June 10, 2017

ભીમરાવ રામજી આંબેડકરમાંથી પછાતોનાં અધિકારોના લડવૈયા બાબા સાહેબ બન્યા

ભીમરાવ આંબેડકર વડોદરા રાજ્ય તરફથી નાણાંકીય મદદ મેળવી વિદેશ અભ્યાસ અથેઁ ગયા હતા. જો કે તેમાં 10 વર્ષ સુધી રાજ્યની સેવા કરવા કરારબધ્ધ હોવાથી સ્વદેશ આવ્યા બાદ તરત જ રાજ્યની સેવામાં જોડાઇ ગયા હતા.
વડોદરા રાજ્યની સેવામાં થોડોક વહીવટી અનુભવ મળે એ આશયથી તેમની નિમણુંક લશ્કરી સચિવ તરીકે કરવામાં આવી હતી. એ વખતે લશ્કરી સચિવનો હોદ્દો એક રીતે જોતા ભારે માન મરતબાવાળો ગણાતો હતો પણ આ મોભો ભીમરાવ આંબેડકરને ક્યારેય ન મળ્યો હતો.
મિત્રો......આંબેડકરને અહીં પણ અશ્પૃશ્યતાના કડવા અનુભવ સહન કરવા પડ્યા હતા.
તેમનાથી ઘણા જ જૂનિયર ગણાય તેવા મદદનિશો અને તેમના હાથ નીચે કામ કરનાર લોકો સાવ જ બેહુદો વર્તાવ કરતા હતા. કારણ તેમના મતે આંબેડકર ભલે લશ્કરી સચિવ તો હતા પણ જાતે એક અશ્પૃશ્ય સમાજના હતા. ઉડીને આંખે વળગે તેવી વાત તો એ હતી કે આંબેડકરને પીવાનું પાણી પણ આપવામાં આવતુ ન હતુ. સમગ્ર કચેરીના માણસો પોતાને આંબેડકરનો સ્પર્શ ન થાય એ વાતનું ધ્યાન સતત રાખતા હતા.
ફાઇલોની સીધી આપ-લે કરવાને બદલે આંબેડકરના ટેબલ પર દૂરથી જ ફેંકવામાં આવતી હતી.
સૌથી મોટા દુખની વાત તો એ હતી કે આવડા મોટા લશ્કરી સચિવનો હોદ્દો ધરાવતા અધિકારીને માત્ર અશ્પૃશ્ય હોવાના લીધે આખા વડોદરા શહેરમાં કોઇ પોતાનું ઘર આપવા તૈયાર ન હતુ.
આ બાબતે આંબેડકરે વડોદરાના મહારાજને પત્ર દ્વારા જાણ કરી હતી, મહારાજે રાજ્યના દિવાન પાસે મોકલી આપ્યા. દિવાન પોતે પણ આ બાબતે કંઇ કરી શકે તેમ ન હોવાથી આ અંગે અશક્તિ દર્શાવી હતી.
આખરે લાચારીવશ આંબેડકર એક પારસીના ઘરમા અજાણ્યા બનીને રહ્યા હતા. પણ થોડા જ દિવસ બાદ આંબેડકર અશ્પૃશ્ય હોવાની વાત ખબર પડતા પારસી ઘર માલિકે આંબેડકરને ઘરની બહાર કાઢી મૂકાતા તેઓ રસ્તા પર આવી ગયા હતા.
થાકેલા, ભૂખ્યા અને રસ્તા પર આવી ગયેલા આંબેડકર માટે આ અપમાનનો કડવો અનુભવ ભારે વસમો હતો. આખા શહેરમાં રખડ્યા પણ કોઈ ઠેકાણું મળતુ ન હતુ. આંબેડકરને મનોમન ભારે વેદના થઈ. પોતે એક લશ્કરી સચિવ જેવો મરતબાવાળો હોદ્દો ધરાવતા હતા તોય... આટલી હદે હડધૂત થયા.??
સાવ હતાશ અને નાસીપાસ આંબેડકરે વડોદરાના કમાટી બાગમાં એક ઝાડ નીચે વિશ્રામ લીધો હતો અને ત્યાં પોતાને થયેલ અશ્પૃશ્યતાનો કડવો અનુભવ યાદ કરી આંબેડકર રીતસર ચોધાર આંસુએ રડી પડ્યા હતા.
''જો... આટલુ બધુ શિક્ષણ......આટલો મરતબાવાળો હોદ્દો હોવા છતાં.... આ લોકો મારી આટલી આભડછેટ રાખતા હોય.... તો મારા સમાજના ગરીબ.. અભણ.... સામાન્ય માણસની દશા કેવી હશે......?''- એક તરફ આંખોમાં આંસુ વહેતા રહ્યા આંબેડકરના મનમાં સતત આ વિચારો ચાલતા રહ્યા.
આખરે મનોમંથન બાદ આંબેડકરે મનોમન એક સંકલ્પ લીધો કે ''હવે હું મારા અશ્પૃશ્ય સમાજને અધિકાર મળે એ માટે મારાથી બનતુ કરી છુટીશ.''
અને ત્યારથી એજ ઘડીએ ભીમરાવ આંબેડકર મટી પછાતોના અધિકાર માટે આજિવન લડત આપનાર મહા નાયક, મહામાનવ અને યુગપુરૂષ એવા બાબા સાહેબ બન્યા.
કમાટીબાગમાં જ્યાં બાબા સાહેબ ચોધાર આંસુએ રડ્યા હતા અને પોતાનાં બાંધવોના હક્ક માટે લડવા સંકલ્પ કયોઁ હતો. તે જગ્યા આજે સંકલ્પ ભૂમી તરીકે ઓળખાય છે. આંબેડકરવાદી ચળવળની જન્મભૂમિ કહીએ તો પણ અતિશયોક્તિ નથી.
મિત્રો... કદીક વડોદરા જાઓ.. તો કમાટીબાગની સંકલ્પ ભુમીની મુલાકાત ચોક્કસ લેજો. કારણ ત્યાં.. બાબા સાહેબનાં આંસુ પડેલા છે. સંકલ્પભૂમીએ પળભર બેસજો અને બની શકે તો બાબા સાહેબની વિચારધારા પર ચાલવાની કોશિશ કરવાનો સંકલ્પ લેજો...
કારણ બાબા સાહેબના એ સંકલ્પના પ્રતાપે આજે હુ અને તમે આપણે બધા શાંતિથી, આઝાદીથી જીવી રહ્યા છીએ. ભણી ગણીને આગળ વધી શક્યા છીએ.
આજે તમે તમારા મોંધાદાટ સ્માટઁફોનમાં ફેસબુક પર જે પોસ્ટ વાંચી રહ્યા છો. તે બાબા સાહેબના સંધષઁનો પ્રતાપ છે.
જિગર શ્યામલનના જયભીમ.................





