July 18, 2017

बहन मायावती का इस्तीफा : देश मे अघोषीत आपातकाल

By News Desk


राज्यसभा में बहन मायावती ने मंगलवार (18 July,2017) को सहारनपुर हिंसा का मुद्दा उठाया. उन्होंने सहारनपुर की पुरी घटना को केंद्र की साजिश बताया. और दलितो के साथ हो रहे भेदभाव के मुद्दे को संसद मे उठाना चाहा. पर दलित और पीछडा विरोधी बहरी सरकार को इस से कोइ फर्क नही पडता था. सहारनपुर जैसी संवेदनशील घटना पर भी सरकार का ये रुख बेहद नीराशाजनक है.

अभी वह अपनी बात रख ही रही थीं कि उपसभापति पी जे कुरियन ने घंटी बजाकर उन्हें बात जल्दी खत्म करने का इशारा दिया. इस पर मायावती नाराज हो गईं. उन्होंने कहा कि उन्हें बोलने से क्यों रोका जा रहा है??? और बाद मे उपसभापति और बहन मायावती की बहस हो गई. बाद मे मायावती जी ने कहा कि अगर उन्हें बोलने से रोका जाएगा तो वह राज्यसभा से इस्तीफा दे देंगी.

इसके बाद राज्यसभा विपक्ष के द्वारा सरकार पर दलित-विरोधी होने के नारे लगने शुरू हो गए. कांग्रेस नेता गुलाम नबी आजाद ने कहा, 'अगर सरकार को बहुमत दलितों, किसानों और अल्पसंख्यकों की लिंचिंग के लिए मिला है तो हम इस सरकार के साथ नहीं. दलित, किसान और अल्पसंख्यकों की लिंचिंग हो रही है.' 

हंगामे के बीच बहन मायावती गुस्से में सदन से उठकर बाहर चल दीं. विपक्ष के नेताओं ने भी उनका समर्थन करते हुए सदन से वॉकआउट कर दिया.

सदन के बाहर मीडिया से बीतचीत में मायावती ने कहा कि वह राज्यसभा में समाज के कमजोर वर्ग के बारे में बात करना चाहती थीं, लेकिन उन्हें ऐसा करने से रोका जा रहा है. बाद मे उन्होंने कहा, 'लानत है...अगर मैं अपने समाज की बात सदन में नहीं रख सकती तो मुझे सदन में रहने का अधिकार नहीं है. यही वजह है कि मैंने राज्यसभा से इस्तीफा देना का फैसला किया है. मेरी बात नहीं सुनी जा रही है...मुझे बोलने नहीं दिया जा रहा है.'

मायावती ने कहा कि दलितों और छोटे तबकों के लोगों पर लगातार अत्याचार हो रहा है. सहारनपुर में दलितों का बड़े पैमाने पर उत्पीड़न हुआ. गुजरात के ऊना में दलितों पर अत्याचार हुआ.  मुझे शब्बीरपुर में हेलीकॉप्टर से जाने की इजाजत नहीं दी गई. सड़क के रास्ते जाना पड़ा. जब मैं गांव पहुंची तो डीएम और एसपी गायब थे. मैंने वहां कोई ऐसी बात नहीं कही जिससे समुदायों के बीच लड़ाई हो जाए. यूपी में अभी भी महाजंगलराज और महागुंडाराज है. हमें पीड़ितों की मदद के लिए भी प्रशासन से अनुमति लेनी पड़ी.

उना मामले मे जीस तरह बहन मायावती के द्वारा मुद्दा उठाये जाने पर सरकार को राष्ट्रीय और आंतरराष्ट्रीय स्तर पर जीस तरह नालेशी का सामना करना पडा वह देख कर बौखलाये हुए सत्ता पक्ष ने उन की आवाज को दबाने का ये ही रास्ता चुना. 

भारतीय लोकतंत्र का काला अध्याय है ये.

