Showing posts with label Bhanubhai Vankar. Show all posts
Showing posts with label Bhanubhai Vankar. Show all posts

June 20, 2018

भानुभाई का बलिदान

By Raju Solanki  || 10 April 2018



देश आझाद हूआ तब गुजरात के दुदखा गांव के दलित जाति के वणकर कुबेर दला और फकीर डोसा के पास करीब 9 हैक्टर जमीन थी. उस वक्त गुजरात बोम्बे स्टेट का हिस्सा था. 1955 में कांग्रेस सरकार ने परचुरण इनामी नाबूदी अधिनियम, 1955 के तहत इन दलितों की जमीन सरकार के क़ब्जे में ले ली. याद रहे, इसी कांग्रेस सरकार ने एक साल बाद 1956 में लेन्ड टेनन्सी कानून के तहत सौराष्ट्र के 55,000 पटेल किसानों को दो लाख एकड जमीन का स्वामित्व दे दिया था.

1955 से लेकर 1995 तक. चालीस साल गुजरात में कांग्रेस की लीबरल, डेमोक्रेटिक, सेक्युलर, प्रगतिशील, दलित-मित्र सरकार थी. किसीने इन गरीब दलितों को इनकी जमीन वापस देने का कोई प्रयास नहीं किया. उस वक्त झीनाभाई दरजी थे, बडे दलित-मित्र. बीस मुद्दा अमलीकरण समिति के अध्यक्ष. उन्हों ने भी कुछ नहीं किया. वणकर कुबेर दला सरकारी कचहरियों के चक्कर काटते काटते मर गए. उनकी बेटी हेमाबेन अब इस जमीन के लिए लडने लगी. 1995 के बाद गुजरात में भाजप की सरकार आई. हिन्दु हीत की बात करेगा, वही देश पर राज करेगा, नारा देनेवाली सरकार. उसने भी कुछ नहीं किया. बेचारी हेमाबेन भी सरकारी कचहरियों के चक्कर काटते काटते बूढ्ढी हो गई.

एक दिन एक सेवा-निवृत्त सरकारी कर्मी भानुभाई उनके पास गए. उन्हों ने उनका केस हाथ में लिया. वे भी अब सरकारी दफ्तरों के चक्कर काटने लगे. एक दिन भानुभाई के शब्र का पियाला भर गया. उन्हों ने अपने करीबी दोस्तों को बोल दिया, मैं अब आत्मविलोपन करुंगा. सरकार हमारा सूनती नहीं है. अब मैं मेरी जान दे दुंगा. अपने वचन के पक्के भानुभाई ने पाटन कलेक्टर कचहरी के सामने ही अपने शरीर पर ज्वलनशील पदार्थ छीडककर जलकर अपने प्राणों की आहूती दे दी. पूरे देश में भूचाल आ गया. लोग सडकों पर आ गए. कई दिनों तक उनका मृतदेह लेकर उनकी पत्नी गांधीनगर में बैठी रही. तब सरकार ने इस जमीन, जो 1955 से दलितों से छीनी गई थी, वापस देने का फैंसला किया.

यह पूरी कहानी मैं आज फिर इस लिए दोहरा रहा हूं कि भानुभाई की मौत के लिए कांग्रेस औऱ भाजप दोनों जिम्मेदार है. दोनों पक्ष दलितों के जजबातों से खिलवाड करते हैं. दोनों के लिए दलितों के मुद्दे फुटबोल जैसे है, जब चाहो उछालो. सत्ता पर आने के बाद भूल जाओ. हमें यह याद रखना पडेगा, वर्ना भानुभाई जैसे लोग शहीद होते रहेंगे और हम वहीं के वहीं रहेंगे.

