May 12, 2017

आस्था के नाम पर आप अपने आप को कब तक धोखा देते रहोगे ??? : संजय पटेल

दोस्तों आप मेरी सीधी भाषा से तो समझते नहीं है क्योकि आप सभी को रामायण और महाभारत जैसी कहानी सुनने की आदत जो हो गयी है... तो आइये आज मैं भी आपको एक कहानी सुनाता हु शायद आपको समझ आ जाये... 

आस्था या अंधश्रद्धा !???

  एक नई नवेली दुल्हन जब ससुराल में आई तो प्रथा के अनुसार उसकी सास बोली बहु कल माता के मन्दिर में चलना है बहू ने पूछा सासुमाँ एक माँ जिसने मुझे जन्म दिया वो है और एक माँ आप हो और कोनसी माँ है ?

सास बढ़ी खुश हुई की मेरी बहू तो बहुत सीधी है सास ने कहा बेटा पास के मन्दिर में दुर्गा माता है... नयी दुल्हन को माता के दर्शन करवाने की प्रथा है तो कल सुबह हम चलेगे ।

सुबह होने पर दोनों एक साथ मन्दिर जाती है आगे सास पीछे बहु । मन्दिर के पटांगण में गाय और बछड़े की एक पत्थर की मूर्ति थी और उस मूर्ति में से दूध गिर रहा था उसे देखकर बहु ने कहा माजी देखो ये गाय का दुध ऐसे ही गिर रहा है और बछड़ा ऐसे ही खड़ा है मै बाल्टी लाती हूँ और दूध निकालेंगे सास ने अपने सिर पर हाथ पीटा की बहु तो पागल है और बोली बेटा ये पत्थर की मूर्ति है ये दूध नहीं दे सकती ये दूध नकली है सफ़ेद चुने का पानी है।
चलो मन्दिर में... जैसे ही प्रवेश किया तो एक शेर की मूर्ति दिखाई दी फिर बहू ने कहा माँ आगे मत जाओ ये शेर खा जायेगा सास को चिंता हुई की मेरे बेटे का तो भविष्य खराब हो गया और बोली बेटा पत्थर का शेर कैसे खायेगा चलो अंदर चलो.. मंदिर में प्रवेश करके सास बोली बेटा ये माता है और इससे मांग लो बहू ने कहा माँ ये तो पत्थर की है ये क्या दे सकती है ?
जब पत्थर की गाय दूध नही दे सकती... पत्थर का बछड़ा दूध नही पी सकता... पत्थर का शेर खा नही सकता तो ये पत्थर की मूर्ति क्या दे सकती है ?

अगर दे सकती है तो वो आप है... आप ही मेरी माँ है आप मुझे आशीर्वाद दीजिये तब सास की आँखे खुली अउर अपनी बहु को गले लगा लिया...
तो साथियो वो बहू पढ़ी लिखी थी क्या आप भी पढ़े लिखे है ???

"दुनिया में अगर कोई सबसे बड़ा धोखा है तो, वो है अपने आप को धोखा देना और आस्था के नाम पर आप अपने आप को कब तक धोखा देते रहोगे ???"

जागो दोस्तों जागो... अन्धविश्वास भगाओ... देश बचाओ...
- संजय पटेल
















Facebook Post :-

आरक्षण का विरोध करनेवाले लोग बिना तथ्य और जूठी बातो से लोगो को भरमाते है : संजय पटेल

आरक्षण का विरोध करनेवाले लोग बिना तथ्य और जूठी बातो से लोगो को भरमाते है की 40%  वाले को क्वॉटा से मेडिकल और इंजीनियरिंग में एडमिशन मिल जाता है और 90% वाले General Candidate को नहीं मिलता और लोग भी बिना सोचे समझे उनकी बातो को सच मानकर उनके साथ भेड़-बकरियो की तरह पीछे लग जाते है मगर पहले सच तो जानलो...