पढीये बहन मायावती का दीया हुआ इस्तीफा ः-






Watch how the Democracy is Dying :-

નામ મા કંઈ નથી, અસલી ચીઝ સરનેમ છે.





હવે સમય બદલાઈ ગયો છે. પહેલા જેવું નથી. હવે કોઈ આભડછેટ રાખતુ નથી. જાતિવાદ ઓછો થયો છે.... કે પછી અનામતના કારણે જાતિવાદ વધી રહ્યો છે... એવું કહેતા ઉજળીયાત મિત્રોને એક વણમાંગી સલાહ.....
જે પણ મિત્રોને એવું લાગતુ હોય કે હવે સમાજમાં આભડછેટ નથી.
એ મિત્રો પોતાની બ્રાહ્મણ ઓળખધારી ત્રિવેદી, વ્યાસ, ચતુઁવેદી, પંડ્યા વગેરે.
વૈશ્ય ઓળખવાળી વાણીયા, શાહ, જૈન.
ક્ષત્રિય ઓળખવાળી રાજપુત, ચૌહાણ, દરબાર તેમજ
પાટીદાર ઓળખવાળી પટેલ
જેવી સરનેમ ફગાવી દઈ અનુસુચિત જનજાતીની અટકો જેવી કે રોહીત, વણકર, પરમાર, સોલંકી ભંગી અપનાવી માત્ર એક બે વરસ માકેઁટમાં ફરી લે...
જ્યારે પોતાના ગામમાં જ વડીલ હોવા છતાં તમને તુંકારે બોલાવવામાં આવશે....
તમારે ગામના સહિયારા કુવાને બદલે દુર અવાવરૂ કુવામાંથી કે તળાવની આસપાસ વેરડા ગાળી પાણી ભરવા જવું પડશે.....
તમારી પોતાની જમીન હોવા છતાં તમને કોઈ ખેતી નહી કરવા દે.....
આખા ગામની ગંદકી સાફ કરવાની ફરજ પાડવામાં આવશે....
ગામની ચાહની દુકાને અલગ મુકવામાં આવેલ તુટેલ કપ રકાબીમાં ચાહ પીવાની ફરજ પડશે....
ગામનો નાઈ પણ હજામત કરવાની મનાઈ કરી દેશે....
ગામનો બ્રાહ્મણ તમારી ધામિઁક વિધીઓ કરવાની ના પાડી દેશે....
તમને ગામનાં સ્મશાનમાં પણ દફન થવાની છુટ નહી મળે
આવું બધું જ્યારે એક અનુસુચિત જાતિના માણસ બની અનુભવ કરશો એટલે તમને આપોઆપ સમજાઈ જશે... કે સમય કેટલો બદલાયો છે...
જિગર શ્યામલનનાં જયભીમ...................

એઇડ્સ છે તો શું થયું, ભણવું તો પડશે જ

By Raju Solanki




લોરન્સ અને મેરી અમદાવાદમાં એઇડ્સના દર્દીઓને મદદ કરતી સંસ્થા ‘આધાર’ ચલાવતા હતા. લોરન્સ પોતે એઇડ્સનો ભોગ બન્યા હતા. એમની સંસ્થાની કામગીરી વિષે મેં જાણ્યું ત્યારે મને સૌથી પહેલું કૂતુહલ એ વાતનું થયું કે એઇડ્સનો ભોગ બનેલા બાળકો કેવી રીતે ભણતા હશે? સમાજ આ રોગને કલંકિત ગણે છે, શા માટે કલંકિત ગણે છે, સમાજ પોતે કેટલો કલંકિત છે એની જેને રજમાત્ર ખબર નથી એવા માસૂમ બાળકો આવા ભયાનક રોગનો સામનો કઈ રીતે કરતા હશે? ડર અને નિરાશાનો ભોગ બનેલા એમના માતા-પિતા આવા દર્દી બાળકને ભણવા માટે કઈ રીતે પ્રેરી શકતા હશે? આવા જાતજાતના પ્રશ્નો મને થયા હતા અને એટલે આધાર સંસ્થા પાસેથી આવા બાળકોની યાદી અને તેમના વાલીઓ ફોન નંબરો મેળવીને અમે તેમની પૂછપરછ આદરી હતી. એમાં વટવાના સલીમ અંસારી અને તેના નાના વકાર ચાચાનો સૌ પ્રથમ ભેટો થયો હતો.

