February 26, 2018

કોઈપણ ચળવળ કે આંદોલનને સફળ બનાવવા ના ત્રણ મુખ્ય તત્વો

By Jigar Shyamlan ||  22 February 2018 at 10:24am 


કોઈપણ ચળવળ કે આંદોલનને સફળ બનાવવું હોય તો તેમાં ત્રણ તત્વો મહત્વનાં છે.

આ ત્રણ તત્વો એટલે
  1. ફિલોસોફી (Philosophy)
  2. આઈડીયોલોજી (Ideology) અને
  3. પોલીસી (Policy)


આ ત્રણ તત્વો વગર કોઈપણ ચળવળ કે આંદોલન ઉભુ તો થઈ શકે પણ સફળ નહી થાય. કારણ આ તત્વો પાયાના છે.

આપણાં માટે આ ચળવળ કે આંદોલન એટલે ડો. બાબા સાહેબ આંબેડકરે શરૂ કરેલ ની સમાનતા, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાય મેળવવાની ચળવળ કે આંદોલન. આ માનવતાવાદી ક્રાન્તિનુ જ નવુ આંદોલન છે. આપણે માત્ર સમાનતા, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાય જ નહી પણ સાથે સાથે વૈજ્ઞાનિક અભિગમની સાથે અંધશ્રધ્ધા સામે પણ લડવાનુ છે.

હવે આગળ વાત કરી એમ દરેક ચળવળ અને આંદોલન સફળ બનાવવા માટે જે મુખ્ય ત્રણ તત્વો હોવા જરૂરી છે તે આપણી પાસે છે કે નહી તે ચકાસવુ મહત્વનુ છે.
અને મજાની વાત તો એ છે કે આ ત્રણેય તત્વો આપણી પાસે છે જ.

આ ચળવળ અને આંદોલનમાં
  •  આપણી ફિલોસોફી એટલે બુધ્ધ,
  •  આપણી આઈડીયોલોજી એટલે ફુલે-શાહુ-આંબેડકરની વિચારધારા અને
  •  આપણી પોલીસી એટલે બાબા સાહેબે પોતાના પુસ્તકોમાં બતાવેલ રસ્તાઓ અને સંવિધાન.


હવે ચળવળની સફળતા માટે આ ત્રણ તત્વો તો મહત્વપૂર્ણ છે જ પણ તેમાં એક ચોથુ વધારાનુ તત્વ પણ અતિ અગત્યનુ છે અને મારા મતે એ તત્વ છે, નિષ્ઠા કે સમર્પણ ...!! ચળવળ અને આંદોલન સાથે જોડાયેલ પ્રત્યેક માણસની નિષ્ઠા કે સમર્પણ.

બાબા સાહેબ પણ કહેતા હતા-
"मुझे निष्ठावान कार्यकर चाहीए.. बुध्धि की कमी मैं पुरी कर दुंगा.."

मंझिल एक है अपनी तो फिर दुरी का क्या काम है???

By Jigar Shyamlan ||  17 February 2018 at  12:30pm 




भाईयो...

मंझिल एक है अपनी तो फिर दुरी का क्या काम है।
सब के अपने अपने खेमे, सबका अलग नाम है।

कुछ दिनो से देख रहा हुं, हम आपस में ही उग्र बन रहे है। 
देखा यहा हुं तो बडा दु:ख होता है क्योकि कोई दलित है, कोई अनुसूचित जाति है और कोई मूलनिवासी है।

वैसे तो हम सब भिन्न भिन्न विचार से प्रेरित है, लेकिन ईस के बावजूद ईन भिन्नता में भी हमे कोई शब्द जोडै रखता है तो वो है जय भीम का नारा।

अब हम स्वयं जो विचारधारा में मानते हो, उस के हिसाब से समाज के प्रति उठ खडे हूये सवालो पर आपसी विचार मतभेद को एक दूसरे की पोस्ट पर जाहीर करके और एक दुसरे के प्रति कटुता पैदा नही करनी है।