Facebook Post :-

ભીમક્રાન્તિ આવનારા ભીમયુગનો આગાઝ : જિગર શ્યામલન



દુનિયાનાં વિવિધ દેશોમાં થયેલ ક્રાન્તિ અને સંધષઁ ઈતિહાસના પાનાઓમાં દફન છે. મોટાભાગની ક્રાન્તિઓ પાછળ શોષણ.., અત્યાચાર.., ગરીબી.., અને ભુખમરો મુખ્ય પરિબળો છે.

જ્યારે પણ અત્યાચાર અને શોષણ પોતાની મયાઁદા વળોટી નાખે છે ત્યારે ક્રાન્તિની ચિનગારી પેદા થાય છે. દુનિયામાં જ્યા પણ ક્રાન્તિઓ થઈ છે તે તમામ અંતે તો લોહીયાળ જ બની છે. પરંતુ કલમ અને વિચારના માધ્યમથી બાબા સાહેબ દ્રારા અશ્પૃશ્યો માટે સામાજિક સમરસતા અને માનવીય અધિકારો માટે કરવામાં આવેલી બધા કરતા સાવ નોખી અને બેજોડ છે.

કારણ દુનિયાના દેશોમાં થયેલી બધી ક્રાન્તિઓ મોટા ભાગે વિદેશની કે પોતાના દેશની સરમુખત્યાર સત્તાશાહી અને આમ પ્રજાના લોકો વચ્ચેનો જ સંઘષઁ હતો, જેમાં શારીરીક બળનો ઉપયોગ થયેલો હતો અને મોટાભાગે હિંસક અને લોહીયાળ બની રહી હતી.

બાબા સાહેબની ક્રાન્તિ કોઈ વિદેશી સત્તા સામે નહી પરંતુ આમ પ્રજાજનો સામે જ હતી. સદીઓથી કચડાયેલ પ્રજાના અધિકારો માટે હતી. સમાજમાં પ્રવઁતતા સામાજિક ભેદભાવ સામે હતી.

