Showing posts with label Jay bhim. Show all posts
Showing posts with label Jay bhim. Show all posts

July 11, 2018

સ્મશાનના કફનો એના ઘરના માળીયાના પડદા બનીને ઝૂલે છે

By Raju Solanki  || Written on 2 July 2018


રમાબાઈ ભીમરાવ આંબેડકર અને સાવિત્રીબાઈ જોતિરાવ ફૂલે પુસ્તકાલય તેમ જ દેહદાતા ગંગાબહેન મુળજીભાઈ સોલંકી વાચનાલયની ગઈ કાલે અમે મુલાકાત લીધી. ઓઢવ જેવા વિસ્તારમાં જીર્ણશીર્ણ મકાનમાં આટલા બધા પુસ્તકો જોઇને આંખોને ટાઢક વળી. 51 વર્ષના લંકેશ ચક્રવર્તીએ આ કામ કર્યું છે. દલિત સમાજમાં બહુ મોટી તોપો છે. કરોડોના બંગલાઓમાં મજેથી રહેતા અધિકારીઓનું લિસ્ટ તો હવે ખાસુ લાંબુ છે. કોઇને લંકેશની જેમ આવું પુસ્તકાલય શરૂ કરવાની સૂઝ પડી નથી.
અમે ગયા ત્યારે નરોડા રોડથી ડો. રાજેશ પરીખ અને મિત્રો લાઇબ્રેરી પર આવ્યા હતા. નરોડા રોડ પર આવી જ એક લાઇબ્રેરી શરૂ કરવા માટે પુસ્તકો લેવા તેઓ અહીં ઓઢવ આવ્યા હતા. વસ્ત્રાલમાં પણ એક બીજું ગ્રુપ પુસ્તકાલય શરૂ કરી રહ્યું છે એની તેમણે વાત કરી. લંકેશે શરૂ કરેલું કામ હવે એક અભિયાન બની રહ્યું છે. આવતી કાલે અમદાવાદમાં સહેજેય ચાર લાખની આબાદી ધરાવતા અને રાજપુર, ગોમતીપુર, રખિયાલ, ઓઢવ, અસારવા, ચમનપુરા, ગિરધરનગર, મેઘાણીનગર, નરોડા રોડ, રાણીપ, ચાંદખેડા, બહેરામપુરા, દાણીલીમડા જેવા પરા વિસ્તારોમાં પથરાયેલા વિશાળ દલિત સમુદાયમાં પુસ્તકાલયોની પ્રવૃત્તિ શરૂ થશે તો તેનું શ્રેય તમારે લંકેશ ચક્રવર્તીને આપવું પડશે.
તમે પુસ્તકના પ્રેમી હો તો લંકેશના પુસ્તકાલયમાં તમારો આખો દિવસ ક્યાં જાય તેની તમને ખબર ના પડે એટલું વૈવિધ્ય એના કલેક્સનમાં છે. દિવ્ય કુરાન, હોલી બાઇબલ અને રામાયણ છે, તો ભારતીય દંડ સંહિતા અને સંવિધાન પણ છે. ગુજરાતી સાહિત્ય પરિષદને સેંકડો લેખકો-કવિઓ તેમના પુસ્તકોની ચાર ચાર નકલો વિવેચનાર્થે કે સંગ્રહ માટે મોકલે છે. પરીષદે એમાંના ઘણા પુસ્તકો લંકેશને આપ્યા છે. અને હજુ ટ્રક ભરાય તેટલા પુસ્તકો લઈ જવાનું કહેણ છે, લંકેશ પાસે જગ્યા નથી. આ પુસ્તકોનું ઇન્ડેક્સિંગ, ક્લાસિફિકેશન કરીને ધર્મ, કાયદો, નવલ, આત્મકથા જેવા વિભાગોમાં વહેંચવાનું ગંજાવર કામ હજુ બાકી છે.
