Showing posts with label Scheduled Caste. Show all posts
Showing posts with label Scheduled Caste. Show all posts

April 27, 2020

जूठन: एक दलित की आत्मव्यथा की कथा | Book Review

By Madhukar Chauhan  || 24 April 2020


ज्योतिबा फुले ने कहा था- "गुलामी की यातना को जो सहता है, वही जानता है और जो जानता है, वही पूरा सच कह सकता है. सचमुच जलने का अनुभव राख ही जानती है और कोई नहीं." 

ओमप्रकाश वाल्मीकि की ‘जूठन’ हिंदी साहित्य की मौलिक आत्मकथाओं में से एक है. ओमप्रकाश वाल्मीकि कहते हैं- ‘‘दलित जीवन की पीड़ाएं असहनीय और अनुभव-दग्ध हैं। ऐसे अनुभव जो साहित्यिक अभिव्यक्तियों में स्थान नहीं पा सके। एक ऐसी समाज-व्यवस्था में हमने सांसें ली हैं, जो बेहद क्रूर और अमानवीय है। दलितों के प्रति ‘असंवेदनशील भी...। अपनी व्यथा-कथा को शब्द-बद्ध करने का विचार काफी समय से मन में था। लेकिन प्रयास करने के बाद भी सफलता नहीं मिल पा ही थी।...इन अनुभवों को लिखने में कई प्रकार के खतरे थे। एक लंबी जद्दोजहद के बाद मैंने सिलसिलेवार लिखना शुरू किया। तमाम कष्टों, यातनाओं, उपेक्षाओं, प्रताड़नाओं को एक बार फिर जीना पड़ा, उस दौरान गहरी मानसिक यंत्रणाएं मैंने भोगीं। स्वयं को परत-दर-परत उघेड़ते हुए कई बार लगा-कितना दुखदायी है यह सब! कुछ लोगों को यह अविश्वसनीय और अतिरंजनापूर्ण लगता है।’’1

दलित बालक ओमप्रकाश वाल्मीकि को चूहड़ा समझकर हेडमास्टर दिन भर लेखक से झाड़ू लगवाता है। लेखक के शब्दों में- "दूसरे दिन स्कूल पहुँचा। जाते ही हेडमास्टर ने फिर से झाड़ू के काम पर लगा दिया। पूरे दिन झाड़ू देता रहा। मन में एक तसल्ली थी कि कल से कक्षा में बैठ जाऊंगा। तीसरे दिन मैं कक्षा में जाकर चुपचाप बैठ गया। थोड़ी देर बाद उनकी दहाड़ सुनाई पड़ी, ‘अबे, ओ चूहड़े के, *** कहाँ घुस गया... अपनी माँ...’ उनकी दहाड़ सुनकर मैं थर-थर काँपने लगा था। एक त्यागी (सवर्ण) लड़के ने चिल्लाकर कहा, ‘मास्साब, वो बैट्ठा है कोणे में।’ हेडमास्टर ने लपककर मेरी गर्दन दबोच ली थी। उनकी उंगलियों का दबाव मेरी गर्दन पर बढ़ रहा था। जैसे कोई भेड़िया बकरी के बच्चे को दबोचकर उठा लेता है। कक्षा के बाहर खींचकर उन्होंने मुझे बरामदे में ला पटका। चीखकर बोले, ‘जा लगा पूरे मैदान में झाड़ू..नहीं तो *** में मिर्ची डाल के स्कूल से बाहर काढ़ (निकाल) दूँगा।"2 स्कूल के मास्टर से लेकर गाँव-घर के सामन्त व सेठ-साहूकार तक सभी दलित जीवन को लीलने के लिए तैयार बैठे थे। ‘जूठन’ दलित जीवन की मर्मान्तक पीड़ा का दस्तावेज है।

ओमप्रकाश वाल्मीकि जी ने, जातीय अपमान और उत्पीड़न के जीवंत वर्णन के माध्यम से एक दलित की आत्मव्यथा को प्रस्तुत किया है और भारतीय समाज के कई अनछुए पहलुओं को उजागर करते हुए हमारे समक्ष रखा है।

सन्दर्भ-सूची :-
1. वाल्मीकि ओमप्रकाश, जूठन, राधाकृष्ण प्रकाशन, नई दिल्ली, भूमिका
2. वही पृ.सं.-15

April 20, 2020

એક પદયાત્રા, ત્રણ તસવીર

By Raju Solanki  || 12 April 2020


આજે મારા એક કઝિનનું મૃત્યુ થયું. સવારે દસ કલાકે એની અંતિમક્રિયા દૂધેશ્વર સ્મશાગૃહમાં થઈ. કઝિન કોટના વિસ્તાર રહેતા. ત્યાંથી સ્વજનો શબવાહિનીમાં એમના મૃતદેહને લઇને નીકળ્યા. મારી પાસે વાહન નથી. એટલે હું ઘરેથી ચાલતો ચાલતો દૂધેશ્વર જવા નીકળ્યો. 5 કિમી. જવાના. 5 કિમી. આવવાના.

10 કિમીની આ પદયાત્રામાં મેં મારા મોબાઇલથી ત્રણ ફોટા પાડ્યા. પહેલો ફોટો દૂધેશ્વર વોટર વર્ક્સ પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સઘન કચરાનો નિકાલ કરતા વાહનનો છે. બે સફાઈદૂત નગ્ન હાથે કચરો ભરેલી લારીમાંથી ડબ્બા ઉપાડી ઉપાડીને વાહનમાં ઠાલવતા હતા. મેં એમને પૂછ્યું, તમને ગ્લોવ્ઝ નથી આપ્યા?. પોતાની કામગીરીમાં મસ્ત એ લોકોએ મારા સવાલનો તુરંત જવાબ ના આપ્યો. હું ઉભો રહ્યો. પંદર સેકન્ડ પછી એકે કહ્યું કે ગ્લોવ્ઝ આપ્યા છે, પરંતુ એનાથી પક્કડ રહેતી નથી. કામ કરતા ફાવતું નથી. મેં કહ્યું એક ફોટો પાડું તમારો. એમને ફોટો પડાવવામાં રસ જ નહોતો. ફોટામાં આ જે માણસ ઝીલાયો છે, એનો સાથીદાર તો હું ક્લિક કરું એ પહેલા ફ્રેમની બહાર નીકળી ગયો.

આ કેવા માણસો છે. અહીં કોરોના-યુગમાં લોકો ઘરમાં બેસીને ગિટાર વગાડે, ડાન્સ કરે, પત્તા રમે, ગીત ગાય, અંતાક્ષરીઓ રમે, એના ફોટા પાડે, વીડીયો બનાવે, સોશીયલ મીડીયામા મૂકે અને ટીવી ચેનલો પર સ્ટે હોમ, સ્ટે હેપ્પીના સંદેશ સાથે દર્શાવાય અને અહીં આ સફાઈ કામદારોને ફોટા પડાવવામાં સહેજે રસ નથી.

બીજો ફોટો દૂધેશ્વર સ્મશાનમાં મૂકાયેલી #દધિચિ ઋષિની પ્રતિમાનો છે. આ પ્રતિમા અગાઉ સ્મશાનમાં નહોતી. પ્રતિમાની નીચે #દધિચિ ઋષિની કપોળ કલ્પિત કહાની છે. વૃત્રાસુરે દેવલોક પર આક્રમણ કર્યું. ઇન્દ્ર ભાગી ગયો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પાસે ગયો. એમણે કહ્યું કે અમારી પાસે કોઈ શક્તિ નથી, પંરંતુ દધિચિ ઋષિ પાસે જા. એના હાડકા તપસ્યા કરીને કઠોર થઈ ગયા છે. ઇન્દ્ર દધિચિ પાસે ગયો. એના હાડકા માંગ્યા. એમાંથી વજ્ર બનાવ્યું અને વૃત્રાસુરનો નાશ કર્યો.

કહેવાય છે કે દધિચિએ માનવજાતિનું કલ્યાણ કર્યું. મને કાયમ એ સવાલ થાય છે કે દધિચિએ તો ટ્રમ્પ જેવા લબાડ, નાલાયક, ઐયાસ, હરામી ઇન્દ્રની ગાદી બચાવવા માટે એના હાડકા આપેલા. આમાં માનવજાતિનું કલ્યાણ ક્યાંથી આવ્યું?. હજારો હિન્દુઓ આવી વાર્તા સ્મશાનમાં વાંચે છે. મનુવાદની આ બૂનિયાદ છે.

ત્રીજી તસવીર શાહીબાગની પોલિસ કમિશનરની કચેરીની સામે ફુટપાથ પર બેઠેલી વૃદ્ધાની છે. એને ભારતમાતા જ કહોને. કોરોનાના કપરા કાળમાં આ ઘરવિહોણી મહિલા શહેરના પોલિસ કમિશનરની કચેરીની સામે જ બેસી રહે છે. જોડે એના મોંઘેરા અસબાબ જેવી પ્લાસ્ટિકની થેલીઓ છે. એને કોરોનાની લગીરે બીક નથી. આ તસવીર વિસ્થાપિત ભારતની છે.

ત્રણ તસવીરો. બે તસવીરો જીવાતા જીવનની છે. એક તસવીર દંતકથાની છે.. ત્રણેય તસવીરોને જોડનારો એક તંતુ છે. ભારત દધિચિની કપોળ કાલ્પનિક કહાનીમાં રાચતું રહેશે ત્યાં સુધી એના સફાઈદૂતોને, એના વિસ્થાપિતોને ન્યાય નહીં મળે.

બહુ દિવસે આવી પદયાત્રા કરી. ઘરે આવ્યો ત્યારે થાકી ગયો. પરંતુ ત્રણ તસવીરોની આ કથા લખવાથી મારો થાક ઉતરી ગયો.

- રાજુ સોલંકી

March 30, 2020

જાતિવાદીઓની સોય વારંવાર દલિત સંગઠનો પર જ કેમ અટકી જાય છે?

By Vijay Makwana  || 29 March 2020


સવર્ણ જાતિવાદી લોકો એ સર્વે કરી તપાસી ચકાસી રહ્યાં છે કે, દલિતો ના સંગઠન બસપા, બામસેફ, ભીમ આર્મી, સ્વયમ સૈનિક દળ વિગેરે આ કોરોના આપદા માં લોકો ને મદદ કરે છે કે નહિ?

મારો વળતો સવાલ દલિતોને છે.. અલ્યા તમે આ જાતિવાદી સવર્ણ દાતાઓ પર જીવન ટકાવી રહ્યાં છો? આ સર્વે કરવાવાળા જાતિવાદી માંથી કોઈ પાંચ શેર બાજરી તમારા ઘેર નાખી ગયું છે?

