June 27, 2018

કોણ કોની પ્રસિદ્ધિ કરી રહ્યું છે?

By Raju Solanki  || 15 April 2018




રાજુ સોલંકી એનો સાક્ષી છે

આજે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડીયા’ લખે છે, “For the first time in years, there were huge queues at Sarangpur to garland the statue of Babasaheb.” એટલે કે પ્રથમવાર સારંગપુર ખાતે બાબાસાહેબની પ્રતિમાએ લાંબી લાઇનો લાગી હતી.

આમને બિચારાઓને ખબર જ નથી કે 1981 અને 1985ના મીડીયા-પ્રેરિત અનામતવિરોધી રમખાણો વખતે લાખો દલિતો અમદાવાદમાં સારંગપુર ખાતેની પ્રતિમાએ ઉમટી પડતા હતા અને મીડીયા એક લીટી છાપતું નહોતુ. ત્યારે ફેસબુક ન હતું અને માર્ક ઝુકરબર્ગ જન્મ્યો પણ ન હતો. પણ નિષ્ઠા, પ્રતિબદ્ધતા અને બાબાસાહેબ પરત્વેનો ઉમળકો લગીરે ઓછો નહોતો. રાજુ સોલંકી એનો સાક્ષી છે.

મજાની વાત તો એ છે કે અત્યાર સુધી રમણ વોરા કે આર. એમ. પટેલ જેવા ભાજપના દલિત નેતાઓ પ્રતિમાએ આવતા અને જતા રહેતા, એમની કોઈ નોંધ લેવાતી નહોતી. તેઓ આવતા અને પોતાના કેટલાક ટેકેદારો સાથે બાબાસાહેબને ફુલહાર પહેરાવીને રવાના થઈ જતા હતા. આ વખતે જ કહેવાતા વિરોધને કારણે એમના તરફ સૌનું ધ્યાન ગયું છે અને મીડીયામાં એમના ફોટા પણ આવ્યા છે. કોણ કોની પ્રસિદ્ધિ કરી રહ્યું છે?



No comments:

Post a Comment