March 03, 2018

Letter from Gujarat

By Raju Solanki  || 20 February 2018 at 17:26




Letter from Gujarat

How helplessly pathetic it has been to watch both political parties in Gujarat manipulating each and every atrocity on Dalits, getting political mileage out of it and using it for their narrow electoral gains during last forty years!
In the eighties when Congress was in power, BJP would exploit Dalit anger sending its Dalit stooges in Dalit protests and Dharanas, Modi would come with a glass of lemon to end daylong fast of his party's obedient Dalit leaders. The famous Sambarada struggle of 1989 was the glaring example of BJP's blatant manipulation of Dalit dissent, where the then Union finance minister B K Gadhvi was the villain as his caste men tormented Dalits of Sambarda village. The Samabarda struggle was one of the reasons for Congress' downfall in Gujarat.
Now, it is a turn of Congress, the opposition party to ride on Dalit anger and beat BJP with the same tactics and method. And Dalits are simply becoming pawns in the power struggle between two Brahmanical parties.
- Raju Solanki
(copy from 'Tamil-Gujarat Sangam')

પ્યાદા બનેલા દલિતો


By Raju Solanki  || 20 February 2018 at 17:26



છેલ્લા ચાલીસ વર્ષથી ગુજરાતમાં દલિતો પર થતા દરેક અત્યાચારમાંથી રાજકીય ફાયદો ઉઠાવીને ચૂંટણીમાં વોટ મેળવતા બંને મુખ્ય રાજકીય પક્ષોને આપણે અસહાયતાપૂર્ણ લાચારીથી જોઈ રહ્યા છીએ.

એંસીના દાયકામાં કોંગ્રેસ જ્યારે સત્તા પર હતી, ત્યારે બીજેપી તેના દલિત ચમચાઓને દલિતોના આંદોલનો, ધરણા, દેખાવોમાં મોકલીને દલિત આક્રોશને ભૂનાવતી હતી. મોદી લીંબુના શરબતનો ગ્લાસ લઇને તેમના પક્ષના આજ્ઞાંકિત દલિત નેતાઓ, કાર્યકરોને દિવસના ધરણાના અંતે પારણા કરાવતા હતા. 1989ની ઐતિહાસિક સાંબરડા હિજરત દલિત આક્રોશના વરવા ઉપયોગનું સચોટ ઉદાહરણ છે, જ્યારે કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી બી. કે. ગઢવી ખલનાયકના રૂપમાં ચીતરાયા હતા, કેમ કે તેમની જાતિના લોકોએ સાંબરડામાં દલિતોને પ્રતાડ્યા હતા. સાંબરડાની છ મહિના ચાલેલી હિજરત અને સંઘર્ષ ગુજરાતમાં કોંગ્રેસની હાર માટેના મુખ્ય કારણો પૈકીની એક હતી.

હવે, દલિત આક્રોશના ઝંઝાવાત પર સવાર થયેલી કોંગ્રેસ બીજેપીને એ જ રણનીતિ અને પદ્ધતિથી પજવી રહી છે. બંને પક્ષોની સત્તાની સાઠમારીમાં પ્યાદા બનેલા દલિતો આત્મવિલોપનો કરી રહ્યા છે.

ક્યા સુધી છેતરાશો?

By Raju Solanki  || 21 February 2018 at 15:21 


જ્યારે જ્યારે સત્તા પરીવર્તન થાય છે ત્યારે ત્યારે રણમેદાનમાં દલિતો મોખરે હોય છે. પેશવાઓ સામેના જંગમાં હજારો મહારોએ કુરબાની આપી હતી. સત્તા પર આવ્યા પછી અંગ્રેજો મહારોની દિલેરી ભૂલી ગયા હતા.

અંગ્રેજો સામે આઝાદીનો જંગ છેડાયો, ત્યારે ચૌરીચૌરામાં સિત્તેર જાટવો ફાંસીના માંચડે લટકી ગયા. ઇતિહાસમાં એમની જાનફેસાનીની નોંધ સુદ્ધા ના લેવાઈ.ગાંધીએ દાંડીકૂચ કાઢી એમાં પણ દલિતો પણ જોડાયા. આજે એમને કોઈ યાદ કરતું નથી.

1947માં સત્તા પરીવર્તન થયું અને કોગ્રેસ સત્તા પર આવી. કોંગ્રેસે અંગ્રેજોથીય બદતર વહેવાર કર્યો દલિતો સાથે. થોડાગણા (0.001 ટકા) દલિતો સૂખી થયા અનામતના લાભો લઇને, પરંતુ બહુમત દલિતો કંગાળ જ રહ્યા.