ભાઈ જાતિવાદી સવર્ણ! અમારી સંસ્થાઓ અમારા માટે જ કામ કરશે.. બામસેફ એ નોકરિયાત લોકોનું સંગઠન છે. તું સર્વે કર એ પહેલાં પોતાનો એક પગાર એ લોકો દાન કરી ચૂક્યા છે. હવે બીજો પગાર પણ આપશે..બસપા ની દરેક જિલ્લા ની વ્યવસ્થાપન કમિટી 21 માર્ચથી ગરીબ દલિતોના સંપર્કમાં જ છે. ભીમ આર્મી ના યુવાનો છેલ્લા એક સપ્તાહથી રાશન ફૂડ પેકેટ વહેંચી જ રહ્યાં છે. અમે માત્ર આવી આપદા સમયે જ તમારી જેમ બિલાડીના ટોપ જેમ ફૂટી નથી નીકળતા આ કામ ટેમ્પરરી નથી કરતા.. આખા વર્ષમાં માત્ર મારા જિલ્લામાં જ અમારું ઉપરની તમામ સંસ્થાઓનું નોકરિયાતો ઉદ્યોગ સાહસિકો નું 1600 લોકોનું એક સંગઠન છે જે મહિને પ્રત્યેક વ્યક્તિ 600 રૂપિયા લોક ફાળો આપી.. શિક્ષા અને રોજગાર અને કુદરતી આપદા સંગઠન ચલાવીએ છીએ. તારે ભલા માણસ સર્વે જ કરવો હોય તો એ સર્વે કર કે તું જે સવર્ણ ટ્રસ્ટ કે સંસ્થા માં કામ કરે છે.. તે વર્ષે કેટલા કરોડ બ્લેક મની વ્હાઇટ કરવા કર રાહત નો ગેરલાભ ઉઠાવે છે? કેટલા સવર્ણ અમીરો ની આ રીતે ધોળી કે કાળી આર્થિક સેવા કરે છે? ફાલતુ માં દલિતો પાછળ આટલો સમય શા માટે બરબાદ કરે છે..? 21 દિવસ મળ્યા છે મોજ થી તકિયા પર આરામ કર દલિતો પોતાનું કરી લેશે.. એમની ચિંતા ન કર..એ અમે કરી લઈશું!

- વિજય મકવાણા

July 11, 2018

લોકોને માત્ર બાબા સાહેબે અપાવેલા શૈક્ષણિક, સામાજિક, આર્થિક અને રાજકીય અધિકારોમાં જ રસ છે, બાબા સાહેબના વિચારોમાં નહીં...!!

By Jigar Shyamlan ||  Written on 20 March 2018




સદીઓથી પિડાતા શોષિત અસ્પૃશ્ય સમાજના ઉત્થાન માટે બાબા સાહેબે 1927ની 3 એપ્રિલના રોજ ''બહિષ્કૃત ભારત'' પાક્ષિકની શરૂઆત કરી હતી.

ભારતનો નકશો અને અર્ધ ગોળાકારની બન્ને બાજુ સાંકળથી જકડાયેલ બે સિંહનો લોગો ધરાવતું આ પાક્ષિક અસ્પૃશ્યોના પ્રશ્નોને વાચા આપવા કટિબધ્ધ હતું.

પણ..! મહત્વની વાત એ હતી કે આ પાક્ષિકના પ્રારંભ પહેલા જરૂરી ફંડ ફાળો એકત્ર કરવા માટે બાબા સાહેબે અસ્પૃશ્ય સમાજને માનપુર્વક અપિલ કરી હતી તો પણ સમાજ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો.

સમાજના લોકોનો સહકાર ન મળ્યો તેમ છતાં બાબા સાહેબે પાક્ષિક શરૂ કર્યુ અને પોતે 500 રૂપિયાનું અંગત દેવુ કરવું પડ્યું હતુ.

એ વખતે મુંબઈ રાજ્યના ગામેગામથી ગામદીઠ માત્ર 10રૂપિયાનો ફાળો મોકલી આપવાની આજીજી કરવા છતાં અસ્પૃશ્ય સમાજના લોકોએ કોઈ પણ પ્રકારની મદદ કરવાની તસદી લીધી ન હતી. કોઈએ પણ પાક્ષિકના ગ્રાહક બનવા માટે રસ પણ દાખવ્યો ન હતો. આખરે ભારે આર્થિક સંકડામણને લીધે પૈસાની તંગી સર્જાતા બે વરસ પછી 1929માં બહિષ્કૃત ભારત બંધ કરવું પડેલું.
હવે મૂળ વાત પર આવીએ એ વખતના અને હાલના અસ્પૃશ્ય સમાજના લોકોની માનસિકતામાં કંઈ બહુ ઝાઝો તફાવત જોવા મળતો નથી.

એ વખતે પણ બાબા સાહેબને સમાજના લોકો તરફથી યોગ્ય, જરૂરી મળવા યોગ્ય સહકાર મળ્યો ન હતો. જો કે એ વાત સમજી શકાય એમ છે કે એ વખતે અસ્પૃશ્ય સમાજનાં લોકો સામાજિક રીતે સાવ દબાયેલા હતા, અભણ અને ગરીબ હતા.

પણ... આજની વાત કરીએ તો આજે અસ્પૃશ્યો ઘણાં આગળ વધ્યા છે. શૈક્ષણિક, સામાજિક, આર્થિક અને રાજકીય તમામ ક્ષેત્રે અસ્પૃશ્યોની પ્રગતિ કાબીલે તારીફ છે. છતાં પણ માનસિકતામાં બહુ મોટો ફેર પડ્યો હોય તેવું જણાતું નથી.

એનુ કારણ એક જ અસ્પૃશ્યોને માત્ર બાબા સાહેબે અપાવેલા શૈક્ષણિક, સામાજિક, આર્થિક અને રાજકીય અધિકારોમાં જ રસ છે, બાબા સાહેબના વિચારોમાં નહીં..!!

July 03, 2018

વળતરના ઢોકળાં અને દલિતની જિંદગીનું મૂલ્ય

By Raju Solanki  || 25 May 2018




સલમાનખાને ફુટપાથ પર સૂતેલા ગરીબોને કચડી મારેલા. એ ગરીબોનો ન્યાય પણ ના મળ્યો, વળતર પણ ના મળ્યું. સલમાને મરનારાના કુટુંબીજનોને રૂપિયા પાંચસો કરોડ વળતર પેટે ચૂકવવા એવો આદેશ અદાલતે આપ્યો હોત તો સલ્લુની ચરબી ઉતરી ગઈ હોત.

ખરેખર તો ન્યાયિક પ્રક્રિયામાં વળતરને સાંકળવાની જરૂર છે. વિકસિત દેશોમાં વળતર એટલે કે કમ્પેન્શેસનની બહુ મોટી અહેમિયત છે. એટલે જ સ્તો અમેરિકા-યુરોપની મલ્ટી નેશનલ દવા કંપનીઓ એમની ખતરનાક નવી દવાઓના અખતરા કરવા માટે ભારતને પ્રયોગભૂમિ બનાવે છે. ભારતમાં એથિક્સ કમિટી શું બલા છે એની જ કોઇને ખબર નથી. ભારતની અદાલતોને આવા કેસોમાં શું વળતર આપવું એનું જ ભાન નથી. ભારતમાં મનુષ્યની જિંદગીની કોઈ જ કિંમત નથી. આ જ કારણ છે કે યુરોપ-અમેરિકાના સંતાનો આણંદની ગરીબ માતાઓની કૂખે સરોગસીથી પેદા થાય છે. ભારતમાં ગરીબ માતાની કૂખ બટાકા-રીંગણાના ભાવથીય સસ્તી છે. અને એટલા માટે જ જે કાર્બાઇડના ઉત્પાદન પર અમેરિકામાં પ્રતિબંધ હતો તેની ફેક્ટરી ભોપાલમાં ખોલી શકાય છે, જેના ઝેરી ગેસથી એક જ રાતમાં માત્ર પાંચ મિનિટમાં પાંચ હજાર લોકો ઉંઘમાં જ મોતને શરણ થઈ જાય છે. કાર્બાઇડને ખબર હતી કે ભારતમાં જ્યારે મૃતકોના વળતરની વાત આવશે ત્યારે ચણા-મમારાના ભાવે વળતર ચૂકવવાનું છે.

એક સામાન્ય ભારતીયની જિંદગીનું કોઈ જ મૂલ્ય નથી. અને એમાં પણ દલિતની જિંદગીની શું કિંમત? દલિત એટલે ભાજી-મૂળા, મગતરું, મચ્છર. દલિત મરી જાય કે એની બહેન-દીકરી પર બળાત્કાર થાય તો આપી દો બે-પાંચ લાખ રૂપિયા. વાર્તા પૂરી. દલિતને ભાજી-મૂળ બનાવવાની પ્રક્રિયા કોંગ્રેસના રાજમાં શરૂ થઈ હતી, ભાજપના રાજમાં ચાલુ જ છે.

કેમ કે, દલિતોએ પોતે પોતાની કિંમત ઓછી આંકી છે. દલિત હત્યા પછી શોકસભામાં જાવ. શું થશે? વિપક્ષી રાજકારણીઓ હાથ જોડતા જોડતા આવે છે. ગુંજામાં બે-પાંચ લાખ લઈને આવે છે. જાહેરમાં પીડિત પરીવારને સહાયની જાહેરાત કરે છે. ફોટા પડે છે. પીડિતો બે હાથ જોડીને ઉભા રહે છે. તમે સત્તા પર હતા ત્યારે જેમના લોહી ચૂસી ચૂસીને તમે કરોડો રૂપિયા બનાવેલા, એ જ નાણાંના 0.00001 ટકો તમે દાનમાં આપીને મોટા દાતા બની ગયા. વિપક્ષના બે-ચાર ઢોકળાં. શાસકના બે-ચાર ઢોકળાં. દલિત રાજીનો રેડ. દલિતની કહાની પૂરી.

હવે તમને બે-પાંચ લાખનું વળતર સરકાર આપે છે, એ તમે ના લેવાની ધમકી આપો તો શું ફેર પડે છે? કેટલાક દોઢ ડાહ્યા પાછા એવું કહે છે કે અમે ક્રાઉડ ફન્ડથી ઉઘરાવીશું? શું કરવા ઉઘરાણા કરવાના? કોંગ્રેસ-ભાજપમાં ઓછામાં ઓછા સો દલિત નેતાઓ માત્ર ગુજરાતમાં એવા છે, જેમની પાસે સો-સો કરોડની સંપત્તિ છે. લઈ લો એમની પાસેથી. સરકાર પાસે એક કરોડ માંગો. ભાજપ-કોંગ્રેસ મળીને પણ એક કરોડ રૂપિયા આપી શકે છે. પાંચ હજાર વર્ષથી ભયાનક અસ્પૃશ્તાથી પીડાતા સમાજની વ્યક્તિનું આજે પણ એ જ કારણસર ખૂન થાય છે તો એની વિધવાને એક કરોડનું વળતર બિલકુલ ઉચિત છે. સરકાર સાવ મામૂલી વળતર આપે છે, એને ફગાવી દેવાની તમારી ધમકીનો કોઈ મતલબ નથી. તમે દુશ્મનના જ નિયમો પ્રમાણે રમો છો.

