May 08, 2017

સંગઠન, વિઘટન - કારણો અને ઉપાયો - દિનેશ મકવાણા


શિક્ષણથી જાગૃતિ આવી શકે છે પણ હકીકત એ છે કે શિક્ષિત જ સૌથી વધુ જાગૃતિથી દુર છે. તો શિક્ષિત થવાના પ્રયત્ન નહી કરવાના? જે સંગઠનો શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા છે તેઓ ખોટા છે? ના બિલકુલ નહી. દરેક સમયે સમયે સાચા છે. દરેકની પોતાની જરુરિયાત અને મહત્તા છે. તો પછી જાગૃત થવા અને કરવા શુ કરવું જોઇએ. કેમ ના થઇ શક્યા? કેટલાક કારણો અને તેના ઉપાયો. બીજા અનુભવી મિત્રો તેમાં ઉમેરી શકે કે જરુર ના હોય તેને રીમુવ કરી શકે.

૧. જે સંગઠનો, યુનિયનો કે મંડળો બન્યા તેમાં મોટા ભાગનાનો હેતુ ખુબ સારો હોવા છતા બે કે ત્રણ વર્ષની કામગીરી બાદ ક્યાંક તે બંધ થઇ ગયા અથવા નબળા પડી ગયા. તેના લીધે આપણે આપણા સમાજમાં વિશ્વાસનું વાતાવરણ પેદા ના કરી શક્યા. 

૨. કેટલાક સંગઠનો કે મંડળોએ પોતાને દાનમાં મળતી રકમનો ગેરઉપયોગ કર્યો. ખોટા ખોટા વાઉચર બનાવીને કેટલાય નાણા સગેવગે કર્યા. પણ આ જ મંડળના બીજા સભ્યો જેમને આ તક નથી મળી તેમણે આ ઉચાપત ને ઉજાગર કરી. બીજું તમને દાન આપનારા મુર્ખ નથી હોતા. તેઓ પણ તમારા ખર્ચને બહુ બારીકાઈથી જોતા હોય છે. અત્યારે દરેક વ્યકિત બજારમાં મળતી તમામ પ્રકારની ચીજો ના ભાવ કે કિંમતથી વાકેફ હોય છે. તેથી તેઓ જાણતા હોય છે કે નાણાંની હેરફેર ક્યાં અને કેવી રીતે થઇ.

આના કારણે એવી સ્થિતિ ઉત્પન્ન થઇ કે જે મંડળો કે સંગઠનો પ્રામાણિક્તાથી કામ કરતા હતા તેની તરફ પ્રજા શંકાની નજરે જોવા લાગી. દરેક મંડળના હેતુ સારા હોવા છતા પ્રજાનો બહોળો વર્ગ આ મંડળોથી દુર રહ્યો અને જાગૃતિ છોડો, તેમની સાથે જોડાવાથી પણ દુર રહ્યા. જે સાથે જોડાઇ ના શકે તે જાગૃત તો ના જ બની શકે.

૩. આવા મંડળો કે સંગઠનો માત્ર ત્રણ ચાર વ્યકિતની આસપાસ ફરતા હોય તેવું લાગે છે. બંધારણ કે બીજી રીતે કહેવા ખાતર હોદેદારો બદલાયા ખરા પણ મુળ કન્ટ્રોલ પેલા ચારના હાથમાં રહ્યો. આપણે બીજી લાઇનને તૈયાર કરવામાં ઉણા ઉતર્યા. જે સ્થિતિ AIDMK કે BSP ની છે તે આપણે સ્થાનિક લેવલે કરી જેથી વિદ્રોહની સ્થિતિ અંદર જ પેદા થવા માંડી. જો અંદર જ વિદ્રોહ હોય તો તમને બહારથી સમર્થન મળે તેમાં શંકા છે. હુ સૌથી મોટો નેતા તે ભાવના હોવાના કારણે બીજા તેમનાથી દુર રહ્યા. નેતા એવો હોવો જોઇએ જેને બધા અનુસરતા હોય પણ અહીં તમારે મારુ માનવું જ પડશે તે ભાવના પ્રબળ રીતે દેખાય છે. એક ઉદાહરણ ગઇ કાલે જ જયંતભાઇ ને પુછીને આપ્યું હતું. જે પત્રિકા કમિટી મેમ્બર ના હાથમાં નથી તે બહાર ફરતી થઇ. પ્રચાર થવો જ જોઇએ પણ હુ સૌથી પહેલો આગળ રહુ કે મને બધા ઓળખે તે ભાવના વધારે દેખાય છે.

૪. મુશ્કેલીના સમયમાં આપણે એકબીજા સાથે રહેવાને બદલે એકબીજાથી દુર રહ્યા. ફળિયામાં કોઇ વ્યકિત સાથે બીજી કોમ સાથે ઝઘડો થયો હોય તો આપણે તેને સહકાર નથી આપ્યો. આપણે શુ કહીને અળગા રહ્યા? ભલે તે વ્યક્તિનો કોઇ વાંક હોય પણ બધાએ ભેગા થઇને સપોર્ટ કર્યો હોય તો બહારની કોઇ પણ વ્યકિત બીજી વાર આપણા વિસ્તારમાં પણ આવતા વિચાર કરે. આપણી પણ અત્યાચારના કારણોમાં સૌથી મોટું કારણ આજ દેખાય છે. આપણે એકતા બતાવી શક્યા નથી તે હકીકત છે. જે બળવાન હોય તે સંધિ કરે છે તે ચાણક્યની વાત આપણે યાદ રાખવી પડશે. કેટલાક ગામો છે જેમ કે બાલાશિનેર કે તેવા બીજા જયા આજે પણ એકતા અખંડિત છે. પણ ક્યારેક અતિરેકથી બચવું જરુરી છે. માત્ર એટલો મેસેજ જવો જોઇએ કે આ લોકોનું નામ ના દેવાય જે હજુ સુધી આપણે આપી નથી શક્યા.

આણંદ જિલ્લા ના એક ગામના પટેલને અમેરિકા જવું હતું પણ પૈસા નહોતા. કારણ કે ગેરકાયદેસર જવુ હોય તો આજે ૪૫ થી ૬૦ લાખ લાગે છે. બધા ગામના લોકોએ પોતાની શકિત પ્રમાણે આ ખર્ચની રકમ ભેગી કરી આપી. હવે આ વ્યક્તિને કશુંય કહેવું પડશે કારણ કે પોતાપણાની ભાવના ખાલી શબ્દોથી નહી પણ જરુર પડે આવી મદદ કરીને પણ બતાવી છે. આ વ્યક્તિ સમાજ જેમ કહેશે તેમ જ કરશે. આપણે આવી ભાવના પેદા નથી કરી શક્યા તે કડવી હકીકત છે.

૫. જે લોકો શિક્ષિત થઇને થોડા આર્થિક સંપન્ન થઇ ગયા તેમણે સમાજનો સંપર્ક માત્ર દીકરા દીકરીના લગ્ન પુરતો જ રાખ્યો. તેમને આપણે તે સમજાવવામા નિષ્ફળ નીવડ્યા કે ભાઇ તમારી આર્થિક સંપનન્તા બાબા સાહેબને આભારી છે. જેટલી સરળતા થી તે માતા મહાદેવને માને છે તેટલી સરળતાથી બાબાનો સ્વીકાર નથી કરતો કારણ કે તે ઉઘાડો પડી જશે. અને તે બીજાને જણાવવા માંગતો નથી કે તે ખાસ વર્ગનો છે. નડીયાદમા રહેતો ત્યારે ૧૪/૪ ના કાર્યક્રમ મા બધા હાજર રહેતા પણ કેટલાય એવી રીતે ઉભા રહેતા કે તેઓ આ કાર્યક્રમનો હિસ્સો નથી અને બીજા કોઇ કામે અહીં આવ્યા હોય. કેટલાક જલદીથી આ કાર્યક્રમ પુરો થાય તેની રાહ જેતા હતા. આ મારી નજરે જોયું છે તેથી મહેશભાઇએ કહ્યું તેમ શિક્ષિત પણ જાગૃત કે સમર્પિત નહી.

૬. જે લોકો બાબાના સાચા અનુયાયી છે તેમણે કટ્ટરવાદ ને વઘારે પડતુ સમર્થન કર્યું. જે લેોકો માતા મહાદેવને માને છે તેમના માટે નકામા શબ્દોનો ઉપયોગ કર્યો. પણ ઉદાહરણીય રુપ કાર્ય ના કર્યું. મારે સૌથી પહેલા મારા માતા પિતા કે ભાઇને બદલીને લોકોને ઉદાહરણ પુરુ પાડવાનું હતું તેના બદલે તેમને છોડીને આપણે સમાજ ને બદલવાની વાતો કરવા લાગ્યા. બાબાના વિચારો માત્ર પચાસ કે સાઇઠ વર્ષ જુના છે જ્યારે આ માતા મહાદેવ ની વાતો હજારો વર્ષ જુની છે જે અચાનક દુર નહી જ થાય. આપણે તાલિબાની હુકમો ચલાવીને પરિવર્તન લાવવા માગીયે છે પણ તે વિચારતા નથી શ્રધ્ધા તેમની કમજોરી છે અને તેઓ તેના સાથે વિશેષ લાગણીથી જેડાયેલા છે. અને જ્યારે તેમને આ દુર કરવાનું કડવી ભાષામાં કહ્યું ત્યારે તેઓ પેલાને છોડી ના શક્યા પણ તમારાથી અળગા થઇ ગયા. ભીમકથાના એક કાર્યક્રમમાં મારે કથાકારને કહેવું પડ્યું કે તમે માત્ર બાબા ને કેન્દ્રમાં રાખજો પણ ભાઇ વધુ પડતા ઉત્સાહિત થઇને માતા મહાદેવ અને હિન્દુ ધર્મ વિશે બેફામ બોલવા લાગ્યા જેના કારણે કથામાં આવેલા લોકો ગુસ્સે થઇ ગયા. માંડ સમજાવીને કથા આટોપી લેવી પડી.