પરંપરાગત ભેદભાવવાળી ધામિઁક માન્યતાઓના કારણે રૂપરંગે અને જન્મે માનવ હોવા છતાં માનવની ઓળખ ગુમાવી ચુકેલા સમાજના એક બહુમતી વગઁના લોકોના અસ્તિત્વનો સંઘષઁ હતો. બાબા સાહેબે શરુ કરેલી ક્રાન્તિ કલમ અને માનસિક બળ એટલે કે વિચારધારા પર આધારીત હતી.

આજે બાબા સાહેબ તો નથી પણ તેમને આદરેલ વિચારધારાની લડાઈ એક ચિનગારીની જેમ સદા સળગતી રહી છે. આ ક્રાન્તિ હવે ભીમક્રાન્તિની ઓળખ પામી ચુકી છે.

સમાજમાં પ્રવઁતી રહેલ જાતિવાદનો ખાતમો એટલે જ ભીમ ક્રાન્તિ.....

આપસના ભેદ ભુલી અન્યાય સામે એકજુટ બની સામનો કરવાની રણનિતી એટલે જ ભીમ ક્રાન્તિ.....

અંઘવિશ્વાસ, પાખંડ અને ધમઁમાં રૂઢ બની ગયેલ અંધશ્રધ્ધા સામે તકઁની લડાઈ એટલે જ ભીમ ક્રાન્તિ.....

આપણે જ્યાં પણ છીએ ત્યાં યથા શક્તિ ભીમ ક્રાન્તિનો મોટો કે નાનો હિસ્સો બની આવનારા ભીમયુગને વધાવીએ.....

આ ભીમક્રાન્તિ એ આવનારા ભીમયુગનો આગાઝ છે.

જિગર શ્યામલનનાં જયભીમ......



Facebook Post :-

આંબેડકરવાદ અપનાવ્યા બાદ તમે માત્ર એક ભીમ સૈનિક છો પેટા જાતીઓ ભુલી જાઓ : જિગર શ્યામલન

અનુસૂચિત જાતિની વ્યાખ્યામાં આવતી તમામ જ્ઞાતિઓને લાગું પડે છે.
પહેલી વાત.... એક જ જ્ઞાતિ કેટલા બધા ગોળ.., પરગણાં.., વાડાનાં બંધનોમાં વહેંચાયેલી છે.....?
બીજી વાત બધા જ જુદી જુદી જ્ઞાતિઓ.. સમાજમાં વહેંચાયેલ છે.
એટલે કહેવા પુરતી અનુસૂચિત જાતિ પણ અંદર તો નકરો શંભુમેળો... દરેક પોતાના સમાજને બીજા કરતા સારો.. અને મોટો બતાવવા પોત પોતાના ચોકા વાળી બેસી ગયા છે...
અનુસૂચિત જાતિમાં આ રીતે માનવ શક્તિ વહેંચાયેલી જોઈ એક વિચાર તરત આવે.. આ સંધ કદી કાશી પહોંચી શકે ખરો..?
હકીકતમાં આપણે બાબા સાહેબના સિધ્ધાંતોને સમજી શક્યા જ નથી.
આપણે પહેલા કોણ હતા..? અમુકને બાદ કરતા કોઈનેય ખબર નથી કે કોઈને પડીય નથી.
એકાદ ઉના જેવી ધટના બને એટલે બધા ધેનમાંથી સફાળા જાગી જાય.. પણ પાંચ, દસ દિવસ મહિનો વીત્યા પછી ફરી પાછા ત્યાંના ત્યાં...
આંબેડકરવાદ અપનાવ્યા બાદ તમે વણકર.., ચમાર.., ગરોડા.., નાડીયા.., ભંગી... એમાંના કંઈ નથી રહેતા.. માત્ર એક ભીમ સૈનિક બનો છો.
પણ.. આપણે દુધ અને દહી બેયમાં રહીએ છીએ....
આપણે આજે કોણ છીએ....?
આપણે વણકર છીએ...
આપણે ચમાર છીએ...
આપણે ગરોડા છીએ....
આપણે ભંગી છીએ...
આપણે ફલાણા છીએ...
આપણે ઢીંકણાં છીએ...
આપણે બધા છીએ... પણ આપણે એક નથી...!!!!!
આપણી પર અત્યાચારોના વધતા બનાવ પાછળ આપણી વચ્ચે ચાલી રહેલી ઠંડી યાદવાસ્થળી પણ મુખ્ય કારણ છે.
કારણ વણકરોથી અલગ ચોકો રચી ચમારો મનમાંને મનમાં ફુલાય છે. ચમારોને પછાડવા ગરોડાઓ તત્પર છે.. ભંગીઓ તો આ બધાથી સાવ અલિપ્ત જ છે.
એક કીડીની કોઈ કિંમત નથી.. તેને ચપટીમાં મસળી શકાય છે.. પણ બધી જ કીડીઓ ભેગી થઈ જાય તો મદોન્મત હાથીનેય માથુ પછાડી પછાડીને મરવા મજબુર કરી દે છે...
જો આપણે આપણો પાવર બતાવડો હશે.. તો પહેલા આપણે એક થવું જ પડશે.. અંદરોઅંદરના ભેદ-ભાવ.., વેર-ઝેર.., ગમા-અણગમા.., હુસા-તુસી.., કાવા-દાવા.. બધુજ ભુલીને સમાજમાં એકતા સ્થાપવી પડશે...
પછી જ બાબા સાહેબના વિચારો પર ચાલવાની કોશિશ કરવી જોઈયે...
કારણ આંબેડકરવાદ એ સિંહણના દુધ જેવો છે... એ સોનાના વાસણમાં જ રહી શકે. તાંબા-પિત્તળના વાસણમાં લેવા જાવ તો વાસણ જ ફાડી નાખે..
જિગર શ્યામલનનાં જયભીમ..........