भले ही सब अपनी अपनी विचारधारा पर ही कायम रहे। लेकिन अगर कोई कुछ भी कर रहा है चाहे भले ही उस में कोई प्रत्यक्ष या परोक्ष स्वार्थ हो या न हो। हमे समाज के लिये या समाज के किसी भी व्यक्ति के लिये किये जानेवाले कायँ और करनेवाले कोई भी व्यक्ति को क्रिटिसाईझ नही करना चाहीए।

मेरे विचार से ईतफाक रखनेवाले भाईयो को एक बात कहना चाहुंगा।

यदी कोई भी विचार समाज में जो बदलाव होना चाहीये या लाना चाहीये वह असर पैदा नही कर रहा मतलब उसके प्रचार में या फिर उसको प्रचारीत करनेवाले मेसेन्जर में ही कुछ कमी है। आप उन कमीयों को ढूंढे उस के सुधार के लिये नई रणनीति बनाये।

यदी आप जिस विचारधारा को फैलाना चाहते है उससे लोग नही जूड रहे मतलब विचारधारा के प्रचार-प्रसार में चूंबकीय आकर्षण का अभाव है।

चूंबक जो छोटे छोटे लोहे के टुकडो को अपने प्रति आकर्षीत करता है। यह वास्तव में चूंबक की ही शक्ति है, जो छोटे लोहे के टुकडो को अपने प्रति खीच लेता है। ईसलिये विचारधारा के प्रचार-प्रसार में चूंबकीय आ्कर्षण पैदा करे ता कि अलग-थलग पडे हूये टुकडो को अपनी ओर खींच सके।

ભાનુભાઈ ની શહાદત તમામ સમાજ માટે એક સામાજિક ચળવળ નો પાયો છે

By Jigar Shyamlan ||  17 February 2018 at  12:30pm 






જે.પી.દત્તાની ફિલ્મ "ગુલામી"નો એક ડાયલોગ છે, જેમાં ધમેન્દ્ર કહે છે કે - 
"बरसात की पहली बूंद को तपती हूई जमीन पर गिर कर फना होना ही पडता है।"

ભાનુભાઈના આત્મવિલોપન અને બાદમાં થયેલ અવસાનની ધટનાને લોકો ભલે ગમે તે અર્થ માં મૂલવતા હોય. પણ તેને માત્ર પછાત સમાજ પુરતી સિમીત ન બનાવી દેતા તમામ સમાજના લોકોની નાગરિક અધિકારપત્ર માટેની એક લડાઈ તરીકે પણ નિહાળવી જોઈયે.
આપણે તેને સરકારી કચેરીઓમાં શોભાના ગાંઠીયાની પેઠે ગોઠવેલા નાગરિક અધિકાર પત્રો સામેની લડાઈ તરીકે પણ ઓછી ન આંકવી જોઈયે.

આ એક એવી વાત જેના પર કદાચ બહુધા લોકોનું ધ્યાન નથી જઈ રહ્યું.

સમી તાલુકાના દૂદખા ગામે પછાત સમાજનાં લોકોને સરકાર તરફથી ફાળવાયેલ જમીનના માલીકીકરણની વરસો જૂની માંગણી હતી. આ સભ્યોએ સરકાર દ્વારા નિયત કરાયેલ નાંણા ભયાઁ હતા તેમ છતાં આ મુદ્દે સરકારી તંત્ર પોતાના સ્વભાવ અને આદત મુજબ ખો આપી રહ્યું હતું.

છેલ્લે આ મુદ્દે યોગ્ય નિરાકરણ નહી લાવવામાં આવે તે અંતિમ પગલા તરીકે આત્મવિલોપનની વાત કરવામાં આવી હતી અને તેની જાણ કરતા આવેદનપત્ર પણ સબંધિત તંત્રને અગાઉ મોકલી આપેલ હતા.