બાબાસાહેબે કહેલું કે માણસ સામાજિક રીતે મુક્ત ના હોય તો એને આર્થિક રીતે મુક્ત કરો. પૈસા બહુ મહત્વની બાબત છે. એટલે મારા વહાલા દલિતો, ભિખારીની જેમ ભલે જીવ્યા, ભિખારીની જેમ ભલે મર્યા, તમારા મરનારનું વળતર તો કરોડપતિને છાજે તેવું માંગો. તમારા કહેવાતા નેતાઓ ભિખારીની માનસિકતા ધરાવે છે. તમને ભિખારી જ બનાવશે. યાદ રાખજો.

દલિત મૃતકનું વળતર બમણું કરાવો, પાછુ આપવાની વાત ખોટી.


By Raju Solanki  || 24 May 2018




આજે ટાઇમ્સ ઑફ ઇન્ડીયાના અહેવાલ પ્રમાણે રાજકોટના શાપર વિસ્તારમાં હત્યા કરાયેલા દલિત યુવાનના કુટુંબે વળતરના સરકારે આપેલા ચાર લાખ પાછા આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય એમને કેટલાક લોકોએ લેવડાવ્યો છે. કારણ એવું દર્શાવવામાં આવ્યું છે કે મૃતક વાણીયાનો કેસ અ ઉના-દમનના કેસની ઝડપી કાર્યવાહી ના થાય તો વળતર પાછું આપી દેવામાં આવશે. આ કયા પ્રકારની રાજનીતિ છે? કોઇપણ પીડિતનો પરિવાર અત્યારે લાગણીના આવેગમાં ઉશ્કેરાઈને આવી કોઇપણ વાત માની શકે છે, પરંતુ તેમને મળતા વળતર સાથે કાયદાકીય પ્રક્રિયાને શા માટે સાંકળવી જોઇએ? શું ભાજપની જગ્યાએ બીજો કોઈ પક્ષ સત્તા પર હોય તો ઝડપી પ્રક્રિયા થશે એની કોઈ ગેરન્ટી છે? ગુનેગારોને સજા એ તો ન્યાયિક પ્રક્રિયાની વ્યવસ્થા સાથે સકંળાયેલી બાબત છે. અને પીડિતને મળતું વળતર એનો અધિકાર છે. આ પૈસા તો પ્રજાના છે. રૂપાણી એમના ગજવામાંથી આપતા નથી. એવું હોય તો ભાજપની સરકાર દ્વારા ધારાસભ્યોને અપાતી તમામ સવલતો વિપક્ષી સભ્યો કઈ રીતે લઈ શકે? એ વખતે એ પૈસા પ્રજાના ગણીને મજેથી ગજવામાં મૂકી શકાતા હોય તો એક પીડિત પરિવારને આ રીતે ઉશ્કેરવો તદ્દન ગેરવાજબી છે. રાજકોટના દલિતોને વિનંતી કે પીડિત પરિવારને આ બાબતમાં સમજાવે. વળતર બમણું કે ત્રણગણું કરવાની વાત કરો. પાછું આપવાની નહીં.

June 20, 2018

હમ આપકે હૈ કૌન

By Raju Solanki  || 04 April 2018


ગઈ કાલે (On 03 April 2018)  ઇટીવીની ડીબેટમાં કોંગ્રેસ અગ્રણી, પૂર્વ આરોગ્યમંત્રી ડો. દિનેશ પરમાર મળ્યા. એમણે મને પૂછ્યું, “તમે કોણ?” મેં કહ્યું, “પચીસ વર્ષ પહેલાં જામનગરમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખસેડવાના મુદ્દે દલિતોએ ઉગ્ર પ્રતિક્રિયા આપેલી, એમનું નૈતિક મનૌબળ તોડવા ભયાનક પોલિસ દમન થયેલું અને તમારી (ડો. દિનેશ પરમારની) સામે પણ પોલિસ ફરીયાદ થવાની સંભાવનાઓ હતી ત્યારે ‘ગુજરાત ટુડે’ દૈનિકના સંવાદદાતાની હેસિયતથી મેં તલસ્પર્શી અભ્યાસના અંતે સઘન કવર સ્ટોરી કરી હતી અને દૈનિકની એ નકલો આપે ગુજરાત વિધાનસભામાં વહેંચી હતી, જબરજસ્ત ઉહાપોહ થયો હતો અને તેને કારણે દલિતો સામેના કેસો પાછા ખેંચાયા હતા. એ નાચીઝ પત્રકાર હું રાજુ સોલંકી.”

મારી વાત સાંભળીને દિનેશભાઈએ મારી સાથે ઉમળકાથી હાથ તો મીલાવ્યા, પરંતુ મારા મનમાં કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થયા. કોંગ્રેસી મહાનુભાવોની યાદદાસ્ત આટલી કમજોર કેમ? શું એમને માત્ર નેહરુ ખાનદાનના ગોરા, ચીકણા યુવરાજો જ યાદ રહેતાં હશે? મારા જેવા ફટીચર, કાળા, કોમનમેન કેમ યાદ નહીં રહેતા હોય? અને શું હવે કોંગ્રેસની જ જેમ ભાજપ પણ સત્તા પર આવ્યા પછી દલિતોને વિસરી ચૂક્યું છે? તમારી પાસે આ પ્રશ્નોના જવાબો હોય તો મને કહેજો.

भानुभाई का बलिदान

By Raju Solanki  || 10 April 2018



देश आझाद हूआ तब गुजरात के दुदखा गांव के दलित जाति के वणकर कुबेर दला और फकीर डोसा के पास करीब 9 हैक्टर जमीन थी. उस वक्त गुजरात बोम्बे स्टेट का हिस्सा था. 1955 में कांग्रेस सरकार ने परचुरण इनामी नाबूदी अधिनियम, 1955 के तहत इन दलितों की जमीन सरकार के क़ब्जे में ले ली. याद रहे, इसी कांग्रेस सरकार ने एक साल बाद 1956 में लेन्ड टेनन्सी कानून के तहत सौराष्ट्र के 55,000 पटेल किसानों को दो लाख एकड जमीन का स्वामित्व दे दिया था.

1955 से लेकर 1995 तक. चालीस साल गुजरात में कांग्रेस की लीबरल, डेमोक्रेटिक, सेक्युलर, प्रगतिशील, दलित-मित्र सरकार थी. किसीने इन गरीब दलितों को इनकी जमीन वापस देने का कोई प्रयास नहीं किया. उस वक्त झीनाभाई दरजी थे, बडे दलित-मित्र. बीस मुद्दा अमलीकरण समिति के अध्यक्ष. उन्हों ने भी कुछ नहीं किया. वणकर कुबेर दला सरकारी कचहरियों के चक्कर काटते काटते मर गए. उनकी बेटी हेमाबेन अब इस जमीन के लिए लडने लगी. 1995 के बाद गुजरात में भाजप की सरकार आई. हिन्दु हीत की बात करेगा, वही देश पर राज करेगा, नारा देनेवाली सरकार. उसने भी कुछ नहीं किया. बेचारी हेमाबेन भी सरकारी कचहरियों के चक्कर काटते काटते बूढ्ढी हो गई.

एक दिन एक सेवा-निवृत्त सरकारी कर्मी भानुभाई उनके पास गए. उन्हों ने उनका केस हाथ में लिया. वे भी अब सरकारी दफ्तरों के चक्कर काटने लगे. एक दिन भानुभाई के शब्र का पियाला भर गया. उन्हों ने अपने करीबी दोस्तों को बोल दिया, मैं अब आत्मविलोपन करुंगा. सरकार हमारा सूनती नहीं है. अब मैं मेरी जान दे दुंगा. अपने वचन के पक्के भानुभाई ने पाटन कलेक्टर कचहरी के सामने ही अपने शरीर पर ज्वलनशील पदार्थ छीडककर जलकर अपने प्राणों की आहूती दे दी. पूरे देश में भूचाल आ गया. लोग सडकों पर आ गए. कई दिनों तक उनका मृतदेह लेकर उनकी पत्नी गांधीनगर में बैठी रही. तब सरकार ने इस जमीन, जो 1955 से दलितों से छीनी गई थी, वापस देने का फैंसला किया.

यह पूरी कहानी मैं आज फिर इस लिए दोहरा रहा हूं कि भानुभाई की मौत के लिए कांग्रेस औऱ भाजप दोनों जिम्मेदार है. दोनों पक्ष दलितों के जजबातों से खिलवाड करते हैं. दोनों के लिए दलितों के मुद्दे फुटबोल जैसे है, जब चाहो उछालो. सत्ता पर आने के बाद भूल जाओ. हमें यह याद रखना पडेगा, वर्ना भानुभाई जैसे लोग शहीद होते रहेंगे और हम वहीं के वहीं रहेंगे.

દલિત-વિદ્રોહ વટવૃક્ષ બનીને ઉગવાનો છે

By Raju Solanki  || 11 April 2018


ઘણા લોકોને એ સમજાયું નહીં કે બીજી એપ્રિલે આટલા બધા લોકો હાથમાં વાદળી ઝંડા લઇને કઈ રીતે નીકળી પડ્યા? ‘જય ભીમ’ના નારા સાથે એમણે ટ્રેનો રોકી, રસ્તા રોક્યા, પોલિસનો સામનો કર્યો, ધરપકડો વહોરી, ગુંડાઓની ગોળીઓ છાતીમાં ખાધી. કઈ રીતે થયું? આમ અચાનક? શું આ લોકો 2019માં નેહરુ ખાનદાનના યુવરાજ રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા નીકળ્યા હતા? ના. હરગીઝ નહીં.

આ તો એક દાવાનળ હતો, જે દાયકાઓથી ઉપખંડ જેવા એક વિશાળ દેશની સૌથી દબાયેલી કચડાયેલી પ્રજાની સામૂહિક ચેતના (collective consciousness)ની ભીતરમાં ભભૂકતો હતો. તમે સપાટી પર જે ધૂમાડો જોયો એનાથી આ દાવાનળની તીવ્રતાનો તમને લગીરે ખ્યાલ નહીં આવે.