40 % वाले को एडमिशन मिल जाता है, मगर वो OBC,  SC या ST वाले को नहीं General वाले को मिलता है।
मैनेजमेंट कोटा और NRI कोटा जैसे आरक्षण में General Candidate 35% में भी एडमिशन लेते है... आज तक उनका तो कोई विरोध नहीं हुआ... क्या ये आरक्षण नहीं है ?
समृद्ध समाज के गरीब लोग ये विरोध क्यों नहीं करते ???
और आरक्षण कोई गरीबी मिटाने का साधन नहीं है जो सबको मिल जाता है। आरक्षण जाती आधारित था, है और रहेगा... जब तक भारत में जातीया रहेगी।
आरक्षण सामजिक व्यवस्था को समान करने के लिए रखा गया एक अधिकार है।

गरीबी मिटाने के लिए सरकार ने BPL कार्ड योजना दे रखी है तो कृपिया आरक्षण को गरीबी से न जोड़े तो अच्छा है।
तुम चाहे इसे बैसाखी कहो ! 
तुम चाहे इसे भीख कहो ! 
तुम चाहे इसे जातिवाद कहो ! 
तुम चाहे जो कहो. कुतर्क करो. पर ?? ?
जब तक हर जगह हमारे जनसंख्या के हिसाब से लोग पर्याप्त जगह नहीं पा लेते तब तक हम आरक्षण लेते रहेंगे....
तुम गरीबी का झूठा रोना मत रोओ, 
जाओ बीपीएल कार्ड बनवाओ ! 
बच्चों को कटोरा देकर सरकारी स्कूल भेजो. 
मंहगा इलाज नहीं करवा सकते, सरकारी अस्पताल में लाइन लगाओ ! 
नरेगा में फावड़ा चलाओ ! 
दैनिक मजदूरी करो ! 
हजारों NGO हैं, वहां गिङगिङाओ...
लोहा रद्दी अखबार टीना खरीदो. 
पंचर दुकान खोलो 
स्टेशन पर जूते पालिश करो ...
गरीबी दूर होगी. .तुम्ही तो कहते हो भगवान भी उसी की मदद करते हैं, जो अपनी मदद खुद करता है. तो करो !
और वैसे भी तुम लोग तो यही कहते हो की शूद्र में जन्म लेना या अछूत में जन्म लेना वो तो पूर्व जन्म और कर्मो के आधीन है तो फिर ये आरक्षण को भी उसी कर्म के आधीन ही रखो।
आरक्षण का विरोध करनेवालो विरोध करना है तो सरकार से ये करो की सेल्फ फाइनेंस कॉलेजो का धंधा बंध करो और सरकारी कॉलेज की संख्या बढ़ाओ...
आज भी कई सेल्फ फाइनेंस कॉलेज में सीटे खाली पड़ी है ।
बरसो से जो सरकारी नोकरियो की भर्तीया बंध की है उस खाली जगहों को भरो।
किसीको अनामत मांगने की जरुरत नहीं पड़ेगी और वैसे भी 74 % SC/ST/OBC को सिर्फ 49% ही आरक्षण है जब की 15 % General को 50 % है।
सरकार से अधिकार मांगो... आम जनता को अफवाह और जूठी बाते बोलकर जातिवाद की राजनीति खेलना बंध करो।

जातिवाद भगाओ... देश बचाओ...
#जातिवाद_एक_रोग
- संजय पटेल




Facebook Post :-

दलित हिन्दुओ को कोई हक़ नहीं है कि वो बुद्धिस्ट के नाम पे गर्व ले : संजय पटेल

पिछले कई दिनों से बार बार मेरे ध्यान में आ रहा है कि सोसिअल मीडिया पे हमारे लोग मनुवादियो के खिलाफ पोस्ट लिखते रहते है।
यह बहोत अच्छी बात है मगर कई पोस्ट में हमारे लोग यह दावे के साथ गर्व करते रहते है कि

  • आयुर्वेद की खोज हमारे बुद्धिस्ट लोगों ने की थी,
  • नालंदा की स्थापना हमारे बुद्धिस्ट लोगो ने की थी,
  • मार्शल आर्ट और कराटे की विद्या बुद्धिस्ट भन्ते की देन है,
  • योग विद्या हमारे बुद्धिस्टो की खोज है,
  • इस भारत के एक ही महान सम्राट है और वह है सम्राट अशोक और वह बुद्धिस्ट थे,
  • पूरी दुनिया में भगवान-माताजी को कोई नहीं जानता मगर बुद्ध को पूरा विश्व जानता है,
  • मनुवादीओ के साथ डिबेट करने में हिन्दू देवी-देवता की तो ऊपर से नीचे एक कर देते है और बुद्ध को ही श्रेष्ठ बताते है !