પુસ્તકો વચ્ચે રહેતા એક ડો. ગણપત વણકર આપણે જોયા હતા. એક બીજો માણસ આ લંકેશ ચક્રવર્તી છે. એ કોઈ બડો વિદ્વાન નથી, પરંતુ આજન્મ એક્વિસ્ટ છે. એ એક અદભૂત ફોટોગ્રાફર છે. અમારા એક્યાશી-પંચ્યાસીના આંદોલનોની ગાંઠના પૈસે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, દસ્તાવેજીકરણ કરનારો એકમાત્ર બંદો આ લંકેશ ચક્રવર્તી છે. ફોટોગ્રાફી એનો શોખ છે, મિજાજ છે. ફોટોગ્રાફી એની એસેટ છે, એનું દેવું છે, કહો કે ફોટોગ્રાફી એની જિંદગીનું કાચુ-પાકુ સરવૈયુ છે. દલિત આંદોલન આવા પાગલ, બિન્ધાસ્ત અને દેવાળીયા લંકેશ જેવા લોકોનું ઋણી છે, જેણે જિંદગીમાં નફા-તોટાનો હિસાબ નથી કર્યો. સમાજને દીધું જ છે, કશું જ મેળવવાની અપેક્ષા વગર.
લંકેશ કોઈ અડ્ડાનો માણસ નથી. એકલો, બેફિકરો, સૂફી જેવો સીધો સાદો શખ્સ છે. સ્મશાનના કફનો એના ઘરના માળીયાના પડદા બનીને ઝૂલે છે. એણે શૌચાલયને માથે મંદિરના ગુંબજ મુકાવ્યા છે. દેવાલયથી શૌચાલયનું સૂત્ર એણે સાર્થક કર્યું છે. રેશનાલિઝમ એના લોહીના એક એક રક્તકણમાં છે, પણ એનું રેશનાલિઝમ ફેસબૂક કે વોટ્સપની ગ્લેમરમાં ગૂંચવાયું નથી. એ વિવાદોથી હજારો પ્રકાશવર્ષ દૂર છે, પરંતુ જાનનું જોખમ ખેડીને રૂપાલની પલ્લીમાં વેડફાતા કરોડો રૂપિયાના ઘીની વિડીયોગ્રાફી કરતા એનું રૂંવાડુ થરથરતું નથી.
ક્યારેક ભૂલથી પણ તમે લંકેશની લાઇબ્રેરીની મુલાકાત લઈ જોજો. મંદિરોમાં પૈસા નાંખવાના બદલે લોકોએ અહીં રૂપિયાનો વરસાદ વરસાવવાની જરૂર છે. ગયા વર્ષે મેઘરાજાએ મહેર કરી એવી કે લાઇબ્રેરીના પહેલા માળે પાણી ભરાઈ ગયું. આખી રાત લંકેશે ડોલથી પાણી ઉલેચ્યાં કરેલું. મકાનના ધાબા પર લોખંડની પાઇપો નાંખીને તેના પર પાથરેલા મીણીયાથી તીરાડોવાળી પેરાફિટ માંડ માંડ ઢાંકીને પાણી આવતું અટકાવ્યું હતું. (જુઓ તસવીર). લંકેશને તેની લાઇબ્રેરીના રીનોવેશન માટે આપણા સૌની મદદની તાતી જરૂર છે.
લંકેશની લાઇબ્રેરીને ટકાવવાની જ નહીં એને શાનદાર, દમદાર બનાવવાની આપણા સૌની પવિત્ર ફરજ છે. દલિતોની એક એક ચાલીમાં એક પુસ્તકાલય હોવું જોઇએ. જેમ જેમ પુસ્તકાલયોની સંખ્યા વધશે, તેમ તેમ દારુના અડ્ડા એની મેળે નિરર્થક થઈ જશે. વિશ્વાસ રાખો. પુસ્તકના વ્યસનથી વડેરું કોઈ વ્યસન નથી દુનિયામાં.