૭. બાબાના વિચારો ફેલાવવાની રીતમાં પણ ઘણો ફેરફાર જરુરી છે. મે હંમેશા કહ્યું છે અને કહેતો રહીશ કે લોકોને જોડવા હોય તો તેમની વાતો કરો બીજાની નહી. હજુ ગામડામાં આપણો રોજગાર બીજાની પાસે જ છે. ત્યારે તે રોજગાર છીનવાઇ જાય તેવી વાતો ના કરીયે. એક પટેલ કોઇ માતાને માનતો હોય અને તેના ખેતરમાં મજુરી કરતા આપણા માણસોને તેના કોઇ ધાર્મિક કાર્યક્રમમાં બોલાવતો હોય તો તેમને રોકવાની જરુર નથી. પુરાણોનુ એક જ પાત્ર મને હંમેશા ગમ્યું છે તે કૃષ્ણ. તમે તેને વાંચી લો. જે પોતાના મતલબ માટે પરિસ્થિતિ અનુસાર પોતાને ઢાળી દે છે, ખુશ રહે છે અને બીજાને ખુશ રાખે છે અને સૌથી વધુ માન મેળવે છે.

૮. કેટલાય શહેરમાં વસતા આપણા લોકોનો રોજગાર બીજી જનરલ કેટેગરીના હાથમાં છે. યાદ રાખો બધા સરકારી નોકરી કરતા નથી. જે કાઇ ઘંધો કે રોજગાર છે તેમના માલિકો બ્રાહ્મણો કે વાણિયા કે પટેલો છે. હજુ એટલી બધી સ્થિતિ ખરાબ નથી થઇ કે આ લોકો તમને રોજગાર આપવાનું બંધ કરી દે. પણ બાબાના વિચાર ફેલાવવાના આંધળુકિયામા જો આપણે તેમનો વિરોધ કરતા રહીશું તો તેમની સહાનુભૂતિ તો જશે જ સાથે સાથે આપણા ભાઇઓ પણ દુર જશે. તમે જ્યારે માતા મહાદેવ કે મંદિરનો વિરોધ કરો છો ત્યારે અજાણે તેમનો પણવિરોધ કરો છો. જાગૃતિ લાવવાના આપણો પ્રયાસોમાં બેલેન્સ જાળવવું બહુ જરુરી છે. પારસી કે વહોરા કોમે જે પ્રગતિ કરી છે તે કોઇનાય વિરુદ્ધ બોલ્યા વિના કરી છે અને તેથી તેઓ લોકપ્રિય છે. જેમને જાગૃત કરવા છે તેમને માત્ર આપણી કે બાબાની વાતો કરો. કોઇનેય સીધું માતા મહાદેવને ના માનવાનું કહેશે. કેટલાય ટ્રસ્ટ કે સંગઠનોમાં મે એવા મિત્રો જોયા છે કે તેઓ અત્યંત શ્રધ્ધાળુ હોવા થતા સૌથી વધુ સક્રિય રીતે કામ કરતા જોયા છે. ટુંકમા કશુ મેળવવાની લ્હાયમાં આપણે બધુ ગુમાવી ના દઇએ તેને ખ્યાલ રાખવો જરુરી છે.

-- દિનેશ મકવાણા (દિલ્હી એરપોર્ટ સવારે ૦૮.૪૫)


દેશમાં ભગવાન અને પાપનો ડર એટલી હદે ઘુસાડી દેવામાં આવ્યો છે કે ખુદ ભગવાન પણ આવીને કહે કે આ બધુ પાખંડ છે તોય કોઇ માને નહી : દિનેશ મકવાણા


હરદ્રાર હિન્દુઓ માટેનુ અત્યંત પવિત્ર સ્થળ. લગભગ દરેક રાજ્યમાંથી સીધી ગાડી હરદ્વારમાં આવે છે. આપણા દેશમાં ગંગાને પવિત્ર નદી માનવામાં આવે છે અને તેમાં સ્નાન કરવાથી મનુષ્યના સઘળા પાપ  નષ્ટ પામે છે. પણ અત્યાર સુધી કોઇએ પ્રશ્ન કર્યો જ નહી કે,

૧. આપણે પાપો કેમ કરીયે છે?
૨. જો પાપો કરીને ગંગામાં નહાવાથી નષ્ટ થાય તો પાપ કરતા રહો, ગંગામાં નહાઇને પાપમુકત જીવન જીવો!!

કોઇ કહે છે અજાણ પણે થયેલા પાપોમાંથી મુકિત મેળવવા ગંગામાં સ્નાન જરુરી છે. પણ પાછો આ વિષય લાંબો થઇ જાય. કયુ કાર્ય પુણ્ય અને કયુ પાપ. જુઠુ બોલીને કમાયેલા નાણાંથી હુ મંદિરમાં દાન કરુ તે. ચોરી કરીને જ અમુક કોમ પોતાનું ઘર ચલાવે છે. ચોરી પાપ હોઇ શકે પણ તેનું ઘર ચલાવવું તેની ફરજ છે તેથી તેને તે પાપ શુ કોઇ ખોટું કાર્ય નથી માનતા. 

હરદ્રામાં આખા ભારતમાંથી આવે છે. લોકો ગંગામાં સ્નાન કરે છે. પછી આરતી જોવા માટે બધા બેસી જાય છે. ઘાટના કિનારે દર દસ ફૂટના અંતરે એક ઓટલા જેવું ઉભુ કર્યું છે તેના પર બેસવાના પચાસ રુપિયા જેટલો ચાર્જ લે છે. નીચે બેસો તો મફત પણ ઓટલા પર બેસો તો પચાસ આપવા પડે. એક ઓટલા પર લગભગ દસ વ્યકિત બેસી શકે. સવાર સાંજ વીસ વ્યકિત બેસે તો ૧૦૦૦ રુપિયા એક ઓટલા પર કમાઇ શકાય. આવા લાઇન બધ્ધ ઓટલા ઘાટના કિનારે બનાવેલા છે. 

જે ઘાટ તરફ આરતી થાય છે તે તરફ પુજા કરાવવાની વ્યવસ્થા છે. તેની પણ વ્યવસ્થા વધુ પ્રમાણમાં કરેલી છે તેથી વધુ  ને વધુ લોકો પુજા કરાવે અને દાન દક્ષિણા આપે.

આરતી જોવા માટે આવેલી ભીડની વચ્ચે ત્યાના લોકો એક રસીદ બુક લઇને ફરે છે અને દાન માટે આહ્વાન કરતા રહે છે. દાન ઉઘરાવનારા એટલા બધા છે કે એક મિનિટ પુરી થાય તે પહેલા બીજો આવી જાય. આરતી પુરી થાય પછી જેણે નાની નાની આરતી કરી છે તે તમારી સમક્ષ આવશે અને આરતી સામે ધરીને પૈસા માંગશે. વ્યવસ્થિત આયોજનબધ્ધ તરીકે ચાલતુ આ ષડયંત્ર માત્ર પૈસા કમાવા માટેનો કારસો જ છે. 

આ દેશમાં ભગવાન અને પાપનો ડર એટલી હદે ઘુસાડી દેવામાં આવ્યો છે કે ખુદ ભગવાન પણ આવીને કહે કે આ બધુ પાખંડ છે તોય કોઇ માને નહી. આ દેશની ભોળી પ્રજા ભગવાનથી, કાલ્પનિક ભગવાનથી ડરતી રહેશે અને છેતરાતી રહે છે. ૨૫ કમિશ્નરોની ટીમમાં અમે ત્રણ હતા જેમણે ગંગામાં સ્નાન નહોતુ કર્યું કે આરતીના દર્શન નહોતા કર્યા.

પણ મારા સુધરવાથી શુ થાય તેમ માનીને આ લેખ લખ્યો નથી. આ પાખંડ અને લુંટમાથી આ લેખ વાંચીને માત્ર એક વ્યકિત જો બહાર નીકળશે તો મારી મહેનત એળે નહી જાય.