ગુજરાતમાં ભાજપ પણ સત્તા પર આવી એમાંય બલિદાનની વેદી પર તો દલિતો જ ચડ્યા. ગોધરા કાંડમાં હજારો દલિતો જેલમાં ગયા, કોમવાદીનું લેબલ દલિતો પર મીડીયા અને સેક્યુલર બૌદ્ધિકોએ લગાવ્યું, બદનામ દલિતો થયા અને માલ મલીદા સવર્ણોએ ચાટ્યાં.

આમ, ઇતિહાસમાં વારંવાર દલિતો પરીવર્તનની રણભેરી ફૂંકે છે, મરે છે, શહીદ થાય છે, આત્મવિલોપનો કરે છે. અને જ્યારે સત્તા મળે છે ત્યારે દલિતો ફરી પાછા હાંસિયા પર ધકેલાય છે. વારંવાર દલિતો છેતરાય છે, તોય એમની આંખો ઉઘડતી નથી.

આજે સમગ્ર દેશમાં મોદી અને ભાજપ સામે અસંતોષ વધી રહ્યો છે. દલિતો બલિદાનો આપી રહ્યા છે. સવર્ણ સમાજ માલ્યા, નીરવ મોદી, કોઠારી જેવા લૂંટારાઓને પેદા કરી રહ્યો છે અને દલિતો રોહિત વેમુલા, ભાનુભાઈ વણકર જેવા શહીદોને સર્જી રહ્યો છે. કાલે મોદી સત્તા પરથી ઉતરી જશે અને ભાજપ ઘરે જશે ત્યારે શું દલિતોને સત્તામાં એમનો ન્યાયોચિત હિસ્સો મળશે? શું કોંગ્રેસ ફરી સત્તા પર આવશે તો અસમાનતામૂલક, અન્યાયી સમાજવ્યવસ્થા બદલાશે? તમારી જાતને આ સવાલ પૂછો.

February 26, 2018

ભાનુભાઈ ની શહાદત તમામ સમાજ માટે એક સામાજિક ચળવળ નો પાયો છે

By Jigar Shyamlan ||  17 February 2018 at  12:30pm 






જે.પી.દત્તાની ફિલ્મ "ગુલામી"નો એક ડાયલોગ છે, જેમાં ધમેન્દ્ર કહે છે કે - 
"बरसात की पहली बूंद को तपती हूई जमीन पर गिर कर फना होना ही पडता है।"

ભાનુભાઈના આત્મવિલોપન અને બાદમાં થયેલ અવસાનની ધટનાને લોકો ભલે ગમે તે અર્થ માં મૂલવતા હોય. પણ તેને માત્ર પછાત સમાજ પુરતી સિમીત ન બનાવી દેતા તમામ સમાજના લોકોની નાગરિક અધિકારપત્ર માટેની એક લડાઈ તરીકે પણ નિહાળવી જોઈયે.
આપણે તેને સરકારી કચેરીઓમાં શોભાના ગાંઠીયાની પેઠે ગોઠવેલા નાગરિક અધિકાર પત્રો સામેની લડાઈ તરીકે પણ ઓછી ન આંકવી જોઈયે.

આ એક એવી વાત જેના પર કદાચ બહુધા લોકોનું ધ્યાન નથી જઈ રહ્યું.

સમી તાલુકાના દૂદખા ગામે પછાત સમાજનાં લોકોને સરકાર તરફથી ફાળવાયેલ જમીનના માલીકીકરણની વરસો જૂની માંગણી હતી. આ સભ્યોએ સરકાર દ્વારા નિયત કરાયેલ નાંણા ભયાઁ હતા તેમ છતાં આ મુદ્દે સરકારી તંત્ર પોતાના સ્વભાવ અને આદત મુજબ ખો આપી રહ્યું હતું.

છેલ્લે આ મુદ્દે યોગ્ય નિરાકરણ નહી લાવવામાં આવે તે અંતિમ પગલા તરીકે આત્મવિલોપનની વાત કરવામાં આવી હતી અને તેની જાણ કરતા આવેદનપત્ર પણ સબંધિત તંત્રને અગાઉ મોકલી આપેલ હતા.

