June 23, 2017

જો રામ અને કૃષ્ણ ઇતિહાસમાં ભણાવાય તો વીર મેઘ માયો કેમ નહી?

By Vijay Jadav
વીર મેઘ માયો કોઈ દંતકથા નથી. ઇતિહાસની ગર્તામાં ધરબી દેવામાં આવેલી સત્ય ઘટના છે.
૧૮૬૩માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે માયાના બલિદાનને પ્રમાણભૂત ઇતિહાસ તરીકે સ્વીકારીને ગ્રંથ તૈયાર કરાવેલો. એમ. એસ. યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં 'સતીનો શ્રાપ અને માયાનું બલિદાન' પ્રકરણ સામેલ થયું. આ પ્રકરણને કાઢી નાંખવા અવાર નવાર રજુઆતો થતી. છેલ્લે ૧૯૧૬મા સર મનુભાઈ નંદશંકર વડોદરાના દીવાન હતા ત્યારે યુનિવર્સિટીના કેટલાક અધિકારીઓએ આ પ્રકરણ કાઢી નાંખવા ફાઇલ તૈયાર કરેલી. પણ, ગુજરાતની પ્રથમ નવલ 'કરણઘેલો'ના લેખક નંદશંકરના પુત્ર મનુભાઇએ આ માગણી નકારી કાઢી હતી. આઝાદી પછી આ પ્રકરણ અભ્યાસક્રમમાંથી નીકળી ગયું.

ગુજરાતની તમામ યુનિવર્સિટીઓના ઇતિહાસના અભ્યાસક્રમમાં આ પ્રકરણ ફરી સામેલ કરવા આજે Raju Solanki ની આગેવાની માં અમદાવાદની કલેક્ટર ને આવેદન પત્ર આપ્યુ.

જેમાં તેમની સાથે હુ Vijay Jadav, Arun Patel, Pragnesh Leuva, Yogesh Gautam, Suresh Chauhan, Nishith Chavda, તથા સાથી મિત્રો
હાજર રહ્યા હતા.

ઇતિહાસ માં ધરબી દેવાયેલ તમામ સમાજ સુધારકો વિશે આપણે જાણવુ જરુરી છે.
દરેક મિત્રોને વિનંતિ કે પોતાના વિસ્તારના કલેક્ટર શ્રી ને આ મુજબ નુ આવેદન પત્ર આપે.








Facebook Post :-

No comments:

Post a Comment