March 30, 2020

ઑફિશ્યલ આંકડા જેના માટે લોકડાઉન ની કોઈ વ્યવસ્થા નથી

By Vijay Makwana  || 28 March 2020


તમને ડર નથી લાગતો તેવા આંકડા.. આ આંકડા ઑફિશ્યલ છે.

દુનિયામાં માત્ર ભૂખ ના કારણે રોજ 9000 લોકો મૃત્યુ પામે છે.

દુનિયામાં અશુદ્ધ પાણી પીવાથી થતાં રોગોના કારણે ચાલુ વર્ષમાં 2,00,000 લોકો મૃત્યુ પામ્યા.

દુનિયામાં સિઝનલ ફ્લૂ ના કારણે ચાલુ વર્ષમાં 110000 લોકોના મૃત્યુ થયા.

દુનિયામાં ચાલુ વર્ષ દરમિયાન પ્રસૂતિ માં 73000 મતાઓનું મૃત્યુ થયું.

દુનિયામાં ચાલુ વર્ષ માં જ 18,00000 કુપોષિત બાળકો પોતાના જીવનના 5 વર્ષ પૂરા ન કરી શક્યા..

દુનિયામાં ચાલુ વર્ષમાં 4,00000 લોકો માત્ર એઇડ્સ થી મૃત્યુ પામ્યા.

દુનિયામાં ચાલુ વર્ષમાં 240000 લોકો મેલેરિયા થી જીવ ગુમાવ્યો.

દુનિયામાં ચાલુ વર્ષે કેન્સર ના રોગે 1900000 લોકોનો ભોગ લીધો..

દુનિયા એ ચાલુ વર્ષમાં ધૂમ્રપાન ના કારણે 1100000 લોકો મરણ ગયા.

અને દારૂના કારણે 500000 લોકો મરણ શરણ થયા.

અને ચાલુ વર્ષે માતાના ગર્ભમાં જ મૃત્યુ પામનારા બાળકોની સંખ્યા 10 કરોડ છે.

અને મિત્રો આપણે જુદા જુદા કારણો અને વાતાવરણ પેદા કરી લોકોને એટલા મજબૂર અને પરેશાન કરીએ છીએ કે દુનિયામાં ચાલુ વર્ષે 2,56000 લોકોએ આત્મહત્યા કરી લીધી છે..

ખરેખર તો વર્તમાન મહામારી કોરોના કરતા આ મૃત્યુ આંક ઘણામોટા છે પણ તે માટે લોકડાઉન ની કોઈ વ્યવસ્થા નથી..

- વિજય મકવાણા

જાતિવાદીઓની સોય વારંવાર દલિત સંગઠનો પર જ કેમ અટકી જાય છે?

By Vijay Makwana  || 29 March 2020


સવર્ણ જાતિવાદી લોકો એ સર્વે કરી તપાસી ચકાસી રહ્યાં છે કે, દલિતો ના સંગઠન બસપા, બામસેફ, ભીમ આર્મી, સ્વયમ સૈનિક દળ વિગેરે આ કોરોના આપદા માં લોકો ને મદદ કરે છે કે નહિ?

મારો વળતો સવાલ દલિતોને છે.. અલ્યા તમે આ જાતિવાદી સવર્ણ દાતાઓ પર જીવન ટકાવી રહ્યાં છો? આ સર્વે કરવાવાળા જાતિવાદી માંથી કોઈ પાંચ શેર બાજરી તમારા ઘેર નાખી ગયું છે?

ભાઈ જાતિવાદી સવર્ણ! અમારી સંસ્થાઓ અમારા માટે જ કામ કરશે.. બામસેફ એ નોકરિયાત લોકોનું સંગઠન છે. તું સર્વે કર એ પહેલાં પોતાનો એક પગાર એ લોકો દાન કરી ચૂક્યા છે. હવે બીજો પગાર પણ આપશે..બસપા ની દરેક જિલ્લા ની વ્યવસ્થાપન કમિટી 21 માર્ચથી ગરીબ દલિતોના સંપર્કમાં જ છે. ભીમ આર્મી ના યુવાનો છેલ્લા એક સપ્તાહથી રાશન ફૂડ પેકેટ વહેંચી જ રહ્યાં છે. અમે માત્ર આવી આપદા સમયે જ તમારી જેમ બિલાડીના ટોપ જેમ ફૂટી નથી નીકળતા આ કામ ટેમ્પરરી નથી કરતા.. આખા વર્ષમાં માત્ર મારા જિલ્લામાં જ અમારું ઉપરની તમામ સંસ્થાઓનું નોકરિયાતો ઉદ્યોગ સાહસિકો નું 1600 લોકોનું એક સંગઠન છે જે મહિને પ્રત્યેક વ્યક્તિ 600 રૂપિયા લોક ફાળો આપી.. શિક્ષા અને રોજગાર અને કુદરતી આપદા સંગઠન ચલાવીએ છીએ. તારે ભલા માણસ સર્વે જ કરવો હોય તો એ સર્વે કર કે તું જે સવર્ણ ટ્રસ્ટ કે સંસ્થા માં કામ કરે છે.. તે વર્ષે કેટલા કરોડ બ્લેક મની વ્હાઇટ કરવા કર રાહત નો ગેરલાભ ઉઠાવે છે? કેટલા સવર્ણ અમીરો ની આ રીતે ધોળી કે કાળી આર્થિક સેવા કરે છે? ફાલતુ માં દલિતો પાછળ આટલો સમય શા માટે બરબાદ કરે છે..? 21 દિવસ મળ્યા છે મોજ થી તકિયા પર આરામ કર દલિતો પોતાનું કરી લેશે.. એમની ચિંતા ન કર..એ અમે કરી લઈશું!

- વિજય મકવાણા