Showing posts with label Rakesh priyadarshi. Show all posts
Showing posts with label Rakesh priyadarshi. Show all posts

September 03, 2017

અર્ધ જાગૃત લોકોને અર્પણ

From The Book By Rakesh Priyadarshi



છેલ્લા ઘણા સમયથી તમામ પ્રકારનાના મીડિયાનું ઓબ્ઝર્વેશન કરતા એવું લાગી રહ્યું છે કે આ દેશનું મીડિયા યુવાનો તથા બાળકોને માનસિક ગુલામ બનાવી રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે.

વધારે ના લખતા ટૂંકમાં કહીએ અને સીધી મુદ્દાની વાત કરીએ તો આપણા સૌનો સમય બચી જશે

રોજ સવારે કોઈ પણ ટી. વી. માં કોઈ પણ ચૅનલ ચાલુ કરીને જોશો તો ખબર પડશે કે લોકોને માનસિક ગુલામ બનાવી રાખવાનું ષડયંત્ર કેટલું પૂર જોશ માં ચાલી રહ્યું છે.

કોઈ પણ ચૅનલ બદલો એકજ વાત અને એકજ વિચાર, બે કોડીના ઢોંગી અભણ બાવાઓનું ભાષણ ચાલતું હોય અને આવા બાવાઓના ભાષણ સાંભળીને લોકો કોઈ પણ જાતનું તર્ક કે વિતર્ક કર્યા વગર પોતાના દિવસની શરૂઆત કરશે, પછી ક્યાંથી દેશ નું ભલું થાય ?

જે લોકો અભણ બાવાનું ભાષણ સાંભળીને પોતાના દિવસની શરૂઆત કરે  અને સુતા પહેલા પણ આવા ઢોંગી ને યાદ કરે, જે બાવાઓ આજ્ઞાની હોય, વ્યસની હોય, વ્યભિચારી હોય અને પદ-પ્રતિસ્થા અને પૈસાના સ્વાર્થી હોય એ લોકો પાસેથી  શું  અપેક્ષા  રાખી  શકાય ?

આવા બાવાઓનું શું યોગદાન છે દેશના વિકાસ માં ?
આવા લોકોએ અત્યાર સુધી દેશ કે લોકો માટે કઈ વસ્તુ ની શોધ કે સંશોધન કર્યું છે ?

માત્ર ને માત્ર અંધ-શ્રદ્ધા વધારવાનુંજ માત્ર કામ કરતા આવ્યા છે આવા લોકો અને મીડિયા વાળા આવા લોકોના લાઈવ શો ટી.વી માં બતાવી અંધશ્રદ્ધામાં વધારો કરે છે અને આવા લોકોને પ્રસિદ્ધિ અપાવે છે.

આપડે ક્યારેય વિચાર્યું છે કે આપડે કઈ વસ્તુ ની શોધ કરી ?
ગૂગલમાં સર્ચ કરીને જોજો !!!

દુનિયા ની અંદર કેટલાય એવા દેશો છે જે અમદાવાદ અને ગુજરાત કરતા પણ નાના છે , છતાં  પણ એ લોકો શોધ અને સંશોધન ની દ્રટીએ આપડા કરતા પણ આગળ છે. એ યાદ રાખજો કે દુનિયામાં technology એ બૌદ્ધ રાષ્ટ્રો ની દેન છે, (ચીન, જાપાન વગેરે)

મોટર, વિમાન, ટ્રેન કે સ્ટીમર જેવી મોટી વસ્તુઓતો દૂરની વાત પણ આપણી આસપાસ અને રોજિંદા  વપરાશ માં આવતી વસ્તુઓ પ્રતે પણ આપડે ક્યારેય વિચાર્યું છે કે આ બધી વસ્તુઓની  શોધ કોણે અને કયા દેશે કરી હશે ? દા. ત. નોટ, પેન, મોબાઇલ, ચાર્જર, ટેલિવિઝન, પંખો, બાઈક, લાઈટ, વગેરે. જો બધી વસ્તુઓ લખવા જઈશ તો આખી નોટ ભરાઈ જશે.

માટે મિત્રો કોઈ પણ વસ્તુ જોતા અને અને વપરાશ કરતા પહેલા તર્ક કરો અને કૉમન સેન્સનો ઉપયોગ કરો. નહીતો ઘેટાં-બકરા (જાનવર) અને આપડા માં શું ફર્ક ?