ऐसी कई सारी बातें लिखकर यह हमारे हिन्दू दलित लोग ब्राह्मणों को निचा दिखाने के लिए बुद्धिस्ट का सहारा लेते है और जब धर्मान्तरण की बात आए तो बुद्धिस्टो की खोज पे गर्व लेनेवाले यही लोग को सांप सूंघ जाता है।
मनुवाद-ब्राह्मणवाद से आझादी चाहिए के नारे लगानेवाले लोगो को किसने जकड़ कर रखा है यह हिन्दू धर्म में ?
क्या किसी ब्राह्मणने आपको बाँध के रखा है उनके इस हिन्दू धर्म में ? तो रास्तों पे जाकर चिल्लाते रहते हो... हमें चाहिए आजादी...
आझाद होना है तो निकलो न इस धर्म से... निकलो न इस मनुवाद से...
मगर यह हिन्दू दलित लोगो को यह माता-महादेव अपने घर से निकलते नहीं !

जब तक आपका यह दोगलापन रहेगा तब तक आप दलित ही रहेंगे और जब तक दलित रहोगें तब तक आप पे जुल्म होते रहेंगे। #जातिवाद_एक_रोग_है ऐसा ट्रेंड करते रहते है हमारे लोग मगर जाति को तोड़ने के लिए क्या आपने कोशिश की ? अगर जातिवाद को तोड़ना है तो एक ही ट्रेंड लाना होगा... #चलो_बुद्ध_की_ओर

दलित हिन्दुओ को कोई हक़ नहीं है कि वो बुद्धिस्ट के नाम पे गर्व ले !
अभी भी वक्त है बाबासाहेब के दिखाए हुए धम्म में आकर बाबासाहब का सपना #प्रबुद्धभारत बनाने का... वैसे तो बाबासाहेब के कई ऋण है हमारे पर जिसे हम कभी भी उतार नहीं पाएंगे मगर एक ऋण का उधार उतारो और अगर समाज में एकता लानी है तो बाबासाहेब ने जो रास्ता दिखाया है उस पर चलना पड़ेगा...
नामांतरण करो...
स्थळांतरण करो...
धर्मांतरण करो...

जय भीम
नमो बुद्धाय
-संजय पटेल
























Facebook Post :-

ઢેઢનું કૂતરું અને બાપુના કૂતરાંને રંજાડી જાય? ઇ કેમ પાલવે?

ત્યારે હું આઠ વરસનો હતો..