Facebook Post  : -

June 27, 2018

કોણ કોની પ્રસિદ્ધિ કરી રહ્યું છે?

By Raju Solanki  || 15 April 2018




રાજુ સોલંકી એનો સાક્ષી છે

આજે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડીયા’ લખે છે, “For the first time in years, there were huge queues at Sarangpur to garland the statue of Babasaheb.” એટલે કે પ્રથમવાર સારંગપુર ખાતે બાબાસાહેબની પ્રતિમાએ લાંબી લાઇનો લાગી હતી.

આમને બિચારાઓને ખબર જ નથી કે 1981 અને 1985ના મીડીયા-પ્રેરિત અનામતવિરોધી રમખાણો વખતે લાખો દલિતો અમદાવાદમાં સારંગપુર ખાતેની પ્રતિમાએ ઉમટી પડતા હતા અને મીડીયા એક લીટી છાપતું નહોતુ. ત્યારે ફેસબુક ન હતું અને માર્ક ઝુકરબર્ગ જન્મ્યો પણ ન હતો. પણ નિષ્ઠા, પ્રતિબદ્ધતા અને બાબાસાહેબ પરત્વેનો ઉમળકો લગીરે ઓછો નહોતો. રાજુ સોલંકી એનો સાક્ષી છે.

મજાની વાત તો એ છે કે અત્યાર સુધી રમણ વોરા કે આર. એમ. પટેલ જેવા ભાજપના દલિત નેતાઓ પ્રતિમાએ આવતા અને જતા રહેતા, એમની કોઈ નોંધ લેવાતી નહોતી. તેઓ આવતા અને પોતાના કેટલાક ટેકેદારો સાથે બાબાસાહેબને ફુલહાર પહેરાવીને રવાના થઈ જતા હતા. આ વખતે જ કહેવાતા વિરોધને કારણે એમના તરફ સૌનું ધ્યાન ગયું છે અને મીડીયામાં એમના ફોટા પણ આવ્યા છે. કોણ કોની પ્રસિદ્ધિ કરી રહ્યું છે?



February 24, 2018

लाल सलामकी बाते हमे रोमांचित अवश्य करती है पर यह बहुजन आंदोलन को सफल नहीं बनाती।

By Jigar Shyamlan ||  2 February 2018




आजकल भारत का पूंजीवादी मीडिया जिस तरह से दलित आंदोलन का कवरेज कर रहा है यह देखकर तो ऐसा ही लगता है जैसे भूतकाल में कोई दलित आंदोलन हूआ ही नही।

वैसे तो मुझे दलित शब्द पसंद नही, यह शब्द गैर संवीधानीक है। ईसलिये जहां तक हो सकता है यह शब्द ईस्तमाल नही करता। परंतु यह बात समझाने के लिये यह शब्द प्रयोग अति आवश्यक है ईसलिये प्रयोग किया गया है।

यह बात खुली किताब सी है कि दलित आंदोलन काफी सालो से चल है, और ईस आंदोलन से काफी सारे लोग भी जूडे हूए है। यह आंदोलन भिन्न भिन्न नामो से जरूर है पर एक सबका उद्दैश्य एक ही है।

दलित आंदोलन में बाबा साहब आंबेडकर के बाद अगर कोई स्मरणीय कहा जा सके वैसा नाम है तो वोह कांशीराम का रखा जा सकता है।

अब महत्वपूणँ बात काशीराम काफी सालो से ईस दीशा में काम कर रहे थे। लेकिन फिर भी उस वक्त समाचारो में कहीं भी उनका कोई नामोनिशान नही था।

मान लीया जाये उस वक्त टी.वी.चैनल्स की शुरूआत थी, सिफँ अखबार थे लेकिन फिर भी अखबारो ने काशीराम को ईतना कवरेज नही दीया था।