મારો અનુભવ છે ત્યાં સુધી આપડા દેશ માં દર 2 વર્ષે નવો બાવો કે ઢોંગી ધુતારાની શોધ થાય છે અને દર 5 વર્ષે નવી માતા(દેવી) ની શોધ થાય છે

માટે દેશના ભવિષ્ય એવા હે યુવાનો માનસિક ગુલામી માંથી બહાર આવો અને દરેક વસ્તુ ને તર્ક અને બુદ્ધિ ની એરણ ઉપર માપો અને સાચી લાગે તોજ એને માનો.

આ વાંચીને જો થોડા ઘણા લોકોમાં પણ સુધારો અથવા ફર્ક આવશે તો પણ ઘણું છે.

લેખ : પુસ્તક (રાકેશ પ્રિયદર્શી લિખિત) " અપના દિપક સ્વયં બને"

July 30, 2017

ડૉ બાબાસાહેબ આંબેડકરનાં અંતિમ દિવસો.. - રાકેશ પ્રિયદર્શી

સન ૧૯૫૨ માં રાજ્યસભાના સભ્ય તરીકે ચુંટાયા બાદ ડૉ.બાબાસાહેબ આંબેડકર ૨૬,અલીપોર રોડ દિલ્હી ખાતેના નિવાસ સ્થાને રહેતા હતા. તેમણે અહીજ 5 ડિસેમ્બર 1956ની મધરાતે અંતિમ શ્વાસ લીધા હતા.

18 માર્ચ 1956 આગરા માં પોતાના સમાજના લોકોને ધ્યાનમાં રાખીને બાબાસાહેબે રડતી આંખે કહ્યું હતું કે મારા સમાજના ભણેલા-ગણેલા લોકોએ મને દગો દીધો છે, મારી સાથે ગદ્દારી કરી છે, મને એમ કે મારા સમાજના લોકો ભણી-ગણી સરકારી નોકરીઓ કરશે અને પોતાની આવકનો અમુક હિસ્સો સમાજના ઉત્થાન માટે તથા સમાજના છેવાડાના માણસને આગળ લાવામાં વાપરશે, પણ અફસોસ મારા સમાજના ભણેલા-ગણેલા લોકોએ મને દગો દીધો છે.

બહુજનોના કલ્યાણ માટે જન્મ લેનાર મહામાનવ તા:-૧૪/૪/૧૮૯૧ થી મુત્યુ તા:-૬/૧૨/૧૯૫૬ ની વચ્ચે ૬૫ વર્ષનાં આયખામાં ક્ષણે-ક્ષણ સઘર્ષ કરનાર મહામાનવ, વિશ્વ વિભૂતિ, ભારતરત્ન ડૉ.બાબાસાહેબનાં જીવનના  છેલ્લા દિવસોની કલ્પના કરતાજ આંખમાંથી આંસુ નીકળી જાય છે.

તા:-૧૪/૧૦/૧૯૫૬ નાં રોજ અંદાજે 8 લાખ બહુજનો સાથે બૌદ્ધ ધમ્મમાં દીક્ષા લીધા બાદ ડૉ.બાબાસાહેબ આંબેડકર ૧ માસ ૨૨ દિવસ જ જીવેલા. આ 52 દિવસના ગાળામાં તેમનું શરીર સાથ નહોતું આપતું છતાં પણ તેઓ લોકોને બૌદ્ધ ધમ્મની દિક્ષા અપાવામાં વ્યસ્ત રહેતા હતા.

તા:-૩/૧૨/૧૯૫૬ નાં રોજ તેમના લખેલા છેલ્લા પુસ્તક બુધ્ધ અને તેમનો ધમ્મનું છેલ્લું પ્રકરણ પૂરું કરી ટાઈપમાં આપ્યું અને રાજય સભાના સભ્ય તરીકે રાજય સભામાં તા:-૪/૧૨/૧૯૫૬ નાં રોજ છેલ્લી હાજરી આપેલી.

6 ડિસેમ્બરે સવારે તેમના સેવક રત્તૂએ સાહેબને જગાડવા ખુબજ પ્રયત્ન કરેલ પણ સાહેબ ક્યાંથી ઉઠે. આખા સમાજની જવાબદારી પોતાના ખભે લઇ 24 કલ્લાક માંથી 20-20 કલ્લાક કામ કરનાર માણસને પણ થાક લાગે કે નહિ ?