અને જો તમે ‘આંબેડકરી ચળવળ’ નામની એક યુગપ્રવર્તક ઘટનાને જાણતા-સમજતા ના હો, તો તમને સહેજ પણ નહીં સમજાય કે છેલ્લા સો વર્ષની એક મહાન, સાતત્યપૂર્ણ, દૂરોગામી અસરો ધરાવતી ચળવળનું આ પરીણામ છે, જેમાં હજારો નિ:સ્વાર્થ, પ્રતિબદ્ધ લોકોએ પોતાનો લોહી-પસીનો રેડીને એમના સૂતેલા સમાજને જગાડવા દિવસ-રાત મહેનત કરી છે. આ એવા લોકો છે જેમના નામ તમે મીડીયાની હેડલાઇન્સમાં વાંચ્યા નથી, ટીવીની ડિબેટોમાં સાંભળ્યા નથી. એ લોકો સાચા અર્થમાં મારા, તમારા સમાજના unsung heroes છે. વીસ કરોડની વિશાળ જનસંખ્યા ધરાવતી, સમગ્ર દેશમાં પથરાયેલી અનુસૂચિત જાતિઓને એક માળામાં પરોવવા આ મહાનાયકોએ એમની જિંદગીઓ કુરબાન કરી છે.

શેખર ગુપ્તા, સાગરિકા ઘોષ, રાજદીપ સરદેસાઈ, ઉર્મિલેશ, ભાનુપ્રતાપ મહેતા જેવા મનુસ્ટ્રીમ મીડીયાના કહેવાતા પ્રબુદ્ધ (enlightened) પત્રકારો આ આંબેડકરી ચળવળને ‘સેક્યુલર, ડેમોક્રેટિક, લીબરલ, લેફ્ટ’ની પરીભાષામાં સમજવા અને સમજાવવા હાલ રીતસર તરફડીયા મારી રહ્યા છે. કેમ કે, એમના તમામ શુભાશયો છેવટે તો આવા દલિત-વિદ્રોહને કોંગ્રેસની મતપેટી સુધી જ સીમિત રાખવાની મથામણનો ભાગ છે. પણ મને કહેવા દો, આ દલિત-વિદ્રોહ ‘લેફ્ટ-રાઇટ’ના આભાસી વૈચારિક દ્વન્દ્વથી પર, કોંગ્રેસ-ભાજપના રાજકીય ધ્રુવીકરણથી દૂર દલિત-બહુજનની ભાગીદારીની નક્કર જમીન પર વટવૃક્ષ બનીને પાંગરવાનો છે.



- Raju Solanki

ગાંધી અને કોન્ગ્રેસના કાવાદાવા

By Jigar Shyamlan ||  14 March 2018 


"હું મારા લોકોનો વિશ્વાસઘાત કદાપી નહીં કરૂ. પછી ભલે તમે લોકો મને નજીકના વીજળીના થાંભલે ફાંસીએ લટકાવી દો." 
- બાબા સાહેબ આંબેડકર
==================================
અગાઉ સળંગ બે પોસ્ટ  ગોળમેજી પરીષદ વિશેની હતી. 
ગોળમેજી પરીષદ શેના માટે હતી. અસ્પૃશ્યોના અધિકારો માટે કેટલી મહત્વની હતી તે બાબતની માહીતી હતી. બીજી ગોળમેજી પરીષદમાં ગાંધીજીએ કેવી રીતે ચાલાકીઓ કરી બાબા સાહેબની માંગણી મુજબ અસ્પૃશ્યોને અલગ મતાધિકાર ન મળે તે માટે અનેક કાવાદાવા કરેલા તે વિશેની માહીતી હતી.

ગાંધીજીના આટલા બધા પ્રયાસો કરવા છતા બાબા સાહેબ

(1). ભારતમાં અસ્પૃશ્યોને સદીઓથી કેવી પીડા સહન કરવી પડી રહી છે..??

(2).ભારતમાં અસ્પૃશ્યોનું ધર્મ આધારીત જાતિવ્યવસ્થાથી કેટલી હદે શોષણ થઈ રહ્યુ છે..??

(3). ભારતમાં અસ્પૃશ્યોને કોઈ પણ પ્રકારના માનવ અધિકારો આપવામાં આવતા નથી.

આ બધી બાબતો બ્રિટીશ વડાપ્રધાન અને મંત્રી મંડળને સમજાવવામાં બાબા સાહેબ સફળ રહ્યા હતા.

એટલે બ્રિટીશ વડાપ્રધાન રામ્સે મેકડોનલ્ડે ગાંધીજીનો ભારે વિરોધ હોવા છતાં કમ્યુનલ એવોર્ડની (કોમી ચૂકાદો) ઘોષણાં કરી જેમાં અસ્પૃશ્યોના અલગ મતાધિકારની માંગણીઓ સ્વિકારવામાં આવી હતી.

ગાંધીજી અસ્પૃશ્યોને આ અલગ મતાધિકાર મળે તેવું શરૂઆતથી જ ઈચ્છતા ન હતા. અસ્પૃશ્યોને આ અલગ મતાધિકાર ન મળે તે માટે બીજી ગોળમેજી પરિષદમાં એમણે ઘણાંય કાવા દાવા કર્યા હતા. પણ ફાવ્યા ન હતા. એટલે આ મતાધિકારની માંગણી સ્વિકારાતા જ ગાંધીજીએ તેના વિરોધમાં આમરણાંત ઉપવાસની ઘોષણા કરી અને રાજકીય દૌડધામ શરૂ થઈ ગઈ.

ગાંધીજીએ અહીં પણ એક મોટી છલના કરી હતી. માત્ર કહેવા પુરતા જ તેમજ દેખાડવા પુરતા જ ગાંધીજી આ કોમ્યુનલ એવોર્ડના વિરોધમાં ઉપવાસ પર બેઠા. 
પણ હકીકતમાં ગાંધીજી કોમ્યુનલ એવોર્ડના વિરોધમાં નહી પણ તે અંતર્ગત અસ્પૃશ્યોને મળેલ અલગ મતાધિકારનો વિરોધ કરી રહ્યા હતા. કારણ પરીષદ પહેલા ગાંધીજી જેને જે પણ જોઈયે તે આપવા રાજી હતા. મુસ્લિમોની ચૌદ સુત્રીય માંગણી, શીખો અને એગ્લોં ઈન્ડીયનોને આપવાના અધિકારો આ બધી બાબતે રાજી હતા, સંમત હતા. ગાંધીજીનો વિરોધ ફક્ત અને ફક્ત અસ્પૃશ્યો માટે બાબા સાહેબે માંગેલા અલગ મતાધિકાર બાબતે જ હતો.

ગાંધીજીના ઉપવાસના પાંચ દિવસ પહેલા મદન મોહન માલવિયાની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે પરિષદ યોજાવાની હતી પણ પાછળથી એ પરિષદ મુંબઈમાં યોજાઈ. આ પરિષદમાં સમગ્ર ભારતના હિન્દુ નેતાઓ હાજર હતા. તેમાં બાબા સાહેબને પણ બોલાવવામાં આવેલા.

આ બેઠકમાં બાબા સાહેબે પોતાના વિચાર સ્પષ્ટ કરતા દ્રઢતાપૂર્વક કહ્યુ હતુ કે--
'' હું ગમે તે વિષયમાં વિચાર વિમર્શ કરવા તૈયાર છું પરંતુ અસ્પૃશ્યોના અધિકારમાં કોઈપણ પ્રકારનો કાપ સ્વિકારવા તૈયાર નથી. દુ:ખની વાત એ છે કે ગાંધીજી માત્ર અસ્પૃશ્યોના અલગ મતાધિકારનો વિરોધ કરે છે, અને તેના માટે આત્મદ્રોહ કરવા ઈચ્છે છે. જે કમ્યુનલ એવોડઁમાં મુસલમાન, શીખ, એંગ્લો ઈન્ડીયન, યુરોપિયનોને પણ અલગ મતાધિકાર આપવામાં આવ્યો છે, જેનો વિરોધ કરતા નથી. મહાત્માજી કોઈ અમર વ્યક્તિ નથી અને કોન્ગ્રેસ પણ અમર નથી. આભડછેટ મટાડવા અને અસ્પૃશ્યોને હિન્દુ સમાજમાં ભેળવવાના ધ્યેયવાળા ઘણા મહાત્મા ભારતમાં થયા છે પરંતુ બધા જ પોતાના મિશનમાં સફળ થયા નથી. મહાત્મા આવ્યા અને ગયા બિચારા અસ્પૃશ્યો કાયમ દુ:ખી અસ્પૃશ્ય જ રહ્યા.''

ગાંધીજીના આ વિરોધ કરવાની વૃત્તિ બાબતે બાબા સાહેબે આગળ કહ્યું હતુ કે -
"આ બાબતે ખલનાયકની ભૂમિકા મારે માથે આવી પડી છે. પરંતુ હું જેને મારૂ પવિત્ર કર્તવ્ય માનું છું તેમાંથી સહેજ પણ પાછી પાની નહી કરૂ. હું મારા લોકોનો વિશ્વાસઘાત કદાપી નહીં કરૂ. પછી ભલે તમે લોકો મને નજીકના વીજળીના થાંભલે ફાંસીએ લટકાવી દો. તમે કોરા સિધ્ધાંતવાદી પંડિત અને દેશભક્ત લોકો જો અમને તમારા પોતિકા ના ગણતા હોય તો અમારા ઉપર સંયુક્ત મતાધિકાર લાદવાનો અને તમારા ધર્મ સાથે અમને ચોંટાડી રાખવાનો પણ કોઈ અધિકાર તમને નથી''

બાબા સાહેબ અસ્પૃશ્યો માટે ભારે સંઘર્ષ અને મહામહેનતે મેળવેલ અલગ મતાધિકાર ગૂમાવવા માંગતા ન હતા. બીજી બાજુ ગાંધીજી આમરણ ઉપવાસ કરીને ઈમોશનલી બ્લેકમેઈલ કરી રહ્યા હતા.

કોન્ગ્રેસ અને તેમના ચમચાઓ દેશભરમાં બાબા સાહેબનો વિરોધ કરી રહ્યા હતા. જાતિવાદી છાપાઓ પણ બાબા સાહેબને વિલન ચીતરી રહ્યા હતા.

ગાંધીજીની તબીયત લથડતી જતી હતી. ગાંધીજીનો જીવ જોખમમાં હતો. કોન્ગ્રેસના મોટાભાગના રાજનેતાઓ વારંવાર બાબા સાહેબને ગાંધીજીનો જીવ બચાવી લેવા સમજાવી રહ્યા હતા. વિનંતીઓ કરી રહ્યા હતા. બીજી તરફ બાબા સાહેબને દેશભરમાંથી ધમકીઓ આપવામાં આવી રહી હતી. પણ બાબા સાહેબ ઝૂકવા તૈયાર ન હતા.