 -- દિનેશ મકવાણા (૨૬/૪/૨૦૧૭ સવારે ૦૭.૦૦, હરદ્રાર- ઉત્તરાખંડ)


એક કન્ફ્યુઝન છે કે ભગવાન માણસ પહેલા હતા તો એમની પાસે પહેરવાના કપડા કેવી રીતે?? : વિજય જાદવ


માણસે કપડા પહેરવાની શરુઆત અમુક હજાર વર્ષો પહેલા કરી. એ પહેલા કાપડ ની શોધ માણસે કરી કરી. મતલબ માણસ આયા પછી જ કાપડ આયુ. એ હકીકત છે.

હવે એવી માન્યતા છે કે ભગવાને માણસની શોધ કરી અને પછી કપડાની શોધ થઇ. તો મગજ માં એક કન્ફ્યુઝન છે કે ભગવાન માણસ પહેલા હતા તો એમની પાસે પહેરવાના કપડા આયા કેવી રીતે, જે આપણે ફોટા, મુર્તિઓ ઉપર જોઇએ છીએ. અને જો ભગવાન પહેલા આયા તો માણસે તો એ પહેલા જ કપડા બનાવી દીધા હતા!!!
~ વિજય જાદવ
#કંન્ફ્યુઝન

ફક્ત એક જ પાયા પર સામાજિક વિકાસ ની ઇમારત ચણી શકાય ખરી?? : મિલન કુમાર



સામાજિક વિકાસ માટે વૈચારિક ક્રાંતિ જરૂરી જ છે,  પણ સાથે સાથે પ્રેક્ટિકલ વર્ક પણ એટલું જ જરૂરી છે. દલિત સાહિત્ય પણ વર્ષોથી લખાય છે. પણ છતાં કેટલું પરિવર્તન આવ્યું ?? ફક્ત એક જ પાયા પર સામાજિક વિકાસ ની ઇમારત ચણી શકાય ખરી?? કેટલાય લોકો મૂકસેવક બનીને સમાજની સેવા કરી રહ્યા છે, આપણે પણ એ પ્રેક્ટિકલ વર્કમાં સહભાગી થવું જરૂરી છે. મેસેજ ફોરવર્ડ કરવાની સાથે સાથે નીચે મુજબ ના કામોમાં પણ સહભાગી બનો.


(૧) પોતાના ગામમાં સ્વૈચ્છિક રીતે સમાજ ની સેવા કરવા ઇચ્છતા લોકોનું એક ગ્રુપ બનાવો. શિક્ષણ વિશે સમાજ ના લોકોને માર્ગદર્શન આપો. જરૂર પડે આર્થિક મદદ પણ કરો. એ તમારી પહેલી ફરજ છે. 'હું તો મારી મહેનત થી લાગ્યો છું'', 'મારે તો કોઈની જરૂર નથી ' એવા વિચારો મનમાંથી કાઢી નાખો. 

(૨) દરેક વર્ષે શૈક્ષણિક અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સેમિનાર કરો, સમાજના સમૃદ્ધ લોકો પાસેથી આર્થિક મદદ મેળવી વિદ્યાર્થીઓ ને મટેરીઅલ્સ આપો. પરીક્ષા પણ યોજી શકાય. સમાજ ના કેટલાય યુવક- યવતીઓ  યોગ્ય માર્ગદર્શન ના અભાવે પ્રતિભા હોવા છતાં સફળતાથી દૂર રહી જાય છે. સમાજની મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી રહી છે. કન્યા કેળવણી ને પ્રોત્સાહન આપો.

(૩) અંધશ્રદ્ધા પણ હાલના સમયમાં સામાજિક વિકાસના મુખ્ય અવરોધક પરિબળોમાંનુ એક છે. અને એનો ભોગ સમાજના દરેક લોકો બને છે. અંધશ્રદ્ધા અનેક પ્રકારની છે જે આપણે સૌ જાણીએ છીએ. બસ, માનવી પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે, પૂનમો ભરવાથી કે માંડવડીઓ કરવાથી સુખ નથી મળતા, એ સમાજ ને સમજાવો. પોતે એના ઉદાહરણ બનો. કારણ કે આ વિષયમાં સૌથી પહેલી તમારા પર જ આંગળી થશે.

(૪) ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી દલિત વસાહતોમાં સાંજ પડે જઈએ તો જુગાર અને દારૂ ની મહેફિલો ચાલુ હોય છે એ પણ સમાજ નું એક મોટું દૂષણ છે. એવી વસાહતોના યુવા વર્ગને આ વિશે સજાગ કરો. સમજાવો. ધીમે ધીમે નવી પેઢીને આ બદીમાંથી બહાર લાવો. ઉતાવળીયા નિર્ણયોથી નહી ધીરજથી જ આ કામ પાર પડશે.

(૫) સમાજ જૂદા જૂદા સ્વરૂપે વિભાજીત છે, વિકાસ ને અવરોધતું આ પણ પરિબળ છે. પ્રથમ પેટા જાતિ, એમાં પછી પરગણા, એમાંય એક ગામમાં ચમારોની વસ્તીમાં પણ અનેક  ભાગ હોય, રાઠોડ, ચૌહાણ , સોલંકી બધાં અલગ અલગ ..એક ના લગ્નમાં બીજો ન આવે, ના તો મરણમાં ના તો સમસ્યાઓમાં.. આપણો સમાજ ખરેખર એક છે? અન્ય સમાજમાં આ દૂષણ હોય તો પણ જરૂર પડે બધા એક થઈ જાય છે. અહી આપણે એ વાડાઓને તોડવાના બનતા તમામ પ્રયત્નો કરો, અન્ય પેટાજાતિના દરેક સારા નરસા પ્રસંગોમાં ભળીને એકતા કાયમ કરો.

(૬) જે કુરિવાજોમાંથી સમાજે વહેલી તકે બહાર આવવાની જરૂર છે, એવા રીવાજો વધતા જ જાય છે. જે આવક સમાજ ના શૈક્ષણિક વિકાસ પાછળ વપરાવી જોઈએ તે આવા વ્યર્થ રીવાજોમાં વપરાઈ જાય છે. હા, કેટલાક મિત્રો હવે એમના સ્વજનો ના મૃત્યુ પ્રસંગે , કે સારા પ્રસંગે પણ વિદ્યાર્થીઓ ને બુક્સ વિતરણ કરી રહ્યા છે જે પ્રશંસનીય પગલું છે.

(૭)જે લોકો આ સમાજમાંથી અનેક ઊંચા હોદ્દા પર પહોંચ્યા છે અને બાબાસાહેબ ના સંદેશ ને અને સમાજ પ્રત્યે ના પોતાના કર્તવ્ય ને વિસરી ગયા છે એમના માં સમાજ ના લાચાર લોકો વિશે મમતા જગાવો. કારણ કે બીજા તમામ લોકો કરતા આવા લોકો સમાજ ના સૌથી મોટા ગુનેગાર છે. એમની પહેલી ફરજ છે સમાજ ને આગળ વધારવાની, સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવાની.

(૮) જ્યાં સમાજ ની ઓછી અને અલ્પશિક્ષિત  વસ્તી હોય ત્યાં જ અત્યારોનું પ્રમાણ વધારે હોય છે, આવા લોકો આર્થિક રીતે પણ અન્ય સમાજ પર આધારિત છે. એ આપણી આ બધી ઓનલાઇન (☺) ક્રાંતિ થી અજાણ છે, એમની મુલાકાત કરો, એમનું આત્મસન્માન ની ભાવના જાગૃત કરો. એમના સંતાનો ને મહાપુરૂષોના સંઘર્ષ અને બલિદાન થી માહિતગાર કરો. એમને સમજાવો કે વર્તમાન માં આપણે ક્યાં છીએ ને ક્યાં જવુ જોઈએ.

(૯)એક સમજુ વ્યક્તિ ક્યારેય સમાજને અન્ય સમાજની સામે લડવા ઊભો નહી કરી દે, આવું બાબાસાહેબે પણ નહોતું કર્યું. દલિતો સાથે થતા અન્યાયથી અન્ય સમાજ પણ વાકેફ છે, જે લોકો તમારી વેદના સમજે છે એ બધાને સાથે લઇને ચાલવું પણ એટલું જ જરૂરી છે. દલિત ની સમસ્યાઓ દલિતો જ સમજી શકે એ માન્યતા પણ ભૂલ ભરેલી છે. સમાજ ના વિકાસ માટે અન્ય સમાજની પણ શક્ય હોય એ તમામ મદદ સહર્ષ સ્વીકારો.

કોઈ શું કહેશે? સફળ થઈશું કે નહી? હું એકલો કઈ રીતે કરું?? આ બધા વિચારો છોડી શરૂઆત કરો. ક્યાં સુધી બચાવપ્રયુક્તિ વાપરી અન્ય ને દોષ દેતા રહેશો???

-મિલન કુમાર.
અરવલ્લી. (૮/૫/૧૭)



is it because it happens with Dalits??? : Munna Sannaki

The women of the Scheduled Caste family, Surekha and Priyanka lodged a complaint over the Land dispute (dispute wanted to create by Kunbi caste because they didn't digest the economic growth of SC family in that village). After the complaint, the accused attacked house dragged out Surekha Bhaiyyalal Bhotmange and two of her sons and daughter, Beaten badly, paraded naked in the village, sexually abused (gang-raped) and then hacked them to death. The accused were members of the politically dominant Kunbi caste. The Indian media did not cover this incident until the Nagpur riots by the Dalits.