બનાવના દિવસે પણ કદાચ આ મામલે સબંધિત લોકોને કલેક્ટરને મળી યોગ્ય રજૂઆત કરવાની કે કોઈ હકારાત્મક વાતચીતનો દૌર આગળ વધે તે બાબતની તક આપવામાં આવી ન હતી.

છેવટે વિલંબમાં પડેલ જમીનના મુદ્દે આ ભાનુભાઈએ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં જ આત્મદાહ કરવો પડ્યો.

હવે આપણે ભાનુભાઈ આંબેડકરવાદી હતા અને પછાતોના જમીનનાં પ્રશ્ન બાબતે આ પગલુ ભરવા મજબુર થયા એટલા માત્રથી આ ધટનાને મૂલવવી ન જોઈયે. કારણ જમીન માટેના અરજદારો તો બીજા હતા. જે જમીન માટે ભાનુભાઈ લડ્યા એમાં તેમનુ ખુદનુ કોઈ હિત ન હતું, કોઈ સ્વાથઁ ન હતો.

એટલે એક અથઁમાં ભાનુભાઈના આત્મવિલોપનની આ ધટના નાગરિક અધિકારપત્ર માટેની એક લડાઈ તરીકે નિહાળવી જોઈયે.

સમાજના તમામ વર્ગના લોકો કે જેઓ પોતાના પ્રશ્નો બાબતે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ ચૂક્યા છે... ધક્કા ખાઈ રહ્યા છે તેઓના માટે નાગરિક અધિકારપત્રનો અસરકારક અમલ કરવાની દિશામાં સરકાર ગંભીર બને તે દિશામાં એક અનોખા આગાઝના રૂપમાં લેખવો જોઈયે.

જેથી ભાનુભાઈ ની શહાદત માત્ર પછાત સમાજ જ નહી પરંતુ તમામ સમાજ માટે એક સામાજિક ચળવળ નો પાયો બની શકે.

સૌ એ વાત જાણે છે કે સરકારી કચેરીમાં કામ કઢાવવા માટે દરેક માણસ ચાહે કોઈ સમાજનો હોય કેટલાય ધક્કા ખાવા પડે છે. જુદા જુદા ટેબલો પર કેટલીય લાંચ આપવી પડે છે.

દરેક સરકારી કચેરીઓમાં નાગરિક અધિકાર પત્રો (સિટીઝન ચાર્ટર્સ) ના મોટા હોર્ડીંગ લગાવાયેલા છે. જેમાં નાગરિકોના ક્યા પ્રકારના પ્રશ્નો કેટલા દિવસની સમય મયાઁદામાં ઉકેલવાના હોય તે લખવામાં આવે છે, પણ તેમ છતાં આ નાગરિક અધિકાર પત્રોનો અસરકારક અમલ જ નથી થતો.

આ ધટનાને માત્ર પછાત સમાજ સુધી સિમીત ન રાખી સર્વ સમાજના લોકો નાગરિક અધિકાર પત્ર અમલીકરણ બાબતે જાગ્રત બને અને સરકારી તંત્ર પર દબાણ લાવે તે દિશામાં જરુરી પગલા લેવાની શરૂઆત તરીકે આંદોલીત કરવી જોઈયે.
(વિચારબીજ -Dr.Tarun Chandrikaben Baldevbhai)

માર્કસવાદ ની દુર્દશા

By Jigar Shyamlan ||  15 February 2018 at  10:09am




ભારત દેશમાં જો કોઈ મહત્વપૂર્ણ વિશેષતા જો કોઈ હોય તો એ જાતિ છે.
હવે આને ભૂલ ગણો કે હાથે કરી ભુલાવી દેવાની વૃત્તિ પણ માર્કસવાદી આંદોલને આ જાતિ બાબતે ખાસ ધ્યાન આપ્યુ હોવાનું ખાસ નોંધાયું નથી.