ત્યારબાદ દેશભરમાં અસ્પૃશ્યો પર હિંસક હૂમલાઓ થવાનુ શરૂ થયું. અનેક જગ્યાએથી અસ્પૃશ્યોને જીવતા સળગાવી દેવાની તેમજ તેઓના સામૂહીક કત્લેઆમ કરી નાખવાની ધમકીઓ મળી રહી હતી.

બાબા સાહેબને પોતાના જીવની સહેજપણ પરવાહ ન હતી પરંતુ જો ગાંધીજીના જીવને નુકશાન થાય તો અસ્પૃશ્યોની સામુહીક કત્લેઆમ કરી દેવામાં આવે એવો માહોલ બની રહ્યો હતો.

આ કલ્પના બાબા સાહેબને ભારે ડરાવી રહી હતી. કારણ અસ્પૃશ્યો વગર અધિકારની કોઈ કિંમત ન હતી.
આખરે અસ્પૃશ્યોના હિત ખાતર હ્યદય પર પથ્થર મૂકીને બાબા સાહેબ ગાંધીની વાત માનવા તૈયાર થયા.
પછી બાબા સાહેબ અને ગાંધી વચ્ચે પૂનાની જેલમાં એક સમજૂતી થઈ જે પૂના કરાર નામે ઓળખાય છે. જેમાં બાબા સાહેબને અસ્પૃશ્યોને મળેલ અલગ મતાધિકાર જતો કરવો પડ્યો. તેના બદલે અસ્પૃશ્યો માટે સંવિધાનમાં કેટલાક ખાસ અધિકાર આપવાની બાંહેધરી કે ખાતરી આપવામાં આવી હતી.

ઈતિહાસ ગવાહ છે. ગાંધીજીનો જીવ બચાવવા માંટે કરવામાં આવેલ પુનાકરારના પરિણામે અસ્પૃશ્યોએ ઘણું ગુમાવવું પડ્યું. જેનો બદલો મોહનદાસ કરમચંદ ગાંધી ઉર્ફે મહાત્મા ગાંધી ફરી અવતાર લે તો પણ ચુકવી શકાય તેમ નથી.
#ગાંધી_કોન્ગ્રેસના_કાવાદાવા
- જિગર શ્યામલન

March 24, 2018

AN OPEN LETTER : SC/ST Atrocity Act By Raju Solanki

By Raju Solanki  || 22 March 2018 at 9:09pm



Supreme Court of India has given an adverse judgement in the matter of the Atrocity Act. We have sent a letter to Member of Parliament from Gujarat Dr. Kirit Solanki urging him to promptly take action in this regard. The text of the letter is as follows:

  1. The recent judgement of Supreme Court of India in the matter of Atrocity Act is detrimental to aims and objectives of the Act.
  2. The apex court has observed that the said Act has been misused. This observation is very shallow and ill-founded. When acquittal rate is app. 96 percent and hardly 4 percent accused are punished, the so-called ‘misuse’ of the law is ‘fictitious’ and ’precarious.’
  3. In Gujarat, our personal experience with such cases is quite contrary to what ‘honourable’ judges assume on caste-based atrocities.
  4. We Dalits are the most vulnerable marginalised community, particularly in villages where feudal, casteist attitude prevails and entire political-administrative-police machinery gang up against Dalits.
  5. The present judgement would make Dalits more vulnerable against the hostile forces that need to be controlled as early as possible.
  6. We hope your initiative in this matter may stop ‘judicial extravagance’ and save lives of millions.


This letter will be faxed to all SC and ST MPs

March 13, 2018

ગામડાના દલિતોની રણનીતિ. કેટલાક વિચારો

By Raju Solanki  || 10 March 2018 at 8:31pm



સૌરાષ્ટ્રના ગામડાઓમાં દલિતો પર દિનપ્રતિદિન અત્યાચારો વધી રહ્યા છે. આવા સંજોગોમાં દલિતોએ શું કરવું? સૌરાષ્ટ્રના એક ગામમાં દલિત સૈનિકે જુગાર રમતાં લોકોને ઠપકો આપ્યો અને એની છાતી ચાળણી થઈ ગઈ. સૈનિકના માબાપ ગાંધીનગરમાં ધરણા પર બેઠા, ત્યારે એક ગુજરાતી અખબારે લખેલું કે સૈનિકે જુગારીઓ જોડે ઉદ્ધત વર્તન કરેલું. ખરી વાત છે. સૈનિકે શા માટે ઠપકો આપ્યો? એણે જુગારીઓને ઠંડુ પાણી પીવડાવવું જોઇતું હતું. એ પોતે મીલીટરીમાં હતો. કેન્ટોનમેન્ટમાંથી દારુ લાવીને જુગારીઓને પીવડાવવાનો હતો. જુગારીઓ બાપડાં પત્તા રમતા હતા. જન્માષ્ટમીએ તો આખો સમાજ પત્તા રમે છે. અને ભાજપ-કોંગ્રેસ તો વિધાનસભામાં દાયકાઓથી, મજેથી પત્તા જ રમે છે. દર પાંચ વર્ષે પત્તા ચીપાય છે. ટાઇમ્સ ઑફ ઇન્ડીયા એને લોકશાહીનું નૃત્ય (dance of democracy) કહે છે. હું એને લોકશાહીનો જુગાર (gambling of democracy) કહું છું. અહીં કોંગ્રેસ જીતે કે ભાજપ જીતે, હોડમાં પ્રજા જ મુકાય છે અને છેલ્લે પ્રજાની જ હાર થાય છે. લાસ વેગાસના કોઈપણ કાસિનો કરતા પણ મોટી હેરાફેરી અહીં થાય છે. 
*
થાનગઢમાં આગલા દિવસે મેળામાં દલિતો અને ભરવાડના જુથો વચ્ચે મારામારી થયેલી. મેહુલના પોસ્ટમોર્ટમના રીપોર્ટમાં લખેલું કે એને છાતી પર ઇજા થઈ હતી. એણે ઘરે આવીને કોઇને કહેલું પણ નહીં. રાત્રે પંકજને પોલિસે ગોળી મારી. બીજા દિવસે દલિતો પોલિસની સામે ધસી ગયેલા, એમાં મેહુલ પણ હતો. પોલિસના હાથમાં એકે-47 અને દલિતોના હાથમાં બાવળીયાના ઝાંખરા. કેટલું ભયાનક ઝનુન. પરિણામ કેટલું વિકરાળ. 
*
દલિતોને ક્યાંક મૂછો વધારવાથી માર પડે છે. મૂછો શા માટે રાખો છો? ‘વાણીયાભાઈની મૂછ નીચી’ કહેનારા વાણીયા આજે રાજ કરે છે અને મૂછો પર લીંબુ ઠેરવતા દરબારો પડીને પાધર થયા છે. દરબારોની નકલ કરવા કરતા વાણીયાની કરો. બંને વર્ણવ્યવસ્થાના જ પ્રતીકો છે. તમારે તો નકલ જ કરવી છે ને? તો મૂછ વિનાનું પ્રતીક શું ખોટું? નકલમાં તો અકલ રાખો. 
*
ઉનામાં બાલુબાપાને માર પડ્યો. હજુ ઘરમાં માયાવતીનો ફોટો રાખે છે. શરમ નથી આવતી બાલુભાઈને. અરે ભાઈ, ઘરમાં નરેન્દ્ર મોદીનો ફોટો રાખો. મોદીનો ના રાખવો હોય તો રાહુલજીનો રાખો. તેઓ આવતી કાલે વડાપ્રધાન બનવાના છે. જાણીતા વિદ્વાન કટાર લેખકો, ઊંડા રાજકીય વિષ્લેષકો, લબ્ધ પ્રતિષ્ઠિત સમાજશાત્રીઓ એક અવાજે કહી રહ્યા છે. રાહુલબાબા ઉગતો સૂરજ છે. માયાવતી આથમતી અમાસ છે. કોનો ફોટો રાખવો કે ના રાખવો એ પણ તમને સમજાવવાનું? બેવકૂફ માણસો. સમજો. જીવતો નર ભદ્રા પામે. સર સલામત તો પઘડીયા બહોત. સમય પ્રમાણે સુકાન ફેરવો. સમજ ના પડતી હોય તો ફેસબુક પરની પોસ્ટો વાંચો.
*
ગામડાના દલિતોએ શહેરના દલિતોને એક વાત ખોંખારીને કહી દેવાની જરૂર છે. મહેરબાની કરીને લક્ઝરીઓ ભાડે કરીને અહીં દેકારો કરવા આવશો નહીં. તમે શહેરના અભયારણ્યમાં મજેથી રહો છો. જલસા કરો. અહીં ગામડામાં આવીને ક્રાંતિના નાટકો કરશો નહીં. અહીં ગામડામાં ગાંધી, સરદાર નેહરુ, રૂપાણી, ધનાણી, કાનાણી કોઈનીએ કોઈ શરમ ભરતું નથી, તો તમે કયા ખેતની મૂળી? આપણે બંદૂક ઉઠાવી શકીએ એમ નથી. આપણે પોતે સીક્યૂરિટી માંગીએ છીએ. બીજાને શું અભયદાન આપીશું? તમે શહેરવાળા તમારી ચિંતા કરો. અમે ગામડાવાળા અમારું ફોડી લઇશું. 
*
અને છેલ્લે, ગામડાના દલિતોએ મીડીયા પર ભરોસો કરવો નહીં. મીડીયાને દલિતોમાં રસ નથી, દલિતોની લાશોમાં રસ છે. અખબારોને સરક્યુલેશન વધારવું છે અને ટીવી ચેનલોને એમની ટીઆરપી. મીડીયાના ચાવવાના અને બતાવવાના દાંત જુદા છે. હમણાં એક ટીવી ચેનલ પર એક ડીબેટમાં ભાગ લેવા ગયો ત્યારે મેં જોયું કે એન્કર ટીવી પર જાતિવાદી આંદોલનોને અને આંદોલનકારીઓને ભાંડતો હતો અને જેવી ડિબેટ પૂરી થઈ ત્યારે એની ચેમ્બરમાં “હવે મધ્યસત્ર ચૂંટણી આવવાની છે અને કોંગ્રેસ 120 બેઠકો લાવવાની છે,” એમ કહી રહ્યો હતો. સરવાળે જાતિવાદી તમે છો, ભાજપ અને કોંગ્રેસ તો દૂધે ધોયેલા છે. એ રાજ કરશે. તમારે તો ખહટાવવાનું જ છે.

- Raju Solanki

December 19, 2017

गुजरात चुनाव पर सबसे बेहतरीन विश्लेषण : Ram Riots and Reservation!

