March 06, 2018

भगत सिंह के कंधे पर बंदुक मत रखो

By Vishal Sonara || 6 March 2018




जो कम्युनीस्ट अभी लेनिन को भगत सिंह का आदर्श स्थापीत करने मे लगे हुए है उनको एक बात बता देना जरुरी है की देश के जो युवा भगत सिंह को मानते है उनका आदर्श खुद भगत सिंह ही है. भगत सींह को किताबे पढने का शौख था. वो कार्ल मार्क्स, लेनिन, मीखाईल बाकुनीन, त्रोत्स्की जैसे लेखको की किताब पढते थे ऐसा उल्लेख मीलता है और भी बहोत सी किताबे उन्होने पढी होगी..
किताब पढने से देश दुनीया से रुबरु हो सकते है और इसी लीये ज्यादातर महान लोग किताबे पढते थे. भगत सिंह भी पढते थे. और किसी की किताब अगर पढ लें तो क्या वो हमारे आदर्श बन गए??
मैने गांधी को भी पढा है, गोड्से को भी पढता हु. वेद पुराण को भी पढता हु. पर इन मे से कोइ मेरा आदर्श नही है. अच्छी बाते अगर लगे तो ग्रहण कर सकते है, प्रेरणा ले सकते है, उनके विचारो से गहराई नाप सकते है, दुश्मन को पहचान सकते है... बहोत कुछ हो सकता है.  इस बात पर लेनिन को भगत सिंह का आदर्श बता देना मुजे ठीक नही लगता.
भगत सिंह खुद एक मीसाल थे.
अपनी फांसी के एक दिन पहले भगत सिंह ने कहा था की, "मै क्रांति का मुल मंत्र बन गया हुं." ्ये बहोत गहरी बात उन्होने कही थी. वो खुद अपने लिए क्रांति का मुल मंत्र थे. और वो जानते थे की देश के लिए भी वो खुद एक बडी क्रांति है.  लेनिन और भगत सिंह मे गुरु शीष्य जैसा रिश्ता नीकालना भगत सींह के मुल वैचारीक तत्व को खत्म करने जैसा है.

हमारे आदर्श भगत सींह ही है, भगत सिंह के कंधे पर बंदुक रख कर हमे लेनिन को आदर्श मानने के लिए मत समजाओ.  हमे विदेशी विचारधाराओ की कोइ जरुरत नही है.

भगत सिंह को लेनिन के समकक्ष क्रांतिकारी कहना हो तो कह सकते हो पर ये सीखाने की कोशीष मत करो की लेनिन नहि होता तो हमे भगत सिंह नही मिलते.

આંબેડકર ની વિચારધારા સમજવા માટે એમને વાંચવા જરુરી છે

By Jigar Shyamlan ||  4 March 2018 




આજે પણ બાબા સાહેબનું નામ પડે કે મનુવાદી વિચારસરણી ધરાવતી પાર્ટીઓને તરત જ પરસેવો છુટવા માંડે છે.

આ ડર આજનો નથી પણ બાબા સાહેબ હયાત હતા ત્યારથી છે. એ વખતે પણ અસ્તિત્વમાં રહેલી રાજકીય, સામાજિક સંગઠનો બાબા સાહેબના નામથી થર..થર..થર કાંપતા હતા.
આ ડર વિશેનું કારણ ખુદ બાબા સાહેબે જણાવતા કહ્યું હતું કે-
'' હું વિધ્વાન છું.....
વધારે ભણેલો ગણેલો છું....
સૌથી મોટા સમુદાયનું પ્રતિનિધિત્વ કરું છું....
આ બધા કારણોસર લોકો મારાથી ડરતા નથી.
પણ એ લોકો મારાથી ડરે છે કારણ કે....
હું શીલવાન છું....
ચારિત્રવાન છું....
સ્વમાની છું.....
મને ખરીદી શકાય તેમ નથી.....
મને અને મારા વિચારોને વેચી શકાય તેમ નથી."