ત્યાર પછી કદાચ સમાજવાદી વિચારો દ્વારા ઉભી થયેલ ભરપુર આલોચનાઓ પછી આ માર્કસવાદીઓએ પોતાની ભૂલ સુધારવાનો પ્રયાસ કરતા હોય તેમ માર્કસવાદ અને આંબેડકરવાદને ભેગા કરી એક નવી વિચારધારા બનાવવાનો પ્રયાસ કરી જોયો.

માર્કસવાદીઓએ હંમેશા વર્ગવિહીન સમાજ પર ભાર આપ્યો પરંતુ વર્ણવિહીન સમાજ માટે એમને ઝાઝો રસ દાખવ્યો ન હતો.

ભારતમાં માર્કસવાદ લાવનાર બ્રાહ્મણ જ હતા અને દાયકાઓ સુધી એ મનુવાદી બ્રાહ્મણોના હાથમાં જ રહ્યો.

જેવી રીતે મિસ્ટર ગાંધી અને કોન્ગ્રેસે આઝાદીના આંદોલન માટે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટા એવા બહુજન સમાજનો ઉપયોગ કર્યો તેવો જ ઉપયોગ કરવાની આ મંશા હોઈ શકે એ વાત નકારી શકાય તેમ નથી.

પ્રસિધ્ધ ઈતિહાસકાર એસ.કે.બિશ્વાસ પોતાના પુસ્તક "માર્કસવાદ કી દુર્દશા" માં લખે છે કે -
"મનુવાદી બ્રાહ્મણ માત્ર એક જ ઉદ્દેશ લઈને માર્કસવાદી બન્યા અને એ ઉદ્દેશ હતો માર્કસવાદનું અપહરણ કરવું તથા સંસ્કૃતિકરણના નામે આખી વિચારધારાનું હિન્દુકરણ કરવું"

આ વાંચીને એક શંકા ખરેખર સાચી પડતી જણાઈ કે મૂળ તો આ બુધ્ધ આંબેડકરની ક્રાન્તિ અને બહુજન આંદોલનને નુકશાન કરવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર જ છે, Nothing else...

अब समय आ गया है मंदीरो का संपुर्ण राष्ट्रीयकरण कर दीया जाये

By Jigar Shyamlan ||  14 February 2018 at  9:16am 


यदी भारत के सभी मंदीरो का राष्ट्रीयकरण कर दीया और उसकी सारी संपत्ती को राष्ट्रीय संपत्ति घोषित कर दीया जाये तो ईन्सान को मंदीर में जाने की जरुरत ही नही पडेगी..!!

आप सबको यह बात एक पहेली जैसी लगेगी। भला मंदीर का राष्ट्रीयकरण करने से और संपत्ति को राष्ट्रीय संपत्ति घोषित कर देने से यह कैसे संभव हो सकता है..??

आईए ईस बात को कुछ विस्तार से समझने का प्रयास करे।

लेकीन ईस से पहले मै आपसे कुछ सवाल पूछना चाहुंगा, जिसका जवाब देना है। यदी आप सवाल को समझलेंगें तो जवाब भी मिल ही जायेगा।

मेरा पहला प्रश्न है कि ईन्सान मंदीर में क्यो जाता है..??

जितने लोग होंगे उतने ही जवाब ईस प्रश्न पर मिलेंगें। क्योकि मंदीर जाने के लिये हर ईन्सान की भिन्न भिन्न मंशा होती है। भिन्न भिन्न आशाये होती है। भिन्न भिन्न मांगे होती है।

(१). स्वास्थ्य संबंध में
(२). अच्छी शिक्षा के सबंध में
(३). भौतिक सुख सबंध में 
(४). सामाजिक प्रतिष्ठा सबंध में

मतलब यह चार परिबल है जिसकी कामनाये ईन्सान को मंदीर मे जाने के लिये प्रेरीत करती है।