By Jitendra Makwana | 19 December 2017 at 01:18 


गुजरात के चुनाव मे शहरी क्षेत्रो मे से 85% सीटे भाजपा ने जीती.

चार प्रमुख शहरों - अहमदाबाद, सूरत, वडोदरा और राजकोट की 55 में से भाजपा ने 44 सीटें जीत ली और कोंग्रेस ने सिर्फ 11 सीटें.   ( Deccan Herald) 
फिर एक बार सवर्ण गुजराती मतदाता ने यह साबित कर दिया है कि उनके लिए भारत में सरकार का चुनाव करने के लिए आर्थिक मापदंड कोइ माईने नही रखता. 

ये आंकड़े स्पष्ट रूप से दिखाते है की व्यापारी वर्ग और सवर्ण मध्यम वर्ग को GST ,नोटबंधी या मोदी सरकार की दुसरी कोइ भी गलती से मतलब नही है. 

( यहा तक की नोटबंधी के तुरंत बाद सवर्ण और गरीब पीछडो ने उत्तरप्रदेश मे मोदी को वोट दिया था. )

वास्तव में शहरी सीटों में बीजेपी का वोट शेयर पिछले चुनावों की तुलना में इस बार 3-5% बढ़ा है.

अगर आप इन मे से किसी भी सवर्ण व्यापारी वर्ग को जाकर पुछेगे की व्यापार का क्या हाल है तो वो कहेंगे की GST और नोटबंधी के कारण कारोबार मे काफी गिरावट है.

लेकिन जब चुनाव और मतदान की बात आती है, तो ऊपरी जाति का वोट संघ और भाजपा के सीवा और कही भी नही पडता.

मगर आप ये हरगीझ न सोचे की ये वोटींग मोदि के कारण है.

उनका ये वोट आरक्षण और मुसलमानों के खिलाफ है.

वोह संघ या मोदी नहीं है जो दंगे चाहते है, लेकिन वोह उच्च जाति और मध्यम वर्ग गुजरात है जो बडी गहराई ये सब चाहते है.

मोदि और संध तो सिर्फ उन लोगो की सेवा कर रहे है जो ये सब चाहते है. 


उच्च जातियों का मानना है कि कांग्रेस का मतलब है आरक्षण और मुसलमान।

समझदार दलितों और मुसलमानों को पता है कि कांग्रेस का मतलब दलितो और मुसलमानों के लिए विकास शून्य परिस्थीती.

और बीजेपी ये सब भ्रम या गलतफहमी का राम, राओट्स (दंगे) और रीजर्वेशन के रुप मे लाभ ले लेती है.

Ram Riots and Reservation!



Original Texts :-

85 % urban seats won by BJP.

Of the 55 seats in four major urban cities - Ahmedabad, Surat, Vadodara and Rajkot - BJP has won 44 seats, with the Congress at a distant 11. ( Deccan Herald)

Once again upper caste Gujarati voter has proved that Economic performance will never ever be a measurement to elect a govt in India for them.

These data clearly show business class, upper caste middle class do not mind GST or demonetization or any mistakes of Modi Sarkar.

( Even after demonetization upper caste & poor backwards had voted for Modi in Uttar Pradesh.)

In fact in urban seats, BJP's vote share has increased by 3-5 % compared to the last election.

While if you go and meet any of these upper caste business class, they will say since GST and Demonetization business has slowed down significantly.

But when it comes to election and voting, Upper caste vote is only and only for Sangh and BJP agenda.

Please don't think it is for Modi.

The vote is against reservation and Muslims.

It is not Sangh or Modi who loves riots, but it is upper caste &middle-class Gujarat that loves it deeply.

Modi and Sangh are just serving people what they want.

Upper castes think Congress means Reservation and Muslims.

Wise Dalits and Muslims know congress means zero development for Dalit and Muslims.

And Bjp takes the benefit of this confusion or misunderstanding on the name of Ram, riots, and reservation

- Makwana Jitendra

(अंग्रेजी से हिन्दी रूपांतरण विशाल सोनारा ) 

August 17, 2017

દલિતો પોતાના પીડિતોને સાંભળે તો પણ .....

By Raju Solanki  || 17 Aug at 18:52
ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે પાટીદાર ક્વોટા આંદોલનમાં માર્યા ગયેલા પટેલોને ‘શહીદ’ કહ્યા, મને ગળા સુધી ખાત્રી છે કે સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન આત્મારામ પરમાર કે વિધાનસભાના અધ્યક્ષ રમણભાઈ વોરા આવા શબ્દો ઉના-દમન પછી ઝેર પીને આત્મવિલોપન કરનારા કે જેલમાં જનારા દલિતો માટે ક્યારેય નહીં ઉચ્ચારે. અને શા માટે ઉચ્ચારે? દલિતો પોતે સમાજ માટે ભોગ આપનારા લોકોને આસાનીથી વિસરી જાય છે, તો રાજકીય પક્ષોના પગલૂછણીયા જેવા દલિત રાજકારણીઓ તેમને ક્યાંથી યાદ રાખે કે બિરદાવે?
કોઈપણ આંદોલનની સાચી વરસી તો ત્યારે ઉજવાય જ્યારે આંદોલનમાં બલિદાન આપનારા લોકોને અને તેમના સ્વજનોને પોંખવામાં આવે અને તેમના સમર્પણને તાલીઓના ગડગડાટથી બિરદાવવામાં આવે. 2012માં ‘ચલો થાન’ના કોલના પ્રતિસાદમાં થાનગઢમાં મળેલી વિશાળ સભા કે જેમાં 50,000થી વધારે દલિતો સ્વયંભૂ એકઠા થયા હતા અને જેણે ગુજરાતના દલિત આંદોલનના ત્રીસ વર્ષના ઠહરાવને તોડ્યો હતો, તેમાં તમામ પીડિતોના સ્વજનોએ પોતાની વેદના રજુ કરી હતી અને જેના દીકરાને પોલિસે ભર બજારમાંથી ઉઠાવીને લોકઅપમાં ગોંધી દીધો હતો તેની માતાએ જ્યારે સ્ટેજ પરથી તેની દર્દનાક દાસ્તાન વર્ણવી ત્યારે સભામાં ઉપસ્થિત તમામ દલિત બહેનો ચોધાર આંસુએ રડી પડી હતી. આવા આંદોલનો સમાજને તાકાત આપે છે. આવા આંદોલનો સમાજને એક કરે છે. દલિતો પોતાના પીડિતોને કાન દઈને સાંભળે તો પણ એમને રૂંવાડા ખડા કરવા કોઈ કનૈયાકુમારની જરૂર ના પડે.
થાનગઢમાં દલિત તરુણો પર એકે-47માંથી ફાયરિંગ કરી રહેલા ડીવાયએસપીના અંગરક્ષક પાસેથી એકે-47 છીનવી લેવાનો સંગીન આરોપ જેના પર મુકાયો હતો તે સુરેશ ગોગીયાને છોડાવવા ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી મુકાવડાવ્યા પછી તેને બેઇલ પર છોડવા માટેનું બીડું લઇને હું કનુ સુમરા તથા મહેશ ચૌહાણ સાથે સુરેન્દ્રનગરની સબ-જેલમાં ગયો હતો. એ વખતે સમયસર કાનૂની મદદ ના મળી હોત તો સુરેશ ગોગીયા આજે પણ જેલમાં સબડતો હોત. આજે સુરેશ ગોગીયા રસ્તામાં મને મળે તો કદાચ ઓળખશે પણ નહીં. પણ આંદોલનમાં જોડાયા હતા એટલે ફરજ નીભાવી એનો સંતોષ છે.
અમરેલીમાં ઉના-દમનના વિરોધમાં નીકળેલી રેલીના આયોજકો ક્રાન્તિકારી યુવાનો કાન્તી વાળા અને નવચેતન પરમારને દલિતો વિસરી ચૂક્યા છે. ઉના-દમન પછી અમદાવાદ, રાજકોટ કે ઉનામાં થયેલી એક પણ સભામાં એક પણ વક્તાએ ક્યારેય ભૂલથી પણ કાન્તી વાળા કે નવચેતન પરમારનું નામ લીધું નથી, કાન્તી વાળાના પિતા મૂળજીભાઈને કે નવચેતનના પિતા દિપકભાઈને સ્ટેજ પર બોલાવ્યા નથી. અમરેલીમાં નવચેતન પરમારે કલેક્ટર ઓફિસના પટાંગણમાં ભર બપોરે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો ત્યારે વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. નવચેતનને પોલિસ પકડીને લઈ ગઈ હતી. જિલ્લાના પોલિસ વડા જગદીશ પટેલ દોડતા દોડતા કલેક્ટર કચેરીમાં આવ્યા હતા. એ જ સમયે અમે કલેક્ટરને આવેદનપત્ર આપીને વડલી બળાત્કાર કેસના આરોપીને પકડવાની અને જેલમાં ઠુંસી દેવાયેલા દલિતોને છોડવા માટે માંગણી કરી હતી. કલેક્ટર રાણાને મેં ખખડાવીને કહ્યું હતું કે તમારો એટ્રોસિટી સેલનો ડીવાયએસપી ગધેડો છે. દુષ્કર્મનો ભોગ બનેલી દલિત દીકરીને ચોવીસ કલાક પછી હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જાય છે. ત્યારે રાણા ચીડાઈ ગયા હતા. એ મીટીંગમાં ઉપસ્થિત એસપી જગદીશ પટેલે બધાના મોબાઈલ ફોન સ્વિચ કરાવ્યા પછી કહેલું, “તમને ઓફ ધી રેકોર્ડ કહું છું. આ કેસમાં અમે ઢીલું મુકીશું. બધા છૂટી જવાના છે. બસ, તમે લોકો આમરણાંત ઉપવાસનો કાર્યક્રમ રદ કરી નાંખો.” એ દિવસે અમરેલીમાં આંદોલનનો વીટો વળી ગયો હતો.
ત્યાર બાદ એક મહિના સુધી કાન્તી વાળાના પિતા મુળજીભાઈ ગાંધીનગરમાં પ્રતિરોધ છાવણી પર આમરણાંત ઉપવાસ પર બેઠા હતા, બે બે વાર મૃત્યુના મુખમાં ધકેલાયેલા મૂળજીભાઈને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એક યૌદ્ધાની જેમ મૂળજીભાઈ લડ્યા હતા. દીકરા કાન્તીની યાદમાં એમની આંખ ભીની થતી જોઈ છે. “મારો કાન્તી ક્યારે છૂટશે?,” એ એક જ પ્રશ્ન એમને મળું ત્યારે એમના મુખમાંથી નીકળતો હતો.
દલિત આંદોલનની તાસીર એવી છે કે ગામડાઓમાં અત્યાચારો થાય ત્યારે શહેરી નેતાગીરી ક્યાં તો રોસ્ટર-અનામત એક્ટનો અમલ કરવાની માંગ કરે છે કે પછી રાજકીય મનસૂબા સાકાર કરવા તૂટી પડે છે. જેની પર ખરેખર અત્યાચારો થાય છે એ તો બિચારો ખૂણામાં ઉભો ઉભો બધા ખેલ જ જોયા કરે છે. કોંગ્રેસ-ભાજપ જ્યારે જ્યારે વિપક્ષમાં હોય ત્યારે ત્યારે દલિત અત્યાચારના મુદ્દે મેદાનમાં આવે છે. તેમને દલિતોને ન્યાય અપાવવામાં એક પૈસાનો રસ નથી.
હજુ પણ કાન્તી વાળા અને નવચેતન પરમાર સહિતના તમામ કહેવાતા આરોપીઓ રેલીના કેસમાં છૂટી શકે એમ છે. સવાલ એ છે કે આપણા આંદોલનના એજન્ડામાં આ મુદ્દો છે ખરો?