આજે મોટાભાગના રાજકીય પક્ષો બાબા સાહેબ સાથે પોતાને જોડી પછાત સમાજને ખુશ કરવા પ્રયાસ કરી રહ્યા છે. પણ તેમને જોઈયે તેટલી સફળતા મળી રહી નથી. કારણ બાબા સાહેબના વિચારધારા અને બાબા સાહેબે લખેલા પુસ્તકો.

બાબા સાહેબની વિચારધારા અને તેમને લખેલા પુસ્તકો એક રીતે છુપાવી રાખેલા બોમ્બ છે. બસ આપણે કંઈ કરવાનું નથી બાબા સાહેબના પુસ્તકોનાં પાનાં ખોલીને વાંચવાના છે.

જ્યારે બાબા સાહેબના વિચારધારા સમાવતા પુસ્તકોરૂપી બોમ્બને વાંચનરૂપી દિવેટથી સળગાવીશું. બસ ત્યારે એવો વિસ્ફોટ થશે જેમાં મનુવાદી વિચારસરણી પાયામાંથી હચમચીને ધરાશાયી થઈ જશે..જમીનદોસ્ત થઈ જશે...

એટલે સૌએ એક જ કામ કરવાનું છે.... બસ સમાજનાં પ્રત્યેક માણસ સુધી બાબા સાહેબના વિચાર... અને તેમને લખેલ પુસ્તકોનો શક્ય તેટલો ફેલાવો કરવો....

આપણે બસ એટલો પ્રયાસ કરવાનો છે કે લોકો બાબા સાહેબને વાંચતા થાય. બસ પછી એને જાગ્રત કરવાનું કામ ખુદ બાબા સાહેબની વિચારધારા કરી દેશે.
- જિગર શ્યામલન

વિચરતી વિમુક્ત ૪૦ જ્ઞાતિઓનો વિકાસ મંત્ર

By Anil Shekhaliya || 3 March 2018 at 19:29


"૧૧% અનામત સાથે ST માં સમાવેશ"

હક્ક મંગવો એ દરેક નાગરિકનો સમાન અધિકાર છે આપણે બીજી બધી જ્ઞાતિઓ કરતા આર્થિક શૈક્ષણિક અને સામાજિક રીતે સૌથી ગરીબ વંચિત શોષિત અને પીડિત પ્રજા છીએ વિચરતી વિમુક્ત જ્ઞાતિઓનો વિકાસ ફક્તને ફક્ત અલગ અનામત મળે તો જ ઉદ્ધાર છે.
આજના ભ્રષ્ટ મુડીવાદિ અને હરિફાઈના યુગમાં આવી નબળી જાતિઓ અને આપણો વિકાસ આપણે કોઈપણ હરીફાઈમાં ટકીને કરી શકીએ તેમ નથી. પાયામાં શિક્ષણ તો જરૂરી છે જ પરંતુ આ બીજા વિકસિત સમાજ સાથે વિકાસની ભાગીદારી મેળવવા અને મુખ્ય ધારા માં આવવા માટે માત્રને માત્ર આપણે ૧૧% સાથે ST માં સમાવેશ કરે તો જ આપનો વિકાસ શક્ય છે એમ લાગે છે.
માટે જાગો ભાઈઓ આપણી એકતા કરી હક્ક અધિકાર માટે આ અભિયાનમાં જોડાઓ.  NT/DNT સમાજ ની ગરીબી નાબૂદી માટે લડાઈ ઉપાડીયે અને આપણને પણ સમાન અધિકાર મળે એ માટે  સૌ સાથે મળી ને સંધર્ષ કરીએ. એક વેર-વિખેર કડીઓને જોડીને એક સાંકળ બનીએ અને આપણો અધિકાર મેળવીને જ જંપીએ