फिर कोई अच्छे स्वास्थ्य की प्राप्ति के लिये जाता होगा। कोई अपनी कुछ बिमारी दूर करने के लिये जाता होगा। अच्छी शिक्षा प्राप्त हो सके उसके लिये यहां जायेगा। कोई पढाई में अच्छे नंबर पा ने की कामना करेगा। भोतिक सुख का सीधा सबंध पैसे और दौलत से जूडा है। ईस हिसाब से जिस के पास नौकरी नही वो नौकरी मांगेंगा। जिसका धंधा है वोह धंधे में बढोतरी की कामना करेगा।

अब यह सारी अलग अलग कामनाओ की पुतिँ के हेतु मंदीर में जानेवाला ईन्सान युं ही नही जाता होगा। वो अपने साथ मंदीरो में चढाए जानेवाले चढावा, पुजा की सामग्री और अंत में दानपेटी में डालने के लिये अपनी हैसीयत के अनुसार दान यांनि कि पैसा भी ले कर जायेगा।

अब ईतनी सारे ईन्सान होगें तो बहोत सारी कामनाये होंगी। और बहोत सारी कामनाये होंगी तो सीधी बात है मंदीरो में उसके हिसाब से दान भी आयेगा। मतलब किसी की भी कामना पुरी हो या न हो दान आने की प्रक्रिया कभी रूकेगी नही।

अब मंदीरो का राष्ट्रीयकरण कर के, उसकी सारी संपत्ति को राष्ट्रीय संपत्ति घोषित कर के और वो सारी संपति को आरोग्य, शिक्षा, स्कील डेवलपमेन्ट एवंम रोजगार उपलब्धी और सामाजिक अधीकारीता के क्षेत्र में लगाया जाये तो सभी क्षेत्रो में और बेहतर सुविधाये समाज के हर वगँ को मिल सकती है।

ईस से क्या फायदा होगा..

1. आरोग्य के क्षेत्र में यह पैसा लगाने से स्वास्थ्य विषय सेवा में बढोतरी होगी। हर गांव में आरोग्य सेवा का विस्तार होगा। लोगो को सरलता से हर प्रकार की अच्छी स्वास्थ्य सेवा मिलेगी।

2.  शिक्षा के क्षेत्र मे यह पैसा लगाने से स्कुल, कोलेज और अन्य शिक्षा सबंधी नये ईन्स्टिट्युट खुलेंगें। अच्छी और बेहतरीन शिक्षा के लिये ज्यादा पैसा खचँ नही करने पडेगें। गरीब से गरीब छात्र भी पढ सकेगें।

3.  स्कील डेवलपमेन्ट और रोजगारी क्षेत्र मे यह पैसा लगाया जाये तो काफी अच्छे परिणाम आ सकते है। नये छोटे उधोगो को काफी बढावा मिलेगा। जिससे रोजगार के नयी संभावना बढेगी।

4.  ऐसा करने से ईन सब क्षेत्रो में फायदा तो होगा ही पर सबसे बडा फायदा देश के टेक्स पेयर्सँ को होगा। क्योकि मंदीरो की संपत्ति राष्ट्रीय संपत्ति घोषित कर के वो संपत्ति शिक्षा और आरोग्य सेवा को और बेहतर बनाने के लिये सरकार लगायेगी तो फिर ईन क्षेत्रो के हेतु टेक्स नही बढाना पडेगा। जब टेक्स कम होंगे तो मंहगाई भी कम होगी। महंगाई कम होगी तो हर एक को रोटी मिलेगी। धीरे धीरे खुशहाली आयेगी।

मंदीरो का राष्ट्रीयकरण करने से। मंदीरो की संपत्ति राष्ट्रीय संपत्ति घोषित कर के उसको राष्ट्रनिमाँण में लगाने से यह सब संभव हो सकता है। और यह सब संभव होगा तब किसी के पास कोई कामना नही रह जायेगी और जब किसीकी कोई कामनाये ही नही होंगी तो सीधी सी बात है मंदीरो में जाना अपने आप ही बंध हो जायेगा।

બાબા સાહેબનું અધુરૂ મિશન હજીય અધુરૂ જ પડ્યું છે...