Happened in 2006.
Fighter of a family (survivor-Bhaiyyalal Bhotmange) also fed up with state response and courts, he struggled and spent day and nights for Justice to his family. very recently four months back he also died.
2006 to 2017 justice denied and delayed..?
is it because it happens with Dalits..???
Munna Sannaki


Facebook Post :-

સાંભળાજો મોહનલાલ : વિજય મકવાણા

મોહનલાલ..! મારી પાસે બહું નાનાં નાનાં સપનાં છે..આછી પાતળી આશાઓ..પૂરી થઈ જાય એટલે સંતુષ્ટ થઈ જઈશ!! માત્ર મારા-તમારા ગામમાં..
એક વાલ્મિકીની વણેલાં ગાંઠીયાની લારી હોય!
એક ચમારની ચાની કિટલી હોય!
એક વણકર વડાપાંઉ વેચતો હોય!
એક સેનવાની કરીયાણાંની દુકાન હોય!
એક તૂરીની દુધની દુકાન હોય..!
એક બારોટની શાકભાજીની રેંકડી હોય!
આ બધાંનો ધિકતો ધંધો હોય..ગામ આખાની ઘરાકી હોય..એટલે હું શાંત બેસી રહિશ..તમારી સાથે જનમોજનમની દોસ્તી..જાઓ મોહનલાલ વચન આપું છું!!
-વિજય મકવાણા














Facebook Post :-

ગાળનું સમાજશાસ્ત્ર : વિજય મકવાણા

ભારતમાં આશરે 25 કરોડ લોકો ફેસબુક/વોટ્સએપ/ટવીટ્ટર જેવા સોશ્યલ નેટવર્ક પર વિચારો મુકી રહ્યાં છે. ચર્ચાઓ કરી રહ્યાં છે. હજારો પોસ્ટ પર કોમેન્ટબોક્સમાં ચર્ચાઓ ચાલી રહી છે. આ ચર્ચાઓ સમાજની વાસ્તવીક છબી રજૂ કરે છે. લોકો જેવી રીતે જાહેરજીવનમાં વર્તણુંક કરે છે. તેવી જ વર્તણુંક તેઓ સોશ્યલ નેટવર્ક પર કરે છે. આ વર્તણુંકથી સદીઓથી ભારતની વિશ્વગુરુ તરીકેની જે બનાવટી છબી ઉભી કરાઇ હતી તે ખરડાઇ રહી છે. ભારતીય સંસ્કૃતિનો વિવિધતામાં એકતાવાળો દંભી મલિન ચહેરો ઉજાગર થઇ રહ્યો છે. ભારતની મહાનતાની, દાર્શનિકતાની વાતો પોકળ સાબીત થઇ રહી છે. સોશ્યલ નેટવર્ક પરના સંવાદો ભારતની સામાજીક વ્યવસ્થાની પોલ ખોલી રહ્યાં છે. સોશ્યલ નેટવર્ક પર બીનસાંપ્રદાયિકતા, સામાજીક ન્યાય, જાતિનિર્મુલન, વૈજ્ઞાનિક દ્રષ્ટ્રિકોણ ધરાવતા લોકો બેહિસાબ ગાળો ખાઇ રહ્યાં છે. તેમની પોસ્ટ પર ગાળો લખનારાનું જાતિ વિશ્લેષણ કરી રિપોર્ટ તૈયાર કરો તો તે મોટાભાગના ઉજળીયાતો છે. નીચી જાતિના લોકો ગાળો નથી બોલતા એવું નહી કહેતો પણ તે પ્રતિરોધ હોય છે. 'તે ગાળ આપી? તો હું પણ આપું છું' એ મુખ્ય ભાવ હોય છે..સોશ્યલ નેટવર્ક પર ઉજળીયાત ભારતીયો જેવા છે તેવા દેખાય છે. ગાળો બોલનારો વર્ગ શાસક જાતિઓનો ઉજળીયાત વર્ગ છે. આ એ વર્ગ છે જે પોતાના પૂર્વજોના તથ્યો વિનાના દર્શનશાસ્ત્રનું ગાળો બોલી પરાણે સન્માન કરાવે છે. ગાળના સમાજશાસ્ત્ર વિશે આ પહેલાં મેં એક પોસ્ટ મુકેલી જેમાં મેં કહેલું કે, ગાળની શોધ ગુલામોએ, શોષિતોએ, શુદ્રોએ કે સ્ત્રીઓએ નથી કરેલી. ગાળની શોધ શાસક પુરુષે કરેલી છે. ગાળ તે જ આપી શકે જે તાકતવર છે, આતતાયી છે, અહંકારી છે, દંભી છે, આડંબરી છે. આમાંથી કશુંક તડાક દઇને તૂટે એટલે..તારી માઁ..તારી બેન..આ સાથે જ પેલી બાજુ મહાન ભારતના ચહેરા પરથી ગિલેટ ઉતરે છે.
-વિજય મકવાણા
(તસવીર એકવખતના બળવાન હવે ખતમ થઇ રહેલાં રંગભેદની છે)

















Facebook Post :-

ઉના મામલે સવર્ણ માનસિકતા : વિજય મકવાણા

સવર્ણ-૧: ઉનામાં જે બન્યું તે ખૂબ દુ:ખદ છે. 
સવર્ણ-૨: ઉના મામલો પોલિટિક્સ છે. બહું ધ્યાન ન અપાય.
સવર્ણ-3: દલિતોનું આંદોલન શાંતિપૂર્ણ નથી. તેઓ અસંસ્કારી છે.
સવર્ણ-૪: દલિતોને અનામત,નોકરી, યોજનાઓ બધી  સગવડતા સરકાર આપે છે. પછી તેમને બળાપો ન કરવો જોઇએ.
સવર્ણ-૫: મફતીયા છે સાલ્લાં, હરામનું ખાનારા, ખોટી રડારોળ કરે છે. મુકો ચર્ચા આપણે શું..?
બધાં (સવર્ણ-૫ની વાતમાં સૂર પુરાવી) : હા એ સાચું. હા એ બરાબર!
-વિજય મકવાણા















Facebook Post :-


દલિતો શિક્ષિત થયાં પણ તર્કની ધાર બુઠ્ઠી બનાવતા જાય છે : વિજય મકવાણા



મેં મારી નજરે મારી દાદીને 'કડવા ચોથ' નું વ્રત કરતાં નથી જોઇ, ન તો મારી નાની ને ચાળણીમાં ચાંદલીયો જોતાં જોયાં. મારી માઁએ પણ આખો દિવસ તરસી રહી ક્યારેય તે વ્રત નથી કર્યું.. પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલાં કોઇપણ દલિત મહિલા આવા ટોટકાઓમાં નહોતી માનતી..તમે સરવે કરવો હોય તો કરી લો! મને ખોટો સાબિત નહી કરી શકો! દલિતો શિક્ષિત થયાં પણ તર્કની ધાર બુઠ્ઠી બનાવતા રહ્યાં. એ લોકો શા માટે, કયા કારણોસર અભણ દલિતને ભરમાવી ન શક્યાં??  તેના કારણો શોધવા રહ્યાં. મેં આ પહેલાં પણ કહેલું કે તમારા પૂર્વજોની જીવનશૈલી બહું તાર્કિક હતી. તેઓ પોતાના વિસ્તારમાં બ્રાહ્મણી પરંપરાને કે દેવીદેવતાઓને ઘુસવા ન દેતાં હતાં. દલિતોની પોતાની અલગ સંસ્કૃતિ છે એ હું દ્રઢપણે માનતો આવ્યો છું. તમારા પૂર્વજોએ અશિક્ષિત રહીને પણ તર્કનો સહારો છોડ્યો નહોતો..અને તમે??

-વિજય મકવાણા
















Facebook Post : -

શ્રદ્ધા અને અંધશ્રદ્ધા મા ફેર શુ? : વિજય જાદવ

શ્રદ્ધા એટલે કોઇ પણ બાહરી શક્તિ/બાબત ઉપર ભરોસો રાખવો અને એ કોઇ પણ સાબિતી વગર. 
અમુક લોકો એમ કહે છે કે શ્રદ્ધા એક વિશ્વાસ છે. 
જ્યારે અંધશ્રદ્ધા એટલે કોઇ બાબત પર આંધળો વિશ્વાસ રાખવો. 

જેની ઇચ્છા રાખીએ છીએ તે પ્રમાણે થશે જ એવી ચોક્કસ ખાતરી એટલે વિશ્વાસ.
(પરંતુ જ્યારે આ શ્રદ્ધા મુજબ કામ ના થાય એટલે વ્યક્તિ પોતાના નસીબને દોષ દઇ સંતોષ મેળવી લે છે.)