Facebook Post :-

हमारी फसल खराब हो गइ और कोइ इत्तला भी नही कर रहा....!!!

अहमदाबाद : 08/06/2017
अहमदाबाद के वाडज नाम के ईलाके की "जय भीम युवा सेना" ने एक लाख फुलस्केप नोटबूक्स वितरण करने का एक कार्यक्रम रखा था उस मे हमारे कर्मशील साथी राजु सोलंकी , जीग्नेश मेवाणी और अल्पेश ठाकोर ने भाग लीया. नोटबुक्स बहोत ही अदभुत है. उसके टाईटल पेज पर गौतम बुध्ध, ज्योतीबा फुले, संत कबीर, संत रोहीदार, डो बाबा साहेब आंबेडकर की तस्वीरें है और उन सब तसवीरों के बिच मे देश की प्रथम महीला शीक्षीका सावीत्री माई फुले है. बच्चे अध्ययन करते वख्त इन तसवीरों को देख कर अवश्य प्रेरीत होगे. ये बहुजन समाज के सच्चे प्रतीक है. इस कार्यक्रम ने एक संदेश दीया है. दलितो की नई पीढीमे शीक्षा की क्रांती की शुरुआत हो चुकी है. जय भीम युवा सेना के युवान साथी ये समज चुके है उस के लीये उन सब का दील से अभीनंदन है. दलित समाज शीक्षीत बनेगा तो संविधान को पढेगा, कार्ल मार्क्स लीखीत दास केपीटल पढेगा और बाबा साहेब लीखीत जाति प्रथा का विनाश भी पढेगा. अशिक्षित लोगो के सामने ही उनके नेता जुमलेबाजी कर के मसीहा बन जाते है.

जय भीम युवा सेना के इस कार्यक्रम ने राजु सोलंकी ने एक बहोत ही मार्मीक बात कही.
उन्होने कहा, "6  किसानों को मंदसौर मे मार दीया गया, अखबार और मीडिया मे आता है की टमाटर की फसले खराब हो गई..!! पर यहा रामापीर नो टेकरो  , गांधीनगर नो टेकरो (अहमदाबाद के दलित विस्तार) जैसे गरीब और पीछडे विस्तारो मे रह रहा कीसी गरीब मां का बेटा , वह जब जन्मा तम टमाटर जैसा ही था, लाल और एक दम फ्रेश. वो जब सो रहा होता था तो उसे देख कर उस की फुंफी बोला करती थी की कैसा टमाटर जैसा है मेरा लाल... और उस के बाद वोही परीवार का लाल बडा हुआ 5 साल - 10 साल - 15 साल , जैसे तैसे पढने के लीये गया और पढाई छोड दी और चाई की दुकान मे मजदुरी करने लगा. और वह कब शराब पी पी कर गटरो के उपर सोने लगा ये कीसीने नही जाना.. कीसी अखबार ने ये इत्तला नही दी की आप की फसल खराब हो गई..!!! "