By Jigar Shyamlan ||  3 February 2018 at 9:16am


બાબા સાહેબ જ્યારે કાલેલકર કમિશન(1953) ના અધ્યક્ષ કાલેલકરને મળવા ગયા ત્યારની વાત છે.

કાલેલકર કમિશનનો સવાલ હતો કે...- '' તમે આખી જિંદગી પછાત સમાજોનાં ઉત્થાન માટે ખરચી કાઢી..,તમારા મતે પછાતો માટે શું કરવું જોઈયે....?

બાબા સાહેબે જવાબ આપ્યો કે- ''જો પછાત સમાજોનો ઉધ્ધાર કરવો હોય તો તેમાં મોટા માણસો પેદા કરવા જોઈયે..''

કાલેલકર આ વાત સમજી શક્યા નહી.... એમણે ફરી પુછ્યું.. '' મોટા માણસો પેદા કરવા એનો મતલબ...?

બાબા સાહેબે જવાબ આપતા કહ્યું...- '' જો કોઈ સમાજમાં 10 ડોક્ટર.., 15 વકીલ.. અને 20 ઈજનેરો પેદા થઈ જાય...તો એ સમાજની સામે આંખ ઉઠાવીને જોવાની કોઈની હિંમત નથી...''

આ ઘટનાના 3 વરસ બાદ 1956ની 18મી માર્ચ ના દિવસે આગરા ખાતે એક સભામાં બાબા સાહેબે બોલતા જણાવ્યું કે...- '' મને ભણેલા ગણેલા લોકોએ દગો દીધો છે. હું એમ માનતો હતો કે આ લોકો ભણી ગણી પોતાના સમાજની આગેવાની કરશે. પણ હું જોઈ રહ્યો છું મારી આજુબાજુ સાહેબોની ભીડ ઉભી થઈ રહી છે. જે પોતાનું પેટ ભરવામાં વ્યસ્ત છે.
કોઈને સમાજની પડી નથી.બધા જ પોતપોતાનો સ્વાર્થ સાધી રહ્યા છે."

મિત્રો.... આજે પછાત સમાજમાં 10 ના બદલે 10 હજાર ડોક્ટરો...., 15 ના બદલે 15 હજાર વકીલો તથા 20 ના બદલે 20 હજાર ઈજનેરો પેદા થઈ ગયા છે.

આપણાં પરદાદા આવીને ગયા.. આપણાં દાદા ય ગયા... આપણાં બાપા પણ જશે.... અને આપણેય જતા રહીશું.

છતાં બાબા સાહેબનું અધુરૂ મિશન હજીય અધુરૂ જ પડ્યું છે.

ભાનુભાઈ અને નાગરિક અધિકાર આંદોલન

By Dr Tarun Chandrikaben Baldevbhai || 26 February 2018



ઈ તારીખ ૧૬ ફેબ્રુઆરી ની મોડી રાત્રે અમદાવાદ એપોલો હોસ્પિટલથી આવેલ એ હ્યદયદ્ભાવક દુઃખદ સમાચાર કે  નાગરિક અધિકાર ની લડાઈ માં આપણા પ્રેરણામૂર્તિ ભાનુભાઈ હવે આપણી વચ્ચે નથી રહ્યા.