ત્રીસ-પાંત્રીસ ઘરનો વાસ અને ત્રણ જાતિ રહેતી વણકર,ચમાર અને વાલ્મિકી. કુલ મળી બે શેરીમાં તો વાસ પૂરો થઇ જતો. એકવાર અમારી શેરીમાં એક કૂતરી વિયાઇ હતી. એક રાતા રંગનું,માથે કાળા ચાંદલાવાળું, રાભડાં જેવું ગલુડીયું હતું તે વાસના તમામ છોકરાંઓને વ્હાલું હતું. બધાં તેને રાતડો કહેતાં. રાતડાંને બધાંય ખવડાવે ગેલ કરાવે. વાસના ચમારોના પંચની ત્યારે મોટી ભામ હતી. આજુબાજુંના ચારેક ગામના મરેલાં ઢોરને રોડની સામેની સાઇડ આવેલી ખળાંવાડમાં લાવતાં. તેની ખાલ ઉતારવાનો સામુહિક વ્યવસાય પંચ દ્વારા થતો. અમે બધાં છોકરાંઓ રાતડાં માટે તેનો પ્રિય ખોરાક ત્યાંથી લાવી ખવડાવતાં. રાતડો દિવસે દિવસે કદાવર થતો જતો હતો. રાતડો ખાઇ ખાઇને માતેલો સાંઢ થઇ ગયો હતો. વાસમાં કોઇ અજાણ્યો વ્યક્તિ પ્રવેશે તો રાતડો રીતસર તૂટી પડતો. જ્યાં સુધી વાસનો કોઇ વ્યક્તિ રાડ પાડીને ન કહે કે..''રાતડાંઆઆઆઆ મેલ્ય હવે..'' તો જ રાતડો તેને છોડે! રાતડાંની ખરેખર રાડ્ય હતી..રંજાડ હતી..! હવે બન્યું એવું કે, ગામમાં એક દરબાર રહે. બહું મોટા જાગીરદાર. તે દરમ્યાન તેમણે શહેરથી એક કૂતરો લાવેલાં. કૂતરો પડછંદ હતો. કૂતરાનાં ગળે ચામડાંનો પટ્ટો હોય તેની સાથે લાંબી સાંકળ બાંધેલી હોય અને દરબાર સાહેબના ખભે જોટાળી બંદૂક લટકતી હોય. અને રોજ તળાવની પાળ પર ફરવા નિકળે. આ તેમનો નિત્યક્રમ! એક દિવસ નિત્યક્રમ ફર્યો. તળાવની પાળ ચડવાને બદલે દરબારના પગલાં દલિતવાસ તરફ જતાં મુખ્યમાર્ગ પર વળ્યાં. હાથમાં સાંકળ અને ખભે બંદૂક. દલિતવાસ નજીક પહોંચ્યાં હતાં અને રોડ પર જ રાતડો 'મહારાજા' ની સ્ટાઇલમાં બેઠેલો..! પેલાં શહેરી કૂતરાને જોઇને રાતડાને ગરમી ચડી ગઇ! સીધી મુકી દોટ અને વીંછળી નાખ્યો! દરબારને રીસ ચડી. તેમણે પોતાના કૂતરાને ગળેથી પટ્ટો છોડી છુટ્ટો મુક્યો. હવે રાતડો અને કૂતરો બઘડાટી બોલાવવા લાગ્યાં. દરબારે હાથમાં બંદૂક લીધી. લડાઇ રસપૂર્વક જોવા લાગ્યાં. અમે બધાં ભેગાં થઇ ગયાં! રાતડો બહું જોરાવર હતો. દસેક મિનીટમાં તો પેલાંને રાંક કરી નાખ્યો. બચકાં ભરીને લોહીલુહાણ કરી નાખ્યો. શહેરી કૂતરાએ હાર સ્વીકારી. દરબારનાં પગ વચ્ચે ઘુસી ''વાંઉ વાંઉ'' ચાલું કર્યું! અચાનક દરબારનો પીત્તો ફાટ્યો. પોતાના કૂતરાને માથે બંદૂક મુકી..ધડામ! બે મિનીટમાં શાંત.. હજી પણ રાતડો ભસી રહ્યો હતો..દરબાર થોડૂંક ગામ તરફ ચાલ્યાં પાછું ફરીને રાતડાં સામે જોયું..આ વખતે તેમની નજરમાં સડો હતો અને બીજીવાર..ધડામ..રાતડો તરફડી ઉઠ્યો..અમે બધાં દોડીને રાતડાં પાસે..રાતડાંએ બધાંયના હાથ ચાટ્યાં..અને હળવેકથી આંખ મીંચી દીધી. દરબાર જતાં જતાં બબડ્યાં ''ઢેઢનું કૂતરું અને બાપુના કૂતરાંને રંજાડી જાય? ઇ કેમ પાલવે? એટલે ભડાકે દીધું''
ગલઢેરાં, જુવાનીયાઓ, બાળકો અવાચક જોઇ રહ્યાં..કોઇ કંઇ બોલ્યું નહી...ઘટના નાની હતી..પણ કાળજે કોરાઇ ગઇ.. કોઇ આંબેડકરની વાત લઇને આવે તો રસપૂર્વક સાંભળતા ગયાં.. વાતો સાંભળતાં રાતડો યાદ આવતો.. આંખ જરાક ભીની થતી.. પણ હ્રદય મજબૂત બનતું ગયું..
આજે હું આડત્રીસ વરસનો છું..
ત્રીસ વરસમાં શિક્ષણ અને આધુનિકતાના મારથી ઘણું બદલાઇ ગયું છે. પણ માનસિકતા નહી! મારા અનુમાન મુજબ બસ હજી સાડા ચારસો વરસ બાકી છે પછી છેલ્લું ડચકું લેશે જાતિવાદ! રાતડાંની ઘટનાનો કોઇ પ્રત્યુત્તર નહોતો અપાયો. પરંતુ બાદમાં મન પર ઘણી ઘટનાઓ છપાતી રહી..રાતડો ઘણું શિખવાડતો ગયો! લડવાની કમર કસી.. ક્યારેક તૂટી ગયાં.. ક્યારેક એક તાંતણે જોડાઇ ગયાં.. જીત્યાં-હાર્યાં ફરી વટભેર જીત્યાં.. દલિતો લડતાં રહ્યાં.. આજે એ મુકામ પર છીએ કે કોઇ સીધી લડત નથી આપતું.. પણ પરદા પાછળ ષડયંત્રોની ભરમાર છે. એનો પણ ખટપટ સામે નવતર ખટપટ કરી જવાબ આપીએ છીએ. હવે લડત સામાજિક, આર્થિક, અને રાજનિતિક ત્રણેય મોરચે લડાઇ રહી છે! અને જીતી રહ્યાં છીએ!
#જીતેંગે #ફિરજીતેંગે #એકબારફિરજીતેંગે #બારબારજીતેંગે
 જૌહાર આંબેડકર! 