બનાવના દિવસે પણ કદાચ આ મામલે સબંધિત લોકોને કલેક્ટરને મળી યોગ્ય રજૂઆત કરવાની કે કોઈ હકારાત્મક વાતચીતનો દૌર આગળ વધે તે બાબતની તક આપવામાં આવી ન હતી.

છેવટે વિલંબમાં પડેલ જમીનના મુદ્દે આ ભાનુભાઈએ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં જ આત્મદાહ કરવો પડ્યો.

હવે આપણે ભાનુભાઈ આંબેડકરવાદી હતા અને પછાતોના જમીનનાં પ્રશ્ન બાબતે આ પગલુ ભરવા મજબુર થયા એટલા માત્રથી આ ધટનાને મૂલવવી ન જોઈયે. કારણ જમીન માટેના અરજદારો તો બીજા હતા. જે જમીન માટે ભાનુભાઈ લડ્યા એમાં તેમનુ ખુદનુ કોઈ હિત ન હતું, કોઈ સ્વાથઁ ન હતો.

એટલે એક અથઁમાં ભાનુભાઈના આત્મવિલોપનની આ ધટના નાગરિક અધિકારપત્ર માટેની એક લડાઈ તરીકે નિહાળવી જોઈયે.

સમાજના તમામ વર્ગના લોકો કે જેઓ પોતાના પ્રશ્નો બાબતે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ ચૂક્યા છે... ધક્કા ખાઈ રહ્યા છે તેઓના માટે નાગરિક અધિકારપત્રનો અસરકારક અમલ કરવાની દિશામાં સરકાર ગંભીર બને તે દિશામાં એક અનોખા આગાઝના રૂપમાં લેખવો જોઈયે.

જેથી ભાનુભાઈ ની શહાદત માત્ર પછાત સમાજ જ નહી પરંતુ તમામ સમાજ માટે એક સામાજિક ચળવળ નો પાયો બની શકે.

સૌ એ વાત જાણે છે કે સરકારી કચેરીમાં કામ કઢાવવા માટે દરેક માણસ ચાહે કોઈ સમાજનો હોય કેટલાય ધક્કા ખાવા પડે છે. જુદા જુદા ટેબલો પર કેટલીય લાંચ આપવી પડે છે.

દરેક સરકારી કચેરીઓમાં નાગરિક અધિકાર પત્રો (સિટીઝન ચાર્ટર્સ) ના મોટા હોર્ડીંગ લગાવાયેલા છે. જેમાં નાગરિકોના ક્યા પ્રકારના પ્રશ્નો કેટલા દિવસની સમય મયાઁદામાં ઉકેલવાના હોય તે લખવામાં આવે છે, પણ તેમ છતાં આ નાગરિક અધિકાર પત્રોનો અસરકારક અમલ જ નથી થતો.

આ ધટનાને માત્ર પછાત સમાજ સુધી સિમીત ન રાખી સર્વ સમાજના લોકો નાગરિક અધિકાર પત્ર અમલીકરણ બાબતે જાગ્રત બને અને સરકારી તંત્ર પર દબાણ લાવે તે દિશામાં જરુરી પગલા લેવાની શરૂઆત તરીકે આંદોલીત કરવી જોઈયે.
(વિચારબીજ -Dr.Tarun Chandrikaben Baldevbhai)

ભાનુભાઈ અને નાગરિક અધિકાર આંદોલન

By Dr Tarun Chandrikaben Baldevbhai || 26 February 2018



ઈ તારીખ ૧૬ ફેબ્રુઆરી ની મોડી રાત્રે અમદાવાદ એપોલો હોસ્પિટલથી આવેલ એ હ્યદયદ્ભાવક દુઃખદ સમાચાર કે  નાગરિક અધિકાર ની લડાઈ માં આપણા પ્રેરણામૂર્તિ ભાનુભાઈ હવે આપણી વચ્ચે નથી રહ્યા.