आज के इस दौर मे वंचीत समाज को इस प्रकार के प्रोग्राम की बहोत ही जरुरत है . शीक्षा ही हमारी बहोत सारी परेशानीयो का स्थायी समाधान है. राजु सोलंकी जैसे हमारे बहोत सारे साथी इस मुहीम मे पहले से ही जुटे हुए है. अभी और भी बहोत सारे साथीओ तक ये मुहीम को हमे पहुंचाना है. रुकना नही है, थकना नही है.. बस कारवां आगे ही बढाते रहना है.
जय भीम
जय भारत


राजु सोलंकी द्वारा दीये गये वक्तव्य की कुछ झाँकी



Alpesh Thakor Speech









Facebook Links :-




(Created By Vishal Sonara , Based on Facebook Post of Shri Raju Solanki and Video from Kamlesh Dhaval Facebook Post.)

કબીરનું બ્રાહ્મણીકરણ



🌟કબીર અને બ્રાહ્મણવાદ :-

કબીર મારા મતે એક મહાન વિચારક રહ્યા છે; તેઓ "સંત" કે "સ્વામી" જેવા ક્યારેય લાગ્યા નથી. તરુણાવસ્થાથી તેમના દોહા વાંચવાનો ચસ્કો હતો પણ ત્યારે દોહા સમજી શકું તેવું મગજ નહતું. મેં તેમના ઘણા દોહા વાંચ્યા છે અને તે ઉપરથી કહું તો તેઓ વિચારકથી પણ આગળ ક્રિટીક કહી શકાય તેવી પ્રતિભા હતા.તેમની વાણીમાં અંધશ્રદ્ધા અને કુરિવાજો ઉપર કરેલ પ્રહારો તેમજ સાચા-ખોટું શું છે તેની સમજ સ્પષ્ટ સાંભળી શકાય.

પણ જેવું બુદ્ધ સાથે રમાયું તેવું કબીર સાથે પણ કર્યું જ છે. બ્રાહ્મણવાદીઓ પાસે પોતે એક્સપોઝ ના થાય તેની એક થી એક ચડિયાતી દુરંદર્શી યોજનાઓ હોય જ છે.

✴ કબીરનું બ્રાહ્મણીકરણ....

સામાન્ય રીતે એવો પ્રચાર કરવામાં આવે છે કે કબીરના ગુરુ એક બ્રાહ્મણ હતા- સંત રામાનંદ.(જે ભક્તિ-માર્ગના મુખ્યગુરુ તરીકે પ્રખ્યાત છે) કબીર તેમના શિષ્ય કેવી રીતે બન્યા તેની મનઘડત વાર્તા પણ બ્રાહ્મણવાદીઓએ બનાવી છે.(જેમાં તેઓ બેશક નિપુણ છે.)

⟹ એક વાર કબીર અનાથવસ્થામાં ગંગા કિનારે વિશ્રામ કરતા હતા. ત્યારે સંત રામાનંદ ત્યાંથી પસાર થતા હતા ; દરમ્યાન રામાનંદનો પગ કબીરના માથાને અડ્યો. તેથી અચાનક કબીરને આત્મસ્ફૂર્ણા થઇ અને કબીરે રામાનંદને પોતાના ગુરુ બનાવવા જીદ કરી. આખરે રામાનંદે કબીરને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા.

⟹ હવે કબીરના જીવનનો જ એક પ્રેરણાદાયક કિસ્સો જણાવું (મને જેટલું યાદ છે તે ઉપર થી): એક વાર કબીર આરામમાં હોય છે. તેમના પગની દિશા મંદિર/મસ્જિદ તરફ હોય છે; આ દ્રશ્ય દેખી એક પંડિત/મુલ્લા તેમને ટકોર કરે છે કે તમારા પગ બીજી દિશા તરફ વાળો,અહીં રામનું મંદિર છે...ત્યારે કબીર મુલ્લા/પંડિતને જવાબ આપે છે કે જે દિશામાં તમારા અલ્લાહ/રામ ના હોય તે મને જણાવો ; હું તે તરફ મારા પગ કરીશ.