बडी हैरानी की बात यह है कि जब बहूजन समाज पाटीँने सरकार बनाई तब काशीराम को समाचारो मे जगह मिली थी। उसके बाद काशीराम के फोटो, ईन्टँरव्यु, प्रेस वाताँलाप मीडिया मे देखने को मिले। बहोत से लोग ऐसै थे जिन्होने काशीराम की फोटो पहली बार देखी थी। कुछ लोग तो पहचानते भी नही थे।

लेकिन आज भारत पूंजीवादी मीडिया दलित आंदोलन के हीरो को जिस तरह से कवरेज दे रहा है, लगता है दाल में कुछ काला हो न हो परंतु लाल जरूर है।

गुजरात के ऊनाकांड से उभरे लाल सलाम नेता को आज दलितो के महानेता बनाने की जो मुहीम चल रही है यह बात सोचने को मजबूर कर देती है।

क्या किसी बहुजन या मूलनिवासी जो समाज एवं आंदोलन का सच्चा हितैषी हो उसको भारत का मुख्यधारा का पूंजीवादी मीडिया इतना कवरेज देता है..??

मैने कभी वामन मेश्राम, मायावती और विजय मानकर जैसे लोगो का कभी भी कहीं भी ईतना ज्यादा मीडिया कवरेज भारत के पूंजीवादी मिडीया में नही देखा।

यह लाल सपुत ने आख़िर कौन सा क्रांतिकारी आंदोलन किया जो हर चैनल वाले उसका अकेले-अकेले इंटरव्यू कर रहे है। सिफँ एक चूनाव ही तो जीता है वह भी कान्ग्रेस के पूणँ सपोटँ के साथ। मान लिजीये यदी कान्ग्रेस ने उम्मीदवार खडा किया होता तो क्या होता..?? यह जीत जिस पर इतना दम लगाया जा रहा है। वोह असल में खुद की नही पर किसीकी उधार दी हूई है।

लाल सपूत लाल सलाम बोलते है। अपने आप को क्रान्तिकारी और दलित हितेषी बता रहे है, पर बाबा साहब की बातो को नही मानते। लाल सपुत कहते है कि बाबा साहब की बाते पथ्थर की लकिर नही। यह लाल सपुत बोल रहे है, सारे बहूजन फैक है।

कहीं यह मुख्यधारा के मीडिया और राजनीतिक संगठनों की, स्थापित बहुजन आंदोलन एवं नेतृत्व के प्रति बहुजन जनता में अविश्वास पैदा करने की, मीडिया के माध्यम से बहुजनों में भ्रम फैलाने की साज़िश तो नहीं..??

विचारधारा ही एक तत्व है जिससे आंदोलन चलाया जा सकता है, जो टिकाऊ और बहूजनो के हित में होगा।

लाल सलामकी बाते हमे रोमांचित अवश्य करती है पर यह बहुजन आंदोलन को सफल नहीं बनाती।

जय भीम बोलीए
लाल सलाम छोडीए




November 01, 2017

આંબેડકરવાદ અને આપણે.....??

By Jigar Shyamlan ||  01 Nov 2017 


માહોલ એવો છે કે બાબા સાહેબ આંબેડકરની વિચારધારા પર ચાલતા માણસને પણ પોતે કેવો આંબેડકરવાદી છે તેની સાબિતીઓ આપવી પડે છે.!!!

આ સાબિતી સો ટચની ત્યારે જ ગણાય જ્યારે તમે બ્રાહ્મણોને ગાળો આપતા હોવ. બ્રાહ્મણોને ગાળો આપવાની ક્ષમતાઓ તમારો આંબેડકરવાદ નક્કી કરે છે, જેટલી વધુ ગાળો આપી શકો તમે તેટલા જ સવાયા અને કટ્ટર આંબેડકરવાદી સાબિત થાવ છો.