ઉદાહરણ તરીકે કોઇ વ્યક્તિ કે જેના ઉપર તમને આસ્થા હોય એ કહે કે તમને આ વખતે સંતાનમાં પુત્રની પ્રાપ્તિ થશે. આસ્થાળુ વ્યક્તિ આવા સમયે તેમના પર પુર્ણ વિશ્વાસ રાખી એમને અનુસરે છે. જો ખરેખર પુત્ર પ્રાપ્તિ થાય તો વાજતે-ઘાજતે ઢોલ વગાડતા વગાડતા પોતાની શ્રદ્ધા પુર્ણ થયેલ માની જાહેર કરે છે. અને જે વ્યક્તિ ને સંતાનમાં દિકરી આવે તો પોતાના નસીબ ઉપર દોષ ઠાલવી સંતોષ મેળવી લે છે પરંતુ આગાહી કરનારનો વિરોધ કરવાનુ સામર્થ્ય હોતુ નથી એટલે ટાળે છે. 
આ કીસ્સાને વિજ્ઞાન દ્વારા તાર્કીક રીતે વિચારીએ તો સંતાન માં પુત્ર પ્રાપ્તિની આગાહી કરનાર ટેકનીકલ રીતે 50% તો સાચો જ હોય છે. કેમકે માણસ જાતિમાં સ્ત્રી-પુરુષના મિલનથી દિકરો  અથવા તો દિકરી જ આવે. કોઇ વાંદરુ ક્યારેય ના આવે!!!

ઉપરોક્ત કીસ્સામાં આપણા જેવા બાહરી વ્યક્તિ જો એનો આ વિશ્વાસ પુર્ણ થાય અને દિકરો આવે તો એની શ્રદ્ધા ની જીત થઇ એવુ કહીશુ. અને જો કદાચ દિકરી આવશે તો કહીશુ કે ''આટલુ બધુ કોઇનુ થોડી માનવાનુ હોય!  આ એની અંધશ્રદ્ધા જ કહેવાય!!!"

મતલબ શ્રદ્ધા અને અંધ શ્રદ્ધા વ્યક્તિના ધાર્મિક વિશ્વાસ ના પરિણામ અને બાહરી વ્યક્તિના જોવાના નજરીયા પર નિર્ભર છે. એટલે આમ જોઇએ તો શ્રદ્ધા નો બીજો મતલબ જ અંધશ્રદ્ધા થાય. 

તર્કવાદીઓ બતાવે છે કે વ્યક્તિએ પોતાની માન્યતા કરતાં પુરાવા પર વિશ્વાસ રાખવો જોઈએ. એ સમજવા માટે એક દાખલો લઈએ. 

સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં ડૂબે છે. તેથી પહેલાંના લોકો માનતા કે સૂર્ય પૃથ્વીની આસપાસ ગોળ ગોળ ફરે છે. આ શ્રદ્ધા હતી. પણ વૈજ્ઞાનિકોએ આપણી સૂર્યમાળાનો અભ્યાસ કર્યો ત્યારે તેઓને પુરાવો મળ્યો કે પૃથ્વી સૂર્યની આસપાસ ગોળ ગોળ ફરે છે. એ પુરાવા પરથી હવે આપણને પૂરી ખાતરી છે કે પૃથ્વી જ ગોળ ગોળ ફરે છે. એટલે આપણે જે માનીએ એના કરતાં જેનો પુરાવો છે એમાં માનવું જોઈએ. એટલે પહેલાની શ્રદ્ધા અત્યારે અંધશ્રધ્ધા સાબિત થઇ. 

શ્રદ્ધામાં માન્યતા, ભક્તિ, આસ્થા, વિશ્વાસ, પુજા, નસીબ જેવા શબ્દો વપરાય છે 
જ્યારે અંધ શ્રદ્ધા માં ચમત્કાર, પરચા, વગેરે....
એટલે ઉદાહરણ તરીકે કોઇ જગ્યાએ ચમત્કાર થાય તો આપણે આપણુ દિમાગ લગાવી જાણવા પ્રયાસ કરીએ છીએ કે સાચુ શુ છે? ચમત્કાર કેવા પ્રકારનો છે? કેવી રીતે થયો?  વૈજ્ઞાનિક કારણ શુ હોઇ શકે? આટલુ જાણતા જ ખ્યાલ આવી જશે કે કોઇ પણ પુર્વ આયોજિત સાયન્સની મદદ કે ગોઠવણ વગર ચમત્કાર થઇજ ના શકે. એટલે લોકો માટે એ ચમત્કાર શ્રદ્ધામાં પરિણામે છે.  ગમે તેટલુ સમજાવીશુ તો પણ એ શ્રદ્ધાળુઓ માનવા તૈયાર જ નહી થાય કે આ ચમત્કાર કોઇ વ્યક્તિ દ્વારા પુર્વ આયોજીત છે.  જેને તર્કવાદી અંધશ્રદ્ધા કહે છે.

થોડા ઉંડે ઉતરીએતો ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા તમે આંખ બંદ કરીને કરો છો. કહેવાનો ભાવાર્થ આંખ બંધ કરવી એટલે મગજ થી વિચારવુ નહી. મગજથી જ્યારે વિચારવાનુ બંધ કરી દઇશુ તો તર્ક નહી બચે. તર્ક નહી હોય ત્યા એવા દરેક કામ અંધશ્રદ્ધા જ કહેવાય ને? 

અમુક લોકોને હજી એવી માન્યતા છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા માં ઘણો ફેર છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે પાતળી દિવાલ છે. વગેરે વગેરે... તમને એવુ પણ બતાવવામાં આવશે કે આવુ ના કરવુ જોઇએ તેવુ ના કરવુ જોઇએ આ અંધશ્રદ્ધા છે.... પરંતુ આખરે તો તમારી સામે પ્રશ્નાર્થ મુકી જ દેશે. 
આવુ અર્થઘટન કરનાર - કરાવનાર તમને આખરે મુર્ખ બનાવી પોતાની દુકાન ચલાવી રહ્યો છે. 

કોઇપણ બાબતે ધાર્મિક બની વિચારશો તો એ તમારી શ્રદ્ધા હશે. પરંતુ એ જ બાબતને તાર્કીક રીતે વિચારશો તો તમને અંધશ્રદ્ધા તરીકે ચોક્કસ દેખાશે. 
નક્કી તમારે કરવાનુ છે.

પરંતુ મારા મત મુજબ શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં કોઇજ ફેર નથી.

-- વિજય જાદવ




ભારતીય બંધારણ અને જાતી નિર્મુલન : વિજય જાદવ

શુ ભારતીય બંધારણમાં એવી કોઇ વ્યવસ્થા કરાયેલી છે જેના દ્વારા જાતી નિર્મુલન શક્ય બને? 

થોડુ વિગતવાર ચકીસી લઇએ. 

ડો. બાબાસાહેબે ભારતીય બંધારણમાં દરેક નાગરીકને નીચે મુજબના હકો આપેલ છે. 

૧. સમાનતાનો અધિકાર (અનુચ્છેદ ૧૪થી૧૮)
૨. સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ ૧૯થી૨૨)
૩. શોષણ વિરુદ્ધ અધિકાર (અનુચ્છેદ ૨૩થી૨૪)
૪. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ ૨૫થી૨૮)
૫. સાંસ્કૃતિક અને શિક્ષણવિષયક અધિકાર (લઘુમતી અધિકાર) (અનુચ્છેદ ૨૯થી૩૦)

હવે તેમા અનુચ્છેદ 14 થી 17 પ્રમાણે

*અનુચ્છેદ ૧૪  :કાયદા સમક્ષ સમાનતા. મુજબ બંધારણમાં જણાવ્યું છે કે કાયદા સમક્ષ સૌ સમાન છે અને કાયદાનું સૌઍ સમાન રક્ષણ કરવું જોઇઍ ઍમા કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન હોવો  જોઇઍ.

*અનુચ્છેદ ૧૫ સામાજીક સમાનતા અને જાહેર સ્થળો પર સમાનતા.

જે મુજબ બંધારણમાં જણાવ્યું છે કે ફક્ત જાતિ, જ્ઞાતિ, ધર્મ, લિંગ અને જન્મ સ્થળનાં આધારે ભેદભાવ રાખી શકાય નહિ. તેમજ દરેક વ્યક્તિને જાહેર સ્થળો પર જવાનો અધિકાર છે.
ઉ.દા. જાહેર બગીચા, સંગ્રહાલય, મંદિર, પાણીનાં કુવા.

*અનુચ્છેદ ૧૬ જે મુજબ બંધારણમાં જણાવ્યું છે કે સરકારી નોકરીઓમાં સૌને સમાન તક મળવી જોઇઍ. તેમજ ઍમ પણ જણાવ્યું છે કે દરેક રાજ્યે પછાત વર્ગો માટે અમુક જગ્યા અનામત રાખવી તેમજ જો કોઈ ધાર્મિક સંસ્થા હોય તો તેનો કારોભાર પણ તે જ ધર્મનાં કોઈ વ્યક્તિને આપવો.