-વિજય મકવાણા













Facebook Post :-

દલિત નેતાગીરી - કલ્પના અને હકીકત : દિનેશ મકવાણા

સૌ પેહલા તો અહી મારે દલિત શબ્દ વાપરવા પડ્યા તે બદલ મિત્રોની માફી માંગુ છું. શોષિત શબ્દો બંધારણ પહેલાના છે. SC ST લાંબું થઇ જાય છે. જે દલિત શબ્દોને અર્થ છે તે આ નથી માત્ર શોષિતો માટે વ્યવહારમાં ઉચ્ચારાતો શબ્દ માનીને લેવા વિનંતી છે.

ત્રણ ચાર દિવસ પહેલા એક મિત્રએ મને કહ્યું હતું કે દલિત રાજનીતિ વિશે કઇંક લખો. તેમના થોડા પ્રશ્નો ના જવાબ આપી આગળ વધુ.


ગુજરાતમાં બામસેફ નામની સંગઠનની પ્રવુતિઓ વર્ષોથી ચાલે છે. બામસેફની રચના કરવામાં કાશીરામનો મુખ્ય ફાળો રહ્યો છે. તેમના જનઆંદોલને ખાસ કરીને ઉતર પ્રદેશના શોષિત વર્ગને જગાડવામાં સફળ થયા હતા અને બાબાના વિચારો અનુસાર સત્તા પ્રાપ્ત કરવા માટે રાજકીય પક્ષ બહુજન સમાજ પાર્ટી એટલે કે BSP ની પણ સ્થાપના કરી. પરંતુ આ વર્ગને જગાડ્યા પછી તેમને જો કોઇ ચોક્કસ દિશા ના મળે તો આ ટોળું ઇતર બિતર થઇ જાય. તેથી કાશીરામના હકારાત્મક પ્રયાસો ઉતર પ્રદેશમાં સફળ નીવડ્યા અને બીએસપીને સત્તા મળી. આ એક બહુ મોટો તમાચો હતો ભારતીય રાજકારણના ધુરંધરોને, કારણ કે સતાનું રિજર્વેશન કરાવીને આવ્યા હતા આ માન્યતા ને કાશીરામે તોડી હતી. પણ કાશીરામ જેવો શકિતશાળી નેતા આપણે બીજા રાજ્યમાં પેદા કરી શક્યા નથી તે હકીકત છે. બીજા રાજ્યો કરતા હુ માત્ર ગુજરાતને ધ્યાનમાં રાખીને વાત કરીશ. 



ગુજરાતમાં બીએસપી કરતા બામસેફ પર લોકોને વધુ ભરોસો હતો તેથી તેની પ્રવુતિ સારી હતી. પણ મીટીગો સિવાય પ્રજાની નજરમાં આવે તેવા કાર્યો બામસેફે કર્યા હોય તેમ જણાતું નથી. ભુલ હોય તો મને સુધારજો.