           ભાનુભાઈનું નામ અમર થાય, ભાનુભાઈની આ લોકાધિકારમાટે જાત હોમી નાખતી ખામીરવંતી શહાદત ની નોંધ મોટા પાયે લેવાય , તેમની શહીદી એળે ન જાય, અને સર્વ સમાજ ના લોકો તેમની મૃત્યુ નો સરકાર સામે ગુસ્સો બતાવે, એક નિઃસ્વાર્થ સમાજસેવક ની તંત્ર દ્વારા કરવામાં આવેલ નિર્મમ હત્યાનો વિરોધ જતાવે તેના માટે વ્યવસ્થિત આયોજન થાકી એક એવો મુદ્દો ઉજાગર કરવો જોઈએ કે ભાનુભાઈ ની શહાદત તે નાગરિક અધિકારપત્ર માટેની એક મોટી સામાજિક ચળવળ નો પાયો બની જાય.
    
           માંડીને વાત કરું તો આપણને સૌને ખબર છે કે સરકારી કચેરીમાં કામ કઢાવવા માટે કેટલાય ધક્કા ખાવા પડે છે, લાંચ આપવી પડે છે. પાટણ ના સમી તાલુકાના દૂદખા ગામના નાગરિકોને સરકાર દ્વારા ફળવાયેેેલ જમીન ના માલીકીકરણની વરસો જૂની માંગણી હતી. આ સભ્યોએ સરકાર દ્વારા નિયત કરાયેલ નાંણા ભયાઁ હતા તેમ છતાં આ મુદ્દે સરકારી તંત્ર પોતાના સ્વભાવ અને આદત મુજબ ખો આપી રહ્યું હતું.સરકારી કચેરીમાં કામ કઢાવવા માટે દરેક માણસ ચાહે કોઈ સમાજનો હોય કેટલાય ધક્કા ખાવા પડે છે. જુદા જુદા ટેબલો પર કેટલીય લાંચ આપવી પડે છે. ભાનુભાઈનું આત્મદાહ નું પગલું એક ગંભીર ઘટના છે, જે  કોઈ એક જ્ઞાતિ ,સમાજ ,ગામ , શહેર કે જિલ્લા પૂરતી સીમિત ના હોઈ શકે.  ભાનુભાઈ ની લડાઈ એ ફક્ત કોઈ દલિત માત્ર કે ગરીબ માત્ર ને જમીન નો ટુકડો અપાવવા માટેની હતી તેવું મૂલ્યાંકન સાવ કાચું કહી શકાય. ભાનુભાઈનો સંઘર્ષ તે સરકારી કચેરી ઓમાં શોભાના ગાંઠીયાની પેઠે ગોઠવેલા નાગરિક અધિકાર પત્રો સામેની લડાઈ તરીકે પણ ઓછો ન આંકવો જોઈયે.

        તમારા વિસ્તારમાં સર્વ-સમાજના લોકો નાગરિકઅધિકારપત્ર ના અમલીકરણ માટે પ્રયત્નશીલ થાય એના માટે આપણે વાત વહેતી મૂકી શકીયે..અધિકારીઓએ નાગરિકોના કામ કેટલા દિવસમાં કરી આપવા તેની સમય મર્યાદા જણાવતા બોર્ડ દરેક સરકારી કચેરી માં લાગે અને તે સમય મર્યાદામાં લોકોનું કામ થાય તેવું નિશ્ચિત થાય, અને જો સમયમર્યાદામાં કામ થાય નહિ તો જે તે અધિકારી ને દંડ થાય તેવા પ્રાવધાન માટે માંગણી કરીયે અને તે મુજબ ના કાર્યક્રમો સર્વસમાજ ને સાથે લઈને કરીયે, સિટીઝન્સ ચાર્ટર ની માંગણી સાથે કલેક્ટર કચેરીના ઘેરાવ નો, આવેદન નો કાર્યક્રમ કરી શકાય અને ભાનુભાઈનું બલિદાન તેના પાયામાં રહે.

....એક સુચન...
શ્રધ્ધાંજલી

ડો.તરૂણ
(સ્ત્રીરોગ નિષ્ણાત, અમદાવાદ)