત્રો ચાણક્ય અને રાક્ષસ છે. રાક્ષસ(તમે સમજો છો તે નહીં, નામ જ "રાક્ષસ" છે) નંદ વંશના મુખ્ય મંત્રી હતા.ચાણક્ય ધનનંદની હત્યા કરી મૌર્યને રાજા બનાવે છે; તેથી સ્તબ્ધ થયેલ રાક્ષસ બદલો લેવા ચંદ્રગુપ્તની હત્યા માટેના પ્રપંચો કરે છે. રાક્ષસ મલયકેતુ નામક રાજકુમારને પાટલિપુત્રના રાજા બનાવી પુનઃ મુખ્યમંત્રી બનવા ઈચ્છે છે. જયારે ચાણક્ય પોતે સ્થાપેલ રાજતંત્રને અડીખમ બનાવવા પ્રયાસો કરે છે.અહીં ચાણક્ય અને રાક્ષસ બંને રાજનીતિ-કુનિતીમાં ટક્કરનાં હરીફ જણાય છે. ચાણક્ય અને રાક્ષસ જાણે પ્રખર શતરંજબાજની જેમ સામ-સામી રમતો રમે છે.આખરે રાક્ષસના કેટલાક વિશ્વાસુ ગુપ્તચરો ફૂટી જતા તેઓ પછડાટ ખાય છે અને આત્મસમર્પણ કરવા ચંદ્રગુપ્ત પાસે જાય છે.ચંદ્રગુપ્ત રાક્ષસને મુખ્યપ્રધાન બનાવે છે અને નાટકનો સુખદ અંત આવે છે. જો તટસ્થ રીતે મૂલ્યાંકન કરીયે તો આ નાટકમાં મુખ્યપાત્ર રાક્ષસ જણાય છે(નામ પણ "મુદ્રારાક્ષસ" તો છે) જે નંદવંશના વિનાશ બાદ પોતાનું પદ પરત મેળવવા ચાલો ચલે છે; જયારે અંતમાં નાટકીય રીતે પોતાનું પદ પરત મળી પણ જાય છે.

જે ચાણક્યનું વર્ણન પ્રચાર-માધ્યમો કરે છે તેમાં જૈન સાહિત્યના તથ્યો વધુ જણાય છે. મુદ્રારાક્ષસ એક મર્યાદિત ભાગ સુધીની રચના હોય તેમાંથી ચાણક્ય અને તેની ચતુરાયથી વિશેષ કઈ મળી શકે તેમ નથી.

છતાં એક નોંધનીય બાબત એ રહી કે "ચાણક્ય નીતિ" નામક ગ્રંથનો જે રીતે પ્રચાર કરવામાં આવે છે તેનું કોઈ ઐતિહાસિક અસ્તિત્વ જ નથી. કોઈ પણ પ્રાચીન સાહિત્યમાં તેનો સ્વતંત્ર ઉલ્લેખ નથી. ના કોઈ લખાણનું પ્રમાણ.જો આપણે "ચાણક્ય નીતિ" ને પ્રાચીન ગ્રંથ માનતા હોઈએ તો મોટી ગેરસમજ છે. "ચાણક્ય નીતિ" એ વીસમી સદીમાં રચાયેલ 'બી.કે. ચતુર્વેદી' રચિત પુસ્તક છે.જેના સૂત્રોનું કોઈ પ્રાચીન પ્રમાણ નથી, માત્ર ચાણક્ય કથાથી પ્રભાવિત થઈ રચેલ સાહિત્ય છે.લેખક ચતુર્વેદીજી એ ચાણક્યના નામે સંબંધિત-અસંબંધિત-સાચું-ખોટું ચગાવી દીધું છે.આ સદી દરમ્યાન ચાણક્યનો જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો.

હમણાં "ચક્રવર્તી સમ્રાટ અશોક" નામની ટીવી સિરિયલ આવેલ. તેમાં જે બતાવવામાં આવ્યું તેમાં મુખ્યકથાનો સમાવેશ હતો પણ સમગ્રપણે તો તદ્દન અતિશયોક્તિ ભરેલ વાતો હતી. ચાણક્યનો પ્રભાવ માત્ર ચંદ્રગુપ્તના શાશન દરમ્યાન હતો. જયારે અહીં તો ચંદ્રગુપ્તના પૌત્ર સુધી સિરિયલ નિર્માતાઓ પહોંચી ગયા હતા!

નોંધ- તમામ ઐતિહાસિક સંદર્ભો ચાણક્યે સ્થાપેલ મૌર્યવંશના અંત બાદ અને ચાણક્યના અંદાજિત મૃત્યુકાળના ૬૦૦ વર્ષ બાદ આશરે ૪ થી સદી પછીના છે.જો કે તેમાં રહેલ વિસંગતતાઓ સાથે જોવા મળતી સમાનતાઓ "યથાર્થતા" તરફ નિર્દેશ કરે છે.

June 23, 2017

જો રામ અને કૃષ્ણ ઇતિહાસમાં ભણાવાય તો વીર મેઘ માયો કેમ નહી?

By Vijay Jadav
વીર મેઘ માયો કોઈ દંતકથા નથી. ઇતિહાસની ગર્તામાં ધરબી દેવામાં આવેલી સત્ય ઘટના છે.
૧૮૬૩માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે માયાના બલિદાનને પ્રમાણભૂત ઇતિહાસ તરીકે સ્વીકારીને ગ્રંથ તૈયાર કરાવેલો. એમ. એસ. યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં 'સતીનો શ્રાપ અને માયાનું બલિદાન' પ્રકરણ સામેલ થયું. આ પ્રકરણને કાઢી નાંખવા અવાર નવાર રજુઆતો થતી. છેલ્લે ૧૯૧૬મા સર મનુભાઈ નંદશંકર વડોદરાના દીવાન હતા ત્યારે યુનિવર્સિટીના કેટલાક અધિકારીઓએ આ પ્રકરણ કાઢી નાંખવા ફાઇલ તૈયાર કરેલી. પણ, ગુજરાતની પ્રથમ નવલ 'કરણઘેલો'ના લેખક નંદશંકરના પુત્ર મનુભાઇએ આ માગણી નકારી કાઢી હતી. આઝાદી પછી આ પ્રકરણ અભ્યાસક્રમમાંથી નીકળી ગયું.

ગુજરાતની તમામ યુનિવર્સિટીઓના ઇતિહાસના અભ્યાસક્રમમાં આ પ્રકરણ ફરી સામેલ કરવા આજે Raju Solanki ની આગેવાની માં અમદાવાદની કલેક્ટર ને આવેદન પત્ર આપ્યુ.

જેમાં તેમની સાથે હુ Vijay Jadav, Arun Patel, Pragnesh Leuva, Yogesh Gautam, Suresh Chauhan, Nishith Chavda, તથા સાથી મિત્રો
હાજર રહ્યા હતા.

ઇતિહાસ માં ધરબી દેવાયેલ તમામ સમાજ સુધારકો વિશે આપણે જાણવુ જરુરી છે.
દરેક મિત્રોને વિનંતિ કે પોતાના વિસ્તારના કલેક્ટર શ્રી ને આ મુજબ નુ આવેદન પત્ર આપે.








Facebook Post :-