બ્રાહ્મણવાદ અને બ્રાહ્મણ એકબીજા સાથે જોડાયેલ છતાં અલગ અલગ પરિબળો હોઈ શકે. બધાજ બ્રાહ્મણવાદી બ્રાહ્મણો હોય અને બધા જ બ્રાહ્મણો બ્રાહ્મણવાદી છે એ વાત જે તે માણસની વિચારધારા પર આધારિત છે. હાલ આંબેડકરવાદી વિચારસરણી માત્ર અને માત્ર બ્રાહ્મણોની નિંદા કરવા પુરતી જ સિમિત બનાવી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યુ છે. બ્રાહ્મણોને ગાળો આપતા રહેવી એ જ આપણો ફુલ ટાઈમ ધ્યેય બની ગયો છે. હું અહી એક વાત સ્પષ્ટ કરવા માંગુ છુ કે હું પોતે બ્રાહ્મણવાદનો વિરોધી છું. માત્ર બ્રાહ્મણોને ગાળો આપતા રહેવું એ તો સમસ્યાનો કોઈ ઉકેલ નથી.
ખુદ બાબા સાહેબ આંબેડકરે 1927 July-9 બહિષ્કૃત ભારતના એક તંત્રી લેખ ''દુ:ખાત સુખ''માં લખે છે કે-
''જનતામાં અનેક ધમઁ વિધમાન છે. પ્રત્યેક ધમઁના અનુયાયીઓ વચ્ચે વિવિધ પ્રકારના ભેદ જોવા મળે છે. કોઈ ગરીબ છે, કોઈ શ્રીમંત. કોઈ જ્ઞાની છે તો કોઈ અજ્ઞાની, પરંતુ આવા ભેદ દરેક ધમઁમાં જોવા મળશે જ. પરંતુ વ્યવસાય પ્રમાણે પાડવામાં આવેલ ભેદ તો માત્ર હિન્દુ ધમઁમાં જ જોઈ શકાય છે. કોઈ બ્રાહ્મણ, કોઈ ક્ષત્રિય, કોઈ વૈશ્ય, કોઈ શુદ્ર છે. હિન્દુ ધમઁમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણેત્તર એમ બે પ્રકારના ભેદ વધારે સ્પષ્ટ છે. જન્મજાત ઉંચનીચના ભેદભાવ એ જ બ્રાહ્મણની ખરી વ્યાખ્યા છે. એ બાબત સ્પષ્ટ છે કે હું બ્રાહ્મણ જાતિનો વિરોધી નથી તે મારો વિચાર સ્પષ્ટપણે જાહેર કરૂ છું બ્રાહ્મણ લોકો અમારા વેરી કે દુશ્મન નથી, પરંતુ જેઓ બ્રાહ્મણવાદગ્રસ્ત છે તે જ અમારા વેરી છે એવું હું સમજું છું''

બાબા સાહેબની વિચારધારા એકદમ સ્પષ્ટ હતી સમાનતા.., સ્વતંત્રતા..., ભાઈચારા અને અધિકાર માટેની હતી. પણ આપણે આ વિચારધારાને એકદમ ગૂંચવી નાખી છે. આપણે આજે સાચા આંબેડકરવાદી બનવાને બદલે એક જાતના કટ્ટરવાદી બની રહ્યા છીએ. બ્રાહ્મણવાદ વિરૂધ્ધની આખી આ લડાઈ આપણે માત્ર અને માત્ર બ્રાહ્મણ વિરૂધ્ધ કટ્ટરતાની બનાવી દીધી છે. આમ કરીને આપણે આપણી ચળવળને ક્યાંક ને ક્યાંક નુકશાન કરી રહ્યાનું પ્રતિત થાય છે.