આપણે અનામત શા  માટે માંગીએ  છીએ ઃ-

  1. NT/DNT સમાજ શોષિત પીડિત અને વંચિત જંગલી જીવન જીવે છે
  2. એક જગ્યાએ વસવાટ નથી નિરંતર ભટકતી જ્ઞાતિઓ છે 
  3. આસ્થા શ્રદ્ધાથી મહેનત કરે છે વિકાસ અને રોજગાર માટે ભટકે છે
  4. આર્થિક પરીસ્થીતી જ નબળી હોય તો શિક્ષણના ખર્ચા ક્યાંથી કરશે?
  5. બિન સંગઠિત કોમ છે
  6. જન્મ મરણ રેશનકાર્ડ કે બીપીએલ વગેરેના પુરાવા ધરવતા નથી જેથી કોઈ યોજનાઓના લાભ મેળવી શકતા નથી
  7. તીરસ્કાર અને અપમાન નો ભોગ બનેલી પ્રજા છે
  8. ઓબીસી માં સમાવેશ કરવાથી NT/DNT સમાજ ફક્ત શોભાના ગાંઠિયા સમાન છે
  9. મજબૂત સમાજ જ obc ના ૨૭% અનામત ના લાભ મેળવે છે અને ગરીબના લાભ ઝુંટવાઈ જાય છે


૧૧% અનામત સાથે ST માં સમાંવવાથી શુ ફાયદો મળશે ??


  1. કોઈપણ શિક્ષણમાં ઉચ્ચ અભ્યાસમાં NT/DNT બાળકોને અનામતથી અભ્યાસમાં સ્થાન મળશે
  2. નોકરીમાં પણ ૧૦૦૦ ક્લાર્કઓની ભરતી હશે તો ૧૧% થી ૧૧૦ NT/DNT બાળકો કલાર્કની નોકરી મેળવશે
  3. ૧૦૦૦ પોલીસની ભરતીમાં પણ ૧૧૦ NT/DNT બાળકો પોલીસ બની શકશે
  4. ૧૦૦૦ મામલતદારો,કલેકટરો,કે પી.આઈ, વગેરેની ભરતીમાં પણ દરેકમાં NT/DNT ૧૧૦ બાળકો પદ મેળવશે
  5. કોઈ પણ ચૂંટણી હોય સરપંચ,ડેલીગેટ,કોર્પોરેટર,ધારાસભ્ય,સંસદસભ્ય વગેરેમાં પણ NT/DNT સમાજ ના લોકો ને ૧૧% લેખે અનામતનો લાભ મળશે.
    જેમ કે, ૧૦૦૦ સરપંચની ગામોમાં ચૂંટણીમાં ૧૧૦ NT/DNT સમાજ માથી સરપંચ બની શકશે, ૨૦૦ ધારાસભ્યોમાં ૨૨ NT/DNT ધારાસભ્યો બની શકશે. આમ દરેક ક્ષેત્રે NT/DNTને ૧૧% મળશે તો તેનો લાભ મળશે અને દેશ ના વિકાસમાં સહભાગી બની શકાશે. 
  6. ST માં સમાવેશ કરશે તો અનુસૂચિત જનજાતિને જે લાભ કે સુવિધા મળે છે તે બધી જ સુવિધાઓ આપણને ૧૧% અનામત પ્રમાણે મળશે.
એસ સી કે એસ ટી અનામત મા કોઇ ફેરફાર કર્યા વિના આ ડીમાંડ કરવામા આવે છે.

માટે જાગો ભાઈઓ-બહેનો,વડીલો-યુવાનો આપણા સમગ્ર સમાજોના ઉદ્ધાર માટે વિચરતી વિમુક્ત જ્ઞાતિના નેતૃત્વમાં સૌએ એક સંપ થઈને આપણો અધિકાર મેળવીયે.
વિચરતી વિમુક્તની એક કરોડ પંદર લાખની જનતામાં આપના દરેક પરિવારમાંથી દરેક ઘરમાંથી એક સભ્ય આ અભિયાન માં જોડાઈશું તો એક મજબૂત અવાજ બનશે. "આપણે આપણો અધિકાર મેળવીને જ જંપીશું આવી શપથ લઈએ."

આ અભિયાનમાં જોડાઓ.

આ મેસેજ વધુમાં વધુ શેર કરો તમામ સમાજ સુધી પહોચવો જોઈએ

લી. અનિલ શેખલીયા
મો. 9714017874

સપોર્ટર ઃ-
અજિતભાઈ મીઠાપરા
9924511851
મહેશભાઈ સાથળિયા
8000419315
(Edited By Vishal Sonara)