બીજું બામસેફ માત્ર શહેરો પુરતુ સીમિત રહ્યું. તેની સાથે સાથે દલિત પેન્થર નામનું સંગઠન ગુજરાતના અમદાવાદથી ખુબ પ્રખ્યાત થયું. નવસર્જન ટ્રસ્ટ જેના ટ્રસ્ટી  માર્ટિન મેકવાન ખુબ જ બુદ્ધિશાળી વ્યકિત છે. રાજીવ ગાંધી સાથે પણ તેમના સંબંધો સરસ હતા. ખાસ કરીને ગોલાણા હત્યાકાંડ ના આરોપીઓને સજા અપાવવામાં નવસર્જનની ભુમિકા ખુબ અસરકારક રહી છે. તદઉપરાંત ઉતર ગુજરાતમાં વણકરોના બહુ સક્રિય સંગઠનો કાર્ય કરતા હતા. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં રોહિતોના સંગઠનો સામાજિક ક્ષેત્રે સક્રિય દેખાય છે. તેથી એક અનેક સંગઠનો શોષિત વર્ગના દરેક જગ્યાએ કામ કરતા હોવા છતા રોહિત વણકરનો ભેદ મટાડી શક્યા નહી અને તેને લીધે રાજ્ય લેવલનું એક મોટું સંગઠન ઉભુ થઇ શક્યુ નહી તેમ જણાય છે.



વણકરો અને રોહિતોમાં, વણકરોને સામાજિક લાભ વધુ મળ્યો હોવાથી તેમની પ્રજા ભણી ગણીને રોહિતોની સરખામણીએ ઘણી આગળ હતી. અનામત વ્યવસ્થા નો લાભ લઇને તેઓ સારી જગ્યાએ નિમણૂક પામ્યા. પણ Pay back to Society ના નિયમમાં પણ તેમણે વણકરોને જ ધ્યાનમાં રાખ્યા. રોહિતો એ પણ ધીમે ધીમે પ્રગતિ કરી છે.દક્ષિણ ગુજરાતમાંથી કેટલાય વિદ્યાર્થીઓ પરદેશ જઇને સેટલ થવામાં અગ્રેસર છે. પણ બંને બહુમતી જાતિની એક જ ખામી રહી કે તેઓ પોતામાંથી પણ એક સર્વસામાન્ય નેતા પેદા ના કરી શક્યા. એવું નથી કે પ્રયાસો નથી થયા પરંતુ તે પ્રયત્નો સટિક પરિણામ લાવી શક્યા નથી.



બીજું સામાજિક સંગઠનોમાં કેડર બેજ કાર્ય નથી. RSS એક સામાજિક સંગઠન જ છે પણ તેની કેડર વ્યવસ્થા અને શિસ્તબદ્ધતા એ નવી નેતાગીરી પુરી પાડી છે. એવું નથી કે ટાંટિયા ખેંચ પ્રવુતિ માત્ર શોષિતોમાં જ છે. દરેક જગ્યાએ ઓછા વત્તા પ્રમાણમાં છે જ પણ જ્યારે રાજકીય લાભ લેવાનો હોય ત્યારે આ ડાહી મા ના દીકરા એક થયેલા જોવા મળે છે. જ્યારે આપણે લાભ તો દુર, લડવા માટે પણ ભેગા થઇ શક્યા નથી.


મને પુછયુ નહી, મને બોલાવ્યો નહી તે અભિગમે આપણે એકબીજાનાથી દુર રાખ્યા. હુ એકલો બની બેઠેલો નેતા છુ, મારી પાસે કોઇ પદ હોય કે ના હોય તમારે મને સૌથી વધુ માન આપવું પડશે. મને જ નેતા ગણવો પડશે. આ પ્રકારની મનોવૃત્તિ થી કોઇ પણ ઠેકાણે આપણે એક પણ નેતા ઉભો કરી શક્યા નથી તે હકીકત છે.



સમય જતી શોષિત વર્ગની પેટા જાતિઓમાં એકતા જોવા મળે છે પણ કોઇ એક પ્રસંગ મા સાથે કામ કરતા જોવા મળતા નથી. જે બની બેઠેલો નેતા છે તેને ડાયસ પર જ ખુરશી જોઇએ છે. એક સંગઠનના હોદ્દેદારો પોતાના સમાજના બીજા સંગઠનોના કાર્યક્રમમાં હાજરી આપતા નથી ત્યારે નવી નેતાગીરી ઉભી કેવી રીતે થશે? આ અનુભવો અમને વડોદરામા ખાસ થયા છે.



ઉતર પ્રદેશમાં શોષિતોમાં સૌથી વધુ વસતી જાટવોની છે તેથી ત્યાં તેઓ સર્વસામાન્ય નેતા ઉભો કરી શક્યા અને ત્ને કારણે બીજી શોષિત પ્રજાએ સત્તા ખાતર સહકાર આપ્યો છે. બીજું ત્યાં વણકરો કે બુનકરો મોટે ભાગે મુસ્લિમ છે. તેથી જાટવ સાથે હરીફો નહી હોવાથી બીએસપીને સમર્થન આપ્યું. 