*અનુચ્છેદ ૧૭ અસ્પૃશ્યતા નિવારણ. જે કોઈ પણ વ્યક્તિ અસ્પૃશ્યતાનું આચરણ કરતુ હોય તે કાયદા નો ભંગ છે જે મુજબ કાયદા દ્વારા સજા પણ મળે છે. પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ ઍક્ટ ૧૯૭૬ અંતર્ગત કોઈ પણ વ્યક્તિ ને પાણીની ટાંકી કે કુવામાંથી પાણી ભરતા રોકવુ તે સજાને પાત્ર છે,

અનુચ્છેદ 24 મુજબ તમે જે નોકરી/ધંધો કરો તમારુ શોષણ ના કરી શકાય. માથે મેલુ ઉપાડવુ કે મરેલ ઢોરના નિકાલની તમને ફરજ ના પાડી શકાય. 

*ધાર્મિક_સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 25-28)અનુચ્છેદ : અંતઃકરણપૂર્વક ધર્મની માન્યતા, આચરણ અને પ્રચાર કરવાની માન્યતા
અનુચ્છેદ  : ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની માન્યતા
અનુચ્છેદ : ધર્મની ઉન્નતિ માટે કરસંબંધી રક્ષણ
અનુચ્છેદ :  ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગેની સ્વતંત્રતા

ઉપર મુજબના અનુચ્છેદ 25 પ્રમાણે કોઇપણ વ્યક્તિ પોતાને ઉચિત લાગતો કોઇપણ ધર્મ પાળી શકે છે. અને તે ધર્મનો પ્રચાર પણ પોતાની રીતે કરી શકો છો, ના નથી પરંતુ કોઇને બળજબરી ના કરી શકો. 
તમારી ઇચ્છા મુજબની અટક રાખી શકો છો. 

હવે આ મુજબ નુ અર્થઘટન કરીએ તો બાબાસાહેબે તમામ હકો પ્રમાણે જાતિવીહીન સમાજની રચના કરવા તમામ પ્રબંધ કરેલ છે. હવે એ તમારે માનવુ ના માનવુ તમારી મરજીની વાત છે.  સમાનતા સ્થપાય એટલે જાતિનુ મહત્વ રહેતુ નથી. મતલબ જાતિવિહીન સમાજની રચના એ બાબાસાહેબનુ સ્વપ્ન હતુ. એ એમણે લેખિતમાં કરી બતાવ્યુ છે.

-- વિજય જાદવ 







अगर त्याग करने योग्य कुछ है तो सिर्फ मन, और कुछ नहीं -- ओशो

ये पुरुष , ये महात्मा , ये साधु-संत, इनके वक्तव्य देखो!!  इनमे क्या हैं ?

इनके सारे वक्तव्य स्त्री - विरोधी हैं । शास्त्रों में सिवाय स्त्री की निंदा के और कुछ भी नहीं है । तो उससे एक बात तो जाहिर होती है कि ये सारे लोग स्त्री पीड़ित रहे हैं, स्त्री से घबडा़ए रहे हैं । ये स्त्री को ही छोड़ कर भागे हैं , इतना तय है ।

                                शंकराचार्य का यह वचन है --
"तत्वं किमेक ? शिवमद्वितीयं ,
किमुत्तमं ? सच्चरितं यदस्ति ।
त्याज्यं सुखं किम् ? स्त्रियमेव ,
सम्यक देयं परमं किम् ? त्वभयं सदैव ।।"
'एक तत्व क्या है ? अद्वितीय शिव तत्व ।सबसे उत्तम क्या है ? सच्चरित्र ।कौन सुख छोड़ना चाहिए ? सब प्रकार से स्त्री-सुख ही ।परम दान क्या है ? सर्वदा अभय ही ।'

शंकराचार्य कहते हैं : 
'कौन सुख छोड़ना चाहिए ?'
त्याज्यं सुखं किम् ? स्त्रियमेव
'सब प्रकार से स्त्री का सुख ही ।'
जैसे सारा सुख शंकराचार्य के मन में स्त्री का सुख ही होकर रह गया है । और स्त्री में क्या सुख है , यह भी तो पूछो !

यह वचन विचारणीय है । एक तरफ यही महात्मागण कहते हैं कि स्त्री में क्या रखा है ----- हड्डी-मांस-मज्जा , लहू मवाद .... ! जैसे इनमें सोना-चांदी भरा हो , हीरे-जवाहरात भरे हों ! और दूसरी तरफ यह भी कहते हैं : 'कौन सा सुख छोड़ना चाहिए ?'इनको सुख भी कहां दिखाई पड़ रहा है ? वहीं ,हड्डी-मांस-मज्जा-रक्त-मवाद , वहीं सुख भी दिखाई पड़ रहा है । 

'सब तरह से स्त्री का सुख ही !'
मन कहां अटका है , इस सूत्र में जाहिर है ।

और यह सूत्र अकेला नहीं है , तुम्हारे शास्त्र इसी तरह के सूत्रों से भरे हैं । ये जिन लोगों ने भी लिखे होंगे , ये स्त्री से भाग कर लिखे गए सूत्र हैं ; स्त्री को जान कर नहीं , पहचान कर नहीं ।

स्त्रियों को इतनी गालियां दी हैं , ये गालियां इस बात का सबूत हैं कि अभी भी कांटा चुभता है ; अभी भी मन मुक्त नहीं हुआ है कहीं अटका हुआ है ;अभी भी सुख स्त्री में ही दिखाई पड़ता है ।

शंकराचार्य कहते हैं , 'कौन सुख छोड़ना चाहिए ? सब प्रकार से स्त्री का सुख ही ।'

अब इसमें एक बात तो यह मान ही ली गई कि स्त्री में सुख होता है ,जो कि निपट नासमझी की बात है । स्त्री में क्या खाक सुख होता है ! शंकराचार्य यह मान कर ही चल रहे हैं कि स्त्री में सुख होता है ,उसको छोड़ना ही सबसे बडा़ छोड़ना है ;वही सुख छोड़ने योग्य है । सुख है , यह तो स्वीकार कर लिया ।और अगर सुख है तो फिर छोडो़गे कैसे ?

फिर तो तुमने द्वन्द्व खडा़ किया । सुख को कोई भी नहीं छोड़ सकता । दुख ही छोडा़ जा सकता है । सुख को छोड़ने की कोई संभावना ही नहीं है । सुख तो हमारी स्वाभाविक आकांक्षा है ।हम दुख को ही छोड़ सकते हैं । तो जो चीज भी हम जान लेते हैं दुख है , वह छूटने लगती है; और जिसको हम जानते रहते हैं सुख है , उसको हम पकडे़ रहते हैं।

यह कहना : त्याज्यं सुखं किं स्त्रियमेव ।
कौन सुख छोड़ना चाहिए ? सब प्रकार से स्त्री का सुख ही । इसमें मान ही लिया गया कि स्त्री में सुख होता है ।और यह तो पुरुषों को कहा । अब अगर स्त्री पूछे तो उनसे क्या कहोगे ? उनसे कहना पडे़गा, पुरुषों का सुख । लेकिन पुरुष में क्या सुख होता है ? स्त्री में क्या सुख होता है ?भ्रांति है, सुख तो नहीं । और भ्रांतियों को छोड़ना नहीं होता है , जानना होता है , पहचानना होता है ।पहचानने ही से भ्रांति समाप्त हो जाती है । जैसे रस्सी में किसी कोसांप दिखाई पडा़ । शंकराचार्य तो इसका बहुत उदाहरण लेते हैं ।

एक तरफ चिल्लाते रहे ये लोग , कि यह सारा संसार माया है , फिर भी इसमें स्त्री का सुख माया नहीं ! इसमें स्त्री में सुख है । और यह सुख त्याज्य है । बस यही त्याग करने योग्य है , यहां कुछ और त्याग करने योग्य नहीं है । 

मैं तुमसे कहता हूं , .........
त्याग करने योग्य मन है , और कुछ नहीं । स्त्री हो , कि धन हो , कि पद हो , प्रतिष्ठा हो ; सब मन के ही खेल हैं । स्त्री तो बस एक खेल है । स्त्री के लिए पुरुष एक खेल है । और स्त्री से मुक्त हो जाना कोई कठिन मामला नहीं है ।सभी पति अपनी पत्नी से मुक्त हो जाते हैं ।सभी पत्नियां अपने पतियों से मुक्त हो जाती हैं ।

वह तो दूसरों की रस्सियों में सांप दिखाई देते रहते हैं , करो क्या ? अपनी रस्सी को तो सभी पहचान लेते हैं कि रस्सी ही है भइया ,कुछ खास नहीं । कितना ही साडी़ वगैरह पहनाओ , है रस्सी । कितना ही रंग-रोगन पोतो , कितना ही कोट वगैरह पहनाओ ,है रस्सी ! पति-पत्नियां अच्छी तरह पहचान लेते हैं ।तभी तो एक-दूसरे की तरफ देखते भी नहीं ,ऐसे मुक्त हो जाते हैं ।

हां , दूसरों की पत्नियों में अभी भी दिखता है कि पता नहीं ,
साडी़ के भीतर रस्सी न हो , कुछ और हो ! कोट पहने चले जा रहे हैं एक सज्जन ; अब पता नहीं कि कंधों केभीतर रुई भरी है कि सच में कंधे इतने मजबूत हैं ! वृषभ देव हैं या सिर्फ रुई भरी है ? छाती बडी़ फूली मालूम पड़ रही है । हालांकि खुद की छाती वे जानते हैं कि रुई भरी है ।खुद भरवाई है । मगर दूसरों को भ्रम होता रहता है ।