           ભાનુભાઈનું નામ અમર થાય, ભાનુભાઈની આ લોકાધિકારમાટે જાત હોમી નાખતી ખામીરવંતી શહાદત ની નોંધ મોટા પાયે લેવાય , તેમની શહીદી એળે ન જાય, અને સર્વ સમાજ ના લોકો તેમની મૃત્યુ નો સરકાર સામે ગુસ્સો બતાવે, એક નિઃસ્વાર્થ સમાજસેવક ની તંત્ર દ્વારા કરવામાં આવેલ નિર્મમ હત્યાનો વિરોધ જતાવે તેના માટે વ્યવસ્થિત આયોજન થાકી એક એવો મુદ્દો ઉજાગર કરવો જોઈએ કે ભાનુભાઈ ની શહાદત તે નાગરિક અધિકારપત્ર માટેની એક મોટી સામાજિક ચળવળ નો પાયો બની જાય.
    
           માંડીને વાત કરું તો આપણને સૌને ખબર છે કે સરકારી કચેરીમાં કામ કઢાવવા માટે કેટલાય ધક્કા ખાવા પડે છે, લાંચ આપવી પડે છે. પાટણ ના સમી તાલુકાના દૂદખા ગામના નાગરિકોને સરકાર દ્વારા ફળવાયેેેલ જમીન ના માલીકીકરણની વરસો જૂની માંગણી હતી. આ સભ્યોએ સરકાર દ્વારા નિયત કરાયેલ નાંણા ભયાઁ હતા તેમ છતાં આ મુદ્દે સરકારી તંત્ર પોતાના સ્વભાવ અને આદત મુજબ ખો આપી રહ્યું હતું.સરકારી કચેરીમાં કામ કઢાવવા માટે દરેક માણસ ચાહે કોઈ સમાજનો હોય કેટલાય ધક્કા ખાવા પડે છે. જુદા જુદા ટેબલો પર કેટલીય લાંચ આપવી પડે છે. ભાનુભાઈનું આત્મદાહ નું પગલું એક ગંભીર ઘટના છે, જે  કોઈ એક જ્ઞાતિ ,સમાજ ,ગામ , શહેર કે જિલ્લા પૂરતી સીમિત ના હોઈ શકે.  ભાનુભાઈ ની લડાઈ એ ફક્ત કોઈ દલિત માત્ર કે ગરીબ માત્ર ને જમીન નો ટુકડો અપાવવા માટેની હતી તેવું મૂલ્યાંકન સાવ કાચું કહી શકાય. ભાનુભાઈનો સંઘર્ષ તે સરકારી કચેરી ઓમાં શોભાના ગાંઠીયાની પેઠે ગોઠવેલા નાગરિક અધિકાર પત્રો સામેની લડાઈ તરીકે પણ ઓછો ન આંકવો જોઈયે.

        તમારા વિસ્તારમાં સર્વ-સમાજના લોકો નાગરિકઅધિકારપત્ર ના અમલીકરણ માટે પ્રયત્નશીલ થાય એના માટે આપણે વાત વહેતી મૂકી શકીયે..અધિકારીઓએ નાગરિકોના કામ કેટલા દિવસમાં કરી આપવા તેની સમય મર્યાદા જણાવતા બોર્ડ દરેક સરકારી કચેરી માં લાગે અને તે સમય મર્યાદામાં લોકોનું કામ થાય તેવું નિશ્ચિત થાય, અને જો સમયમર્યાદામાં કામ થાય નહિ તો જે તે અધિકારી ને દંડ થાય તેવા પ્રાવધાન માટે માંગણી કરીયે અને તે મુજબ ના કાર્યક્રમો સર્વસમાજ ને સાથે લઈને કરીયે, સિટીઝન્સ ચાર્ટર ની માંગણી સાથે કલેક્ટર કચેરીના ઘેરાવ નો, આવેદન નો કાર્યક્રમ કરી શકાય અને ભાનુભાઈનું બલિદાન તેના પાયામાં રહે.

....એક સુચન...
શ્રધ્ધાંજલી

ડો.તરૂણ
(સ્ત્રીરોગ નિષ્ણાત, અમદાવાદ)