તા:-૬/૧૨/૫૬ નાં રોજ બહુજનોના મસીહા તારણહાર એક જ આયખામાં અનેક જીવન જીવનાર અનંતની યાત્રાએ રવાના થઇ ગયા.

ખાસ પ્લેન મારફતે સવિતા આંબેડકર અને રતું બાબાસાહેબના પાર્થિવ દેહને દિલ્લીથી લઇ મુબઈ રવાના થયા. લાખો લોકો મુંબઇ એરપોર્ટ પર બાબાસાહેબના પાર્થિવ દેહની રાહ જોઈએ બેઠેલા.  બીજા દિવસે ૭/૧૨/૧૯૫૬ ના રોજ નીકળેલી સ્મશાન યાત્રામાં અંદાજે 20 લાખથી પણ વધારે લોકો જોડાયેલ, બાબાસાહેબના ચહેરાના છેલ્લા દર્શન કરવા આખા દેશ માંથી લોકો મુંબઇ આવેલા. જેને જે સાધન મળ્યું, કોઈ બસમાં તો કોઈ ટ્રેનમાં બધા વાહનો ખીચો-ખીચ. મુંબઈના રોડ રસ્તામાં માનવ મહેરામણ, જ્યાં જોવો ત્યાં ટ્રાફિક અને ભીડ, પણ એ ભીડની વચ્ચે એક સન્નાટો હતો, બાબાસાહેબના ના હોવાનો.

બીજી બાજુ જે લોકો પોત-પોતાના ઘરે હતા એ લોકો પણ વ્યથિત અને દુઃખી હતા, બધા અંદરો-અંદર પોતાના આંશુને રોકવાનો પ્રયત્ન કરતા હતા, બાબાસાહેબ હવે નથી રહ્યા એ સમાચાર સાંભળીને ઘણા લોકોના ઘરના ચૂલા ઓલવાઈ ગયા.

કેમ કે એ બધાને ખબર હતી કે જેમણે અમને પશુ માંથી માણસ બનાવ્યા એ બાબાસાહેબ આ ધરતી ઉપર ફરી પેદા થશે કે કેમ ?

 7 ડિસેમ્બરે બાબાસાહેબની અંતિમયાત્રા આખા મુંબઈમાં ફરી, અને એ અંતિમ યાત્રામાં શરૂઆતથી અંત સુધી એવી કોઈ આંખ નહિ હોય કે આંખમાં આંશુ ના હોય, દાદરનો અરબી સમુદ્ર પણ જાણે પોતાનો કિનારો છોડીને બહાર આવવા માંગતો હતો સાહેબના છેલ્લા દર્શન કરવા.

કેમ કે સાહેબ હવે નથી રહ્યા...

બૌદ્ધ વિધિ પ્રમાણે સાંજે જયારે અંતિમ ક્રિયા અને વિધિ પુરી થઇ ત્યારે લાખો લોકો બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. અને 10 લાખથી પણ વધારે લોકો બાબાસાહેબના પાર્થિવ દેહને સાક્ષી માની બૌદ્ધ બનેલા.

બાબાસાહેબને અણસાર આવી ગયો હશે એટલેજ કદાચ એમણે આ ફાની દુનિયામાં વધારે ના રહેવાનું પસંદ કર્યું હોઈ શકે. કારણકે એ વધારે જીવ્યા હોત તો આ સમાજે જ એમને બદનામ કરી દીધા હોત.

સુરજ અને ચાંદ રહે કે નાં રહે પણ બાબાસાહેબની ક્રાંતી અને તેમનું નામ ચોક્કસ રહેશે.

હું આજે પણ નવરાશની પળોમાં દાદરમાં બાબાસાહેબની સમાધી પાસે બેસીને અરબી સમુદ્રના ઉછળતા મોજાને જોઈ સાહેબનો આભાર માનવાનું નથી ચુકતો, કે જેમના થકી હું અને મારો સમાજ ઉજળો છે. સાહેબ તમે નથી પણ ભારતીય સંવિધાનમાં તમે  અમારા માટે કાયમ જીવતા છો અને રહેશો. સાહેબ તમે અમર છો અને અમર રહેશો.

હવે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો કે બાબાસાહેબે તો આપણને ઘણું બધું આપ્યું, સામે આપણે બાબાસાહેબને શું આપ્યું ?

-- રાકેશ પ્રિયદર્શી