सवाल मन का है............
और स्त्री से छूट जाओगे तो कहीं और दौडो़गे ।जो लोग धन के पीछे दीवाने हैं अक्सर स्त्रियों से छूट जाते हैं ।उनका तो सारा मोह ही धन में लग जाता है ।उनको स्त्री वगैरह नहीं सुहाती । वे तो नोट को जब देखते हैं तब ,उनको लैला की याद आती है । जब वे नोट को छूते हैं , ....ताजा करंसी का नोट , अभी-अभी निकला हुआ ,चला आया अभी-अभी बैंक से । उसको छूते हुए देखो किसी धन -के प्रेमी को । क्या तुमने किसी प्रेमी को किसी प्रेयसी को छूते देखा होगा ! एकदम उसकी लार टपकती है , गदगद हो जाता है , छाती से लगा लेता है । पद के लोभी , राजनीति के युद्ध में दौड़ने वाले योध्दा , उनको पत्नियां वगैरह छोड़ने में कोई अड़चन नहीं होती । फुर्सत ही कहां उनको पत्नियां वगैरह की । दिल्ली जाएं कि पत्नी को देखें ? कभी-कभी मिलना-जुलना हो जाता है , बाकी कोई रस नहीं रहता ।जिनको एक बार पद का , धन का , प्रतिष्ठा का मोह लग गया ,वे इस मोह से बडी़ आसानी से मुक्त हो जाते हैं । ये तो सीधे-सादे लोग हैं जो स्त्री-पुरुषों में उलझे रहते हैं । जो छंटे हुए बदमाश हैं वे तो दूसरी चीजों में लग जाते हैं ।  नहीं कहूंगा कि स्त्री के सुख को छोड़ना सबसे बडा़ त्याग है । जब सुख को ही छोड़ने की बात उठी तो जड़ से ही काटो । मन को छोड़ना सबसे बडा़ त्याग है ।और मन को छोड़ने का परिणाम समाधि है ।मन छोड़ना है , समाधि पानी है ।ये एक ही सिक्के के दो पहलू हैं ।

मैं तो समाधि से ही सारे सूत्र निकालना चाहता हूं ।
मन का त्याग ---- समाधि !
और समाधि से जो बहता है ---- वह प्रेम ।
वही दान है । क्या अभय ?
मन को छोडो़ , समाधि मिलती है ।

समाधि मिले तो जैसे फूल खिल जाएं और सुगंध उडे़ , ऐसा समाधि में सहस्त्रदल कमल खुलता है ; तुम्हारी चेतना का कमल खुलता है । और उससे सुगंध उड़ती है । उसको दान कहना भी ठीक नहीं । जिसको लेना हो ले , जिसको न लेना हो न ले । कोई न हो तो भी सुगंध उडे़गी ।

इस पूरे शंकराचार्य के सूत्र को अगर मुझसे कोई पूछे तो मैं कहूंगा :
मन से मुक्ति सबसे बडी़ मुक्ति ।
समाधि की उपलब्धि , सबसे बडी़ उपलब्धि
समाधि में जो जाना जाता है -- अनाम , ओंकार , ताओ
वह सब से बडा़ अनुभव ।
और समाधि से जो सहज गंध उठती है , रोशनी बिखरती है.. 
प्रेम वही सबसे श्रेष्ठ दान ।

-- ओशो रजनीश 


लडते रहेंगे लडते रहेंगे : विजय मकवाणा

मैं मुक्तिदाता
आंबेडकर को नमन करता हूं.
करता हूं सलाम
उनके पथ के राहगीरो को,
वे लोग जो जुडे है
क्रांति के दुर्गम पथ पर
उनको मेरा प्रणाम है.
मैं जानता हूं
उनके पथ पर बाधाए बहूत है.
मुझे यह ज्ञात है
चट्टाने तोडकर राजमार्ग
बनाना कठिन बहूत है.
फिर भी जो लगे है
जीवन के स्तर को उठाने में
अपने लोगों में आत्मगौरव जगाने में
जागरण की मशालें लेकर
जो साथी दौड रहे है
उनको मैं प्रणाम करता हूं.
मुझे गर्व है
उन लोगो पर जिन्होने
ईस क्रांतिरथ की धुरा पकडी है.
और शपथ ली है
कि जब तक मनुष्य को
मनुष्य होने गौरव नही मिलेगा
अंतिम सांस तक लडेंगे.
आओ
हम मिलकर उनके साथ प्रतिज्ञा लेते है
कि ईस क्रांति पथ पर
लहू की आखरी बूंद रहेगी तब तक...
सब कुछ न्योछावर करके
मनुष्यता के लिए
समानता के लिए
आज़ादी के लिए
लडते रहेंगे लडते रहेंगे..
-विजय मकवाणा


















Facebook Post :-

હે સવર્ણમિત્ર... : વિજય મકવાણા

હે સવર્ણમિત્ર, તમે મને તમારા દિવાનખંડ સુધી ખેંચી જાઓ છો. તમારાં ભીંતચિત્રો દેખાડો છો. સાથે બેસાડી ચા પિવડાવો છો. સાથે ઉઠો છો. સાથે કામ કરો છો. એટલાં માત્રથી સમાજ બદલાઇ નથી જતો. તમે જે કરી રહ્યાં છો તે આધુનિકતાનો માર છે. તમને ડર લાગે છે કે કોઇ તમને રુઢિવાદી ન કહી દે! તમે સતત કાળજી રાખો છો કે ઓર્થોડોક્સનું લેબલ ન લાગી જાય! તમારી વર્તણુંક ત્યારે બદલાય છે જ્યારે તમે તમારા લોકો વચ્ચે બેઠાં હોવ છો. ત્યાં તમે દરેક રુઢિનાં જોરદાર સમર્થક હોવ છો. ટોળાંમાં તમે ખતરનાક છો.
તમારો મારી સાથેનો વ્યવહાર માત્ર ઔપચારિકતા હોય છે. મજબૂરી હોય છે. સાચો સ્નેહપૂર્ણ અને સહ્રદયતાવાળો વ્યવહાર હોત તો તમે મારી સાથે મારાં આંદોલનમાં ખભેખભો મિલાવી જાતિવાદ નષ્ટ કરવા કુદી પડ્યાં હોત! પણ અફસોસ એવું તમે નથી કરી રહ્યાં. તમે તમારી ચા ની કિંમત વસુલવા ઉત્સુક છો. તમે તમારી મહાનતા સાબીત કરવાના ચક્કરમાં રચ્યાં પચ્યાં રહો છો. તમારી કરતાં તો 'પાક્કો રુઢિવાદી' સારો..લડી તો શકાય!!
-વિજય મકવાણા













Facebook Post : -

અને માણસ ફરી માણસાઇના ગીતો ગાય...

માણસ
પહેલાં તો પોતાને
બરાબરનો બરબાદ કરે!
ચરસ લે, ગાંજો પીવે,
અફિણ-લાલપરી ખાય,
છાકટો થૈ દેશી દારું પીવે,
જે મળે તેને માઁ-બહેન સમાણી ગાળો દે.
પકડીને મારકુટ કરે..
ખુન કરે,
સૂતેલાંની હત્યા કરે
છોકરીઓ-બૈરીઓની છેડતી કરે,
શું બુઢ્ઢી, શું તરૂણી, શું સગીર?
બધી સ્ત્રીઓને પકડી
તેમનો વ્યાસપીઠ પર બળાત્કાર કરે.
ઇસુના, પયગંબરના, બુધ્ધના, કૃષ્ણના
વંશજોને ફાંસી દઇ દે.
દેવાલય, મસ્જિદ, સંગ્રહાલય વિગેરે
ઇમારતોનો જુરેજુરો કરી નાખે
દુનિયાભરમાં ફરફોલ્લાં જેમ
ફેલાઇ ગયેલી
આ અમાનવીય કરતુતોને ફુલવા દે
અને અચાનક ફુટી જવા દે.
એના પછી જે શેષ બચી જાય
તે માણસો
કોઇને પણ ગુલામ ન બનાવે
લુંટમાર ન કરે
કાળો કે ગોરો ન કહે
તું બ્રાહ્મણ, તુ ક્ષત્રિય, તું વૈશ્ય, તું શુદ્ર
કહીને ધુત્કારે નહી.
આકાશને પિતા
અને
ધરતીને માતા માનીને
તેના ખોળામાં હળીમળીને રહે.
ચાંદ અને સુરજ ફિક્કા પડી જાય તેવા
ઉજ્જવળ કામો કરે.
ધરા પર ઉગેલો
એક-એક દાણો પણ સહું વહેંચીને ખાય.
માણસો પર જ ફરીથી કવિતાઓ લખાય.
અને માણસ ફરી માણસાઇના ગીતો ગાય..!
કવિ~નામદેવ ઢસાલ
અનુ~ વિજય મકવાણા