(તસવીર - ચલો થાનના કોલના પ્રતિસાદમાં થાનગઢમાં મળેલી વિશાળ સભામાં પીડિતોને સાંભળતી દલિત માતાની હ્રદયદ્રાવક ક્ષણો કર્મશીલ, કવિ, ફોટોગ્રાફર, લેખક ઉમેશ સોલંકીએ ઝીલી છે.)

અન્ય તસવિરો ઃ-

 એડવોકેટ નવચેતન પરમાર


પ્રતિરોધ છાવણી



July 24, 2017

દલિત ચિંતન માટે ગંભીર પડકાર

By Mayur Vadher || 29 June at 22:15 


આંબેડકરે આપેલા મહાન વૈચારિક વારસાને પરીણામે અવતરીત દલિત ચિંતન પ્રતિરોધની લડાઈનુ નેતૃત્વ કરી રહ્યું છે. તેની સમાંતરે તે જાતિ ઉચ્છેદની ધીમી લડાઈ પણ લડી રહ્યું છે. દલિત ચિંતન હિન્દુ સમાજની જાતિઓ સામે તો તેનો જંગ માંડી રહ્યુ છે પણ હિન્દુ સમાજના હાડ-માસમાં વણાઈ ગયેલુ જાતિશ્રેષ્ઠતાનું ગુમાન જાતિ નિર્મૂલનની લડાઈ માટે પડકાર છે. આંબેડકરી ચિંતનની જાતિ નિર્મૂલનની લડાઈ જેટલી ધીમી છે એટલી સામે પક્ષે જાતિને મજબૂત રાખવાની લડાઈ પણ એટલી જ જડપી અને મજબૂત છે. છતા આવી નિરાશાજનક અવસ્થામા આંબેડકરી ચિંતકો જાતિ સામેના બળવામા હિન્દુ સમાજની જાતિ વ્યવસ્થાની ભોં ભાંગી રહ્યું છે. દલિતોમા માહોમાહ વિસ્તરતો જાતિવાદ પણ દલિત ચિંતન માટે ગંભીર પડકાર છે. આંબેડકરી ચિંતકોએ દલિતો વચ્ચે વિસ્તરી રહેલો વણકર, ચમાર, હાડી,સેનવા, ગરો વગેરે વાદની વરવી હકીકતો સ્વિકારી આત્મચિંતન કરવું પડશે. કારણ કે જ્યાં એકલવ્ય અને શંબુક જ પોતાની વર્ગીય ચેતનાનું ઐક્ય સાધી શકતા નથી તો બીજાની તો કલ્પના જ કરવી રહી. ડૉ. આંબેડકર જેવી બહુમુખી અને વ્યાપક પ્રતિભા બંધારણના પ્રમુખ ઘડવૈયા કરતા મુઠી ઉંચેરી છે. હકીકતે, આંબેડકરને ‘બંધારણના ઘડવૈયા’, ‘નારી અને મજૂર અધિકારોના પ્રણેતા’, ‘દલિત ઉદ્ધારક’ જેવી પ્રચલિત ઓળખની કેદમાથી બહાર કાઢવા પડશે. દલિતો જે આંબેડકરને ભાવુકતાથી જોઈ રહ્યાં છે તેને દલિતોએ બૌદ્ધિકતાની એરણે તપાસવા જોઈશે. આંબેડકર 1936મા જે ‘એન્હીલેશન ઓફ કાસ્ટ’મા કહી ગયા ત્યાં સુધી ન પહોંચી શકીયે તો પણ માનસિક જૂદાપણું તો ડામવુ જ રહ્યું. હા, બન્ને પક્ષે. 
-મયુર વાઢેર

July 04, 2017

જોરો કા ઝટકા ધીરે સે લગે

By Kusum Dabhi



એક વાર્તા .... એક છોકરીની... જેના ફેમિલી ની આર્થિક સ્થિતિ ખરાબ હોય છે. એક સમય એવો આવે છે કે બધા નાના ભાઈ બહેન ભણતા હોય આ છોકરી ને એના પપ્પા ને આર્થિક મદદ કરવા ngo માં જોબ કરવી પડે છે. એને જોબ તો મળી જાય છે. સ્ટાફ ખૂબ સારું રાખે છે. પણ, એને કામ ગામડાઓ માં કરવાનું હોય છે. જ્યાં, જાતિવાદ ના કડવા અનુભવો થાય છે.
જ્યારે નાના સિટીમાં મકાન ભાડે લેવાનું થાય ત્યારે પણ આ જાતિવાદ નો અનુભવ થાય છે. સ્ટાફના અલગ અલગ જાતિ ના મિત્રો નક્કી કરે છે, બેન ની જાતિ છુપાવવી. એ જ્યાં પણ ગામડામાં જાય એની સાચી જાતિ કહેવી નહિ. છોકરી અને એના સ્ટાફના દરેક વ્યક્તિ ગામડામાં એની ઓળખ એક કહેવાતી સવર્ણ જાતિ થી જ કરે છે.
હવે, ગામડામાં એનું લોકો માં ખૂબ માન પણ વધી જાય છે. લોકો સાથે સરસ રીતે કામ કરે છે. એક બ્રાહ્મણ જાતિ ના મકાનમાં ભાડે મકાન પણ મળે છે. છોકરીનો સ્વભાવ ખૂબ સારો હોવાથી બધા ને એની સાથે બહુ મજા પડી જાય છે. ત્યાં સુધી કે, અડોશ પડોશમાં એની લગ્નની વાત માટે પણ લોકો પૂછતાં હોય છે.
છોકરીને આ ખોટી ઓળખ સાથે રહેવું પડે છે. અંદરથી હમેંશા દુઃખી થઈ ને, ક્યારેક એકલા એકલા રડે છે. પણ, સાચું કહી નથી શકતી. ધીમે ધીમે અમુક ગામડામાં એવી બહેનો સાથે આત્મીયતાના સબંધ બંધાય છે કે, એમને બધું સાચું કહી દે છે. એ લોકો પણ, આ વાત પોતાના પૂરતી જ રાખે છે.
હવે, એ જે મકાનમાં રહે છે એની પડોશમાં જ એક ઘટના બને છે. ત્યાં એક દાદી બહુ બીમાર પડે છે. દાદી સાથે પણ, છોકરી ને સારું જ બનતું હોય છે. પણ, એ લોકો ચુસ્ત જાતિવાદી હોય છે. છોકરીની જાતિ થી અજાણ.
દાદીના છેલ્લા શ્વાસ હોય છે. બધાં કે છે, જીવ નથી જતો. એમને ગંગાજળ પીવડાવો હવે. મકાન માલિક બેન ગંગાજળ લેવા આવે છે. જે ખૂબ ઊંચે પડ્યું છે. છોકરીની હાઈટ વધુ એટલે બેન એને કહે છે, ત્યાં ઉપર ગંગાજળ પડ્યું છે લાવી આપો. છોકરી ગંગાજળ લઈને દાદી પાસે જાય છે.
ગંગાજળ ચમચી વડે આ છોકરી જ દાદીને પીવડાવે છે. થોડી જ ક્ષણોમાં દાદી નો જીવ જતો રહે છે.......આખી જિંદગી અછૂતપણા ની માન્યતા સાથે જીવતી વ્યક્તિ એક અછૂત ના હાથે છેલ્લી ચમચી પાણી પીવે છે.
.....આ એક સત્ય ઘટનાછે..... જોરો કા ઝટકા ધીરે સે લગે....... સહેજ પણ, ખોટું નથી....આપણી આસપાસ આવું ઘણું બની જતું હોય છે.


June 19, 2017

रामनाथ कोविंद: "एक तीर से दो नीशान"

By Vishal Sonara 19/06/2017
लगता है भारत कभी भी जातीवादी राजनीती से मुक्त न हो पायेगा. हम मे से बहोत लोग चाहते है की हमारा भारत देश अब जातिवाद से मुक्त हो जाए और कही पर भी ये जाति जाति का खेल ना खेला जाए. पर लगता है राजनेता ये होने ही नही देगे.

भारत के लोग अब जाती के खेल से उब चुके है और ज्यादातर लोग अब भारत को जाती मुक्त समाज बनाने के पक्ष मे है. इस जातीवाद से देश के ज्यादातर लोग प्रभावीत है.
परंतु ये जातिवादी मानसिकता यही राजनितिक लोग फैलाते है
जब तक जातीओ मे भारत बंटता रहेगा ये लोग हम पर ऐसे ही राज करते रहेंगे.
भारतीय जनता पार्टी ने बिहार के गवर्नर रामनाथ कोविंद को राष्ट्रपति पद के लिए अपना उम्मीदवार बनाने की घोषणा से लोगो ने इस उम्मीद से अपना समर्थन कीया की चलो जातीवादी मानसीकता से उनका चयन नही कीया गया.
पर यहा पे खेल कुछ और ही था. उत्तरप्रदेश के अनुसूचित जाती के राम नाथ कोविन्द कोरी या कोली जाति से है. पर बीजेपी के गुजरात के भावनगर पश्चीम से एमएलए जीतेन्द्र सवजी भाइ वनाणी उर्फे जीतु वनाणी ने जातीवादी कार्ड खेल ही दीया. अपने ओफीशीयल फेसबुक पेज से एमएलए जी ने उनको लीख दीया "अखील भारतीय कोळी समाज के प्रमुख और ओबीसी समाज के वरिष्ट नेता".
उत्तरप्रदेश मे कोरी या कोली जाती अनुसुचीत जाते मे है और गुजरात के कोळी ओबीसी मे है ये सब को पता है. इस मे जाती देखना जरुरी भी नही था फीर भी जीतु वनाणी ने ओबीसी कार्ड खेलने के लीये बाकायदा लीख ही दीया. इस से ये बात स्पष्ट हो जाती है की नेताजी को गुजरात के अगामी चुनाव मे कोळी समाज के वोट का लाभ लेने के लीये ये सब करना पड रहा है.
वहाँ दिल्ली और पुरे भारत मे भाजपा उन्ही को दलित बताकर दलित कार्ड खेलनेमे व्यस्त है!!! 
"एक तीर से दो नीशान" वाली पोलीसी यहा पे साफ दीख रही है.
सुत्रो की माने तो ये नीतिश कुमार का आईडीया था की रामनाथ कोविंद को राष्ट्रपती बनाया जाये पर इन के नाम पर अनुसुचीत जाती और ओबीसी की राजनीती करने का आइडीया किस का है ये समज में नही आ रहा है.
भाजपा अपने चुनावी प्रचार और मीडिया मे बडे जोरो से बोलती है की हम जाती की राजनीती नही कर रहे पर उनके आचार अपने विचारो से क्यो नही मेल खा रहे है ये लोग समजने मे विफल है.