ત્યારે 2014માં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ‘સેન્ટર ઑફ એક્સેલન્સ ફોર કેર, સપોર્ટ એન્ડ ટ્રીટમેન્ટ’ વિભાગમાં સલીમની સારવાર ચાલતી હતી. વકારચાચાએ જણાવેલું કે સલીમને વારસામાં આ જીવલેણ રોગ મળ્યો હતો. સલીમની માતા માંડ સોળ વર્ષની હતી, ત્યારે લોહીની ઉણપને કારણે તેને લોહી ચડાવવામાં આવેલું અને તેમાં તેને એચઆઈવીનો ચેપ લાગી ગયો હતો. લગ્ન પછી તે વારંવાર માંદી પડતી હતી. તપાસ કરતા જણાયું કે તે એચઆઈવી પોઝિટિવ છે. સલીમના પિતા નાનપણમાં જ તેને છોડીને જતા રહ્યા અને ત્રણ વર્ષની ઉંમરે માતાનું પણ મૃત્યુ થયું ત્યારથી વકારચાચા સલીમને ઉછેરી રહ્યા હતા.

સિવિલના એઆરટી સેન્ટરમાં તેઓ સપ્તાહમાં એકવાર દવા લેવા આવતા. વટવાથી સિવિલ શટલ રિક્ષામાં અને બસમાં મુસાફરી થતી. એઆરટી સેન્ટરમાં દર્દી અને તેના સગાને આવવા-જવાનુ ભાડુ મળે, પરંતુ તેમણે ટિકિટો જમા કરાવવી પડે અને તેમના બેન્ક એકાઉન્ટમાં રૂ. 15 જમા થાય. શટલ રિક્ષાનું ભાડુ રીએમ્બર્સ થાય નહીં.

2014માં સલીમ એક ખાનગી શાળામાં દસમા ધોરણમાં ભણતો હતો. અત્યાર સુધી તો ચાચાએ સીલાઈ કામ કરીને પેટે પાટા બાંધીને સલીમને ભણાવ્યો હતો. પરંતુ આર્થિક ભીંસ વધતી જતી હતી. સલીમ ભણવામાં હોંશિયાર હતો અને તેને આગળ ભણાવવાની પણ ચાચાની તીવ્ર ઇચ્છા હતી. શાળામાં સલીમની ફી માફી થઈ જાય તો બહુ સારું એવી લાગણી ચાચાએ મારી સમક્ષ વ્યક્ત કરી હતી. આરટીઈ એક્ટમાં એઇડ્સ-ગ્રસ્ત બાળકોને 25 ટકા ક્વોટામાં ફી માફી છે, પરંતુ દસમા ધોરણમાં આ લાભ આપવા મેં અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર પાઠવીને સલીમને ફી માફી આપવા શાળાને આદેશવા અનુરોધ કર્યો હતો. માત્ર પંદર દિવસમાં જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાને પત્ર પાઠવીને ફી માફીને આદેશ કર્યો અને સલીમને અગાઉ ભરેલી ફી પણ પાછી આપી દીધી હતી.