+




Facebook Post :-

ત્યાગ અને ગ્રહણ

ત્યાગ અને ગ્રહણ
એક અમીર માણસ જેના રસોડાંમાં ઘી-દૂધની નદીઓ વહે છે. તે ઘીની બનેલી વાનગીઓની બાધા લઇ લે.. તે ઘીનો ત્યાગ કરે છે તેમ કહેવાય..
એક ગરીબ માણસ જેણે રાશનના ચોખા સિવાય કશું જોયું નથી તે ઘીની બનેલી વાનગીઓની બાધા લઇ લે ..તો તે ત્યાગ ન કહેવાય..જે જોયું નથી, ચાખ્યુ નથી, માણ્યું નથી એનો ત્યાગ કરવો એ મુર્ખતા છે..
ગરીબ માણસે જરુરીયાતો વધારવાની પ્રતિજ્ઞા લેવી જોઇએ..છે એના કરતાં વધું મળે એજ એનું લક્ષ્ય હોવું જોઇએ..
મહાત્મા ગાંધી પાસે હજારો ધોતી ખરીદવાની શક્તિ હતી..ગાંધી સોનાના ઘુઘરે રમેલા હતાં..તેમને વસ્ત્રો પહેરવા કે ન પહેરવા તે વિકલ્પ મળેલો હતો..
આંબેડકર બચપણથી ગરીબીમાં ઉછરેલા,એમણે ભૂખ એટલે શું? એનો રોજેરોજ અનુભવ કરેલો, તેમણે પોતાના સમાજને દારુણ ગરીબીમાં સબડતો જોયેલો હતો. વસ્ત્રવિહીન હજારો સ્ત્રીઓ-બાળકો તેમની આસપાસ હતાં..એ તમને તમારી ફાટેલી, જર્જરીત ધોતીનો ત્યાગ કરવાનું ઉદાહરણ આપવા નહોતા આવ્યા. તેમણે તમારી જરુરીયાતોને પુરી કરવાનો સંકલ્પ લીધો..જે ચીજો પર દલિતોને અધિકાર નહોતો તે ચીજોને બાબાસાહેબે વટભેર ઉપયોગ કરવાનું શરું કર્યું..જીવનપર્યંત બાબાસાહેબે નવાનક્કોર સુટબુટ પહેર્યાં..આપણે માત્ર ગ્રહણ કરવાનું છે..દોસ્તો!
-વિજય મકવાણા












Facebook Post :-

ક્રાંતિ યોગ્ય સમયે જ થાય છે : વિજય મકવાણા

અઢારેક વર્ષ થયાં એકવાર 14મી એપ્રિલ હતી. મેં પપ્પાને બે દિવસ અગાઉ કહ્યું 'પપ્પા 'ફલાણી પાર્ટી' છે તે આંબેડકર જયંતિ નિમિત્તે 'મફત' મુંબઇ લઇ જાય છે. ચૈત્યભુમિ જોવાની ઇચ્છા છે. જાઉં??'
પપ્પા: ત્યાં જઇને તમારે લુખ્ખાગીરી જ કરવાની ને?
હું: પણ, પપ્પા હું ક્યાં કદી..તોફાન..
પપ્પા: વિજુભાઇ ચૂપ રહો! તમારે જવું હોય તો આડા દિવસે તમારા બે ખાસ દોસ્ત લઇને જજો.'મફત' માં નહી આપણા પોતાના પૈસે..આ લોકો સાથે જશો તો ડંડા ખાશો..
હું: પણ પપ્પા આંબેડકર..
પપ્પા: શું આંબેડકર? ઘેટાં જેમ ગમે તેની પાછળ દોડ્યે જવાનું? દિશાવિહિન ટોળાંનો હિસ્સો બનવાનું? કોઇને તમારા ખભા પર પગ મુકી ખુરશી પર ચડાવી દેવાના? બેટા ભણ્યાં વિના, તર્ક કર્યા વિના કોઇ ક્રાંતિ સફળ નહી થાય..સૌથી અગત્યનું કંઇ હોય તો તે શૈક્ષણિક ક્રાંતિ છે. તમારી પાસે પોતાના વિચારો નહી હોય તો અન્ય લોકોના હાથા બની જશો. અહીં તમારી આસપાસ જેટલાં ભણવા માગે છે તેમને મદદ કરો. એ જ આંબેડકર બોલીને ગયાં છે. તમારી ઉંમર થશે, વિચારો પુખ્ત થશે, સાચી સમજણ આવશે તે દિવસે  તમને નહી રોકું.. ક્રાંતિ યોગ્ય સમયે જ થાય છે. ત્યાં સુધી તમારી આસપાસ એને બળ મળી રહે તેવો માહોલ બનાવો..તમે સબળ બનો બીજાને સબળ બનાવો..
~વિજય મકવાણા
#ફાધર્સ_ડે



















Facebook Post : -

દલિતોએ આંબેડકરી આંદોલનને હૃદયના તાર સાથે જોડી દીધું છે : વિજય મકવાણા

એક મિત્ર કહે વિજયભાઈ, આપણી પાસે રાજ્ય /રાષ્ટ્રીય સ્તરે લડત આપી શકે તેવો મોટા ગજાનો કોઈ નેતા નથી. બીજું કે આપણી આંબેડકરી વિચારધારાથી મોટાભાગનો સમાજ અનભિજ્ઞ છે.
મેં કહ્યું નેતા ન હોવાનું કારણ સ્પષ્ટ છે. દલિતોને મોટા ગજાનો નેતા મળે તેવી સંભાવના ખુબ ઓછી મતલબ કે નહીવત છે. કારણ કે, દલિતોએ નેતા થવાની મસમોટી 'બ્રાહ્મણવાદી' શરત રાખી છે. કે, તેમનો નેતા ગરીબ, અંગત મહત્વાકાંક્ષા વિનાનો, ઈમાનદાર, પોતાના બધાં કામ પડતા મૂકી દરેક જગ્યાએ પહોંચી વળવો જોઈએ, વધુમાં નેતા બન્યા બાદ તેની મૂડીમાં એક રૂપિયાનો વધારો ન થવો જોઈએ. દલિતો સતત લીટમસ પેપર લઈને બેઠા હોય છે. આમાંથી એકપણ ટેસ્ટમાં ફેઈલ થાય એટલે તે વિના સબૂતે 'ગદ્દાર,દલાલ,ભડવો' બની જાય છે. દલિતોએ પોતાના ઉભરતા નેતાઓ પર પહેલા ભરોસો કરતા શીખવું પડશે. 

અને બીજી વાત સમાજમાં આંબેડકરી વિચારધારા તમે માનો છો તેના કરતા વધુ વ્યાપક મજબૂત છે. મને કહે કેવી રીતે? મેં કહ્યું તમે આપણા લોકોને ઓળખતા નથી. તમે સામાજિક ન્યાયની, આંબેડકરી આંદોલનની, દલિત અત્યાચારની,કોઈ પણ વાત અભણમાં અભણ પાસે લઈને જાઓ જરૂર સમજી જશે. તે વાતને તે તન-મન-ધનથી ટેકો આપશે. દલિતોએ આંબેડકરી આંદોલનને હૃદયના તાર સાથે જોડી દીધું છે. દલિતોની જીવનશૈલીમાં આંબેડકર છે. તેની રોજીંદી ઘટનાઓમાં આંબેડકર છે. તેને રેશનકાર્ડ નથી મળતું તો તે આંબેડકરને પ્રેરણાસ્ત્રોત માની ખુદની લડાઈ લડે છે. તેની જમીન રાજ્યસાત થાય છે તો આંબેડકરની સાક્ષીએ સરકાર સામે લડે છે. પોતાના હક્કની દરેક લડાઈ માટે તે આંબેડકર સિવાય બીજા કોઈની સામે માથું નથી જુકાવતો.રોજબરોજની એવી કેટલીય ઘટનાઓ છે. જ્યાં તે આંબેડકર જેમ જ સંઘર્ષ કરે છે. જો એ જીતી જાય તો માથું નમાવી આંબેડકરને જશ આપે છે. હારી જાય તો ઉપરના દલાલ,ગદ્દાર,ભડવાને! તમે નજર ફેરવો રોહિત વેમુલાની લડાઈ હોય કે ડેલ્ટા મેઘવાલની કે ઉનાના ચમારોની ઘટના એકપણ નેતા વિના દલિતો પોતાની સામાજિક લડત લડી રહ્યા છે. દરેક મામલે સરકાર/પ્રશાસન/બ્રાહ્મણવાદીઓ ચોપગા થઇ રહ્યા છે. દરેક મોરચે આપણે મનુવાદી તાકાતોને ઉંધા માથે પછાડી રહ્યા છીએ. તમે કેમ કહી શકો કે આપણે આંબેડકરી વિચારધારાથી બહુ દૂર છીએ??
દલિતોને નેતાની જરૂર નથી પડતી કેમ કે, તેમના જીવનની પ્રત્યેક ક્ષણમાં આંબેડકર હાજરાહજૂર છે.! અને આંબેડકર હોય ત્યાં તેમની વિચારધારા હોય જ દોસ્ત..!!
_વિજય મકવાણા













Facebook Post : -