June 10, 2017

આંબેડકરવાદ અપનાવ્યા બાદ તમે માત્ર એક ભીમ સૈનિક છો પેટા જાતીઓ ભુલી જાઓ : જિગર શ્યામલન

અનુસૂચિત જાતિની વ્યાખ્યામાં આવતી તમામ જ્ઞાતિઓને લાગું પડે છે.
પહેલી વાત.... એક જ જ્ઞાતિ કેટલા બધા ગોળ.., પરગણાં.., વાડાનાં બંધનોમાં વહેંચાયેલી છે.....?
બીજી વાત બધા જ જુદી જુદી જ્ઞાતિઓ.. સમાજમાં વહેંચાયેલ છે.
એટલે કહેવા પુરતી અનુસૂચિત જાતિ પણ અંદર તો નકરો શંભુમેળો... દરેક પોતાના સમાજને બીજા કરતા સારો.. અને મોટો બતાવવા પોત પોતાના ચોકા વાળી બેસી ગયા છે...
અનુસૂચિત જાતિમાં આ રીતે માનવ શક્તિ વહેંચાયેલી જોઈ એક વિચાર તરત આવે.. આ સંધ કદી કાશી પહોંચી શકે ખરો..?
હકીકતમાં આપણે બાબા સાહેબના સિધ્ધાંતોને સમજી શક્યા જ નથી.
આપણે પહેલા કોણ હતા..? અમુકને બાદ કરતા કોઈનેય ખબર નથી કે કોઈને પડીય નથી.
એકાદ ઉના જેવી ધટના બને એટલે બધા ધેનમાંથી સફાળા જાગી જાય.. પણ પાંચ, દસ દિવસ મહિનો વીત્યા પછી ફરી પાછા ત્યાંના ત્યાં...
આંબેડકરવાદ અપનાવ્યા બાદ તમે વણકર.., ચમાર.., ગરોડા.., નાડીયા.., ભંગી... એમાંના કંઈ નથી રહેતા.. માત્ર એક ભીમ સૈનિક બનો છો.
પણ.. આપણે દુધ અને દહી બેયમાં રહીએ છીએ....
આપણે આજે કોણ છીએ....?
આપણે વણકર છીએ...
આપણે ચમાર છીએ...
આપણે ગરોડા છીએ....
આપણે ભંગી છીએ...
આપણે ફલાણા છીએ...
આપણે ઢીંકણાં છીએ...
આપણે બધા છીએ... પણ આપણે એક નથી...!!!!!
આપણી પર અત્યાચારોના વધતા બનાવ પાછળ આપણી વચ્ચે ચાલી રહેલી ઠંડી યાદવાસ્થળી પણ મુખ્ય કારણ છે.
કારણ વણકરોથી અલગ ચોકો રચી ચમારો મનમાંને મનમાં ફુલાય છે. ચમારોને પછાડવા ગરોડાઓ તત્પર છે.. ભંગીઓ તો આ બધાથી સાવ અલિપ્ત જ છે.
એક કીડીની કોઈ કિંમત નથી.. તેને ચપટીમાં મસળી શકાય છે.. પણ બધી જ કીડીઓ ભેગી થઈ જાય તો મદોન્મત હાથીનેય માથુ પછાડી પછાડીને મરવા મજબુર કરી દે છે...
જો આપણે આપણો પાવર બતાવડો હશે.. તો પહેલા આપણે એક થવું જ પડશે.. અંદરોઅંદરના ભેદ-ભાવ.., વેર-ઝેર.., ગમા-અણગમા.., હુસા-તુસી.., કાવા-દાવા.. બધુજ ભુલીને સમાજમાં એકતા સ્થાપવી પડશે...
પછી જ બાબા સાહેબના વિચારો પર ચાલવાની કોશિશ કરવી જોઈયે...
કારણ આંબેડકરવાદ એ સિંહણના દુધ જેવો છે... એ સોનાના વાસણમાં જ રહી શકે. તાંબા-પિત્તળના વાસણમાં લેવા જાવ તો વાસણ જ ફાડી નાખે..
જિગર શ્યામલનનાં જયભીમ..........


Facebook Post :-

May 24, 2017

योगीराज में प्रशासन भयमुक्त के जगह भययुक्त होता जा रहा है

सहारनपुर कल 23 मई को बीएसपी सुप्रीमो मायावती जी ने सहारनपुर का दौरा किया । मायावती जी शब्बीरपुर गांव के पीड़ितों से मिलने पहुंची थी।  जातिवादी नफरत से भरे लोगों ने कुछ अलग ही सोच रखा था । 
मायावती जी के लौटने के तुरंत बाद जब आसपास के गांवों से सभा में शामिल होने आए लोग जब वापिस जाने लगे तो रास्ते में उनपर ठाकुरों ने बंदूक, तलवार और कुल्हाड़ियों से हमला बोल दिया। इसके अलावा एक शख्स को गोली मार दी।  गांव के बाहर खेत में घंटों से घात लगाकर बैठे जातिवादी आतंकवादियों ने शब्बीरपुर के महज 500-600 मीटर की दूरी पर ही हमला बोल दिया ।


हमले में दर्जनों लोग घायल हुए जबकि 2 लोगों की मौत हो गई। तलवार बाजी में घायल दो दलितों की स्थिति गंभीर बनी हुई है। तलवारों और दूसरे हथियारों से लोगों के हाथ पैर पर इस तरह से प्रहार किए गए थे कि देखने वालों का दिल रो पड़े, हमले में गंभीर रूप से घायल लोगों को मेरठ के जिला अस्पताल में भर्ती कराया गया है। 7 घायलों को सहारनपुर जिला अस्पताल में भर्ती कराया गया है। लोगों का आरोप है कि पुलिस की मौजूदगी में लोगों पर हमला हुआ।

प्रत्यक्षदर्शियों का कहना है कि जिस तरह योजनाबद्ध तरीके से हमलावरों ने गाड़ी को निशाना बनाया और भाग गए उससे साफ है कि वे पूरी तैयारी से थे। हमलावरों को मालूम था कि गाड़ियों का काफिला एक बार शुरू हुआ तो फिर वे अपने मंसूबों में कामयाब नहीं हो पाएंगे। 
शाम करीब चार बजे मायावती शब्बीरपुर में सभा कर सरसावा एयरबेस के लिए रवाना हुईं। बड़गांब चौराहे से उनका काफिला सीधे निकल गया, जबकि कुछ लोग सहारनपुर के लिए मल्लीरोड निकले। इसी समय खेतों से निकलकर आए हमलावरों ने हमला कर दिया। 

मायावती के निकलने और हमला होने मे महज चंद मिनटों का फांसला रहा..!!!
प्रशासन की नाकामी साफ तौर पर देखी जा सकती है... 

सहारनपुर में एक महीने के अंदर ये तीसरा मामला है। पहला मामला 20 अप्रैल का है जब बाबासाहेब की जयंती को लेकर मुसलमानों और दलितों के बीच विवाद कराने की कोशिश की गई थी। उसके बाद दूसरी घटना सहारनपुर के शब्बीरपुर गांव में 5 मई हुई। जिसमें राजपूत समुदाय के लोगों ने दलितों के सैकड़ों घरों में लूटपाट की और 50 से ज्यादा घरों को आग के हवाले कर दिया। 

ठाकुरों का आरोप है कि मायावती के आने से पहले दलितों ने उनके घर पर पथराव व आगजनी की थी। जबकि दलित समुदाय के लोगों ने आरोप लगाया कि बीएसपी सुप्रीमो मायावती के आने की वजह से ठाकुर चिढ़े हुए थे, जिसकी वजह से उन्होंने हम पर हमला बोला है।

आला अफसरों ने ठाकुरों की बस्ती को पुलिस छावनी में तब्दील कर दिया। आसपास के जनपदों से भी पुलिस बल को बुलाया गया है। मेरठ से एडीजी आनंद कुमार शब्बीरपुर के लिए रवाना हो गए हैं। साथ ही गांव में मुजफ्फरनगर व शामली से फायर ब्रिगेड की गाड़ी व पीएसी बुलाई जा रही है।
जो बंदोबस्त निर्दोष लोगों के लिए होना चाहिए था वह लोगों के मरने के बाद दिया जा रहा है

मंगलवार को दलितों पर तलवारों से हुए हमले के बाद अब ओबीसी समुदाय के लोगों पर भी हमला किया गया है। सहारनपुर के नानौता बड़गांव मांर्ग पर ओबीसी समाज के दो लोगों पर हमला किया गया है। यहां एक आदमी को गोली भी मारी गई है।

बताया जा रहा है कि प्रजापति समाज के दो लोगों पर तब हमला किया गया जब वह सहारनपुर के नानोता बड़गांव मार्ग पर रात तीन बजे भट्टे पर जा रहे थे। इस दौरान एक शख्स को गोली मार दी गई। दोनों लोगों को जिला चिकित्सालय भेजा गया है।

क्या पूरे देश में गोधरा, सहारनपुर, मुज्जफरनगर, झारखंड, कश्मीर जैसे हालात बनने जा रहे हैं??? 
सहारनपुर (यूपी) की आग देशभर में फैल सकती है. इसके मुख्य कसूरवार सरकारी उदासीनता ही नहीं विध्वंसकारी नीति भी है...

हमारी मनुमीडिया के मुताबिक सहारनपुर हिंसा के लिए मायावती और भीम आर्मी जिम्मेदार। क्या उसकी जिम्मेदारी बिलकुल नहीं जो कानून व्यवस्था संभालनेमें नाकामयाब है?
ये सब घटना क्रम इस बात का सबूत है कि राष्ट्रवादीयों का राष्ट्रवाद और कुछ नहीं शोषित पीडित तबकों का दमन ही है ।

(Created by : ब्लु डायरी ब्यूरो)