સલીમ અંસારી આરટીઈ એક્ટ હેઠળ ખાનગી શાળામાં ફી માફી મેળવનારો એચઆઈવી-ગ્રસ્ત પહેલો દર્દી બાળક બન્યો. આરટીઈ એક્ટના અમલ માટેની અમારી ઝુંબેશની પણ અહીંથી શરૂઆત થઈ હતી. ગઈ કાલે વટવા ગયો હતો, બે કલાક રઝળપાટ કરી, પણ સલીમ અને વકારચાચા મને મળ્યા નહીં. કદાચ એમણે ઘર બદલ્યું હશે. સલીમ જ્યાં પણ હોય ત્યાં જિંદગીનો સંઘર્ષ કરતો હશે.
મારી દુઆ સલીમને.
એના જેવા હજારો બાળકોને.

બાબા સાહેબના આજિવન સંઘર્ષ અને લડતનું પરિણામ






આજે આપણી પાસે શિક્ષણ છે, સામાજિક સમ્માન છે, નોકરી છે, વ્યવસાય છે અને મહત્વની વાત આઝાદી છે.
મોંધા સુટ-બુટ, આલિશાન મકાન, કિંમતી ગાડી અને દર મહિને કોઈ પણ જાતનું લક્ષ્મી પુજન કર્યા વગર જ ખાતામાં જમા થઈ જતો પગાર...
આ બધુય બાબા સાહેબના આજિવન સંઘર્ષ અને લડતનું પરિણામ છે.
કરોડો પછાતો પોતાના પરિવાર સાથે સુખ ચૈનથી જીવી શકે તે માટે બાબા સાહેબ પોતે તેમના પરિવાર સાથે દારૂણ ગરીબી વચ્ચે જીવ્યા પણ પછાતો માટે આદરેલ સંઘર્ષ ને ઘડી પણ રોકાવા ન દીધો. બાબા સાહેબે ધાર્યું હોત અને પોતાના એકલા નો વિચાર કયોઁ હોત તો તેમના પરિવાર સાથે વૈભવી જીવન ગુજારી શક્યા હોત.. પણ બાબા સાહેબે પોતાની જાત તથા પરિવારને પછાતોના ઉધ્ધાર માટે હોડમાં મુકી દીધા.
જે મિત્રો ખરેખર બાબા સાહેબના સંઘર્ષ થી અજાણ છીએ તો આપણાંથી મોટો મુરખ બીજો કોઈ નથી પરંતુ બાબા સાહેબના સંઘર્ષ થી વાકેફ હોવા છતાં જાણી જોઈ તેનાથી અજાણ બનવા માંગીએ તો આપણાથી મોટો કોઈ ગદ્દાર નથી.
ઘણાં પછાત મિત્રો જાહેરમાં હાથ જોડી જય માતાજી, જયશ્રી કૃષ્ણ, જય સ્વામી નારાયણ, જય યોગેશ્વર, જય સચ્ચિદાનંદ, જય માડી, રાધાસ્વામી, ઓમ શાંતિ એવું બધુ કહેતા ગૌરવ અનુભવે છે... પરંતું એ જ લોકોને જાહેરમાં ઓળખ છતી થઈ જવાના ડરથી જયભીમ બોલવામાં કે બાબા સાહેબનું નામ લેવામાં શરમ અનુભવે છે..આવા લોકોએ ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવું જોઈયે..
જે મંદિરોમાં તમારા પૂર્વજો ને ધક્કા મારી બહાર કાઢી મુકવામાં આવતા હતા.. આજે પણ કેટલીય જગ્યાએ મંદિરોમાં પેસવા નથી દેતા એ મંદિરોમાં જવામાં આજે જો તમને શરમ ન આવતી હોય અને જાહેરમાં જયભીમ બોલવામાં કે બાબા સાહેબનું નામ લેવાની શરમ આવતી હોય તો એવા મિત્રોએ હાલથી જ તાળીઓ પાડવાની પ્રેક્ટિસ શરુ કરી દેવી જોઈયે જેથી કમસેકમ ઈમાનદારીથી તાબોટા તો પાડી શકાય....
જિગર શ્યામલનનાં ગૌરવપૂર્ણ જયભીમ.......