એમ તો આપણી અંદર પણ એક પ્રકારનો છુપો બ્રાહ્મણવાદ વરસોથી ઉછરી રહ્યો છે જ..
(1). આપણી અંદરનો બ્રાહ્મણવાદ એટલે અનુસૂચિત જાતિમાં પ્રવઁતી રહેલ પેટાજાતિઓનું મિથ્યાભિમાન...!!
(2). આપણે આપણી ઓળખ એક વણકર.., રોહીત.., ગરોડા.., સેનમા..., નાડીયા...,સાધુ..., તુરી.., તરગાળા તરીકેની આપતા હોઈએ પણ ખુદને એક એસ.સી. તરીકે ન ઓળખાવતા હોઈએ એ પણ એક પ્રકારનો છુપો બ્રાહ્મણવાદ જ છે.
(3). સમગ્ર એસ.સી. સમાજમાં પણ આપણે વિવિધ પેટાજાતિઓ અને પેટાજાતિઓમાં પણ અમુક તમુક ગોળ,પરગણાં કે સમાજ તરીકે બંધાયેલ રહીએ એ પણ બ્રાહ્મણવાદની ચરમસિમા છે.
(4). આપણે આપણાં વિવિધ સમાજમાં ચાલતી કેટલીક રૂઢીઓ, રીતરિવાજોમાં તસુભાર પણ બદલાવ લાવી શક્યા નથી. આપણે બંધારણમાં ઉલ્લેખ કરાયેલ અનુસૂચિત જાતિ પુરતા જ એક છીએ, બાકી બંધારણની બહાર આપણે અનેક પેટાજાતિઓનાં શંભુમેળાથી વિશેષ કંઈ નથી.
(5). આપણે આપણી તમામ શક્તિઓ અંદરો અંદરના વિખવાદને બહાર લાવી એકબીજાને પછાડવાની પ્રવૃત્તિઓમાં જ વ્યથઁ વેડફી રહ્યા છીએ.
(6). રાજકીય રીતે પણ આપણે માણસે માણસે અલગ મત ધરાવીએ છીએ.
(7). એકલો હું જ બાબા સાહેબને સારી રીતે સમજી શકું બીજાઓ અધકચરુ સમજ્યા એ પણ એક પ્રકારનો મિશ્રિત બ્રાહ્મણવાદ જ છે.
(8). આપણા ધમઁમાં પ્રવતઁમાન વ્યથઁ માન્યતાઓ, વિધીવિધાનો અને ક્રિયાઓ બાબતે જે તે શાસ્ત્રો કે ધમઁને ભાંડવા સિવાય કંઈ કયુઁ નથી. સામાન્યમાં સામાન્ય માણસ સમજી શકે તે રીતની રચનાત્મક સમજણ આપવામાં આપણે જોઈયે તેટલા સફળ નથી.
(9). આપણે અવારનવાર મિટીંગો યોજીએ છીએ પણ તેમાં આપણો સાચો મેસેજ કહેવામાં પુણઁત: નિષ્ફળ રહીએ છીએ.

આપણે એક બનીશુ પણ પછી શુ કરીશુ તેનુ કોઈ વિઝન નથી. રાજકીય જેને જ્યાં ફાવે ત્યાં જેવો ધાટ છે.

કોઈ પણ માણસ પુણઁ નથી... તેને પુણઁ બનવુ પડે. કોઈપણ માણસ પુણઁ થવા તરફ પ્રયાણ કરે એ જ સાચો માણસ.
મને વિશ્વાસ છે કે મારી આ પોસ્ટ કેટલાક માણસોને ગમશે નહી... એટલે મારી આ પોસ્ટ પરથી મને જે તે રીતે ધારી લેવામાં આવશે, પણ હું કોઈની ધારણા નથી.
જ્યાં સુધી આપણે સમગ્ર અનુસૂચિત સમાજ તરીકે એક નહી બની શકીએ ત્યાં સુધી બ્રાહ્મણવાદી રહીને બ્રાહ્મણવાદનો વિરોધ કરનારા લોકો બનીને જ રહી જઈશું.
#જય_ભીમ
# જિગર શ્યામલન