ગુજરાતમાં જે રોહિતો બીએસપી તરફ વળ્યા તો વણકરોએ જોઇએ તેટલો સહકાર નથી આપ્યો તે દેખાય છે. ગુજરાત ની આર્થિક રીત હવે મજબુત ગણાતા વણકર અને રોહિત વચ્ચે સમન્વય નહિવત્ હોવાથી આ પરિસ્થિતિ ઉભી થઇ છે.



વાલ્મિકી બંધુઓની નેતાગીરી એક ક્ષેત્ર પુરતી મર્યાદિત રહી. તે પણ ખાસ કરીને નગરપાલિકા કે મહાનગરપાલિકા પુરતી સીમિત રહી. તેમના કેટલાય નેતાઓની ફરિયાદ છે કે માત્ર વાલ્મિકી હોવાને કારણે કેટલીય જગ્યાએ તેમને બોલાવવામાં આવતા નહોતા કે તેમને યોગ્ય સ્થાન આપવામાં આવતુ નહોતુ. તેઓનું દરેક બાબતમાં એક જ રટણ રહેતું કે પહેલા બધા એક પ્લેટફોર્મ પર તો આવો. પણ આંતરિક ભેદભાવ ને કારણે સર્વસામાન્ય નેતા ઊભો ના કરી શક્યા. 



ગરોડા બ્રાહમણ અને દેવીપુજક જાતિઓમાં આગળ પડીને કામ કરવાની ઇચ્છા ઓછી દેખાય છે. જેને માંગીને ઘર ચલાવવાનું હોય તે નેતા ના બની શકે. તે માત્ર તેની જ્ઞાતિ પુરતા કોઇ ખાસ હેતુ માટે બની શકે પણ બીજી બાબતોમાં તે પાછળ રહે. દેવીપુજકોનુ પણ તેવું જ રહ્યું. કેટલાક કામો કેટલીક જાતિઓને વહેંચી આપ્યા છે જેના કારણે આ જાતિઓમાં એક પ્રકારની લઘુતાગ્રંથી દેખાય છે અને તેથી તેઓ એકબીજા સાથે આસાનીથી ભળી શકી નહી. જ્યારે ભળી જ ના શકો ત્યારે નેતાગીરી કેવી રીતે પેદા થાય.



હવે આ જાતિઓમાં નવી પેઢી શિક્ષિત થઇ રહી છે, સારી પોસ્ટ પર કાર્ય કરી રહી છે અને નવા વિચારો સમજી રહી છે.



પણ નવી પેઢી આમાં બાકાત થઇ રહી છે હવે વસતી વધુ હોય તો નેતાગીરી તેમને આપતા બંને પક્ષ ખચકાતા નથી. તેથી કેટલાય ગામમાં બંને પ્રજા પરસ્પર સહકારથી કાર્ય કરે છે. હવે રોહિત વણકરોનો ભેદ ભુલીને એક ગ્રુપ પર ચર્ચા કરે છે તે સારી નિશાની છે. પણ જે ખાઇ વર્ષોથી પડેલી છે તેને પુરાતા સમય તો લાગશે જ. 



પણ નવી શરુઆત કરવી પડશે જ, જો સત્તામાં આવવું હોય તો નાના મોટા સંગઠનોને એક પ્લેટફોર્મ પર લાવવા પડશે. સારુ કામ કરતા વ્યકિતઓને નેતા તરીકે સ્વીકારવા પડશે. આપણે નેતા ઘણા છે પણ જયા પ્રસંશા મળે ત્યારે સૌથી આગળ હોય છે પણ મુશ્કેલીમાં પાછળ હોય છે. 



નવી પેઢી દરેક રીતે તૈયાર થઇ રહી છે. મંઝીલ દુર છે પણ ઝડપી પ્રયત્નો પરિણામ લાવી શકે. અબ્રાહમ લિંકન પ્રમુખ બનતા પહેલા ૧૭ ચુટણી હારી ગયા હતા. 



નવી આશા સાથે, નવા સ્વપ્ના સાથે

આપ સૌને સમર્પિત


--  દિનેશ મકવાણા  (૧૯/૪/૨૦૧૭)