હવે આ ગુરુ-શિષ્ય વાળી વાર્તા કેટલી બકવાસ છે તે સમજદારો તો સમજી જ ગયા હશે. કબીર કે જે અંધશ્રદ્ધા-વાહિયાત વાતોની કટ્ટર વિરોધી હતા, તે જ માત્ર પગનો સ્પર્શ થતા ગુરુની ભીખ માંગે??!!! રામાનંદ એક ભક્તિ રસ થી પ્રભાવિત કવિ-કમ-સંત હતા ,જેઓ વેદો-વેદાંતોથી પ્રભાવિત હતા. જયારે કબીરના દોહામાં વર્તમાન પરિસ્થતિનું વર્ણન હોય તેઓ એક ઉપદેશકની સાથે ક્રિટીક પણ હતા; જેમણે વેદો ઉપર પણ કટાક્ષ કરેલા.આ આખું જુઠાણું એક્સપોઝ કોઈ પણ તર્કપૂર્ણ વ્યક્તિ સરળતાથી કરી શકે- રામાનંદ ૧૪મી સદીના સંત હતા ,જયારે કબીર ૧૫ મી સદીના વિચારક.રામાનંદનો જન્મ ૧૩૩૦-૧૩૫૦ ની અંદર થયો હતો તેવું ખુદ બ્રાહ્મણ ઇતિહાસકારો કહે છે ;જયારે કબીર તો ૧૪૪૦ ની આસપાસ જન્મેલા! કબીર જેવા મહાન વિચારકને પચાવવી પાડવા "સુપરમેનો" કેવી હદ સુધી જઈ શકે!!! વળી, કબીર એક બ્રાહ્મણ પુરુષના નાજાયઝ સંતાન હતા તેવો પ્રચાર પણ બ્રાહ્મણવાદીઓ કરતા આવ્યા છે.તેની વાર્તા પણ બેતૂકી જ છે.

દલિત-પછાતોના પતનનું મુખ્ય કારણ શિક્ષાથી વંચિત રાખવામાં આવ્યા હતા તે જ છે.કદાચ સામાજિક બહિષ્કાર થી તેઓ શરૂઆતના ગાળામાં નબળા રહે પણ જો બહિષ્કૃતોને શિક્ષાનો અધિકાર મળ્યો હોત તો સમય જતા જાગૃકતા પણ કેળવાય.પણ માનવજાતિની બદનસીબી કે આ દેશમાં તેવું ના બન્યું. અશિક્ષિત દલિતો-પછાતો કબીરવાણીને સમજી શકે તે માટે પ્રચાર અને શિક્ષાનું માધ્યમ તેમની પાસે હતું જ નહિ. જેથી કબીરવાણીને સમય જતા બ્રાહ્મણવાદીઓ કેટલાક અંશે વિકૃત કરી શક્યા. જો કે કબીરવાણી દલિત-પછાતોમાં લોકપ્રિય તો હતી જ ;જેથી તેનો સઘળો ભાગ સચવાય રહ્યો.પણ તેનો વ્યાપક સ્તરે પ્રચાર થાય તે સ્થતિમાં સંગ્રાહકો નહતા.જેથી કેટલાક કુતત્વોએ કબીરની સાથે ચમત્કારો સાંકળી કબીરની મૂળ-વિચારધારાનું જ સત્યાનાશ કરવાના પ્રયત્નો કર્યા. આજ-કાલ જાપ-માલા-ભગવાધારી કબીરના ફોટા દેખતા હસવું કે રડવું તેની ગતાગમ ના પડે.

કેટલાક આશાવાદીઓ કહે છે કે દેશ સુધર્યો છે;લોકો શિક્ષિત થયા હોય જાગૃત થયા છે; લોકો હવે સાચું-ખોટું પારખી શકે છે; બ્રાહ્મણવાદ હવે પહેલા જેવો નથી રહ્યો....પણ જે હદે હું બ્રાહ્મણવાદને જાણું છું, ૧૦૦% વિશ્વાસ સાથે કહું કે જો ૨ પેઢી સુધી દલિતો-પછાતોને પાછા શિક્ષાથી વંચિત રાખવામાં આવે તો આધુનિકતા-સુધારાવાદનો ઢોંગ કરતા "સુપરમેનો" આંબેડકરનું પણ બ્રાહ્મણીકરણ કરવામાં સફળતા મેળવી લે. જેમ કે આંબેડકરની બ્રાહ્મણસૂચક અટકનો ફાયદો ઉઠાવી એવો પ્રચાર કરે કે આંબેડકર બ્રાહ્મણ હતા ..પણ અનાથ હોય દલિત પરિવારે દત્તક લીધા હતા વગેરે વગેરે.(એક અનુમાન)...
- રુશાંગ બોરીસા
Kabir implies that by dividing men into castes, clans and creeds encourage quarrels and feads. Better than the Brahmin is a donkey who does useful service to man, a dog is better than a low caste as it guards the house, a cock is better than a Mullah who wakes up a man from his sleep.